CIA ALERT
26. April 2024

Related Articles



E-filingથી ટેક્સ જમા કરાવનારે સર્વિસ ચાર્જ + GST પણ ભરવો ફરજિયાત

Share On :
Print Friendly, PDF & Email

નેટ બૅન્કિંગ અને ક્રેડિક કાર્ડ પેમેન્ટ કરવા ગેટ વેનો ઉપયોગ કરનારે કન્વિનિયન્સ ચાર્જ ચૂકવવો પડશે

કન્વિનિયન્સ ચાર્જ તરીકે ૧૦૦ રૃપિયે ૮.૫ પૈસા જમા કરાવવાના આવશે

(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, શુક્રવાર

આવકવેરાના ઇ-ફાઈલિંગના પોર્ટલ પર ક્રેડિટ કાર્ડ કે પછી નેટ બૅન્કિંંગથી પેમેન્ટ એપ પરથી આવકવેરાના નાણાં જમા કરાવનારાઓને ટેક્સ ઉપરાંત ચોક્કસ રકમનો ચાર્જ ભરવાની અને તેના ઉપરાંત ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ભરવાની પણ જવાબદારી આવી શકે છે. પરિણામે નેટબૅન્કિંગ કે પછી ક્રેડિટ કાર્ડથી આવકવેરાની રકમ જમા કરાવતા પૂર્વે તમારે માથે આવી પડનારી અન્ય જવાબદારીઓને પણ વિચારક રવો જરૃરી છે.

આવકવેરા ખાતાએ ઇ-ફાઈલિંગનું નવું પોર્ટલ ચાલુ કર્યું છે. તેના પર કોઈ વ્યક્તિગત કરદાતા પેમેન્ટ ગેટવેનો ઉપયોગ કરીને ઇન્કમ ટેક્સ જમા કરાવશે તો તેવા સંજોગોમાં તેમણે ચોક્કસ ચાર્જ જમા કરાવવો પડશે. એક કાલ્પનિક ઉદાહરણ આપીને વાત કરીએ તો રૃા. ૧૦,૦૦૦નો ટેક્સ જમા કરાવનારે પેમેન્ટ ગેટવેનો ઉપયોગ કરવા માટે રૃા. ૧૦૦નો સર્વિસ ચાર્જ અને તેના પર નક્કી કરેલા દરે જીએસટી પણ જમા કરાવવો પડશે. આ ચાર્જને કન્વિનિયન્સ ચાર્જ તરીકે ઓળખાવવામાં આવશે. કયા કયા મોડથી પેમેન્ટ કરવામાં આવે તો ચાર્જ લાગશે તે અંગે હજી હવે નિર્ણય લેવામાં આવશે. 

બેન્ક દ્વારા લેવામાં આવતા ટ્રાન્ઝેક્શન ચાર્જ પર નજર નાખવામાં આવે તો નેટબૅન્કિંગથી પેમેન્ટ કરવા માટેની સુવિધા-સગવડ પૂરી પાડવા માટેના ચાર્જ તરીકે એચડીએફસી રૃા.૧૨, આઈસીઆઈસીઆઈ બૅન્ક રૃા. ૯, સ્ટેટ બૅન્ક અને એક્સિસ બૅન્ક રૃા. ૭-૭ વસૂલે છે. તેના પર ૧૮ ટકાના દરે જીએસટી પણ લેવૈામાં આવે છે. 

કન્વિનિયન્સ ચાર્જ પેટે ૦.૮૫ ટકા લેવામાં આવે છે. આ ચાર્જને કેન્દ્રમાં રાખીને વિચાર કરવામાં આવે તો રૃા. ૪૦,૦૦૦ આવકવેરા પેટે નેટબેન્કિંગ કે પછી ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરનારાઓએ ૩૪૦ રૃપિયા કન્વિનિયન્સ ચાર્જ તરીકે ચૂકવવા પડશે. તેમ જ તેના પર ૧૮ ટકાના દરે જીએસટી ચૂકવવો પડશે. આ સંજોગોમાં તેમણે જીએસટીના બીજા અંદાજે રૃા. ૬૦ મળીને કુલ ૃા. ૪૦૦નો ચાર્જ કન્વિનિયન્સ ચાર તરીકે ચૂકવવો પડશે. આમ સરેરાશ ટેક્સની રકમના એક ટકા જેટલો ચાર્જ તેમણે કન્વિનિયન્સ ચાર તરીકે ચૂકવવાની નોબત આવી શકે છે. 

આમ ટેક્સની રકમ વધતી જાય તેમ તેમ આ ચાર્જ વધી શકે છે. ઇન્કમટેક્સના નવા પોર્ટલ પર પેમેન્ટ ગેટવેનો ઉપયોગ કરીને  આવકવેરો ચૂકવનારાઓને માથે આ જવાબદારી આવશે. તેમાંય ખાસ કરીને નેટ બૅન્કિંગ કે પછી ક્રેડિટ કાર્ડથી ટેકસ જમા કરાવનારાઓએ આ વધારોનો બોજ વેંઢારવાનો આવશે. હા, અધિકૃત કરેલી બેન્કોના ક્રેડિટ કાર્ડ જ આ પેમેન્ટ માટે માન્ય ગણાશે. પેમેન્ટ માટે જે બૅન્કોના ક્રેડિટ કાર્ડ અધિકૃત ગણાય છે તેમાં કોટક મહિન્દ્રા બેન્ક, બેન્ક ઓફ ઇન્ડિયા અને ફેડરલ બેન્કનો સમાવેશ થાય છે.    એનએસડીએલની વેબસાઈટ પર જઈને આવકવેરો જમા કરાવવામાં આવશે તો તેને માટે કરદાતાઓ કોઈપણ પ્રકારનો ચાર્જ ચૂકવવો પડશે નહિ.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :