CIA ALERT

ઇન્ડીયા Archives - Page 125 of 215 - CIA Live

March 24, 2020
lockdown-1.jpg
2min19000

21 દિવસના લૉકડાઉન અંગે વડાપ્રધાન શ્રી મોદીની ઘોષણાના તુરંત બાદ સૂરત, શહેર, ગુજરાતભર તેમજ દેશભરમાં લોકોમાં ગભરાટ મચી ગયો અને લોકો પોતપોતાની જીવનજરૂરી ચીજ વસ્તુઓની ખરીદી કરવા માટે ઘરોની બહાર નીકળી ગયા. દવાની દુકાનો પર તો મોટી મોટી કતારો લાગી જવા પામી હતી.

ગભરાટના માર્યા ખરીદી ન કરવા વડાપ્રધાનની અપીલ

તાબડતોડ રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરવી પડી કે લૉકડાઉન દરમિયાન આવશ્યક સેવા, સુવિધાઓ, વસ્તુઓ સતત મળતી રહેશે અને તેનો પુરવઠો જારી રહે તે માટે સરકાર પૂરેપૂરી વ્યવસ્થા કરશે. આમ છતાં લોકો ગભરાટના માર્યા ખરીદી કરવા દોડી આવ્યા હતા.

આ બધું જ પહેલાની જેમ મળતું રહેશે

  • હોસ્પિટલ્સ અને તેને આનુષંગિક અન્ય સેવા-સુવિધાઓ
  • કરીયાણું, ખાદ્ય, ફૂડ પ્રોડકટ્સ, ફળફળાદી, શાકભાજી, દૂધ અને તેની બનાવટો
  • બેંકો, વીમા કંપનીઓ, બેંક એટીએમ
  • પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મિડીયા
  • હોમ ડિલીવરીમાં ખાદ્ય પદાર્થો, દવાઓ, મેડીકલ સાધનો વગેરે ઇ કોમર્સ થકી
  • પેટ્રોલ પંપ્સ, એલ.પી.જી., પેટ્રોલિયમ અને ગેસ બોટલ્સ, સ્ટોરેજ આઉટલેટ્સ
  • સ્મશાન પ્રસંગે ફક્ત 20 લોકોને સાથે જવા દેવાની મંજૂરી
  • લૉકડાઉનને કારણે જે તે સ્થળે ફસાયેલા લોકો માટે હોટેલ, મોટેલ, લોજ વગેરે
  • ટેલિકોમ્યુનિકેશન, આઇ.ટી., ઇન્ટરનેટ રિલેટેડ, બ્રોડકાસ્ટ તથા કેબલ સર્વિસ

will remain open

  • Hospitals and other related medical establishments
  • Shops, including ration shops, dealing with food, groceries, fruits and vegetables, dairy and milk booths
  • Banks, insurance offices and ATMs
  • Print and electronic media
  • Delivery of all essential goods including food, medicine, medical equipment through e-commerce
  • Petrol pumps, LPG, petroleum and gas retail and storage outlets.
  • In case of funerals, congregation of not more than 20 persons will be permitted.
  • Hotels, lodges, motels and homestays accommodating tourists and people stranded due to lockdown
  • Telecommunications, internet services, broadcasting and cable services, IT and IT-enabled services will have to work from home as far as possible.

March 24, 2020
modi-1280x720.jpg
1min5510

પીએમ મોદીએ આજે રાષ્ટ્રજોગ સંબોધનમાં મહત્વની જાહેરાત કરતા જણાવ્યું છે કે આજે તા.24મીએ રાત્રે 12 વાગ્યાથી 21 દિવસ માટે સંપૂર્ણ દેશમાં સંપૂર્ણ લોકડાઉન કરી દેવામાં આવશે. કોરોનાની ખતરનાક અસરો અને ફેલાવો અટકાવવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે.

પીએમે કહ્યું કે દેશને અને દેશના દરેક નાગરિકને બચાવવા માટે આ લોકડાઉન કરાઈ રહ્યું છે. દેશના દરેક રાજ્ય, કેન્દ્રશાસિત પ્રદેશ, ગલી-મહોલ્લાને લોકડાઉન કરાઈ રહ્યા છે. આ એક પ્રકારનો કર્ફ્યુ છે, જનતા કર્ફ્યુથી પણ વધુ અને તેનાથી પણ વધુ સખ્ત.

ભારતમાં પણ કોરોના વાયરસના સંક્રમણના જોતા આજ રાત 12 વાગ્યાથી સંપૂર્ણ દેશમાં લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રજોગ સંબોધનમાં જણાવ્યા કે, કોરોના વાયરસના સંક્રમણને જોતા આજ રાત 12થી સમગ્ર ભારતને લોકડાઉન કરવામાં આવશે. એટલે કે આ એક પ્રકારનો કરફ્યુ છે, જે જનતા કરફ્યુથી એક પગલું આગળનો નિર્ણય છે. જેમાં તમામ દેશવાસીઓને તેઓ હાલ જ્યા છે ત્યાં જ રહેવા વડાપ્રધાને નમ્ર વિનંતી કરતા કહ્યું કે, તમામ લોકો પોતાના ઘરમં જ રહે. જો હાલ આપણી સ્થિતિને નહીં સમજીશું  અને અંકુશમાં નહીં લઇશું તો સમગ્ર દેશે તેનું આર્થિક નુકસાન સહન કરવું પડશે.    

આમ છતાં એક-એક ભારતીયોનું જીવન બચાવવું આ સમયે મારી, ભારત સરકારની, દેશની દરેક રાજ્ય સરકારની, દરેક મનપાની સૌથી મોટી પ્રાથમિકતા છે. દેશનું દરેક રાજ્ય, દરેક કેન્દ્ર શાસિત પ્રદેશ, દરેક જિલ્લો, દરેક ગામ, દરેક ગલી અને દરેક મોહલ્લા લોકડાઉન થઈ રહ્યાં છે. વડાપ્રધાન મોદીએ કોરોનાની ભયાવહતા વિષે જણાવતા કહ્યું કે છેલ્લા 2 મહિનાના અધ્યયનથી ખ્યાલ આવ્યો છે કે કોરોનાથી બચવાનો એક માત્ર ઉપાય છે સોશિયલ ડિસ્ટન્સિંગ છે. જેથી વડાપ્રધાન કોરોનાથી બચવા દરેક લોકોને ઘરમાં જ રહેવા અપીલ કરી છે. વડાપ્રધાન મોદીએ કોરોના વાયરસ કેવી ભયાનક રીતે ફેલાય છે તે વાત પણ આંકડાકીય રીતે રજૂ કરી હતી. જેમાં પ્રથમ તબક્કામાં ખૂબજ ધીમે ફેલાતો કોરોના ત્યારબાદ કેટલી ઝડપથી ફેલાયો તેના ચોંકાવનારા આંકડાઓ રજૂ કર્યા હતા.

March 24, 2020
lockdown.jpg
1min8470

સમગ્ર દેશમાં 606 જિલ્લાઓમાં કોરોના વધતા વ્યાપ વિસ્તારને કાબૂમાં રાખવા માટે આજે તા.24મી માર્ચથી લૉકડાઉનની સ્થિતિ છે. આમ છતાં, લોકો લૉકડાઉનમાં પણ ઘરોની બહાર નીકળી રહ્યા છે. કેન્દ્ર સરકારે આજે બપોરે 12 કલાકના અરસામાં રાજ્યોને આદેશ કર્યા છે કે જ્યાં લોકો લૉકડાઉન નથી કરી રહ્યા ત્યાં કરર્ફ્યુ લગાડી દેવામાં આવે.

કોરોના વાઇરસ કોમ્યુનિટી સ્પ્રેડ એટલે કે સામાન્ય લોકોમાં લાગૂ ન પડી જાય એ માટે સોશ્યલ ડિસ્ટન્સીંગ થાય એ માટે લૉકડાઉન કરવામાં આવ્યું છે. આમ છતાં લોકો સમજી રહ્યા નથી.

કોરોના વાયરસ સામેની લડાઈમાં ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, સુરત અને રાજકોટ બાદ આખા ગુજરાત રાજ્યને લોકડાઉન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સતત ડૉક્ટર અને પોલીસ દ્વારા કોરોના વાયરસની ગંભીરતા અંગે વાત કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર પણ આ અંગે વારંવાર જણાવવામાં આવી રહ્યું છે છતાં લોકો કોરોના વાયરસનો કોઈ ડર ના હોય તે રીતે ઘરોની બહાર નીકળી રહ્યા છે. આ જ રીતે સુરતમાં પણ લોકો રાતના સમયે ઘરી બહાર નીકળતા જોઈને પોલીસને તેમને પાઠ ભણાવ્યો છે.

March 24, 2020
mask.jpg
2min6920

સ્વસ્થ વ્યક્તિએ માસ્ક પહેરવું જરૂરી નથી : માસ્ક માટે પડાપડી કરતા લોકો જાગૃત બને

હાલ કોરોના વાઇરસના ફફડાટથી ગુજરાત સમેત આખા દેશમાં એવા લોકો માસ્ક લેવા માટે પડાપડી કરી રહ્યા છે જેમને કોઇપણ પ્રકારનું ઇન્ફેકશન થયું નથી. ગુજરાત સરકાર અને આરોગ્ય વિભાગ, અધિકારીઓ કહી રહ્યા છે કે સામાન્ય રીતે સ્વસ્થ વ્યકિત્એ માસ્ક પહેરવું જરૂરી નથી. માસ્ક કોણે કોણે કેવા સંજોગોમાં પહેરવું જોઇએ એ અંગે ગુજરાત સરકારે ચોક્કસ ગાઇડલાઇન જાહેર કરી છે.

વપરાયેલા માસ્કનો યોગ્ય નિકાલ કરવા ગુજરાતના આરોગ્ય ખાતાની ટ્વીટ

ગુજરાતના આરોગ્ય ખાતાએ ટ્વીટ કરીને જણાવ્યું છે કે વપરાયેલા માસ્કનો મિસયુઝ કે ડુપ્લિકેશન ટાળવા માટે તેનો યોગ્ય રીતે નિકાલ કરવાનો રહેશે.

માસ્ક કોના માટે જરૂરી

  • જેમને શર્દી, ખાંસી, ઉધરસ હોય
  • શંકાસ્પદ કોરોનાના દર્દી હોય
  • કોરોનાના કન્ફર્મ દર્દી હોય
  • દર્દીઓની સેવા, ચાકરી, ટ્રીટમેન્ટ કરતા મેડીકલ પેરામેડીકલ સ્ટાફ
  • જાહેર માર્ગ પર ફરજ બજાવતા પોલીસ સ્ટાફ
  • ઘરે ઘરે જઇને સરવેની કામગીરી કે અન્ય જાહેર કામગીરી કરતા સ્ટાફ
  • સફાઇ કામદારો
  • મોટા સમૂહમાં જતા હોય તેવા લોકો

સામાન્ય લોકોએ બહાર નીકળવાનું જ નથી તો માસ્કની જરૂરિયાત શું

વાંચો ગુજરાત સરકારની આ વિજ્ઞપ્તિ

આજે તા.24મી માર્ચ 2020ને મંગળવારે સૂરતની સંદેશ દૈનિક આવૃતિના ત્રીજા પાને ગુજરાત સરકારની આ જાહેરાત પ્રકાશિત કરવામાં આવી છે.

કોઇએ વપરાયેલું માસ્ક વળગાડી દીધું તો લેવાના દેવા પડી શકે

હાલમાં સમગ્ર દેશમાં એવા લોકોની પણ કમી નથી કે જેઓ રૂપિયા રળવા માટે ડુપ્લિકેટ સેનીટાઇઝર તેમજ માસ્ક બનાવી રહ્યા છે. મહારાષ્ટ્ર, દિલ્હી, કશ્મીર વગેરેથી એવા પણ હજારો માસ્ક જપ્ત કરવામાં આવ્યા છે જે અગાઉ વપરાઇ ચૂક્યા છે. જો કોઇ ધુતારા રૂપિયા કમાવા માટે આવા વપરાયેલા માસ્ક વેચતા હોય અને કદાચ એ તમારા હાથમાં આવી જાય તો શું હાલત થાય એ કદી વિચાર્યું છે.

ગુજરાતના આરોગ્ય વિભાગે તેના ટ્વીટર હેન્ડલ પર લખ્યું છે કે વપરાયેલા માસ્કમાં ઇન્ફેકશન ફેલાવા માટેની પૂરેપૂરી શક્યતા રહેલી છે. જે માસ્ક કોરોના પિડીત દર્દીઓ, તેની સારવાર કરતા મેડીકલ પેરામેડીકલ સ્ટાફના સભ્યો, દર્દીઓ કે શંકાસ્પદ દર્દીઓના સંપર્કમાં આવેલા લોકોએ ઉપયોગ કર્યા હોય તેવા માસ્કને ક્યાં તો સંપૂર્ણ પણે બાળી દઇને અગર તો જમીનમાં ખૂબ ઉંડે સુધી દાટી દઇને તેનો નિકાલ કરવો જરૂરી છે.

વપરાયેલા માસ્કનો નિકાલ આ રીતે કરવો

March 24, 2020
shainbaug.jpeg
1min8490

સમગ્ર દેશમાં કોરોના વાઇરસ સ્પ્રેડને અટકાવવા માટે કરવામાં આવેલા લૉકડાઉન દરમિયાન પણ દિલ્હીના શાહીન બાગમાં ધરણા ચાલુ રહેતા આજે તા.24મીએ સવારે દિલ્હી પોલીસે શાહીનબાગનો ધરણાનો ટેન્ટ જ ઉખાડી નાંખ્યો હતો. ધરણા પર બેઠેલી મહિલાઓએ પ્રતિકાર કરવાની કોશીસ કરી હતી પરંતુ, નાકામ રહી હતી. ગઇ તા.15મી ડિસેમ્બર 2020થી દિલ્હીના શાહીનબાગ ખાતે ધરણા યોજાઇ રહ્યા હતા.

નાગરિકતા સુધારા કાયદો (CAA) સામે 15 ડિસેમ્બરથી શાહીન બાગમાં ધરણાં કરી રહેલા પ્રદર્શનકારીઓને પોલીસે હટાવી દીધા છે. દિલ્હી અને નોઈડાને જાડતા આ રોડ પર લાગેલા ટેન્ટને પણ પોલીસે ઉતારી લીધો છે.

કોરોના વાયરસનો ખતરો હોવા છતાં લોકો ધરણા પર ઉતર્યા હતા. કોરોનાના કારણે દિલ્હી સહિત ભારતભરમાં લોકડાઉન છે. આમ છતાં મંગળવારે મહિલાઓ ફરી એકઠી થઈ. પોલીસે જણાવ્યું કે પ્રદર્શનકારીઓને હટાવવા માટે ટેંટ ઉખાડી નાખવામાં આવ્યો. સાથે જ કેટલાક લોકોની અટકાયત કરવામાં આવી. શાહીન બાગમાં મહિલાઓ પાછલા 100 દિવસથી ધરણા પર બેઠી હતી.

March 23, 2020
CIA_Live_Logo_New2.jpg
5min7320

ભારતમાં તા.25મી માર્ચે સવારે 10 વાગ્યા સુધીમાં કોરોનાનાં 562 પોઝિટિવ કેસ થયા છે 40 દર્દીઓ સંપૂર્ણ પણે સાજા થઇને પોતાના ઘરે પરત ફરી ગયા છે. જ્યારે છેલ્લાં 24 કલાકમાં એકપણ મૃત્યુ નહીં નોંધાતા કુલ આંક 10 યથાવત છે. દેશનાં કુલ મળીને 103 જિલ્લાઓમાં કોરોનાનાં પોઝિટિવ કેસ સામે આવી ગયા છે. આજથી 25 મી માર્ચ 2020થી ભારતમાં સંપૂર્ણપણે લૉકડાઉન કરી દેવામા આવ્યું છે

ભારતમાં સૌથી વધુ કેસ કેરળમાં 87 અને મહારાષ્ટ્રમાં 84 નોંધાયેલા છે. ત્યારબાદ કર્ણાટકમાં 37, રાજસ્થાનમાં 31, યુપીમાં 32 અને દિલ્હીમાં 30 સૌથી વધુ ધરાવતા કેસ છે.

ભારતમાં કોરોના કેસનું સ્ટેટસ તા.25મી માર્ચ 2020 સવારે 10 કલાકે

STATE/UTCONFIRMEDDEATHS
KERALA1090
MAHARASHTRA1012
KARNATAKA411
TELANGANA350
UP350
GUJARAT331
RAJASTHAN320
DELHI311
PUNJAB291
HARYANA280
TAMIL NADU180
LADAKH130
ANDHRA PRADESH90
WEST BENGAL91
MADHYA PRADESH90
J&K70
CHANDIGARH70
UTTARAKHAND40
HIMACHAL PRADESH31
BIHAR31
ODISHA20
PUDUCHERRY10
CHHATTISGARH10

ગુજરાતની સ્થિતિ, ગુજરાતમાં લોકલ ટ્રાન્સમિશનનો ભય, પખવાડિયું નિર્ણાયક

ગુજરાતમાં કોરોના વાયરસનો ચેપ વિદેશ પ્રવાસની સાથો સાથ હવે આવા શંકાસ્પદોના સંપર્કમાં આવવાથી પણ પ્રસરવાની શરૂઆત થતાં રાજ્યના આરોગ્ય વિભાગે આગામી એક પખવાડિયું નિર્ણાયક જાહેર કર્યું છે. વાયરસનો ચેપ હવે વાહકોમાંથી આગળ વધી રહ્યો હોવાના સંકેતો સ્પષ્ટ થતાં રાજ્ય સરકારે વધારે સતર્ક બની કવોરન્ટાઈન અને શંકાસ્પદ દર્દીઓની સંભવિત સંખ્યા મુજબ આઈસોલેશન હોસ્પિટલોની તાબડતોબ તૈયારીઓ શરૂ કરી છે.

બીજી તરફ છેલ્લા ચોવીસ જ કલાકમાં રાજ્યમાં કોરોના વાયરસના સંક્રમિત પોઝિટીવ દર્દીઓની સંખ્યા 29થી વધીને 35 સુધી પહોંચી ગઈ છે. જેમાં ગાંધીનગરમાં 2 દર્દી અને સુરતમાં 2 દર્દીનો વધારો થયો છે. જ્યારે રાજકોટમાં 36 વર્ષીય પુરુષ અને 75 વર્ષીય મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે.

Reported on 25 March 2020

દેશમાં 1,87,000 લોકો પર કોરોના સંક્રમણ સંદર્ભે 24×7 નજર રાખવામાં આવી રહી છે

ભારતમાં કોરોના સંક્રમણ અંગે કુલ 1,87,000 જેટલા લોકો પર દિવસ રાત વોચ રાખવામાં આવી રહી છે. આ લોકો એવા છે જેમના હજુ સુધી કોરોના પોઝીટીવ ડિટેક્ટ થયો નથી પરંતુ, આ વ્યક્તિઓમાં આગામી દિવસોમાં કોરોના પોઝીટીવ રિપોર્ટ આવી શકે તેમ હોવાથી તેમને સતત વોચમાં રાખવામાં આવ્યા હોવાનું કેન્દ્રના આરોગ્ય મંત્રી ડો.હર્ષવર્ધને જણાવ્યું હતું.

મહારાષ્ટ્રમાં 4ના મોત, કુલ કેસ 101ને પાર

મહારાષ્ટ્રમાં કોરોના પોઝીટીવ કેસોની સંખ્યામાં ચિંતાજનક રીતે વધારો થઇ રહ્યો છે. દરમિયાન આજે મહારાષ્ટ્રમાં કોરોનાથી મુંબઈમાં વધુ એક મોત થયું છે. UAEની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા એક 65 વર્ષના વૃદ્ધ 15મી માર્ચે પરત ફર્યા હતા. વિદેશથી અમદાવાદ આવીને મુંબઈ ગયા હતા. મહારાષ્ટ્રમાં ચોથું મોત, 101 કેસ પોઝીટીવ નોંધાયા

દેશમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 101 પાર થઈ ગઈ છે. રાજ્ય સરકારે તા.24મી માર્ચ 2020થી રાજ્યમાં કરફ્યૂ જાહેર કરી દીધો છે.

Union Health Minister Dr Harsh Vardhan :

National Centre for Disease Control has been keeping an eye on all potential Coronavirus patients. Today, more than 1,87,000 people in the country are being monitored by the way of community surveillance.

ભારતમાં 728 પૈકી 606 જિલ્લાઓમાં લૉકડાઉન

વિશ્વભરમાં ફેલાયેલા કોરોના વાયરસના કહેરને અટકાવવા માટે દેશભરમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જેમાં દેશભરના 728 જિલ્લામાંથી 606 હાલ લોકડાઉન હેઠળ છે. તો કેટલાક રાજ્યોમાં કર્ફ્યૂ જેવી સ્થિતિ છે. જેમાં મહારાષ્ટ્ર અને પંજાબમાં સંપૂર્ણ કર્ફ્યૂ લાદવામાં આવ્યો છે. નેશનલ હાઈવેના ટોલ પ્લાઝા પણ બંધ કરી દેવામાં આવ્યા છે. દેશના સૌથી ખરાબ કોરોનાગ્રસ્ત રાજ્ય કેરળમાં સીએમ વિજયને કેન્દ્ર સરકારના આદેશ મુજબ 10 જિલ્લામાં લોકડાઉન જાહેર કર્યું હતું.

સોમવારે અન્ય રાજ્યોમાં પણ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં તમિલનાડુ, કર્ણાટક, ગુજરાત, હરિયાણા, હિમાચલ પ્રદેશ, આસામ અને મણિપુર હતા. રવિવારે આંધ્રપ્રદેશ, તેલંગાણા, પંજાબ, ઉત્તરાખંડ, ઝારખંડ, જમ્મુ-કાશ્મીર, ચંદીગ., રાજસ્થાન, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ અને મિઝોરમમાં સંપૂર્ણ લોકડાઉન કરવાનો આદેશ આપ્યો હતો.

પંજાબમાં વિદેશથી 90,000 NRI પરત ફર્યા

દુનિયાભરમાં કોરોના વાયરસના સંક્રમણના મામલાની વચ્ચે પંજાબમાં વિદેશથી પરત ફરનાર 90 હજાર ભારતીય લોકોની તપાસ કરવાની તૈયારી ચાલી રહી છે. પંજાબના મુખ્યમંત્રીએ કેન્દ્રને પત્ર લખીને લોકો વિશે જાણકારી આપતાં 150 કરોડ રૂપિયાના વિશેષ ફંડની માગ કરી છે. માનવામાં આવી રહ્યું છે કે, વિદેશોથી પરત આવેલા તમામ લોકોમાંથી કેટલાક કોરોનાથી સંક્રમિત હોઈ શકે થે અને જો એમ હશે તો પંજાબમાં કોરોનાથી સંક્રમિત લોકોનો આંકડો જબરદસ્ત રીતે વધી શકે છે.

પંજાબ સરકારે હાલ રાજ્યના તમામ 22 જિલ્લામાં કર્ફ્યૂ લગાવી દીધો છે, પરંતુ સરકાર માટે તે 90 હજાર લોકો ચિંતાનો વિષય બન્યા છે, જે દુનિયાભરમાં કેસ સામે આવ્યા બાદ પંજાબમાં પોતાના ઘરે પરત ફર્યા છે. પંજાબ સરકારના મંત્રી બલવીર સિંહ સંધૂએ આ તમામ વિષયમાં કેન્દ્ર સરકારને માહિતી આપતો એક પત્ર લખ્યો છે.

India Update on 24/03/2020 at 10 a.m.

Reported on 23/03/2020

સોમવાર તા.23મી માર્ચે સવારે 10 વાગ્યે ભારતમાં કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા 429 થઇ

ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડીકલ રિસર્ચના જણાવ્યા અનુસાર તા.23મી માર્ચ 2020ને ગુરુવારે સવારે 10 વાગ્યે ભારતમાં કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા વધીને 420 થવા પામી છે. આઇ.સી.એમ.આર. સંસ્થા દ્વારા આપવામાં આવતી માહિતી જ ભારતમાં અધિકૃત સંસ્થા છે.

મહારાષ્ટ્રમાં વધુ એક મોત સાથે રાજ્યનો મૃત્યુઆંક 03 થયો છે. ભારતમાં કોરોનાથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યા 07 થઇ છે.

કોરોનાની અસરથી નાસમજ લોકો ફર્યા કરે છે : પીએમ મોદીએ ટ્વીટ કરવી પડી

સોશ્યલ ડિસ્ટન્સીંગ નહીં પાળીશું તો પરિસ્થિતિ વકરતા વાર નહીં લાગે

સૂરતના લોકોને ખાસ જણાવવાનું કે ઘરમાં બેસી રહીશું તો કોરોનાને વધતો અટકાવવાના સરકાર તેમજ આપણા પ્રયાસો કારગત નિવડશે. કેમકે હજુ પણ કોરોના ઇન્ફેકશનની પરિસ્થિતિ ગંભીર જ છે. જે રીતે સૂરતના લોકો માર્ગો પર બિનજરૂરી રીતે ફરી રહ્યા છે એ પ્રમાણે કોરોનાને લાઇટલી લઇશું તો આગામી દિવસોમાં પરિસ્થિતિ વધુ વકરશે.

ઇટલી, ઇરાન, સ્પેન, અમેરિકા, ચીન વગેરે દેશોના અનુભવો પરથી જણાય છે કે કોરોના વાયરસ જે પણ દેશમાં લાંબા સમય સુધી રહે છે તે ત્યાં વધુ હાહાકાર મચાવે છે. આથી હવે પ્રત્યેક નાગરિકની ફરજ બને છે કે હવે આપણે સૌએ સતર્ક અને સાવચેત રહીએ. જો એક વખત કોરોના વાયરસ ત્રીજા ફેઝમાં દાખલ થઇ જશે તો અંતે ઇટાલી અને અમેરિકા જેવી પરિસ્થિતિનું નિર્માણ થઇ શકે છે.

March 23, 2020
sensex_down.jpg
1min17050

કોરોનાને કારણે વિશ્વભરમાં લોકડાઉનથી વૈશ્વિક મંદીના ભયે આજરોજ સોમવાર તા.23મી માર્ચ 2020ના રોજ સવારે BSE સેન્સેક્સ ખુલ્યાના એક કલાકમાં જ 3,000 પોઈન્ટ્સ ગગડી જતાં શેરબજારમાં લોઅર સર્કિટ લાગી હતી અને ટ્રેડિંગ 45 મિનિટ અટકાવી દેવામાં આવ્યું હતું. શેરબજારમાં નેશનલ સ્ટોક એક્ષચેન્જની નિફ્ટી પણ 842.45 પોઈન્ટ્સ અથવા 9.63 ટકા તૂટીને 7,903 પોઈન્ટ્સની સપાટીએ આવી ગયો હતો.

બજારમાં બપોરે 1 વાગ્યા સુધીમાં ફ્રી ફોલના કિસ્સામાં 10 ટકાના ઘટાડાનું ઓટોમેટિક મિકેનિઝમ છે જેમાં ટ્રેડિંગ 45 મિનિટ સુધી અટકાવી દેવામાં આવે છે.

એશિયાના અન્ય બજારોમાં શાંઘાઈ, હોંગકોગ અને સિઓલ શેરબજારો 4 ટકા સુધી ઘટીને જ્યારે જાપાનનું શેરબજાર વધીને ટ્રેડ થઈ રહ્યા હતા.

બજારમાં ઊંચી વોલેટિલિટી ડામવા માટેના પ્રયાસમાં બજારની નિયમનકાર સેબીએ શુક્રવારે 23 માર્ચથી એક મહિના સુધી અમલી રહે તે રીતે ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં શેર માટેની માર્કેટ વાઈડ પોઝિશન લિમિટમાં ફેરફાર, ડાયનામિક પ્રાઈસ બેન્ડ અને અન્ય પગલાં ભર્યા હતા. જેને કારણે બજારમાં શોર્ટ સેલિંગમાં તેમજ વોલેટિલિટી ઘટશે.

જોકે, સ્ટોક એક્સચેંજ અને નિયમનકારી અધિકારીઓએ કોરોનાની વૈશ્વિક મહામારીને પગલે શેરબજારમાં ટ્રેડિંગના કલાકો ઘટાડવાની સૂચનને ફગાવી દેવામાં આવ્યું હતું.

March 20, 2020
maharashtra_map.jpg
1min5890

ભારતમાં કોરોનાથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 200ને પાર થઈ ગઈ છે. ICMR મુજબ દેશમાં અત્યાર સુધી 206 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. ત્યારે મહારાષ્ટ્ર સરકારે મુંબઈ, નાગપુર, પૂને અને ચિંચવાડશહેરોમાં લોકડાઉનની વ્યૂહરચના અપનાવીને કોરોનાને મર્યાદિત કરવાનો દાવ ખેલ્યો છે.

શહેરો બંધ દરમિયાન જીવનજરૂરી ચીજવસ્તુઓ તેમજ આવશ્યક સેવાઓ ચાલુ રહેશે.

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું કે, આજે મધરાતથી 31 માર્ચ સુધી મુંબઈ, MMR, પૂણે, પિંપરી ચિંચવાડ અને નાગપુર લોકડાઉન કરવામાં આવશે. આ દરમિયાન મહારાષ્ટ્રમાં આજે વધુ 3 કેસ પોઝિટિવ આવ્યા છે. હેલ્થ મિનિસ્ટર રાજેશ ટોપેએ જણાવ્યું કે, મુંબઈ, પૂણે અને પિંપરી ચિંચવાડમાં એક-એક કેસ સામે આવ્યો છે.

મહારાષ્ટ્રના શિક્ષણમંત્રીએ એવી જાહેરાત કરી છે કોરોનાને પગલે ઉદભવેલી સ્થિતિને પહોંચી વળવા માટે તેમજ વધુ પરિસ્થિતિ ન બગડે તે માટે શાળાકીય પરીક્ષાઓ ચાલુ વર્ષ માટે રદ કરી દેવામાં આવી છે. તમામ ધોરણોના વિદ્યાર્થીઓને પ્રમોશન આપીને પાસ કરી દેવામાં આવશે.

દિલ્હીમાં પબ્લિક પ્લેસિસ બંધ

દિલ્હીમાં કેજરીવાલ સરકારે શહેરના તમામ મૉલ્સ બંધ કરવાનો નિર્ણય લીધો છે. આંકડા પર નજર કરીએ તો ભારતમાં કોરોનાએ અત્યાર સુધી 4 લોકોનો ભોગ લીધો છે.

March 20, 2020
kamalnath-2.png
1min4660

આજે તા.20મી માર્ચ 2020ની બપોરે સાડા બાર વાગ્યાના અરસામાં મધ્યપ્રદેશમાં કોંગ્રેસની સરકારના મુખ્યમંત્રી કમલનાથે પત્રકાર પરિષદને સંબોધતા પૂર્વે મુખ્યમંત્રી પદેથી રાજીનામું ધરી દેતા મધ્યપ્રદેશની પોલિટીકલ ક્રાઇસીસનો અંત આવ્યો હતો. આ સાથે જ દોઢ વર્ષ જૂની મધ્યપ્રદેશ સરકારનું પતન થયું હતું.

હવે રાજ્યપાલ સંભવતઃ ભાજપને સરકાર રચવાનું નિમંત્રણ આપે એમ મનાય છે.

March 20, 2020
nirbhaya-case_1580530774.jpeg
1min5120

7 વર્ષ જેટલા લાંબી અને કાયદાકીય ગૂંચોને ઉકેલતા ઉકેલતા આખરે આજે તા.20મી માર્ચે નવી દિલ્હી સ્થિત વિશ્વભરમાં બહુચર્ચિત નિર્ભયા પર ગેંગરેપ કરીને તેની ઘાતકી હત્યા કરનારા ચારેય નરાધમો, પવન, અક્ષય, વિનય અને મુકેશને ફાંસી આપી દેવામાં આવી હતી છે. છેલ્લી ઘડી સુધી આ ચારેય હરામખોરોના વકીલોએ ફાંસી અટકાવવાના પ્રયાસો કરી જોયા પરંતુ, તમામ આંટીઘૂંટીઓ નિષ્ફળ નિવડી હતી.

કોર્ટે ડેથ વોરન્ટ જાહેર કર્યું હતું તે અનુસાર બરાબર આજે શુક્રવાર તા.20મી માર્ચે સવારે 5.30ના ટકોરે તિહાર જેલના જેલરે સફેદ રુમાલ ફરકાવીને જલ્લાદને ફાંસીનું લીવર ખેંચવા ઈશારો કર્યો હતો, અને તે જ સેકન્ડે આ ચારેયના ગળામાં ફાંસીનો ફંદો મૂકાઈ ગયો હતો.

જેલ મેન્યુઅલ અનુસાર, સાડા પાંચે ફાંસી આપ્યા બાદ ચારેયને અડધો કલાક સુધી ફંદા પર લટકાવી રાખવામાં આવ્યા હતા. ત્યારબાદ તિહાર જેલના મેડિકલ ઓફિસરે ફાંસીના ફંદા પર ઝૂલી રહેલા નરાધમોની નાડી ચકાસી હતી, અને આખરે તેમને સત્તાવાર રીતે મૃત જાહેર કરાયા હતા. આ સાથે જ નિર્ભયાને ન્યાય મળ્યો હતો.