ઇન્ડીયા Archives - Page 116 of 217 - CIA Live

June 2, 2020
landlside_asam.jpg
1min5250

Tweet from Asam Chief Minister

પૂર્વી ભારતના રાજ્ય આસામ રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદી માહોલને પગલે ભૂસ્ખલન જેવી હોનારત સર્જાતા વીસથી વધુ લોકોના મોત નિપજ્યા હોવાના અહેવાલો મળી રહ્યા છે. ભૂશ્ખલનમાં મૃત્યુ પામનાર લોકોમાંથી મોટા ભાગના લોકોમાં દક્ષિણી આસામના ત્રણ અલગ-અલગ જિલ્લાઓ કરીમગંજ, સિલ્ચર અને હિલાકાંડીના ત્રણ અલગ-અલગ પરિવારોના હતા. ભૂસ્ખલનની આ ઘટનાઓ આસામની બરાક ઘાટી વિસ્તારમાં ઘટી હતી.

આસામના મુખ્યમંત્રી સર્બાનંદ સોનવાલે ટ્વીટ કરીને કહ્યું ભૂસ્ખલનની ઘટના અને તેમાં મૃત્યુ પામનાર લોકોના મોત પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે જિલ્લા પ્રશાસન અને એસડીઆરફએફની ટીમને તાત્કાલીક ધોરણે રાહત બચાવ કામગીરી હાથ ધરવા માટેના આદેશ પણ આપ્યા. 

June 2, 2020
middleseat-1280x853.jpg
1min6110

વિમાનમાં વચ્ચેની સીટ ખાલી રહે તે રીતે બેઠકની ફાળવણી કરવાનું ડિરેક્ટોરેટ જનરલ ઑફ સિવિલ ઍવિયેશન (ડીજીસીએ)એ દેશની તમામ એરલાઈન્સને સોમવારે જણાવ્યું હતું.

પ્રવાસીઓની સંખ્યા વધુ હોવાને કારણે જો પ્રવાસીને વિમાનમાં વચલી સીટ ફાળવવામાં આવી હોય તો તેવા સંજોગોમાં તેમને ટૅક્સટાઈલ ખાતા દ્વારા મંજૂર કરવામાં આવેલા વ્રૅપ અરાઉન્ડ ગાઉન, ત્રિસ્તરીય ફૅસમાસ્ક સહિતના વધારાના સુરક્ષા ઉપકરણો પૂરા પાડવાનું ડીજીસીએ દ્વારા બહાર પાડવામાં આવેલા આદેશમાં જણાવવામાં આવ્યું હતું. કોરોના વાઈરસને કારણે જાહેર કરવામાં આવેલા લૉકડાઉનને કારણે બે મહિનાના સમયગાળા બાદ ભારતમાં પચીસમી મેથી ડૉમેસ્ટિક ફ્લાઈટ ફરી શરૂ કરવામાં આવી હતી. જોકે, આગામી સૂચના ન મળે ત્યાં સુધી આંતરરાષ્ટ્રીય વિમાનસેવા સ્થગિત રાખવામાં આવશે, એમ તેમણે કહ્યું હતું.

June 1, 2020
nisarg11.jpg
2min13780

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડું નહીં ટકરાય પરંતુ તેની અસરને કારણે દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. અરબી સમુદ્રમાં સર્જાયેલુ ડીપ ડિપ્રેશન આગામી 12 બાદ વાવાઝોડામાં ફેરવાઈ જશે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ 6 કલાક બાદ ડીપ ડિપ્રેશન સાયક્લોનમાં અને 12 કલાક બાદ ડીપ ડિપ્રેશન સીવિયર સાયક્લોનમાં પરિવર્તિત થશે. આવતીકાલે આ વાવાઝોડું દમણ અને મહારાષ્ટ્ર વચ્ચેથી પસાર થશે.આ સમય દરમિયાન પવનની ગતિ 100-110 કિમી પ્રતિકલાકની રહેશે.

હાલ આ ડીપ ડિપ્રેશન સુરતથી 670 કિલોમીટર દૂર છે અને 6 કલાકે 11 કિલોમીટરનું અંતર કાપી રહ્યું છે. સંભવિત વાવાઝોડાની અસરને પગલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 200થી વધુ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. તેમજ સુરતના ડુમસ, સુવાલી, ડભારી બીચ બંધ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત નવસારીનો ઉભરાટ બીચ પણ ખાલી કરાવવામાં આવ્યો છે.

ગુજરાતના ઉમરગામ દરિયા કિનારે એલર્ટ ઘોષિત

મહારાષ્ટ્રને કેવી રીતે ઘમરોળશે નિસર્ગ વાવાઝોડું

તા.2 જૂન સાંજે 4 કલાકની સ્થિતિ અને એ પછીનું પ્રોજેક્શન

સેટેલાઇટ ઇમેજ તા.2 જૂન બપોરે 2 કલાકે

Reported on 1st JUNE 2020

Symbolic Photo

2/3/4 જૂને ગુજરાતમાં વાવાઝોડું અને અતિભારે વરસાદની આગાહી

ભારતીય હવામાન વિભાગ (IMD)એ હાલ પશ્ચિમ ભારતને સ્પર્શતા અરબી સમુદ્રમાં ઉપસ્થિત થયેલી સાયક્લોનિક સિસ્ટમ અંગે આગાહી કરતા જણાવ્યું છે કે તા. 2, 3 અને 4 જૂન સુધીમાં વાવાઝોડું ઉત્તર મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા નજીક પહોંચે તેવી શક્યતા છે. જોકે વાવાઝોડાની દિશો બદલાય રહી હોવાથી આમા ફેરફાર થઇ શકે તેમ છે. હાલ જે વાવાઝોડાનું સંકટ તોળાય રહ્યું છે એ વાવાઝોડાને તા.1લી જૂને બપોરે 2 વાગ્યા સુધી કોઇ નામ આપવામાં આવ્યું નથી.

IMDના પ્રાદેશિક સેન્ટર દ્વારા ઉત્તર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના તમામ બંદરો પર ‘distant cautionary (DC)-1’ નંબરનું સિગ્નલ લગાવવા સૂચવાયું છે. આનું કારણ એ છે કે દરિયાકાંઠાના વિસ્તારોમાં 90-100 કિમીની ઝડપે પવન ફૂંકાશે જે 4 જૂન સુધી 110 કિમી પ્રતિકલાકની સ્પીડ સુધી પહોંચી શકે છે. જેથી દરિયો વધુ તોફાની બનવાની સંભાવનાઓ છે.

તા.4 જુન સુધીમાં ગુજરાતના મહત્તમ જિલ્લાઓમાં ભારે પવન સાથે ભારેથી અતિભારે વરસાદ પડશે. હવામાન વિભાગના અધિકારીએ જણાવ્યું કે, દક્ષિણ-પૂર્વ અને પૂર્વ-મધ્ય અરબી સમુદ્રમાં નીચા દબાણવાળા ક્ષેત્રમાં ઉત્તર દિશા તરફ આગળ વધ્યા બાદ વાવાઝોડું વધુ તીવ્ર બને તેવી સંભાવના છે. જેથી 3 અને 4 જૂને પૂર્વી સૌરાષ્ટ્ર અને દક્ષિણ તેમજ મધ્ય ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

પ્રાદેશિક હવામાન કચેરીના ડિરેક્ટર શ્રી જયંત સરકારે પત્રકારોને જણાવ્યું હતું કે, 3 જૂનના રોજ વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને બોટાદ, દીવ, દમણ અને દાદરા નગર હવેલી ભારે પવન સાથે ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. આ ઉપરાંત 4 જૂને આગળ જણાવેલ જિલ્લાઓ સિવાય ડાંગ, તાપી, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ, ખેડા, આણંદ અને અમદાવાદમાં પણ ચક્રવાતી વાવાઝોડાને કારણે ભારેથી ભારેથી અતિ ભારે વરસાદ પડે તેવી સંભાવના છે. કેમ કે, આ વાવાઝોડાની રચના હજી થઈ નથી, તેથી વાવાઝોડું કોઈ સત્તાવાર નામ નથી.

June 1, 2020
sajid-wajid.jpg
1min5480

બોલીવૂડ પણ કોરોના વાયરસની ઝપેટમાં આવી રહ્યું છે. બોલીવૂડના જાણીતા સિંગર વાજિદ ખાનનું નિધન થઈ ગયું છે. સાજિદ અને વાજિદની જોડી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ખૂબજ પ્રખ્યાત હતી. મીડિયા રિપોર્ટ્સ મુજબ તેઓ ઘણા લાંબ સમયથી કિડનીની બીમારીથી પીડાઈ રહ્યા હતા. કિડનીની સારવાર દરમિયાન જ્યારે તેમનો કોરોનાનો ટેસ્ટ કરાવવામાં આવ્યો તો તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. વાજિદની હોસ્પિટલમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. 

એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાએ વાજિદ ખાનના નિધન પર શોક વ્યક્ત કરતા ટ્વીટ કર્યું કે, આ ખૂબ જ દુ:ખદ સમાચાર છે. વાજિદ ભાઈના વિશે એક વાત જે મને હંમેશા યાદ રહેશે તે છે તેમનું સ્મિત.  તેઓ હંમેશા હસતા રહેતા હતા. ખૂબ જ જલ્દી જતા રહ્યા. તેમના પરિવાર અને શોક વ્યક્ત કરનારા લોકોની પ્રતિ મારી સંવેદના. ભગવાના તમારી આત્માને શાંતિ આપે. 

સાજિદ-વાજિદે સૌથી પહેલા 1998માં સલમાન ખાનની ફિલ્મ ‘પ્યાર કિયા તો ડરના કયા’ ફિલ્મ માટે મ્યુઝિક આપ્યુ હતું. ત્યારબાદ 199માં સોનૂ નિગમની આલ્બમ દીવાના માટે મ્યુઝિક આપ્યું હતું. આ ઉપરાંત તેમણે સલમાન ખાનની ફિલ્મ દંબગ, વોન્ટેડ, જય હો જેવી ફિલ્મોમાં પણ મ્યુઝિક આપ્યુ છે. સાજિદ-વાજિદ ઉત્તર પ્રદેશના સહરાનપુરના જાણીતા તબલાવાદક શરફત અલી ખાનના પુત્ર છે.  

June 1, 2020
coronaindia-1-1280x1044.jpg
1min4810

દેશમાં એક તરફ લૉકડાઉન-4માં વધારો કરવાની તૈયારીઓ સાથે જાણે એકાએક કોરોના વાઇરસનો બૉમ્બ ફૂટ્યો હોય એમ છેલ્લા ૨૪ કલાકમાં ૮૧૩૪ કેસ બહાર આવતાં હાહાકાર મચી ગયો છે. એની સાથે છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૨૬૫ દર્દીઓનાં મોત થયાં છે. કેસ અને મોતનો આંકડો અત્યાર સુધીમાં સૌથી વધારે છે. આવતી કાલે ૩૧ મેએ લૉકડાઉન-4ની મુદત પૂરી થઈ રહી છે અને નવી ગાઇડલાઇન સાથે લૉકડાઉન-5ની જાહેરાતની પૂર્વસંધ્યાએ જ કેસો અને મોતનો આંક ભયજનક માનવામાં આવી રહ્યો છે.

લૉકડાઉન ખૂલવાના સમયે જ કેસ વધારે બહાર આવતા હોવાની પણ એક પૅટર્ન જોવા મળી રહી છે. દર્દીઓના કેસમાં ભારત દુનિયાના ૯મા નંબરે પહોંચી ગયું છે. હાલમાં અમેરિકા પહેલા સ્થાને છે. એશિયામાં કોરોનાથી સૌથી વધારે સંક્રમિત દેશ તરીકે ભારતની ગણના કરવામાં આવી રહી છે. જોકે ભારતમાં કોરોના રિકવરી રેટ વધીને ૪૭ ટકા સધી પહોંચી ગયો છે. દરમ્યાનમાં લૉકડાઉન વચ્ચે બીજેપીએ આજે મોદી સરકાર 2.0ના એક વર્ષની ઉજવણી લૉકડાઉનના નિયમોના પાલન સાથે કરી હતી.

વૈશ્વિક મહામારી કોરોના વાઇરસને રોકવા માટે ૨૫ માર્ચે લાગુ કરાયેલા લૉકડાઉન-1 હવે લૉકડાઉન-5 એટલે કે પાંચમા તબક્કામાં પ્રવેશવાની તૈયારીમાં છે ત્યારે એકાએક કેસની સંખ્યા વધી જતાં સત્તાવાળાઓ પણ ચિંતામાં મુકાઈ ગયા છે. શું આ કમ્યુનિટી સંક્રમણનો અતિ ખતરનાક તબક્કો તો નથીને? એવો સવાલ પણ પુછાઈ રહ્યો છે. આ તબક્કો સૌથી ભયાનક અને ચરમસીમા સમાન મનાય છે, જેમાં કોઈને પણ કોરોનાનો ચેપ લાગી શકે છે.

સૂત્રોએ કહ્યું કે વધેલા કેસની સંખ્યા સાથે દેશભરમાં અત્યાર સુધી ૧,૭૩,૪૯૧ લોકો સંક્રમિત થયા છે અને ૪૯૮૦ લોકોનાં મોત થયાં છે. સાથે જ અત્યાર સુધી ૮૨,૬૨૭ દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે. ભારતમાં જોકે હવે કોરોનાની બીમારીમાંથી સ્વસ્થ્ય થનારા લોકોની સંખ્યા પણ ધીમે-ધીમે વધી રહી છે. ભારતમાં હવે કોરોના વાઇરસનો રિકવરી દર ૪૭ ટકા સુધી પહોંચી ગયો છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૧,૨૬૪ લોકો સાજા થયા છે. જે સ્વસ્થ્ય થનારા લોકોનો અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે. આ સાથે જ સાજા થનાર દર્દીઓનો આ આંકડો વધીને ૮૨,૩૬૯ સુધી પહોંચી ગયો છે. જોકે છેલ્લા ૨૪ કલાકમાં ૨૬૫ લોકોએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યા છે.

કોરોના વાઇરસની વૅક્સિન તૈયાર કરવા માટે હવે વધુ એક કંપનીએ વિશ્વને આશાનું કિરણ બતાવ્યું છે. વાયગ્રા જેવી દવાઓની શોધ કરનાર અમેરિકન ફાર્માસ્યુટિકલ કંપની ફાઇઝરે ચાલુ વર્ષ દરમ્યાન ઑક્ટોબર મહિનાના અંત સુધીમાં તેમની કોરોના વૅક્સિન બનીને તૈયાર થઈ જશે એવો દાવો કર્યો છે.

ફાઇઝરના સીઈઓ આલ્બર્ટ બુર્લાએ જણાવ્યું કે ‘જો બધું સરખી રીતે ચાલશે અને નસીબ સાથ આપશે તો ઑક્ટોબરના અંત સુધીમાં વૅક્સિન તૈયાર થઈ જશે. એક ગુણકારી અને સુરક્ષિત વૅક્સિન માટે તેઓ ભરપૂર પ્રયત્ન કરી રહ્યા છે.

June 1, 2020
income_tax.png
1min5000

નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ માટે ઇન્કમ ટૅક્સ રિટર્ન્સ ભરવાના ફોર્મ્સ આયકર વિભાગે જાહેર કર્યા છે.

સેન્ટ્રલ બૉર્ડ ઑફ ડાઇરેક્ટ ટેક્સીસે એસેસમેન્ટ ઇયર ૨૦૨૦-૨૧ માટે સહજ (આઇટીઆર-૧), ફોર્મ આઇટીઆર-૨, ફોર્મ આઇટીઆર-૩, ફોર્મ સુગમ (આઇટીઆર-૪), ફોર્મ આઇટીઆર-૫, ફોર્મ આઇટીઆર-૬, ફોર્મ આઇટીઆર-૭ અને ફોર્મ આઇટીઆર-વી જાહેર કર્યા છે.

૨૦૧૯-૨૦નું આવકવેરા રિટર્ન ભરવા માટે સરકારે નવા ફોર્મ જારી કર્યા છે જે મુજબ વ્યક્તિના કરંટ એકાઉન્ટમાં એક કરોડથી વધુ રૂપિયા જમા હોય તેમણે અને જેમના બાર મહિનાનું વીજળીનું બિલ એક લાખ રૂપિયાથી વધારે હોય તેમણે આ અલગ ફોર્મમાં રિટર્ન ફાઇલ કરવા પડશે. નવા આઇટીઆર ફોર્મ્સમાં કરદાતાઓએ ખાસ ઊંચા ખર્ચની વિગતો આપવી પડશે. તેમના કરંટ એકાઉન્ટમાં એક કરોડ રૂપિયાથી વધુ રકમ હોય, વિદેશ પ્રવાસ પર બે લાખ રૂપિયાથી વધુનો ખર્ચ કર્યો હોય અથવા વર્ષભરમાં વીજળીના બિલ પેટે એક લાખ રૂપિયાથી વધુ રકમ ભરી હોય તેમણે એની વિગતો ફોર્મમાં આપવી પડશે. આ વર્ષે આઇટીઆર-૧માં કરદાતાઓએ પોતાનો પાસપોર્ટ નંબર (જો કોઇ હોય તો) આપવો પડશે.

May 31, 2020
ril-1280x721.jpg
1min4840

વિશ્વની તમામ લિસ્ટેડ કંપનીઓમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 2020માં અત્યાર સુધીમાં શેર્સના વેચાણ મારફત સૌથી વધારે ભંડોળ એકત્ર કરનારી કંપની બની છે. ભારતીય કંપનીઓમાં અન્ય ટોચના ભંડોળ એકત્ર કરનારાઓમાં ગ્લેક્સોસ્મિથક્લાઇન અને હોર્લિક્સે તાજેતરમાં ₹26,000 કરોડની કિંમતના હિન્દુસ્તાન યુનિલીવરના શેર્સનું વેચાણ કર્યું હતું જ્યારે ભારતી એરટેલે ક્વોલિફાઇડ ઈન્સ્ટિટ્યૂશનલ પ્લેસમેન્ટ તથા ઓવરસિસ બોન્ડ મારફત ત્રણ અબજ ડોલર એકત્ર કર્યા હતા.

બ્લૂમબર્ગના ડેટા અને ઇક્વિટી ઓફરિંગ માટે કંપનીઓ દ્વારા કરવામાં આવેલી તમામ જાહેરાતો અનુસાર મુકેશ અંબાણીના વડપણ હેઠળની આ મહાકાય કંપનીએ ઇક્વિટી ઓફરિંગ મારફત 18.4 અબજ ડોલર એકત્ર કર્યા હતા. તેના પછી યુએસ સ્થિત મની મેનેજર બ્લેકરોકનો ક્રમ આવે છે જેણે 13.3 અબજ ડોલર એકત્ર કર્યા હતા અને તેના પછી રિજનરોન ફાર્માસ્યુટિકલ્સનો ક્રમ હતો જેણે 11 અબજ ડોલર એકત્ર કર્યા હતા. અન્ય કંપનીઓ જેમણે બજારમાંથી મોટા પાયે નાણાં એકત્ર કર્યાં હતાં તેમાં સિંગાપોર એરલાઇન, બ્રાઝિલની પેટ્રોબ્રાસ અને યુએસ સ્થિત સાઉથવેસ્ટ એરલાઇનનો સમાવેશ થાય છે.

એક વર્ષમાં સૌથી મોટું ઇક્વિટી ઓફરિંગ સાઉદી અરેબિયાની મહાકાય ઓઇલ કંપની અરામ્કોનું હતું જેણે પાછલા ડિસેમ્બર મહિનામાં ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ મારફત આશરે 28.4 અબજ ડોલર એકત્ર કર્યા હતા, તે અગાઉનો ટોચનો રેકર્ડ અલીબાબા ગ્રૂપ હોલ્ડિંગ્સના નામે હતો જેણે 2014માં 25અબજ ડોલર એકત્ર કર્યા હતા.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પોતાના ઋણમાં કાપ મૂકવા માંગતી હોવાથી શેર્સ સેલની જાહેરાત કરી હતી. કંપનીનો ₹53,000 કરોડનો રાઇટ ઇશ્યૂ ખૂલ્યો છે ત્યારે તેણે પોતાના ડિજિટલ યુનિટ જિયો પ્લેટફોર્મમાં 17 ટકા કરતાં વધારે હિસ્સો વેચીને ₹78,562 કરોડ એકત્ર કરી દીધા છે. તેમાંથી ફેસબૂકે ₹43,574 કરોડમાં આ યુનિટમાં 9.99 ટકા હિસ્સો ખરીદ કર્યો હતો જ્યારે સિલ્વર લેખે ₹5,665.75કરોડમાં 1.15ટકા હિસ્સો ખરીદ કર્યો હતો.

આઠ મેના રોજ યુએસ સ્થિત વિસ્ટા ઇક્વિટી પાર્ટનર્સે ₹11,367 કરોડમાં જિયો પ્લેટફોર્મમાં 2.32 ટકા હિસ્સો ખરીદ કર્યો હતો અને 17 મેના રોજ ગ્લોબલ ઇક્વિટી કંપની જનરલ એટલાન્ટિકે ₹6,598.38 કરોડમાં 1.34 ટકા હિસ્સો ખરીદ્યો હતો. પાંચમા સોદામાં ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ કંપની કેકેઆર એન્ડ કંપનીએ ₹11,367 કરોડમાં જિયોનો 2.32 ટકા હિસ્સો હસ્તગત કર્યો હતો.

31 માર્ચની સ્થિતિએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું બાકી દેવું ₹3,36,294 કરોડ નોંધાયું હતું. તેની પાસે હાથ પર ₹1,75,259 કરોડની રોકડ છે જેથી નેટ ડેટ ₹1,61,035કરોડ થાય છે.

May 31, 2020
coronaindia-1-1280x1044.jpg
1min4950

દેશમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. વીતેલા ત્રણ દિવસમાં દેશમાં કોરોના વાયરસ 25 હજારથી વધારે કેસ નોંધાયા છે. શનિવારે ભારતમાં પહેલી વખત એક જ દિવસમાં કોરોના વાયરસના 8,000થી વધારે કેસ સામે આવ્યા છે. છેલ્લા 10 દિવસમાં સાતમી વખત સૌથી વધારે કેસ નોંધાયા છે. 

દેશભરમાં શનિવારે 200 કોરોનાગ્રસ્ત દર્દીઓના મોત થયા હતા. અગાઉ શુક્રવારે 270 લોકોએ કોરોનનાને કારણે પોતાના જીવ ગુમાવ્યાા હતા. ભારતમાં શનિવાર રાત સુધી 1,78,823 કેસ નોંધાયા હતા. શનિવારે દેશભરમાંથી કુલ 8,023 નવા કેસ સામે આવ્યા હતા. 

મહારાષ્ટ્રમાં શનિવાર રાત સુધી કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા 65,168 હતી. રાજ્યમાં 34 હજારથી વધારે એક્ટિવ કેસ છે. ત્યાંજ ગુજરાતમાંથી શનિવારે 412 નવા કેસ સામે હતા. ત્યાંજ શનિવારે પશ્ચિમ બંગાળમાં 317, ઉત્તર પ્રદેશમાં 262, મધ્ય પ્રદેશમાં 246, બિહારમાં 208, હરિયાણામાં 202, કર્ણાટકમાં 141 અને આસામમાં 128 કેસ નોંધાયા હતા. જમ્મુ-કાશ્મીરમાં શનિવારે 177 નવા કેસ સામે આવ્યા હતા જેમાંથી 10 ગર્ભવતી મહિલાઓ છે. 

May 31, 2020
unlock.jpg
1min6420

ગૃહમંત્રાલયે લૉકડાઉન પૂરું કરી દીધું અને હવે અનલૉક 1ની ગાઈડલાઇન્સ (Unlock 1 Guidelines and rules) જાહેર કરી દીધી છે. આ અંતર્ગત કન્ટેન્મેન્ટ ઝોનની બહાર તબક્કાવાર છૂટછાટ આપવામાં આવશે, પણ હાલ કન્ટેન્મેન્ટ જોનમાં સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. જો કે, આવશ્ય વસ્તુઓ માટે પરવાનગી છે. અનલૉક 1ની આ ગાઈડલાઇન્સ 1 જૂનથી 30 જૂન માટે લાગૂ પાડવામાં આવી છે. તો જાણો શું છે લૉકડાઉન 5.0 નહીં પણ અનલૉક 1…

રાતનું કર્ફ્યૂ જળવાઈ રહેશે. જે જીવનાવશ્યક વસ્તુઓ છે, તેમની માટે કોઇ જ કર્ફ્યૂ નહીં હોય. રાતે 9 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી હવે નાઇટ કર્ફ્યૂ રહેશે. અત્યાર સુધી સાંજે 7થી સવારે 7 વાગ્યા સુધી હતું, સ્કૂલ-કૉલેજ અને શૈક્ષણિક સંસ્થાઓ શરૂ કરવા અંગે સરકાર પછીથી નિર્ણય લેશે.

મંદિર, મસ્જિદ, ગુરૂદ્વાર, ચર્ચમાં જઈ શકશો. કેટલાક રાજ્યોની ઇચ્છા છે કે મૉલ્સ પણ ખોલવામાં આવે તો તે પણ તબક્કાવાર શરૂ કરવામાં આવશે. સ્કૂલ-કૉલેજ બીજા ફેસમાં જુલાઇથી શરૂ કરવામાં આવી શકે છે. 8 જૂનથી રેસ્ટૉરન્ટ્સ અને હૉટેલ્સ પણ શરૂ થઈ શકશે. સોશિયલ ડિસ્ટેન્સિંગ અને માસ્ક કમ્પલસરી રહેશે. ધાર્મિક સ્થળો અને સલૂન શરૂ કરવામાં આવશે પણ કેટલીક શરતોનું પાલન કરવું જરૂરી રહેશે.

એકથી બીજા રાજ્યમાં જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો તે હટાવી દેવામાં આવ્યો છે. રાજ્યમાં પણ એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં લોકો આવાગમન કરી શકશે, પણ સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન આવશ્યક છે. ક્યાંય પણ આવવા કે જવા પહેલા કોઇપણ પ્રકારની પરવાનગી લેવાની જરૂર નહીં પડે.

હવે રાજ્ય સરકારને વધારે તાકાત આપવામાં આવી છે. રાજ્ય સરકાર નક્કી કરશે કે કેવી રીતે રાજ્યોમાં બસ અને મેટ્રો સેવાઓ શરૂ થશે. કેન્દ્ર સરકારે પ્રતિબંધ હટાવી દીધા છે, પણ રાજ્ય સરકાર પોતાના સ્તરે પ્રતિબંધ મૂકી શકે છે.

કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે એક ન્યૂઝ ચેનલ સાથે વાતચીત દરમિયાન પહેલા જ કહ્યું હતું કે લૉકડાઉન 5.0 ખૂબ જ સામાન્ય હશે. તેમણે જણાવ્યું કે, “આમાં અમુક જ વિસ્તારોમાં પ્રતિબંધ મૂકવામાં આવશે. અન્ય જનજીવન સામાન્ય કરી દેવામાં આવશે.” તેમણે જણાવ્યું કે હાલ જે પરિસ્થિતિ છે તે હંમેશાં નહીં રહે. લોકોને ઘણી હદે છૂટ આપવામાં આવી ચે અને હવે આશા છે કે સામાન્ય જીવન થશે.

May 30, 2020
pmmodi.jpg
1min4520

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની સરકારની બીજી ટર્મને એક વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે શનિવારે દેશવાસીઓને સંબોધતો એક ખુલ્લો પત્ર લખ્યો છે. પીએમ મોદીએ આ પત્રમાં દેશમાં પ્રવર્તેલી કોરોના વાયરસ મહામારીથી લઈને અર્થતંત્ર અંગેની વાત રજૂ કરી છે. આ ઉપરાંત પરપ્રાંતિય મજૂરોની વેદનાનો પણ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

સામાન્ય સ્થિતિમાં પીએમ મોદી લોકોની વચ્ચે હાજર રહીને પોતાની લાગણીઓ વ્યક્ત કરતા હોય છે પરંતુ તાજેતરમાં લોકડાઉનની સ્થિતિને પગલે તે શક્ય નહીં હોવાથી આ પત્ર લખ્યો હોવાની સ્પષ્ટતા વડાપ્રધાને કરી હતી.

છેલ્લા એક વર્ષમાં તેમની સરકારે લીધેલા ઔતિહાસિક પગલાંઓને લીધે દેશમાં ઝડપથી વિકાસ થયો હતો. જો કે તેમણે સ્વીકાર્યું કે હજુ પણ ઘણું કરવાનું છે અને દેશ સમક્ષ અનેક મુશ્કેલીઓ તેમજ પડકારો ઊભા છે.

પીએમ મોદીએ પત્રમાં કોરોના વાયરસ મહામારીનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, હું દિવસ-રાત કામ કરી રહ્યો છું. મારામાં કોઈ ત્રુટી હશે પરંતુ આપણા દેશમાં કોઈ જ નથી જણાતી. હું દેશવાસીઓમાં સંપૂર્ણ વિશ્વાસ ધરાવું છું, તમારી શક્તિ અને ક્ષમતામાં મને મારા કરતા પણ વધારે વિશ્વાસ છે. કોરોના વાયરસ સામેની જંગમાં દેશે જે એકતાના દર્શન કરાવ્યા છે તેનાથી વિશ્વના લોકો પણ અચંબિત થયા છે અને મને વિશ્વાસ છે કે આર્થિક પુનરુત્થાનામાં પણ તે એક દ્રષ્ટાંતરૂપ બની રહેશે.

એકતરફ વિરાટ આર્થિક સંશાધનો તેજ કુશળ હેલ્થકેર સિસ્ટમ ધરાવતી શક્તિઓ હતી, જ્યાં બીજીતરફ દેશમાં અન્ય મુશ્કેલીઓની સાથે વિશાળ વસ્તી તેમજ મર્યાદિત સંશાધનોનો પડકાર પણ હતો. ઘણા લોકોને લાગતું હતું કે ભારત કોરોનના વાયરસની લપેટમાં આવ્યા બાદ તે વિશ્વ માટે એક સમસ્યા બની રહેશે પરંતુ ભારતે વિશ્વના આ દ્રષ્ટિકોણને બદલી નાંખ્યો.

પીએમે પત્રમાં પરપ્રાંતિયો મજૂરો, કારીગરો તેમજ લઘુ ઉદ્યોગના કામદારો, ફેરિયાઓ સહિત તમામ લોકોને પડેલી મુશ્કેલીનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, આ મહામારીમાં દરેકને ઓછાવત્તા પ્રમાણમાં સહન કરવું પડ્યું છે. આપણે સૌએ એક થઈને તેમની મુશ્કેલીઓનો અંત લાવવાનો નિર્ધાર કર્યો છે.

વડાપ્રધાને દેશવાસીઓને જણાવ્યું હતું કે તેઓ ચુસ્તપણે નિયમો તેમજ માર્ગદર્શિકાનું પાલન કરે. અત્યાર સુધી જે પ્રકાશે સંયમ રાખ્યો છે તે આગળ પણ જાળવી રાખે. વિશ્વના અન્ય દેશોની તુલનાએ ભારત હાલમાં સુરક્ષીત છે તેથી જ તે એક સુરક્ષીત સ્થળ બન્યું છે. ભારત માટે કોરોના વાયરસનો જંગ ઘણો લાંબો છે પરંતુ તેના વિજયપથ પર આપણે મક્કમતાથી આગળ વધી રહ્યા છીએ અને આપણે આ જંગ જીતીને જ રહીશું.

કોરોના વાયરય પછીના વિશ્વમાં વૈશ્વિક અર્થવ્યવસ્થા કેવી હશે તે અગે ઘણી ચર્ચાઓ થઈ રહી છે. મોદીએ જણાવ્યું કે ભારતે પોતાની એકતાની તાકાતથી જે રીતે વિશ્વને ચોંકાવ્યું છે તે પ્રમાણે આર્થિક પુનરુત્થાનમાં પણ આપણે મિશાલ બનીશું, તેમ વડાપ્રધાને પત્રમાં જણાવ્યું હતું.

આત્મનિર્ભરતા અંગે તેમણે કહ્યું કે, આ સમયની માંગ છે. આપણે વ્યક્તિગત ક્ષમતાના બળે આગળ વધવું પડશે. આ માટે એક જ વિકલ્પ છે- આત્મનિર્ભર ભારત. તાજેતરમાં સરકારે જાહેર કરેલા 20 લાખ કરોના આર્થિક પેકેજથી આ દિશામાં મહત્વની મદદ મળી રહેશે.  આનાથી દરેક ભારતીય માટે એક નવી તક ઉભરશે. ખેડૂતો, કામદારો, નાના ઉદ્યોગસાહસિકો અને યુવાનો તેમજ સ્ટાર્ટ અપ્સને પણ તેનો લાભ મળશે.

મોદી સરકાર 2.0ની કામગીરીનો ઉલ્લેખ કરતા વડાપ્રધાને જણાવ્યું કે સંસદની ફળદ્રુપતામાં પણ વધારો થયો છે અને સંખ્યાબંધ ખરડાઓ પસાર કરાવવામાં આવ્યા હતા. મોદીએ જણાવ્યું કે આ ગાળામાં કલમ 370 નાબૂદ કરવામાં આવી જે દેશના એકતા તેમજ અખંડિતતા માટે મહત્વનો નિર્ણય હતો. આ ઉપરાંત રામ મંદિરનો ઐતિહાસિક ચુકાદો સુપ્રીમ કોર્ટે આપ્યો. તેમની સરકારે ટ્રિપલ તલાકના કાયદાને હટાવ્યો. આ ઉપરાંત નાગરિકતા સંશોધન કાયદો ભારતીયોની કરૂણા અને સમાવિષ્ટતાની ભાવનાનું ઉદાહરણ છે. સબકા સાથ સબકા વિકાસ તેમજ સબકા વિશ્વાસ સાથે દેશ તમામ ક્ષેત્ર આગળ વધી રહ્યો છે.