CIA ALERT

ઇન્ડીયા Archives - Page 217 of 217 - CIA Live

May 22, 2018
modi-meets-muslims-2.jpg
1min15870
દેશમાં પવિત્ર રમઝાન મહિનાની શરૂઆત થઈ ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દેશવાસીઓને રમઝાનની શુભેચ્છાઓ પાઠવી છે. ખાસ વાત એ છે કે વડાપ્રધાને સોશિયલ મીડિયા ટ્વિટર પર ઉર્દૂમાં ટ્વિટ કરીને લોકોને રમઝાનની શુભેચ્છાઓ પાઠવી છે. આ સાથેના વીડિયોમાં પીએમ મોદી રમઝાનના મહત્ત્વને સમજાવતા પણ સાંભળી શકાય છે. જો કે, પીએમ મોદીના આ ટ્વિટ પછી તેમનું આ ટ્વિટ ટ્રોલ થવા લાગ્યું હતું. અનેક લોકોએ પીએમ મોદીએ ઉર્દૂમાં ટ્વિટ કર્યુ તેનો વિરોધ કર્યો હતો, જેમાં કટ્ટરવાદ પણ જોવા મળ્યો હતો. પીએમ મોદીને ટ્રોલ કરતા કેટલાકે લખ્યું હતું કે મુસ્લિમ મતો ભૂલી જાઓ, હિન્દુ મતો પણ તમને મળવાના નથી.
આ ઉપરાંત અન્ય મધુર નામની વ્યક્તિએ ટ્રોલ કરતા લખ્યું હતું, ‘ઓ સેક્યુલર મોદીજી થોડા કંટ્રોલ કરો. નોટા ભી હરા સકતા હૈ આપકો, મુસ્લિમ વોટ દેગા નહીં, હિન્દુ સે મિલેગા નહીં, તો ક્યા કરોગે?’ આ ઉપરાંત અભિષેક હિન્દુ દ્વારા કરાયેલા ટ્વિટમાં લખાયું હતું, હું ભાજપનો કર્મઠ કાર્યકર્તા હોવાના નાતે આપને નિવેદન કરૂં છું કે મુસ્લિમો પર વધુ ધ્યાન ન આપો. એ ક્યારેય ભાજપના થશે નહીં, તેના કારણે ક્યાંક એવું ન બને કે હિન્દુ વોટર સરકી જાય ભાજપ પાસેથી, જયશ્રી રામ, નમો નમો. જ્યારે મનજીત રાજપૂત અયોધ્યાના ટ્વિટમાં લખ્યું હતું, જી આપ કંઈ પણ કરી લો આ મુલ્લા ભાજપને ક્યારે વોટ નહીં આપે, તમે કંઈપણ કરો.
મોદીના આ ટ્વિટ પછી તેમનું આ ટ્વિટ ટ્રોલ થવા લાગ્યું
એમ પણ લખાયું કે વડાપ્રધાન કોઈપણ ભાષામાં ટ્વિટ કરી શકે છે અને તેઓ કોઈપણ સમુદાયના લોકોને શુભેચ્છાઓ પાઠવી શકે છે. ઊર્દૂ ભારતની ૨૨ અધિકૃત ભાષાઓમાંની એક છે ત્યારે અહીં ઉર્દૂને માત્ર મુસ્લિમોની ભાષા ગણવી એ અયોગ્ય છે. અન્ય ટ્રોલ એટેકમાં મોદીના ટ્વિટ અંગે લખાયું હતું કે શા માટે મોદીએ સંસ્કૃતમાં ટ્વિટ ન કર્યું, શા માટે મુસ્લિમો ‘જય શ્રી રામ’ કહેતા નથી. મનીન્દર સિંહ ચીમાના એક ટ્વિટમાં લખાયું હતું કે મોદીજી આપ રમઝાન પર ઉર્દૂમાં તો લખી રહ્યા છો પણ આજ સુધી કોઈ મુસ્લિમે જય શ્રી રામ પણ કહ્યું નથી. શું આ જ ભાઈચારો છે દેશનો. પીએમ મોદીના ટ્વિટને ટ્રોલ કરનારા લોકોમાં મોદી તરફી અને મોદી વિરોધી બંને લોકો હતા જેઓ આમને સામને ટ્રોલ એટેક પર ઉતરી ગયા હતા. એક સમયે એકબીજા સામે અપશબ્દોનો પણ ઉપયોગ થવા લાગ્યો હતો.
મોદીના આ ટ્વિટ પછી તેમનું આ ટ્વિટ ટ્રોલ થવા લાગ્યું
મોદીના આ ટ્વિટ પછી તેમનું આ ટ્વિટ ટ્રોલ થવા લાગ્યું
મોદીના આ ટ્વિટ પછી તેમનું આ ટ્વિટ ટ્રોલ થવા લાગ્યું
May 22, 2018
tirupati-1280x720.jpg
1min13880

જો અગમ શાસ્ત્ર પરવાનગી આપે તો જેની સુરક્ષાની શંકા સેવાઈ રહી છે તેવા તમામ સુવર્ણ અલંકારો જાહેર પ્રદર્શનમાં મૂકવા મંદિરની સંચાલક સંસ્થા તૈયાર હોવાની તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (ટીટીડી)ના ઍક્ઝિક્યુટિવ ઑફિસર અનિલકુમાર સિંઘલે કરેલી જાહેરાતને પગલે હાલ ટીટીડી અને ભૂતપૂર્વ મુખ્ય ધર્માધિકારી એવી રામન્ના દીક્ષિતુલુ વચ્ચે ચાલી રહેલા વિવાદે નવો વળાંક લીધો છે.

છેલ્ લાં બાવીસ વર્ષ દરમિયાન મૂલ્યવાન રત્નો અને હીરા-મોતી માણેક સહિત અલંકારો અને દાગીનાઓ

ગુમ થયા હોવાને મામલે દીક્ષિતુલુએ સીબીઆઈ તપાસ યોજવાની માગણી કરી હોવા છતાં ઍક્ઝિક્યુટિવ ઑફિસર (ઈઓ)એ ઉપરોક્ત નિવેદન કર્યું હતું.

પ્રસારમાધ્યમને અઆપેલી મુલાકાતમાં સિંઘલે કહ્યું હતું કે જો અગમ શાસ્ત્ર મંદિરના અલંકારોનું જાહેર પ્રદશ૪ન કરવાની પરવાનગી ન આપતું હોય તો ટીટીડીએ થ્રીડી ફૉર્મેટમાં તેનું ડિજીટલાઈઝેશન કરી તેની તસવીરો જાહેર જનતા માયે મ્યુઝિયમમાં મૂકવી જોઈએ.

આ મારો અંગત અભિપ્રાય છે એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે અધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓએ આ અંગે વિચારણા કરવી જોઈએ.

ટીટીડીના અલંકારોના રજિસ્ટરમાં જેનો ઉલ્લેખ કરવામાં આવેલો છે તે ગુમ થયેલું મૂલ્યવાન રત્ન જીનિવામાં યોજવામાં આવેલા લિલામમાં જોવા મળ્યું હોવાના થોેડો દિવસ અગાઉ દીક્ષિતુલુ દ્વારા કરવામાં આવેલા આક્ષેપો અંગે પ્રતિક્રિયા આપતા સિંઘલે કહ્યું હતું કે ટીટીડીના કર્મચારીઓ દરેક વસ્તુની સુરક્ષા માટે સખત તકેદારી રાખે છે અને આ પ્રકારના આક્ષેપો ખરેખર દુ:ખદ અને આઘાતજનક છે.

May 22, 2018
bramos.jpeg
1min14760

ભારતે સોમવારે તા.21મી મે ના રોજ ઓડિશા સમુદ્રકાંઠેથી ભારત-રશિયાના સંયુક્ત સાહસ સમાન બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું હતું.

સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (ડીઆરડીઓ)ના અધિકારીઓએ કહ્યું હતું કે ઓડિશાથી નિકટના ચાંદીપુર ખાતેની ઈન્ટીગ્રેટેડ ટેસ્ટ રેન્જ (આઈટીઆર)ના લોન્ચ પેડ ક્રમાંક-૩ ઉપર સ્થિત એક મોબાઈલ લોન્ચર પાસેથી આ મિસાઈલનું પરીક્ષણ કરાયું હતું.

આ અંગે આઈટીઆરના એક અધિકારીએ કહ્યું હતું કે ભારતમાં ડીઆરડીઓ તથા ટીમ બ્રાહ્મોસ દ્વારા વિકસાવવામાં આવેલી ટેક્નલોજીની આવરદા વિસ્તરણને કાયદેસર કરવા માટે આમ કરાયું હતું, એમ આઈટીઆરના એક અધિકારીએ જણાવ્યું હતું.

બ્રાહ્મોસ મિસાઈલના નવી ટેક્નોલોજી સાથે સોમવારે સફળ પરીક્ષણ બાદ સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારામને ડીઆરડીઓના વૈજ્ઞાનિકો, સંશોધકો તેમ જ ટીમ બ્રાહ્મોસને વધામણાં આપ્યા હતા.

૨૧મી મેએ આઈટીઆરથી ૧૦-૪૦ વાગ્યે પાર પડેલા પરીક્ષણને લીધે ભારતીય હવાઈ દળ (આઈએએફ)ને મિસાઈલની જગ્યાએ અનેક સગવડ મૂકવાના અધધધ ખર્ચા બચી જશે, એમ તેમણે ઉમેર્યું હતું.

આ મિસાઈલના બે તબક્કા છે: ૧) ઘન તથા ૨) પ્રવાહી. ભારતીય સૈન્ય તથા નૌકાદળમાં તેને આવરી લેવામાં આવ્યું છે પણ હવાઈ દળની આવૃત્તિનું સફળ પરીક્ષણ કરાયું છે, એમ ડીઆરડીઓના સંશોધકોએ ઉમેર્યું હતું. (પીટીઆઇ)

May 22, 2018
shirdi.jpg
1min15010

મુંબઈ-શિરડી એરલાઈન્સ ઍર ફ્લાઈટ શિરડીના રનવે પર લૅન્ડિંગ કરતી વખતે ૫૦ મીટર સુધી બહાર નીકળી ગઈ હતી. આ ફ્લાઈટમાં ૭૦ પ્રવાસીઓ હતા અને આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ કે માલહાનિ થઈ નહોતી. સોમવારે સાંજે ૫.૨૯ કલાકે મુંબઈથી આવેલી એરલાઈન્સ ઈન્ડિયાની ફ્લાઈટ શિરડી રનવે પર લૅન્ડિંગ વખતે ઓવરશૂટ થઈને ૫૦ મીટર આગળ નીકળી ગઈ હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. એવિયેશન રેગ્યુલેટર ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિયેેશન (ડીજીસીએ) આ અંગે અલગથી તપાસ કરશે, એવું અધિકારીએ જણાવ્યું હતું. મે, ૨૦૧૦માં ઍર ઈન્ડિયા ઍક્સ્પ્રેસના પાઇલટે દુબઈથી આવેલી ફ્લાઈટને મેંગ્લોર ખાતે લૅન્ડ કરતી વખતે ઓવરશૂટ કરી હતી, જેમાં ૧૫૨ પ્રવાસીના મૃત્યુ થયા હતા.

May 21, 2018
neet.jpg
1min13450

ડૉક્ટર બનવા ઇચ્છતા દીકરાની NEETની પરીક્ષા માટે તેની સાથે કેરળ ગયેલા તામિલનાડુના ૪૬ વર્ષના ગૃહસ્થને હાર્ટ-અટૅક આવતાં મૃત્યુ પામ્યા હતા.

કેરળના એર્નાકુલમમાં દીકરો અને તેના પપ્પા એક લૉજમાં ઊતર્યા હતા. સવારે પરીક્ષાના સેન્ટર પર જવા માટે દીકરો લૉજમાંથી રવાના થયો ત્યારે પપ્પાએ તેને વિદાય આપી હતી, પરંતુ થોડા વખત પછી દીકરો કસ્તુરી મહાલિંગમ પરીક્ષાનું પેપર લખતો હતો ત્યારે તેના પપ્પા ક્રિષ્નાસામી હાર્ટ-અટૅકથી મૃત્યુ પામ્યા હતા.

તામિલનાડુના મુખ્ય પ્રધાન પલનીસ્વામીએ ક્રિષ્નાસામીના મૃત્યુ બાબતે શોક વ્યક્ત કરતાં તેમના પરિવારને મુખ્ય પ્રધાનના રાહત ભંડોળમાંથી ત્રણ લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે. એ ઉપરાંત સ્ટુડન્ટની મમ્મીની વિનંતીને માન આપીને  કસ્તુરી મહાલિંગમના ઉચ્ચ શિક્ષણનો સંપૂર્ણ ખર્ચ રાજ્ય સરકાર તરફથી આપવાની પણ જાહેરાત કરી હતી.

May 21, 2018
mehul-choksi-in-house.jpg
1min12130

ડાયમન્ડના વેપારી નીરવ મોદી અને મેહુલ ચોકસી પર PNBમાં ૧૩,૬૦૦ કરોડ રૂપિયાના કૌભાંડનો આરોપ

PNB કૌભાંડમાં CBIએ બીજી ૧૨,૦૦૦ પાનાંની ચાર્જશીટ ફાઇલ કરી છે.
CBIએ આ કેસમાં ૫૦ લોકોનાં સ્ટેટમેન્ટ લીધાં છે. ચાર્જશીટમાં ગીતાંજલિ જેમ્સ, ગિલી ઇન્ડિયા અને નક્ષત્ર બ્રૅન્ડ જેવી ત્રણ કંપનીઓનાં નામ છે.

બીજી ચાર્જશીટમાં PNBને થયેલા ૭૦૦૦ કરોડ રૂપિયાના નુકસાનનો અંદાજ છે. એના એક દિવસ પહેલાં જ PNBએ ચોથા ત્રિમાસિક ગાળામાં ૧૩,૪૧૭ કરોડનું નુકસાન બતાવ્યું છે. CBIએ સોમવારે પણ એક ચાર્જશીટ ફાઇલ કરી હતી.

અગાઉની ચાર્જશીટમાં ધરપકડ કરવામાં આવેલા ૧૯ લોકોનાં નામ હતાં. એમાં નીરવ મોદીની પત્ની અમી મોદીનું પણ નામ હતું. ચાર્જશીટમાં PNBનાં MD તેમ જ CEO ઉષા અનંતસુબ્રમણ્યમનું પણ નામ હતું. ઉષા હાલમાં અલાહાબાદ બૅન્કનાં MD તેમ જ CEO છે. બૅન્કના ર્બોડે તેમના દરેક અધિકારી છીનવી લીધા છે.

March 9, 2017
svps.jpg
1min14460

ગુજરાતની BJP સરકાર ૩૧ ઑક્ટોબરે ભારતના પ્રથમ ગૃહપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલના જન્મદિવસે ૧૮૨ મીટર ઊંચા ‘સ્ટૅચ્યુ ઑફ યુનિટી’નું ઉદ્ઘાટન કરવા ઇચ્છે છે.

March 8, 2017
2801COW-CALENDER.jpg
1min14570

અમદાવાદના ગૌપ્રેમી વિજય પરસાણાએ પોતાની રાધા, સરસ્વતી, લક્ષ્મી અને પૂનમ નામની ગાયને મૉડલ બનાવીને તૈયાર કર્યું કૅલેન્ડર