CIA ALERT

Alert Archives - Page 484 of 519 - CIA Live

August 25, 2018
naik.jpg
5min11770

cialive@yahoo.com

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ જેમને બહુમુખી પ્રતિભા ગણાવીને વ્યાવસાયિક પ્રગતિ કરતા સામાજિક ઉત્થાન તેમજ વ્યક્તિગત પ્રતિભાને ધ્યાનમાં રાખીને જેમને પી.એચડી.ની માનદ ઉપાધી એનાયત કરી છે એવા લાર્સન એન્ડ ટોબ્રો કંપનીના નોનએક્ઝિક્યુટિવ ચેરમેન ડો.અે.એમ. નાયક એલ.એન્ડ.ટી.ની વાર્ષિક સાધારણ સભામાં તેમની સામે પૂછાયેલા સવાલોથી એટલા અકળાઇ ઉઠ્યા કે તેમણે કંપનીને જેમને માલિક કહેવાયા છે એવા શેરહોલ્ડરને જ હડધૂત કરીને સભા બહાર કરવાના આદેશ સિક્યુરિટી ગાર્ડસને આપવા પડ્યા હતા.

 

છેલ્લા કેટલાય વર્ષોથી એલ.એન્ડ.ટી. કંપનીમાં અંદરોઅંદર એટલા વિખવાદ ચાલી રહ્યા છે તે હવે સપાટી પર આવી રહ્યા છે. વય મર્યાદાને કારણે નિવૃત થઇ ચૂકેલા ડો.એ.એમ. નાયક 75 વર્ષની વયે પણ નોન એક્ઝિક્યુટિવ ચેરમેનની ખુરશી છોડી શક્તા નથી, ખુરશી ન છોડે એ વાત તો માની શકાય પરંતુ, હવે તેઓ તેમના પર્સનલ પ્રોજેક્ટ સાકાર કરવા માટે એલ.એન્ડ.ટી. કંપનીની મશીનરીનો ઉપયોગ કરી રહ્યા છે અને આ બાબત જ્યારે એલ.એન્ડ.ટી.ની વાર્ષિક સાધારણ સભામાં પૂછવામાં આવી ત્યારે તેઓ એટલા છંછેડાઇ ગયા કે તેમણે સવાલનો જવાબ આપવાની જગ્યાએ સવાલ પૂછનારાઓને જ સભા બહાર કરી દેવાનો આદેશ આપવો પડ્યો.

એલ.એન્ડ.ટી. કંપનીના શેર બાયબેક કરવાની વાત અને બીજો મુદ્દો તેમની પૌત્રી નિરાલીના નામે હોસ્પિટલ માટે કંપનીની જમીન આપવાની બાબત પર સવાલો પૂછવામાં આવતા એલ.એન્ડ ટી.ના નોન એક્ઝિક્યુટિવ ચેરમેન ડો.એ.એન. નાયક ભારે છંછેડાઇ ગયા હતા.

 

 

For readers in English

 

L&T AGM: AM Naik asks marshals to throw out shareholders for questioning his cancer hospital project on company land

The 73rd AGM of engineering giant Larsen & Tubro (L&T) today witnessed some unpleasant scenes with an irate group non-executive chairman AM Naik summoning security marshals to evict shareholders who questioned him for getting the company’s land to set up a cancer hospital in his granddaughter’s memory.

The drama began when Uday Dixit, a shareholder and an ex-employee of L&T, which is the only large company majority-owned by employees, questioned the rationale for the board to allow Naik to set up a super specialty cancer hospital at the Powai campus in memory of Nirali, Naik’s granddaughter who died of the dreaded disease as a child.

It may be noted that while announcing the hospital Naik had said it was “his monument and legacy to L&T”. Dixit and a few other shareholders said the land allotted for the proposed hospital was supposed to be a manufacturing facility of the company till 2019.

“The land belongs to the collector who has given the licence to the company for manufacturing till 2019. How can you demolish it? We are not fools. How can the structure be demolished before 2019 and build a hospital and residential units? Let shareholders know,” Dixit said.

To this Naik said L&T had paid the money for the land and so it belongs to the company.

To calm down the tempo, Managing Director and Chief Executive SN Subramanyan intervened saying, “we have done it as per the rules and regulations of the company as well as per the government norms. The hospital is not only for employees but also for the general public. “We have taken all the necessary permissions and so there is nothing illegal. Moreover, the land will continue to belong to L&T. We have all the documents and I am answering you with all responsibility,” Subramanyan said.

As the shareholders continued to interfere during the replies, Naik lost his cool and asked Dixit and others to shut up, angering the shareholders who demanded to be heard.

Marshals called in

Following this Naik called security marshals, saying “this is a shareholders’ meeting and not a forum for your individual grievances. Where is the security? Let others talk and if anyone interrupts unnecessarily, throw them out.”

Another shareholder wondered why Naik, who retired last September should continue to call the shots. “At 75, tell me Mr Naik, why can’t you sit at home and play with the kids.” This forced Subramanyan to intervene again and told the shareholders that “Naik has been with this company from nowhere to whatever he is today. And I hope all of you benefited during his tenure including four bonus issues and now a buyback and dividend. Now at 75, he has retired and is only a non-executive chairman.”

Some shareholders also did not like the 9,000-crore share buyback announced saying they will not wish to give up their shares and suggested that the company go for a rights issue.

One shareholder said he stands to lose if he gives up his shares for the money. “I would want to keep the shares for my future generation as I have been possessing L&T shares which originally belonged to my parents. If I retain them, I may earn higher returns in future.”

August 25, 2018
p3-1280x853.jpg
1min9080

Jayesh Brahmbhatt   98253 44944

પરિવર્તન ટ્રસ્ટની પ્રવૃત્તિઓ પરથી પ્રેરણા લઇને શહેરમાં વિકસેલા અનેક નાના જ્ઞાતિ, સમાજ, સમૂહો દ્વારા સામાજિક જનજાગૃતિ માટે જુદા જુદા કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા છે, એક સમાજમાંથી બીજા સમાજના લોકો પ્રેરણા લઇને રચનાત્મક તેમજ સકારાત્મક સહયોગથી સમાજના દરેક પરિવારોને આગળ વધારવામાં મદદરૂપ થાય એનાથી મોટી સિદ્ધિ બીજી કઇ હોઇ શકે.

શહેરના કાંઠા વિસ્તારમાં આવેલા કોળી પટેલ સમાજની બહુલ વસતિ ધરાવતા ગામડાઓમાં સામાજિક પરિવર્તન માટે સતત પ્રયત્નશીલ કાંઠા વિસ્તાર પરિવર્તન ટ્રસ્ટ દ્વારા ગઇ તા.15મી ઓગસ્ટ 2018ના રોજ સમાજના યુવા વર્ગને પ્રોત્સાહિત કરવા માટેનો એક ઉત્કૃષ્ઠ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં જુદી જુદી શાળાકીય, કોલેજ, યુનિવર્સિટીની પરીક્ષાઓમાં 65 ટકા કે તેનાથી વધુ ગુણ પ્રાપ્ત કરનારા વિદ્યાર્થીઓ, વિદ્યાર્થિનીઓને સમાજના આગેવાનોના હસ્તે જાહેરમાં સન્માનિત કરીને ટ્રોફી અર્પણ કરવામાં આવી હતી.

તદુપરાંત જુદા જુદા ક્ષેત્રો જેવા કે સ્પોર્ટસ, વ્યાવસાયિક તેમજ અન્ય ક્ષેત્રોમાં વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરનારા કોળી પટેલ સમાજના નવયુવાનોને પણ પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

કાંઠા વિસ્તાર પરિવર્તન ટ્રસ્ટના પ્રમુખ શ્રી પ્રકાશભાઇ કોન્ટ્રાક્ટરે સી.આઇ.એ.ને જણાવ્યું હતું કે દર વર્ષે તેઓ સમાજના વિદ્યાર્થીઓ તેમજ વિશિષ્ટ પ્રતિભાઓને સન્માન કરવાનો કાર્યક્રમ યોજે છે. આવા કાર્યક્રમોથી યુવાધન વધુ પ્રોત્સાહિત થાય છે. સમાજના યુવાનો પોતાના પરિવાર, સમાજ અને દેશ માટે કંઇક કરી બતાવે એ માટે તેમને પ્રોત્સાહિત કરવાની એક પણ તક અમે જતી કરવા માગતા નથી.

કાંઠા વિસ્તાર પરિવર્તન ટ્રસ્ટ દ્વારા આ ઉપરાંત વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમ, સ્કીલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ, સામાજિક રીત રિવાજોમાં સુધારા, લગ્નોત્સુક યુવક યુવતિઓનો પરિચય સમારો તેમજ પુસ્તિકા વિમોચન વગેરે પ્રકારના કાર્યક્રમો કરીને સામાજિક ઉત્થાન માટે સતત પ્રયાસો કરવામાં આવે છે.

પરિવર્તન ટ્રસ્ટની પ્રવૃત્તિઓ પરથી પ્રેરણા લઇને શહેરમાં વિકસેલા અનેક નાના જ્ઞાતિ, સમાજ, સમૂહો દ્વારા સામાજિક જનજાગૃતિ માટે જુદા જુદા કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા છે, એક સમાજમાંથી બીજા સમાજના લોકો પ્રેરણા લઇને રચનાત્મક તેમજ સકારાત્મક સહયોગથી સમાજના દરેક પરિવારોને આગળ વધારવામાં મદદરૂપ થાય એનાથી મોટી સિદ્ધિ બીજી કઇ હોઇ શકે.

 

August 24, 2018
wea1.jpg
1min7460

ગુજરાતમાં ટેક્સટાઇલ પોલીસી સુધારવા બાબતે આજે ફેડરેશન ઓફ ગુજરાત વિવર્સ વેલફેર એસોસીએશનના પ્રમુખ શ્રી અશોક જીરાવાળા તેમજ અન્ય મિત્રોએ કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખ માંડવીયા સમક્ષ મુદ્દાસર રજૂઆતો કરી હતી.

શ્રી અશોક જીરાવાળા તેમજ પ્રતિનિધિમંડળની રજૂઆતો હતી કે સુરતમાં અંદાજે 35થી વધુ તો વિવર્સ એસોસીએશ છે, જ્યાં સાડા છ લાખથી વધુ લૂમ્સ કાર્યરત છે અને તેના પર જ સુરતનો કાપડ ઉદ્યોગનો દારોમદાર રહેલો છે, પરંતુ, છેલ્લા કેટલાક વખતથી સરકારની નીતિઓને કારણે ટેક્સટાઇલ ઉદ્યોગની પરિસ્થિતિ અત્યંત કથળી છે અને આ ઉદ્યોગ પ્રોત્સાહનના અભાવે અન્ય રાજ્યમાં ઢસડાય જાય તેવી ભીંતી છે.

ફેડરેશન ઓફ વિવર્સ વેલફેર એસોસીએશન દ્વારા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાને અપાયેલા આવેદનપત્રમાં સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગકારો ખાસ કરીને વિવર્સને કનડતા ત્રણ ઇશ્યુઓ પર રજૂઆત કરવામાં આવી હતી. પહેલો મુદ્દો વીજળીના દરોને અનુલક્ષીને હતો. ગુજરાતમાં પ્રતિ યુનિટ રુ.7.50નો દર છે જ્યારે મહારાષ્ટ્રમાં પ્રતિ યુનિટ રૂ.3ના દરે વીજળી મળે છે, વિવર્સને સસ્તી વિજળી મળવી જોઇએ એવી રજૂઆત હતી.

બીજો મુદ્દો એ હતો કે મહારાષ્ટ્રમાં સ્ત્રી સશક્તિકરણના ભાગરૂપે અગર જો મહિલાનું એકમ હોય તો તેને પ્રતિ યુનિટ રૂ.1ના દરે વિજળી પૂરી પાડવામાં આવે છે, ગુજરાતમાં પણ મહિલાઓને પ્રોત્સાહિત કરવા માટે આવી યોજના દાખલ કરવી જોઇએ.

ત્રીજો મુદ્દો એ હતો કે મહારાષ્ટ્રમાં કેપિટલ ઇન્વેસ્ટમેન્ટમાં 35 ટકા સબસિડી મળે છે. ગુજરાતમાં શહેરી વિસ્તારમાં ફક્ત 10 ટકા અને ગ્રામીણ વિસ્તારમાં ફક્ત 15 ટકા સબસિડી આપવામાં આવે છે. તદુપરાંત કેપ યુનિટ જે રૂ.25 લાખ છે તેને પણ દૂર કરવાની રજૂઆત કરવામાં આવી હતી.

 

August 24, 2018
senior.jpg
1min11360

ભારતીય રેલવેમાં રિઝર્વેશન ટિકિટ માટે વિવિધ ક્વૉટા ફાળવવામાં આવ્યા છે અને સિનિયર સિટીઝન ક્વૉટા હેઠળ તેમને લૉઅર બર્થ ફાળવવાનું જરૂરી છે. આ ક્વૉટા હેઠળ એકલા પ્રવાસ કરનાર સિનિયર સિટીઝનને ટિકિટ ફાળવવામાં આવે, પરંતુ ખરા અર્થમાં સિનિયર સિટીઝન પ્રવાસીને આ લૉઅર બર્થ ક્વૉટાનો લાભ મળતો નથી અને એજન્ટ જ આ લૉઅર બર્થની સીટ ઈને કાળા બજાર કરતાં હોવાનો પ્રવાસી સંગઠને દાવો કર્યો હતો.

લાંબા અંતરની ટ્રેનોમાં પ્રવાસ કરતી વખતે જ્યારે સિનિયર સિટીઝનને જ લૉઅર બર્થ ન મળે ત્યારે જેટલી કફોડી સ્થિતિમાં વરિષ્ઠ નાગરિક મૂકાય છે એટલી જ કફોડી સ્થિતિ તેમના પરિવારની પણ હોય છે. હાલમાં મુંબઈનો જ એક પરિવાર આવી સ્થિતિનો સામનો કરી રહ્યો છે. આ બધા વચ્ચે પણ આઘાતજનક વાત તો એ છે કે દસ દિવસ પહેલાં જે મુંબઈ-રાજકોટ દુરંતો ઍક્સ્પ્રેસમાં આ પરિવારને તેમની સાથે સિનિયર સિટીઝન હોવા છતાં લોઅર બર્થ ફાળવવામાં આવી નહોતી એ જ ટ્રેનમાં છ દિવસ પહેલાં એજન્ટ પાસેથી ટિકિટ બુક કરાવનાર પરિવારને લૉઅર બર્થ સીટ ફાળવવામાં આવી છે.

આ અંગે આઈઆરસીટીસીના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે દરેક ટ્રેનમાં લૉઅરબર્થ સીટ ક્વૉટા હોય છે. આ ક્વૉટામાં એકલા પ્રવાસ કરનારા સિનિયર સિટીઝનને સીટ મળતી નથી, પણ એમાં એકલી પ્રવાસ કરનાર ૪૫ વર્ષની ઉપરની મહિલા કે ગર્ભવતી મહિલા કે પછી દિવ્યાંગ પ્રવાસીને નીચેની સીટ ફાળવવામાં આવે છે. ઉપરાંત જે પ્રવાસી એડવાન્સમાં આઈઆરસીટીસી પરથી સિનિયર સિટીઝન ક્વૉટામાં ટિકિટ બુક કરાવે છે ત્યારે તેમને લૉઅર બર્થ ફાળવવામાં આવે છે, પણ જ્યારે પ્રવાસી ગ્રુપમાં સીટ બુક કરાવે છે અને એ વખતે તેમની સાથે સિનિયર સિટીઝન પ્રવાસી હોય અને તેઓ સિનિયર સિટીઝન ક્વૉટા પર ક્લિક ન કરે ત્યારે તેમને જનરલ ક્વૉટામાં ટિકિટ ફાળવવામાં આવે છે.

કાઉન્ટર પરથી જ્યારે સિનિયર સિટીઝન પ્રવાસી ટિકિટ બુક કરે છે ત્યારે ફોર્મમાં સિનિયર સિટીઝન ક્વૉટાની કૉલમ હોય છે, જેના પર પ્રવાસીએ ટિક માર્ક કરવાનું હોય છે, જેથી તેમને રેલવે લોઅર બર્થ ક્વૉટામાં ટિકિટ ફાળવે છે.

જે પ્રવાસી દસ દિવસ પહેલાં ઓનલાઈન ટિકિટ બુક કરાવે તેને લોઅર બર્થ નથી ફાળવવામાં આવતી અને ત્યાર બાદ એજન્ટ પાસેથી ટિકિટ બુક કરાવનાર પ્રવાસીને લૉઅર બર્થ ક્વૉટામાં ટિકિટ ફાળવવામાં આવે તો આમાં ભૂલ કોની? દસ દિવસ પહેલાં ટિકિટ બુક કરાવનાર પ્રવાસીની કે પછી એજન્ટ પાસેથી ટિકિટ બુક કરાવનારા પ્રવાસીની?

રેલવેએ પોતે જ એવી સિસ્ટમ ડેવલપ કરવી જોઈએ કે જેમાં ૬૦ વર્ષની ઉંમરના પ્રવાસીઓને ઑટોમેટિકલી લૉઅર બર્થ સીટ મળી જાય.

August 24, 2018
nigerian.jpg
1min13010
દુબઇ એરપોર્ટ પરથી કેવી રીતે નાઇજીરીયન નાગરિક દોઢ કિલો જેટલા કોકેઇન સાથે પ્લેનમાં બેસી શક્યો એ સવાલનો જવાબ સમગ્ર કૌભાંડને ઉજાગર કરે તેમ છે
અમદાવાદ એરપોર્ટ પરથી દોઢેક કિલો કોકેઇન સાથે નાઇજિરીયન યુવાન જોહુ ની ધરપકડ કરવામાં આવી છે. સવાલ એ છે કે દુબઇથી અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા બાદ અમદાવાદથી ડોમેસ્ટીક ફ્લાઇટમાં દુબઇ જઇ રહેલા નાઇજિરીયન જોહુને જો અમદાવાદ એરપોર્ટ પર પકડી શકાયો તો દુબઇ એરપોર્ટ પરથી એ કેવી રીતે પ્લેનમાં બેસી શક્યો, નશીલા પદાર્થોની હેરાફેરી માટે સખત કાયદાઓ ધરાવતા દુબઇના એરપોર્ટમાં દોઢ કિલો કોકેઇન સાથે ઘૂસી જ કેવી રીતે શકાય એ સવાલ ઉપસ્થિત થાય છે. નાઇજિરીયન નાગરિકની પાછળ આંતર રાષ્ટ્રીય ડ્રગ માફિયાઓ કામ કરતા હોવાના દાર્શનિક પુરાવાઓ મળી રહ્યા છે.
ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ડ્રગ્સની હેરાફેરી કરવાના કિસ્સા વધી રહ્યા છે. આવા જ એક કિસ્સામાં અમદાવાદના ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી કોકેઇનની હેરાફેરીનું કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું છે. દુબઈથી આવેલા અને મુંબઈ જઈ રહેલા એક નાઇજિરિયન મુસાફરના પેટમાંથી કોકેઇનની 23 કેપ્સ્યુલ મળી આવી હતી. જેનું વજન 448 ગ્રામ અને જેની કિંમત રૂ.67 લાખ 20 હજાર મનાય છે.
નાઇજરીયન નાગરિકની ઘનિષ્ઠ તપાસ દરમિયાન તેના સામાનમાંથી કોકેઇનની 29 કેપ્સ્યુલ મળી આવી હતી જેનું વજન 580 ગ્રામ 750 મિલીગ્રામ અને જેની કિંમત 87,11,250 ગણાય છે. આમ આ નાઇજિરિયન નાગરિક ઝોહુ એલેક્સિસ પાસેથી કોકેઇનનો કુલ 1 કિલો 450 ગ્રામ 480 મિલીગ્રામ જથ્થો મળી આવ્યો હતો. જેની કુલ બજાર કિંમત રૂ.2 કરોડ 17 લાખ ,57,200 થવા જાય છે. આ નાઇજિરિયન નાગરિકની ધોરણસર અટક કરી તા.27 ઓગસ્ટ સુધીના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે.
એલેક્સિઝ નામનો એક નાઇજિરિયન નાગરિક રાત્રે દુબઈની ફ્લાઇટમાં અમદાવાદ આવ્યો હતો અને મંગળવારે સવારે જેટ એરવેઝની ફ્લાઇટમાં મુંબઈમાં જવા માટે નીકળ્યો હતો. મુંબઈ જવા માટે સિક્યોરિટી એરિયામાંથી ચેકિંગ કરાવીને બહાર નીકળતો હતો, તે સમયે તેની મેટલ ડિટેક્ટર દ્વારા તપાસ કરવામાં આવી હતી.
એ મુસાફરના પેટમાં કઇંક શંકાસ્પપદ વસ્તુ હોવા અંગે શંકા જતા મેડિકલ તપાસની કાર્યવાહી માટે સી.આઇ.એસ.એફ.ના ઇન્સ્પેક્ટર સતીશ્રા ચૌધરીને સોંપ્યો હતો. એરપોર્ટ પોલીસ સ્ટેશનના પીએસઆઇ ડી.બી.પ્રજાપતિ આ નાઇજિરિયન નાગરિકને મેડિકલ ચેકઅપ માટે સિવિલ હોસ્પિટલ લઇ ગયા હતા. જ્યાં તબીબો દ્વારા તેના શરીરની ચકાસણી કરવામાં આવી હતી.
આ ચકાસણી દરમિયાન તેના ગુદાના ભાગેથી પ્રથમ ઇંડા આકાર જેવી સફેદ કલરની 9 મોટી કેપ્સ્યુલ કાઢી હતી. ત્યારબાદ જરૂરી દવાઓ આપી થોડીવાર પછી ગુદાના ભાગેથી જ બીજી 14 મોટી કેપ્સ્યુલ કાઢી હતી. આ બધી કેપ્સ્યુલની અંદર ડ્રગ્સ હોવાનું શકદાર નાઇજિરિયન ઝોહુ એલેક્સિસે જણાવ્યું હતું. જેથી એસઓજીના એસીપી, એફએસએલ અને એનસીબીના અધિકારીઓનો કાફલો સિવિલ હોસ્પિટલ દોડી ગયો હતો. એફએસએલના અધિકારીઓની ચકાસણીમાં આ કેપ્સ્યુલમાં માદક પદાર્થ કેકોઇન હોવાનું ખૂલ્યું હતું. આ અંગે એસ.ઓ.જી.ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
August 24, 2018
cpr1-1280x720.jpg
1min7590

શહેરના રિંગ રોડ ટેક્સટાઇલ માર્કેટ વિસ્તારમાં પાર્કિંગની વકરી રહેલી સમસ્યા અને તેના પર હાલ ચાલી રહેલા વિવાદ વચ્ચે સુરત શહેર પોલિસ કમિશનર શ્રી સતીશ શર્માએ આજે બપોરે રિંગ રોડ પર ટેક્સટાઇલ માર્કેટ વિસ્તારમાં ગીચ માર્કેટ રોડ્સ પર રાઉન્ડ લીધો હતો.

પોલીસ કમિશનર શ્રી શર્મા તેમની ટીમ સાથે જે જે માર્કેટ નજીક પાર્કિંગની સમસ્યા સર્જાઇ રહી છે ત્યાં પગપાળા ચાલીને ગયા હતા. તેમણે સમગ્ર પશ્ન અંગે સવાલો કરીને જાત માહિતી મેળવી હતી.

અત્રે એ ખાસ નોંધનીય છે કે ટેક્સટાઇલ માર્કેટ વિસ્તારમાં પાર્કિંગની જગ્યાઓ કવર કરી દેવામાં આવી છે અને વ્યાપારીઓ તેમજ મુલાકાતીઓ રોડ પર વાહનો પાર્ક કરી રહ્યા હોઇ, શહેરના હાર્દ સમા રિંગ રોડ  વિસ્તારમાં ટ્રાફિકની ભારે સમસ્યા સર્જાય રહી છે.

સુરત શહેર મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનર બન્ને સંકલન સાધીને હાલમાં આ મુદ્દાને ઉકેલવાનો પ્રયાસ કરી રહ્યા છે.

August 24, 2018
gurudas-kamat-mumbai-chembur-charai-.jpg
1min5950

ગઇ તા.23મી ઓગસ્ટ 2018ના દિવસે મુંબઇના ચેમ્બુરની સ્મશાનભૂમિમાં કૉન્ગ્રેસના સિનિયર લીડર ગુરુદાસ કામતના અંતિમ સંસ્કાર સમયે સ્મશાનભૂમિમાં લગાડવામાં આવેલી એક તકતીએ લોકોને જબરદસ્ત મોટો આંચકો આપ્યો હતો. આજથી 9 વર્ષ અગાઉ જે સ્મશાનભૂમિનું નૂતનીકરણ અને લોકાર્પણ જે દિવસે (તા.23મી ઓગસ્ટ 2009) ગુરુદાસ કામતના ફન્ડમાંથી અને તેમના હસ્તે કરવામાં આવ્યું હતું એ જ સ્મશાનભૂમિમાં નવ વર્ષ પછી એ જ (23મી ઓગસ્ટ 2018) તારીખે ગુરુદાસ કામતના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

હસુ અડવાણી ચરઈ હિન્દુ સ્મશાનભૂમિ BMC સંચાલિત છે. આ સ્મશાનભૂમિનું નૂતનીકરણ ૨૦૦૯ની સાલમાં સંસદસભ્ય અને કેન્દ્રીય પ્રધાન તરીકે ગુરુદાસ કામતના ફન્ડમાંથી જ કરવામાં આવ્યું હતું. એથી નૂતનીકરણ બાદ સ્મશાનભૂમિનું લોકાર્પણ પણ ગુરુદાસ કામતના હસ્તે ૨૦૦૯ની ૨૩ ઑગસ્ટે કરવામાં આવ્યું હતું. લોકાર્પણ કરવામાં આવ્યું એ દિવસે ૨૩ ઑગસ્ટ હતી, આજે નવ વર્ષ પછી ૨૩ ઑગસ્ટના જ દિવસે એ જ સ્મશાનભૂમિમાં ગુરુદાસ કામતના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

August 24, 2018
china-1.jpg
1min4090

અમેરિકા અને ચીન વચ્ચેના ટ્રેડ-વૉરમાં હવે વધુ સંઘર્ષ ન થાય એ માટેની વાટાઘાટો ચાલુ છે ત્યારે અમેરિકાએ ચીન દ્વારા પોતાની ટૅક્નોલોજીની બેફામ ચોરી થઈ રહી હોવાનું જણાવીને ચાઇનીઝ માલ પર બીજા ૧૬ અબજ ડૉલરની આયાત ડ્યૂટી લાદી છે.

ચીને એવું જણાવ્યું છે કે અમેરિકાએ હાર્લી મોટર સાઇકલો, બૉનબોન તથા ઑરેન્જ જ્યૂસ સહિતની સંખ્યાબંધ પ્રોડક્ટોને ટાર્ગેટ કરીને તોતિંગ ડ્યૂટી લાદી છે. અમે એટલી જ સંખ્યાની અમેરિકી પ્રોડક્ટો પર ડ્યૂટી લાદીને તાત્કાલિક વળતો જવાબ આપીશું. વિશ્ર્વના આ બે મોટા રાષ્ટ્રો વ્યાપક અસર પાડનારી ટ્રેડ-વૉર અંગે પહેલીવાર મંત્રણા યોજી રહ્યા છે ત્યારે અમેરિકાએ આ ધડાકો કર્યો છે. ટ્રમ્પે અમેરિકાની વેપાર ખાધ ઘટાડવા આક્રમક વ્યાપારી પગલાં લીધા છે, પરંતુ અમેરિકાના ટ્રેડિંગ પાર્ટનરો આક્રમકતાપૂર્વક તેનો વિરોધ દર્શાવીને પ્રત્યારોપ કર્યા છે. તેમના મત મુજબ આ પગલું અમેરિકી ખેડૂતો, ઉત્પાદકો અને ગ્રાહકોને માટે નુકસાનકર્તા છે. અમેરિકાના બિઝનેસ હાઉસો ઉત્પાદકો માટે ભાવ વધારનારી અને દેશના અર્થતંત્રને નુકસાન પહોંચાડનારા ટેરિફ વિશે ખૂબ ચિંતિત છે. હજી બીજા ૨૦૦ અબજ ડૉલરના ચાઇનીઝ માલ-સામાન પર નવી ડ્યૂટીની સંભાવના છે જે વિશે આ અઠવાડિયે જાહેર સુનાવણીઓ થઈ રહી છે. આ ઉપરાંત ટ્રમ્પે તમામ ઑટો આયાત પર ૨૫ ટકાના ટૅક્સનું સૂચન કર્યું છે.

August 23, 2018
cbse1.jpg
1min12970

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (સીબીએસઈ) એ 2020 થી ધો.10 અને ધો.12ની પરીક્ષાઓની પ્રશ્નપત્ર પેટર્ન બદલવાની યોજના ધરાવે છે, જેમાં સુધારણાના ભાગરૂપે વ્યાવસાયિક વિષયના પરીક્ષણો ફેબ્રુઆરીમાં અને શક્ય એટલી ઝડપથી તેના પરિણામ જાહેર કરવાની બાબતો પ્રાથમિકતા પર છે.

 

સેન્ટ્રલ બોર્ડના સૂત્રોએ જણાવ્યું હતું કે નવી પરીક્ષા પદ્ધતિ કહો કે પેટર્ન વિદ્યાર્થીઓની વિશ્લેષણાત્મક ક્ષમતાઓ (એનાલિટીકલ) પરીક્ષણ કરશે અને ગોખણપટ્ટી કરીને માર્ક લાવવાની બાબત પર બ્રેક લગાડશે.

સેન્ટ્રલ બોર્ડના પ્રશ્નપત્રના પ્રશ્નોમાં સમસ્યા હલ કરવાની બાબત (પ્રોબ્લેમ સોલ્વિંગ) પર પ્રાથમિકતા હશે. 1 થી 5 માર્ક સુધીના ટૂંકા જવાબો ધરાવતા સવાલો વધુ પ્રમાણમાં પ્રશ્નપત્રમાં સામેલ કરવામાં આવશે. તણાવજનક સ્થિતિમાં વિદ્યાર્થીઓ સ્વયં નિર્ણાયક વિચાર કરી શકે અને પોતાની ક્ષમતા આધારે જવાબ આપી શકે તેવા પ્રશ્નો સામેલ કરાશે. વિદ્યાર્થીઓ પોતાની સમજશક્તિ અનુસાર પ્રશ્નોના જવાબો આપે નહીં કે ગોખણપટ્ટી કરીને પૂરેપૂરા માર્કસ મેળવે એ પ્રકારનું પ્રશ્નપત્ર તૈયાર કરવામાં આવશે.

સેન્ટ્રલ બોર્ડ 2020થી પ્રશ્નોના પેટર્નમાં ફેરફારો કરવાની યોજના પર હાલ કામગીરી કરી રહ્યું છે. સેન્ટ્રલ બોર્ડ માર્ચ માસમાં તમામ પરીક્ષાઓ પૂર્ણ કરવા તેમજ મૂલ્યાંકન માટે વધુ સમય આપવા અને પરિણામોને શક્ય એટલા વહેલા જાહેર કરવાનું વિચારી રહ્યું છે.

સેન્ટ્રલ બોર્ડના બે ભાગમાં પરીક્ષાઓ – વ્યવસાયિક અને બિન-વ્યાપારી વિષયોને સુનિશ્ચિત કરવાની સંભાવના છે. “વ્યાવસાયિક વિષયો માટેની પરીક્ષાઓ, જ્યાં વિદ્યાર્થીઓની સંખ્યા નોંધપાત્ર રીતે ઓછી છે, ફેબ્રુઆરીમાં હાથ ધરવામાં આવી શકે છે જેથી અન્ય વિષયો માટેની પરીક્ષાઓ માર્ચ મહિનામાં લગભગ 15 દિવસમાં પૂર્ણ થઈ શકે છે,” અધિકારીએ જણાવ્યું હતું.

સીબીએસઈ તેના પેટા-નિયમોને બદલવાનો પણ પ્રયાસ કરી રહી છે જે શાળાઓ માટે જોડાણના નિયમો પર અસર કરશે. સૂચિત બાયલો શાળાઓના શૈક્ષણિક ગુણવત્તા પર વધુ ભાર મૂકે છે, જેમ કે શિક્ષકોની ગુણવત્તા, શિક્ષણના પરિણામો અને શિક્ષણ શાસ્ત્ર. બોર્ડ શાળાના ભૌતિક માળખાકીય નિરીક્ષણનું સંચાલન કરશે નહીં, જેના માટે તે શાળાઓના માન્યતા આપતા સંબંધિત રાજ્યના શિક્ષણ / શાળા શિક્ષણ વિભાગોના ડિરેક્ટોરેટના અહેવાલો પર આધારિત હશે.

 

 

 

August 23, 2018
vasundhra_750_1534868510_618x347.jpeg
1min5460
રાજસ્થાનમાં હાલ મુખ્યમંત્રી વસુંધરા રાજે દ્વારા કાઢવામાં આવી રહેલી ગૌરવ યાત્રામાં લખલૂંટ અને બેફામ ખર્ચ કરવામાં આવી રહ્યો હોવા સંદર્ભે રાજસ્થાન હાઈકોર્ટમાં એક રીટ પીટીશન થઇ છે. જેમાં અરજી કરનારે આરોપ લગાવ્યો હતો કે, વસુંધરા રાજેની યાત્રામાં સરકારી મશીનરીનો દુરપયોગ કરવામાં આવ્યો છે.
જેના અનુસંધાને રાજસ્થાન હાઈકોર્ટે ભાજપના પ્રદેશ પ્રમુખ મંડળ લાલ સૈનીને પાર્ટી તરફથી કરાયેલી ખર્ચ અંગે સોગંદનામું દાખલ કરવા આદેશ કર્યો હતો.
ભાજપ દ્વારા રાજસ્થાનના મુખ્યમંત્રી વસુંધરા રાજેની ૪ ઓગષ્ટથી ૧૦ ઓગષ્ટ દરમિયાન યોજાયેલી ગૌરવ યાત્રા માટે રૂપિયા એક કરોડથી વધુનો ખર્ચ કર્યો હોવાની વિગતો સાંપટી છે. પ્રથમ તબક્કાની ગૌરવયાત્રામાં ઉદયપુર-મેવાડ ક્ષેત્રની ૨૩ વિધાનસભા બેઠકમાં પ્રચાર કર્યો હતો. ગોરવયાત્રામાં વસુંધરા રાજેના રથના બ્રાંડિગ માટે ૧.૭૫ લાખ ખર્ચ્યા, ઇંધણના રૂ. ૧.૪૦ લાખ  તેમજ  અન્ય પરચૂરણ ખર્ચ્યા હતાં. જોકે, મીડિયા અહેવાલ અનુસાર ભાજપે ગૌરવ યાત્રા માટે ૧.૧૦ કરોડનો ખર્ચ કર્યો છે. જેમાં ૪૧.૩૦ લાખ રૂપિયા ટેન્ટ હાઉસ, ૩૮.૯૮ લાખ રૂપિયા પબ્લિસિટી, જેમાં બેનર્સ અને કટઆઉટ સામેલ છે અને ૨૫.૯૯ લાખ રૂપિયા જાહેરાતનો ખર્ચ થયો. ભાજપા પ્રદેશ એકમે જણાવ્યું કે, ૧૬ હજાર રુપિયા પેન ડ્રાઈવ માટે ખર્ચવામાં આવ્યા, એનો ઉપયોગ વસુંધરા રાજેની ગૌરવ યાત્રા દરમિયાન ગીત વગાડવા માટે થયો.
જ્યારે, ૩,૫૦,૦૦૦નો ખર્ચ ગીત કમ્પોઝ કરવા માટે થયો. માસ્ક માટે ૨૦ હજાર અને ભગવા-લીલા રંગના મફલર માટે ૬૩ હજાર રૂપિયાનો ખર્ચ કર્યો. પાર્ટીએ સ્ટીકલ માટે ૨૬ હજાર, ઝંડા માટે ૧.૧૭ લાખ રૂપિયા સહિતનો ખર્ચ કર્યો હતો. ભાજપે હાઈકોર્ટમાં સોગંધનામું કરીને કહ્યું કે, ગૌરવયાત્રાનો ખર્ચ પાર્ટી એકમ દ્વારા કરવામાં આવી રહ્યો છે.