ભારતે સોમવારે તા.21મી મે ના રોજ ઓડિશા સમુદ્રકાંઠેથી ભારત-રશિયાના સંયુક્ત સાહસ સમાન બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું હતું.
સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (ડીઆરડીઓ)ના અધિકારીઓએ કહ્યું હતું કે ઓડિશાથી નિકટના ચાંદીપુર ખાતેની ઈન્ટીગ્રેટેડ ટેસ્ટ રેન્જ (આઈટીઆર)ના લોન્ચ પેડ ક્રમાંક-૩ ઉપર સ્થિત એક મોબાઈલ લોન્ચર પાસેથી આ મિસાઈલનું પરીક્ષણ કરાયું હતું.
આ અંગે આઈટીઆરના એક અધિકારીએ કહ્યું હતું કે ભારતમાં ડીઆરડીઓ તથા ટીમ બ્રાહ્મોસ દ્વારા વિકસાવવામાં આવેલી ટેક્નલોજીની આવરદા વિસ્તરણને કાયદેસર કરવા માટે આમ કરાયું હતું, એમ આઈટીઆરના એક અધિકારીએ જણાવ્યું હતું.
બ્રાહ્મોસ મિસાઈલના નવી ટેક્નોલોજી સાથે સોમવારે સફળ પરીક્ષણ બાદ સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારામને ડીઆરડીઓના વૈજ્ઞાનિકો, સંશોધકો તેમ જ ટીમ બ્રાહ્મોસને વધામણાં આપ્યા હતા.
૨૧મી મેએ આઈટીઆરથી ૧૦-૪૦ વાગ્યે પાર પડેલા પરીક્ષણને લીધે ભારતીય હવાઈ દળ (આઈએએફ)ને મિસાઈલની જગ્યાએ અનેક સગવડ મૂકવાના અધધધ ખર્ચા બચી જશે, એમ તેમણે ઉમેર્યું હતું.
આ મિસાઈલના બે તબક્કા છે: ૧) ઘન તથા ૨) પ્રવાહી. ભારતીય સૈન્ય તથા નૌકાદળમાં તેને આવરી લેવામાં આવ્યું છે પણ હવાઈ દળની આવૃત્તિનું સફળ પરીક્ષણ કરાયું છે, એમ ડીઆરડીઓના સંશોધકોએ ઉમેર્યું હતું. (પીટીઆઇ)






