CIA ALERT

ગુજરાત Archives - Page 49 of 155 - CIA Live

November 18, 2020
breaking_CIA-1280x831.jpg
1min432

ગુજરાતમાં આજે તા.18મી નવેમ્બર 2020ના રોજ ત્રણ મોટા ગમખ્વાર માર્ગ અકસ્માતોમાં 19થી વધુ લોકોના મોત નિપજ્યા હોવાની માહિતી સાંપડી છે. વડોદરા નજીક પાવાગઢ જઇ રહેલા સુરતના રહેવાસીના એક ટેમ્પોને નડેલા અકસ્માતમાં 5 મહિલા સહિત 12 લોકોના મોત થયા હતા જ્યારે 16 ઈજાગ્રસ્ત થયા હતા. વાહન અકસ્માતના બીજા બનાવમાં સુરેન્દ્રનગર-લખતર રોડ પર કાર ઝાડ સાથે અથડાતા 4 લોકોના મોત થયા છે જ્યારે એકને ઈજાઓ થઈ છે. અકસ્માતનો ત્રીજો બનાવ સુરતના બારડોલી દસ્તાન ફાટક પાસે પણ વહેલી સવારે 6 વાગ્યાની આસપાસ બે ખાનગી ટ્રાવેલ્સ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં 20 જેટલા મુસાફરોને ઈજા થતાં 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

આજે વહેલી સવારે 4 વાગ્યાની આસપાસ વડોદરા નેશનલ હાઇવે પર ટેમ્પો અને ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં 10 લોકોના મોત થયા હોવાની માહિતી મળી રહી છે. સ્થાનિક મીડિયા રિપોર્ટ મુજબ મૃતકોમાં 5 મહિલાઓ અને બે બાળકો શામેલ છે. અકસ્માતમાં 17 લોકોને ગંભીર ઈજાઓ થતાં સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

મીડિયા રિપોર્ટ મુજબ અકસ્માતમાં મોતને ભેટનાર લોકો સુરતના વરાછા અને પૂણે ગામમાં રહેતા હતા અને સુરતમાં હીરા ઉદ્યોગમાં નોકરી-ધંધા સાથે સંકળાયેલા હતા. આ લોકો રાત્રે 12 વાગ્યે સુરતથી પાવાગઢ દર્શન કરવા માટે રવાના થયા હતા. આ દરમિયાન વહેલી સવારે વડોદરા નજીક અકસ્માત નડ્યો હતો.

સુરત બારડોલી રોડ પર બે લક્ઝરી બસો અથડાઇ

કડોદરા-બારડોલી રોડ પર દસ્તાન ફાટક પાસે બે ખાનગી બસ વચ્ચે અકસ્માતમાં 20 જેટલા મુસાફરોને સામાન્ય ઇજા થઈ છે. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે સુરતની સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

સુરેન્દ્રનગરમાં કાર ઝાડ સાથે અથડાતા અકસ્માત

સુરેન્દ્રનગરમાં ગઈકાલે મોડીરાત્રે કાર અકસ્માતની ઘટના 4 લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે એકને ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ આ અકસ્માત લખતર હાઈવે પર થયો છે. કારચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા ગાડી ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માત પછી આસપાસના લોકોના ટોળા એકઠા થયા હતા અને પોલીસ અને 108 એમ્બ્યુલન્સની ટીમને અકસ્માત અંગે જાણ કરવામાં આવી હતી.

November 16, 2020
saurashtratour.jpg
1min5250

આ વખતે કોવીડ-19ને કારણે ગુજ્જુઓએ આંતર રાજ્ય પ્રવાસોની જગ્યાએ ગુજરાતમાં ને ગુજરાતમાં જ પ્રવાસ કરવાનું મુનાસિબ માન્યુ છે અને એ જ કારણોસર સૌરાષ્ટ્રના તમામ ડેસ્ટીનેશન્સ ફુલ થઇ ગયા છે. સૌરાષ્ટ્રના ટુરીસ્ટ્સ પ્લેસીસ જેમકે ગીરનાર, ભવનાથ, દ્વારકા, સોમનાથ, સાસણગીર તેમજ અનેક નાના મોટા ડેસ્ટીનેશન્સ પર ભારે ભીડ ઉમટી પડ્યાના અહેવાલો છે.

પ્રકાશપર્વ દીપાવલીની રજાઓ ગાળવા પ્રવાસીઓ કુદરતી સાનિધ્ય ગિરનાર, ભવનાથ અને સાસણમાં ઉમટતા મેળામય માહોલ છવાયો છે. રીસોર્ટ, ફાર્મહાઉસ, ગેસ્ટ હાઉસો, રેસ્ટોરન્ટો હાઉસફુલ થયા છે. આ પ્રવાસીઓ કોરોનાને વિસરી રજાની મજા માણી રહ્યા છે.
છેલ્લા સાત-આઠ માસથી કોરોનાને કારણે લોકો ઘરબંધીમાં ફેરવાયા હતા પરંતુ હવે કોરોના સંક્રમણ ઘટતા અને લોકો પણ કોરોનાના ભયથી દૂર થયા છે. દિવાળી પર્વની રજા માણવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ કુદરતી વાતાવરણ માણવા માટે ગિરનાર, ભવનાથ, સાસણ, તુલસીશ્યામ, માધવપુર જેવાં સ્થળોએ નીકળી પડયા છે.

ગિરનાર રોપ-વેમાં ઊંચા ભાડાદર હોવા છતાં પ્રવાસીઓ ઉમટતા રોપ-વેની તમામ 25 ટ્રોલીઓ અવિરત દોડવા લાગી છે. આ ભાડા પરવડે તેમ ન હોય તેવા શારીરિક સક્ષમ પ્રવાસીઓ પગથિયાં ચડી ગિરનાર દર્શન માટે સીડી ઉપર લાઇનો લાગી છે. જોકે રોપ-વેમાં ભારે ભીડ થતાં પ્રવાસીઓને કલાકો સુધી તડકામાં શેકાવું પડયું હતું. તેવી રીતે ભવનાથ તળેટીમાં પ્રવાસીઓની ભીડ જામી છે. જટાશંકર, કાશ્મીરીબાપુની જગ્યા તથા ગિરનારના ટેકરાઓ ઉપર પ્રવાસીઓની ભીડ નજરે પડયા છે જ્યારે ઉપરકોટ, સક્કરબાગમાં પણ પ્રવાસીઓની લાઇનો લાગી છે. તેથી જૂનાગઢ શહેરનાં રેસ્ટોરન્ટ, ગેસ્ટહાઉસોમાં ભીડ જામી છે.

જયારે સિંહદર્શન માટેના એકમાત્ર સ્થળ સાસણમાં પ્રવાસીઓનો મેળાવડો જામ્યો છે. સિંહદર્શન પણ હાઉસફુલ થયું છે. ઓનલાઇન બુકિંગ પૂરું થતાં પ્રવાસીઓને સિંહદર્શનનો લાભ મળે તેમ ન હોય તેથી દેવળિયામાં સિંહદર્શન કરી પ્રવાસીઓ સંતોષ માની રહ્યા છે. પ્રવાસીઓની ભીડને કારણે સાસણના રીસોર્ટ, ફાર્મહાઉસ, રેસ્ટોરન્ટ, ગેસ્ટહાઉસ હાઉસફુલ થયા છે.

ઉપરાંત તુલસીશ્યામમાં વન્ય સંપદા અને કુદરતના ખોળે પ્રવાસીઓ મજા માણી રહ્યા છે. તેમ માધવપુરના દરિયા કિનારે પણ પ્રવાસીઓની ભીડ જોવા મળી છે. આ માનવ મહેરામણ જોતા લોકોએ કોરોનાનો ડર દૂર કર્યો હોય તેમ જણાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે દિવાળીના તહેવારોમાં રજાની મજા પરિવાર સાથે માણવા લોકો વર્ષોવર્ષ મોટી સંખ્યામાં આવે છે. તેમ આ વર્ષે પણ પ્રવાસીઓની ભીડ સારી જામી છે અને પ્રવાસીઓ પ્રકૃતિના ખોળે રજાની મજા માણી રહ્યા છે.

November 14, 2020
diwalimuhurt.jpeg
1min5760
diwali shubh muhurat auspicious time table for lakshmi ganesh puja from 540  am to 815 pm on 14th november know deepawali start end date puja vidhi step  by step according to drik

આજરોજ તા.14મી નવેમ્બરે સવારે કાળી ચૌદશ અને સાંજે છ વાગ્યાથી દિવાળીનું મૂહુર્ત છે. આથી આજે બપોર બાદ મોડી રાત સુધી ગુજરાતના વેપાર, વણજ ધંધા, રોજગારોમાં દિવાળીના શુકનના સોદા થશે.

ગુજરાતમાં દિવાળી અને લાભ પાંચમના દિવસે બજારોમાં શુભ મુહૂર્તમાં સોદા કરવાની વેપારીઓની પરંપરા આ વર્ષે પણ જળવાશે. કોરોનાને લીધે મોટા ભાગના વેપાર ઘંઘાને ભારે અસર થઈ છે.

ગુજરાતના ધંધારોજગારો, વેપાર વણજ ક્ષેત્રે ધંધામાં ચોપડાં પૂજનના કાર્યક્રમો પણ રાખવામાં આવ્યા છે. એ પછી વેપારીઓ ફટાકડાં ફોડીને દિવાળીની ઉજવણી કરશે.

આજે મહાલક્ષ્મી પૂજા અને દિવાળીનું પર્વ મનાવવામાં આવશે. ધાર્મિક ગ્રંથોમાં જણાવ્યા અનુસાર કારતક મહિનાની અમાસના દિવસે સમુદ્રમંથનમાંથી લક્ષ્મીજી પ્રગટ થયાં હતાં. એટલા માટે જ આ દિવસે લક્ષ્મીપૂજા કરવામાં આવે છે. પદ્મપુરાણ અનુસાર આ દિવસે દીપદાન કરવું જોઈએ, તેનાથી તમામ પાપોનો નાશ થાય છે. એટલા માટે જ આ દિવસે દીવા પ્રગટાવવામાં આવે છે. દીવડાંની હારમાળાને કારણે જ તેને દીપાવલી (દીપ અવલી) કહેવામાં આવે છે.

November 13, 2020
breaking_CIA-1280x831.jpg
2min16910

દસ લાખથી વધુની વસતિને ભાજપા સરકાર તરફથી આનાથી મોટી દિવાળી ભેંટ શું હોઇ શકે?

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગે તા.12 નવેમ્બર 2020ના રોજ એક મહત્વનો પરિપત્ર જારી કરીને એવો નિર્દેશ કર્યો છે કે 20 હિન્દુ પેટાજ્ઞાતિઓ અને 12 મુસ્લિમ પેટાજ્ઞાતિઓ મળીને કુલ 32 જ્ઞાતિઓને બિન અનામત વર્ગમાં સામેલ કરવામાં આવી છે. હવે આ નવી ઉમેરાયેલી જ્ઞાતિઓના યુવક-યુવતિઓને ગુજરાત સરકારના બિન અનામત આયોગ સંચાલિત જુદી જુદી અભ્યાસ તેમજ અર્થોપાર્જન યોજનાઓનો લાભ મળતો થશે.

આ પહેલા ગુજરાત સરકારે જ્યારે બિનઅનામત જ્ઞાતિ આયોગની રચના કરી હતી ત્યારે કુલ 69 જ્ઞાતિઓને સમાવવામાં આવી હતી. બાદમાં જુદી જુદી જ્ઞાતિઓના અરજદારો તરફથી મળેલી રજૂઆતો બાદ ફરી વખત તેમાં તા.12મી નવેમ્બર 2020ના રોજ વધુ 32 જ્ઞાતિઓ ઉમેરવામાં આવી છે. હવે કુલ 101 જ્ઞાતિઓ બિનઅનામત જ્ઞાતિ આયોગની જુદી જુદી યોજનાઓનો લાભ મેળવી શકશે.

બિન અનામત વર્ગમાં સમાવિષ્ટ હિન્દુ પેટા જ્ઞાતિઓ

  • હિંદુ વાલમ બ્રાહ્મણ
  • ખંડેલવાલ
  • મોઢવણિક
  • મોઢ વાણિયા
  • ખેડાવાળ બ્રાહ્મણ
  • બાજ ખેડાવાળ બ્રાહ્મણ
  • સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ
  • જેઠી મલ્લ , જેષ્ઠિ મલ્લ , જયેષ્ઠિ મલ્લ
  • પુરબીયા રાજપુત ક્ષત્રિય
  • હિંદુ આરેઠિયા
  • વાવિયા
  • હિંદુ મહેતા
  • મોરબીયા
  • જોબનપુત્રા
  • પુરોહિત, રાજપુરોહિત
  • મારુ રાજપુત
  • અમદાવાદ રાવત (રાજપુત)

મુસ્લિમ જ્ઞાતિઓ

  • કુરેશી મુસ્લિમ
  • સુન્ની મુસલમાન
  • વ્હોરા પટેલ
  • સુન્ની મુસલમાન
  • ખેડવાયા મુસલિમ
  • મુસ્લિમ ખત્રી
  • બુખારી
  • મોમીન સુથાર
  • મોમીન
  • સુથાર મુમન
  • મુસ્લિમ રાઉમા મુસ્લિમ રાયમા
  • મુસ્લિમ વેપારી

બિન અનામત વર્ગ માટે ગુજરાત સરકાર આટલી યોજનાઓ ચલાવી રહી છે

Gujarat Unreserved Educational & Economical Development corporation Various  Scheme for 2019 Apply Online - Whatsfreebuy

દસ લાખ ઉપરાંતની વસતિને આનાથી મોટી દિવાળી ગીફ્ટ શું હોઇ શકે

ગુજરાત સરકારે 32 જ્ઞાતિઓને બિન અનામત વર્ગમાં મૂકી છે. આ જ્ઞાતિઓની કુલ વસતિ અંદાજે 10 લાખથી વધુની થવા જાય છે. આ જ્ઞાતિઓ માટે દિવાળીથી મોટી ગીફ્ટ શું હોઇ શકે. બીજી તરફ એ પણ બાબત નોંધપાત્ર છે કે ભાજપા મુસ્લિમ વિરોધી પાર્ટી તરીકે જે બદનામી તેના વિરોધીઓ દ્વારા કરવામાં આવી છે તેનાથી વિપરીત ગુજરાતમાં ભાજપા સરકારે નવી 12 મુસ્લિમ પેટાજ્ઞાતિઓને બિન અનામત વર્ગ કેટેગરીમાં સમાવેશ કર્યો છે અને એ પણ તેની કોઇ ગાઇ વગાડીને જાહેરાત કર્યા વગર.

પેટા ચૂંટણી પછી અને જોરશોર વગર ચૂપકેથી આ નિર્ણય જાહેર કરી દેવાયો

સવાલ એ પણ ઉઠે છે કે ગુજરાતની ભાજપા સરકાર માટે આ પ્રક્રિયા એક ક્રેડિટ કેસ તરીકે માઇલેજ અપાવી શકે તેવી છે. આમ છતાં ગુજરાત સરકારે પેટાચૂંટણીઓ પછી જાહેરાત કરી છે અને એ પણ કોઇપણ પ્રકારની જોરશોરથી જાહેરાત કર્યા વગર ચૂપકેથી.

અમારા તરફથી સી.આઇ.એ. લાઇના એક્ઝીક્યુટિવ એડિટર જયેશ બ્રહ્મભટ્ટે આ અંગે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી શ્રી ઇશ્વરભાઇ પરમારને સંપર્ક કર્યો ત્યારે તેમણે કહ્યું કે મારી પાસે બધી ડિટેઇલ આવે એટલે તમને કહું છું પરંતુ, તેમનો કોલ આવ્યો નથી.

November 13, 2020
ahmedabadtesting.jpg
1min7220

કોરોના ટેસ્ટીંગમાં બે પ્રકારના લોકો જોવા મળી રહ્યા છે. એક એવા કે જેઓ તમામ પ્રકારના લક્ષણો હોવા છતાં ટેસ્ટીંગથી દૂર ભાગતા હોય છે, પરાણે ટેસ્ટ થાય છે. જ્યારે બીજી તરફ એવા લોકો પણ છે જેઓ બિનજરૂરી રીતે કોરોના ટેસ્ટ કરાવતા હોય છે. બીક, ડર, ભયને કારણે એવા પણ લોકો છે જે અઠવાડીયે અઠવાડીયે ટેસ્ટીંગ કરાવે છે.

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને નવી પ્રથા શરૂ કરી

લોકો વારંવાર કોરોનાનો ટેસ્ટ કરાવી રહ્યા છે ત્યારે અમદાવાદ મનપા દ્વારા કોરોનાના સંક્રમણને અટકાવવા માટેની રણનીતિ બદલી છે. લોકો વારંવાર ટેસ્ટિંગ ન કરાવે એ માટે એકવાર ટેસ્ટ કરનારી વ્યક્તિની આંગળી પર કાળી શાહી લગાવવામાં આવશે તેમજ શરદી-ખાંસીની ફરિયાદ સાથે લોકો ટેસ્ટ કરાવવા પહોંચતાં ટેસ્ટિંગ કરતાં સેન્ટરો પર લાંબી લાઈનો લાગી રહી છે, જેને અટકાવવા માટે હવે ૧૦૦ ડિગ્રી તાવ ધરાવતા દર્દીઓનો જ કોરોના ટેસ્ટ કરવામાં આવશે.

જે લોકોને લક્ષણો નથી છતાં પણ તેઓ ડોમમાં અને અન્ય જગ્યાએ ટેસ્ટ કરાવવા માટે આવતા હતા, જેથી હવે જેને કોરોનાનાં લક્ષણો, જેવાં કે તાવ, શરદી, ઉધરસ હોય તેમના જ ટેસ્ટ કરવામાં આવશે. જે લોકો કોરોના પોઝિટિવ દર્દીના કોન્ટેક્ટમાં જેવા કે પોઝિટિવ દર્દીના ઘરમાં રહેલા લોકો અને તેની સાથેના લોકોના ટેસ્ટ કરવામાં આવશે. જેને લક્ષણ નહીં હોય તેને હવે ટેસ્ટ કરાવવાની જરૂર નથી.

November 11, 2020
backtoschool.png
1min4630

ગુજરાત સરકારે એક મોટો નિર્ણય લેતા 23 નવેમ્બરથી સ્કૂલોમાં ધોરણ 9થી 12ના વર્ગો શરુ કરવાની જાહેરાત કરી દીધી છે. જોકે, સ્કૂલે આવવું વિદ્યાર્થીઓ માટે ફરજિયાત નહીં હોય. સ્કૂલો શરુ થાય ત્યારે આચાર્યએ તમામ તકેદારી રાખવાની રહેશે તેમ પણ સરકાર દ્વારા જણાવાયું છે.

સ્કૂલો દ્વારા રોજેરોજ શિક્ષકોના ટેમ્પ્રેચર પણ લેવામાં આવશે. આ સિવાય બાળકને સ્કૂલે મોકલતા પહેલા વાલીઓની લેખિત મંજૂરી પણ ફરજિયાત બનાવાઈ છે. સ્કૂલો ઉપરાંત, પીજી, મેડિકલ, પેરામેડિકલ કોલેજ અને સ્નાતક કોલેજના અંતિમ વર્ષના વર્ગો શરુ કરાશે.

ઠંડીમાં કોરોનાના કેસ વધે તેવી શક્યતા વચ્ચે સ્કૂલો શરુ કરવાના નિર્ણય સામે કચવાટ જોવા મળી રહ્યો છે.

November 10, 2020
bjp_logo.png
1min5180

ગુજરાતમાં ફરી BJPનું કેસરીયા રોલર ફરી વળ્યું :

ગુજરાતની તમામ 8 બેઠકો પર પેટાચૂંટણીના પરિણામમાં ભાજપે તમામ આઠેય બેઠકો પર વિજય મેળવીલીધો છે. ચૂંટણીના પરિણામ જાહેર થાય તે પહેલાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે પ્રેસ કૉન્ફરન્સ સંબોધી હતી. વિજય રૂપાણીએ જણાવ્યું કે ‘આવનારા દિવસોમાં હવે ભાજપના 111 ધારાસભ્યો થઈ જશે, પ્રજા જાણે છે અને તેના કારણે જ કૉંગ્રેસની આવી હાલત છે.’

મુખ્ય પ્રધાન રૂપાણીએ જણાવ્યું કે ‘પેટાચૂંટણીના આ પરિણામો વર્ષ 2022માં યોજાનારી વિધાનસભાની ચૂંટણીનું ટ્રેલર છે. આગામી જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો, મહાનગર પાલિકાની ચૂંટણીનું આ પરિણામ છે. કૉંગ્રેસે આ ચૂંટણીમાં ખૂબ આક્ષેપો કર્યા છે પરંતુ પ્રજાએ કૉંગ્રેસને સ્થાન દેખાડી દીધું છે. અમે ફક્ત જીત્યા નથી જંગી બહુમતીથી ચૂંટણી જીત્યા છીએ’

સી.આર. પાટીલે જણાવ્યું કે ‘કોઈ એક મુદ્દા પર ચૂંટણી જીતી શકાતી નથી. પરંતુ અમે પેજ કમિટિને ખૂબ મહત્ત્વ આપ્યું હતું. અમે લોકો સુધી પહોંચવા માટે લોકો સુધી યોજનાઓનો લાભ પહોંચાડવો અને કાર્યકર્તાઓએ જે મહેનત કરી છે તે ખૂબ મહત્ત્વનો ભાગ છે. વડાપ્રાન મોદીની કામ કરવાની જે રીતની પદ્ધતિ છે. તેમના દ્વારા બનેલી યોજનાઓ દરેક તબક્કાને મળે તેવું કામ કર્યુ છે. મતદારો સાથે સંપર્ક કરવામાં કાર્યકરોએ જે કામ કર્યુ છે તેનું આ પરિણામ છે’

કોરોના મહામારી વચ્ચે પેટા ચૂંટણીમાં 60.75 ટકા મતદાન થયું હતું. ધારી બેઠક પર ભાજપના જેવી કાકડિયાની જીત થઈ હતી. કોંગ્રેસ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ હાર સ્વીકારી હતી અને ટ્વીટરમાં આ બાબતે પોતાનો વિચાર પણ વ્યક્ત કર્યો હતો.

November 9, 2020
breaking_CIA-1280x831.jpg
1min7670

Jayesh Brahmbhatt 98253 44944

ગુજરાતમાં મેડીકલ, ડેન્ટલ, હોમિયોપેથી અને આયુર્વેદિક કોલેજોના પહેલા વર્ષમાં પ્રવેશ માટે ઓનલાઇન રજિસ્ટ્રેશનના આજે તા.9મી નવેમ્બરે અંતિમ દિવસે સાંજે 7 કલાકે પ્રવેશ સમિતિએ મહત્વની જાહેરાત કરી છે.

મેડીકલ અને પેરામેડિકલ એડમિશનના નિયમમાં મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. ગુજરાત હાઇકોર્ટે આપેલી માર્ગદર્શક સૂચનાનું પાલન કરતા આ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો છે.

એડમિશ કમિટીની વેબસાઇટના હોમ પેજ પર મૂકવામાં આવેલી સૂચના મુજબ 2017માં ધો.10 ગુજરાત રાજ્યની બહારથી પાસ કર્યુ હોય તેવા વિદ્યાર્થીઓને ગુજરાતમાં મેડીકલ અને પેરામેડીકલમાં પ્રવેશ માટે લાયક ગણવામાં આવ્યા ન હતા. જેની સામે ગુજરાત હાઇકોર્ટમાં રિટ પીટીશન થતાં ગુજરાત હાઇકોર્ટે ફક્ત આ વર્ષ માટે જેમણે ધો.10 ગુજરાત બહારના રાજ્યોમાંથી પાસ કર્યું હોય તેવા વિદ્યાર્થીઓને અન્ય નિયમોની પૂર્તતાની શરતે પ્રવેશ કાર્યવાહીમાં સમાવવા માટે સૂચના આપી છે.

એડમિશન કમિટીના હોમપેજ પર રજૂ કરાયેલી સૂચનાનો સ્ક્રીન શોટ

નવા નિયમનું નોટિફિકેશન તા.9મી નવેમ્બરે જાહેર કરાયું

Online Registration પ્રક્રિયા લંબાવવામાં આવી, તા.10મી નવેમ્બર સુધી રજિસ્ટ્રેશ થઇ શકશે

November 9, 2020
carlos-g-valls.jpeg
1min1026

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ફાધર કાર્લોસ જી. વાલેસને સવાયા ગુજરાતી તરીકે સંબોધવા પડે. કેમકે તેઓ જન્મે અને નખશીખ સ્પેનિશ (સ્પેન દેશના) પણ કર્મે અસ્સલ ગુજરાતી, કેમકે ગુજરાતમાં રહ્યા, કર્મભૂમિ ગુજરાતી બનાવી, ગુજરાતી ભાષામાં 75 જેટલા પુસ્તકો લખ્યા અને ક્યારેય બેસ્ટ સેલરનો દાવો કર્યો નહીં આ છતાં આજેય એ પુસ્તકોની લોકપ્રિયતાનો ગ્રાફ ક્યારેય નીચે નથી જોવાયો, એવા સવાયા ગુજરાતી ફાધર વાલેસનું આજે તા.9મી નવેમ્બર 2020ના રોજ તેમના મૂળ વતન સ્પેન ખાતે નિધન થયાના સમાચારે ગુજરાતી સાહિત્ય જગતમાં ઘેરા શોકની લાગણી પ્રસરાવી દીધી છે.

મૂળ સ્પેનના ફાધર કાર્લોસ જી. વાલેસે ગુજરાતીમાં 75 પુસ્તકો લખ્યા છે અને બેસ્ટ સેલરનો એકેય દાવો કર્યો ન હોવા છતાં આજેય એ પુસ્તકો લોકપ્રિય

ફાધર વાલેસે ગુજરાતમાં 1958થી અમદાવાદની સેંટ ઝેવિયર્સ સ્કુલમાં ગણિત વિષયના શિક્ષક તરીકે કારકિર્દી શરૂ કરી હતી એ પછી તેમણે ગુજરાતી સાહિત્ય ક્ષેત્રમાં અનેક પુસ્તકોનું પ્રદાન કર્યું.

ગુજરાતી સાહિત્યમાં ફાધર વાલેસે કરેલા પ્રદાન માટે તેમને કુમાર ચંદ્રક રણજિતરામ સુવર્ણચંદ્રકથી પણ નવાજવામાં આવ્યા હતા.

તેઓ નિવૃત્તિ બાદ વતન સ્પેન પરત ફર્યા હતા. કાર્લોસ જી વાલેસને ગુજરાતની પ્રજાએ પણ ભરપૂર પ્રેમ આપ્યો હતો. સ્પેનિશ હોવા છતાં તેઓ ગુજરાતી શીખ્યા હતા, અને સવાયા ગુજરાતી બની રહ્યા હતા.

November 6, 2020
CIA_Live_Logo_New2.jpg
1min7310

આગામી તા.8મી નવેમ્બર 2020ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેનું વર્ચ્યુઅલ ઉદઘાટન કરવાના છે અને ભાજપવાળાઓ જેના નામે શ્રેય ખાટી રહ્યા છે એ હજીરા ઘોઘા વચ્ચે રો પેક્સ ફેરી સર્વિસ આજે તા.6 નવેમ્બર 2020ના રોજ ટ્રાયલ રન વખતે જ દરિયામાં ટેકનિકલ ખામીને કારણે ખોટકાઇ રહ્યું છે.

દહેજ ઘોઘા ખાતે ગણતરીના મહિના સર્વિસ ચાલ્યા બાદ એ અચોક્કસ મુદત માટે બંધ થઈ ચૂકી છે, હવે હજીરા ઘોઘા વચ્ચે રૉ પેક્સ ફેરી સેવા શરૂ થાય એ પહેલા ટ્રાયલ રન વખતે જ બંધ થતાં આ મુદ્દો ભારે ચર્ચાસ્પદ બન્યો છે. રૉ પેક્સ સર્વિસ માટે જે જહાજ આપવામાં આવ્યું છે તેની આવરદા અને તેની ક્ષમતા બન્ને અંગે નિષ્ણાંતો સવાલો ઉઠાવી રહ્યા છે.

8/11/2020 થી શરૂ થનારી રૉ પેક્સ ફેરી સર્વિસનું બુકિંગ પણ શરૂ કરી દેવાયું હતું

https://www.dgseaconnect.com/ વેબસાઇટ પર હજીરા અને ઘોઘા વચ્ચેની આ દરીયાઇ સેવા ભલે તા.8મી નવેમ્બરથી શરૂ થવાની હોય પરંતુ, તેનું બુકિંગ પણ શરૂ કરી દેવાયું છે. હવે આ સર્વિસ તા.8મીથી શરૂ થાય છે કે કેમ તે અંગે શંકાઓ પ્રવર્તી રહી છે.