બિઝનેસ Archives - Page 22 of 90 - CIA Live

June 25, 2022
fmcg.jpg
1min502

અનાજના ભાવોમાં વધારાને કારણે એફએમસીજી કંપનીઓનો પડતર ખર્ચ વધી ગયો છે તે એક હકીકત છે. ખાસ કરીને ઘઉં, ચોખા, દાળ અને ખાદ્યતેલોના ભાવવધારાની સીધી અસર આ કંપનીઓ પર પડી હતી. આટલું ઓછું હોય તેમ મોંઘાં ડીઝલે માલના પરિવહનને પણ મોંઘું બનાવતાં અનેક કંપનીઓએ પોતાનાં ઉત્પાદનોમાં ભાવવધારો કર્યો હતો.
જો કે, કંપનીઓ એક હદથી વધુ ભાવવધારો કરે તો તેમને ગ્રાહકો ગુમાવવાનો ભય હોવાથી ચતુરાઈપૂર્વક રસ્તો કાઢવામાં આવ્યો હતો, જેમાં એક તરફ શરૂઆતમાં કંપનીઓએ પોતાનાં ઉત્પાદનની કિંમતો થોડી વધારી અને તે પછી ઉત્પાદનના વજનમાં ઘટાડો કરી દીધો હતો.

આ બાબતના ઉદાહરણ તરીકે થમ્સઅપ અને કોકાકોલાએ તેમની નાની બોટલની માત્રાને 250 એમએલથી ઘટાડીને 200 એમએલ કરી નાખી તો 10 રૂપિયાના 140 ગ્રામના પારલે-જી બિસ્કિટનું વજન હવે ઘટીને માત્ર 110 ગ્રામ રહી ગયું છે.’ વિમ બારનું વજન 65 ગ્રામમાંથી 60 ગ્રામ,’ 115 ગ્રામના વ્હીલ ડિટર્જન્ટ પેકેટનું વજન હવે 110 ગ્રામ થઈ ગયું છે.

June 24, 2022
Cia_business_news-1280x936.jpg
1min506

– સ્પેશિયલ ઇકોનોમિક ઝોનના વિકલ્પે બીજો કાયદો આવશે: SEZના એકમોને સ્થાનિક ઉત્પાદકોને પેટા કોન્ટ્રાક્ટ પર કાચો માલ આપવાની પણ છૂટ આપવામાં આવશે

કાચો માલ કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગ માટે પણ આપી શકે તેવી વ્યવસ્થા કરવાનું આયોજન નવા સૂચિત મુસદ્દાના માધ્યમથી કરવાનું આયોજન

સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં સક્રિય એકમોને સ્થાનિક બજારમાં તેમના ઉત્પાદનોનું વેચાણ કરવાની છૂટછાટ આપતો નવો ખરડો લાવવા માટેનો સૂચિત મુસદ્દો આજે કેન્દ્ર સરકારે જાહેર કરી દીધો છે. હા, તે માટે એસઈઝેડના એકમોએ કલમ ૫૧માં કરવામાં આવેલી જોગવઆી મુજબ ફિનિશ્ડ ગુડ્સમાં વપરાયેલા કાચા માલ પર ભરવાની બાકી રહી ગયેલી ઇમ્પોર્ટ ડયૂટી ભરવાની વ્યવસ્થા કરવાની રહેશે. એસઈઝેડની બહારના એકમોને તેઓ તેમનો કાચો માલ કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગ માટે પણ આપી શકે તેવી વ્યવસ્થા કરવાનું આયોજન નવા સૂચિત મુસદ્દાના માધ્યમથી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

અત્યારે અમલમાં કાયદાકીય જોગવાઈ મુજબ એસઈઝેડની બહારના એટલે કે ડોમેસ્ટિક ટેરિફ એરિયામાં નિકાસ માટેની સામગ્રીનું વેચાણ કરનારાઓને કસ્ટમ્સ ડયૂટી પહેલા ભરવાની ફરજ પાડવામાં આવે છે. આ સાથે જ ચોક્કસ શરતોને આધીન રહીને મેન્યુફેક્ચરિંગની કામગીરી પેટા કોન્ટ્રાક્ટ પર એસઈઝેડની બહાર આપવાની છૂટછાટ પણ નવા કાયદાના માધ્યમથી આપવામાં આવી છે. હા, તેના પોતાના ઉત્પાદન એકમમાં ઉત્પાદન કરવા માટે થતાં ખર્ચ કરતાં અન્ય એકમમાં ઉત્પાદન કરવા માટે આપવામાં આવતા ખર્ચમાં વધારો ન થતો હોય તો જ આ છૂટ મળશે તેવી સ્પષ્ટતા સૂચિત મુસદ્દામાં કરવામાં આવી હોવાનું કાયદાના જાણકાર મનીષ જૈનનું કહેવું છે. ૨૦૨૨માં ઉત્પાદન કરનારને ૨૦૨૧માં ઉત્પાદન કરવા માટે કરવા પડેલા ખર્ચથી વધુ ખર્ચે બહારના અન્ય એકમોને મેન્યુફેક્ચરિંગ કે ઉત્પાદનની કામગીીર સોંપી શકાશે નહિ. 

જોકે આ અંગેના નિયમો હવે પછી જાહેર કરવામાં આવશે. આ નિયમો જાહેર થયા પછી જ આ મુદ્દે વધુ સ્પષ્ટતા થશે. જોકે સરકારનો ઇરાદો તો નવી એસઈઝેડ સ્કીમને-દેશને વધુ આકર્ષક બનાવવાનો ઇરાદો છે. વિશ્વ વેપાર સંઘના તમામ નિયમોને સુસંગત રહીને આ સ્કીમ તૈયાર કરવામાં આવેલી છે. તેમાંથી નેટ ફોરેન એક્સચેન્જ અંગેના નિયમની બાદબાકી કરી નાખવામાં આવી છે.

સ્પેશિયલ ઇકોનોમિક ઝોનને લગતા કાયદામાં ફેરબદલ કરવાની ગણતરી સાથે કેન્દ્ર સરકારે આજે ડેવલપમેન્ટ ઓફ એન્ટરપ્રાઈસ એન્ડ સર્વિસ હબ – દેશ – તરીકે નવો સુધારેલો એસઈઝેડ એક્ટ લાવવા માટેનો સૂચિત મુસદ્દો જાહેર કર્યો છે. આ સાથે જ ખરા અર્થમાં સિંગલ વિન્ડો ક્લિયરન્સ મળી રહે તે માટેની યંત્રણા ઊભી કરવા અને નિર્ધારિત સમય મર્યાદામાં જ તમામ પ્રકારની મંજૂરી મળી જાય અને સમયસર નવા એકમો સ્થાપી શકાય તેવી વ્યવસ્થા ઊભી કરવાનો પણ આ ખરડાના માધ્યમથી ઇરાદો વ્યક્ત કર્યો છે.

આ સાથે જ નવા ઔદ્યોગિક એકમ સ્થાપવા માટેની તમામ પ્રક્રિયા કરવા એક જ ફોર્મ ભરવાની અને રિટર્ન આપવાની વ્યવસ્થા દાખલ કરવાનો ઇરાદો પણ આ સૂચિત મુસદ્દાના માધ્યમથી વ્યક્ત કરવામાં આવ્યો છે. ડેવલપમેન્ટ ઓફ એન્ટરપ્રાઈસ એન્ડ સર્વિસ હબ માટે અલગથી ઓનલાઈન પોર્ટલ ચાલુ કરવામાં આવશે. આ પોર્ટલ સિંગલ વિન્ડો ક્લિયરન્સ માટેનું માધ્યમ બનશે. તેના પરથી જ નિર્ધારિત સમય મર્યાદામાં તમામ મંજૂરીઓ મળી જાય તેવી વ્યવસ્થા કરવામાં આવશે. 

June 13, 2022
Sensex-down_.jpg
1min453

તા.13મી જૂન, સોમવારે સવારે એશિયન શેરબજારમાં ભારે વેચવાલી વચ્ચે ભારતીય શેરબજારના ઇન્ડેક્ષ, સેન્સેક્સ 1100થી વધુ અંકોના કડાકે ખુલ્યાં બાદ 10 કલાકે ઈન્ડેકસ 1450 ઘટીને 52,800 અને નિફ્ટી 458 પોઇન્ટ ઘટી 15,742ની સપાટીએ પટકાયા છે.

આજે 13મી જૂને બજારમાં ચોતરફ વેચવાલી જોવા મળી રહી છે. સેન્સેક્સમાં સમાવિષ્ટ શેરમાંથી માત્ર એક જ HULનો શેર 0.15% જ અપ છે બાકી તમામ 29 શેર ઘટીને કામકાજ કરી રહ્યાં છે. નિફટીના 50માંથી 3 શેર સામાન્ય સુધારો દર્શાવી રહ્યાં છે. બજારને આજે નીચે ધકેલવાનું કામ બેંકિંગ શેર, IT શેર અને બજાજ બંધુઓ કરી રહ્યાં છે. સેન્સેક્સના કડાકામાં 226 અંકોનો ફાળો રિલાયન્સનો તો ICICI બેંક 185 અંક અને ઈન્ફોસિસ 150 અંકનું યોગદાન આપી રહ્યાં છે.

આજના સત્રમાં સૌથી વધુ ઘટાડો બજાજ ફિનસર્વ અને બજાજ ફાઈનાન્સના શેરમાં જોવા મળી રહ્યો છે. આ સિવાય ICICI બેંક પણ 4.25%થી વધુ ગગડ્યો છે.

આજના સત્રમાં બ્રોડર માર્કેટમાં પણ નોંધપાત્ર વેચવાલી જોવા મળી રહી છે. 1:4ના એડવાન્સ ડિક્લાઈન રેશિયો સાથે મિડકેપ-સ્મોલકેપ ઈન્ડેકસ પણ 2.25% તૂટ્યાં છે. બીએસઈ ખાતે બંને ઈન્ડેક્સ અનુક્રમે 22,000 અને 25,200ના લેવલે કામકાજ કરી રહ્યાં છે. બીએસઈ ખાતે 518 વધનારા શેરની સામે 2453 શેર ઘટીને કામકાજ કરી રહ્યાં છે તો 125 શેરમાં કોઈ ફેરફાર નથી.

આજના સત્રમાં 190 શેરમાં લોઅર સર્કિટ તો 139 શેરમાં અપર સર્કિટ છે પરંતુ 50 શેરમાં 52 સપ્તાહની ટોચ જોવા મળી છે તો 147 શેરમાં 52 સપ્તાહનું તળિયું જોવા મળી રહ્યું છે.

બજારમાં ફુગાવા ઉપરાંત સ્ટેગફ્લેશનની દહેશત જોવા મળી રહી છે. આ સ્થિતિમાં ફુગાવો સતત વધતો રહે અને આર્થિક વિકાસ ઘટે જેના કારણે કંપનીઓની કમાણી ઘટે એવી ચિંતા જોવા મળી રહી છે.

June 9, 2022
prithvi.jpg
1min527

કાશ્મીરી પંડિતો ઉપર થયેલા અત્યાચારનું નિરૂપણ કરતી ફિલ્મ કાશ્મીર ફાઈલ્સને દેશભરમાં ભારતીય જનતા પાર્ટીની રાજ્ય સરકારોએ ટેક્સ ફ્રી કરવાની જાહેરાત કરી હતી હતી. હવે અક્ષય કુમારની આગામી ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજ ફિલ્મ ઉપર ટેક્સ નહી લગાવવા માટે ગુજરાત સરકારે જાહેરાત કરી છે.

અહેવાલ અનુસાર ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારતના ઈતિહાસને રજૂ કરતી આ મૂવી પર રાજ્યમાં કોઈ ટેક્સ નહિ વસૂલાય.

આ અગાઉ લોન્ચિંગ પૂર્વે જ ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ સરકારોએ મૂવીને ટેક્સ ફ્રી કરવાની ગત ગુરુવારે જાહેરાત કરી હતી. 

ચંદ્રપ્રકાશ દ્વિવેદી દિગ્દર્શિત આ ફિલ્મમાં અક્ષય કુમાર સાથે પૂર્વ મિસ વર્લ્ડ માંનુસી છીલ્લર પણ કામ કરી રહી છે. આ ઉપરાંત, ખાસ સ્ક્રીનીંગમાં હાજર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ પોતાના રાજ્યમાં ફિલ્મ ઉપર કોઇપણ ટેક્સ લેવામાં નહી આવે એવી જાહેરાત કરી હતી. 

અઢી કલાક લાંબી આ ફિલ્મ માતૃભૂમિ માટેનો જંગ જ નહી પણ એ સમયની સંસ્કૃતિનું પણ નિરૂપણ કરે છે એમ જણાવતા અમિત શાહે સ્કીનિંગ વખતે કહ્યું હતું કે જે લોકો મહિલા સશક્તિકરણની અત્યારે વાત કરી રહ્યા છે તેમણે આ ફિલ્મ ચોક્કસ જોવી જોઈએ. ઘોરીને પૃથ્વીરાજ ચૌહાણે 1191ના યુદ્દમાં પરાસ્ત કર્યો હતો પણ બીજા વર્ષે તે હારી ગયા હતા. 

વર્ષ 1025માં મોહમ્મદ ઘોરીના આક્રમણથી શરુ થયેલી આ લડાઈ ભારતની આઝાદી સાથે ખત્મ થઇ છે. અહી ઉલ્લેખનીય છે કે ઘોરીએ ગુજરાતના કાંઠે આવેલા સોમનાથ મંદિરને એક કરતા વધારે વખત તોડી પાડી લુંટ ચલાવી હતી.

Prithviraj Poster: Akshay Kumar, Manushi Chhillar set to present a tale of  valour as the emperor & his beloved | PINKVILLA
May 29, 2022
handicraft.jpg
1min399

યુરોપ અને ઓસ્ટ્રેલિયા સહિતના ઘણા વિકસિત દેશોમાં, કોવિડ સમયગાળા દરમિયાન જારી કરવામાં આવેલા વિશેષ ભથ્થાઓએ જોધપુરમાંથી હસ્તકળાની નિકાસમાં વધારો કર્યો છે. નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨માં જોધપુરથી હસ્તકળા નિકાસ લગભગ રૂ. ૫૫૦ કરોડથી ૧૭.૫ ટકા વધીને રૂ. ૩,૭૦૦ કરોડ 
થઈ છે.

૨૦૨૦-૨૧માં રાજસ્થાનના આ શહેરમાંથી રૂ. ૩,૧૫૦ કરોડના હસ્તકળાની નિકાસ કરવામાં આવી હતી. એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ ફોર હેન્ડિક્રાફ્ટ’ના ડેટા અનુસાર, છેલ્લા ૫ાંચ વર્ષમાં જોધપુરમાંથી હેન્ડીક્રાફ્ટની નિકાસમાં રૂ. ૮૦૦ કરોડથી વધુનો વધારો થયો છે. આ દરમિયાન વિદેશ જતા ક્ધટેનરની સંખ્યા દર વર્ષે છ હજાર વધીને ૩૪,૮૯૭ થઈ હતી, જે ૨૦૨૦-૨૧માં ૩૦,૧૫૬ હતી. ૨૦૨૦-૨૧ સિવાય નિકાસમાં સતત વધારો થયો છે, ૨૦૨૦-૨૧માં કોવિડ લોકડાઉનને કારણે નિકાસ એકમો બંધ રહ્યા હતાં.

આગામી વર્ષમાં નિકાસ વધવાનો આશાવાદ હસ્તકળા એસોસિએશને વ્યક્ત કર્યો છે. અમેરિકા, ઓસ્ટ્રેલિયા, યુરોપિયન યુનિયન દેશોમાં કોવિડ ભથ્થુ તેમજ બેરોજગારી ભથ્થુ વધતાં લોકોએ ઘરની સજાવટ પાછળ ખર્ચ વધાર્યો છે. કોરોના મહામારીના કારણે સૌથી વધુ પ્રતિકૂળ અસર પણ હસ્તકળા ઉદ્યોગને થઈ હતી. તે દરમિયાન ૪૦ ટકા લોકોની રોજગારી છીનવાઈ હોવાનો અંદાજ છે.

હસ્તકળાની નિકાસ વધવા પાછળના ૩ મુખ્ય કારણો જોઇએ તો વર્ક ફ્રોમ હોમ કોવિડમાં બહાર જવા પર પ્રતિબંધ હતો અને બજારો બંધ હતા. આવી સ્થિતિમાં ઘરેથી કામ કરતા લોકોએ ફર્નિચર અને ડેકોરેશન પર વધુ ધ્યાન આપ્યું, કોવિડ ભથ્થું ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને યુરોપના ઘણા દેશોમાં કોવિડ ભથ્થું આપવામાં આવ્યું હતું. જેના કારણે લોકોએ ઘરની સજાવટ પર ખર્ચો વધાર્યો અને વેપાર યુદ્ધ વેપાર યુદ્ધના કારણે ચીનથી અમેરિકામાં નિકાસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આવી સ્થિતિમાં, અમેરિકાના મોટાભાગના ઓર્ડર ભારતમાં શિફ્ટ થયા છે. 

આ કારણોસર હસ્તકલાની નિકાસમાં વધારો થયો છે. ક્ધટેનરની અછત અને મોંઘવારી મોટા પડકારો છે. હેન્ડીક્રાફ્ટ એક્સપોર્ટમાં અચાનક વધારો થયો છે. ચીન-અમેરિકા વેપાર યુદ્ધ પણ તેનું એક કારણ હતું. જો કે, તેમાં વધુ વધારાનો આશાવાદ હતો. પરંતુ ક્ધટેનરની અછતની સમસ્યાઓના કારણે તેમાં વૃદ્ધિ અટકી હતી. 

May 26, 2022
post.jpg
1min422

બચત ખાતેદારો માટે 31 મેથી આરંભ : બેંકથી પોસ્ટ ખાતામાં નાણાં ટ્રાન્સફર થશે

જો પોસ્ટ ઓફિસમાં બચત ખાતુ હોય તો તમારા માટે ખાસ અને જરુરી ખબર છે. 31 મે થી સરકાર પોસ્ટ ઓફિસના બચત ખાતેદારો માટે નવી સુવિધા શરુ કરવા જઈ રહી છે.

Post Offices will avail NEFT/RTGS Facility soon | POSB Customers will soon  avail NEFT/RTGS Services - Postalstudy | Post Office Blog | Study Materials  for | Postal Exams | Latest Postal News

આ સુવિધા હેઠળ પોસ્ટ ઓફિસના ગ્રાહક નેશનલ ઈલેકટ્રોનિક ફંડ ટ્રાન્સફર (એનઈએફટી) અને રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ (આરટીજીએસ) સુવિધાઓનો ફાયદો ઉઠાવી શકશે. એટલું જ નહીં પોસ્ટ ઓફિસના બચત ખાતેદારો પોતાની ઈન્ટરનેટ બેંકિંગ સુવિધા દ્વારા અન્ય બેંકોથી પોસ્ટ ઓફિસ ખાતામાં નાણાં પણ મોકલી શકશે. પોસ્ટ ઓફિસ દ્વારા સત્તાવાર નોટિસ જાહેર કરી પોસ્ટના તમામ બચત ખાતેદારો માટે નવી સુવિધા અંગે માહિતી આપી છે. એનઈએફટી અને આરટીજીએસ ચાર્જ : 10 હજાર સુધીની લેણદેણ માટે રુ.ર.પ0 + જીએસટી, 10 હજારથી ઉપર રુ.1 લાખ સુધીની લેણદેણમાં રુ.પ + જીએસટી, રુ.1 લાખથી વધુ અને રુ.ર લાખ સુધીની લેણદેણ માટે રુ.1પ +જીએસટી, ર લાખથી વધુ અને મહત્તમ મર્યાદાથી વધુ નહીં માટે રુ.રપ + જીએસટી.

May 9, 2022
dolor_vs_rupee.jpg
1min722

Dated 9/5/22 at 10.30am

આજે ડોલર સામે રૂપિયો 77.17 ની ઇતિહાસની સૌથી નીચી સપાટીએ પટકાયો હતો. શુક્રવારે ડોલર સામે રૂપિયો 76.98 થઈ 76.92 બંધ આવ્યો હતો જે આજે ખુલતા બજારે, શેરબજારમાં કડાકો બોલતા 77.17ની સૌથી નીચી સપાટીએ જોવા મળી રહ્યો છે.

ભારતમાં શેરબજારમાં છેલ્લા સાત મહિનાથી વિદેશી રોકાણકારો વેચાણ કરી રહ્યા છે. ભારતની નિકાસ વધી છે પણ તેના કરતાં આયાત વધારે તીવ્રતાથી વધી રહી છે એટલે ડોલરની માંગ વધી છે. સાત મહિનામાં ભારતમાં ફોરેક્સ રિઝર્વ 48 અબજ ડોલર જેટલા ઘટી ગયા છે જેના લીધે પણ રૂપિયા ઉપર દબાણ વધી રહ્યું છે 

અમેરિકન ડોલરનું છ ટોચના ચલણ સામે મૂલ્ય નક્કી કરતો ડોલર ઇન્ડેક્સ અત્યારે 104.03ની સપાટીએ છે જે છેલ્લા 20 વર્ષની સૌથી ઊંચી સપાટી છે.

May 9, 2022
fmcg-product.jpg
1min707

રિઝર્વ બેન્ક તરફથી મોંઘવારી પર અંકુશ લાવવા માટે પોલિસીના દરોમાં વધારો કર્યા બાદ તેમ જ કાચામાલની કિંમતોમાં પણ ઉછાળો થતા એફએમસીજી કંપનીઓએ તેમના ઉત્પાદનોના ભાવ વધારી દીધા છે.

હિન્દુસ્તાન યૂનિલિવર (એચયુએલ)એ સાબુ અને શેમ્પૂ સહિત ઘણાં બધાં ઉત્પાદનોના ભાવમાં પંદર ટકાનો વધારો કર્યો છે. સૂત્રોના પ્રમાણે પિયર્સ, લક્સ વગેરે સાબુના ભાવમાં વધારો કર્યો છે. સનસિલ્ક શેમ્પૂના ભાવમાં દસ ટકા અને ક્લિનિક પ્લસ શેમ્પૂના ભાવમાં પંદર ટકાનો વધારો કર્યો છે.

એ સિવાય અન્ય પ્રસાધનોની કિંમતમાં પણ દસ ટકા સુધીનો વધારો કર્યો છે. નોંધનીય છે કે છેલ્લા બે મહિના દરમિયાનમાં એફએમસીજી કંપનીઓએ તેમની પ્રોડક્ટોના ભાવમાં વધારો કર્યો છે. દેશની મોટી એફએમસીજી કંપનીઓમાંની દિગ્ગજ કંપની એચયુએલ અને નેસ્લેએ મેગી, ચા અને કોફીની કિંમતોમાં વધારો કર્યો છે. 

May 8, 2022
lpg_cylinder.jpg
1min764

સરકારી ઓઈલ કંપનીઓએ માત્ર છ સપ્તાહમાં બીજી વખત ઘરેલુ રાંધણ ગેસના ભાવમાં પ્રતિ સિલિન્ડર રૂ. ૫૦નો વધારો કર્યો છે, જેને પગલે દેશના મોટાભાગના શહેરોમાં ૧૪.૨ કિલોના સબસિડી વગરના સિલિન્ડરની કિંમત રૂ. ૧,૦૦૦ને પાર થઈ ગઈ છે. ગુજરાતમાં પણ દોઢ મહિનામાં એલપીજી સિલિન્ડરનો ભાવમાં ૧૦૦ રૂપિયાનો વધારો થતાં કિંમત રૂ. ૧,૦૦૦ને પાર થયો છે. અગાઉ, ૧૯ કિલોના કોમર્શીયલ સિલિન્ડરના ભાવમાં રૂ. ૧૦૨.૫નો વધારો થતા કિંમત રૂ. ૨૩૫૫ને પાર થઈ હતી.

સરકારે ઘરેલુ રાંધણગેસ પરની સબસિડી પરોક્ષ રીતે ખતમ કરતા એલપીજીના ભાવ રૂ. ૧,૦૦૦ને પાર થઈ ગયા છે. એલપીજીના ભાવમાં વધારો  શનિવારથી અમલી કરાયો છે. આ વધારાના પગલે ગુજરાતમાં મોટાભાગના શહેરોમાં ૧૪.૨ કિલોના ઘરેલુ રાંધણ ગેસનો ભાવ રૂ. ૧,૦૦૦ને પાર થઈ ગયો છે. નવેમ્બર-૨૦૨૦માં કોરોના કાળ વખતે રાંધણગેસ બાટલાનો ભાવ રૂ.૬૦૦ હતો, જે જૂન-૨૦૨૧માં વધીને રૂ.૮૧૪ થયો હતો. પેટ્રોલ, ડીઝલ, એલપીજી સહિતની પેટ્રોલિયમ પેદાશોના ભાવમાં સામાન્ય રીતે દરેક મહિનાની પહેલી અને ૧૫મી તારીખે ભાવમાં ફેરફાર કરવામાં આવે છે. જોકે, માર્ચ ૨૦૨૨માં ૨૨મી તારીખે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારાની સાથે ઘરેલુ એલપીજીના ભાવમાં પણ રૂ.૫૦નો વધારો કરાયો હતો. ત્યાર પછી એપ્રિલમાં એલપીજીમાં કોઈ વધારો કરાયો નહોતો. હવે આજે તા.૭ મેની મધ્યરાત્રિથી ૫૦નો વધારો ઝીંકી દેવાયો છે. આમ, માત્ર દોઢ વર્ષના સમયમાં રાંધણગેસ રૂ.૬૦૦થી વધીને રૂ.૧૦૦૫ ઉપર થઈ ગયો છે. એટલે કે આ સમયમાં એલપીજીના ભાવમાં ૨૦૦ ટકાનો ભાવ વધારો થયો છે.

May 7, 2022
relience.png
1min688

ભારતની સૌથી મોટી ખાનગી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આજે માર્ચ ક્વાર્ટરના અને વિતેલ સમગ્ર નાણાંકીય વર્ષ 2021-22ના નાણાંકીય પરિણામ જાહેર કરવામાં આવ્યા છે. આ સાથે કંપનીના ડિરેક્ટર બોર્ડે 31મી માર્ચ, 2022ના રોજ સમાપ્ત થયેલા નાણાંકીય વર્ષ માટે રૂ.10ના પ્રત્યેક ઇક્વિટી શેર ઉપર રૂ.8ના ડિવિડન્ડની જાહેરાત કરી છે, જે કંપનીની વાર્ષિક સામાન્ય સભામાં સભાસદોની મંજૂરીને આધિન રહેશે.   

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો માર્ચ ક્વાર્ટરમાં કોન્સોલિડેટેડ ધોરણે ચોખ્ખો નફો વાર્ષિક તુલનાએ 20.2 ટકા વધીને રૂ. 18,021 કરોડ થયો છે. તો ગ્રોસ રેવન્યૂ 35.1 ટકની વૃદ્ધિમાં રૂ. 2,32,539 કરોડ નોંધાઇ છે. કંપનીને EBITDA 27.7 ટકા વધીને રૂ. 33,968 કરોડ થયો છે. ત્રિમાસિક દરમિયાન કંપનીની શેરદીઠ આવક 16.7 ટકા વધીને રૂ. 24 થઇ છે.

સ્ટેન્ડએલોન ધોરણે કંપનીનો ચોખ્ખો નફો 45.6 ટક ઉછળીને રૂ. 11,094 કરોડ અને ગ્રોસ રેવન્યૂ 54.3 ટકા વધીને રૂ. 1,40,061 કરોડ થઇ છે. 

31મી માર્ચે સમાપ્ત થયેલા નાણાંકીય વર્ષ 2021-22માં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો કોન્સોલિડેટેડ ધોરણે રૂ. 67,845 કરોડનો ચોખ્ખો નફો કર્યો છે જે વાર્ષિક તુલનાએ 26% વધારે છે. તેવ જ રીતે આવક 47 ટકા વધીને રૂ. 7,92,756 કરોડ થઇ છે. EBITDA 28.8% વધીને રૂ.  1,25,687 કરોડ થયો છે.