CIA ALERT

Alert Archives - Page 494 of 512 - CIA Live

August 4, 2018
cong.jpg
1min5510

કોંગ્રેસ કાર્યસમિતિની બેઠકમાં રાફેલ ડીલ, એનઆરસી, વધતી રોજગારી સહિત અનેક મહત્ત્વના મુદ્દાઓ પર ચર્ચા પછી કોંગ્રેસે આ મામલે વિપક્ષી દળોની સાથે દેશવ્યાપી અભિયાન છેડવાનો નિર્ણય લીધો છે. આ બેઠકમાં આગામી ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં મહાગઠબંધન વિશે પણ ચર્ચા થઈ હતી.

કોંગ્રેસ કાર્યસમિતિની બેઠકમાં મોદી સરકારને જાહેર અભિયાન દ્વારા ભ્રષ્ટાચારના મામલે ભીડવવા માટે નિર્ણય લેવાયો હતો, જેમાં બેન્ક કૌભાંડો, રાફેલ ડીલ અને અર્થતંત્રની ખરાબ સ્થિતિ જેવા મુદ્દાઓ ઉઠાવવામાં આવશે.

કોંગ્રેસ કાર્યસમિતિની બેઠક કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી જ્યાં કોંગ્રેસના નેતાઓએ આસામના નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન્સ (એનઆરસી) સહિતના મહત્ત્વના મુદ્દાઓ અંગે વ્યૂહનીતિ બનાવવા માટે વિચારણા કરી હતી.

કાર્યસમિતિની મીટિંગમાં પાર્ટીના વરિષ્ઠ નેતાઓ જેમકે પૂર્વ પીએમ મનમોહનસિંઘ, એ. કે. એન્ટની, ગુલામ નબી આઝાદ, મલ્લિકાર્જુન ખડગે, અહમદ પટેલ અને અશોક ગેહલોત વગેરે ઉપસ્થિત રહ્યા હતા. જો કે પૂર્વ પાર્ટી પ્રમુખ સોનિયા ગાંધી મીટિંગમાં હાજર રહ્યા નહોતા. આ બીજીવખત રાહુલ ગાંધીના અધ્યક્ષસ્થાને કોંગ્રેસ વર્કિંગ કમિટી (સીડબલ્યુસી)ની મીટિંગ યોજાઈ હતી.

કોંગ્રેસે આ બેઠકમાં નક્કી કર્યું છે કે ભ્રષ્ટાચારનો મુદ્દો સંસદની બહાર અને સંસદની અંદર બંને રીતે ઉઠાવવામાં આવશે. કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ કહ્યું હતું કે પાર્ટી આ માટે જન આંદોલન શરૂ કરશે. જે જન આંદોલન આગામી દિવસોમાં રાજ્યના કોંગ્રેસી નેતાઓ સાથે મસલત કર્યા પછી શરૂ કરવામાં આવશે.

રાહુલ ગાંધીએ ટ્વીટર પર લખ્યું હતું, ‘સીડબલ્યુસીમાં આજે એક ટીમ તરીકે મળ્યા હતા. અમે દેશમાં હાલની રાજકીય સ્થિતિ અને કોંગ્રેસ માટે મોદી સરકારની નિષ્ફળતાઓ, ભ્રષ્ટાચાર, એનઆરસી જેવા મુદ્દાઓ ઉઠાવવાની તક હોવાની ચર્ચા કરી હતી. આજની મીટિંગમાં સામેલ થનારા સૌનો આભાર.’

August 4, 2018
gita-mittal-970-1280x720.jpg
1min5620

ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ શાહ પટણા હાઇકોર્ટમાં ચીફ જસ્ટિસ 

જસ્ટિસ ગીતા મિત્તલની જમ્મુ-કાશ્મીર હાઇકોર્ટના ચીફ જસ્ટિસપદે નિમણૂક કરાઇ છે. તેઓ કોર્ટની આગેવાની સંભાળનાર પ્રથમ મહિલા જજ બન્યાં છે. તેઓ અત્યાર સુધી દિલ્હી હાઇકોર્ટના એક્ટિંગ ચીફ જસ્ટિસ તરીકે કામગીરી રહ્યા હતા.

કાયદા મંત્રાલયના વિવિધ જાહેનામા મુજબ, પટણા હાઇકોર્ટના ચીફ જસ્ટિસ રાજેન્દ્ર મેનનને દિલ્હી હાઇકોર્ટના ચીફ જસ્ટિસ બનાવાયા છે. રાજસ્થાન હાઇકોર્ટના જસ્ટિસ કલ્પેશ સત્યેન્દ્ર ઝવેરીની ઓરિસ્સા હાઇકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે પદોન્નતિ કરાઇ છે. તેઓ હાલમાં સુપ્રીમ કોર્ટમાં નિમણૂક પામેલા જસ્ટિસ વિનીત સરનના અનુગામી બનશે. ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ એમ કે શાહને પટણા હાઇકોર્ટના ચીફ જસ્ટિસ બનાવાયા છે. તેમના પુરોગામી જસ્ટિસ મેનન દિલ્હી હાઇકોર્ટના વડા બનશે. કેરળ હાઇકોર્ટના જસ્ટિસ હૃષિકેશની આ જ કોર્ટના ચીફ જસ્ટિસ તરીકે પદોન્નતિ કરાઇ છે.

સિંધુ શર્મા જમ્મુ-કાશ્મીર હાઇકોર્ટના સૌ પ્રથમ મહિલા જજ તરીકે નિમણૂક પામ્યાં છે. જમ્મુ કાશ્મીર હાઈકોર્ટના ઈતિહાસમાં ૯૦ વર્ષમાં પહેલી વાર એવી ઘટના બની છે જેમાં બે મહિલા જજ એક સાથે કામગીરી કરશે.

કલકત્તા હાઇકોર્ટના જજ જસ્ટિસ અનિરૂદ્ધ બોઝને ઝારખંડ હાઇકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે પ્રમોશન અપાયું છે. અગાઉ જસ્ટિસ બોઝને દિલ્હી હાઇકોર્ટના ચીફ જસ્ટિસ બનાવવાની સુપ્રીમ કોર્ટના કોલેજિયમની ભલામણ સરકારે નકારી દીધી હતી. બોમ્બે હાઇકોર્ટના જજ વિજય કે ટહિલરમાણીને મદ્રાસ હાઇકોર્ટના ચીફ જસ્ટિસ બનાવાયા છે. તેઓ સુપ્રીમ કોર્ટમાં જજ તરીકે પહોંચી ગયેલા જસ્ટિસ ઇન્દિરા બેનરજીના અનુગામી બનશે.

August 4, 2018
12.jpg
1min6060

વ્યભિચારને લગતી IPCની કલમ ૪૯૭ને પડકારતી પિટિશનની સુનાવણી કરતાં ચીફ જસ્ટિસ દીપક મિશ્રાએ ગઈ કાલે કહ્યું હતું કે ‘વ્યભિચારના ગુના માટે બન્ને પક્ષ જવાબદાર છે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે વિવાહિત મહિલા જો કોઈ વિવાહિત પુરુષ સાથે સંબંધ રાખે છે તો માત્ર પુરુષને દોષી કેમ ગણાવી શકાય, જ્યારે મહિલા પણ એ ગુનામાં બરાબર ભાગીદાર છે.’

કોર્ટે આશ્ચર્ય વ્યક્ત કરતાં કહ્યું હતું કે ‘જો કોઈ અવિવાહિત પુરુષ કોઈ વિવાહિત મહિલા સાથે સંબંધ રાખે છે તો એ વ્યભિચાર કહેવાતો નથી. લગ્નની પવિત્રતા જાળવવી એ પતિ અને પત્ની બન્નેની જવાબદારી હોય છે. જો કોઈ વિવાહિત મહિલા અન્ય વિવાહિત પુરુષ સાથે સંબંધ બનાવે છે તો માત્ર પુરુષ જ જવાબદાર કેમ ગણાય, જ્યારે મહિલા પણ આ અપરાધ માટે એટલી જ જવાબદાર છે.’

IPCની કલમ ૪૯૭ હેઠળ માત્ર પુરુષને જ દોષી માનવો એ એક એવી અનોખી જોગવાઈ છે જેમાં ગુનો આચરનારા બેમાંથી માત્ર એક જ પક્ષને જવાબદાર માનવામાં આવે છે એમ જણાવતાં કોર્ટે કહ્યું હતું કે ‘આશ્ચર્યની વાત છે કે જો પતિની સહમતીથી કોઈ પત્ની વિવાહિત પુરુષ સંબંધ બનાવે છે તો એ અપરાધ નથી. આનો શો મતલબ છે? શું સ્ત્રી પુરુષની ખાનગી મિલકત છે જે પુરુષની મરજી પ્રમાણે ચાલે?’

આ અગાઉ ચીફ જસ્ટિસ દીપક મિશ્રાના વડપણ હેઠળની પાંચ જજની બંધારણીય બેન્ચે કહ્યું હતું કે ‘એ મહિલાઓ માટે પણ આને અપરાધ ગણાવાય એ માટે કાયદામાં ફેરફાર નહીં કરે. અમે એ બાબતની તપાસ કરીશું કે પૅરૅગ્રાફ ૧૪ (કાયદા સમક્ષ તમામ સમાન)ના આધાર પર બનેલી IPCની કલમ ૪૯૭ને અપરાધની શ્રેણીમાં કાયમ રાખવી કે નહીં?’

IPCની કલમ ૪૯૭ મુજબ ‘જો કોઈ મહિલા સાથે, જે અન્ય કોઈ પુરુષની પત્ની છે અને જે અન્ય કોઈની પત્ની હોવાનું વિશ્વાસપૂર્વક જાણતો હોય તે તેના પતિની સહમતી સાથે કે સહમતી સિવાય શારીરિક સંબંધ બનાવે છે અને એ બળાત્કારની વ્યાખ્યામાં નથી આવતો તો તે પુરુષ વ્યભિચારના અપરાધનો દોષી ગણાશે. આ પુરુષને કોઈ ચોક્કસ સમય માટે જેલની સજા, જે પાંચ વર્ષ સુધીની હોઈ શકે છે, કે પછી આર્થિક દંડ કે બન્ને સજા આપી શકાય છે. આવા કેસમાં પત્ની સજાપાત્ર નહીં હોય.’

August 4, 2018
pani-puri1.jpg
1min5750

ગોલગપ્પાને નૅશનલ લેડીઝ ફૂડ જાહેર કરવા વડા પ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ રજૂઆત

panipuri1

ગુજરાતમાં એક તરફ પાણીપૂરીની લારીઓ પર તંત્ર દ્વારા રેઇડ પાડવામાં આવી રહી છે ત્યારે બીજી તરફ 2 ઓગસ્ટના રોજ અમદાવાદમાં પાણીપૂરી ખાવાની સ્પર્ધા યોજાઈ હતી જેમાં મહિલાઓ, યુવતીઓ અને કિશોરીઓ ઊમટી પડી હતી. બારમા ધોરણની વિદ્યાર્થિની આરઝીન ખંભાતા એક મિનિટમાં ૨૪ પાણીપૂરી ઝાપટીને સ્પર્ધાની વિજેતા બની હતી.

મહિલાઓ દ્વારા ઊભી કરાયેલી ગોલગપ્પા ક્લબ દ્વારા અમદાવાદમાં ગોલગપ્પા ઈટિંગ કૉમ્પિટિશન યોજવામાં આવી હતી. સ્પર્ધામાં ભાગ લેવા ૪૦૦થી વધુ મહિલાઓ, યુવતીઓ અને કિશોરીઓ આવી હતી. જૈન મહિલા માટે અલગ પાણીપૂરી રખાઈ હતી. આયોજકો દ્વારા તમામ સ્પર્ધકોને ફ્રીમાં પાણીપૂરી આપવામાં આવી હતી. દરેક સ્પર્ધકને એક મિનિટનો સમય આપવામાં આવ્યો હતો. પાણીપૂરીની સ્પર્ધામાં ભાગ લેવા માટે રીતસરનો ધસારો થયો હતો અને એક તબક્કે હૉલના દરવાજા બંધ કરવા પડ્યા હતા. બધા સ્પર્ધકોએ મનભરીને પાણીપૂરી ખાધી હતી. એમાં આરઝીન ખંભાતા એક મિનિટમાં ૨૪ પાણીપૂરી ખાઈ ગઈ હતી.

સ્પર્ધાના આયોજકોનું કહેવું હતું કે મહિલાઓ માટે કંઈક અલગ કરવાનું નક્કી કર્યું હતું અને આ કાર્યક્રમનું આયોજન કર્યું. અમે ઇચ્છીએ છીએ કે ગોલગપ્પાને નૅશનલ લેડીઝ ફૂડ તરીકે જાહેર કરવું જોઈએ. આ માટે અમે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સુધી રજૂઆત કરીશું.

panipuri

૧ ઑગસ્ટ હવેથી ગોલગપ્પા દિવસ

અમદાવાદની પાણીપૂરી સ્પર્ધાનું ઉદ્ઘાટન પણ બધા મહેમાનોએ પાણીપૂરી ખાઈને કર્યું હતું. એટલું જ નહીં, આ સ્પર્ધામાં હાજર રહેલાં અમદાવાદનાં મહિલા મેયર બિજલ પટેલે ૧ ઑગસ્ટને ગોલગપ્પા દિવસ જાહેર કર્યો હતો. સ્પર્ધકો સિવાયની મહિલાઓને પણ ફ્રીમાં પાણીપૂરી અને કૅન્ડી આપવામાં આવી હતી.

August 4, 2018
vi-1280x720.jpg
1min5420

વોડાફોન આઇડિયા લિમિટેડ આવતા સપ્તાહથી ભારતની સૌથી મોટી મોબાઇલ ફોન કંપની તરીકે સત્તાવાર શરૂઆત કરે તેવી અપેક્ષા છે. બંને કંપની આ દિવસને ‘ડે ઝીરો’ તરીકે ઓળખે છે. ફરી નફો મેળવવાના ઈરાદા સાથે બંને કંપનીએ કરેલા મર્જર દ્વારા ખર્ચકાપનાં પગલાં ભરવાથી ફાયદો થશે અને કંપની તેને પ્રાથમિકતા આવશે.

 

બંને કંપનીના ડિસ્ટ્રિબ્યુટર અને ટાવર નેટવર્ક્સને તાર્કિક બનાવવા, એડવર્ટાઇઝિંગ અને માર્કેટિંગ ખર્ચમાં ઘટાડો કરવો, નવી ભરતી બંધ કરવી અને તમામ સર્કલ્સમાં ફાજલ પડેલી ઓફિસો બંધ કરવી વગેરે પગલાં ભરવાનું નક્કી કરાયું છે.

વોડાફોન ઇન્ડિયા અને આઇડિયા સેલ્યુલરે માર્ચ 2017માં જ્યારે મર્જરની જાહેરાત કરી હતી ત્યારે તેમણે અંદાજ આપ્યો હતો કે મર્જર પછીના ચોથા વર્ષથી ખર્ચમાં ₹8,400 કરોડની વાર્ષિક બચત થશે. ત્યારથી બંને કંપનીની નાણાકીય સ્થિતિ કથળતી રહી છે. તેમની આવક 20 ટકા જેટલી અને રેવન્યુ માર્કેટ શેર તો 4 ટકા જેટલો ઘટી ગયો છે. જે ક્ષેત્રોમાં જંગી ખર્ચ થાય છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. બે કંપની એક બનીને કામ શરૂ કરશે એટલે કેટલાક ડિસ્ટ્રિબ્યુટર્સને ચોક્કસપણે વિદાય આપવી પડશે.

મર્જ બાદ અસ્તિત્વમાં આવનારી કંપની પાસે 43 કરોડ ગ્રાહકો, 37 ટકા રેવન્યુ માર્કેટ શેર, ₹60,000 કરોડની આવક અને ₹૧,૨૫,૦૦૦ કરોડનું દેવું હશે. આ મર્જ્ડ કંપનીનો ‘ડે ઝીરો’ આવતા સપ્તાહે આવશે. તેમના મર્જર બાદ નં.1 ટેલિકોમ કંપની ભારતી એરટેલ બીજા ક્રમે આવી જશે. વોડાફોન અને આઇડિયાને ગયા સપ્તાહે સરકાર તરફથી મંજૂરી મળી હતી અને હવે માત્ર નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ પાસેથી મંજૂરી મેળવવાની બાકી છે. જ્યારે વાસ્તવમાં તાતી જરૂર હશે તેવા કિસ્સામાં જ ભરતી થશે. બંને કંપનીએ આ મર્જર માટે હજારો કર્મચારીને છૂટા કર્યા છે અને હવે તેમની પાસે 15,000 જેટલાં કર્મચારી છે. આ કર્મચારીઓ અલગ-અલગ યુનિટ્સમાંથી કામ કરવાને સ્થાને એક જ ઓફિસમાંથી કામ કરશે અને નવી ઓફિસોમાં શિફ્ટિંગનું કામ તમામ સર્કલ્સમાં તાત્કાલિક અસરથી શરૂ થશે.

July 28, 2018
wom3.jpg
1min4550

ટુરિઝમ મંત્રાલયે વિદેશમાં ભારતના મિશન્સ, ટ્રેડ અને હોસ્પિટાલિટી એસોસિએશન્સ તેમજ ભારતીય ટુરિઝમની વિદેશી ઓફિસના વડાને પત્ર લખીને કેન્દ્ર સરકારે દેશમાં મહિલા સુરક્ષા માટે લીધેલાં શ્રેણીબદ્ધ પગલાંની માહિતી આપી છે. મંત્રાલય દ્વારા આ પગલાંની જાણ લોકોને કરવા જણાવાયું છે. જેથી વિદેશી પર્યટકોના મનમાં ભારત માટે રહેલી ગેરસમજ દૂર કરી શકાય.

ટુરિઝમ સેક્રેટરીનો 6 જુલાઈનો પત્ર થોમસન રોઇટર્સ ફાઉન્ડેશન દ્વારા જૂનમાં કરાયેલા સરવેના જવાબમાં લખવામાં આવ્યો છે. સરવેમાં ભારતને મહિલાઓ માટે સૌથી જોખમી દેશ ગણાવાયો હતો. અફઘાનિસ્તાન અને સિરિયા આ યાદીમાં બીજા ક્રમે તેમજ સોમાલિયા અને સાઉદી અરેબિયા ત્રીજા ક્રમે હતા.

ET પાસે ટુરિઝમ મંત્રાલયના પત્રની નકલ છે. પત્રમાં જણાવ્યા અનુસાર “સરવેનું તારણા કોઈ આંકડા પરથી લેવાયું નથી. તેનો આધાર રોઇટર્સ દ્વારા લેવાયેલા 548 વ્યક્તિનો અભિપ્રાય છે. આ એવી વ્યક્તિઓ છે જેને રોઇટર્સે મહિલાઓની સમસ્યા બાબતે નિષ્ણાત ગણી છે.” જોકે, આ વ્યક્તિઓની લાયકાત અને કોઈ ચોક્કસ દેશ અંગેની નિપુણતા અંગેની માહિતી ઉપલબ્ધ નથી.

પત્રમાં જણાવ્યા અનુસાર “સરવેમાં હેલ્થકેર, ભેદભાવ, સાંસ્કૃતિક પરંપરા, જાતીય હિંસા, હ્યુમન ટ્રાફિકિંગ સહિતના મુદ્દે અભિપ્રાય લેવાયો હતો. ભારતે આ બાબતોમાં અગાઉના વર્ષોની તુલનામાં નોંધપાત્ર સુધારો કર્યો છે. એટલે ભારતનું રેન્કિંગ બિલકુલ ખોટું જણાય છે.” પત્રમાં જણાવાયું છે કે, “વન સ્ટોપ સેન્ટર્સ જેવી ઘણી સંસ્થાકીય સપોર્ટ મિકેનિઝમ અને 31 રાજ્યોમાં મહિલા હેલ્પલાઇન નંબરની સુવિધા છે.

2012ના નિર્ભયા કાંડ પછી તાજેતરના કાયદામાં મહિલાઓ પર એસિડ હુમલા સહિતના ગુનાની સજા વધુ આકરી બનાવવામાં આવી છે. ટુરિઝમ મંત્રાલયે 12 ભાષામાં ટુરિસ્ટ હેલ્પલાઇન લોન્ચ કરી છે. ઉપરાંત, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સુરક્ષા અંગેની માર્ગરેખા ઇશ્યૂ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ‘અતિથિદેવો ભવ’ના મીડિયા કેમ્પેનની મદદથી પર્યટકો સાથે સારી વર્તણૂકનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું છે.”

July 28, 2018
662202-paswanramvilas-031918-1280x720.jpg
1min5200

મોદી સરકાર સામે ખાંડા ખખડાવતા કેન્દ્રીય પ્રધાન રામ વિલાસ પાસવાનના વડપણ હેઠળ લોક જનશક્તિ પક્ષ (એલજેપી)એ શુક્રવારે કહ્યું હતું કે, ભાજપને આપેલો ટેકો મુદ્દા આધારિત છે. એલજેપીએ દલિતો સામેના અત્યાચાર વિરોધી ધારાની આકરી જોગવાઈ ફરી સ્થાપિત કરવા તથા નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (એનજીટી)ના અધ્યક્ષ એ. કે. ગોયલને નવમી ઑગસ્ટ સુધીમાં બરતરફ કરવાની માગણી કરી હતી. એનડીએના એક અન્ય સહયોગી પક્ષ એલજેપીએ પણ ભાજપ વિરુદ્ધ કડક વલણ અખત્યાર કર્યું છે. એસસી-એસટી એકટ અંગે સુપ્રીમ કોર્ટના નિર્ણયના વિરોધમાં કેન્દ્રીય પ્રધાન રામ વિલાસ પાસવાનની લોક જનશક્તિ પાર્ટીએ ભાજપને ચેતવણી આપી હતી.

એલજેપી અધ્યક્ષ અને રામ વિલાસ પાસવાનના પુત્રે વડા પ્રધાન મોદીને પત્ર લખી સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસ અને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ ચેરમેન એ. કે. ગોયલને ચેરમેનપદેથી દૂર કરવા માગણી કરી છે. તેમણે સંસદમાં ચોમાસુ સત્ર દરમિયાન એસસી-એસટી એકટમાં સુપ્રીમ કોર્ટ દ્વારા સજાની હળવી કરેલી જોગવાઈ દૂર કરવા અંગે ખરડો પસાર કરવા સરકારને અપીલ કરી છે.

જો તેમ કરવામાં સરકાર અસમર્થ રહે તો વટહુકમ બહાર પાડવા પણ અનુરોધ કર્યો છે. જેથી ૯ ઑગસ્ટથી શરૂ થનારા એસસી-એસટી એકટ વિરુદ્ધના અભિયાનને રોકી શકાય. ૨૦ માર્ચે સુપ્રીમ કોર્ટે હળવી કરેલી સજા વિરુદ્ધ દેશભરમાં લોક આંદોલન ફાટી નીકળ્યા હતા, જેણે હિંસક સ્વરૂપ ધારણ કરતા પરિસ્થિતિ વકરી હતી. પાસવાને સરકારને દેશને ફરી વખત હિંસક આંદોલન તરફ જતો રોકવા અનુરોધ કર્યો છે. ૧૦ ઑગસ્ટના રોજ દલિત અને આદિવાસી સમુદાય દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે.

ચિરાગ પાસવાને સુપ્રીમ કોર્ટના ચુકાદાને પરિણામે એસસી-એસટી સમુદાય પર અત્યાચાર વધ્યાં હોવાનું જણાવી પોલીસ ફરિયાદ દાખલ નહીં કરતી હોવાનું જણાવ્યું હતું. જો કે ચિરાગ પાસવાને મોદી સરકાર દલિતોના હિતમાં નિર્ણય કરશે એવી આશા વ્યક્ત કરી હતી. તેમણે વિરોધ પક્ષ દ્વારા ભાજપની એન્ટી દલિત પાર્ટી તરીકે ઊભી કરાયેલી છાપને ભૂસવા ભાજપ સરકારને અનુરોધ કર્યો હતો.

July 28, 2018
Devendra-Fadnavis-PTI1_2_2017.jpg
1min4910

નવી મુંબઇ જમીન સોદાના કેસમાં જ્યુડિશીયલ તપાસનો આદેશ આપ્યા બાદ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આ જમીન સંબંધી દરેક ટ્રાન્ઝેક્શન્સ પર સ્ટે મૂકી દીધો હતો. આ અંગે વિધાનસભામાં જાહેરાત કરતા ફડણવીસે જણાવ્યું હતું કે જ્યાં સુધી જ્યુડિશિયલ તપાસ પૂરી નહીં થાય ત્યાં સુધી આ જમીન ની લે-વેચ કરી નહીં શકાય અને તેને ભાડા પર આપી નહીં શકાય. તેમણે મહેસૂલ વિભાગને આ જમીન પર કોઇ થર્ડ પાર્ટી દાવો ના કરે એનું ધ્યાન રાખવા જણાવ્યું હતું. કોયના પીએપી જમીન વિવાદની જ્યુડિશિયલ તપાસનો આદેશ આપવામાં આવ્યો છે. મુંબઇ કૉંગ્રેસ પ્રમુખ સંજય નિરૂપમે દાવો કર્યો હતો કે કોયના બંધના આઠ પ્રોજેક્ટના અસરગ્રસ્તો માટે નવી મુંબઇમાં રાખવામાં આવેલી 1,767 કરોડ રૂપિયાની જમીન ખાનગી બિલ્ડરને 3.60 કરોડ રૂપિયાના મામૂલી ભાવે આપી દેવામાં આવી છે.

 

July 28, 2018
panipuri-1280x720.jpg
1min6330

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગે રોગચાળો અને ખાસ કરીને કમળાના ભયને કારણે શહેરભરમાં પાણીપૂરી પર પ્રતિબંધ મુકાયો છે. બીજી તરફ સુરત મહાનગરમાં પણ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અખાદ્ય પાણીપુરીવાળાઓ સામે ઝુંબેશ ચલાવીને ટનબંધી માલસામાન જપ્ત કરી દેવાયો છે.

આ વિભાગના અધિકારીઓએ શહેરભરમાં પાણીપુરીના જથ્થાનો નાશ કર્યો હોવાનું વર્તુળોએ જણાવ્યું હતું. પાણીપૂરીની સામગ્રીમાં વપરાતા ચણા અને બટાટા સડેલા હોવાનું જણાવ્યું હતું.

વર્તુળોના જણાવ્યા મુજબ ચોમાસામાં શહેરમાં રોગચાળો વકર્યો છે. ગંદકીવાળી જગ્યાઓએ પાણીપૂરી બનાવાતી હોવાથી રોગચાળાનો ભય વધુ ફેલાયો છે. શહેરમાં ઝાડા-ઊલટીના 18 હજાર કેસ અને કમળાના 134 કેસ નોંધાયા હોવાનું આધારભૂત સાધનો જણાવે છે.

છેલ્લાં થોડા દિવસથી વરસાદને કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા હતા પરિણામે પાણીજન્ય રોગની ફરિયાદો પણ વધી રહી છે.

આરોગ્ય વિભાગના કર્મચારીઓ ખાણીપીણીની જગ્યાઓ પર તૂટી પડયા હતા. અખાદ્ય વસ્તુઓનો નાશ કર્યો હતો અને નોટિસો ફટકારી હતી. ચાર હજાર કિલો પૂરી, 3500 કિલો બટાટા તથા ચણા અને 1200 લિટર પાણીપૂરીનું પાણીનો નાશ કરાયો હોવાનું વર્તુળો જણાવે છે.

July 27, 2018
Jaivel-Aerospace-MOU-with-Government-of-Gujarat-1280x854.jpg
1min6610
અમદાવાદમાં જયવેલ એરોસ્પેસ એન્જિનિયરિંગ-ડેવલપમેન્ટ સેન્ટરને બ્રિટીશ ડેપ્યુટી હાઇ કમિશનર જ્યોફ વેઇને ખુલ્લું મુક્યું

વિશ્વની અગ્રણી વિમાન ઉત્પાદક કંપની બોઇંગ અને એરક્રાફટ એન્જિન બનાવતી રોલ્સ રોયસના પાર્ટસ હવે ગુજરાતમાં બનશે. જયવેલ એરોસ્પેસ લિમિટેડ ગુજરાતમાં સાણંદ ખાતે સ્માર્ટ ટુલીંગ અને પ્રિસિઝન ફલાય કોમ્પોનન્ટનું ઉત્પાદન કરશે. ગઇ તા.26મી જુલાઇ 2018ના રોજ અમદાવાદમાં કંપનીના એરોસ્પેસ એન્જિનિયરિંગ અને ડેવલપમેન્ટ સેન્ટરને બ્રિટીશ ડેપ્યુટી હાઇ કમિશનર (ગુજરાત અને રાજસ્થાન) જ્યોફ વેઇને ખુલ્લું મુક્યું હતું. બોમ્બાર્ડીયર અને એરબસના હેલિકોપ્ટર માટે પણ ટીયર-૨ સપ્લાયર તરીકે પણ કામગીરી કરે છે. સાણંદ પ્લાન્ટ શરૂ થતાં કંપની માટે મલ્ટીનેશનલ એરોસ્પેસ કંપનીઓના મોટા ઓર્ડરની કામગીરી વિસ્તરશે.

જયવેલ એરોસ્પેસ હાલમાં લગભગ Rs ૩૦ કરોડનું ટર્નઓવર ધરાવે છે અને કંપની સાણંદમાં નવી ફેસિલિટી પર કામકાજ કરી રહી છે, જેમાં કંપની તબક્કાવાર રોકાણ વધારશે. સાણંદ GIDCમાં કંપનીએ જમીન હસ્તગત કરી છે, જ્યાં Rs ૧૦૩ કરોડના રોકાણ સાથે નવો પ્લાન્ટ સ્થાપવામાં આવશે. પ્રથમ તબક્કાનું કામ ડિસેમ્બર ૨૦૧૮માં પૂર્ણ થશે. આ પ્રિસિઝન ફલાઇંગ કોમ્પોનન્ટનો સંપૂર્ણ પ્લાન્ટ વર્ષ ૨૦૧૯માં કાર્યરત થશે. સાણંદમાં નવી ફેસિલિટી શરૂ થતાં આ ત્રણેય સુવિધા એક જ સ્થળેથી કામગીરી કરશે.
બ્રિટિશ ડેપ્યુટી હાઇ કમિશનના ડેપ્યુટી હાઇ કમિશનર વેઇને જણાવ્યું કે ભારતમાં છેલ્લા ૧૦ વર્ષમાં બ્રિટિશ કંપનીઓએ ૨૧ અબજ પાઉન્ડનુ રોકાણ કર્યું છે અને આઠ લાખ લોકોને રોજગારી આપી છે. બ્રેક્ઝીટ બાદ યુકેના સ્ટાર્ટઅપથી લઇને મલ્ટીનેશનલ કંપનીઓ ભારતમાં રોકાણ કરવા આતુર છે અને બેથી ત્રણ કંપનીઓ નજીકના સમયગાળામાં ગુજરાતમાં તેમના પ્લાન્ટ સ્થાપીને રોકાણ કરવાની દિશામાં કામગીરી કરી રહી છે.