CIA ALERT

ઇન્ટરનેશનલ Archives - Page 13 of 51 - CIA Live

September 9, 2022
alizabeth-1280x720.jpg
1min470

– સ્કોટલેન્ડના બાલ્મોરલ કેસલમાં 96 વર્ષીય મહારાણીએ અંતિમ શ્વાસ લીધા

– મહારાણીના દેહને આજે લંડન લઈ જવાશે, 10 દિવસ પછી અંતિમક્રિયા, 73 વર્ષે રાજા બનેલા રાણીના મોટા પુત્ર કિંગ ચાર્લ્સ તૃતિય તરીકે ઓળખાશે

– પીએમ મોદી સહિત વિશ્વભરના નેતાઓએ શોકસંદેશ પાઠવ્યા

લંડન : બ્રિટન પર સૌથી લાંબો સમય ૭૦ વર્ષ સુધી શાસન કરનારા રાણી એલિઝાબેથ-૨નું બાલ્મોરા મહેલ ખાતે ૯૬ વર્ષની વયે લાંબી બીમારી પછી નિધન થયું હતું. મહારાણી એલિઝાબેથ દ્વિતીયની તબિયત લથડતાં તેમને તેમના સ્કોટલેન્ડ ખાતેનાં મહેલમાં ડોકટરોનાં નિરીક્ષણ હેઠળ રખાયા હતા. જોકે, મોડી રાતે બકિંગહામ પેલેસે કહ્યું હતું કે, ગુરુવારે બપોરે બાલ્મોરલ ખાતે રાણીનું નિધન થયું હતું. મહારાણીના નિધનની પુષ્ટી કરી હતી. રાણી એલિઝાબેથ-દ્વિતીયે ૧૯૫૨માં સત્તા સંભાળી હતી. રાણી એલિઝાબેથ-દ્વિતીયના નિધન સાથે હવે તેમના સૌથી મોટા પુત્ર પ્રિન્સ ચાર્લ્સ દેશના રાજા બન્યા છે. રાણીના પાર્થિવ શરીરને હવે લંડન લઈ જવાશે તથા નિશ્ચિત આયોજન મુજબ ૧૦ દિવસ પછી તેમની અંતિમક્રિયા કરાશે.

બકિંગહામ પેલેસે જણાવ્યું હતું કે, સ્કોટલેન્ડના બાલ્મોરલ મહેલમાં રાણી એલિઝાબેથ દ્વિતીયે અંતિમ શ્વાસ લીધા હતા. આ સમયે મહારાણીના મોટાપુત્ર પ્રિન્સ ચાર્લ્સ સહિત રાજ પરિવારના અનેક સભ્યો ત્યાં હાજર હતા. ધ કિંગ એન્ડ ધ ક્વિ કન્સોર્ટ ગુરુવારે બાલ્મોરલમાં રહેશે અને શુક્રવારે લંડન પાછા ફરશે. બે દિવસ પહેલાં જ મહારાણી એલિઝાબેથની તસવીર સામે આવી હતી. તેમણે ત્યારે લિઝ ટ્રસની બ્રિટનના નવા વડાંપ્રધાન તરીકે નિમણૂક કરી હતી. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત વિશ્વભરના નેતાઓએ મહારાણીના નિધન પર શોકસંદેશ પાઠવ્યો હતો.

એલિઝાબેથ દ્વિતીયનો જન્મ ૨૧ એપ્રિલ, ૧૯૨૬ના રોજ લંડન ખાતે ૧૭ બુ્રટન સેન્ટમાં થયો હતો. નૌકાદળના અધિકારી ફિલિપ માઉન્ટબેટન સાથે તેમનાં લગ્ન થયા હતા. તેમને પ્રિન્સ ચાર્લ્સ, પ્રિન્સેસ એની, પ્રિન્સ એન્ડ્ર્યુ અને પ્રિન્સ એડવર્ડ ચાર સંતાનો હતા. મહારાણીના પતિ ફિલિપ માઉન્ટબેટનનું એપ્રિલ ૨૦૨૧માં ૯૯ વર્ષની વયે નિધન થયું હતું. કિંગ જ્યોર્જ-છઠ્ઠાના નિધન પછી ૧૯૫૨માં એલિઝાબેથ દ્વિતીય બ્રિટનના સિંહાસન પર બેઠાં હતાં. હવે તેમના પુત્ર પ્રિન્સ ચાર્લ્સ ૭૩ વર્ષે સૌથી વધુ વયે રાજા બન્યા હતા. તેઓ હવે કિંગ ચાર્લ્સ તૃતિય તરીકે ઓળખાશે.

અગાઉ બ્રિટેનનાં મહારાણી એલિઝાબેથ દ્વિતીયની તબિયત લથડતાં તેમને સ્કોટલેન્ડ ખાતેનાં મહેલમાં ડોકટરોનાં નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા હતા અને બ્રિટિશ રાજપરિવારના સભ્યો બાલ્મોરલ મહેલમાં પહોંચવા લાગ્યા હતા. મહારાણી એલિઝાબેથે ખરાબ તબિયતને કારણે બુધવારથી તેમનાં કામો સ્થગિત કરી દીધા હતાં.

મહારાણીના મૃત્યુ પછી બ્રિટિશ સરકાર અને બ્રિટિશ રાજપરિવાર દ્વારા ૧૯૬૦થી જ તૈયાર કરાયેલી ‘ઓપરેશન લંડન બ્રિજ’ નામની વિશેષ યોજનાના ભાગરૂપે સરકાર તરફથી વડાપ્રધાન લિઝ ટ્રસે સૌથી પહેલું નિવેદન કર્યું હતું.ત્યાર પછી બ્રિટન અને સમગ્ર દુનિયામાં બ્રિટિશ સરકારની ઓફિસો પર યુનિયન જેક અડધી કાઠીએ ફરકાવાયો હતો. 

રાણીના નિધન પછી પ્રિન્સ ચાર્લ્સ શુક્રવારે રાષ્ટ્રને સંબોધન કરશે. મહારાણીના પાર્થિવ દેહની અંતિમ ક્રિયા ૧૦ દિવસ પછી કરવામાં આવશે. આ સમયમાં નવા રાજા ચાર્લ્સ બ્રિટનની યાત્રાએ નિકળશે. બ્રિટન સરકાર ૧૦ દિવસ સુધી બધા જ કાર્યો અટકાવી દેશે. મહારાણીની અંતિમ ક્રિયા વેસ્ટમીનીસ્ટર એબે ખાતે કરવામાં આવશે અને તે મધ્યાન્હે સમગ્ર દેશમાં બે મિનીટ મૌન પાળવામાં આવશે.

September 6, 2022
truss.jpeg
1min487

– માર્ગારેટ થેચર અને થેરેસા મે પછી લિઝ ટ્રસ બ્રિટનનાં ત્રીજા મહિલા વડાપ્રધાન

– રિશિ સુનકને 60,399 અને લિઝ ટ્રસને 81,326 મતો મળ્યાં કન્ઝર્વેટિવ પાર્ટીના કુલ રજિસ્ટર મતદારોમાંથી 82 ટકાએ મતદાન કર્યું 

લંડન : ભારતીય મૂળના રિશિ સુનકને હરાવીને લિઝ ટ્રસ બ્રિટનનાં નવા વડાંપ્રધાન બન્યાં છે. લિઝ ટ્રસને કન્ઝર્વેટિવ સભ્યોના ૮૧૩૨૬ મતો મળ્યા હતા. રિશિ સુનકને કન્ઝર્વેટિવના ૬૦,૩૯૯ સભ્યોએ મત આપ્યાં હતાં. બંને  વચ્ચે બ્રિટનના વડાપ્રધાન બનવા માટે બરાબરીનો મુકાબલો થયો હતો. કુલ ૧,૭૨,૪૩૭ કન્ઝર્વેટિવ સભ્યોએ મતદાન કર્યું હતું. માર્ગારેટ થેચર અને થેરેસા મે પછી લિઝ ટ્રસ બ્રિટનના ત્રીજા મહિલા વડાપ્રધાન બન્યાં હતાં.

ભારતીય મૂળના રિશિ સુનક અને લિઝ ટ્રસ વચ્ચે કન્ઝર્વેટિવ પાર્ટીના લીડર બનવા માટે રસાકસીભર્યો મુકાબલો થયો હતો. બોરિસ જ્હોન્સનનું સ્થાન લેવા માટે થયેલા આ મતદાનમાં રિશિ સુનકનો પરાજય થયો હતો અને લિઝ ટ્રસ બ્રિટનના નવા વડાપ્રધાન બન્યાં હતાં. માર્ગારેટ થેચર અને થેરેસા મે પછી લિઝ ટ્રસ બ્રિટનના ત્રીજા મહિલા વડાપ્રધાન બન્યાં હતાં. લિઝ ટ્રસની ઈમેજ બ્રિટનના રાજકારણમાં ફાયર બ્રાન્ડ નેતા તરીકેની છે. બે મહિના લાંબી ચૂંટણી પ્રક્રિયા દરમિયાન શરૂઆતી રાઉન્ડમાં રિશિ સુનક બધા ઉમેદવારોથી આગળ રહ્યા હતા. ફાઈનલ પાંચમા રાઉન્ડમાં માત્ર બે ઉમેદવારો રહ્યા એ પછી કન્ઝર્વેટિવ પાર્ટીના રજિસ્ટર સભ્યો મતદાનથી આગામી વડાપ્રધાન ચૂંટી કાઢવાના હતા. એ માટે બંને ઉમેદવારો વચ્ચે ડિબેટ થઈ હતી અને બંને ઉમેદવારોએ પોતાની યોજનાઓ, આર્થિકનીતિ, વિદેશીનીતિ મતદારો સમક્ષ રજૂ કરી હતી.

છેલ્લાં ઘણાં સર્વેક્ષણોમાં દાવો થતો હતો કે રિશિ સુનક લિઝ ટ્રસ કરતા પાછળ છે. લિઝ ટ્રસની ટેક્સ માફીની નીતિથી કન્ઝર્વેટિવ પાર્ટીના સભ્યો પ્રભાવિત થયા હતા અને તેમની લોકપ્રિયતા વધી હતી. આખરે પરિણામ પણ અપેક્ષા પ્રમાણે જ આવ્યું હતું. બંને વચ્ચે બરાબરીની ટક્કર થઈ હતી. બે લાખ મતદારોમાંથી ૧,૭૨,૪૩૭ મતદારોએ વોટિંગ કર્યું હતું, તેમાંથી લિઝ ટ્રસને ૮૧૩૨૬ જ્યારે રિશિ સુનકને ૬૦૩૯૯ મતો મળ્યા હતા. 

નવા વડાપ્રધાન બન્યાં પછી લિઝ ટ્રસે કન્ઝર્વેટિવ પાર્ટીના નેતાઓ અને કાર્યકરોને સંબોધતી વખતે રિશિ સુનક વિશેકહ્યું હતું ઃ હું સદ્ભાગ્યશાળી છું કે મારી પાર્ટીમાં આટલી ગહેરી સમજદારી ધરાવતા નેતા છે. લિઝ ટ્રસે ૨૦૨૪ની ચૂંટણીમાં પાર્ટીને ફરીથી વિજેતા બનાવવાન નિર્ધાર વ્યક્ત કર્યો હતો. ભારત સાથેના દ્વિપક્ષીય સંબંધોનો પણ તેમણે ભાષણમાં ઉલ્લેખ કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને લિઝ ટ્રસને અભિનંદન પાઠવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે પાર્ટીમાં આંતરિક વિરોધ ઉઠયો એ પછી બોરિસ જ્હોન્સને ૭મી જુલાઈએ વડાપ્રધાનપદેથી રાજીનામું આપ્યું હતું. એ પછી કન્ઝર્વેટિવ પાર્ટીમાં જ્હોન્સનના સ્થાને નવા વડાપ્રધાનની પસંદગી કરવાની પ્રક્રિયા શરૂ થઈ હતી. બ્રિટનમાં વડાપ્રધાનપદની રેસ સુધી પહોંચનારા પ્રથમ ભારતીય મૂળના નેતા બનીને રિશિ સુનકે ઈતિહાસ સર્જ્યો છે.

રાણી એલિઝાબેથના કાર્યકાળમાં 15મા વડાપ્રધાન શપથ ગ્રહણ કરશે

રાણી એલિઝાબેથના લાંબાં કાર્યકાળમાં બ્રિટનને ૧૫ વડાપ્રધાનો મળ્યા છે. રાણી એલિઝાબેથે અત્યાર સુધીમાં ૧૪ વડાપ્રધાનોને શપથ લેવડાવ્યા છે. લિઝ ટ્રસને શપથ લેવડાવશે એ સાથે રાણી એલિઝાબેથ તેમના શાસનકાળમાં ૧૫મા વડાપ્રધાનને શપથ લેવડાવશે.

 ચર્ચિલ ૧૯૫૧થી ૧૯૫૫ દરમિયાન વડાપ્રધાન બન્યા ત્યારે રાણી એલિઝાબેથે પ્રથમ વખત વડાપ્રધાનને શપથ લેવડાવ્યા હતા. લિઝ ટ્રસ ૧૫મા વડાપ્રધાન છે. ક્વીન એલિઝાબેથ દ્વિતીયે બ્રિટનના પ્રથમ મહિલા વડાપ્રધાન માર્ગારેટ થેચરને શપથ લેવડાવ્યા હતા. એ પછી ૨૦૧૬માં બીજા મહિલા વડાપ્રધાન થેરેસા મેને શપથ ગ્રહણ કરાવ્યા હતા. લિઝ ટ્રસ બ્રિટનના ત્રીજા મહિલા વડાપ્રધાન બનશે.

September 4, 2022
faruk-fatih-ozer-rsmp_cover-overlay.jpg
1min536

– તુર્કીમાં ફારુક ફતેહ ઓઝર નામના આરોપીએ વર્ષ 2017માં ર્રગીટ નામની ટર્કિશ ક્રિપ્ટો એક્સચેન્જ કંપની શરૂ રૂ. 159.4 અબજથી વધુનું કૌભાંડ આચર્યું 

તુર્કીએ ક્રિપ્ટો કૌભાંડમાં પકડાયેલ એક ક્રિપ્ટો સ્કેમરને ૪૦,૦૦૦ વર્ષથી વધુની જેલની સજા ફટકારી છે. ડિજિટલ ટ્રેન્ડ્સમાં જણાવવામાં આવ્યું છે કે ફારુક ફતેહ ઓઝરે વર્ષ ૨૦૧૭માં ર્રગીટ નામની ટર્કિશ ક્રિપ્ટો એક્સચેન્જ કંપની શરૂ કરી હતી.  ફારુક બે અબજ ડોલર એટલેકે લગભગ રૂ. ૧૫૯.૪ અબજથી વધુનું કૌભાંડ કરીને એક વર્ષથી વધુ સમય સુધી ફરાર હતો.

 રિપોર્ટ અનુસાર આ માટે તેને ૪૦,૫૬૪ વર્ષની જેલની સજા થઈ શકે છે. ફારુક ફતેહ ઓજાન નામના આ ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જના સ્થાપકની ધરપકડ કરવામાં આવી છે.

થોડેક્સ ક્રિપ્ટો એક્સચેન્જ કંપનીમાં રોકાણ કરનારા લોકોની સંખ્યા સાત લાખની આસપાસ હોવાનું કહેવાય છે. અહેવાલ મુજબ, તુર્કી ચલણમાં ઘટાડાથી ઘણા નાગરિકોએ ક્રિપ્ટોમાં રોકાણ કર્યું જેનો થોડેક્સને ફાયદો થયો હતો. લોન્ચ થયાના થોડા વર્ષો પછી આ કંપની બધા રોકાણની ઉચાપત કરીને ગાયબ થઈ ગઈ હતી. કંપનીએ ખોટા દાવા કરીને વેપાર બંધ કરી દીધો હતો

વર્ષ ૨૦૨૧માં થોડેક્સે અચાનક ક્રિપ્ટો ટ્રેડિંગ બંધ કરી દીધું અને દાવો કર્યો કે એક વિદેશી રોકાણને કારણે તેને લગભગ પાંચ દિવસ સુધી કામગીરી બંધ કરવી પડી છે. ફારુકે પછી દાવો કર્યો કે કંપનીએ સંપૂર્ણ રીતે વેપાર બંધ કરવો પડશે. કારોબાર સમેટી લેવા માટે સાયબર હુમલા સંબંધિત ધમકીઓને કારણ ગણાવ્યું હતુ. 

તેણે દાવો કર્યો હતો કે યુઝર્સના ફંડ સુરક્ષિત રહેશે પરંતુ યુઝર્સના એકાઉન્ટ પણ છીનવી લેવાયા અને તેમાં રહેલ ફંડની પણ ઉઠાંતરી કરવામાં આવી હતી.

તુર્કીની પોલીસે કાર્યવાહી કરી અને કંપનીના અનેક કર્મચારીઓની અટકાયત કરી પરંતુ ફારુક ભાગી ગયો અને અલ્બેનિયામાં છુપાઈ ગયો હતો. તેના પર રોકાણકારો અને યુઝર્સના ફંડમાંથી બે અબજ ડોલર લઈને ભાગી જવાનો આરોપ લાગ્યો છે.

August 23, 2022
euro.jpg
1min546

આજે 22/8/22, ભારતમાં કરન્સી બજારમાં એક ડોલરના ૭૯.૮૪ અને એક યુરોનો ભાવ ૭૯.૩૨ પૈસા રહ્યો હતો.

ડોલર સામે યુરોપીયન યુનિયનની કરન્સી યુરો નબળી પડી છે. બે દાયકામાં પ્રથમ વખત ડોલર સામે યુરો એકના સ્તરથી નીચે આવ્યો છે એટલે કે ૯૯ સેન્ટ બરાબર એક ડોલર જોવા મળી રહ્યો છે. યુરોની આ નબળાઈના કારણે ભારતીય ચલણમાં પણ ડોલર વધારે મજબૂત અને યુરો થોડો સસ્તો થયો છે. 

યુરો સામે મોડી રાત્રે ભારતીય ચલણ ૭૯.૩૨ની સપાટીએ છે ભારતીયો માટે હંમેશા ડોલર કરતા યુરો મોંઘો રહ્યો છે પણ આજે પ્રથમ વખત બન્યું છે કે ડોલર મોંઘો થઇ ગયો છે અને યુરો સસ્તો થઇ ગયો હોય.

વૈશ્વિક બજારમાં યુરો ડોલર સામે ૦.૯૯૩૧, પાઉન્ડ ૧.૭૬૪ છે. યેન સામે ડોલર ૧૩૭.૪૩ની સપાટી છે. યેનની આ ત્રણ સપ્તાહની સૌથી નીચી સપાટી છે. વર્ષ ૧૯૯૯માં જયારે યુરો એક ચલણ તરીકે અસ્તિત્વમાં આવ્યું ત્યારે તેનો ભાવ ડોલર સામે ૧.૧૯ ડોલર હતો. અમેરિકામાં વર્ષ ૨૦૦૮ની આર્થિક કટોકટી સમયે ડોલર સામે યુરોનો ભાવ સૌથી ઉંચો ૧.૬૦ થયો હતો. ગત સપ્તાહે ડોલર સામે યુરો ગબડી ૦.૯૯૯૮ થયો હતો જયારે આજે તે ઘટી ૦.૯૯૩૧ થતા બે દાયકામાં સૌથી નીચી સપાટીએ પટકાયો છે. ડોલર સામે યુરો પટકાતા નોન ડીલીવરેબ ફોરવર્ડ માર્કેટ કે જે ભારતીય બજાર બંધ થયા પછી ખુલે છે તેમાં ડોલર કરતા યુરો ભારતીય ચલણ સામે સસ્તો થઇ ગયો હતો  ભારતમાં આજે ડોલર સામે રૂપિયો ૭૯.૯૦ની સપાટીએ નરમ ખુલી દિવસના ઉપરના સ્તર ૭૯.૭૮ થઇ દિવસના અંતે ૭૯.૮૪ની આગળના દિવસના બંધ સામે સ્થિર બંધ આવ્યો હતો.

August 19, 2022
swiss.jpg
1min419

– મરીનના ડ્રગ ટેસ્ટની પણ માંગ કરવામાં આવી

– મરીનનો દાવોઃ મેં દરેક કાયદેસર બાબત કરી છે કશું અણછાજતું કર્યું નથી

નવી દિલ્હી : ફિનલેન્ડની વડાપ્રધાન સના મરીનનો દારુ પીને પાર્ટી કરતો વિડીયો વાઇરલ થતાં વિવાદ સર્જાયો છે. ફિનલેન્ડના વિપક્ષી નેતાઓએ વિડીયોને લઈને સના મરીનના ફરતે સકંજો કસવો શરુ કર્યો છે. તેમના ડ્રગ ટેસ્ટની પણ માંગ કરવામાં આવી રહી છે. 

જો કે સના મરીને આનો બચાવ કરતા જણાવ્યું છે કે તેણે પાર્ટી દરમિયાન ફક્ત દારુનું સેવન કર્યુ હતુ. સોશિયલ મીડિયા પર સના મરીનનો જે વિડીયો વાઇરલ થઈ રહ્યો છે તેમા તે પોતાના મિત્રો સાથે ગાતા અને નાચતા નજરે આવી રહી છે. વિડીયોને લઈને સોશિયલ મીડિયા પર જાતજાતના પ્રત્યાઘાતો આવી રહ્યા છે. 

સના મરીને લીક થયેલા વિડીયો અંગે જણાવ્યું હતું કે તેમને ખબર છે કે તેમનો વિડીયો બનાવવામાં આવી રહ્યો હતો, પરંતુ વિડીયો પબ્લિકમાં લીક થવાથી હું દુઃખી છું. તેમણે જણાવ્યું હતું કે મેં પાર્ટી કરી છે, ડાન્સ કર્યો છે અને ગાયુ પણ છે. આમ મેં બધી કાયદેસરની વસ્તુ કરી છે. ડ્રગ્સ પરના આરોપો અંગે તેણે જણાવ્યું હતું કે મારે ડ્રગ્સ લેવું પડયુ હોય તેવો સમય આવ્યો નથી. હું કોઈ ડ્રગ્સ સેવન કરનારને જાણતી પણ નથી. 

મરીને પત્રકારો સાથે વાત કરતા બચાવ કરતા જણાવ્યું હતું કે મારું પણ એક કૌટુંબિક જીવન છે, પ્રોફેશનલ જીવન છે અને આ સિવાય થોડો ખાલી સમય પણ છે જે મિત્રો સાથે તે વીતાવી શકે. મરીને આગળ જણાવ્યું હતું કે તેને લાગે છે કે તેણે તેની વર્તણૂકમાં કોઈપણ પ્રકારનો ફેરફાર કરવો જરૂરી નથી. 

જો કે વિપક્ષે આ મુદ્દે મરીન પર પરોબરના આકરા પ્રહારો કર્યા છે. તેઓનું કહેવું છે કે મરીનનો ડ્રગ ટેસ્ટ થવો જોઈએ.

 કેટલાક બીજા વિપક્ષી નેતાઓએ તો રાષ્ટ્રના બીજા મુદ્દાઓને બદલે મરીનના ડાન્સને લક્ષ્યાંક બનાવવા બદલ મીડિયાને પણ ટાર્ગેટ કર્યુ હતુ.

August 15, 2022
indian-embassy-kabul.jpg
1min386

કાબુલ, તા. 15. ઓગસ્ટ, 2022 રવિવાર

અફઘાનિસ્તાનમાં સત્તાપલટો થયા બાદ હવે ભારતે ફરી એક વખત કાબુલમાં પોતાની એમ્બેસી ખોલી છે અને તેનાથી તાલિબાન ખુશખુશાલ છે.

તાલિબાન સરકારના વિદેશ મંત્રાલયના પ્રવકતાએ કહ્યુ હતુ કે, અમને આશા છે કે, ભારત અ્ફઘાનિસ્તાનને માનવીય સહાય કર્યા બાદ દેશના વિકાસ પર પણ ધ્યાન આપશે .અમે પણ ભારતીયોને તમામ પ્રકારની સુરક્ષા પૂરી પાડવા માટે આશ્વાસન આપીએ છે.

પ્રવક્તાએ કહ્યુ હતુ કે, દેશમાં ભારત અલગ અલગ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યુ હતુ અને તે અધુરા છે.અમે ભારતને આ પ્રોજેક્ટ પૂરા કરવા માટે આગ્રહ કર્યો છે.જો આ પ્રોજેક્ટ પરા નહીં થાય તો આ તમામ યોજનાઓ બરબાદ થઈ જશે.

ઉલ્લેખનીય છે કે, 2021માં તાલિબાનના શાસન બાદ ભારતે પોતાની એમ્બેસી બંધ કરી હતી.જોકે હવે ભારતે પોતાની એમ્બેસી ખોલી નાંખી છે.પાંચ અધિકારીઓ તેમાં કાર્યરત છે અને એમ્બેસીની સુરક્ષા માટે ઈન્ડો તિબેટિયન બોર્ડર પોલીસની એક ટુકડીને મોકલવામાં આવી છે

જોકે ભારત સરકારે અફઘાનિસ્તાનમાં પોતાની ડિપ્લોમેટિક ક્ષમતા વધારવાને લઈને હજી સુધી કોઈ નિવેદન આપ્યુ નથી.શનિવારે વિદેશ મંત્રી એસ જયશંકરે બેંગ્લોરમાં કહ્યુ હતુ કે, એમ્બેસી ફરી શરુ કરવાનો નિર્ણય માનવીય સહાયતા પહોંચાડવા માટે લેવાયો છે.

July 29, 2022
samsung.jpg
1min483

ઓસ્ટ્રેલિયાની કોર્ટે સેમસંગને ૯૮ લાખ ડોલર (અંદાજે રૂ. ૭૮૦૮ કરોડ)નો દંડ ફટકાર્યો છે. કંપનીએ સ્માર્ટફોન વૉટરપ્રૂફ છે એવી ખોટી જાહેરાતો કરી હતી, એ જાહેરાતો અંગે તપાસ થતાં એમાં કોઈ તથ્ય ન હોવાનું જણાતા આ દંડ ફટકારાયો હતો. એટલું જ નહીં, તપાસ એજન્સીને ખર્ચ પેટે અલગથી દોઢ લાખ ડોલર આપવાનો આદેશ પણ કોર્ટે કર્યો હતો.

સાઉથ કોરિયાની કંપની સેમસંગે ઓસ્ટ્રેલિયામાં ૨૦૧૬થી ૨૦૧૮ દરમિયાન સેમસંગના સાત મોડલ વૉટરપ્રૂફ હોવાની જાહેરાતો કરી હતી. એમાંના ઘણાં મોડેલ વૉટરપ્રૂફ નથી એવી ફરિયાદો ઉઠી હતી. એ પછી ચારેક વર્ષ પહેલાં ઓસ્ટ્રેલિયન કન્ઝ્યૂમર કોમ્પિટિશન કમિશને કંપનીના દાવા બાબતે તપાસ શરૂ કરી હતી. તપાસમાં જણાયું હતું કે કંપનીનો દાવો ભૂલભરેલો છે અને લોકોને ગેરમાર્ગે દોરે છે. ઓસ્ટ્રેલિયામાં લગભગ ૩૧ લાખ જેટલાં સ્માર્ટફોન વેંચનારી સેમસંગ કંપની સામે કેસ દાખલ થયો હતો.

કોર્ટે ખૂબ જ મહત્વપૂર્ણ ચુકાદો આપતા કંપનીને ૯૮ લાખ ડોલરનો માતબર દંડ ફટકાર્યો હતો. એ સિવાય ઓસ્ટ્રેલિયન કન્ઝ્યૂમર કોમ્પિટિશન કમિશનને તપાસ દરમિયાન જે ખર્ચ થયો તેના વળતર પેટે દોઢ લાખ ડોલર આપવાનો આદેશ પણ કર્યો છે. કંપનીએ કહ્યું હતું કે અત્યારે સેમસંગના એક પણ મોડેલમાં એવી કોઈ ટેકનિકલ ખામી રહી નથી. સેમસંગે ઓસ્ટ્રેલિયામાં એસ-૭, એ-૫, એ-૭, એસ-૮, એસ-૮ પ્લસ મોડેલ માટે એવો દાવો કર્યો હતો કે આ તમામ સ્માર્ટફોન અંડરવોટર પણ ચાલે છે. સી વોટર કે સ્વીમિંગ પૂલમાં કોઈ જ તકલીફ થતી નથી. પરંતુ ગ્રાહકોમાં ફરિયાદ ઉઠી હતી એ પ્રમાણે આ ફોનને પાણીમાં નાખવાથી ચાર્જિંગ પોર્ટ્સમાં ખરાબી થઈ હતી. એ પછી કંપનીએ આવા કેટલાય ગ્રાહકોને મોબાઈલ રિપેર કરી આપ્યા હતા, પરંતુ એ માટે અલગથી ચાર્જ વસૂલાયો હોવાની ફરિયાદ થઈ હતી. વ્યાપક ફરિયાદો પછી ઓસ્ટ્રેલિયન એજન્સીએ તપાસ હાથ ધરી હતી.

July 24, 2022
monkeypox-virus-1280x720.jpg
1min506

દિલ્હીમાં તા.24મી જુલાઇને રવિવારે મંકીપોક્સનો ભારતમાં નવો અને દિલ્હીમાં પહેલો કેસ નોંધાયો હતો. આ સાથે દેશમાં મંકીપોક્સ કેસનો ભાર વધીને ચાર થઈ ગયો છે.

સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, 34 વર્ષીય વ્યક્તિ કે મન્કી પોક્સ ટેસ્ટીંગ પરીક્ષણ પોઝીટીવ જાહેર થયું છે, તેનો વિદેશ પ્રવાસનો કોઈ ઇતિહાસ નથી. તેમણે તાજેતરમાં હિમાચલ પ્રદેશના મનાલીમાં એક સ્ટેગ પાર્ટીમાં હાજરી આપી હતી, એમ તેઓએ ઉમેર્યું હતું.

લગભગ ત્રણ દિવસ પહેલા તેમને મંકીપોક્સના લક્ષણો દેખાતા મૌલાના આઝાદ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

તેમના સેમ્પલ શનિવારે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી (NIV) પુણેમાં મોકલવામાં આવ્યા હતા જે પોઝિટિવ આવ્યા હતા, એમ સૂત્રોએ જણાવ્યું હતું. “સંપર્ક ટ્રેસિંગ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે,” તેઓએ ઉમેર્યું.

Explained: How fast does monkeypox spread and should India worry?

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (ડબલ્યુએચઓ) એ મંકીપોક્સ બીમારીને ગ્લોબલ હેલ્થ ઈમરજન્સી જાહેર કરી છે. મંકીપોક્સ અત્યાર સુધીમાં વિશ્વના 80 દેશોમાં ફેલાઈ ચૂક્યો છે અને કુલ 16,886 કેસ સામે આવી ચૂક્યા છે. ભારતમાં આ બીમારીના અત્યાર સુધીમાં 3 કેસ જાહેર કરાયા છે.

WHOનું એલાન : ભારતમાં 3 સહિત 80 દેશમાં કુલ 16,886 કેસ

ડબલ્યુએચઓની એક વિસ્તૃત બેઠક બાદ મંકીપોક્સને ગ્લોબલ હેલ્થ ઈમરજન્સી જાહેર કરાઈ હતી. અમેરિકા, યુરોપ સહિત દેશોમાં જે ઝડપથી કેસ વધી રહ્યા છે તે ચિંતાજનક છે. અમેરિકામાં બાળકોમાં પણ આ કેસ મળ્યા છે. 8 વર્ષ સુધીના બાળકો પર મંકીપોક્સ સંક્રમણનું જોખમ હોવાનું જણાવાયું છે. સ્વાસ્થ્ય અધિકારીઓ અનુસાર અત્યાર સુધીમાં બે બાળકમાં મંકીપોક્સના કેસ મળ્યા છે. બન્ને બાળકની હાલત સ્થિર છે. આ બીમારીમાં એન્ટિવાયરલ ટેકોવિરિમૈટ અપાઈ રહી છે.
મંકીપોક્સના લક્ષણો સામાન્ય રીતે બેથી ચાર સપ્તાહ સુધી રહે છે અને તેમાં મુખ્યત્વે શરીર પર લાલ ફોડલા ઉપસી જવા, માથાનો દુ:ખાવો, તાવ, થાક, સાંધામાં દુ:ખાવો, ગળામાં સોજો, કંપારી થવી, પીઠ-કમરનો દુ:ખાવો મુખ્ય છે. મંકીપોક્સ વાનરમાંથી મનુષ્યોમાં ફેલાયેલું સંક્રમણ છે. મોટાભાગના દર્દીઓ યુવા છે.

મન્કીપોક્સ અંગે વધુ જાણકારી

મંકીપોક્સ વાયરસ ચેપગ્રસ્ત પ્રાણીઓમાંથી માણસોમાં પરોક્ષ અથવા સીધા સંપર્ક દ્વારા ફેલાય છે. માનવ-થી-માનવ ટ્રાન્સમિશન ચેપી ત્વચા અથવા જખમ સાથે સીધા સંપર્ક દ્વારા થઈ શકે છે, જેમાં ચહેરા-થી-ચહેરા, ત્વચા-થી-ત્વચા અને શ્વસન ટીપાંનો સમાવેશ થાય છે.

મંકીપોક્સનો ઇતિહાસ

શીતળા જેવું વાઇરલ ઇન્ફેક્શન અને 1970માં મનુષ્યમાં સૌપ્રથમવાર જોવા મળ્યું હતું, મંકીપોક્સ શીતળા કરતાં ઓછું ખતરનાક અને ચેપી છે, જેને 1980માં નાબૂદ કરવામાં આવ્યું હતું.

ન્યુ ઈંગ્લેન્ડ જર્નલ ઑફ મેડિસિનમાં પ્રકાશિત 16 દેશોમાં 528 લોકોના અભ્યાસ મુજબ, 95 ટકા કેસ જાતીય પ્રવૃત્તિ દ્વારા પ્રસારિત થયા છે – જે અત્યાર સુધીનું સૌથી મોટું સંશોધન છે. એકંદરે, 98% ચેપગ્રસ્ત લોકો ગે અથવા બાયસેક્સ્યુઅલ પુરુષો હતા, અને લગભગ ત્રીજા લોકોએ પાછલા મહિનાની અંદર સેક્સ-ઓન-સાઇટ સ્થળો જેમ કે સેક્સ પાર્ટી અથવા સૌનાની મુલાકાત લીધી હોવાનું જાણવા મળ્યું હતું.

July 16, 2022
boris_sunak.jpg
1min576

સંસદના કંઝર્વેટિવ સભ્યો દ્વારા હાથ ધરવામાં આવેલા મતદાનના પ્રથમ બે તબક્કામાં સુનક વિજેતા બન્યા હતા

બ્રિટનના નવા વડાપ્રધાન માટેની રેસમાં ગતિ પકડવા વચ્ચે કાર્યવાહક વડાપ્રધાન બોરિસ જોનસને પોતાના સહયોગીઓને કથિત રીતે કહ્યું કે, બીજા કોઈનું પણ સમર્થન કરો પરંતુ ઋષિ સુનકનું નહીં. સત્તાધારી કન્ઝર્વેટિવ પાર્ટીના જોન્સને 7 જુલાઈએ પાર્ટીના નેતા તરીકે રાજીનામું આપ્યું હતું.

બોરિસ જોનસનેપાર્ટીનું નેતૃત્વ હાંસલ કરવાની રેસ પાછળ રહી ગયેલા નેતાઓને વિનંતી કરી છે કે, તેઓ પૂર્વ નાણા મંત્રી અને ચાન્સેલર સુનાકને સમર્થન ન આપે, જેમના પર જોનસનની પોતાની પાર્ટીમાં સમર્થન ગુમાવવા માટે જવાબદાર છે.

જોનસન વિદેશ મંત્રી લિઝ ટ્રસનું સમર્થન કરવા માટે ઈચ્છુક મજર આવી રહ્યા છે. જેનું સમર્થન જોનસનના કોબિનેટ સહયોગીઓ ઝૈકબ રીસ-મોગ અને નૈડીન ડોરિસે કર્યું છે. જોનસને તેના અનુગામી તરીકે પેની મોર્ડાઉન્ટ માટે પણ વિકલ્પો ખુલ્લા રાખ્યા છે. મોર્ડાઉન્ટ કનિષ્ઠ વેપારમંત્રી છે.

પૂર્વ ચાન્સેલરના રીજીનામાને પોતાની સાથે કથિત રીતે વિશ્વાસઘાતના રૂપમાં જોઈ રહેલા જોનસન અને તેમની ટીમ કોઈનું પણ સમર્થન કરો પરંતુ ઋષિ સુનકનું નહીં ના રૂપમાં એક ગુપ્ત અભિયાન ચલાવી રહ્યા છે. નાણામંત્રી પદ પરથી તેમના રાજીનામાએ 10 ડાઉનિંગ સ્ટ્રીટથી જોનસનની વિદાય સુનિશ્ચિત કરી દીધી હતી. 

આખી 10 ડાઉનિંગ સ્ટ્રીટ ટીમ ઋષિને નફરત કરે છે. તેઓ સાજિદ જાવિદને જ્હોનસનને હાંકી કાઢવા માટે દોષી ઠેરવતા નથી. તેઓ ઋષિને જવાબદાર ઠેરવી રહ્યા છે. તેમને લાગે છે કે, તે મહિનાઓથી તેનું કાવતરું ઘડી રહ્યો હતો. સંસદના કંઝર્વેટિવ સભ્યો દ્વારા હાથ ધરવામાં આવેલા મતદાનના પ્રથમ બે તબક્કામાં સુનક વિજેતા બન્યા હતા.

આ દરમિયાન જોનસનના એક સહયોગીએ આ દાવાને ફગાવી દીધો છે જોનસન સુનક સિવાય અન્ય કોઈને પણ પોતાનો ઉત્તરાધિકારી બનતા જોવા ઈચ્છે છે. 

જો કે, તેમણે સ્વીકાર્યું કે તેઓ સુનકના વિશ્વાસઘાતથી નારાજ છે. તે જ સમયે, સુનકના કેમ્પે સૂચનોને અવગણવાનો પ્રયાસ કર્યો કે તેમનો મજબૂત ટેકો ટોરી સાંસદો સિવાય નથી. ટોરી એમપી રિચાર્ડ હોલ્ડન જે સુનકને ટેકો આપી રહ્યા છે તેમણે કહ્યું કે, ‘આશા છે કે અમે આગળ વધીશું’.

July 13, 2022
srilanka.png
1min479

શ્રીલંકાનું આર્થિક અને રાજકીય સંકટ વધારે વિકટ બની રહ્યું છે. આ બધા વચ્ચે રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે દેશ છોડીને સહપરિવાર માલદીવ ભાગી ગયા છે જેથી જનતા વધારે ઉશ્કેરાઈ છે. ગોટાબાયાએ હજુ સુધી રાજીનામુ નથી આપ્યું અને તેઓ દેશ છોડીને ભાગી ગયા છે જેથી લોકો ખૂબ જ રોષે ભરાયા છે. 

ઉશ્કેરાયેલા લોકોએ આજે સંસદ ભવન અને પીએમ હાઉસને ઘેરી લીધા છે અને આ પ્રકારના ઉગ્ર માહોલ વચ્ચે શ્રીલંકામાં ઈમરજન્સી લાગુ કરી દેવામાં આવી છે. રાજપક્ષે હાલ માલદીવમાં છે અને ત્યાંથી દુબઈ જવાના છે. ઉશ્કેરાયેલા લોકોએ અગાઉ વડાપ્રધાનના અંગત આવાસ પર કબજો જમાવીને તેને આગના હવાલે કર્યું હતું. 

ગોટાબાયા રાજપક્ષે દેશ છોડીને ભાગી ગયા ત્યાર બાદ શ્રીલંકાની જનતાએ સંસદ અને પીએમ હાઉસ પર આક્રમણ કર્યું છે. તેમના પર લાઠીચાર્જ કરવામાં આવી રહ્યો છે. આ બધા વચ્ચે વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘેએ શ્રીલંકામાં ઈમરજન્સીની જાહેરાત કરવી પડી છે. સાથે જ તોફાન કરી રહેલા લોકોની ધરપકડ કરીને તેમના વાહનો જપ્ત કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે. 

પીએમ હાઉસ પહોંચ્યા પ્રદર્શનકારીઓ

મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓ પીએમ રાનિલ વિક્રમસિંઘેના આવાસ પર પહોંચ્યા છે અને ત્યાં મોટા પાયે સુરક્ષા વ્યવસ્થા તૈનાત કરવામાં આવી છે. સુરક્ષાદળોએ ભીડને કાબૂમાં લેવા માટે ટીયર ગેસના સેલ છોડ્યા હતા અને લાઠીચાર્જ પણ કર્યો હતો. સાથે જ શ્રીલંકાના પશ્ચિમી પ્રાંતમાં કર્ફ્યુ લાગુ કરી દેવામાં આવ્યો છે.  

ગોટાબાયા રાજીનામુ આપ્યા વગર દેશ છોડીને ભાગી ગયા તેના લીધે લોકોમાં રોષ વ્યાપ્યો છે. ઉપરાંત તેઓ વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘેને કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે નથી જોવા માગતા. કાયદા પ્રમાણે શ્રીલંકામાં રાષ્ટ્રપતિના રાજીનામા બાદ વડાપ્રધાનને કાર્યકારી રાષ્ટ્રપતિ બનાવવામાં આવે છે. 

ઉપરાંત સ્પીકર અભયવર્ધનેને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવવામાં આવે તેવા સમાચાર વહેતા થયા છે. લોકોને તે મુદ્દે પણ વિરોધ છે. શ્રીલંકામાં સર્વપક્ષીય સરકાર બનવાની છે. તેમાં વિપક્ષી પાર્ટીઓ ઈચ્છે છે કે, જો સ્પીકરને રાષ્ટ્રપતિ બનાવવામાં આવે તો નેતા વિપક્ષ સજિદ પ્રેમદાસાને વડાપ્રધાન બનાવવામાં આવે.