CIA ALERT

બિઝનેસ Archives - Page 31 of 87 - CIA Live

June 15, 2021
Gautam_Adani.jpg
1min378

ભારત અને એશિયાના બીજા સૌથી ધનિક વ્યક્તિ ગૌતમ અદાણીના નેતૃત્વ વાળી કંપની અદાણી ગ્રુપ માટે એક માઠા સમાચાર છે. નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ દ્વારા ત્રણ વિદેશી ફંડ્સ અલ્બુલા, ક્રેસ્ટા અને એપીએમએસ ફંડના અકાઉન્ટ ફ્રીઝ કરી દીધા છે. તેમની પાસે અદાણી ગ્રુપની ચાર કંપનીઓના 43,500 કરોડ રૂપિયાથી વધારે મૂલ્યના શેર છે.

એનએસડીએલની વેબસાઈટ અનુસાર, આ અકાઉન્ટને 31 મે અથવા તે પહેલા ફ્રીઝ કરાયા હતા.

આ ત્રણ ફંડની અદાણી એન્ટરપ્રાઈઝમાં 6.82 ટકા, અદાણી ટ્રાન્સમિશનમાં 8.03 ટકા, અદાણી ટોટલ ગેસમાં 5.92 ટકા અને અદાણી ગ્રીનમાં 3.58 ટકા ભાગીદારી છે. કસ્ટોડિયન બેન્કો અને વિદેશી રોકાણકારોને હેન્ડલ કરતી લો ફર્મ્સ અનુસાર, આ વિદેશી ફંડ્સને બેનિફિશિયલ ઓનરશિપ વિષે પૂરતી જાણકારી નહીં હોય, માટે તેમના અકાઉન્ટ ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે.
એક અધિકારીના જણાવ્યા અનુસાર, લગભગ કસ્ટોડિયન પોતાના ક્લાયન્ટ્સને આ પ્રકારની કાર્યવાહી વિશે જાણકારી આપે છે, પરંતુ જો ફંડ આ બાબતે જવાબ નથી આપતા અથવા તેનું પાલન નથી કરતા તો તેમના અકાઉન્ટ ફ્રીઝ થઈ શકે છે. અકાઉન્ટ ફ્રીઝ થવાનો અર્થ છે કે, ફંડ વર્તમાન સિક્યોરિટી વેચી નથી શકતા અને નવી સિક્યોરિટી ખરીદી નથી શકતા. આ બાબતે એનએસડીએલ, સેબી અને અદાણી ગ્રુપને મોકલવામાં આવેલા ઈમેઈલનો કોઈ જવાબ નથી મળ્યો. ફાંડિંગ કંપનીઓ સાથે સંપર્ક સાધી નથી શકાયો.’

June 11, 2021
atm.jpg
1min381
ATM cash withdrawal charges: What RBI's new rule means for you

૧લી જાન્યુઆરીથી ફ્રિ પર્મીસિબલ લિમિટ કરતાં એટીએમના વધુ વ્યવહાર માટે વધુ નાણાં ચૂકવવા પડશે

રિઝર્વ બૅંકે આવતા વર્ષની ૧લી જાન્યુઆરીથી ફ્રિ પર્મીસિબલ લિમિટ કરતાં એટીએમના વધારાના વ્યવહાર માટે વધુ નાણાં ચાર્જ કરવાની બૅંકોને પરવાનગી આપી છે.

આરબીઆઇના સકર્યુલરમાં જણાવ્યા અનુસાર બૅંકો હાલ ફ્રિ ટ્રાંઝક્શન લિમિટ કરતા વધારે ટ્રાંઝકશન માટે રૂ. ૨૦નો ચાર્જ લે છે, પણ ૧ જાન્યુઆરી, ૨૦૨૨થી એ માટે રૂ. ૨૧નો ચાર્જ લઇ શકશે.

જોકે, ગ્રાહકો અત્યારની જેમ જ દર મહિને પોતાની બૅંકના એટીએમમાંથી પાંચ વખત મફત ટ્રાંઝક્શન (નાણાકીય અથવા બીનનાણાકીય)નો લાભ મેળવી શકશે. તેઓ અન્ય બૅંકના એટીએમમાંથી મેટ્રો સેંટર્સમાં ત્રણ વખત અને નોન-મેટ્રો સેંટર્સમાં પાંચ મફત ટ્રાંઝક્શન મફત ટ્રાંઝક્શનનો લાભ મેળવી શકશે.

આ સાથે બૅંકોને ૧લી ઑગસ્ટ, ૨૦૨૧થી નાણાંકીય ટ્રાંઝક્શન માટે ઇન્ટરચૅન્જ ફી રૂ. ૧૫થી વધારીને રૂ. ૧૭ કરવાની અને બીનનાણાકીય ટ્રાંઝક્શન માટે ઇન્ટરચૅન્જ ફી રૂ. ૫થી વધારીને રૂ. ૬ કરવાની પરવાનગી આપવામાં આવી છે.

June 10, 2021
farmers.jpg
1min457

કેન્દ્રના પ્રધાનમંડળે ભારતીય રેલવેના સંદેશવ્યવહાર અને સિગ્નલિંગની સુવિધા સુધારવા માટે ૭૦૦ મેગાહર્ટઝ બૅન્ડમાં પાંચ મેગાહર્ટઝ સ્પેક્ટ્રમની ફાળવણીને બુધવારે મંજૂરી આપી હતી. આ ઉપરાંત, ડાંગર, બાજરા, જુવાર, મકાઇ, રાગી અને કૉટન (રૂ)ના લઘુતમ ટેકાના ભાવમાં વધારો કર્યો હતો.

પાકની ૨૦૨૧-૨૦૨૨ની મોસમ (જુલાઇ-જૂન) માટે ડાંગર (કૉમન વૅરાઇટી)નો લઘુતમ ટેકાના ભાવ ક્વિન્ટલ દીઠ રૂપિયા ૧,૮૬૮થી રૂપિયા ૭૨ વધારીને રૂપિયા ૧,૯૪૦ કરાયો હતો.

દરમિયાન, બાજરાના લઘુતમ ટેકાના ભાવને ક્વિન્ટલ દીઠ રૂપિયા ૨,૧૫૦થી વધારીને રૂપિયા ૨,૨૫૦ કરાયો હતો.

ડાંગર, બાજરા, જુવાર, મકાઇ, રાગી અને કૉટન (રૂ)ના લઘુતમ ટેકાના ભાવમાંના વધારાને લીધે ખેડૂતોને ઘણો લાભ મળશે. ડાંગર મુખ્ય ખરીફ પાક ગણાય છે. નૈર્ઋત્યનું ચોમાસું બેસે તે પછી તેની વાવણી શરૂ થાય છે.

કૉટન (રૂ)ની મીડિયમ સ્ટૅપલ વૅરાઇટીના લઘુતમ ટેકાના ભાવ ક્વિન્ટલ દીઠ રૂપિયા ૨૧૧ વધારીને રૂપિયા ૫,૭૨૬ કરાયો હતો, જ્યારે કૉટનની લૉન્ગ સ્ટૅપલ વૅરાઇટીના લઘુતમ ટેકાના ભાવ ક્વિન્ટલ દીઠ રૂપિયા ૨૦૦ વધારીને રૂપિયા ૬,૦૨૫ કરાયો હતો.

મકાઇનો લઘુતમ ટેકાનો ભાવ ક્વિન્ટલ દીઠ રૂપિયા ૧,૮૫૦થી રૂપિયા ૨૦ વધારીને રૂપિયા ૧,૮૭૦ કરાયો હતો. જુવાર (હાઇબ્રિડ)નો લઘુતમ ટેકાનો ભાવ ક્વિન્ટલ દીઠ રૂપિયા ૨,૬૨૦થી રૂપિયા ૧૧૮ વધારીને રૂપિયા ૨,૭૩૮ કરાયો હતો.

રાગીનો લઘુતમ ટેકાનો ભાવ ક્વિન્ટલ દીઠ રૂપિયા ૩,૨૯૫થી રૂપિયા ૮૨ વધારીને રૂપિયા ૩,૩૭૭ કરાયો હતો.

કેન્દ્રના પ્રધાન પ્રકાશ જાવડેકરે બુધવારે દાવો કર્યો હતો કે રેલવેને આ સ્પેક્ટ્રમની ફાળવણીને લીધે રેલવેને મુસાફરોની સલામતી વધારવામાં સહાય મળશે.

રેલવેનો આ પ્રકલ્પ આગામી પાંચ વર્ષમાં રૂપિયા ૨૫,૦૦૦ કરોડના અંદાજિત ખર્ચે પૂરો થશે.

રેલવે હાલમાં પોતાના સંદેશવ્યવહાર માટે ઑપ્ટિકલ ફાઇબર પર આધાર રાખે છે, પરંતુ નવા સ્પેક્ટ્રમની ફાળવણીથી તે હાઇ-સ્પીડ રેડિયોનો પણ વપરાશ કરી શકશે.

June 8, 2021
Gujarat-map.jpg
1min623

ગુજરાતમાં કોરોનાવાઈરસને લોકડાઉન અને મીની લૉકડાઉન સહિતના નિયમોને લીધે સતત સતત બીજા વર્ષે પણ હૉટેલો, રેસ્ટોરન્ટ, વોટરપાર્ક અને રિસોર્ટના માલિકોને ભારે નુકસાન કોરોનાને કારણે મનોરંજન પૂરું પાડતા એમ્યુઝમેન્ટ ઉદ્યોગો વેન્ટિલેટર પર પહોંચી ગયા હોવાથી આખરે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ આ ઉદ્યોગોને પ્રોપર્ટી ટેક્સમાંથી મુક્તિ, વીજ બિલનો ફિક્સ ચાર્જ પણ માફી આપવાનો નિર્ણય કર્યો છે.

મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ગુજરાતમાં હૉટલ, રીસોર્ટ્સ, રેસ્ટોરન્ટ્સ અને વોટર પાર્ક્સને રાહત આપતી જાહેરાત કરી છે. મુખ્ય પ્રધાનના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીમાં લેવાયેલા આ નિર્ણય અનુસાર રાજ્યમાં તા. ૧લી એપ્રિલ ૨૦૨૧ થી ૩૧મી માર્ચ ૨૦૨૨ સુધીના એક વર્ષના સમય માટે હોટેલ, રિસોર્ટ્સ, રેસ્ટોરન્ટ્સ અને વોટરપાર્ક્સને પ્રોપર્ટી ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવી છે.

કોર કમિટીમાં એવો પણ નિર્ણય લેવામાં આવ્યો છે કે, આવા હોટલ, રિસોર્ટ્સ, રેસ્ટોરન્ટ્સ અને વોટરપાર્ક્સને વીજ બિલમાં ફિક્સ ચાર્જમાંથી મુક્તિ આપી ખરેખર વીજ વપરાશ થયો હોય તેના પર જ વીજ બિલ આકારી ચાર્જ વસૂલ કરવામાં આવશે. આ નિર્ણયને લીધે આર્થિક રાહત મળશે.

હાલ ગુજરાતમાં કોરોનાને કારણે વોટર પાર્ક બંધ છે. જ્યારે હોટેલ અને રેસ્ટોરન્ટમાં રાતના ૯ વાગ્યા સુધી ટેક અવે ફેસિલિટી અને રાતના ૧૦ વાગ્યા સુધી હોમ ડિલિવરી કરવાની છૂટ આપવામાં આવી છે.

આમ હાલ હોમ ડિલિવરી અને ટેક અવે પર જ હોટેલ ઈન્ડસ્ટ્રી નભી રહી છે.અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં અંદાજે ૫૦,૦૦૦ હોટેલ-રેસ્ટોરન્ટ કાર્યરત છે. જે સીધી અને આડકતરી રીતે ૧૦થી ૧૨ લાખ લોકોને રોજગારી આપી રહ્યો હોવાનો અંદાજ છે. હવે હોટેલ અને રેસ્ટોરન્ટમાં લોકો મોટાભાગે સાંજે જમવાનું પસંદ કરતા હોય છે, પરંતુ કોરોનાને કારણે આઠ વાગે હોટેલ અને રેસ્ટોરન્ટ બંધ કરી દેવી પડે છે. જેના કારણે ઇન્ડસ્ટ્રીને બહુ મોટુ નુકસાન થઈ રહ્યું છે.

June 5, 2021
bankholiday.jpg
1min443

RBIની ઘોષણા : નેશનલ ઓટોમેટેડ ક્લીયરિંગ હાઉસ રોજ ચાલુ રહેશે

બેન્ક હોલિડે હોય અને હપ્તો ભરવામાં મોડું થતાં લેટ ફી ભરવી પડે તો કેવી પીડા થાય… ભારતીય રિઝર્વ બેન્ક (આરબીઆઈ) લોકોની આવી પરેશાની દૂર કરવા જઈ રહી છે. હવે તમારે પગાર માટે શનિવાર-રવિવાર અથવા વિકેન્ડ રજા પસાર થવાની રાહ જોવી નહીં પડે. આરબીઆઈ (રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા)એ નેશનલ ઓટોમેટેડ ક્લિયરીંગ હાઉસ (એનએસીએચ)ના નિયમોમાં બદલાવ કર્યો છે.

એનએસીએચની સુવિધા 1 ઓગષ્ટ, ર0ર1 થી સાતેય દિવસ ઉપલબ્ધ થશે. હાલ આ સુવિધા ત્યારે જ મળે છે જ્યારે બેંકો ખુલ્લી હોય છે. સામાન્ય રીતે સોમવારથી શુક્રવાર વચ્ચે આ સુવિધા મળતી હોય છે પરંતુ જ્યારે મહિનાની પહેલી તારીખ શનિવાર-રવિવારના સંજોગોમાં પગારદાર વર્ગે પગાર ખાતામાં જમા થાય તે માટે વિકેન્ડ પસાર થવાની રાહ જોવી પડતી હોય છે. બેંક હોલી ડે હોય ત્યારે પગાર મોડો થવાની ચિંતા નહીં રહે. આરબીઆઈના ગવર્નર શશિકાંત દાસે શુક્રવારે ક્રેડિટ પોલીસીના રિવ્યૂ દરમિયાન એલાન કર્યું કે ગ્રાહકોની સુવિધા વધારવા તથા ર4ડ્ઢ7 ઉપલબ્ધ રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટનો લાભ ઉઠાવવા માટે એનએસીએચ જે હાલ બેંકોના કાર્યરત દિવસોમાં ઉપલબ્ધ છે તેને સપ્તાહના તમામ દિવસ લાગૂ કરવાનો પ્રસ્તાવ છે જે 1 ઓગષ્ટ, ર0ર1થી લાગૂ થશે. આ સુવિધાથી સેલેરી, પેન્શન, ઈએમઆઈ કે અન્ય પેમેન્ટ, ક્રેડિટ ટ્રાન્સફર વિકેન્ડમાં પણ થઈ શકશે.

June 2, 2021
cotton.jpg
1min534

ખરીફ વાવણીનો સમય શરું થવા પૂર્વે કપાસનો ભાવ ગુજરાતમાં એક મણે રૂા.1500ની ઐતિહાસિક સપાટી વટાવીને રૂા.1556 સુધી પહોંચી ગયો છે. બે ત્રણ વર્ષ પહેલા કપાસનો ભાવ માંડ રૂા.1200 સુધી સમગ્ર સીઝનમાં પહોંચતો હતો પરંતુ આ વર્ષે આખી સીઝનમાં સરેરાશ ભાવ રૂા.1200નો મળ્યો છે અને હવે રૂા.1500 ઉપરના ભાવથી નોંધપાત્ર સોદા થતા ખેડૂતો હરખાઇ ઉઠયા છે. મંગળવારે તા.1 જૂન 2021ના એક જ દિવસમાં મણે રૂા.20-30ની તેજી હતી. છેલ્લાં એક માસમાં રૂા.225ની તેજી આવી ચૂકી છે.

ગુજરાતભરમાં કપાસની આવક હવે માંડ 40-45 હજાર મણની થાય છે. બોટાદમાં સૌથી વધારે 11 હજાર મણ કપાસ આવે છે. ત્યાં ઉચ્ચતમ રૂા.1125-1556 સુધીના ભાવથી કામકાજ થયા હતા. બાબરામાં રૂા.1235-1550, અમરેલીમાં રુ.1000-1507, ગોંડલમાં રૂા.1111-1500 અને રાજકોટ યાર્ડમાં રૂા.1300-1530નો ભાવ રહ્યો હતો.’ સારાં લંબતારી અને માઇકવાળા કપાસનો ભાવ જ રૂા.1500 કે તેનાથી વધારે બોલાઈ છે. ફરધર કપાસ પણ રૂા.1250-1300ના ભાવથી વેચાય છે. કપાસના બ્રોકરો કહે છે, હવે કપાસનો સ્ટોક બહુ ઓછો છે.

સારો કપાસ સમગ્ર ગુજરાતમાં 100-150 ગાડી કરતા વધારે નહીં હોય. ફરધર અને મિડીયમ માલ થોડો વધારે હશે. ન્યૂયોર્ક વાયદામાં તેજી અને તેની પાછળ સીસીઆઇ દ્વારા રોજ ઉંચા ભાવથી ગાંસડી વેંચવામાં આવી રહી છે. પરિણામે જિનોની નવી ખરીદી સારાં કપાસમાં વધી છે. યાર્ડમાં રૂા.1500-1550માં કપાસ વેચાઈ છે પણ ગામડેથી હજુ ખેડૂતો વેચતા નથી.
સંકર રુનો ભાવ તેજીની અસરે રૂા.49300 પ્રતિ ખાંડી પહોંચી ગયો છે. ઉત્તમ ક્વોલિટીની ગાંસડીમાં બે-ત્રણ દિવસથી રૂા.50,000ના ભાવથી પણ સોદા થઇ રહ્યા છે.’

June 1, 2021
gst.jpg
1min406

મે મહિના માટેના જીએસટીના માસિક સૅલ્સ રિટર્ન ભરવાની અંતિમ તારીખ પંદર દિવસ લંબાવીને ૨૬ જૂન ૨૦૨૧ સુધી કરી હોવાની જાહેરાત સરકારે સોમવારે કરી હતી.

નાણાં પ્રધાન નિર્મલા સીતારામનની અધ્યક્ષતામાં ૨૮મી મેના દિવસે યોજાયેલી બેઠકમાં કોવિડ-૧૯ને ધ્યાનમાં લઇને અમુક સવલતો આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

સેન્ટ્રલ બૉર્ડ ઑફ ઇનડાયરેક્ટ ટૅક્ષિસ ઍન્ડ કસ્ટમ્સ (સીબીઆઇસી)એ કાઉન્સિલ દ્વારા જાહેર કરાયેલી સવલતો વિશે ટ્વિટર પર માહિતી આપી હતી.

મે ૨૦૨૧ માટે જીએસટીઆર-૧ ફોર્મ રજૂ કરવાની તારીખ પંદર દિવસ માટે લંબાવવામાં આવી છે. હવે એ ભરવાની અંતિમ તારીખ ૨૬મી જૂન ૨૦૨૧ છે.

કોમ્પોઝીશન ડિલર્સ દ્વારા નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ માટેના વાર્ષિક રિટર્ન (જીએસટીઆર-૪) ભરવાની તારીખ કાઉન્સિલે ત્રણ મહિના માટે લંબાવી છે અને હવે એ ૩૧મી જુલાઇ ૨૦૨૧ સુધી ભરી શકાશે.

કંપનીઝ ઍક્ટ હેઠળ નોંધાયેલા કરદાતાઓને જીએસટી રિટર્ન ડિજિટલ સિગ્નેચર સર્ટિફિકેટને બદલે ઇવીસી દ્વારા ૩૧મી ઑગસ્ટ ૨૦૨૧ સુધી ભરવાની સવલત આપવામાં આવી છે. 

June 1, 2021
gdp.jpg
1min503

નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ દરમિયાન ભારતીય અર્થતંત્રનો ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડ્ક્ટ (જીડીપી) માઇનસ ૭.૩ ટકા નોંધાયો હતો. જાન્યુઆરી-ફેબ્રુઆરી-માર્ચ ત્રિમાસિકમાં અર્થતંત્રનો વિકાસ ૧.૬ ટકા થયો હતો. એક વર્ષ અગાઉ ૨૦૨૦ના જાન્યુઆરી-ફેબ્રુઆરી-માર્ચ ત્રિમાસિકમાં ૩ ટકા જીડીપી વિકાસદર નોંધાયો હતો. વર્ષ ૨૦૧૯-૨૦માં ચાર ટકા વિકાસ થયો હતો જેની સરખામણીમાં વર્ષ ૨૦૨૦-૨૧માં વિકાસ દર ઘટીને માઇનસ ૭.૩ ટકા નોંધાયો હતો. કોવિડ મહામારીને પગલે લૉકડાઉન સહિતના નિયંત્રણો લાદવામાં આવતા વિકાસ દર સંકોચાયો હતો.

દરમિયાન વર્ષ ૨૦૨૦-૨૧માં નાણાકીય ખાધ ગ્રોસ ડોમોસ્ટિક પ્રોડ્ક્ટ (જીડીપી)ના ૯.૩ ટકા (૧૮,૨૧,૪૨૬ કરોડ રૂપિયા) થઇ છે. કંટ્રોલર જનરલ ઑફ અકાઉન્ટ્સ (સીજીએ)એ વર્ષ ૨૦૨૦-૨૧ માટેની કેન્દ્ર સરકારના મહેસૂલ ખર્ચની વિગતો જાહેર કરી હતી. વર્ષ ૨૦૨૦-૨૧માં રાજકોષીય ખાધ જીડીપીના ૭.૪૨ ટકા જેટલી નોંધાઇ છે.

વર્ષ ૨૦૧૯-૨૦માં મહેસૂલી આવકમાં ઘટાડો થવાને પગલે નાણાકીય ખાધ જીડીપીના ૪.૬ ટકા જેટલી થઇ હતી. વર્તમાન નાણાકીય વર્ષ માટે જીડીપીના ૩.૫ ટકા (રૂપિયા ૭.૯૬ લાખ કરોડ)નો અંદાજ સરકારે બજેટમાં રજૂ કર્યો હતો.

May 30, 2021
FDI.jpg
1min452

દેશમાં વિદેશી રોકાણ મુદ્દે સિંગાપોરે સતત ત્રીજા નાણાકીય વર્ષમાં ૧૭.૪૧ અબજ ડોલર રોકાણ સાથે ટોચનુ સ્થાન જાળવી રાખ્યુ છે. જ્યારે બીજા ક્રમે મોરિશિય્સનુ સ્થાન અમેરિકાએ લીધુ છે. ૨૦૨૦-૨૧ દરમિયાન અમેરિકાએ ૧૩.૮૨ અબજ ડોલરનુ રોકાણ કર્યુ છે.

Foreign Direct Investment | Types of FDI | Advantages and Disadvantages

ડીપીઆઈઆઈટી દ્રારા જારી આંકડાઓ અનુસાર, ગત નાણાકીય વર્ષમાં મોરિશિય્સે ભારતમાં ૫.૬૪ અબજ ડોલરનુ રોકાણ કર્યુ હતું. જ્યારે યુઈએ દ્રારા ૪.૨ અબજ ડોલર, સાયમન આઈલેન્ડમાંથી ૨.૭૯ અબજ ડોલર, નેધરલેન્ડમાંથી ૨.૭૮ અબજ ડોલર, યુકેમાંથી ૨.૦૪ અબજ ડોલર, જાપાનમાંથી ૧.૯૫ અબજ ડોલર, જર્મનીમાંથી ૬૬૭ મિલિયન ડોલર અને સાયપ્રસમાંથી ૩૮૬ મિલિયન ડોલરનુ રોકાણ નોંધાયુ છે.

આ સાથે ૨૦૨૦-૨૧માં એકંદરે કુલ વિદેશી સીધુ રોકાણ ૧૯ ટકા વધી ૫૯.૬૪ અબજ ડોલર થયુ છે. વિદેશી રોકાણમાં વૃદ્ધિ પાછળ સરકારની સુધારાત્મક નીતિઓ જબાવદાર છે. ૨૦૨૦માં કોવિડ મહામારી બાદ સરકારે વિદેશી રોકાણકારોને આકર્ષવા માટે નીતિઓમાં પ્રોત્સાહક સુધારા કર્યા હતા. ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસના નિયમોમાં પણ રાહતો આપી હતી. જેના પગલે વિદેશી રોકાણ સતત વધી રહ્યુ છે. ઈક્વિટી, રિ-ઈન્વેસ્ટેડ આવકો અને મૂડી સહિત કુલ એફડીઆઈ ૨૦૧૯-૨૦માં ૭૪.૩૯ અબજ ડોલર સામે વધી ૨૦૨૦-૨૧માં ૮૧.૭૨ અબજ ડોલર નોંધાયુ છે.

૨૦૨૦-૨૧માં કોમ્પ્યુટર સોફ્ટવેર અને હાર્ડવેર સેક્ટરમાં સૌથી વધુ ૨૬.૧૪ અબજ ડોલરનુ વિદેશી રોકાણ જોવા મળ્યુ છે. જ્યારે કંસ્ટ્રક્શન-ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેગમેન્ટમાં ૭.૮૭ અબજ ડોલર, સર્વિસ સેક્ટરમાં ૫ાંચ અબજ ડોલરનુ રોકાણ નોંધાયુ છે.

May 29, 2021
iai.jpg
12min1576

Jayesh Brahmbhatt 98253 44944

કારકિર્દીઓમાં વિશ્વભરમાં જેને કરોડોની આવક રળી આપતા વ્યવસાયિક તરીકે ગણવામાં આવે છે એ એક્ચ્યુરીઝ સર્ટિફિકેશન અભ્યાસ માટે ભારતમાં ધો.12 પાસની મુદત ઘટાડીને ચાલુ વર્ષ 2021 માટે ધો.11 કરી દેવામાં આવી છે. એક્ચ્યુરીઝ અભ્યાસક્રમ સી.એ., સી.એસ. જેવા અભ્યાસક્રમો કરતા કઠીન માનવામાં આવે છે અને ધો.11 સાયન્સ, આર્ટસ, કોમર્સ કોઇપણ પ્રવાહના વિદ્યાર્થીઓ એક્ચ્યુરીઝની પ્રવેશ પરીક્ષા ACET (Acturial Common Entrance Test એસેટ 2021 આપીને તેનો અભ્યાસ ઘરે બેઠા કરી શકે છે. સી.એ., CA, સીએસ CS, સીએમએ CMA ની જેમ એક્ચ્યુરીઝ અભ્યાસમાં જોડાવા સાથે કોઇપણ વિદ્યાર્થી અન્ય રેગ્યુલર ડિગ્રીમાં અભ્યાસ કરી શકે છે.

કોરોના પેન્ડેમિકને કારણે ધો.12માં પરીક્ષાઓનું કોઇ ઠેકાણું ન હોઇ, એક્ચ્યુરીઝ ઇન્ડિયા ઇન્સ્ટીટ્યુટે એસેટ પરીક્ષાની લાયકાત ધો.11 કરી દીધી છે.

અત્યંત કઠીન છે અને કદાચ 90 ટકા લોકોને આ કોર્સ કે તેની શક્તિ વિશે ખબર પણ નહીં હોય

એક્ચ્યુરીઝ અભ્યાસ એ વિશ્વભરમાં સૌથી વધુ આવક રળી આપતો કોર્સ નહીં પણ સ્કીલ કહી શકાય. રિસ્ક મેનેજમેન્ટ, ફાઇનાન્સીયલ મેનેજમેન્ટ ટૂંકમાં એક્ચ્યુરીઝનું કામ analyzes the financial consequences of risk જોખમના નાણાકીય પરિણામોનું વિશ્લેષણ કરવાનું છે. એક્ચુયરીઝનો સ્ટાર્ટીંગ સેલેરી કહો કે મહેનતાણું વાર્ષિક રૂ.1 કરોડથી શરૂ થઇ શકે જો એ સંપૂર્ણ પણે સ્કીલ્ડ એક્ચ્યુરીઝ હોય. એક્ચ્યુરીઝ બનવું સહેલું નથી, કદાચ સી.એ., સીએસ કે સિવિલ સર્વિસિઝની પરીક્ષા પાસ કરી શકાય પરંતુ, એક્ચ્યુરીઝ બનવા માટે અત્યંત કઠોર પરિશ્રમ જરૂરી છે.

ACET (Acturial Common Entrance Test એસેટ 2021 મહત્વની તારીખો

ધો.11 કે તેને સમકક્ષ કોઇપણ પ્રવાહના વિદ્યાર્થીઓ ફક્ત આ વર્ષ પૂરતું ACET (Acturial Common Entrance Test એસેટ 2021 પરીક્ષા આપી શકશે

ACET (Acturial Common Entrance Test એસેટ 2021 વધુ વિગતો (ફી ફક્ત રૂ.3000)

Actuarial Common Entrance Test (ACET)

“Actuarial Common Entrance Test” is applicable to the candidates who plan to enroll as student member of the Institute of Actuaries of India and wish to take actuarial examinations.

Eligibility Criteria:

Any candidate studying for
• 10+2
• Finance, or any other stream, but you have love for Mathematics and skills in Numeracy.
• Mathematical Sciences: Maths, Statistics, Econometrics or any other.
• Engineering.
• Management.
• Chartered Accountant, Cost Accountant or a Company Secretary.

Note:
1. ACET Examination is conducted only in India
2. ACET result is valid for 3 years from the date of declaration of the exam result for taking student membership of IAI.

Structure of ACET Examination:

Institute of Actuaries of India had started conducting its Entrance Exam which is ACET from January 2012.

Institute has started conducting ACET examination in Home Based Online Format with effect from October 2020.

1. ACET is a 3 hour, 100 marks online exam which has 70 multiple choice questions with one correct answer for each question.

2. The distribution of questions will be:

a. 45 questions – 1 mark each
b. 20 questions – 2 marks each
c. 05 questions – 3 marks each

3. The Allocation of Marks will be as under:

a. Mathematics – 30 marks
b. Statistics – 30 marks
c. Data Interpretation – 15 marks
d. English – 15 marks
e. Logical Reasoning – 10 marks

4. ACET will be conducted in a single day with one slot.

5. There will not be any negative marking for incorrect answers.

Pass mark for ACET Examination is 50%.

બધાનું ગજુ નથી, આ સિલેબસ છે એસેટ પરીક્ષા માટે

Syllabus:

Syllabus for ACET Examination will include the following

1) Mathematics

a) Notation and standard functions
b) Numerical Methods
c) Algebra
d) Differentiation
e) Integration
f) Vectors
g) Matrices

2) Statistics

a) Permutations and combinations
b) Types of data
Statistical diagrams, bar chart, histogram, dot plot, stem-and-leaf, boxplot
c) Measures of location
mean, median, mode
d) Measures of spread
range, interquartile range, standard deviation, variance, Skewness
e) Probabilities
basic rules of probabilities
f) Advanced probabilities
tree diagrams, conditional probabilities
g) Discrete random variables
definitions, probabilities, mean, mode, median, standard deviation, variance, coefficient of skewness
h) Continuous random variables
definitions, probabilities, mean, mode, median, standard deviation, variance, coefficient of skewness
i) Discrete distributions
discrete uniform, Bernoulli, binomial, Poisson
j) Continuous distributions
continuous uniform, exponential, the normal distribution
k) Correlation
scatter plots, covariance, correlation coefficient
l) Regression

3) English

a) Vocabulary Based (Synonyms Antonyms)
b) English Usage or Grammar
c) Sentence Correction
d) Fill in the blanks
e) Cloze Passage
f) Analogies or Reverse Analogies
g) Jumbled Paragraph
h) Meaning-Usage Match
i) Summary Questions
j) Verbal Reasoning
k) Facts / Inferences / Judgements
l) Reading Comprehension

Vocabulary: Vocabulary questions test the candidate’s knowledge of the primary meanings of words, secondary shades of meaning, usage, idioms and phrases, antonyms, related words, etc.

Grammar: Grammar-based questions test the candidate’s ability to spot and correct grammatical errors. It should generally tests knowledge of high school level grammar and includes areas like subject-verb agreement, use of modifiers, parallel construction, redundancy, phrasal verbs, use of articles, prepositions, etc.

Verbal Reasoning: Verbal reasoning questions are designed to test the candidate’s ability to identify relationships or patterns within groups of words or sentences.

4) Data Interpretation

Data is given in form of tables, charts and graphs. In this section it is tested that how can you interpret the given data and answers the questions based on it.

a) Tables
b) Column Graphs
c) Bar Graphs
d) Line Charts
e) Pie Chart
f) Venn Diagrams
g) Caselets
Combination of two or more types linked to each other.

5) Logical Reasoning

a) Number and Letter Series
b) Calendars
c) Clocks
d) Cubes
e) Venn Diagrams
f) Binary Logic
g) Seating Arrangement
h) Logical Sequence
i) Logical Matching
j) Logical Connectives
k) Syllogism
l) Blood Relations

Reference Books for ACET Examination:

Note: The reference books are for guidance purpose and they may or may not cover the given ACET syllabus.

1. TOMATO (Test Of Mathematics at Ten plus Two level published by ISI)
2. How to Prepare for Verbal Ability and Reading Comprehension for CAT by Arun Sharma and Meenakshi Upadhyay, Mc Graw Hill
3. How to prepare for Quantitative Aptitude for the CAT Editor: Arun Sharma
4. Quantitative Aptitude for Competitive Examinations Editor: Abhijit Guha
5. The Pearson and Guide to Verbal Ability and Logical Reasoning for the CAT Editor: Nishit K. Sinha
6. Quantitative Aptitude for MBA Entrance Examinations Editor: R.S. Aggarwal
7. High School English Grammar and Composition- Wren and Martin
8. Word Power Made Easy Editor: Norman Lewis
9. Problem Solving Strategies Editor: Arthur Engel
10. Challenge and Thrill of Pre-College Mathematics by New Age International Publishers
11. Challenging Mathematical Problems with Elementary Solutions Editors: A.M. Yaglom and I.M. Yaglom
12. An Excursion in Mathematics Editors: M. R. Modak, S. A. Katre, V. V. Acharya, V. M. Sholapurkar
13. Problem Primer for the Olympiad Editors: C R Pranesachar, B J Venkatachala, C S Yogananda
14. Trishna’s Data Interpretation and Logical Reasoning for the CAT and other MBA Entrance Examinations
15. ACTED Study Material – FAC and STATS PACK

Note: Validity of ACET results is only for three years from the date of declaration of exam result for taking student membership of IAI.

આ છે માળખું એક્ચુયરીઝ સર્ટિફિકેશન કોર્સનું, પ્રવેશ પરીક્ષા પાસ કર્યા પછી