વિદેશી વેપારીઓ, આરોગ્ય ક્ષેત્રના નિષ્ણાંતો અને એન્જિનિયરોને ભારતમાં આવવા દેવામાં આવશે, એમ સરકારે બુધવારે જાહેર કર્યું હતું. માર્ચમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યો તે પછી આવું પ્રથમ વાર થઇ રહ્યું છે.
ભારત આવવાના લોંગ ટર્મ મલ્ટિપલ એન્ટ્રી બિઝનેસ વિઝા હોય તેમણે ભારતીય દૂતાવાસ પાસેથી તેમના વિઝા ફરી માન્ય કરાવવા પડશે. ગૃહ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે બિઝનેસ વિઝા પર આવનારા વિદેશી વેપારીઓ, આરોગ્ય ક્ષેત્રના નિષ્ણાતો, સંશોધકો, એન્જિનિયરો અને લૅબોરેટરી એન્જિનિયરોને ભારત આવવાની મંજૂરી આપવામાં આવશે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ વિદેશીઓએ નવો બિઝનેસ વિઝા અથવા ઍમ્પ્લોયમેન્ટ વિઝા સંબંધીત વિદેશી દૂતાવાસો પાસેથી લેવાનો રહેશે.
દરમિયાન કોરોનાના કુલ કેસ વધીને બુધવારે ૨૦૭૬૧૫ નોંધાયા હતા અને મૃત્યાંક વધીને ૫૮૧૫ થયો હતો. ૧૦૦૩૦૩ લોકો સારા થયા છે તેવું કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું હતું.
અરબી સમુદ્ર્ને છેલ્લા બે દિવસથી ઘમરોલી રહેલા વાવાઝોડા નિસર્ગે આખરે બપોરે બે વાગ્યાના અરસામાં મહારાષ્ટ્રના અલીબાગ ખાત લેન્ડફૉલ કર્યો હતો. નિસર્ગ’ ચક્રવાતી વાવાઝોડું મુંબઈ નજીકના અલીબાગના દરિયાકાંઠા પર ત્રાટક્યું છે. ત્યાં પવનની ગતિ પ્રતિ કલાક 120 કિ.મી.ની છે. મહારાષ્ટ્રના દરિયાકાંઠા પર નિસર્ગ વાવાઝોડું ત્રાટક્યું છે. વાવાઝોડાને પગલે દરિયાકાંઠે 5થી 6 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે.
હવામાન વિભાગે જણાવ્યું કે, આ વાવાઝોડાની સ્પીડ 110-120 કિમી પ્રતિ કલાક પહોંચી ગઇ છે. મુંબઈના વર્સોવા સહિતના વિસ્તારોમાં હાઇ ટાઇડ જોવા મળી રહી છે. તેમજ વાવાઝોડનાના કારણે હજુ પણ વધારે ઉંચા મોજા ઉછળશે તેવી ચેતવણી જારી કરવામાં આવી હતી. સાંજે દરિયામાં 6 ફૂટ ઊંચી લહેરો મુંબઇને ફરીથી પાણી પાણી કરી શકે છે.
નિસર્ગ વાવાઝોડના કારણે દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, સૂરત ઉપરાત દમણ, દાદરા અને નાગર હવેલીમાં પણ ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. મધ્યપ્રજેશના ભોપાલ, ઉજ્જૈન, ઈન્દોર, ગ્વાલિયર સંભાગના ઘણા જિલ્લા અને શહેરમાં ભારે અથવા અતિ ભારે વરસાદની આગાહી છે.
નિસર્ગ વાવાઝોડાની અસરોના ભાગરૂપે ગુજરાત અને મહારાષ્ટ્રનાં કેટલાક જિલ્લાઓમાં વરસાદ શરૂ થયો છે. ગુજરાતના પણ અનેક વિસ્તારોમાં વાવાઝોડાની અસરના પગલે દરિયા કિનારના વિસ્તારોને ખાલી કરાવવામાં આવ્યા છે.
ફક્ત આ એક જ લિંક ગમે ત્યારે ક્લીક કરો અને મળશે નિસર્ગ વાવાઝોડાના બધા જ અપડેટ
સવારે 10 કલાકે મહારાષ્ટ્રના રત્નાગીરી ખાતે 59 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાયો હોવાનું રેકોર્ડ કરવામાં આવ્યું હોવાની માહિતી ભારતના હવામન ખાતેએ ટ્વીટ કરીને આપી હતી.
Ratnagiri recorded 59 kmph at 09:30 IST. Gale wind reaching 60-70 kmph gusting to 80 kmph prevails along & off South Konkan coast & 50-60 kmph gusting to 70 kmph along & off North Konkan coast. It will become 100-110 kmph gusting to 120 kmph in the afternoon during landfall time. pic.twitter.com/WAUE1S9AfE
અરબી સમુદ્રમાં ઉદભવેલા નિસર્ગ સાઇક્લોનને આજે સવારે 11 કલાકે સેટેલાઇટથી ટ્રેસ કરવામાં આવ્યું હતું. ભારતના હવામાન ખાતેએ કરેલી લેટેસ્ટ ટ્વીટમાં માહિતી આપવામાં આવી હતી કે તા.3જી જૂન 2020ને બુધવારે સવારે 10.30 કલાકે નિસર્ગ વાવાઝોડું અલીબાગથી દક્ષિણ-પશ્ચિમે દરિયામાં 95 કિલોમીટર, મુંબઇથી 150 કિ.મી. દક્ષિણ પશ્ચિમે અને સૂરતથી 380 કિ.મી. દક્ષિણ પશ્ચિમે આગળ વધી રહ્યું છે. નિસર્ગ વાવાઝોડું આગામી ગણતરીના કલાકોમાં મહારાષ્ટ્રના તટવર્તીય વિસ્તારો તરફ લેન્ડફૉલ કરશે એમ મનાય રહ્યું છે.
SEVERE CYCLONE STORM “NISARGA” LAY CENTRED AT 1030 HRS IST OF TODAY, THE 03RD JUNE 2020, OVER EASTCENTRAL ARABIAN SEA NEAR LAT. 17.8°N AND LONG. 72.65°E, ABOUT • 95 KM SOUTH-SOUTHWEST OF ALIBAGH. • 150 KM SOUTH-SOUTHWEST OF MUMBAI. • 380 KM SOUTH-SOUTHWEST OF SURAT (GUJARAT)
ઉત્તર મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આજે તા.3 જૂનને સવારથી જ નિસર્ગ વાવાઝોડાની વધતી ઓછી અસરો વર્તાતી જોવા મળી રહી છે. અનેક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા તેમજ તેજ પવનોને પગલે લોકો વાવાઝોડું આવ્યાની અનૂભુતિ કરી રહ્યા છે. દક્ષિણ ગુજરાતમાં ઉમરગામથી લઇને દમણ દરિયા કિનારા સુધીના વિસ્તારોમાં એલર્ટ સિચુએશન જારી કરી દેવામાં આવી છે.
મહારાષ્ટ્રમાં રાયગઢના અલીબાગની નજીક આવેલા હરિહરેશ્વરથી લઈને દમણના દરિયાકિનારા સુધીના આખા પટ્ટાને એલર્ટ પર મુકી દેવામાં આવ્યા છે. ચક્રવાત નિસર્ગની અસર દેખાવવાનું શરૂ થઇ ગયું છે. મુંબઇ-થાણેમાં વરસાદ શરૂ થઇ ગયો છે. હવામાન વિભાગના અનુસાર સૌથી પહેલાં વાવાઝોડું અલીબાગમાં ટકરાશે. વાવાઝોડા નિસર્ગને જોતાં મહારાષ્ટ્રમાં એનડીઆરએફની 20 ટીમો ગોઠવી દેવામાં આવી છે.
આજે બુધવાર તા.3 જૂનના રોજ નિસર્ગ વાવાઝોડું ૧૦૦-૧૧૦ કિલોમીટરની ઝડપે કિનારા પર ત્રાટકે એવી શક્યતા છે, પરંતુ આ વાવાઝોડાને કારણે ૧૨૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.
@ 11.00 a.m. on 3 June 2020
દરીયામાં મુંબઈથી 190 કિમી દૂર છે વાવાઝોડું થોડા કલાકોમાં અલીબાગ લેન્ડફૉલ કરશે
તા.3 જૂનના રોજ સવારે મળેલી માહિતી મુજબ નિસર્ગ વાવાઝોડાનું સેન્ટર પોઇન્ટ મુંબઇથી દરીયામાં 190 કિ.મી. થી ઉતર પૂર્વ તરફ આગળ વધી રહેલું જોવા મળ્યું હતું. એવી આગાહી કરવામાં આવી છે કે થોડા કલાકોમાં આ વાવાઝોડું મહારાષ્ટ્રના અલીબાગ ખાતે લેન્ડફોલ કરશે.
એનડીઆરએએફની ટીમોએ આજે સવારે કોલિવાડા અને અલીબાગના વિસ્તારોમાંથી લોકોને ખસેડવામાં આવ્યા છે. એનડીઆરએફના ડાયરેક્ટર એસએન પ્રધાને જણાવ્યું કે વાવાઝોડું નિસર્ગના ખતરાને જોતાં લોકોને અહીંથી સુરક્ષિત સ્થળે ઘસેડવામાં આવ્યા હતા. મુંબઇમાં 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. આજે બપોરે વાવાઝોડું નિસર્ગ મુંબઇ પહોંચશે.
એ પૂર્વે નિસર્ગ વાવાઝોડું આગામી ૧૨ કલાકમાં અત્યંત તીવ્ર રૂપ ધારણ કરે એવી સંભાવનાઓને ધ્યાનમાં રાખીને રાજ્ય મહારાષ્ટ્રના પશ્ર્ચિમ અને ગુજરાતના દક્ષિણ કિનારાના વિસ્તારોમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
દરીયા કાંઠાના વિસ્તારોના લોકોનું સ્થળાંતર
સંભવિત અસરગ્રસ્ત જિલ્લાઓમાં સમાવિષ્ટ સુરત, નવસારી, વલસાડ અને ભરૂચ આ ચાર જિલ્લાઓમાં સ્થળાંતર અને બચાવની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે ત્યારે દરિયાકાંઠાના ગામોમાં કાચા ઝૂંપડાઓમાં વસતા નાગરિકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યાં છે. સુરત, નવસારી, વલસાડ અને ભરૂચ જિલ્લાના અંદાજે ૭૮,૯૭૧ નાગરિકોને સલામત સ્થળે સ્થળાંતરિત કરવામાં આવનાર છે તે પૈકી ૧૭૨૭ લોકોનું સ્થળાંતર કરી દેવાયું છે.
સૂરતમાં 32 ગામોને એલર્ટ
દમણ અને દક્ષિણ ગુજરાતમાં ત્રીજી જૂનના રોજ સાંજ અથવા રાત્રીથી અસર બતાવી રહ્યું છે. દક્ષિણ ગુજરાતનાં બંદરો પર ડીસી ૧ સિગ્નલ મૂકી દેવાયું છે. તો સાથે જ સુરત જિલ્લામાં ૩૨ ગામોને એલર્ટ કરાયા છે. જરૂર જણાશે તો સ્થળાંતર કરવામાં આવશે તેવું સ્થાનિક તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે. નવસારી જિલ્લામાં ૧૧૦થી ૧૨૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય શકે છે.
કલેક્ટર રાજકોટનું ટ્વીટ
“NISARGA” INTENSIFIED INTO A SEVERE CYCLONIC STORM AND LAY CENTRED AT 0530 HRS IST OF TODAY, THE 03RD JUNE 2020, NEAR LAT. 17.30°N AND LONG. 72.10°E, ABOUT: 165 KM SOUTH-SOUTHWEST OF ALIBAGH. 215 KM SOUTH-SOUTHWEST OF MUMBAI. 440 KM SOUTH-SOUTHWEST OF SURAT
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે વાવાઝોડાની સંભવિત અસર અંગે માહિતી મેળવી હતી. તેમણે એક સંદેશમાં કહ્યું હતું કે, ભારતના પશ્ર્ચિમ ક્ષેત્રમાં વાવાઝોડાની પરિસ્થિતિ અંંગેની માહિતી મેળવી હતી. સર્વની કુશળતા માટે પ્રાર્થના. સાવચેતીના અને તકેદારીના તમામ પગલાં ભરવા મારી લોકોને વિનંતી! આ અગાઉ સોમવારે સાંજે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે એનડીએમએ, એનડીઆરએફ, આઈએમડી અને ઈન્ડિયન કોસ્ટ ગાર્ડના ઉચ્ચ સ્તરીય અધિકારીઓ સાથે બેઠક કરી ચક્રવાત અંગેની તૈયારીઓની સમીક્ષા કરી હતી.
અરબી સમુદ્રમાં સર્જાયેલા હળવા દબાણનો પટ્ટો વધુ તીવ્ર બન્યો છે અને તેણે ચક્રવાતનું સ્વરૂપ ધારણ કરી લીધું છે, એમ જણાવતાં હવામાન ખાતાએ મંગળવારે કહ્યું હતું કે આજે આ ચક્રવાત ઉત્તર મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કિાનારા વિસ્તાર પાસેથી પસાર થશે.
દબાણનો પટ્ટો મંગળવારે બપોરે વધુ તીવ્ર બન્યો હતો અને ચક્રવાતનું સ્વરૂપ લીધું હોવાનું હવામાન ખાતાના ડિરેક્ટર જનરલ મૃત્યુંજય મોહાપાત્રાએ કહ્યું હતું.
દરમિયાન વેસ્ટર્ન નેવલ કમાન્ડે પાંચ ફ્લડ ટીમ અને ત્રણ ડાઈવિંગ ટીમ મુંબઈના વિવિધ વિસ્તારોમાં સ્ટેન્ડ બાય રાખી છે તેવું સંરક્ષણ વિભાગના પ્રવક્તાએ જણાવ્યું હતું. દરમિયાન વેપારી જહાજોને અને માછીમારોને નજીકના બંદરે પહોંચી જવા ઈન્ડિયન કોસ્ટગાર્ડે વિનંતી કરી હતી.
મંગળવાર રાત સુધીમાં આ વાવાઝોડું વિનાશક સ્વરૂપ ધારણ કરે તેવી શક્યતા હોવાનું તેમણે કહ્યું હતું.
આ વાવાઝોડાની મુંબઈ પર પણ અસર થશે એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે ડિપ્રેશન અને ડીપ ડીપ્રેશન વાવાઝોડું ચક્રવાતનું સ્વરૂપ ધારણ કરે તે પહેલાના બે તબક્કા છે.
મહારાષ્ટ્રના પશ્ચિમ કિનારા પર બુધવારે ત્રાટકનારા ’નિસર્ગ’ વાવાઝોડાને ધ્યાનમાં રાખીને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ)ની ૧૦ ટીમને બચાવ કાર્ય માટે નિયુક્ત કરવામાં આવી છે, એમ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ મંગળવારે જણાવ્યું હતું.
વાવાઝોડાને ધ્યાનમાં રાખીને સરકારે કરેલી તૈયારીઓની વિગત આપતાં મુખ્ય પ્રધાનની કચેરી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે મુંબઈ શહેર, ઉપનગરો, થાણે, પાલઘર, રાયગઢ, રત્નાગિરિ અને સિંધુદુર્ગ જિલ્લામાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કોરોના વાઈરસને ધ્યાનમાં રાખીને સાવચેતી વધારે રાખવામાં આવી રહી છે. કુલ ૧૬ એનડીઆરએફની ટુકડીમાંતી ૧૦ને બચાવ કાર્ય માટે નિયુક્ત કરવામાં આવી છે અને એસડીઆરએફની છ ટુકડીઓને રિઝર્વ રાખવામાં આવી છે. ઠાકરેની કચેરીએ જણાવ્યું હતું કે જે લોકો કાચા ઘરમાં રહે છે તેમને સુરક્ષિત સ્થળે ખસેડવાનું કામ ચાલી રહ્યું છે. આવી જ રીતે નોન-કોવિડ હોસ્પિટલોને સજ્જ રાખવામાં આવી રહી છે.
આધાર કાર્ડ પર ભારત, ડ્રાઇવિંગ લાયસન્સ પર Union of India અને પાસપોર્ટ પર Republic ?
જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
આજે તા.2 જુન 2020ના રોજ ટ્વીટર ઇન્ડીયા પર એક જોરદાર ટ્રેન્ડ ચાલ્યો છે અને એ ટ્રેન્ડ છે હેશટેગથી બાયબાય ઇન્ડીયા ઓન્લી ભારત સાથેની પોસ્ટનો. લાખો ટ્વીટ એટલા માટે કરવામાં આવ્યા છે કે હવે વિશ્વભરમાં ભારત ઇન્ડિયાથી નહીં પણ ભારતથી જ ઓળખાય. આ માટે સુપ્રીમ કોર્ટમાં પણ એક રીટ પીટીશન ફાઇલ થઇ ચૂકી છે અને એ પછી હવે સોશ્યલ મિડીયામાં ખાસ કરીને ટ્વીટર પર ટ્રેન્ડ ચાલ્યો છે કે આપણા દેશનું નામ દેશ અને દુનિયામાં ભારત જ રહે અને હવે પછી સમગ્ર વિશ્વમાં આપણો દેશ ભારતના નામથી જ ઓળખાય. લાખો લોકો નીચેના હેશટેગથી ટ્વીટ કરી રહ્યા છે.
ટ્વીટર પર ભારતના નામ અંગે બે હેશટેગથી લાખો ટ્વીટ થઇ રહ્યા છે
ByeByeIndiaOnlyBharat
તા.2 જૂન સાંજે પોણા પાચ વાગ્યા સુધીમાં ઉપરોક્ત હેશટેગથી અંદાજે 1.89 લાખ ટ્વીટ થઇ ચૂક્યા છે. ટ્વીટ કરનારા મોટા ભાગના ટ્વીટર હેન્ડલ યુઝર્સની માગણી છે કે આપણા દેશનું નામ ઇન્ડિયા નહીં પણ ભારત જ હોવું જોઇએ.
इंडियाहीभारत_है
ભારત નામ માટે મુહિમની તવારીખ
આપણા દેશનું નામ ભારત રહે એ માટે દિલ્હીના એક રહેવાસીએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે અને એ અપીલ બંધારણની કલમ 1 કે જેમાં ભારતના નામ અંગેની જોગવાઇ છે એમાં સુધારો કરવા સંદર્ભે છે. આજે તા.2 જુનના રોજ સુપ્રીમ કોર્ટમાં આ પીટીશનનું હિયરીંગ હાથ ધરાવાનું હતું પરંતુ, આજનું હિયરિંગ સંભવી શક્યું નથી.
યાચીકાકર્તાએ એવી દલીલ કરી છે કે અલગ અલગ ડોક્યુમેન્ટસ પર આપણા દેશનું નામ અલગ રીતે નવાજવામાં આવી રહ્યું છે જેમ કે
આધાર કાર્ડ પર ભારત સરકાર લખાય છે
ડ્રાઇવિંગ લાઇસન્સ પર યુનિયન ઓફ ઇન્ડિયા લખાય છે
પાસપોર્ટ પર રિપબ્લિક ઓફ ઇન્ડિયા લખાય છે
ઉપરોક્ત બાબતને કારણે ભારે મૂંઝવણભરી સ્થિતિ ઉદ્ભવે છે.
જે કલમમાં સુધારા માટે રીટ કરવામાં આવી છે એ બંધારણની કલમ 1
બંધારણના પહેલા ભાગમાં દેશના નામ, તેના રાજ્ય સરહદોની વ્યવસ્થા વગેરે વિશે જોગવાઈ કરવામાં આવી છે. તે કલમ 1થી 4 સુધીમા છે. કલમ 1 મુજબ, India કે જે ભારત છે તે રાજ્યો અને ક્ષેત્રોનો ક સંઘ હશે. એટલ અંગ્રેજીમાં દેશનું નામ India અને હિંદીમાં ભારત છે, એવું બંધારણ કહે છે. તો, આંતરાષ્ટ્રીય સ્તર પર અંગ્રેજીમાં Republic of India એટલે કે ભારત ગણરાજ્ય ચાલે છે. એટલે જ પાસપોર્ટ પર એ લખવામાં આવે છે.
भाजपा राष्ट्रीय अध्यक्ष श्री @JPNadda ने श्री आदेश कुमार गुप्ता को दिल्ली प्रदेश भारतीय जनता पार्टी का प्रदेश अध्यक्ष नियुक्त किया है। pic.twitter.com/pBgQ2XpaGv
ભાજપ સાંસદ અને એક્ટર મનોજ તિવારીને મોટો ઝટકો લાગ્યો છે. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ મનોજ તિવારીને હટાવી આદેશ ગુપ્તાને દિલ્હીના પ્રદેશ અધ્યક્ષ બનાવી દીધા છે. આની સાથે છત્તીસગઢના અધ્યક્ષ વિષ્ણુદેવ સાયને નિયુક્ત કરવામાં આવ્યા હોવાની સત્તાવાર ઘોષણાએ ભાજપમાં ચર્ચાઓ જગાડી છે.
भाजपा प्रदेश अध्यक्ष @BJP4Delhi के रूप में इस 3.6 साल के कार्यकाल में जो प्यार और सहयोग मिला उसके लिये सभी कार्यकर्ता,पदाधिकारी,व दिल्ली वासियों का सदैव आभारी रहूँगा.. जाने अनजाने कोई त्रुटि हुई हो तो क्षमा करना.. नये प्रदेश अध्यक्ष भाई @adeshguptabjp जी को असंख्य बधाइयाँ ???????? pic.twitter.com/nT8pyDCntt
આજે તા.2 જૂન મંગળવારે બપોરે 3.30 કલાકે ભારતીય શેરબજારના ઇન્ડેક્ષ સેન્સેક્સ મજબૂતી સાથે બંધ થયો હતો. સાર્વત્રિક લેવાલીથી મંગળવારે BSE બેન્ચમાર્ક સેન્સેક્સ 522 પોઈન્ટ્સ વધીને બંધ રહ્યો હતો. શેરબજારમાં સતત પાંચમાં સેશનમાં રેલી જોવા મળી હતી.
દિવસ દરમિયાન BSE સેન્સેક્સ ઉપરમાં 33,866.63 અને નીચામાં 33,301.29 પોઈન્ટ્સ વચ્ચે ટ્રેડ થયા બાદ 522.01 પોઈન્ટ્સ અથવા 1.57 ટકાના ઉછાળા સાથે 33,825.53 પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો.
નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી પણ ઉપરમાં 9,995.60 અને નીચામાં 9,824.05 પોઈન્ટ્સ વચ્ચે અથડાયા બાદ 152.95 પોઈન્ટ્સ અથવા 1.56 ટકા વધીને 9,979.10 પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો.
BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 1.20 ટકા અને 1.83 ટકા વધીને બંધ રહ્યા હતા.
આજે FMCGને બાદ કરતાં તમામ સેક્ટોરલ ઈન્ડાઈસિસ ગ્રીન ઝોનમાં બંધ રહ્યા હતા. આજે બપોરે રિયલ્ટી, બેન્ક, ફાઈનાન્સ, કન્ઝ્યુમર ડ્યુરેબ્સ અને કેપિટલ ગૂડ્ઝ શેરોમાં ધૂમ લેવાલી જોવા મળી હતી.
આજે વધીને બંધ રહેલા મુખ્ય શેરોમાં બજાજ ફાઈનાન્સ 8.64 ટકા, કોટક બેન્ક 7.56 ટકા, ઈન્ડસઈન્ડ બેન્ક 6.05 ટકા, HDFC 4.43 ટકા, પાવરગ્રીડ 3.46 ટકા, એક્સિસ બેન્ક 3.29 ટકા, ICICI બેન્ક 2.80 ટકા અને LT 1.86 ટકાનો સમાવેશ થાય છે.
આજે ઘટીને બંધ રહેલા મુખ્ય શેરોમાં મારુતિ 1.74 ટકા, ITC 1.69 ટકા, NTPC 1.23 ટકા, નેસ્લે ઈન્ડિયા 0.95 ટકા અને ભારતી એરટેલ 0.19 ટકાનો સમાવેશ થાય છે.
Deeply anguished at the loss of lives due to landslides triggered by incessant rain in Barak valley.
I have directed Cachar, Hailakandi & Karimganj district administrations and SDRF to step up rescue, relief operations and facilitate all possible help needed to those affected.
— Sarbananda Sonowal (@sarbanandsonwal) June 2, 2020
પૂર્વી ભારતના રાજ્ય આસામ રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદી માહોલને પગલે ભૂસ્ખલન જેવી હોનારત સર્જાતા વીસથી વધુ લોકોના મોત નિપજ્યા હોવાના અહેવાલો મળી રહ્યા છે. ભૂશ્ખલનમાં મૃત્યુ પામનાર લોકોમાંથી મોટા ભાગના લોકોમાં દક્ષિણી આસામના ત્રણ અલગ-અલગ જિલ્લાઓ કરીમગંજ, સિલ્ચર અને હિલાકાંડીના ત્રણ અલગ-અલગ પરિવારોના હતા. ભૂસ્ખલનની આ ઘટનાઓ આસામની બરાક ઘાટી વિસ્તારમાં ઘટી હતી.
આસામના મુખ્યમંત્રી સર્બાનંદ સોનવાલે ટ્વીટ કરીને કહ્યું ભૂસ્ખલનની ઘટના અને તેમાં મૃત્યુ પામનાર લોકોના મોત પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે જિલ્લા પ્રશાસન અને એસડીઆરફએફની ટીમને તાત્કાલીક ધોરણે રાહત બચાવ કામગીરી હાથ ધરવા માટેના આદેશ પણ આપ્યા.
વિમાનમાં વચ્ચેની સીટ ખાલી રહે તે રીતે બેઠકની ફાળવણી કરવાનું ડિરેક્ટોરેટ જનરલ ઑફ સિવિલ ઍવિયેશન (ડીજીસીએ)એ દેશની તમામ એરલાઈન્સને સોમવારે જણાવ્યું હતું.
પ્રવાસીઓની સંખ્યા વધુ હોવાને કારણે જો પ્રવાસીને વિમાનમાં વચલી સીટ ફાળવવામાં આવી હોય તો તેવા સંજોગોમાં તેમને ટૅક્સટાઈલ ખાતા દ્વારા મંજૂર કરવામાં આવેલા વ્રૅપ અરાઉન્ડ ગાઉન, ત્રિસ્તરીય ફૅસમાસ્ક સહિતના વધારાના સુરક્ષા ઉપકરણો પૂરા પાડવાનું ડીજીસીએ દ્વારા બહાર પાડવામાં આવેલા આદેશમાં જણાવવામાં આવ્યું હતું. કોરોના વાઈરસને કારણે જાહેર કરવામાં આવેલા લૉકડાઉનને કારણે બે મહિનાના સમયગાળા બાદ ભારતમાં પચીસમી મેથી ડૉમેસ્ટિક ફ્લાઈટ ફરી શરૂ કરવામાં આવી હતી. જોકે, આગામી સૂચના ન મળે ત્યાં સુધી આંતરરાષ્ટ્રીય વિમાનસેવા સ્થગિત રાખવામાં આવશે, એમ તેમણે કહ્યું હતું.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડું નહીં ટકરાય પરંતુ તેની અસરને કારણે દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. અરબી સમુદ્રમાં સર્જાયેલુ ડીપ ડિપ્રેશન આગામી 12 બાદ વાવાઝોડામાં ફેરવાઈ જશે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ 6 કલાક બાદ ડીપ ડિપ્રેશન સાયક્લોનમાં અને 12 કલાક બાદ ડીપ ડિપ્રેશન સીવિયર સાયક્લોનમાં પરિવર્તિત થશે. આવતીકાલે આ વાવાઝોડું દમણ અને મહારાષ્ટ્ર વચ્ચેથી પસાર થશે.આ સમય દરમિયાન પવનની ગતિ 100-110 કિમી પ્રતિકલાકની રહેશે.
હાલ આ ડીપ ડિપ્રેશન સુરતથી 670 કિલોમીટર દૂર છે અને 6 કલાકે 11 કિલોમીટરનું અંતર કાપી રહ્યું છે. સંભવિત વાવાઝોડાની અસરને પગલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 200થી વધુ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. તેમજ સુરતના ડુમસ, સુવાલી, ડભારી બીચ બંધ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત નવસારીનો ઉભરાટ બીચ પણ ખાલી કરાવવામાં આવ્યો છે.
ગુજરાતના ઉમરગામ દરિયા કિનારે એલર્ટ ઘોષિત
મહારાષ્ટ્રને કેવી રીતે ઘમરોળશે નિસર્ગ વાવાઝોડું
Deep Depression to intensify into Cyclonic Storm during next 6 hours. To cross north Maharashtra and adjoining south Gujarat coast between Harihareshwar and Daman, close to Alibag (Raigad District, Maharashtra) during the afternoon of 03rd June. https://t.co/rXRAo26pyFpic.twitter.com/lOJUD8FMFP
તા.2 જૂન સાંજે 4 કલાકની સ્થિતિ અને એ પછીનું પ્રોજેક્શન
સેટેલાઇટ ઇમેજ તા.2 જૂન બપોરે 2 કલાકે
Reported on 1st JUNE 2020
Symbolic Photo
2/3/4 જૂને ગુજરાતમાં વાવાઝોડું અને અતિભારે વરસાદની આગાહી
ભારતીય હવામાન વિભાગ (IMD)એ હાલ પશ્ચિમ ભારતને સ્પર્શતા અરબી સમુદ્રમાં ઉપસ્થિત થયેલી સાયક્લોનિક સિસ્ટમ અંગે આગાહી કરતા જણાવ્યું છે કે તા. 2, 3 અને 4 જૂન સુધીમાં વાવાઝોડું ઉત્તર મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા નજીક પહોંચે તેવી શક્યતા છે. જોકે વાવાઝોડાની દિશો બદલાય રહી હોવાથી આમા ફેરફાર થઇ શકે તેમ છે. હાલ જે વાવાઝોડાનું સંકટ તોળાય રહ્યું છે એ વાવાઝોડાને તા.1લી જૂને બપોરે 2 વાગ્યા સુધી કોઇ નામ આપવામાં આવ્યું નથી.
IMDના પ્રાદેશિક સેન્ટર દ્વારા ઉત્તર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના તમામ બંદરો પર ‘distant cautionary (DC)-1’ નંબરનું સિગ્નલ લગાવવા સૂચવાયું છે. આનું કારણ એ છે કે દરિયાકાંઠાના વિસ્તારોમાં 90-100 કિમીની ઝડપે પવન ફૂંકાશે જે 4 જૂન સુધી 110 કિમી પ્રતિકલાકની સ્પીડ સુધી પહોંચી શકે છે. જેથી દરિયો વધુ તોફાની બનવાની સંભાવનાઓ છે.
તા.4 જુન સુધીમાં ગુજરાતના મહત્તમ જિલ્લાઓમાં ભારે પવન સાથે ભારેથી અતિભારે વરસાદ પડશે. હવામાન વિભાગના અધિકારીએ જણાવ્યું કે, દક્ષિણ-પૂર્વ અને પૂર્વ-મધ્ય અરબી સમુદ્રમાં નીચા દબાણવાળા ક્ષેત્રમાં ઉત્તર દિશા તરફ આગળ વધ્યા બાદ વાવાઝોડું વધુ તીવ્ર બને તેવી સંભાવના છે. જેથી 3 અને 4 જૂને પૂર્વી સૌરાષ્ટ્ર અને દક્ષિણ તેમજ મધ્ય ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.
પ્રાદેશિક હવામાન કચેરીના ડિરેક્ટર શ્રી જયંત સરકારે પત્રકારોને જણાવ્યું હતું કે, 3 જૂનના રોજ વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને બોટાદ, દીવ, દમણ અને દાદરા નગર હવેલી ભારે પવન સાથે ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. આ ઉપરાંત 4 જૂને આગળ જણાવેલ જિલ્લાઓ સિવાય ડાંગ, તાપી, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ, ખેડા, આણંદ અને અમદાવાદમાં પણ ચક્રવાતી વાવાઝોડાને કારણે ભારેથી ભારેથી અતિ ભારે વરસાદ પડે તેવી સંભાવના છે. કેમ કે, આ વાવાઝોડાની રચના હજી થઈ નથી, તેથી વાવાઝોડું કોઈ સત્તાવાર નામ નથી.
બોલીવૂડ પણ કોરોના વાયરસની ઝપેટમાં આવી રહ્યું છે. બોલીવૂડના જાણીતા સિંગર વાજિદ ખાનનું નિધન થઈ ગયું છે. સાજિદ અને વાજિદની જોડી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ખૂબજ પ્રખ્યાત હતી. મીડિયા રિપોર્ટ્સ મુજબ તેઓ ઘણા લાંબ સમયથી કિડનીની બીમારીથી પીડાઈ રહ્યા હતા. કિડનીની સારવાર દરમિયાન જ્યારે તેમનો કોરોનાનો ટેસ્ટ કરાવવામાં આવ્યો તો તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. વાજિદની હોસ્પિટલમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા.
એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાએ વાજિદ ખાનના નિધન પર શોક વ્યક્ત કરતા ટ્વીટ કર્યું કે, આ ખૂબ જ દુ:ખદ સમાચાર છે. વાજિદ ભાઈના વિશે એક વાત જે મને હંમેશા યાદ રહેશે તે છે તેમનું સ્મિત. તેઓ હંમેશા હસતા રહેતા હતા. ખૂબ જ જલ્દી જતા રહ્યા. તેમના પરિવાર અને શોક વ્યક્ત કરનારા લોકોની પ્રતિ મારી સંવેદના. ભગવાના તમારી આત્માને શાંતિ આપે.
સાજિદ-વાજિદે સૌથી પહેલા 1998માં સલમાન ખાનની ફિલ્મ ‘પ્યાર કિયા તો ડરના કયા’ ફિલ્મ માટે મ્યુઝિક આપ્યુ હતું. ત્યારબાદ 199માં સોનૂ નિગમની આલ્બમ દીવાના માટે મ્યુઝિક આપ્યું હતું. આ ઉપરાંત તેમણે સલમાન ખાનની ફિલ્મ દંબગ, વોન્ટેડ, જય હો જેવી ફિલ્મોમાં પણ મ્યુઝિક આપ્યુ છે. સાજિદ-વાજિદ ઉત્તર પ્રદેશના સહરાનપુરના જાણીતા તબલાવાદક શરફત અલી ખાનના પુત્ર છે.
દેશમાં એક તરફ લૉકડાઉન-4માં વધારો કરવાની તૈયારીઓ સાથે જાણે એકાએક કોરોના વાઇરસનો બૉમ્બ ફૂટ્યો હોય એમ છેલ્લા ૨૪ કલાકમાં ૮૧૩૪ કેસ બહાર આવતાં હાહાકાર મચી ગયો છે. એની સાથે છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૨૬૫ દર્દીઓનાં મોત થયાં છે. કેસ અને મોતનો આંકડો અત્યાર સુધીમાં સૌથી વધારે છે. આવતી કાલે ૩૧ મેએ લૉકડાઉન-4ની મુદત પૂરી થઈ રહી છે અને નવી ગાઇડલાઇન સાથે લૉકડાઉન-5ની જાહેરાતની પૂર્વસંધ્યાએ જ કેસો અને મોતનો આંક ભયજનક માનવામાં આવી રહ્યો છે.
લૉકડાઉન ખૂલવાના સમયે જ કેસ વધારે બહાર આવતા હોવાની પણ એક પૅટર્ન જોવા મળી રહી છે. દર્દીઓના કેસમાં ભારત દુનિયાના ૯મા નંબરે પહોંચી ગયું છે. હાલમાં અમેરિકા પહેલા સ્થાને છે. એશિયામાં કોરોનાથી સૌથી વધારે સંક્રમિત દેશ તરીકે ભારતની ગણના કરવામાં આવી રહી છે. જોકે ભારતમાં કોરોના રિકવરી રેટ વધીને ૪૭ ટકા સધી પહોંચી ગયો છે. દરમ્યાનમાં લૉકડાઉન વચ્ચે બીજેપીએ આજે મોદી સરકાર 2.0ના એક વર્ષની ઉજવણી લૉકડાઉનના નિયમોના પાલન સાથે કરી હતી.
વૈશ્વિક મહામારી કોરોના વાઇરસને રોકવા માટે ૨૫ માર્ચે લાગુ કરાયેલા લૉકડાઉન-1 હવે લૉકડાઉન-5 એટલે કે પાંચમા તબક્કામાં પ્રવેશવાની તૈયારીમાં છે ત્યારે એકાએક કેસની સંખ્યા વધી જતાં સત્તાવાળાઓ પણ ચિંતામાં મુકાઈ ગયા છે. શું આ કમ્યુનિટી સંક્રમણનો અતિ ખતરનાક તબક્કો તો નથીને? એવો સવાલ પણ પુછાઈ રહ્યો છે. આ તબક્કો સૌથી ભયાનક અને ચરમસીમા સમાન મનાય છે, જેમાં કોઈને પણ કોરોનાનો ચેપ લાગી શકે છે.
સૂત્રોએ કહ્યું કે વધેલા કેસની સંખ્યા સાથે દેશભરમાં અત્યાર સુધી ૧,૭૩,૪૯૧ લોકો સંક્રમિત થયા છે અને ૪૯૮૦ લોકોનાં મોત થયાં છે. સાથે જ અત્યાર સુધી ૮૨,૬૨૭ દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે. ભારતમાં જોકે હવે કોરોનાની બીમારીમાંથી સ્વસ્થ્ય થનારા લોકોની સંખ્યા પણ ધીમે-ધીમે વધી રહી છે. ભારતમાં હવે કોરોના વાઇરસનો રિકવરી દર ૪૭ ટકા સુધી પહોંચી ગયો છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૧,૨૬૪ લોકો સાજા થયા છે. જે સ્વસ્થ્ય થનારા લોકોનો અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે. આ સાથે જ સાજા થનાર દર્દીઓનો આ આંકડો વધીને ૮૨,૩૬૯ સુધી પહોંચી ગયો છે. જોકે છેલ્લા ૨૪ કલાકમાં ૨૬૫ લોકોએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યા છે.
કોરોના વાઇરસની વૅક્સિન તૈયાર કરવા માટે હવે વધુ એક કંપનીએ વિશ્વને આશાનું કિરણ બતાવ્યું છે. વાયગ્રા જેવી દવાઓની શોધ કરનાર અમેરિકન ફાર્માસ્યુટિકલ કંપની ફાઇઝરે ચાલુ વર્ષ દરમ્યાન ઑક્ટોબર મહિનાના અંત સુધીમાં તેમની કોરોના વૅક્સિન બનીને તૈયાર થઈ જશે એવો દાવો કર્યો છે.
ફાઇઝરના સીઈઓ આલ્બર્ટ બુર્લાએ જણાવ્યું કે ‘જો બધું સરખી રીતે ચાલશે અને નસીબ સાથ આપશે તો ઑક્ટોબરના અંત સુધીમાં વૅક્સિન તૈયાર થઈ જશે. એક ગુણકારી અને સુરક્ષિત વૅક્સિન માટે તેઓ ભરપૂર પ્રયત્ન કરી રહ્યા છે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.