આતંકવાદ પર સંયુક્ત રાષ્ટ્રના એક અહેવાલમાં ચેતવણી આપવામાં આવી હતી કે કેરળ અને કર્ણાટકમાં આઈએસ આઈએસ આતંકવાદીઓની ‘ઘણી સંખ્યા’ હોઈ શકે છે અને એ બાબતે પણ ધ્યાન દોરવામાં આવ્યું હતું કે ભારતીય ઉપમહાદ્વીપમાં અલ-કાયદા આતંકવાદી સંગઠન હુમલાનું કાવતરું રચી રહ્યું છે. એવું માનવામાં આવે છે કે આ આતંકવાદી જૂથમાં ભારત, પાકિસ્તાન, બાંગલાદેશ અને મ્યાંમારના 150થી 200 આતંકવાદી છે.
આઈએસઆઈએસ, અલ-કાયદા અને સંબદ્ધ વ્યક્તિઓ તથા સંસ્થાઓથી સંબંધિત વિશ્લેષણાત્મક સહાયતા અને પ્રતિબંધ નિરીક્ષણ દળના 26મા અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે ભારતીય ઉપમહાદ્વીપમાં અલ-કાયદા (એક્યૂઆઈએસ) તાલિબાન હેઠળ અફઘાનિસ્તાનના નિમરુઝ, હેલમંદ અને કંધાર પ્રાન્તમાં કામ કરે છે.
અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે સમાચારો અનુસાર સંગઠનમાં બાંગલાદેશ, ભારત, મ્યાંમાર અને પાકિસ્તાનના 150થી 200 વચ્ચે સભ્ય છે. એક્યૂઆઈએસનો વર્તમાન વડો ઓસામા મહેમૂદ છે જેણે માર્યા ગયેલા આસીમ ઉમરની જગ્યા લીધી છે. એવા પણ અહેવાલો છે કે સંગઠન પોતાના પૂર્વ આકાના મોતનો બદલો લેવા માટે ક્ષેત્રમાં જવાબી કાર્યવાહીનું ષડયંત્ર રચી રહ્યું છે.
પવિત્ર શ્રાણવ માસના આરંભ સાથે જ ભારતભરમાં ધાર્મિક તહેવારોની સીઝન શરૂ થઇ છે અ ે તેમાં પણ સોનામાં સુગંધ ભળે એમ ઉત્તરાખંડ રાજ્ય સરકારે પવિત્ર ચારધામ યાત્રા માટેના દરવાજા અનલૉક કરી દીધા છે.
ઉત્તરાખંડ સરકારે શ્રદ્ધાળુઓ માટે ઉત્તર કાશીના ગંગોત્રી, યમનોત્રી, કેદારનાથ અને બદ્રિનાથ સ્થિત ચાર ધામના યાત્રાળુઓ માટે ખુલ્લી મૂકી દીધી છે. શરત એટલી જ છે કે યાત્રાએ જવા માંગતા દરેક શ્રદ્ધાળુએ ઉત્તરાખંડ આગમનના 72 કલાક અગાઉ કરવામાં આવેલા કોવિડ 19નો ટેસ્ટ નો નેગેટીવ રિપોર્ટ સાથે રાખવાનો રહેશે. કોરોના નેગેટીવ ટેસ્ટ સર્ટીફાઇડ વ્યક્તિઓને જ ચારધામ યાત્રા માટે ઓનલાઈન મંજૂરી મળી જશે.
ઉત્તરાખંડ રાજ્ય સરકારની શરત છે કે પહેલા 7 દિવસ હોટેલમાં કોરોન્ટાઇન રહેવું પડશે
ચારધામ દેવસ્થાનમ પ્રબંધન બોર્ડના સીઈઓ રવિનાથ રમણે કહ્યું કે શ્રદ્ધાળુએ ટેસ્ટ રિપોર્ટ પોતાની સાથે આવે ત્યારે લાવવાનો રહેશે. ઉત્તરાખંડમાં બહારથી આવતા શ્રદ્ધાળુઓ માટે આઈસીએમઆર દ્વારા અધિકૃત લેબમાંથી ટેસ્ટ કરાવવાનો રહેશે. યાત્રા દરમિયાન ફોટો આઈડી સાથે રાખવાનો રહેશે. જે શ્રદ્ધાળુ 72 કલાક પહેલા ટેસ્ટ નહીં કરાવે અને ચારધામ યાત્રા કરવા માંગતા હોય તેમને પ્રથમ 7 દિવસ પોતાના ખર્ચે હોટલમાં કોરેન્ટાઈન થવું પડશે ત્યારબાદ જ દર્શન થશે.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે શુક્રવારે સ્વતંત્રતા દિવસ સાથે જોડાયેલી એડવાઇઝરી જાહેર કરી છે. આ બધા સરકારી ઑફિસ, રાજ્ય સરકાર અને રાજ્યપાલોને મોકલવામાં આવી છે. એડવાઇઝરીમાં સ્વતંત્રતા દિવસ પર સામુહિક આયોજનોથી બચવાની સલાહ આપવામાં આવે છે.
એડવાઇઝરીમાં જણાવવામાં આવ્યું છે કે આઝાદીનું પર્વ ઉજવવા માટે ટેક્નોલૉજીનો ઉપયોગ કરવામાં આવે. હોમ મિનિસ્ટ્રીએ આ પ્રકારની એડવાઇઝરી દેશમાં કોરોના વાયરસને કારણે વધતાં સંક્રમણને ધ્યાનમાં જારી કરી હોવાનું જણાવ્યું છે.
આ રહી કેન્દ્ર સરકારની એડવાઇઝરી
એડવાઇઝરીમાં કહેવામાં આવ્યું છે કે સંક્રમણના જોખમને જોતાં કેટલાક નિયમોનું પાલન કરવું જરૂરી છે. સોશિયલ ડિસ્ટેન્સિંગ, માસ્ક, સેનિટાઇઝેશન જેવા ઉપાયોનો સ્વીકાર કરવો પડશે. ભીડ એકઠી ન થાય, તેનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે. હોમ અને હેલ્થ મિનિસ્ટ્રીની પહેલાથી જાહેર કરવામાં આવેલી ગાઇડલાઇન્સનું પાલન કરવાનું રહેશે. વેબ કાસ્ટ દ્વારા સમારંભનું સીધું પ્રસારણ કરવામાં આવે.
રાજ્ય સરકારને સલાહ રાજ્ય સરકારને સલાહ આપવામાં આવી છે કે કાર્યક્રમ માટે ડૉક્ટર્સ, બીજા હેલ્થ વર્કર્સ અને સફાઇ કર્મચારીઓને સન્માન આપવા માટે સમારંભમાં આમંત્રિત કરવા. એવો લોકો જેમણે કોરોનાને માત આપી છે, એટલે કે જે સંક્રમણ થયા પછી સ્વસ્થ થઈ ગયા છે, તેમને પણ સમારંભમાં બોલાવી શકાય છે.
વિશ્વમાં હાલ અનેક દેશો કોરોનાની દવાઓ તેમજ
વેક્સીન બનાવવાની તૈયારીમાં વ્યસ્ત છે. આ રેસમાં સૌથી ફ્રન્ટ રનર અને વિશ્વનસનીય
વેક્સીન અત્યાર સુધીમાં યુ.કે.ના ઓક્સફર્ડના વૈજ્ઞાનિકો દ્વારા તૈયાર કરવામાં
આવેલી વેક્સીન માનવામાં આવે છે. ભારતમાં ઓક્સફોર્ડે આ વેક્સીન ઉત્પાદન માટે એસઆઈઆઈની પસંદગી કરી છે
જે વેક્સીનને લઈને અંતિમ મંજૂરી મળતા પહેલા તેનું ફિલ્ડ ટ્રાયલ કરશે.
ઓક્સફોર્ડની કોરોના વેક્સીન વૈશ્વિક ધોરણે બે
વખત હ્યુમન ટ્રાયલ થઇ ચૂકી છે અને હવે ભારતમાં ટ્રાયલ શરૂ થવાની છે. આગામી ઓગસ્ટના અંતમાં કોરોનાથી સૌથી ખરાબ રીતે
અસરગ્રસ્ત મહારાષ્ટ્રના મુંબઈ અને પુણેમાં આ વેક્સીનનું હ્યુમન ટેસ્ટિંગ કરવામાં
આવશે. જે માટે આ બંને શહેરોના હોટસ્પોટમાંથી 4,000થી 5,000
વોલેન્ટિયર્સની પસંદગી
કરવામાં આવશે.
આ માટે મુંબઈ અને
પુણેના હોટસ્પોટમાંથી અંદાજીત 5,000 લોકોની પસંદગી કરવામાં આવી રહી છે. વેક્સીનના સ્થાનિક ઉત્પાદક SSIએ આશા વ્યક્ત કરી છે કે જો બધુ બરાબર રહેશે તો
આગામી વર્ષે જૂન સુધી વેક્સીન લોન્ચ કરી દેવામાં આવશે.
ઓક્સફોર્ડ યુનિવર્સિટીએ તૈયાર કરેલી કોરોના વેક્સીનને
વૈશ્વિક રીતે એટલા માટે વિશ્વાસપાત્ર માનવામાં આવે છે કેમકે અત્યાર સુધીના હ્યુમન
ટ્રાયલ તેમજ વેક્સીનના ટેસ્ટના પરિણામો સંતોષજનક મળી રહ્યા છે અને હવે યુકેમાં
તેને મોટા પાયે શરૂ કરી દેવામાં આવ્યા છે.
મહારાષ્ટ્રના મુંબઇ અને પૂણે એ બે શહેરોની જ
ટ્રાયલ માટે પસંદગી એટલા માટે કરવામાં આવી છે કે ભારતના એ બે શહેરો મુખ્ય શહેરો છે
અને એટલું જ નહીં કોરોનાના મોટા એક્ટીવ હોટસ્પોટ છે. સમગ્ર મહારાષ્ટ્રમાં કોરોનાના
કેસોમાં અડધાથી વધારે આ બંને શહેરોમાં છે.
એસઆઈઆઈના સીઈઓ અદાર પુનાવાલાએ કહ્યું છે કે, મુંબઈ અને પુણેમાં વેક્સીન ટ્રાયલ માટે અમે ઘણી
જગ્યાઓ શોર્ટલિસ્ટ કરી છે. આ શહેરોમાં કોરોનાના સૌથી વધારે હોટસ્પોટ છે. જેનાથી
અમને વેક્સીનની અસરનું આકલન કરવામાં મદદ મળશે.
એસઆઈઆઈના સીઈઓ અદાર પુનાવાલાએ કહ્યું છે કે મંજૂરી
મળ્યા બાદ ભારતમાં વેક્સીનના ફેઝ-3 ટ્રાયલ ઓગસ્ટમાં શરૂ કરવામાં આવશે. તેમણે કહ્યું છે કે કંપની ટ્રાયલ
શરૂ કરવા માટે બે દિવસની અંદર દવા મહાનિયંત્રક પાસે લાઈસન્સ માટે અરજી કરશે.
ત્યાંથી એકથી બે સપ્તાહમાં અમને મંજૂરી મળી જશે તેવી આશા છે. ત્યારપછી
વોલેન્ટિયર્સને હોસ્પિટલ લાવવામાં ત્રણ સપ્તાહ લાગશે. આમ એકથી દોઢ મહિનામાં ટ્રાયલ
શરૂ થવાની આશા છે.
અદાર પુનાવાલાના પિતા અને કંપનીના ચેરમેન સાઈરસ
પુનાવાલાએ કહ્યું છે કે એસઆઈઆઈ ભારતમાં 1,000 પ્રતિ વેક્સીન કે તેનાથી ઓછા રૂપિયામાં વેચવાનો લક્ષ્યાંક છે. જો
શરૂઆતની ટ્રાયલ સફળ રહેશે તો કંપની વર્ષના અંત સુધી 30થી 40 કરોડ ડોઝ તૈયાર કરી લેશે. તેમણે જણાવ્યું હતું કે એસ્ટ્રાજેનેકા સાથે
જે કરાર થયો છે તે મુજબ એસઆઈઆઈ ભારત અને 70 બીજા મિડલ ઈનકમ ધરાવતા દેશો માટે 1 અબજ વેક્સીન ડોઝ બનાવી શકે છે.
સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયા વિશ્વની સૌથી મોટી
રસી ઉત્પાદક કંપની છે. કંપની પ્રત્યેક વર્ષે 1.5 અબજ વેક્સીન ડોઝ તૈયાર કરે છે જેમાં પોલિયોથી લઈને મીજલ્સ સુધીની
વેક્સીન સામેલ છે. ઓક્સફોર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાજેનેકાએ આ ભારતીય કંપનીને
કોવિડ-19 વેક્સીન બનાવવા માટે પસંદ કરી છે. પુણેની આ કંપનીએ
પહેલા કહ્યું હતું કે તે અંતિમ આદેશ મળ્યા પહેલા જ વેક્સીન બનાવવાનું શરૂ કરી દેશે
જેથી જ્યાં સુધી તમામ મંજૂરીઓ મળી જાય ત્યાં સુધી સારા એવા પ્રમાણમાં વેક્સીન
તૈયાર થઈ શકે.
રાજસ્થાન હાઈ કૉર્ટના નિર્ણયને પડકારતી રાજસ્થાન વિધાનસભાના સ્પીકર સી. પી. જોશીની અરજીની સુનાવણી બાદ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ અરુણ મિશ્રા, બી. આર. ગાવઈ અને કૃષ્ણમુરારીની બનેલી ખંડપીઠે હાઈ કૉર્ટના ચુકાદા પર સ્ટે આપવાનું નકારી કાઢ્યું હતું. આ સાથે સચિન પાયલટ અને તેમના સાથી વિધાનસભ્યોનો અદાલતમાં પ્રારંભિક વિજય થયો હતો. જોકે, તેમણે કહ્યું હતું કે હાઈ કૉર્ટનો આદેશ સુપ્રીમ કૉર્ટના ચુકાદાને આધિન હશે.
આ મામલે હાઈ કૉર્ટ આજે ચુકાદો આપશે અને સુપ્રીમ કૉર્ટ સોમવારે સુનાવણી હાથ ધરશે.
સ્પીકર દ્વારા આપવામાં આવેલી નૉટિસ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીને મામલે હાઈ કૉર્ટ સુનાવણી કરી શકે કે નહીં એ મામલે સુપ્રીમ કૉર્ટ સુનાવણી હાથ ધરશે. સુપ્રીમ કૉર્ટ સ્પીકરના અધિકાર તેમ જ કૉર્ટના અધિકારક્ષેત્ર અંગે વિચારણા કરશે.
સ્પીકર સી. પી. જોશી વતી કૉર્ટમાં હાજર રહેલા વરિષ્ઠ વકીલ કપિલ સિબલે કૉર્ટમાં કહ્યું હતું કે હાઈ કૉર્ટ સ્પીકરને આદેશ આપી શકે નહીં. નિર્ણયનો લેવાનો સમય વધારવા માટે કૉર્ટ સ્પીકરને આદેશ આપી શકે નહીં. જ્યાં સુધી સ્પીકર કોઈ અંતિમ નિર્ણય ન લે ત્યાં સુધી કૉર્ટ દખલગીરી કરી શકે નહીં, એમ તેમણે કહ્યું હતું.
ગેરલાયક ઠેરવવાને સંબંધિત તમામ કાર્યવાહી વિધાનસભા સુધી જ સીમિત રહેવી જોઈએ એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે જ્યારે સ્પીકર નિર્ણય લેતા હોય તો ત્યારે હાઈ કૉર્ટ આદેશ બહાર ન પાડી શકે. બંધારણની ૧૦મી કલમના છઠ્ઠા ફકરામાં એ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ગેરલાયક ઠેરવવાને મામલે સ્પીકરનો નિર્ણય અંતિમ હોય છે.
સિબલે કહ્યું હતું કે કૉર્ટ માત્ર ત્યારે જ દરમિયાનગીરી કરી શકે છે જ્યારે સ્પીકરે ધારસભ્યને સસ્પેન્ડ કે ગેરલાયક જાહેર કર્યો હોય.
અગાઉ, રાજસ્થાનના બરતરફ કરાયેલા નાયબ મુખ્ય પ્રધાન સચિન પાઈલટ સહિત ૧૯ બળવાખોર ધારાસભ્યને ગેરલાયક ઠેરવવાને લગતી પ્રક્રિયા શરૂ કરવા વિધાનસભાના સ્પીકર દ્વારા આપવામાં આવેલી નૉટિસને મામલે સુપ્રીમ કૉર્ટે કોઈપણ પ્રકારની રાહત આપવાનું નકારી કાઢ્યું હતું.
વિધાનસભાના સ્પીકર દ્વારા ગેરલાયક ઠેરવવાને લગતી પાઠવવામાં આવેલી નૉટિસને પડકારતી કૉંગ્રેસના બળવાખોર ધારાસભ્યો દ્વારા કરવામાં આવેલી અરજીને મામલે ચુકાદો આપવાની સુપ્રીમ કૉર્ટે ગુરુવારે રાજસ્થાન હાઈ કૉર્ટને મંજૂરી આપી હતી.
બળવાખોર નેતાઓને ગેરલાયક ઠેરવવાને લગતી સ્પીકર દ્વારા આપવામાં આવેલી નૉટિસને પડકારનાર બળવાખોર ધારાસભ્યોએ પક્ષકાર તરીકે કેન્દ્ર સરકારનો પણ સમાવેશ કરવાની માગણી કરતી અરજી કૉર્ટમાં દાખલ કરી હતી.
અરજીની સુનાવણી માટે ૨૭ જુલાઈ મુકરર કરતા ખંડપીઠે કહ્યું હતું કે તેનો આધાર અરજી અંગે સુપ્રીમ કૉર્ટના ચુકાદા પર રહેશે.
બંધારણની કલમ ૧૦ હેઠળ હાથ ધરવામાં આવેલી બળવાખોર ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાની પ્રક્રિયામાં હાઈ કૉર્ટ દખલગીરી ન કરી શકે એ પ્રકારનો આક્ષેપ કરતી દાખલ કરેલી અરજીને મામલે વચગાળાની રાહત મેળવવામાં રાજસ્થાન વિધાનસભાના સ્પીકર સી. પી. જોશી નિષ્ફળ ગયા હતા.
ન્યાયાધીશ અરુણ મિશ્રા, બી. આર. ગાવઈ અને કૃષ્ણમુરારીની બનેલી ખંડપીઠે કહ્યું હતું કે જોશીની અરજીમાં મહત્વના પ્રશ્ર્નો ઉઠાવવામાં આવ્યા હોવાને કારણે તે માટે લાંબી સુનાવણી જરૂરી છે.
લોકશાહીમાં બળવાખોરોનો અવાજ દબાવી ન શકાય, એમ ખંડપીઠે કહ્યું હતું.
કૉંગ્રેસના ૧૯ બળવાખોર ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાની પ્રક્રિયા શરૂ કરવાના કારણો અંગે જોશીને પ્રશ્ર્ન કરતા કૉર્ટે કહ્યું હતું કે બળવાખોર નેતાઓને ગેરલાયક ઠેરવવાની પ્રક્રિયાને મંજૂરી આપી શકાય એમ છે કે નહીં તે શોધી કાઢવાનો અમે પ્રયાસ કરી રહ્યા છીએ.
જોશી વતી કૉર્ટમાં ઉપસ્થિત રહેલા વરિષ્ઠ વકીલ કપિલ સિબલે એમ કહીને ગેરલાયક ઠેરવવાની પ્રક્રિયાનો આરંભ કરવાનું જણાવ્યું કહ્યું હતું કે આ બળવાખોર ધારાસભ્યોએ વ્હીપની અવગણના કરીને પક્ષની બેઠકમાં હાજરી નહોતી આપી અને પક્ષની જ સરકારને અસ્થિર કરવા કાવતરું ઘડી કાઢ્યું હતું. જોકે, ખંડપીઠે કહ્યું હતું કે આ સાધારણ કેસ નથી અને આ ધારાસભ્યો ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે.
બોલિવૂડના શહેનશાહ તરીકે પ્રખ્યાત એવા અમિતાભ બચ્ચન, તેમના પુત્ર અભિષેક બચ્ચન, પુત્રવધૂ ઐશ્વર્યા રાય બચ્ચન અને પૌત્રી આરાધ્યા બચ્ચન કોરોના વાયરસની અડફેટે આવી ચૂક્યા છે. બચ્ચન પરિવારના આ ચારેય સભ્યો અત્યારે મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. આ દરમિયાન તાજેતરમાં જ એવી વાત વહેતી થઈ હતી કે બીગ બીનો કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે, જેને તેઓએ ખોટી ગણાવી છે.
તાજેતરમાં જ સોશિયલ મીડિયા અને તમામ ન્યૂઝ ચેનલ્સ પર આવી રહ્યું હતું કે અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચનનો કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવતા તેમને ટૂંક સમયમાં જ સમયમાં જ રજા આપવામાં આવશે. અમિતાભે ટ્વીટ કરીને આ વાતને ખોટી ગણાવી છે. તેમણે એક ન્યૂઝ ચેનલના ન્યૂઝને શેર કરીને લખ્યું કે આ એકદમ ખોટા, ગેરજવાબદાર અને પાયાવિહોણા સમાચાર છે !!
.. this news is incorrect , irresponsible , fake and an incorrigible LIE !! https://t.co/uI2xIjMsUU
જથ્થાની દૃષ્ટિએ વિશ્ર્વમાં સૌથી વધુ રસીનું ઉત્પાદન કરતી કંપની સિરમ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ઈન્ડિયા (એસઆઈઆઈ)ને આશા છે કે તે આ વર્ષના ઑક્ટોબર-નવેમ્બર સુધીમાં કોરોનાની રસી વિકસાવી લેશે, એમ કંપનીના સીઈઓ પુનાવાલાએ બુધવારે કહ્યું હતું.
યુનિવર્સિટી ઑફ ઑક્સફર્ડ દ્વારા વિકસાવવામાં આવેલી પ્રાયોગિક કોવિડ-૧૯ રસી કૅન્ડિડેટનું ઉત્પાદન કરવા સિરમ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ઈન્ડિયાએ બાયોફાર્માસ્યૂટિકલ કંપની ઍસ્ટ્રાઝેનેકા સાથે ભાગીદારી કરી છે.
કંપનીએ સ્વતંત્ર રીતે વિકસાવેલી ન્યુમોકોક્કલ રસીનાં ઉત્પાદન માટે ડીસીજીઆઈએ મંજૂરી આપી દીધી છે.
વીડિયો કૉન્ફરન્સ મારફતે ઓડિશાના મુખ્ય પ્રધાન નવીન પટનાયક સાથે કરેલી વાતચીતમાં પુનાવાલાએ કહ્યું હતું કે આ વર્ષના ઑક્ટોબર-નવેમ્બર સુધીમાં કોરોનાની રસી વિકસાવી લેવાની અમને આશા છે.
ટ્રાયલનો હવે પછીનો તબક્કો ઑગસ્ટના મધ્યમ શરૂ થાય એવી શક્યતા હોવાનું તેમણે કહ્યું હતું.
ટ્રાયલને પ્રથમ તબક્કામાં ઑક્સફર્ડ યુનિવર્સિટીની રસીએ આશાસ્પદ પરિણામો આપ્યાં હોવાનું તેમણે કહ્યું હતું.
એક વખત રસી તૈયાર થઈ જાય અને તેનેે મંજૂરી મળી જાય ત્યાર બાદ રાજ્ય સરકાર અને એસઆઈઆઈએ જોડાણ આગળ વધારવું જોઈએ, એમ તેમણે કહ્યું હતું.
કોરોનાની રસી વિકસાવવા માટે એસઆઈઆઈએ ઑકસફર્ડ યુનિવર્સટી સાથે કરેલી ભાગીદારી અંગે પટનાયકે આનંદ વ્યક્ત કર્યો હતો અને તાજેતરમાં જ કોરોનાની રસી અંગે પ્રગટ થયેલા આશાસ્પદ પરિણામો અંગે તેમણે પુનાવાલાને અભિનંદન આપ્યાં હતાં.
દરમિયાન, ભારત દ્વારા સ્વતંત્ર રીતે વિકસાવવામાં આવેલી કોરોનાની રસીના માનવ પર ક્લિનિકલ ટ્રાયલ માટેની સ્ક્રિનિંગ પ્રક્રિયા ભુવનેશ્ર્વરસ્થિત ઈન્સ્ટિટ્યૂટ ખાતે આરંભી દેવામાં આવી છે.
આઈસીએમઆર દ્વારા પસંદ કરવામાં આવેલા ૧૨ કેન્દ્રમાંથી એક કેન્દ્ર ખાતે આ પ્રક્રિયા શરૂ કરવામાં આવી હોવાનું તેમણે કહ્યું હતું.
વિશ્વસ્તરે ભારતીય બિઝનેસ મેન મુકેશ અંબાણી એક પછી એક સિદ્ધિઓ મેળવતા જાય છે. હાલમાં જ જૂલાઇના બીજા અઠવાડિયે એટલે 14 જૂલાઇના રોજ મુકેશ અંબાણી વિશ્વના છઠ્ઠા સૌથી ધનિક વ્યક્તિ બન્યા હતા, એ સમયે તેમની કુલ સંપત્તિ 72.4 અબજ ડોલર હતી. હવે 22 જૂલાઇએ એક ક્રમ આગળ આવીને તેઓ વિશ્વના પાંચમા સૌથી પૈસાદાર વ્યક્તિ બની ગયા છે. આઠ જ દિવસમાં તેમની સંપત્તિમાં 2.6 અબજ ડોલરનો વધારો થયો છે.
ઉલ્લેખનીય છે કે, વિશ્વના સૌથી ધનિક વ્યક્તિઓમાં 185.8 અબજ ડોલરની કુલ સંપત્તિ સાથે જેફ બેજોસ પહેલા સ્થાને, 113.1 અબજ ડોલરની કુલ સંપત્તિ સાથે બિલ ગેટ્સ બીજા સ્થાને, 112 અબજ ડોલરની કુલ સંપત્તિ સાથે બનોર્ડ અનોલ્ટ એન્ડ ફેમિલી ત્રીજા ક્રમે, 89 અબજ ડોલરની કુલ સંપત્તિ સાથે ફેસબુકના માર્ક ઝુકરબર્ગ ચોથા ક્રમે છે.
મુકેશ અંબાણીની કુલ સંપત્તિ ઝુકરબર્ગથી 14.4 અબજ ડોલર ઓછી છે. અંબાણી પછી 72.7 અબજ ડોલરની સંપત્તિ સાથે વોરન બફેટ છઠ્ઠા સ્થાને છે, એ પછી લૈરી એલિસિન સાતમા, એલન મસ્ક આઠમાં ક્રમે, સ્ટીવ બાલ્મર નવમા સ્થાને અને લૈરી પૈજ દસમા ક્રમે છે.
કોવીડ-19 પેન્ડેમિકના સમયગાળામાં એટોમિક પાવર ક્ષેત્રમાં ભારતે બહુ મોટી સિદ્ધિ હાંસલ કરી છે. આ સિદ્ધીને કારણે સુરતનું નામ હાલ વિશ્વભરમાં ચર્ચાઇ રહ્યું છે. આ સિદ્ધી છે સુરત જિલ્લામાં આવેલા કાંકરાપાર એટોમિક પાવર સ્ટેશન ખાતે KAPP-3 રિએક્ટર તૈયાર કરવાની અને તા.22મી જુલાઇ એટલે કે આજે પ્રથમ વખત તેનું સફળતાપૂર્વક સંચાલન કરવામાં આવ્યું.
કાંકરાપાર એટોમિક પાવર સ્ટેશન સાઇટની ફાઇલ તસ્વીર
ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી દ્વારા સુરતના કાંકરાપાર ખાતે કાર્યાન્વિત કરવામાં આવેલા આ સંપૂર્ણપણે સ્વદેશી ટેકનિકથી તૈયાર કરાયેલા હેવીડ્યુટી રીએક્ટર અંગેની જાણકારી ટ્વીટ કરીને આપવામાં આવી છે.
કાંકરાપાર એટોમિક પાવર સ્ટેશન સાઇટ ખાતે જ તૈયાર કરવામાં આવેલા KAPP-3 રિએક્ટરની ડિઝાઇન ભારતીય વૈજ્ઞાનિકો અને એન્જિનયરોએ જ તૈયાર કરી આપી છે. નિર્માણ કાર્યમાં પણ સંપૂર્ણ સ્વદેશી ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને સૌથી મોટી ઉપલબ્ધી એ છે કે આ સ્વચાલિત એવો પ્રોજેક્ટ છે જેની કેપેસિટી 700 મેગોવૉટની છે.
ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી, ભારત સરકારે આપી માહિતી
Unit-3 of Kakrapar Atomic Power Project, located at Kakrapar, Gujarat achieved its first criticality – the controlled, self-sustaining nuclear fission chain reaction for the first time – on July 22, 2020 at 0936 hours. (1/2) pic.twitter.com/J5H6fc7ttV
KAPP-3 is first-of-its-kind indigenous 700 MWe Pressurised Heavy Water Reactor designed by Indian scientists & engineers. Its components & equipment have been manufactured by Indian industries and the construction &erection were undertaken by Indian contractors. (2/2)
Congratulations to our nuclear scientists for achieving criticality of Kakrapar Atomic Power Plant-3! This indigenously designed 700 MWe KAPP-3 reactor is a shining example of Make in India. And a trailblazer for many such future achievements!
કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગે દેશભરના દરેક રાજ્યોના આરોગ્ય વિભાગોને પત્ર લખીને જણાવ્યું છે કે વાલ્વાવાળા માસ્કની જગ્યાએ નાગરીકો કપડાના બનેલા ત્રણ સ્તર (ત્રિપલ લેયર) માસ્કનો ઉપયોગ કરીને કોરોના સંક્રમણથી બચી શકે છે.
સિમ્બોલિક ફોટો. કેન્દ્ર સરકારે જાહેર કર્યું છે કે માસ્ક પર ઉપરોક્ત દર્શાવેલા ફોટો જેવા કોઇપણ પ્રકારના વાલ્વ કે એર ફિલ્ટર લગાડેલા હોય તો એ સંક્રમણને રોકતા નથી પણ ફેલાવી જરૂર શકે છે. આવા માસ્ક નહીં પહેરવા માટે દેશભરમાં જનજાગૃતિ લાવવામાં આવી રહી છે.
હાલમાં વાલ્વવાળા માસ્ક અંગે નાગરીકોમાં ભારે ગેરસમજ પ્રવર્તી રહી છે. ઘણાં લોકો વાલ્વવાળા માસ્કને સુરક્ષિત ગણી રહ્યા છે. ઘણાં ફેશનમાં વાલ્વવાળા માસ્ક પહેરે છે. હકીકતમાં વાલ્વવાળા માસ્ક સંક્રમણને રોકી નહીં પણ ફેલાવી શકે તેટલા જોખમી છે.
વાલ્વવાળા માસ્કમાં જ્યારે એ પહેરનાર વ્યક્તિ શ્વાસ બહાર કાઢે છે ત્યારે વાલ્વ ખુલ્લા થઇ જાય છે અને જો એ પહેરનાર વ્યક્તિ એસિમ્ટમેટિક વાઇરસ કરીયર હોય તો અનેક લોકોને એ સંક્રમિત કરી શકે. આમ વાલ્વવાળા માસ્ક સંક્રમણને રોકતા નથી પણ ફેલાવી જરૂર શકે છે.
દેશના આરોગ્ય મંત્રી ડૉ.હર્ષ વર્ધને ટ્વીટ કરીને અનુરોધ કરવો પડ્યો
वाल्व लगे #N95#Mask#COVID19 के प्रसार को रोकने में सक्षम नहीं ! छिद्रयुक्त श्वसन यंत्र लगा N-95 मास्क कोरोना वायरस के प्रसार को रोकने के लिए अपनाए गए नियमों के विपरीत है।सभी से आग्रह है कि कपड़े से बने Triple layer mask का इस्तेमाल करें व अन्य को इसके प्रति प्रोत्साहित भी करें। pic.twitter.com/1PpBbxeLLB
કેન્દ્રએ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પત્ર લખીને વાલ્વવાળા એન-95 માસ્ક પહેરવાની વિરુદ્ધ ચેતવણી જાહેર કરીને જણાવ્યું છે કે, આનાથી વાયરસનો ફેલાવો અટકતો નથી. અને કોવિડ-19 મહામારીને રોકવા માટે લેવામાં આવેલા પગલાની વિરુદ્ધ છે.
સ્વાસ્થ્ય મંત્રાલયમાં સ્વાસ્થ્ય સેવા ડિરેક્ટર રાજીવ ગર્ગે રાજ્યોને સ્વાસ્થ્ય અને ચિકિત્સા શિક્ષણ બાબતના પ્રધાન સચિવોને પત્ર લખીને જણાવ્યું છે કે, સામે આવ્યું છે કે સ્વાસ્થ્યકર્મીઓને જગ્યાએ લોકો એન-95 માસ્કનો ખોટો ઉપયોગ કરી રહ્યા છે, ખાસ કરીને જેમાં વાલ્વ હોય છે.
તેમણે જણાવ્યું છે કે, તમારા ધ્યાનમાં લાવવામાં આવે છે કે વાલ્વવાળા એન-95 માસ્કો કોરોના વાયરસના પ્રસારને રોકવા માટે ઉઠાવવામાં આવેલા પગલાની વિરુદ્ધ છે કેમકે માસ્ક બહારથી આવતા વાયરસને રોકી શકતો નથી. આને ધ્યાનમાં રાખીને હું તમને અપીલ કરું છું કે તમામ સંબંધિત લોકોને આદેશ આપે કે તેઓ ફેસ/ માઉથ કવરના ઉપયોગનું પાલન કરે અને એન-95 માસ્કના ખોટા ઉપયોગને રોકે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.