CIA ALERT

શિક્ષણ સર્વદા Archives - Page 29 of 54 - CIA Live

January 16, 2020
icai_logo.jpeg
1min6550

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ઇન્સ્ટીટ્યુટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટન્સ ઓફ ઇન્ડિયા દ્વારા આજરોજ તા.16મી જાન્યુઆરી 2020ને ગુરુવારે બપોરે 4 વાગ્યે સી.એ. ફાઇનલ્સ જૂના અને નવા એમ બન્ને પ્રકારના કોર્સનું પરીણામ જાહેર કર્યું હતું. અપેક્ષાઓ મુજબ જ સી.એ. ફાઇનલ્સના એ અને બી એમ બન્ને ગ્રુપમાં પાસ થનારાઓનું ટકાવારી પરીણામ સાવ કંગાળ રહ્યું છે.

સી.એ. નવા કોર્સનું પરીણામ ફક્ત 15.12 ટકા

સી.એ. ફાઇનલ્સ નવા કોર્સની પરીક્ષા બે ગ્રુપમાં લેવામાં આવે છે. આજના પરીણામમાં જેઓ બન્ને ગ્રુપમાં પાસ થયા છે તેમને સી.એ. સર્ટિફિકેશન એનાયત કરવામાં આવશે. બન્ને ગ્રુપમાં પાસ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા 2268 છે. સી.એ. ફાઇનલ્સ બન્ને ગ્રુપમાં પાસ થનારા વિદ્યાર્થીઓની ટકાવારી ફક્ત 15.12 ટકા છે.

સી.એ. જૂના કોર્સનું પરીણામ ફક્ત 10.19 ટકા

સી.એ. ફાઇનલ્સ જૂના કોર્સની પરીક્ષા પણ બે ગ્રુપમાં લેવામાં આવે છે. બે ગ્રુપમાં પાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યા ફક્ત 817 છે અને ટકાવારી પરીણામ માત્ર 10.19 ટકા છે.

January 8, 2020
CIA_Live_Logo_New2.jpg
1min12070

ધો.12 કોઇપણ પ્રવાહના વિદ્યાર્થીઓ માટે NDA પ્રવેશ પરીક્ષાના રજિસ્ટ્રેશન શરૂ

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ધો.12 પછી ભારતીય સૈન્યની આર્મી, નેવી કે એરફોર્સ કોઇપણ પાંખ સંચાલિત કોલેજોમાં પ્રવેશ મેળવીને ત્યાં જ અભ્યાસ કર્યા બાદ સૈન્યમાં કારકિર્દી બનાવવા ઇચ્છતા ઉમેદવારો માટે નિર્ણાયક સમય આવી ગયો છે.

તા.19મી એપ્રિલ 2020ના રોજ ભારતમાં રાષ્ટ્રવ્યાપી ધોરણે લેવામાં આવનારી એન.ડી.એ. એન્ટ્રન્સ પરીક્ષા માટેના રજિસ્ટ્રેશન યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (યુ.પી.એસ.સી.) દ્વારા શરૂ કરી દેવામાં આવ્યા છે. આજરોજ તા.8મી જાન્યુઆરી 2020ના રોજ આ અંગેનું સત્તાવાર નોટીફીકેશન જારી કરી દેવામાં આવ્યું છે.

નેશનલ ડિફેન્સ એકેડેમીમાં પ્રવેશ માટેની પરીક્ષાનું રજિસ્ટ્રેશન અંગેની માહિતી નીચે મુજબ છે.

  • તા.2 જુલાઇ 2001થી તા.1 જુલાઈ 2004 વચ્ચે જન્મેલા કોઇપણ ઉમેદવારો કે જેઓ ધો.12 કોઇપણ પ્રવાહની પરીક્ષા માર્ચ 2020માં આપવાના છે તેઓ એન.ડી.એ. માટે રજિસ્ટ્રેશન કરાવી શકશે.
  • નેશનલ ડિફેન્સ એકેડેમીની કુલ 370 અને નેવી એકેડેમીની કુલ 48 બેઠકો માટે એન.ડી.એ. પ્રવેશ પરીક્ષા લેવામાં આવશે.
  • એન.ડી.એ.ની 370 બેઠકોમાં ઇન્ડીયન આર્મીની 208, નેવીની 42 અને એરફોર્સની 120 બેઠકો માટે પ્રવેશ પરીક્ષા લેવાઇ રહી છે.
  • ઇન્ડીયન નેવીની 48 બેઠકો માટે અલગથી પ્રવેશ પરીક્ષા લેવાશે.
  • ધો.12 કોઇપણ પ્રવાહમાંથી પાસ થનારા વિદ્યાર્થીઓને ઇન્ડીયન આર્મીની એકેડેમી માટે લાયક ગણવામાં આવશે. જોકે તેમણે પસંદગીની પ્રક્રિયાઓને સફળતાપૂર્વક પાર પાડવાની રહેશે.
  • નેવી અને એરફોર્સ માટે ધો.12 ફિઝિક્સ અને મેથેમેટિક્સ વિષય ધરાવતા વિદ્યાર્થીઓને જ લાયક ગણવામાં આવશે.
  • નેશનલ ડિફેન્સ એકેડેમી પ્રવેશ પરીક્ષાનું રજિસ્ટ્રેશન તા.28મી જાન્યુઆરી 2020 સુધી કરી શકાશે.
  • ઓનલાઇન રજિસ્ટ્રેશન માટેની વેબસાઇટ www.upsconline.nic.in છે.
January 6, 2020
privateschool.jpg
1min7630

RTE, FRC જેવા સરકારી નિયમોથી ત્રસ્ત ખાનગી સ્કૂલોના સંચાલકો ‘ચોર’ હોય એવો સરકારનો વ્યવહાર

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ગુજરાતમાં સરકારી કે ગ્રાન્ટ ઇન એઇડ સ્કુલોની સરખામણીએ સારામાં સારું શાળાકીય શિક્ષણ આપી રહેલી ખાનગી, સ્વનિર્ભર શાળાઓના સંચાલકો જાણે ચોર હોય એવો વ્યવહાર સરકાર કરી રહી છે. રાઇટ ટુ એજ્યુકેશનમાં સાવ ખોટેખોટા પુરાવાઓ ઉભા કરીને પ્રવેશ લેનારા વાલીઓ સામે સરકારે કશું કર્યું નહીં, ફી નિર્ધારણ કમિટીઓના મનસ્વી પણાના પુરાવાઓ હોવા છતાં સરકારે પ્રાઇવેટ સ્કુલોને દોષી માનીને એક તરફા નિર્ણયો કર્યા. ગુજરાત સરકારની જોહુકમીઓથી ત્રસ્ત શાળા સંચાલકો પર જનોઇવઢ ઘા રાજ્ય સરકારે ગુજરાત બોર્ડ મારફતે કર્યો છે અને એ ઘા એવો છે કે આગામી માર્ચ 2020માં લેવામાં આવનારી ગુજરાત બોર્ડની પરીક્ષા ભલે પ્રાઇવેટ સ્કુલોના બિલ્ડીંગોમાં લેવાય, પરીક્ષા લેનાર સ્ટાફ પણ ભલે પ્રાઇવેટ-સેલ્ફ ફાઇનાન્સ સ્કુલોનો હોય પરંતુ, ત્યાં પરીક્ષા સંચાલનની ઉપરી અધિકારીઓની નિમણૂંક સરકારી કે ગ્રાન્ટ ઇન એઇડ સ્કુલના સિનિયર શિક્ષકોમાંથી કરવામાં આવશે એ મતલબનો બોર્ડના સચિવે પરીપત્ર જારી કરતા સૂરત તેમજ રાજ્યના સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના સભ્યો ઉકળી ઉઠ્યા છે.

તા.6 જાન્યુઆરી 2020ના રોજ સૂરતના સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રતિનિધિઓએ જિલ્લા શિક્ષણાધિકારીને રજૂઆતો કરી એ પૂર્વે મિડીયાકર્મીઓ સાથે વાતચીત કરી રહેલા ડો.દિપક રાજ્યગુરુ, ફકીરભાઇ ચૌહાણ, સવજીભાઇ હૂણ, દશરથભાઇ પટેલ સમેતના આગેવાનો દ્રશ્યમાન છે.

સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના સૂરતના પ્રતિનિધિઓએ આજે સવારે 11.15 કલાકે નવા બહુમાળી ભવન ખાતે જિલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર આપતા પૂર્વે પત્રકારોને જણાવ્યું કે સરકાર ખાનગી શાળા સંચાલકોને ચોર સમજી રહી છે. ખાનગી સ્કુલોની બોર્ડની પરીક્ષાઓમાં સરકારી વ્યક્તિ નિમવાનો પરીપત્ર દર્શાવે છે કે સરકારને ખાનગી સ્કુલના સ્ટાફ પર વિશ્વાસ નથી. ડો. દિપક રાજ્યગુરુ, ફકીરભાઇ ચૌહાણ, સવજીભાઇ હૂણ, રાજેશભાઇ નાકરાણી વગેરે આગેવાનોએ જણાવ્યું કે ખાનગી સ્કુલોમાં બોર્ડની પરીક્ષા સરકારી માણસો લેશે એવો પરીપત્ર અમારા માટે કુઠરાઘાત સમાન છે. બોર્ડ આ પરીપત્ર સત્વરે પાછો ખેંચે અન્યથા રાજ્યભરની ખાનગી સ્કુલો બોર્ડની પરીક્ષાનો બહિષ્કાર કરશે.

બોર્ડ આ પરીપત્ર

January 6, 2020
neet.jpg
1min5290

P.G. NEET : ક્લીનીકલ કેસ બેઝ પ્રશ્નોએ પરીક્ષાર્થીઓને મૂંઝવ્યા

દેશભરની મેડીકલ કોલેજોમાં આવેલી પોસ્ટ ગ્રેજ્યુએશન મેડિકલ બેઠકો પર પ્રવેશ માટે રવિવાર તા.5 જાન્યુઆરી 2020ના રોજ પી.જી. નીટ લેવામાં આવી હતી. દેશભરમાંથી મળી રહેલા અહેવાલો મુજબ ગત વર્ષની સરખામણીમાં 2020 નીટ પી.જી. પરીક્ષા અઘરી રહી હતી. ખાસ કરીને ક્લીનીકલ સેકશનના પ્રશ્નોમાં પરીક્ષાર્થીઓ ખાસ્સા અટવાયા હતા. મોટા ભાગના પરીક્ષાર્થીઓને ક્લીનીકલ કેસબેઝ પ્રશ્નો અટપટા લાગ્યા હતા. પી.જી. નીટમાં સમગ્ર દેશમાંથી અંદાજે ૧ લાખ ૬૭ હજાર જેટલા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતમાંથી ૮ હજાર વિદ્યાર્થીઓએ નીટ આપી હતી. આ પરીક્ષામાં ૮૦૭૪૫ વિદ્યાર્થિનીઓ, ૮૬૩૪૨ વિદ્યાર્થીઓ અને ૧૫ ટ્રાન્સજેન્ડર પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા.

નીટ પી.જી. પરીક્ષા

  • એમ.ડી.ની કુલ ૨૦ હજાર,  
  • એમ.એસ.ની ૧૦૮૨૧,
  • પી.જી.ડિપ્લોમાની ૧૯૭૯ અને
  • ડીએનબીની અંદાજે ૬ હજાર બેઠકો સહિત
  • કુલ અંદાજે ૩૮ હજાર પી.જી.મેડિકલની બેઠકો માટે નીટ લેવામાં આવી હતી.
  • આ ઉપરાંત ચાલુ વર્ષે પી.જી.નીટમાં ઇડબલ્યુએસ કેટેગરી પણ દાખલ કરવામાં આવી છે.

સામાન્ય રીતે ડીએનબી કોર્સ માટે અલગથી પરીક્ષા લેવામાં આવતી હતી. આ વર્ષથી તમામ કોર્સ માટે એક જ પી.જી. નીટ લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. પી.જી. નીટ પરીક્ષા એકંદરે વિદ્યાર્થીઓ માટે ગતવર્ષની સરખામણીમાં અઘરી રહી હતી. ખાસ કરીને ક્લિનિકલ સેક્શનના પ્રશ્નો વિદ્યાર્થીઓને અઘરા પડ્યા હતા. 

પી.જી. નીટનું પરિણામ તા.૩૧મી જાન્યુઆરી સુધીમાં જાહેર કરાશે

સમગ્ર દેશમાં ૧૪૧ શહેર અને ૫૪૨ સેન્ટરો પરથી નીટ લેવામાં આવી હતી. ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, રાજકોટ, ગાંધીનગર, સુરત અને મહેસાણા જેવા શહેરોમાં નીટ લેવામાં આવી હતી. કુલ ૩૦૦ પ્રશ્નોની પરીક્ષા આપવા માટે વિદ્યાર્થીઓને સાડા ત્રણ કલાકનો સમય આપવામાં આવ્યો હતો. સામાન્ય રીતે અત્યાર સુધી પી.જી.મેડિકલની બેઠકો માટે જ નીટ લેવામાં આવતી હતી. પરંતુ ચાલુ વર્ષથી એઇમ્સ, ચંદીગઢ, પોંડીચેરી, બેંગ્લુરુ સહિતની મેડિકલ સંસ્થાઓ ઉપરાંત ડીએનબીની ૬ હજાર બેઠકો માટે પણ  હવે નીટ લાગુ કરી દેવામાં આવી છે.

January 5, 2020
jeemain.jpg
3min10280

JEE Main : ધો.12 મેથ્સ ગ્રુપના વિદ્યાર્થીઓ માટે છેલ્લી ઘડીએ કેટલીક ઉપયોગી ટીપ્સ

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

તા.6 જાન્યુઆરી 2020ને સોમવારથી સમગ્ર દેશભરમાં એન્જિનિયરિંગની એન્ટ્રન્સ એકઝામ જેઇઇ મેઇન રાષ્ટ્રવ્યાપી ધોરણે ઓનલાઇન લેવામાં આવશે. હાલમાં ધો.12 સાયન્સ એ ગ્રુપમાં અભ્યાસ કરી રહેલા ગુજરાત સમેત દેશભરના અંદાજે 14 લાખ વિદ્યાર્થીઓએ જેઇઇ મેઇન્સ ફર્સ્ટ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે અને દરેકને તેમના રોલ નંબર અનુસાર ટાઇમ સ્લોટ આપવામાં આવ્યા છે.

ધો.12 સાયન્સ ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથ્સ વિષય સાથે અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ અને વાલીઓને જણાવવાનું કે એક કેલેન્ડર વર્ષમાં જાન્યુઆરી અને મે એમ ફર્સ્ટ અને સેકન્ડ એમ બે વખત જેઇઇ મેઇન પરીક્ષા લેવાનું શરૂ ગત વર્ષ 2019માં શરૂ કરાયું હતું.

વિદ્યાર્થીઓ ત્રણ વખત જેઇઇ મેઇન પરીક્ષા આપી શકે છે. પરંતુ, એક કેલેન્ડર વર્ષમાં ફક્ત બે પરીક્ષા લેવાતી હોય છે. ધો.12 પીસીએમ ગ્રુપના વિદ્યાર્થીઓ કોલેજ એડમિશન પૂર્વે બે વખત ટેસ્ટ આપતા હોય છે અને નિયમાનુસાર બે પ્રયત્નો પૈકી જે પ્રયત્નમાં વધારે માર્ક (પર્સન્ટાઇલ) હોય તેને મેરીટમાં ગણતરીમાં લેવામાં આવે છે. 2019માં ફર્સ્ટ અને સેકન્ડ એમ બે વખત જેઇઇ મેઇન આપનારા વિદ્યાર્થીઓના જેઇઇ ફર્સ્ટમાં જ સારા માર્કસ આવ્યા હતા અને તેમને ફર્સ્ટ ટેસ્ટના આધારે જ મેરીટમાં ક્રમ મળ્યો હતો અને આઇઆઇટી તેમજ એનઆઇટીમાં પ્રવેશના હકદાર બન્યા હતા.

આવા 10માથી 6 પરીક્ષાર્થીઓ હતા કે જેમના જેઇઇ મેઇનની બે ટ્રાયલ પૈકી પહેલી ટ્રાયલના જ માર્ક સારા હતા. આવો કોઇ નિયમ નથી પરંતુ, જે વિદ્યાર્થીઓ તા.6 જાન્યુઆરી 2020થી શરૂ થતી જેઇઇ મેઇન્સને લાઇટલી લઇ રહ્યા છે તેમને ખાસ જણાવીએ છીએ કે તેમણે સેકન્ડ ટ્રાયલની જેમ જ ફર્સ્ટ ટ્રાયલને સિન્સીયરલી આપવી જોઇએ.

Last Moment Tips….

  • At this last moment, don’t try to attempt to study any new topic. Reading new topics will confuse you during the exam.
  • Instead of reading new topics, students are advised to revise all the important formulas and concepts two to three times before the exam. It will help you retain what you have already read so far.
  • While in the exam hall, first of all, read all the instructions on the exam paper very carefully.
  • After reading the instructions, you should read the complete question paper before starting with the solution.
  • Next, make mental planning on how you would approach the paper. Mark the questions that look easier and those which are complicated and may require a lot of time to solve.
  • The students should solve the easy questions first. It will not only build your confidence but would also save time for complicated ones.
  • If you are stuck on any question, don’t waste your time. Just use the ‘Save & Mark for Review’ option when you have any doubt. After completing the paper, you can revisit the leftover questions.
  • Don’t panic in case of computer failure or if you don’t know the answer to any question. Keep calm, take a deep breath and sip some water before attempting the question again.
January 2, 2020
medical_logo.jpg
1min4770

ગુજરાતના પંચમહાલ, ગીરસોમનાથ, દેવભૂમિ દ્વારકા, બોટાદ અને મોરબી ખાતે નવી મેડિકલ કૉલેજો સ્થાપવા માટે કેન્દ્ર સરકારમાં દરખાસ્ત કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.

નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે આ અંગે વધુ વિગતો આપતા જણાવ્યુ હતું કે, કેન્દ્ર સરકારે રાજ્યોમાં સરકારી મેડિકલ કૉલેજોની એમબીબીએસની સીટોમાં વધારો કરવા અંગેની યોજના અમલમાં મૂકી છે ત્યારે રાજ્યમાં નિર્માણ થનારી આ કોલેજોમાં કોલેજ દીઠ રૂ.૩૨૫ કરોડ ખર્ચ થશે જેમાં ભારત સરકારના ૬૦ ટકા લેખે રૂ.૧૯૫ કરોડ તથા રાજ્ય સરકારના ૪૦ ટકા લેખે રૂ.૧૩૦ કરોડ મળી કુલ-૫ કોલેજો રૂ.૧૬૨૫ કરોડના ખર્ચે ગુજરાતમાં સ્થપાશે. આ પ કોલેજો માટે રાજય સરકાર વિનામૂલ્યે જમીન ફાળવશે. જેમાં હયાત હૉસ્પિટલોનું અપગ્રેડેશન કરીને ખૂટતા સાધનો તથા મેડિકલ કાઉન્સિલ ઑફ ઇન્ડિયાના ધારાધોરણ મુજબની સગવડો ઉપલબ્ધ કરાવીને પ્રથમ તબક્કે ૩૦૦ બેડની સુવિધાવાળી હૉસ્પિટલોનું પણ નિર્માણ થશે. આ ૫ાંચ કોલેજોમાં પ્રથમ વર્ષે ૧૦૦ બેઠકો પર પ્રવેશ અપાશે. આમ કુલ ૫ાંચ કોલેજોમાં ૫૦૦ વિદ્યાર્થીઓને મેડિકલમાં અભ્યાસ માટેની તક મળશે.

હાલ રાજ્યનાં ૩૩ જિલ્લાઓ પૈકી ૨૮ જિલ્લાઓમાં કુલ-૩૭ મેડિકલ કોલેજો કાર્યરત થશે. રાજ્યમાં આ ૫૦૦ બેઠકોનો વધારો થતાં હવે અંદાજિત ૬૩૦ થી વધુ બેઠકો તબીબી શિક્ષણ માટે ઉપલબ્ધ થશે.

January 1, 2020
gseb-1280x720.jpg
1min5910

વર્ષ ર019ના અંતિમ દિવસે શિક્ષણ વિભાગે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષાની તારીખો જાહેર કરી છે. જે મુજબ તા. પ માર્ચથી 17 માર્ચ સુધી ધોરણ 10 ની, તા. પ માર્ચથી ર1 માર્ચ દરમિયાન ધોરણ 1ર સામાન્ય પ્રવાહ અને તા. પ માર્ચથી 16મી માર્ચ દરમિયાન ધોરણ 1ર વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા લેવામાં આવશે.

ધોરણ 10ની પરીક્ષા માટે ર9 અને ધોરણ 1ર સામાન્ય પ્રવાહ માટે 9 મળી કુલ 38 નવા કેન્દ્રો બોર્ડ દ્વારા ફાળવવામાં આવ્યા છે.

શિક્ષણ વિભાગ દ્વારા 2019-20 વર્ષનું એકેડેમિક કેલેન્ડર પણ જાહેર કરાયું છે. કેલેન્ડર મુજબ, નવા શૈક્ષણિક વર્ષમાં શિક્ષણના કુલ 246 દિવસો હશે. આ ઉપરાંત તા.4 મેથી ઉનાળું વેકેશન શરૂ થશે.

નવરાત્રી વેકેશન રદ્દ થતાં પ્રથમ સત્રના કાર્યના દિવસો અને દ્વિતીય સત્રના કાર્યના દિવસો બદલાશે. જ્યારે બોર્ડના વિષયની શાળા કક્ષાની લેવાની ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ 10 ફેબ્રુઆરીથી 12 ફેબ્રુઆરી સુધી રહેશે. બોર્ડની ધોરણ 12 સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષાઓ 14 ફેબ્રુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી લેવાશે.

ધોરણ 9 અને 11 માટેની શાળાકીય વાર્ષિક પરીક્ષા 7 એપ્રિલથી 18 એપ્રિલ દરમિયાન લેવાની રહેશે. શૈક્ષણિક વર્ષ 2019-20માં કુલ 80 રજાઓ રહેશે. જેમાં દિવાળી વેકેશનની 21, ઉનાળાની રજાઓ 35, જાહેર રજા 18 અને સ્થાનિક રજા 6 રહેશે.

ગેરરીતિ નિવારવા ખાસ મોબાઇલ એપ લોન્ચ કરાશે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ચેરમેન એ.જે.શાહના જણાવ્યા અનુસાર, ગૌણ સેવા પસંદગી મંડળ સહિતની સ્પર્ધાત્મક પરીક્ષાઓને ગેરરીતિને ધ્યાનમાં રાખી ખાસ મોબાઇલ એપ્લિકેશન બોર્ડ દ્વારા લોન્ચ કરાશે. આ મોબાઇલ એપ્લિકેશનમાં બોર્ડના સ્ટોર રૂમમાંથી પેપર નીકળશે ત્યારથી માંડીને પરીક્ષા કેન્દ્ર પર પેપર પહોંચે ત્યાં સુધીના ફોટા અપલોડ કરવા પડશે. શિક્ષણ વિભાગ દ્વારા ગેરરીતિની કોઇ ફરિયાદ ન ઉઠે એ માટે ખાસ તકેદારી રાખવામાં આવનાર છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષામાં ગેરરીતિ કરનારા તમામ સેન્ટર રદ્દ કરવાનો નિર્ણય પણ લેવાયો છે.

December 31, 2019
doctors.jpg
1min4420

એમબીબીએસ અને એમડીના વિદ્યાર્થીઓને ભણાવવા મેડિકલ કૉલેજો વિદેશમાં રહેનારા ડૉકટરો સહિત ખાનગી ડૉકટરોની નિમણૂક કરી શકશે તેવું સરકારી જાહેરનામાથી જાણવા મળ્યું છે. સંસદના નિયમ હેઠળ સ્થાપિત કરાયેલી તમામ એઈમ્સ, ચંદીગઢની પીજીઆઈ અને પુડ્ડુચેરીની જેઆઈપીએમઈઆર કૉલેજને નવા નિયમો લાગુ નહીં પડશે.

ખાનગી અને સરકારી તબીબી કૉલેજોમાં શિક્ષકોની અછત હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. પાર્ટટાઈમ ધોરણે ભણાવવા આવનારા શિક્ષકોને ‘વિઝિટિંગ ફેકલ્ટી’ કહેવામાં આવશે.’ વિદેશમાં રહેતા ભારતીય ડૉકટરોની પણ વિઝિટિંગ ફેકલ્ટી તરીકે નિમણૂક કરવામાં આવશે તેવું સરકારી જાહેરનામામાં કહેવામાં આવ્યું છે. ૭૦ વર્ષની અથવા તેનાથી ઓછી વય ધરવતા ડૉકટરોની નિમણૂક કરવામાં આવશે. વિઝિટિંગ ફેકલ્ટીની સંખ્યા જે તે કૉલેજ માટે નિર્ધારિત કરાયેલી સંખ્યા કરતા અડધી જ રહેશે. તબીબી કૉલેજના ડિરેકટર/ પ્રિન્સિપાલ/ ડીનની રચાયેલી સમિતિ દ્વારા વિઝિટિંગ ફેકલ્ટીનું સિલેકશન કરવામાં આવશે.

વિઝિટિંગ ફેકલ્ટી પાસે પોસ્ટ ગ્રેજયુએટ ડિગ્રી હોવી જરૂરી છે અને સંબંધિત સ્પેશિયાલિટીમાં આઠ વર્ષનો અનુભવ હોવો જોઈએ.

December 26, 2019
bhu.jpg
1min6100

વિશ્વ પ્રસિદ્ધ બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં ભૂત વિદ્યા પર આધારિત 6 મહિનાનો સર્ટિફિકેટ કોર્સ આગામી જાન્યુઆરી 2020થી શરૂ થઇ રહ્યો છે. આ અભ્યાસક્રમનો હેતુ ઉમેદવારોને ભૂત વિદ્યા અંગેની વિદ્યા આપીને સમાજમાં પ્રવર્તમાન ગેરમાન્યતાઓ, બદીઓ દૂર કરવાની અવેરનેસ ફેલાવવાનો છે.

‘ભૂત વિદ્યા કોર્સ’ થોડું અટપટું લાગે પણ તે બનારસ હિન્દુ યૂનિવર્સિટી (BHU)ના પાઠ્યક્રમમાં શામેલ થવા જઈ રહ્યો છે.

બનારસ હિન્દુ યુનિવર્સિટીના આયુર્વેદ ફેકલ્ટીમાં ભૂત વિદ્યા એટલે કે સાયન્સ ઑફ પેરાનૉર્મલનું શિક્ષણ આપવામાં આવશે. છ મહિનાનો આ સર્ટિફિકેટ કોર્સ નવા વર્ષના જાન્યુઆરી મહિનાથી શરૂ થશે.

આંતરિયાળ ગામડાઓમાં સામાન્યપણે લોકો સાયકોસોમેટિક એટલે કે માનસિક બીમારીને ભૂત-પ્રેતની અસર માને છે. અંધવિશ્વાસને દૂર કરવા માટે BHUમાં અષ્ટાંગ આયુર્વેદની આઠ શાખાઓમાંથી એક ગૃહ ચિકિત્સા એટલે કે, ભૂત વિદ્યાનો સર્ટિફિકેટ કોર્સ શરૂ થશે.

બનારસ હિન્દુ યુનિવર્સિટીમાંથી સર્ટિફિકેટ મેળવી વિદ્યાર્થીઓ સમાજમાં પ્રેક્ટિસ કરી સામાન્ય લોકોના મનમાં ભૂત, ગ્રહ વગેરે વિશે ફેલાયેલી ભ્રમણાઓને દૂર કરવાની સાથે ચિકિત્સા પદ્ધતિને વિજ્ઞાન સાથે જોડતા આવા દર્દીઓની સારવાર કરશે.

જાન્યુઆરીથી શરૂ થશે કોર્સ

BHUની આયુર્વેદ ફેકલ્ટીના પ્રમુખ પ્રો. યામિની ત્રિપાઠીએ જણાવ્યું કે, સાયન્સ ઑફ પેરાનૉર્મલનો સર્ટિફિકેટ કોર્સ શરૂ કરનારી આ પ્રથમ ફેકલ્ટી છે. ફેકલ્ટીમાં ભૂત વિદ્યાનું સ્વતંત્ર યૂનિટ હશે. ભૂત વિદ્યા પર રિસર્ચ કરી ચૂકેલા પ્રો. વીકે દ્વિવેદીના નેતૃત્વમાં તેને સિલેબસ શરૂ કરવામાં આવ્યો છે. જાન્યુઆરીથી તેનું શિક્ષણ શરૂ કરી દેવામાં આવશે.

આ છે પાઠ્યક્રમ નવા કોર્સમાં ભૂત વિદ્યાની અવધારણા અને ભૂત વિદ્યા ઉપચારાત્મક પાસુ નામના બે પેપર હશે. ભૂત વિદ્યાની અવધારણામાં પરિભાષા, અનેક અર્થ, ઐતિહાસિક મહત્વ, જનતામાં સામાન્ય સમજણ અને આયુર્વેદમાં ભૂત વિદ્યાની ભૂમિકાના પાઠ ભણાવવામાં આવશે. ઉપચારાત્મક પાસાંમાં ચિકિત્સાના પ્રકાર, ગ્રહની પ્રકૃતિ, ઉપસર્ગની કાયચિકિત્સાના પાઠ હશે.

December 19, 2019
jnu.jpg
2min4830

કેટલાક લોકો શિક્ષણનું દેવાળું ફૂંકવાની સોપારી ફોડી રહ્યા છે

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

શૈક્ષણિક સંસ્થાઓમાં સર્વોચ્ચ સ્થાનો પર બિરાજેલા કેટલાક લોકો જે પ્રકારે નિર્ણયો લઇ રહ્યા છે એ જોતા એવું લાગે છે કે તેઓ ભારતના શિક્ષણ જગતનું દેવાળું ફૂંકવાનું મિશન પાર પાડવા આવ્યા હોય તેવું જણાય આવે છે. છેલ્લા ત્રણેક વર્ષથી ભારતમાં ભારે વિવાદોમાં સપડાયેલી ભારતની જૂનામાં જૂની યુનિવર્સિટીઓ પૈકીની એક જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી પ્રશાસને એવી જાહેરાત કરી છે કે તેઓ વ્હોટ્સએપ કે ઇમેલથી વિદ્યાર્થીઓને પ્રશ્નપત્રો આપીને તેના પર વિદ્યાર્થીઓ પોતાના જવાબો મોકલશે. આ પ્રકારે વ્હોટ્સએપથી પરીક્ષા લેશે.

The Jawaharlal Nehru University (JNU) administration has decided to conduct its year-end semester exams via Whatsapp and email amidst the exam boycott by students.

જે.એન.યુ. સામે દેખાવો કરી રહેલા વિદ્યાર્થીઓએ સેમેસ્ટરીયલ પરીક્ષાનો બહિષ્કાર કરવાની ઘોષણા કરી છે પરીણામે કોલેજ પ્રશાસને એવુ તુક્કો લગાડ્યા છે કે તેઓ પરીક્ષામાં ફિઝિકલી હાજર નહીં રહે તેમને વ્હોટ્સ એપ તેમજ ઇમેલથી પ્રશ્નપત્ર મોકલીને પરીક્ષા લેવામાં આવશે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના ટીચર્સ એસોસીએશને આ મુદ્દાના ભારે વિરોધ કર્યો અને રાષ્ટ્રપતિ શ્રી કોવિંદને લખ્યું છે કે જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીની શાખ ખરડાવા માટે કુલપતિ અને તેમના મળતીયાઓ આ પ્રકારે નિર્ણય લઇ રહ્યા છે તેમને રોકવા જરૂરી છે.

As the semester-end exams at the Jawaharlal Nehru University were boycotted by students, the JNU administration has come up with a rather unique way of conducting the exams – through Whatsapp and email. Such a step has never been taken before and it has been termed ‘absurd’ and ‘bizarre’ by the JNUTU.

School of International Studies (SIS) Dean Aswini K Mohapatra sent a letter to the Centre chairpersons on Monday wherein she said that the step has been taken “in view of the extraordinary situation” on the JNU campus.