CIA ALERT

ઇન્ટરનેશનલ Archives - Page 41 of 51 - CIA Live

February 19, 2019
suratairport1.jpg
2min18540

સુરત એરપોર્ટ પરથી હવે દેશના અન્ય ભાગોને જોડતી એટલી બધી ફ્લાઇટ્સ આવવા માંડી છે કે કઇ ફ્લાઇટ્સ ક્યારે આવે છે અને ક્યારે ઉપડે છે તે અંગે પણ મુલાકાતીઓ, સુરતના લોકોને ગૂંચવાડો થવા માંડ્યો છે. સી.આઇ.એ. લાઇવ ન્યુઝ પોર્ટલ હવે નિયમિત રીતે સુરત એરપોર્ટની ફ્લાઇટ્સના શિડ્યુલની સત્તાવાર માહિતી રજૂ કરશે. અહીં અમે સુરત એરપોર્ટરથી ઉપડી અને આવતી ડોમેસ્ટિક ફ્લાઇટ્સ તેમજ એકમાત્ર ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ સુરત શારજાહની ફ્લાઇટના સત્તાવાર ટાઇમ ટેબલ રજૂ કર્યા છે.

સુરત એરપોર્ટ પરથી ઉપડતી ડોમેસ્ટીક ફ્લાઇટ્સનું સમયપત્રક

Domestic Departures

Winter Schedule – Effective from 28th October 2018 to 30th March 2019

Updated on 1st February,2019
Flight Schedule - Domestic Departures

Surat International Airport – Winter Schedule – Effective from 28th October 2018 to 30th March 2019

સુરત એરપોર્ટ પર દેશના વિવિધ એરપોર્ટસ પરથી આવતી ફ્લાઇટ્સનું સમયપત્રક

Domestic Arrivals

Winter Schedule – Effective from 28th October 2018 to 30th March 2019

Updated on 1st February, 2019

Flight Schedule - Domestic Arrivals
Surat International Airport – Winter Schedule – Effective from 28th October 2018 to 30th March 2019

International Departures

Winter Schedule – Effective from 28th October 2018 to 30th March 2019

Updated on 1st February,2019

Surat International Airport - International Departure Schedule

Surat International Airport [STV] – Direct & Connecting International Departures

NOTE:

The above Time Table has been compiled based on Flight Schedules published by the Airlines, as required of a Scheduled Operator.

Please note despite of a detailed schedule announced weeks in advance, intermittent changes are very likely to happen & it is subject to changes as per the Airlines and approvals by the Regulatory Authority

February 5, 2019
facebook.jpeg
8min14810

ફેસબુકના સ્થાપક માર્ક ઝુકરબર્ગ 15 વર્ષ પહેલા કોલેજના દોસ્તો સાથે સંપર્કમાં રહી શકાય એ માટે નેટવર્ક સ્થાપ્યું હતું, આજે 232 કરોડ લોકો ફેસબુકના બંધાણી થઇ ગયા છે, વિશ્વમાં સૌથી શક્તિશાળી માધ્યમ બન્યું છે ફેસબુક

(ફાઇલ ફોટો)

દુનિયાભરમાં 232 કરોડ યુઝરવાળી ફેસબુક (એફબી)એ સોમવારે, તા.4 ફેબ્રુઆરી 2019ના રોજ 15 વર્ષ પૂરાં કરી લીઘા છે. ફેસબુકના સ્થાપક માર્ક ઝકરબર્ગે પોતાની કોલેજના શરૂઆતી દિવસો દરમિયાન સ્ટુડન્ટ્સના નેટવર્કિંગ માટે ફેસબુક સોફ્ટવેયર બનાવ્યો હતો, જે ધીમે ધીમે એટલો પ્રચલિત બની ગયો કે આજે માધ્યમની કુલ કિંમત રૂ. 34 લાખ કરોડ રૂપિયાની કંપની છે.

ફેસબુકના લોન્ચિંગના 2 વર્ષ પછી યાહૂએ તેને 7100 કરોડ રૂપિયામાં ખરીદવાની ઓફર આપી હતી, પરંતુ એફબીના ફાઉન્ડર માર્ક ઝુકરબર્ગને લાગ્યું કે યાહુએ વેલ્યુ ઓછી આંકી છે, એટલે ડીલ કરવાનો ઇન્કાર કરી દીધો હતો.

ફેસબુકની હાલની વેલ્યુ આજે યાહૂની પેરેન્ટ કંપની વેરિઝોન કોમ્યુનિકેશન્સ કરતા બેગણ છે. વેરિઝોનની માર્કેટ કેપ 16 લાખ કરોડ રૂપિયા છે. તેણે 2017માં યાહૂને 34,080 કરોડ રૂપિયામાં ખરીદી લીધી હતી.

  • દુનિયામાં ટાઇમ પાસિંગનું એવું માધ્યમ બન્યું કે લોકો એકલા એકલા કલાકો ફેસબુક પર વિતાવી રહ્યા છે
  • દુનિયામાં ગ્રીટ (શુભેચ્છા) આપવા માટેનું સૌથી સસ્તું માધ્યમ અને હાથવગું માધ્યમ બન્યું
  • 100 કરોડથી વધુ લોકો ફેસબુકના માધ્યમથી રૂપિયા કમાઇ રહ્યા છે
  • ઓછામાં ઓછા 10 કરોડથી વધુ લોકોને ફેસબુકએ જીવન સાથી અપાવવામાં મદદ કરી

Daily Active Users

  • 1 280 Million
  • Outside USA 85 %

Monthly Active Users

  • All Users 1 940 Million
  • Mobile Users 92 %

Facebook Pages Stats in India

1
country image

Narendra Modi INDIA

Total Fans

43 393 618

2
country image

Priyanka Chopra INDIA

40 027 879
3
country image

Virat Kohli INDIA

37 207 026
4
country image

Salman Khan INDIA

36 375 827
5
country image

Deepika Padukone INDIA

34 347 644
6
country image

Amitabh Bachchan INDIA

30 363 059
7
country image

Laughing Colours INDIA

29 851 644
8
country image

Yo! Yo! Honey Singh INDIA

29 741 941
9
country image

Shah Rukh Khan INDIA

29 522 954
10
country image

Indian Cricket Team INDIA

28 852 099

 

February 4, 2019
ausi-flood2.jpg
1min653

સદીના સૌથી ભયાનક પૂરની અસર હેઠળ ઇશાન ઑસ્ટ્રેલિયામાં ભારે તારાજી થઇ છે અને તેને કારણે ઠેર ઠેર રસ્તાઓ નદીઓમાં ફેરવાઇ ગયા છે અને હજારો લોકોને પોતાનાં ઘરો છોડીને નીકળી જવાની ફરજ પડી છે.

હજી તો આગામી દિવસોમાં ભારે વરસાદ અને વાવંટોળની આગાહી કરવામાં આવી છે.

વર્ષના આ સમયે ઑસ્ટ્રેલિયાના ઉત્તરના વિસ્તારોમાં ભારે વરસાદ પડે છે પરંતુ આ વર્ષે વધુ વરસાદ પડ્યો છે અને તેને કારણે પૂરની સ્થિતિ સર્જા છે.

ક્વીન્સલૅન્ડના ટાઉન્સવિલે શહેરના હજારો રહેવાસીઓ અત્યારે વીજળી વિના અંધારપટમાં છે અને રસ્તાઓ પર પૂરનાં પાણીઓ ફરી વળ્યાં હોવાથી તેમનો શેષ વિશ્ર્વ સાથેનો સંપર્ક પણ તૂટી ગયો છે.

અહીંની વેધશાળાએ એવી આગાહી કરી છે કે હજી હવામાન બગડશે અને તેને કારણે આગામી દિવસોમાં ઉગ્ર વાવંટોળ ફૂંકાવાની તથા ભારે વરસાદ પડવાની પણ આશંકા છે. જો અત્યારનો વરસાદ ચાલુ રહે તો ૨૦ હજારથી વધુ ઘરોમાં પાણી ભરાઇ જવાની શક્યતા છે.

લશ્કરના જવાનો પૂરગ્રસ્તોને પૂરતા પ્રમાણમાં રેતીની ગુણીઓ પૂરી પાડી રહ્યા છે. ક્વીન્સલૅન્ડના વડા પ્રધાન એનાસ્ટાશિયા પલાસઝકે એવી ચેતવણી આપી હતી કે આ કાંઈ બે દાયકામાં આવતા પૂર નથી પણ આ તો સદીમાં એક જ વાર જોવા મળતા પૂર છે.

વેધશાળાએ કહ્યું હતું કે વરસાદી ચક્ર અત્યારે ક્વીન્સલૅન્ડ પર સ્થિર થયું છે અને અમુક વિસ્તારોમાં દિવસોમાં જ આખા વર્ષ જેટલો વરસાદ પડવાની શક્યતા છે.

 

February 3, 2019
snow_us.jpg
1min10220

અમેરિકાના અમુક ભાગમાં હિમપ્રકોપના કારણે નદીઓ, તળાવ તમામ જળાશયો થીજી ગયાં છે અને તાપમાન -40 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. હિમવર્ષા અને બર્ફિલા પવનનાં કારણે જનજીવન પ્રભાવિત થયું છે અને લોકો રોજિંદા કામ પણ કરી શકતા નથી. ઉત્તર ધ્રુવ તરફથી ફૂંકાઈ રહેલા બર્ફિલા ચક્રવાતના કારણે અમેરિકાનો એક મોટો હિસ્સો બરફની ચાદરમાં લપેટાઈ ગયો છે.

‘દેશના મધ્ય અને પશ્ચિમી રાજ્યોમાં સૌથી વધુ અસર જોવા મળી રહી છે. આ પરિસ્થિતિને પોલર વોર્ટેક્સ કહેવામાં આવે છે અને એવું અનુમાન છે કે પોલર વોર્ટેક્સની અસર ધરાવતા અમેરિકાના વિસ્તારો અત્યારે દુનિયાના સૌથી ઠંડા પ્રદેશમાંથી એક બન્યા છે. શૂન્યથી 40 ડિગ્રી નીચે તાપમાન જતાં ઘરોની પાઈપલાઈનમાં પાણી જામી ગયું છે અને વોશરૂમમાં પણ બરફનાં પડ બની ગયાં છે. આટલું જ નહીં ચૂલા ઉપરથી ગરમ પાણી ઉતારતાના ગણતરીના સમયમાં બરફમાં તબદીલ થઈ રહ્યું છે. સોશિયલ મીડિયામાં પણ હિમપ્રકોપની ઘટનાઓ વાયરલ થઈ રહી છે. ઘણાં સ્થળોએ રેલવે ટ્રેક ઉપર બરફ જામી જતા ટ્રેક ઉપર સતત આગ લગાડવામાં આવી રહી છે અને બરફ ઓગાળવામાં આવી રહ્યો છે.

January 31, 2019
CIA_Live_Logo_New2.jpg
1min8780

અમેરિકન ગૃહવિભાગે એક સ્ટિંગ ઓપરેશન પછી 200થી વધુ ભારતીય વિદ્યાર્થીઓની અટકાયત કરી છે. 8 રિક્રૂટર્સને પણ પકડવામાં આવ્યા છે. આ ઉપરાંત 600 અન્ય વિદ્યાર્થીઓ વિરુદ્ધ વોરંટ જાહેર કરવામાં આવ્યો છે. આ તમામ પર ઇમિગ્રેશન નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ છે. રિપોર્ટ્સ પ્રમાણે, અમેરિકામાં માન્ય દસ્તાવેજો વિના રહેતા લોકોને પકડવા માટે ગૃહવિભાગે એક ફેક યુનિવર્સિટી બનાવી હતી. તેના દ્વારા પહેલા વિદ્યાર્થીઓની ઓળખ કરવામાં આવી અને પછી તેમને અટકાયતમાં લેવામાં આવ્યા. અમેરિકા ટુંક સમયમાં આ વિદ્યાર્થીઓને ડિપોર્ટ કરી શકે છે.

વિદ્યાર્થીઓને અટકાયતમાં લેવાની વાત સૌથી પહેલા અમેરિકન તેલુગુ એસોસિયેશન(એટીએ) તરફથી આવી. આ ઉત્તરી અમેરિકામાં તેલુગુ મૂળના લોકોનું સંગઠન છે. એટીએએ ફેસબુક પોસ્ટમાં જણાવ્યું કે તેમની સામે આ મામલો અટકાયતમાં લેવામાં આવેલા વિદ્યાર્થીઓના અંગતજનો અને સંબંધીઓ દ્વારા આવ્યો.

અમેરિકન કસ્ટમ એજન્ટ્સે ઇમિગ્રેશન ફ્રોડને પકડનારા ઓપરેશનને ‘પેપરચેઝ’ નામ આપ્યું. યુનિવર્સિટીમાં 2017 પછીથી ગૃહવિભાગના અંડરકવર અધિકારીઓને રાખવામાં આવ્યા હતા, જે આરોપીઓની ઓળખ કરવામાં લાગ્યા હતા. વિદ્યાર્થીઓ ઉપરાંત ભારતીય મૂળના આઠ એજ્યુકેશનલ કન્સલ્ટિંગ એજન્ટ્સને પણ કસ્ટમ ડિપાર્ટમેન્ટે કસ્ટડીમાં રાખ્યા છે.

ફેસબુક પર એટીએની પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે 2015ની શરૂઆતમાં આ યુનિવર્સિટીને અંડરકવર ઓપરેશન હેઠળ શરૂ કર્યું હતું. તેનો ઉદ્દેશ ઇમિગ્રેશન ફ્રોડ સાથે જોડાયેલા લોકોને પકડવાનો હતો. એટીએનું કહેવું છે કે વિદ્યાર્થીઓ તરફથી મદદની અપીલ પછી સંગઠને અલગ-અલગ શહેરોમાં હાજર પોતાની ટીમોને કામ પર લગાવી દીધી છે. એટીએની લીગલ ટીમ ભારતીય વિદ્યાર્થીઓના સંગઠન સાથે વાતચીત કરી રહી છે. એટીએના કેટલાક સભ્યોએ આ મામલે અમેરિકામાં ભારતીય રાજદૂત હર્ષવર્ધન શિંગલા સાથે પણ મુલાકાત કરી અને આ મામલા પર સંપૂર્ણ જાણકારી આપી.

January 26, 2019
trumph-1-1280x720.jpg
1min5350
35 દિવસના શટડાઉન પછી અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે સંધિના જાહેરાત કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે, તેમણે અમેરિકાના સાંસદો સાથે સ્ટોપ-ગૈપ ફન્ડિંગમાં ત્રણ સપ્તાહ માટે સંધિ કરી છે, જે 35માં દિવસે આંશિક અમેરિકન સરકારના બંદને સમાપ્ત કરશે. એક વરિષ્ઠ ડેમોક્રેટિક સહયોગી મુજબ આ કરારમાં ટ્રમ્પે દ્વારા સરહદે દિવાલ માટે પૈસાની માગનો સમાવેશ નથી કરાયો.
આ પહેલા ટ્રમ્પે અમેરિકા-મેક્સિકોની સરહદે વિશાળ દિવાલ ઉભી કરવા માટે ફન્ડિંગ રુપે 5.7 મિલિયન ડોલરની માગણી કરી હતી. ટ્રમ્પે કરારની જાહેરાત સાથે ચેતવણી પણ આપી હતી કે, ત્રણ સપ્તાહ દરમિયાન સાંસદ દિવાલ માટે ફન્ડિંગની મંજૂરી નહી આપે તો, તે શટડાઉન ફરી શરુ કરશે. ટ્રમ્પ આ મામલે રાષ્ટ્રીય ઇમરજન્સીની જાહેરાત પણ કરી શકે છે.
આ કરાર ડોનાલ્ડ ટ્રમ્પ અને કોંગ્રેસ પર દબાણ પછી શક્ય બન્યો હતો, જેના કારણે અમેરિકન સરકાર સંપૂર્ણ રીતે કાર્ય પ્રણાલી સંભાળી શકે અને 8 લાખ કર્મચારીઓ ફરીથી નોકરી પર પરત ફરી શકે.
ટ્રપ્મે જણાવ્યું કે, અમેરિકા પાસે વાસ્તવમાં બોર્ડર પર કોઇ શક્તિશાળી દિવાલ કે સ્ટીલ બેરિયર બનાવવા સિવાય બીજો કોઇ વિકપ્લ નથી. જો કોંગ્રેસ થકી યોગ્ય નિરાકરણ ન મળ્યું તો, અમેરિકા 15 ફેબ્રુઆરીથી ફરીથી શટડાઉન થઇ જશે.
January 24, 2019
ausi_baba.jpg
1min5180

સાધુસંતોમાં પણ આ વખતે એક ઑસ્ટ્રેલિયન બાબા આકર્ષણનું કેન્દ્ર બન્યા છે અને તેમનું નામ છે શરભંગગિરિ

ઓસ્ટ્રેલિયન બાબા શરભંગગિરી

અલાહાબાદમાં ચાલી રહેલા કુંભમેળામાં માત્ર ભારતીયો જ નહીં, દુનિયાભરના લોકો ભાગ લેવા માટે આવી રહ્યા છે. કુંભમેળામાં સાધુસંતો બહુ મોટી સંખ્યામાં આવતા હોય છે. આ સાધુસંતોમાં પણ આ વખતે એક ઑસ્ટ્રેલિયન બાબા આકર્ષણનું કેન્દ્ર બન્યા છે અને તેમનું નામ છે શરભંગગિરિ. આ બાબા ૧૯૯૮માં પહેલી વાર ટૂરિસ્ટ તરીકે ઑસ્ટ્રેલિયાથી ખાસ કુંભમેળો જોવા આવ્યા હતા. તેમણે સાંભળેલું કે આ દુનિયાનો સૌથી મોટો ધાર્મિક ફેસ્ટિવલ છે. એ પહેલાં તેઓ એથિસ્ટ હતા. અહીં આવીને તેઓ ગિરનારની તળેટીમાં ગુરુ દત્તાત્રેયને મYયા. તેમને ભારતીય સંસ્કૃતિ, ધર્મ અને સાધુ જીવનશૈલી આકર્ષી ગઈ. મેલબર્ન છોડીને શરભંગગિરિએ સંન્યાસ લઈ લીધો અને ત્યારથી સાધુની જેમ કુટિરમાં જીવન ગાળે છે.

January 22, 2019
Indian_currency.jpeg
1min8930

નેપાળની સેન્ટ્રલ બૅંકે રૂ. 100થી ઊપરની રૂ. 200, રૂ. 500 અને રૂ. 2000ની કિંમતની ભારતીય ચલણી નૉટ પર પ્રતિબંધ લાદ્યો હતો અને નેપાળમાં ભારતીય ચલણનો છૂટથી ઊપયોગ થતો હોવાથી ત્યાં પ્રવાસે જનાર ભારતીય સહેલાણીઓ પર એની વ્યાપક અસર થવાની શક્યતા છે.

નેપાળ રાષ્ટ્ર બૅંકે રવિવાર, તા.20મી જાન્યુઆરી 2019ના રોજ જાહેર કરેલા શ્વેતપત્રમાં કરેલી જાહેરાત પ્રમાણે નેપાળી પ્રવાસીઓ, બૅંકો અને નાણાકીય સંસ્થાઓને રૂ. 100થી વધુ કિંમતની ભારતીય ચલણી નૉટ રાખવા, વાપરવા કે એનો વેપારમાં ઊપયોગ કરવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો.

આદેશમાં જણાવાયું છે કે ભારતની રૂ. 200, રૂ. 500 અને રૂ. 2000ની કિંમતની ચલણી નૉટ વાપરી કે એનો વેપારમાં ઊપયોગ થઇ નહીં શકે. 

નવા નિયમ પ્રમાણે નેપાળી નાગરિકો ભારત સિવાય આ કિમતની ચલણી નૉટો અન્ય કોઇ દેશમાં લઇ જઇ નહીં શકે. એ જ રીતે, નેપાળીઓને અન્ય દેશોમાંથી આ કિંમતની નૉટો લાવવા પર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. જોકે, રૂ. 100 કે એથી ઓછી કિંમતની નૉટો વાપરવા કે એનો વેપારમાં ઊપયોગ કરવાની છૂટ આપવામાં આવી છે.

કેબિનેટે 13મી ડિસેમ્બર 2019ના રોજ આ શ્ર્વેતપત્ર નેપાળ ગેઝેટમાં જાહેર કરવાનું નક્કી કર્યું હતું, પણ વેપારીઓ અને પર્યટન ક્ષેત્ર તરફથી આની ખૂબ ટીકા કરવામાં આવી હતી અને સરકારને એવું જણાવાયું હતું કે એક તરફ એમણે નેપાળ આવો અભિયાન શરૂ કરીને 2020 સુધીમાં 20 લાખ સહેલાણીઓને નેપાળ આકર્ષવાની યોજના જાહેર કરી છે ત્યારે આ પ્રતિબંધની ઘણી માઠી અસર થશે કારણ કે નેપાળ આવનાર મોટાભાગના ભારતના લોકો સડક માર્ગે આવતા હોય છે અને એમને માટે પોતાના ચલણને ડૉલર કે યુરોમાં કનવર્ટ કરવું ઘણું મુશ્કેલ થઇ પડશે.

એક સર્વેક્ષણ પ્રમાણે 12 લાખ સડક માર્ગે અને હવાઇ માર્ગે 1,60,132 ભારતીય પ્રવાસીઓ નેપાળમાં આવ્યાં હતાં. સડકમાર્ગે આવનાર ભારતીય સહેલાણીઓ સરેરાશ 5.8 દિવસ રોકાયા હતા અને એમણે રૂ. 11,310નો ખર્ચ કર્યો હતો.

January 19, 2019
hacked.jpg
2min11460

દુનિયાભરમાંથી 77,29,04,991 ઇમેલ I’d. હેક થયા છે. રકમ વાંચવામાં તકલીફ પડતી હોય તો દેશી ભાષામાં લખીએ છીએ કે દુનિયાભરમાંથી કુલ 77 કરોડ 29 લાખ 4 હજાર 991 ઇમેઇ આઇ.ડી. હેક થયા છે. આની સાથે 21,222,975 જેટલા યુનિક પાસવર્ડ પણ હેકર્સે હેક કરી લીધા છે. ઘણાં લોકો માટે એક ઇમેઇલ આઇ.ડી. એટલે કોઇ કિંમત નથી પણ ઘણાં લોકો માટે ઇમેઇલ આઇડી એટલે બેંક અકાઉન્ટ કરતા પણ વધુ કિંમતી છે અને ઘણાં લોકોએ પોતાની પ્રાઇવેટ માહિતીઓ, પ્રાઇવેટ ફોટા, પ્રાઇવેટ વિડીયો પેન ડ્રાઇવ કે હાર્ડ ડિસ્ક જેવી ફિઝિકલ સ્ટોરેજ વસ્તુઓમાં સંગ્રહિત કરવાને બદલે ઇમેઇલમાં મૂકી રાખ્યા છે. જો આવા લોકોના ઇમેઇલ આઇડી હેક થયા હોય તો તેમના માટે કદાચ જીવન મરણનો પણ પ્રશ્ન ઉપસ્થિત થઇ શકે છે.

77 કરોડ ઇમેઇ આઇ.ડી. હેક કરીને હેકર્સે સમગ્ર વિશ્વમાં મોટું તોફાન મચાવ્યું છે હવે તેઓ ઇમેઇલમાં સંગ્રહિત કિંમતી માહિતીઓનો ઉપયોગ કરીને રૂપિયા બનાવશે, લોકોને બ્લેક મેઇલ કરશે, લોકોને ઉઘાડા પણ પાડશે.

આવી સ્થિતિમાં સી.આઇ.એ. લાઇવએ પોતાના વાચકો માટે એક ઉપયોગી લિંક અહીં મૂકી છે. તમે ખુદ ચેક કરી શકો છો કો તમારુ ઇમેઇલ આઇ.ડી. હેક થયું છે કે સલામત છે. લિંકને ફોલો કરશો એટલે પાંચથી 10 સેકન્ડમાં વેબસાઇટ દર્શાવશે કે તમારુ ઇમેઇલ આઇડી હેક થયું છે કે નથી થયું.

સંશોધકોએ એક ઇન્ટીગ્રેટેડ ડેટા બેઝ તૈયાર કર્યો છે અને તેનું નામ જ છે હેવ આઇ બીન પૉન્ડ…

  • તમારુ આઇ.ડી. હેક થયું છે કે નહીં તે જાણવા માટે આ મુજબની પદ્ધતિ અનુસરો

  • આ માટે આ વેબસાઇટ પર લોગ ઇન કરો.

  • https://haveibeenpwned.com

  • પહેલા વેરીફાઇ કરશે કે યુઝર રોબોટ તો નથી ને..

  • બીજા સ્ટેપમાં તમારું ઇમેઇલ આઇડી માંગશે એ લખ્યા બાદ લિંક પર ક્લીક કરશો એટલે 5 સેકન્ડમાં રિઝલ્ટ આવશે કે તમારું ઇમેલ હેક થયું છે કે નથી થયું.

The researcher has integrated the database on the website ‘Have I been Pwned’ (https://haveibeenpwned.com). You can easily check if your email ID was part of hacked email IDs list, by just entering your email ID in the dialog box.

જો તમારી સ્ક્રીન પર નીચે દર્શાવેલી ઇમેજ ડિસ્પ્લે થાય તો સમજી જજો કે તમારું મેઇલ આઇ.ડી. હેક છે

જો તમારુ ઇમેઇલ આઇડી હેકિંગ લિસ્ટમાં હોય તો તમને સલાહ છે કે તાત્કાલિક અસરથી ડેસ્કટોપ કે લેપ્ટોપ પરથી મેઇલ લોગઇન કરીને પાસવર્ડ બદલી નાંખજો

તમારો પાસવર્ડ હેક થયો છે કે કેમ તે કેવી રીતે જાણશો

પાસવર્ડ હેક થયો છે કે કેમ એ જાણવા માટે https://haveibeenpwned.com/passwords પર લોગઇન થાવ.

જો તમારી સ્ક્રીન પર નીચે દર્શાવેલી ઇમેજ આવશે તો સમજી જજો કે તમારો યુનિક પાસવર્ડ હેક થઇ ચૂક્યો છે.

જો પાસવર્ડ હેકિંગ લિસ્ટમાં હોય તો તેને બદલવું થોડું અટપટું કામ થઇ જશે.

January 10, 2019
world_bank.png
1min5270

સામાન્ય ચૂંટણી પહેલાં મોદી સરકાર માટે સારા સમાચારમાં વિશ્વબેન્કે 2021 સુધીમાં ભારત સમગ્ર વિશ્વની સૌથી ઝડપી આગળ વધનારી અર્થવ્યવસ્થા બની રહેશે તેવો વર્તારો આપ્યો છે. વૈશ્વિક અર્થવ્યવસ્થામાં ઘટાડો આવશે તેવું પણ પૂર્વાનુમાન કરાયું છે. જો કે, 2021 સુધીમાં ભારતનો વિકાસદર વધીને 7.5 ટકા પર પહોંચી જશે તેવો વર્તારો પણ વર્લ્ડ બેન્કે આપ્યો છે.

વિશ્વબેન્કનો ‘ગ્લોબલ ઈકોનોમિક પ્રોસ્પકેટસ’ અહેવાલ નોંધે છે કે ભારતનો સમગ્ર ઘરેલુ ઉત્પાદન (જીડીપી) દર 2017ના 6.7 ટકામાંથી વધીને 2018માં 7.3 બાદ 2019, 2020 અને 2021માં 7.5 ટકા રહી શકે છે. આ રીતે ભારત સમગ્ર દુનિયાની સૌથી ઝડપી વિકાસ કરનાર અર્થવ્યવસ્થા બની રહેશે તેવી આગાહી વિશ્વબેન્કે કરી છે. વાસ્તવમાં અન્ય કોઈપણ અર્થવ્યવસ્થાનો વિકાસદર સાત ટકાને પણ પાર નહીં કરી શકે તેવું પૂર્વાનુમાન અહેવાલમાં કરાયું છે.

વિશ્વબેન્કના આ અહેવાલમાં મોદી સરકાર દ્વારા કરાયેલા ઢાંચાગત સુધારાઓની પ્રશંસા કરતાં નોંધાયું છે કે, આવા સુધારાઓનાં પરિણામ હવે સામે આવવા લાગ્યાં છે. તાજા નીતિગત સુધારાઓના લાભ દેખાવા લાગ્યા છે અને ઋણ લેવાનું પ્રમાણ વધ્યું છે. જેનાથી વ્યક્તિગત ઉપયોગ મજબૂત રહેવા સાથે રોકાણમાં તેજી જારી રહેવાની આશા છે તેવું વિશ્વબેન્ક નોંધે છે.