નિર્ભયા બળાત્કાર કેસના ચાર આરોપીઓ પૈકીના એક આરોપી અક્ષય ઠાકુરે ફાંસની સજા સામે સુપ્રીમ કોર્ટમાં કરેલી પુર્નવિચાર અરજી પર આજે સુનાવણી સંપન્ન થયા બાદ સુપ્રીમ કોર્ટે પુનર્વિચાર અરજી ફગાવી દીધી છે. આ સાથે જ હરામખોર રેપિસ્ટોને ફાંસીની સજા મળે એ વચ્ચેનો વધુ એક અંતરાય દૂર થવા પામ્યો છે. સુપ્રીમ કોર્ટે ક્લીયર કટ સૂચના આપી હતી કે દિલ્હી હાઇકોર્ટ તેમજ એપેક્ષ કોર્ટે આપેલા ચૂકાદામાં એક નાની અમથી પણ ક્ષતિ નથી. આ ગુનેગારની અરજી પર ફરીથી દલીલો શક્ય નથી. અત્રે એ ઉલ્લેખનીય છે કે અગાઉ ત્રણય આરોપીઓ આ અંગેની અરજી કરી ચૂક્યા છે તેમને પણ ફગાવી દેવામાં આવી હતી.
જસ્ટિસ ભાનુમતિની અધ્યક્ષતાવાળી બેન્ચ આ અરજી પર ચુકાદો આપશે. દોષીત પક્ષના વકીલે કોર્ટમાં એકપછી એક તર્ક રજૂ કર્યા હતા. તેમણે દિલ્હીમાં પ્રદૂષણ અને ખરાબ હવાનું કારણ આપતા ફાંસીની સજા નહીં આપવા અપીલ કરી હતી. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણઆવ્યું કે કોઈપણ કાળે આ ગુનાને માફ કરી શકાય નહીં.
જસ્ટિસ ભાનુમતિ, જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ એએસ બોપન્નાની ખંડપીઠે બન્ને પક્ષની દલીલો સાંભળ્યા બાદ બપોરે એક વાગ્યો ઓર્ડર આપવાનું જણાવ્યું હતું. કોર્ટરૂમમાં ચર્ચા દરમિયાન દોષી અક્ષયના વકીલ એપી સિંહે પોતાના અસીલને ફાંસીની સજા નહીં કરવા માંગ કરી હતી.
સરકાર પક્ષના વકીલ સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું કે ટ્રાયલ કોર્ટે તમામ દલીલો અને પુરાવાને ચકાસીને ફાંસીની સજા ફટકારી છે, જે સુપ્રીમ કોર્ટે પણ યોગ્ય ઠેરવી છે. આ ગુનો એટલો ગંભીર છે કે ભગવાન પણ માફ કરી શકે તેમ નથી. આવા ગંભીર ગુના બદલ ફાંસી જ થવી જોઈએ.
CBSE સમેત રાજ્ય બોર્ડ પરીક્ષાના ટાઇમટેબલ જાહેર, ગુજરાત બોર્ડ હજું ફોર્મ ભરાવી રહ્યું છે
સેન્ટ્રલ બોર્ડ ફોર સેકન્ડરી એજ્યુકેશન દ્વારા આજરોજ તા.18મી ડિસેમ્બર 2019ના રોજ સીબીએસઇની દેશવ્યાપી ધોરણે તેમજ વિદેશોમાં લેવામાં આવનારી ધો.10, ધો.12ની પરીક્ષાઓના સમયપત્રકની આધિકારીક ઘોષણા કરવામાં આવી છે. સી.બી.એસ.ઇ. બોર્ડની ધો.10ની મુખ્ય વિષયની પરીક્ષાઓ તા.26મી ફેબ્રુઆરીથી જ્યારે ધો.12ની પરીક્ષા તા.27મી ફેબ્રુઆરી 2020થી શરૂ થશે. વિગતવાર સમયપત્રક અહીં પ્રસ્તુત છે.
એ ખાસ નોંધનીય છે કે સીબીએસઇ, મહારાષ્ટ્ર બોર્ડ, મધ્યપ્રદેશ ત્યાં સુધી કે ઉત્તર પ્રદેશ બોર્ડ દ્વારા પણ 2020ની બોર્ડની પરીક્ષાઓના સમયપત્રકનું એલાન કરી દેવામાં આવ્યું છે. પરંતુ, ગુજરાત બોર્ડ દ્વારા હજુ સુધી કોઇ એલાન કરવામાં આવ્યું નથી. ગુજરાત બોર્ડ દ્વારા હવે સમયપત્રકની ઘોષણા કરવામાં આવશે એમ મનાય છે. ગુજરાત બોર્ડ હજુ ફોર્મ ભરાવવાની પ્રક્રિયા કરાવી રહ્યું છે. હજુ તો ગુજકેટની પરીક્ષાના ફોર્મ ક્યારે ભરાવવામાં આવશે એ પણ નિયત નથી.
Central Board of Secondary Education (CBSE) on Tuesday, December 17, 2019, released the CBSE Class 10th and Class 12th Board Exam 2020 date sheet on Board’s official portal. This year, the CBSE Board Exams 2020 will begin from February 15, 2020. The students can check their exam dates from the CBSE Board exam date sheet 2020 given below or visit the official website of the Board to check and download the date sheet for the board examinations 2020. As per the notification released by the CBSE Board, the exams for Class 10th main subjects will be held from February 26 to March 18 and the Class 12th examinations will be held from February 22 to March 30, 2020.
Last year, the Class 10th board exams were held from March 7 to 29, 2019, while the Class 12th board exams were conducted from March 2 to April 2, 2019.
Students can check the CBSE Board Exam Date Sheet 2020 below for 10th and 12th Arts, Science, and Commerce streams:
001 English Elective-N 101 English Elective-C 301 English Core
Monday, March 2
042 Physics 625 Applied Physics
Saturday, March 7
043 Chemistry
Saturday, March 14
044 Biology
Tuesday, March 17
041 Mathematics 840 Applied Mathematics
CBSE Class 12 Commerce stream exam dates 2020
Date
Subject
Thursday, February 27
001 English Elective-N 101 English Elective-C 301 English Core
Thursday, March 5
055 Accountancy
Friday, March 13
044 Economics
Tuesday, March 17
041 Mathematics 840 Applied Mathematics
Saturday, March 21
083 Computer Science 283 Computer Science 802 Information Technology
Tuesday, March 24
054 Business Studies 833 Business Administration
CBSE Class 12th Arts stream Date Sheet 2020
Date
Subject
Saturday, February 22
037 Psychology
Thursday, February 27
001 English Elective-N 101 English Elective-C 301 English Core
Tuesday, March 3
027 History
Friday, March 6
028 Political Science
Monday, March 23
029 Geography
Thursday, March 26
064 Home Science
Monday, March 30
039 Sociology
Make your syllabus revision time table
Now that the CBSE Board Exam Date Sheet 2020 has been released, the students can plan their board examination time table accordingly. The students are advised to give equal time to all subjects to secure top ranks in exam. Also, complete the CBSE syllabus as most of the question asked in the examination are directly from the textbooks of the students. Exam Day Tips & Tricks
The CBSE will conduct the Board Exams in morning session i.e. from 10.30 AM to 1.30 PM. The answer sheets will be distributed at 10.00 AM and the students will get question paper at 10.15 AM. The students are advised to utilize this 15 minutes to read the question paper carefully and prepare a plan on how to approach the paper. Mark the easiest questions and the ones you find difficult. Once the exam starts, begin with the easiest questions and then move forward with difficult ones. With this approach, you may save extra time for tough and long questions.
ઑસ્ટ્રેલિયાની સરકારે ભારતમાં સુધારિત નાગરિકત્વ ધારાને મુદ્દે ફાટી નીકળેલી હિંસાને ધ્યાનમાં રાખીને પોતાના નાગરિકોને ભારતના પ્રવાસ સામે ચેતવણી આપી હતી.
અગાઉ, અમેરિકા, યુકે, સિંગાપોર, કેનેડા અને ઇઝરાયલે પણ પોતાના નાગરિકોને આવી ચેતવણી ગયા અઠવાડિયે આપી હતી.
પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બંગલાદેશમાંની ધાર્મિક સતામણીથી કંટાળીને ૨૦૧૪ની ૩૧મી ડિસેમ્બરની પહેલાં નાસીને ભારત આવેલા હિંદુ, જૈન, શીખ, ખ્રિસ્તી અને બૌદ્ધ લોકોને ભારતનું નાગરિકત્વ આપવાની સુધારિત નાગરિકત્વ ધારામાં જોગવાઇ છે.
ઑસ્ટ્રેલિયાના નાગરિકોને જમ્મુ અને કાશ્મીરમાં અને ભારત – પાકિસ્તાનની સરહદે આવેલા અન્ય વિસ્તારોમાં નહિ જવાની સલાહ પણ અપાઇ હતી.
ઑસ્ટ્રેલિયાની સરકારે પોતાના નાગરિકોને ચેતવણી આપતા બહાર પાડેલા નિવેદનમાં જણાવ્યું હતું કે ગુવાહાટી સિવાયના આસામ, નાગાલેન્ડ, મણિપુર, છત્તીસગઢ અને તેઓના પાડોશી રાજ્યોમાં ફાટી નીકળેલી હિંસાને ધ્યાનમાં રાખીને ત્યાં નહિ જવાની નાગરિકોને સલાહ આપીએ છીએ.
દરમિયાન, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે સુધારિત નાગરિકત્વ કાયદાથી ભારતના કોઇપણ વિસ્તારને માઠી અસર નહિ થાય.
તેમણે જણાવ્યું હતું કે સ્થાપિત હિત ધરાવતા લોકો સમાજનું વિભાજન કરવા પ્રયાસ કરી રહ્યા છે અને તેથી જનતાએ અફવા પર ધ્યાન આપવું ન જોઇએ.
અનુભવસિંહાની તાપસી પન્નુને લીડ રોલમાં ચમકાવતી નવી ફિલ્મ ‘થપ્પડ’ 28 ફેબ્રુઆરી 2020ના રિલીઝ થશે તેવું આજે જાહેર થયું છે. અનુભવસિંહાની પાછલી ફિલ્મ’ ‘આર્ટિકલ-15’ આ વર્ષે જ રિલીઝ થઇ હતી અને હિટ રહી હતી. આ ફિલ્મમાં આયુષ્યમાન ખુરાના પોલીસ અધિકારીના પાત્રમાં હતો. વિવેચકોએ પણ આર્ટિકલ-15ની ભારોભાર પ્રશંસા કરી હતી. અનુભવસિંહા હવે ‘થપ્પડ’ લઇને આવી રહ્યાં છે. જેમાં તાપસી પન્નુ ઉપરાંત રત્ના પાઠક શાહ, માનવ કૌલ, દિયા મિર્ઝા, તન્વી આઝમી અને રામ કપૂર છે. ફિલ્મને ટી સિરીઝવાળા ભૂષણ કુમારે પ્રોડયુસ કરી છે.
ઝારખંડનાં પાકુડમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એક જાહેરસભા સંબોધી હતી, જ્યાં તેમણે કોંગ્રેસ પર હુમલો કરતાં અયોધ્યામાં ભગવાન રામના ભવ્ય મંદિરના નિર્માણની સમયમર્યાદા પણ નક્કી કરી હતી. શાહે કહ્યું કે, ચાર મહિનાની અંદર આકાશને આંબતું ભવ્ય રામમંદિર અયોધ્યામાં બનવા જઈ રહ્યું છે.
શાહે કહ્યું કે, હાલમાં જ સુપ્રીમ કોર્ટે અયોધ્યાનો ચુકાદો આપ્યો. સો વર્ષોથી દુનિયાભરનાં ભારતીયોની માગણી હતી કે, અયોધ્યામાં ભવ્ય રામમંદિર બને. હવે, ભવ્ય રામમંદિર બનવા જઈ રહ્યું છે. આ કોંગ્રેસ પક્ષ ન તો વિકાસ કરી શકે છે કે ન તો દેશને સુરક્ષિત કરી શકે છે, દેશના લોકોની ભાવનાઓનું સન્માન કરી શકે છે ?
ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષે ઝારખંડ વિધાનસભા ચૂંટણી અંતર્ગત પાકુડમાં જનસભાનું સંબોધન કર્યું હતું. કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યંy કે, દેશની દરેક વ્યક્તિ રામમંદિર બને તેવું ઈચ્છે છે, હવે અયોધ્યામાં ભવ્ય ગગનચુંબી ઈમારત બનશે.
પશ્ર્ચિમ બંગાળની સરકારને બરખાસ્ત કરવા કેન્દ્રને પડકાર ફેંકતાં મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ આક્રમક સૂરમાં કહ્યું હતું કે, એન. આર. સી. અને નાગરિકત્વ સુધારા ધારાનો અમલ રાજ્યમાં કરાશે નહીં અને જો કરવો હશે તો મારી લાશ પરથી પસાર થઈને કરી શકશે.
મમતાએ કોલકતામાં સોમવારે મોટી રેલી યોજી હતી અને આક્ષેપ કર્યો હતો કે જૂજ લોકોને પૈસા આપીને ભાજપની કઠપૂતલી રાજ્યમાં હિંસા ફેલાવે છે.
મુસ્લિમ સમાજના મિત્ર બનીને રાજ્ય બહારનાં તત્ત્વો તોફાન કરે છે, એવો આક્ષેપ કર્યો હતો.
ટીએમસીના કાર્યકરોએ એનઆરસી અને સીએએ નહીં લખેલા બોર્ડ સાથે રેલી કાઢી હતી.
અસાઉદ્દીન ઓવૈસી સાથે મમતાનું શાબ્દિક યુદ્ધ ચાલે છે. તેમનો સીધો ઉલ્લેખ કર્યા
વિના કહ્યું હતું કે, લઘુમતીના મિત્ર બનીને બહારનાં તત્ત્વો હિંસા ફેલાવે છે તેના ટ્રેપમાં નહીં ફસાવા જનતાને કહ્યું હતું.
હું જીવીશ ત્યાં સુધી એનઆરસી અને સીએએનો અમલ રાજ્યમાં કરવા દઈશ નહીં એવી ધમકી આપી હતી. રાજ્ય સરકારને બરખાસ્ત કરો અથવા મને જેલના સળિયા પાછળ ધકેલશે તો પણ કાળો કાયદો અમલી બનાવીશ નહીં.
કેન્દ્ર જો અમલ કરાવશે તો મારી ડેડબોડી પરથી જ કરી શકશે. રાજ્યમાંથી કોઈને બહાર કરાશે નહીં. કાર્યકરોને શાંતિથી વિરોધ પ્રદર્શન કરવા કહ્યું છે.
અમુક ટ્રેન બાળવાની ઘટના બન્યા બાદ કેન્દ્રે રાજ્યની ઘણી ટ્રેન સેવા સ્થાગિત કરી છે. કાર્યકરોને લોહીથી પત્ર લખીને રાષ્ટ્રપતિને મોકલવા વિનંતી કરાઈ છે.
પ. બંગાળના રાજ્યપાલે મમતાની રેલીને ગેરબંધારણીય અને ઉશ્કેરણીજનક ગણાવી છે.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સોમવારે બધા જ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને લોકોના જીવ અને સંપત્તિની રક્ષા માટે હિંસા અને બોગસ સમાચાર રોકવાની સલાહ આપતો શ્ર્વેતપત્ર જાહેર કર્યો હતો.
શ્ર્વેતપત્રમાં ગૃહ મંત્રાલયે બધા જ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સોશિયલ મીડિયા અને અન્યત્ર લોકોને ભડકાવે એવા બોગસ સમાચાર ફેલાતા રોકવાની અને એ માટે યોગ્ય પગલાં લેવાની સલાહ આપી છે.
દેશના કેટલાક ભાગોમાં નાગરિકત્વના મામલે ફાટી નીકળેલી હિંસા અને સંપત્તિને કરવામાં આવેલા નુકસાનને ધ્યાનમાં લઇને આ ઍડવાઇઝરી જાહેર કરી હોવાની વાત ગૃહ મંત્રાલયે જણાવી હતી. કાયદો અને વ્યવસ્થા તથા સમાજમાં શાંતિ જળવાઇ રહે એ માટે બધા જ રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોને સતર્કતાની દૃષ્ટિએ યોગ્ય પગલાં લેવાની વિનંતી પણ કરવામાં આવી છે.
ઉન્નાવ ગેંગરેપ કેસમાં દિલ્હીની તીસ હજારી કોર્ટે ભાજપના પૂર્વ ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરને દોષીત જાહેર કર્યો છે. કોર્ટે સહ આરોપી મહિલા શશિ સિંહ નોકરી અપાવવાના બહાને પીડિતાને કુલદીપ સેંગર પાસે લઈ ગઈ હતી. ત્યારબાદ સેંગરે પીડિતા પર બળાત્કાર ગુજાર્યો હતો. સેંગરની સજા પર 19 ડિસેમ્બરના રોજ ચર્ચા થશે.
તીસ હજારી કોર્ટે તપાસ એજન્સી સીબીઆઈને ઠપકો આપતા કહ્યું કે, ગેંગરેપવાળા કેસમાં સીબીઆઈએ ચાર્જશીટ દાખલ કરવા માટે એક વર્ષનો સમય કેમ લગાવી દીધો? કોર્ટે કહ્યું કે પીડિતાએ પોતાનો અને પરિવારનો જીવ બચાવવા માટે આ કેસને મોડેથી રજિસ્ટર કરાવ્યો હતો. કોર્ટે કહ્યું કે અમે પીડિતાની મનોસ્થિતિ સમજીએ છીએ.
તીસ હજારી કોર્ટે ધારાસભ્ય કુલદીપ સેંગર અને શશિ સિંહને કલમ 120 B (ગુનાહિત કાવતરું), 363 (અપહરણ), 366 (સ્ત્રીનું અપહરણ અથવા લગ્ન માટે દબાણ કરવા માટે ત્રાસ આપવો), 376 (બળાત્કાર અને અન્ય સંબંધિત કલમો) અને POCSO અંતર્ગત દોષીત જાહેર કર્યા છે.
ઓનલાઈન ટ્રાન્ઝેક્શન NEFT એનઈએફટી મારફતે કરતા લોકો માટે આજરોજ તા. 16 ડિસેમ્બર 2019થી મહત્ત્વની સુવિધા શરૂ થઇ છે. જેમાં NEFT એનઈએફટી સુવિધા અઠવાડિયાના સાતેય દિવસ અને 24 કલાક મળી રહેશે. આ અગાઉ NEFT એનઈએફટી સુવિધા 24 કલાક મળતી ન હતી.
‘ NEFT એનઈએફટી ઓનલાઈન ટ્રાન્ઝેક્શનનો એક પ્રકાર છે. જેમાં લોકો એક સમયમાં બે લાખ રૂપિયા સુધીની રકમ ઓનલાઈન ટ્રાન્સફર કરી શકે છે. સામાન્ય દિવસોમાં NEFT એનઈએફટી’ સુવિધા સવારે આઠ વાગ્યાથી સાંજે સાત વાગ્યા સુધી તેમજ પહેલા અને ત્રીજા શનિવારે સવારે આઠ વાગ્યાથી બપોરે’ એક વાગ્યા સુધી સક્રિય રહેતી હતી. જો કે હવે સાત દિવસ અને 24 કલાક સુવિધા મળી શકશે.
What is NEFT?
National Electronic Funds Transfer (NEFT) is an Indian system of electronic transfer of money from one bank to another. It was introduced by Reserve Bank of India. It is an electronic fund transfer system that is based on Deferred Net Settlement (DNS) which settles transaction in batches.
NEFT transfers have now been divided into half-hourly batches with the settlement of the first batch starting after 12:30 am (after midnight) and the last batch ending at midnight. This NEFT timing cycle will function round-the-clock.
Since the settlement of the last NEFT payment batch ends at midnight, you might not be able to make a transaction after 11:30 pm till the beginning of the next batch at 12:30 am the next day.
NEFT charges:
Most banks like the State Bank of India (SBI), ICICI Bank and HDFC Bank do not charge anything for online NEFT transfers. In July, the RBI had waived off all charges on fund transfer through NEFT and RTGS and had also asked banks to pass on the benefits to customers. The RBI has also proposed to mandate banks to make all online NEFT transactions free for savings bank account customers from January 2020.
NEFT limits:
There is no minimum limit for NEFT transfer but it is generally used for fund transfers of up to ₹2 lakh. For high-value transactions, RTGS is used. The maximum NEFT limits vary from bank to bank and also depend on the customer category. For example, ICICI Bank allows NEFT transfers up to ₹10 lakh for most customers but for others, it may allow NEFT transactions up to ₹25 lakh. HDFC Bank, too, has a ₹25 lakh limit for online NEFT transactions.
સરકારે ધોરીમાર્ગના ટૉલ પ્લાઝાના ફાસ્ટૅગ લૅનના પચીસ ટકાનું એક મહિના માટે હાઇબ્રિડ લૅનમાં રૂપાંતર કરવાની શનિવારે જાહેરાત કરતા નાગરિકોને કામચલાઉ થોડી રાહત મળી છે. હાઇબ્રિડ લૅનમાં ફાસ્ટૅગ અને ટૉલ ચુકવણીના અન્ય માધ્યમને સ્વીકારાશે.
અગાઉ, સરકારે ફાસ્ટૅગનો ફરજિયાત અમલ પહેલી ડિસેમ્બરથી કરવાની જાહેરાત કરી હતી. બાદમાં આ મર્યાદા ૧૫મી ડિસેમ્બરની કરી હતી.
માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયે જણાવ્યું હતું કે નેશનલ હાઇવે ઑથૉરિટી ઑફ ઇન્ડિયાની વિનંતિને પગલે અને નાગરિકો મુશ્કેલીમાં ન મુકાય તે માટે પચીસ ટકા ફાસ્ટૅગ લૅનનું રૂપાંતર એક મહિના માટે હાઇબ્રિડ લૅનમાં કરાશે અને આવા લૅન પરથી દરેક રીતે ટૉલની ચુકવણી કરી શકાશે. આમ છતાં, ટૉલ પ્લાઝાના અંદાજે ૭૫ ટકા લૅન ફાસ્ટૅગ લૅન રહેશે.
મંત્રાલયે સ્પષ્ટતા કરી હતી કે ટૉલ પ્લાઝા ખાતેની આ સુવિધા માત્ર ૩૦ દિવસ માટે જ લંબાવાઇ છે.
ટૉલ પ્લાઝા પર વાહનોએ લાંબી લાઇન લગાડવી ન પડે તે હેતુસર નેશનલ ઇલેક્ટ્રૉનિક ટૉલ કલૅક્શન પ્રૉગ્રામનો અમલ દેશભરમાં કરવાનો નિર્ણય લેવાયો હતો, પરંતુ ફાસ્ટૅગ મળવામાં પડતી મુશ્કેલીને ધ્યાનમાં રાખીને તેને ફરજિયાત બનાવવાનું એક મહિના માટે લંબાવાયું છે.
ફાસ્ટૅગને લગતી સહાય માટે ૧૦૩૩ હૅલ્પલાઇન પર ફૉન કરી શકાય છે. બૅન્કો દ્વારા પણ ફાસ્ટૅગનું વિતરણ કરાય છે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.