CIA ALERT

ઇન્ડીયા Archives - Page 46 of 215 - CIA Live

March 15, 2022
hijab.jpg
1min562

કર્ણાટક હાઈકોર્ટની ફુલ બેન્ચે હિજાબ વિવાદ કેસમાં પોતાનો ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે કહ્યું છે કે હિજાબ ઈસ્લામનો ભાગ નથી. આ આદેશ સાથે હાઇકોર્ટે વિદ્યાર્થિનીઓ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને પણ ફગાવી દીધી છે.

શૈક્ષણિક સંસ્થાઓમાં હિજાબને લઈને હાઈકોર્ટમાં પહોંચેલી ફુલ બેન્ચે 15 દિવસથી વધુ સમય સુધી સુનાવણી કરી અને બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ ગયા અઠવાડિયે નિર્ણય અનામત રાખ્યો હતો. અહીં મામલાની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીન રાજ્ય સરકારે કર્ણાટકના જિલ્લાઓમાં કલમ 144 લાગુ કરી છે. જે વિસ્તારો અતિસંવેદનશીલ છે ત્યાંની શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

દક્ષિણ કન્નડના ડેપ્યુટી કલેક્ટર ડૉ. રાજેન્દ્ર કે.વી.એ જણાવ્યું કે મંગળવારે તમામ શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. તેમણે કહ્યું કે એક્સટર્નલ પરીક્ષાઓ સમયપત્રક મુજબ જ લેવામાં આવશે પરંતુ મંગળવારે જે ઇન્ટરનલ પરીક્ષાઓ યોજાવાની હતી તે મોકૂફ રાખવામાં આવી છે. ઉડુપીના ડીએમ કુરમા રાવ એમએ પણ મંગળવારે તમામ શાળાઓ અને કોલેજો બંધ રાખવાનો આદેશ આપ્યો છે.

પોલીસ ફોર્સ તૈનાત
શિવમોગા જિલ્લામાં શાળા કોલેજો પણ બંધ કરી દેવામાં આવી છે. અહીં 21 માર્ચ સુધી કલમ 144 લાગુ કરવામાં આવી છે. એસપી બીએમ લક્ષ્મી પ્રસાદે જણાવ્યું કે KSRPની 8 કંપનીઓ, ડિસ્ટ્રિક્ટ આર્મ્ડ રિઝર્વની 6 કંપનીઓ અને RPFની 6 કંપનીઓ તૈનાત કરવામાં આવશે. કલબુર્ગી પ્રશાસને કલમ 144 પણ લગાવી છે.

ઉડુપીની કોલેજથી શરૂ થયો હતો વિવાદ
ઉડુપીની એક કોલેજમાંથી હિજાબનો વિવાદ ઉભો થયો હતો. ગવર્નમેન્ટ પ્રી કોલેજમાં છોકરીઓને સ્કૂલમાં હિજાબ પહેરવાની છૂટ હતી પરંતુ ક્લાસની અંદર હિજાબ પર પ્રતિબંધ હતો. ગયા વર્ષે ડિસેમ્બરમાં કોલેજના છ વિદ્યાર્થિનીઓએ હિજાબ પહેરીને ક્લાસરૂમમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. તેમને અટકાવવામાં આવ્યા હતા પરંતુ છોકરીઓ મક્કમ હતી. જે બાદ તે કોલેજની બહાર ધરણા પર બેસી ગઈ હતી અને ત્યારબાદ વિવાદ વધુ ગરમાયો હતો. કોલેજની અંદરનું આ પ્રદર્શન દેશના અન્ય જિલ્લાઓ અને અન્ય રાજ્યોમાં ફેલાઈ ગયું.

ખંડપીઠે નિર્ણય અનામત રાખ્યો હતો
કર્ણાટક હાઈકોર્ટે ગયા મહિને હિજાબ વિવાદની સુનાવણી પૂર્ણ કરી હતી. આ મામલાની સુનાવણી ચીફ જસ્ટિસ ઋતુરાજ અવસ્થી, જસ્ટિસ જેએમ ખાજી અને જસ્ટિસ કૃષ્ણા એમ દીક્ષિતની બનેલી ફુલ બેન્ચે કરી હતી. સુનાવણી દરમિયાન કોર્ટમાં કર્ણાટક સરકાર વતી દલીલ કરવામાં આવી હતી કે હિજાબ જરૂરી ધાર્મિક પરંપરા નથી અને ધાર્મિક સૂચનાઓને શૈક્ષણિક સંસ્થાઓની બહાર રાખવી જોઈએ.

હાઇકોર્ટે વચગાળાનો સ્ટે લગાવ્યો હતો
કર્ણાટક સરકાર તરફથી હાજર રહેલા સોલિસિટર પ્રભુલિંગ નવદગીએ કહ્યું હતું કે બંધારણની કલમ 25 હેઠળ માત્ર આવશ્યક ધાર્મિક પ્રથાઓ જ સુરક્ષિત છે, જે નાગરિકોને તેમની પસંદગીના ધર્મનું પાલન કરવાની ખાતરી આપે છે. કર્ણાટક હાઈકોર્ટે હાલમાં કોઈપણ ધાર્મિક પ્રતીક પહેરીને શાળાએ જવા પર વચગાળાનો પ્રતિબંધ લગાવી દીધો છે!

હિજાબ વિવાદ કેસમાં સુનાવણીના કેટલાક તથ્યો
– ફેબ્રુઆરીમાં મેરેથોન સુનાવણી પછી, કોર્ટે આ મામલે પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો.
– મોટાભાગની અરજીઓ ઉડુપી અને કુંડાપુરા કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા દાખલ કરવામાં આવી. બે પીઆઈએલ પણ દાખલ કરવામાં આવી હતી.
– અરજીકર્તાઓએ દલીલ કરી હતી કે હિજાબ પહેરવું ફરજિયાત છે અને રાજ્ય સરકારની કાર્યવાહી ધર્મના આધારે પ્રતિકૂળ ભેદભાવ સમાન છે.
– અરજદારોએ વધુમાં દલીલ કરી હતી કે મુસ્લિમ છોકરીઓ ઓછી શિક્ષિત હોય છે અને વર્ગોમાં તેનું પ્રતિનિધિત્વ ઓછું હોય છે અને જો તેઓને આ રીતે બંધ કરવામાં આવશે તો તેની અસર તેમના શિક્ષણ પર પડશે.
– રાજ્ય સરકારે દલીલ કરી હતી કે હિજાબ પહેરવું એ જરૂરી ધાર્મિક પ્રથા નથી. સરકારે એમ પણ કહ્યું હતું કે ડ્રેસ કોડ સંબંધિત તેનો 5 ફેબ્રુઆરી, 2022નો પરિપત્ર – જેને કોર્ટ સમક્ષ પડકારવામાં આવ્યો હતો – તે અરજદારોના અધિકારોમાં દખલ કરતું નથી.

March 14, 2022
kids.jpg
1min604

કોવિડ સામે રસીકરણના અભિયાનમાં હવે બાળકોને પણ સામેલ કરવામાં આવી રહ્યા છે. સરકારે જાહેરાત કરી છે કે 12થી 14 વર્ષના બાળકોને 16 માર્ચ (બુધવાર)થી કોવિડની રસી આપવામાં આવશે. કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયાએ સોમવારે જાહેરાત કરી કે 13થી 13 અને 13થી 14 વર્ષની વયજૂથના બાળકોને બુધવારથી રસી અપાશે. આ ઉપરાંત 60 વર્ષથી વધુ વયના સિનિયર સિટિઝન્સ વેક્સિનનો બૂસ્ટર ડોઝ લઈ શકશે.

તેમણે હિંદીમાં ટ્વિટ કરી હતી કે, “બાળકો સુરક્ષિત રહેશે તો દેશ પણ સુરક્ષિત રહેશે.” 12થી 14 વર્ષના બાળકોને Biological E’ની Corbevax વેક્સિન આપવામાં આવશે. માર્ચની શરૂઆતમાં જ કેન્દ્રિય મંત્રીએ જણાવ્યું હતું કે દેશમાં 15થી 18 વર્ષના વયજૂથમાં ત્રણ કરોડથી વધુ કિશોરોને કોવિડ-19ની વેક્સિન આપવામાં આવી છે. યુવા ભારત વિશ્વમાં સૌથી મોટા રસીકરણ અભિયાનને આગળના તબક્કે લઈ જવા માંગે છે. માંડવિયાએ ટ્વિટ કરી કે સૌને મફત વેક્સિન આપવાના અભિયાનને આગળ વધારવામાં આવી રહ્યું છે.

ભારતે એક વર્ષ અગાઉ કોવિડ-19 રસીકરણની શરૂઆત કરી હતી. 15થી 18 વર્ષના બાળકોને રસી આપવા માટે Covaxin અને ZyCoV-1 વિચારણા હેઠળ હતી. ભારત બાયોટેક દ્વારા ઉત્પાદિત કોવેક્સિન એ પુખ્ત વયના લોકોને પણ આપવામાં આવે છે. જ્યારે ઝાયડસ કેડિલા દ્વારા વિકસાવાયેલી ZyCoC-1 નવી રસી છે અને તેના સંપૂર્ણ વેક્સિનેશનમાં ત્રણ ડોઝની જરૂર પડે છે.

March 7, 2022
indian-rupee-vs-us-dollar-symbols-HY0EN3-1280x993.jpg
1min468

વિદેશી બજારોના નબળા સંકેતો અને ક્રૂડની ક્રૂર ચાલને પગલે Dt.07/03/2022ના સત્રમાં ભારતીય શેરમાર્કેટમાં મસમોટો કડાકો જોવા મળ્યો છે. સામે પક્ષે સેફ હેવન ગણાતા સોના અને ડોલરમાં મક્કમ ચાલ જોવા મળી રહી છે.

શરૂઆતી સત્રમાં એસ એન્ડ પી બીએસઈ સેન્સેકસ 52,542નું તળિયું બનાવીને સેન્સેકસ 12 કલાકે 1166 અંકોના કડાકે કારોબાર કરી રહ્યો છે. 

યુક્રેન રશિયા યુદ્ધના કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં ભડકો જોવા મળતા ભારતનું ઈમ્પોર્ટ બિલ વધવાની ભીતિ છે. આવશ્યક ચીજવસ્તુઓના પુરવઠાને અસરની આશંકાએ રૂપિયો ઐતિહાસિક તળિયે પહોંચ્યો છે. ડોલરની સામે રૂપિયો આજે 77 તરફ આગળ વધ્યો છે. 

શેરબજારના કડાકાને કારણે રૂપિયામાં દબાણ વધ્યું હતું અને 77ને સ્પર્શ્યા બાદ સવારે 10:00 કલાક આસપાસ 76.95 પર વેપાર કરી રહ્યો હતો જે અમેરિકી ડોલર સામે ભારતીય કરન્સીનું નીચલું સ્તર છે. અગાઉનો ઘટાડો એપ્રિલ 2020માં લોકડાઉન દરમિયાન કોરોનાના પીક વખતે 76.87 રૂપિયા નોંધાયો હતો. 

March 6, 2022
voting.jpg
1min464

10/3/21: પાંચ રાજ્યોનું પરિણામ જાહેર થશે

મણીપુરમાં બીજા અને અંતિમ તબક્કામાં 76 ટકા મતદાન

દેશ પર પડકારો આવે છે ત્યારે વંશવાદીઓ પોતાનું રાજકીય હિત જુવે છે : મોદીએ બુદ્ધીજીવીઓ સાથે ચર્ચા કરી

મણીપુરમાં કેટલાક મતવિસ્તારોમાં કોંગ્રેસ અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે હિંસા, એકના મોતની સ્થિતિ તંગદીલ

વારાણસી : ઉત્તર પ્રદેશમાં છ તબક્કાનું મતદાન પૂર્ણ થઇ ગયું છે જ્યારે હવે અંતિમ સાતમા તબક્કા માટે સાતમી માર્ચે મતદાન યોજાશે. સાતમા તબક્કામાં અંતિમ બાકી રહેલી 54 બેઠકો પર મતદાન થશે. આ બેઠકો કુલ નવ જિલ્લાને આવરી લેશે જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મત વિસ્તાર વારાણસીનો પણ સમાવેશ થાય છે.

આ સાથે જ વિધાનસભાની એક મહિના સુધી ચાલેલી ચૂંટણીઓનો પણ અંત આવી જશે. આ સાથે જ એક મહિનો લાંબી ચાલેલી મતદાન પ્રક્રિયાનો પણ અંત આવશે જેની શરૂઆત 10મી ફેબુ્રઆરીએ થઇ હતી, કુલ પાંચ રાજ્યોમાં મતદાન પ્રક્રિયા આ સાથે જ પૂર્ણ થઇ જશે.

ત્રણ રાજ્યોમાં મતદાન પૂર્ણ થઇ ગયું હતું જ્યારે મણીપુરમાં બીજા અને અંતિમ તબક્કા માટે કુલ 76.04 ટકા મતદાન થયું છે. જેમાં સૌથી વધુ 82 ટકા મતદાન સેનાપતિ જિલ્લામાં થયું હતું. દરમિયાન મણીપુરમાં કેટલાક મતવિસ્તારોમાં ઘર્ષણ પણ જોવા મળ્યું હતું.

એવા આરોપો છે કે કોંગ્રેસ અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે ઇંફાલમાં ભારે ઘર્ષણ થયું હતું, જે દરમિયાન ભાજપના એક કાર્યકર્તાની હત્યા કરી દેવામાં આવી છે. 25 વર્ષીય એલ અમુબા સિંહ નામના આ વ્યક્તિની હત્યાને પગલે સમગ્ર વિસ્તારમાં તંગદીલીનો માહોલ છે.

હત્યાનો આરોપ ભાજપે કોંગ્રેસના એક કાર્યકર્તા પર લગાવ્યો છે. જ્યારે કેટલાક મતવિસ્તારોમાં હિંસાની ઘટના પણ સામે આવી હતી. બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બીજા દિવસે પણ વારાણસીમાં જોવા મળ્યા હતા.

અગાઉ તેમણે અહી રોડ શો યોજ્યો હતો જ્યારે બીજા દિવસે શનિવારે મોદીએ વારાણસીના પદ્મશ્રી તેમજ પદ્મભુષણ એવોર્ડ વિજેતા બુદ્ધિજીવીઓની સાથે વાતચીત કરી હતી અને ઉત્તર પ્રદેશમાં ફરી ભાજપની સરકાર રચવા માટે જનતાને અપીલ કરી હતી.

મોદીએ કહ્યું હતું કે રાજ્યમાં જો સિૃથર સરકાર હશે તો મોટા અને સાહસીક નિર્ણયો લેવામાં સરકાર સક્ષમ રહેશે. તેમણે આરોપ લગાવ્યો હતો કે જ્યારે રાષ્ટ્રની સામે પડકારો આવે છે ત્યારે વંશવાદી પોતાનંુ રાજકીય હિત જ જોવે છે. 

ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા રીટા બહુગુણા જોશીના પુત્ર મયંક જોશી સમાજવાદી પાર્ટીમાં સામેલ થઇ ગયા છે. આઝમગઢમાં સપા વડા અખિલેશ યાદવની જાહેરીમાં તેઓ સપામાં સામેલ થયા હતા.

February 16, 2022
cia_edu-1280x925.jpg
4min691

Jayesh Brahmbhatt 98253 44944

જેઇઇ અને નીટ જેવી રાષ્ટ્રીય પ્રવેશ પરીક્ષાઓમાં ટ્રાયલના નામે ધો.12 સાયન્સના વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ખીલવાડ થઇ રહ્યો છે. જે રીતે દર વર્ષે ટ્રાયલની સંખ્યા બદલવામાં આવી રહી છે એ જોતા એવું લાગી રહ્યું છે કે ટ્રાયલના નામે ધતિંગો ચાલી રહ્યા છે. આ વર્ષે મળતી માહિતી મુજબ એન્જિનિયરિંગની રાષ્ટ્રીય પ્રવેશ પરીક્ષા જેઇઇ મેઇન JEE Main પેપર-1 પરીક્ષા માટે વિદ્યાર્થીઓને બે જ ટ્રાયલ આપવાનો નિર્ણય લેવાઇ ચૂક્યો છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર એન.ટી.એ. અને કેન્દ્રના શિક્ષણ મંત્રાલયના અધિકારીઓની મિટીંગમાં આ વર્ષે ધો.12 સાયન્સના એ ગ્રુપના વિદ્યાર્થીઓને JEE Main પેપર-1ની બે ટ્રાયલ, પહેલી ટ્રાયલ એપ્રિલ 20222માં અને બીજી ટ્રાયલ મે 2022માં આપવાનો નિર્ણય લેવાઇ ચૂક્યો છે. એપ્રિલ 2022ની ટ્રાયલ માટેના રજિસ્ટ્રેશન ચાલુ ફેબ્રુઆરી માસના અંતમાં શરૂ કરવામાં આવશે.

ધો.12 સાયન્સ વિદ્યાર્થીઓ પર પ્રયોગો ચાલી રહ્યાની અનુભૂતિ

જે રીતે જેઇઇ મેઇન્સમાં ટ્રાયલના નામે ધતિંગો ચાલી રહ્યા છે એ જોતા એવું કહેવામાં કોઇ જ અતિશયોક્તિ જણાતી નથી કે વિદ્યાર્થીઓની કારકિર્દી સાથે ગંભીર રમત રમાઇ રહી છે. 2019 સુધી જેઇઇ મેઇન્સ પેપર-1ની એક જ ટ્રાયલ લેવાતી હતી. એ પછી 2021માં કોરોના પેન્ડેમિક હોવાનું જાણવા છતાં એન.ટી.એ. અને કેન્દ્રના અધિકારીઓએ જેઇઇ મેઇન પેપર-1ની ચાર ચાર ટ્રાયલ આપવાનું નક્કી કર્યું અને બે ટ્રાયલ લીધા બાદ પાંચ મહિના સુધી પરીક્ષા યોજી શકાઇ ન હતી. હવે ચાલુ વર્ષે 2022માં ચાર ટ્રાયલ ઘટાડીને 2 જ ટ્રાયલ આપવાનો નિર્ણય કરી દેવાયો છે. આ પ્રકારના પ્રયોગોને કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓ વાજ આવી ગયા છે.

પ્રાઇવેટ કોચિંગ ક્લાસીસોને ફાયદો થાય એ રીતે જેઇઇ ની ગોઠવણ ચાલી રહ્યાની અનુભૂતિ

જેઇઇ અને નીટ પરીક્ષાનું મહત્વ વધારી દેવાતા દેશભરમાં પ્રાઇવેટ કોચિંગ ક્લાસીસોને કરોડોની કમાણી મળી રહી છે. હજુ પણ ધંધાદારી કોચિંગ ક્લાસીસોને ફાયદો થાય એ રી તે જ જેઇઇ અને નીટ પરીક્ષાની ગોઠવણ કરી આપવામાં આવી રહ્યાની અનુભૂતિ ચાલી રહી છે.

જેઇઇ મેઇન્સના સ્કોરથી NIT, IIIT CFTIsમાં પ્રવેશ મળે છે, જ્યારે JEE Advancedથી IITમાં પ્રવેશ મળે છે

IN English

Engineering course aspirants will get two, instead of four, attempts to appear for the Joint Entrance Examination (JEE-Main) this year, as the National Testing Agency (NTA) h as decided to conduct the entrance test only in April and May. The m inistry of education had decided to increase the number of attempts to four from 2021 onwards.

As per the initia l discussion between officials of MoE and ministry of health, the National Eligibility cum Entrance Test (Undergraduate) or NEET-UG will be conducted between the third week of June and first week of July. Ar ound 26 lakh engineering, medical and allied programme aspirants took these tests in 2021.JEE (Main), the multi-session computer-based test, is taken by students for getting admission in top engineering institutions as well as securing eligibility to appear for the JEE (Advanced), the entrance test for the Indian Institutes of Technology.

The number of attempts allowed to a student was increased from one to two in 2019 and to four from 2021 and some of the results show how aspirants significantly benefited from taking multiple shots at a high-pressure exam. The best of the four attempts was considered the candidate’s final score in 2021.

The official said the primary reason for offering four attempts last year was due to Covid-19. “Situation was different due to the second wave. However, things have improved and based on the current situation it has been decided that two attempts would be as beneficial. The registration will start by the end of this month

” Another reason, sources said, is that due to the delay in most exams, including the class XII Board exams, the window for entrance has shrunk if admissions are to be conducted on time this year. The CBSE class XII exams are to commence from April 26, while the Council for the Indian School Certificate Examinations will conduct exams from the last week of April.

February 3, 2022
cia_multi-1280x1045.jpg
3min755

Jayesh Brahmbhatt 98253 44944

ભારતમાં સિવિલ સર્વિસીઝ, સનદી સેવા અધિકારીઓની જુદી જુદી 26 જેટલી કેડર માટે ભરતી પ્રક્રિયા કરતી સંસ્થા યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) એ બુધવાર, તા.2 ફેબ્રુઆરીએ જાહેરાત કરી હતી કે 2022ના ચાલુ કેલેન્ડર વર્ષમાં સિવિલ સર્વિસીસ પ્રિલિમિનરી પરીક્ષા તા.5 જૂને લેવામાં આવશે. કુલ 861 પોસ્ટ માટે આ પરીક્ષા પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ભારતીય વહીવટી સેવા, ભારતીય વિદેશ સેવા અને ભારતીય પોલીસ સેવા, અન્યો વચ્ચેના અધિકારીઓની પસંદગી માટે સિવિલ સેવાઓની પરીક્ષા વાર્ષિક ત્રણ તબક્કામાં લેવામાં આવે છે – પ્રીલીમ્સ, મુખ્ય અને ઇન્ટરવ્યુ.

પ્રીલીમનરી પરીક્ષા દ્વારા શરૂ કરાયેલી ભરતી પ્રક્રિયાના અંતે કુલ 861 જેટલી સનદી અધિકારીઓની ખાલી પડેલી જગ્યાઓ પર નિમણૂંકો અપાશે. આ પ્રક્રિયામાં વિકલાંગતા કેટેગરી ધરાવતી વ્યક્તિઓ માટે 34 જગ્યાઓ આરક્ષિત કરવામાં આવી છે.

સનદી સેવા અધિકારીઓમાં પણ પુરુષ અને મહિલા ઉમેદવારોની સંખ્યાનું સંતુલન જળવાય રહે તે માટે ખાસ મહિલા ઉમેદવારો આ પરીક્ષા વધુને વધુ સંખ્યામાં આપે તે માટે મહિલા ઉમેદવારોને પ્રોત્સાહિત કરવા માટે તમામને કહેવામાં આવી રહ્યું છે.

કોઇપણ સ્નાતક (ગ્રેજ્યુએટ) ઉમેદવારો www.upsconline.nic.in વેબસાઇટ પર યુપીએસસી પ્રીલીમનરી પરીક્ષા માટે ઓનલાઈન અરજી કરી શકે છે. ઓનલાઈન અરજીઓ મોકલવાની છેલ્લી તારીખ 22 ફેબ્રુઆરી સાંજે 6 વાગ્યા સુધી છે.

1 માર્ચથી 7 માર્ચ સુધી સાંજે 6 વાગ્યા સુધી ઓનલાઈન અરજીઓ પાછી ખેંચી શકાશે.

જે ઉમેદવારો ચાલુ વર્ષે ગ્રેજ્યુએશનના અંતિમ વર્ષની પરીક્ષા આપવાના છે તેઓ પણ આ પરીક્ષા આપી શકે છે

In English

Civil services preliminary examination 2022 will be held on June 5 to fill 861 posts, the Union Public Service Commission (UPSC) said on Wednesday 2nd February 2022. The civil services examination is conducted annually in three stages — preliminary, main and interview — to select officers of Indian Administrative Service, Indian Foreign Service and Indian Police Service, among others.

The number of vacancies to be filled through the examination is expected to be approximately 861 which include 34 vacancies reserved for persons with benchmark disability category — seven for candidates of blindness and low vision, 11 for deaf and hard of hearing, and eight for locomotor disability.

The final number of vacancies may change after getting the exact number of vacancies from cadre controlling authorities, the UPSC said.

In a notification, it said the civil services preliminary examination will be held on June 5, 2022.
“The government strives to have a workforce which reflects gender balance and women candidates are encouraged to apply,” it said.

Candidates can apply online at www.upsconline.nic.in. The last date for sending online applications is Feb 22 till 6 pm.

Online applications can be withdrawn from March 1 to March 7 till 6 pm.

“No request for withdrawal of candidature will be entertained after the expiry of the specified period by the commission under any circumstances,” the notification said.

January 24, 2022
sensex_down.jpg
1min769

શેરબજારનો ઘટાડો સતત આગળ વધી રહ્યો છે અને તેનું તળિયું દેખાતું નથી. આજે સતત પાંચમા સત્રમાં શેરમાર્કેટમાં ઘડાડો થયો હતો. પાંચ સેશનની અંદર સેન્સેક્સ (Sensex) 3500 પોઇન્ટ જેટલો ઘટી ગયો છે. આ લખાય છે ત્યારે સેન્સેક્સ 1850 પોઇન્ટ ઘટીને 57186 પર હતો. અગાઉ લગભગ 1.40 વાગ્યે સેન્સેક્સ 2000 પોઇન્ટ સુધી ઘટી ગયો હતો.

સેન્સેક્સના તમામ 30 શેર રેડ ઝોનમાં હતા જેમાં બજાજ ફાઈનાન્સમાં સૌથી વધુ 6.46 ટકા, ટાટા સ્ટીલમાં 6.32 ટકા અને ટાઇટનના શેરમાં 5.93 ટકાનો ઘટાડો થયો હતો. ટેક મહિન્દ્રા, વિપ્રો અને એચસીએલ ટેકના શેર 5.63 ટકાથી લઈને 5.52 ટકા સુધી ઘટ્યા હતા.

બજેટ અગાઉના સપ્તાહમાં માર્કેટ નર્વસ જણાય છે. મંગળવારથી યુએસ ફેડ (US Fed)ની બે દિવસની મિટિંગ શરૂ થાય છે તે અગાઉ ચિંતા પ્રવર્તે છે. આ ઉપરાંત આ સપ્તાહમાં માસિક ડેરિવેટિવ કોન્ટ્રાક્ટ (Derivative Contract) ની એક્સપાયરી છે.

માર્કેટ ખુલ્યાના એક કલાક પછીની સ્થિતિની વાત કરીએ તો વોડાફોન આઇડિયા (Vodafone Idea) ત્રણ ટકા ઘટ્યો હતો જ્યારે યસ બેન્કનો શેર ડિસેમ્બર ક્વાર્ટરના રિઝલ્ટના રિએક્શનથી બે ટકા ઊંચકાયો હતો.

રેલિગેર બ્રોકરેજના વીપી, રિસર્ચ અજિત મિશ્રાએ જણાવ્યું કે, યુએસ ફેડ દ્વારા રેટમાં વધારાને લગતી અનિશ્ચિતતાથી બજારમાં ભયનો માહોલ છે. રોકાણકારો હવે 26 જાન્યુઆરીએ FOMCની બેઠકના તારણો અંગે સ્પષ્ટતા માંગે છે.

માર્કેટમાં સળંગ પાંચ દિવસના ઘટાડાના કારણે રોકાણકારોએ રૂ. 14 લાખ કરોડની સંપત્તિ ગુમાવી છે. આ સપ્તાહમાં 26મી જાન્યુઆરીએ બજાર બંધ રહેશે. આ ઉપરાંત રશિયા અને યુક્રેન વચ્ચે તણાવ વધી રહ્યો છે. રશિયા દ્વારા યુક્રેન પર આક્રમણ કરવામાં આવશે તો ભૂરાજકીય ચિંતામાં વધારો થશે.

જિયોજિત ફાઇનાન્શિયલ સર્વિસિસના ચીફ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ વી કે વિજયકુમારે જણાવ્યું કે અત્યારે FPI મોટી વેચવાલી કરી રહ્યા છે જે બજાર માટે મુશ્કેલી પેદા કરે છે. રોકાણકારોએ અત્યાર વધુ સાવધ રહેવાની જરૂર છે.

સેન્સેક્સના શેરોમાં એશિયન પેઇન્ટ્સ (Asian Paints) 2.16 ટકા ઘટીને રૂ. 3203 હતો જ્યારે ટેક મહિન્દ્રા (Tech Mahindra) 1.19 ટકા ઘટીને રૂ. 1563 હતો. બજાજ ફિનસર્વ, વિપ્રો (Wipro), ઇન્ફોસિસ (Infosys), HCL ટેક્નોલોજી અને બજાજ ફાઇનાન્સ (Bajaj Finance)ના શેર પણ 1.8 ટકા સુધી ઘટ્યા હતા. એક્સિસ બેન્ક (Axis Bank) અને ટાઇટન (Titan)ના શેરમાં એક ટકાનો ઘટાડો થયો હતો.

આજે મારુતિ સુઝુકી 1.2 ટકા વધીને રૂ. 8287 પર હતો. પાવર ગ્રીડ, ઇન્ડસઇન્ડ બેન્ક, ICICI બેન્ક, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં એક ટકાનો વધારો થયો હતો.

January 22, 2022
devdan.jpg
1min838

સિંગાપોરમાં રહેતા ભારતીય મૂળના એક પરિવારનું બે વર્ષ બાળક (બોય) એક ગંભીર પ્રકારની રેર બિમારી, ન્યુરોમસ્ક્યુલર બીમારીથી પીડાય રહ્યો છે, આ બિમારીને લીધે બાળક તેની ચાલવાની ક્ષમતા ગુમાવી બેઠો હતો. સિંગાપોરમાં રહેતા તેના પરિવારે અંદાજે ૨૯ લાખ સિંગાપોર ડૉલર (અંદાજે ૧૬ કરોડ રૂપિયા)ની જીને થેરેપેટિક દવા ટ્રીટમેન્ટ એ બાળકને આપી અને એ પછી બાળક ફરી ચાલતો થઈ શક્યો છે. ભારતીય મૂળના આ બાળકની વિશ્વની અતિખર્ચાળ દવાનો ખર્ચ સિંગાપોરના એક રહેવાસીએ ઉઠાવ્યો હતો, જેણે તેની ખર્ચાળ સારવાર માટે લગભગ ૩૦ લાખ સિંગાપોર ડૉલર્સનું દાન કર્યું હતું. 

વિશ્વની સૌથી મોંઘી ગણાતી મેડીકલ ટ્રીટમેન્ટ લેવાનો વિક્રમ પણ ભારતીય મૂળના સિંગાપોરમાં રહેતા બાળકના નામે રજિસ્ટર્ડ

Devdan Devaraj: ১৬ কোটি টাকার ওষুধে হাঁটার ক্ষমতা ফিরে পেল খুদে!

ભારતીય મૂળના સિવિલ સર્વન્ટ દવે દેવરાજ અને તેમનાં પત્ની શુ વેન દેવરાજનો એકમાત્ર પુત્ર દેવદાન દેવરાજને તેની સારવાર માટે વિશ્વની સૌથી મોંઘી દવા ઝોલેજેનસ્માની જરૂર પડે છે

દેવદાન દેવરાજની મમ્મી શુ વેન દેવરાજે કહ્યું કે ૨૦૨૧માં તેમનો પુત્ર સીધો ઊભો પણ નહોતો રહી શકતો, પરંતુ હવે તે ઊભા રહેવાનું તો ઠીક, એકલો ચાલી પણ શકે છે અને સાઇકલ પણ ચલાવે છે. 

વાસ્તવમાં ઑગસ્ટમાં ક્રાઉડ ફન્ડિંગ દ્વારા દેવદાન દેવરાજની સારવાર માટે ૮.૭ લાખ સિંગાપોર ડૉલર્સ એકઠા કરાયા હતા. સિંગાપોરના લોકોની મદદને કારણે આજે દેવદાન દેવરાજની જિંદગી સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. 
દેવદાન માત્ર એક મહિનાનો હતો ત્યારે તેને સ્પાઇનલ મસ્ક્યુલર અટ્રોફીનું નિદાન થયું હતું. આ મસલ્સની એક એવી સ્થિતિ છે જેમાં સમય જતાં તે વધુ ને વધુ નબળો પડતો જાય છે. 

સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફી ધરાવતતાંબાળકો માટે એક વખતની જીન થેરપી ટ્રીટમેન્ટ, ઝોલ્જેન્સમા સાથે તેની સારવાર સપ્ટેમ્બર ૨૦૨૧માં નૅશનલ યુનિવર્સિટી હૉસ્પિટલમાં થઈ હતી. 

January 8, 2022
voting.jpg
1min559

યુપીમાં તમામ સાત, પંજાબ, ઉત્તરાખંડ, ગોવામાં એક જ્યારે મણીપુરમાં બે તબક્કામાં થશે મતદાન

2022માં પાંચ રાજ્યોમાં યોજાઈ રહેલી વિધાનસભા ચૂંટણીનો કાર્યક્રમ આજે જાહેર કરી દેવાયો છે. તમામ પાંચ રાજ્યની ચૂંટણી સાત તબક્કામાં પૂર્ણ થશે. પહેલા તબક્કામાં યુપીમાં 10 ફેબ્રુઆરીએ વોટિંગ શરુ થશે. બીજા તબક્કામાં યુપીની સાથે પંજાબ, ઉત્તરાખંડ અને ગોવામાં પણ ચૂંટણી યોજાશે. આ ત્રણેય રાજ્યોમાં તમામ બેઠકો પર એક જ તબક્કામાં ચૂંટણી પૂર્ણ થઈ જશે. જ્યારે યુપીમાં તમામ સાત તબક્કામાં મતદાન થવાનું છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, મણીપુરમાં બે તબક્કામાં વોટિંગ થશે. 07 માર્ચના રોજ અંતિમ તબક્કાનું મતદાન થશે, જ્યારે 10 માર્ચે મત ગણતરી હાથ ધરવામાં આવશે.

મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રાએ યુપી સહિતના રાજ્યોનો કાર્યક્રમ જાહેર કરતા જણાવ્યું હતું કે કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને 15 જાન્યુઆરી સુધી રોડશો, પદયાત્રા, કોઈપણ પ્રકારની રેલી પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. ત્યારબાદ કમિશન સ્થિતિની સમીક્ષા કરીને આ નિયંત્રણોને લંબાવવા કે કેમ તેની સમીક્ષા કરશે. આ ઉપરાંત, રાતના 8થી સવારના 8 વાગ્યા સુધી પણ પ્રચાર નહીં કરી શકાય. પંચે નુક્કડ સભા પર પણ હાલ પૂરતો પ્રતિબંધ મૂક્યો છે.

પાંચ રાજ્યોની ચૂંટણીમાં આ વખતે 24.9 લાખ મતદાતા પહેલીવાર વોટિંગ કરશે. કુલ 18 કરોડ મતદારોમાં 8.5 કરોડ મહિલાનો સમાવેશ થાય છે. CEC સુશીલ ચંદ્રાના જણાવ્યા અનુસાર, યુપીની 403, પંજાબની 117, ઉત્તરાખંડની 70 જ્યારે મણીપુર અને ગોવાની 40-40 બેઠકો પર મતદાન યોજાશે.

મુખ્ય ચૂંટણી કમિશનરે જણાવ્યું હતું કે, કોરોનાના સતત વધતા કેસ વચ્ચે પંચ દ્વારા હોમ સેક્રેટરી તેમજ હેલ્થ સેક્રેટરી ઉપરાંત હેલ્થ એક્સપર્ટ્સ સાથે સલાહ-મસલત કરવામાં આવી હતી. સ્થિતિની સંપૂર્ણ સમીક્ષા કર્યા બાદ તમામ તકેદારી સાથે ચૂંટણી યોજવાનો નિર્ણય લેવાયો હોવાની માહિતી તેમણે આપી હતી. આ ઉપરાંત, 80 વર્ષથી વધુ વય ધરાવતા મતદાતા પોસ્ટલ બેલટથી મતદાન કરી શકશે. દરેક બુથ પર સેનિટાઈઝર અને માસ્કની સુવિધા પણ પૂરી પાડવામાં આવશે.

જે પાંચ રાજ્યોમાં ચૂંટણી યોજાવા જઈ રહી છે તેમાંથી પંજાબ સિવાયના તમામ ચાર રાજ્યોમાં ભાજપ હાલ સત્તા પર છે. જેમાં યુપીની ચૂંટણી ખૂબ જ મહત્વની મનાઈ રહી છે. વિધાનસભા ચૂંટણીની જાહેરાત થતાં જ આ પાંચેય રાજ્યોમાં તાત્કાલિક અસરથી આચારસંહિતા અમલમાં આવી ગઈ છે. હાલ તમામ રાજકીય પક્ષો ચૂંટણી જીતવા માટે મચી પડ્યા છે. ખાસ કરીને યુપીમાં ઉપરાછાપરી નેતાઓની વિશાળ રેલીઓ થઈ રહી છે. પીએમ મોદી પણ યુપીમાં અત્યારસુધી અનેક રેલી કરી ચૂક્યા છે.

December 24, 2021
allahabad-high-court.jpeg
1min639

અલ્હાબાદ હાઈકોર્ટે દેશ-વિદેશમાં કોરોનાના નવા વેરિયેન્ટ ઓમિક્રોનના વધતા પ્રભાવને લઈને 23/12/21 ગુરૂવારે દેશના વડાપ્રધાન અને ચૂંટણી પંચને અનુરોધ કર્યો છે કે ઉત્તર પ્રદેશમાં થનારી આગામી વિધાનસભા ચૂંટણીમાં ત્રીજી લહેરથી જનતાને બચાવવા માટે રાજકીય પક્ષો તરફથી ભીડ એકત્રિત કરીને કરવામાં આવતી રેલીઓ ઉપર રોક લાદવામાં આવે. કોર્ટે કહ્યું છે કે, પક્ષો ચૂંટણી પ્રચાર ટીવી અને સમાચાર પત્રો મારફતે કરે. વડાપ્રધાનને અનુરોધ કરતા કોર્ટના જજે કહ્યું હતું ક,ઁ તેઓ પક્ષની ચૂંટણી સભાઓ અને રેલીઓ રોકવા માટે કોઈ પગલા ભરે. સાથે જ ચૂંટણી ટાળવા ઉપર વિચાર કરવા કહ્યું હતું.