CIA ALERT

ઇન્ડીયા Archives - Page 105 of 215 - CIA Live

July 17, 2020
breaking_CIA-1280x831.jpg
4min4620

આજરોજ તા.17મી જુલાઇ 2020ના રોજ ભારતમાં કોરોનાના કુલ કેસ 10 લાખ એટલેકે એક મિલિયનની સંખ્યાને આબી ગયા છે.

  • Confirmed 1,003,832
  • Deaths 25,602
  • Recovered 6,35,757
  • Active 342,473

StateConfirmRecoveredDeath
MH28428111194158140
TN1563692236107416
DL118645354597693
KA51422103219729
GJ45481208932103
UP43441104626675
TG4101839627295
AP3804449219393
WB36117102321415
RJ2717453819970
HR2400232218185
BR2176419714018
MP2037868914127
AS197544812888
OR153927910877
JK121562226446
KL10275374862
PB90942306277
CG4732213451
JH4624422513
UK3982502995
GA3108191817
TR228331604
MN176401129
PY174322947
HP137711984
Leh11471970
NL9160391
CH65111476
DAMAN DIU5522371
AR5433153
ML377266
MZ2720160
SK243088
AN1800133
July 17, 2020
corona_india.jpg
1min4890

દુનિયાભરના તમામ દેશોની સાથે-સાથે ભારતમાં પણ કોરોના વાયરસનો આતંક સતત વધી રહ્યો છે તેવી જ રીતે હવે કોરોનાથી સ્વસ્થ્ય થનારા લોકોની સંખ્યા પણ દિવસેને દિવસે વધી રહી છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે શુક્રવારના રોજ દેશમાં કોરોના વાયરસના કુલ કેસ વધીને સંક્રમણનો કુલ આંકડો દસ લાખને ઓળંગી ગયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના 34956 કેસ નોંધાતા કુલ કેસ 1003832 થઈ ગયા છે.

જોકે, એક સારી બાબત એ પણ છે કે ભારતમાં ધીમે ધીમે કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ્ય થનારા લોકોની સંખ્યા પણ વધી રહી છે. ભારતમાં હવે કોરોના વાયરસનો રિકવરી રેટ 63.34 ટકા સુધી પહોંચી ગયો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 22942 લોકો સ્વસ્થ્ય થયા છે. આ સાથે જ આ આંકડો વધીને 635757 સુધી પહોંચી ગયો છે જે કોરોનાના એક્ટીવ કેસ કરતા વધારે થઈ ગઈ છે.

જ્યારે છેલ્લા 24 કલાકમાં 687 લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. આ સાથે જ કોરોના વાયરસના કારણે મોતને ભેટનાર લોકોની સંખ્યા વધીને 25602 સુધી પહોંચી ગઈ છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે શુક્રવાર સવાર સુધીમાં દેશભરમાં કોરોના વાયરસના 342473 એક્ટિવ કેસ છે.

દેશમાં કોરોના વાયરસના સૌથી વધારે 284281 કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે જ્યારે 11194 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. મહારાષ્ટ્ર બાદ તમિલનાડૂમાં કોરોના વાયરસના સૌથી વધારે કેસ નોંધાયા છે. તમિલનાડૂમાં અત્યાર સુધીમાં કુલ 156369 કેસ નોંધાઈ ચૂક્યા છે જેમાંથી 2236 લોકો કાળનો કોળિયો બની ગયા છે. ત્યારબાદ દિલ્હીમાં 118645 કેસ નોંધાયા છે જ્યારે 3545 લોકોએ જીવ ગુમાવ્યા છે. ગુજરાતને પાછળ છોડીને કર્ણાટક આ યાદીમાં ચોથા સ્થાન પર પહોંચી ગયું છે. કર્ણાટકમાં અત્યાર સુધીમાં 51422 કેસ નોંધાયા છે જ્યારે 1032 લોકોના મોત થયા છે. જ્યારે ગુજરાતમાં 45569 લોકો સંક્રમણમાં આવ્યા છે ત્માંથી 2091 લોકો મોતને ભેટી ચૂક્યા છે.

July 16, 2020
corona_india.jpg
1min4230

સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે ગુરૂવારના રોજ દેશમાં કોરોના વાયરસના કુલ કેસ વધીને 968876 સુધી પહોંચી ગયા છે. છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના 32695 નવા કેસ નોંધાયા છે. 

જોકે, એક સારી બાબત એ પણ છે કે ભારતમાં ધીમે ધીમે કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ્ય થનારા લોકોની સંખ્યા પણ વધી રહી છે. ભારતમાં હવે કોરોના વાયરસનો રિકવરી રેટ 63.25 ટકા સુધી પહોંચી ગયો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 20783 લોકો સ્વસ્થ્ય થયા છે. આ સાથે જ આ આંકડો વધીને 612815 સુધી પહોંચી ગયો છે જે કોરોનાના એક્ટીવ કેસ કરતા વધારે થઈ ગઈ છે.

જ્યારે છેલ્લા 24 કલાકમાં 606 લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. આ સાથે જ કોરોના વાયરસના કારણે મોતને ભેટનાર લોકોની સંખ્યા વધીને 24915 સુધી પહોંચી ગઈ છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે ગુરૂવાર સવાર સુધીમાં દેશભરમાં કોરોના વાયરસના 331146 એક્ટિવ કેસ છે.

મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ 275640 કેસ નોંધાયા છે જ્યારે 10928 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. મહારાષ્ટ્ર બાદ તમિલનાડૂમાં કોરોના વાયરસના સૌથી વધારે કેસ નોંધાયા છે. તમિલનાડૂમાં અત્યાર સુધીમાં કુલ 151820 કેસ નોંધાઈ ચૂક્યા છે જેમાંથી 2167 લોકો કાળનો કોળિયો બની ગયા છે. ત્યારબાદ દિલ્હીમાં 116993 કેસ નોંધાયા છે જ્યારે 3487 લોકોએ જીવ ગુમાવ્યા છે. ગુજરાતને પાછળ છોડીને કર્ણાટક આ યાદીમાં ચોથા સ્થાન પર પહોંચી ગયું છે. કર્ણાટકમાં અત્યાર સુધીમાં 47253 કેસ નોંધાયા છે જ્યારે 928 લોકોના મોત થયા છે. જ્યારે ગુજરાતમાં 44650 લોકો સંક્રમણમાં આવ્યા છે ત્માંથી 2081 લોકો મોતને ભેટી ચૂક્યા છે. 

દુનિયાભરમાં કોરોના વાયરસના અત્યાર સુધીમાં 13545388 કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાંથી 583965 લોકોના મોત નિપજ્યા છે જ્યારે 7551514 લોકો સ્વસ્થ્ય થવામાં સફળ થયા છે. સમગ્ર દુનિયામાં અત્યારે 5409909 કેસ એક્ટિવ છે. સતત વધી રહેલા કેસના કારણે દુનિયામાં સૌથી વધારે કેસ ધરાવતા દેશોની યાદીમાં પહેલા સ્થાન પર અમેરિકા, બીજા સ્થાન પર બ્રાઝિલ ત્રીજા સ્થાન પર ભારત અને ચોથા સ્થાન પર રશિયા છે.

July 15, 2020
CIA_Live_Logo_New2.jpg
4min6790

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

કોવીડ-19 પેન્ડેમિક શિક્ષણ ક્ષેત્રમાં એક ગુડ ન્યુઝ આવ્યા છે. આ ગુડ ન્યુઝ એ છે કે અમદાવાદ સમેત દેશમાં કાર્યાન્વિત પાંચેય નેશનલ ઇન્સ્ટીટ્યુટ્સ ઓફ ડિઝાઇન (NID)ના ડિગ્રીધારી વિદ્યાર્થીઓ હવે સીધા જ જર્મનીમાં વર્ક પરમિટ મેળવવા માટે લાયક બન્યા છે. ભારતના વાણિજ્ય મંત્રાલયે આપેલી માહિતી અનુસાર જર્મનીના ડેટાબેઝ અનાબિનમાં ભારતની પાંચેય એન.આઇ.ડી. કેમ્પસને સામેલ કરવામાં આવ્યા છે. અનાબિન ડેટાબેઝ જર્મની માટે એવો ડેટાબેઝ છે કે જે નોકરીદાતાઓ અને નોકરીયાતો વચ્ચે બ્રિજ બનાવે છે. અનાબિનના ડેટા બેઝમાં કોઇક ફોરેન કેમ્પસનો સમાવેશ થાય એ જે તે દેશ માટે ગૌરવવંતી બાબત ગણાય છે.

જર્મનીના ડેટાબેઝ અનાબિનમાં ભારતની સંસ્થા નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ડિઝાઇનને સામેલ કરવામાં આવતા હવે અહીંની ડિગ્રી ધરાવતા યુવાનોને જર્મનીમાં રોજગાર માટે વર્ક પરમિટ, વીઝા, જોબ, બ્લ્યુ કાર્ડ વગેરે મેળવવામાં ખૂબ સરળતા પડશે.

ભારતમાં નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ડિઝાઇનનું મુખ્ય કેમ્પસ ગુજરાતના અમદાવાદ ખાતે આવેલું છે એ સિવાય અન્ય ચાર સ્થળોએ એન.આઇ.ડી. કેમ્પસ સ્થાપિત કરવામાં આવ્યા છે. એન.આઇ.ડી.ને ભારતમાં નેશનલ ઇમ્પોર્ટન્સનો દરજ્જો આપવામાં આવ્યો છે.

ભારતમાં અમદાવાદ, બેંગલુરુ, અસમ, હરીયાણા, આંધ્રપ્રદેશ અને મધ્યપ્રદેશમાં એન.આઇ.ડી.ના કેમ્પસની સ્થાપના કરવામાં આવી છે.

ધો.12 પછી એન.આઇ.ડી.માં પ્રવેશ માટે પ્રવેશ પરીક્ષા લેવાય છે, ડિઝાઇનિંગના 6 જેટલા અલગ અલગ કોર્સ અહીં ભણાવાય છે

News in English

Students of National Institutes of Design (NID) will be able to apply easily for work permits in Germany. now as its centres have been included in the European country’s Anabin database, the commerce and industry ministry said on Wednesday, 15 July 2020.

It said Germany has opened a Central Office for Foreign Education (ZAB) which acts as the sole authority for the evaluation of foreign qualifications there. As part of their service, they maintain a database called Anabin that lists foreign degrees and higher education qualifications in relation to German diplomas and degrees.

What is Anabin Database ? anabin is a database you can use to find out how your certificate will be evaluated in Germany.

Recognition of foreign university-level qualifications in Germany is often an essential prerequisite for securing a German Work Visa, Job Seekers Visa or German Blue Card.

It said often the success of visa application is dependent on the proof that the university-level qualification acquired outside Germany is considered on par with equivalent German qualification.

Students of National Institutes of Design will be able to apply easily for work permits in Germany now as its centres have been included in the European country’s Anabin database, the commerce and industry ministry said.

“NID Ahmedabad was included in the Anabin list in 2015 and the other new NIDs have also been incorporated in this database recently. Now that all NIDs are a part of this list, its students will be able to easily apply for work permits in Germany for working in the fields relevant to their education,” it said.

The Department for Promotion of Industry and Internal Trade (DPIIT), under the ministry, has established five National Institutes of Design (NID) in India for imparting world-class design education.

While NID Ahmedabad (with campuses in Ahmedabad, Gandhinagar and Bengaluru) commenced its activities in 1961, four new NID’s in Andhra Pradesh, Haryana, Assam, and Madhya Pradesh came up in the last few years.

These NIDs are declared as Institutions of National Importance by virtue of the act of Parliament and are internationally acclaimed premier design institutes.

July 15, 2020
rainingujarat-1.jpg
1min4850

મુંબઈમાં વરસાદે ભારે અફરાતફરી મચાવી દીધી છે. નિંચાણવાળા વિસ્તારોમાં જલભરાવ તેમજ હજુ પણ બુધવારની રાત્રે અને ગુરુવારની સવારે ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

File Photo

દરમિયાન તા.15મી જુલાઇના રોજ બપોરે 2 વાગ્યા બાદ મુંબઈ સહિત ઉપનગરમાં મુશળધાર વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગે આગામી ૪૮ કલાકમાં મુંબઈ, થાણે અને પાલઘર જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવાની સાથે ઑરેન્જ અલર્ટ જારી કરી છે. રત્નાગિરિ, સિંધુદુર્ગ, રાયગડ જેવા કોકણના કિનારાના વિસ્તારોમાં રેડ અલર્ટ જાહેર કરાઈ છે. ૧૨ કલાકમાં પરાવિસ્તારમાં ચાર ઇંચ અને તળમુંબઈમાં અઢી ઇંચ વરસાદ નોંધાયો હતો.

મુંબઈ તથા આસપાસના વિસ્તારોમાં ગઈ કાલે સવારે છૂટાછવાયા વરસાદની શરૂઆત થયા પછી બપોરે મુશળધાર વરસાદ પડવાની શરૂઆત થઈ હતી. લોઅર પરેલ, વરલી, દાદર, માટુંગા, કિંગ્સ સર્કલ જેવા તળ મુંબઈમાં તો અંધેરી, મલાડ, કાંદિવલી, બોરીવલી વગેરે પરા વિસ્તારોમાં ભારે વરસાદને લીધે નીચાણવાળા ભાગમાં પાણી ભરાઈ ગયાં હતાં.

હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ મુંબઈ, થાણે, પાલઘર અને રાયગડ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. દક્ષિણ મહારાષ્ટ્રથી કેરળના દરિયાકિનારે હવાનું દબાણ નિર્માણ થયું હોવાથી આ વિસ્તારમાં વરસાદ માટે અનુકૂળ વાતાવરણ ઊભું થયું છે. આથી કેટલાંક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે.

July 15, 2020
sachin-pilot.jpg
1min5580

રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ પદેથી સચિન પાયલટની હકાલપટ્ટી બાદ એવી અટકળો વહેતી થઈ હતી કે તેઓ ભાજપમાં સામેલ થઈ શકે છે. જો કે સચિન પાયલટે તમામ અટકળો પર પૂર્ણવિરામ લગાવતા જણાવ્યું છે કે, તેઓ ભાજપમાં સામેલ થશે નહીં. 

પાયલટે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, હું સ્પષ્ટ કરવા માગું છુ કે મારી ભાજપમાં સામેલ થવાની કોઈ યોજના નથી. ભાજપની સાથે લિંક કરીને  મારી છબિ ખરાબ કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. હું અત્યારે પણ કોંગ્રેસ પાર્ટીનો સભ્ય છું. આગળ શું કરવું છે તેના પર હજુ હું લઈ રહ્યો છું. હુ રાજસ્થાનના લોકોની સેવા કરવા માગું છું. 

મંગળવારે કોંગ્રેસ પાર્ટીએ પાયલટની રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી પદેથી અને રાજસ્થાનના પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ પદેથી હકાલપટ્ટી કરી દીધી હતી. પાર્ટીએ પાયલટની સાથે રમેશ મીણા અને વિશ્વેન્દ્ર સિંહને પણ મંત્રી પદેથી હટાવી દીધા હતા. 

July 15, 2020
googleforindia.jpg
1min6230

ગૂગલ આગામી પાંચથી સાત વર્ષમાં ભારતમાં 10 અબજ ડોલરનું રોકાણ કરશે. ભારત વિશ્વનું પાંચમું સૌથી મોટું અર્થતંત્ર છે જેની ડિજિટલ ઇકોસિસ્ટમમાં ગૂગલ પોતાની હાજરી મજબૂત બનાવવા માંગે છે. ટોચની ઇન્ટરનેટ કંપનીઓ ભારતમાં પ્રભુત્વ જમાવવા માટે ટક્કરમાં ઊતરી રહી છે.

આલ્ફાબેટની માલિકીની ગૂગલે ભારત માટે યોજના તૈયાર કરી છે. તેની હરીફ કંપની ફેસબૂકે રિલાયન્સ જિયોમાં માર્ચમાં 5.7અબજ ડોલરનું રોકાણ કર્યું હતું અને ગૂગલ તેનાથી બમણું રોકાણ કરવા માંગે છે. તેમાં નાણાં અને પાર્ટનરશિપનું મિશ્રણ હશે તેમ ગૂગલના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર સુંદર પિચાઈએ સોમવારે ઇટીને આપેલી એક્સ્ક્લુઝિવ મુલાકાતમાં જણાવ્યું હતું.

તેમણે વિડિયો ઇન્ટરવ્યૂમાં કહ્યું છે કે ભારત જે સ્થિતિમાં છે તેમાં આ એક વિશિષ્ટ તક છે. અમે ભારતમાં તમામ કદના બિઝનેસ સાથે કામ કરવાની તક જોઈ રહ્યા છીએ.

જિયો પ્લેટફોર્મમાં ગૂગલને રસ છે કે નહીં, અથવા તે વોડાફોન આઇડિયામાં હિસ્સો ખરીદશે કે નહીં તે વાતનો પિચાઈએ સ્વીકાર પણ નહોતો કર્યો અને નકારી પણ ન હતી. તેમણે કહ્યું કે ફંડની સાઇઝ જોતાં તે મોટું રોકાણ કરવા માટેની સીધી તક આપશે.

ગૂગલ અત્યારે ભારતમાં સર્ચ, વિડિયો, મેપ અને ઇ-મેઇલ ક્ષેત્રે અગ્રેસર છે. દેશમાં વેચાતા 90 ટકા સ્માર્ટફોનમાં ગૂગલની એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ હોય છે.

ભારતમાં ઇ-કોમર્સ અને સોફ્ટવેર ટ્રાન્ઝેક્શન પર છ ટકા જેટલો ટેક્સ લાગે છે જેને કથિત ‘ગૂગલ ટેક્સ’ પણ કહેવામાં આવે છે. તેના પર ટિપ્પણી કરતાં પિચાઈએ કહ્યું કે વિદેશી ડિજિટલ ટ્રાન્ઝેક્શન પર ઓઇસીડી (ઓર્ગેનાઇઝેશન ફોર ઇકોનોમિક કોઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ)ના ફ્રેમવર્કને લાગુ કરવાની તેઓ હિમાયત કરે છે. તેમણે કહ્યું કે, “કોઈ પણ દેશમાં સીધું રોકાણ કરવું એ લાંબા ગાળે સમસ્યાના ઉકેલમાં વધારે ઉપયોગી બને છે.”

પિચાઈ એ અમેરિકામાં સૌથી વધારે સફળ ભારતીય ઇમિગ્રન્ટ પૈકી એક છે. તેમણે એચ-1બી વિઝા રદ કરવાના અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનાં પગલાંની ટીકા કરી છે. 2019માં ગૂગલે સૌથી વધારે એચ-1બી વિઝા મેળવ્યા હતા તેમ યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિસના આંકડા દર્શાવે છે.

તેમણે કહ્યું કે, “વિચારો અને લોકોના મુક્ત પ્રવાહથી અમેરિકાને ચોક્કસ ફાયદો થયો છે. લાંબા ગાળે તેનાથી દેશો વધારે નજીક આવશે.” તેમણે કહ્યું કે, “ટેલેન્ટ બંને દિશામાં જાય છે. તેનાથી લાંબા ગાળે દેશો અને અર્થતંત્રોને મદદ મળે છે.”

ગૂગલ એવી કંપનીઓની શોધમાં છે જે ભારતમાં તમામ ભાષાઓમાં અત્યંત ઝડપથી સ્કેલ વધારી શકે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવી ક્ષમતા ધરાવતી કંપનીઓમાં ગૂગલને ભારે રસ છે.

July 15, 2020
corona_india.jpg
1min4850

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના સૌથી વધુ 29,429 નવા કેસ સામે આવ્યા છે આ સાથે જ કુલ સંક્રમિતોની સંખ્યા 9,36,181 થઈ ગઈ છે. જેમાંથી 3,19,840 એક્ટિવ કેસ છે. 

સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર દેશમાં કોરોનાનો રિકવરી રેટ વધીને 63% થયો છે તો ભારતમાં 10 લાખની વસ્તીએ 17.2 મોત અને 657 પોઝિટિવ કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોનાના 28,498 નવા કેસ સામે આવ્યા છે અને 553 લોકોના મોત થયાં છે. ભારતના કુલ કેસના 86% કોરોના કેસ માત્ર 10 રાજ્યો સુધી જ સીમિત છે. જેમાં મહારાષ્ટ્ર અને તામિલનાડુમાં દેશના અડધા કેસ નોંધાયા છે.

દેશમાં 24 કલાકમાં કોરોનાને કારણે 582 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે આ સાથે જ મૃત્યુઆંક વધીને 24,309 પર પહોંચી ગયો છે. દેશમાં અત્યાર સુધી 5,92,032 દર્દીઓએ કોરોનાને માત આપી દીધી છે. 

આગામી દિવસોમાં બેંગલુરુ અને પૂણે સહિત અનેક શહેરો ફરીથી લોકડાઉનની તૈયારીઓ ચાલી રહી છે. આસામ, અરુણાચલ પ્રદેશ, મેઘાલય અને બિહાર જેવા રાજ્યોએ લોકાડઉનની જાહેરાત કરી છે. 

July 14, 2020
corona_india.jpg
1min4740

સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે મંગળવારના રોજ દેશમાં કોરોના વાયરસના કુલ કેસ વધીને 906752 સુધી પહોંચી ગયા છે. છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના 28498 નવા કેસ નોંધાયા છે. 

જોકે, એક સારી બાબત એ પણ છે કે ભારતમાં ધીમે ધીમે કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ્ય થનારા લોકોની સંખ્યા પણ વધી રહી છે. ભારતમાં હવે કોરોના વાયરસનો રિકવરી રેટ 63.02 ટકા સુધી પહોંચી ગયો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 17989 લોકો સ્વસ્થ્ય થયા છે. આ સાથે જ આ આંકડો વધીને 571460 સુધી પહોંચી ગયો છે જે કોરોનાના એક્ટીવ કેસ કરતા વધારે થઈ ગઈ છે.

જ્યારે છેલ્લા 24 કલાકમાં 553 લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. આ સાથે જ કોરોના વાયરસના કારણે મોતને ભેટનાર લોકોની સંખ્યા વધીને 23727 સુધી પહોંચી ગઈ છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે મંગળવાર સવાર સુધીમાં દેશભરમાં કોરોના વાયરસના 311565 એક્ટિવ કેસ છે.

મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ 260924 કેસ નોંધાયા છે જ્યારે 10482 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. મહારાષ્ટ્ર બાદ તમિલનાડૂમાં કોરોના વાયરસના સૌથી વધારે કેસ નોંધાયા છે. તમિલનાડૂમાં અત્યાર સુધીમાં કુલ 142798 કેસ નોંધાઈ ચૂક્યા છે જેમાંથી 2032 લોકો કાળનો કોળિયો બની ગયા છે. ત્યારબાદ દિલ્હીમાં 113740 કેસ નોંધાયા છે જ્યારે 3371 લોકોએ જીવ ગુમાવ્યા છે. ગુજરાતમાં 42810 લોકો સંક્રમણમાં આવ્યા છે 2057 લોકોના મોત થયા છે.

દુનિયાભરમાં કોરોના વાયરસના અત્યાર સુધીમાં 13099088 કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાંથી 572981 લોકોના મોત નિપજ્યા છે જ્યારે 7246649 લોકો સ્વસ્થ્ય થવામાં સફળ થયા છે. સમગ્ર દુનિયામાં અત્યારે 5279458 કેસ એક્ટિવ છે. સતત વધી રહેલા કેસના કારણે દુનિયામાં સૌથી વધારે કેસ ધરાવતા દેશોની યાદીમાં પહેલા સ્થાન પર અમેરિકા, બીજા સ્થાન પર બ્રાઝિલ ત્રીજા સ્થાન પર ભારત અને ચોથા સ્થાન પર રશિયા છે.

July 13, 2020
ICAI.jpg
1min4640

ઇન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટસ ઓફ ઇન્ડિયાએ આજે તા.13મી જુલાઇ 2020ના રોજ સુપ્રીમ કોર્ટમાં વિડીયો કોન્ફરન્સિંગથી થયેલા હિયરિંગમાં એવી એફિડેવિટ ફાઇલ કરી હતી કે સી.એ.ની જુલાઇ ઓગસ્ટ 2020માં લેવાનારી તમામ પરીક્ષા કોરોના પેન્ડેમિકને કારણે શકય નથી હવે મે-2020 સાઇકલની તમામ પેન્ડિંગ પરીક્ષાઓને હાલ રદ કરીને તેને નવેમ્બર 2020 એક્ઝામ સાઇકલમાં મર્જ કરી દેવામાં આવી છે.

સુપ્રીમ કોર્ટના જસ્ટીશ એ.એમ. ખાનવીલકર ની આગેવાની હેઠળની બેંચ સમક્ષ આઇસીએઆઇના પ્રતિનિધિઓએ પોતાનો પક્ષ રજૂ કર્યો હતો.

The Institute of Chartered Accountants of India (ICAI) Monday informed the Supreme Court that the May cycle of CA examination, scheduled between July 29 and August 16, has been cancelled due to the COVID-19 pandemic. The counsel appearing for ICAI told a bench headed by Justice A M Khanwilkar that now the May cycle examination will be merged with the November 2020 cycle of the CA exam.

The apex court was hearing through video-conferencing a plea which had challenged the ‘opt out’ option provided by ICAI alleging that it “arbitrarily” discriminate between the aspirants in May cycle of CA examination.
The plea had also sought more exam centres across the country.

The bench, after hearing the submissions advanced by ICAI’s counsel, disposed of the matter.