CIA ALERT

બિઝનેસ Archives - Page 35 of 90 - CIA Live

May 20, 2021
guj_corona.jpg
1min647

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તા.21 મે થી 27 મે 2021 સુધી ગુજરાતમાં વેપાર-ધંધા એટલે કે નાની મોટી દુકાનો શરૂ કરવાની છૂટ આપતી જાહેરાત આજરોજ તા.20મી મેએ સાંજે 6 વાગ્યે કરી છે. મિની લોકડાઉન ધરાવતા ગુજરાતમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટર પહેલેથી જ શરૂ છે, ત્યાં બંધ કે પ્રતિબંધ લદાયો ન હતો, હવે જે સેક્ટર બંધ હતું એ વેપાર ધંધાને આંશિક છૂટ આપવામાં આવી છે.

ગુજરાતમાં 21 મેથી એટલે કે આવતીકાલથી નિયંત્રણો ધરાવતા 36 શહેરોમાં સવારે 9 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખી શકાશે.

કોરોના વાયરસની બીજી લહેરમાં ગુજરાતની હાલત કફોડી બની ગઈ હતી. જેના કારણે રાજ્યના 36 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ અને નિયંત્રણો રાખવામાં આવ્યા હતા. હવે પરિસ્થિતિમાં સતત સુધારો થઈ રહ્યો છે અને કેસની તથા મૃત્યુની સંખ્યા પણ સતત ઘટી રહી છે. જેને ધ્યાનમાં રાખતા રાજ્ય સરકારે આ નિયંત્રણોમાં છૂટછાટ આપી છે.

May 20, 2021
CIA_Live_Logo_New2.jpg
8min804

આ વિડીયો જુઓ અને એ પ્રમાણે ઘરે ટેસ્ટ કરી શકશો

આ વિડીયો અમે અહીં તા.20 મે 2021ના રોજ સાંજે 5 કલાકે પોસ્ટ કર્યો હતો, એ પછી પ્રકાશકોએ યુ ટ્યુબ પર તેને પ્રાઇવેટ કરી દીધો હતો.

એકાદ અઠવાડીયાના સમયગાળામાં હોમ બેઝ રેપિડ એન્ટીજન ટેસ્ટ કીટ બજારમાં મળતી થઇ જશે

ઇન્ડીયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે તા.19મી મે 2021ના રોજ મહત્વની જાહેરાતમાં જણાવ્યું હતું કે કોરોના ટેસ્ટીંગને વધુ વ્યાપક અને છેવાડા સુધી પહોંચાડવા માટે ટૂંક સમયમાં ભારતમાં હોમ (ગૃહ) બેઝ્ડ રેપિડ એન્ટીજન ટેસ્ટ શક્ય બનશે. કોરોનાના કોઇપણ લક્ષણ ધરાવતી વ્યક્તિ મેડીકલ સ્ટોર પરથી રેપિડ એન્ટીજન ટેસ્ટ કીટ ખરીદીને પોતાનો ટેસ્ટ જાતે કરી શકશે અને તેનું રિપોર્ટિંગ નિર્ધારિત મોબાઇલ એપ્લિકેશન મારફતે થઇ શકશે. ગ્રામિણ વિસ્તારોમાં કે જ્યાં હજુ સુધી કોરોના ટેસ્ટિંગની સુવિધા નથી અગર તો વિલંબથી ટેસ્ટીંગ રિપોર્ટ મળી રહ્યા છે ત્યાં આ પદ્ધતિ મારફતે ઘનિષ્ટ ટેસ્ટીંગ થઇ શકે તેમ હોવાથી આઇ.સી.એમ.આર.એ ભારતમાં હોમબેઝ્ડ રેપિડ એન્ટિજન ટેસ્ટને મંજૂરી આપવાનો નિર્ણય કર્યો છે.

Now, test for Covid-19 at home and get result in 15 minutes: 10 things to  know

ફક્ત કોરોનાના નિર્ધારિત લક્ષણો પૈકી કોઇ એક લક્ષણ ધરાવતા વ્યક્તિઓ હોમબેઝ્ડ રેપિડ એન્ટિજન ટેસ્ટ કરી શકશે. તદુપરાંત કોરોના પોઝીટીવ દર્દીઓના સંપર્કમાં આવેલા લોકો માટે આ ટેસ્ટ આશીર્વાદ રૂપ બની શકે છે.

ઘરે કોરોનાની ટેસ્ટિંગ માટે રેપિડ એન્ટિજન કિટ કોવિસેલ્ફ ટીએમ (CoviSelfTM)- પેથોકેચ બનાવવામાં આવી છે. આને પુણે સ્થિત માઇલેબ ડિસ્કવરી સૉલ્યૂશન નામની કંપનીએ તૈયાર કરી છે. આ કિટના ઘરે ઉપયોગને લઈને એક એપ પણ બનાવવામાં આવી છે, જેના પ્રયોગની રીત જાણી શકાય. જો કે, આઇસીએમઆરે આના અંધાધુંધ ઉપયોગને લઈને ચેતવણી આપી છે.

આઇસીએમઆરે કહ્યું કે ટેસ્ટ કિટ સાથે મોબાઇલ એપ પરીક્ષણને લઈને સંપૂર્ણ માહિતી આપે છે. આના દરેક યૂઝરને સલાહ છે કે તે ટેસ્ટ પૂરી કર્યા પછી આવેલા પરિણામનો એક ફોટો મોબાઇલ પર લેવો અને એપ પર અપલોડ કરવો. જેથી ફોનમાં રહેલ ડેટા કેન્દ્રના સુરક્ષિત સર્વરમાં એકઠો થશે અને આઇસીએમઆરના કોવિડ-19 ટેસ્ટિંગ પોર્ટલમાં પણ ટેસ્ટની માહિતી પહોંચી જશે. આઇસીએમઆરે કહ્યું કે તેમની પાસે દર્દીઓની માહિતી સંપૂર્ણ ગુપ્ત રહેશે.

ICMRએ કહ્યું – જેમનો ટેસ્ટ પૉઝિટીવ આવે, તે પોતાને સંક્રમિત માને- ICMRએ ટેસ્ટ કિટ્સના દુરુપયોગને અટકાવવા માટે કહ્યું કે તે આનો ઉપયોગ એવા લોકો કરે, જેમને કોવિડ-19ના લક્ષણ છે અથવા તે કોઇ એવા વ્યક્તિના સંપર્કમાં આવ્યા જેઓ કોરોના સંક્રમિત છે. આના અંધાધુંધ ટેસ્ટિંગની સલાહ આપવામાં આવતી નથી. જેટલા પણ લોકોનો ટેસ્ટ રિપૉર્ટ પૉઝિટીવ આવ્યો છે, તે ખરેખર પૉઝિટીવ માનવામાં આવે અને વારંવાર ટેસ્ટિંગની કોઇ જરૂર નથી.

કેટલી હશે ટેસ્ટની કિંમત
મીડિયા રિપૉર્ટ્સ પ્રમાણે, આ ટેસ્ટ કિટ બનાવનારી કંપની માઇલેબે પણ આની કિંમત નક્કી કરી છે. પાંચ મહિનામાં તૈયાર થયા પછી લૉન્ચિંગના સમયે આના લોકોને 250 રૂપિયા પ્રતિ કિટ પ્રમાણે ચૂકવવાના રહેશે. કંપનીના એમડી પ્રમાણે, આ ટેસ્ટ કિટ આવતા અઠવાડિયે માર્કેટમાં આવી શકે છે.

15 મિનિટમાં આવશે પરિણામ
કહેવામાં આવ્યું છે કે આની મદદથી ટેસ્ટ રિઝલ્ટ જાણવામાં વધારેથી વધારે 15 મિનિટનો સમય લાગશે. પૉઝિટીવ પરિણામ ફક્ત પાંચથી 7 મિનિટમાં જ ખબર પડી જશે, જ્યારે નેગેટિવ રિઝલ્ટ વિશ વધુમા વધુ 15 મિનિટ લાગશે. આ સિવાય ટેસ્ટ કરનાર વ્યક્તિએ પોતાના ફોનમાં માયલેબ કોવેસેલ્ફ એપ ડાઉનલોડ કરવાની રહેશે.

News In English

Here is all you need to know about the home-based rapid antigen testing kit for Covid-19:

1) The home-based rapid antigen testing kit manufactured by Mylab Discovery Solutions Ltd, Pune, has been validated and approved by the ICMR.

2) Only a nasal swab will be required for this rapid antigen testing.

3) The name of the kit is CoviSelfTM(PathoCatch) COVID-19 OTC Antigen LF device.

4) The kit comes with a pre-filled extraction tube, a sterile nasal swab, one test card, and a biohazard bag. The person undertaking the test will have to download the Mylab coviself app on their mobile phone.

5) The home testing mobile app is available in Google play store and Apple store and must be downloaded by all users.

6) The mobile app is a comprehensive guide of the testing procedure and will provide a positive or negative test result to the patient.

7) There will be two sections on the test card—the control section and the test section.

8) If the bar shows up only at the control section ‘C’, the result is negative, and if the bar appears on both the control section and test (T) section, the test is positive.

9) According to a report in Hindustan Times, the test kit will be priced at ₹250 per kit.

10) It takes 2 minutes to conduct test & 15 minutes to get a result. It will be available by end of next week in more than 7 lakh pharmacies & our online pharmacy partners across India

The Indian Council of Medical Research (ICMR) has approved a home-based rapid antigen testing (RAT) kit for Covid-19, which will be soon available in the market and can be used for detecting positive cases in home setting.

“Home testing by RAT is advised only in symptomatic individuals and immediate contacts of laboratory confirmed positive cases,” ICMR said in an advisory issued on Wednesday.

The move is expected to make testing widely available and accessible, particularly in rural areas. Besides, home-based RAT would also mean symptomatic people will not necessarily have to step out for testing, lowering the risk of transmission.

The Council also advised against indiscriminate testing. It also said that all test positive individuals are advised to follow home isolation and care as per the ICMR protocol.

Currently, the approved kit is manufactured by Mylab Discovery Solutions and home testing should be conducted as per the procedure described by the manufacturer in the user manual. The home testing mobile App is available in Google play store and Apple store and must be downloaded by all users.

All users are advised to click a picture of the test strip after completing the test procedure with the same mobile phone which has been used for downloading the mobile app and user registration.

Data in the App of mobile phone will be centrally captured in a secure server which is connected with the ICMR Covid-19 testing portal, where all data will be eventually stored.

Manufacturer’s instructions must be strictly followed for disposal of the test kit, swab and other materials.

All individuals who test positive may be considered as true positives and no repeat testing is required, ICMR said.

May 20, 2021
dap_fertilizer.jpg
1min563

કોરોના કાળ વચ્ચે સરકારે કિસાનો માટે મહત્ત્વનો નિર્ણય લીધો છે. સરકારે ડીએપી ફર્ટિલાઈઝર ઉપર સબસિડી 140 ટકા વધારી’ છે. હવે કિસાનોને પ્રતિ બોરી 500 રૂપિયાની જગ્યાએ 1200 રૂપિયા સબસિડી મળશે. જેનાથી કિસાનોને 2400 રૂપિયા પ્રતિ બોરીની જગ્યાએ 1200 રૂપિયા કિંમત ચૂકવવી પડશે. પીએમ મોદીની’ અધ્યક્ષતામાં બુધવારના રોજ મળેલી એક ઉચ્ચસ્તરની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

ડીએપી ઉપર સબસિડી વધારવાના નિર્ણયથી સરકાર ઉપર 14775 કરોડ રૂપિયાનો બોજ પડશે. બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાર મૂકીને કહ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય કિંમતમાં વધારો થવા છતાં કિસાનોને જૂના ભાવે જ ખાતર મળવું જોઈએ. ગયા વર્ષે ડીએપીની મુળ કિંમત 1700 રૂપિયા પ્રતિ બોરી હતી. તેના ઉપર કેન્દ્ર સરકાર 500 રૂપિયા સબસિડી આપતી હતી. આમ કિસાનોને પ્રતિબોરી 1200 રૂપિયા કિંમત ચૂકવવી પડતી હતી. જો કે હાલમાં ડીએપીમાં ઉપયોગમાં લેવાતા ફોસ્ફરીક એસિડ, એમોનિયા વગેરેની કિંમત 70થી 80 ટકા સુધી વધી ગઈ છે. જેના કારણે ડીએપીની એક બોરીની કિંમત 2400 રૂપિયા થઈ છે. સબસિડી ઘટાડીને કંપનીઓને 1900 રૂપિયામાં વેચાણ કરવામાં આવતું હતું. જો કે બુધવારે લેવામાં આવેલા નિર્ણય બાદ કિસાનોને ડીએપી માટે વધુ કિંમત ચૂકવવી પડશે નહી. તેમને 1200 રૂપિયામાં જ બોરી મળતી રહેશે.

કેન્દ્ર સરકાર દર વર્ષે રાસાયણીક ખાતર ઉપર સબસિડીના રૂપમાં 80000 રૂપિયા ખર્ચ કરે છે. વિપક્ષી પક્ષો ખાસ કરીને કોંગ્રેસે ડીએપી ખાદની કિંમતોમાં વધારાની આકરી ટીકા કરી હતી. એમ પણ કહેવામાં આવ્યું હતું કે, ડીએપીની કિંમતમાં 700 રૂપિયાની વૃદ્ધિ કિસાનોને ગુલામ બનાવવાની કેન્દ્ર સરકારની સાજીશનો હિસ્સો છે. આ સાથે વધેલી કિંમત પરત ખેંચવા સરકાર સમક્ષ માગણી કરી હતી. બીજા દળોએ પણ સરકારના નિર્ણયની ટીકા કરી હતી.

May 19, 2021
petrol-diesel-1.jpg
1min392

વિશ્ર્વબજારમાં ક્રૂડ તેલના વધી રહેલા ભાવને કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે અને મંગળવારે મુંબઇમાં પેટ્રોલનો ભાવ રૂ. ૯૯ને પાર કરીને રૂ. ૯૯.૧૪ અને ડીઝલનો ભાવ વધીને રૂ. ૯૦.૭૧ થયો હતો.

તેલ કંપનીઓ દ્વારા મંગળવારે પેટ્રોલના ભાવમાં લિટરદીઠ ૨૭ પૈસા અને ડીઝલના ભાવમાં લિટરદીઠ ૨૯ પૈસાનો વધારો જાહેર કરાયો હતો. આ મહિનામાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મંગળવારે દસમી વખત વધારો કર્યો હતો.

મુંબઇમાં પેટ્રોલનો ભાવ લિટરદીઠ ૨૭ પૈસા વધીને રૂ. ૯૯.૧૪ અને ડીઝલનો ભાવ ૨૯ પૈસા વધીને રૂ. ૯૦.૭૧ થયો હતો. દિલ્હીમાં પેટ્રોલનો ભાવ લિટરદીઠ વધીને રૂ. ૯૨.૮૫ અને ડીઝલનો ભાવ વધીને રૂ. ૮૩.૫૧ થયો હતો.

દરેક રાજ્યના સ્થાનિક કર (વેટ)માં તફાવત હોવાને કારણે પેટ્રોલ અને ડીઝલનો ભાવ દેશના દરેક રાજ્યમાં જુદો હોય છે.

આ મહિનામાં બંને બળતણના ભાવમાં દસ વખત થયેલા ભાવવધારામાં પેટ્રોલના ભાવમાં પ્રતિલિટર રૂ. ૨.૪૬ અને ડીઝલના ભાવમાં રૂ. ૨.૭૮નો વધારો કરવામાં આવ્યો હતો.

તેલ કંપનીઓ દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આંશિક ઘટાડો કરાયા બાદ ૧૫મી એપ્રિલથી ભાવ સ્થિર રાખવામાં આવ્યા હતા અને યોગાનુયોગે એ દરમિયાન પાંચ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પણ યોજાઇ હતી.

મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં અમુક ઠેકાણે પેટ્રોલના ભાવે પ્રતિ લિટર રૂ. ૧૦૦ની સપાટી ઘણા દિવસ અગાઉ જ પાર કરી હતી. દેશમાં સૌથી વધુ પેટ્રોલ અને ડીઝલ રાજસ્થાનના શ્રીગંગાનગરમાં છે, ત્યાં પેટ્રોલનો ભાવ પ્રતિલિટર રૂ. ૧૦૩.૮૦ અને ડીઝલનો ભાવ પ્રતિલિટર રૂ. ૯૬.૩૦ છે.

આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ તેલનો ભાવ ઘટયા બાદ ૨૪મી માર્ચે પેટ્રોલના ભાવમાં ચોથી વખત ૧૫ અને ડીઝલના ભાવમાં ૧૬ પૈસાનો ઘટાડો કરાયો હતો. ૨૪મી માર્ચથી ચાર વખત બળતણમાં ભાવમાં કરાયેલા ઘટાડામાં પેટ્રોલના ભાવમાં ૬૭ પૈસા અને ડીઝલના ભાવમાં ૭૪ પૈસાનો ઘટાડો લિટરદીઠ કરવામાં આવ્યો હતો.

ભારતમાં કોવિડ-૧૯ના વધી રહેલા કેસને કારણે માગમાં ઘટાડો થયો હોવા છતાં અમેરિકાની વધેલી માગ અને ડૉલર નબળો પડવાને કારણે આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ તેલના ભાવ વધ્યા હતા.

સૂત્રોના જણાવ્યા અનુસાર ૨૭મી એપ્રિલથી આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ તેલનો ભાવ સતત વધી રહ્યો છે. બંને બળતણની માગને ધ્યાનમાં લેતા આવનાર દિવસો દરમિયાન આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ તેલનો ભાવ વધવાનો અંદાજ જાહેર કરાયો છે.

સરકારી તેલ કંપનીઓ ઇન્ડિયન ઑઇલ કૉર્પોરેશન લી. (આઇઓસી), ભારત પેટ્રોલિયમ કૉર્પોરેશન લિ. (બીપીસીએલ) અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કૉર્પોરેશન લિ. (એચપીસીએલ) દ્વારા આંતરરાષ્ટ્રીય બજારો પ્રમાણે ભાવમાં રોજ વધઘટ થતી રહે છે.

તેલ કંપનીઓ દ્વારા આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ તેલના વધેલા ભાવ તરફ અંગૂલીનિર્દેશ કરીને ભાવવધારો કરવાનો ઇશારો કર્યો હતો, પણ અનેક રાજ્યોમાં ચૂંટણી ચાલતી હોવાથી ભાવવધારો કરાયો નહોતો. 

May 14, 2021
corona-sputnik.jpg
1min396

ભારતમાં રશિયન કોરોના વેક્સિન સ્પુતનિકનું પ્રોડક્શન કરનારી ફાર્મા કંપની ડૉ. રેડ્ડીઝ લેબોરેટરીએ તેની કિંમત જાહેર કરી દીધી છે. કંપનીના જણાવ્યા અનુસાર, આ વેક્સિનના એક ડોઝની કિંમત 948 રુપિયા રહેશે, અને તેના પર પાંચ ટકા જીએસટી અલગથી લાગશે. આમ, તેની ફાઈનલ કિંમત રુ. 995ની આસપાસ રહેશે. આજે હૈદરાબાદમાં પાયલોટ પ્રોજેક્ટના ભાગરુપે આ વેક્સિનનો પહેલો ડોઝ આપવામાં આવ્યો હતો.

કંપનીએ સ્ટોક એક્સચેન્જોને આપેલી માહિતીમાં જણાવ્યું હતું કે આ વેક્સિનનું સોફ્ટ લોન્ચ આજે કરવામાં આવ્યું હતું. આ વેક્સિનના રશિયાથી આવેલા ડોઝની કિંમત 948 રુપિયા વત્તા પાંચ ટકા જીએસટી થાય છે. રસીનું લોકલ સ્તરે પ્રોડક્શન શરુ થાય બાદ તેની કિંમતમાં ઘટાડો થવાની શક્યતા છે. કંપનીએ જણાવ્યું હતું કે રશિયાથી આ વેક્સિનનો પહેલો જથ્થો 1 મેના રોજ પહોંચ્યો હતો. જેને સેન્ટ્રલ ડ્રગ્સ લેબોરેટરીનું ક્લિયરન્સ 13 મેના રોજ મળ્યું હતું.

May 13, 2021
sgcci_dgp.jpg
1min588

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના નેજા હેઠળ ગુજરાતની તમામ ચેમ્બર ઓફ કોમર્સના હોદ્દેદારોની આજરોજ તા.13મી મે 2021ના રોજ રાજ્યના પોલીસ મહાનિર્દેશક આશિષ ભાટીયા સાથે વર્ચ્યુઅલ મિટીંગ મળી હતી. જેમાં ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ દિનેશ નાવડિયાએ નીચે મુજબના મહત્વના મુદ્દાઓ અંગે આશિષ ભાટીયાને વિસ્તૃતપણે રજૂઆત કરી હતી.

1. દક્ષિણ ગુજરાતમાં હીરા ઉદ્યોગ અને કાપડ ઉદ્યોગ સહિતના તમામ ઉદ્યોગની હોલસેલ દુકાનો દિવસ દરમ્યાન સવારે ૧૦:૦૦ થી બપોરે રઃ૦૦ કલાક સુધી ખોલવા માટે મંજૂરી આપવામાં આવે.

2. રાજ્યમાં તમામ પ્રકારની ઉત્પાદન પ્રવૃત્તિઓ ચાલુ છે, પરંતુ ટ્રેડીંગ એકટીવિટી બંધ હોવાથી ઉત્પાદન પ્રવૃત્તિઓ પણ બંધ થવાની કગાર પર છે. આથી ટ્રેડીંગ એકટીવિટીની પરવાનગી તા. ૧૮ મે, ર૦ર૧થી નવા જાહેર થનાર હુકમથી મળી રહે તે માટે અનુરોધ કરવામાં આવ્યો હતો.

3. કારીગરો હાલમાં પોતાના વતન જઈ શકે તેવી સ્થિતિમાં નથી અને જો આ સંજોગોમાં ઔદ્યોગિક પ્રવૃત્તિઓને કોઈપણ કારણસર બ્રેક લાગશે તો આ કારીગરો રસ્તા ઉપર આવી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગાડી શકે તેવી ભીતિ છે. કારણ કે, કાપડ માર્કેટની દુકાનો બંધ હોવાથી વિવિંગ અને પ્રોસેસિંગ એકમો દ્વારા ઉત્પાદન ઘટાડી દેવામાં આવ્યું છે અને બે પાળીને બદલે એક પાળીમાં ઉત્પાદનની પ્રક્રિયા ચાલુ છે. જો કાપડની માર્કેટો બંધ જ રહેશે તો વિવિંગ અને પ્રોસેસિંગ એકમો પણ બંધ થવાની ભીતિ સેવાઇ રહી છે. આવા સંજોગોમાં કાપડ ઉદ્યોગની સમગ્ર સપ્લાય ચેઇન ચાલુ રહે તેવી સ્થિતિનું નિર્માણ થવું જોઈએ.

4. બાંધકામ ઉદ્યોગમાં કન્સ્ટ્રકશનનું કામ ચાલુ છે પણ તેને સંલગ્ન રેતી–કપચી, સિમેન્ટ અને સ્ટીલ જેવી એન્સીલરી સર્વિસની દુકાનો બંધ હોવાથી બાંધકામ પ્રવૃત્તિ ઉપર રોક લાગી ગઇ છે. આથી બાંધકામ ઉદ્યોગ ચાલુ રહે તેના માટે એન્સીલરી સર્વિસની દુકાનોને ખોલવા માટે મંજૂરી આપવામાં આવે.

5. એકસપોર્ટ – ઈમ્પોર્ટની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા તમામ એકમોને કોઈપણ પ્રકારની પરવાનગી લીધા વગર પોતાનું કામ કરવા પરવાનગી આપવામાં આવે. કારણ કે, એકસપોર્ટના ઓર્ડર્સ જો સમયસર ડીલીવર ન થાય તો તેનો આર્થિક બોજો ઘણો મોટો હોઇ વૈશ્વિક બજારમાં ભારતની ઈમેજને પણ ખરાબ કરી શકે છે. આથી તાત્કાલિક ધોરણથી આ હુકમ અમલવાર થવો જોઇએ.

6. રાજ્યમાં તમામ પ્રકારની મેઈન્ટેનન્સ અને રીપેર સર્વિસીઝ ચાલુ રહે તેવો હુકમ તાત્કાલિક ધોરણથી કરવામાં આવે.

7. ફરસાણ, નમકીન અને મિઠાઇની દુકાનો ચાલુ રાખવાનો ગૃહ વિભાગનો હુકમ છતાં સ્થાનિક તંત્ર દ્વારા ઘણી જગ્યાએ આ દુકાનોને બંધ રાખવામાં આવે છે. આથી સ્થાનિક તંત્રને આ હુકમ અંગે સૂચનો મળી રહે તે માટે ઘટતું કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો.

રાજ્યના પોલીસ મહાનિર્દેશક આશિષ ભાટીયાએ રાજ્યની વિવિધ ચેમ્બર ઓફ કોમર્સના હોદ્દેદારો કરવામાં આવેલી રજૂઆતોને શાંતિપૂર્વક સાંભળી હતી અને જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી દ્વારા બનાવવામાં આવેલી કોર કમિટીમાં ઉદ્યોગ – ધંધાને સ્પર્શતા ઉપરોકત મુદ્દાઓ અંગે નિર્ણયો લેવામાં આવે છે. આથી ચેમ્બર ઓફ કોમર્સે તેમને કરેલી રજૂઆતોને તેઓ મુદ્દાસર મુખ્યમંત્રી દ્વારા બનાવાયેલી કોર કમિટી સમક્ષ રજૂ કરશે. તદુપરાંત આ અંગે જે કઇ નિર્ણય લેવામાં આવશે તેની જાહેરાત કરશે.

May 7, 2021
lic.jpg
1min447

જાહેર ક્ષેત્રની લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન (એલઆઈસઈ)ના કર્મચારી યુનિયન તેમજ મેનેજમેન્ટ વચ્ચે ચાલી રહેલા લાંબા સમયના વિવાદનો અંત આવ્યો છે. હવેથી એલઆઈસીમાં સપ્તાહના ફક્ત પાંચ દિવસ કામકાજ થશે. 10 મેથી આ નવો નિયમો લાગુ પડશે. સપ્તાહમાં સોમથી શુક્રવાર સુધી જ એલઆઈસીની કચેરીઓમાં કામગીરી ચાલુ રહેશે અને શનિ-રવિ રજા રાખવામાં આવશે.

15 એપ્રિલ 2021ના એક પરિપત્ર મુજબ કેન્દ્ર સરકારે જાહેર કર્યું છે કે શનિવારે એલઆઈસીની કચેરીમાં રજા રહેશે. તમામ પોલીસી ધારકો અને હિસ્સેદારોએ આ વાતનો ખ્યાલ રાખવો કે 10મેથી આ નિયમ અમલમાં આવશે.

10 મેથી એલઆઈસીની ઓફિસોમાં સોમવારથી શુક્રવાર 10થી 5.30 સુધી કામકાજ રહેશે તેમ જણાવાયું હતું.

May 7, 2021
radhe_salman_release_date.jpg
1min536

ઝી એન્ટરટેઇન્મેન્ટ એન્ટરપ્રાઇઝેસ અને સલમાન ખાન ફિલ્મ્સે પોતાની આગામી ફિલ્મ `રાધેઃ યોર મોસ્ટ વૉન્ટેડ ભાઇ` (Radhe: Your Most Wanted Bhai) દ્વારા થનારા નફાથી દેશમાં કોવિડ-19 રાહત કાર્ય માટે મદદ કરવા બુધવારે સંકલ્પ લીધો. સલમાન ખાન દ્વારા અભિનીત આ ફિલ્મ 13 મેના રિલીઝ થશે અને સાથે જ આ ફિલ્મનું સ્ટ્રીમિંગ ઓટીટી અને ડીટીએચ સેવાઓ સહિત અનેક પ્લેટફૉર્મ પર કરવામાં આવશે.

પ્રભુદેવા દ્વારા નિર્દેશિત ફિલ્મ `રાધે: યોર મોસ્ટ વૉન્ટેડ ભાઇ` (Radhe: Your Most Wanted Bhai)પે-પર-વ્યૂ પ્રસારણ પ્લેટફૉર્મ `ઝી પ્લેક્સ` પર પણ રિલીઝ થશે. ઝી એન્ટરટેઇન્મેન્ટ એન્ટરપ્રાઇઝેસ લિમિટેડ અને સલમાન ખાન ફિલ્મ્સ Salman Khanએ રાહત સહાયતા આપવા માટે દાન સ્ટેજ `ગિવ ઇન્ડિયા`ની સાથે ભાગીદારી કરી છે. આમાં ઑક્સીજન સિલેન્ડર, સાંદ્રક અને વેન્ટિલેટરથી લઈને જરૂરી ચિકિત્સા ઉપકરણોનું દાન પણ સામેલ છે.

બન્ને કંપનીઓએ શ્રમિકોના પરિવારોને પણ મદદ કરવા માટે પ્રતિબદ્ધ છે જે આ મહામારીથી પ્રતિકૂળ પરિસ્થિતિઓનો સામનો કરી રહ્યા છે. સલમાન ખાન ફિલ્મ્સ (Salman Khan)ના એક પ્રવક્તાએ કહ્યું, “અમને આ મહાન કાર્યનો ભાગ બનીને ખુશ છીએ જેથી અમે કોવિડ-19 વિરુદ્ધ દેશની લડાઇમાં પોતાનું થોડુંક યોગદાન આપી શકશું. ગયા વર્ષથી અમે કોવિડ-19થી લડવાના પ્રયત્નોમાં સતત લાગેલા છીએ. એમાંય ખાસ વાત એ છે કે અમે એ પણ અનુભવ્યું છે કે એવી ફિલ્મની રિલીઝને અટકાવવાથી કોઇપણ પ્રકારની મદદ નહીં મળે જેની શૂટિંગ થઇ ચૂક્યપં છે. પણ આથી મળતા નફાનો ઉપયોગ મહામારીથી લડવાની દિશામાં કરવાથી જરૂર લાભ થશે.”

May 3, 2021
GSPC.jpg
1min381

ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલે રજીસ્ટર્ડ ફાર્મસીસ્ટ તેમજ સામાન્ય જનતા માટે નોટિસ જાહેર કરી છે. જેમાં મજબૂર લોકો સામે ઈન્જેક્શનના નામે વધુ રૂપિયા પડાવનારા લેભાગુ તત્વો સામે કાર્યવાહી કરવામાં આવશે.

ફાર્મસી કાઉન્સિલે રજીસ્ટર્ડ ફાર્મસીસ્ટ તેમજ સામાન્ય જનતા માટે નોટિસ જાહેર કરીને જણાવ્યું હતું કે, મજબૂર લોકો પાસે ઈન્જેક્શનના વધુ રૂપિયા પડાવનારાઓ સામે મોટી કાર્યવાહી થશે. ઈન્જેક્શનની કાળાબજારી, ડુપ્લીકેટ દવા, ઈન્જેકશનનું વેચાણ, એમ.આર.પી કરતા વધારે કિંમતની વસુલાત, દવા અને ઈન્જેક્શનની સંગ્રહખોરી કરતા પકડાશે તો તે વ્યક્તિ સામે કડક પગલાં લેવાશે. સરકારી તેમજ કોમ્યુનિટી ફાર્મસીસ્ટ કાળા બજાર કરતા પકડાશે તો આજીવન માટે તેમનું લાઇસન્સ રદ થશે. ઉપરાંત ફાર્મસી એક્ટ હેઠળ છ મહિના જેલની સજા પણ થશે.

જારી કરવામાં આવેલી એક નોટીસમાં જણાવ્યું હતું કે જો કોઈ ફાર્માસિસ્ટ રેમડિસીવીર ઇન્જેક્શનનની કાળાબજારીમાં સીધી અથવા તો આડકતરી રીતે સામેલ હોવાનું સામે આવશે તો તેને પોતાના ધંધાથી હાથ ધોઈ બેસવાનો વારો આવશે, એટલે કે તે ફાર્મસીસ્ટનું લાઇસન્સ આજીવન માટે રદ કરવામાં આવશે. રેમડેસિવિર ઇન્જેક્શનની માગ મોટા પ્રમાણમાં વધી છે, આ પરિસ્થિતિનો ગેરલાભ લઇ કેટલાક લોકો ઇન્જેક્શનનો સ્ટોક કરી બ્લેકમાં કિંમતથી અનેક ગણા ભાવ વસુલી રહ્યા છે. દર્દીના પરિજનો પણ નિ:સહાય બની પોતાના પરિજનોના જીવની ચિંતા કરી ઇન્જેક્શન ખરીદવા સિવાય કોઈ વિકલ્પ નથી. જેને લઈને કાઉન્સિલે’ નિર્ણય લીધો છે. કોઈપણ વ્યક્તિ પાસે કોઈપણ મેડિકલ સંચાલક અથવા ફાર્મસીસ્ટ દ્વારા વધુ પૈસા લેવામાં આવ્યા હોય તો ફરિયાદ કરવા માટે અપીલ કરવામાં આવી છે. કોઈપણ પણ વ્યક્તિ ગુજરાત ફાર્મસી કાઉન્સિલમાં આ માટે ફરિયાદ કરી શકે છે. વધુમાં રેમડેસિવિર કે અન્ય કોઈ ઇન્જેક્શન અથવા તો દવા ખરીદતા સમયે બિલનો આગ્રહ રાખવો જોઈએ તેવી પણ કાઉન્સિલે અપીલ કરી છે.

May 3, 2021
gst.jpg
1min392

સરકારે જીએસટીના માર્ચ અને એપ્રિલ મહિનાના માસિક જીએસટીઆર-૩બી ફાઇલિંગના રિટર્નમાં વિલંબ માટે લૅટ ફી નહીં લેવાનું નક્કી કર્યું છે અને લૅટ ફાઇલિંગ કરનારાઓ માટે વ્યાજના દરમાં ઘટાડો કર્યો છે.

પાંચ કરોડ રૂપિયાથી વધારે ટર્નઓવર ધરાવતા કરદાતાઓને તેના જીએસટીના માસિક રિટર્ન ફાઇલ કરવા અને ટૅક્સ ભરવા માટે વધુ ૧૫ દિવસનો સમય આપવામાં આવ્યો છે. આ ૧૫ દિવસ માટે તેમણે ૯ ટકાના ઓછા દરે વ્યાજ લેવામાં આવશે અને ત્યાર બાદ ૧૮ ટકાના દરે વ્યાજ લેવામાં આવશે. અગાઉના નાણાકીય વર્ષમાં જેમનું ટર્નઓવર પાંચ કરોડ રૂપિયા સુધીનું હોય તેમને માર્ચ અને એપ્રિલ મહિનાના રિટર્ન ફાઇલ કરવા માટે વધુ ૩૦ દિવસનો સમય આપવામાં આવ્યો છે આ સમય માટે તેમણે લેટ ફી નહીં ચૂકવવી પડે. આ સમયગાળા બાદ તેમણે ૯ ટકા અને ૩૦ દિવસ બાદ ૧૮ ટકા વ્યાજ ચૂકવવું પડશે.

સીબીડીટી દ્વારા પહેલી મેના રોજ આ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતુું. આ છૂટછાટ ૧૮ એપ્રિલથી અમલમાં આવી છે.

એપ્રિલ સેલ્સ ટૅક્સ રિટર્ન જીએસટીઆર-૧ની તારીખ પણ ૧૧મી મેથી લંબાવીને ૨૬મે કરવામાં આવી છે.