CIA ALERT

Alert Archives - Page 483 of 512 - CIA Live

August 17, 2018
712649-atal-bihari-vajpayee-1.jpg
1min10420

 

1942 : ભારત છોડો ચળવળમાં જોડાયા, સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન જેલવાસ.

1951 : અગાઉના જનસંઘના સ્થાપક-સભ્ય.

1957 : જનસંઘના નેતા બન્યા, 1957માં લોકસભામાં ચૂંટાયા.

1962 : રાજ્યસભામાં ચૂંટાયા.

1968 : ભારતીય જનસંઘના પ્રમુખ (1968-1973)

1975 : કટોકટી દરમિયાન ઘરમાં નજર કેદ રખાયા.

1977 : પ્રથમ બિન કૉંગ્રેસી વિદેશ પ્રધાન બન્યા.

1979 : સંયુક્ત રાષ્ટ્રસંઘમાં પ્રથમવાર હિન્દીમાં યાદગાર ભાષણ.

શ્યામા પ્રસાદ મુખરજીના મૃત્યુએ પત્રકાર વાજપેયીને રાજકારણી બનાવ્યા

દેશના મહાન વડા પ્રધાનોમાંના એક અને દિગ્ગજ રાજનેતા અટલ બિહારી વાજપેયી એક સફળ પત્રકાર પણ હતા. પોતાની કરિયરના પ્રારંભિક તબક્કામાં વાજપેયી અને ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી પત્રકાર હતા. અટલજીના રાજકારણમાં પ્રવેશવા પાછળ એક પ્રેરણાદાયક ઘટના છે.

એક સ્કૂલ ટીચરના ઘરે જન્મેલા વાજપેયીએ પોલિટિકલ સાયન્સમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યા બાદ પત્રકારત્વમાં પોતાની કરિયરની શરૂઆત કરી હતી. તેમણે રાષ્ટ્રધર્મ, પાંચજન્ય અને વીર અર્જુન જેવાં અખબારો-મૅગેઝિનોનું સંપાદન કર્યું. નાનપણથી જ તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયેલા હતા અને આ સંગઠનની વિચારધારાની અસરને કારણે જ તેમનામાં દેશ માટે કંઈ કરી છૂટવાની, સામાજિક કાર્ય કરવાની ભાવના પ્રબળ બની હતી. આના માટે પત્રકારત્વ યોગ્ય માર્ગ જણાતાં તેઓ પત્રકાર બની ગયા.

વાજપેયીના પત્રકારમાંથી રાજકારણી બનવા પાછળ એક મહત્ત્વની ઘટના કારણભૂત હોવાનું કહેવાય છે. આ સંદર્ભે ખુદ વાજપેયીએ તેમના એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું.

ઈન્ટરવ્યૂમાં વાજપેયીએ જણાવ્યું હતું કે પત્રકાર તરીકે તેઓ પોતાની ફરજ યોગ્ય રીતે બજાવી રહ્યા હતા. 1953માં ભારતીય જનસંઘના નેતા ડૉ. શ્યામા પ્રસાદ મુખરજી કાશ્મીરને વિશેષ દરજ્જો આપવાના વિરોધમાં હતા. જમ્મુ-કાશ્મીરમાં લાગુ કરાયેલી પરમિટ સિસ્ટમનો વિરોધ કરવા ડૉ. મુખરજી શ્રીનગર ગયા. પરમિટ સિસ્ટમ અનુસાર કોઈ પણ ભારતીયને જમ્મુ-કાશ્મીરમાં વસવાની મંજૂરી નહોતી. એટલું જ નહીં, બીજા રાજ્યની કોઈ પણ વ્યક્તિએ જમ્મુ-કાશ્મીરમાં જવા માટે સાથે ઓળખપત્ર રાખવાનું ફરજિયાત હતું. આનો વિરોધ કરી રહેલા ડૉ. મુખરજી પરમિટ સિસ્ટમ તોડી શ્રીનગર પહોંચી ગયા.

આ ઘટનાને કવર કરવા પત્રકાર તરીકે વાજપેયી પણ તેમની સાથે ગયા હતા. ઈન્ટરવ્યૂમાં વાજપેયીએ જણાવ્યું હતું કે પત્રકાર તરીકે હું તેમની સાથે હતો, પરંતુ તેમની ધરપકડ બાદ અમેે બધા પાછા આવી ગયા હતા. ડૉ. મુખરજીએ મને કહ્યું કે વાજપેયી, જાઓ અને દુનિયાને જાણ કરો કે હું કાશ્મીરમાં આવ્યો છું, એય કોઈ પરમિટ વગર.

આ ઘટનાના થોડા દિવસ બાદ જ નજરકેદમાં રહેલા ડૉ. મુખરજીનું બીમારીને કારણે નિધન થયું હતું. આ ઘટનાની વાજપેયી પર ખાસ્સી અસર થઈ. તેમને લાગ્યું કે ડૉ. મુખરજીના કામને આગળ ધપાવવું જોઈએ. પરિણામે તેમણે રાજકારણમાં પ્રવેશ કર્યો. 1957માં તેઓ પહેલી વાર સંસદસભ્ય બની લોકસભા પહોંચ્યા હતા.

1980 : પ્રમુખ, ભાજપ (1980-1986)

1984 : પોતાના વતન ગ્વાલિયરમાંથી લોકસભાની ચૂંટણીમાં હાર.

1992 : પદ્મવિભૂષણ ખિતાબની નવાજેશ.

1994 : લોકમાન્ય ટિળક પુરસ્કાર અને પંડિત ગોવિંદ વલ્લભ પંત એવૉર્ડ (શ્રેષ્ઠ સંસદસભ્ય)

1996 : વડા પ્રધાન બન્યા પણ તેમની સરકાર માત્ર 13 દિવસ રહી.

1998 : એનડીએ સત્તા પર આવતાં બીજી વાર વડા પ્રધાન બન્યા.

1998 : તેમની સરકારે મે, 1998માં પોખરણમાં સફળ અણુપરીક્ષણ કર્યું.

1999 : ફેબ્રુઆરી 1999માં પાકિસ્તાન સુધી બસ સેવા શરૂ કરી તેમના આપ્રયાસને બં દેશ વચ્ચેની પડતર સમસ્યાના નિરાકરણ માટે વાટાઘાટના નવા યુગના મંડાણ તરીકે વ્યાપક આવકાર મળ્યો.

ભારતે કારગિલ યુદ્ધ જીત્યું. ભારતની ધરતી પરથી ઘૂસણખોરોની પીછે હઠ કરવાની પરિસ્થિતિ ઊભી કરવાના સફળ પ્રયાસ બદલ સરાહના.

1999માં: 13 ઍપ્રિલે તેમની સરકારે વિશ્ર્વાસનો મત ગુમાવતાં રાજીનામું આપ્યું.

1999માં: તેમના પક્ષ અને યુતિ પક્ષને ફરી સત્તા મળતાં 13 ઑક્ટોબરે ત્રીજીવાર વડા પ્રધાનના હોદ્દે શપથ લીધા.

2001 : આગ્રા શિખર પરિષદમાં મુશર્રફ સાથેની મંત્રણા પડી ભાંગી.

2002 : પહેલીવાર સંસદના સંયુકત સત્ર બોલાવ્યા.

2004 : તેમનો પક્ષ ચૂંટણીમાં હાર્યો.

2005 : રાજકારણમાંથી નિવૃત્તિની જાહેરાત.

ડિસેમ્બર 25, 2014માં વાજપેયીના 90મા જન્મદિને ‘સુસાશન દિન’ તરીકે ઉજવણી કરાઈ.

માર્ચ 27, 2015- દેશના સર્વોચ્ચ ખિતાબ ભારત રત્નની નવાજેશ.

August 17, 2018
child.png
1min10850

બાળકો અને સગીરોને ગેરકાયદે અમેરિકા લઈ જવાના રૅકેટના કથિત સૂત્રધારને મુંબઈ પોલીસે ગુજરાતના અમદાવાદ શહેરમાંથી પકડી પાડ્યો હતો.

એક વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ આરોપી રાજેશ ઘમેલાવાલા (54) અને આ રૅકેટમાં સંડોવાયેલા શંકાસ્પદો માગ અનુસાર બાળકોને કથિત રીતે અમેરિકા મોકલાવતા હતા.

અંધેરીના વર્સોવા ખાતેના એક સલૂનમાં મેકઅપ માટે લાવવામાં આવેલી 11 અને 16 વર્ષની બે છોકરીને માર્ચ મહિનામાં પોલીસે છોડાવ્યા બાદ આ રૅકેટનો પર્દાફાશ થયો હતો. તે સમયે છોકરીઓ સાથે હાજર ચાર જણ અમીર ખાન (36), તજુદ્દીન ખાન (48), અફઝલ શેખ (38) અને રિઝવાન ચોટાની (39)ની ધરપકડ કરવામાં આવી હતી. છોડાવાયેલી બન્ને છોકરી ગુજરાતની વતની હતી.

ધરપકડ કરાયેલા ચાર આરોપીની પૂછપરછમાં રૅકેટના સૂત્રધાર તરીકે ઘમેલાવાલાનું નામ પ્રકાશમાં આવ્યું હતું. બે છોકરીને ગેરકાયદે અમેરિકા મોકલવાના પ્રયાસના કેસમાં તેને ફરાર જાહેર કરાયો હતો.

આરોપીઓએ આપેલી માહિતીને આધારે પોલીસની ટીમ ગુજરાતના અમદાવાદ શહેર પહોંચી હતી. 11 ઑગસ્ટે તેની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીને કોર્ટમાં હાજર કરવામાં આવતાં તેને 18 ઑગસ્ટ સુધીની પોલીસ કસ્ટડી ફટકારાઈ હોવાનું વર્સોવા પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટર રવીન્દ્ર બડગુજરે જણાવ્યું હતું.

ઘમેલાવાલાની અગાઉ 2007માં પાસપોર્ટ સંબંધિત કેસમાં ધરપકડ કરાઈ હતી. 2007થી ચાલતા આ રૅકેટમાં અત્યાર સુધીમાં 300 બાળકને અમેરિકા મોકલવામાં આવ્યા હોવાના અહેવાલ અંગે ઝોન-9ના ડેપ્યુટી પોલીસ કમિશનર પરમજીત સિંહ દહિયાએ જણાવ્યું હતું કે 300 બાળકોને મોકલવાની માહિતી ક્યાંથી આવી તેની અમને જાણ નથી. આ આંકડો અમે આપ્યો નથી. અમારા કેસમાં માત્ર બે બાળકનો ઉલ્લેખ છે, એવું તેમણે જણાવ્યું હતું.

બાળકદીઠ 45 લાખ રૂપિયા વસૂલવામાં આવતા હોવાના અહેવાલ અંગે દહિયાએ જણાવ્યું હતું કે બાળક માટે આરોપીઓ કેટલાક રૂપિયા લેતા હતા તે અંગે તપાસ ચાલી રહી છે.

August 16, 2018
kvpy1.jpg
5min7940

Jayesh Brahmbhatt 98253 44944

કેન્દ્ર સરકાર સંચાલિત કિશોર વૈજ્ઞાનિક પ્રોત્સાહન યોજના 2018માં તા.4 નવેમ્બરના રોજ લેવામાં આવશે. દેશભરમાં આવેલી ધો.11-12 વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી શકે છે અને તેમણે આપી જ જોઇએ.

કેવીપીવાય પરીક્ષાથી અનેક ફાયદા છે. વિદ્યાર્થીઓમાં રિસર્ચની પ્રવૃતિને પ્રોત્સાહન તો મળે જ છે સાથોસાથ કેન્દ્ર સરકારની સ્કોલરશીપ પણ મળે છે અને સાથેસાથે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સ એજ્યુકેશન એન્ડ રિસર્ચ જેવી સંસ્થામાં પ્રવેશ પણ પામી શકે છે.

કેવીપીવાય માટે એનરોલ કરાવવાની અંતિમ તા.31મી ઓગસ્ટ છે. કેવીપીવાય માટે રજીસ્ટ્રેશન ફક્તને ફક્ત ઓનલાઇન જ થઇ શકે છે. વધુ વિગતો નીચે મુજબ છે.

Application for KVPY-2018 must be done online only.

  • There are three steps to complete your application successfully.
  • Step 1. Registration
  • Step 2. Filling personal and academic details, choosing test centres and uploading photo, signature and other certificates, as applicable.
  • Step 3. Payment of application fees. Please note that you must pay the fee only at the KVPY application portal. This can be done by using a Credit Card, ATM-Debit Card or Net Banking. No other means of payment will be accepted.  Once the payment is successful and application is submitted, no refund of application fee will be done.
  • The application fees for KVPY-2018 are as follows:

          For General/OBC Category: Rs. 1000,  For SC/ST/PWD: Rs. 500 (Bank Charges extra)

  • It is strongly recommended that the candidates read the instructions given on the KVPY website carefully before attempting to fill  the online application. These steps are described in detailhere.

KVPY Aptitude Test 2018 will be held online in the following cities across India:

East: 

Patna (Bihar), Dhanbad, Jamshedpur, Ranchi (Jharkhand), Bhubaneshwar, Rourkela(Orissa), Naharlagun (Arunachal Pradesh), Guwahati, Tezpur (Assam), Shillong (Meghalaya), Agarthala (Tripura), Asansol, Burdwan, Durgapur, Kolkata, Siliguri (West Bengal)

North: 

Chandigarh (Chandigarh), Delhi (Delhi-NCR), Ambala, Faridabad, Gurgaon, Karnal, Kurukshetra (Haryana), Jammu (Jammu & Kashmir), Jalandhar, Ludhiana, Mohali, Patiala(Punjab), Ajmer, Jaipur, Jodhpur, Sikar (Rajasthan),  Agra, Allahabad, Ghaziabad, Greater Noida, Kanpur, Lucknow, Noida, Varanasi (Uttar Pradesh), Dehradun (Uttarakhand)

South:

 Rajahmundry, Tirupathi, Vijayawada, Visakhapatnam (Andhra Pradesh), Belagavi, Bengaluru, Bidar, Chikkamangaluru, Davanagere, Dharwad, Haliyal, Hassan, Hubballi, Kalburagi, Mandya, Mangaluru, Mysuru, Shivamogga, Udupi (Karnataka), Hyderabad(Telangana), Alappuzha, Ernakulam, Idukki, Kannur, Kasaragod, Kollam, Kottayam, Kozhikode, Malappuram, Palakkad, Pathanamthitta, Thiruvananthapuram, Thrissur (Kerala), Puducherry (Puducherry), Chennai, Coimbatore, Kanchipuram, Madurai, Nagercoil, Salem(Tamil Nadu)

West:

Panaji (Goa), Ahamedabad, Anand, Rajkot, Vadodra (Gujarat), Amaravati, Aurangabad, Kolhapur, Mumbai, Nagpur, Nashik, Navi Mumbai, Pune, Thane (Maharashtra), Bilaspur, Raipur  (Chhattisgarh), Bhopal, Indore (Madhya Pradesh)


PLEASE NOTE KVPY-2018 APTITUDE TEST WILL BE COMPLETELY ONLINE

Mock Computer Based Test of KVPY Aptitude Test – Click here

 

  • Note: As virtual calculators will be made available  at  the examination venue, as displayed in the mock link,  candidates are not allowed to carry calculators inside the examination hall.
Important Dates
Opening of online application portal : 11th July 2018 at 5.00 PM
Date for closing of online application : 31st  August 2018 at 5 PM
Download Admit card : Second week of October
Exam Date : 4th November 2018

Applications are invited from Indian Nationals. However, as per the Interim Order (Final Order awaited) of the Hon’ble High Court of Karnataka OCI/PIO students will be allowed to take up the KVPY Aptitude Test 2018.

Support Helpdesk Details
IF YOU REQUIRE ANY INFORMATION RELATED TO Application Form,

CALL ON 080 – 22932975/76, 080- 23601008 & 080 – 22933536

Email to applications.kvpy@iisc.ac.in

THE PHONE NUMBERS ARE AVAILABLE BETWEEN 10:00 AM AND 05:00 PM.

* Saturday and Sunday are Holidays.

August 16, 2018
download-2.jpg
1min13240

રાજ્ય સરકારે રાજ્યમાં આઇટી Information technology તથા તેની સાથે સંકળાયેલી સેવાઓ (ITES)ના બિઝનેસને હવે ઇન્ડસ્ટ્રીનો દરજજો આપ્યો છે. રાજ્ય સરકારે સૈદ્ધાંતિક રીતે આઇટી-ITESને ઉદ્યોગનો દરજ્જો આપવા આઇટી ઉદ્યોગો સાથે પત્રવ્યવહાર પણ કર્યો છે. હવે રાજ્ય સરકાર આ અંગે પરિપત્ર બહાર પાડીને ટૂંક જ સમયમાં સત્તાવાર જાહેરાત કરશે.

રાજ્ય સરકારે ગેસિયાને પત્ર લખીને આઇટી-આઇટીઇએસને ઉદ્યોગનો દરજ્જો પ્રાપ્ત થયો હોવાની જાણ કરી દીધી છે. આ પત્રમાં લેન્ડ રેવન્યુ કોડ, એલઆર એન્ડ ટાઉન પ્લાનિંગ એક્ટ, ગુજરાત મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટને સાંકળી લેવાશે. આ ઉદ્યોગને હોટલ ઉદ્યોગની સમકક્ષ ગણાશે કારણ કે તે ઉત્પાદનલક્ષી હોવા ઉપરાંત સ્પષ્ટ રીતે બિઝનેસ યુનિટ ગણી શકાય.

આઇટી કંપનીઓના એસોસિયેશન ગેસિયાના સૂત્રોના જણાવ્યા અનુસાર આઇટીને ઉદ્યોગનો દરજજો આપવા અંગે જણાવ્યું હતું કે, “આઇટી અને આઇટી સાથે સંકળાયેલી સેવાઓને ઉદ્યોગનો દરજ્જો આપવાનો નિર્ણય રાજ્ય સરકારે લઈ લીધો છે.

આ અંગે વધુ વિગતો સાથેનો જીઆર રાજ્ય સરકાર દ્વારા ટૂંક જ સમયમાં બહાર પાડવામાં આવશે અને તેમાં કઈ રીતે લાભ આપવામાં આવશે તેની વિધિવત્ જાહેરાત થશે. ત્યાર પછી વધુ કહી શકાય પરંતુ અમારા આઇટી ઉદ્યોગ દ્વારા અન્ય ઉદ્યોગોને જે સરકાર તરફથી લાભ મળે છે તે મળવા જોઈએ તેવી માંગ અમારા તરફે કરવામાં આવી છે અને તેમાં ઉદ્યોગોને રાજ્ય સરકારના ઔદ્યોગિક વસાહત-જીઆઇડીસીમાં જમીન ફાળવણી કે પાવર સબસિડી જેવા લાભ રોજગારી આપતા આ સેક્ટરને મળવા જોઈએ તેમ માનીએ છીએ.

સ્માર્ટ સિટીના પ્રોજેક્ટ પર કામ કરતી કંપની સોફ્ટવેર અને ટેક્‌નોલોજીના સમન્વયથી કામ કરે છે, તેવા સંજોગોમાં જેમ હોટેલ ઇન્ડસ્ટ્રી પ્રવાસન ઉદ્યોગનો ભાગ ગણાય છે તે જ રીતે આઇટી ઉત્પાદન અને સર્વિસિસને પણ આ નિર્ણયને પગલે ઉદ્યોગ તરીકે ગણના થશે.

August 16, 2018
Jio_Phone_2.png
1min13630

રિલાયન્સ જીઓ ગુરુવારે તેની વેબસાઇટ પરથી જીઓફોન2નું વેચાણ શરૂ કરશે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ તેના જીઓફનના યુઝર્સની સંખ્યા 10 કરોડે પહોંચાડવા માંગે છે. કંપનીએ એક યાદીમાં જણાવ્યું હતું કે, જીઓફોનનું નવું હાઈ-એન્ડ મોડલ જીઓફોન2 16 ઓગસ્ટે બપોરે 12 વાગ્યાથી ફ્લેશસેલમાં Jio.com પરથી ખરીદી શકાશે.

આ 4G ફોન QWERTY કી પેડ સાથે આવશે અને તેમાં ફેસબૂક, વ્હોટ્સએપ, યુ-ટ્યૂબ, ગૂગલ મેપ્સ જેવા એપ્સ ઉપરાંત જીઓ સિનેમા, જીઓચેટ, જીઓમ્યુઝિક જેવા વર્તમાન જીઓ એપ્સ હશે. રિલાયન્સ જીઓએ જીઓફોનનું પ્રથમ વર્ઝન ₹1,500ની રિફન્ડેબલ ડિપોઝિટમાં આપ્યું હતું પણ બીજું વર્ઝન ખરીદવા ગ્રાહકોએ સંપૂર્ણ રકમ આપવાની રહેશે.

ભારતમાં જીઓફોનના 2.5 કરોડથી વધુ યુઝર્સ છે. સાયબરમીડિયા રિસર્ચના જણાવ્યા પ્રમાણે 2017ના છેલ્લા ક્વાર્ટરમાં રિલાયન્સ જીઓની અમ્બ્રેલા બ્રાન્ડ LYF જીઓફોનને કારણે 27 ટકા બજારહિસ્સા સાથે માર્કેટ લીડર તરીકે ઊભરી આવી હતી. એ પછી 14 ટકા સાથે સેમસંગનો ક્રમ આવ્યો હતો.

August 16, 2018
bank.jpg
1min5740

કૉસ્મૉસ બૅન્કમાં થયેલી ૯૪.૪૨ કરોડ રૂપિયાની તફડંચી માટે બૅન્કની ઇન્ફર્મેશન ટેક્નૉલૉજીની ખામી જવાબદાર હોવાનું નૅશનલ પેમેન્ટ્સ કાઉન્સિલ ઑફ ઇન્ડિયા (NPCI)એ કહ્યું છે.

cosmos bank

કાઉન્સિલના રિસ્ક મૅનેજમેન્ટ વિભાગના વડા ભરત પંચાલે કહ્યું હતું કે ‘કાઉન્સિલની સિસ્ટમ સંપૂર્ણપણે સલામત છે. સાઇબર-હુમલાની આ ઘટના બૅન્કની પોતાની ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી સિસ્ટમમાં આવેલા માલવેરને લીધે થઈ છે. હુમલા મારફત મોટા ભાગના વ્યવહારો ભારતની બહાર થયા છે. કાઉન્સિલની સિસ્ટમ એકદમ સલામત છે. કૉસ્મૉસ બૅન્કની ઘટનાને પગલે સર્જા‍યેલી સમગ્ર પરિસ્થિતિ પર કાઉન્સિલ દેખરેખ રાખી રહી છે.’

August 16, 2018
hilsa-nepal.jpg
1min10450

જવલ્લે જ બનતી અત્યંત કરુણ ઘટનામાં મુંબઇના એક ગુજરાતી યુવાનનું હેલિકોપ્ટરના પાછળના ભાગે આવતા ટેઇલ રૉટરમાં કપાઇ જવાથી મૃત્યું થયું હતું. 42 વર્ષિય કાર્તિક મહેતા કૈલાશ માનસરોવરની યાત્રાના ભાગરૂપે હેલિકોપ્ટરથી નેપાળના હિલ્સા પહોંચ્યા હતા. જ્યાં હેલિકોપ્ટરમાંથી ઉતાર્યા બાદ તેઓ હેલિકોપ્ટરના પાછળના ભાગે અજાણતામાં પહોંચી ગયા હતા જ્યાં આ ઘટના બની હતી.

ભારતીય એમ્બેસીના એક અધિકારીએ જણાવ્યા પ્રમાણે મૃત્યુ પામેલા નાગરિક ૪૨ વર્ષના નાગેન્દ્ર કાર્તિક મહેતા છે અને તેઓ મુંબઈના રહેવાસી છે. તેઓ હેલિકૉપ્ટરમાંથી ઊતર્યા પછી અજાણતાં ચૉપરના પાછળના ભાગ તરફ જતા રહ્યા હતા ત્યારે તેમને ઝડપથી ફરતું ટેઇલ-રૉટર વાગ્યું હતું અને તેઓ ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા.

આ એક દુખદ ઘટના છે એમ જણાવતાં આ અધિકારીએ કહ્યું હતું કે ભારતીય દૂતાવાસ ટૂર-ઑપરેટરો સાથે સમન્વય કરી રહ્યું છે તેમ જ શક્ય એટલી મદદ કરી રહ્યું છે.

મનાંગ ઍર કંપનીના હેલિકૉપ્ટરમાં છ ભારતીય પ્રવાસીઓ હતા અને તેઓ બપોરે ૩.૧૮ વાગ્યે હિલ્સામાં પહોંચ્યા હતા. હેલિકૉપ્ટરમાંથી ઊતરતી વખતે અચાનક પાછળનો પંખો વાગવાથી નાગેન્દ્ર મહેતાનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. ડેડ-બૉડી પોસ્ટમૉર્ટમ માટે સિમિકોટ લઈ જવામાં આવી હતી. નેપાલના સિમિકોટ અને હિલ્સા દુનિયાના ઍર-રૂટથી જ જોડાયેલા છે.

આ બનાવ વિશે ઇન્સ્પેક્ટરે જણાવ્યું હતું કે ‘નાગેન્દ્ર મહેતા ઘણા ઊંચા હતા. તેમણે ઊતરતી વખતે કદાચ સાવચેતી નહીં રાખી હોય જેને કારણે આ અકસ્માત બન્યો હોઈ શકે.’

August 16, 2018
bar-council-of-gujarat.jpg
1min7150

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતનના ચેરમેન સહિત હોદ્દેદારોની ચૂંટણી આગામી તા 25મી ઑગસ્ટના રોજ યોજાશે.આ ચૂંટણીમાં વિજ્યી બનવા માટે તાજેતરમાં ભાજપ પ્રેરિત સમરસ પેનલની ગુપ્ત મિટિંગ મળી હતી.જેમાં 25મી ઑગસ્ટના રોજ યોજાનારા ચેરમેન,વાઇસ ચેરમેન સહિતના હોદ્દા માટેની તમામ સત્તાઓ પૂર્વે ચેરમેન અને ભાજપના ક્ધવીનર જે.જે.પટેલને સોંપવામાં આવી હતી.

 

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન સહિત હોદ્દેદારોની તા.25મી ઑગસ્ટના રોજ યોજાનારી ચૂંટણી ભારે રસાકસી ભરી બને એવી શક્યતા છે. ભાજપ પ્રેરિત સમરથ પેનલના સભ્યો તા.23મી ઑગસ્ટથી ગુજરાત બહાર જઈને વ્યૂહરચના ઘડનાર હોવાનું જાણવા મળે છે. ઉપરાંત બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયામાં સભ્યને 9મી સપ્ટેમ્બરના રોજ ચૂંટવા ચેરમેન સહતિની ચૂંટણી બાદ નક્કી કરવામાં આવશે.

છેલ્લા 20 વર્ષથી ભાજપ પ્રેરિત સમરસ પેનેલ ચૂંટાતી હોવાથી આ વખતે પણ ચૂંટાયેલા સભ્યોની ખાનગીમાં મિટિંગ રાખવામાં આવી હતી.જેમાં ચૂંટાયેલા 25 પૈકીના 20 સભ્યો હાજર રહ્યા હતા. બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયામાં સિનિયર સભ્ય અનિલ સી. કેલ્લા અથવા વિજય પટેલને મોકલી આપવા માટે તખતો ગોઠવવામાં આવી રહ્યો છે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી ગત તા.28મી માર્ચના રોજ યોજાઈ હતી. જે બાદ તેની મતગણતરી 13મી એપ્રિલના રોજ પૂર્ણ થઈ હતી. જો કે, આ પરિણામોને 10 જેટલા ઉમેદવારોએ ટ્રિબ્યુનલ સમક્ષ પડકાર્યું હતું. જેમાં એવી રજૂઆત કરી હતી કે, આ ચૂંટણીમાં ભારે ગેરરીતિ થઈ હોવાથી પરિણામ રદ કરવા જોઈએ.

August 16, 2018
ayush-759.jpeg
1min6040

આયુષ શર્મા લવરાત્રી ફિલ્મનું પ્રમોશન કરવા વડોદરામાં આવ્યો હતો. બોલીવૂડ સ્ટાર સલમાન ખાનના બનેવી આયુષ શર્માની પહેલી ફિલ્મ લવરાત્રી ખૂબ જ જલદી રિલીઝ થવાની છે. ફિલ્મ રિલીઝ પહેલાં લવરાત્રીના બંને લીડ એક્ટર આયુષ અને વરીના હુસેન વડોદરા શહેરમાં પહેલી વાર પ્રમોશન માટે પહોંચ્યાં, પરંતુ આ પ્રમોશન તેમના પર ત્યારે ભારે પડ્યું જ્યારે તા.13મી ઓગસ્ટ 2018ની રાત્રે પોલીસ તેમની હોટલ સુધી પહોંચી ગઇ હતી.

આયુષ શર્મા અને કો-સ્ટાર વરીના હુસેન ફિલ્મના પ્રમોશન માટે વડોદરા આવ્યાં હતાં અને હેલ્મેટ પહેર્યા વગર સ્કૂટી ચલાવી રહ્યાં હતાં. આયુષ અને વરીનાએ લગભગ પાંચ વાગ્યે હરણી ઍરપોર્ટથી લઇને સુરસાગર લેકની વચ્ચે હેલ્મેટ વગર સ્કૂટી ચલાવ્યું. આ બંને સ્ટારે તેમના ચાહકો સાથે વાતો પણ કરી. હેલ્મેટ પહેર્યા વગર સ્કૂટી ચલાવીને આ બંનેએ ટ્રાફિકનો નિયમ તોડ્યો અને આ બંનેની હેલ્મેટ વગરની તસવીર સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ ગઇ. આયુષ અને વરીનાની તસવીર વાઇરલ થતાં જ પોલીસ પણ એકશનમાં આવી અને સોમવારે રાત્રે એ હોટલમાં પહોંચી ગઇ, જ્યાં આયુષ શર્મા અને વરીના રોકાયાં હતાં. ત્યારબાદ પોલીસે તેમનું ચલણ ફાડ્યું અને બંને સ્ટારને 100-100 રૂપિયાનો દંડ ફટકાર્યો.

August 16, 2018
modi.jpg
1min12940

નરેન્દ્ર મોદી 23મી તારીખના તેમના તમામ કાર્યક્રમો પૂરા થયા બાદ સાંજે ગાંધીનગર ખાતે ભાજપના નેતાઓ સાથે ચર્ચા કરશે. આ માટે ખાસ ડિનરનું આયોજન કરવામાં આવ્યું છે. એક દિવસના પ્રવાસ દરમિયાન વડા પ્રધાન વલસાડ, જૂનાગઢ અને ગાંધીનગરમાં યોજાનાર વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. આ દરમિયાન તેઓ ભાજપના નેતાઓ સાથે ટૂંકી ચર્ચા પણ કરશે.

બેઠક દરમિયાન આગામી ચૂંટણીથી લઈને અનેક મુદ્દે ચર્ચા થવાની સંભાવના છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી તા. 23મી ઑગસ્ટે વલસાડ અને જૂનાગઢનો કાર્યક્રમ પૂરો થયા બાદ સાંજે ગાંધીનગર ખાતે ભાજપના નેતાઓ સાથે ચર્ચા કરશે. આ માટે ખાસ ડિનરનું આયોજન કરવામાં આવ્યું છે. ડિનર દરમિયાન વડા પ્રધાન લોકસભાની તૈયારીઓ, ગુજરાતની વર્તમાન રાજકીય પરિસ્થિતિ બાબતે ચર્ચા કરશે. તા.23મી ઑગસ્ટના નરેન્દ્ર મોદી સવારે 9.30 વાગ્યે સુરત ઍરપોર્ટ આવી પહોંચશે અહીં તેમનું સ્વાગત કરવામાં આવશે. સુરત ઍરપોર્ટ પરથી તેઓ સીધા હેલિકૉપ્ટર દ્વારા વલસાડ જવા રવાના થશે. અહીં યોજાયેલા કાર્યક્રમમાં બપોરના 12 વાગ્યા સુધી હાજરી આપશે. વલસાડમાં કાર્યક્રમ પૂરો કરીને તેઓ હેલિકૉપ્ટર મારફતે જ જૂનાગઢ જવા રવાના થશે. જૂનાગઢ ખાતે હૉસ્પિટલના ઉદ્ઘાટન કાર્યક્રમને પૂરો કરીને વડા પ્રધાન ગાંધીનગર જવા રવાના થશે. બપોરે 3 વાગ્યા બાદ તેઓ ગાંધીનગર એફએસએલના કાર્યક્રમમાં હાજરી આપશે.