| મોદીના આ ટ્વિટ પછી તેમનું આ ટ્વિટ ટ્રોલ થવા લાગ્યું |
| મોદીના આ ટ્વિટ પછી તેમનું આ ટ્વિટ ટ્રોલ થવા લાગ્યું |
| મોદીના આ ટ્વિટ પછી તેમનું આ ટ્વિટ ટ્રોલ થવા લાગ્યું |
| મોદીના આ ટ્વિટ પછી તેમનું આ ટ્વિટ ટ્રોલ થવા લાગ્યું |
| મોદીના આ ટ્વિટ પછી તેમનું આ ટ્વિટ ટ્રોલ થવા લાગ્યું |
| મોદીના આ ટ્વિટ પછી તેમનું આ ટ્વિટ ટ્રોલ થવા લાગ્યું |
| મોદીના આ ટ્વિટ પછી તેમનું આ ટ્વિટ ટ્રોલ થવા લાગ્યું |
| મોદીના આ ટ્વિટ પછી તેમનું આ ટ્વિટ ટ્રોલ થવા લાગ્યું |
જો અગમ શાસ્ત્ર પરવાનગી આપે તો જેની સુરક્ષાની શંકા સેવાઈ રહી છે તેવા તમામ સુવર્ણ અલંકારો જાહેર પ્રદર્શનમાં મૂકવા મંદિરની સંચાલક સંસ્થા તૈયાર હોવાની તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (ટીટીડી)ના ઍક્ઝિક્યુટિવ ઑફિસર અનિલકુમાર સિંઘલે કરેલી જાહેરાતને પગલે હાલ ટીટીડી અને ભૂતપૂર્વ મુખ્ય ધર્માધિકારી એવી રામન્ના દીક્ષિતુલુ વચ્ચે ચાલી રહેલા વિવાદે નવો વળાંક લીધો છે.
છેલ્ લાં બાવીસ વર્ષ દરમિયાન મૂલ્યવાન રત્નો અને હીરા-મોતી માણેક સહિત અલંકારો અને દાગીનાઓ
ગુમ થયા હોવાને મામલે દીક્ષિતુલુએ સીબીઆઈ તપાસ યોજવાની માગણી કરી હોવા છતાં ઍક્ઝિક્યુટિવ ઑફિસર (ઈઓ)એ ઉપરોક્ત નિવેદન કર્યું હતું.
પ્રસારમાધ્યમને અઆપેલી મુલાકાતમાં સિંઘલે કહ્યું હતું કે જો અગમ શાસ્ત્ર મંદિરના અલંકારોનું જાહેર પ્રદશ૪ન કરવાની પરવાનગી ન આપતું હોય તો ટીટીડીએ થ્રીડી ફૉર્મેટમાં તેનું ડિજીટલાઈઝેશન કરી તેની તસવીરો જાહેર જનતા માયે મ્યુઝિયમમાં મૂકવી જોઈએ.
આ મારો અંગત અભિપ્રાય છે એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે અધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓએ આ અંગે વિચારણા કરવી જોઈએ.
ટીટીડીના અલંકારોના રજિસ્ટરમાં જેનો ઉલ્લેખ કરવામાં આવેલો છે તે ગુમ થયેલું મૂલ્યવાન રત્ન જીનિવામાં યોજવામાં આવેલા લિલામમાં જોવા મળ્યું હોવાના થોેડો દિવસ અગાઉ દીક્ષિતુલુ દ્વારા કરવામાં આવેલા આક્ષેપો અંગે પ્રતિક્રિયા આપતા સિંઘલે કહ્યું હતું કે ટીટીડીના કર્મચારીઓ દરેક વસ્તુની સુરક્ષા માટે સખત તકેદારી રાખે છે અને આ પ્રકારના આક્ષેપો ખરેખર દુ:ખદ અને આઘાતજનક છે.
ભારતે સોમવારે તા.21મી મે ના રોજ ઓડિશા સમુદ્રકાંઠેથી ભારત-રશિયાના સંયુક્ત સાહસ સમાન બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું હતું.
સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (ડીઆરડીઓ)ના અધિકારીઓએ કહ્યું હતું કે ઓડિશાથી નિકટના ચાંદીપુર ખાતેની ઈન્ટીગ્રેટેડ ટેસ્ટ રેન્જ (આઈટીઆર)ના લોન્ચ પેડ ક્રમાંક-૩ ઉપર સ્થિત એક મોબાઈલ લોન્ચર પાસેથી આ મિસાઈલનું પરીક્ષણ કરાયું હતું.
આ અંગે આઈટીઆરના એક અધિકારીએ કહ્યું હતું કે ભારતમાં ડીઆરડીઓ તથા ટીમ બ્રાહ્મોસ દ્વારા વિકસાવવામાં આવેલી ટેક્નલોજીની આવરદા વિસ્તરણને કાયદેસર કરવા માટે આમ કરાયું હતું, એમ આઈટીઆરના એક અધિકારીએ જણાવ્યું હતું.
બ્રાહ્મોસ મિસાઈલના નવી ટેક્નોલોજી સાથે સોમવારે સફળ પરીક્ષણ બાદ સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારામને ડીઆરડીઓના વૈજ્ઞાનિકો, સંશોધકો તેમ જ ટીમ બ્રાહ્મોસને વધામણાં આપ્યા હતા.
૨૧મી મેએ આઈટીઆરથી ૧૦-૪૦ વાગ્યે પાર પડેલા પરીક્ષણને લીધે ભારતીય હવાઈ દળ (આઈએએફ)ને મિસાઈલની જગ્યાએ અનેક સગવડ મૂકવાના અધધધ ખર્ચા બચી જશે, એમ તેમણે ઉમેર્યું હતું.
આ મિસાઈલના બે તબક્કા છે: ૧) ઘન તથા ૨) પ્રવાહી. ભારતીય સૈન્ય તથા નૌકાદળમાં તેને આવરી લેવામાં આવ્યું છે પણ હવાઈ દળની આવૃત્તિનું સફળ પરીક્ષણ કરાયું છે, એમ ડીઆરડીઓના સંશોધકોએ ઉમેર્યું હતું. (પીટીઆઇ)
મુંબઈ-શિરડી એરલાઈન્સ ઍર ફ્લાઈટ શિરડીના રનવે પર લૅન્ડિંગ કરતી વખતે ૫૦ મીટર સુધી બહાર નીકળી ગઈ હતી. આ ફ્લાઈટમાં ૭૦ પ્રવાસીઓ હતા અને આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ કે માલહાનિ થઈ નહોતી. સોમવારે સાંજે ૫.૨૯ કલાકે મુંબઈથી આવેલી એરલાઈન્સ ઈન્ડિયાની ફ્લાઈટ શિરડી રનવે પર લૅન્ડિંગ વખતે ઓવરશૂટ થઈને ૫૦ મીટર આગળ નીકળી ગઈ હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. એવિયેશન રેગ્યુલેટર ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિયેેશન (ડીજીસીએ) આ અંગે અલગથી તપાસ કરશે, એવું અધિકારીએ જણાવ્યું હતું. મે, ૨૦૧૦માં ઍર ઈન્ડિયા ઍક્સ્પ્રેસના પાઇલટે દુબઈથી આવેલી ફ્લાઈટને મેંગ્લોર ખાતે લૅન્ડ કરતી વખતે ઓવરશૂટ કરી હતી, જેમાં ૧૫૨ પ્રવાસીના મૃત્યુ થયા હતા.
ડૉક્ટર બનવા ઇચ્છતા દીકરાની NEETની પરીક્ષા માટે તેની સાથે કેરળ ગયેલા તામિલનાડુના ૪૬ વર્ષના ગૃહસ્થને હાર્ટ-અટૅક આવતાં મૃત્યુ પામ્યા હતા.
કેરળના એર્નાકુલમમાં દીકરો અને તેના પપ્પા એક લૉજમાં ઊતર્યા હતા. સવારે પરીક્ષાના સેન્ટર પર જવા માટે દીકરો લૉજમાંથી રવાના થયો ત્યારે પપ્પાએ તેને વિદાય આપી હતી, પરંતુ થોડા વખત પછી દીકરો કસ્તુરી મહાલિંગમ પરીક્ષાનું પેપર લખતો હતો ત્યારે તેના પપ્પા ક્રિષ્નાસામી હાર્ટ-અટૅકથી મૃત્યુ પામ્યા હતા.
તામિલનાડુના મુખ્ય પ્રધાન પલનીસ્વામીએ ક્રિષ્નાસામીના મૃત્યુ બાબતે શોક વ્યક્ત કરતાં તેમના પરિવારને મુખ્ય પ્રધાનના રાહત ભંડોળમાંથી ત્રણ લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે. એ ઉપરાંત સ્ટુડન્ટની મમ્મીની વિનંતીને માન આપીને કસ્તુરી મહાલિંગમના ઉચ્ચ શિક્ષણનો સંપૂર્ણ ખર્ચ રાજ્ય સરકાર તરફથી આપવાની પણ જાહેરાત કરી હતી.
ડાયમન્ડના વેપારી નીરવ મોદી અને મેહુલ ચોકસી પર PNBમાં ૧૩,૬૦૦ કરોડ રૂપિયાના કૌભાંડનો આરોપ
PNB કૌભાંડમાં CBIએ બીજી ૧૨,૦૦૦ પાનાંની ચાર્જશીટ ફાઇલ કરી છે.
CBIએ આ કેસમાં ૫૦ લોકોનાં સ્ટેટમેન્ટ લીધાં છે. ચાર્જશીટમાં ગીતાંજલિ જેમ્સ, ગિલી ઇન્ડિયા અને નક્ષત્ર બ્રૅન્ડ જેવી ત્રણ કંપનીઓનાં નામ છે.
બીજી ચાર્જશીટમાં PNBને થયેલા ૭૦૦૦ કરોડ રૂપિયાના નુકસાનનો અંદાજ છે. એના એક દિવસ પહેલાં જ PNBએ ચોથા ત્રિમાસિક ગાળામાં ૧૩,૪૧૭ કરોડનું નુકસાન બતાવ્યું છે. CBIએ સોમવારે પણ એક ચાર્જશીટ ફાઇલ કરી હતી.
અગાઉની ચાર્જશીટમાં ધરપકડ કરવામાં આવેલા ૧૯ લોકોનાં નામ હતાં. એમાં નીરવ મોદીની પત્ની અમી મોદીનું પણ નામ હતું. ચાર્જશીટમાં PNBનાં MD તેમ જ CEO ઉષા અનંતસુબ્રમણ્યમનું પણ નામ હતું. ઉષા હાલમાં અલાહાબાદ બૅન્કનાં MD તેમ જ CEO છે. બૅન્કના ર્બોડે તેમના દરેક અધિકારી છીનવી લીધા છે.
ગુજરાતની BJP સરકાર ૩૧ ઑક્ટોબરે ભારતના પ્રથમ ગૃહપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલના જન્મદિવસે ૧૮૨ મીટર ઊંચા ‘સ્ટૅચ્યુ ઑફ યુનિટી’નું ઉદ્ઘાટન કરવા ઇચ્છે છે.
અમદાવાદના ગૌપ્રેમી વિજય પરસાણાએ પોતાની રાધા, સરસ્વતી, લક્ષ્મી અને પૂનમ નામની ગાયને મૉડલ બનાવીને તૈયાર કર્યું કૅલેન્ડર