CIA ALERT

ઇન્ડીયા Archives - Page 112 of 215 - CIA Live

June 14, 2020
online-class-2.jpg
1min6540

કોરોના લોકડાઉનને કારણે બાળકોને સ્કૂલ મોકલવા શક્ય નથી ત્યારે સરકાર તરફથી ઓનલાઇન શિક્ષણ આપવાની પહેલ કરવામાં આવી છે, પરંતુ અંદાજે ૫૬ ટકા બાળકો પાસે સ્માર્ટફોન જ ન હોવાનું જાણવા મળ્યું હતું. સર્વેક્ષણમાં વિવિધ સ્કૂલના ૪૨,૮૩૧ વિદ્યાર્થીઓનો સમાવેશ કરાયો હતો.

બાળકોના અધિકાર માટે કાર્યકરતી બિનસરકારી સંસ્થા સ્માઇલ ફાઉન્ડેશન દ્વારા ‘સિનારિયો એમિડસ્ટ કોવિડ-૧૯-ઓનગ્રાઉન્ડ સિચ્યુએશન એન્ડ પોસિબલ સોલ્યુશન’ અભ્યાસ હાથ ધરાયો હતો. સર્વેક્ષણમાં જાણવા મળ્યું હતું કે ૪૩.૯૯ ટકા બાળકો સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે અને અન્ય ૪૩.૯૯ ટકા વિદ્યાર્થીઓને સ્માર્ટફોનનું બેઝિક જ્ઞાન છે, જ્યારે ૧૨.૦૨ ટકા બાળકો સ્માર્ટફોન વાપરી શકતા નથી. કુલ ૫૬ ટકા બાળકો પાસે સ્માર્ટફોન જ નથી. ‘ટેલિવિઝન અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે, કારણ કે ૬૮.૯૯ ટકા વિદ્યાર્થીઓને ટીવી જોવાનો શોખ છે, જ્યારે ૩૧.૦૧ ટકા બાળકોને આવો શોખ નથી. તેથી સ્માર્ટફોન દ્વારા ઓનલાઇન શિક્ષણ આપવું એ એકમાત્ર ઉકેલ રહ્યો નથી’, એમ સર્વેક્ષણમાં જણાવાયું હતું. 

June 14, 2020
coronaindia-1-1280x1044.jpg
1min5860

ભારતમાં કોવિડ-૧૯ના દરદીની સંખ્યા બે લાખનો આંક પાર કર્યાના માત્ર દસ દિવસ બાદ શનિવારે કુલ દરદીની સંખ્યા ત્રણ લાખને પાર કરી ગઇ હોવાની માહિતી સ્વાસ્થ્ય મંત્રાલયે આપી હતી.

શનિવારે સવારે ૮ વાગ્યા સુધીમાં કોરોના વાઇરસના ૧૧,૪૫૮ નવા કેસ નોંધાવા સાથે કુલ કેસ વધીને ૩,૦૮,૯૯૩ થયા હોવાની અને ૩૮૬ દર્દીનાં મૃત્યુ સાથે કુલ આંક વધીને ૮૮૮૪ પર પહોંચ્યો હતો.

ભારતમાં કોરોનાના પ્રથમ ૧૦૦ કેસમાંથી એક લાખ કેસ નોંધાતા ૬૪ દિવસ લાગ્યા હતા અને ત્યાર બાદ પંદર દિવસમાં કોરોનાના કેસ વધીને બે લાખની સપાટીએ પહોંચ્યા હતા. હવે માત્ર દસ દિવસમાં એક લાખ કેસ વધવા સાથે ભારત વિશ્ર્વના સૌથી વધુ કોરોનાના દર્દીઓવાળા દેશોની યાદીમાં ચોથા ક્રમાંકે પહોંચ્યો છે.

જોકે, મંત્રાલયના જણાવ્યા અનુસાર કોરોનાના કેસની સંખ્યા બમણી થવાનો સમયગાળો ૧૫.૪ દિવસથી વધીને ૧૭.૪ દિવસ થયો છે.

હાલ દેશમાં સક્રિય કેસોની સંખ્યા વધીને ૧,૪૫,૭૭૯ થઇ છે અને અત્યાર સુધીમાં કુલ ૧,૫૪,૩૨૯ વ્યક્તિ સાજી થઇ છે અને એક દર્દી અન્ય દેશમાં જતો રહ્યો છે. આ સાથે સાજા થનારા દરદીની ટકાવારી વધીને ૪૯.૯૦ ટકા થઇ છે.

કુલ નોંધાયેલા સક્રિય કેસમાં કેટલાક વિદેશી નાગરિકોનો સમાવેશ થાય છે.

June 13, 2020
petrol-diesel-1.jpg
1min5300

કોરોના સંકટથી ત્રસ્ત પ્રજાને માથે હવે પેટ્રોલ-ડીઝલના વધારાનો બેવડો માર સહન કરવો પડી રહ્યો છે. શનિવારે પેટ્રોલમાં લિટરદીઠ 59 પૈસા તેમજ ડીઝલમાં 58 પૈસાનો વધારો ઝીંકવામાં આવ્યો હતો. સળંગ સાત દિવસ સુધી પેટ્રોલ-ડીઝલમાં ભાવવધારો ઝિંકવામાં આવતા સપ્તાહમાં પેટ્રોલ રૂ. 3.98 તેમજ ડીઝલ રૂ.4 મોઘું થયું છે.  

દેશમાં 82 દિવસ સુધી ઈંધણના ભાવમાં કોઈ બદલાવ નહીં થયા બાદ તેલ કંપનીઓ દ્વારા સળંગ સાતમાં દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. દિલ્હીમાં પેટ્રોલનો ભાવ વધીને લિટરે રૂ. 75.16 જ્યારે ડીઝલનો ભાવ રૂ. 73.39 થયો છે.  

માર્ચના મધ્યમાં કેન્દ્ર સરકારે પેટ્રોલ ડીઝલ ઉપરના એક્સાઈઝ દરમાં વધારો કરવામાં આવ્યા બાદ ઈંધણના દરમાં વધારો સ્થગિત કરાયો હતો. ઓઈલ કંપનીઓ ઈન્ડિયન ઓઈલ કોર્પ, ભારત પેટ્રોલિયમ કોર્પ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પ દ્વારા એક્સાઈઝ ડ્યુટીમાં વધારો ગ્રાહકો પર લાદવાને બદલે તેને વહન કરી રહ્યા હતા. આંતરાષ્ટ્રીય ક્રૂડ ઓઈલના ભાવમાં ફેરફારને પગલે કંપનીઓ ઈંધણના ભાવ પોતાની રીતે નિયંત્રીત કરી શકે છે.

June 13, 2020
rain_forecast.png
1min8600

ગુજરાતમાં સતત વરસી રહેલા મેઘરાજાએ છેલ્લા 24 કલાકથી જૂનાગઢ અને ગીર સોમનાથ પર હેત વરસાવાનું શરૂ કર્યું છે.

સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, પોરબંદર, જૂનાગઢ અને ગીરસોમનાથ સહિતના જિલ્લાઓમાં મેઘમહેર થતા ખેડૂતોએ વાવણી શરૂ કરી દીધી છે. શુક્રવારની સવાર સુધી બોટાદ અને અમરેલી જિલ્લામાં પણ એક થી બે ઇંચ પાણી વરસ્યું હતું. રાજ્યમાં છેલ્લા પાંચ દિવસથી વિવિધ વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ વરસી રહ્યો છે. નોંધાઈ રહ્યો છે.

સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્ર પંથકમાં પડી રહ્યો છે. 24 કલાકમાં રાજ્યના 53 તાલુકામા હળવાથી ભારે વરસાદ વરસ્યો છે. જેમાં જૂનાગઢના માળિયામાં અઢી ઇંચ, બોટાદના ગઢડામાં અઢી અને પોરબંદરના કુતિયાણાના બે ઇંચ વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત 10 તાલુકામાં એક થી અઢી ઇંચ સુધી વરસાદ નોંધાયો હતો. જૂનાગઢના માળિયા , બોટાદના ગઢડા, પોરબંદરના કુતિયાણા, ગીર-સોમનાથના તલાલા, જૂનાગઢના મેંદરડા, પોરબંદરના રાણાવાવ, જૂનાગઢ ના માણાવદર, ગીર-સોમનાથના ગીર-ગઢડા, અને અમરેલીના વડિયામાં એક થી અઢી ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો.

આ ઉપરાંત સુરતના ચોર્યાસીમાં પણ એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. અમરેલી, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, ગીર-સોમનાથ, જામનગર, જૂનાગઢ, પોરબંદર અને રાજકોટ જિલ્લાના અનેક તાલુકામાં હળવાથી ભારે વરસાદ નોંધાયો હતો. સોરઠ પંથકમાં મેઘમહેર થતાં ખેડુતોએ વાવણી કાર્યનાં શ્રીગણેશ કર્યા છે. એક થી ત્રણ ઇંચ સુધી વરસાદ પડ્યો હતો. માળિયા, મેંદરડા, શાપુર માણાવદર, વિસાવદરમાં ધોધમાર વરસાદ પડયો હતો. સુરત, નવસારી અને વલસાડમાં વરસાદ નોંધાયો છે. કચ્છના માંડવી અને મુંદ્રામાં ઝાપટાં પડ્યા છે.

June 13, 2020
gst.jpg
1min6010

જીએસટી (ગુડ્સ ઍન્ડ સર્વિસીઝ ટેક્સ) કાઉન્સિલની શુક્રવારે મળેલી બેઠકમાં જીએસટી રિટર્ન્સ ફાઇલિંગના વિલંબ કરનારાઓ માટે મોટી રાહતની જાહેરાત કરવામાં આવી હતી.

પાંચ કરોડ રૂપિયા સુધીનું ટર્નઓવર ધરાવતા નાના કરદાતાઓએ ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ મહિનાના જીએસટી રિટર્ન્સ મોડા ભર્યા હશે તો એના પર તેમણે અડધું એટલે કે 9 ટકા વ્યાજ ભરવું પડશે. જીએસટી કાઉન્સિલે શુક્રવારે આવા કરદાતાઓ માટેના આ વ્યાજના દરને 18 ટકાથી અડધોઅડધ ઘટાડીને 9 ટકા કરી નાખ્યો હતો. જોકે, તેમના આ રિટર્ન્સ સપ્ટેમ્બર 2020 સુધીમાં નોંધાઈ ગયા હોવા જોઈશે.

એ ઉપરાંત, મે તેમ જ જૂન અને જુલાઈ માટેના રિટર્ન્સ નોંધાવવા માટેની આખરી તારીખ (કોઈ પણ વ્યાજ કે લેટ-ફી વગર) સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવી છે.

‘જે રજિસ્ટર્ડ એન્ટિટીઓએ જુલાઈ 2017થી જાન્યુઆરી 2020 વચ્ચેની શૂન્ય જવાબદારી સાથેના જીએસટી રિટર્ન્સ મોડેથી નોંધાવ્યા હશે તેમની પાસેથી કંઈ પણ લેટ-ફી નહીં લેવામાં આવે’, એવું પણ નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે જણાવ્યું હતું.

કાઉન્સિલની મિટિંગ બાદ પત્રકારોને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે અન્યો માટેના માસિક સેલ્સ રિટર્ન ન નોંધાવવા વિશેની લેટ-ફી જુલાઈ 2017થી જાન્યુઆરી 2020ના સમયગાળા માટે ઘટાડીને મહત્તમ 500 રૂપિયા કરવામાં આવી છે.

આડકતરા વેરા સંબંધિત નિર્ણયો લેતી સર્વોત્તમ સંસ્થા જીએસટી કાઉન્સિલમાં શુક્રવારે કૉવિડ-19ની મહામારીની પડેલી અસર બાબતમાં ચર્ચા થઈ હતી, એવું કહીને સીતારમણે ઉમેર્યું હતું કે ‘કાઉન્સિલની મિટિંગમાં જીએસટીની આવકને ઇન્વર્ટેડ ડ્યૂટીના માળખાની થયેલી વિપરીત અસર બાબતમાં ચર્ચા થઈ હતી. પગરખાં, ખાતર અને ટેક્સટાઇલ્સમાં જકાતના દરમાં સુધારો કરવા સંબંધમાં પણ પૅનલ વિચારે છે. પાન મસાલા પરના કરવેરા વિશે જીએસટી કાઉન્સિલની આગામી રાબેતામુજબની બેઠકમાં ચર્ચા થશે એવી આશા છે.

દરમિયાન, રાજ્યની વળતરની જરૂરિયાતોના મુદ્દે ખાસ ચર્ચા કરવા જુલાઈમાં વિશિષ્ટ બેઠક યોજાવાની છે.

June 12, 2020
world.jpg
1min6610

કોરોના વાઈરસના વધી રહેલા કેસોની ચિંતા વચ્ચે ગઈકાલે વોલસ્ટ્રીટ અને ક્રૂડના ભાવમાં ઘટાડા બાદ આજે તા.12મી જુનને શુક્રવારે સવારે એશિયાના અન્ય બજારોની જેમ ભારતીય શેરબજારના ઇન્ડેસીસ પણ લૉઅર ગેપમાં ખૂલ્યા બાદ વધુ ગગડયા હતા.

તા.12મી જુનને સવારે ભારતીય સેન્સેક્સ 900 પોઈન્ટ્સ ઘટીને ટ્રેડ થઈ રહ્યો હતો. પ્રારંભિક સેશનમાં જ શેરબજારમાં સાર્વત્રિક વેચવાલી જોવા મળી હતી. તમામ સેક્ટોરલ ઈન્ડાઈસિસ સવારે રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતા. બેન્ક, ફાઈનાન્સ, પાવર, રિયલ્ટી, ઓટો, કેપિટલ ગૂડ્ઝ, IT, ટેકનો શેરોમાં આક્રમક વેચવાલી જોવા મળી હતી.

સવારે 9.30 વાગ્યે BSE સેન્સેક્સ 786.13 પોઈન્ટ્સ અથવા 2.34 ટકાના ઘટાડા સાથે 32,752.24 પોઈન્ટ્સની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી પણ આજે સવારે 219.05 પોઈન્ટ્સ અથવા 2.21 ટકાના જંગી કડાકા સાથે 9,862.95 પોઈન્ટ્સની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો.

BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 2.12 ટકા અને 2.66 ટકા ઘટીને ટ્રેડ થઈ રહ્યા હતા.

આજે સવારે ઘટીને ટ્રેડ થઈ રહેલા મુખ્ય શેરોમાં ઈન્ડસઈન્ડ બેન્ક 5.61 ટકા, ONGC 4.60 ટકા, કોટક બેન્ક 4.02 ટકા, NTPC 3.67 ટકા, એક્સિસ બેન્ક 3.05 ટકા, ICICI બેન્ક 3.00 ટકાનો સમાવેશ થાય છે.

આજે સવારે વધીને ટ્રેડ થઈ રહેલા મુખ્ય શેરોમાં સન ફાર્મા 0.50 ટકાનો સમાવેશ થાય છે.

આજે સવારે જાપાનનો નિક્કાઈ 1.22 ટકા, ઓસ્ટ્રેલિયા શેરબજાર 1.74 ટકા, ચીન શેરબજાર 0.67 ટકા ઘટીને ટ્રે઼ડ થઈ રહ્યા હતા. ગુરુવારે અમેરિકાના શેર્સ ઈન્ડાઈસિસ 5 ટકા ઘટીને બંધ રહ્યા હતા.

June 11, 2020
online-class-1.jpg
1min14220

સમગ્ર દેશમાં કોવીડ-19ને કારણે ઉદભવેલી સ્થિતિમાં 2020-21નું શૈક્ષણિક વર્ષ શરૂ થઇ ચૂક્યું છે અને ફિઝિકલ ક્લાસીસ શક્ય ન હોઇ, સમગ્ર દેશમાં હાલ શાળાકીય શિક્ષણ ઓનલાઇન કે ટેલિવિઝન મારફતે શરૂ કરાવવામાં આવી રહ્યું છે. પરંતુ, કર્ણાટક સરકારે બાળમંદિરો તેમજ ધો.1થી 5માં કોઇપણ પ્રકારના ઓનલાઇન ક્લાસીસ પર પ્રતિબંધ લાદી દીધો છે. કર્ણાટક સરકારે જણાવ્યું છે કે રાજ્યમાં કોઇપણ બોર્ડ સાથે સંલગ્ન કોઇપણ શાળાઓ ધો.5 સુધીના બાળકોને ઓનલાઇન એજ્યુકેશન આપી શકશે નહીં.

આ પહેલા નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ એન્ડ ન્યૂરોસાયન્સએ સબમીટ કરેલી રિપોર્ટમાં જણાવ્યું હતું કે આવા વર્ચ્યુઅલ ક્લાસ 6 વર્ષથી નાની ઉંમરના બાળકો માટે સારા નથી.

કર્ણાટકના પ્રાઈમરી એન્ડ સેકન્ડરી શિક્ષણ મંત્રી એસ. સુરેશ કુમારે જણાવ્યું હતું કે ‘પ્રી-પ્રાઈમરી અને પ્રાઈમરી (પાંચમાં ધોરણ સુધી) ક્લાસ ઓનલાઈન ન લેવા જોઈએ. આવા ક્લાસને ક્લાસરૂમ અભ્યાસની બદલી શકાતા નથી અને તેનાથી બાળકોની ઉંમર માનસિક સ્વાસ્થયને નુકસાનકર્તા નિવડી શકે છે.

પ્રાઈવેટ સ્કૂલો ઓનલાઈન ભણાવવા માટે કોઈ ફી નહીં લઈ શકે. જોકે પહેલાથી રેકોર્ડ કરેલા ક્લાસ ચલાવવાની મંજૂરી છે. બેંગલુરુમાં શિક્ષા એક્સપર્ટ્સ સાથેની મીટિંગ બાદ સુરેશ કુમારે સ્પષ્ટતા કરી હતી કે, આ દરમિયાન ધોરણ 6 થી 10 સુધીના ઓનલાઈન ક્લાસ ચલાવવા માટે મંજૂરી આપવામાં આવી છે.

Latest on This Web

June 11, 2020
vodaidea.jpg
1min5530

ટેલિકોમ કંપનીઓની એડ્જસ્ટેડ ગ્રોસ રેવન્યૂ (એજીઆર)ના કેસમાં સુપ્રીમ કોર્ટમાં આજે તા.11મી જુનને ગુરુવારે સુનાવણી હાથ ધરાવાની સુપ્રીમ કોર્ટની સૂચનાના આધાર પર ટેલિકોમ શેર્સની નું ભાવી નક્કી થશે. ખાસ કરીને વોડા આઇડિયા માટે આજનો સુપ્રીમ કોર્ટનો નિર્ણય મહત્ત્વનો રહેશે જેનો શેર છેલ્લા એક મહિનામાં બમણાથી વધારે વધ્યો છે.

સુનાવણીમાં સરકારની વિનંતી પણ સામેલ કરી શકાય છે જેણે ટેલિકોમ કંપનીઓને ચુકવણી માટે 20 વર્ષનો સમય આપવાની માંગણી કરી છે. એનાલિસ્ટ્સે કહ્યું કે કોર્ટ કંપનીઓને વહેલી ચુકવણી કરવા જણાવશે તો આ શેરમાં આવેલી તેજી અટકી જશે.

એજીઆરની ચુકવણી માટે 15-20 વર્ષ કરતાં ઓછો સમય મળશે તો તેમની પાસે 4G માટે મૂડીખર્ચ કરવા નાણાં નહીં બચે. તેથી માર્કેટ શેર પર અસર પડશે કારણ કે રોકાણ નહીં વધારાય તો માર્કેટ હિસ્સો ઘટશે.

ટેલિકોમ ઓપરેટર વોડાઆઇડિયાએ સરકારને એજીઆર પેટે ₹58,254 કરોડની ચુકવણી કરવાની છે જેમાંથી હજુ સુધી માત્ર ₹6,854 કરોડ ચૂકવાયા છે. બુધવારે આ શેર 7.34 ટકા વધીને ₹10.82 બંધ આવ્યો હતો. એક મહિના પહેલાં ₹4.58નો ભાવ હતો. તેની તુલનામાં શેર 136 ટકા વધ્યો છે. તેની સરખામણીમાં છેલ્લા એક મહિનામાં ભારતી એરટેલના શેરમાં છ ટકાનો વધારો થયો છે.

વોડાઆઇડિયાના શેરમાં તેજી એવા સમયે આવી છે જ્યારે ડિલિવરી વોલ્યુમ ઘટ્યું છે. એટલે કે લાંબા ગાળાના રોકાણકારોને તેના ઋણના સ્તર અને એજીઆરની બાકી નીકળતી રકમ અંગે શંકા છે.

ઇટીઆઇજી ડેટાબેઝ દ્વારા એકત્ર કરાયેલા ડેટા પ્રમાણે છેલ્લા એક સપ્તાહમાં ડિલિવરી વોલ્યુમની ટકાવારી 23 ટકાની નજીક હતી જ્યારે છેલ્લા એક મહિનામાં 26.9 ટકા હતી. તે ત્રણ મહિનાના સરેરાશ ડિલિવરી વોલ્યુમ 28.6 ટકા અને છ મહિનાના સરેરાશ ડિલિવરી વોલ્યુમ 28.54 ટકાની નજીક છે.

આ કાઉન્ટરમાં સટ્ટાકીટ પ્રવૃત્તિ દર્શાવે છે. ટેલિકોમ સેક્ટર સારું દેખાય છે અને શેર વધી રહ્યો છે કારણ કે બીજી ટેલિકોમ કંપનીઓ વધી રહી છે. વધુ રેલી આવે તો વોડાફોનનો શેર વેચવો જોઈએ.

લાંબા ગાળાના રોકાણકારોને એજીઆર અને રિપેમેન્ટના મુદ્દે સ્પષ્ટતાની જરૂર છે. કંપની ચાલુ રહે તે માટે એજીઆરની ચુકવણીમાં તેને ઓછામાં ઓછાં 15 વર્ષનો સમયગાળો મળવો જોઈએ.

June 11, 2020
coronaindia-1-1280x1044.jpg
1min7110

છેલ્લા 24 કલાક દરમિયાન વધતાં કોરોના પેશન્ટની સંખ્યામાં રેકૉર્ડ વધારા પછી ભારતમાં કોરોનાવાયરસ પીડિતોની કુલ સંખ્યા ત્રણ લાખ નજીક પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધારે 10,956 નવા કેસ સામે આવ્યા છે, અને એક દિવસમાં સૌથી વધારે 396 મૃત્યુ પામ્યા છે. ભારતમાં કુલ દર્દીઓની સંખ્યા 2,97,535 થઈ ગયો છે, જેમાંથી 1,47,195 લોકો સ્વસ્થ થઈને ઘરે પાછા ગયા છે, જેને કારણે ભારતમાં રિકવરી રેટ 49.47 ટકા પહોંચી ગયો છે. આ સમયે દેશમાં કુલ 1,41,842 સક્રિય COVID-19 કેસ છે, અને ભારતમાં અત્યાર સુધી 8,498 લોકો COVID-19ને કારણે પોતાની જીવ ગુમાવી ચૂક્યા છે.

આની સાથે જ ભારતમાં કોરોના વાયરસને કારણે સૌથી વધારે પ્રભાવિત દેશોની સૂચીમાં બ્રિટેનને પાછળ મૂકીને ભારત ચોથા નંબરે પહોંચી ગયો છે. ભારત હવે રશિયા, બ્રાઝીલ અને અમેરિકાની પાછળ છે. અમેરિકામાં સૌથી વધારે 20 લાખ કેસ છે, તો તેના પછી બ્રાઝીલમાં સાડાસાત લાખ કેસ છે. જ્યારે ત્રીજા નંબરે રશિયમાં 4 લાખ 93 હજારથી વધારે કેસ છે.

મહારાષ્ટ્રમાં કુલ કેસ
મહારાષ્ટ્રની વાત કરીએ તો માત્ર મહારાષ્ટ્રમાં કુલ 97,648 કેસ પૉઝિટીવ આવ્યા છે જેમાં છેલ્લા 24 કલાકમાં 3607 કેસ નવા છે. હાલ 47980 કેસ સક્રિય છે અને 46078 દર્દીઓ સ્વસ્થ થઈને પાછાં ઘરે ગયા છે. જ્યારે મહારાષ્ટ્રમાં 152 લોકો છેલ્લા 24 કલાકમાં મૃત્યુ પામ્યા છે અને આ સાથે જ મહારાષ્ટ્રમાં મરણાંક 3590 પહોંચ્યો છે.

નોંધનીય છે કે ગુરુવારે કેન્દ્ર સરકારે જણાવ્યું કે દેશમાં ચોક્ક્સ રીતે કૉમ્યુનિટી ટ્રાન્સમિશન નથી થઈ રહ્યું. ભારતીય કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચના મહાનિદેશક બલરામ ભાર્ગવે કહ્યું કે, “અહીં સુધી કે ભારત WHOની કોમ્યુનિટી સ્પ્રેડની વ્યાખ્યા પણ નથી.” તેમણે કહ્યું કે ભારતમાં કૉમ્યુનિટી ટ્રાન્સમિશન નથી થઈ રહ્યું. શબ્દ ‘કૉમ્યુનિટી સ્પ્રેડ’ને લઈને ઘણા વિવાદની સ્થિતિ છે.

India : 10 June : વધુ 10,911 કેસ : કુલ 2,87,025 કેસ : 8,105નાં મોત

કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે બુધવારે અત્યાર સુધીના એક દિવસમાં નોંધાયેલા કોરોના કેસનો નવો રેકોર્ડ બન્યો છે.

10 June બુધવારે નોંધાયેલા નવા 10,911 કેસ સાથે દેશમાં કોરોના વાયરસનો કુલ આંકડો 2,87,025 પર પહોંચ્યો છે. આ સાથે કુલ 356 લોકોના મોત નોંધાયા છે, જેની સાથે કુલ મૃત્યુનો આંકડો 8,000ને પાર કરીને 8,105 પર પહોંચ્યો છે.

દિલ્હીમાં બુધવારે વધુ 1,501 કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યના કુલ કેસનો આંકડો 32,810 થયો છે. જ્યારે કુલ મૃત્યુઆંક 984 થયો છે. દિલ્હીમાં આ બીજીવાર બન્યું છે જ્યારે એક દિવસમાં 1,500 કરતા વધારે કેસ નોંધાયા છે. નવા 191 કેસ સાથે તેંગાણામાં 4000 કરતા વધારે કેસ થઈ ગયા છે, અને વધુ 8ના મોત સાથે કુલ મૃત્યુઆંક 156 થયો છે.

ગુજરાતમાં બુધવારે 510 કેસ નોંધવાના કારણે કુલ કેસનો આંકડો 21,553 પર પહોંચી ગયો છે. રાજ્યમાં કુલ 1347 લોકોના મોત થઈ ગયા છે. રાજ્યમાં સૌથી વધારે અમદાવાદમાં 15,305 કેસ છે.

મહારાષ્ટ્ર રાજ્યમાં દેશના સૌથી વધારે કોરોના કેસ નોંધાયેલા છે જ્યાં વધુ 3,254 કેસ સાથે કુલ આંકડો 94,041 પર પહોંચી ગયો છે. જ્યારે નવા 149 મોત સાથે કુલ મૃત્યુઆંક 3,438 થયો છે. રાજ્યમાં 44,500 કોરોનાથી પીડાતા દર્દીઓ સ્વસ્થ થઈને પોતાના ઘરે પરત ફર્યા છે.


June 11, 2020
mumbai-1.jpeg
1min5830

ભારતમાં વધી રહેલા કેસો વચ્ચે સૌથી વધુ પ્રભાવિત રાજ્ય મહારાષ્ટ્રમાં એક દિવસના સૌથી વધુ રેકોર્ડ કેસ સામે આવ્યા છે. બુધવારે મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણના 3254 નવા કેસ સામે આવ્યા છે. આ વધારા સાથે મહારાષ્ટ્રમાં કુલ કોરોના દર્દીઓની સંખ્યા વધીને 94,041 થઇ ગઇ છે. બુધવારના રોજ મહારાષ્ટ્રનો કોરોનાથી મૃત્યુદર પણ ઊંચો રહ્યો હતો, અહી વિતેલા 24 કલાક દરમિયાન 149 દર્દીઓ દમ તોડી ચૂક્યા છે. 

મહારાષ્ટ્રનો કુલ મૃત્યુઆંક પણ વધીને 3438 છે. આ બધા વચ્ચે બુધવારે મહારાષ્ટ્રમાંથી 1879 દર્દીઓ સારવાર મેળવી કોરોનામુક્ત થયા હતા. જે પછી મહારાષ્ટ્રમાં કુલ રિકવર થયેલા લોકોની સંખ્યા વધીને 44,517 થઇ છે. 

ભારતના અન્ય રાજ્યો, પ્રદેશો પણ કોરોનાની પકડમાં આવી ચૂક્યા છે, રાજધાની દિલ્હીમાં પણ મહારાષ્ટ્રની જેમ જ કોરોના દર્દીઓનો આંકડો વધી રહ્યો છે. બુધવારે દિલ્હીમાંથી એક દિવસના અત્યાર સુધીના સૌથી વધુ 1501 નવા કેસ સામે આવ્યા છે, જ્યારે 48 લોકોના મોત થયા છે. દિલ્હીમાં કોરોના સંક્રમણના કુલ કેસ વધીને 32,810 થયા છે અને મૃત્યુઆંક 984 છે.