Slider Archives - Page 101 of 489 - CIA Live

January 22, 2022
ipl.png
8min557
IPL 2022 Mega Auction Date, Team Wise Players List @ www.iplt20.com

2 કરોડની બેઝ પ્રાઇઝ ધરાવતા ક્રિકેટર્સ

  • R Ashwin,
  • Yuzvendra Chahal,
  • Deepak Chahar,
  • Shikhar Dhawan,
  • Shreyas Iyer,
  • Mohammed Shami,
  • Devdutt Padikkal,
  • Krunal Pandya,
  • Harshal Patel,
  • Suresh Raina,
  • Ambati Rayudu,
  • Shardul Thakur,
  • Robin Uthappa,
  • Umesh Yadav, 
  • Dinesh Karthik,
  • Ishan Kishan,
  • Bhuvneshwar Kumar
  • Mujeeb Zadran,
  • Ashton Agar,
  • Nathan Coulter-Nile,
  • Pat Cummins,
  • Josh Hazlewood,
  • Mitchell Marsh,
  • Steve Smith,
  • Matthew Wade,
  • David Warner,
  • Adam Zampa,
  • Shakib Al Hasan,
  • Mustafizur Rahman,
  • Sam Billings,
  • Saqib Mahmood,
  • Chris Jordan,
  • Craig Overton,
  • Adil Rashid,
  • Jason Roy,
  • James Vince,
  • David Willey,
  • Mark Wood,
  • Trent Boult,
  • Lockie Ferguson,
  • Quinton de Kock,
  • Marchant de Lange,
  • Faf du Plessis,
  • Kagiso Rabada,
  • Imran Tahir,
  • Fabian Allen,
  • Dwayne Bravo,
  • Evin Lewis,
  • Odean Smith

1.5 કરોડની બેઝ પ્રાઇઝ ધરાવતા ક્રિકેટર્સ

  • Amit Mishra,
  • Ishant Sharma,
  • Washington Sundar,
  • Aaron Finch,
  • Chris Lynn,
  • Nathan Lyon,
  • Kane Richardson,
  • Jonny Bairstow,
  • Alex Hales,
  • Eoin Morgan,
  • Dawid Malan,
  • Adam Milne,
  • Colin Munro,
  • Jimmy Neesham,
  • Glenn Phillips,
  • Tim Southee,
  • Colin Ingram,
  • Shimron Hetmyer,
  • Jason Holder,
  • Nicholas Pooran.

1 કરોડની બેઝ પ્રાઇઝ ધરાવતા ક્રિકેટર્સ

  • Manish Pandey,
  • Piyush Chawla,
  • Prasidh Krishna,
  • T Natarajan,
  • Ajinkya Rahane,
  • Nitish Rana,
  • Wriddhiman Saha,
  • Kedar Jadhav,
  • Kuldeep Yadav,
  • Jayant Yadav,
  • Mohammad Nabi,
  • James Faulkner,
  • Moises Henriques,
  • Marnus Labuschagne,
  • Riley Meredith,
  • Josh Philippe,
  • Liam Livingstone,
  • Tymal Mills,
  • Aiden Markram,
  • Rilee Rossouw,
  • Tabraiz Shamsi,
  • Rassie van der Dussen,
  • Wanindu Hasaranga,
  • Roston Chase,
  • Sherfane Rutherford, 
  • D’arcy Short,
  • Andrew Tye,
  • Dan Lawrence, 
  • Ollie Pope,
  • Devon Conway,
  • Colin de Grandhomme,
  • Mitchell Santner

આ પ્લેયર્સની હરાજી નહીં થાય પહેલેથી જ ટીમોએ લઇ લીધા છે

CSKDCKKRMIPBKS
Ravindra JadejaRishabh PantAndre RussellRohit SharmaMayank Agarwal
MS DhoniAxar PatelVarun ChakaravarthyJasprit BumrahArshdeep Singh
Moeen AliPrithvi ShawVenkatesh IyerSuryakumar Yadav
Ruturaj GaikwadAnrich NortjeSunil NarineKieron Pollard
RRRCBSRHTeam AhmedabadTeam Lucknow
Sanju SamsonVirat KohliKane WilliamsonHardik PandyaKL Rahul
Jos ButtlerGlenn MaxwellAbdul SamadRashid KhanMarcus Stoinis
Yashasvi JaiswalMohammed SirajUmran MalikShubman GillRavi Bishnoi
Total of 33 Players have been retained / picked ahead of the Player Auction. The existing 8 IPL Franchises have retained a total of 27 players while the 2 new IPL teams have picked 6 players ahead of the Auction.
January 22, 2022
one_hand_bag.jpg
1min736

મેસ્ટિક પ્રવાસીઓને હવેથી માત્ર એક જ હેન્ડ બેગ લઈ જવાની પરવાનગી આપવામાં આવશે. બ્યૂરો ઓફ સિવિલ એવિએશન સિક્યુરિટી (બીસીએએસ) દ્વારા જાહેર કરાયેલા તાજેતરના પરિપત્ર મુજબ, ડોમેસ્ટિક મુસાફરોને માત્ર એક જ હેન્ડ બેગ સાથે લઈ જવાની મંજૂરી આપવામાં આવશે.

‘વન હેન્ડ બેગ નિયમ’ તમામ એરપોર્ટ પર લાગુ કરવામાં આવ્યો છે. આ નિર્ણય ભીડ અને સુરક્ષાની અન્ય મુશ્કેલીઓને દૂર કરવા તેમજ એરપોર્ટ સ્ક્રીનિંગ પોઈન્ટ પરના ભારણને ઘટાડવાના હેતુથી લેવામાં આવ્યો છે.

19મી જાન્યુઆરીના રોજ બીસીએએસ સાથે વાતચીત કરતાં એક વરિષ્ઠ સીઆઈએસએફના અધિકારીએ પત્રમાં લખ્યું હતું કે, ‘બીસીએએસ ‘એવીએસઈસી’ પરિપત્ર પ્રમાણે, કોઈપણ મુસાફર મહિલાના પર્સ સહિત પરિપત્રમાં અગાઉથી સૂચિત વસ્તુઓ સિવાયની એકપણ હેન્ડબેગ નહીં લઈ જઈ શકે.’

‘જો કે, તેવું જોવામાં આવ્યું હતું કે, સ્ક્રીનિંગ પોઈન્ટ પર મુસાફરો પોતાની પાસે સરેરાશ બેથી ત્રણ હેન્ડ બેગ રાખે છે. તેના કારણે ક્લિયરન્સના સમયની સાથે-સાથે વિલંબ તેમજ ભીડ પણ થાય છે’, તેવો ઉલ્લેખ પત્રમાં કરવામાં આવ્યો હતો.

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશલ એરપોર્ટના સૂત્રોએ પુષ્ટિ કરી હતી કે, તમામ એરલાઈન્સને ભીડને હળવી કરવા માટે ‘વન હેન્ડ બેગ’ નિયમ લાગુ કરવા માટે જરૂરી પગલા લેવાની સૂચના આપવામાં આવી છે. સૂત્રોએ તેમ પણ જણાવ્યું હતું કે, એરલાઈન્સને કર્મચારીઓને જ્યારે જરૂરી હોય ત્યારે મુસાફરોને માર્ગદર્શન આપવા અને તેમના હાથનના સામાનની સ્થિતિ ચકાસવા માટે સ્ટાફની નિયુક્તિ કરવાનું પણ કહેવામાં આવ્યું છે.

એરલાઈન્સને તેમની ટિકિટ તેમજ બોર્ડિંગ પાસ પર ‘વન હેન્ડ બેગ નિયમ’ દર્શાવવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

January 22, 2022
mumbai_fire.jpg
1min754

મુંબઈ શહેરના તાડદેવ વિસ્તારમાં આજે Dated 22/1/22 વહેલી સવારે લગભગ સાડા સાત વાગ્યાની આસપાસ એક 20 માળની ઈમારતમાં આગ લાગવાની ઘટના બની છે. ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા પ્રાપ્ત જાણકારી અનુસાર, આ આગ બિલ્ડિંગના 18મા માળ પર લાગી હતી. અત્યારે ફાયર બ્રિગેડની ટીમ દ્વારા આગ ઓલવવાનું કામ શરુ કરી દેવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે વિસ્તારમાં સ્થિત ભાટિયા હોસ્પિટલની બાજુની ઈમારતમાં આ આગ લાગી છે.

Mumbai fire, Tardeo building fire: 2 dead, several injured after major fire  at 20-storey building in Tardeo

પ્રાથમિક જાણકારી અનુસાર, મુંબઈના નાના ચૌક પાસે આવેલી જે ઈમારતમાં આગ લાગી છે તેનું નામ કમલા છે. ઈજાગ્રસ્ત લોકોને નજીકમાં આવેલી ભાટિયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહ્યા છે. પ્રાથમિક સારવાર પછી બાર લોકોને સામાન્ય વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે અમુક દર્દીઓની સારવાર આઈસીયુમાં ચાલી રહી છે અને તેમની સ્થિતિ ગંભીર હોવાની જાણકારી મળી રહી છે.

સમાચાર એજન્સી એએનઆઈ દ્વારા પ્રાપ્ત જાણકારી અનુસાર, ઈમારતમાં લેવલ 3 આગ લાગી છે. ઘટનાસ્થળ પર અત્યારે 13 જેટલી ફાયર બ્રિગેડ હાજર છે. બીએમસી દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ દુર્ઘટનામાં અત્યાર સુધી સાત લોકોએ જીવ ગુમાવ્યા છે. મુંબઈના મેયર કિશોરી પેડણેકરે જણાવ્યું કે, અમને જાણકારી મળી છે કે હોસ્પિટલના લોકોએ દર્દીઓને દાખલ કરવાની ના પાડી હતી. અમે તપાસ કરીશું કે આખરે તેમણે આવુ કેમ કર્યું અને આ વાતની જાણકારી બીએમસી કમિશનરને આપવામાં આવશે.

આટલી મોટી આગ લાગી કેવી રીતે તે કારણ હજી સુધી સામે નથી આવી શક્યું. આગને કારણે ચારેબાજુ ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. એવી અટકળો ચાલી રહી છે કે શોર્ટ સર્કિટને કારણે આગની આ ઘટના બની છે. તપાસ પછી જ આગનું સાચું કારણ સામે આવી શકશે. મુંબઈના મેયરે જણાવ્યું કે, નજીકની ભાટિયા હોસ્પિટલમાં બેડ ફુલ થઈ ગયા છે. આસપાસની હોસ્પિટલોને બેડ ખાલી રાખવાની સૂચના આપવામાં આવી છે. લોકોને ઈમારતમાંથી બહાર નીકાળવામાં આવી રહ્યા છે.

January 21, 2022
Cia_business_news-1280x936.jpg
2min552

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

સુરતના એરપોર્ટ નજીક આકાર પામી રહેલા સુરત હિરા બુર્સનો હજુ તો આરંભ થયો નથી એ પહેલા જ કારભારીઓની અણઆવડતને કારણે સુરત ડાયમંડ બુર્સ મોટા વિવાદમાં સપડાય રહી છે. સુરત હિરા બુર્સને ધમધમતું કરવા માટે સુરત ડાયમંડ બુર્સના ચેરમેન વલ્લભભાઇ લાખાણીના નામે એક સરક્યુલર ઇશ્યુ કરવામાં આવ્યો હતો અને તેમાં મુંબઇના ભારત ડાયમંડ બુર્સમાંથી ધંધો બંધ કરીને સુરત શિફ્ટ થનારા હીરા ઉધોગકારોને કેટલીક લલચામણી ઓફર આપવામાં આવી હતી. મુંબઇના હીરા ઉદ્યોગપતિઓમાં સુરત ડાયમંડ બુર્સના સંચાલકોની એવી પ્રતિષ્ઠા ખરડાઇ છે કે લોકો એવું કહી રહ્યા છે કે હજુ તો સુરત ડાયમંડ બુર્સ શરૂ થયું નથી ને આવી હરકતો કરે છે જો આ ડાયમંડ બુર્સ સેટ થઇ જશે પછી તો સુરત ડાયમંડ બુર્સવાળા ઝાલ્યા નહીં ઝલાય.

સુરત ડાયમન્ડ બુર્સ

સુરત હીરા બુર્સના કેટલાક કારભારીઓનો આ મોટો દાવ હતો પણ હવે એટલે આ દાવ ખોટો પડ્યો છે કેમકે મામલો ગુજરાત હિરા બુર્સ અને શિવસેના સુધી પહોંચી ચૂક્યો છે. મુંબઇ સ્થિત ભારત હિરા બુર્સના આગેવાનોએ તો ત્યાં સુધી કહી દીધું છે કે સુરત ડાયમંડ બુર્સને અમે ભાઇ ગણ્યો હતો પણ સુરત ડાયમંડ બુર્સના મેનેજમેન્ટની હરકતો જોતા એ હવે ભારત પાકિસ્તાન જેવો કટ્ટરવાદ ફેલાવી રહી છે. સુરત ડાયમંડ બુર્સના કારભારીઓની અણઆવડતને કારણે આ સમગ્ર વિવાદ હવે રાજકીય સ્વરૂપ પકડી રહ્યો છે.

મુંબઇના હિરા બુર્સનું કામકાજ સંકેલીને કોઇ સુરત જાય એ વાતમાં માલ નથી

મુંબઇ સ્થિત ભારત હીરા બુર્સના અગ્રણીનું કહેવું છે કે સુરત ડાયમંડ બુર્સના મેનેજમેન્ટનો સરક્યુલર મોટી નાદાની સમાન છે. મુંબઇમાં ભારત ડાયમંડ બુર્સ કયા લેવલ પર કામ કરે છે તેની જરાય માહિતી હોત તો આવો સરક્યુલર કાઢવાની કોઇએ કલ્પના કરી ના હોત પરંતુ, એ વાત હકીકત છે કે સુરત ડાયમંડ બુર્સનું કામકાજ સંકેલીને સુરત ડાયમંડ બુર્સમાં કોઇ જાય એ વાતમાં માલ નથી. હા, એવું જરૂર બને કે મુંબઇના હીરા ઉદ્યોગપતિઓ સુરત ડાયમંડ બુર્સમાં બ્રાન્ચ કે બીજા નામથી ધંધો શરૂ કરે. કેટલાક લોકો જેને મુબઇમાં ફાવટ નથી અથવા નિષ્ફળ નિવડ્યા હોય તેઓ સુરત જાય એ સ્વાભાવિક છે.

સુરત ડાયમંડ બુર્સના સરક્યુલરથી ખોટો મેસેજ ગયો હવે ખુલાસા કરતા થઇ ગયા છે

મુંબઇના હીરા બુર્સમાં કામકાજ કરતા રજનીકાંતભાઇએ જણાવ્યું કે મુંબઇના ભારત હીરા બુર્સ સાથે સરખામણી કરીને જ સુરત ડાયમંડ બુર્સના મેનેજમેન્ટે એટલી મોટી ભૂલ કરી દીધી છે કે હવે પોતાની ઇમેજ ક્લીયર કરવા માટે કેટલાક ઉદ્યોગપતિઓ ખુલાસા કરતા થઇ ગયા છે. ભારત હીરા બુર્સ કેટલા વર્ષથી, કયા લેવલ પર કામ કરે છે, ભારત હીરા બુર્સમાં એક ટેબલ જેટલી જગ્યા લેવામાં સુરત હીરા બુર્સની કેટલી જગ્યા મળી જાય એનો જો ખ્યાલ હોત તો સુરતના હીરા બુર્સવાળાઓએ ખોટો દાવ રમવાની હિંમત ના કરી હોત.

સુરતનાને સુરતના જ ઉધોગપતિઓ હશે સુરત ડાયમંડ બુર્સમાં

ભારત હીરા બુર્સના જાણકારો કહે છે કે સુરતમાં બની રહેલા હીરા બુર્સમાં સુરતના ને સુરતના જ હીરા ઉદ્યોગપતિઓની ઓફિસો હશે. હાલમાં સુરતના ઉદ્યોગપતિઓ મુંબઇ અને વિદેશોમાં પણ ઓફિસ ધરાવે છે એમ હવે તેમની એક બ્રાન્ચ સુરત ડાયમંડ બુર્સમાં હશે. બાકી મુંબઇના ભારત ડાયમંડ બુર્સનું કામકાજ છોડીને કોઇ સફળ વ્યક્તિ સુરત આવે તેવું માનવું ભૂલ ભરેલું છે. સુરત ડાયમંડ બુર્સવાળાએ સમજવું જોઇએ કે એક વખત પ્રોજેક્ટ શરૂ થઇ ગયાના પાંચ સાત વર્ષ બાદ તેમને ખ્યાલ આવશે કે પ્રોજેક્ટ કયા રસ્તે જઇ રહ્યો છે.

મુંબઇ મીડ-ડેના અહેવાલે હીરા ઉદ્યોગમાં ભારે હલચલ મચાવી

મુંબઇથી પ્રસિદ્ધ થતા મીડ-ડે અખબારની તા.20 જાન્યુઆરી 2021ની આવૃતિમાં મુખપુષ્ઠ પર ઉપરોક્ત અહેવાલ છપાયો હતો. જે મુંબઇના હીરા ઉદ્યોગપતિઓ, મુંબઇના ભારત ડાયમંડ બુર્સમાં કામકાજ કરતા હીરા વ્યવસાયિકોથી લઇને શિવસેના અને ગુજરાતી વર્ગમાં ખૂબ વાઇરલ થયો છે. એ પછી જ સુરત ડાયમંડ બુર્સના સંચાલકોને ખ્યાલ આવ્યો કે તેમનો દાવ ખોટો પડ્યો છે અને હવે સુરત ડાયમંડ બુર્સ શરૂ થાય એ પહેલા જ મોટા વિવાદમાં પ્રોજેક્ટ સપડાઇ ચૂક્યો છે.

સુરત ડાયમંડ બુર્સવાળાની હરકત અશોભનીય છે

ભારત ડાયમન્ડ બુર્સ (બીડીબી)ના ટ્રેઝરર અનુપ ઝવેરીએ સુરત ડાયમન્ડ બુર્સના સરક્યુલર વિશે મુંબઇના ‘મિડ-ડે’ અખબારને કહ્યું હતું કે ‘આ જરાય વાજબી નથી. વ્યાપારી માણસ આવું કરે નહીં. આવું તો ઝઘડાળુ વ્યક્તિ જ કરી શકે. તેમનું વર્તન વેપારીને શોભે એવું નથી.’ અહીંના વેપારીઓને રોકવા માટે આપણે કોઈ ઑફર કરવાના છીએ કે કોઈ સવલત આપવાના છીએ? એવા પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું હતું કે ‘આપણે કોઈને રોકવાના નથી. જેમને અહીં ફાવે તેઓ અહીં કામ કરે અને જેમને ત્યાં ફાવે તેઓ ત્યાં કામ કરે. લોકો આખી દુનિયામાં અલગ-અલગ જગ્યાએ કામ કરે જ છે. અત્યાર સુધી અમે તો સુરત ડાયમન્ડ બુર્સને અમારો ભાઈ જ માનતા હતા કે ચાલો, અહીં પણ કામ થશે અને ત્યાં પણ કામ થશે. પણ હવે એ લોકો ભારત-પાકિસ્તાન કરી રહ્યા છે.’ આ મુદ્દા પર બીડીબી કોઈ ઍક્શન લેવાનું વિચારી રહી છે? એવા સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે ‘આપણે વેપારી છીએ. આપણે વેપાર પર ધ્યાન આપવાનું હોય, ઝઘડામાં નહીં.’

January 20, 2022
sensex_down.jpg
1min470

ભારતીય શેરબજાર (Share Market)માં Dt. 20/1/22 સળંગ ત્રીજા દિવસે ઘટાડો ચાલુ રહ્યો છે અને બજાર ત્રણ દિવસની અંદર 1600 પોઇન્ટથી વધારે નીચે ગયું છે. આ લખાય છે ત્યારે BSE Sensex 554 પોઇન્ટ અથવા 0.93 ટકા ઘટીને 59544 પર હતો. જ્યારે નિફ્ટી (Nifty 50) ઇન્ડેક્સ 148 પોઇન્ટ ઘટીને 17790 પર હતો. થોડા સમય અગાઉ સેન્સેક્સ 600 પોઇન્ટ સુધી નીચે ઉતર્યો હતો.

BSE પર બ્લૂ ચિપ શેરોમાં HDFC માં 2.17 ટકા, ઇન્ફોસિસ (Infosys)માં 2.10 ટકા અને બજાજ ફિનસર્વ (Bajaj Finserv) માં 2.09 ટકાનો ઘટાડો થયો હતો.

BSE સેન્સેક્સના 30માંથી 20 શેરો ઘટ્યા હતા. વધેલા 10 શેરોમાં પાવરગ્રીડ (3.57 ટકા), અલ્ટ્રાટેક (Ultratech) (0.94 ટકા) સામેલ હતા. આ ઉપરાંત ભારતી (Airtel) એરટેલ, (0.89 ટકા) મારુતિ (Maruti), NTPC, નેસ્લે (Nestle), ટાટા સ્ટીલ (Tata Steel) અને ટાઈટન (Titan)ના શેર ઊંચકાયા હતા.

BSE સેન્સેક્સે 60,000ની મનોસંવેદી સપાટી તોડી હતી જ્યારે નિફ્ટી 50 ઇન્ડેક્સ 17900થી નીચે ગયો હતો.

આ ઘટાડો વધારે મોટો અને વ્યાપક હોત, પરંતુ ઓઇલના ભાવ વધ્યા પછી થોડા ઘટ્યા હોવાથી થોડો ટેકો મળ્યો હતો. આ ઉપરાંત US બોન્ડ યીલ્ડ વધી છે અને ડોલર સ્થિર છે. જાપાનનો નિકાસનો ડેટા પોઝિટિવ છે તથા ચાઈનીઝ સેન્ટ્રલ બેન્કે બે મહિનાની અંદર બીજી વખત લેન્ડિંગ રેટ ઘટાડ્યા છે જેના કારણે એશિયન માર્કેટમાં સેન્ટીમેન્ટ સુધર્યું હતું.

જિયોજિત ફાઇનાન્શિયલ સર્વિસિસના વી કે વિજયકુમારે એક નોટમાં જણાવ્યું કે યુએસમાં નાસ્ડેક તેની નવેમ્બર 2021ની ટોચ પરથી 10 ટકા નીચે છે. ભારતમાં પણ આ ટ્રેન્ડ જોવા મળશે. પરંતુ ભારતીય રોકાણકારોએ વધતા વૈશ્વિક ફુગાવા અને મોનેટરી ટાઇટનિંગના કારણે સાવધ રહેવાની જરૂર છે. કમસે કમ 2022ના પ્રથમ છ મહિના સુધી આવી સ્થિતિ રહેશે.

સેન્સેક્સના ઘટેલા શેરોમાં આઇટી કંપનીઓમાંથી ઇન્ફોસિસ, HCL ટેક અને ટેક મહિન્દ્રા (Tech Mahindra) જેવા હેવીવેઈટ સામેલ છે.

ICIC લોમ્બાર્ડ (ICICI Lombard) ડિસેમ્બર ક્વાર્ટરનના નબળા પરિણામ પછી લગભગ છ ટકા ઘટીને રૂ. 1340 થયો હતો. બજાજ ઓટો (Bajaj Auto)નો શેર 0.7 ટકા ઘટીને 3419.70 થયો હતો. આ ટુ વ્હીલર કંપનીએ સંગઠીત કરબાદ નફામાં 17 ટકાનો ઘટાડો નોંધાવ્યો છે. આ ઉપરાંત ટાયર ઉત્પાદક સિયેટ (Ceat) નો શેર ચાર ટકા ઘટીને 1086 થયો હતો. સિયેટે નબળી માંગના કારણે રૂ. 20 કરોડની ચોખ્ખી ખોટ નોંધાવી છે.

January 18, 2022
mahesh_savani.jpg
1min656

સુરતના ઉદ્યોગપતિ એવા મહેશ સવાણીએ પણ આમ આદમી પાર્ટી છોડી દીધી છે. ઉદ્યોગપતિ મહેશ સવાણી દ્વારા હાલ રાજીનામું ધરી દેવાયું છે. એક પછી એક દિગ્ગજોના રાજીનામાના કારણે હાલ આમ આદમી પાર્ટીના ઉચ્ચપદના નેતાઓ સામે સવાલો ઊભા થઈ રહ્યા છે.

Gujarat News: Diamond businessman Mahesh Savani, who gifted employees from  door to door, joins AAP, Sisodia said – politics is taking a new turn in  Gujarat - PressWire18

ગુજરાતી લોકગાયક વિજય સુવાળા આમ આદમી પાર્ટી (AAP) છોડીને આજે ભાજપમાં જોડાઈ ગયા છે. ગાંધીનગર ભાજપ કમલમ ખાતે સીઆર પાટીલના હસ્તે વિજય સુવાળાએ કેસરિયો ખેસ ધારણ કર્યો હતો. ભાજપમાં જોડાયા બાદ વિજય સુવાળાએ મીડિયાને જણાવ્યું કે, ભાજપ આજે વિશ્વની સૌથી મોટી સંગઠન ધરાવતી પાર્ટી છે. ભાજપે મારા સમાજ અને મારા પરિવારને ઘણું બધું આપ્યું છે. સુવાળાએ વધુમાં કહ્યું કે, મારી ત્રણ પેઢી ભાજપની વિચારણા સાથે જોડાયેલી છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો હું ફેન છે.

આ ઉપરાંત આમ આદમી પાર્ટી અમદાવાદ શહેરના યુવા ઉપાધ્યક્ષ નીલમબેન વ્યાસે આજે વિધિવત રીતે ભાજપનો કેસરિયો ખેસ ઘારણ કર્યો હતો. પ્રદેશના મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાના હસ્તે નીલમબેન વ્યાસે કેસરિયો ખેસ ઘારણ કરી આમ આદમી પાર્ટી સાથેનો છેડો ફાડ્યો હતો. મહેશ સવાણીએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દેવાની સાથે રાજકીય સંન્યાસની જાહેરાત કરી દીધી છે. વિજય સુવાળા અને નીલમ વ્યાસના કેસરિયા બાદ ગુજરાત આમ આદમી પાર્ટીને ત્રીજુ સૌથી મોટું નુકસાન થયું છે. હજુ તો 4 મહિના પહેલા જ મહેશ સવાણીએ આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો હતો!

મહત્વનું છે કે, જૂન 2021માં વિજય સુવાળા આપ નેતા ઈસુદાન ગઢવીની હાજરીમાં આપમાં જોડાયા હતા. આપમાં જોડાતી વખતે ‘નાનામાં નાના માણસોને પોતાનો હક મળી શકે તે માટે આપમાં જોડાયો છું. મારી પાસે બેરોજગારી, ખેડૂતો સહિતના ઘણા બધા મુદ્દાઓ છે, જેમાં ન્યાય મળે તે માટે હું સરકારો સામે લડાઈ કરી શકું.’ તેવું કહેનારા વિજય સુવાળાએ ભાજપમાં જોડાયા બાદ આપને છોડવાનું સ્પષ્ટ કારણ ન બતાવ્યું હોવાનું જાણવા મળ્યું છે. મીડિયા રિપોર્ટ અનુસાર ભાજપમાં જોડાવાની વાત કહેતા આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવી વિજય સુવાળાને મનાવવા તેમના ઘરે ગયા હતા. જોકે ઈસુદાન ગઢવીના મનામણા છતાં વિજય સુવાળા પોતાના નિર્ણયથી ટસના મસ થયા નહોતા. જો કે, વિજય સુવાળા કયા કારણોસર પાર્ટીથી નારાજ હતા એ વિગતો પણ હજી બહાર આવી નથી.

January 18, 2022
Coronavirus-death.jpg
1min428

રાજ્યમાં સત્તાવાર કોરોના મૃત્યઆંક હજુ પણ 10 હજાર છે જ્યારે વળતર માટેની અરજીઓ 90000 જેટલી થઈ ગઈ છે. જે પૈકી 68000ને તો સરકારે રુ. 50000 વળતર ચૂકવી પણ દીધું છે.

કોવિડ-19 માટે રૂ. 50,000 ના વળતરની ચૂકવણીની માંગ કરતી અરજીઓની સંખ્યા ગુજરાતની સત્તાવાર કોવિડ મૃત્યુની સંખ્યા 10,094 (જાન્યુઆરી 16 સુધી) ને નવ ગણી વટાવી ગઈ છે. આ આંકડા રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યા છે.

પોતાના કમ્પ્લિઆન્સ રિપોર્ટમાં, રાજ્ય સરકારે સર્વોચ્ચ અદાલતમાં રજૂઆત કરી હતી કે, તેમને 16 જાન્યુઆરી સુધીમાં કોવિડ-19 પીડિતોના સંબંધીઓ તરફથી વળતરની માંગ કરતી 89,633 અરજીઓ મળી છે. તેમાંથી, સરકારે પહેલેથી જ 68,370 દાવાઓને મંજૂરી આપી છે. જ્યારે ચકાસણી બાદ 4,234 અરજીઓ ફગાવી દીધી છે. જો કે, 17,000 થી વધુ અરજીઓ હજુ ચકાસણી પ્રક્રિયા હેઠળ છે.

અન્ય ઘણી રાજ્ય સરકારોની જેમ ગુજરાત સરકાર પણ ઑક્ટોબરમાં સુપ્રીમ કોર્ટ દ્વારા પસાર કરાયેલા આદેશના જવાબમાં કોવિડ મૃત્યુ વળતરની ચૂકવણી કરવાની પોતાની પ્રક્રિયા વિશે નિયમિતપણે SCને માહિતગાર કરે છે. અગાઉ, રાજ્ય સરકારે સ્ક્રુટીની પ્રક્રિયા અપનાવી હતી, પરંતુ રાજ્ય સરકારના નોટિફિકેશનને એડવોકેટ અમિત પંચાલે પડકાર્યું હતું. જેને લઈને સર્વોચ્ચ અદાલતે રાજ્ય સરકારના કાન આમળ્યા હતા અને ખૂબ જ આકરુ વલણ અપનાવ્યું હતું. જ્યારે સરકારે સુપ્રીમ કોર્ટ દ્વારા સ્પષ્ટ માર્ગદર્શિકા હોવા છતા વળતરની ચૂકવણી માટે આકરા નિયમો ઘડ્યા હતા અને પ્રક્રિયાને વધુ ગુંચવણ ભરી બનાવી હતી. સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલ માર્ગદર્શિકા મુજબ વળતરના દાવા માટે પોઝિટિવ RT-PCR ટેસ્ટનો રિપોર્ટ અને 30 દિવસની અંદર દર્દીનું મૃત્યુ એ બંને મુખ્ય પાત્રતાની આવશ્યકતાઓ હોવાનું જણાવાયું હતું.

પોતાના સત્તાવાર મૃત્યુઆંકની તુલનામાં લગભગ નવ ગણા વધુ કોવિડ-19 મૃત્યુના દાવાઓ સ્વીકારવા છતાં, રાજ્યના આરોગ્ય વિભાગના બુલેટિનમાં કોવિડ મૃત્યુદર અપડેટ કરવામાં આવ્યો નથી. બુલેટિન મુજબ. 17 જાન્યુઆરી સુધીમાં ગુજરાતમાં 10,164 કોવિડ દર્દીઓના મોત નોંધાયા છે. કુલ મૃત્યુ પૈકી 53% મૃત્યુ એકલા અમદાવાદ અને સુરત જિલ્લામાં નોંધાયા છે. રાજ્યના આરોગ્ય વિભાગના ટોચના સૂત્રોએ ભારપૂર્વક જણાવ્યું હતું કે સરકાર કોવિડ મૃત્યુના આંકડા માટે ICMR માર્ગદર્શિકાનું પાલન કરે છે.

“ICMR માર્ગદર્શિકા સ્પષ્ટ હતી – જેમને પહેલાથી જ કોઈ કોમોર્બિડિટીઝ હોય અને ઉંમર સંબંધિત સમસ્યાઓ હોય તેમના મૃત્યુને કોવિડ મૃત્યુ આંકમાં સામેલ કરવામાં આવ્યા ન હતા. આમ, જેઓ માપદંડમાં બંધબેસતા હતા તેઓને જ મહામારીના કારણે મૃતઆંકમાં ગણવામાં આવ્યા હતા.” એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, આ સમયગાળા દરમિયાન 2020 અને 2021 બંનેમાં બીજા તમામ કારણે મૃત્યુમાં પણ વધારો જોવા મળ્યો છે- જો કે સંખ્યા નક્કી કરવાનો ઇનકાર કર્યો હતો.

તાજેતરમાં પ્રસિદ્ધ કરવામાં આવેલા એક રિસર્ચ પેપર ‘કોવિડ મોર્ટાલિટી ઈન ઇન્ડિયાઃ નેશનલ સર્વે ડેટા એન્ડ હેલ્થ ફેસિલિટી ડેથ્સ’ નામથી સાયન્સ જર્નલના તાજેતરના અંકમાં પ્રકાશિત થયું છે અને તે કેનેડા, ભારત અને યુએસના 11 સંશોધકો દ્વારા લખવામાં આવ્યું છે અને દાવો કર્યો હતો કે 2021 માં એકંદરે તમામ કારણે મૃત્યુ 2018-19ની સરખામણીએ ગુજરાતમાં 230% વધુ હતા – જે સર્વેમાં આવરી લેવામાં આવેલા અન્ય ભારતીય રાજ્યોમાં સૌથી વધુ છે. અનુમાન મુજબ, ગુજરાતમાં મૃત્યુઆંક એપ્રિલ-મે 2021 દરમિયાન સરેરાશ 17,000 પ્રતિ માસથી વધીને 39,000 પ્રતિ મહિને નોંધાયો હતો. સર્વે હેઠળ આવરી લેવાયેલા 16 ભારતીય રાજ્યોમાં આ સૌથી વધુ હતું.

January 8, 2022
voting.jpg
1min566

યુપીમાં તમામ સાત, પંજાબ, ઉત્તરાખંડ, ગોવામાં એક જ્યારે મણીપુરમાં બે તબક્કામાં થશે મતદાન

2022માં પાંચ રાજ્યોમાં યોજાઈ રહેલી વિધાનસભા ચૂંટણીનો કાર્યક્રમ આજે જાહેર કરી દેવાયો છે. તમામ પાંચ રાજ્યની ચૂંટણી સાત તબક્કામાં પૂર્ણ થશે. પહેલા તબક્કામાં યુપીમાં 10 ફેબ્રુઆરીએ વોટિંગ શરુ થશે. બીજા તબક્કામાં યુપીની સાથે પંજાબ, ઉત્તરાખંડ અને ગોવામાં પણ ચૂંટણી યોજાશે. આ ત્રણેય રાજ્યોમાં તમામ બેઠકો પર એક જ તબક્કામાં ચૂંટણી પૂર્ણ થઈ જશે. જ્યારે યુપીમાં તમામ સાત તબક્કામાં મતદાન થવાનું છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, મણીપુરમાં બે તબક્કામાં વોટિંગ થશે. 07 માર્ચના રોજ અંતિમ તબક્કાનું મતદાન થશે, જ્યારે 10 માર્ચે મત ગણતરી હાથ ધરવામાં આવશે.

મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રાએ યુપી સહિતના રાજ્યોનો કાર્યક્રમ જાહેર કરતા જણાવ્યું હતું કે કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને 15 જાન્યુઆરી સુધી રોડશો, પદયાત્રા, કોઈપણ પ્રકારની રેલી પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. ત્યારબાદ કમિશન સ્થિતિની સમીક્ષા કરીને આ નિયંત્રણોને લંબાવવા કે કેમ તેની સમીક્ષા કરશે. આ ઉપરાંત, રાતના 8થી સવારના 8 વાગ્યા સુધી પણ પ્રચાર નહીં કરી શકાય. પંચે નુક્કડ સભા પર પણ હાલ પૂરતો પ્રતિબંધ મૂક્યો છે.

પાંચ રાજ્યોની ચૂંટણીમાં આ વખતે 24.9 લાખ મતદાતા પહેલીવાર વોટિંગ કરશે. કુલ 18 કરોડ મતદારોમાં 8.5 કરોડ મહિલાનો સમાવેશ થાય છે. CEC સુશીલ ચંદ્રાના જણાવ્યા અનુસાર, યુપીની 403, પંજાબની 117, ઉત્તરાખંડની 70 જ્યારે મણીપુર અને ગોવાની 40-40 બેઠકો પર મતદાન યોજાશે.

મુખ્ય ચૂંટણી કમિશનરે જણાવ્યું હતું કે, કોરોનાના સતત વધતા કેસ વચ્ચે પંચ દ્વારા હોમ સેક્રેટરી તેમજ હેલ્થ સેક્રેટરી ઉપરાંત હેલ્થ એક્સપર્ટ્સ સાથે સલાહ-મસલત કરવામાં આવી હતી. સ્થિતિની સંપૂર્ણ સમીક્ષા કર્યા બાદ તમામ તકેદારી સાથે ચૂંટણી યોજવાનો નિર્ણય લેવાયો હોવાની માહિતી તેમણે આપી હતી. આ ઉપરાંત, 80 વર્ષથી વધુ વય ધરાવતા મતદાતા પોસ્ટલ બેલટથી મતદાન કરી શકશે. દરેક બુથ પર સેનિટાઈઝર અને માસ્કની સુવિધા પણ પૂરી પાડવામાં આવશે.

જે પાંચ રાજ્યોમાં ચૂંટણી યોજાવા જઈ રહી છે તેમાંથી પંજાબ સિવાયના તમામ ચાર રાજ્યોમાં ભાજપ હાલ સત્તા પર છે. જેમાં યુપીની ચૂંટણી ખૂબ જ મહત્વની મનાઈ રહી છે. વિધાનસભા ચૂંટણીની જાહેરાત થતાં જ આ પાંચેય રાજ્યોમાં તાત્કાલિક અસરથી આચારસંહિતા અમલમાં આવી ગઈ છે. હાલ તમામ રાજકીય પક્ષો ચૂંટણી જીતવા માટે મચી પડ્યા છે. ખાસ કરીને યુપીમાં ઉપરાછાપરી નેતાઓની વિશાળ રેલીઓ થઈ રહી છે. પીએમ મોદી પણ યુપીમાં અત્યારસુધી અનેક રેલી કરી ચૂક્યા છે.

January 7, 2022
gujarat-high-court.jpg
1min657

ગુજરાત હાઇકોર્ટ

અમદાવાદ સમેત ગુજરાત રાજ્યમાં લગભગ દરેક જિલ્લાઓમાં અતિશય ગતિએ વધી રહેલા કોરોના સંક્રમણને પગલે આગામી તા.9મી જાન્યુઆરી 2022ને સોમવારથી સોલા રોડ, અમદાવાદ ખાતે આવેલી ગુજરાત હાઇકોર્ટમાં દરેકે દરેક કેસોની ફિઝિકલ સુનવણી બંધ કરનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે પછી સોમવારથી દરેક કેસોની વર્ચ્યુઅલ (ઓનલાઇન) સુનાવણી હાથ ધરવામાં આવશે. આગામી બે દિવસ સુધી હાઇકોર્ટ પરિસરનું સેનિટાઇઝેશન કરવામાં આવશે. હાઇકોર્ટ પરિસરમાં આવેલી વકીલોની ચેમ્બર્સ પણ બંધ કરાશે. કેસના ફાઇલિંગ માટે 10 કાઉન્ટર્સ શરૂ કરાશે. વિસ્તૃત માર્ગદર્શિકા આજે દિવસ દરમ્યાન જાહેર થશે.

અગાઉ કોરોનાના કારણે જ 17 મહિના સુધી હાઇકોર્ટમાં વર્ચ્યુઅલ હિયરિંગ ચાલ્યું હતું. ત્યાર બાદ 17 ઓગસ્ટથી ફિઝિકલ હિયરિંગ શરૂ કરવામાં આવ્યું હતું.

ગુજરાત હાઇકોર્ટ એડ્વોકેટ્સ એસોસિએશને વર્ચ્યુઅલ સુનાવણી કરવા માટે ચીફ જસ્ટિસને રજૂઆત કરી હતી. હાઇકોર્ટ એડવોકેટ્સ એસોસિએશનની મેનેજિંગ કમિટીના સભ્યોએ વધતા કોરોના કેસને લઈ કોર્ટની કાર્યવાહી આગામી ત્રણ અઠવાડીયા સુધી વર્ચ્યુઅલ કરવા રજૂઆત કરી હતી. હાઇકોર્ટની હયાત SOPને ધ્યાને લેતા કોર્ટ વર્ચ્યુઅલ મોડમાં ચાલે એવી ચીફ જસ્ટિસને રજૂઆત કરી હતી. અગાઉ 3 દિવસ પહેલા હાઈબ્રીડ મોડમાં હિયરિંગ રાખવા એડવોકેટ્સ એસોસિયેશનને રજૂઆત કરી હતી.

January 7, 2022
cia_multi-1280x1045.jpg
3min608

ધો.11-12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે દર વર્ષે લેવાતી કિશોર વૈજ્ઞાનિક પ્રોત્સાહન યોજનાની ફેલોશીપ પરીક્ષાને કોરોનાના વધી રહેલા કેસોને કારણે મૌકૂફ રાખી દેવામાં આવી છે. આ પરીક્ષા રાષ્ટ્રવ્યાપી સ્તરે આગામી તા.9મી જાન્યુઆરી 2022ના રોજ લેવાનાર હતી. અનેક રાજ્યોમાં વીકએન્ડ કરર્ફ્યુ તેમજ લોકડાઉન જેવા નિયંત્રણો હોવાના કારણે છેલ્લી ઘડીએ કેવીપીવાય પરીક્ષાને મૌકૂફ રાખવાનો નિર્ણય લેવાયો હતો.

http://kvpy.iisc.ac.in/main/ વેબસાઇટ પર આ મુજબની સૂચના જારી કરવામાં આવી છે

Due to the emerging unprecedented surge of COVID-19 cases, and the subsequent restrictions and weekend curfew in many states, the KVPY-Aptitude Test 2021 to be held on 9th January 2022, is postponed in the larger interest of the students. Please check KVPY website regularly for further updates.

IN English

The Kishore Vaigyanik Protsahan Yojana Exam (KVPY Exam) 2022 has been postponed due to rising cases of Covid-19 in several state. As per the latest updates available, the KVPY Exam 2022 has been deferred until further notice owing to rapid rise in Omicron cases throughout the country.

KVPY 2022 exam was scheduled to be conducted on January 9, 2022. A notification available on the official website – kvpy.iisc.ac.in – reads, “Due to the emerging unprecedented surge of COVID-19 cases, and the subsequent restrictions and weekend curfew in many states, the KVPY-Aptitude Test 2021 to be held on 9th January 2022, is postponed in the larger interest of the students. Please check KVPY website regularly for further updates.”

Kishore Vaigyanik Protsahan Yojana (KVPY) is an on-going National Program of Fellowship in Basic Sciences, initiated and funded by the Department of Science and Technology, Government of India, to attract exceptionally highly motivated students for pursuing basic science courses and research career in science.

The objective of the program is to identify students with talent and aptitude for research; help them realize their academic potential; encourage them to take up research careers in Science, and ensure the growth of the best scientific minds for research and development in the country.

The advertisement for the KVPY Fellowship appears in all the national dailies normally on the Technology Day (May 11) and the Second Sunday of July every year.