CIA ALERT

ઇન્ડીયા Archives - Page 85 of 217 - CIA Live

December 18, 2020
tollplaza-1280x715.jpg
1min504

દેશભરના ધોરીમાર્ગો ઉપર વાહનોનાં સ્વતંત્ર આવાગમન માટે કેન્દ્ર સરકાર દ્વારા એક મોટો અને ટોલ પ્લાઝા ઉપર લાંબી કતારોમાંથી મુક્તિ આપે તેવો રાહતકારી નિર્ણય કરવામાં આવ્યો છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, આવનાર બે વર્ષમાં જ ભારતને ટોલનાકા મુક્ત દેશ બનાવી દેવામાં આવશે. આના માટે સરકારે જીપીએસની વ્યવસ્થાને આખરી ઓપ આપવાનો નિર્ણય કર્યો છે. જેના થકી વાહન સાથે જોડાયેલા બેન્ક ખાતામાંથી ટોલ આપોઆપ કપાઈ જશે.

આસોચેમના સ્થાપના સપ્તાહ કાર્યક્રમમાં સંબોધન કરતા ગડકરીએ કહ્યું હતું કે, રશિયાની સરકારની મદદથી આપણે જલ્દી જીપીએસ સિસ્ટમ તૈયારી કરી લેશું. ત્યારબાદ આગામી બે વર્ષમાં દેશ ટોલનાકા મુક્ત થઈ જશે.

જીપીએસ ટેકનોલોજીનો ઉપયોગ શરૂ થતાં ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ (એનએચએઆઈ)ની ટોલની આવક પણ પાંચ વર્ષમાં 1,34,000 કરોડ રૂપિયા સુધી વધી શકે છે.
સરકાર દેશભરમાં વાહનોની અવરોધ રહિત આવનજાવન માટે આ ખાસ પગલું ભરવા જઈ રહી છે. છેલ્લા એક વર્ષમાં કેન્દ્ર સરકારે દેશના તમામ ટોલપ્લાઝા ઉપર ફાસ્ટેગ અનિવાર્ય બનાવેલું છે. ફાસ્ટેગ આવતા ઈંધણની ખપતમાં પણ ઘટાડો થયો છે. આ ઉપરાંત પ્રદૂષણ ઉપર પણ અમુક અંશે લગામ લાગી છે. ફાસ્ટેગથી ટોલની વસૂલાત અત્યારે કુલ આવકના ત્રણ ચતુર્થાંશ જેટલી થઈ ગઈ છે. એક વર્ષ પહેલા 70 કરોડ રૂપિયાની તુલનામાં તે 92 કરોડ રૂપિયા સુધી આવી ગઈ છે.

December 17, 2020
coronaindia-1-1280x1044.jpg
5min651

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

તા.18 કે 19 ડિસેમ્બર 2020નો દિવસ ભારતીયો હંમેશા યાદ રાખશે કેમકે આ દિવસે સંભવતઃ ભારતમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 1,00,00,000ના આંકડાને પાર કરી જશે. સદનસીબે સેકન્ડ વેવમાં ભારતમાં કોરોના કેસો સમગ્ર વિશ્વના અન્ય દેશોની તુલનામાં સૌથી ઓછા દરે વધ્યા છે અને હાલ (17 ડિસેમ્બર)માં ભારતમાં કોરોના રિકવરી રેટ 94 ટકાથી વધુ છે. હાલમાં ભારતમાં દૈનિક કોરોના કેસો સતત ઘટી રહ્યા છે. તા.17મી ડિસેમ્બર 2020ની સવારે ભારતમાં કોરોનાના કુલ એક્ટિવ કેસોની સંખ્યા 3.22 લાખ જેટલી નોંધાઇ છે. જ્યારે આ જ મુદતે ભારતમાં કોરોના કેસો 99 લાખ 56 હજાર 558 છે. હાલ દૈનિક ત્રીસ હજાર કેસ સરેરાશ ભારતમાં વધી રહ્યા છે એ જોતા દોઢેક દિવસમાં ભારતમાં કોરોનાના કુલ કેસો 1 કરોડની સંખ્યાને પાર કરી દેશે.

Image

(કોરોનાના કુલ કેસોમાં રિકવર્ડ પેશન્ટસ, મૃત્યુ પામેલા દર્દીઓ તેમજ એક્ટિવ કેસો આ તમામનો સરવાળા હોય છે.)

16 કરોડ દર્દીઓના કોરોના ટેસ્ટીંગમાંથી 1 કરોડ પોઝીટીવ કેસો મળ્યા

તા.16 ડિસેમ્બર 2020 સુધીમાં ભારતમાં કોરોના પોઝીટીવ કે નેગેટિવ ટેસ્ટિંગ માટે કુલ 15 કરોડ 78 લાખ 5 હજાર 240 ટેસ્ટ થયા છે. હાલમાં દૈનિક 10થી 11 લાખ આર.ટી.પી.સી.આર. ટેસ્ટ સરેરાશ કરવામાં આવી રહ્યા છે. ભારતમાં જ્યારે કોરોના કેસો એક કરોડ પર પહોંચશે ત્યારે ભારતમાં કોરોના ટેસ્ટ્સની સંખ્યા પણ 16 કરોડને આંબી જશે.

Image

સ્પીડી રિકવરી રેટને લીધે ભારતની સ્થિતિ યુરોપ અમેરિકાથી બહેતર

એક્સપર્ટસ કહી રહ્યા છે કે ભારતમાં કોરોના રિકવરી રેટ સૌથી બહેતર અને સતત ઉંચે જઇ રહ્યો છે આના કારણે જ ભારતમાં કોરોનાની સ્થિતિ સુધરી છે. ભારતમાં 17મી ડિસેમ્બર 2020ના રોજ કોરોના રિકવરી રેટ 94થી 95 ટકાની વચ્ચે છે. ભારતમાં નાના મોટા 18 રાજ્યોમાં રિકવરી રેટ નેશનલ એવરેજથી પણ વધુ છે. જેને લઇને બીજા અને ત્રીજા વેવમાં ભારત વિશ્વના અન્ય દેશો કરતા પ્રમાણમાં સારી સ્થિતિમાં છે.

ભારતમાં રાજ્યવાર કેસોની સંખ્યા

STATECaseDeathRecover
MH1886807484341769897
KA90466511971877199
AP8768147067865327
TN80234211931780531
KL6834402707622394
DL61199410147588586
UP5692638118543344
WB5282119191498877
OR3247961820320208
RJ2948312578277743
TG2796441505270967
CG2619013145241288
HR2550142765244676
BR2438301332237267
GJ2310734203214223
MP2267883433211025
AS2150421007210491
PB1613835135150007
JK1169321817110769
JH1121211004109532
UK84069137576554
HP5068084843614
GA4965771347965
PY3758262236661
TR3309837832429
MN2737332925107
CH1884330417912
AR165745516278
ML1307213312252
NL117877011120
LADAKH92381238579
SK53981214971
AN4850614698
MZ408573907
DNH & DAMAN & DIU336023342
LD000

India’s total cases have risen to 99,56,558 with 355 new deaths. Total active cases now stand at 3,22,366. The total number of discharged cases, according to updated health ministry data on Thursday are 94,89,740 with 33,291 new discharges in the last 24 hours.

December 17, 2020
worldcup2023.jpg
1min579

ભારતમાં વન-ડે મૅચોનો વર્લ્ડ કપ ફરી ૨૦૨૩માં યોજાશે. એ સ્પર્ધાનું ૨૦૨૩ના ઑક્ટોબર-નવેમ્બરમાં આયોજન થશે. ભારત અને સુપર લીગની બીજી ટોચની સાત ટીમો આ વર્લ્ડ કપ માટે સીધી ક્વૉલિફાય થઈ છે.

દરમિયાન, ૨૦૨૩ના વિશ્ર્વકપની ક્વૉલિફાઇંગ મૅચો ઝિમ્બાબ્વેમાં આગામી ૧૮ જૂનથી ૯ જુલાઈ દરમિયાન યોજાશે, એવી જાહેરાત બુધવારે આઇસીસી દ્વારા કરાઈ હતી. આ શેડ્યુલ કોવિડ-૧૯ની મહામારીને કારણે અગાઉ મુલતવી રાખવામાં આવ્યું હતું.

સુપર લીગ વર્ગની તળિયાની પાંચ ટીમો ૨૦૨૩ના વર્લ્ડ કપ ક્વૉલિફાયરમાં ટકરાશે.

આઇસીસીએ બુધવારે વર્લ્ડ લીગ-ટૂ તથા ચૅલેન્જ લીગના સમયપત્રકની પણ જાહેરાત કરી હતી. વર્લ્ડ કપ લીગ-ટૂની વન-ડે મૅચો આવતા વર્ષે માર્ચની ૧૯મીથી ઓમાનમાં રમાશે. એમાં ઓમાન, અમેરિકા, નેપાળ વચ્ચે મૅચો રમાશે. આઇસીસી હવે નવા-નવા અને નાના દેશોને પણ ક્રિકેટ રમવા પ્રોત્સાહિત કરે છે અને એના ભાગરૂપે ચૅલેન્જ લીગ સ્પર્ધા આવતા વર્ષે ઑગસ્ટ-સપ્ટેમ્બરમાં રમાશે. એ મૅચો કૅનેડા તથા જર્સીમાં રમાશે અને એમાં ડેન્માર્ક, મલયેશિયા, કતાર, સિંગાપોર, વાનુઆટુ, બર્મુડા, હૉંગકૉંગ, ઇટલીની ટીમો ભાગ લેશે. એમાંથી ટોચની બે ટીમો ક્વૉલિફાયર માટે લાયક ઠરશે અને પછી તેમને ૨૦૨૩ના ભારતના વર્લ્ડ કપમાં રમવાનો મોકો મળશે.

December 16, 2020
farmersprotest.jpg
1min475

છેલ્લા 20 દિવસથી દિલ્હીમાં ચાલી રહેલાં કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂત આંદોલન અંગે બુધવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જનહિત અરજીમાં પ્રદર્શનકારીઓને રસ્તાઓ પરથી હટાવવાની અપીલ કરવામાં આવી હતી. જેમાં તમામ દલીલો બાદ સુપ્રીમ કોર્ટે કહ્યું કે, તે ખેડૂતોનો પક્ષ પણ સાંભળવા માગે છે. સાથે જ ખેડૂત સંગઠનોને એક નોટિસ પાઠવવામાં આવી છે. કોર્ટે સરકાર, ખેડૂત અને અન્ય પક્ષોની એક કમિટી બનાવવા કહ્યું છે.

કોર્ટનું કહેવું છે કે, રાષ્ટ્રીય મુદ્દો સહમતિથી હલ થવો જોઇએ. આવામાં વહેલી તકે કમિટી બનાવીને ચર્ચા થાય. કોર્ટે ખેડૂત સંગઠનોને નોટિસ પાઠવી છે, હવે આ મામલે પહેલાં સુનાવણી થશે.

ઉપરાંત કાયદો પાછા લેવાની માગ પર અડગ ખેડૂતોએ બુધવારે ચિલ્લા બોર્ડર પર દિલ્હી-નોઈડા લિંક રોડને બ્લોક કરી દીધો હતો. આજ કારણે ત્યાં જામની સ્થિતિ બની ગઈ છે. રસ્તા પર ગાડીઓની લાંબી લાઈન લાગી છે.ખેડૂતોએ રક્ષા મંત્રી રાજનાથ સિંહ સાથે વાતચીત પછી 13 ડિસેમ્બરની રાતે ચિલ્લા બોર્ડરને ખોલવાનો નિર્ણય કર્યો હતો.

December 14, 2020
epf.jpg
1min423

દેશના 6 કરોડ કર્મચારીઓ માટે ખુશખબર આવી છે. ઈપીએફઓ આ મહિને એકસાથે 8.પ ટકા વ્યાજ ખાતામાં જમા આપી શકે છે.

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (ઈપીએફઓ) એ નાણાંકીય વર્ષ ર019-ર0 માટે આશરે 6 કરોડ કર્મચારીઓના ઈપીએફ ખાતામાં ડિસેમ્બરના અંત સુધીમાં એકસાથે 8.પ ટકા વ્યાજ જમા કરાવશે.આ પહેલા સપ્ટે.માં શ્રમ મંત્રી સંતોષ ગંગવારની આગેવાનીમાં યોજાયેલી બેઠકમાં ઈપીએફઓને વ્યાજને 8.1પ ટકા અને 0.3પ ટકા એક બે હપ્તામાં જમા કરાવવાનો નિર્ણય લેવાયો હતો.

ઉચ્ચ અધિકારી સૂત્રોએ જણાવ્યું કે શ્રમ મંત્રાલયે વર્ષ ર019-ર0 માટે ઈપીએફમાં એકસાથે 8.પ ટકા વ્યાજ જમા કરાવવાનો પ્રસ્તાવ મોકલ્યો છે. જેના પર થોડા જ દિવસમાં નાણા મંત્રાલયની મંજૂરી મળી જવાની સંભાવના છે. જેથી ઈપીએફ ખાતેદારોના ખાતામાં આ મહિને જ વ્યાજ જમા કરવામાં આવી શકે છે. નાણાં મંત્રાલયે ગત નાણાંકીય વર્ષ માટે કેટલીક સ્પષ્ટતાઓ માગી હતી જે આપી દેવામાં આવી છે. શ્રમ મંત્રીની આગેવાનીમાં બેઠક મળી ચૂકી છે અને સીબીટીએ પણ 8.પ ટકા વ્યાજને મંજૂરી આપી દીધી છે.

December 14, 2020
modi-1280x720.jpg
1min412

દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી બે મોટા પ્રકલ્પોના ખાતમુહૂર્ત આખરે આગામી ૧૫મી ડિસેમ્બરના મંગળવારે સરહદી કચ્છની મુલાકાતે આવી રહ્યા છે, જેને લઇને પ્રારંભિક કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી છે અને તેમાં હજુ થોડા ફેરફાર થાય તેવી શક્યતા સેવાઇ રહી છે.

મોદી મંગળવારે સવારે ૧૧.૨૦ કલાકે દિલ્હીના ઈન્દિરા ગાંધી એરપોર્ટ પરથી હવાઇ માર્ગે નીકળ્યા બાદ બપોરે ૧.૨૦ કલાકે ભુજ એરપોર્ટ પર પહોંચી આવશે અને ત્યાંથી હેલિકોપ્ટરથી ૨ વાગ્યે ભાતીગળ પ્રદેશ સમા ધોરડો ખાતેના વીવીઆઇપી ટેન્ટમાં રહેશે. ત્યારબાદ ૨.૩૦ કલાકે ડિસેલીનેશન પ્લાન્ટ માંડવી, રિન્યૂએબલ એનર્જી પાર્કનું ભૂમિપૂજન કરશે. વડા પ્રધાન ડિસેલીનેશન પ્લાન્ટના ખાતમુહૂર્ત માટે માંડવી તાલુકાના ગુંદિયાળી નહીં જાય પરંતુ બંને પ્રોજેક્ટનું ધોરડો ખાતેથી ડિજિટલ માધ્યમથી ભૂમિપૂજન કરશે. ૩.૪૫ કલાકે વીવીઆઇપી ટેન્ટમાં પરત ફરશે. ત્યારબાદ વડા પ્રધાન ૩.૫૫થી ૪.૪૦ વાગ્યા દરમ્યાન ભુજના ભુજીયા ડુંગરની તળેટીમાં લાંબા સમયથી બની રહેલા ધરતીકંપમાં માર્યા ગયેલાઓની યાદ માટે બની રહેલા સ્મૃતિ વન મેમોરિયલ પ્રોજેક્ટની પ્રગતિનો અહેવાલ સંબંધિત અધિકારીઓ પાસેથી મેળવશે. સાંજે ૫.૩૦થી ૬.૩૦ વાગ્યા દરમ્યાન સફેદ રણમાં યોજાનારા સાંસ્કૃતિક કાર્યક્રમમાં હાજરી આપશે. ૬.૫૫ કલાકે ધોરડોથી હેલિકોપ્ટરમાં પરત સાંજે ૭.૨૫ કલાકે ભુજ એરપોર્ટ પર આવશે. રાત્રે ૭.૩૦ કલાકે ભુજ એરપોર્ટથી નીકળ્યા બાદ ૯.૨૫ કલાકે દિલ્હી પહોંચી જશે.

December 12, 2020
Wistron-1024x554-1.jpg
2min598
Assembly company Wistron looking to expand India factories, possibly for  future iPhone construction | AppleInsider

ભારતમાં આઇફોન બનાવતી કંપનીના પ્લાન્ટમાં કર્મચારીઓએ શનિવાર તા.12મી ડિસેમ્બરના રોજ ભારે તોડફોડ કરી હોવાના અહેવાલો મળ્યા હતા. પગારના મુદ્દે અસંતોષને પગલે કર્મચારીઓએ તોડફોડ કરી હતી. કર્ણાટકના બેંગુલુરુ નજીક સ્થાપવામાં આવેલા વિન્સ્ટ્રોન કંપનીના આઇફોન મેન્યુફેક્ચરિંગ યુનિટમાં તોડફોડ કરી રહેલા કર્મચારીઓના વિડીયો સોશ્યલ મિડીયામાં ભારે વાઇરલ થયા હતા. બેંગલુરુમાં જે કંપનીમાં તોડફોડ થઇ છે એ વિસ્ટ્રોન કંપનીની હેડ ઓફિસ તાઇવાનમાં છે. 

Bengaluru news: Bengaluru: मनमाने तरीके से सैलरी काटने पर भड़के कर्मचारी,  आईफोन मैन्युफैक्चरिंग कंपनी में जमकर तोड़फोड़ - violence breaks out at  wistron corporation iphone ...

પગારના મુદ્દે બેકાબૂ બનેલા કર્મચારીઓએ કંપની કમ્પાઉન્ડમાં સ્થિત કારોને ઉથલાવી નાંખી હતી, સીસી ટીવી કેમેરા, ફર્નિચરની મોટા પાયે તોડફોડ કરવામાં આવી હતી.

પોલીસના જણાવ્યા મુજબ પગારના મુદ્દો બિચકતા કર્મચારીઓએ યુનિટમાં પથ્થરમારો કરી, બારી-બારણાંના કાચ ફોડી નાંખ્યા. કંપની સંપત્તિની ગાડીઓ, ફર્નિચર, કોમ્પ્યુટર અને લેપટોપને પણ નુકસાન પહોંચાડ્યું હતું, 

Workers go on rampage at iPhone manufacturing plant in Karnataka

ટ્રેડ યુનિયનના નેતાનું કહેવુ હતું કે કોન્ટ્રાક્ટ પર રાખેલા કર્મચારીઓને પગાર સમયસર ચૂકવાતો નથી, તેમના નક્કી કરેલા પગારમાં પણ મનફાવે એવી રીતે કાપ મૂકીને ચૂકવવામાં આવી રહી હતી. વિદેશી કંપનીમાં તોડફોડ કરનારા કર્મચારીઓ આ વાતથી પણ રોષે ભરાયા હતા કે નોકરીમાં જોડાતા સમયે જે પગાર નક્કી કરાયો હતો, એ પણ ચૂકવાતો નથી. કંપનીના એક કર્મીનું કહેવુ હતું કે એક એન્જિનીયરને 21 હજાર મહિનાના પગારે નોકરી આપી હતી, પરંતુ અચાનક તેના પગારમાં કાપ મૂકી 16000 કરી દેવાયા અને હાલમાં તેના પગારમાં કાપ મૂકીને 12000 કરી દેવાયો હતો. 

Violence in Wistron Bangalore: Violence breaks out at Wistron Corp's iPhone  manufacturing plant near Bengaluru | Bengaluru News - Times of India - News  Daily

કંપનીના ઉત્પાદન યુનિટમાં કામ કરતા લગભગ તમામ વર્ગના કર્મચારીઓ સાથે આવુ બની રહ્યુ હતું. જેના લીધે કર્મીઓએ રજૂઆત કરી હતી, પરંતુ તેમની સહનશક્તિ તૂટી અને કંપનીમાં તોડફોડ સુધી વાત પહોંચી હતી.

વિસ્ટ્રોન કોર્પોરેશન એપ્પલ માટે આઇફોન 7, લેનોવો, માઇક્રોસોફ્ટ સહિત કંપનીઓ માટે આઇટી ઉત્પાદનો બનાવે છે. અહીં 2900 કરોડ રુપિયાના રોકાણ અને 10,000થી વધુ લોકોને રોજગાર આપવાના પ્રસ્તાવ સાથે રાજ્ય સરકારે બેંગુલુરુ પાસે યુનિટ નાંખવાની પરમિશન આપી હતી. 

December 12, 2020
CIA_Live_Logo_New2.jpg
1min800

Jayesh Brahmbhatt 98253 44944

જેમ્સ એન્ડ જ્વેલરી એક્પોર્ટ પ્રમોશન કાઉન્સિલે કરેલી એક મહત્વની જાહેરાતમાં જણાવ્યું છે કે યસ બેંક દ્વારા હીરા-ઝવેરાતના વેપાર પર ફાઇનાન્સ આપવા માટે પગલાં ભરવામાં આવી રહ્યા છે જે આ ક્ષેત્રના મેન્યુફેક્ચરર્સને કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ કરવામાં ખાસ્સી અને મહત્વની સહાય થશે. યસ બેંકનું આ પગલું આવકાર્ય છે.

GJEPC India એ ટ્વીટ કરીને યસ બેંક અંગે જાણકારી આપી

GJEPC Welcomes Measures Announced by Finance Minister to Boost Exports

GJEPC India એ પોતાના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પર ટ્વીટ કરીને માહિતી આપી હતી કે યસ બેંક જેમ એન્ડ જ્વેલરી વેપારને ધિરાણ આપવામાં આગળ વધી રહી છે, જે આ ક્ષેત્રના મેન્યુફેક્ચરર્સ માટે કેપિટલ મૂડી સમાન સહાય હશે. હીરા ઝવેરાત ઉદ્યોગ માટે આનાથી મોટું ઉત્સાહવર્ધક તેમજ વિશ્વાસવર્ધક પગલું કયું હોઇ શકે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે હીરા ઝવેરાતના ટ્રેડ પર ધિરાણ આપવામાં બેંકો પાછીપાની કરતી હોય છે. બેંકો હિરા ઝવેરાતના ધંધાર્થીઓને લોન તો આપે છે પરંતુ, તારણમાં મિલ્કતો કે અન્ય વસ્તુઓની બાંયધરી મેળવે છે. બેંકોની આ ગતિવિધિને પગલે હીરા ઝવેરાતના વ્યવસાયીઓને અન્ય ઉદ્યોગ ધંધાની સરખામણીમાં મૂડીગત તેમજ કાર્યશીલ મૂડી બન્નેની ખેંચ પડે છે.

December 10, 2020
vijayvargiya-car.jpg
1min455

ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાના બે દિવસના પશ્ચિમ બંગાળના પ્રવાસ પર મામલો ગરમાઈ રહ્યો છે. ડાયમંડ હાર્બર જતી વખતે નડ્ડાના કાફલા પર પથ્થરમારો થયો છે. આ દરમિયાન કાર્યકર્તાઓ પર લાકડીના ડંડા મારીને હુમલો કરવામાં આવ્યો. ભાજપના મહાસચિવ કૈલાશ વિજવર્ગીય પણ આ જ કાફલા સાથે હતા. તેમની ગાડીના પણ કાચ તૂટ્યા છે. આ પહેલા ભાજપના અધ્યક્ષ નડ્ડાએ સુરક્ષા ચૂકનો આરોપ લગાવ્યો છે. આ સંબંધમાં બંગાળ ભાજપ યુનિટના અધ્યક્ષ દિલીપ ઘોષે સ્થાનિક તંત્ર અને અમિત શાહને પત્ર પણ લખ્યો છે.

પ્રદર્શનકારીઓએ ડાયમંડ હાર્બરમાં રસ્તો જામ કરવાની કોશિશ કરી. આ રસ્તા પરથી જેપી નડ્ડાનો કાફલો પસાર થઈ રહ્યો હતો. જેપી નડ્ડાના કાફલા પર પથ્થરમારો પણ થયો. કહેવાય છે કે પશ્ચિમ બંગાળમાં કૃષિ કાયદાને લઈને વિરોધ થઈ રહ્યો છે.

કૈલાશ વિજયવર્ગીયએ ટ્વીટ કર્યું, “બંગાળ પોલીસે પહેલા રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાના કાર્યક્રમની માહિતી આપી હતી, પરંતુ ફરી એકવાર બંગાળ પોલીસ નિષ્ફળ રહી. સિરાકોલ બસ સ્ટેન્ડ પાસે પોલીસ સામે જ ટીએમસી ગુંડાએ અમારા કાર્યકર્તાઓને માર્યા અને મારી ગાડી પર પથ્થરમારો કર્યો.”

December 10, 2020
shakti.jpg
2min725

મહિલા અને બાળકો પર અત્યાચારના કેસ વધતા જતા હોવાથી સરકારે આંધ્રપ્રદેશના દિશા કાયદાની જેમ જ ‘શક્તિ’ કાયદો બનાવ્યો છે, જેને બુધવારે 9/12/2020 પ્રધાનમંડળની બેઠકમાં મજૂરી આપવામાં આવી હતી.

આ કાયદામાં શિક્ષાનું પ્રમાણ વધારવામાં આવ્યું છે તેમ જ નવા ગુનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, તેમ મુખ્ય પ્રધાન કાર્યાલયે માહિતી આપી હતી. બુધવારે પ્રધાનમંડળમાં મહાારષ્ટ્ર શક્તિ ક્રિમિનલ લૉ (મહારાષ્ટ્ર અમેડમેન્ટ) એક્ટ ૨૦૨૦ એન્ડ સ્પેશિયલ ર્કોર્ટ એન્ડ મશિનરી ફોર ઈમ્પ્લિમેન્ટેન્શન ઑફ મહારાષ્ટ્ર શક્તિ ક્રિમિનિલ લૉ ૨૦૨૦ એમ બે કાયદાને મંજૂરી આપવામાં આવી હતી. અગાઉ ગૃહ પ્રધાન અનિલ દેશમુખે આંધ્રપ્રદેશની મુલાકાત લઈ ત્યાંના કાયદાનો વિશેષ અભ્યાસ કર્યો હતો. રાજ્યમાં વધતી ગુનાખોરી સામે મહિલાઓને રક્ષણ આપવા સરકારે આ કાયદા બનાવ્યા છે. હવે આ કાયદો મહારાષ્ટ્ર સરકારે રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલી આપ્યો છે.

ફોજદારી પ્રક્રિયામાં ફેરફાર

૧. તપાસનો કાર્યકાળ બે મહિનાને બદલે ૧૫ કામના દિવસો કરવામાં આવ્યો

૨. કેર્ટમાં કેસ ચલાવવાની મર્યાદા બે મહિનાને બદલ ૩૦ કામના દિવસો કરવામાં આવ્યો

૩. અપીલનો કાર્યકાળ છ મહિનાને બદલે ૪૫ દિવસ

૪. દરેક સ્પેશિયલ કોર્ટ માટે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યટર નિમવાનું પ્રસ્તાવિત કરવામાં આવ્યું છે

૫. દરેક ઘટક માટે મહિલા અને બાળક પર થયેલા ગુનાની તપાસ કરવા માટે ખાસ પોલીસ ટીમ અને તેમાં કમ સે કમ એક મહિલા અધિકારી પ્રસ્તાવિત કરવામાં આવી છે.

૬. પીડિતાને મદદ કરવા માટે સામાજિક સંસ્થાને નિમવાનું પ્રસ્તાવિત કરવામાં આવ્યું છે.

——————————

કેવી હશે સજા

૧.બળાત્કાર, એસિડ હુમલા અને બાળક પર અત્યાચાર કરવા બદલ મૃત્યુદંડ પ્રસ્તાવિત કરવામાં આવ્યો છે

૨. સજાની મર્યાદા વધારવામા આવી છે

૩. એસિડ હુમલા પ્રકરણમાં દંડની જોગવાઈ કરી છે. આ રકમ પીડિતાના ઉપચાર અને પ્લાસ્ટિક સર્જરીમાં ઉપયોગમાં લેવાનું પ્રસ્તાવિત કરવામાં આવ્યું છે

——————————–

કાયદામાં સમાવવામાં આવેલા નવા ગુના

૧. સોશિયલ મીડિયા મારફતે મહિલાને ધમકાવવી કે તેની બદનામી કરવી.

૨. બળાત્કાર, વિનયભંગ અને એસિડ હુમલા મામલે ખોટી ફરિયાદ કરવી.

૩. સોશિયલ મીડિયા, ઈન્ટરનેટ અને મોબાઈલ સેવા પૂરી પાડતી કંપની દ્વારા તપાસમાં સહકાર ન આપવો.

૪. કોઈ લોકસેવકનો તપાસમાં સહકાર ન કરવો.

૫. બળાત્કારની જેમ એસિડ અને વિનયભંગની ભોગ બનેલી પીડિતાનું નામ છાપવાનું બંધનકારક.