જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
ઇન્સ્ટીટ્યુટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટન્સ ઓફ ઇન્ડિયા દ્વારા આજરોજ તા.16મી જાન્યુઆરી 2020ને ગુરુવારે બપોરે 4 વાગ્યે સી.એ. ફાઇનલ્સ જૂના અને નવા એમ બન્ને પ્રકારના કોર્સનું પરીણામ જાહેર કર્યું હતું. અપેક્ષાઓ મુજબ જ સી.એ. ફાઇનલ્સના એ અને બી એમ બન્ને ગ્રુપમાં પાસ થનારાઓનું ટકાવારી પરીણામ સાવ કંગાળ રહ્યું છે.
સી.એ. નવા કોર્સનું પરીણામ ફક્ત 15.12 ટકા
સી.એ. ફાઇનલ્સ નવા કોર્સની પરીક્ષા બે ગ્રુપમાં લેવામાં આવે છે. આજના પરીણામમાં જેઓ બન્ને ગ્રુપમાં પાસ થયા છે તેમને સી.એ. સર્ટિફિકેશન એનાયત કરવામાં આવશે. બન્ને ગ્રુપમાં પાસ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા 2268 છે. સી.એ. ફાઇનલ્સ બન્ને ગ્રુપમાં પાસ થનારા વિદ્યાર્થીઓની ટકાવારી ફક્ત 15.12 ટકા છે.

સી.એ. જૂના કોર્સનું પરીણામ ફક્ત 10.19 ટકા

સી.એ. ફાઇનલ્સ જૂના કોર્સની પરીક્ષા પણ બે ગ્રુપમાં લેવામાં આવે છે. બે ગ્રુપમાં પાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યા ફક્ત 817 છે અને ટકાવારી પરીણામ માત્ર 10.19 ટકા છે.


















