CIA ALERT

Alert Archives - Page 486 of 519 - CIA Live

August 22, 2018
gst.jpg
1min4350

મહારાષ્ટ્રને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)થી ફળ્યો છે. આ ટેક્સથી મહારાષ્ટ્રની આવકમાં 28 ટકા જેટલો અસાધારણ વધારો થયો છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ચાર મહિનામાં રાજ્યમાં જીએસટીથી રૂ. ૪૫,૬૨૬ કરોડની મહેસૂલ જમા થઇ છે. આ આંકડો એપ્રિલ અને જુલાઇ, ૨૦૧૭માં જમા થયેલા ઇન્ડાઇરેક્ટ ટેક્સના ૨૮.૩ ટકા વધુ છે. , એમ મહારાષ્ટ્ર સ્ટેટ જીએસટી કમિશનરના આંકડા દ્વારા જાણવા મળ્યું હતું.

એપ્રિલ અને જુલાઇ, ૨૦૧૭ દરમિયાન જીએસટી અમલમાં મુકાયો નહોતો અને ઇન્ડાઇરેક્ટ ટેક્સથી રાજ્યને રૂ. ૩૫.૫૪૮ કરોડની મહેસૂલ મળી હતી. જીએસટી પહેલી જુલાઇ, ૨૦૧૭એ રજૂ કરવામાં આવ્યો હતો. જીએસટીની ચુકવણીમાં અગ્રેસર રાજ્યોમાં મહારાષ્ટ્રનો પણ સમાવેશ થાય છે. એપ્રિલ-જુલાઇ દરમિયાનના સમયગાળાની જીએસટી ચુકવણીમાં દેશમાં મહારાષ્ટ્રનો ૧૪.૭૭ ટકા હિસ્સો છે. આ સમયગાળા દરમિયાન દેશમાં રૂ. ૩.૮૯ લાખ કરોડ જીએસટીની ચુકવણી કરવામાં આવી હતી. તેમ છતાં જીએસટીના દરમાં કરવામાં આવેલા ઘટાડાને કારણે ભવિષ્યમાં પણ આટલા પ્રમાણમાં જ જીએસટી દ્વારા મહેસૂલ મળશે એ એક પ્રશ્ર્ન બની રહ્યો છે. ઑગસ્ટમાં રિટર્ન ફાઇલ કરાશે ત્યારે તેનો અંદાજ આવશે.

ઉલ્લેખીય છે કે જીએસટી અમલમાં મૂકાયા બાદ વૅટ, ઓક્ટ્રોઇ તથા સ્થાનિક વેરા જેવી ઇન્ડાઇરેક્ટ ટેક્સ રદ કરાયા હતા.

August 22, 2018
acb-trap.jpg
2min5730
સુરત મહાનગરપાલિકાના કોર્પોરેટર બની ગયા એટલે કોર્પોરેટરના પરિવારજનો એવી રીતે વર્તી રહ્યા છે જાણે ભ્રષ્ટાચાર આચરવાનું લાઇસન્સ મળી ગયું છે. છએક મહિના પૂર્વે ભાજપાના મહિલા કોર્પોરેટર મીના રાઠોડના પતિ લાંચની રકમ સ્વીકારતા રંગે હાથ ઝડપાઇ ગયા હતા, ત્યાં મંગળવાર તા.22મી ઓગસ્ટ 2018ના રોજ ભાજપાના વધુ એક મહિલા કોર્પોરેટર નેન્સી સુમરાનો ભાઇ  બાંધકામની સાઇટ પર હેરાનગતિ નહીં કરવા સબબ રૂ.55 હજારની લાંચ લેતા એન્ટી કરપ્શન બ્યુરોની ટીમના હાથે રંગેહાથ ઝડપાઇ ગયો છે, આ જ કેસમાં ભાજપના મહિલા કોર્પોરેટર નેન્સી સુમરાના પિતા નાસી ગયા હોવાનું એન્ટી કરપ્શન બ્યુરોએ જણાવ્યું હતું.
એન્ટી કરપ્શન બ્યુરોએ આ સફળ છટકા અંગે આપેલી વિગતો મુજબ સુરત મહાનગરપાિલકાના વોર્ડ નં.11ના મહિલા કોર્પોરેટર નેન્સી સુમરાના પિતા મોહન જેઠાભાઇ સુમરા અને ભાઇ વિકી મોહન સુમરા દ્વારા એ જ વિસ્તારમાં એક વ્યક્તિ દ્વારા પોતાની મિલક્તમાં કરવામાં આવી રહેલા બાંધકામની સાઇટ પર હેરાનગતિ નહીં કરવા સબબ રૂ.75 હજાર માગી રહ્યા હતા. આ પૈકી રૂ.20 હજાર તો અગાઉ બન્ને સ્વીકારી ચૂક્યા હતા, જ્યારે વાયદાના બાકી રૂ.55 હજારની માગણી કરી રહ્યા હતા. એ દરમિયાન બાંધકામ કરી રહેલા વ્યક્તિના મિત્રએ એન્ટી કરપ્શન બ્યુરોને જાણ કરતા તા.21મી ઓગસ્ટ 2018ના રોજ છટકું ગોઠવવામાં આવ્યું હતું. જેમાં ભાજપાના મહિલા કોર્પોરેટર નેન્સી સુમરાના પિતા મોહન સુમરાના કહેવાથી તેના પુત્ર અને મહિલા કોર્પોરેટરના ભાઇ વિકી સુમરા ફરીયાદી પાસેથી રૂ.55 હજાર લેતા રંગેહાથ ઝડપાઇ ગયા હતા. આ કેસમાં પોલીસે મોહન સુમરા નાસી ગયા હોવાનું દર્શાવ્યું છે.
એસીબીએ દર્જ કરેલા કેસની પ્રાથમિક વિગતો
*ફરીયાદી* :- એક જાગૃત નાગરીક
*આરોપીઓ* :-
(1) મોહનભાઈ જેઠાભાઇ સુમરા.(ખાનગી વ્યક્તિ)
 રહે.304,
રાજવીર કોમ્પ્લેક્ષ, લેખડીયા શેરી,
સૈયદપુરા,
 સુરત.
(2) પ્રિંન્સ @ વીકી મોહનભાઇ સુમરા (ખાનગી વ્યક્તિ) 
રહે.રૂમ નંબર-2 અને 3,
બીજો માળ,
પોસ્ટ ઑફિસ બિલ્ડીંગ ની ઉપર,
વરિયાવી બઝાર,
પ્રણામી મન્દિર ની સામે,
સુરત
*લાંચની માંગણીની રકમ* :- 
રૂા.55000/-
*સ્વીકારેલ રકમ*
રૂ.55000/-
*રીકવર રકમ* :- 
રૂા.55000/-
*ટ્રેપ*  :- તા.21/08/2018 
*ટ્રેપ સ્થળ* :
મહાદેવ મંદિર પાસે,રાજેશ ઝરીવાલા ના દવાખાના ની સામે, વાવશેરી,સૈયદપુરા,સુરત, જાહેર માં રોડ ઉપર.
*ટ્રેપ કરનાર અધિકારી* :- *બી.કે .વનાર* ,પોલીસ ઇન્સ્પેક્ટર, સુરત ગ્રામ્ય એ.સી.બી.પો.સ્ટે.,તથા સ્ટાફ.
*સુપર વિઝન અધિકારી* :-  *શ્રી એન.પી. ગોહિલ*  ઇન્ચાર્જ મદદનીશ નિયામક,     એ.સી.બી. સુરત એકમ.
અગાઉ ભાજપાના કોર્પોરેટર મીના રાઠોડનો પતિ ઝડપાયો હતો
ગત જાન્યુઆરી-ફેબ્રુઆરી 2018માં ભાજપાના મહિલા કોર્પોરેટર મીના રાઠોડનો પતિ પણ આવા જ એક કેસમાં લાંચ લેતા એન્ટી કરપ્શનના અધિકારીઓની ટ્રેપમાં ફસાઇ ગયો હતો. આ કેસમાં રેલો છેક મહિલા કોર્પોરેટર મીના રાઠોડ સુધી આવ્યો હતો અને તેમણે પણ જેલમાં જવું પડ્યું હતું.
August 21, 2018
bangladesh.jpg
1min18050

Jayesh Brahmbhatt  98253 44944

એપેરલ ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટન્ટનો ગેરફાયદો ઉઠાવતા કેટલાક આંતર રાષ્ટ્રીય વ્યાપારીઓ ચીનનું સસ્તું કાપડ મોટા પાયે બાંગ્લાદેશમાં ઠાલવે છે, ત્યાં કાપડમાંથી રેડીમેડ ગારમેન્ટ બનાવીને બિલકુલ ફ્રી ભારતમાં ઘૂસાડી દેવાની મોડસ ઓપરેન્ડી સામે કેન્દ્રને કરાયેલી રજૂઆતો

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે કાપડ માટેનો ફ્રી ટેડ એગ્રીમેન્ટે ગેરલાભ ઉઠાવીને કેટલાક ભેજાબાજ વેપારીઓ દ્વારા વાયા બાંગ્લાદેશ દુનિયાભરમાંથી કાપડ ભારતમાં ઠાલવવામાં આવી રહ્યો છે. વાયા બાંગ્લાદેશ આ પ્રમાણે થઇ રહેલા કાપડના ઇમ્પોર્ટને પગલે સ્થાનિક એપેરલ મેન્યુફ્કચરર્સ કંપનીઓ મોટા આર્થિક ખાડામાં પડી રહી છે. બાંગ્લાદેશ એક ગરીબ દેશ અને પડોશી હોવાથી ભારતે બાંગ્લાદેશને સ્પેશ્યલ ટ્રીટમેન્ટ આપતા ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટ કર્યો હતો પણ એ એગ્રિમેન્ટએ ભારતના જ રેડીમેડ ગારમેન્ટસ ઉદ્યોગને પાયમાલ કરી રહ્યો છે. બાંગ્લાદેશના રસ્તે ભારતમાં ઠલવાતા તૈયાર વસ્ત્રો ઝીરો ડ્યૂટીથી આવે છે, ચીન વાયા બાંગ્લાદેશથી આવતા આવા તૈયાર વસ્ત્રો સસ્તા દરે મળતા હોઇ ભારતના સ્થાનિક નાના અને મધ્યમ એપેરલ મેન્યુફેક્ચરર્સ મુશ્કેલી આર્થિક રીતે ખાડામાં ઉતરી રહ્યા છે.

(બાંગ્લાદેશની એપેરલ ફેક્ટરીની ફાઇલ તસ્વીર)

ગુજરાત અગ્રણી એપેરલ મેન્યુફેક્ચર સૂત્રો જણાવે છે કે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટમાં ફેરફાર કરવાનો તકાજો છે, ભારતના કાપડ ઉત્પાદકો માટે ઘરના છોકરા ઘંટી ચાટે અને ઉપાધ્યાયને આટો જેવો ઘાર્ટ સર્જાયો છે. એપેરલ ફિલ્ડમાં બાંગ્લાદેશ સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટને પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘મેક ઈન ઇન્ડિયા’નો હેતુ પણ સરતો નથી. મોટા રિટેલરો તો બાંગ્લાદેશમાંથી સસ્તો માલ ખરીદીને ભારતીય બજારમાં નાંખે છે.ચીનનું કાપડ બાંગ્લાદેશ જાય અને ત્યાંથી એપેરલ બનીને ડ્યુટી ફ્રી ભારતમાં ઠલવાય

ભારતના એપેરલ ઉદ્યાગકારો કહે છે કે બાંગ્લાદેશ સાથે ભારતનો એપેરલમાં ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટ છે એવું પામી ગયેલા ચીની ઉત્પાદકો હાલમાં મોટા પાયે બાંગ્લાદેશમાં પોતાનું કાપડ ડમ્પ કરી રહ્યા છે. બાંગ્લાદેશમાં જ ચીની કાપડમાંથી એપેરલ બનીને બાદમાં તેને ભારતમાં ઠાલવી દેવામાં આવે છે. આ આખું કારસ્તાન ફ્રી ટ્રેડ એટલે કે કોઇપણ પ્રકારના આયાત વેરા વગર કરવામાં આવી રહ્યું છે. ચીનનું કાપડ બાંગ્લાદેશમાં સસ્તા ભાવે જાય અને તેમાંથી એપેરલ બનીને ભારતમાં ડ્યૂટી ફ્રી હોવાને કારણે સસ્તા ભાવે ઠલવાય છે.

ભારતમાં બનેલા એપેરલ સ્પર્ધામાં ટકી રહે તેમ નથી. આ સંજોગોમાં ભારતના એપેરલ ઉદ્યોગને ટકાવવા સરકારે પગલાં લેવાં જરૂરી છે. ભારતમાં ટેક્સટાઇલ ઉદ્યોગ મોટા પાયે વિસ્તરેલો છે સૌથી વધુ રોજગારી ઉત્પન કરતું સેક્ટર છે, ત્યારે રોજગારીને ટકાવવા પણ કેન્દ્ર સરકાર આ દિશામાં પગલાં લે તે માટે એસોસિયેશને રજૂઆતો કરવામાં આવી છે.

છેલ્લાં બે વર્ષમાં બાંગ્લાદેશથી ભારતમાં એપેરલની આયાતમાં અસાધારણ ઉછાળો નોંધાયો છે. નાણાંકીય વર્ષ 2016-’17ની સરખામણીમાં 2017-’18માં બાંગ્લાદેશમાંથી આવતા એપેરલ્સમાં 115 ટકાનો તીવ્ર વધારો નોંધાયો છે.

ભારતમાં જીએસટી લાગુ થવા અગાઉ 16 ટકા કસ્ટમ ડ્યૂટી લાગતી હતી જે હવે આઇજીએસટીના નામે બાદ મળતાં હવે શૂન્ય ટકા ડ્યૂટી રહે છે. ચીનનું સસ્તું કાપડ એપેરલ બનીને ભારતમાં આવે છે જે અહીંના ઉદ્યોગો માટે ખતરાની ઘંટી સમાન છે. ભારત સરકાર એપેરલ ઉદ્યોગને બચાવવા અને તેના ઉપાયના ભાગ રૂપે ‘સર્ટિફિકેટ ઓફ ઓરિજન’ કે સંપૂર્ણ વેલ્યૂ એડિશન જેવાં નિયંત્રણો લાદવા જોઇએ એવો મત નિષ્ણાંતો આપી રહ્યા છે.

ભારતીય મોટા રિટેલર હવે બાંગ્લાદેશથી માલ મંગાવે તો ભારતમાં ઉત્પાદિત માલ કરતાં અન્યો સાથે સ્પર્ધામાં ટકી રહે તેવો હોય છે. તેથી તેઓ માલ ત્યાંથી મંગાવે છે, જેની વિપરીત અસર દેશમાં પડી રહી છે. સાથે જીએસટી આવવાની સાથે અન્ય દેશમાં કાઉન્ટરવેલિંગ ડ્યૂટી (સીવીડી) દૂર કરીને તેને બદલે જીએસટી લાગુ પડ્યો છે, જે હવે આઇજીએસટી નામે તેઓને બાદ મળે છે.

જીએસટી બાદ ટેક્સમાં છૂટ વધુ મળતાં હાલમાં મોટા રિટેલર જે અગાઉ ભારતમાંથી માલ લઈ રહ્યા હતા તે બાંગ્લાદેશથી લઈ રહ્યા છે, એટલું જ નહીં ભારત અને વિદેશના અમારા ગ્રાહકો હવે સીધા બાંગ્લાદેશથી સસ્તા એપેરલ મેળવી રહ્યા છે, આમ એપેરલના નાના ઉત્પાદકોનાં કામકાજ ઘટી રહ્યાં છે.

August 21, 2018
mbbs_1.jpg
1min14620

ધો.12 સાયન્સ કોમર્સના પરીણામો જાહેર થઇ ગયા પછી રાજ્યની કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયામાં અતિશય વિલંબ થયો છે અને તેનો ભોગ નિર્દોષ વિદ્યાર્થીઓએ બનવું પડશે.

MBBSમાં એડમિશનની વાત કરીએ તો આ વખતે ડોમિસાઇલ સર્ટિફિકેટની નવી સિસ્ટમ અમલી બનતા પ્રવેશ પ્રક્રિયામાં ભારે ગૂંચવાડો સર્જાયો છે અને MBBSમાં પ્રવેશ માટે ઉપજાવી કાઢેલા અને બોગસ ડોમિસાઇલ સર્ટિફિકેટ રજૂ કરનારા વિદ્યાર્થીઓના પ્રવેશ લેવા અંગે વાલીઓ જ પીછેહટ કરી રહ્યા છે અને તેને કારણે જ MBBS જેવા કોર્સમાં બે રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા પછી જનરલ ઓપન કેટેગરીમાં 120 સીટો ખાલી પડી રહી છે જ્યારે ઓબીસી એટલે કે બક્ષી પંચ, અધર બેકવર્ડ ક્લાસ કેટેગરીમાં 24 સીટો ખાલી પડી રહી છે.

ભૂતકાળમાં ઓપન કેટેગરીમાં બે રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા પછી એકેય સીટ ખાલી પડે તેવો પ્રસંગ જોવાયો નથી. આ વખતે ઓપન અને ઓબીસી બન્નેમાં આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. હાલમાં MBBSમાં મોપ અપ રાઉન્ડ ચાલી રહ્યો છે. તા.22મી ઓગસ્ટ સુધી મોપ અપ રાઉન્ડ હાથ ધરવામાં આવશે.

 

August 21, 2018
yog.jpg
1min5100

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથને 2007માં તેમણે આપેલું ઉશ્કેરણીજનક ભાષણ હવે ભારી પડી શકે તેમ છે. સુપ્રીમ કોર્ટે એવા સંકેત આપ્યા છે કે તેમની સામે ખટલો કેમ નહીં ચલાવવો

૨૦૦૭માં ગોરખપુરમાં એક કથિત હેટ સ્પીચ (નફરતભર્યું પ્રવચન) આપવા બદલ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સામે કેસ કેમ ન ચલાવવા જોઇએ તેવો સવાલ કરીને સુપ્રીમ કોર્ટે ચાર અઠવાડિયામાં રાજ્ય સરકાર પાસેથી જવાબ માગ્યો છે. યોગી ત્યારે ગોરખપુરમાંથી સાંસદ હતા અને તેમણે ભડકાઉ ભાષણો કર્યાનો આક્ષેપ છે. આ કેસની સુનાવણી ચાર અઠવાડિયા પછી કરાશે.

ચીફ જસ્ટિસ દીપક મિશ્રા, જસ્ટિસ એ એમ ખાનવિલકર અને જસ્ટિસ ડી વાય ચંદ્રચૂડની બનેલી બેન્ચે રાજ્ય સરકાર અને ગોરખપુરના કલેક્ટરને નોટિસ જારી કરી છે. અગાઉ અલ્હાબાદ હાઇકોર્ટે મુખ્યમંત્રી સામે કાનૂની કાર્યવાહી કરવાની અરજી ફગાવી દીધી હતી. એ પછી પિટીશનર રશીદ ખાને તેને સુપ્રીમમાં પડકારી છે.

યુપી સરકારે ૨૦૧૭માં મુખ્યમંત્રી સામે કામ ચલાવવા માટે જરૂરી મંજૂરી આપવાનો ઇનકાર કર્યો હતો. જાન્યુઆરી ૨૦૦૭માં આદિત્યનાથે કથિત રીતે ગોરખપુર રેલવે સ્ટેશનની બહાર એક પ્રવચન આપ્યું હતું. જેને કોમી હિંસા ભડકાવનારું ગણવામાં આવ્યું હતું. તેમના સ્પીચને પગલે પૂર્વી ઉત્તર પ્રદેશમાં અનેક સ્થળોએ હિંસા ફાટી નીકળી હતી.

August 21, 2018
us.jpg
1min5270

તર્લોક સિંહ તેમના યુએસના ન્યૂ જર્સી સ્થિત સ્ટોરમાં મૃત હાલમાં મળી આવ્યા હતા. તેમની છાતીમાં જીવલેણ ઘાથી તેમનું મોત થયાનું અનુમાન લાગવાઈ રહ્યું છે. છેલ્લા 3 અઠવાડિયામાં આ ત્રીજી ઘટના છે જેમાં યુએસમાં વસતા અલ્પસંખ્યક ભારતીય શિખોને ટાર્ગેટ કરી હુમલો કરવામાં આવ્યો હતો.

સૂત્રો મુજબ એક્સેસ કાઉંટી અભિયોજક કાર્યાલયે આને હત્યાનો મામલો ગણાવ્યો છે. જો કે હત્યા પાછળનો હેતુ હજુ સુધી જાણ શકાયો નથી. તેમના મિત્રો, પાડોશી અને સગાઓએ તેમને ખૂબ જ સરળ સ્વભાવના બતાવ્યા હતા. તેમના પરિવાર પત્ની અને બાળકો હાલમાં ભારતમાં રહે છે. તેમના પરિવારે ગંભીર સ્થિતિને જોતા સ્ટોર બંઘ કરી દીધો છે.

ભારતમાં રહેતા તેમના પરિવારને મદદરૂપ થવા માટે તર્લોક સિંહ પોતાનો સ્ટોર છેલ્લા 6 વર્ષથી ચલાવી રહ્યા હતા. આ ઘટનાથી શિખ સમુદાય ભારે હતાશ છે. નાગરિક અધિકાર સંગઠન શિખ કોલિશને ફેસબુક પર પોસ્ટ કરીને તર્લોક સિંહના પરિવાર, મિત્રો અને સ્થાનિક સમુદાયે દુ:ખની લાગણી વ્યક્ત કરી છે.

નોંધનીય છે કે આગળના બે હુમલા પણ શિખ સમુદાય પર થયા હતા. જેમાં ત્યાના લોકોમાં ભારતીયો માટેની ધૃણાની ઝલક દેખાઈ હતી.

August 21, 2018
gnete.jpg
1min5730

19 ઓગસ્ટ 2018ના રોજ તેઓ બાળકને જન્મ આપવા માટે હૉસ્પિટલમાં ગયાં ત્યારે તેમણે કાર કે અન્ય કમ્ફર્ટેબલ વેહિકલને બદલે સાઇકલ પર જવાનું પસંદ કર્યું હતું

new zeland

હજી થોડાક સમય પહેલાં જ ન્યુ ઝીલૅન્ડના વડાં પ્રધાન જેસિન્ડા ઍર્ડર્ને બાળકને જન્મ આપ્યો હતો, હવે આ જ દેશનાં મહિલાવિકાસ પ્રધાન અને ગ્રીન પાર્ટીનાં સંસદસભ્ય જુલી ઍન જેન્ટર પણ બાળકને જન્મ આપવાનાં છે. હાલમાં જુલીને પૂરા મહિના જઈ રહ્યા છે અને ગમે ત્યારે ડિલિવરી થાય એમ છે. જોકે તા.19મી ઓગસ્ટે તેઓ ડિલિવરી માટે હૉસ્પિટલમાં ગયાં ત્યારે તેમણે કાર કે અન્ય કમ્ફર્ટેબલ વેહિકલને બદલે સાઇકલ પર જવાનું પસંદ કર્યું હતું.

 

 

જુલીએ જાતે જ પોતાનો ફુલટર્મ પ્રેગ્નન્સી સાથે સાઇક્લિંગ કરતો ફોટોગ્રાફ સોશ્યલ મીડિયા પર શૅર કર્યો હતો. ઑકલૅન્ડ સિટી હૉસ્પિટલ તેમના ઘરથી એક જ કિલોમીટરના અંતરે હતી અને એ તેમણે સાઇકલ ચલાવીને પાર કર્યું હતું. તેમને ઑલરેડી ૪૨ અઠવાડિયાંની પ્રેગ્નન્સી થઈ ચૂકી છે એટલે દવાઓ દ્વારા ડિલિવરી ઈન્ડ્યુસ કરવી જરૂરી હતી.

 

August 21, 2018
Murder-Mystery-Logo.png
1min5220

શહેરાના સલાબતપુરામાં આવેલી તિરૂપતિ માર્કેટના પાછળના ભાગે યુવકની હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. યુવકના ગળાના ભાગે ચપ્પુના ઘા ઝીંકીને નિર્મમ રીતે હત્યા કરી દેવામાં આવી હોવાનું સામે આવતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.

સુરતના સલાબતપુરા વિસ્તારમાં એક યુવકને ચપ્પુના ઘા મારી હત્યા કરવામાં આવી હતી. તિરૂપતિ માર્કેટના પાછળના ભાગે યુવકની હત્યા કરવામાં આવી હતી. ગાળાના ભાગે ચપ્પુના ઘા મારી હત્યારા ફરાર થઈ ગયા હતાં. ઘટનાની જાણ પોલીસને થતાં ઉચ્ચ પોલીસ અધિકારીનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી. શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં છેલ્લા એક મહિનામાં આ આઠમી હત્યાનો બનાવ સામે આવતાં પોલીસની કામગીરી સામે લોકો સવાલો ઉઠાવી રહ્યાં છે. સુરતમાં હત્યાના બનાવો વધતા જાય છે. છેલ્લા એક મહિનામાં હત્યાના આઠ બનાવો બન્યા છે. તાજેતરમાં શહેરના વેદરોડ પર આવેલી ઇન્ડસ્ટ્રીઝના પ્લોટમાં રેતીના ઢગલામાંથી માનવલાશ મળી હતી. આ ઉપરાંત યુપીનો યુવક નોકરી માટે મુંબઈ જવા નીકળ્યો હતો. લૂંટારૂઓએ ચપ્પુ મારી હત્યા કરી રોકડ લૂંટ કરી હતી.

August 21, 2018
doll.jpg
1min6240

અમેરિકન ડોલર રૂપિયાના મૂલ્યમાં ઘટાડો અને બીજા વૈશ્વિક અર્થતંત્રમાં નરમાઈ મુખ્ય ચિંતાનો વિષય છે, પરંતુ આ ચિંતાને તમે મૂડીરોકાણની તક ગણીને ફાયદો ઉઠાવી શકો છો. રૂપિયાના મૂલ્યમાં ઘટાડો થાય છે ત્યારે આવકનો મુખ્ય સ્રોત નિકાસ હોય અથવા તો જેમનો વ્યવસાય યુએસ ચલણમાં મોટું રોકાણ ધરાવતો હોય એવા ક્ષેત્રને વધારે ફાયદો થાય છે.

ઇન્ફર્મેશન ટેક્‌નોલોજી અને ફાર્મા કંપનીઓ અમેરિકામાં મોટો બિઝનેસ ધરાવે છે, જેથી તેમને સૌથી વધુ લાભ થશે. આંકડાકીય માહિતી મુજબ આઇટી સેક્ટરની નિકાસ કુલ વેચાણના 88.6 ટકા છે અને ત્યાર બાદ નોન-ફેરસ ધાતુ અને હેલ્થકેર સેક્ટરની નિકાસ તેમના કુલ વેચાણના આશરે અનુક્રમે બાવન ટકા અને 51 ટકા છે.

છેલ્લાં બે વર્ષમાં ભારતીય અર્થતંત્રએ હરણફાળ ભરી છે અને તેને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં રૂપિયાના વેચાણ થકી વધારે ખર્ચ કરવામાં આવ્યો છે. વેપારખાધ અને સતત વધતા જતા ક્રૂડ ઓઇલના ભાવ રૂપિયા માટે ચિંતાનો વિષય છે. આવા સંજોગોમાં રૂપિયાની કટોકટીભરી અવસ્થામાં જે સ્ટોક સારો દેખાવ કરે અને સંબંધિત બેંચમાર્ક કરતાં વધારે વળતર આપે તેવા સ્ટોકને મહત્ત્વ આપવું જોઈએ.

ફાર્માસ્યુટિકલ્સનું બજાર સતત વધી રહ્યું છે. વર્તમાન માર્કેટના અહેવાલ અનુસાર 2021 સુધીમાં દુનિયાભરમાં દવાઓનો ખર્ચ 1.5 ટ્રિલિયન ડોલર થશે. આ સરેરાશ વાર્ષિક વૃદ્ધિદર તબીબી ખર્ચના ચારથી સાત ટકા અથવા ડોઝિસના 3 ટકા જેટલો છે. રાજકીય અનિશ્ચિતતા હોવા છતાં જનરલ હેલ્થકેરમાં યુએસ સૌથી વધુ વૃદ્ધિ નોંધાવશે જ્યારે ફાર્મા ક્ષેત્રનું ઊભરતું બજાર સમગ્ર દવાના વોલ્યુમના આશરે બે તૃતીયાંશની જરૂર પડશે.

August 21, 2018
gita.jpg
1min5400

બોમ્બે સ્ટોક એક્સ્ચેન્જ (BSE) અને નેશનલ સ્ટોક એક્સ્ચેન્જ (NSE) પર 10 સપ્ટેમ્બરથી ગીતાંજલિ જેમ્સ સહિતની નવ કંપનીઓમાં ટ્રેડિંગ સસ્પેન્ડ કરી દેવાનો નિર્ણય લેવાયો છે.  નિરવ મોદી અને તેના મામાના બહાર આવેલા કૌભાંડથી અત્યાર સુધી આ કંપનીઓને સ્ટોક માર્કેટમાં કામ કરવા દેવાયું એ પણ તપાસ માગી લે તેવો વિષય બન્યો છે.

ગીતાંજલિ જેમ્સ પીએનબીને અબજો રૂપિયાનો ચૂનો લગાવનારા મેહુલ ચોક્સીની કંપની છે.

સેબીએ કહ્યું છે કે જો આ પૈકી કોઈ કંપની LODR (લિસ્ટિંગ ઓબ્લિગેશન્સ એન્ડ ડિસ્ક્લોઝર રિક્વાયરમેન્ટ્સ) નિયમોનો અમલ ચોક્કસ સમયમર્યાદામાં કરશે તો તે કંપનીના શેરમાં ટ્રેડિંગ સસ્પેન્ડ નહીં થાય. બીએસઇના કિસ્સામાં આ સમયમર્યાદા ચાર સપ્ટેમ્બર છે, જ્યારે એનએસઇના કિસ્સામાં પાંચમી સપ્ટેમ્બર છે. આમ, વાસ્તવમાં આ તમામ નવ કંપનીમાં ટ્રેડિંગ સસ્પેન્ડ થશે કે કેમ તે પાંચમી સપ્ટેમ્બર પછી સ્પષ્ટ થશે.

યાદીમાં સમાવિષ્ટ અન્ય કંપનીઓમાં એમ્ટેક ઓટો, એસુન રેરોલ, પેનોરેમિક યુનિવર્સિલ એ ચાર કંપનીમાં BSE-NSE બન્નેમાં ટ્રેડિંગ સસ્પેન્ડ થઈ જશે. થમ્બી મોડર્ન સ્પિનિંગ મિલ્સ, ઇન્ડો પેસિફિક પ્રોજેક્ટ્સ, હરિયાણા ફાઇનાન્શિયલ કોર્પોરેશન, નોબલ પોલિમર્સ, સમૃદ્ધિ રિયલ્ટી પર બીએસઇમાં ટ્રેડિંગ સસ્પેન્ડ થઈ જશે.

રેગ્યુલેશન 33 નાણાકીય પરિણામોની રજૂઆત અંગેનો છે. બીએસઇના કહેવા પ્રમાણે આ નવ કંપનીઓ પૈકી સમૃદ્ધિ રિયલ્ટી અને નોબલ પોલિમર્સે તેમના નાણાકીય પરિણામ જાહેર કરી દીધાં છે, પરંતુ જરૂરી દંડ હજી જમા નથી કરાવ્યો. વળી, આ બન્ને કંપનીઓમાં પ્રમોટરોનું સંપૂર્ણ હોલ્ડિંગ 17 ઓગસ્ટથી સ્થગિત કરી દેવાયું છે.

એનએસઇએ પરિપત્ર જાહેર કર્યો છે, જેમાં તેણે કહ્યું છે કે જો કંપનીઓ LODR નિયમનું પાલન કરવામાં નિષ્ફળ જશે તો પાંચમી સપ્ટેમ્બરથી તેમના ઇક્વિટી શેરનું ટ્રેડિંગ સ્થગિત કરી દેવાશે. જ્યાં સુધી પાલન નહીં કરે ત્યાં સુધી આ સસ્પેન્શન ચાલુ રહેશે. વળી, સસ્પેન્શનના 15 દિવસ પછીથી શેરનું ટ્રેડિંગ ઝેડ ગ્રૂપમાં જ થઈ શકશે. મતલબ કે છ મહિના સુધી દર સપ્તાહના પ્રથમ દિવસે જ ટ્રેડિંગ થશે.

ઝેડ ગ્રૂપમાં એવી કંપનીઓ સામેલ છે, જેઓ લિસ્ટિંગના નિયમોનું પાલન કરવામાં નિષ્ફળ ગઈ છે અને/અથવા રોકાણકારોની ફરિયાદોનું નિવારણ કરવામાં નિષ્ફ‌ળ ગઈ છે અને/અથવા તેમની જામીનગીરીઓનું ડિમટિરિયલાઇઝેશન કરવા ડિપોઝિટરીઝ CDSL and NSDL સાથે જરૂરી વ્યવસ્થા નથી કરી.