CIA ALERT

Alert Archives - Page 487 of 519 - CIA Live

August 20, 2018
shiv-1-1280x720.jpg
1min20370

હાલમાં પવિત્ર શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને ભગવાન ભોળાનાથની આરાધનામાં ભાવિકો ગળાડૂબ બન્યા છે ત્યારે એક ચર્ચા એ વાઇરલ થઇ છે કે ભગવાન શિવને અર્પણ કરાયેલો પ્રસાદ ભાવિકો આરોગી શકે કે કેમ આ અંગે અનેક મતમતાંતર સાંભળવા મળી રહ્યા છે. કોઇક કહે છે શિવજીને, શિવલિંગને અર્પણ કરાયેલા પ્રસાદ પર ભાવિકોનો અધિકાર નથી બલ્કે  શિવલિંગ કે શિવ મંદિરની પૂજા કરનાર વ્યક્તિ હોય એ સિવાય બીજા કોઈ વ્યક્તિઓથી લઈ શકાય નહીં. એ પ્રસાદ બીજાઓએ લેવો જોઈએ પણ નહીં. જો લેવામાં આવે તો લેનારનું જરૂર કંઈક ને કંઈક અનિષ્ટ થતું હોય છે. કેમકે શિવજી કાળ-ભૂત પ્રેતના દેવ છે .

 

શાસ્રો ટાંકે છે કે ભૂત-પ્રેતો ના વડેરા એવા ચંડેશ્વરની ઉત્પત્તિ શિવજીના મુખેથી થયેલી છે. તે હંમેશા શિવજીની આરાધનામાં લીન રહેતો હોય છે અને એટલે શિવલિંગ પર ચડાવવામાં આવેલો પ્રસાદ તેના ભાગનો ગણવામાં આવતો હોય છે. આથી જો અન્ય કોઈ વ્યક્તિનો પ્રસાદ ખાય તો તે ભૂત પ્રેત માટેનો અંશ ખાઈ રહ્યો છે એવું સમજાય છે. એટલે શિવલિંગ પર અર્પણ કરવામાં આવેલો પ્રસાદ ભલે પછી તે ફળ, મીઠાઇ, ભાંગ, દૂધ કે અન્ય ગમે તે સ્વરૂપમાં પણ કેમ ન હોય! નહીં ખાવું જોઈએ એવા પ્રકારની માન્યતા પ્રવર્તે છે.

શિવપુરાણ (વિશ્વેશ્વર સંહિતા)ના 22મા અધ્યાયમાં લખાયું છે કે

“चण्डाधिकारो यत्रास्ति तद्भोक्तव्यं न मानवै:।

चण्डाधिकारो नो यत्र भोक्तव्यं तच्च भक्तित:।।”

એટલે કે જ્યાં ચંડીકેશ્વરનો અધિકાર હોય ત્યાં શિવલિંગ પર અર્પણ કરવામાં આવેલો પ્રસાદ મનુષ્યો લઈ શકતા નથી, તે ચંડીકેશ્વરના અધિકારનો હોય છે. શિવજીને અર્પણ કરવામાં આવેલો પ્રસાદ તે જ લઇ શકે છે.

અડાજણના રામેશ્વર મહાદેવના પૂજારી શ્રી પ્રકાશભાઇ શુક્લ શું કહે છે

સુરતના અડાજણ સ્થિત રામેશ્વર મહાદેવ મંદિરના પૂજારી શ્રી પ્રકાશભાઇ શુક્લ કહે છે કે શિવપુરાણમાં લખાયું છે એ યોગ્ય છે. અમારા રામેશ્વર મહાદેવ મંદિરમાં તેનું પાલન કરવામાં આવે છે. હાલ શ્રાવણ માસમાં રોજેરોજ થતી શિવ પૂજામાં ભાવિકોને ભગવાન શ્રી ગણેશજી, માતા પાર્વતી દેવીને અર્પણ કરવામાં આવતો પ્રસાદ જ વહેંચવામાં આવે છે.

કયા શિવલિંગનો પ્રસાદ લઇ શકાય અને કયા શિવલિંગનો નહીં

પ્રસાદની આ ચર્ચામાં એ બાબત પણ મહત્વની છે કે શિવલિંગ કઈ ધાતુ કે પદાર્થમાંથી બનેલું છે, તેની બનાવટ ઘણી મહત્વની છે. સાદી માટી, પથ્થર અથવા ચીનાઇ માટીથી બનાવવામાં આવેલા શિવલિંગને અર્પણ કરેલો પ્રસાદ લેવો જોઈએ નહીં.

જો શિવલિંગ ધાતુ, બાણલિંગ (નર્મદા કિનારે મળતા કંકર)નું બનેલું હોય તો અથવા પારાનું (પારદ) શિવલિંગ હોય તો તેને અર્પણ કરેલો પ્રસાદ તમામને માટે લઈ શકાય એવો માનવામાં આવે છે. તેમાં ચંડકેશ્વરનો કોઈ અંશ હોતો નથી. એટલે એ પ્રસાદ લેવાથી વ્યક્તિ દોષમુક્ત રહે છે. વળી તેના જીવનમાં આવેલા અવરોધો પણ દૂર થતા હોય છે. આ ઉપરાંત શાલિગ્રામની સાથે જે શિવલિંગની પૂજા કરવામાં આવતી હોય (ભલે પછી તે શિવલિંગ ગમે તે પદાર્થનું બનેલું હોય) તેને અર્પણ કરેલો પ્રસાદ હંમેશા દોષમુક્ત હોય છે, જે લેવાથી જીવનમાં તમામ પ્રકારના અવરોધો કે પરેશાનીઓ દૂર થાય છે. શિવલિંગ જો સ્વયંભૂ હોય એટલે કે પોતાની જાતે પ્રગટ થયેલું હોય એવા શિવલિંગ ને અર્પણ કરેલો પ્રસાદ ખાવાથી જીવનના તમામ પ્રકારનાં પાપ દૂર થતા હોય છે.

જ્યોર્તિલિંગનો પ્રસાદ સર્વોત્તમ

બાર જ્યોતિર્લિંગને પણ અર્પણ કરેલો પ્રસાદ ખૂબ જ સુખશાંતિ આપનારો અને પાપથી છુટકારો કરાવનારો હોય છે. દેશના વિવિધ ભાગોમાં આવેલા બાર જ્યોતિર્લિંગના પ્રસાદ લેવાથી વ્યક્તિનું ખૂબ જ હિત થતું હોય છે.

શાસ્ત્રો અનુસાર જે શિવલિંગની ઉપાસના કરીને કોઈ એ ભૂતકાળમાં સિદ્ધિ હાંસલ કરી હોય કે જે શિવલિંગ કોઈ સિદ્ધ મહાપુરુષો ભક્તો દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવેલું હોય તેનો પ્રસાદ લેવાથી શિવજીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે.આ ઉપરાંત જેમણે સાધુત્વ ગ્રહણ કર્યું છે એટલે કે જેમણે દીક્ષા લીધેલી છે તેવા તમામ સંતપુરુષો શિવજીના લિંગને અર્પણ કરવામાં આવેલો પ્રસાદ લેતા હોય છે અને લઈ શકે છે.

 

August 20, 2018
momomumbai.jpg
4min11780

 Jayesh Brahmbhatt  98253 44944

આખી દુનિયામાં બ્લૂ વેલ જેવી ખતરનાક ગેમ કારણે ૧૦૦ કરતાં પણ વધુ યુવાનોએ જીવ ગુમાવ્યા હતાં, ત્યારબાદ સોશિયલ મીડિયા પર વધુ એક જીવલેણ ચેલેન્જ એટલે કે મોમો ચેલેન્જ MOMO Challenge  ખૂબ જ જોર પકડી રહી છે. આ મોમો ચેલેન્જ માટે મુંબઇ પોલીસે આ ખતરનાક ચેલેન્જ સંબંધી એક ચેતવણી બહાર પાડી છે અને લોકોને આ અંગે જાગૃત રહેવાની સલાહ આપી છે. મુંબઇ પોલીસે ટ્વિટરનો સહારો લઇને મોમો ચેલેન્જ અંગે જાગરૂકતા ફેલાવી રહી છે. તેમ જ Dial100 જેવા હેશટૅગ વાપરીને મુંબઇ પોલીસે મહત્ત્વનું પગલું ભર્યું છે. તેમ જ તેની સાથે સંદેશ પણ લખ્યો હતો કે બધા મોમોનો વપરાશ થાય એવું જરૂરી નથી.

(Mumbai police issued notice on twitter)

આ જીવલેણ મોમો ચેલેન્જ ફેસબુકથી શરૂ થઇને વૉટ્સએપ અને યુટ્યુબ સુધી પહોંચી ગયું છે તેમ જ આ ચેલેન્જમાં ડરામણા ફોટોગ્રાફ બતાવીને અને અજાણ્યા ફોન નંબરથી બાળકોને તેમની સાથે વાતચીત કરવા માટે પ્રેરિત કરતી હોય છે. ફક્ત બાળકો જ નહીં પરંતુ, મોટેરાઓ પણ આ માયાજાળમાં ફસાય જાય છે અને જે પ્રમાણે તેમને મોબાઇલ કે ગેડજેટ્સ પર સૂચનાઓ મળે છે એમ કરવા માટે પ્રેરાય છે. એક્સપર્ટસ કહે છે કે આ એક પ્રકારનું હિપ્ટોટિઝમ છે. સાહસ, ડેર, ચેલેન્જના નામે મોબાઇલ યુઝર્સને ફસાવીને તેમની જીંદગી પૂરી થઇ જાય એટલી હદે ચેલેન્જ આપવામાં આવે છે. ભારતમાં મોમો ચેલેન્જ ખતરનાક રીતે માયાજાળ ફેલાવી રહી છે. મુંબઇ પોલીસ પ્રથમ રાજ્યની પોલીસ છે કે જેણે મોમો માટે એલર્ટ જારી કર્યા છે.

એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર આ ખતરનાક મોમોના અકાઉન્ટ જાપાન, મેક્સિકો અને કોલમ્બિયાથી જોડાયેલા છે.

Read in English

Momo Challenge

The Momo Challenge reportedly started on Facebook where members were “challenged” to communicate with an unknown number. It allegedly involves challenges that encourage children to engage in a series of violent acts that end with suicide.

Almost a year after the Blue Whale Challenge allegedly led to a number of suicides among teenagers across the globe, a new game called ‘Momo Challenge’ is reportedly encouraging children to perform dangerous challenges. The Momo challenge, viral on social media platforms, especially WhatsApp is allegedly linked to the death of a 12-year-old girl in Argentina, the Buenos Aires Times reported.

What is Momo Challenge?

The Momo Challenge reportedly started on Facebook where members were “challenged” to communicate with an unknown number, The Sun reported. Once the initial contact with a user is established, the Momo account sends a number of challenged and activities that are to be completed to meet ‘Momo’. It allegedly involves challenges that encourage children to engage in a series of violent acts that end with suicide. If a user refuses to follow the game’s orders, Momo threatens them with violent images, The Sun reported. The account appears to be connected to three numbers in Japan, Mexico, and Columbia.

‘Momo’ is a social media account on popular platforms that use an image of a doll with monstrous features, large eyes and a wide mouth to induce curiosity among children, the report added. The artwork called Mother Bird by Link Factory is inspired by the work of a Japanese artist Midori Hayashi, who has no association with the challenge, according to officials.

Deaths linked to Momo Challenge

The Argentina Police are linking the death of a 12-year-old to the game. The girl filmed her activities immediately prior to the suicide on her phone. Authorities suspect someone encouraged her to take her own life, the Buenos Aires Timesreported. The officials are hunting for the “adolescent with whom she exchanged those messages” and have issued a warning to the parents to monitor the browsing activity of their children.

As of now, there are no reports suggesting the presence of the challenge. As per cyber experts, the challenge is a hoax aimed at stealing personal data and extorting information.

August 20, 2018
iit-1.jpg
1min14780

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

આ વર્ષે આઇઆઇટી-બૉમ્બેમાંથી ગ્રેજ્યુએટ થયેલા ઉમેદવારો પર કરવામાં આવેલા સર્વે અનુસાર દર પાંચમાંથી ચાર વિદ્યાર્થીને ધૂમ્રપાનની અને દર દસમાંથી સાત વિદ્યાર્થીને દારૂના વ્યસનની આદત ઇન્સ્ટ્ટ્યિૂટના પહેલા વર્ષથી પડી ગઇ હતી.

આઇઆઇટી-બૉમ્બેના કૅમ્પ્સમાં રહેતા વિદ્યાર્થીઓની રહેણી-કરણી, અભ્યાસ યોજના અને કારકિર્દી માટે ભવિષ્યની યોજનાને જાણવા માટે ચાલુ વર્ષે ગ્રેજ્યુએટ થયેલા વિદ્યાર્થીઓ પર આવા અવનવા સર્વેનો પ્રયોગ કરવામાં આવ્યો હતો. આ સર્વેમાં અનુસાર, આઇઆઇટી-બૉમ્બેમાં પ્રવેશ કરનારા અનેક વિદ્યાર્થીઓને પહેલા વર્ષથી જ ખરાબ આદતોનું વ્યસન થયું હોવાનું જણાયું હતું.

આ વિશે એક વિદ્યાર્થીએ કહ્યું હતું કે વ્યસન કરવા પાછળ ઘણાં બધા કારણો હોઇ શકે છે, અમુક વિદ્યાર્થીઓને ઘરથી દૂર હૉસ્ટેલમાં રહેવાને કારણે છૂટ મળી હોવાથી તેઓ મદ્યપાન કે ધૂમ્રપાન કરે છે જ્યારે અનેક વિદ્યાર્થીઓ ટેન્શન દૂર કરવા માટે વ્યસન કરતા હોય છે, એમ જણાવાયું હતું. સર્વેમાં આશ્ર્ચર્યની વાત એ છે કે ફક્ત ૧૭.૮ ટકા વિદ્યાર્થી માટે તેમના અભ્યાસમાં સારો દેખાવ કરવો જરૂરી હોવાનું માન્યું હતું, જ્યારે ૨૯.૮ ટકા વિદ્યાર્થી તેમના માર્ક્સથી ખુશ હતા. ટેન્શનને દૂર કરવા માટે ૧૩.૫ ટકા વિદ્યાર્થીએ સલાહકારની મદદ લેવી પડી હતી. પહેલા વર્ષમાં પ્રવેશ કરનારા દર પાંચમાંથી ચાર વિદ્યાર્થી ધૂમ્રપાનની આદત અને દર દસમાંથી સાત વિદ્યાર્થીને દારૂના વ્યસનની આદત પડી હતી.

August 19, 2018
varachha.jpg
1min5090

પાટીદારનો ગઢ ગણાતા શહેરના પુણા વિસ્તારમાં મોડીરાત્રે  બીઆરટીએસની 2 બસ પર પત્થરમારો કરીને કાચ તોડી નાંખવામાં આવ્યા હતા. એ ઉપરાંત સરથાણા વિસ્તારમાં ટાયરો સગળગાવવાની  ઘટનાને પગલે પોલીસની ગાડીઓ દોડતી થઇ ગઇ હતી. આવી ઘટનાઓને પગલે પાટીદાર અનામત આંદોલનનું એપી સેન્ટર ગણાતા સુરતના વરાછા વિસ્તારમાં ફરી એકવાર વાતાવરણ તંગ બન્યું છે. અમદાવાદમાં હાર્દિક પટેલની અટકાયત અને તે પછી અલ્પેશ કથિરીયાની રાજદ્રોહ કેસમાં ધરપકડ બાદ આ પરિસ્થિતિનું  નિર્માણ થયું હોવાનું જણાય આવે છે.

એ પૂર્વે આજે રવિવાર તા19મી ઓગસ્ટ 2018ની સવારે અમદાવાદ ખાતે હાર્દિક પટેલની અટકાયતના સમાચારને પગલે સુરતમાં પાટીદાર આંદોલનના સમર્થકો વરાછાના મીનીબજાર ખાતે ધરણા પર બેઠા હતા. ધરણા પર બેઠેલા પાટીદારોની પોલીસે અટકાયત કરવાનું શરૂ કરતા મામલો બિચકયો હતો. વરાછામાં એકઠું થયેલું ટોળું તોફાને ચઢ્યું હતુ અને પત્થરમારો શરૂ કરી ને બે કચરાપેટીને ઉંધી વાળી દીધી હતી.

વરાછામાં પાટીદાર આંદોલન વધુ તીવ્ર બને એવી સ્થિતિ જણાતા પોલીસે સુરતમાં 40 જેટલા પાટીદારો અને કોગ્રેસી કાર્યકરોની અટકાયત કરીને હજીરા પોલીસ સ્ટેશન મોકલી આપ્યા છે.

 

August 19, 2018
va1.jpg
1min8030

Jayesh Brahmbhatt  98253 44944

એલાયન્સ ક્લબ ઓફ સુરત ચેરિશના સભ્યો દ્વારા શહેરના ભાઠા વિસ્તારમાં આવેલા વૃદ્ધાશ્રમના 40 જેટલા વડીલો, સિનિયર સિટીઝન્સને પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે દક્ષિણ ગુજરાતના જાણીતા શિવ તિર્થ ધામના દર્શનાર્થે લઇ જવામાં આવ્યા હતા.

એલાયન્સ ક્લબ ઓફ સુરત ચેરિસના વૈશાલી ગાલાએ સી.આઇ.એ. ને જણાવ્યું હતું કે વડીલ સિનિયર સિટીઝન્સને સુરતથી લક્ઝરી બસદ્વારા કાવી કંબોઇ (જંબુસર), ભાડભૂત, ભરૂચના નિલકંઠેશ્વર ધામ ખાતે લઇ જવામાં આવ્યા હતા. માર્ગમાં તેમના માટે ચા-પાણી નાસ્તા તેમજ ભોજનની પણ વ્યવસ્થા એલાયન્સ ક્લબ ઓફ સુરત ચેરિશ તરફથી જ રાખવામાં આવી હતી.

વૈશાલી ગાલાએ કહ્યું કે હાલમાં પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. શિવજીની આરાધના માટેના આ શ્રેષ્ઠ મહિનામાં ભાઠા વૃદ્ધાશ્રમના વડિલો શિવજીના મંદિરના દર્શન કરીને ખૂબ ખુશ થયા હતા. એલાયન્સ ક્લબ ઓફ સુરત ચેરિશના સભ્યોએ પણ વડિલોને તિર્થસ્થાને લઇ જવામાં ધન્યતા અનુભવી હતી.

 

 

 

 

 

August 19, 2018
n2.jpg
1min11490

આગામી બકરી ઈદના દિવસે મુસ્લિમ સંપ્રદાયમાં બકરાની સૌથી વધુ કતલ થતી હોય તેવા સંજોગો વચ્ચે જીવદયામાં માનતા દિપા જૈન યુવક મંડળ દ્વારા વધુ મા વધુ જીવતદાન મળે તે આશયથી કતલખાને લઇ જવાઇ રહેલી અંદાજે ૨૦૦ થી વધુ બકરી ને મુક્ત કરવામાં આવી હતી અને તેમને જીવતદાન આપવામાં આવ્યું હતું.

શહેરના જૈન અગ્રણી અને ડેપ્યુટી મેયર શ્રી નિરવ શાહે જણાવ્યું હતું કે જૈન ધર્મમાં જીવદયા અગ્રીમ માનવામાં આવે છે. આગામી બકરી ઇદના તહેવારને અનુલક્ષીને શક્ય એટલી ઓછી જીવ હિંસા થાય તે માટે અડાજણ પાટીયા સ્થિત દિપા કોમ્પ્લેક્સના દિપા જૈન યુવક મંડળ દ્વારા કતલખાને લઇ જવામા ંઆવી રહેલી 200થી વધુ બકરીઓને છોડાવવામાં આવી હતી અને તેને જીવન બક્ષવામાં આવ્યું હતું. દિપા જૈન યુવક મંડળની આ કામગીરી સરાહનીય હતી.

ડેપ્યુટી મેયર શ્રી નિરવ શાહે કહ્યું કે કતલખાને લઇ જવાતી 200 બકરીઓને મુક્ત કરાવ્યા બાદ તેમને દિપા કોમ્પ્લેક્સ ખાતે લાવવામાં આવી હતી. આ બકરીઓને એવી જગ્યાએ લઇ જવામાં આવશે જ્યાં તેમનો નૈસર્ગિક વાતાવરણમાં ઉછેર થાય અને તે જીવનભર હિંસાનો ભોગ ન બને તેની તકેદારી રાખવામાં આવશે. બકરીઓને પાંજરાપોળ ખાતે મોકલવામાં આવશે.

August 19, 2018
Nurturing-Little-Humans-Book1.jpg
1min9320

સુરત, ઓગસ્ટ, 2018: શું તમારું બાળક શાળાએ જઇ રહ્યું હોય ત્યારે તેના શુઝની દોરી તમારે બાંધવી જોઇએ કે પછી બાળક શાળામાંથી પરત ફરે ત્યારે સ્કૂલ બસમાંથી તેના ઉતરતાની સાથે જ તમારે તેની બેગ ઉંચકી લેવી જોઇએ? શું તમે તમારા બાળકની વધુ પડતી કાળજી રાખો છો અથવા બાળકને વધુ પડતી સુવિધાઓ પૂરી પાડો છો?

જ્યારે બાળકોને આ પ્રકારની દૈનિક કામગીરી કરતાં રોકવામાં આવે ત્યારે માતા-પિતા સમક્ષ મોટી સમસ્યા અને પડકારો સર્જાય છે. શા માટે મા-બાપ બાળકોની વધુ પડતી કાળજી રાખે છે? શા માટે મા-બાપ બાળકોને જીવનમાં નિષ્ફળતાનો સામનો કરીને આગળ વધવાની પ્રેરણા લેતા રોકે છે?21મી સદીમાં બાળકના ઉછેરમાં કઇ સમસ્યાઓ છે? આ તમામ પ્રશ્નોના જવાબ શિક્ષણ અને તાલીમ ક્ષેત્રમાં 14 વર્ષનો બહોળો અનુભવ ધરાવતા ઇનોવેટર અને વિઝનરી લેખક જય લીલાવાલાના 23મી ઓગસ્ટે રિલિઝ થતાં પુસ્તક ‘નર્ચરિંગ લિટલ હ્યુમન્સ’માં મળી રહેશે.શહેરના રાહુલરાજ મોલ ખાતે પુસ્તકનું અનાવરણ કરાશે.

ગુજરાતની અગ્રમી પ્રી-સ્કૂલ ચેઇન પૈકીની એક પરવરિશ ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલના સ્થાપક જય લીલાવાલાના આ પુસ્તકમાં બાળકોના સર્વાંગી ઉછેર અંગે વિસ્તૃત સમજ આપવામાં આવી છે. જય લીલાવાલાનું માનવું છે કે તમારા બાળકની બાળપણની યાદોમાં રહેવા માટે તમારે તેની સાથે સમય વિતાવવો પડશે. બાળકો સાથેની સુંદર યાદો, નાટકો, યાદગાર પળો, કારકિર્દી, કૌશલ્યો, પત્રો, સવાર, સાંજની યાગો, રમતો, ખુશીના પળોને આવરી લેતાં કુલ 27 ચેપ્ટર્સને આવરી લેવાયા છે. મહત્વપૂર્ણ છે કે નર્ચરિંગ લિટલ હ્યુમન્સને લોન્ચ થતાં પહેલાં જ ફેસબુક ઉપર 500થી વધુ લોકોએ તેને લાઇક કરીને વાંચવાની ઇચ્છા પ્રગટ કરી છે.

આ પુસ્તક અગ્રણી ઇ-કોમર્સ પોર્ટલ ફ્લિપકાર્ટ, એમેઝોન, ઇન્ફીબીમ, નોશનપ્રેસ તથા ઇનગ્રામ ઉપર ટૂંક સમયમાં વેચાણ માટે ઉપલબ્ધ બનશે. આ ઉપરાંતwww.myparvarish.com ઉપરથી પણ વાચકો તેને ખરીદી શકશે. એમેઝોન કિંડલ ઉપર પણ આ પુસ્તક વાંચન માટે ઉપલબ્ધ બનશે.

ઉલ્લેખનીય છે કે જય લીલાવાલા એક અગ્રણી કમ્યુનિકેટર અને મોટિવેટર છે, જેઓ આદિત્ય બિરલા ગ્રુપ, ફ્યુચર ગ્રુપ વગેરે જેવી અગ્રણી આંતરરાષ્ટ્રીય કંપનીઓ સાથે સંકળાયેલા છે. તેઓ શિક્ષણની સાથે-સાથે ઓપરેશન, ફાયનાન્સ અને મેનેજમેન્ટમાં પણ નિપૂંણતા ધરાવે છે.

-x-x-x-

August 19, 2018
ew2-1280x720.jpg
6min8420

Jayesh Brahmbhatt   98253 44944

નવી દિલ્હી સ્થિત કંપની ઇસ્ટ વેસ્ટ લિંક્સ દ્વારા પ્રોગ્રામ્સ સુરતની સ્કુલ્સના વિદ્યાર્થીઓ માટે પણ શરૂ કરાયો

નવી  દિલ્હી ખાતે ઓફિસ ધરાવતી ઇસ્ટ વેસ્ટ લિંક્સ નામની કંપની દ્વારા ભારતની સ્કુલમાં ભણતા 12થી 18 વર્ષની વયના સ્પોર્ટસ સ્ટુડન્ટ માટે ઇસ્ટ યુરોપમાં આવેલા સર્બિયા દેશમાં 12 દિવસનો ટ્રેનિંગ પ્રોગ્રામ લોંચ કરવામાં આવ્યો છે. રૂ.દોઢ લાખથી પોણા બે લાખની કિંમતના 12-12 દિવસના આ પેકેજીસમાં જોડાનારા સ્કુલના વિદ્યાર્થીઓને સર્બિયા ખાતે જુદી જુદી રમતો, સ્કીલ્સ ડેવલપમેન્ટ, મેન્ટલ ટ્રેનિંગ, એક્સપર્ટસ દ્વારા માર્ગદર્શન તેમજ ટુરીઝમનો લાભ આપવામાં આવશે. ઇડબલ્યુ લિંક્સ દ્વારા સુરત તેમજ અમદાવાદની ચુનંદા સ્કુલ્સમાં આ પ્રોગ્રામ અંગે પ્રેઝન્ટેશન આપવામાં આવી રહ્યું છે.

(નવી દિલ્હી બેઝ કંપની ઇડબલ્યુ લિંક્સ દ્વારા પાઇલોટ પ્રોજેક્ટ તરીકે અગાઉ પહેલા બેચમાં ભારતના વિદ્યાર્થીઓને સર્બિયા લઇ જવાયા હતા, જેની સમૂહ તસ્વીર)

સુરત ખાતે યોજાયેલી એક પત્રકાર પરિષદમાં ઇડબલ્યુ લિંક્સના યશ તેમજ કરણએ જણાવ્યું હતું કે સર્બિયા દેશની વસતિ ફક્ત 75 લાખ છે, ભારતના અમદાવાદ શહેર કરતા પણ ઓછી વસતિ ધરાવતા સર્બિયા ખાતે સ્પોર્ટસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ ટ્રેનિંગની સાયન્ટિફિક સિસ્ટમ ડેવલપ થઇ છે અને તેને કારણે જ સર્બિયા દેશ નાનકડો દેશ હોવા છતાં અનેક રમતોમાં તેના સ્પોર્ટસ પર્સન દેશ અને દુનિયા ગજાવી રહ્યા છે. આવી સ્થિતિમાં નવી દિલ્હી સ્થિત ઇડબલ્યુ લિંક્સ દ્વારા સર્બિયન સરકાર તેમજ ત્યાં ના સ્પોર્ટસ પર્સન સાથે મળીને ભારતના સ્કુલ ગોઇંગ સ્પોર્ટસ સ્ટુડન્ટસને એક્સપોઝર, ટ્રેનિગ તેમજ સ્કીલ્સ ડેવલપમેન્ટ થાય તે માટે 12 દિવસનો ટ્રેનિંગ પ્રોગ્રામ ઘડી કાઢવામાં આવ્યો છે. આગામી માર્ચ 2019થી જુન 2019 દરમિયાન આ સ્પેશયલ ટ્રેનિંગ ઇન સર્બિયા શિડ્યુલ કરવામાં આવશે.

ઇડબલ્યુ લિંક્સ આ પ્રોગ્રામમાં કયા બાળકોને સમાવી શકાય તે માટે હાલ ગુજરાતના પ્રવાસે છે અને અમદાવાદ તેમજ સુરતની કેટલીક સ્કુલ્સના મેનેજમેન્ટનો સંપર્ક સાધવામાં આવ્યો છે.

ઇડબલ્યુ  લિંક્સ આ બાબતને સ્પોર્ટસ ટુરિઝમ સાથે સાંકળે છે અને હાલમાં બાસ્કેટ બોલ, ફુટબોલ, શૂટિંગ, ટેનિસ અને વોલીબોલની રમતનું થોડું પણ જ્ઞાન ધરાવતા વિદ્યાર્થીઓ માટે સર્બિયા ખાતેનો આ 12 દિવસનો ટ્રેનિંગ કેમ્પ ખૂબ ઉપયોગી હોવાનો દાવો કરે છે.

(નવી દિલ્હી બેઝ કંપની ઇડબલ્યુ લિંક્સ દ્વારા પાઇલોટ પ્રોજેક્ટ તરીકે અગાઉ પહેલા બેચમાં ભારતના વિદ્યાર્થીઓને સર્બિયા લઇ જવાયા હતા, જેની સમૂહ તસ્વીર)

વધુ માહિતી માટે આ મુજબની વેબસાઇટનો સંપર્ક કરવા જણાવાય છે.

www.ewlinks.com

For English Readers

The Statement from The EW Links Management

Our motto is sports, our credo is excellence in sports!

Our company, EW Links Beograd, has been set-up with the explicit intent of promoting holistic sports tourism for Indian students. Based in Belgrade, Serbia, we seek to expose students to the world class sports infrastructure that Serbia has to offer and provide professional coaching under the tutelage of current and former International players and certified coaches.

Our programme helps participants improve their skills immensely, while allowing them to enjoy the culture and sights of our UNESCO protected medieval buildings.

Participating students and their chaperoning teachers are provided excellent hotel accommodation.

Belgrade | Sports

Belgrade offers numerous sporting facilities for majority of sports and activities. While football clearly reigns Serbia’s sports scene, Belgrade also offers plenty of great alternatives like basketball, tennis, badminton, volleyball, shooting and water sports.

Belgrade has hosted several major sporting events recently, including Eurobasket, the European Volleyball Championship, the European Water Polo Championship, and the European Youth Olympic Festival. Belgrade was the host city of the 2009 Summer Universiade chosen over the cities of Monterrey and Poznan. Belgrade Marathon Race is the largest and the most mass attended sporting event in Serbia.

Belgrade is also home to two football teams, Red Star (Crvena Zvezda) and Partizan, which have achieved remarkable success and have become famous all over the world.

Belgrade Sports

With more than 1,000 facilities offering sports including swimming, water polo, football, basket ball, tennis, etc., Belgrade is ready to meet any sports challenge.

Belgrade Arena, meeting the latest standards and technology became Belgrade’s trademark and one of the new symbols of the Serbian capital, as well as the place of interest for the visitors to the capital. Together with Prague Arena, it ranks as one of the best of its kind in Europe.

Belgrade has also given rise to several world class tennis players such as Novak Djokovic, the current Wimbledon champion, Jelena Jankovic and Ana Ivanovic.

It is also important to note that amongst the European countries, Serbia is one of the most peaceful and safe countries for visitors and tourists. It is ranked very highly by UN Peace Index.

EW Links Beograd is successfully organizing sports enhancement international camps in Serbia for students in the age group 12 to 18. During the camps, participants are given rigorous coaching in several verticals like football, tennis, volleyball, basketball and shooting. To ensure the safety of participants, their entire sojourn will be supervised by accompanying teachers and EWL team. All sports are played on internationally acclaimed and recognized grounds which include stadia certified for FIFA matches.

Standard Programme at Vrnjačka Banja

12 day training programme in all sports like football, basketball, volleyball and tennis.

Premium Programmes at Belgrade

a) 12 days training programme in football at UEFA and FIFA facility. b) 12 days training in shooting.

Exclusive Add-on at Abu Dhabi*

1 Day City Tour including visit to Ferrari World Theme Park.

Serbian National Squash Champion

Jelena is a seven-time Women’s Squash Champion of Serbia and also Balkans Champion. Currently, she is the highest ranked women’s squash player in the Balkans.

August 19, 2018
suratairport1.jpg
1min11310

જુલાઇ 2016થી 15 જુલાઇ 2018 સુધીમાં સુરત એરપોર્ટને લક્ષમાં રાખીને પ્લેન સાથે પક્ષીઓ ટકરાવાની કુલ 22 ઘટનાઓ બની હોવાની સત્તાવાર માહિતી એરપોર્ટસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા જારી કરવામાં આવી છે. આશ્ચર્યની વાત એ છે કે સુરત એરપોર્ટને સાંકળી લેતી બર્ડ હીટની આ 22 ઘટનાઓ પૈકી એક પણ ઘટના અંગે જે તે પ્લેનના પાઇલોટ્સ દ્વારા સુરતના એર ટ્રાફિક કન્ટ્રોલરને કોઇપણ પ્રકારનો રિપોર્ટ કરવામાં આવ્યો ન હતો.

નિમ્નદર્શિત ડોક્યુમેન્ટ પરથી જાણકારી મળે છે કે 16 જુલાઇ 2016 પછી સુરત એરપોર્ટને કેન્દ્રમાં રાખીને કેટલા બર્ડ હીટ થયા હતા. 16 જુલાઇથી 31 ડિસેમ્બર 2016 સુધીમાં બર્ડ હિટની કુલ 4 ઘટનાઓ બની. કેલેન્ડર વર્ષ 2017માં વિમાન સાથે પક્ષીઓ ટકરાવાની કુલ 14 ઘટનાઓ બની અને 1લી જાન્યુઆરી 2018થી 15 જુલાઇ 2018 સુધીમાં 4 ઘટનાઓમાં પક્ષીઓ પ્લેન સાથે ટકરાયા હોવાનો ખુલાસો એરપોર્ટસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા વણઓળખાયેલી વ્યક્તિને પાઠવવામાં આવેલા પત્રમાં કરવામાં આવ્યો છે.

બર્ડ હિટને અનુલક્ષીને કેટલી વખત પાઇલોટ દ્વારા સુરતના એટીસી (એર ટ્રાફિક કન્ટ્રોલર)ને રિપોર્ટ કરવામાં આવ્યો એ અંગેની માહિતી માંગવાના જવાબમાં જણાવાયું છે કે રેકોર્ડ પ્રમાણે બર્ડ હિટની એકેય ઘટનામાં પાઇલોટ દ્વારા સુરત એટીસીને કોઇપણ પ્રકારનો રિપોર્ટ કરાયો નથી.

 

August 19, 2018
asiad.jpg
1min6720

ઇન્ડોનેશિયાનાં પાટનગર જકાર્તામાં આજે તા.19મી ઓગસ્ટ 2018ના રોજ રવિવારે 18માં એશિયન ગેમ્સમો પ્રારંભ થયો છે. ભારતનાં શૂટર અપૂર્વી ચંદેલા અને નિશાનેબાઝ રવિ કુમારે મિક્સ ડબલ્સ ઇવેન્ટમાં ત્રીજા સ્થાને રહીને ભારતનું મેડલ ટેલીમાં બ્રોન્ઝ સાથે ખાતું ખોલ્યું છે. આ જોડીએ દેશને એશિયાડમાં સૌપ્રથમ મેડલ અપાવ્યો. આ પહેલા અપૂર્વી ચંદેલા અને રવિ કુમારની જોડીએ સવારે ફાઇનલમાં પોતાનુ સ્થાન બનાવ્યુ હતુ. જોકે 10 મીટર એર પિસ્તોલનાં ટીમ વર્ગમાં મનુ ભાકર અને અભિષેક વર્મા ફાઇનલ માટે  કવોલોફાઇ કરી શક્યા નહતા.