શિક્ષણ સર્વદા Archives - Page 41 of 54 - CIA Live

March 22, 2019
nit-kurukshetra.jpg
1min7840

જયેશ બ્રહ્મભટ્ટ

એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓ પર આધારિત આમીર ખાનની સુપ્રસિદ્ધ ફિલ્મ થ્રી ઇડિયટમાં એક દ્રશ્ય એ છે કે ત્રણ મિત્રો આમંત્રિત ન હોવા છતાં કોલેજના ડાયરેક્ટરની પુત્રીના લગ્નમાં જમવા માટે પહોંચી જાય છે. ફિલ્મમાં આ સીન જોવાની બહુ મજા આવે, મનોરંજક લાગે પણ કુરુક્ષેત્ર ખાતે આવેલી નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજી NIT ની હોસ્ટેલમાં રહેતા મોટા ભાગના વિદ્યાર્થીઓ હોસ્ટેલ છોડીને તેમની આસપાસના વિસ્તારોમાં થતાં લગ્ન સમારોહમાં જમવા માટે પહોંચી જાય છે, આ પ્રકારે અનેક વિદ્યાર્થીઓ પકડાય ચૂક્યા છે અને સમાજમાંથી ગંભીર ફરીયાદો ઉઠતાં કુરુક્ષેત્ર ખાતે આવેલી નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજી NITના મેનેજમેન્ટએ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ માટે એક નોટીસ જારી કરવી પડી છે કે જો હવે પછી તેઓ અજાણ્યાના લગ્નસમારોહમાં, વિના આમંત્રણે જમવા માટે પહોંચી ગયેલા જણાશે, પકડાશે તો તેમની સામે આકરાં શિક્ષાત્મક પગલાં ભરવામાં આવશે.

કુરુક્ષેત્ર એન.આઇ.ટી.ના હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને ચીફ વોર્ડનએ આ પ્રકારે નોટિસ પાઠવવી પડી છે.

 

કુરુક્ષેત્ર NITના ચીફ વોર્ડનએ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ જોગ પાઠવેલી નોટિસમાં જણાવ્યું છે કે વિના આમંત્રણે, ભળતા લોકોના લગ્ન સમારોહમાં જમવા માટે પહોંચી જવું એ કોઇ મજાક નથી પણ સિદ્ધાંતો વિરુદ્ધની અને અનૈતિક વાત છે અને એ સંપૂર્ણ અસામાજિક વર્તન છે. સાંખી નહીં લેવાય એવી હરકત કરવાનું હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ બંધ નહીં કરે તો આકરાં પગલાં માટે તૈયાર રહે.

કુરુક્ષેત્ર NITના વિદ્યાર્થીઓ થ્રી ઇડિયટ મૂવીના સીન પરથી પ્રેરણા લઇને હોસ્ટેલનું બીબાંઢાળ ખાવાનું છોડીને હોસ્ટેલની આસપાસના પાર્ટી પ્લોટ્સમાં યોજાઇ રહેલા લગ્ન સમારોહમાં બિન બુલાયે મહેમાનની જેમ જમવા માટે પહોંચી જાય છે. અનેક વખત આ પ્રકારે કુરુક્ષેત્ર એન.આઇ.ટી. જેવી પ્રતિષ્ઠિત સંસ્થાના વિદ્યાર્થીઓ પકડાય ચૂક્યા છે અને લગ્ન આયોજકોએ તેમની ફરીયાદો પણ કરતા કુરુક્ષેત્ર NITનું મેનેજમેન્ટ હરકતમાં આવ્યું છે.

 

March 21, 2019
CIA_Live_Logo_New2.jpg
1min6560

સ્પેસ સ્કૂલનો સંચાલક 10માં સારા માર્કે પાસ કરાવી દેવાની લાલચ આપી 3 દિવસથી અડપલા કરતો હતો

જેતપુરના સરદાર ચોક નજીક શાંતિવન આશ્રમ રોડ પર આવેલ સ્પેશ સ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની સાથે અડપલાં કરવા અંગે સ્કૂલના સંચાલક અરવિંદ હરદાસભાઇ સાવલિયા અને તેના ભાઇ કિરીટને બોધપાઠ ભણાવ્યો હતો. શાંતિવન આશ્રમ રોડ પર આવેલા સીબીએસસી સ્પેશ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના મેનેજિંગ ડિરેક્ટર (સંચાલક) અરવિંદ હરદાસભાઇ સાવલિયા છે. તેણે સ્કૂલમાં સીબીએસસી કોર્સ મુજબ ધો.- 9નો અભ્યાસક્રમ પૂર્ણ થયેલ અને ધો. 10ના વર્ગ શરૂ કર્યા છે ત્યારે ધો. 10ની એક વિદ્યાર્થિનીને સંચાલકે તેની ઓફિસમાં બોલાવી ચોકલેટ આપી હતી અને આપણી સ્કૂલને બોર્ડનું કેન્દ્ર મળી ગયું છે. માટે હું તને પરીક્ષામાં ચોરી કરાવીને સારા માર્કસ લેવડાવી દઇશ તેમ કહીને છેલ્લા બે – ત્રણ દિવસથી એ છાત્રા સાથે અડપલાં કરવાનું શરૂ કર્યું હતું.

તા.19મી માર્ચે પણ સ્કૂલ સંચાલકે વિદ્યાર્થિનીને બોલાવીને કહ્યું હતું કે સ્કૂલના પ્રિન્સિપાલ લલીત એક મહિનાથી રજા ઉપર છે તે કાલ આવી જશે એટલે જ્યાં સીસીટીવી નથી તે સ્પોર્ટસ રૂમમાં મળીશું. આ વાત સાંભળીની વિદ્યાર્થિની ગભરાઈ ગઈ હતી. પહેલા તેણે આપઘાત કરવાનો વિચાર કર્યો હતો. તે પહેલા તેણે તેની માતાને તેની વિતક વર્ણવી હતી. સ્કૂલમાં બનેલી તમામ હકીકત જણાવીને સંચાલકને પાઠ ભણાવવો પડશે તેવું જણાવ્યું હતું.

તા.20મી માર્ચે સવારે તેની સાથે અભ્યાસ કરતી બીજી વિદ્યાર્થિનીઓના વાલીઓને જાણ કરી હતી. આથી વાલી મંડળ સ્પેશ સ્કૂલનાં કેમ્પસમાં એકઠું થયું હતું. જ્યાં સ્કૂલ સંચાલક અરવિંદ સાવલિયા અને કિરીટ સાવલિયાને રજૂઆત કરી હતી. આ રજૂઆત દરમિયાન મામલો ઉગ્ર બન્યો હતો અને ઉશ્કેરાયેલા વાલીઓએ સંચાલકોને મેથીપાક આપવાનું શરૂ કર્યું હતું. આ બાબતેની જાણ થતાં સંચાલકનો પરિવાર બચાવવા માટે આવી ગયો હતો. વિદ્યાર્થિનીની માતાએ નોંધાવેલી ફરિયાદ પરથી પોલીસે શાળા સંચાલક અરવિંદ સાવલિયાની ધરપકડ કરી હતી.

કાળા કાચ કાઢો અને સીસીટીવી કેમેરા લગાવો
આ સ્કૂલના તમામ વર્ગખંડના બારી – દરવાજામાં કાળા કાચ લગાવ્યા છે. તે દૂર કરવા અને સ્કૂલમાં અનેક સ્થળે સીસીટીવી કેમેરા લગાડયા નથી ત્યાં કેમેરા વાલીઓએ પોલીસને આવેદનપત્ર આપીને માગણી કરી હતી.

પેપર રદ્દ કરાયા
સ્પેશ સ્કૂલમાં ધો.1થી 8ના વિદ્યાર્થીની પરીક્ષા ચાલુ હોય અને આજે છેલ્લા બે પેપર ગણીત અને અંગ્રેજીના લેવાના હતા ત્યારે હોબાળો થતાં નાના ભુલકાઓ ગભરાઇ ગયા હતા. સંચાલક દ્વારા આજના પેપર રદ્દ કરવામાં આવ્યા હતા અને સોમવારે આ પેપર લેવાશે તેમ જણાવ્યું હતું. તેના કારણે વિદ્યાર્થીઓની મહેનત પર પાણી ફરી વળ્યું હતું.
March 19, 2019
jeeadv.png
1min12360

ધો.12 સાયન્સ એ ગ્રુપમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓના આઇ.આઇ.ટી.માં પ્રવેશ માટે લેવામાં આવતી જેઇઇ એડવાન્સ્ડ 2019ની પરીક્ષા તા.19મી મે 2019ના રોજ લેવાનું અગાઉ જાહેર કરવામાં આવ્યું હતું. પરંતુ, ચૂંટણી પંચે જાહેર કરેલા લોકસભાની ચૂંટણીના કાર્યક્રમમાં મતદાનો 7મો અને આખરી તબક્કો તા.19મી મે 2019ના રોજ છે. ચૂંટણી મતદાનના કારણે સંભવે છેકે પરીક્ષાર્થીઓથી શરૂ કરીને સ્કુલ સ્ટાફ, સ્કુલ બિલ્ડીંગ વગેરેનો પ્રશ્નો ઉપસ્થિત થતો હતો. આથી આ વખતની આઇ.આઇ.ટી. જેઇઇ એડવાન્સ્ડ પરીક્ષા 2019 લેવાની જવાબદારી જેના શિરે છે એ આઇ.આઇ.ટી. રૂરકીના સંચાલકોએ જે.ઇ.ઇ. એડવાન્સ્ડ પરીક્ષા તા.19મી મેની જગ્યાએ તા.27મી મે 2019ના રોજ લેવાની જાહેરાત કરી છે.

  • અગાઉ જેઇઇ એડવાન્સ્ડ પરીક્ષા તા.19-05-2019ના રોજ લેવાની જાહેરાત થઇ હતી
  • લોકસભા ચૂંટણીના આખરી તબક્કાનું મતદાન તા.19-05-2019ના રોજ હોઇ જેઇઇ એડવાન્સ્ડની તારીખ બદલવી પડી
  • હવે જેઇઇ એડવાન્સ્ડ 2019ની પરીક્ષા તા.27-05-2019ના રોજ લેવાની જાહેરાત કરવામાં આવી છે

The Indian Institute of Technology (IIT), Roorkee has shifted the Joint Entrance Examination (JEE) Advanced date to May 27, 2019. Earlier, the JEE (Advanced) examination was to be conducted on May 19, 2019. The JEE Advanced examination will be conducted on Monday (May 27) in two shifts – Paper 1 from 09:00 am to 12:00 noon and Paper 2 from 02:00 pm to 05:00 pm.

The JEE (Advanced) exam date has been changed as it was clashing with the seventh phase polls, to be conducted on 59 seats of the Lok Sabha elections at 1. Bihar: 8 seats, 2. Jharkhand: 3 seats, 3. Madhya Pradesh: 8 seats, 4. Punjab: 13 seats, 5. West Bengal: 9 seats, 6. Chandigarh: 1 seat, 7. Uttar Pradesh: 13 seats, and 8. Himachal Pradesh: 4 seats.

જેઇઇ મેઇન્સમાં ટોપ 2.24 લાખમાં સામેલ વિદ્યાર્થીઓ જ જેઇઇ એડવાન્સ્ડ પરીક્ષા આપી શકશે

 

March 19, 2019
utuimages.jpg
9min33110

જયેશ બ્રહ્મભટ્ટ

ગુજરાત બોર્ડ સમેત અન્ય બોર્ડની ધો.12 સાયન્સ, કોમર્સ અને આર્ટસની પરીક્ષાઓ પૂર્ણ થવા આવી છે. હવે વિદ્યાર્થીઓ અને માબાપ કારકિર્દીના વિકલ્પો વિચારવાનું શરુ કરશે એ સમયે સી.આઇ.એ. લાઇવ ન્યુઝ પોર્ટલ અને શિક્ષણ સર્વદા આપને કારકિર્દીના વિકલ્પોથી સુપેરે માહિતીગાર કરશે. કારકિર્દી ઘડતરનો સૌથી અગત્યનો નિર્ણય લેવામાં અમે આપને મદદરૂપ થઇશું. આજે અમે અહીં વાત કરી રહ્યા છે સુરત નજીક બારડોલી-મહુવા રોડ પર આવેલી ઉકા તરસાડીયા યુનિવર્સિટી, માલિબા કેમ્પસની. સુરત શહેર જિલ્લા કે સમગ્ર દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો વર્ષોથી એવું મહેણું હતું કે સ્ટેટ ઓફ ધ આર્ટ અને કારકિર્દીના વિકલ્પો એક જ કેમ્પસમાં ઉપલબ્ધ થાય અને એ પણ ક્વોલિટી એજ્યુકેશન અને ગ્લોબલ સ્ટાન્ડર્ડના ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે, આવું કેમ્પસ સમગ્ર દક્ષિણ ગુજરાતના સાતેય જિલ્લા પૈકી ક્યાં ન હતું. પરંતુ, બારડોલી-મહુવા રોડ પર આવેલા માલિબા વિદ્યાસંકુલ અને એ પછી અસ્તિત્વમાં આવેલી ઉકા તરસાડીયા યુનિવર્સિટીએ એ મહેણું દૂર કર્યું છે કે દક્ષિણ ગુજરાતમાં અપટુડેટ હાયર એજ્યુકેશન કેમ્પસ નથી.

માલિબા સંકુલમાં આવેલી ઉકા તરસાડીયા યુનિવર્સિટી ફક્ત સાઉથ ગુજરાત જ નહીં બલ્કે ગુજરાતભરના વિદ્યાર્થીઓને આકર્ષી રહી છે. અહીં ધો.12 સાયન્સ, કોમર્સ અને આર્ટસ પછી વિદ્યાર્થીઓ માટે લગભગ મોટા ભાગની ફેકલ્ટીઝના અભ્યાસક્રમો શરૂ થયા છે. ક્વોલિફાઇડ અને એક્સપિરીયન્સ્ડ અધ્યાપકોની સાથે વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડતી ઉકા તરસાડીયા યુનિવર્સિટીની એક વખત મુલાકાત લઇ આવવી જોઇએ.

ધો.12 સાયન્સ કોમર્સ કે આર્ટસ પછી કોઇપણ કોલેજમાં એડમિશન લેતા પહેલા ઉકા તરસાડીયા યુનિવર્સિટીની વિઝીટ કરજો, તમારું વિઝન ચોક્કસ બદલાઇ જશે

ઉકા તરસાડીયા યુનિવર્સિટીને બેઠી કરનારા ડો.દિનેશ શાહ લેખકને હંમેશા કહેતા આવ્યા છે કે તમે કાઉન્સિલર છો, ક્યારેય કોઇ વાલી વિદ્યાર્થીઓને સીધા જ અમારી યુનિવર્સિટીમાં એડમિશન લઇ લો એવું ન કહેતા, એમને કહો કે પહેલા સ્વયં યુકા તરસાડીયા કેમ્પસની મુલાકાત લો, અન્ય સંસ્થાઓની મુલાકાત લો અને એ પછી વિકલ્પ પસંદ કરો. અહીં વિદ્યાર્થીઓ મેરીટ્સ પર એડમિશન મેળવે છે. સૌથી અગત્યની વાત એ છે કે ઉકા તરસાડીયાના સંચાલકોનો અભિગમ ધંધાદારી નથી બલ્કે સમાજ સેવાનો છે. તેઓ ક્યારેય પ્રોફિટ મેકિંગ એપ્રોચમાં જોવાયા નથી બલ્કે વિદ્યાર્થીઓ કઇ રીતે વ્યવસાયલક્ષી બની શકે તેના પર ફોકસ કરીને સેવાના હેતુથી શૈક્ષણિક સંકુલ ચલાવી રહ્યા છે.

અહીં આ કેમ્પસમાં થઇ રહેલી અન્ય પ્રવૃતિઓની વાત તો એટલા માટે નથી કરવી કેમકે શૈક્ષણિક સાથે કો કરીક્યુલર એક્ટિવિટીઝ, સેલિબ્રેશન, ફેસ્ટિવલ્સ અને સૌથી મહત્વની વાત ટેલેન્ટ હન્ટમાં આ યુનિવર્સિટી દ્વારા યોજાતા કાર્યક્રમો કાબિલે તારીફ રહ્યા છે. સ્ટડી ટૂર, પ્રોજેક્ટ વર્ક, કોમ્પિટીશન પાર્ટીશિપેશન, એસાઇન્મેન્ટ વગેરે કાર્યક્રમોમાં ઉકા તરસાડીયા યુનિવિર્સિટીએ તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં અલગ ભાત પાડી છે.

ઉકા તરસાડીયા યુનિવર્સિટીમાં ચાલતા અભ્યાસક્રમોની માહિતી નિમ્નદર્શિત છે.

GROUP-A

BACHELOR OF TECHNOLOGY [B.TECH.]

INTEGRATED PROGRAMMES

Master Of Science

Bachelor Of Science

GROUP-B 

INTEGRATED PROGRAMMES

Master Of Science

BACHELOR

 

 

ARTS

 

COMMERCE

Integrated Programmes

Other Bachelors Programmes at UTU

Bachelor Programmes in Designing

 

 

About UTU

Established under Gujarat Private University(Amendment) Act No. 25 – 2011 Government of Gujarat and approved under section 22 of UGC Act 1956

Location

Uka Tarsadia University Maliba Campus , Gopal Vidyanagar , Bardoli-Mahuva Road , Tarsadi – 394 350. Tal: Mahuva Dist: Surat Gujarat, INDIA

Helplines

6353030096, 6353033853

 

 

March 17, 2019
fee.jpg
1min7640

સૌરાષ્ટ્ર ઝોનની ફી નિર્ધારણ સમિતી દ્વારા વર્ષ ર018-19થી વર્ષ ર019-ર0 માટે રાજકોટ સ્થિત ધોળકીયા ગ્રુપની જુદી જુદી શાળાઓની ફીનું માળખું જાહેર કરાયું હતું, ફી માળખાને જોયા બાદ ધોળકીયા ગ્રુપ ઓફ સ્કુલ્સના સંચાલકોના પગ તળેથી જમીન સરકી જાય તેવી સ્થિતિ સર્જાઇ હતી. ફી નિર્ધારણ પહેલા જ મસમોટી રકમની ફી વસૂલી લેનાર ધોળકીયા ગ્રુપએ તેની તમામ સ્કુલો મળીને કુલ મળીને રૂ.પ કરોડ ર0 વીસ લાખની રકમ રીફંડ વાલીઓને  રિફંડ કરવી પડશે. ફી નિર્ધારણ કમિટીએ ફી રિફંડ અંગેનો આદેશ પણ કરી દીધો હોવાનું જાણવા મળે છે. સૌરાષ્ટ્ર એફઆરસીના સૂત્રોના જણાવ્યા અનુસાર શાળાએ વાલીઓને 400 રૂપિયાથી લઈને 8100 રૂપિયા સુધીનું અને કુલ પ.ર0 કરોડનું રીફંડ ચુકવવું પડશે. આ સાથે સમિતી દ્વારા નક્કી કરાયેલી ફીની પુરતી જાહેરાત કાયદાનુસાર શાળાએ કરવાની રહેશે તથા વાલીઓને ફી નક્કી કર્યાની જાણ કરવાની રહેશે તેમ ફી નિર્ધારણ સમિતીના અધ્યક્ષ દ્વારા તાકીદ કરાઈ છે.

ધોળકીયા ગ્રુપએ ધો. 1ર સાયન્સ અંગ્રેજી અને ગુજરાતી માધ્યમ માટે વિદ્યાર્થી દીઠ વાર્ષિક રૂ. 1.ર3 લાખની ફીની દરખાસ્ત સૌરાષ્ટ્ર એફઆરસી સમક્ષ રજૂ કરી હતી જેની સામે એફઆઇરસી દ્વારા 91 હજાર રૂપિયાની ફી નિર્ધારિત કરી આપવામાં આવી હતી.

રાજકોટમાં મોટું નામ ધરાવતા ધોળકીયા ગ્રુપની શાળાઓનું ફીનું માળખું જાહેર કરાયા બાદ વાલીઓમાં રાહત એટલા માટે થઇ છે કે તેમને ફી નું રિફંડ મળશે અને સંચાલકોએ મોટી નુકસાની વેઠવી પડે તેમ છે. ધોળકીયા ગ્રુપની સ્કુલ્સમાં કે કે ધોળકીયા, એલ જી ધોળકીયા, એસ જી ધોળકીયા, જી કે ધોળકીયા, કે જી ધોળકીયા અંગ્રેજી અને ગુજરાતી માધ્યમની શાળાઓ, સીબીએસઈ બોર્ડ તેમજ ડીવાઈન સ્કૂલનું ફી નિર્ધારણ કરવામાં આવ્યું હતું.

 

March 16, 2019
tejaswi.jpg
1min3410

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

એક આઇડિયા કિસ્મતને બદલી શકવા સમર્થ હોય છે. આ કહેવતના સાક્ષાત્કાર કરાવતી અનેક ઘટનાઓ આપણી આસપાસ બનતી રહે છે. સુરતની બચકાણીવાલા સરદાર સ્કુલની હોનહાર સ્કુલ ગર્લ તેજસ્વી દેસાઇને એક આઇડિયા આવ્યો કે જે રીતે વૃક્ષ હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ લઇને ઓક્સીજન બહાર ફેંકે છે એ જ તર્જ પર કોઇ મશીન કેમ કામ ન કરે. આ આઇડિયાને સાકાર કરવા માટે ફક્ત રૂ.50 જેટલો ખર્ચ થયો, બચકાણીવાલા સ્કુલના પ્રિન્સીપાલ જ્યોતિબેન પરીખની આજ્ઞાથી અને કો-ઓર્ડિનેટર સુનિલ જાધવનું માર્ગદર્શન લઇને તેજસ્વી એ પ્રોજેક્ટને પહેલા સુરત લેવલે થયેલા સાયન્સ ફેરમાં પછી ગુજરાત સાયન્સ ફેરમાં પછી નેશનલ સાયન્સ ફેરમાં રજૂ કર્યો. પ્રોજેક્ટ બધાને ગમ્યો, બધાએ પ્રોજેક્ટને બિરદાવ્યો અને હવે સુરતી ગર્લ તેજસ્વી દેસાઇ જાપાનના ટોકિયો ખાતે 20થી 26 એપ્રિલ 2018ના રોજ યોજાઇ રહેલા ઇન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા જશે. ભારતમાંથી કુલ 850 શાળાઓના પ્રોજેક્ટ રજૂ થયા હતા, ગુજરાતમાંથી સુરતની એચએમ બચકાણીવાળા સરદાર સ્કુલની વિદ્યાર્થિની તેજસ્વી દેસાઇનો એકમાત્ર પ્રોજેક્ટ ઇન્ટરનેશનલ લેવલે જાપાન શકુરા યુથ એક્સચેન્જ માટે શોર્ટ લિસ્ટ થયો છે. આમ, ફક્ત રૂ.50માં સાકાર થયેલો આઇડિયા વર્કિંગ મોડેલ સાથે હવે જાપાનમાં ભારતનું નામ રોશન કરશે.

વૃક્ષ પરથી પ્રેરણા લઇને સુરતી ગર્લ તેજસ્વી દેસાઇએ પ્રોજેક્ટ બનાવ્યો જે હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ શોષી લઇને ઓક્સીજન બહાર તો ફેંકે છે સાથોસાથ વીજળી પણ ઉત્પાદિત કરે છે, આવો પ્રોજેક્ટ અગાઉ કોઇપણ વખત રજૂ થયો નથી

શાળા કક્ષાએ યોજાતા સાયન્સ ફેર (વિજ્ઞાન મેળા કહો કે ગણિત-વિજ્ઞાન પ્રદર્શન કહો) કેટલા બધા ઉપયોગી અને ફળદાયી નિવડે છે એ જાણવું હોય તો આ જીવતી વારતાં વાંચવી પડશે. પાલનપુર પાટીયા ખાતે આવેલી સત્ય સાઇ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત એચ.એમ.બચકાણીવાળા સરદાર ઇંગ્લિશ મિડીયમ સ્કુલમાં હાલ ધો.11 કોમર્સમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની તેજસ્વી નિરવ દેસાઇને ગત વર્ષે ધો.10માં હતી ત્યારે સુરત શહેર જિલ્લા કક્ષાએ યોજાયેલા વિજ્ઞાન મેળામાં શાળા તરફથી એક પ્રોજેક્ટ રજૂ કરવાનો હતો. કોઇ ચોપડીમાં નથી કે ગુગલ પર પણ નહીં મળે તેવો આઇડિયા તેજસ્વી દેસાઇના મનમાં અંકુરીત થયો. આઇડીયા એ હતો કે ઝાડ હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ શોષીને ઓક્સીજન બહાર ફેંકે છે તેના જેવું કોઇ યંત્ર, મશીન કેમ ન વિકસાવી શકાય. બસ આ આઇડિયા તેણે આચાર્યા જ્યોતિબન પરીખને કહ્યો. જ્યોતિબેન પરીખે શાળાના કો-્ઓર્ડિનેટર સુનિલ જાધવને તેજસ્વી દેસાઇને માર્ગદર્શિત કરવા જણાવ્યું. શિક્ષક અને વિદ્યાર્થિનીએ પ્રોજેક્ટ પર કામ કરવા માંડ્યું અને શાળાની લેબોરેટરીમાં પ્રોજેક્ટ વિકસાવવા માંડ્યો. કેમકે આ પ્રોજેક્ટ અગાઉ ક્યાંયે કોઇ રીતે રજૂ થયો ન હોઇ, બધું જ કામ જાતે કરવું પડ્યું.

શિક્ષક સુનિલ જાધવ અને વિદ્યાર્થિની તેજસ્વી દેસાઇએ સાયન્સના પ્રયોગોને આધાર બનાવતા બે બિકર લીધા એક બિકરમાં સાંદ્ર મીઠું અને બીજા બિકરમાં ધોવાનો સોડા પ્રમાણસર રાખ્યો. બન્ને બિકર વચ્ચે ટીશ્યુ પેપર સોલ્ટ બ્રિજ બનાવ્યો, પહેલા બિકરમાં ગ્રેફાઇડ કેથોડે અને બીજા બિકરમાં એનાર્ડેનોની મદદથી બન્ને વચ્ચે વાયર જોડી તેના પર મલ્ટીમીટર ફીટ કર્યું. પ્રોજેક્ટ હતો હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ શોષી લઇને ઓક્સીજનને હવામાં છોડવો. આ પ્રોજેક્ટ તો સાકાર થયો પણ સાથોસાથ એક નવીન શોધ એ પણ થઇ કે તેમાંથી તેઓ એનર્જી જનરેશનનો બિલકુલ તરોતાજા પાઠ શીખ્યા. બસ પછી પૂછવું જ શું.

તેજસ્વી દેસાઇ તા.20થી 26 એપ્રિલ 2019ના રોજ જાપાનના ટોકીયો ખાતે શકુરા યુથ એક્સચેન્જ અન્વયે યોજાઇ રહેલા ઇન્ટરનેશનલ સાયન્સ ફેર 2019માં ભારત તરફથી પોતાનો પ્રોજેક્ટ રજૂ કરશે

બિલકુલ ફ્રેશ પ્રોજેક્ટ સુરતમાં રજૂ થયો, સુરતમાં પહેલો નંબર, સ્ટેટ લેવલ પર રજૂ થયો ત્યાં પણ પહેલો નંબર પછી નવી દિલ્હી આઇ.આઇ.ટી. ખાતે યોજાયેલા નેશનલ સાયન્સ ફેર 2019માં રજૂ થયો. ત્યાંનું રિઝલ્ટ આવવાનું બાકી છે પરંતુ, જ્યુરીએ દેશભરમાંથી આવેલા 850 પ્રોજેક્ટમાંથી કુલ 42 પ્રોજેક્ટ પસંદ કર્યા તેમાં સુરતની એચએમબી સરદાર ઇંગ્લિશ હાઇસ્કુલની તેજસ્વી દેસાઇનો પ્રોજેક્ટ હતો. આ પ્રોજેક્ટને જાપાન ખાતે આગામી તા.20થી 26 એપ્રિલ 2019ના રોજ યોજાનાર શકુરા યુથ એક્સચેન્જ અન્વયેના ઇન્ટરનેશનલ સાયન્સ ફેરમાં ભારત તરફથી પ્રતિનિધિત્વ કરવા માટે પરવાનગી મળી ગઇ. કુલ 41 દેશોના બાળ વિજ્ઞાનીઓ જાપાન ખાતે આયોજિત સાયન્સ ફેરમાં પોતાના પ્રોજેક્ટસ રજૂ કરશે.

જાપાનના ટોકીયો શહેર ખાતે આયોજિત શકુરા યુથ એક્સચેન્જ અન્વયે પસંદગી પામેલા બાળ વૈજ્ઞાનિકોના પ્રોજેક્ટસમાં ગુજરાત તરફથી સુરતની એચએમબી સ્કુલની તેજસ્વી દેસાઇ એકમાત્ર છે.

સી.આઇ.એ. લાઇવ સાથે વાતચીત દરમિયાન તેજસ્વી દેસાઇએ અને તેના માર્ગદર્શક સુનિલ જાધવે કહ્યું કે આ બિલકુલ ઓરિજિનલી અમારો પ્રોજેક્ટ છે. વિશ્વમાં અગાઉ ક્યારેય આવી શોધ થઇ નથી. આજે વાતાવરણમાં ભારે માત્રામાં કાર્બન ડાયોક્સાઇડ ભળીને વાતાવરણ પ્રદૂષિત થઇ રહ્યું છે તેવા સંજોગોમાં આ બેટરી ટાઇપ પ્રોજેક્ટ એવો છે કે જે હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ દૂર કરીને ઓક્સીજન તો ભેળવે જ છે સાથોસાથ વીજળી પણ પેદા કરી શકે છે. એટલા આ પ્રોજેક્ટને જ્યાં રજૂ કરીએ છીએ ત્યાં સ્વીકૃતિ મળી રહી છે.

તેજસ્વી દેસાઇએ કહ્યું કે લાંબા ગાળે આ પ્રોજેક્ટ વાહનોની બેટરીમાં તેમજ પર્યાવરણના પ્રોજેક્ટમાં સાકાર કરી શકાય તેમ છે. હાલ તો આ પ્રોજેક્ટ માટે તમામ ચીજવસ્તુઓ મળીને ફક્ત રૂ.50નો ખર્ચ થયો છે, આટલા ખર્ચમાં આ પ્રોજેક્ટ છેક ઇન્ટરનેશનલ સાયન્સ ફેર સુધી પહોંચી ગયો છે.

March 15, 2019
mehul_modi.jpg
1min18030

ભલે નરેન્દ્ર મોદી પાસે પી.એચડી.ની ડિગ્રી નહીં હોય પરંતુ, તેમની કામગીરી પર રિસર્ચ કરનાર સુરતના યુવાન વકીલ મેહુલ ચોક્સીએ તૈયાર કરેલા મહાનિબંધને સ્વીકારીને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ શિક્ષણ જગતની સર્વોચ્ચ ડિગ્રી પી.એચડી. એનાયત કરી છે. વિશ્વમાં પહેલી વખત બનેલી ઘટનામાં શ્રી નરેન્દ્ર મોદીની કાર્યપ્રણાલિ પર પી.એચડી.ની ડિગ્રી એનાયત થઇ હોય.

નરેન્દ્ર મોદી પર પી.એચડી. કરનાર મેહુલભાઇ ચોક્સીએ સી.આઇ.એ.લાઇવ સાથે મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે તેમણે તા.19મી એપ્રિલ 2010ના રોજ તેમના પી.એચડી. પર સંશોધન કાર્ય શરૂ કર્યું હતું. યુનિ.ના એમ.પી.એ. ડિપાર્ટમેન્ટના એસોસીએટ પ્રોફેસર શ્રી ડો.નિલેશ જોશી તેમના પી.એચડી.ગાઇડ હતા. તેમણે સરકારી સિસ્ટમમાં પોલિટીકલ લિડરની ભૂમિકા, યોજનાઓનું અમલીકરણ, ખાનગી લોકો સાથે લોકભાગીદારી વગેરે જેવા મુદ્દાઓને સાંકળી લઇને થીસીસ તૈયાર કરી હતી.

(નરેન્દ્ર મોદીના ગવર્નન્સ પર વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ પી.એચડી.ની ડિગ્રી એનાયત કરી છે)

સુરતના યુવાન ધારાશાસ્ત્રી મેહુલ ચોકસીએ જ્યારે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં તેમનું પી.એચડી. શરૂ કર્યું હતું ત્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી પદે હતા. જ્યારે તેમનું પી.એચડી. પૂરું થયું એટલે કે પી.એચડી. નોટિફિકેશન વીર નર્મદ યુનિવર્સિટીએ ઇશ્યું કર્યું ત્યારે એ તારીખ 13મી માર્ચ 2019ના રોજ નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન પદે બિરાજી રહ્યા છે.

March 10, 2019
CIA_Live_Logo_New2.jpg
1min22520

ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો માટે ચૂંટણીની તારીખ 23મી એપ્રિલ જાહેર કરવામાં આવી છે. હકીકતમાં આ જ દિવસે એટલે કે તા.23મી એપ્રિલ 2019ના રોજ ધો.12 સાયન્સના વિદ્યાર્થીઓ માટેની ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ગુજકેટ 2019 લેવાની ઘોષણા કરવામાં આવી છે અને તેના ફોર્મ પણ ભરાઇ ચૂક્યા છે.

અત્રે એ ખાસ ઉલ્લેખનીય છે કે અગાઉ ગુજરાત ઉ.મા. શિક્ષણ બોર્ડ દ્વારા 3 વખત ગુજકેટ 2019ની તારીખો બદલવામાં આવી છે હવે લોકસભાની ચૂંટણીને પગલે ચોથી વખત તારીખ બદલવાની નોબત આવીને ઉભી છે.

તા.10મી માર્ચ 2019ના રોજ દેશના ચૂંટણી પંચે ઇલેકશનની તારીખો જાહેર કરી દીધી છે, હવે મતદાનની તારીખમાં ફેરફાર થાય તેવી કોઇ શક્યતા નથી. પરીણામે ગુજરાત બોર્ડે જ ગુજકેટ 2019ની પરીક્ષાની તારીખ બદલવાની ઘોષણા ટૂંક સમયમાં જ કરવી પડે તેવી નોબત હાલ તુરત તો જણાય રહી છે.

We already Reported this

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના અધિકારીઓ ઓફિસમાં બેઠાબેઠા રાજ્યવ્યાપી પરીક્ષાઓના સમયપત્રક વગર વિચાર્યે જાહેર કરી દે છે અને પછી તેની તારીખો બદલવાની ફરજ પડે છે.

ગુજકેટની પરીક્ષા અગાઉ તા.30મી માર્ચે લેવાની જાહેરાત કરવામાં આવી હતી. એ પછી તારીખ બદલીને 4 એપ્રિલ 2019 કરવામાં આવી. હવે ફરીથી બોર્ડને એવી માહિતી મળી કે સીબીએસઇ તેમજ અન્ય રાજ્યની પરીક્ષાઓ 4 તારીખે યોજાતી હોઇ, ગુજરાત બોર્ડના અધિકારીઓએ હવે ફરીથી ગુજકેટની પરીક્ષાની તારીખ બદલવી પડી છે. હવે નવી તારીખ મુજબ 23મી એપ્રિલ 2019ના રોજ યોજવાની જાહેરાત કરવામાં આવી છે.

March 7, 2019
gseb-1280x720.jpg
1min18660

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની આજે તા.7મી માર્ચ 2019થી શરૂ થયેલી રાજ્યવ્યાપી પરીક્ષામાં ઉડીને આંખે વળગે એવી વાત એ હતી કે ધો.10 હોય કે ધો.12 સાયન્સ અને કોમર્સ હોય તમામ પ્રશ્નપત્રોના 90 ટકાથી વધુ સવાલો ફક્તને ફક્ત પાઠ્ય ક્રમ અને પાઠ્ય પુસ્તકમાંથી જ પૂછવામાં આવ્યા હતા. ધો.12 કોમર્સના અકાઉન્ટન્સી ના પેપરમાં તો દાખલાઓમાં રકમ પણ એ જ પૂછાઇ હતી કે જે પાઠ્ય પુસ્તકમાં છે. ફક્ત નામ બદલીને દાખલાઓ સીધા જ પાઠય પુસ્તકમાંથી પૂછવામાં આવ્યા હતા. આવો જાણીએ તમામ પ્રશ્નપત્રના રિવ્યુ.

Paper Review HSC ફિઝિક્સ

બપોરના સેશનમાં વિજ્ઞાન પ્રવાહમાં આજે પહેલી જ પરીક્ષા ફિઝિક્સ (ભૌતિકશાસ્ત્ર) વિષયની હતી. પરીક્ષા પૂરી થયા બાદ શહેરની આશાદીપ વિદ્યાલયના શિક્ષક શ્રી મહેશભાઇ શ્યાનીએ આપેલી માહિતી મુજબ ફિઝિક્સનું પેપર પ્રમાણમાં સરળ રહ્યું હતું. ત્રણમાંથી એક મુખ્ય વિષયની અને એ પણ પહેલી પરીક્ષા સરળ અને સારી રીતે પસાર થતા વિદ્યાર્થીઓને મોટી રાહત થઇ છે.

ભૂલકા વિહાર સ્કુલના આચાર્યા શ્રીમતી મીતાબેન વકીલે તેમના શિક્ષકો, વિદ્યાર્થીઓ પાસેથી લીધેલા રિવ્યુ બાદ જણાવ્યું કે 90 ટકાથી વધુ પ્રશ્નો પાઠ્ય પુસ્તકોમાંથી જ પૂછાયા હતા. એમસીક્યુના સવાલો પણ પાઠ્ય પુસ્તકની પાછળ આપેલા સવાલોમાંથી જ પૂછાયા હતા. ફિઝિક્સના દાખલાઓ પણ પાઠ્ય પુસ્તકમાંથી જ પૂછાયા હતા. સરવાળે એકદમ સરળ પેપર રહ્યાનું તેમણે જણાવ્યું હતું.

Paper Review HSC અકાઉન્ટન્સી

ધો.12 કોમર્સમાં આજે અકાઉન્ટન્સી વિષયનું પ્રશ્નપત્ર અગાઉના તમામ વર્ષો કરતા સરળ રહ્યાના રિવ્યુ સી.આઇ.એ. લાઇવને મળ્યા હતા. વિદ્યાર્થીઓએ પેપર અંગે ત્યાં સુધી કહ્યું કે મોટા ભાગના દાખલાઓ પાઠ્ય પુસ્તકમાંથી જ પૂછવામાં આવ્યા છે અને કેટલાક દાખલાઓમાં તો રકમ પણ પાઠ્ય પુસ્તકમાં જે છે એ જ રાખીને ફક્ત નામો બદલીને દાખલા પૂછવામાં આવ્યા હતા. જેમણે અકાઉન્ટન્સી વિષયના પાઠ્ય પુસ્તકને જકડીને તૈયારી કરી હશે તેમના માટે આજે 100માંથી 96-98 માર્કસ લાવવા સરળ બની રહેશે.

Paper Review SSC એનસીઇઆરટી બેઝ્ડ

આજે એનસીઇઆરટી બેઝ્ડ પાઠ્યક્રમ સાથે ધો.9 અને ધો.10 અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ માટે ઇંગ્લિશ ફર્સ્ટ લેંગ્વેજનું પ્રશ્નપત્ર હતું. વિદ્યાર્થીઓ તેમજ બોર્ડ બન્ને માટે આ પહેલી વખતની પરીક્ષા હતી. એનસીઇઆરટી આધારિત સિલેબસની પૂર્વતૈયારી રૂપે વિદ્યાર્થીઓને જે પ્રકારે પેપરનું માળખું આપવામાં આવ્યું હતું તે જ પ્રમાણે પ્રશ્નપત્ર આવતાં પરીક્ષાર્થીઓ ખુશખુશાલ જણાયા હતા.

Paper Review SSC

પ્રશ્નપત્ર પૂર્ણ થયા બાદ વિવિધ પરીક્ષા કેન્દ્રો પર સી.આઇ.એ. લાઇવ ટીમે પરીક્ષાર્થીઓ તેમજ પરીક્ષા બાદ ગુજરાતી વિષય શિક્ષકોને પૂછીને પ્રશ્નપત્ર અંગે રિવ્યુ લીધા હતા. જેમાં તારણ એ આવ્યું કે પહેલું પેપર ગુજરાતી વિષયનું બહું જ સહેલું હતું. વિદ્યાર્થીઓને કોઇ ખાસ મુશ્કેલી ન થાય તેટલું સરળ પેપર રહેતા ધો.10ના વિદ્યાર્થીઓ હસતા મોઢે આજે પહેલા દિવસની પરીક્ષાના અંતે બહાર આવ્યા હતા.

ભૂલકાભવન પ્રાથમિક વિભાગના આચાર્યા શ્રીમતી સોનલબેન દેસાઇએ સી.આઇ.એ.ને ગુજરાતી વિષયના પ્રશ્નપત્ર અંગે જણાવ્યું હતું કે સમગ્ર પ્રશ્નપત્ર પાઠ્ય પુસ્તક આધારિત હતું. એ ત્યાં સુધી કે ગુજરાતી વિષયના પેપરમાં પૂછાયેલા નિબંધ પણ પાઠ્ય પુસ્તકમાં નિર્દેશિત વિષયમાંથી જ પૂછવામાં આવ્યા હતા. સોનલબેને કહ્યું કે ગુજરાતી વિષયની તૈયારી જે વિદ્યાર્થીઓએ પાઠ્ય પુસ્તકના આધારે કરી હશે એ વિદ્યાર્થીઓને આજનું પેપર સાવ સરળ ઉપરાંત સ્કોરિંગ લાગ્યું હશે.

વધુમાં આજે સુરત શહેરના પરીક્ષા કેન્દ્રો પર અંદાજે 800 જેટલા વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.

 

March 6, 2019
gseb-1280x720.jpg
1min6570

  • વિદ્યાર્થીને મુશ્કેલી ન પડે તે માટે તંત્ર દ્વારા તૈયારીને આખરી ઓપ, ચુસ્ત બંદોબસ્ત ગોઠવાશે
  • ધો. 10 અને 12 ની પરીક્ષામાં આ વર્ષે રેકોર્ડ બ્રેક 18.50 લાખ વિદ્યાર્થીઓ નોંધાયા
  • 2018 માં 17.14 લાખ વિદ્યાર્થીઓ હતા
  • આ વખતે વિદ્યાર્થીની સંખ્યા 1.36 લાખનો જંગી વધારો
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 7 માર્ચથી લેવામાં આવનારી ધોરણ 10 અને 12 ની પરીક્ષામાં આ વર્ષે રેકોર્ડ બ્રેક 18.50 લાખ વિદ્યાર્થીઓ નોંધાયા છે. ગત વર્ષે બોર્ડની પરીક્ષામાં 17.14 લાખ વિદ્યાર્થીઓ હતા. આમ, ગત વર્ષ કરતા આ વખતે વિદ્યાર્થીની સંખ્યા 1.36 લાખનો જંગી વધારો થયો છે. આ વખતે ધોરણ-10 અને ધોરણ-12 સામાન્ય પ્રવાહ અને ધોરણ-12 સાયન્સ એમ ત્રણેયમાં વિદ્યાર્થીની સંખ્યા વધી છે. ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં તો વિદ્યાર્થીની સંખ્યામાં 50 હજાર કરતા વધુનો વધારો થયો છે.
  • ધોરણ 10ની પરીક્ષા 11,59,762 વિદ્યાર્થીઓ
  • ધોરણ 10ના વિદ્યાર્થીની સંખ્યામાં 56,088નો વધારો
  • 7.05,465 વિદ્યાર્થીઓ અને 4,54,297 વિદ્યાર્થીનીઓ પરીક્ષા આપશે
  • 6,222 જેટલા ડિસેબલ વિદ્યાર્થીઓ
  • ચાલુ વર્ષે 12,694 વિદ્યાર્થી એનસીઇઆરટી આધારિત ધોરણ 10ની પરીક્ષા આપશે
રાજ્યભરમાંથી 11,59,762 વિદ્યાર્થીઓ ધોરણ 10ની પરીક્ષા આપશે જેમાં 7.05,465 વિદ્યાર્થીઓ અને 4,54,297 વિદ્યાર્થીનીઓ પરીક્ષા આપશે. આ વિદ્યાર્થીઓમાં 6,222 જેટલા ડિસેબલ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.  ધોરણ 10માં ગુજરાત બોર્ડ દ્વારા એનસીઇઆરટી આધારિત અભ્યાસક્રમનો પાયલોટ પ્રોજેક્ટ દાખલ કરી તેના આધારે પરીક્ષા લેવા માટેની વ્યવસ્થા કરી હતી.  જેમાં ચાલુ વર્ષે 12,694 વિદ્યાર્થી એનસીઇઆરટી આધારિત ધોરણ 10ની પરીક્ષા આપશે જેમાં 12,263 રેગ્યુલર વિદ્યાર્થી અને 431 રિપિટર વિદ્યાર્થીનો સમાવેશ તાય છે.
  • ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના કુલ 1,41,302 વિદ્યાર્થીઓ
  • વિજ્ઞાનપ્રવાહના વિદ્યાર્થીની સંખ્યામાં 12,631નો વધારો
  • ગ્રુપ-એ (ગણિત)માં 57,511 વિદ્યાર્થીઓ
  • ગ્રુપ-બી (જીવવિજ્ઞાન)માં 89,760 વિદ્યાર્થીઓ
  • સેમેસ્ટર સિસ્ટમના રિપીટર વિદ્યાર્થીની સંખ્યા 10,302
રાજ્યભરમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના કુલ 1,41,302 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જેમાં ગ્રુપ-એ (ગણિત)માં 57,511 વિદ્યાર્થીઓની નોંધણી થઇ છે. જ્યારે ગ્રુપ-બી (જીવવિજ્ઞાન)માં 89,760 વિદ્યાર્થીઓની નોંધણી થઇ છે. આ ઉપરાંત ગ્રુપ એબી (ગણિત-જીવવિજ્ઞાન)માં 31 વિદ્યીર્થીઓની નોંધણી થઇ છે. આ ઉપરાંત ચાલુ વર્ષે ધોરણ 12 વિજ્ઞાનપ્રવાહમાં સેમેસ્ટર સિસ્ટમના રિપીટર વિદ્યાર્થીની સંખ્યા 10,302 છે.
  • સામાન્ય પ્રવાહમાં રાજ્યભરમાંથી કુલ 5,33,626 વિદ્યાર્થી
  • 3,59,375 નિયમિત, 95,075 રીપીટર, 7335 આઇસોલેટેડ વિદ્યાર્થીઓની નોંધણી
  • ખાનગી નિયમિત 40,960 અને ખાનગી રીપીટર 30,881 વિદ્યાર્થીઓ
  • સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીની સંખ્યામાં 56,992નો વધારો
ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં રાજ્યભરમાંથી કુલ 5,33,626 વિદ્યાર્થી પરીક્ષા આપશે. જેમાં 3,59,375 નિયમિત, 95,075 રીપીટર, 7335 આઇસોલેટેડ વિદ્યાર્થીઓની નોંધણી થઇ છે. જ્યારે ખાનગી નિયમિત 40,960 અને ખાનગી રીપીટર 30,881 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યભરમાંથી ધોરણ 10ની પરીક્ષા માટે 11,59,762 વિદ્યાર્થીઓ નોંધાયા છે, ગત વર્ષે બોર્ડની ધોરણ 10ની પરીક્ષામાં 11,03,674 વિદ્યાર્થી નોંધાય હતા. આમ ગત વર્ષ કરતા ધોરણ 10ના વિદ્યાર્થીની સંખ્યામાં 56,088નો વધારો થયો છે. એવી જ રીતે ધોરણ 12 વિજ્ઞાનપ્રવાહના કુલ 1,47,302 વિદ્યાર્થી નોંધાયા છે જેની સામે ગત વર્ષે 1,34,671 વિદ્યાર્થીઓ નોંધાયા હતા
આમ ગત વર્ષ કરતા ધોરણ 12 વિજ્ઞાનપ્રવાહના વિદ્યાર્થીની સંખ્યામાં 12,631નો વધારો થયો છે. ત્યારે ધોરણ 12 સામાન્ય પ્રાહના કુલ 5,33,626 વિદ્યાર્થીઓની સામે ગત વર્ષે 4,76,634 વિદ્યાર્થી નોંધાયા હતા. આમ ગત વર્ષ કરતા ધોરણ 12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીની સંખ્યામાં 56,992નો વધારો થયો છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાને લઇને પૂર્વ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. પરીક્ષા સારા વાતવરણમાં પૂર્ણ થાય તે માટે શિક્ષણ બોર્ડ અને જિલ્લા વહીવાટી તંત્ર દ્વારા પૂર્વ કામગીરી કરવામાં આવી છે. વિદ્યાર્થીઓને કોઇપણ જાતની તકલીફ ન પડે તે પ્રકારની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી છે.  આ સાતે તમામ પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવી મુકવામાં આવ્યાછે. ઝોનલરૂમને પમ સીસીટીવી ની નજર હેઠળ રાખવામાં આવ્યા છે.
સંવેદનશીલ પરીક્ષા મથક પર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. વહીવટી તંત્ર દ્વારા 144મી કલમ લાગુ કરી દેવામાં આવી છે. શાળાઓની આજુબાજુના ઝેરોક્ષ મશીન પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. નિયમનું પાલન ન કરનાર પર તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.