શિક્ષણ સર્વદા Archives - Page 32 of 53 - CIA Live

September 10, 2019
MBBS-BDS.jpg
2min6030

તબીબી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઇચ્છતા એમબીબીએસના છાત્રોમાં પ્રોફેશનલિઝમ અને સિદ્ધાંતો અંગેની ઉંડાણપૂર્વકની સમજ કેળવાય તેમજ એક તબીબ તરીકે સમાજ પ્રત્યે તેમનું ઉત્તરદાયિત્વ કેવી રીતે અદા કરી શકાય એ માટે મેડીકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ આજે એક મહિનાનો ફાઉન્ડેશન કોર્સ લોંચ કર્યો છે. MBBSમાં અભ્યાસ કરતા દરેક વિદ્યાર્થીઓ માટે આ કોર્સ ફરજિયાત બનાવવામાં આવ્યો છે.

નીતિ આયોગના સભ્ય અને એમ.સી.આઇ.ના ચેરમેન વીકે પૉલ એ જણાવ્યું હતું કે….

As part of the Professionalism and Ethics module, students will also learn about disability rights, disability etiquettes while addressing patients with disabilities along with medical and social models of disability. Professional attributes such as accountability, altruism, empathy, compassion and humanism will be extensively discussed.

To orient the students to the care delivery system, field visits to community and primary health centres along with interactions with health care workers, patients and their families have also been incorporated in the course. A module on sports and extracurricular activities has been integrated, with 4 and 2 hours per week allocated for sports and extracurricular activities, respectively, to make the students understand the work-life balance.

એમબીબીએસના અભ્યાસક્રમમાં સુધારણાના ભાગરૂપે જ દેશમાં એમબીબીએસ કોર્સમાં જોડાયેલા તમામ વિદ્યાર્થીઓ માટે આ કોર્સ ફરજિયાત બનાવવામાં આવ્યો છે અને ચાલુ વર્ષથી જ તેનો અમલ કરવામાં આવશે.

તબીબી જગતમાં કાર્યરત વ્યવસાયિકો માટે જરૂરી છે કે તેઓ જ્યાં જે વિસ્તારમાં હોય ત્યાં એ વિસ્તારની સ્થાનિક ભાષાની જાણકારી આવશ્યક છે અને એના વગર અસરકારક રીતે સારવાર, નિદાન સંભવ નથી. એટલા માટે જ ફાઉન્ડેશન કોર્સમાં લોકલ લેંગ્વેજને શીખવા પર ભાર મૂકવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ એમ.બી.બી.એસ. અભ્યાસ માટે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જાય છે અને ત્યાં તેમની માતૃભાષાથી અલગ ભાષા બોલાતી હોય છે, આવા વિદ્યાર્થીઓને લોકલ ભાષા શીખવાડવામાં આવશે.

September 9, 2019
icai_logo.jpeg
1min5000

ઇન્સ્ટીટ્યૂટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટસ ઓફ ઇન્ડિયા દ્વારા આગામી નવેમ્બર 2019માં લેવામાં આવનારી તમામ પરીક્ષાઓની તારીખોનું એલાન કરી દેવામાં આવ્યું છે. જે નીચે મુજબ છે.

September 3, 2019
jee_main.png
1min17630

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ધો.12 સાયન્સ મેથેમેટિક્સ ગ્રુપમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ માટે ખાસ નોંધવા જેવા સમાચાર એ છે કે તા. 2 સપ્ટેમ્બર 2019થી જેનું રજિસ્ટ્રેશન થયું છે એ આઇ.આઇ.ટી., એન.આઇ.ટી. ત્રિપલ આઇ.ટી. જેવી સંસ્થાઓમાં પ્રવેશ માટે એન્ટ્રીલેવલ ટેસ્ટ જેઇઇ મેઇન્સ ની પરીક્ષા પેટર્ન બદલવામાં આવી છે.

અત્યાર સુધી 360 માર્કસની લેવાતી જેઇઇ મેઇન્સ જાન્યુઆરી 2020 થી 300 માર્કસની લેવામાં આવશે.

ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી ત્રણેયમાં કુલ 25-25-25 સવાલો હશે. 20 સવાલો એમસીક્યુ બેઝ્ડ હશે, આ સવાલોના પ્રત્યેક સાચા જવાબના કુલ 4 ગુણ અને ખોટા જવાબોના માઇનસ એક ગુણ જ્યારે જવાબ નહીં લખનારને ઝીરો માર્કસ મળશે. 5 સવાલોના ન્યુમેરિકલ જવાબો હશે. ન્યુમેરિકલ જવાબો ધરાવતા સવાલોમાં નેગેટિવ માર્કિંગનો નિયમ લાગુ પડશે નહીં.

જેઇઇ મેઇન્સ 2020થી પરીક્ષા પદ્ધતિમાં જે ફેરફારો આવ્યા પછીની પેટર્ન માટે આ વાંચો

જેઇઇ મેઇન્સ પરીક્ષામાં જાન્યુઆરી 2020થી થઇ રહેલા ફેરફારો અંગે સુરત સમેત ગુજરાતની મોટા ભાગની સાયન્સ સ્કુલો અને તેમાં જેઇઇ ભણાવી રહેલા શિક્ષકો તેમજ ધંધાદારી કોચિંગ ક્લાસીસોના સંચાલકો અજાણ છે, આ સમાચાર શક્ય હોય તેટલા ધો.12 સાયન્સના વિદ્યાર્થીઓ સુધી પહોંચતા કરવા જરૂરી છે.

September 3, 2019
gujrat-012.jpg
1min4640

ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની સંકલન સભા રવિવારે મળી હતી, જેમાં ‘કાયઝાલા’ એપ્લિકેશનનો બહિષ્કાર કરવાનો નિર્ણય લેવાયો હતો. ઉપરાંત, બૂથ લેવલ ઓફિસર (BLO)ની કામગીરી માટે પણ શિક્ષકોએ પોતાના મોબાઈલ ફોનમાં એપ ડાઉનલોડ ન કરવી તેવું એલાન અપાયું હતું.

હાલમાં જે શિક્ષકોએ ‘કાયઝાલા’ એપ ડાઉનલોડ કરી છે તે તથા BLO માટેની એપ પણ અનઈન્સ્ટોલ કરવા માટે સૂચના અપાઈ છે. છેલ્લા કેટલાક સમયથી એપને લઈને ચાલતા વિવાદમાં રવિવારની બેઠક બાદ પૂર્ણવિરામ મૂકાયું છે. 

રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શિક્ષકોની હાજરી સહિતની બાબતો માટે કાયઝાલા એપ પાંચ સપ્ટેમ્બરથી અમલમાં મૂકવાની જાહેરાત બાદ વિવાદનો મધપૂડો છંછેડાયો હતો. જેમાં રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ સાથે સંકળાયેલા અઢી લાખ જેટલા શિક્ષકોએ વિરોધ વ્યક્ત કર્યો હતો.

આ એપને લઈને લાંબા સમયથી વિવાદ ચાલતો હતો. જેના પગલે શિક્ષક સંઘે રવિવારે સંકલન સભા યોજવાનું નક્કી કર્યું હતું અને તેમાં આ અંગે નિર્ણય લેવાશે તેવી જાહેરાત કરી હતી. 

August 29, 2019
shagun.jpg
1min11690

શાળાના શિક્ષણને લગતી બધી માહિતી આપતું અને દેશની ૧૫ લાખ શાળાને જોડતા શાળાના શિક્ષણ માટેના પોર્ટલ ‘શગુન’નું કેન્દ્રીય એચઆરડી પ્રધાન રમેશ પોખરીયાલ નિશાંકે બુધવારે ઉદ્ઘાટન કર્યું હતું. બધી શાળાઓને જીઓ ટેગ કરવામાં આવી છે અને એમણે આપેલી બધી જ માહિતી આ પોર્ટલ દ્વારા જાણી શકાશે. 

August 28, 2019
CIA_Live_Logo_New2.jpg
1min16490

સુરતની શાળાઓમાં કરવામાં આવેલા અને આવી રહેલા ધરખમ ફી વધારા સામે તેમજ સરકાર નિયુક્ત ફી રેગ્યુલેટરી કમિટીની કહેવાતી વિવાદીત કામગીરી સામે આ વર્ષે નવા ઉભા થયેલા વાલીમંડળના સભ્યોએ આજે તા.28મી ઓગસ્ટ 2019ના રોજ એફઆરસી જ્યાં બેસીને કામ કરે છે એ ગાંધી એન્જિનિયરિંગ કોલેજના કેમ્પસમાં ધરણા શરૂ કર્યા છે.

સુરત અને દક્ષિણ ગુજરાતની શાળાઓમાં ફી નિર્ધારણ માટે રચાયેલી સરકાર નિયુક્ત કમિટી સામે આજરોજ તા.28મી ઓગસ્ટ 2019ના રોજ સુરતની ગાંધી એન્જિનિયરિંગ કોલેજમાં ધરણે બેઠેલા વાલીઓની એક તસ્વીર ગણીને 20 વાલીઓ આખા શહેરના વાલીઓના હિતમાં ધરણે બેઠા દ્રશ્યમાન છે.

ફી વધારા સામેનું આંદોલન બહુમતિ વાલીઓનું હિત જોઇને શરૂ કરવામાં આવ્યું છે પરંતુ, કહેવાદો કે ગણીને 15 વાલીઓ ફી વધારા સામેના ધરણે બેઠા છે. વાલી મંડલના જે સભ્યો ફી વધારે બેઠા છે એ બધા જ આગેવાનો જણાય રહ્યા છે. સુરત શહેરમાં કમસે કમ 10 લાખ વાલીઓ એવા છે જેઓ કોઇકને કોઇક રીતે ફી વધારાથી પીડાઇ રહ્યા છે. પરંતુ, વાલીઓને ફી વધારા સામેના આંદોલનમાં રસ હોય તેવું આજના ધરણા પરથી જણાતું નથી. 15-20 વાલીઓના વિરોધને કારણે સરકાર પણ આંદોલનકારીવાલીઓને કોઇ ભાવ નથી આપી રહી.

ફી વધારા સામે ધરણે બેઠેલા વાલીઓની અન્ય તસ્વીર

શહેરના વાલીમંડળના આજના ધરણામાં ઉડીને આંખે વળગે એવી વાત એ પણ હતી કે ખુદ ભાજપા સરકારે જેમની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં સરકાર નિયુક્ત સેનેટ મેમ્બર તરીકે વરણી કરી છે એ કિરણ ઘોઘારી પણ સરકારી સામે પડ્યા છે અને તેમની ધરણામાં હાજરીની નોંધ પણ લીધી છે.

August 24, 2019
neet.jpeg
1min10860

MBBS ‌‌અને BDSમાં પ્રવેશ માટે લેવાતી NEETની પરીક્ષા ૩ મે, ૨૦૨૦ના રોજ લેવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા આ પરીક્ષા લેવામાં આવશે. જેના માટે વિદ્યાર્થીઓ ૨ ડિસેમ્બરથી ઓનલાઈન ફોર્મ ભરી શકશે.

ફોર્મ ભરવા માટે ૩૧ ડિસેમ્બર સુધીની મુદ્દત નક્કી કરાઈ છે અને ત્યારબાદ ૨૭ માર્ચના રોજ પરીક્ષા માટેના એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકાશે. પરીક્ષા પૂર્ણ થયા બાદ ૪ જૂનના રોજ NEETનું પરિણામ જાહેર કરાશે. 

નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET) અંતર્ગત એમબીબીએસ અને બીડીએસ અભ્યાસક્રમમાં પ્રવેશ માટે લેવાનારી પ્રવેશ પરીક્ષાની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. આ પરીક્ષા ૩ મે, ૨૦૨૦ના રોજ લેવામાં આવશે. પ્રવેશ પરીક્ષા માટે ૨ ડિસેમ્બરથી ફોર્મ ભરવાની કાર્યવાહીનો પ્રારંભ થશે.

ઓનલાઈન ફોર્મ ભરવાની અંતિમ તારીખ ૩૧ ડિસેમ્બર રાખવામાં આવી છે. જે ઉમેદવારો પરીક્ષામાં ઉપસ્થિત રહેવા માંગતા હોય તેઓ NEETની વેબસાઈટ પર જઈને ફોર્મ ભરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. NEETની પરીક્ષા માટે જે ઉમેદવારોએ ધોરણ-૧૨ની પરીક્ષા પાસ કરી લીધી છે તેઓ જ ફોર્મ ભરી શકશે. NEET માટે જાહેર કરાયેલાં નોટિફિકેશન મુજબ આ પરીક્ષા ઓફલાઈન મોડમાં લેવામાં આવશે. ઓફલાઈન એટલે કે પેન-પેપર પરીક્ષા માટેના એડમિટ કાર્ડ ૨૭ માર્ચથી ડાઉનલોડ કરી શકાશે. આ પરીક્ષાનું પરિણામ ૪ જૂન, ૨૦૨૦ના રોજ જાહેર કરવામાં આવશે. 

NEETની પરીક્ષામાં બાયોલોજી, ફિઝિક્સ અને કેમેસ્ટ્રી વિષયમાંથી પ્રશ્નો પૂછવામાં આવશે. આ ત્રણેય વિષયના મળી કુલ ૧૮૦ પ્રશ્નો પૂછવામાં આવશે. બાયોલોજીને લગતા ૯૦ પ્રશ્નો અને ફિઝિક્સ તથા કેમેસ્ટ્રીના ૪૫-૪૫ પ્રશ્નો પૂછવામાં આવશે. NEETની પરીક્ષા ત્રણ કલાકની રહશે. દરેક સાચા જવાબ માટે વિદ્યાર્થીને ૪ ગુણ આપવામાં આવશે જ્યારે ખોટા જવાબ માટે નેગેટિવ માર્ક આપવામાં આવશે. વિદ્યાર્થી જે પ્રશ્નોના જવાબ લખવાનો પ્રયાસ નહીં કરે તેના માટે કોઈ માર્ક કાપવામાં આવશે નહીં. NEETની પરીક્ષાનો સિલેબસ NCERTનો ધોરણ-૧૧ અને ૧૨નો રહેશે. અગાઉ આ પરીક્ષા CBSE બોર્ડ દ્વારા લેવામાં આવતી હતી, પરંતુ હવે NEETની પરીક્ષા NTA દ્વારા લેવામાં આવશે.

August 16, 2019
CIA_Live_Logo_New2.jpg
2min11960

જયેશ બ્રહ્મભટ્ટ

વિજ્ઞાન પ્રવાહના સૌથી વધુ વિદ્યાર્થીઓ સુરત શહેરમાંથી પાસ થતાં હોઇ, કેટલાક ધંધાદારી લોકોએ સુરતમાં એવું વિચારીને કોલેજો શરૂ કરી દીધી કે વિદ્યાર્થી સંખ્યા મળી જશે અને દુકાન ચાલવા માંડશે. પરંતુ, ઢંગધડાવગરની કોલેજો શરૂ કરનારા સંચાલકોને પ્રવેશાર્થીઓ એવી ખો ભૂલાવી રહ્યા છે કે ધંધાદારીઓની દુકાન બંધ થવા માંડી છે. જેમકે એન્જિનિયરિંગમાં જેમની 85 ટકા સીટો ખાલી પડી રહી છે એ ભગવાન મહાવીર ગ્રુપના સંચાલકોની દાનત પારખી ગયેલા વિદ્યાર્થીઓએ આર્કિટેક્ચર પ્રવેશમાં પણ તેમને જાકારો આપ્યા છે.

સુરતની મહાવીર સ્વામી આર્કિટેક્ચર કોલેજને 2 પ્રવેશાર્થી મળ્યા

તાજેતરમાં રાજ્ય સરકારની પ્રવેશ સમિતિએ ફર્સ્ટ ઇયર બી.આર્ક કોલેજમાં પહેલા રાઉન્ડમાં ફાળવેલા પ્રવેશની માહિતી રજૂ કરી હતી. જેમાં ભગવાન મહાવીર ગ્રુપની મહાવીર સ્વામી આર્કિટેક્ચર કોલેજમાં ફક્ત બે વિદ્યાર્થીઓએ ચોઇશ ફિલિંગ કરી હતી અને બન્નેને પ્રવેશ મળ્યા છે એ સિવાય આ કોલેજની 96 ટકા સીટો ખાલી પડવા પામી છે.

ભગવાન મહાવીર આર્કિટેક્ચર કોલેજની કુલ 95માંથી 85 સીટો ખાલી

એવી જ રીતે ભગવાન મહાવીર ગ્રુપની બીજી આર્કિટેક્ચર કોલેજ ભગવાન મહાવીર આર્કિટેક્ચર કોલેજમાં સ્ટેટ ક્વોટાની 95 બેઠકો પૈકી માંડ 10 વિદ્યાર્થીઓએ ચોઇશ ફિલિંગ કરતા તમામ દસેદસને પ્રવેશ મળી ગયો છે. આ કોલેજમાં 90 ટકા બેઠકો ખાલી પડી રહી છે.

ગુજરાતી એકમાત્ર મહિલા આર્કિટેક્ચર કોલેજ સુરતની વિદ્યામંદિર કોલેજમાં 4 પ્રવેશાર્થી

એવી જ રીતે મહિલાઓ માટેની આખા રાજ્યની એકમાત્ર સુરતની વિદ્યામંદિર વિમેન્સ આર્કિટેક્ચર કોલેજમાં સંચાલકો અને અધ્યાપકોની જોહુકમીઓથી કંટાળી ગયેલી સિનિયર વિદ્યાર્થીઓના અનુભવો જાણ્યા બાદ આ કોલેજમાં નવા વર્ષમાં કોઇ પ્રવેશ લેવાલ નથી. વિદ્યામંદિર વિમેન્સ કોલેજમાં કુલ 48 સીટ પૈકી ફક્ત 4 વિદ્યાર્થિનીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યો છે. આ કોલેજની પણ 92 ટકા સીટો ખાલી પડી રહેવા પામી છે. વિદ્યામંદિર કોલેજ માટે તો એવું સંભળાય છે કે આ કોલેજના અધ્યાપકો તીસમારખાં હોય એ રીતે વિદ્યાર્થિનીઓને પરેશઆન કરવામાં કશું બાકી રાખતા નથી. ભૂતકાળમાં અનેક વખત ગંભીર ફરીયાદો ઉઠી ચૂકી છે છતાં સંચાલકોએ અધ્યાપકોની સામે પગલાં ભરવાને બદલે વિદ્યાર્થિનીઓના પેરેન્ટ્સને બોલાવીને મોઢું બંધ કરાવી દેવાના ધંધા કર્યા હતા હવે એ સંચાલકોને પણ પ્રવેશાર્થીઓની ભીખ માંગવા જવું પડે છે.

ભગવાન મહાવીર અને વિદ્યામંદિર વિમેન્સ બન્ને કોલેજોના સંચાલકોની કુલ ત્રણ આર્કિટેક્ચર કોલેજો મળીને રોકડા 16 પ્રવેશાર્થીઓ ફાળવાયા છે. આ 16માંથી કેટલા પ્રવેશ લે છે એ પણ જોવાનું રહે છે.

ગજેરા બંધુઓની લક્ષ્મી વિદ્યાપીઠમાં એકપણ પ્રવેશાર્થી નહીં

સુરતના ગજેરા બંધુઓએ વલસાડ નજીક સ્થાપેલી લક્ષ્મી વિદ્યાપીઠની હાલત બી.આર્ક.ની પ્રવેશ કાર્યવાહીમાં સૌથી કંગાળ રહી છે. લક્ષ્મી વિદ્યાપીઠની આર્કિટેક્ચર કોલેજમાં કુલ 29 સીટ પર પ્રવેશ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, 29 પૈકી 29 સીટો પહેલા રાઉન્ડના અંતે ખાલી પડી રહેવા પામી છે.

દક્ષિણ ગુજરાતની આર્કિટેક્ચર કોલેજોમાં પહેલા રાઉન્ડના અંતે પરિસ્થિતિ

કોલેજનું નામસ્થળકુલ સીટપ્રવેશ ફાળવણીખાલી બેઠકો
સ્કેટ કોલેજસુરત75750
જીસી પટેલ, વીર નર્મદ યુનિસુરત95932
ભગવાન મહાવીર કોલેજસુરત951085
રમણ ભક્તા કોલેજબારડોલી712150
લક્ષ્મી વિદ્યાપીઠવલસાડ29029
વિદ્યામંદિર વિમેન્સ કોલેજસુરત48444
મહાવીર સ્વામી કોલેજસુરત48246
પી.પી.સવાણી યુનિ.કોસંબા381127

ગુજરાતની આર્કિટેક્ચર કોલેજોમાં પહેલા રાઉન્ડના અંતે પરિસ્થિતિ

August 13, 2019
tanuj-1280x960.jpg
1min12110

ઇન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટન્સ ઓફ ઇન્ડિયા દ્વારા ગત મે 2019માં લેવામાં આવેલી ફાઉન્ડેશન અને ફાઇનલ્સ પરીક્ષાના પરીણામો આજે સાંજે ઇન્ટરનેટ પરથી જાહેર કરવામાં આવ્યા હતા.

સુરતના ખ્યાતનામ સી.એ. કોચ રવિ છાવછરીયા પાસેથી કોચિંગ લઇને આજરોજ તા.13મી ઓગસ્ટ 2019ના રોજ સી.એ. બનેલા દેશના ટોચના 50 સી.એ. પૈકી ડાબેથી ચેક્સ શર્ટમાં તનુજ રૂઇઆ જેમણે લાન્સર્સ આર્મી સ્કુલમાંથી ધો.12 પાસ કર્યું હતું જ્યારે બ્લ્યુ શર્ટમાં રત્નકલાકાર પરિવારમાંથી આવતા અને આશાદીપ સ્કુલમાંથી ધો.12 પાસ કરનાર યશ છોડવડીયા દ્રશ્યમાન છે.

સુરત સી.એ.નું હબ છે, આખા દેશમાંથી વિદ્યાર્થીઓ સી.એ. બનવા માટે સુરત આવી રહ્યા છે. સુરતમાં સી.એ.નું સૌથી બેસ્ટ કોચિંગ આપતા રવિ છાવછરીયાના અનેક વિદ્યાર્થીઓ આજે સી.એ. ફાઉન્ડેશન અને ફાઇનલ્સમાં પાસ થયા છે.

સી.એ. કોચિંગ ઇન્સ્ટિટ્યુટ ચલાવતા રવિ છાવછરીયાએ જણાવ્યું હતું કે તેમની પાસે કોચિંગ મેળવનાર ઉમેદવારો પૈકી બે સી.એ. ફાઇનલ્સ અને એક સી.એ. ફાઉન્ડેશનમાં દેશના ટોચના 50 વિદ્યાર્થીઓમાં સ્થાન પામ્યા છે.

સી.એ. ફાઇનલ્સમાં રવિ છાવછરીયા પાસે કોચિંગ લેનાર તનુજ રૂઇઆએ કુલ 562 માર્કસ હાંસલ કરીને આખા ભારતમાં 15મો ક્રમ મેળવ્યો છે જ્યારે વરાછા રોડ પર રત્નકલાકાર પરિવારના વિદ્યાર્થી યશ છોડવડીયાએ સી.એ. ફાઇનલ્સમાં 535 માર્કસ મેળવીને સમગ્ર દેશમાં 24મો ક્રમ હાંસલ કર્યો છે.

તનુજ રુઇઆ લાન્સર્સ આર્મી સ્કુલ ગુજરાત બોર્ડમાંથી ધો.12 કોમર્સ પાસ થયા હતા.

યશ છોડવડીયા નાના વરાછાની આશાદીપ ગ્રુપ ઓફ સ્કુલ્સમાંથી ધો.12 કોમર્સ પાસ થયા હતા.

સી.એ. ફાઉન્ડેશનમાં રવિ છાવછરીયાનું કોચિંગ મેળવનાર અનેક વિદ્યાર્થીઓએ સફળતાપૂર્વક પરીક્ષા પાસ કરી છે. આ પૈકી આદિત્ય સરાફએ 299 માર્કસ મેળવીને દેશભરમાં ટોપ 50 પૈકી 38મો ક્રમ હાંસલ કર્યો છે.

August 13, 2019
icai_logo.jpeg
4min7700

ઇન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટન્સ ઓફ ઇન્ડિયાએ તેની વેબસાઇટ પર જાહેર કર્યું છે કે સી.એ. ફાઇનલ્સ જુનો અને નવો કોર્સ બન્ને તેમજ સી.એ. ફાઉન્ડેશનની પરીક્ષાનું પરીણામ તા.13મી ઓગસ્ટ મંગળવારે સાંજે અથવા તો મોડામાં મોડું તા.14મી ઓગસ્ટ 2019ના રોજ જાહેર કરી દેવામાં આવશે.

પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓને તેમનું વ્યક્તિગત પરીણામ ઇમેલ, વ્હોટ્સએપ, એસ.એસ.એસ. વગેરેથી મળી શકશે. આઇ.સી.એ.આઇ.ની બે વેબસાઇટ્સ પરથી પણ પરીણામો જાણી શકાશે.

The Institute of Chartered Accountants of India (ICAI) is likely to declare the Chartered Accountants Final Examination (Old course &  New Course) and Foundation Examination results either on Tuesday evening (August 13, 2019) or on Wednesday (August 14, 2019).

Along with the CA final and foundation results, the ICAI will also release

the All India merit (up to the 50th Rank), which can be accessed by candidates on the official websites – icaiexam.icai.org, caresults.icai.org and icai.nic.in.

For accessing the result at the above mentioned websites the candidate will have to enter his/her registration no. or PIN no. along with his/her roll number.

The Final Examination (Old course & New Course) and Foundation Examination were held in May-June 2019.

Candidates will also get the CA final and foundation results on their registered e-mail IDs. To register their request, candidates should visit the official website – icaiexam.icai.org. All those registering their requests will be provided their results through email on the e-mail addresses immediately after the declaration of the result.

Candidates can also pull in their Final Examination (Old course & New Course) and Foundation Examination May-June 2019 results with marks through SMS.

For getting results through SMS candidates should type:

i) For Final Examination result the following:-

Final Examination (Old Course)

CAFNLOLD (space) XXXXXX (Where XXXXXX is the six digit Final examination roll number of the candidate), e.g. CAFNLOLD

000128

Final Examination (New Course)

CAFNLNEW (space) XXXXXX (Where XXXXXX is the six digit Final examination roll number of the candidate), e.g. CAFNLNEW

000128

ii) For Foundation Examination result the following:-

CAFND (Space) XXXXXX (where XXXXXX is the six digit Foundation Examination roll number of the candidate), e.g. CAFND

000171 and send the message to: 58888 – for all mobile services.