CIA ALERT
29. April 2024
May 23, 20181min11700

વાંદરાઓએ તાજમહલ ખાતે વિદેશીઓને પરેશાન કરી મૂક્યા

Share On :
Print Friendly, PDF & Email

યુપીના આગરા સ્થિત દુનિયાની અજાયબીઓ પૈકીની એક એવા તાજ મહેલમાં વાંદરાઓના જૂથે આતંક ફેલાવતા પર્યટકો ડઘાઈ ગયા છે. જોકે તાજ મહેલ ખાતે આવતા પ્રવાસીઓ પર વાંદરાનો આતંકની આ વાત નવી નથી. મંગળવારે સવારે તાજ મહેલ ખાતે એક ફ્રેન્ચ મૂળના પ્રવાસી તેમજ અન્ય એક વ્યક્તિને વાંદરાએ પગના ભાગે ઈજા પહોંચાડી હતી. બન્ને વિદેશી નાગરિકોના પગે ઉઝરડા પડી ગયા હોવાનું તસવીરોમાં જોવા મળે છે. પ્રાપ્ત વિગતો મુજબ વાંદરાએ આ પૈકી એક પ્રવાસીને પગે બચકું પણ ભરી લીધું હતું. બન્ને પ્રવાસીઓને તાત્કાલિક મેડિકલ સારવાર પુરી પાડવામાં આવી હતી.

તાજ મહેલની અંદર પરિસરમાં વાંદરાઓના આતંકને પગલે પ્રવાસીઓમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. અગાઉ પણ તાજ મહેલમાં વાંદરાઓ દ્વારા પ્રવાસીઓ પર હુમલાના અનેક બનાવો સામે આવ્યા છે. આગરામાં વાંદરાઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. તાજ મહેલ પરિસરમાં હવે વાંદરાઓની અવર જવર સત્તાધીશો માટે માથાનો દુ:ખાવો સાબિત થઈ રહ્યો છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :