શિક્ષણ સર્વદા Archives - Page 42 of 54 - CIA Live

March 5, 2019
exams.jpg
1min7120

જયેશ બ્રહ્મભટ્ટ

તા.7મી માર્ચ 2019થી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધો.10 અને ધો.12ની પરીક્ષાઓનો આરંભ થઇ રહ્યો છે. રાજ્યમાં સૌથી વધુ પરીક્ષાર્થીઓ ધરાવતા સુરત જિલ્લામાં બોર્ડની પરીક્ષાઓ શરૂ થઇ રહ્યા પૂર્વેનો માહોલ એ વાતની ચાડી ખાય છે કે સુરત હવે પરીક્ષામય બની રહ્યું છે. સુરતમાં દર ચૌથા ઘરે એક બોર્ડનો પરીક્ષાર્થી હોય તેટલી જંગી સંખ્યામાં પરીક્ષાર્થીઓ આ વખતે નોંધાયા છે. પરીક્ષા પૂર્વે પરીક્ષાર્થીઓને ગુડલક-ગીફ્ટસ આપવા માટે મિત્રો, સંબંધીઓ, શુભેચ્છકો વગેરેની આવન-જાવન વચ્ચે સ્વાભાવિક છે કે પરીક્ષાર્થી ઉચાટમય બન્યો છે.

આજે તા.5મી માર્ચે સુરત શહેર જિલ્લામાં જ્યાં જ્યાં જે જે શાળાકીય ભવનોમાં બોર્ડની પરીક્ષાઓ યોજાવાની છે ત્યાં પરીક્ષાર્થીઓને તેમની બેઠક વ્યવસ્થા દર્શાવવાના સમયે પરીક્ષાર્થીઓ પોતાની બેઠક વ્યવસ્થા, સ્કુલ બિલ્ડીંગ, માહોલ વગેરે ચકાસવા માટે વાલીઓ સાથે આવ્યા હતા. ઘણાંને બેઠક વ્યવસ્થાથી અસંતોષ હતો તો ઘણાંને બેઠક વ્યવસ્થાથી સંતુષ્ઠિ જણાતી હતી.

પાલ સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિર ખાતે ભગવાન શ્રી ગણેશના ચરણોમાં બોલપેન અર્પણ કરીને આશીર્વાદ મેળવી રહેલા પરીક્ષાર્થીઓ દ્રશ્યમાન છે

પરીક્ષા આડેના 7 દિવસ પૂર્વેથી શહેરના કેટલાક વાલીઓ અને વિદ્યાર્થીઓ તેમના ઇષ્ટ દેવના આશીર્વાદ લેવા માટે મંદિરોની મુલાકાતે જતા જોવાયા હતા. સૌથી વધુ વિદ્યાર્થીઓ પાલ અડાજણના સિદ્ધિ વિનાયક ગણપતિ ભગવાનના દર્શનાર્થે જ જતા હોવાનો રેકોર્ડ છે. મંદિરના ટ્રસ્ટી શ્રી નીતિનભાઇ મહેતાએ જણાવ્યું હતું કે જ્યારથી સિદ્ધી વિનાયક ગણપતિ દાદા પાલ અડાજણ મંદિર સ્કુલમાં બિરાજમાન થયા છે એ વર્ષથી જ બોર્ડની પરીક્ષા ટાણે વિદ્યાર્થીઓ તેમના માતાપિતા સાથે બોલપેન લઇને આવે છે અને જે બોલપેનથી ઉત્તરવહીમાં લખવાનું હોય છે એ બોલપેન ગણપતિ દાદાના ચરણોમાં ધરીને આશીર્વાદ લેવાની પરંપરા છે. આ વર્ષે પણ સેંકડો વિદ્યાર્થીઓ આ પ્રકારે આવી ચૂક્યા છે.

બીજી તરફ પરીક્ષાર્થીઓના ઘરે શુભેચ્છા આપવા માટે મિત્રો, સબંધીઓ, કુટુંબીજનો વગેરે પણ ભીડ લગાડી રહ્યા છે. કાઉન્સિલરો કે શિક્ષણશાસ્ત્રીઓ ભલે આવું કરવાની ના પાડતા હોય પરંતુ, લાગણીવશ સુરતીઓ પરીક્ષાર્થીઓને શુભેચ્છા આપવા માટે ગીફ્ટસ અને ગુડલક લઇને વીશ કરવા માટે પહોંચી જાય છે.

February 28, 2019
vnsgu_logo.jpg
1min20540

આજે સુરતની મુલાકાતે આવેલી રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સુરતમાં આવતા વેંત પહેલા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના જુદા જુદા પ્રોજેક્ટ્સને વિદ્યાર્થીઓને સમર્પિત કર્યા હતા.

રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીના હસ્તે યુનિવર્સિટીના સિન્થેટિક એથ્લેટિક ટ્રેક, હોકી ગ્રાઉન્ડ તેમજ સ્વીમીંગ પુલ જેવા બિલકુલ રેડી પ્રોજેક્ટસ સમર્પિત કરતા જણાવ્યું હતું કે ભાજપા સરકાર ખેલે ગુજરાતને પ્રોત્સાહિત કરી રહી છે અને યુનિવર્સિટી જેવા વિશ્વ વિદ્યાલયોએ ગુજરાતી ખેલાડીઓને પ્લેટફોર્મ મળે, સ્પર્ધાત્મક માહોલ મળે એ માટે રમતગમત માટે માળખાગત સુવિધાઓ વિકસાવવી જોઇએ.

રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણીના હસ્તે સિન્થેટિક એથ્લેટિક ટ્રેકનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

તા.28મી ફેબ્રુઆરી 2019ના રોજ સુરતની મુલાકાતે આવેલા રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજય રુપાણીના હસ્તે યુનિવર્સિટીના નવનિર્મિત હોકી ગ્રાઉન્ડને વિદ્યાર્થી સમર્પિત કરવામાં આવ્યું હતું.

સુરતની મુલાકાત વેળાએ રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજય રુપાણીએ યુનિવર્સિટીના નવનિર્મિત અને આધુનિક સુવિધાઓથી સજ્જ સ્વીમીંગ પુલનું પણ ઉદઘાટન કર્યું હતું.

અત્રે એ ખાસ નોંધનીય છે કે આજે રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણીના હસ્તે ઉદઘાટિત કરવામાં આવેલા તમામ પ્રોજેક્ટસના મૂળ પૂર્વ કુલપતિ ડો. દક્ષેશ ઠાકરના શાસનકાળ દરમિયાન રોપાયા હતા. પૂર્વ કુલપતિ ડો. ઠાકરએ દક્ષિણ ગુજરાતના વિદ્યાર્થી રમતવીરોને જુદી જુદી રમતો માટેની માળખાગત સુવિધાઓ મળે તે માટે આધુનિક પ્રોજેક્ટના મંડાણ કર્યા હતા. આજે એ પ્રોજેક્ટસ સાકાર થઇ ચૂક્યા છે ત્યારે યુનિવર્સિટી સાથે સંકળાયેલા લોકોએ ડો.ઠાકરની દીર્ઘદ્રષ્ટીની પ્રશંસા કરી હતી.

February 28, 2019
Untitled-1-1280x986.jpg
3min20270

7મી માર્ચ 2019થી ગુજરાત બોર્ડની ધો.10 તથા ધો.12ની પરીક્ષાઓ શરૂ થઇ રહી છે. બોર્ડના વિદ્યાર્થીઓ છેલ્લી ઘડીની તૈયારીઓમાં વ્યસ્ત છે. આવા સંજોગોમાં અનેક લોકો, સગાસબંધીઓ, શિક્ષકો, પાડોશીઓ, શુભેચ્છકો, મિત્ર વર્તુળ વગેરે બોર્ડના વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ આપવા માટેના પ્રયાસો શરૂ કરી દીધા છે. ઘણાં લોકો એક બીજાના ઘરે જઇને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. આ ટ્રેન્ડ છેલ્લા 10 વર્ષોથી સુરતમાં ચાલી રહ્યો છે. ઘણાં લોકો ટીકા કરે છે, ઘણાંને આ બાબત સારી લાગે છે.

પણ બોર્ડના વિદ્યાર્થીઓએ આખરી કાઉન્ટ ડાઉન દરમિયાન શું કરવું જોઇએ એ અંગે સી.આઇ.એ. લાઇવ ન્યુઝ પોર્ટલની ટીમે સુરતના જુદા જુદા શિક્ષણશાસ્ત્રીઓ, કેળવણીકારો, આચાર્યો, શિક્ષકોને પૂચ્છા કરીને તેમના માટે એક સરસ મજાનો આર્ટિકલ તૈયાર કર્યો છે. સૌથી મહત્વની સલાહ એ જ હતી કે સોશ્યલ મિડીયા અને સ્માર્ટ ફોનથી જેટલા દૂર રહેશે વિદ્યાર્થીઓ તેટલા જ પરીક્ષામાં ફોકસ કરી શક્શે.

શ્રી મહેશ શ્યાની 

આશાદીપ ગ્રુપ ઓફ સ્કુલ્સ, વરાછા સુરત

સમગ્ર ગુજરાતમાં હાયર સેકન્ડરી એજ્યુકેશન ક્ષેત્રમાં અગ્રગણ્ય ગણાતી સુરતના વરાછાની આશાદીપ ગ્રુપ ઓફ સ્કુલ્સના શ્રી મહેશભાઇ શ્યાનીએ સી.આઇ.એ. લાઇવના વાચકો અને તેમના વિદ્યાર્થીઓ માટે કેટલીક ટીપ્સ આપતા જણાવ્યું હતું કે છેલ્લી ઘડીએ ઉતાવળ કરવાને બદલે વિદ્યાર્થીઓએ શાતિપૂર્વક રિવીઝન કરવાનું તેમજ ઓવર સ્ટડી કરવું નહીં. તેમણે ખાસ ભાર મૂકતા કહ્યું કે ઘણાં વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને એવી આદત હોય કે કેટલાક લોકો દ્વારા બહાર પાડવામાં આવતી આઇ.એમ.પી. મોસ્ટ આઇ.એમ.પી. સવાલોની યાદીઓ કે જે સાવ બોગસ હોય તેના પર છેલ્લી ઘડીએ ભરોસો મૂકીને એ જ વાંચતા હોય છે. શ્રી મહેશભાઇએ કહ્યું કે આવી કોઇ વાતને માનવી નહીં અને વિદ્યાર્થીઓએ પોતાની મહેનત પર જ ભરોસો રાખવો. તેમણે ઉમેર્યું કે પેપર ફૂટી ગયું છે, તેવી અફવાથી દૂર રહેવું કોિપણ મિત્રો દ્વારા પેપર આપવામાં આવે તો  ભરોસો કરવો નહીં. માત્ર આપણી તૈયારી પર વિશ્વાસ રાખવો.

પરીક્ષા સેન્ટર પર માતા અથવા પિતા સાથે જવું હિતાવહ છે.

પરીક્ષા પહેલા નવું વાંચવાનું ટાળવું કેમકે નવું વાંચન વધુ મૂંઝવણો પેદા કરી શકે જે સરવાળે વિશ્વાસ તોડવાનું કામ કરે એટલે નવું વાંચન ટાળવું.

વિદ્યાર્થીઓએ જે તૈયારીઓ કરી છે તેની ફોર્મ્યુલા અને કી પોઇન્ટને વારંવાર વાંચન કરો. પુનરાવર્તનને પણ અવકાશ હોવો જોઇએ.

 

સોશ્યલ મિડીયા અને સ્માર્ટ ફોનથી દૂર રહેશે એટલો ફાયદો થશે બોર્ડના પરીક્ષાર્થીઓને

સુરતના પાલ રોડ પર આવેલી ભૂલકા વિહાર સ્કુલના પ્રિન્સીપાલ શ્રીમતી મીતાબેન વકીલએ બોર્ડની પરીક્ષા આપી રહેલા ગુજરાતના તમામ વિદ્યાર્થીઓને શુભથાઓની શુભેચ્છા આપતા તેમણે છેલ્લી ઘડીના દિવસોમાં શું શું કરવું જોઇએ તે અંગેની ટીપ્સ અમને મોકલી હતી જે અમે અહીં રજૂ કરી રહ્યા છે. હવે પછી બોર્ડની પરીક્ષા સુધી દરરોજ અમે વાલીઓ વિદ્યાર્થીઓ માટે ઉપયોગી ટીપ્સ આપતા રહીશું.

સી.આઇ.એ. લાઇવ ના માધ્યમથી સુરત સમેત સમગ્ર ગુજરાતમાંથી અગ્રણી શિક્ષણવિદો પરીક્ષા ચાલશે ત્યાં સુધી નિયમિત રીતે બોર્ડના વિદ્યાર્થીઓને ટીપ્સ આપશે.

શ્રીમતી મીતા વકીલ

આચાર્યા, ભૂલકા વિહાર સ્કુલ, સુરત

 

# તમને તમારી શક્તિ અને નબળાઇનો ખ્યાલ છે, એ પ્રમાણે વર્તો.

1. You know your strength and weakness the best –

Plan your entire schedule around your strong and weak points. Give more time to the topics you’re less thorough with.

# મોડેલ પેપર કે અગાઉના વર્ષોના પેપરો જોઇ જાવ.

2. Refer the past year papers –

In the board exams you’ll see a pattern of questions asked repeatedly. Be thorough with those and prepare according to the paper style.

# પેપર પ્રેક્ટિસનો કોઇ જ વિકલ્પ નથી, ગમે તેટલા તૈયાર હોવ. પેપર પ્રેક્ટિસ સૌથી મહત્વની પુરવાર થાય છે.

3. Practice & practice –

No matter how prepared you feel you are, keep practicing. Take up a different sections from the question paper each day, stop not until you’re done with the 10th and 12th board exams.

# પાઠ્ય પુસ્તકમાંથી કશું જતું ન કરો. છેલ્લે એક નજર તો મારી જ જાવ.

4. Don’t leave aside a single topic from the text book –

Study the chapters, solve every question given at the end of the textbook. Don’t leave a single topic undone.

# નિષ્ઠાપૂર્વક સ્વનિર્ધારિત સમયપત્રકને વળગી રહો.

5. Disciplined schedule –

Sleep on time, wake up on time. Follow a strict and disciplined schedule and stick to it. Our body takes time to adjust to a new routine, refrain from trying new timetables.

# પરીક્ષા છે એટલા માટે વધુ પડતી મહેનત કરીને થાકને નિમંત્રણ ન આપો.

6. Don’t overstress yourself –

Many students feel stressed out before the board exams. Give yourself some creative time, work out or pursue your hobby for an hour a day.

# સેમ્પલ પ્રશ્નપત્રોને સોલ્વ કરી જાઓ.

7. Solve sample papers –

Solve sample papers from other schools to practice more and get a hang of a variety of questions asked.

# નોટ્સ બનાવીને વાંચન કરો.

8. Prepare notes –

Jot down the important formulae in a diary or keep sticky notes with reminder topics. Add one tick more with every revision.

# હાંસલ થઇ શકે તેવા લક્ષ્યાંકો બનાવતા રહો.

9. Keep targets –

Your productivity increases when you study with targets in mind. Prepare realistic and achievable milestones.

# સોશ્યલ મિડીયા, સ્માર્ટ ફોનનો ઉપયોગ બિલકુલ મર્યાદિત કરી દો.

10. Reduce the use of social media –

Spend as much time you can studying. Social media tends to distract. Replace social media with exercise to remain healthy.

બોર્ડના વિદ્યાર્થીઓને શુભેચ્છા આપવી હોય તો આનાથી ઉપયોગી વસ્તુ બીજી કોઇ ન હોઇ શકે

 

February 4, 2019
CIA_Live_Logo_New2.jpg
1min5650

રાજ્યમાં શિક્ષણનું સ્તર સુધરવાને બદલે દિવસે દિવસે કથળી રહ્યું છે. જેનું ઉદાહરણ રાજ્યમાં વિવિધ પ્રોફેશનલ કોર્ષની ખાલી રહેલી બેઠકો છે. ચાલુ વર્ષે પ્રવેશ પ્રક્રિયાના અંતે વિવિધ પ્રોફેશનલ કોર્ષની ૯૦ ટકાથી લઈ ૩૫ ટકા સુઘી બેઠકો ખાલી રહી છે.

  • એન્જિનિયરિંગ, ફાર્મસી,એમબીએ-એમસીએ, ડિપ્લોમા ટુ ડિગ્રી, ડિપ્લોમા એન્જિનિયરિંગ સહિતના પ્રોફેશનલ કોર્ષની ૨૨૨૬૬૭ જેટલી સીટો
  • ચાલુ વર્ષે પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ માંડ ૧૦૯૭૨૪ જેટલી બેઠકો જ ભરાઈ
  • ડિગ્રી એન્જિનિયરિંગની ૬૩૮૪૬ સીટોમાંથી ૩૦૫૨૧ સીટો ભરાઈ
  • એમસીએની ૪૭૩૨ સીટોમાંથી માત્ર ૫૮૯ સીટો ભરાઈ
  • રાજ્યમાં એન્જિનિયરિંગ, ફાર્મસી,એમબીએ-એમસીએ, ડિપ્લોમા ટુ ડિગ્રી, ડિપ્લોમા એન્જિનિયરિંગ સહિતના પ્રોફેશનલ કોર્ષની ૨૨૨૬૬૭ જેટલી સીટો છે. ચાલુ વર્ષે પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ૨૨૨૬૬૭ માંથી માંડ ૧૦૯૭૨૪ જેટલી બેઠકો જ ભરાઈ છે. જ્યારે ૧લાખ ૧૨ હજાર ૯૪૩ બેઠકો ખાલી રહી છે. આમ પ્રોફેશનલ કોર્ષની ઓવર રોલ ૪૯ ટકા બેઠકો જ ભરાઈ છે જ્યારે ૫૧ ટકા બેઠકો ખાલી છે. ત્યારે રાજ્યના શિક્ષણ મંત્રી અને ટેક્નિકલ શિક્ષણના ઉચ્ચ અધિકારીઓ અને ઉદ્યોગપતિઓને પીપીપી ધોરણે ડીગ્રી-ડીપ્લોમા, ઈજનેરી કોલેજો ખોલવા માટે વાર્તાલાપ થાય. સરકારી બેઠકોમાં વધારો ન કરી સરકાર પીપીપી ધોરણે ઉદ્યોગપતિઓને હવાલે ટેક્નિકલ શિક્ષણ સોંપવા જઈ રહી છે.

રાજ્યમાં ટેક્નિકલ શિક્ષણની સતત અધોગતિ અને અવદશા માટે અપૂરતા અધ્યાપકો, લેબોરેટરી, લાયબ્રેરી સહિતની સુવિધાનો અભાવ, ફી ના અતિ ઊંચા ધોરણો, રોજગારની સતત ઘટતી જતી તકો અને દિશાવિહીન શિક્ષણ વિભાગ જવાબદાર હોવાનો આક્ષેપ કરતા દોશીએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં ચાલુ વર્ષે ડિગ્રી એન્જિનિયરિંગની ૬૩૮૪૬ સીટોમાંથી ૩૦૫૨૧ સીટો ભરાઈ છે. એટલે કે ૪૭ ટકા બેઠકો ભરાઈ છે જ્યારે ૫૩ ટકા સીટો ખાલી રહી છે. તો એમસીએની ૪૭૩૨ સીટોમાંથી માત્ર ૫૮૯ સીટો ભરાઈ છે..એટલે કે એમસીએની ૧૨ ટકા જ સીટો ભરાઈ છે જ્યારે ૮૮ ટકા સીટો ખાલી રહી છે. ડિપ્લોમા ટુ ડિગ્રી એન્જિનિયરિંગની ૨૭ ટકા સીટો ભરાઈ છે જ્યારે ૭૩ ટકા સીટો ખાલી રહી છે. છેલ્લા ત્રણ વર્ષથી વિવિધ પ્રોફેશનલ કોર્ષની ખાલી સીટોમાં સતત વધારો થઈ રહ્યો છે. જેના કારણે રાજ્યમાં પ્રોફેશનલ કોર્ષની કોલેજો બંધ થતાં દર વર્ષે સીટોમાં ઘટાડો થઈ રહ્યો છે અને ખાલી સીટોમાં વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં પ્રોફેશનલ કોર્ષની સ્થિતિ સાવ ખાડે ગઈ છે. એન્જિનિયરિંગ, ડિપ્લોમા એન્જિનિયરિંગ, ફાર્મસી, એમબીએ-એમસીએ સહિતના કોર્ષની ૬૦ ટકાથી ૯૦ ટકા બેઠકો ખાલી રહી છે. એક તરફ હજારો વિદ્યાર્થીઓને પ્રવેશ નથી મળતો જ્યારે બીજી તરફ મોટા પ્રમાણમાં વિવિધ અભ્યાસક્રમની બેઠકો ખાલી છે.

February 2, 2019
nitin_pethani.jpg
1min5540

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 17માં કુલપતિપદે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (આરએસએસ)ના ચુસ્ત સ્વયંસેવક અને વિરમગામની કોલેજના પ્રિન્સીપાલ નીતિન માધવજીભાઈ પેથાણીની પસંદગી રાજય સરકારે તેમની નિમણૂંક પણ કરાવી છે.

નીતિન માધવજીભાઈ પેથાણીનો જન્મ જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકામાં સાંતલપુર ખાતે થયો હતો.

શિક્ષણ ક્ષેત્રે બિનવિવાદાસ્પદ છાપ ધરાવે છે. પ્રભાવી વ્યક્તિત્વ ધરાવતા નીતિનભાઈ પેથાણી હાલ વિરમગામની દેસાઈ સી.એમ. આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં આચાર્ય તરીકે હાલ ફરજ બજાવે છે. નીતિનભાઈ પેથાણીએ કાર્યનિષ્ઠાની પ્રતિષ્ઠા સમી કાર્યવાહી ગુજરાત રાજય શાળા પાઠ્યપુસ્તક મંડળ ગાંધીનગરમાં કાર્યવાહક પ્રમુખ તરીકે યશસ્વી કામગીરી બજાવી હતી. 2012થી 2015 દરમિયાન નીતિન પેથાણી ગુજરાત યુનિવર્સિટીના સેનેટ સભ્ય તરીકે ચૂંટાયા હતા. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પાયાના કાર્યકર તરીકે  નીતિનભાઈ પેથાણીએ અનેક જવાબદારી અદા કરી ચૂક્યા છે.

January 23, 2019
calogo1.jpg
3min18360

ઇન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટસ ઓફ ઇન્ડિયાએ આજરોજ તા.23મી જાન્યુઆરી 2019ના રોજ સી.એ. ફાઇનલ્સ અને સી.એ.નું પહેલું ચરણ ફાઉન્ડેશનની રાષ્ટ્રવ્યાપી પરીક્ષાનું પરીણામ જાહેર કર્યું હતું.

સુરત ચાર્ટર્ડ અકાઉન્ટન્ટસ બનવા માટેનું હબ છે અને એ રૂઆબ સાથે જ આજે સુરતના ઉમેદવારોનું ઝળહળતું પરીણામ જોવા મળ્યું હતું. સુરતમાં વર્તમાન પરિસ્થિતિમાં ચાર્ટર્ડ અકાઉન્ટન્ટસ સ્ટડી માટેનું સૌથી બેસ્ટ કોચિંગ રવિ છાવછરીયા આપી રહ્યા છે. આજે ચાર્ટર્ડ અકાઉન્ટન્ટસ પરીક્ષાના પરીણામમાં પણ રવિ છાવછરીયાના તાલિમાર્થીઓએ જ મેદાન માર્યું છે.

રવિ છાવછરીયા પાસે કોચિંગ લેતા કુલ 12 વિદ્યાર્થીઓએ સી.એ. ફાઉન્ડેશન 2019ની પરીક્ષામાં સમગ્ર ભારતના ટોપ ફિફ્ટી (ટોચના 50) ઉમેદવારોમાં સ્થાન હાંસલ કરીને સમગ્ર સુરતનું નામ આખા ભારતમાં ગૂંજતુ કરી દીધું છે. એટલું જ નહીં પણ ત્રણ ઉમેદવારો એવા છે જેમણે રવિ છાવછરીયાનું કોચિંગ લઇને સી.એ. ફાઇનલ્સની 2019ની પરીક્ષામાં સમગ્ર ભારતમાં ટોપ ફિફ્ટીમાં રેન્ક હાંસલ કર્યો છે.

સમગ્ર ભારતમાંથી સી.એ. બનવા માટે ઉમેદવારો સુરત જેની પાસે કોચિંગ લેવા માટે આવે છે એ રવિ છાવછરીયાએ સી.આઇ.એ . લાઇવ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે આજે તેમની પાસેથી કોચિંગ લઇને ચાર્ટર્ડ અકાઉન્ટન્ટસ ડિગ્રી હાંસલ કરનારા ઉમેદવારોની સંખ્યા 90થી વધુ છે. તા.23મીએ રાત્રે જ્યારે આ લખાય રહ્યું હતું ત્યારે હજુ તેમના વિદ્યાર્થીઓના રિઝલ્ટ એક પછી એક મળી રહ્યા હતા.

આમ, ચાર્ટર્ડ અકાઉન્ટન્ટસ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ ચલાવી રહેલા રવિ છાવછરીયાએ આજે સી.એ. રીઝલ્ટ 2019માં સુરતને 15 નેશનલ રેન્કર્સ તો આપ્યા છે સાથોસાથ સુરતને 90થી વધુ નવા ચાર્ટર્ડ અકાઉન્ટન્ટસ પણ આપ્યા છે.

રવિ છાવછરીયા પાસે કોચિંગ લઇને ફાઉન્ડેશન 2019ની પરીક્ષામાં દેશના ટોચના 50માં સ્થાન મેળવનારા ઉમેદવારોની યાદી

All INDIA Rankers from SURAT
Name Rank in India Marks
Dhara Tailor 17th 353
Akash Bothra 25th 345
Anshul Agarwal 25th 345
Rushab Khaitan 32nd 338
Harshit Chanduka 32nd 338
Vishvas Nandwani 33rd 337
Mayank Jajoo 35th 335
Dipti Seksaria 43rd 327
Divyansh Jain 44th 326
Mayank Jain 47th 323
Prachi K Shah 48th 322
Amish Ramgarhia 49th 321

સી.એ. ફાઇનલ્સ 2019 પરીક્ષામાં દેશના ટોપ ફિફ્ટીમાં સ્થાન પામનારા વિદ્યાર્થીઓની યાદી

All INDIA Rankers From Surat
Name Rank in India Marks
Shubham Sarfale 12th 548
Megha Chhaparia 27th 524
Harshita Salecha 31st 519
Abhishek Jariwala 504
Kajol Deora 493
Satyam Agarwal 490

 

 

January 22, 2019
Auro-University-min1.jpg
4min8490

(તા.22 જાન્યુઆરી 2019ના રોજ ઑરો યુનિવર્સિટી ખાતે યોજાયેલી પ્રેસકોન્ફરન્સને સંબોધી રહેલા યુનિ.ના પ્રેસિડેન્ટ શ્રી હસમુખભાઇ રામા તેમજ અન્ય પદાધિકારીઓ)

ભવિષ્યની પેઢીને સંપૂર્ણ શિક્ષણ આપતી અને નેતૃત્વ માટે સજ્જ કરતી અગ્રિમ યુનિવર્સિટી બનવાનાં લક્ષ્ય સાથે હાલ યુ.એસ.એ. સ્થિત રામા પરિવાર દ્વારા વર્ષ 2011માં ઑરો યુનિવર્સિટીની સ્થાપના થઈ હતી. છેલ્લાં આઠ વર્ષમાં યુનિવર્સિટી દ્વારા સેંકડો યુવાનોને તાલીમબદ્ધ કરીને કુશળ પ્રૉફેશનલ તરીકે તૈયાર કરવામાં આવ્યા છે. ઑરો યુનિવર્સિટીનું લક્ષ્ય શૈક્ષણિક જગત તથા ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે નવા સીમાચિહ્નો સ્થાપિત કરવાનું છે.

ગત ડિસેમ્બર 2018માં જ ઑરો યુનિવર્સિટી યુજીસી (યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન) દ્વારા માન્યતા મેળવનારી દક્ષિણ ગુજરાતની પ્રથમ ખાનગી યુનિવર્સિટી બની છે. ઑરો યુનિવર્સિટીના કાર્યોની વૈશ્વિક સ્વીકૃતિની સાથે સાથે યુજીસી દ્વારા મળેલી આ માન્યતાથી ઑરો યુનિવર્સિટીમાં ઘણાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના રિસર્ચ પ્રોજેક્ટ્સ હાથ ધરી શકાશે અને તેના માટે આર્થિક સહાય પણ મેળવી શકાશે.

  • ઑરો યુનિવર્સિટીની પ્રવર્તમાન પાંચ સ્કૂલ્સ –
  • બિઝનેસ સ્કુલ
  • હોસ્પિટાલિટી સ્કુલ
  • આઈટી સ્કુલ
  • લૉ સ્કુલ તેમજ
  • સ્કૂલ ઑફ ડીઝાઇન

2018-19માં સ્કૂલ ઑફ લિબરલ આર્ટ્સ એન્ડ હ્યુમન સાયન્સિસ તથા સ્કૂલ ઑફ જર્નલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશનનો પણ પ્રારંભ

વર્ષ 2020 સુધીમાં સ્કૂલ ઑફ સાયન્સિસ અને સ્કૂલ ઑફ એજ્યુકેશન

કાર્યરત છે. વર્તમાન શૈક્ષણિક વર્ષ 2018-19માં સ્કૂલ ઑફ લિબરલ આર્ટ્સ એન્ડ હ્યુમન સાયન્સિસ તથા સ્કૂલ ઑફ જર્નલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશનનો પણ પ્રારંભ થયો હતો. આ ઉપરાંત વર્ષ 2020 સુધીમાં સ્કૂલ ઑફ સાયન્સિસ અને સ્કૂલ ઑફ એજ્યુકેશનની શરૂઆત કરવાનું પણ ઑરો યુનિવર્સિટીનું આયોજન છે. ટૂંક સમયમાં જ નવા શૈક્ષણિક કાર્યક્રમો જેવા કે માસ્ટર્સ ઇન હોસ્પિટાલિટી મેનેજમેન્ટ, તથા ડેટા ઍનાલિસિસ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઇન્ટરનેટ ઑફ થિંગ્સ જેવા વિષયોમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા અને ઇન્ટિગ્રલ યોગા વિષયમાં સર્ટિફિકેટ કોર્સ શરૂ કરશે. આ ઉપરાંત રૂરલ ઇમર્ઝન પ્રોગ્રામ સાથે નવા શૈક્ષણિક કેન્દ્રો પણ શરૂ કરવાનું આયોજન છે.

ટૂંક સમયમાં જ નવા શૈક્ષણિક કાર્યક્રમો જેવા કે માસ્ટર્સ ઇન હોસ્પિટાલિટી મેનેજમેન્ટ, તથા ડેટા ઍનાલિસિસ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઇન્ટરનેટ ઑફ થિંગ્સ જેવા વિષયોમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા અને ઇન્ટિગ્રલ યોગા વિષયમાં સર્ટિફિકેટ કોર્સ શરૂ કરશે

યુનિવર્સિટીમાં શૈક્ષણિક પ્રવૃત્તિઓ માટેની નવી માળખાકીય સુવિધાઓ જેવી કે ક્લાસરૂમ્સ, હોસ્ટેલ, ઇન્ટરનેશનલ ટ્રાન્ઝિટ હાઉસ, વિદ્યાર્થી સુવિધા કેન્દ્ર તથા રમતગમત માટેની અદ્યતન સુવિધાઓનું નિર્માણ થશે.

સુરત શહેર અને સુરતવાસીઓ સાથે સાતત્યપૂર્ણ ઘનિષ્ઠતા કેળવવા માટે યુનિવર્સિટી આગામી સમયમાં પોતાના કેમ્પસમાં જ ‘શ્રી ઑરોબિંદો ઇન્ટેગ્રલ લાઇફ સેન્ટર’ની રચના કરશે. આ ઉપરાંત યુનિવર્સિટી દ્વારા નજીકનાં ભવિષ્યમાં વિવિધ સર્ટિફિકેટ કોર્સિસ પણ શરૂ કરવામાં આવશે, જેનો લાભ કામ કરતાં પ્રોફેશનલ્સ, ઉદ્યોગસાહસિકો, ગૃહિણીઓ તથા અન્ય યુનિવર્સિટીઝના વિદ્યાર્થીઓ પણ લઈ શકશે.

ઑરો યુનિવર્સિટી ત્રણ દિવસના આંતરરાષ્ટ્રીય સેમિનારનું આયોજન કરી રહી છે. 27, 28, અને 29 જાન્યુઆરી, 2019 દરમિયાન યોજાનારા આ સેમિનારનો વિષય – ‘ચેલેન્જિંગ પ્રિકેરિટી’ રહેશે

આગામી રવિવારથી યુનિવર્સિટી ત્રણ દિવસના આંતરરાષ્ટ્રીય સેમિનારનું આયોજન કરી રહી છે. 27, 28, અને 29 જાન્યુઆરી, 2019 દરમિયાન યોજાનારા આ સેમિનારનો વિષય – ‘ચેલેન્જિંગ પ્રિકેરિટી’ રહેશે. આ સેમિનારનું આયોજન યુ.કે. સ્થિત યુનિવર્સિટી ઑફ નોર્થેમ્પટન, ડબ્લિન સ્થિત ટ્રિનિટી કૉલેજ સાથે મળીને થઈ રહ્યું છે. આ સેમિનારમાં અમેરિકા, યુ.કે., યુરોપ અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોનાં 29 અધ્યાપકો અને નિષ્ણાતો ભાગ લેશે.

હાઇલાઇટ્સ

  • હાલ યુનિવર્સિટી સ્કૂલ ઑફ બિઝનેસ તથા સ્કૂલ ઑફ આઈટીમાં પીએચ.ડી. કાર્યક્રમ સહિત કુલ 29 શૈક્ષણિક કાર્યક્રમો ચાલુ છે. આ ઉપરાંત લિબરલ આર્ટ્સ, લૉ, તથા હોસ્પિટાલિટી સ્કૂલ્સમાં શૈક્ષણિક વર્ષ 2019-20માં પીએચ.ડી. કાર્યક્રમોની શરૂઆત થશે.
  • ઑરો યુનિવર્સિટી યુજીસીની માન્યતા મેળવનારી દક્ષિણ ગુજરાતની પ્રથમ ખાનગી યુનિવર્સિટી છે.
  • યુનિવર્સિટી આર્થિક પડકારો ધરાવતાં વિદ્યાર્થીઓને બોર્ડિંગ સહિતના શૈક્ષણિક ખર્ચને આવરી લેતી 100 ટકા સ્કૉલરશીપ પૂરી પાડે છે. આ ઉપરાંત અન્ય તમામ વિદ્યાર્થીઓને મેરિટ આધારિત સ્કૉલરશીપ આપે છે.
  • યુનિવર્સિટીના અધ્યાપકોના સંશોધન કાર્યમાં મદદરૂપ બનવા માટે ઑરો યુનિવર્સિટીએ મોનોગ્રાફ પબ્લિકેશન ગ્રાન્ટ તથા સીડ મની ફોર રિસર્ચ પ્રોજેક્ટ્સની શરૂઆત કરી છે.

Press Release in English

 AURO University was established in 2011 with the vision ‘To be a premier University of Integral and Transformational Learning for future leaders’ by the Rama Family based now in the USA. After 8 years of transforming hundreds of young minds and helping them turn into fine professionals, AURO Universityaspires to achieve new milestones in academic world and provide higher education.

As you must be aware, last month, the University became the first private university in South Gujarat and one of the few in Gujarat to receive the UGC approval. In addition to a globally acceptable validation of our endeavours, this recognition will allow us to host many a national and international collaborative projects and receive funds for research activities.

We are happy to announce that in addition to existing four schools of Business, Hospitality, IT and Law, the University started School of Design in the last academic year. School of Liberal Arts and School of Journalism and Mass Communication were launchedin the current academic year 2018-19.The University plans to start a School of Sciences as well as a School of Education by the year 2020.Soon, we are going to start new programmes like Masters in Hospitality Management, PG Diplomas in Date Analysis, Artificial Intelligent, Internet of Things and Certificate course in Integral Yoga, along with Rural Immersion Program and new centres.

The University is going to add infrastructural facilities in the form of new academic building, hostel, international transit house, students’ facilities centre, and state of the art sports facilities.

Increasing our engagement with the city and the people of Surat, the University will soon have Sri Aurobindo Integral Life Centre on its campus. The University will be also announcing several certificate programmes in near future, which will be open to all.

Starting this Sunday, the University will be holding a three day international seminar               during 27, 28 and 29 January, 2019 on ‘Challenging Precarity’. This seminar, held in collaboration with the University of Northampton (UK) and Trinity College (Dublin), has large number of participants with 29 foreign participants from USA, UK, Europe and Australia.

 Highlights

  • Currently University has 29 programs with PhD in School of Business & School of IT. Ph.D. in Liberal Arts, Law & Hospitality will be starting in 2019 – 20.
  • AURO University is the first private university in South Gujarat to be approved by UGC under section 2(f) & 22 of the UGC Act and the UGC Regulations 2003.
  • The University provides merit scholarships and supports full education of financially challenged students inclusive of boarding, by offering them 100% scholarship.
  • In order to support research by faculties, the University has started Monograph Publication Grant and Seed Money for Research Projects for its faculty.
January 21, 2019
gseb-1280x720.jpg
1min7430

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના અધિકારીઓ ઓફિસમાં બેઠાબેઠા રાજ્યવ્યાપી પરીક્ષાઓના સમયપત્રક વગર વિચાર્યે જાહેર કરી દે છે અને પછી તેની તારીખો બદલવાની ફરજ પડે છે.

ગુજકેટની પરીક્ષા અગાઉ તા.30મી માર્ચે લેવાની જાહેરાત કરવામાં આવી હતી. એ પછી તારીખ બદલીને 4 એપ્રિલ 2019 કરવામાં આવી. હવે ફરીથી બોર્ડને એવી માહિતી મળી કે સીબીએસઇ તેમજ અન્ય રાજ્યની પરીક્ષાઓ 4 તારીખે યોજાતી હોઇ, ગુજરાત બોર્ડના અધિકારીઓએ હવે ફરીથી ગુજકેટની પરીક્ષાની તારીખ બદલવી પડી છે. હવે નવી તારીખ મુજબ 23મી એપ્રિલ 2019ના રોજ યોજવાની જાહેરાત કરવામાં આવી છે.

 

January 21, 2019
natamain.jpg
1min12700

દેશભરમાં આવેલી આર્કિટેક્ચર કોલેજોને પહેલા વર્ષમાં પ્રવેશ માટે કાઉન્સિલ ઓફ આર્કિટેક્ચર દ્વારા રાષ્ટ્રવ્યાપી ધોરણે લેવામાં આવતી નાટા (નેશનલ એપ્ટિટ્યૂડ ટેસ્ટ ઇન આર્કિટેક્ચર) 2019 માં પાછલા વર્ષોની સરખામણીમાં અનેક ફેરફારો કરવામાં આવ્યા છે.

પહેલો ફેરફારઃ નાટા 2019 બે વખત લેવાશે

છેલ્લા બે વર્ષથી વર્ષમાં એક જ વખત લેવાયેલી નાટા પરીક્ષા 2019માં બે વખત પહેલી વખત તા.14મી એપ્રિલ 2019ના રોજ અને દ્વિતિય પરીક્ષા તા.7મી જુલાઇ 2019 (મોટા ભાગની કોલેજોમાં પ્રવેશ અપાઈ ચૂક્યા હશે ત્યારે) લેવામાં આવશે. નાટાની બીજી પરીક્ષા એટલા માટે લેવામાં આવી રહી છે કે પહેલી પરીક્ષામાં મેળવાયેલા માર્કસથી અસંતુષ્ઠ ઉમેદવારો બીજી પરીક્ષામાં તેમનું પરફોર્મન્સ સુધારી શકે. નાટા 2019નું સમયપત્રક નીચે મુજબ છે.

Information Brochure

બીજો ફેરફાર ઃ નાટા પરીક્ષામાં ક્વોલિફાઇંગ લેવલ ઘટાડીને 40 ટકાથી ઘટાડીને 25 ટકા કરી દેવાયું

નેશનલ એપ્ટિટ્યુટ ટેસ્ટ ઇન આર્કિટેક્ચર 2019 પરીક્ષામાં કાઉન્સિલ ઓફ આર્કિટેક્ચરના વહીવટકર્તાઓએ ક્વોલિફાઇંગ લેવલ એટલે કે નાટામાં પાસ થવાનો લઘુત્તમ સ્કોર 40 ટકા હતો જેમાં પહેલી વખત ઘટાડો કરીને આ પ્રમાણ 25 ટકા કરી દેવામાં આવ્યું છે. 2018 સુધી નાટામાં પાસ થવા (બી.આર્ક.માં પ્રવેશ માટે લાયક થવા) માટે 200માંથી 80 માર્કસ અનિવાર્ય હતા. પરંતુ, હવે નાટાના બન્ને પાર્ટમાં 25 ટકા માર્કસ લાવીને કુલ 200માંથી 50 માર્કસ આવશે એટલે ઉમેદવારને બી.આર્ક.માં પ્રવેશ માટે લાયક ગણવામાં આવશે.

અત્યાર સુધી આર્કિટેક્ચર કોલેજોમાં 200માંથી 80 માર્કસનું લાયકાત ધોરણ હોવાથી અનેક વિદ્યાર્થીઓ આ લેવલ પાસ કરી શકતા ન હતા અને તેને પરીણામે કોલેજોમાં બેઠકો ખાલી પડી રહેતી હતી. ગુજરાતમાં આ વખતે 600 જેટલી બેઠકો પહેલા રાઉન્ડમાં ખાલી પડી રહી હતી.

નાટામાં પરીણામ કેવી રીતે ગણનામાં લેવામાં આવશે એ અંગેની સઘળી વિગતો નીચે મુજબ છે.

Information Brochure

કોમર્સના વિદ્યાર્થીઓ માટે પ્રવેશ બંધી

ચાલુ શૈક્ષણિક વર્ષથી નાટા પરીક્ષાનું રજિસ્ટ્રેશન ફક્ત એવા વિદ્યાર્થીઓ કરી શકશે જેઓ માર્કશીટમાં ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથેમેટીક્સ વિષય ધરાવતા હશે. આ વર્ષથી આ નિયમ અમલી બનાવાયો છે. જોકે, આ સૂચના બે વર્ષ અગાઉથી જાહેર કરી દેવામાં આવી હતી.

January 19, 2019
ragha1-1280x926.jpg
1min10570
  • જેઇઇ પેપર-1 2019માં સુરતના રાઘવ સોમાણીએ કુલ 99.99 પર્સન્ટાઇલ માર્કસ મેળવી રાજ્યમાં ટોપ કર્યું છે
  • સુરતમાં જીએસટી અધિકારીનો દિકરો છે રાઘવ સોમાણી
  • જેઇઇ પેપર-1 જાન્યુઆરી 2019માં ગુજરાત ટોપર બનેલા રાઘવએ આઇઆઇટી મુંબઇથી કમ્પ્યૂટર સાયન્સ કરવું છે

(Raghav Somani, Jee Main Gujarat Topper & Student of Aakash Institute)

સુરતમાં જીએસટી અધિકારી તરીકે ફરજ બજાવી રહેલા અધિકારીનો દિકરો રાઘવ સોમાણી આજે સમગ્ર ગુજરાતના શિક્ષણમાં છવાય જવા પામ્યો છે. સુરતમાં ઉછરીને મોટા થયેલા રાઘવ સોમાણીએ ચાલુ મહિનામાં જ લેવાયેલી ઇજનેરી માટેની નેશનલ ટેસ્ટ જેઇઇ પેપર-1માં સમગ્ર ગુજરાતમાં નંબર વન હાંસલ કર્યો છે.

  • ધો.10માં મહેશ્વરી વિદ્યાપીઠમાં 10માંથી 10 સીજીપીએ મેળવ્યા હતા રાઘવ સોમાણીએ
  • આશ્ચર્યજનક રીતે ધો.11-12 સાયન્સમાં કહેવાતી ડમી સ્કુલ ડીવાઇન ચાઇલ્ડમાં પ્રવેશ મેળવ્યો હતો રાઘવએ

રાઘવ સોમાણી માટે કહેવાય છે કે ધો.10 સુધી એ સુરતની મહેશ્વરી સ્કુલમાંથી ભણ્યો હતો.  ધો.10માં રાઘવ સોમાણીએ 10માંથી 10 સીજીપીએ મેળવ્યા હતા. આટલા સીજીપીએ મેળવ્યા પછી પણ રાઘવ સોમાણીએ એવી સ્કુલમાં પ્રવેશ મેળવ્યો કે જ્યાં રાઘવને ભણવા માટે વધુ સમય મળી શકે એટલે ડિવાઇન ચાઇલ્ડ સ્કુલમાં પ્રવેશ મેળવ્યો હતો રાઘવ એ એવું તેમના પિતાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું. ધો.11-12 સાયન્સમાં ભણવા માટે વધુ સમય મળી શકે તે માટે કહેવાતી ડમી સ્કુલ ડીવાઇન ચાઇલ્ડ સ્કુલમાં પ્રવેશ મેળવ્યો હતો. આજે જ્યારે સમગ્ર ગુજરાતના શિક્ષણ જગતમાં રાઘવ સોમાણીની ચર્ચા સર્વત્ર થતી હતી ત્યારે ડીવાઇન ચાઇલ્ડ સ્કુલના સંચાલકો સાવ બેખબર હતા કે તેમની સ્કુલના વિદ્યાર્થી રાઘવ સોમાણી જેઇઇ મેઇન જેવી અઘરી પરીક્ષામાં ગુજરાત ટોપર આવ્યો છે. આવું સ્વભાવિક છે કેમકે અગાઉ ડીવાઇન સ્કુલનું નામ ટોપર લિસ્ટમાં ભાગ્યે જ આવ્યું છે. આજે જ્યારે પરીણામ જાહેર થયું ત્યારે પણ રાઘવ સોમાણી આકાશ મજૂરાગેટ ખાતે જ હતો.

  • આખા ગુજરાતના શિક્ષણ જગતમાં ડીવાઇન ચાઇલ્ડ સ્કુલનું નામ ચર્ચાતું હતું ત્યારે તેના સંચાલકો જ બેખબર હતા કે તેમની સ્કુલના વિદ્યાર્થી રાઘવ સોમાણીએ જેઇઇ મેઇન પેપર-1 જેવી અઘરી પરીક્ષામાં ગુજરાતમાં સૌથી પહેલો ક્રમ મેળવ્યો છે.

ખેર વાત કરીએ રાઘવ સોમાણીની. જેઇઇ મેઇન પેપર-1માં ગુજરાત ટોપર આવેલા રાઘવ સોમાણીએ જણાવ્યું કે તે મુંબઇ આઇ.આઇ.ટી.માં કમ્પ્યૂટર સાયન્સ બ્રાન્ચમાં પ્રવેશ મેળવવા માટે ઇચ્છુક છે અને તેણે મજૂરા ગેટ સ્થિત આકાશ ઇન્સ્ટિટ્યૂટ નામના કોચિંગ ક્લાસીસમાં ધો.9થી જ પ્રવેશ મેળવી લીધો હતો. એવું કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી કે રાઘવ સોમાણીની અદ્વિતિય સિદ્ધિમાં આકાશનો જ સિંહફાળો રહ્યો છે પરંતુ, ખેલદિલ રાઘવ સોમાણીને જ્યારે પૂછવામાં આવ્યું કે આ સિદ્ધિ માટે ક્રેડિટ કોને આપશો ત્યારે તેણે ડિવાઇન ચાઇલ્ડ સ્કુલ અને આકાશ બન્નેને શ્રેય આપ્યો હતો.

ફરીથી આકાશ ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓએ મેદાન માર્યું

જેઇઇ મેઇન પેપર-1 2019માં ગુજરાત ટોપર બનેલા રાઘવ સોમાણીને પત્રકારો સમક્ષ રજૂ કરનાર સુરતના મજૂરાગેટ સ્થિત આકાશ ઇન્સ્ટિટ્યુટના સંચાલકોએ જણાવ્યું હતું કે ફરીથી તેમના વિદ્યાર્થીઓ જેઇઇ મેઇન જેવી પરીક્ષામાં ઝળકી ઉઠ્યા છે. આકાશ ઇન્સ્ટિટ્યૂટના અનેક વિદ્યાર્થીઓએ 97થી 99 પર્સન્ટાઇલ વચ્ચે માર્કસ મેળવ્યા છે.