CIA ALERT

શિક્ષણ સર્વદા Archives - Page 10 of 54 - CIA Live

May 12, 2022
cia_edu-1280x925.jpg
1min3345

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

જે વિદ્યાર્થીઓ ધો.11-12 સાયન્સના બે વર્ષના અભ્યાસમાં દોઢ વર્ષ સુધી કોરોનાના કારણે ઓનલાઇન જ ભણી શક્યા હતા તેવા વિદ્યાર્થીઓનું ધો.12 સાયન્સનું ગુજરાત બોર્ડનું પરીણામ આજે જાહેર થયું છે. બોર્ડના પરીણામ પર ઘેરી અસર વર્તાયેલ જોવા મળી રહી છે. પાછલા 7 વર્ષમાં આટલું કંગાળ બોર્ડનું પરીણામ આવ્યું નથી. કુલ 68681 વિદ્યાર્થીઓ પાસ અને 27034 વિદ્યાર્થીઓ નાપાસ જાહેર થયા છે.

સુરત શહેર જિલ્લામાંથી કુલ 42 વિદ્યાર્થીઓ એ-વન ગ્રેડ સાથે પાસ થયા છે. સમગ્ર રાજ્યમાં 196 એ-વન ગ્રેડ પૈકી સૌથી વધુ એ-વન ગ્રેડ ધરાવતો જિલ્લો સુરત બન્યો છે. રાજકોટ દ્વિતિય ક્રમે 17 એ- વન ગ્રેડ તેમજ ત્રીજા ક્રમે નવસારી, મોરબી અને અમદાવાદ રૂરલ 15 એ-વન ગ્રેડ સાથે ત્રીજા ક્રમે રહ્યા છે.

May 4, 2022
ITI-Logo.png
1min800

વિદ્યાર્થીએ જુદી જુદી ITIમાં પ્રવેશ માટે નહી જવુ પડે : ૫૬૦થી વધુ સરકારી,ગ્રાન્ટેડ અને ખાનગી સંસ્થાઓની ૧.૫૭ લાખ જેટલી બેઠકો હવે ઓનલાઈન જ ફાળવાશે

ધો.૧૦ પછીના આઈટીઆઈ અભ્યાસક્રમો ચલાવતી ગુજરાતની તમામ આઈટીઆઈ (ઔદ્યોગિક તાલીમ સંસ્થા) માટે આ વર્ષથી હવે ડિગ્રી-ડિપ્લોમા ઈજનેરીની જેમ કોમન ઓનલાઈન કેન્દ્રિય પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાશે.હાલ સરકારના રોજગાર અને તાલીમ વિભાગ દ્વારા ઓનલાઈન રજિસ્ટ્રેશન પ્રવેશ પ્રક્રિયા શરૃ કરી દેવાઈ છે.આ વર્ષથી વિદ્યાર્થીએ હવે જુદી જુદી આઈટીઆઈમાં રૃબરૃ પ્રવેશ માટે જવુ નહી પડે.

ગુજરાત સરકારના રોજગાર અને તાલીમ વિભાગ હેઠળ આવેલી રાજ્યની ઈન્ડસ્ટ્રિયલ ટ્રેનિંગ ઈન્સ્ટિયુટ (આઈટીઆઈ)માં  ધો.૧૦ પછીના રાષ્ટ્રીય કક્ષાના (એનસીવીટી) અને રાજ્ય કક્ષાના (જીએસવીટી) ૧૪૦થી વધુ વિવિધ રોજગારલક્ષી કોર્સીસ ચલાવવામા આવે છે.ગત વર્ષે આઈટીઆઈમાં પ્રવેશ માટે માત્ર ઓનલાઈન રજિસ્ટ્રેશન પ્રક્રિયા કરવામા આવી હતી.એટલે કે વિદ્યાર્થીએ રજિસ્ટ્રેશન કર્યા બાદ જે આઈટીઆઈમાં પ્રવેશ લેવો હોય ત્યાં રૃબરૃ જવુ પડતુ અને દરેક સંસ્થા માટે અલગ અલગ ૫૦-૫૦ રૃપિયાના ફોર્મ ભરવા પડતા હતા.પરંતુ આ વર્ષે હવે રાજ્ય સરકારના રોજગાર તાલીમ વિભાગ દ્વારા સંપૂર્ણ પ્રવેશ પ્રક્રિયા ઓનલાઈન અને સેન્ટ્રલાઈઝડ કરવાનો નિર્ણય લેવાયો છે.વિભાગ દ્વારા હાલ ધો.૧૦ના વિદ્યાર્થીઓ માટે એડમિશન પોર્ટલ શરૃ કરીને રજિસ્ટ્રેશન પણ શરૃ કરી દેવાયુ છે અને પ્રવેશ માહિતી પુસ્તિકા પણ જાહેર કરી દેવાઈ છે.આ અંગે રોજગાર અને તાલીમ વિભાગના અગ્રસચિવ અંજુ શર્માએ જણાવ્યુ કે ઓનલાઈન કોમન સેન્ટ્રલાઈઝડ પ્રવેશ પ્રક્રિયાથી વિદ્યાર્થીને હવે જુદી જુદી આઈટીઆઈમાં ધક્કા ખાવા નહી પડે.એક જ ઓનલાઈન પ્રવેશ ફોર્મથી તમામ આઈટીઆઈમાં પ્રવેશ માટેની તક મળશે.હાલ રાજ્યમાં સરકારી,ગ્રાન્ટેડ અને ખાનગી સહિતની ૫૮૫ જેટલી આઈટીઆઈ આવેલી છે.જેની ૧.૫૭ લાખ જેટલી બેઠકો હવે કોમન કેન્દ્રિય પ્રવેશ પ્રક્રિયાથી ભરાશે.

અત્યાર સુધી આઈટીઆઈની માંડ એક લાખ જેટલી બેઠકો ભરાતી હતી પરંતુ હવે આ કોમન ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયાથી બેઠકો વધુ ભરાશે અને વિદ્યાર્થીઓને ખૂબ જ સરળતા રહેશે. રજિસ્ટ્રેશન બાદ વિદ્યાર્થીનો ધો.૧૦ના પરિણામના ડેટા પણ ઓનલાઈન જ ઓટોમેટિક સબમીટ થઈ જશે. આઈટીઆઈ અને કોર્સની પસંદગી માટે મોક રાઉન્ડ પણ કરાશે.ત્યારબાદ વિવિધ ઓનલાઈન એડમિશન રાઉન્ડ થશે.જેમાં વિદ્યાર્થીની પસંદગી અને મેરિટ મુજબ ઓનલાઈન બેઠક ફાળવાશે.

May 3, 2022
cia_edu-1280x925.jpg
1min648

કેઆઇઆઇટી ડીમ્ડ ટુ બી યુનિવર્સિટી, ભુવનેશ્વરને 28 એપ્રિલ 2022 એ પ્રકાશિત થયેલ પ્રતિષ્ઠિત ટાઇમ્સ હાયર એજ્યુકેશન ઇમ્પેક્ટ રેંકિંગ 2022માં ‘અમસાનતાઓને ઓછી કરવાના’ સતત વિકાસ લક્ષ્ય (SDG)માં દુનિયાના વિશ્વવિદ્યાલયમાં 8મુ સ્થ।ન આપવામાં આવ્યુ છે.

વર્લ્ડ યુનિવર્સિટી રેંકિંગ સિવાય, ટાઇમ્સ હાયર એજ્યુકેશન દર વર્ષે વિવિધ માપદંડો પર સંસ્થાનો માટે કેટલાય અન્ય રેંકિંગ પ્રકાશિત કરે છે. તે પૈકીનું એક સૌથી મહત્વપૂર્ણ પ્રભાવિત શ્રેણીમાં રાખવાનું છે, જેમાં સંયુક્ત રાષ્ટ્ર (યૂએન) સતત વિકાસ લક્ષ્યો (એસડીજી)માં તેમના યોગદાન પર દુનિયાભરના હજારો વિશ્વવિદ્યાલયોનું મૂલ્યાંકન કરે છે. ટાઇમ્સ હાયર એજ્યુકેશન ઇમ્પેક્ટ રેંકિંગ ચાર વ્યાપક ક્ષેત્રો રિસર્ચ, મેનેજમેન્ટ, આઉટરીચ અને શિક્ષણમાં સ્થિરતા માટે તેમની પ્રતિબદ્ધતાનું આકલન કરે છે.

આ વર્ષના રેંકિંગમાં, કેઆઇઆઇટીને એસડીજીના જ એક મહત્વપૂર્ણ પેરામિટર – ‘અસમાનતાઓને ઓછી કરવા’માં તેના પ્રભાવ માટે દુનિયાભરમાં 8મુ સર્વશ્રેષ્ઠ સ્થાન આપવામાં આવ્યુ છે. અન્ય એસડીજીમાં 101-200ના પ્રભાવશાળી રેંક સાથે ગુણવત્તાયુક્ત શિક્ષણ, શાંતિ, ન્યાય અને પ્રબળ સંસ્થાન તેમજ લક્ષ્યો માટે સહભાગિતામાં કેઆઇઆઇટીએ રેંકિંગમાં કુલ 201-300નું સ્થાન હાંસલ કર્યુ છે. જેમાં 106 દેશના 1500થી વધુ વિશ્વવિદ્યાલય લીસ્ટેડ(સૂચિબદ્ધ) છે. યાદીમાં માત્ર કેટલાક જ ભારતીય સંસ્થાન સામેલ છે. અને KIIT ભારતના ટોચના આઠ વિશ્વવિદ્યાલયમાંનું એક છે.

ગુણવત્તાયુક્ત શિક્ષણ અને રિસર્ચની સાથે, કેઆઇઆઇટી તેની સ્થાપના બાદથી જ સામાજિક વિકાસના કાર્યોમાં વ્યાપક શ્રેણીમાં સક્રિય રીતે સામેલ રહ્યુ છે. કેઆઇઆઇટી ડીમ્ડ યુનિવર્સિટીના શૈક્ષણિક સમૂદાયનું માનવુ છે કે, ‘“કેઆઇઆઈટીએ અસમાનતાઓ ઓછી કરવાના ક્ષેત્રમાં મોટા પ્રમાણમાં કામ કર્યુ છે.
પરિણામે, એસડીજીના આ પેરામિટરમાં તેને દુનિયાભરમાં 8મુ સ્થાન મળ્યુ છે.”

પોતાની ખુશી વ્યક્ત કરતા KIIT Universityના સંસ્થાપક ડૉ. અચ્યુતા સામંતે કહ્યુ કે, ‘અસમાનતાઓને ઓછી કરવા’ના પેરામિટરમાં દુનિયાના સૌથી પ્રભાવશાળી વિશ્વવિદ્યાલયોમાં કેઆઇઆઇટીની સ્થિતિ કેટલાય વર્ષોથી આ ક્ષેત્રમાં કરાયેલી મહત્વપૂર્ણ કામને ઉજાગર કરે છે.
તેમણે કુલાધિપતિ, કુલપતિ પ્રો. સસ્મિતા સામંત, કેઆઇઆઇટીના ફેકલ્ટી કર્મચારી સભ્યો અને વિદ્યાર્થીઓને આ ઉપલબ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા.

કેઆઇઆઇટી,ને પોતાના સમુદાય આધારિત વિશ્વવિદ્યાલય હોવા પર ગર્વ છે. સ્થાપના બાદથી જ તે શિક્ષણ, મહિલા સશક્તિકર, ગ્રામિણ વિકાસ, આદિવાસી ઉત્થાન, કલા સંસ્કૃતિ અને સાહિત્ય વગેરેના માધ્યમથી ગરીબી ઓછી કરવા જેવી સામાજિક પ્રાથમિકતાઓમાં બહોળા પ્રમાણમાં યોગદાન આપી રહ્યું છે. હકીકતમાં કેઆઇઆઇટી બધા 17 એસડીજી માટે પ્રતિબદ્ધ છે અને તેના શૈક્ષણિક અને સામાજિક કાર્યક્રમ સીધા વધુમાં વધુ લક્ષ્યો સુધી પહોંચે છે. ટાઇમ્સ હાયર એજ્યુકેશન ઇમ્પેક્ટ રેેંકિંગમાં કેઆઇઆઇટીની ઉચ્ચ રેંકિંગ તેની ઉચ્ચ સામાજિક જવાબદારી અને સતત વિકાસની દિશામાં પ્રભાવશાળી યોગદાનને દર્શાવે છે.

May 3, 2022
Promotion.jpg
1min732

રાજ્યના શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ સોમવારે Dt.2/5/22, તેમના સત્તાવાર હેન્ડલ પરથી એક ટ્વીટ કરીને જણાવ્યું હતું કે સરકારે 21 સપ્ટેમ્બર 2019ના રોજના ઠરાવને અમલમાં નહીં મૂકવાનો નિર્ણય લીધો છે જે શાળાઓને ધોરણ 5 અને ધોરણ 8 ના વિદ્યાર્થીઓને નાપાસ કરવાની મંજૂરી આપે છે. જે અનુસાર 2022-23 શૈક્ષણિક વર્ષ માટે લેવામાં આવેલી પરીક્ષાઓ રોગચાળાની પરિસ્થિતિને કારણે ધોરણ 1થી ધોરણ 8 સુધીના કોઈપણ વિદ્યાર્થીઓને નાપાસ કરશે નહીં.

– વિદ્યાર્થીઓના હિતને ધ્યાને લઈને વર્ષ 2022-23માં લેવાયેલી વાર્ષિક પરીક્ષાઓના પરિણામને આધારે વર્ગબઢતી આપવા અંગેના 21 સપ્ટેમ્બર 2019ના જાહેરનામાના અમલને રાજ્ય સરકાર દ્વારા ચાલુ વર્ષ પૂરતો મુલતવી રાખવામાં આવશે.
– આ નિર્ણયને કારણે ધોરણ 1થી 8ના વિદ્યાર્થીઓનું પરિણામ જે પણ હોય તેમાં એમના ગુણ, ગ્રેડ કે ટકાને ધ્યાને લીધા વગર તમામ વિદ્યાર્થીઓને વર્ગબઢતી આપવામાં આવશે.
– પ્રાથમિક શાળાઓમાં રાબેતા મુજબ દ્વિતિય (વાર્ષિક) પરીક્ષા પૂર્ણ થઈ હોવાથી પરીક્ષાના પરિણામની અસર વિદ્યાર્થીઓની વર્ગબઢતી પર લાગુ કરવાની રહેશે નહીં.

April 27, 2022
cia_edu-1280x925.jpg
1min1531

Jayesh Brahmbhatt 98253 44944

હાલમાં ધો.12 સાયન્સ બાયોલોજી ગ્રુપની પરીક્ષા આપી ચૂકેલા ઘણાં વિદ્યાર્થીઓ મેડીકલ-પેરામેડીકલની એન્ટ્રન્સ એક્ઝામ, નીટ-2022ના ફોર્મ ભરી શક્તા નથી. અનેક વિદ્યાર્થીઓ અને તેમના પેરેન્ટસના ટેલિફોનિક ફોન શિક્ષણ સર્વદાને મળ્યા, તેમના ફોર્મ કેમ નથી ભરી શકાતા તેનું કારણ તેમને જાણવા મળ્યું નહીં. આથી તેમને સ્પષ્ટીકરણ મેળવી આપ્યું કે જે વિદ્યાર્થીઓની ઉંમર 31-12-2022 સુધીમાં 17 વર્ષ કે તેથી ઉપર હશે તેમને જ આ વર્ષે નીટ પરીક્ષામાં બેસવા દેવાશે અને તેમને જ મેડીકલ કે ડેન્ટલમાં પ્રવેશ આપવામાં આવશે.

ટૂંકમાં કહીએ તો જે વિદ્યાર્થીઓની જન્મ તારીખ 31-12-2005 કે એ પહેલાની છે તેઓ જ નીટ કે મેડીકલમાં પ્રવેશ માટે લાયકાત પાત્ર છે. જેમની જન્મતારીખ 31-12-2005 પછીની છે તેઓ નીટના ફોર્મ જ ભરી શકશે નહીં, એટલે સ્વાભાવિક છે કે તેમને મેડીકલ ડેન્ટલમાં પ્રવેશ મળી શકશે નહીં. આવા વિદ્યાર્થીઓ એક વર્ષ પછી પ્રવેશપાત્ર બની શકશે.

મેડીકલ અને ડેન્ટલમાં પ્રવેશ માટે લઘુત્તમ વય 17 વર્ષની ઉંમર હોવી જરૂરી, ઉપલી વય મર્યાદા હટાવી લેવામાં આવી છે, હવે 17 વર્ષની વય ધરાવતા હોય અને નીટ ક્લીયર કરી હોય તેવા કોઇપણ વયના વ્યક્તિઓ નીટ આપી શકે છે અને મેડીકલમાં અભ્યાસ કરી શકે છે

For One to one career counseling

April 22, 2022
earthquake-zone-map-of-gujarat-1.jpg
1min530

તળાજાની એક સ્કુલમાં ધોરણ 7ના બે પેપરની ચોરી થતાં આ પરીક્ષા રદ્દ કરવામાં આવી હોવાનું જાણીને શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં ભારે આશ્ચર્ય વ્યાપ્યું હતું. પહેલી વખત પ્રાથમિક વિભાગનું પ્રશ્નપત્ર ચોરી થતાં સુરત સહિત ગુજરાતમાં આ ચર્ચાનો વિષય બન્યો છે. 

છેલ્લા ઘણાં વખતથી ગુજરાતમાં પરીક્ષાના પેપર ફૂટવાની મોસમ ચાલી રહી છે. અત્યાર સુધીમાં પરીક્ષાલક્ષી કે કોલેજની પરીક્ષાના પેપર ફૂટતા હતા પરંતુ પહેલી વાર પ્રાથમિક શિક્ષણના ધોરણ 7ના બે પેપરની ચોરી થઈ છે. જેના કારણે આજે અને આવતીકાલે ધોરણ 7ની જે પરીક્ષા હતી તેને રદ્દ કરવામાં આવી છે. તળાજા નેસવડ શાળામાંથી પ્રશ્નપત્ર ચોરી થયાં હોવાની ફરિયાદ મોડી રાત્રે પોલીસ મથકે કરવામાં આવી હતી. 

ધોરણ7ના બે પ્રશ્ન પત્રની ચોરી થયાની ફરિયાદ લખાવાયાં બાદ તપાસ શરૂ કરી દેવામાં આવી છે. તેને પગલે આજે શુક્રવાર અને શનિવારના રોજની ધોરણ 7ની પરીક્ષા રદ્દ કરવાનો પરિપત્ર જાહેર કરવામા આવ્યો છે. મોડી રાત્રે આ પરિપત્ર જાહેર થતાં સમિતિની સ્કૂલમાં વહેલી સવારે જાણ થઈ હતી. 

હાલ પરીક્ષા ચાલી રહી હોવાથી શિક્ષકો અને વિદ્યાર્થીઓ સમયસર પરીક્ષા ખંડમાં આવી ગયાં હતા. ત્યારે ખબર પડી હતી કે આજે અને આવતીકાલે ધોરણ 7ની પરીક્ષા લેવામાં આવશે નહીં. વર્ગ ખંડમાં પહોંચ્યા બાદ પરીક્ષા રદ્દ થઈ હોવાની જાણ થતાં ભારે આશ્ચર્ય સર્જાયું હતું. જેના પગલે સ્કુલમાં વિદ્યાર્થીઓની હાજરી પુરી અને મધ્યાહ્ન ભોજનનો લાભ આપવામાં આવ્યો હતો. 

સુરતમાં 7 માધ્યમમાં શિક્ષણ આપવામાં આવે છે તેમાંથી ગુજરાતી માધ્યમના 25થી 30  હજારથી વધુ વિદ્યાર્થીઓની પરીક્ષા રદ્દ કરવામાં આવી છે. જ્યારે બાકીના વિદ્યાર્થીઓની પરીક્ષા રાબેતા મુજબ લેવામાં આવી રહી છે. આજે અને આવતીકાલે ધોરણ 7ની પરીક્ષા રદ્દ કરવામાં આવી છે. હવે સોમવારથી રાબેતા મુજબ પરીક્ષા લેવામાં આવશે. પહેલી વાર પ્રાથમિક  વિભાગ નું પ્રશ્નપત્ર ફુટ્યું હોવાથી સુરત સહિત સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યો છે.

April 15, 2022
jeeadv.png
1min724

જોઈન્ટ એન્ટ્રેસ એક્ઝામિનેશન (JEE) મેઇન્સ પરીક્ષાઓ એપ્રિલ અને મેની જગ્યાએ જૂન અને જુલાઇમાં યોજવાની જાહેરાતને કારણે હવે જેઇઇ એડવાન્સ્ડ 2022ની પરીક્ષાની તારીખોમાં ફેરફાર કરવાની ફરજ પડી છે. કેમકે જેઇઇ મેઇન્સના પરીણામને આધારે જ જેઇઇ એડવાન્સ્ડ પરીક્ષા માટે લાયકાત નિશ્ચિત થાય છે.

ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજી (IIT) બોમ્બે હવે 28 ઓગષ્ટના રોજ JEE Advanced 2022ની પરીક્ષા આયોજિત કરશે. અગાઉ આ પરીક્ષા 3 જુલાઈના રોજ આયોજિત થવાની હતી. 

JEE Advanced 2022 માટેની આવેદન પ્રક્રિયા 7થી 11 ઓગષ્ટ, 2022 દરમિયાન આયોજિત કરવામાં આવશે. એપ્લિકેશન ફીની ચુકવણી માટે 12મી ઓગષ્ટ તારીખ નિર્ધારીત કરવામાં આવી છે. જે પણ ઉમેદવારો JEE Advanced 2022માં સામેલ થવા ઈચ્છે છે તેઓ 23થી 28 ઓગષ્ટ 2022 દરમિયાન પોતાનું એડમિટ કાર્ડ JEE Advancedની સત્તાવાર વેબસાઈટ jeeadv.ac.in પર જઈને ડાઉનલોડ કરી શકે છે. 

JEE Advanced 2022ની પરીક્ષા સવાર અને બપોરની પાળીમાં આયોજિત થશે. સવારના 9:00થી બપોરના 12:00 વાગ્યા સુધી પેપર-1 અને બપોરના 2:30 વાગ્યાથી સાંજના 5:30 વાગ્યા સુધી પેપર-2 આયોજિત થશે. 

આગામી 11 સપ્ટેમ્બરના રોજ JEE Advanced 2022નું રિઝલ્ટ બહાર પાડવામાં આવશે. જાહેર કરવામાં આવેલા શિડ્યુઅલ પ્રમાણે 3 સપ્ટેમ્બરના રોજ પ્રોવિઝનલ આન્સર કી બહાર પાડવામાં આવશે અને ઉમેદવારો 3થી 4 સપ્ટેમ્બર દરમિયાન પ્રોવિઝનલ આન્સર કી અંગે વાંધો ઉઠાવી શકે છે. સપ્ટેમ્બરમાં પ્રોવિઝનલ આન્સર કી અને રિઝલ્ટ બહાર પાડવામાં આવશે. બેઠકની ફાળવણીની પ્રક્રિયા 12મી સપ્ટેમ્બરથી શરૂ થશે. 

આ બધા વચ્ચે 14 સપ્ટેમ્બરના રોજ આર્કિટેક્ચર એપ્ટિટ્યુડ ટેસ્ટ (AAT) 2022 આયોજિત કરવામાં આવશે અને 17 સપ્ટેમ્બર 2022ના રોજ પરિણામ બહાર પાડવામાં આવશે. AAT 2022 અરજી પ્રક્રિયા 11થી 12 સપ્ટેમ્બર સુધી આયોજિત કરવામાં આવશે. 

ઉમેદવારો સીધી આ લિંક https://jeeadv.ac.in/schedule.html પર ક્લિક કરીને પણ JEE Advanced 2022નું સમગ્ર શિડ્યુઅલ ચેક કરી શકે છે. 

April 13, 2022
degree.jpg
1min754
Dual Degree Education in India - Dr. Yaduvir Singh

સરકારે પહેલીજ વખત કોઈ પણ વિદ્યાર્થીને સમાંતર રીતે બે ફુલ ટાઇમ ડિગ્રી કોર્સ ભણવાની છૂટ આપી છે. બે ડિગ્રી પ્રોગ્રામ્સ એક જ યુનિવર્સિટીના હોય કે અલગ અલગ યુનિવર્સિટીના હોય તોયે સાથે ભણી શકે, એવી જાહેરાત યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશનના ચૅરમૅન એમ. જગદીશકુમારે કરી હતી. કમિશન તરફથી આ બાબતે વિગતવાર માર્ગદર્શક સૂચનાઓ શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૦૨૩ દરમ્યાન ઉપલબ્ધ કરાવવામાં આવશે.

એમ. જગદીશકુમારે Dt. 12/4/22, મંગળવારે એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે નવી શિક્ષણ નીતિમાં કરવામાં આવેલી જાહેરાત અને વિદ્યાર્થીઓને વધુ કૌશલ્યો હાંસલ કરવાની મોકળાશ આપવાના ઉદ્દેશથી યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન નવી માર્ગદર્શક સૂચનાઓ બહાર પાડશે. વિદ્યાર્થીઓ એક જ યુનિવર્સિટીની બે પદવીઓ કે બે જુદી યુનિવર્સિટીની પદવીઓ મેળવવા સમાંતર રીતે અભ્યાસ કરી શકશે. બન્ને કોર્સ ક્લાસરૂમમાં હાજરી (ઑફ્ફલાઇન)ના ધોરણે કે એક ઑફ્ફલાઇન અને એક ઑનલાઇનના ધોરણે અથવા બન્ને ઑનલાઇન કોર્સ ભણવાની વિદ્યાર્થીઓને છૂટ અપાશે.

April 12, 2022
cia_edu-1280x925.jpg
3min781

પ્યોર સાયન્સનો સંપૂર્ણ અભ્યાસ કરાવતા ચાર વર્ષના બેચલર ઓફ સાયન્સ (રિસર્ચ) અભ્યાસક્રમ આઠ સેમેસ્ટરમાં પૂર્ણ થાય છે. ચાર વર્ષના બેચલર ડિગ્રી પ્રોગ્રામને ઓનર્સ પણ કહેવામાં આવે છે. આ અભ્યાસક્રમમાં અંતિમ (આઠમું) સેમેસ્ટર ફક્ત સંશોધન પ્રોજેક્ટ માટે સમર્પિત છે.

ભારતને સૌથી વધુ જરૂર રિસર્ચ કરનારા લોકોની છે અને ભારત સરકાર સૌથી વધુ પ્રોત્સાહન પણ રિસર્ચ ફેલોને આપી રહી છે. ધો.12 પછી બાયોલોજી કે મેથ્સ ગ્રુપમાં અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓએ રિસર્ચ ફિલ્ડમાં કારકિર્દી ઘડવા માટે આ કોર્સમાં જવું જોઇએ.

Indian Institute of Science (IISc) Employees, Location, Alumni | LinkedIn
IISc Bangluru Campus..

બેચલર ઑફ સાયન્સ (સંશોધન) B.S. Research પ્રોગ્રામમાં નીચેની મુખ્ય શાખાઓ ઉપલબ્ધ છે: બાયોલોજી

  • રસાયણશાસ્ત્ર Chemistry
  • પૃથ્વી અને પર્યાવરણ વિજ્ઞાન Earth and environment
  • સામગ્રી Material Science
  • ગણિત Mathematics
  • ભૌતિકશાસ્ત્ર Physics

ઉપરોક્ત કોઈપણ વિદ્યાશાખામાં વિશેષતા ધરાવતા વિદ્યાર્થીઓએ પસંદ કરેલા ફિલ્ડમાં મુખ્ય (મેજર) અને વૈકલ્પિક (ઓપ્શનલ) વિષયો પસંદ કરવાના રહે છે. તેઓ સારી રીતે ગોળાકાર શિક્ષણ અનુભવ માટે એન્જિનિયરિંગ, માનવતા અને આંતરશાખાકીય ક્ષેત્રોમાં અભ્યાસક્રમો પણ લેશે. જ્યારે વિદ્યાર્થી એક મુખ્ય વિદ્યાશાખામાં નિષ્ણાત હોય છે, ત્યારે તે અન્ય વિદ્યાશાખાઓમાં અભ્યાસક્રમો લઈને તેના/તેણીના જ્ઞાન અને કૌશલ્યોને પણ વિસ્તૃત કરી શકે છે. વિદ્યાર્થીઓ કે જેઓ તેમના મુખ્ય સિવાયની કોઈ ફિલ્ડમાં પર્યાપ્ત સંખ્યામાં પસંદગીના અભ્યાસક્રમો લે છે તો તેમને માન્યતા આપવામાં આવે છે. વિદ્યાર્થી દ્વારા પસંદ કરવામાં આવેલા વિષયોનું સંયોજન તેની/તેણીના અંતિમ ટ્રાન્સક્રિપ્ટમાં સૂચિબદ્ધ કરવામાં આવશે.

પ્રવેશ રજિસ્ટ્રેશન માટે આ લિંકનો ઉપયોગ કરોઃ https://admissions.iisc.ac.in/

Important Dates

Commencement of submission of online applications:01-04-2022
Last date for submission of online applications:31-05-2022

સેમેસ્ટર 1, 2 અને 3:

પ્રથમ ત્રણ સેમેસ્ટર દરમિયાન વૈજ્ઞાનિક, ગાણિતિક અને ઈજનેરી સિદ્ધાંતોનું વ્યવસ્થિત એક્સપોઝર થશે. આ દરેક સેમેસ્ટરમાં, વિદ્યાર્થીઓ ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, ગણિત, જીવવિજ્ઞાન, એન્જિનિયરિંગ અને માનવશાસ્ત્રમાં પ્રત્યેક એક કોર્સ લેશે. વિજ્ઞાન અને એન્જિનિયરિંગના ફરજિયાત મુખ્ય અભ્યાસક્રમોના શિક્ષણમાં પ્રયોગશાળાના પ્રદર્શનો અને હાથ પરના પ્રયોગોના નોંધપાત્ર ઘટકોનો સમાવેશ થશે. વિદ્યાર્થીઓને માનવતાના અભ્યાસક્રમોથી પણ પરિચિત કરવામાં આવશે જે તેમને વિજ્ઞાન અને સમાજ માટે તેની અસરોની પ્રશંસા કરવામાં મદદ કરશે અને નિષ્ણાતો અને સામાન્ય લોકો બંને સાથે વિજ્ઞાનની વાતચીતમાં તેમની કુશળતાને વધુ તીવ્ર બનાવશે.

સેમેસ્ટર 4, 5 અને 6:

ચોથા સેમેસ્ટરની શરૂઆતમાં, દરેક વિદ્યાર્થી તેની/તેણીની શૈક્ષણિક રુચિ અનુસાર વિશેષતા (“મેજર”) માટે એક ફિલ્ડ પસંદ કરવાનું રહેશે. નીચેની વિશેષતાઓ ઉપલબ્ધ છે: (1) જીવવિજ્ઞાન (2) રસાયણશાસ્ત્ર (3) પૃથ્વી અને પર્યાવરણ વિજ્ઞાન (4) સામગ્રી (5) ગણિત (6) ભૌતિકશાસ્ત્ર. આ તમામ વિશેષતાઓ આંતરશાખાકીય છે અને અન્ય વિદ્યાશાખાઓમાં પર્યાપ્ત એક્સપોઝર હશે. દરેક વિદ્યાશાખામાં વિદ્યાર્થીઓની સંખ્યા લગભગ સમાન હશે. વિદ્યાર્થીની શૈક્ષણિક રુચિઓ અને પ્રથમ ત્રણ સેમેસ્ટરમાં તેનું પ્રદર્શન બંનેને મુખ્ય શિસ્ત સોંપવામાં ધ્યાનમાં લેવામાં આવશે. “મેજર” ફિલ્ડ ઉપરાંત, વિદ્યાર્થી “માઇનોર” ફિલ્ડ પણ પસંદ કરી શકે છે. આ દરેક સેમેસ્ટરમાં, વિદ્યાર્થીઓ સામાન્ય રીતે પસંદ કરેલ મેજર અને માઇનોર શાખાઓમાં ચાર અભ્યાસક્રમો લેશે; તેઓ એન્જિનિયરિંગનો એક વૈકલ્પિક અભ્યાસક્રમ અને માનવતામાં એક સેમિનાર અભ્યાસક્રમ પણ લેશે.

સેમેસ્ટર 7 અને 8: અદ્યતન વૈકલ્પિક અભ્યાસક્રમો સાથે સાતમા સેમેસ્ટરમાં સંશોધન પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે. અંતિમ સેમેસ્ટર ફક્ત પ્રોજેક્ટને જ સમર્પિત કરવામાં આવશે. પ્રોજેક્ટ પસંદ કરેલ મુખ્ય શિસ્ત અથવા આંતરશાખાકીય વિષયમાં હોવો જોઈએ જે મુખ્ય શિસ્ત સાથે નોંધપાત્ર રીતે ઓવરલેપ થાય છે. તમામ વ્યાખ્યાન અભ્યાસક્રમો IISc ફેકલ્ટી દ્વારા શીખવવામાં આવશે જેઓ તેમના સંશોધન અને સ્નાતક તાલીમના સમૃદ્ધ અનુભવને અંડરગ્રેજ્યુએટ સ્તરે શિક્ષણ પર સહન કરવા માટે લાવશે. માર્ગદર્શન અને ટ્યુટોરિયલ્સ IISc ખાતે અંડરગ્રેજ્યુએટ અનુભવના બે મહત્વપૂર્ણ પાસાઓ હશે. લેક્ચર કોર્સ ટ્યુટોરિયલ્સ સાથે હશે જેમાં IISc ના અનુસ્નાતક વિદ્યાર્થીઓ ફેકલ્ટી સભ્યોની દેખરેખ હેઠળ વિદ્યાર્થીઓને મદદ કરશે. અનુસ્નાતક વિદ્યાર્થીઓ પણ પ્રયોગશાળાના વર્ગો ચલાવવામાં સામેલ થશે. જે વિદ્યાર્થીઓ બેચલર ઓફ સાયન્સ (સંશોધન) ડિગ્રી પુરસ્કાર માટે તમામ આવશ્યકતાઓને પૂર્ણ કરે છે તેમની પાસે પાંચમા વર્ષ માટે સંસ્થામાં અભ્યાસ કરીને માસ્ટર ઑફ સાયન્સ ડિગ્રી મેળવવાનો વિકલ્પ હોય છે. અંડરગ્રેજ્યુએટ પ્રોગ્રામમાં હાલમાં ઉપલબ્ધ છ મુખ્ય શાખાઓમાં માસ્ટર ઑફ સાયન્સ ડિગ્રી એનાયત કરવામાં આવશે. માસ્ટર ઓફ સાયન્સ પ્રોગ્રામ માટે પસંદગી કરતા વિદ્યાર્થીઓ પાંચમા વર્ષના અંતે બેચલર ઓફ સાયન્સ (સંશોધન) અને માસ્ટર ઓફ સાયન્સ ડિગ્રી બંને મેળવશે જો તેઓ માસ્ટર ઓફ સાયન્સ ડિગ્રી પુરસ્કાર માટે તમામ આવશ્યકતાઓને પૂર્ણ કરે.

April 10, 2022
cia_edu-1280x925.jpg
1min726

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) ના તાજેતરના નિર્દેશો મુજબ, જે વિદ્યાર્થીઓ ચાર વર્ષની (ઓનર્સ) ગ્રેજ્યુએટ  ડિગ્રી પૂર્ણ કરે છે તેઓ તેમના ઇચ્છિત પસંદગીના કોર્સમાં પીએચડી (ડોક્ટરેટ) ડિગ્રી મેળવવા માટે સીધી અરજી કરી શકશે. આ નિર્ણયને કારણે વિદ્યાર્થીઓને સંશોધન ઇકોસિસ્ટમમાં પ્રવેશવામાં બે વર્ષ જેટલો અમૂલ્ય સમય બચશે. ઓછા સમય તેઓ શિક્ષણ જગતની સર્વોચ્ચ પદવી પ્રાપ્ત કરી શકશે. અગાઉની સિસ્ટમ મુજબ, વિદ્યાર્થીઓએ પીએચડી કરતા પહેલા પીજી પૂર્ણ કરવા માટે બે વર્ષ ફાળવવા પડતા હતા. દિલ્હી યુનિવર્સિટી અને જેએનયુ જેવી કેન્દ્રીય યુનિવર્સિટીઓએ ભૂતકાળમાં એમફિલની ડિગ્રી રદ કરી છે.

આરપી તિવારી, સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ પંજાબના વાઇસ ચાન્સેલર કહે છે, “ઓનર્સ ડિગ્રી એટલે કે ચાર વર્ષના ગ્રેજ્યુએશન પછી પીએચડી કરી શકાય એ સંદર્ભના યુજીસીના આ નિર્ણયથી ઉચ્ચ શિક્ષણ ઇકો સિસ્ટમમાં ફરજિયાત વિતાવવા પડતા વર્ષોની સંખ્યામાં ઘટાડો થશે. પીએચડી પૂર્ણ કરવા માટેનો લઘુત્તમ સમયગાળો પણ ત્રણથી ઘટાડીને બે વર્ષ કરવામાં આવ્યો છે. જો કે, પીએચડી પૂર્ણ કરવા માટે મહત્તમ વર્ષ છ વર્ષ તરીકે યથાવત છે.

અગાઉના નીતિ નિયમો મુજબ વિદ્યાર્થીઓએ ત્રણ વર્ષની સ્નાતકની ડિગ્રીનો અભ્યાસ સફળતાપૂર્વક પૂર્ણ કરવો પડતો એ પછી બે વર્ષની પીજી ડિગ્રી પાસ કરવી પડતી અને તે પછી જ તેઓ ડોક્ટરેટ ડિગ્રી મેળવવા માટે લાયક બનતા હતા. NEP 2020માં હિમાયત કરવામાં આવી છે કે ચાર વર્ષની સ્નાતકની ડિગ્રી ધરાવતા સ્નાતકોને પીએચડી પ્રોગ્રામ માટે સીધી અરજી કરવાની મંજૂરી આપવામાં આવે.

“વિદ્યાર્થીઓ ચાર વર્ષમાં UG ડિગ્રી મેળવશે તે જ્ઞાનનું પ્રમાણ આવશ્યક છે કારણ કે તે એક મજબૂત શૈક્ષણિક પાયો નાખશે. આનાથી વિદ્યાર્થીઓને ફાયદો થશે જ્યારે તેઓ ચાર વર્ષ પછી પીએચડી કરશે. સ્નાતકની ડિગ્રીનું ચોથું વર્ષ મુખ્યત્વે સંશોધન ક્ષેત્રને સમર્પિત છે, જે UG સ્તરે જ વિદ્યાર્થીઓને સંશોધનનું એક્સપોઝર આપશે. જો કે, વિદ્યાર્થીઓના એક વર્ગને લાગે છે કે તેઓને તેમની ચાર વર્ષની UG ડિગ્રીમાં સંશોધન ડોમેન માટે જરૂરી એક્સપોઝર મળ્યું નથી, તેમને PGમાં એક વર્ષ આગળ વધવાની અને પછી PhD પ્રોગ્રામમાં જોડાવાની છૂટ હોવી જોઈએ,” એમ આર.પી. તિવારી સમજાવે છે.

આ સિસ્ટમ વિવિધ શીખનારાઓની જરૂરિયાતોને પહોંચી વળવા માટે સ્થાપિત સિસ્ટમ હોવી જોઈએ. આ નિર્ણયને લીધે, PG કોર્સમાં નોંધણી ઘટશે, પરંતુ તે ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો (GER) પર અસર કરશે નહીં,” તિવારી વધુમાં ઉમેરે છે.

અનિલ જોસેફ પિન્ટો, રજિસ્ટ્રાર, ક્રાઇસ્ટ યુનિવર્સિટી, બેંગ્લોર, કહે છે, “UGC દ્વારા લેવાયેલો નિર્ણય વિજ્ઞાનના વિદ્યાર્થીઓ માટે ફાયદાકારક રહેશે, જેઓ તેમના 20 ના દાયકાની શરૂઆતમાં સંશોધનમાં સક્રિયપણે નોંધણી કરાવી શકે છે. સંશોધન ઇકોસિસ્ટમમાં વહેલા પ્રવેશવાથી, વિદ્યાર્થીઓને વધુ સારી પાયો મળશે.” જો કે, હવે મૂળભૂત અને સામાજિક વિજ્ઞાનના મોટાભાગના માસ્ટર પ્રોગ્રામ્સમાં નોંધણીમાં ઘટાડો જોવા મળશે. પિન્ટો ઉમેરે છે કે યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાની ટોચની યુનિવર્સિટીઓમાં આ પ્રકારની સિસ્ટમ અનુસરવામાં આવે છે.