ઇન્ડીયા Archives - Page 108 of 215 - CIA Live

July 5, 2020
breaking_CIA-1280x831.jpg
1min4940

વંદે ભારત મિશન અંતર્ગત અમેરીકામાં હાલ કોવીડ-19ની સૌથી માઠી અસર વચ્ચે ફસાયેલા ભારતીયોને સ્વદેશ પરત લાવવા માટે એર ઇન્ડિયાએ ભારત સરકારની સૂચનાથી લોંચ કરેલા વંદે ભારત મિશન અંતર્ગત આગામી તા.11 જુલાઇથી 19 જુલાઇ વચ્ચે કુલ 36 ફ્લાઇટ્સ અમેરિકાથી ભારત ઉડાડશે.

અમેરીકામાં ચીકાગો, સાન ફ્રાન્સિસ્કો અને ન્યુયોર્ક એરપોર્ટથી ભારત પરત ફરવા અંગેની ફ્લાઇટ્સના બુકિંગ તા.6 જુલાઇ 2020ના રોજ જુદાજુદા સમયે શરૂ કરવામાં આવશે. આ તમામ ફ્લાઇટ્સના બુકિંગ એર ઇન્ડિયાની વેબસાઇટ્સ પરથી કરી શકાશે.

રવિવારે તા.5મી જુલાઇએ એર ઇન્ડિયાએ ટ્વીટર હેન્ડલ પરથી આ મહત્વની જાહેરાત કરી હતી.

July 5, 2020
rain-1280x720.jpg
1min5580
Mumbai : A woman crosses the road during rains in Mumbai on Monday. PTI Photo (PTI7_17_2017_000340B)

મહારાષ્ટ્રમાં સતત ત્રીજા દિવસે મુંબઈ, ઠાણે અને કોંકણ ક્ષેત્રમાં મેઘકૃપા યથાવત્ રહી છે જેને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. મુંબઈમાં રવિવારે સવારથી મેઘો મંડાતા શહેરજનો ખુશખુશાલ થઈ ગયા હતા. હવામાન વિભાગે આગામી 24 કલાક સુધી શહેર તેમજ પરાં વિસ્તારોમાં ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ પણ આપ્યું છે. રાજ્યોના છૂટાછવાયા ભાગોમાં અતિ ભારે વરસાદ પડવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે.

ભારે વરસાદને પગલે મધ્ય મુંબઈના હિન્દમાતા વિસ્તાર તેમજ પૂર્વનો પરા વિસ્તાર ચેમ્બુર પાણીમાં ગરક થઈ ગયો છે. દક્ષિણ મુંબઈના કાબામાં રવિવાર સવાર સુધીમાં 129.5 એમએમ વરસાદ પડ્યો હતો. જ્યારે સાંતાક્રુઝમાં પણ 200.8 એમએમ વરસાદ નોંધાયો હતો.

મુંબઈ નજીક આવેલા ઠાણે અને સિંધુદુર્ગ સહિત આસપાસના કોંકણ વિસ્તારમાં ભાર વિરસાદ પડ્યો હોવાના અહેવાલ છે. વિદર્ભમાં પણ મેઘ મહેર થતા ગ્રામ્ય વિસ્તારના લોકોમાં હર્ષની લાગણી જોવા મળી રહી છે. શનિવારે મુંબઈ શહેરમાં ભારે વરસાદને પગલે ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. આ ઉપરાંત ભારે પવનને પગલે 19 જેટલા સ્થળે ઝાડ પડવાના બનાવ બન્યા હોવાનું બૃહમુંબઈ મ્યુનિ. કોર્પોરેશને જણાવ્યું હતું.

સૌરાષ્ટ્રમાં સતત બીજા દિવસે વરસાદ: ગીર સોમનાથ અને અમરેલીમાં પૂરબહાર

ગુજરાતમાં બે દિવસથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં પાંચ થી છ ઇંચ જેટલો વરસાદ વરસી રહ્યો છે. ગીર સોમનાથમાં સતત બીજા દિવસે મેઘરાજાની સવારી જારી રહી હતી તેમજ કોડીનારમાં આજે સવાર પુરા થતા છેલ્લા ૨૪ કલાકમાં છ ઇંચ વરસાદ વરસ્યા બાદ આજે બપોર સુધીમાં બે કલાકમાં દોઢ ઈંચ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત અમરેલી અને દ્વારકામાં પણ જોરદાર ઝાપટાં ચાલુ રહ્યાં હતાં.

રાજ્યમાં આ વર્ષે જૂન મહિનામાં વરસાદે ધમાકેદાર શરૂઆત કરી હતી. પરંતુ બાદમાં અમુક જ વિસ્તારોમાં વરસાદ થયો હતો. ગત ૨૩મી જૂન સુધી રાજ્યમાં સરેરાશ ૧૭ ટકા જેટલો વરસાદ પડી ગયો હતો. ૪થી જુલાઇ સુધી સરેરાશ વરસાદની ટકાવારી ૧૬.૮૭ ટકા છે. શુક્રવારે કોડીનારમાં ૬ ઇંચ, અમરેલીના જાફરાબાદમાં ૩.૫ ઇંચ, વાડીયામાં ૨.૫ ઇંચ, બાબરામાં બે ઇંચ, નર્મદાના ડેડીયાપાડામાં બે ઇંચ વરસાદ થયો હતો. છેલ્લા ૧૦ દિવસમાં માત્ર ૨ ટકા સરેરાશ વરસાદ જ થયો છે. અત્યાર સુધી ૧૦૧ તાલુકાઓમાં બેથી ૫ ઈંચ સુધી, ૧૦૩ તાલુકાઓમાં ૫થી ૧૦ ઈંચ સુધી, ૧૮ તાલુકાઓમાં ૧૦ ઈંચથી વધારે જ્યારે ૨૯ તાલુકાઓમાં બે ઇંચથી પણ ઓછો વરસાદ ્છે. છેલ્લા ૫ વર્ષમાં આ જૂન ૨૩ તારીખ સુધીનો આ સૌથી વધુ વરસાદ હતો. ગત વર્ષે પણ આ સમય સુધી ૧૬ ટકા જેટલો વરસાદ જ થયો હતો.


July 4, 2020
penumbral-eclipse-1593172380.jpg
2min5900

આવતીકાલ તા.5 જુલાઇને રવિવારે ખગોળીય તખ્તા પર ચાલુ વર્ષનું ત્રીજું ચંદ્ર ગ્રહણ આકાર પામશે. રવિવાર તા.5મી જુલાઇએ ગુરૂપૂર્ણિમા અવસર છે જે ભારતમાં રંગેચંગે ઉજવાશે પરંતુ, ચંદ્ર ગ્રહણ ભારતમાં દેખાવાનું નથી આથી વિધ્વાનો, પંડિતોએ રવિવારના ચંદ્ર ગ્રહણ દરમિયાન સૂતકના નિયમો માનવા ભાવિકોને ના પાડી છે. ચંદ્ર ગ્રહણ ભારતીય સમય અનુસાર સવારે 8 વાગીને 37 મિનિટે શરૂ થશે અને 11 વાગીને 22 મિનિટે પૂરું થશે.

5 જુલાઇ રવિવારે ચાલુ વર્ષનું ત્રીજું ચંદ્ર ગ્રહણ લાગવાનું છે. એક મહિનાની અંદર આવતું આ ત્રીજું ગ્રહણ છે. આ ગ્રહણ વાસ્તવિક ચંદ્ર ગ્રહણ ન થતાં એક ઉપછાયા ચંદ્ર ગ્રહણ હશે. ઉપછાયા ચંદ્ર ગ્રહણને ધાર્મિક રીતે વધારે માન્યતા આપવામાં નથી આવતી. 5 જુલાઇના લાગનારું આ ઉપછાયા ચંદ્ર ગ્રહણ સવારે 8 વાગ્યે 37 મિનિટે શરૂ થશે જે 11 વાગીને 22 મિનિટે પૂરું થશે.

ભારતમાં નહીં દેખાય ચંદ્રગ્રહણ

તા.5મી જુલાઇનું ચંદ્રગ્રહણ ભારતમાં નહીં દેખાય. આ ચંદ્ર ગ્રહણ અમેરિકા, દક્ષિણ-પશ્ચિમ યૂરોપ અને આફ્રિકાના અમુક ભાગમાં દેખાશે. આ ગ્રહણ ભારતમાં નહીં જોવા મળે. ગ્રહણ કાળમાં ચંદ્ર ક્યાંયથી પણ કપાયેલું નહીં પણ સંપૂર્ણ આકારમાં દેખાશે. ગ્રહણ કાળ દરમિયાન ચંદ્રમાઁ ધનુ રાશિમાં હશે.

5 જુલાઇના લાગનારું આ ગ્રહણ ઉપછાયા ચંદ્ર ગ્રહણ હશે. શાસ્ત્રોમાં ઉપછાયા ચંદ્ર ગ્રહણને ગ્રહણ માનવામાં નથી આવતું, તેથી આ દિવસે કોઇપણ કાર્ય પર પ્રતિબંધ પણ નહીં હોય. જો કે, જ્યોતિષવિદ કેટલીક સાવચેતીઓ રાખવાની સલાહ આપે છે. આ ગ્રહણ ધનુ રાશિમાં પૂર્વાષાઠા નક્ષત્ર દરમિયાન, શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિના લાગશે. ખાસ વાત એ છે કે આ દિવસે ગુરૂપૂર્ણિમા પણ છે. આ ઉપછાયા ચંદ્રગ્રહણને ધનુર્ધારી ચંદ્રગ્રહણ પણ કહેવામાં આવે છે.

5 જુલાઇના લાગનારું ચંદ્ર ગ્રહણ એક મહિનામાં લાગનારું ત્રીજું ગ્રહણ હશે. 5 જૂનના ચંદ્ર ગ્રહણ હતું, 21 જૂને સૂર્ય ગ્રહણ હતું અને હવે ફરી 5 જુલાઇના ચંદ્ર ગ્રહણ લાગવાનું છે.

ચંદ્ર ગ્રહણ સવારે 8 વાગીને 37 મિનિટે શરૂ થશે અને 11 વાગીને 22 મિનિટે પૂરું થશે

उपच्छाया चंद्र ग्रहण की शुरुआत 5 जून की रात 11 बजकर 16 मिनट से हो जायेगी और इसकी समाप्ति 6 जून की रात 2 बजकर 32 मिनट के करीब होगी। जबकि रात 12 बजकर 54 मिनट पर ये ग्रहण अपने पूर्ण प्रभाव में होगा।

चंद्र ग्रहण भी सूर्य ग्रहण की तरह ही एक खगोलीय घटना है। वैज्ञानिक रूप से ये जितना महत्वपूर्ण माना गया है उतना ही महत्वपूर्ण ये धार्मिक व ज्योतिषीय दृष्टि से भी है। चंद्रमा पर धरती की छाया पड़ने से चंद्र ग्रहण लगता है। लेकिन 5 जून को लगने वाला ग्रहण उपच्छाया चंद्र ग्रहण होगा। ये ग्रहण भारत, यूरोप, अफ्रीक, एशिया और ऑस्ट्रेलिया में दिखाई देग। उपच्छाया चंद्र ग्रहण होने के कारण सूतक काल का प्रभाव कम रहेगा। ज्योतिष में उपच्छाया को ग्रहण का दर्जा नहीं दिया गया है। जिस कारण इसका सूतक काल भी नहीं माना जाता। ये ग्रहण वृश्चिक राशि और ज्येष्ठा नक्षत्र में लगने जा रहा है। जो भारत में भी दिखाई देगा। जानिए इस ग्रहण के बारे में पूरी डिटेल…

ग्रहण का समय: उपच्छाया चंद्र ग्रहण की शुरुआत 5 जून की रात 11 बजकर 16 मिनट से हो जायेगी और इसकी समाप्ति 6 जून 2.32 AM के करीब होगी। जबकि रात 12 बजकर 54 मिनट पर ये ग्रहण अपने पूर्ण प्रभाव में होगा। चंद्र ग्रहण का सूतक ग्रहण लगने से 9 घंटे पहले शुरू हो जाता है।

चंद्र ग्रहण और उपच्छाया चंद्र ग्रहण में अंतर? इससे पहले इसी साल 10 जनवरी को भी उपच्छाया चंद्र ग्रहण लगा था और अब 5 जून को ज्येष्ठ पूर्णिमा के दिन लगने वाला ग्रहण भी ऐसा ही होगा। चंद्र ग्रहण तब माना जाता है जब पृथ्वी सूर्य और चंद्रमा के बीच में आ जाती है और धरती की पूर्ण या आंशिक छाया चांद पर पड़ती है। इससे चांद का बिंब काला पड़ जाता है। इसे खुली आंखों से देखा जा सकता है।

तो वहीं उपच्छाया चंद्र ग्रहण देखने में सामान्य पूर्णिमा के चांद की तरह ही नजर आएगा। जिसमें अंतर कर पाना मुश्किल होगा। बता दें कि ग्रहण लगने से पहले चंद्रमा पृथ्वी की उपच्छाया में प्रवेश करता है जिसे चंद्र मालिन्य कहते हैं अंग्रेजी में इसको (Penumbra) कहते हैं। इसके बाद चांद पृथ्वी की वास्तविक छाया यानी भूभा (Umbra) में प्रवेश करता है। जब ऐसा होता है तब ही वास्तविक ग्रहण होता है। लेकिन कई बार चंद्रमा धरती की उपच्छाया में प्रवेश करके बिना भूभा में जाए ही बाहर निकल कर आ जाता है। इसलिए उपच्छाया के समय चंद्रमा का बिंब केवल धुंधला पड़ता है, काला नहीं। इस धुंधलापन को सामान्य रूप से देखा भी नहीं जा सकता है। इसलिए चंद्र मालिन्य मात्र होने की वजह से ही इसे उपछाया चंद्र ग्रहण कहते हैं ना कि चंद्र ग्रहण।


July 4, 2020
home-isolation-1280x768.jpg
1min4790

મોટી સંખ્યામાં લોકોને કોરોનાના લક્ષણો જોવા મળતા નથી એની નોંધ લઇને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ગુરુવારે અસિમ્પ્ટોમિક પોઝિટિવ દર્દીઓને હળવા અથવા પ્રિ-સિમ્પ્ટોમિક કોરોના ચેપના કેસોની સૂચિમાં સમાવવા માટે હોમ આઇસોલેશનની માર્ગદર્શિકામાં સુધારો કર્યો છે.

હવેથી હોમ આઇસોલેશનના દર્દીઓને લક્ષણોની શરૂઆતના દસ દિવસ પછી અને ત્રણ દિવસ સુધી તાવ ન આવે તે પછી ડિસ્ચાર્જ આપવામાં આવશે. ત્યાર બાદ તેમને સાત દિવસ હોમ આઇસોલેશનમાં રહેવાની સલાહ આપવામાં આવશે. હોમ આઇસોલેશન બાદ ટેસ્ટિંગની જરૂર નથી.

દેશમાં ઝડપથી ફેલાઈ રહેલા કોરોનાના રોગચાળાને કાબૂમાં લેવા આરોગ્ય મંત્રાલય દ્વારા સમયાંતરે વિવિધ જાહેરાત કરાય છે. આ ઉપરાંત દરેક રાજ્ય પાસેથી મળતા કોરોના વાઈરસના દર્દીઓની સંખ્યા અંગે પણ નોંધ રખાય છે. અમુક રાજ્ય દર્દીઓની સંખ્યા ઘણી મોડી જણાવતા હોવાની ફરિયાદ થઈ રહી છે.

July 3, 2020
modi_inleh.jpg
1min4800

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે સવારે અચાનક લદ્દાખના લેહની મુલાકાતે પહોંચ્યા છે. વડાપ્રધાનની આ મુલાકાત જાણકારી ખૂબ જ ઓછા લોકોને હતી. શુક્રવારે સવારે જ્યારે તેઓ લેહ પહોંચ્યા ત્યારે જ લોકોને આ અંગે જાણ થઈ. મોદીના આગમન અગાઉ તે લોકોને ફક્ત એટલી જ જાણકારી હતી કે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) બિપિન રાવત જ લેહ આવી રહ્યા છે.


July 2, 2020
neet.jpg
2min7440

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

વિદ્યાર્થીઓના અનુરોધ અને વિરોધ બાદ જેઈઈ મેઈન અને નીટની પરીક્ષાને સ્થગિત કરી દેવાઈ છે. આ બંનેની પરીક્ષાઓ હવે સપ્ટેમ્બરમાં લેવામાં આવશે. માનવ સંસાધન વિકાસ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે ટ્વિટ કરી આ જાણકરી આપી.

પોખરિયાલે ટ્વિટ કરી લખ્યું કે, ‘વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખતા અને ગુણવત્તાપૂર્ણ શિક્ષણ સુનિશ્ચિત કરવા માટે અમે #JEE અને #NEET પરીક્ષાઓને સ્થિગિત કરવાનો નિર્ણય લીધો છે. JEEની પરીક્ષા 1થી 6 સપ્ટેમ્બર વચ્ચે આયોજિત કરાશે. JEE એડવાન્સ્ડની પરીક્ષા 27 સપ્ટેમ્બર અને NEETની પરીક્ષા 13 સપ્ટેમ્બરે આયોજિત કરાશે.’

Dated 1 July 2020

NEET-JEE અંગે બે દિવસમાં ફેંસલો : ઘણુંખરું પરીક્ષાની તારીખ બદલાવાની સંભાવના

દેશભરના 25 લાખ જેટલા વિદ્યાર્થીઓ જેની કાગડોળે વાટ જોઇ રહ્યા છે એ એન્જિનિયરિંગની નેશનલ ટેસ્ટ જેઇઇ મેઇન્સ અને મેડીકલ ડેન્ટલની નેશનલ એન્ટ્રન્સ નીટ પરીક્ષા ચાલુ જુલાઇ દરમિયાન લેવી કે નહીં લેવી એ અંગે કેન્દ્ર સરકારે નેશનલ ટેસ્ટિંગ એજન્સી પાસેથી ભલામણો મંગાવી છે અને આગામી એકાદ બે દિવસમાં નીટ અને જેઇઇ મેઇન્સ પરીક્ષા લેવી કે નહીં તે અંગેની સત્તાવાર જાણકારી સાર્વજનિક કરવામાં આવશે એમ દેશના શિક્ષણ પ્રધાન શ્રી રમેશચંદ્ર પોખરીયાલે આજે જણાવ્યું હતું.

તેમણે ટ્વીટર, ફેસબુક પર પોતાના હેન્ડલ પર નીટ અને જેઇઇ અંગે આ મુજબની સ્પષ્ટતા મૂકી છે.

HRD Minister on Twitter (Dt. 7.2)

HRD Minister on Facebook (Dt 7.2)

NEET और JEE

मौजूदा परिस्थितियों एवं NEET और JEE परीक्षाओं में उपस्थित होने वाले छात्रों और उनके माता-पिता / अभिभावकों से प्राप्त निवेदन को देखते हुए, डीजी एनटीए एवं अन्य विशेषज्ञों से मिलकर बनी समिति को सलाह दी है कि वे स्थिति की समीक्षा करें और इन परीक्षाओं के बारे में कल तक एमएचआरडी को अपनी सिफारिशें प्रस्तुत करें

Dr.Ramesh Pokhriyal Nishank यांनी वर पोस्ट केले गुरुवार, २ जुलै, २०२०

દેશમાં મોટા ભાગની પરીક્ષાઓ મુલતવી રાખી દેવાઇ છે, નીટ જેઇઇમાં પણ આવું જ થવાની શક્યતા

ભારતમાં મહારાષ્ટ્ર, દિલ્હી, ગુજરાત, તમિલનાડુ જેવા રાજ્યોમાં કોવીડ-19ના કેસોની વધી રહેલી સંખ્યા ઉપરાંત સમગ્ર ભારતભરમાં હાલ સરેરાશ 18-19 હજાર દૈનિક કેસો આવી રહ્યા હોઇ, આવી સ્થિતિમાં આગામી તા.18થી 24 જુલાઇ દરમિયાન જેઇઇ મેઇન્સ, અને 26 જુલાઇએ નીટ રાષ્ટ્રવ્યાપી ધોરણે લેવાની ઘોષણા કરવામાં આવી હતી. પરંતુ, હવે દેશની વર્તમાન સ્થિતિ જોતા આ પરીક્ષા યોજી શકાય તેવી સ્થિતિ ન હોઇ, વધુ એક વખત પરીક્ષા મુલતવી રાખીને ભવિષ્યમાં નવી તારીખોનું એલાન કરવામાં આવે તેવી શક્યતા છે.

Latest on CiA Live

July 2, 2020
corona-1.jpg
2min4520

દેશમાં કોરોના વાયરસ બેકાબુ થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 24 હજારથી વધારે કેસ નોંધાયા છે. આ સાથે જ દેશમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા 6,73,165 પર પહોંચી ગઈ છે. 

સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, દેશમાં છેલ્લા 24 કલાકમાં 24,850 નવા કેસ સામે આવ્યા છે. આ ઉપરાંત કોરોનાને કારણે 613 લોકોના મોત થયા છે જેને કારણે હવે મૃત્યુઆંક વધીને 19,268 પર પહોંચી ગયો છે. 

દેશમાં કોરોના વાયરસનો રિકવરી રેટ 60.77 ટકા પર પહોંચી ગયો છે જે એક રાહતના સમાચાર છે. આ જીવલેણ વાયરસથી સાજા થનારા લોકોની સંખ્યા વધીને 4,09,083 પર પહોંચી ગઈ છે. 

ઈન્ડિયન મેડિકલ રિસર્ચ કાઉન્સિલ (આઈસીએમઆર)ના જણાવ્યા મુજબ, 4 જુલાઈના રોજ 2,48,934 લોકોની ટેસ્ટિંગ કરવામાં આવી હતી. દેશમાં અત્યાર સુધી 97,89,066 લોકોના ટેસ્ટ કરાયા છે. 

4 July India Corona Outbreak : 24 કલાકમાં કોરોનાના 20,903 કેસ

દુનિયાભરના તમામ દેશોની સાથે-સાથે ભારતમાં પણ કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે તેવી જ રીતે હવે કોરોનાથી સ્વસ્થ્ય થનારા લોકોની સંખ્યા પણ દિવસેને દિવસે વધી રહી છે. બે મહિનાના સખત લોકડાઉન બાદ તેમાં આપવામાં આવેલી છૂટછાટ બાદ કોરોનાનો કહેર દિવસેને દિવસે ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે શનિવારના રોજ દેશમાં કોરોના વાયરસના કુલ કેસ વધીને 648315 સુધી પહોંચી ગયા છે. છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના 22771 નવા કેસ નોંધાયા છે.

જોકે, એક સારી બાબત એ પણ છે કે ભારતમાં ધીમે ધીમે કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ્ય થનારા લોકોની સંખ્યા પણ વધી રહી છે. ભારતમાં હવે કોરોના વાયરસનો રિકવરી રેટ 60.80 ટકા સુધી પહોંચી ગયો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 14335 લોકો સ્વસ્થ્ય થયા છે. આ સાથે જ આ આંકડો વધીને 394227 સુધી પહોંચી ગયો છે જે કોરોનાના એક્ટીવ કેસ કરતા વધારે થઈ ગઈ છે.

જ્યારે છેલ્લા 24 કલાકમાં 442 લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. આ સાથે જ કોરોના વાયરસના કારણે મોતને ભેટનાર લોકોની સંખ્યા વધીને 18655 સુધી પહોંચી ગઈ છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે શનિવાર સવાર સુધીમાં દેશભરમાં કોરોના વાયરસના 235433 એક્ટિવ કેસ છે.

મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ 192990 કેસ નોંધાયા છે જ્યારે 8376 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. મહારાષ્ટ્ર બાદ તમિલનાડૂમાં કોરોના વાયરસના સૌથી વધારે કેસ નોંધાયા છે. તમિલનાડૂમાં અત્યાર સુધીમાં કુલ 102721 કેસ નોંધાઈ ચૂક્યા છે જેમાંથી 1385 લોકો કાળનો કોળિયો બની ગયા છે. ત્યારબાદ દિલ્હીમાં 94695 કેસ નોંધાયા છે જ્યારે 2864 લોકોએ જીવ ગુમાવ્યા છે. ગુજરાતમાં 34688 લોકો સંક્રમણમાં આવ્યા છે 1906 લોકોના મોત થયા છે.

દુનિયાભરમાં કોરોના વાયરસના અત્યાર સુધીમાં 11072276 કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાંથી 525119 લોકોના મોત નિપજ્યા છે જ્યારે 5863682 લોકો સ્વસ્થ્ય થવામાં સફળ થયા છે. સમગ્ર દુનિયામાં અત્યારે 4683475 કેસ એક્ટિવ છે. ભારત દેશમાં સતત વધી રહેલા કેસના કારણે દુનિયામાં સૌથી વધારે કેસ ધરાવતા દેશોની યાદીમાં ચોથા ક્રમાંક પર છે.

2 જુલાઇના એક જ દિવસમાં 22000 કેસો

ભારતમાં કોરોના વાયરસના કારણે થતા મોતનો આંકડો ગુરુવારે 18,000ને પાર થઈ ગયો, આ સાથે નવા પોઝિટિવ કેસના આંકડામાં જબરજસ્ત ઉછાળો આવ્યો છે. દેશમાં 22,000 કરતા પણ વધારે નવા કેસ નોંધાયા છે, એટલે કે 27મીએ નોંધાયેલા 20,060 કરતા 2000 વધુ કેસ સામે આવ્યા છે. ગુરુવારે મહારાષ્ટ્રમાં સૌથી વધુ 6,330 કેસ નોંધાયા, આ પછી તામિલનાડુમાં 4,343, કર્ણાટકામાં 1,502 અને તેલંગાણામાં 1,213 કેસ નોંધાયા છે.

આ સિવાયના રાજ્યોની વાત કરીએ તો આંધ્રપ્રદેશમાં 845, ઉત્તરપ્રદેશમાં 817, ગુજરાતમાં 681 અને બિહારમાં 478 કેસ નોંધાયા છે. જ્યારે પશ્ચિમ બંગાળમાં વધુ 646 અને આસામમાં 408 કેસ નોંધાયા છે.

કોરોના વાયરસના કારણે દેશમાં મૃત્યુઆંક 17,000ને પાર કર્યાના બે દિવસમાં આંકડો 18,000 થઆ ગયો છે, ગુરુવારે 379 લોકોના કોરોના વાયરસના કારણે મોત થયા. લગભગ 3000 જેટલા (2,917) લોકોએ પાછલા સાત દિવસમાં કોરોના વાયરસના કારણે જીવ ગુમાવ્યો છે.

Dated 1 July 24 કલાકમાં 19,148 નવા કેસ : 434ના મોત

દેશમાં કોરોના વાયરસ બેકાબુ થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમમાં દેશમાં 19,148 નવા કેસ સામે આવ્યા છે. ત્યાંજ આ જીવલેણ બીમારીને કારણે એક જ દિવસમાં 434 દર્દીઓના મોત થઈ ગયા છે. ભારતમાં કોરોના વાયરસના કેસની કુલ સંખ્યા 6,04,641 થઈ ગઈ અને 17,834 લોકોના કોરોનાને કારણે મોત થયા છે.

સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, ભારતમાં અત્યારે કોરોના વાયરસના 2,26,947 એક્ટિવ કેસ છે. સાથે જ અત્યાર સુધી  3,59,860 દર્દી સાજા થઈ ગયા છે. 

આઈસીએમઆરના જણાવ્યા મુજબ, એક જુલાઈ સુધી દેશમાં કુલ 90,56,173 સેમ્પલ લેવામાં આવ્યા છે. ગઈ કાલે લગભગ 2,29,588 લોકોની ટેસ્ટિંગ કરવામાં આવી છે. છેલ્લા 12 દિવસમાં લગભગ બે લાખ પોઝિટિવ કેસ નોંધાયા છે. 

July 2, 2020
rofl_jets.jpg
1min4760
File Photo of First Rofl Jet plane delivery time

ચીન સાથે સરહદે ભારે તંગદીલી વચ્ચે ભારતને ફ્રાંસ પાસેથી અવકાશી યોદ્ધા રાફેલ યુદ્ધ વિમાનો મળવા જઈ રહ્યાં છે. આ યુદ્ધ વિમાનો ભારતને આગામી મહિને જ મળી જશે. પહેલા તબક્કામાં ચારના બદલે કુલ છ રાફેલ ભારતને મળશે અને તે પણ ફૂલ લોડેડ હશે. આ વિમાનો સૌથી પહેલા ગુજરાતના જામનગર એરબેઝ પર આવશે જ્યાં મુહૂર્ત પણ થશે.

ભારતમાં રાફેલ પહેલાં જામનગર ખાતે લેન્ડિંગ કરશે. જ્યાં કસ્ટમ વિધિ પૂરી થયા બાદ વિમાન ફરી ઉડાન ભરીને અંબાલા એરબેઝ ખાતે પહોંચશે. રાફેલનો સમાવેશ એરફોર્સની ગોલ્ડન એર સ્કવોડ્રનમાં કરાયો છે. મી સ્ટિલ્થ ટેકનોલોજીથી સજ્જ અને હવામાંથી હવામાં માર કરતી દુનિયાની સૌથી ખતરનાક અને સૌથી લાંબી રેન્જ ધરાવતી મિટિયોર મિસાઈલ્સ સહિતના શસ્ત્રોથી સજ્જ રાફેલ વિમાનોના આગમનથી ભારતીય વાયુસેનાની તાકાત બમણી થશે. પહેલાં ફ્રાન્સ ભારતને ચાર વિમાનોની ડિલિવરી આપવાનું હતું. જેમાંથી ચાર ડબલ સીટ ધરાવતા ટ્રેનર એરક્રાફ્ટ હતા. જોકે હવે ફ્રાન્સ ભારતને ૬ વિમાનો આપશે અને તે પણ લડાઈમાં તરત ઉતારી શકાય તેવી સ્થિતિમાં હશે. ફ્રાંસથી જ રાફેલ વિમાનોને ભારતીય વાયુસેનાના પાઈલોટસ ઉડાવીને લાવશે. આ પાયલટો હાલમાં વિમાનની તાલીમ ફ્રાન્સમાં જ લઈ રહ્યા છે. વિમાનોને ભારત લાવવા માટે પણ ભારે પ્લાનિંગ ચાલી રહ્યુ છે. કારણ કે ફ્રાન્સથી ભારત વચ્ચે રાફેલ વિમાન દુનિયાના સંખ્યાબંધ દેશોમાંથી પસાર થશે. આ દરમિયાન વિમાન પ્રતિ કલાક ૧૦૦૦ કિલોમીટર ઝડપથી ઉડાન ભરશે. ફ્રાન્સથી ઉડાન ભર્યા બાદ અડધા રસ્તા સુધી ફ્રાન્સનું હવામાંથી હવામાં ફ્યુલ ભરી શકતું વિમાન સાથે રહેશે. રાફેલ વિમાન બે વખત ફ્યુલ ભરવા ઉતરાણ કરશે.

July 2, 2020
googlechrome-1280x720.jpeg
1min5340

ગુગલ ક્રોમના ૧૦૦થી વધુ ઍક્સ્ટેન્શન્સ યુઝર્સની ગુપ્ત અને મહત્ત્વની માહિતી ભેગી કરતા હોવાની વાત જાણ્યા બાદ કંપનીએ એમને કાઢી નાખ્યા હોવાથી આવા ઍક્સ્ટેન્શન્સ ઇન્સ્ટોલ કરવા અગાઉ ઇન્ટરનેટ વાપરનારાએ સાવધાની વર્તવી જરૂરી છે.

ભારતના સાઇબર સ્પેસનું રક્ષણ કરતી અને સાઇબર હુમલાને ખાળવાનું કામ કરતી સરકારી સંસ્થા સીઇઆરટી-ઇનએ જણાવ્યું હતું કે આ ઍક્સ્ટેન્શન્સ ગુગલ ક્રોમના વૅબ સ્ટોરના સુરક્ષા સ્કૅનને બાયપાસ કરી શકે એવા કોડ ધરાવે છે.

ગુગલે ગુગલ ક્રોમ બ્રાઉઝરના ૧૦૬ ઍક્સ્ટેન્શન્સ કાઢી નાખ્યા છે. આ ઍક્સ્ટેન્શન્સ મોબાઇલ સ્ક્રિનના સ્ક્રિનશૉટ્સ લઇ શકે છે, મોબાઇલની માહિતી વાંચી શકે છે અને તમારા કિ સ્ટ્રોકની મદદથી તમારા પાસવર્ડને પણ ડિકોડ કરી શકે છે.

જો લોકોએ આવા કોઇ ઍક્સ્ટેન્શન્સ ઇન્સ્ટોલ કર્યા હોય તો એને અનઇન્સ્ટોલ કરવાની સલાહ આપવામાં આવી છે. 

July 2, 2020
coronil.jpg
1min4790

કેન્દ્રીય આયુષ મંત્રાલયે બાબા રામદેવની પતંજલિ કંપનીને ‘કોરોનીલ’ની દવા રોગપ્રતિકારક શક્તિ વધારવાની દવા તરીકે વેચવાની મંજૂરી આપી છે.

બાબા રામદેવએ આ દવાને કોવિડ-૧૯ની દવા તરીકે જાહેરાત કર્યા બાદ આયુષ મંત્રાલયે હંગામી ધોરણે એની જાહેરાત અને વેચાણ પર પ્રતિબંધ લાદ્યો હતો. પતંજલિએ આ મામલે એવો દાવો કર્યો હતો કે એમણે કોવિડ-૧૯ના સંચાલન પર કામ કર્યું હોવાની વાત તાર્કિક રીતે આયુષ મંત્રાલયે સ્વીકારી છે અને એમની કંપની વચ્ચે કોઇ મતભેદ નથી. બાબા રામદેવે જણાવ્યું હતું કે હું લોકોને જણાવવા માગુ છું કે આ દવાના વેચાણ પર હવે કોઇ પ્રતિબંધ નથી. આજથી એ દેશભરમાં વેચાણ માટે ઉપલબ્ધ રહેશે.

આયુષ મંત્રાલયે એમને કોવિડ ટ્રીટમેન્ટને બદલે કોવિડ સંચાલન શબ્દ વાપરવા જણાવ્યું છે અને તેઓ એવું જ કરશે.

આયુષ મંત્રાલયે આ દવાના વેચાણ માટે પરવાનગી આપી હોવાની વાત સ્વીકારતા જણાવ્યું હતું કે એમણે આ દવા કોરોનાની દવા તરીકે નહીં, પણ રોગપ્રતિકારક શક્તિ વધારવાની દવા તરીકે વેચવાની મંજૂરી આપી છે.