CIA ALERT

Alert Archives - Page 8 of 497 - CIA Live

September 9, 2025
image-19.png
1min190

એશિયા કપ 2025 મંગળવારને 9 સપ્ટેમ્બરથી સંયુક્ત આરબ અમીરાતમાં શરૂ થશે. આ એશિયા કપનું 17મી સિઝન છે. આગામી ટૂર્નામેન્ટ ટી20 ફોર્મેટમાં રમાશે. ટૂર્નામેન્ટની પ્રથમ મેચમાં અફઘાનિસ્તાન અને હોંગકોંગ વચ્ચે મુકાબલો થશે.

એશિયા કપ 2025 મંગળવારને 9 સપ્ટેમ્બરથી સંયુક્ત આરબ અમીરાતમાં શરૂ થશે. આ એશિયા કપનું 17મી સિઝન છે. આગામી ટૂર્નામેન્ટ ટી20 ફોર્મેટમાં રમાશે. ટૂર્નામેન્ટની પ્રથમ મેચમાં અફઘાનિસ્તાન અને હોંગકોંગ વચ્ચે મુકાબલો થશે.

ભારત બુધવારે 10 સપ્ટેમ્બરે UAE સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે. ભારત 14 સપ્ટેમ્બરે કટ્ટર હરીફ પાકિસ્તાનનો સામનો કરશે. ફાઇનલ 28 સપ્ટેમ્બરે યોજાશે.

તમે ભારતમાં સોની સ્પોર્ટ્સ નેટવર્ક પર ટીવી પર એશિયા કપ 2025 મેચનો આનંદ માણી શકો છો. જ્યારે એશિયા કપ મેચોનું લાઇવ સ્ટ્રીમિંગ સોની લીવ એપ અને વેબસાઇટ પર ઉપલબ્ધ થશે.

ભારત : સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શુભમન ગિલ, સંજુ સેમસન, અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, જીતેશ શર્મા, રિંકુ સિંહ, અક્ષર પટેલ, વરુણ ચક્રવર્તી, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, જસપ્રીત બુમરાહ.

શ્રીલંકા : ચરિથ અસલંકા (કેપ્ટન), પથુમ નિસાંકા, કુસલ મેન્ડિસ, કુસલ પરેરા, નુવાનીદુ ફર્નાન્ડો, કામિન્દુ મેન્ડિસ, કામિલ મિશારા, દાસુન શનાકા, વાનિન્દુ હસરંગા, ડુનિથ વેલલાગે, ચમિકા કરૂણારત્ને, મહેશ તિક્ષાના, દુશમથા ચમીરા, બિનુરો ફર્નાન્ડો, નુવાન તુષારા, મથીશા પથિરાના.

પાકિસ્તાન: સલમાન અલી આગા (કેપ્ટન), અબરાર અહેમદ, ફહીમ અશરફ, ફખર જમાન, હારિસ રઉફ, હસન અલી, હસન નવાઝ, હુસૈન તલત, ખુશદિલ શાહ, મોહમ્મદ હરિસ, મોહમ્મદ નવાઝ, મોહમ્મદ વસીમ જૂનિયર, સાહિબજાદા ફરહાન, સઇમ અયુબ, સલમાન મિર્ઝા, શાહીન આફ્રિદી, સુફિયાન મોકીમ.

બાંગ્લાદેશ: લિટન દાસ (કેપ્ટન), તન્જીદ હસન, પરવેઝ હુસૈન ઈમોન, સૈફ હસન, તૌહીદ હૃદયોય, જેકર અલી અનિક, શમીમ હુસૈન, કાઝી નુરુલ હસન સોહન, શેક મહેદી હસન, રિશાદ હુસૈન, નસુમ અહેમદ, મુસ્તફિઝુર રહેમાન, તન્ઝીમ હસન શાકિબ, તસ્કીન અહમદ, શૈફઉદ્દીન, શોરફુલ ઈસ્લામ.

અફઘાનિસ્તાન: રાશિદ ખાન (કેપ્ટન), રહેમાનુલ્લાહ ગુરબાઝ, ઈબ્રાહિમ ઝાદરાન, દરવિશ રસૂલી, સેદીકુલ્લાહ અટલ, અઝમતુલ્લા ઉમરજઈ, કરીમ જનત, મોહમ્મદ નબી, ગુલબદ્દીન નાયબ, શરાફુદ્દીન અશરફ, મોહમ્મદ ઈશાક, મુજીબ ઉર રહેમાન, અલ્લાહ ગઝનફર, નૂર અહેમદ, ફરિદ મલિક, નવીન ઉલ હક, ફજલહક ફારુકી.

હોંગકોંગ: યાસીમ મુર્તજા (કેપ્ટન), બાબર હયાત, ઝીશાન અલી, નિયાઝકત ખાન મોહમ્મદ, નસરુલ્લા રાણા, માર્ટિન કોએત્ઝી, અંશુમન રથ, કલ્હણ માર્ક ચલ્લુ, આયુષ શુક્લા, મોહમ્મદ એઝાઝ ખાન, અતીક ઉલ રહેમાન ઇકબાલ, કિંચિત શાહ, અલી હસન, શાહિદ વાસિફ, ગઝનફર મોહમ્મદ, મોહમ્મદ વહીદ, એહસાન ખાન.

UAE : મુહમ્મદ વસીમ (કેપ્ટન), આલીશાન શરાફુ, અર્યાશ શર્મા, આસિફ ખાન, ધ્રુવ પરાશર, એથન ડિસુઝા, હૈદર અલી, હર્ષિત કૌશિક, જુનેદ સિદ્દીકી, મતિઉલ્લાહ ખાન, મુહમ્મદ ફારૂક, મુહમ્મદ જવાદુલ્લાહ, મુહમ્મદ જૌહૈબ, રાહુલ ચોપરા, રોહીદ ખાન, સિમરનજીત ખાન, સગીર ખાન.

ઓમાન: જતિન્દર સિંહ (કેપ્ટન), હમ્માદ મિર્ઝા, વિનાયક શુક્લા, સુફિયાન યુસુફ, આશિષ ઓડેદરા, આમિર કલીમ, મોહમ્મદ નદીમ, સુફિયાન મહમૂદ, આર્યન બિષ્ટ, કરણ સોનાવાલે, જિક્રિયા ઈસ્લામ, હસનૈન અલી શાહ, ફૈઝલ શાહ, મોહમ્મદ ઈમરાન, નદીમ ખાન, શકીલ અહેમદ, સમય શ્રીવાસ્તવ.

September 9, 2025
image-18.png
1min213


નેપાળમાં સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકાતા યુવાપેઢીએ તેને સ્વતંત્રતા પર સરકારનો અંકુશ ગણ્યો હતો. કેપી શર્મા ઓલી ચીનની જેમ નેપાળમાં પણ એકહથ્થુ સોશિયલ ઈકોસિસ્ટમ ગોઠવવા માગે છે કે જેથી લોકો કે વિરોધીઓ આંખ ઉંચી કરી શકે નહીં. તેની સામે લોકોમાં આક્રોશ હતો. વળી, છેલ્લાં કેટલાય સમયથી ચીનમાં સરકારી ભરતીમાં પારદર્શકતાનો અભાવ જોવા મળતો હતો. મોંઘવારી વધી છે, બેરોજગારી વધી છે.

આ બધા સામે લોકોમાં ભારે આક્રોશ હતો ને એમાં સોશિયલ મીડિયાના પ્રતિબંધથી યુવાનોની અભિવ્યક્તિની સ્વતંત્રતા પર સીધી તરાપ લાગી એટલે બળતામાં ઘી હોમાયું, પરિણામે નેપાળમાં જનાક્રોશનો અગ્નિ ભભૂકી ઉઠયો છે.

સોશિયલ મીડિયા પર પ્રતિબંધની જાહેરાત પછી લાખોની સંખ્યામાં પ્રદર્શનકારીઓએ પાટનગરમાં પ્રદર્શનો કર્યા. એટલું જ નહીં, સંસદભવન તરફ કૂચ કરી અને સંસદભવનમાં ઘૂસી ગયા હતા. ઉપદ્રવીઓને દેખો ત્યાં ઠાર કરો એવો સરકારે સુરક્ષાદળોને આદેશ આપ્યો તેનાથી મામલો વધારે તંગ બન્યો હતો. પોલીસે રબરની ગોળીઓ વરસાવી હતી. એમાં ૨૦ પ્રદર્શનકારીઓના મોત થયા હતા. ૨૫૦થી વધુને ઈજા પહોંચી છે. આ ઘટના પછી સ્થિતિ વધારે વણસી હતી.

નેપાળમાં કર્ફ્યૂ લાગુ કરીને પરિસ્થિતિ કાબૂમાં કરવા માટે સૈન્ય બોલાવાયું છે. સેનાએ બળપ્રયોગ કરતાં પ્રદર્શનકારીઓ લડી લેવાના મૂડમાં છે. અનેક લોકો સરકારી ભવનો તરફ કૂચ કરી રહ્યા છે એટલે સુરક્ષાદળો અને સરકાર વચ્ચે ઝપાઝપી-સંઘર્ષની ઘટનાઓ બની રહી છે. સુરક્ષાદળોએ રબરની ગોળી છોડવાથી લઈને ટીઅર ગેસ છોડયો અને ફાયરિંગ સુદ્ધાં કર્યું છે. પ્રદર્શનમાં ઉડીને આંખે વળગે તેવી બાબત એ હતી કે એમાં યુવાપેઢી સ્વયંભૂ જોડાઈ છે. કોલેજના વિદ્યાર્થીઓ, યુવા એક્ટિવિસ્ટ, સોશિયલ મીડિયા ઈન્ફ્લ્યુએન્સર્સ આ પ્રદર્શનમાં ભાગ લઈ રહ્યા છે. એમાંય જેન-ઝીનું પ્રમાણ ખૂબ વધારે છે. જેન-ઝીનો આરોપ છે કે સરકાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર બેન મૂકીને ભ્રષ્ટાચાર સામેના અવાજને દબાવવા માગે છે.

વિપક્ષોએ પણ આ પ્રદર્શનકારીઓના સમર્થનમાં સરકાર સામે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધનો આદેશ પાછો ખેંચવાની માગણી કરી છે. નેપાળના પૂર્વ વિદેશ મંત્રી ઉપેન્દ્ર યાદવે કહ્યું કે સરકારે તુરંત આ આદેશ પાછો ખેંચીને યુવાનોની માગણી સ્વીકારી લેવી જોઈએ. ઉલ્લેખનીય છે કે નેપાળમાં ઓલીની કમ્યુનિસ્ટ પાર્ટી અને નેપાળી કોંગ્રેસની ગઠબંધનની સરકાર છે. ગઠબંધનમાં પણ અંદરો અંદર સત્તાની ખેંચતાણ રહે છે એટલે નેપાળમાં કેટલાય સમયથી રાજકીય અસ્થિરતાનો માહોલ છે.

નેપાળની સુપ્રીમ કોર્ટે એક કેસની સુનાવણીમાં આદેશ કર્યો હતો કે જેટલા વિદેશી સોશિયલ મીડિયા પ્લેટફોર્મનું નેપાળમાં સત્તાવાર રજિસ્ટ્રેશન ન થયું હોય એના પર પ્રતિબંધ મૂકી દો. એ પછી વડાપ્રધાન કેપી શર્મા ઓલીની સરકારે ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, યુટયૂબ, વોટ્સએપ જેવી કંપનીઓને રજિસ્ટ્રેશન કરવા નોટિસ આપી હતી. સાત દિવસ સુધી નોટિસનો કોઈ જવાબ ન મળતા આખરે સરકારે માહિતી અને પ્રસારણ મંત્રાલયમાં રજિસ્ટ્રેશન ન થયું હોય એવા ૨૬ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ રાતોરાત બંધ કરી દીધા. પ્રતિબંધિત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સમાં ફેસબુક, વોટ્સએપ, યુટયૂબ, ઈન્સ્ટાગ્રામ, મેસેન્જર, એક્સ (ટ્વિટર), રેડિટ, લિંક્ડઈન, સ્નેપચેટ, સિગ્નલ, પિંટરેસ્ટ, થ્રેડ્સ, ક્લબહાઉસ વગેરેનો સમાવેશ થાય છે.

September 9, 2025
image-17.png
1min86

ભારતના ઉપરાષ્ટ્રપતિ પદ માટે આજે ચૂંટણી યોજાશે. NDA તરફથી સી. પી. રાધાકૃષ્ણન અને વિપક્ષ તરફથી બી. સુદર્શન રેડ્ડી મેદાનમાં છે. આજની ચૂંટણીમાં બીજુ જનતા દળ અને ભારત રાષ્ટ્ર સમિતિ એમ બે પક્ષોએ મતદાન ન કરવાની જાહેરાત કરી છે. આ સિવાય શિરોમણી અકાલી દળ તરફથી પણ ચૂંટણીમાં સામેલ ન થવાની જાહેરાત કરવામાં આવી છે. જેના કારણે ચૂંટણી હવે રસપ્રદ બની ગઈ છે.

મતદાન 9 સપ્ટેમ્બર સવાર 10 વાગ્યે શરૂ થશે અને સાંજે 5 વાગ્યે સમાપ્ત થશે

મતદાનના એક દિવસ પહેલા સંસદ ભવનમાં NDAના તમામ સાંસદોની બેઠક યોજાઈ જેમાં વડાપ્રધાન મોદી પણ સામેલ થયા હતા. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન કેવી રીતે કરવું તેની એક એક સાંસદને ટ્રેનિંગ આપવામાં આવી.

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં લોકસભા અને રાજ્યસભાના તમામ સદસ્યો મતદાન કરી શકે છે. સંસદના ઉપલા અને નીચલા ગૃહમાં હાલમાં કુલ 781 સાંસદ છે. જે જોતાં જીત માટે 392 સાંસદોના મતની જરૂર છે. નંબરગેમમાં NDAની જીત નિશ્ચિત માનવામાં આવી રહી છે. લોકસભામાં NDA પાસે 293 જ્યારે રાજ્યસભામાં 132 સાંસદો છે. જેથી NDA પાસે કુલ 425 સાંસદોનું સમર્થન છે.

September 9, 2025
image-16.png
1min107


ફ્રાન્સમાં સોમવારે (8 સપ્ટેમ્બર) સવારે ભારે રાજકીય ઉથલ-પાથલ જોવા મળી હતી. કારણ કે, વડાપ્રધાન ફ્રાંસ્વા બેરોની સરકાર સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ હારી ગઈ હતી. આ પગલાંથી પ્રમુખ ઇમૈનુએલ મેક્રોંના છેલ્લાં બે વર્ષોમાં પોતાના પાંચમાં વડાપ્રધાન નિયુક્ત કરવાની પ્રક્રિયા શરૂ કરવાની રહેશે.

74 વર્ષીય ફ્રાંસ્વા બેરો, જે ફક્ત 9 મહિના વડાપ્રધાન પદ પર રહ્યા. મંગળવારે (9 સપ્ટેમ્બર) તેમણે પોતાનું રાજીનામું સોંપશે. બેરોએ પોતાની સરકારની 44 અબજ યૂરો (51.5 અબજ ડૉલર)ની બચત યોજનાને સમર્થન આપવા માટે અવિશ્વાસ પ્રસ્તાવનો ટેકો લેવામાં આવ્યો હતો, જેથી ફ્રાન્સની ખાધ, જે યુરોપીયન યુનિયનની 3% મર્યાદાથી બમણી થઈ ગઈ છે, તેને ઓછી કરી શકાય.

વર્તમાનમાં ફ્રાન્સનું દેવું જીડીપીના 114% છે. અહેવાલો અનુસાર, બેરોએ નાણાંકીય વર્ષ 2025-26ના બજેટમાં આ બચતને નાણાંકીય વિશ્વસનીયતા પુનઃસ્થાપિત કરવા માટે જરૂરી ગણાવી હતી. પરંતુ, 2027ની રાષ્ટ્ર પ્રમુખની ચૂંટણી પર નજર રાખતા વિપક્ષી પક્ષોએ તેમને ટેકો આપવાનો ઇનકાર કર્યો હતો. અવિશ્વાસ પ્રસ્તાવ સામે મતદાન કરતા પહેલા, ફ્રાંસ્વા બેરોએ સંસદને ચેતવણી આપી હતી કે, ‘તમે મારી સરકારને ઉથલાવી શકો છો, પરંતુ તમે વાસ્તવિકતાને ભૂંસી નથી શકતા. ખર્ચ વધતો રહેશે, અને પહેલાથી જ અસહ્ય દેવાનો બોજ વધુ ભારે અને મોંઘો બનશે.’ આ હોવા છતાં, સાંસદોએ તેમની યોજનાને ભારે બહુમતીથી નકારી કાઢી.

વિરોધ પક્ષો, ખાસ કરીને નેશનલ રેલી અને ડાબેરી ગઠબંધન, બેરોની બચત યોજનાને સામાજિક કલ્યાણ અને જાહેર સેવાઓ પર હુમલો ગણાવે છે. તેમણે દલીલ કરી હતી કે, તે મધ્યમ અને ઓછી આવક ધરાવતા જૂથોને નુકસાન પહોંચાડશે, જ્યારે ધનિકોને ટેક્સ છૂટનો લાભ મળશે. આ મતભેદને 2027ની રાષ્ટ્ર પ્રમુખની ચૂંટણી પહેલાની રાજકીય વ્યૂહરચનાના ભાગ રૂપે જોવામાં આવે છે, કારણ કે વિપક્ષ તેની સ્થિતિ મજબૂત કરવા માંગે છે. આ ઘટના ફ્રાન્સમાં રાજકીય અસ્થિરતાને પ્રકાશિત કરે છે, જ્યાં પ્રમુખ ઇમૈનુઅલ મેક્રોં સ્થિરતા અને આર્થિક સુધારાઓને સંતુલિત કરવામાં પડકારોનો સામનો કરી રહ્યા છે.

ફ્રાન્સ પ્રમુખ મેક્રોં હવે એવા નેતાની શોધમાં છે જે સંસદમાં વિભાજિત પક્ષો વચ્ચે સર્વસંમતિ બનાવી શકે. ફ્રાન્સનું ક્રેડિટ રેટિંગ તાજેતરમાં ડાઉનગ્રેડ કરવામાં આવ્યું છે અને યુરોપિયન યુનિયને ખાધ ઘટાડવા માટે કડક પગલાં લેવાની ચેતવણી આપી છે. નવા વડાપ્રધાનની પસંદગી કરવી સરળ નહીં હોય, કારણ કે સંસદમાં કોઈપણ પક્ષ પાસે સ્પષ્ટ બહુમતી નથી. ફ્રેન્ચ જનતા પણ વધતા દેવા અને રાજકીય અસ્થિરતા અંગે ચિંતિત છે. બધાની નજર પ્રમુખ મેક્રોં આગામી વડાપ્રધાન તરીકે કોને નિયુક્ત કરશે તેના પર છે.

September 7, 2025
Cia_business_news-1280x936.jpg
1min168

વરાછા કો-ઓપ. બેંક સુરતને દક્ષિણ ગુજરાતની વેરી લાર્જ કેટેગરીની બેંકોમાં કુલ ત્રણ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે. વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન તેમજ પ્રોફેટેબિલિટી મેનેજમેન્ટ અને પબ્લિક રિલેશન એન્ડ સોશિયલ એક્ટિવિટી માટે કુલ મળીને ત્રણ કેટેગરીમાં શ્રેષ્ઠ બેંક તરીકે વરાછા બેંકને સ્કોબા પ્રાઈડ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે. તા. 06th સપ્ટેમ્બર, 2025 ના રોજ વેસ્ટ બંગાળ રાજ્યના ડાર્જિલિંગ શહેર ખાતે દક્ષિણ ગુજરાત અર્બન કો-ઓપ. બેંક એસોસિએશન લિ. (સ્કોબા) તરફથી સ્કોબા પ્રાઈડ એવોર્ડ અર્પણ સમારોહ યોજવામાં આવ્યો હતો.

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, ગેંગટોક ના જનરલ મેનેજર રવિશંકર ગોડાની ઉપસ્થિતિમાં એવોર્ડ સમારોહ નું આયોજન થયું હતું. દક્ષિણ ગુજરાતની તમામ અર્બન કો-ઓપ. બેંકો વચ્ચે જુદી જુદી કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવ્યા હતા. આ સમારોહમાં રાજ્યની પાંચમા ક્રમની અર્બન કો-ઓપ. બેંક એવી વરાછા બેંકને ત્રણ ત્રણ એવોર્ડ થી સન્માનિત કરવામાં આવી છે. વરાછા બેંક 30 વર્ષમાં 28 શાખાઓ સાથે રૂ|. 6,000/- કરોડથી વધુનો બિઝનેસ ધરાવે છે. જે સહકારી ક્ષેત્ર માટે ગૌરવની વાત છે.

આ સમારોહમાં દક્ષિણ ગુજરાતના 200 થી વધુ સહકારી ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. વરાછા બેંકના ચેરમેનશ્રી ભવનભાઈ નવાપરા તેમજ બોર્ડ ઓફ મેનેજમેન્ટના ચેરમેન અને સહકારી ક્ષેત્રે “સહકારીતા બંધુ” તરીકે ખ્યાતનામ એવા શ્રી કાનજીભાઈ ભાલાળા ઉપસ્થિત રહી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, ગેંગટોક નાં જનરલ મેનેજરશ્રી રવિશંકર ગોડા નાં વરદ હસ્તે એવોર્ડ સ્વીકાર્યા હતા.

આ પ્રસંગે સ્કોબાના વાઈસ પ્રેસિડેન્ટશ્રી કાનજીભાઈ ભાલાળાએ દક્ષિણ ગુજરાતની સહકારી બેંકોના વિકાસને બિરદાવ્યો હતો. આ સાથે સાયબર સિક્યુરિટી માટે તમામ બેંકો સકારાત્મક અભિગમ સાથે ટેકનોલોજીનો વ્યાપ વધારવા માટે તાકીદ કરી હતી. સ્કોબાનાં પ્રેસિડેન્ટશ્રી ગૌતમભાઈ વ્યાસ, વાઈસ પ્રેસિડેન્ટશ્રી દેવાંગભાઈ ચોકસી અને પાસ્ટ પ્રેસિડેન્ટશ્રી મુકેશભાઈ ગજ્જર સહિતના હોદ્દેદારશ્રીઓએ વરાછા બેંકને શુભેચ્છા પાઠવી હતી.

મલ્ટી સ્ટેટ બેંકના દરજ્જા સાથે સતત પ્રગતિશીલ વરાછા બેંક સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવામાં અગ્રેસર હોવાની સાથે સાથે સાયબર ક્રાઇમ અવેરનેસ અને બચત જાગૃતિ જેવા અભિયાન થકી લોક જાગૃતિ માટેના કાર્ય કરતી રહે છે. બેંકના ચેરમેનશ્રી ભવાનભાઈ નવાપરા દ્વારા તમામ એવોર્ડ બેંકના ડિરેક્ટર્સશ્રીઓ, બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યશ્રીઓ તેમજ સ્ટાફને સમર્પિત કર્યા હતા. વધુમાં જણાવ્યું હતું કે, આ એવોર્ડ વરાછા બેંક પરિવારના તમામ સભ્યોની મહેનત નું પરિણામ છે. બેંક હર હંમેશ ગ્રાહકોના હિતને કેન્દ્રમાં રાખી બેંકિંગ સેવા પૂરી પાડે છે. તહેવાર નિમિત્તે લોકોને સરળતાથી નાણાકીય સેવા મળી રહે તે માટે વિવિધ યોજનાઓ જેવી કે 8.21% વ્યાજદર ની સહકાર સમૃદ્ધિ બચત યોજના અને 8.25% થી શરૂ થતી ફેસ્ટિવલ કાર લોન અમલમાં મૂકી છે. બેંકના સભાસદો અને ગ્રાહકોનાં સાથ સહકાર થકી રૂ|. 6,000/- કરોડથી વધુ નો બિઝનેસ કરી ગૌરવંતી સિદ્ધિ હાંસિલ કરી છે, જે ખૂબ આનંદની વાત છે. આ હર્ષ અને ગૌરવની ક્ષણે તમામ ડિરેક્ટર્સશ્રીઓ, મેનેજમેન્ટ સભ્યશ્રીઓ, તમામ સ્ટાફ તેમજ સભાસદો અને ખાતેદારોને હૃદયથી અભિનંદન પાઠવ્યા હતા.

September 7, 2025
pitru-paksh25.png
1min136

Shraddh Paksha 2025: ભાદરવા વદ (કૃષ્ણ) પક્ષને પિતૃપૂજન અને શ્રાદ્ધ પક્ષ તરીકે ઓળખવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન પિતૃઓનું શ્રાદ્ધ અને તર્પણ કરવામાં આવે છે જેથી તેમને શાંતિ અને સદ્ગતિ મળે. જ્યોતિષાચાર્ય ડૉ. હેમિલ પી. લાઠિયાના જણાવ્યા અનુસાર વર્ષ 2025 માટે, શ્રાદ્ધ પક્ષનો પ્રારંભ આવતી કાલ તારીખ 8મી સપ્ટેમ્બર, સોમવારથી થશે અને તેનું સમાપન 21મી સપ્ટેમ્બર, રવિવારના રોજ થશે.

શ્રાદ્ધ પક્ષ 2025: તિથિ અને તારીખ

શ્રાદ્ધ પક્ષ 2025: આવતીકાલથી શરૂ થશે શ્રાદ્ધ, જાણો પિતૃપૂજનની મહત્ત્વની તિથિઓ અને તેનું મહત્ત્વ 2 – image

મહત્ત્વપૂર્ણ તિથિઓ અને તેમનું મહત્ત્વ

શ્રાદ્ધ પક્ષ 2025: આવતીકાલથી શરૂ થશે શ્રાદ્ધ, જાણો પિતૃપૂજનની મહત્ત્વની તિથિઓ અને તેનું મહત્ત્વ 3 – image

શ્રાદ્ધ પક્ષમાં કેટલીક તિથિઓનું વિશેષ મહત્ત્વ હોય છે:

તિથિ 3 અને 4: આ બંને તિથિઓ એકસાથે છે. જે લોકોની તિથિ 3 અથવા 4 હોય, તેઓ આ દિવસે શ્રાદ્ધ કરી શકે છે.

તિથિ 9 (નવમી): આ તિથિને સૌભાગ્યવતી સ્ત્રી શ્રાદ્ધ તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે એવી સ્ત્રીઓનું શ્રાદ્ધ કરવામાં આવે છે જેમનું મૃત્યુ સૌભાગ્ય અવસ્થામાં થયું હોય.

તિથિ 12 (બારસ): આ દિવસે સંન્યાસીનું શ્રાદ્ધ કરવામાં આવે છે, એટલે કે જે લોકોએ સંન્યાસ લીધો હોય તેમનું શ્રાદ્ધ આ તિથિએ કરવામાં આવે છે.

તિથિ 14 (ચૌદશ): આ દિવસ શસ્ત્રપીડિતનું શ્રાદ્ધ કરવા માટે ખાસ છે, જે લોકોનું મૃત્યુ અકાળે અથવા અકસ્માતને કારણે થયું હોય તેમનું શ્રાદ્ધ આ દિવસે કરવામાં આવે છે.

તિથિ 15/30 (અમાસ): આ દિવસને સર્વપિતૃ અમાસ તરીકે ઓળખવામાં આવે છે. જે લોકોને તેમના પિતૃઓની તિથિ યાદ ન હોય, તેઓ આ દિવસે સર્વપિતૃઓનું શ્રાદ્ધ કરી શકે છે. આ દિવસે પૂનમનું શ્રાદ્ધ પણ કરવામાં આવે છે.

September 7, 2025
rain.png
1min122

Gujarat Weather Updates : ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. હવામાન વિભાગના નાઉકાસ્ટ હેઠળ આગામી ત્રણ કલાક માટે આગાહી કરવામાં આવી હતી. જે અનુસાર પાંચ જિલ્લામાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ જ્યારે 24 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરતા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. 

 ક્યાં ક્યાં રેડ એલર્ટ? 

બનાસકાંઠા, દમણ, દાદરા અને નગર હવેલી, વલસાડ, ડાંગ તથા તાપી જિલ્લામાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 

ક્યાં ક્યાં ઓરેન્જ એલર્ટ?

જ્યારે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, બોટાદ, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, નવસારી જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 

September 7, 2025
cia_multi-1280x1045.jpg
1min192

Today તા. 7/09/2025નાં રોજ સુરત શહેર ખાતે લેબગ્રોન ડાયમંડ એસોસિએશન આયોજીત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જીવન અને કવન પરનો મેગા મ્યુઝીકલ મલ્ટીમીડિયા કાર્યક્રમ “નમોત્સવ” યોજાશે. પ્રસિદ્ધ હાસ્યકલાકાર સાંઈરામ દવે સાથે આશરે દોઢસો જેટલા કલાકારોના કાફલા દ્વારા આ કાર્યક્રમની એક્ઝિબિશન અને કન્વેશન સેન્ટર, સરસાણા ખાતે પ્રસ્તુતિ કરાશે. જેમાં ગુજરાતના ખ્યાતનામ કલાકારો સાથે વિવિધ નૃત્યકારો, પ્રસિદ્ધ નાટ્યકારો અને સુરીલા સંગીતકારો આ સમગ્ર કાર્યક્રમ રજૂ કરશે.

નરેન્દ્ર મોદીના પ્રસંગને રજૂ કરતો દેશનો પ્રથમ મલ્ટીમીડિયા કાર્યક્રમ

આગામી તા.7/09/2025નાં રોજ સુરત શહેર ખાતે લેબગ્રોન ડાયમંડ એસોસિએશન આયોજીત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જીવન અને કવન પરનો મેગા મ્યુઝીકલ મલ્ટીમીડિયા કાર્યક્રમ “નમોત્સવ” યોજાશે. વડાપ્રધાનના જીવનનનાં વિવિધ પ્રસંગોને સંગીત અને નૃત્યથી રજૂ કરતો દેશનો પ્રથમ મલ્ટીમીડિયા કાર્યક્રમ રજૂ થશે. પ્રસિદ્ધ હાસ્યકલાકાર સાંઈરામ દવે સાથે આશરે દોઢસો જેટલા કલાકારોના કાફલા દ્વારા આ કાર્યક્રમની એક્ઝિબિશન અને કન્વેશન સેન્ટર, સરસાણા ખાતે પ્રસ્તુતિ કરાશે.

ખ્યાતનામ કલાકારો વિવિધ કાર્યક્રમ રજૂ કરશે

ગુજરાતના ખ્યાતનામ કલાકારો સાથે વિવિધ નૃત્યકારો, પ્રસિદ્ધ નાટ્યકારો અને સુરીલા સંગીતકારો આ સમગ્ર કાર્યક્રમ રજૂ કરશે. આ કાર્યક્રમ ગીત સંગીત અને નાટ્ય સાથે મોદીના જીવનનનાં વિવિધ પ્રસંગોનું રસાળ નાટ્યરૂપાંતરણનું દિગ્દર્શન વિરલ રાચ્છ કરશે. રાહુલ મુંજારીયા સંગીત પીરસશે તથા કોરિયોગ્રાફર અંકુર પઠાણની ટીમ દ્વારા ભવ્ય નૃત્યો રજૂ થશે.

ઓપરેશન સિંદૂરનાં ગીતો પર દિલધડક સ્ટંટ સાથે ડાન્સ

મુંબઇના ડિમોલીશન ક્રુ દ્વારા ઓપરેશન સિંદૂરનાં ગીતો પર દિલધડક સ્ટંટ સાથે ડાન્સ રજૂ થશે. વડાપ્રધાન મોદીની જીવનયાત્રા પર લખાયેલા સપાખરા ગીત પર કેરળની માર્શલ આર્ટ ‘કલારીપયાટુ’નાં કલાકારો વીરરસનો વોર ડાન્સ રજૂ કરશે. ભવ્યાતિભવ્ય પ્રોપ્સ અને હોલોગ્રામની હાઈફાઈ ટેકનીક્સથી સજ્જ ‘નમોત્સવ’ કાર્યક્રમ દર્શકો માટે માણવા અને જાણવા જેવો બની રહેશે.

September 6, 2025
1min89

ભાદરવી પૂનમને લઇને અંબાજી જતાં તમામ માર્ગો પદયાત્રિકોના જય અંબે ના નાદની ગુંજી ઉઠયા છે. પૂનમે મોટી સંખ્યામાં લોકો દર્શન માટે જતા હોય છે. જોકે આ વર્ષે ભાદરવી પૂનમના દિવસે એટલે કે 7 સપ્ટેમ્બરને રવિવારે ચંદ્રગ્રહણ છે.જેથી ચંદ્રગ્રહણના કારણે પવિત્ર શક્તિપીઠ અંબાજી મંદિરમાં દર્શન અને ધજા ચડાવવાના સમયમાં વિશેષ ફેરફાર કરવામાં આવ્યો છે. આ સિવાય રાજ્યના પ્રખ્યાત સોમનાથ, શામળાજી અને દ્વારકાના મંદિરમાં પણ ગ્રહણને કારણે દર્શનના સમયમમાં ફેરફાર કરાયો છે.

અંબાજી મંદિર

સવારની આરતી : 06:00 થી 06:30
દર્શન સમય : 06:00 થી 10:00
દર્શન બંધ : 10:00 થી 12:00
શયનકાળ આરતી : 12:00 થી 12:30
જાળીમાંથી દર્શન : 12:30 થી 05:00 (સાંજે)
મંદિર સંપૂર્ણ બંધ : 05:00 પછી

ભાદરવી પૂનમના દિવસે બપોરે 12:30 વાગ્યા બાદ માઇભક્તો મંદિરમાં પ્રવેશી શકશે નહીં. આ સમય પછી ધજા પણ ચઢાવી શકાશે નહીં. જોકે સાંજે 5 વાગ્યા સુધી માત્ર જાળીમાંથી દર્શન કરવાની પરવાનગી રહેશે. 8 સપ્ટેમ્બર 2025થી મંદિરની દર્શન અને આરતીના તમામ સમય રોજની જેમ રાબેતા મુજબ રહેશે.

સોમનાથ મંદિર

ચંદ્રગ્રહણને કારણે શાસ્ત્રોક્ત વિધિ મુજબ સોમનાથ મંદિર અને ટ્રસ્ટ હસ્તકના તમામ મંદિરોમાં નિયમિત પૂજા-આરતી મોકૂફ રહેશે. મંદિરમાં મધ્યાન્હ પૂજન-આરતી અને સાંધ્ય આરતી બંધ રહેશે. દર્શનાર્થીઓ માટે મંદિર ખુલ્લું રહેશે. ગ્રહણ દરમિયાન બપોરની મહાપૂજા આરતી, સાંજની આરતી, ગંગાજળ અભિષેક, બિલ્વપૂજા, ધ્વજાપૂજા, સોમેશ્વર મહાપૂજન, યજ્ઞ, રુદ્રાભિષેક અને પાઠાત્મક અનુષ્ઠાન સહિતની તમામ પૂજા બંધ રહેશે. ગ્રહણ મોક્ષ બાદ 8 સપ્ટેમ્બરના રોજ પ્રાતઃ દૈનિક પૂજા અને આરતી પુનઃપ્રારંભ થશે.

શામળાજી મંદિર

શામળાજી મંદિર ટ્રસ્ટના મેનેજર પ્રવિણભાઇ ચૌધરીએ જણાવ્યું કે, વિશ્વ પ્રસિધ્ધ યાત્રાધામ શ્રી શામળાજી વિષ્ણુ મંદિર ભાદરવા સુદ પૂનમને રવિવારે ખગ્રાસ ચંદ્રગ્રહણ હોવાથી દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે. સાંજે 6 કલાક સુધી દર્શન કરી શકાશે. રવિવારે રાતે ગ્રહણ હોવાથી મંદિર સાંજે 6 વાગે બંધ થશે. સોમવારે સવારે મંદિરમાં પખાલવિધિ કરાશે.

દ્વારકા મંદિર

પૂનમના દિવસે ચંદ્રગ્રહણ હોવાથી દ્વારકા ખાતે દ્વારકાધીશ મંદિરમાં ભગવાનના દર્શન ક્રમમાં ફેરફાર કરાયો છે. સવારે 6 વાગ્યે મંગલા આરતી ભક્તોની હાજરીમાં કરવામાં આવશે. ત્યારબાદ સવારના અન્ય ક્રમ નિત્ય મુજબ રહેશે. બીજી બાજુ બપોરે 1:30 વાગ્યે મંદિર બંધ થશે. બપોરે મંદિર બંધ થયા બાદ સામાન્ય દિવસોમાં સાંજે મંદિર ખુલતું હોય છે પરંતુ સાંજે ચંદ્રગ્રહણ હોવાથી મંદિર બંધ રહેશે. જે બાદ તા. 8 ને સોમવારના રોજ નીચે મુજબ મંદિર દર્શન ખુલશે.

September 6, 2025
image-14.png
1min90

ભાદરવા સુદ ચોથ એટલે કે 27 ઓગસ્ટ, બુધવારના રોજ ગણેશ ચતુર્થીએ ગણેશોત્સવનો પ્રારંભ થયો હતો. દેશભરમાં ભક્તો પોતાના ઘરે અને પંડાલમાં ગણપતિજીની મૂર્તિનું સ્થાપન કરી દસ દિવસ સુધી તેમની પૂજા-અર્ચના કરી, અને આજે 6 સપ્ટેમ્બર, શનિવારના રોજ અનંત ચતુર્દશીએ ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન કરી તેમને ભાવભરી વિદાય આપવામાં આવી રહી છે. વિસર્જન પહેલા કેવી રીતે ગણેશજીની પૂજા અર્ચના કરવી અને વિસર્જન માટેના ક્યા કયા કેટલાક મૂહુર્ત છે આવો તે જાણીએ.

ગણેશજી બુદ્ધિ, સમૃદ્ધિ અને વિવેકના દેવતા છે અને કોઈપણ શુભ કાર્ય કરતાં પહેલાં ગણેશજીની પૂજા અર્ચના કરવામાં આવે છે. એવું કહેવાય છે કે, ગણેશજીની પૂજા અર્ચના કરવાથી તમામ વિઘ્ન અને બાધાઓ દૂર થાય છે અને કુંડળીમાં બુધ ગ્રહની સ્થિતિ મજબૂત થાય છે

ગણેશ વિસર્જનની વિધિ

અનંત ચતુર્દશીના દિવસે ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે, જેનો અર્થ એ છે કે ગણેશજી હવે પાછા તેમના ધામમાં જઈ રહ્યા છે.

પૂજા અને આરતી: વિસર્જન પહેલાં ફરી એકવાર ગણેશજીની આરતી કરવી અને તેમને મોદકનો ભોગ ધરાવવો.

પ્રાર્થના: મૂર્તિને સન્માનપૂર્વક ઉઠાવતા પહેલાં ગણેશજીની ક્ષમા માંગવી અને તેમને પ્રાર્થના કરવી કે તેઓ આગલા વર્ષે ફરી પધારે.

વિસર્જન: ગણેશજીની મૂર્તિને પવિત્ર નદી, તળાવ અથવા પાણીના સ્ત્રોતમાં વિસર્જિત કરવી. પર્યાવરણને નુકસાન ન થાય તે માટે માટીની ઇકો-ફ્રેન્ડલી મૂર્તિઓનો ઉપયોગ કરવો વધુ હિતાવહ છે.

ગણેશ વિસર્જનના શુભ મુહૂર્ત (6 સપ્ટેમ્બર):

સવારે 07:58 થી 09:30

બપોરે 12:40 થી 05:15

સાંજે 06:55 થી 08:25

ગણેશોત્સવ એ ભક્તિ, આનંદ અને સકારાત્મકતાનો પર્વ છે, જે સમગ્ર સમાજમાં ઉત્સાહ ભરી દે છે.