CIA ALERT
29. April 2024

એન.આર.આઇ. Archives - Page 3 of 3 - CIA Live

May 22, 2018
ausi_india.jpg
1min10820

પહાડો વચ્ચેની જગ્યા કૂદી જઈને સેલ્ફી લેવામાં નીચે પટકાતા મોત

‘અંકિતને દરેક સ્થળે સેલ્ફી લેવાનો ક્રેઝ હતો’

ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરતા એક ભારતીય વિદ્યાર્થીને સેલ્ફી લેવાનું મોંઘું પડી ગયું હતું. સેલ્ફી લેવાના ચક્કરમાં તેણે પોતાનો જીવ ગુમાવી દીધો છે. ૨૦ વર્ષીય અંકિત નામના આ વિદ્યાર્થીએ પશ્ચિમી ઓસ્ટ્રેલિયામાં એક જાણીતા પ્રવાસન સ્થળે સેલ્ફી લેવાનું શરૂ કર્યું હતું. તે પહાડો પર ચઢ્યો હતો અને તેના ખડકો વચ્ચેની જગ્યાને કૂદી જઈને દોડી રહ્યો હતો. એવામાં તે ૪૦ ફૂટ નીચે સમુદ્ર કિનારે રહેલા ખડકોમાં ખાબક્યો હતો અને તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

ઐતિહાસિક બંદર એલ્બાની પાસે આ ઘટના બની હતી. મૃતક વિદ્યાર્થી એ સમયે તેના મિત્રો સાથે હતો. તે પર્થમાં અભ્યાસ કરી રહ્યો હતો અને ગુરૂવારે પોતાના મિત્રો સાથે સેલ્ફી લેવાના પ્રયાસમાં પહાડ પર ચઢીને દોડી રહ્યો હતો. એ સમયે પગ લપસી જતા તે સીધો જ ૪૦ ફૂટ નીચે પટકાયો હતો. સર્ચ અભિયાનમાં એક કલાક બાદ તેની લાશ મળી હતી. તેના મિત્રએ કહ્યું હતું, ‘અંકિત ફોટો લેતી વખતે સાવધ હતો પણ અચાનક તેનો પગ લપસી ગયો હતો.

May 21, 2018
Ahmedabad-airport.png
1min10640

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટિક એરપોર્ટ પર પ્રવાસીઓની સંખ્યામાં દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે. છેલ્લા એક વર્ષમાં પ્રવાસીઓની સંખ્યામાં ૧૮.૫૦ લાખનો વધારો થયો છે.

દેશના અતિ વ્યસ્ત એરપોર્ટ પૈકીના એક એવા અમદાવાદ એરપોર્ટ પર મુસાફરોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. અમદાવાદ એરપોર્ટની વધેલી કનેક્ટિવિટી અને સસ્તી ટિકિટને લઈને ચાલુ વર્ષે અમદાવાદ એરપોર્ટ પરથી મુસાફરી કરનારા મુસાફરોની સંખ્યામાં ૧૮.૫૦ લાખનો વધારો થયો છે. વર્તમાન સમયે બિઝનેસમેન કે પછી અન્ય વ્યવસાયિકોને ઝડપથી એક સ્થળેથી બીજા સ્થળે પહોંચી જવું હોય છે. જેને માટે તેઓ હવે ફ્લાઈટની પહેલી પસંદગી કરી રહ્યા છે. જોકે, આ મુસાફરોની વધતી જતી સંખ્યાને લઈને એરપોર્ટ તથા એરક્રાફ્ટ સર્વિસ પ્રોવાઈડર કંપનીઓને ઘણો ફાયદો થઈ રહ્યો છે.

અમદાવાદ એરપોર્ટ પરથી વર્ષ ૨૦૧૬-૧૭માં ૭૩.૨૩ લાખ મુસાફરોએ મુસાફરી કરી હતી જ્યારે ૧૭-૧૮માં મુસાફરોની સંખ્યા વધીને ૯૧.૭૪ લાખ પહોંચી ગઈ છે. એક જમાનો એવો હતો કે વિમાનમાં મુસાફરી કરવી તે લક્ઝરી ગણાતી અને સમાજમાં એક સ્ટેટસ ગણાતું હતું.

ઘણા લોકો એવા હતા અને હાલમાં પણ છે કે જેમણે ક્યારેય વિમાનમાં મુસાફરી ન કરી હોય. હવે પરિસ્થિતિ બદલાઈ રહી છે. એરલાઈન્સ કંપનીઓ વધી રહી છે. જેમની વચ્ચેની તીવ્ર હરીફાઈમાં મુસાફરોને ફાયદો થઈ રહ્યો છે.

હાલ અમદાવાદથી રોજની ૮૫થી વધુ ડોમેસ્ટિક ફ્લાઈટના આવાગમન થઈ રહ્યા છે. તેવી જ રીતે ઈન્ટરનેશનલ ફ્લાઈટની સંખ્યા પણ વધી રહી છે. આ ઉપરાંત, દુનિયાનાં ઘણાં સ્થળોએ અમદાવાદથી સીધા જ પહોંચી શકાય છે. જ્યારે દેશના તો લગભગ તમામ મોટાં શહેરોની અમદાવાદથી કનેક્ટિવિટી મળી રહે છે. જે પણ મુસાફરો વધવા માટેનું એક જવાબદાર કારણ છે.

લક્ઝુરિયસ ટ્રેન અને વોલ્વો સહિતની એસી, સ્લીપર કોચ લકઝરીની ટિકિટના ભાવમાં જ હવે ઈકોનોમિક ફ્લાઈટની ટિકિટો મળી રહી છે. વેકેશન કે મહત્ત્વના દિવસોને બાદ કરતાં અમદાવાદ-મુંબઈ વચ્ચેની ફ્લાઈટની ટિકિટ ૧૩૦૦ -૧૫૦૦માં જ મળી રહેતી હોવાથી લોકો હવે ટ્રેન અને લકઝરીમાં કલાકોનો સમય વેડફવાને બદલે ફ્લાઈટમાં મુસાફરી કરવાનું પસંદ કરી રહ્યા છે.

અમદાવાદ એરપોર્ટ ઓથોરિટીની વેબસાઈટની આંકડાકીય માહિતી મુજબ વર્ષ ૨૦૧૭-૧૮માં અમદાવાદ એરપોર્ટ પરથી કુલ ૯૧,૭૪,૪૨૫ મુસાફરોનું આવાગમન થયું છે. સમારકામ બાદ એરપોર્ટ પર મુસાફરોની સુવિધા માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

May 21, 2018
mehul-choksi-in-house.jpg
1min8310

ડાયમન્ડના વેપારી નીરવ મોદી અને મેહુલ ચોકસી પર PNBમાં ૧૩,૬૦૦ કરોડ રૂપિયાના કૌભાંડનો આરોપ

PNB કૌભાંડમાં CBIએ બીજી ૧૨,૦૦૦ પાનાંની ચાર્જશીટ ફાઇલ કરી છે.
CBIએ આ કેસમાં ૫૦ લોકોનાં સ્ટેટમેન્ટ લીધાં છે. ચાર્જશીટમાં ગીતાંજલિ જેમ્સ, ગિલી ઇન્ડિયા અને નક્ષત્ર બ્રૅન્ડ જેવી ત્રણ કંપનીઓનાં નામ છે.

બીજી ચાર્જશીટમાં PNBને થયેલા ૭૦૦૦ કરોડ રૂપિયાના નુકસાનનો અંદાજ છે. એના એક દિવસ પહેલાં જ PNBએ ચોથા ત્રિમાસિક ગાળામાં ૧૩,૪૧૭ કરોડનું નુકસાન બતાવ્યું છે. CBIએ સોમવારે પણ એક ચાર્જશીટ ફાઇલ કરી હતી.

અગાઉની ચાર્જશીટમાં ધરપકડ કરવામાં આવેલા ૧૯ લોકોનાં નામ હતાં. એમાં નીરવ મોદીની પત્ની અમી મોદીનું પણ નામ હતું. ચાર્જશીટમાં PNBનાં MD તેમ જ CEO ઉષા અનંતસુબ્રમણ્યમનું પણ નામ હતું. ઉષા હાલમાં અલાહાબાદ બૅન્કનાં MD તેમ જ CEO છે. બૅન્કના ર્બોડે તેમના દરેક અધિકારી છીનવી લીધા છે.

May 19, 2018
1min3670

પાલિકાની સિટીબસે સોમવારે વેસુ પાસે અત્યંત ગંભીર અકસ્માત સર્જ્યો હતો, બીઆરટીએસની લેનમાંથી નીકળતી વખતે બસના ડ્રાઇવરે ઝડપને બિલકુલ કંટ્રોલ કરી નહતી. એવામાં જંકશન ઉપર રોડ ક્રોસ કરતાં બાઈકસવારને અડફેટમાં લીધો હતો. બહેનને પાછળ બેસાડીને જતા બાઈકસવારનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મોત નીપજ્યું હતું.

જ્યારે પાછળ બેઠેલી બહેન ફંગોળાઈને રસ્તા ઉપર પટકાતા તેને માથામાં ગંભીર ઇજા પહોંચી હતી અને તેની પણ હોસ્પિટલમાં હાલત કટોકટ હોવાનું જાણવા મળ્યુ હતું.

March 7, 2017
1200px-Western_India
1min1403

નર્મદા યોજના પેટે નીકળતી આ રકમની વસૂલી માટે ગુજરાત સરકારે છેલ્લાં બે વર્ષમાં વિનંતી કરતા પત્રો લખ્યા હોવા છતાં દાળ નથી ગળી