CIA ALERT

Alert Archives - Page 8 of 495 - CIA Live

September 4, 2025
image-6.png
1min98

બાંધકામમાં વપરાતી અનેક સામગ્રીઓ પર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)માં ઘટાડો કરવામાં આવ્યો છે, જેનાથી રિયલ એસ્ટેટ અને હાઉસિંગ સેક્ટરમાં ખુશીનો માહોલ ફેલાયો છે. આ નિર્ણયથી બાંધકામના ખર્ચમાં ઘટાડો થશે, જેનો ફાયદો ઘર ખરીદનારાઓને પણ મળશે.

3/9/25 GST કાઉન્સીલની બેઠકમાં સિમેન્ટ, માર્બલ, ગ્રેનાઈટ, લાકડું જેવી બાંધકામની મુખ્ય સામગ્રીઓ પર GST દરમાં કાપ મૂકવામાં આવ્યો છે. આ પગલાથી બાંધકામ સામગ્રીના ભાવ ઘટશે, જેના કારણે નવા મકાનો, ફ્લેટ્સ અને વ્યાપારી ઈમારતોના નિર્માણ ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થવાની શક્યતા છે. આ નિર્ણયને ઉદ્યોગકારો અને બિલ્ડરો દ્વારા સકારાત્મક પગલુ ગણાવવામાં આવી રહ્યું છે, કારણ કે આનાથી બાંધકામ ઉદ્યોગને નવી ગતિ મળશે.

આ GST ઘટાડાથી હાઉસિંગ સેક્ટરમાં નોંધપાત્ર વૃદ્ધિની અપેક્ષા છે. બાંધકામના ખર્ચમાં ઘટાડો થતા ઘરોની કિંમતો પણ નીચે આવી શકે છે, જેનાથી સામાન્ય લોકો માટે ઘર ખરીદવું વધુ સરળ બનશે. ખાસ કરીને, મધ્યમ વર્ગના લોકો અને પ્રથમ વખત ઘર ખરીદનારાઓને આનો સીધો લાભ મળશે. આ ઉપરાંત, આ પગલુ રિયલ એસ્ટેટ ઉદ્યોગમાં રોકાણને પણ પ્રોત્સાહન આપશે.

બાંધકામ ઉદ્યોગ દેશની અર્થવ્યવસ્થાને ગતિ આપવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. GST ઘટાડાથી બાંધકામ સામગ્રીના ભાવ ઘટવાથી નવા પ્રોજેક્ટ્સની શરૂઆત અને ચાલી રહેલા પ્રોજેક્ટ્સનું કામ ઝડપથી આગળ વધશે. જેનાથી રોજગારની તકોમાં પણ વધારો થશે, કારણ કે બાંધકામ ઉદ્યોગ અનેક અન્ય ક્ષેત્રો સાથે જોડાયેલો છે. ઉદ્યોગકારોનું માનવું છે કે આ નિર્ણયથી આર્થિક ગતિવિધિઓને વેગ મળશે અને બજારમાં સકારાત્મક માહોલ ઊભો થશે.

રિયલ એસ્ટેટ અને બાંધકામ ઉદ્યોગના નિષ્ણાતોએ સરકારના આ નિર્ણયનું સ્વાગત કર્યું છે. તેમનું માનવું છે કે આ પગલુ બાંધકામ ઉદ્યોગ માટે માત્ર રાહત જ નહીં, પરંતુ લાંબા ગાળે આર્થિક વિકાસ માટે પણ મહત્વનું સાબિત થશે. સરકારના આ નિર્ણયથી નવા પ્રોજેક્ટ્સને ઝડપ મળશે અને ગ્રાહકોને પોસાય તેવા ભાવે ઘરો ઉપલબ્ધ થશે, જે દેશના હાઉસિંગ સેક્ટરને નવી ઊંચાઈઓ પર લઈ જશે.

September 2, 2025
image-4.png
1min183

સુપ્રીમ કોર્ટે શિક્ષકો માટે એક મહત્વનો ચુકાદો આપતાં સોમવારે (પહેલી સપ્ટેમ્બર) નિર્દેશ આપ્યો છે કે, શિક્ષણ સર્વિસ સાથે જોડાયેલા તમામ શિક્ષકો માટે નોકરી ચાલુ રાખવા અથવા બઢતી મેળવવા માટે ટિચર્સ એલિજિબિલિટી ટેસ્ટ (TET) પાસ કરવી ફરજિયાત રહેશે. ન્યાયાધીશ દીપાંકર દત્તા અને ન્યાયાધીશ ઓગસ્ટિન જ્યોર્જ મસીહની બેન્ચે આદેશ આપ્યો કે, જે શિક્ષકોની નોકરીને પાંચ વર્ષથી વધુ સમય બાકી છે, તેમણે TET પાસ કરવી ફરજીયાત છે. જો તેઓ આમ નહીં કરે તો રાજીનામું આપવું પડશે અથવા ફરજિયાત નિવૃત્તિ લેવી પડશે. જોકે કોર્ટે માત્ર પાંચ વર્ષ બાકી રહેલા શિક્ષકોને રાહત આપી છે.

કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે, નવા શિક્ષકો માટે TET પાસ કરવી ફરજિયાત છે, આ ઉપરાંત પહેલાથી નોકરી કરી રહેલા શિક્ષકો જો બઢતી મેળવવા ઈચ્છે તો તેમના માટે પણ TET પાસ કરવી ફરજિયાત રહેશે. કોર્ટે કહ્યું કે, જો કોઈ શિક્ષક નવી નોકરી અથવા બઢતી મેળવવા ઈચ્છે તો TET પાસ કર્યા વગર તેમનો કોઈપણ દાવો માન્ય ગણાશે નહીં. જોકે, બેન્ચે પાંચ વર્ષથી ઓછો સમય બાકી રહેલા શિક્ષકોને રાહત આપી છે. આવા શિક્ષકોને TET પાસ કરવાની જરૂરિયાત રહેશે નહીં અને તેઓ તેમની નિવૃત્તિ સુધી નોકરી પર રહી શકશે. પરંતુ જો આવા શિક્ષકો બઢતી મેળવવા ઈચ્છે તો તેમને TET પાસ કરવી ફરજિયાત રહેશે.

કોર્ટે એમ પણ કહ્યું છે કે, જે શિક્ષકો શિક્ષણનો અધિકાર કાયદો (RTE-2009) લાગુ થતાં પહેલાં નિમણૂક થયા છે અને જેમની પાંચ વર્ષથી વધુ સેવા બાકી છે, તેમણે બે વર્ષની અંદર TET પાસ કરવી જ પડશે. જો તેઓ આ ગાળામાં TET પાસ ન કરે તો તેમને નોકરી ગુમાવવી પડશે અને તેમને માત્ર ટર્મિનલ બેનિફિટ્સ જ મળશે.

સુપ્રીમ કોર્ટે લઘુમતી દરજ્જો ધરાવતી શૈક્ષણિક સંસ્થાઓને હાલ પૂરતી રાહત આપી છે. કોર્ટે કહ્યું છે કે, આ આદેશ હમણાં તે સંસ્થાઓ પર લાગુ પડશે નહીં. RTE કાયદો આ શાળાઓને લાગુ થાય છે કે નહીં, તે કાયદાકીય સવાલ હાલ સુપ્રીમ કોર્ટની મોટી બેન્ચ સમક્ષ પેન્ડિંગ છે. જ્યાં સુધી આ અંગે અંતિમ નિર્ણય ન લેવાય ત્યાં સુધી લઘુમતી સંસ્થાઓના શિક્ષકો માટે TET પાસ કરવી ફરયિજાત નહીં રહે.

ટિચર્સ એલિજિબિલિટી ટેસ્ટ (TET) એક રાષ્ટ્રીય સ્તરની પાત્રતા પરીક્ષા છે, જેમાં પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક વર્ગો ધોરણ-1થી ધોરણ-8માં શિક્ષક બનવા માંગનાર ઉમેદવારની યોગ્યતા નક્કી થાય છે. આ પરીક્ષા નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન (NCTE) દ્વારા 2010માં ફરજિયાત કરાઈ હતી. NCTEએ શિક્ષકોને TET પાસ કરવા માટે પાંચ વર્ષનો સમય આપ્યો હતો, જેને પાછળથી ચાર વર્ષ સુધી લંબાવાયો હતો. સુપ્રીમ કોર્ટે તમિલનાડુ અને મહારાષ્ટ્રમાં TET ફરજિયાત પાસ કરવા સંબંધિત એક અરજી પર સુનાવણી હાથ ધર્યા બાદ આ નિર્ણય લીધો છે, હવે દેશભરના શિક્ષકો પર અસર કરી છે.

September 2, 2025
image-3.png
1min103

ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્કે T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. તેમણે મંગળવારે (બીજી સપ્ટેમ્બર) આ માહિતી આપી હતી. ઓસ્ટ્રેલિયા ક્રિકેટે સત્તાવાર રીતે તેમની નિવૃત્તિની પુષ્ટિ કરી છે. મિચેલ સ્ટાર્કે કહ્યું કે ‘મારી માટે ટેસ્ટ ક્રિકેટની પ્રાથમિકતા સૌથી વધુ રહી છે. ટી20ની મેચોની મજા માણી, ખાસ કરીને 2021 ટી20 વર્લ્ડકપમાં ખૂબ શાનદાર અનુભવ રહ્યો. હવે ભારત સામે ટેસ્ટ સીરિઝ, એશેઝ અને 2027 વનડે વર્લ્ડકપને જોતાં મને લાગે છે કે આ જ યોગ્ય સમય છે. નવા બોલર્સને મોકો મળશે.’

અહેવાલો અનુસાર, મિચેલ સ્ટાર્કે T20 વર્લ્ડ કપ 2026ના થોડા મહિના પહેલા જ નિવૃત્તિની જાહેરાત કરી છે. તેમણે છેલ્લે ગયા T20 વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા માટે T20 ઈન્ટરનેશનલ મેચ રમી હતી. ટેસ્ટ અને ODI ક્રિકેટ ઉપરાંત, મિચેલ સ્ટાર્ક હવે સ્થાનિક T20 લીગમાં રમતા જોવા મળશે. આમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે IPLનો સમાવેશ થાય છે. મિશેલ સ્ટાર્ક ઓસ્ટ્રેલિયા માટે T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો. તેણે આ ફોર્મેટમાં 79 વિકેટ લીધી હતી. તેમનાથી આગળ એડમ ઝામ્પા છે, જેમણે 130 વિકેટ લીધી છે.

35 વર્ષીય મિચેલ સ્ટાર્કે વર્ષ 2012માં પાકિસ્તાન સામેની મેચમાં ટી20 ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. ગયા વર્ષે ભારત વિરુદ્ધ ગ્રોસ આઈલેટમાં તે છેલ્લી ટી20 મેચ રમ્યો. તેણે 65 મેચોમાં કુલ 79 વિકેટ ખેરવી. તે ઑસ્ટ્રેલિયા માટે ટી20માં બીજો સૌથી વધુ વિકેટ લેનારો બોલર છે. પહેલા ક્રમાંકે એડમ ઝામ્પા છે જેણે 103 મેચોમાં 103 વિકેટો ખેરવી છે.

ટી20 ઇન્ટરનેશનલમાંથી નિવૃત્તિ લીધા પછી, મિચેલ સ્ટાર્ક આઈપીએલમાં રમતા જોવા મળશે. સ્ટાર્કે છેલ્લી 2 આઈપીએલ સીઝનથી ઘણી કમાણી કરી છે. સ્ટાર્ક આઈપીએલ 2024માં સૌથી મોંઘો ખેલાડી બન્યો, જ્યારે કોલકાતા નાઈટ રાઇડર્સે આ ખેલાડીને 24.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો. જો કે, આ સીઝન તેના માટે ખાસ નહોતી અને કેકેઆરએ તેને આઈપીએલ 2025 પહેલા રિલીઝ કરી દીધો. ત્યારબાદ સ્ટાર્ક આઈપીએલ 2025માં દિલ્હી કેપિટલ્સ તરફથી રમતા જોવા મળ્યો હતો.

મિચેલ સ્ટાર્કે ઓસ્ટ્રેલિયા માટે 65 ટી20 ઇન્ટરનેશનલ મેચ રમી હતી, જેમાં સ્ટાર્કે બોલિંગ કરતી વખતે 79 વિકેટ લીધી હતી. આ ઉપરાંત જો આપણે સ્ટાર્કના IPL કારકિર્દીની વાત કરીએ, તો તેણે અત્યાર સુધી IPLમાં ફક્ત 51 મેચ રમી છે, જે દરમિયાન સ્ટાર્કે બોલિંગ કરતી વખતે 65 વિકેટ લીધી હતી.

September 1, 2025
image-2.png
1min126

ગુજરાતમાં મેડિકલ, પોલીસ અને ફાયર તેમજ અન્ય આપાતકાલીન સ્થિતિમા મદદ માટે અલગ અલગ નંબર ડાયલ કરવામાંથી મુક્તિ મળશે. રવિવારે (31 ઓગસ્ટ) જનરક્ષક હેઠળ 112 ડાયલ સર્વિસ શરૂ કરવામાં આવી છે અને તમામ પ્રકારની ઈમરજન્સી સેવા માટે 112 નંબર ડાયલ કરવાનો રહેશે. આ માટે અમદાવાદમાં અત્યાધુનિક કૉલ સેન્ટર શરૂ કરાયું છે. જેમાં 150 જેટલા પોલીસ કર્મચારીઓને જવાબદારી સોપવામાં આવી છે. સાથેસાથે ગૃહમંત્રી અમિત શાહે 500 જેટલી 112 જનરક્ષક વાનનું લોકાર્પણ કર્યું હતું.

રાજ્યમાં મેડીકલ ઇમરજન્સી માટે 108, પોલીસ માટે 100, ફાયર બ્રિગેડની સેવા માટે 101, અભયમ હેલ્પલાઇન માટે 181 તેમજ અન્ય આપાતકાલીન સ્થિતિમાં અલગ-અલગ સેવા માટે અલગ-અલગ નંબર ડાયલ કરવામાંથી મુક્તિ મળી છે. હવે 112 નંબર ડાયલ કરવાથી તમામ સેવાઓનો લાભ લઈ શકાશે.

કેન્દ્રીય ગૃહમંત્રીએ ગાંધીનગર ખાતે યોજાયેલા એક સમારોહમાં 112 જનરક્ષક ઇમરજન્સી સેવાને ખુલ્લી મૂકી હતી. આ સાથે પોલીસે હાઉસિંગના આવાસોનું લોકાર્પણ પણ કર્યું હતું. ડાયલ 112 માટે અમદાવાદ ખાતે એક કૉલ સેન્ટર શરૂ કરાયું છે. જે કૉલ રીસિવ કરીને તુરંત પ્રતિક્રિયા આપીને જે-તે સેવા પહોંચતી કરવા માટે જાણ કરશે. આ ઉપરાંત, દરેક જિલ્લાઓમાં 112 જનરક્ષક કેન્દ્ર કાર્યરત કરાયું છે. જે પીસીઆર વાનનું રીયલ ટાઇમ મોનિટરિંગ કરશે. ગુજરાત પોલીસના બેડામાં નવી 500 વાન ઉમેરવામાં આવતા હવે એક હજાર જેટલી વાન થશે.

112 જનરક્ષક સેવાને 108 મેડિકલ ઈમરજન્સી મોડલના આધારે સંચાલિત રકીને વિકસિત કરવામાં આવશે. જેથી આગામી સમયમાં કૉલ સેન્ટરનો વ્યાપ વધશે.

September 1, 2025
image-1.png
1min123

શક્તિપીઠ અંબાજી ખાતે આજથી (પહેલી સપ્ટેમ્બર) ભાદરવી પૂનમના મહામેળાનો પ્રારંભ થશે. સાતમી સપ્ટેમ્બર સુધી યોજાનારા આ મહામેળામાં 30 લાખથી વધુ ભક્તો મા અંબાના ચરણોમાં શિશ ઝૂકાવે તેવી સંભાવના છે. હાલ મંદિરને જોડતા માર્ગો પર સંઘો જોવા મળી રહ્યા છે. આ વખતે સાતમી સપ્ટેમ્બરના ભાદરવી પૂનમના દિવસે જ ચંદ્રગ્રહણ હોવાથી સાંજે પાંચ બાદ દર્શન થઈ શકશે નહીં.

ભાદરવી પૂનમના મેળા માટે તૈયારીને અંતિમ ઓપ આપી દેવામાં આવ્યો છે. તમામ દર્શનાર્થીઓને સરળતાથી દર્શન થઈ શકે તે માટે વિશેષ વ્યવસ્થાઓ ઊભી કરાઈ છે. બસ સ્ટેન્ડથી લઈને મંદિર સુધી રેલિંગ ઊભી કરવામાં આવી છે. યાત્રાળુઓને લાઈનમાં પીવાના પાણીની સુવિધા મળશે. મંદિર દર્શન બાદ બહાર નીકળવા માટે અંબાજી શક્તિદ્વારની બાજુમાં યાત્રિક પ્લાઝા, હવન શાળાની બાજુનો ગેટ 7 તથા ભેરવજી મંદિર તરફનો ગેટ નંબર 8 રહેશે.

દંડવત પ્રણામ, દિવ્યાંગ, વ્હીલ ચેર યાત્રિક, સિનીયર સિટીઝન તથા ગરબાવાળા યાત્રિકોને બસ સ્ટેન્ડથી મંદિર સુધી વચ્ચેની લાઈનમાંથી સીધા લઈ જવાની વ્યવસ્થા ઊભી કરાઈ છે. દર્શન પ્રવેશ સ્થળથી મંદિર સુધી વ્હીલ ચેર તેમજ ઈલેક્ટ્રીક વાહન, ઈ-રીક્ષાની વિશેષ સુવિધા ઊભી કરાઈ છે. આ વર્ષે ચાર અલગ-અલગ સ્થળોએ વોટર પ્રૂફ ડોમ ઊભા કરવામાં આવ્યા છે. ડોમમાં યાત્રાળુઓ માટે અંદાજે 1200 બેડની વ્યવસ્થા સાથે મલ્ટી પર્પઝ ડોમ, શૌચાલય, સીસીટીવી કેમેરા, મોબાઈલ ચાર્જિંગ સુવિધા, હાઉસકીપિંગ, સાઈનેજિસ, ફ્‌લોર કાર્પેટ, ફ્‌લેગ પોલ, પીવાના પાણીની વ્યવસ્થા, ઈલેક્ટ્રિફિકેશન, અગ્નિશામક સાધનો તેમજ સમાન મુકવાની સુવિધા જેવી આધુનિક વ્યવસ્થાઓ કરવામાં આવી છે.

અંબાજી મહા મેળામાં સૌ પ્રથમવાર 400 ડ્રોન દ્વારા ભવ્ય ડ્રોન લાઇટ શોનું આયોજન કરાયું છે, જેનું મુખ્ય આકર્ષણ ત્રીજી અને ચોથી સપ્ટેમ્બરના રોજ રાતે 8.30 કલાકે રહેશે. આકાશમાં રંગબેરંગી લાઇટોથી સજ્જ ડ્રોન દ્વારા માતાજીના મંદિરની છબિ, ‘જય માતાજી’નું લખાણ, ત્રિશૂળ તથા શક્તિના પ્રતિકોની અદભુત્ રચનાઓ થશે.

•1 લાખ 83 હજાર 855 ચોરસ મીટર એરિયામાં કુલ 35 જેટલા પાર્કિંગ કરાયા છે. જેમાં કુલ 22541 કરતા વધારે વાહનો પાર્ક કરી શકાશે. દાંતા રોડ પર 23 તથા હડાદ રોડ પર 12 પાર્કિંગ સ્થળો ઊભા કરાયા છે.

•શ્રદ્ધાળુઓ ઘરે બેઠા પાર્કિંગ બુક કરી શકે તે માટે Show My Parking એપની ઓનલાઇન સુવિધા. પાર્કિંગના સ્થળેથી મંદિર ખાતે જવા-આવવા માટે મંદિર ટ્રસ્ટ તરફથી વિનામૂલ્યે મીની બસ સેવા.

•પ્રસાદ વિતરણ માટે કુલ 28 પ્રસાદ કેન્દ્રો ઊભા કરાયા છે. મેળા દરમિયાન કુલ 1000થી 1200 ઘાણ જેટલી પ્રસાદ બનાવવામાં આવશે. 1 ઘાણમાં કુલ 326.7 કિલોગ્રામ પ્રસાદ બનશે. 750 જેટલા કારીગરો પ્રસાદ બનાવવાની કામગીરી કરશે. મેળા દરમિયાન 30 લાખથી વધુ પ્રસાદના પેકેટ વિતરણ કરાશે.

•યાત્રિકો માટે કુલ ચાર સ્થળોએ નિઃ શુલ્ક ભોજનની વ્યવસ્થા કરાઈ છે.

•સુરક્ષા માટે ત્રણ સ્તરના પોલીસ બંદોબસ્ત સાથે 5000 જવાનો. 332થી વધુ કેમેરા થકી સમગ્ર મેળાનું મોનિટરિંગ.

મહામેળા દરમિયાન દર્શનનો સમય

સવારે 6થી 6.30ના આરતી, સવારે 6થી 11.30ના દર્શન, સવારે 11.30થી 12.30ના દર્શન બંધ, બપોરે 12.30થી સાંજે 5 દર્શન, સાંજે 5થી રાતે 12 સુધી દર્શન. રાતે 12થી સવારે 6 વાગ્યે દર્શન બંધ રહેશે.

September 1, 2025
image.png
1min61

: 31/8/25 રવિવાર અને સોમવારની મધ્યરાત્રિએ પાડોશી દેશ અફઘાનિસ્તાનના દક્ષિણ-પૂર્વીય વિસ્તારમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. યુનાઇટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વે (યુએસજીએસ) અનુસાર, ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.3 માપવામાં આવી હતી, જે શક્તિશાળી શ્રેણીમાં આવે છે. આ ભૂકંપને કારણે અત્યાર સુધીમાં 250 થી વધુ લોકોના મોત જ્યારે 500થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયાની માહિતી સામે આવી રહી છે. આ માહિતી ત્યાંના આંતરિક બાબતોના મંત્રાલયના હવાલાથી મળી રહી છે.

ભૂકંપ એટલો તીવ્ર હતો કે તેના આંચકા સમગ્ર પાકિસ્તાન અને દિલ્હી-એનસીઆર સુધી અનુભવાયા હતા. ભૂકંપની જાણ થતાં જ જ લોકો પોતાના ઘરોમાંથી બહાર નીકળી ગયા. એનસીઆરના રહેવાસીઓએ જણાવ્યું હતું કે મોડી રાત્રે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. ઇમારતો ધ્રુજી ઉઠી હતી અને લોકો બહાર દોડી આવ્યા હતા.

અફઘાનિસ્તાનના નાંગરહાર જાહેર આરોગ્ય વિભાગના પ્રવક્તા નકીબુલ્લાહ રહીમીએ જણાવ્યું હતું કે ભૂકંપના કારણે થયેલા આંચકામાં ઓછામાં ઓછા 250 લોકો માર્યા ગયા છે અને 500થી વધુ ઘાયલ થયા છે. તમામ ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.

USGS અનુસાર, ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનના જલાલાબાદથી 27 કિમી પૂર્વ-ઉત્તરપૂર્વમાં 8 કિમીની ઊંડાઈએ હતું. ભારતીય સમય મુજબ, રાત્રે 12.47 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. લગભગ 20 મિનિટ પછી, ભૂકંપનો બીજો આંચકો અનુભવાયો, જેની તીવ્રતા 4.5 માપવામાં આવી. તેનું કેન્દ્ર 10 કિમીની ઊંડાઈએ હતું.

August 30, 2025
jharange.png
1min112

મરાઠા સમાજમાં ઓબીસી આરક્ષણ આપવામાં આવે તે માટે મનોજ જરાંગેએ મુંબઈના આઝાદ મેદાન ખાતે ઉપવાસ કર્યા શરૂ કર્યા છે. ગઈકાલે 29/8/25 જરાંગે મોટી સંખ્યામાં સમર્થકો સાથે મુંબઈ આવી પહોંચતા દક્ષિણ મુંબઈ લગભગ બંધ જેવું થઈ ગયું હતું અને ઘરની બહાર નીકળેલા મુંબઈગરાઓ બેહાલ થઈ ગયા હતા.

મનોજ જરાંગેને આ પોલીસે માત્ર 5,000 સમર્થકોને આઝાદ મેદાનમાં જમા કરવાની પરવાનગી આપી છે, પરંતુ મળતી માહિતી અનુસાર સવારથી જ સમર્થકોની ભીડ જમા થઈ ગઈ છે. ગઈકાલે 29/8/25 ઈસ્ટર્ન એકપ્રેસ વે, વાશી સહિતના દક્ષિણ મુંબઈમાં પ્રવેશ મેળવવાના તમામ રસ્તાઓ બંધ થઈ ગયા હતા.

ટ્રાફિક પોલીસે લોકોને બની શકે તો દક્ષિણ મુંબઈ તરફ ન આવવા જણાવ્યું હતું. જે લોકો કામ માટે નીકળી ગયા હતા તેમણે ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સીએસટી અને ચર્ચગેટ સ્ટેશનો પર પણ સમર્થકોએ ધસારો કરતા રોજ પ્રવાસ કરતા મુંબઈના મુસાફરો અટવાયા હતા.

આજે પણ જરાંગેના ઉપવાસ ધરણા ચાલુ છે અને લોકો આઝાદ મેદાન આસપાસ જમા થયા છે. આ સાથે જૈનોની સંવતસરી અને ગણેશોત્સવની પણ ધૂમ છે તો બીજી બાજુ શહેરમાં વરસાદી માહોલ હોવાથી લોકોએ બને તો પ્રવાસ ટાળવો તે જ સલાહભર્યું લાગે છે.

નાયબ મુખ્ય પ્રધાન અજીત પવારે મનોજ જરાંગેના આંદોલનને સમર્થન આપતા જણાવ્યું હતું કે લોકશાહીમાં દરેકને આંદોલન કરવાનો, પોતાની રજૂઆત કરવાનો અધિકાર છે.

જરાંગેની માગણીઓ માટે અમે એક સમિતિ બનાવી છે, જે આ વિષય પણ અભ્યાસ કરી રહી છે. તેમણે જરાંગે અને તેમના સમર્થકોને શાંતિપૂર્વક આંદોલન કરવા અને મુંબઈમાં અવ્યવસ્થા ઊભી ન કરવા પણ અપીલ કરી હતી.

August 30, 2025
image-44.png
1min118

ભારતીય ક્રિકેટના વહીવટમાં સર્વોચ્ચ સ્તરે મોટો ફેરફાર થયો છે જેમાં રોજર બિન્ની (ROGER BINNY)એ બોર્ડ ઑફ કંટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (બીસીસીઆઈ)નું પ્રમુખપદ છોડી દીધું છે અને ઉપ-પ્રમુખ રાજીવ શુક્લા (RAJIV SHUKLA) તેમના સ્થાને કાર્યવાહક પ્રમુખ (PRESIDENT) બની ગયા છે.

1983માં ભારતને વન-ડે વર્લ્ડ કપની ઐતિહાસિક ટ્રોફી અપાવનાર કપિલ દેવની ટીમના મહત્વના ખેલાડી રોજર બિન્નીએ ઑક્ટોબર 2022માં સૌરવ ગાંગુલીના સ્થાને બીસીસીઆઈ (BCCI)નું પ્રમુખપદ સંભાળ્યું હતું.

19મી જુલાઈએ રોજર બિન્ની 70 વર્ષના થયા અને બીસીસીઆઈના બંધારણ મુજબ કોઈ પણ હોદ્દેદાર 70 વર્ષની ઉંમરે પહોંચે ત્યારે તેઓ બોર્ડમાં કોઈપણ પ્રકારના હોદ્દા પર રહી ન શકે એ નિયમને બિન્ની અનુસર્યા હોવાનું મનાય છે. દરમ્યાન, ટીમ ઇન્ડિયા માટે બીસીસીઆઈ નવા મુખ્ય સ્પોન્સરની શોધમાં પણ છે.

65 વર્ષના રાજીવ શુક્લા 2020ના વર્ષથી બીસીસીઆઈના ઉપ-પ્રમુખપદે છે. અગાઉ તેઓ આઈપીએલની ગવર્નિંગ કાઉન્સિલમાં હતા. તેઓ આગામી વાર્ષિક સભા સુધી ક્રિકેટ બોર્ડનો રોજબરોજનો કારભાર સંભાળશે.

બીસીસીઆઈની ઍન્યુઅલ જનરલ મીટિંગ (એજીએમ) સપ્ટેમ્બરમાં યોજાવાની સંભાવના છે અને એ મીટિંગમાં તમામ રાજ્યોના ક્રિકેટ અસોસિયેશનોના મત જાણ્યા પછી નવા ફુલ-ટાઈમ પ્રમુખ નક્કી કરવામાં આવશે.

અગાઉ પીટીઆઈના એક અહેવાલમાં એવું જણાવવામાં આવ્યું હતું કે બીસીસીઆઈ હવે નવા રાષ્ટ્રીય ખેલફૂદ ખરડા હેઠળ આવી ગયું હોવાથી એના એક નિયમ મુજબ કોઈપણ સ્પોર્ટ્સ ફેડરેશનના હોદ્દેદાર 75 વર્ષની ઉંમર સુધી હોદ્દા પર રહી શકે.

જોકે બીસીસીઆઈના વર્તમાન બંધારણમાં હોદ્દા પર રહેવા 70 વર્ષની વયમર્યાદા છે અને કહેવાય છે કે રોજર બિન્નીએ આ નિયમને અનુસરીને હોદ્દો છોડી દીધો છે. બીસીસીઆઈ કેન્દ્ર સરકારના નવા ખરડાનો હજી ઊંડાણપૂર્વક અભ્યાસ કરી રહ્યું છે.

રોજર બિન્નીએ 1983ના વર્લ્ડ કપમાં કુલ ૧૮ વિકેટ લીધી હતી અને એ ટૂર્નામેન્ટના તમામ બોલર્સમાં તેમની 18 વિકેટ હાઈએસ્ટ હતી.

2000ની સાલમાં બિન્નીના કોચિંગમાં ભારતની અન્ડર-19 ટીમ વર્લ્ડ ચેમ્પિયન બની હતી. ત્યારે મોહમ્મદ કૈફ ટીમનો કેપ્ટન હતો અને એ ટીમમાં યુવરાજ સિંહ પણ હતો. બિન્ની પછીથી સિલેકટર પણ બન્યા હતા.

August 30, 2025
Cia_business_news-1280x936.jpg
8min506

A US federal appeals court on Friday ruled that most tariffs imposed by president Donald Trump under emergency powers were illegal, striking at the heart of his trade policy and setting up a likely battle in the Supreme Court.

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને કોર્ટે ટેરિફ મામલે મોટો ઝટકો આપ્યો છે. એક અપીલ કોર્ટે ડોનાલ્ડ ટ્રમ્પના મોટાભાગના ટેરિફને ગેરકાયદેસર જાહેર કર્યા, જેનાથી અમેરિકન રાજકારણ અને અર્થતંત્રમાં ખળભળાટ મચી ગયો. યુએસ કોર્ટ ઓફ અપીલ્સ ફોર ધ ફેડરલ સર્કિટ કહે છે કે રાષ્ટ્રપતિ પાસે ઈમરજન્સીની સત્તા છે, પરંતુ તેમને ટેરિફ અથવા કર લાદવાનો અધિકાર નથી.

આ નિર્ણયને ટ્રમ્પની આર્થિક નીતિઓ માટે મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે. રિપોર્ટ અનુસાર, કોર્ટે ટેરિફને 14 ઓક્ટોબર સુધી યથાવત રાખવાની મંજૂરી આપી, જેનાથી ટ્રમ્પ વહીવટીતંત્રને આ મામલો સુપ્રીમ કોર્ટમાં લઈ જવાની તક મળી ગઇ હતી. 

બીજી તરફ ટ્રમ્પે કોર્ટના આદેશને સ્પષ્ટપણે નકારી કાઢ્યો અને કહ્યું કે તમામ ટેરિફ અમલમાં રહેશે. તેમણે કોર્ટના નિર્ણયને ખોટો અને પક્ષપાતી ગણાવ્યો અને કહ્યું કે જો આ નિર્ણય બદલવામાં નહીં આવે તો અમેરિકાનો વિનાશ થઈ જશે. અમે સુપ્રીમ કોર્ટની મદદથી આપણા રાષ્ટ્રના હિતમાં ટેરિફનો ઉપયોગ કરીશું.

ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર લખ્યું, “બધા ટેરિફ હજુ પણ લાગુ છે. આજે એક અત્યંત પક્ષપાતી અપીલ કોર્ટે ખોટું કહ્યું કે આપણા ટેરિફ દૂર કરવા જોઈએ, પરંતુ તેઓ જાણે છે કે અંતે અમેરિકા જીતશે. જો આ ટેરિફ દૂર કરવામાં આવશે તો તે દેશ માટે એક મોટી આફત સાબિત થશે.”

‘No power to impose’:

US court declares most tariffs illegal; Trump says ‘total disaster for country’

A US federal appeals court on Friday ruled that most tariffs imposed by president Donald Trump under emergency powers were illegal, striking at the heart of his trade policy and setting up a likely battle in the Supreme Court.
The ruling by the US court of appeals for the federal circuit in Washington, DC, covered two sets of tariffs – Trump’s “reciprocal” duties imposed in April as part of his trade war and another set announced in February against China, Canada and Mexico. It does not affect other tariffs Trump imposed under separate statutes, including those on steel and aluminum imports.
In a 7-4 judgement the court observed: “The statute bestows significant authority on the President to undertake a number of actions in response to a declared national emergency, but none of these actions explicitly include the power to impose tariffs, duties, or the like, or the power to tax,” as quoted by Reuters.
The decision also said Trump had exceeded his authority under the International Emergency Economic Powers Act (IEEPA).

Trump had invoked IEEPA, a 1977 law historically used for sanctions and asset freezes, to justify tariffs by declaring a national emergency over persistent US trade deficits and cross-border drug flows. The administration argued that the law’s power to “regulate” imports extended to tariffs.
The appeals court rejected that view, saying: “It seems unlikely that Congress intended, in enacting IEEPA, to depart from its past practice and grant the President unlimited authority to impose tariffs. The statute neither mentions tariffs (or any of its synonyms) nor has procedural safeguards that contain clear limits on the President’s power to impose tariffs.”

The appeals court put its ruling on hold until October 14, allowing the Trump administration time to seek a reversal from the Supreme Court.

Minutes after the ruling, President Donald Trump sharply criticised the judgement, saying if allowed it would be a “ total disaster for the Country”.

In a post on his social media platform Truth Social, he attacked the appeals courts as “Highly Partisan” and asserted that the Supreme Court would rule in his favour.

“If these Tariffs ever went away, it would be a total disaster for the Country,” Trump wrote in his post. “If allowed to stand, this Decision would literally destroy the United States of America.”

“The President’s tariffs remain in effect, and we look forward to ultimate victory on this matter,” White House spokesman Kush Desai said in a separate statement, as quoted by CNBC.

Trump has relied heavily on tariffs in his second term, using them as a central tool of US foreign policy to pressure trading partners and push for revised trade agreements. While the duties have helped his administration secure economic concessions, they have also added to uncertainty in financial markets.

The lawsuits were filed separately by five small US businesses and a coalition of 12 Democratic-led states, who argued that under the Constitution, the power to issue taxes and tariffs lies with Congress and any delegation of that authority must be both explicit and limited.

Trump had defended the tariffs as a way to rebalance global trade and protect US industries. He said the April tariffs were necessary because the US had imported more than it exported for decades, undermining manufacturing and military readiness.

He also said the February tariffs against China, Canada and Mexico were justified because those countries were not doing enough to curb the flow of illegal fentanyl into the US – an assertion those governments have denied.

The New York-based US Court of international trade had earlier ruled against Trump’s tariff policies on May 28, saying the president had exceeded his powers when imposing both sets of challenged tariffs. That three-judge panel included one judge appointed by Trump during his first term. Another court in Washington also found that IEEPA does not authorize tariffs, with the government appealing that decision.

According to Reuters, at least eight lawsuits have been filed against Trump’s tariff measures, including one brought by the state of California.

While the latest decision restricts tariffs imposed under IEEPA, it leaves intact those imposed under other legal authorities. The Justice Department is expected to appeal, with the case likely headed to the US Supreme Court.

August 29, 2025
SS_Logo_Red-1280x986.png
2min131

12 PCMમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ સાથે શેર કરવા જેવા સમાચાર

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી બોમ્બે (IIT બોમ્બે) JEE એડવાન્સ્ડ ટોપર્સ માટે સૌથી પહેલા નંબરની અને સૌથી વધુ પસંદગીની સંસ્થા રહી છે, જ્યારે જેઇઇ એડવાન્સ્ડ ટોપર્સને આકર્ષવામાં બીજા નંબરે રહેલી IIT દિલ્હી આ વર્ષે ટોચના 100 રેન્કર્સનો નોંધપાત્ર હિસ્સો આકર્ષવામાં બીજા ક્રમે છે. જોકે, NIRF મુજબ દેશની ટોચની ક્રમાંકિત એન્જિનિયરિંગ સંસ્થા IIT-મદ્રાસમાં ટોચના 100 ઉમેદવારો પૈકી ફક્ત ફક્ત છ વિદ્યાર્થીઓએ જ પ્રવેશ લીધો છે.

અન્ય IITs જેમણે જેઇઇ એડવાન્સ્ડ ટોપર્સમાં ખાસું એટ્રેક્શન ઉભું કર્યું છે તેમાં IIT ખડગપુર (ટોચના 5000 JEE એડવાન્સ્ડ 2025 રેન્ક ધારકોમાં 517 વિદ્યાર્થીઓ), IIT કાનપુર (448), IIT રૂરકી (429) અને IIT હૈદરાબાદ (222)નો સમાવેશ થાય છે. નવી IITsમાં, IIT BHU વારાણસીએ 258 ટોચના 5000 રેન્કર્સ, IIT ગુવાહાટી 305 અને IIT ઇન્દોરે 109 ને આકર્ષ્યા છે.

જોઇન્ટ સીટ એલોકેશન ઓથોરિટી (JoSAA) દ્વારા જાહેર કરાયેલા કાઉન્સેલિંગ ડેટા અનુસાર, JEE એડવાન્સ્ડ 2025 ના ટોચના 100 રેન્કર્સમાંથી 73 વિદ્યાર્થીઓએ IIT બોમ્બેને પસંદ કરી છે, 2023 માં આ આંકડો 67 અને 2024 માં 72 હતો તેનાથી સતત અપટ્રેન્ડ દર્શાવે છે.

IIT દિલ્હી, જેણે બીજા નંબરે સતત પોતાનું આકર્ષણ જાળવી રાખ્યું છે, તેણે 2025 માં ટોચના 100 માંથી 19 વિદ્યાર્થીઓને સુરક્ષિત કર્યા. 2024 માં સંસ્થા પસંદ કરનારા 23 અને 2023 માં 22 કરતા ઓછા હોવા છતાં, IIT દિલ્હી છેલ્લા પાંચ વર્ષોમાં ટોચના રેન્કર્સ માટે સ્પષ્ટ બીજી પસંદગી રહી છે, જે સતત શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા 19 થી 32 ઉમેદવારોને આકર્ષે છે.

IIT મદ્રાસ પર પસંદગીનો કળશ ઢોળવામાં જેઇઇ એડવાન્સ્ડ 2025ના ટોચના 100 ઉમેદવારોની સંખ્યામાં વધઘટ નોંધાઇ રહી છે. આ વર્ષે,100 ટોપર્સમાંથી માત્ર 6 રેન્કર્સે ચેન્નાઈ સ્થિત આઇઆઇટી મદ્રાસ માટે પસંદગી કરી છે, જે છેલ્લા પાંચ વર્ષમાં સૌથી વધુ છે – જે 2024 માં ફક્ત બે હતી.

ડેટા દર્શાવે છે કે IIT બોમ્બેનું વર્ચસ્વ 2020 થી મજબૂત બન્યું છે, જ્યારે ટોચના 100 રેન્કર્સમાંથી 58 દ્વારા તેની પસંદગી કરવામાં આવી હતી. તેનો હિસ્સો દર વર્ષે સતત વધતો ગયો છે, 2024 અને 2025 બંનેમાં 70 નો આંકડો વટાવી ગયો છે.

આ દરમિયાન, IIT દિલ્હીએ સતત બીજા ક્રમની સૌથી વધુ પસંદગીની સંસ્થા તરીકે પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું છે, છેલ્લા છ વર્ષમાં સંખ્યા 19 થી 32 ની વચ્ચે રહી છે.

IIT મદ્રાસ એક દૂરની ત્રીજી પસંદગી રહી છે, જે દર વર્ષે ટોચના 100 માં બે થી આઠ વિદ્યાર્થીઓને આકર્ષે છે.

ડેટા IIT બોમ્બે અને IIT દિલ્હી માટે ટોપર્સમાં સ્પષ્ટ પસંદગી દર્શાવે છે, જ્યારે IIT મદ્રાસ જેવા અન્ય IIT સતત વધારો કરી રહ્યા છે.

ટોચના 5000 JEE એડવાન્સ્ડ રેન્કર્સના વ્યાપક પૂલમાં, IIT બોમ્બેનું વર્ચસ્વ ચાલુ રહે છે, 755 વિદ્યાર્થીઓએ સંસ્થા પસંદ કરી છે. IIT દિલ્હી 577 વિદ્યાર્થીઓ સાથે બીજા ક્રમે છે, જ્યારે IIT મદ્રાસે 478 વિદ્યાર્થીઓ મેળવ્યા છે, જે ત્રીજા ક્રમે સૌથી વધુ પસંદગીની પસંદગી તરીકે પોતાનું સ્થાન મજબૂત કરે છે.

અન્ય IITs જેમણે જેઇઇ એડવાન્સ્ડના પ્રથમ 5000 ટોપર્સમાં નોંધપાત્ર આકર્ષણ જમાવ્યું છે તેમાં IIT ખડગપુર (517 વિદ્યાર્થીઓ), IIT કાનપુર (448), IIT રૂરકી (429) અને IIT હૈદરાબાદ (222)નો સમાવેશ થાય છે. નવી IITsમાં, IIT BHU વારાણસીએ 258 ટોચના 5000 રેન્કર્સ, IIT ગુવાહાટી 305 અને IIT ઇન્દોરે 109 વિદ્યાર્થીઓને આકર્ષ્યા છે.

કેટલીક સંસ્થાઓએ ટોચના રેન્કર્સનું મર્યાદિત પ્રતિનિધિત્વ મળ્યું છે તેમાં IIT ભુવનેશ્વરે 43, IIT જોધપુર 63 અને IIT રોપર 120 વિદ્યાર્થીઓ મેળવ્યા. IIT જમ્મુ (4), IIT ભીલ્લાઈ (2), IIT ગોવા (3), IIT પલક્કડ (1) અને IIT ધારવાડ (1) જેવી કેટલીક સંસ્થાઓએ ફક્ત એક-અંકનું પ્રતિનિધિત્વ જોયું.

૨૫ ઓગસ્ટ, ૨૦૨૫ ના રોજ પ્રકાશિત થયેલા IIT કાનપુરના અહેવાલ મુજબ, JEE એડવાન્સ્ડ ૨૦૨૫ માટે તમામ સાત ઝોનમાંથી ૧,૮૭,૧૧૩ વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી હતી – હૈદરાબાદ ઝોનમાંથી ૪૫,૬૨૨ વિદ્યાર્થીઓ; બોમ્બે ઝોનમાંથી ૩૭,૦૦૨ વિદ્યાર્થીઓ; અને દિલ્હી ઝોનમાંથી ૩૪,૦૬૯ વિદ્યાર્થીઓ. IIT-કાનપુરે આ વર્ષે JEE એડવાન્સ્ડનું આયોજન કર્યું હતું.

નોંધણી કરાવનારાઓમાં,
હૈદરાબાદ ઝોનમાંથી ૧૨,૯૪૬ (૨૮.૩૭ ટકા) વિદ્યાર્થીઓ;
બોમ્બે ઝોનમાંથી ૧૧,૨૨૬ (૩૦.૩૩ ટકા) અને
દિલ્હી ઝોનમાંથી ૧૧,૩૭૦ (૩૩.૩૭ ટકા) વિદ્યાર્થીઓએ JEE-એડવાન્સ્ડ પરીક્ષા પાસ કરી હતી.

દિલ્હી ઝોનમાંથી કુલ ૪,૧૮૨ વિદ્યાર્થીઓ અથવા JEE-એડવાન્સ્ડ પાસ કરનારા ૩૬.૭૮ ટકા વિદ્યાર્થીઓને IIT માં પ્રવેશ મળ્યો, જે કોઈપણ ઝોન માટે શ્રેષ્ઠ રૂપાંતર દર છે.

હૈદરાબાદ ઝોનમાં ૪,૩૬૩ (૩૩.૭ ટકા) સાથે પ્રવેશની સૌથી વધુ સંખ્યા હતી. બોમ્બે ઝોનમાંથી કુલ ૩,૮૨૫ વિદ્યાર્થીઓ, રૂરકી ઝોનમાંથી ૧,૭૨૯, કાનપુર ઝોનમાંથી ૧,૬૨૨, ખડગપુર ઝોનમાંથી ૧,૬૫૫ અને ગુવાહાટી ઝોનમાંથી ૮૧૨ વિદ્યાર્થીઓ IIT માટે પસંદ થયા છે.