CIA ALERT

બિઝનેસ Archives - Page 37 of 90 - CIA Live

April 1, 2021
breaking_CIA-1280x831.jpg
4min698

Jayesh Brahmbhatt 98253 44944

કેન્દ્ર સરકારે તા.૩૧મી માર્ચ ૨૦૨૧ના રોજ નાની બચત યોજનાઓ પરના વ્યાજ દરમાં અડધાથી એક ટકાનો ઘટાડો કરવાની કરેલી જાહેરાતને ગણતરીના કલાકોમાં જ પરત ખેંચીને અગાઉના વ્યાજના દર યથાવત રાખવામાં આવશે એવી જાહેરાત કરી છે. દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણે તા.૧લી એપ્રિલ ૨૦૨૧ની સવારે ૭.૫૪ મિનિટે ટ્વીટ કરીને જાણકારી આપી હતી કે નાની બચતની યોજનાઓ પર વ્યાજના દરો માર્ચ ૨૦૨૧ની અસરથી (એટલે કે જુના દર અનુુુુુસાર) ચાલુ રહેશે.

વ્યાજદરોમાં ઘટાડો કરવાની જાહેરાતને પગલે સમગ્ર દેશમાં નાનાબચતકારોમાં ભારે અસંતોષ વ્યાપી ઉઠ્યો હતો. કોરોના કાળમાં આમેય રોજગાર પર અસર પડી છે ત્યારે નાનીબચત યોજનાઓના વ્યાજદર ઘટવાની જાહેરાતે સમગ્ર દેશમાં કચવાટ ફેલાવી દીધો હતો. ખાસ કરીને સિનિયર સિટીઝન્સ માટે તો આ એકમાત્ર આવકનું સાધન ગણાય છે. દેશમાં વ્યાપેલા રોષને પગલે કેન્દ્ર સરકારે રાતોરાત પોતાનો નિર્ણય ફેરવવો પડ્યો હોવાનું જણાય આવે છે.

નાણામંત્રી નિર્મલા સીતારમણે Tweet કરીને જાણકારી આપી

The government on Thursday decided to withdraw interest rate cut order on small savings schemes. “Interest rates of small savings schemes of GoI (government of India) shall continue to be at the rates which existed in the last quarter of 2020-2021, ie, rates that prevailed as of March 2021. Orders issued by oversight shall be withdrawn,” Union finance minister Nirmala Sitharaman wrote on Twitter.

હાલમાં આ દરો અનુસાર વ્યાજની ગણતરી કરવામાં આવે છે

Interest rates on small savings schemes
InstrumentsRatesCompounding frequency
Savings deposit4.00%Annually
1-year5.50%Quarterly
2-year5.50%Quarterly
3-year5.50%Quarterly
5-year6.70%Quarterly
5-year Recurring Deposit5.80%Quarterly
Senior Citizens Saving Scheme7.40%Quarterly and paid
Monthly income account6.60%Monthly and paid
National Savings Certificate6.80%Annually
PPF7.10%Annually
Kisan Vikas Patra6.90%Annually
Sukanya Samriddhi Account Scheme7.60%Annually
Source: * Kisan Vikas Patra’s maturity has been revised from 124 months to 138 months. (મિનિસ્ટ્રી ઓફ ફાયનાન્સ)

આ પહેલા તા.૩૧-૩-૨૧ ની સાંજે સરકારે આ પ્રમાણે સ્મોલ સેવીંગ્સ સ્કીમ્સના વ્યાજદરમાં ઘટાડાની જાહેરાત કરી હતી

નિશ્ચિત આવક આપતી તમામ નાની બચત સ્કિમોના વ્યાજદર મોરચે પણ જબરજસ્ત ફટકો સરકારે માર્યો છે. ઘટતા જતા વ્યાજદરની નીતિ સરકારે ચાલુ રાખતા નાણાકીય વર્ષના અંતિમ દિવસે વ્યાજદરમાં તોતીંગ ઘટાડો કર્યો છે. વ્યાજની આવક પર જીવતા અને કોરોનાકાળમાં વ્યાજથી થોડી ઘણી કમાણી કરતા લોકોને મોટી ખોટ હવે જશે. કારણકે અર્ધાથી એક ટકા સુધીનો ઘટાડો એપ્રિલથી જૂન સુધીના સમયગાળા માટે કરવામાં આવ્યો છે.

હવે વ્યાજદર ઘટાડો લાગૂ નહીં પડે

પીપીએફ, નેશનલ સેવિંગ સર્ટિફિકેટ, સુકન્યા સમૃધ્ધિ યોજના, સિનીયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ વગેરે તમામના વ્યાજદર ઘટી ગયા છે. પબ્લિક પ્રોવિડન્ટ ફંડના વ્યાજદર 6.4 ટકા ત્રણ માસ માટે કરી દેવામાં આવ્યા છે. જે 7.1 ટકા અત્યાર સુધી હતા.

સેવિંગ્સ ડિપોઝીટનું વાર્ષિક વ્યાજ હવે4 ટકાથી ઘટાડીને 3.5 ટકા કરાયું છે. એક વર્ષની ટાઇમ ડિપોઝીટના દર5.5થી ઘટાડીને 4.4 ટકા, બે વર્ષના 5.5માંથી 5 ટકા, ત્રણ વર્ષના 5.5માંથી 5.1 ટકા અને પાંચ વર્ષની ટાઇમ ડિપોઝીટના દર 6.7માંથી 5.8 ટકા કરી નાંખવામાં આવ્યા છે. પાંચ વર્ષની રિકરીંગ ડિપોઝીટ સ્કિમના દર 5.8 ટકામાંથી 5.3 ટકા કરી નાંખવામાં આવ્યા છે. સિનીયર સિટીઝનને થતી આવકને સરકારે મોટો ફટકો માર્યો છે.

મોટાંભાગના સિનીયર સિટીઝન જે સ્કીમમાં પૈસા રોકે છે તે સેવિંગ સ્કિમમાં 7.4 ટકાનો દર હતો તે સીધો 6.5 ટકા કરી નાંખવામાં આવ્યો છે.

માસિક આવક યોજનાનું વ્યાજ હવે 5.7 ટકા મળશે. જે અગાઉ 6.6 ટકા હતુ. નેશનલ સેવિંગ્સ સર્ટીફિકેટ પર 6.8 ટકા વ્યાજ મળતું હતુ તે હવે ફક્ત 5.9 ટકા મળશે. સુકન્યા સમૃધ્ધિ યોજનામાં હવે 6.9 ટકા વ્યાજ મળશે. જે અત્યાર સુધી 7.6 ટકા મળતું હતુ. જેની ગણતરી વાર્ષિક ધોરણે કરવામાં આવે છે. કિસાન વિકાસપત્ર પર 6.9ને બદલે 6.2 ટકા વ્યાજદર મળશે. આમ 124 મહિને પાકતું સર્ટિફિકેટ હવે 138 મહિને પાકશે.

March 31, 2021
TRAI.png
9min678

ટેલિકોમ રેગ્યુલેટરીઓથોરિટી ઓફ ઈન્ડિયા એ ગઇ તા.૨૦મી માર્ચ ૨૦૨૧ના રોજ ભારતની 40 કંપનીઓ, બેંકો વગેરેનું એક લિસ્ટ બહાર પાડ્યું છે જે ભારતમાં લાગુ કરવામાં આવેલા SMSના નિયમોનું પાલન કરવામાં નિષ્ફળ ગઈ છે. ટ્રાઇના ડિફોલ્ટર્સ લિસ્ટમાં SBI, HDFC બેંક, ICICI બેંક ઉપરાંત LIC, એક્સિસ બેંક, IDBI બેંક, એન્જલ બ્રોકિંગ, બંધન બેંક, બેંક ઓફ બરોડા, બેંક ઓફ ઇન્ડિયા, કેનેરા બેંક, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, ફેડરલ બેંક, ફ્લિપકાર્ટ, દિલ્હી, આઈડીએફસી ફર્સ્ટનો સમાવેશ થાય છે. યુનિયન બેંક જેવી બેંક મુખ્ય સંસ્થાઓ પણ આ લિસ્ટમાં શામેલ છે.

ટ્રાઇએ કહ્યું કે આ સંસ્થાઓ કન્ટેન્ટ ટેમ્પલેટ આઈડી, પીઈઆઈડી વગેરે જેવા ફરજિયાત પરિમાણોનું પાલન કરી રહી નથી, તેથી તેમને તા.૧લી એપ્રિલ ૨૦૨૧થી બલ્ક મેસેજિંગની છૂટ આપી શકાય તેમ નથી. જો આ કંપનીઓ તા.૩૧મી માર્ચ પહેલા કોઈ ઈમરજન્સી પગલાં ભરી નહીં શકે તો તેમના ગ્રાહકોને નોંધાયેલા મોબાઈલ નંબર અથવા ઇમેઇલ પર ઓટીપી લેવાનું બંધ થઈ શકે છે.

ગ્રાહકોને આડેધડ મેસેજ કરતી બેંકો અને કંપનીઓનું આખું લિસ્ટ આ રહ્યું

S.No. Principal Entity Name

1 A&A DUKAAN FINANCIAL SERVICES PRIVATE LIMITED

2 Angel Broking Limited

3 AXIS BANK LIMITED

4 BAJAJ FINANCE LIMITED

5 BANDHAN BANK LIMITED

6 BANKOFBARODA

7 BANKOFINDIA

8 Canara Bank

9 Central Bank of India

10 Dakshin Haryana Bijli Vitran Nigam Limited

11 Delhivery Private Limited

12 FEDERAL BANK

13 Flipkart Internet Pvt. Ltd.

14 Freecharge Payment Technologies Private Limited

15 HDFC BANK LIMITED

16 ICICI BANK LIMITED

17 IDBI BANK LIMITED

18 IDFC FIRST BANK LIMITED

19 IndiabulIs Consumer Finance limited

20 INDIAN OVERSEAS BANK

21 INSTAKART SERVICES PRIVATE LIMITED

22 Kotak Mahindra Bank Ltd

23 Kotak Securities Limited

24 LIFE INSURANCE CORPORATION OF INDIA

25 MEDLIFE WELLNESS RETAIL PRIVATE LIMITED

26 National Stock Exchange of India Limited

27 PSI PHI GLOBAL SOLUTIONS PRIVATE LIMITED

28 PUNJAB NATIONAL BANK

29 RAJASTHAN STATE HEALTH SOCIETY

30 RBLBANKLIMITED

31 RELIANCE RETAIL LIMITED

32 SAMSUNG INDIA ELECTRONICS PRIVATE LIMITED

33 SBI Cards and Payment Services Limited

34 STATE BANK OF INDIA

35 Supermarket Grocery Supplied Private Limited

36 TATA AlA LIFE INSURANCE COMPANY LIMITED

37 UNION BANK OF INDIA

38 VEDANTU INNOVATIONS PRIVATE LIMITED

39 WOPLIN BLOCKCHAIN TECHNOLOGIES

40 Yes Bank Ltd

S.No. Defaulter Telemarketers

1 3M DIGITAL NETWORKS PVT LTD (MobTexting)

2 ACL MOBILE LIMITED

3 BBNL BharatNet NMS

4 Bhoopalam Marketing Services Pvt Ltd

5 BULKSMSGATEWAY

6 BUZIBEE TECHNOLOGIES PRIVATE LIMITED

7 Centre for development of Advanced computing

8 Christian Medical College Vellore Association

9 Cosmic Information & Technology Ltd.

10 DiGISPICE Technologies Limited

11 GreenAds Global Pvt Ltd

12 Gupshup Technology India Pvt. Ltd.

13 IMI Mobile Private Ltd

14 InfoBip

15 Infobip India Private Limited

16 INSIGHT CONSULTANCY SERVICES PRIVATE LIMITED

17 Karix MObile Pvt Ltd

18 LOTUS TRANSFORMS PRIVATE LIMITED

19 NAZI ENTERPRISES

20 NETXCELL LIMITED

21 One97 Communications Limited

22 ONEXTEL MEDIA PRIVATE LIMITED

23 Onweb Software Technologies Pvt. Ltd.

24 Parrot Infosoft Pvt Ltd

25 Pinnacle Tele services Private Limited

26 Proactive Professional Services Pvt Ltd

27 PRP SERVICES PVT. LTD.

28 RAMA INFOTECH PVT.LTD

29 Ravience Digital Pvt Ltd.

30 Ravience Digital Pvt Ltd. (Netcore)

31 ROUTE MOBILE LIMITED

32 SJS TECHCROME PRIVATE LIMITED

33 SOLUTIONS lNFlNI TECHNOLOGIES (INDIA) PVT LTD (Kaleyra)

34 Tanla

35 VALUEFIRST DIGITAL MEDIA PRIVATE LIMITED

36 VEGTER SMS SOLUTIONS PRIVATE LIMITED

37 virtuoso Netsoft Private Limited

38 VIVACONNECT PRIVATE LIMITED

39 WALKOVER WEB SOLUTIONS PRIVATE LIMITED

40 Wizhcomm Consultants and Technologies Private Limited

ટ્રાઇએ ફ્રોડ ઓછા કરવા માટે બલ્ક મેસેજિંગની આખી સિસ્ટમ બનાવી છે

ટ્રાઇએ આ સિસ્ટમ અનિચ્છનીય કોલ્સ અને એસએમએસ બંધ કરવા માટે બનાવી છે. કંપનીઓને કહેવામાં આવ્યું છે કે ગ્રાહકોને સંતોષ આપવા તેઓએ ટ્રાઇ દ્વારા સૂચવેલા ફોર્મેટમાં એસએમએસ મોકલવા જોઈએ. આની પાછળનું મુખ્ય કારણ લોકોને નકલી એસએમએસ દ્વારા ફિશિંગ જેવા સાયબર ક્રાઇમથી બચાવવું છે. ટ્રાઇ દ્વારા એસએમએસની છેતરપિંડી રોકવા માટે નવું એસએમએસ રેગ્યુલેશન રજૂ કરાયું હતું. પરંતુ આ પ્રક્રિયાને કારણે અનેક સમસ્યાઓ બહાર આવી હતી. ટ્રાઇએ નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. આ દિશાનિર્દેશોમાં બધા ટેલિકોમ ઓપરેટરોએ ડી.એલ.ટી. પર નોંધણી કરાવવાની રહેશે. તેનો હેતુ ઓટીપી છેતરપિંડી અને સ્પામ એસએમએસને અટકાવવાનો છે.

March 27, 2021
tata_cyrus-mistry.jpg
1min488

તાતા જૂથ દ્વારા ૨૦૧૬માં સાયરસ મિસ્ત્રીને અધ્યક્ષપદેથી હટાવવાના નિર્ણયને શુક્રવારે સુપ્રીમ કોર્ટે યોગ્ય ગણ્યો હતો અને તેમને પાછા પદ પર બેસવાની છૂટ આપનારા કંપની લૉ ટ્રિબ્યુનલના આદેશને રદ કર્યો હતો. મુખ્ય ન્યાયમૂર્તિ એસ. એ. બોબડેના વડપણ હેઠળની ખંડપીઠે કહ્યું કે સાયરસ મિસ્ત્રીને હટાવવાનો નિર્ણય યોગ્ય હતો અને કાયદાના સંબંધિત પ્રશ્ર્નો ટાટા જૂથની તરફેણમાં છે.

દરમિયાન તાતા ગ્રૂપના ચેરમેન ઇમેરિટ્સ રતન તાતા અને તાતા સન્સે સર્વોચ્ચ અદાલત દ્વારા સાયરસ મિસ્ત્રી સામેના કેસમાં પોતાની તરફેણમાં આપેલા ચુકાદાને આવકાર્યો હતો અને જણાવ્યું હતું કે અમારા જૂથના મૂલ્ય અને વહીવટના ધોરણને સમર્થન મળ્યું છે.

રતન તાતાએ સોશિયલ મીડિયા પરની પૉસ્ટમાં જણાવ્યું હતું કે આ કેસ હાર કે જીતનો નહોતો. મારી પ્રામાણિકતા અને જૂથની નૈતિકતા સામે સવાલ ઉઠાવનારાઓને સર્વોચ્ચ અદાલતના ચુકાદાથી જવાબ મળી ગયો છે. આ ચુકાદો દેશના ન્યાયતંત્રમાંનો વિશ્ર્વાસ પ્રસ્થાપિત કરનારો છે.

તાતા ગ્રૂપની કંપનીઓની હૉલ્ડિંગ ફર્મ તાતા સન્સે જણાવ્યું હતું કે સર્વોચ્ચ અદાલતનો આ ચુકાદો અમારા જૂથ દ્વારા અપનાવાયેલી નીતિને સમર્થન આપે છે. તાતા સન્સ સર્વોચ્ચ અદાલતનું આભારી છે. (એજન્સી)

સાયરસ મિસ્ત્રીને પદ પરથી હટાવવું કોર્પોરેટ ગવર્નન્સના સિદ્ધાંતોનું સંપૂર્ણપણે ઉલ્લંઘન છે તેવી રજૂઆત શાપૂરજી પાલનજી ગ્રુપ દ્વારા સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી હતી. આર્ટિકલ્સ ઑફ એસોસિયેશનનું પણ ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું એવું તેમણે કહ્યું હતું. કોર્ટમાં તાતા ગ્રુપે આક્ષેપોનો ઇનકાર કર્યો હતો અને મિસ્ત્રીને ચેરમેનપદેથી હટાવવાનો બોર્ડનો અધિકાર હતો એમ જણાવ્યું હતું. સુપ્રીમ કોર્ટે ૧૭મી ડિસેમ્બર, ૨૦૨૦ના દિવસે ચૂકાદો રિઝર્વ રાખ્યો હતો

૧૮ ડિસેમ્બર, ૨૦૧૯ના રોજ નેશનલ કંપની લૉ એપેલેટ ટ્રિબ્યુનલ (એનસીએલએટી)એ તાતા ગ્રુપના ચેરમેનપદે સાયરસ મિસ્ત્રીને બેસાડવાનો આદેશ આપ્યો હતો. એનસીએલએટીના આ આદેશને હવે રદ કરવામાં આવ્યો છે.

ડિસેમ્બર, ૨૦૧૨માં સાયરસ મિસ્ત્રીની તાતા સન્સના ચેરમેનપદે નિમણૂક કરવામાં આવી હતી. કંપનીના બોર્ડના ડિરેક્ટર્સે ૨૪,ઑક્ટોબર, ૨૦૧૬ના રોજ બહુમતીથી તેમને હટાવવાનો નિર્ણય લીધો હતો. ૨૦ જાન્યુઆરી, ૨૦૨૦ના રોજ સુપ્રીમ કોર્ટે એનસીએલએટીના ૧૮ ડિસેમ્બર, ૨૦૧૯ના આદેશ પર સ્ટે આપ્યો હતો.

March 24, 2021
HOME-LOAN-HIKE.jpg
1min413

લોન મોરેટોરિયમ (લોન ભરવામાંથી મુક્તિ) ૩૧ ઑગસ્ટ ૨૦૨૦ પછી નહીં લંબાવવાના કેન્દ્ર સરકાર અને રિઝર્વ બૅંક ઑફ ઈન્ડિયાના નિર્ણય બાબતમાં હસ્તક્ષેપ કરવાનો સુપ્રીમ કોર્ટે મંગળવારે ઈનકાર કર્યો હતો.

છ મહિનાના લોન મોરેટોરિયમ સમયગાળા દરમિયાન ઋણધારકો પાસેથી ચક્રવૃદ્ધિ વ્યાજ અથવા પેનલ્ટી લેવી નહીં તેવા નિર્દેશ સુપ્રીમે આપ્યા હતા. બદઈરાદાવાળી અથવા મનસ્વી ન હોય તે સિવાયના કેન્દ્ર સરકારની નાણાકીય નીતિની ન્યાયિક સમીક્ષા સુપ્રીમ કોર્ટ નહીં કરી શકે તેવું ન્યાયમૂર્તિ અશોક ભૂષણના વડપણ હેઠળની ખંડપીઠે કહ્યું હતું. ‘લોન મોરેટોરિયમ’ સમયગાળો લંબાવવા રિયલ એસ્ટેટ ક્ષેત્ર, વીજ ક્ષેત્ર સહિતના વેપારી સંગઠનોએ કરેલી અરજીના સંદર્ભમાં ખંડપીઠે આ પ્રકારનો ચૂકાદો આપ્યો હતો.

ખંડપીઠના અન્ય સભ્યોમાં ન્યાયમૂર્તિ સુભાષ રેડ્ડી, ન્યાયમૂર્તિ એમ. આર. શાહ પણ સભ્ય હતા.

સંપૂર્ણ વ્યાજ માફ કરવાથી અર્થતંત્રને અને બૅંકિંગ ક્ષેત્રને ફટકો પડશે તેવી કેન્દ્ર દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.

March 23, 2021
fastag.png
1min485

ફાસ્ટટૅગના સરેરાશ દૈનિક કલેક્શનનો આંક રૂ. ૧૦૦ કરોડને પાર કરી ગયો હોવાની માહિતી કેન્દ્રના રોડ, પરિવહન અને એમએસએમઈ ખાતાના પ્રધાન નીતિન ગડકરીએ સોમવારે રાજ્યસભામાં આપી હતી. ગડકરીના જણાવ્યાનુસાર ૧૬, માર્ચ ૨૦૨૧ સુધીમાં દેશભરમાં ત્રણ કરોડ કરતાં પણ વધુ ફાસ્ટટૅગ આપવામાં આવ્યા હતા. ૧, માર્ચ ૨૦૨૧થી ૧૬, માર્ચ ૨૦૨૧ દરમિયાન ફાસ્ટટૅગનો સરેરાશ દૈનિક કલેક્શનનો આંક રૂ. ૧૦૦ કરોડ કરતાં વધુ રહ્યો હોવાનું તેમણે કહ્યું હતું. નેશનલ હાઈવેના પૂરા કરાયેલા કોરિડોરમાં એનએચએઆઈ (નેશનલ હાઈવે ઑથોરિટી ઑફ ઈન્ડિયા) દ્વારા ટોલ પ્લાઝા ખાતે ૫૫૦ ઍમ્બ્યુલન્સ સેવામાં દાખલ કરવામાં આવી હોવાનું તેમણે કહ્યું હતું. આ ૫૫૦ ઍમ્બ્યુલન્સમાંથી ૧૭૧ને બૅઝિક લાઈફ સપોર્ટ માટે અપગ્રેડ કરવામાં આવી હોવાનું તેમણે કહ્યું હતું.

March 20, 2021
air-india.jpg
1min520

એવિએશન ટર્બાઈન ફ્લુઅલ એટલે કે એટીએફની વધતી કિંમતોને ધ્યાનમાં રાખીને મોદી સરકારે ડોમેસ્ટિક એર ફેરની લોઅર લિમિટ 5 ટકા વધારવાનો નિર્ણય કર્યો છે.

આ જાણકારી સિવિલ એવિએશન મિનિસ્ટર હરદીપ સિંહ સુરીએ આપી છે. આ પહેલા ફેબ્રુઆરીમાં સરકારે પ્લેનની ટિકિટોના પ્રાઈસ બેન્ડને વધારવાનો નિર્ણય કર્યો હતો. એ સમયે મિનિમમ ભાડામાં 10 ટકાનો અને મેક્સિમમ ભાડામાં 30 ટકાનો વધારો કરાયો હતો.

હરદીપ સિંહ પુરીએ કહ્યું છે કે, પ્લેનની ટિકિટો માટે સેટ કરાયેલી લોઅર અને અપર લિમિટ એપ્રિલ અંત સુધી લાગુ રહેશે. સાથે જ એમ પણ કહ્યું છે કે, પ્લેનની ટિકિટોના દરની અપર લિમિટ વર્તમાન સ્તર પર જ રહેશે. સરકારે મે 2020માં ડોમેસ્ટિક એર ટ્રાવેલના ભાડા માટે લોઅર અને અપર લિમિટને સેટ કરાઈ હતી.

એર ટિકિટ પર લોઅર અને અપર લિમિટ સેટ કરાઈ હતી અને તેને 7 કેટેગરીમાં વહેંચવામાં આવી હતી. આ કેટેગરી ફ્લાઈટની ડ્યુરેશનના આધાર પર નક્કી કરવામાં આવી હતી. પહેલી કેટેગરી 40 મિનિટથી ઓછા ડ્યુરેશનના એર ટ્રાવેલની, બીજી કેટેગરી 40-60 મિનિટની મુસાફરી, ત્રીજી કેટેગરી 60-90 મિનિટની મુસાફરી, છઠ્ઠી કેટેગરી 150-180 મિનિટની મુસાફરી અને સાતમી કેટેગરી 180-210 મિનિટની મુસાફરીની છે. હવે વધારા બાદ 40 મિનિટથી ઓછા અંતરની ફ્લાઈટ માટે એર ફેરની લોઅર લિમિટ 2310 રૂપિયા હશે, તો 180-210 મિનિટના ડ્યુરેશનવાળા સૌથી ઉચ્ચ બેન્ડ માટે એર ફેરની લોઅર લિમિટ 760 રૂપિયા હશે.

મંત્રીએ 100 ટકા ક્ષમતા સાથે એરલાઈનના સંચાલનને લઈને કહ્યું કે, જો રોજના આધાર પર પેસેન્જરની સંખ્યા 35 લાખ ક્રોસ કરી જાય છે, તો એરલાઈનને 100 ટકા ક્ષમતા સાથે ઓપરેશનની મંજૂરી મળી જશે. જોકે, એક મહિનામાં ઓછામાં ઓછું 3 વખત એવું થવું જરૂરી છે. હાલમાં એરલાઈન્સને 80 ટકાથી વધુ ક્ષમતાની સાથે સંચાલન કરવાની મંજૂરી નથી.

March 16, 2021
2000.jpg
1min604

છેલ્લાં બે વર્ષથી રૂ. ૨૦૦૦ના મૂલ્યની ચલણી નોટ છાપવાનું બંધ કરી દેવામાં આવ્યું હોવાની માહિતી સરકારે સોમવારે લોકસભામાં આપી હતી.

લોકસભામાં આપેલા લેખિત ઉત્તરમાં રાજ્યકક્ષાના નાણાં ખાતાના પ્રધાન અનુરાગસિંહ ઠાકુરે કહ્યું હતું કે ૩૦ માર્ચ ૨૦૧૮ના રોજ સુધી રૂ. ૨૦૦૦ના મૂલ્યની ૩૩૬.૨ કરોડ ચલણી નોટ સર્ક્યૂલેશનમાં હતી જે બૅંકના ચલણી નોટના કુલ જથ્થાના ૩.૨૭ ટકા અને વેપારના ૩૭.૨૬ ટકા જેટલી હતી.

૨૬ ફેબ્રુઆરી ૨૦૨૧ના રોજ રૂ. ૨૦૦૦ના મૂલ્યની ૨૪૯.૯ કરોડ ચલણી નોટ સર્ક્યૂલેશનમાં હતી જે બૅંકના ચલણી નોટના કુલ જથ્થાના ૨.૦૧ ટકા અને વેપારના ૧૭.૭૮ ટકા જેટલી હતી, એમ તેમણે કહ્યું હતું.

જનતા દ્વારા કરાતી રૂપિયાની લેવડદેવડને ધ્યાનમાં રાખીને સરકાર અને આરબીઆઈ સલાહમસલત કર્યા બાદ ચોક્કસ મૂલ્યની ચલણી નોટનું પ્રમાણ જાળવી રાખવા જરૂરિયાત પ્રમાણે ચલણી નૉટ પ્રિન્ટ કરવાનો નિર્ણય લે છે.

વર્ષ ૨૦૧૯-૨૦ અને વર્ષ ૨૦૨૦-૨૧ દરમિયાન રૂ. ૨૦૦૦ના મૂલ્યની ચલણી નોટ છાપવાની કોઈ યાદી મોકલવામાં ન આવી હોવાનું તેમણે કહ્યું હતું. નાણાંકીય વર્ષ ૨૦૧૬-૧૭ દરમિયાન રૂ. ૨૦૦૦ના મૂલ્યની ૩૫૪.૨૯૯૧ કરોડ ચલણી નોટ છાપવામાં આવી હોવાનું આરબીઆઈ દ્વારા બહાર પાડવામાં આવેલી યાદીમાં જણાવવામાં આવ્યું હતું.

જોકે નાણાંકીય વર્ષ ૨૦૧૭-૧૮માં રૂ. ૨૦૦૦ના મૂલ્યની માત્ર ૧૧.૧૫૦૭ કરોડ ચલણી નોટ છાપવામાં આવી હતી એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે નાણાંકીય વર્ષ ૨૦૧૮-૧૯માં આ પ્રમાણ ઘટીને ૪.૬૬૯૦ કરોડ જેટલું થઈ ગયું હતું.

એપ્રિલ ૨૦૧૯થી રૂ. ૨૦૦૦ના મૂલ્યની એકપણ ચલણી નોટ છાપવામાં ન આવી હોવાનું તેમણે કહ્યું હતું.

રૂ. ૨૦૦૦ની ચલણી નોટની સંગ્રહખોરી અને કાળાનાણાંને અંકુશમાં લેવાના પ્રયાસના ભાગરૂપ આ પગલું લેવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે.

કાળાનાણાં અને બનાવટી ચલણી નોટો પર અંકુશ લાદવાના પ્રયાસના ભાગરૂપ સરકારે રૂ. ૫૦૦ અને રૂ. ૧૦૦૦ના મૂલ્યની ચલણી નોટ અર્થતંત્રમાંથી પાછી ખેંચી લીધા બાદ નવેમ્બર ૨૦૧૬માં રૂ. ૨૦૦૦ના મૂલ્યની ચલણી નોટ બહાર પાડવામાં આવી હતી.

જોકે, બાદમાં રૂ. ૫૦૦ની નવી ચલણી નોટ અર્થતંત્રમાં દાખલ કરવામાં આવી હતી, પરંતુ રૂ. ૧૦૦૦ના મૂલ્યની ચલણી નોટ કાયમ માટે રદ કરવામાં આવી હતી.

હાલ રૂ. ૨૦૦૦ના મૂલ્યની ચલણી નોટ ઉપરાંત રૂ. ૧૦, રૂ. ૨૦, રૂ. ૫૦, રૂ. ૧૦૦, રૂ. ૨૦૦ અને રૂ. ૫૦૦ની ચલણી નોટ દેશના અર્થતંત્રમાં સર્ક્યૂલેશનમાં છે.

March 14, 2021
vaccines.jpg
1min410

દેશમાં કોરોનાની છ કરતાં પણ વધુ રસી જલદી જ બજારમાં મુકાશે એવી જાહેરાત કેન્દ્રના આરોગ્ય ખાતાના પ્રધાન હર્ષવર્ધને શનિવારે કરી હતી.

શુક્રવારે એક જ દિવસમાં દેશમાં કોરોનાની ૨૦ લાખ રસી આપવામાં આવી હોવાનું જણાવતાં શનિવારે તેમણે કહ્યું હતું કે અત્યાર સુધીમાં એક જ દિવસમાં આપવામાં આવેલી રસીનો આ સર્વોચ્ચ આંક છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ગતિશીલ નેતૃત્ત્વ હેઠળ કોરોનાની કટોકટી દરમિયાન ભારતે વિશ્ર્વને મદદરૂપ થવાની શ્રેષ્ઠ કામગીરી બજાવી હોવાનું રેલવે પ્રધાન પીયૂષ ગોયલે શનિવારે કહ્યું હતું.

દેશમાં કોરોનાની રસી આપવાની ઝુંબેશ ૧૬મી જાન્યુઆરીએ શરૂ થઈ હતી અને ત્યારથી અત્યાર સુધીમાં દેશભરમાં કોરોનાની રસીના ૧.૮૪ કરોડ ડૉઝ આપવામાં આવ્યા હોવા ઉપરાંત ૨૩ કરોડ નમૂનાનું પરીક્ષણ કરવામાં આવ્યું હોવાનું હર્ષવર્ધને કહ્યું હતું. ભારતે બે રસી વિકસાવી છે અને વિશ્ર્વના ૭૧ દેશને એ રસી આપવામાં આવી છે એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે હજુ અનેક જાણીતા દેશ ભારત પાસેથી રસીની માગણી કરી રહ્યા છે.

કૅનેડા, બ્રાઝિલ જેવા અનેક જાણીતા દેશ ભારતની રસીનો ઉત્સાહપૂર્વક ઉપયોગ કરી રહ્યા છે એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે વધુ છ જેટલી રસી જલદી જ બજારમાં આવશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભારતની રચના કરી ભારતને વિશ્ર્વગુરુ બનાવવા માગે છે, એમ તેમણે કહ્યું હતું.

વિજ્ઞાનને આદર આપો. વિજ્ઞાન પર કરાતા રાજકારણને બંધ કરવાની જરૂર છે અને એટલે જ આપણે એકજૂટ થઈને કામ કરવું જોઈએ, એમ તેમણે કહ્યું હતું.

દેશના વૈજ્ઞાનિકોનો પ્રયાસ પ્રશંસાને પાત્ર છે કેમ કે તેમના પ્રયાસોને કારણે જ આપણે આ સિદ્ધિ મેળવી શક્યા છીએ, એમ તેમણે કહ્યું હતું.

કોરોનાને બાદ કરતા વર્ષ ૨૦૨૦ને વિજ્ઞાન અને વૈજ્ઞાનિકોના વરસ તરીકે યાદ રાખવામાં આવશે, એમ તેમણે કહ્યું હતું.

આરંભમાં કોરોનાના પરીક્ષણ માટે દેશમાં એક જ પ્રયોગશાળા હતી, પરંતુ હવે દેશમાં કોરોનાના પરીક્ષણ માટે ૨,૪૧૨ પ્રયોગશાળા છે, એમ તેમણે કહ્યું હતું.

કોરોનાને અલગ પાડી દેવામાં આપણો દેશ પ્રથમ હતો એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે કોરોનાના મ્યૂટેશનને ભારતે અલગ પાડ્યું હતું.

દેશના વૈજ્ઞાનિકોએ રસી માટે આઈસીએમઆરને મદદ કરી હોવાનું જણાવતાં તેમણે કહ્યું હતું કે લોકો ભારતની રસીની પ્રશંસા કરી રહ્યા છે.

અમુક લોકોએ રસી અંગે અફવા ફેલાવી લોકોમાં ભ્રમ ફેલાવવાના પ્રયાસ કર્યા હતા, પરંતુ સત્યને કોઈ હરાવી શકતું નથી, એમ તેમણે કહ્યું હતું. લોકો માની રહ્યા છે કે હવે કોરોનાની રસી આવી ગઈ છે અને બધું સારું થઈ જશે, એમ તેમણે કહ્યું હતું.

March 12, 2021
bharat_e_market.jpg
1min562

ભારતમાં ઓનલાઈન શોપિંગ માટે હવે એમેઝોન, ફિલ્પકાર્ટ સિવાય વધુ એક મોટુ પોર્ટલ ઉપલબ્ધ થયુ છે. ટોચની ઈ કોમર્સ કંપનીઓને ટક્કર આપવા દેશી ભારત ઈ માર્કેટ મોબાઈલ એપ લોન્ચ કરવામાં આવી છે. એવો દાવો કરાયો છે કે આ પ્લેટફોર્મ પર સૌથી સસ્તા દરે સામાન અને સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

આશરે 8 કરોડ વેપારીઓના બનેલા સંગઠન કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (સીએઆઈટી) એ વેન્ડર મોબાઈલ એપ્લીકેશન ભારત ઈ માર્કેટ ગુરુવારે દિલ્હીમાં લોન્ચ કરી હતી. જે સીધી રીતે એમેઝોન અને ફિલપકાર્ટને ટક્કર આપશે. તે સંપૂર્ણ રીતે સ્વદેશી ઈ કોમર્સ પ્લેટફોર્મ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વોકલ ફોર લોકલ વિઝન પર આધારીત આ પ્લેટફોર્મ અંગે સીએઆઈટીએ દાવો કર્યો છે કે ડિસેમ્બર ર0ર1 સુધીમાં તેમાં 7 લાખ ટ્રેડર્સ જોડવાનો અંદાજ છે અને ડિસેમ્બર ર0ર3 સુધીમાં તેમાં 1 કરોડ ટ્રેડર્સ જોડાઈ જશે. આવુ થતાં જ તે દુનિયાનું સૌથી મોટુ ઈ કોમર્સ પ્લેટફોર્મ બની જશે. આ દેશી મોબાઈલ એપની હરિફાઈ વિશ્વની ટોચની ઈ કોમર્સ કંપનીઓ એમેઝોન, ફિલ્પકાર્ટ અને અલીબાબા સાથે થશે. આ પોર્ટલ પર વેપારીથી વેપારી અને વેપારીથી ગ્રાહક વચ્ચે માલનું ખરીદ-વેચાણ કરી શકાશે.’

ભારત ઈ માર્કેટ પર પોતાની ઈ દુકાન ખોલવા વ્યક્તિએ મોબાઈલ એપથી સૌપ્રથમ રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ખાસ બાબત એ છે કે તેમાં નોંધાયેલી કોઈ માહિતી વિદેશ નહીં જાય કારણ કે આ સંપૂર્ણ સ્વદેશી એપ છે. કોઈ પણ વિદેશી ફંડને આ પ્લેટફોર્મ પર સ્વીકારવામાં નહીં આવે. કોઈ પણ વેપારી મેડ ઈન ચાઈના માલ અહીં નહીં વેંચે. દેશના વિવિધ ભાગોમાં ફેલાયેલા વેપારીઓ, કારીગરો, શિલ્પકારો, ઉત્પાદકોને રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય બજાર ઉપલબ્ધ થશે. આ પોર્ટલ પર કારોબારમાં કોઈ કમિશન વસૂલવામાં નહીં આવે.

March 3, 2021
musk_ambani.jpg
1min489
Elon Musk beats Mukesh Ambani to become fifth richest billionaire, for a  while

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી દુનિયાના 8મા સૌથી ધનિક ઉદ્યોગપતિ બન્યા છે. હુરૂનના ગ્લોબલ રિચ લિસ્ટ ર0ર1 મુજબ છેલ્લા એક વર્ષમાં મુકેશ અંબાણીની મિલકત ર4 ટકા વધી છે. તેઓ 83 અબજ ડોલરની સંપતિના માલિક છે. જે ભારતીય મુદ્રામાં 6.09 લાખ કરોડ જેટલા થાય છે.

દુનિયાના સૌથી ધનિક તરીકે ટેસ્લા કંપનીના એલન મસ્કે સ્થાન મેળવ્યુ છે જેમની સંપતિ 3ર8 ટકા વધી 197 અબજ ડોલર થઈ છે. એક વર્ષમાં એલન મસ્કની સંપતિમાં 1પ1 અબજ ડોલરનો વધારો થયો છે. ચીનના ઉદ્યોગપતિ અલીબાબા ગ્રુપના જેક મા ચોથા ક્રમે છે. રિચ લિસ્ટમાં અન્ય ભારતીયોમાં ગૌતમ અદાણી અને પરિવાર ર.34 લાખ કરોડની સંપતિ સાથે 48મા ક્રમે, શિવ નાદર તથા પરિવાર 1.94 લાખ કરોડની સંપતિ સાથે પ8મા ક્રમે, લક્ષ્મી એન મિતલ 1.40 લાખ કરોડની સંપતિ સાથે 104મા ક્રમે તથા સાઈરસ પૂનાવાલા 1.3પ લાખ કરોડની સંપતિ સાથે 113મા ક્રમે સ્થાન મેળવ્યું છે.

નવી યાદી અનુસાર ભારતમાં ર09 અબજપતિ છે જેમાં 177 ભારતમાં રહે છે. અમેરિકામાં અબજપતિઓની સંખ્યા 689 થઈ છે. ભારતમાં ગત વર્ષ પ0 અબજપતિઓ ઉમેરાયા હતા. સંપતિમાં ર71 ટકાના ઉછાળા સાથે ઝેસ્કાલરના જય ચૌધરીની સંપતિ 96000 કરોડ અને અદાણી ગ્રુપના વિનોદ શાંતિલાલ અદાણીની સંપતિ 1ર8 ટકા વધી 7ર000 કરોડ થઈ હતી.