CIA ALERT

Alert Archives - Page 456 of 512 - CIA Live

October 12, 2018
java_motorbike.jpg
1min6290

મહિન્દ્રા ગ્રૂપની કંપની ક્લાસિક લિજેન્ડ્સ પ્રા લિ આગામી મહિને ભારતમાં વીતેલા જમાનાની લોકપ્રિય મોટરસાઇકલ બ્રાન્ડ જાવાને ફરી લોન્ચ કરશે. ક્લાસિક લિજેન્ડ્સમાં મહિન્દ્રા ગ્રૂપ 60 ટકા હિસ્સો ધરાવે છે. તે 2018માં 15 નવેમ્બરે ત્રણ નવી પ્રોડક્ટ રજૂ કરશે. તે ભારતીય મોટર સાઇકલ સેગમેન્ટમાં 250 સીસીથી ઉપરના મેડ સેગમેન્ટમાં સક્રિય થવા માંગે છે.

જાવા બાઇક મધ્યપ્રદેશમાં મહિન્દ્રા ગ્રૂપના પિથમપુર પ્લાન્ટમાંથી રોલ આઉટ કરવામાં આવશે

કંપનીના અધિકારીએ કહ્યું કે અમે ત્રણ પ્રોડક્ટ સાથે બ્રાન્ડ રજૂ કરવા માંગીએ છીએ. અમે જાવા સાથે મિડ-સેગમેન્ટ પ્લેયર બનવાના છીએ. જોકે, તેમણે અન્ય પ્રોડક્ટ લાઇનની માહિતી આપી ન હતી. જાવા મોડલ ૧૫ નવેમ્બરે પ્રદર્શિત કર્યા બાદ ટૂંક સમયમાં વેચાણ માટે મુકાશે.

જાવા જે સેગમેન્ટમાં રજૂ થશે તેમાં અત્યારે રોયલ એન્ફિલ્ડનું પ્રભુત્વ છે. આ ઉપરાંત વૈશ્વિક કંપનીઓ હાર્લી ડેવિડસન અને ટ્રાયમ્ફ પણ સેગમેન્ટમાં હિસ્સો મેળવવા પ્રયાસ કરશે. ક્લાસિક લિજેન્ડ્સે ગુરુવારે ૨૯૩ સીસીનું લિક્વિડ કુલ્ડ સિંગલ સિલિન્ડર એન્જિન રજૂ કર્યું હતું જે નવા જાવા મોટરસાઇકલમાં ફીટ કરાશે.

ગ્રૂપના પૂણે સ્થિત આર એન્ડ ડી સેન્ટર અને વરાસે, ઇટલી સ્થિત ટેક્‌નિકલ સેન્ટરના સહયોગથી વિકસાવવામાં આવ્યું છે. જાવાનું ડીએનએ ધરાવતું એન્જિન બનાવ્યું છે જે ક્લાસિક હોવાની સાથે સ્પોર્ટી છે. લોન્ચ વખતે ભારતમાં 100 ડીલરશિપ હશે. તેઓ ભારતીય માર્કેટ માટે બુલિશ છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં ઘણા ગ્રાહકો માસ સેગમેન્ટમાંથી મિડ અને અપર એન્ડ મોટરસાઇકલ સેગમેન્ટ તરફ અપગ્રેડ થયા છે જેથી તેમના માટે તકમાં વધારો થયો છે.

જાવા બાઇક મધ્યપ્રદેશમાં મહિન્દ્રા ગ્રૂપના પિથમપુર પ્લાન્ટમાંથી રોલ આઉટ કરવામાં આવશે. તેમાં મહિન્દ્રાની ઉત્પાદન ક્ષમતા, સોર્સિંગ અને આર એન્ડ ડીનો ઉપયોગ કરવામાં આવશે.

October 12, 2018
gd_agarwal.jpeg
1min6400

ગંગા નદીને સાફ કરાવવાની માગણી સાથે બાવીસમી જૂનથી આમરણ ઉપવાસ પર ઉતરેલા પ્રખ્યાત ૮૭ વર્ષના પર્યાવરણવાદી અને સમાજસેવક જી.ડી. અગરવાલનું ઋષિકેશમાં આવેલી એઇમ્સની હૉસ્પિટલમાં હૃદયરોગના હુમલાને કારણે અવસાન થયું હતું. બાવીસમી જૂનથી ઉપવાસ પર ઉતરેલા અગરવાલને બુધવારે દસમી ઑક્ટોબરે ૧૧ ઉપવાસ પછી બળજબરીથી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

તેઓ ગંગાની સુરક્ષા માટે અને ગંગોત્રીથી ઉત્તરકાશી સુધી ગંગાના વહેણમાં કોઇ અડચણ ન આવે એ માટે કાયદો ઘડવાની માગણી કરી રહ્યા હતા. તેઓ સ્વામી જ્ઞાન સ્વરૂપ સાણંદ તરીકે પણ એમને ઓળખવામાં આવતા હતા. ૧૧૧ દિવસના ઉપવાસ બાદ બુધવારે પોલીસે એમને હરિદ્વારથી ઋષિકેશના એઇમ્સમાં ખસેડયા હતા.

રિપોર્ટમાં જણાવ્યા અનુસાર ગંગાને સાફ કરવાની માગણી કરતા આ મહાનુભાવ ઉપવાસ દરમિયાન ફક્ત મધ મેળવેલું પાણી જ પીતા હતાં. એમની માગણી માટેની વાટાઘાટ નિષ્ફળ ગયા બાદ કથિત રીતે બે દિવસ અગાઉ એમણે પાણી પીવાનું પણ બંધ કર્યું હતું. તેઓ આઇઆઇટી, કાનપુરના ભૂતપૂર્વ પ્રોફેસર હતા અને એમણે કેન્દ્રીય પ્રદૂષણ ક્ધટ્રોલ બૉર્ડમાં સભ્ય, સચિવ તરીકે પણ કામ કર્યું હતું.

આ અગાઉ પણ એમણે નદીઓને બચાવવા ઉપવાસ આંદોલન કર્યા હતા. ૨૦૦૯માં ભાગીરથી નદી પર બંધાતા બાંધને રોકવા માટે એમણે કરેલા ઉપવાસ સફળ થયા હતા.

October 12, 2018
Smimer-1.jpg
1min4760

શાળા-કૉલેજોમાં રેગિંગના કિસ્સાઓ છાશવારે બનતા હોય છે. આવો જ એક કિસ્સો સુરતની સ્મીમેર મેડીકલ કૉલેજ સાથે સંકળાયેલી હૉસ્પિટલમાં બન્યો હતો. જ્યાં ડૉક્ટર વિરુદ્ધ રેગિંગની ફરિયાદ નોંધવામાં આવી હતી.

ડાયમંડ સિટી સુરતમાં આવેલી સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર મેડીકલ કૉલેજ સાથે સંકળાયેલી હૉસ્પિટલમાં ડૉક્ટર વિરુદ્ધ રેગિંગની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ઓર્થોપેડિકના બે ડૉક્ટરોએ ફરિયાદ નોંધાવી હતી. હૉસ્પિટલના ૬ રેસિડન્ટ ડૉક્ટરો દ્વારા ઓર્થોપેડિકના બે ડૉક્ટરોનું કથિત રેગિંગ કર્યું હોવાની ઘટના બની હતી. ઓર્થો વિભાગના બે ડૉક્ટરોએ આ અંગે હૉસ્પિટલના ડીનને ફરિયાદ કરી હતી. જો કે, હૉસ્પિટલના ડીને આ ઘટનાની ફરિયાદને ગંભીરતાથી લઇને સમગ્ર મામલાને એન્ટી રેગિંગ સમિતિને સોંપી હતી.

આ સમગ્ર મામલામાં એવી પણ વિગતો ચર્ચાય રહી છે કે રેગિંગની ફરીયાદ પૂર્વે બે તબીબો અને એ પછી એના જૂથો વચ્ચે પેશન્ટ ચકાસણીના મુદ્દે ઝઘડો થયો હતો. ઝઘડાએ ઉગ્ર સ્વરુપ ધારણ કરતા મામલો બિચક્યો હતો અને તે પૈકી જાણકારોના એક ગ્રુપ દ્વારા રેગિંગની ફરીયાદ નોંધાવવામાં આવી છે. જોકે, સાચુ ખોટું હવે ડીન દ્વારા હાથ ધરાયેલી તપાસ સમિતિ જ બહાર લાવી શક્શે.

October 11, 2018
donald-trump_759_insta.jpg
1min4920
એવું નથી કે અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ ફક્ત અમેરિકા સિવાયના દેશોમાં અપ્રિય છે, સૌથી વધુ વિરોધ અને અસંતોષ ટ્રમ્પ સામે જો હોય તો એ અમેરિકામાં છે. તાજેતરમાં ડોનાલ્ડ ટ્રમ્પના એક પૂતળા આગળ એવું બોર્ડ મૂકાયું છે કે મારી પર પેશાબ કરો. સમગ્ર વિશ્વમાં આ ફોટોગ્રાફ ભારે વાઇરલ થયો છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આજે દરેક જગ્યાએ ચર્ચિત ચહેરો છે. ક્યારેક તેઓ પોતાની સભામાં કોઇ વિકલાંગની મજાક ઉડાવે છે, તો ક્યારેક પ્રવાસિયો અંગે કોઇ એવું નિવેદન આપે છે જેનાથી માનવતાને પણ પોતાના પર જોખમ હોવાનો અહેસાસ થવા લાગે. જો કે તેમનું એક પુતળું આ દિવસોમાં ચર્ચામાં છે. સ્ટેચ્યુ પર લખવામાં આવ્યું છે કે Pee On Me એટલે કે મારા પર પેશાબ કરો.
ફિલ ગેબિલ નામના વ્યક્તિએ આ પુતળું બનાવ્યું છે. તેણે ન્યૂયોર્કના બૂકલિનમાં આ સ્ટેચ્યુ લગાવ્યું છે. તેનું માનવું છે કે તેણે તેની વ્યક્તિગત ભાવનાઓ અને લોકોના વિચારોને અહિં રજૂ કરવા માટે આમ કર્યું છે. ક્યાંક એવું ન થઇ જાય કે કૂતરા અહીં પેશાબ કરી જાય, જો કે કૂતરાઓ આટલા સમજદાર નથી હોતા.
October 11, 2018
nitishkumar.jpg
1min5990

અનામતનો વિરોધ કરીને યુવકે કાર્યક્રમમાં નીતિશ પર ચપ્પલ ફેંક્યું, જો કે ચપ્પલ દૂરથી ફેંકાયું હોવાથી નીતિશ કુમાર સુધી પહોંચ્યું નહીં

બિહારના મુખ્યમંત્રી નિતીશ કુમાર પર પટનામાં એક કાર્યક્રમ દરમિયાન ચપ્પલ ફેંકવાની ઘટના સામે આવી છે. નિતીશ જેડીયુના યૂથ વિંગના એક કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા. ચપ્પલ ફેંકનારા આરોપી વિદ્યાર્થિએ અનામતને લઇને પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો.

ઘટના દરમિયાન પ્રશાંત કિશોર પણ નિતીશ કુમારની સાથે હતા. મીડિયાના રિપોર્ટ્સ મુજબ ચપ્પલ ફેંકાવાની ઘટનાથી ગુસ્સામાં આવીને જેડીયુના કાર્યકર્તાઓએ આરોપી વિદ્યાર્થીને ઢોર માર મારી, પોલીસને સોંપી દીધો હતો. પોલીસે યુવકની ધરપકડ કરી છે.

આરોપી વિદ્યાર્થી ઔરંગાબાદનો રહેવાસી છે. પ્રાપ્ત માહિતી મુજબ યુવકે જણાવ્યું કે, અનામતને લઇને તે ચિંતિત છે અને ઉચ્ચ જાતિના હોવાને કારણે તેને નોકરી પણ મળતી નથી. આ વાતથી તે નાખુશ હતો.

October 11, 2018
a_k_chauhn.jpg
1min8140

સુરત પોલીસની ક્રાઇમ બ્રાન્ચમાં સામાન્ય રીતે એવી પરંપરા છે કે ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ. તરીકે પુરુષ અધિકારીની જ નિમણૂંક થતી આવી છે. ક્રાઇમ બ્રાન્ચ અસ્તિત્વમાં આવી ત્યારથી પુરુષ પી.આઇ.ની જ પરંપરા જળવાયેલી રહી છે. પરંતુ, હાલના પોલીસ કમિશનર શ્રી સતીશ શર્માએ તા.10મી ઓક્ટોબર 2018ના રોજ પ્રથમ નોરતે જ સુરત ક્રાઇમ બ્રાન્ચ જેવી હાઇપ્રોફાઇલ પોસ્ટ પર એક બાહોશ મહિલા પોલીસ ઇન્સપેક્ટર  શ્રીમતી એ.કે. ચૌહાણની નિયુક્તિ કરી છે.

સુરત પોલીસ કમિશ્નર સતીષ કુમાર શર્માએ સુરત ક્રાઇમ બ્રાન્ચમાં  શ્રીમતી અંજનાબેન કુલદીપસિંહ ચૌહાણની પી.આઇ તરીકે  નિમણું કરી છે. કમિશ્નરે કહ્યું હતુ કે ક્રાઇમ બ્રાન્ચમાં કોઇ મહિલાની નિમણુંક થઇ હોય તેવી આ પહેલી ઘટના છે.

ક્રાઇમ બ્રાન્ચમાં એક મહિલાને  નિમણુંક આપવા પાછળનું કારણ એ માનવામાં આવે છે કે સોશિયલ મિડીયમાં મહિલાઓ સાથે પરેશાનીના બનાવો વધી રહ્યા છે ઉપરાતં મહિલાઓની સતામણી અને છેડતી જેવા બનાવો રોકવા એક મહિલા પોલીસની જરૂર હતી.

October 11, 2018
Rampal_SatlokAshram.jpg
1min6400
સતલોક આશ્રમ કેસમાં વિવાદિત સંત રામપાલને હત્યાના બન્ને કેસમાં કોર્ટે દોષી જાહેર કર્યા છે. કોર્ટના નિર્ણય પહેલાં હરિયાણાનું હિસાર શહેર કિલ્લામાં ફેરવાયું હતું
19 નવેમ્બર 2014ના રોજ હિસારના બરવાલા શહેરમાં આવેલા રામપાલના સતલોક આશ્રમમાં ચાર મહિલા તેમજ એક બાળકની લાશ મળી આવતા રામપાલ તેમજ તેના 27 અનુયાયીઓની ધરપકડ કરાઈ હતી.

આ ઉપરાંત અન્ય કેસમાં રામપાલ અને અનુયાયીઓ વિરુદ્ધ કેસ કરાયો હતો જેમાં 18 નવેમ્બરના એક મહિલાની લાશ તેના આશ્રમમાંથી મળી આવી હતી. આ બન્ને કેસમાં રામપાલને દોષી જાહેર કરવામાં આવ્યો હતો.

 

October 11, 2018
Railways.png
1min5390

દેશના 11.91 લાખ કર્મચારીને આનંદો : રેલવે પર પડશે બે હજાર કરોડનો બોજ

નવરાત્રી આરંભ થતાં જ સરકારી, અર્ધસરકારી કચેરીઓ હોય કે પ્રાઇવેટ બિઝનેસ, ફર્મ્સ હોય, એમાં કામ કરતા તમામ કર્મચારીઓ એક સમાચાર સત્વરે મળે તેવી અપેક્ષા રાખતા હોય છે અને એ સમાચાર હોય છે બોનસના. આ વખતે દિવાળી પહેલા બોનસના સમાચાર ભારતીય રેલ દ્વારા આપવામાં આવ્યા છે. ઇન્ડિયન રેલવેએ તેના કર્મચારીઓને 78 દિવસનો પગાર અંદાજે  (અઢી મહિનાનો પગાર) બોનસ તરીકે આપવાનો અને એ પણ દશેરા પહેલા એ ચૂકવાય જશે એવો નિર્ણય કરીને રેલવેને અંદાજે 12 લાખ કર્મચારીઓના દિલ જીતી લીધા છે. રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર તેમજ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના લાખો કર્મચારીઓ બોનસના સમાચાર મળે તેની રાહ જોઇને બેઠા છે.

રેલવે કર્મીઓ માટે આનંદના સમાચારમાં આ વરસે રેલવે તંત્ર તેના કર્મચારીઓને 78 દિવસના પગાર જેટલી રકમ બોનસના રૂપમાં આપવા જઇ રહ્યું છે.

કેન્દ્રીય પ્રધાન મંડળે રેલવેના આ અંગેના પ્રસ્તાવને તા.10મી ઓક્ટોબર 2018ના રોજ મંજૂરી આપી દીધી હતી. દુર્ગાપૂજાથી પહેલાં જ બોનસ તમામ કર્મચારીને ચૂકવી દેવાશે, તેવી શક્યતા વ્યક્ત થઇ રહી છે. આ બોનસ રેલવે બિનરાજ પત્રિત કર્મચારીઓને આપે છે. દેશમાં આવા 11.91 લાખ કર્મચારી છે. આ બોનસ આપવાથી રેલવે પર ચાલુ વર્ષ દરમ્યાન લગભગ બે હજાર કરોડ રૂપિયાનો વધારાનો બોજ પડશે.

દર વરસે દશેરાથી પહેલાં બોનસ ચૂકવી દેવાની પરંપરા છે. જોકે, તેમાં રેલવે સુરક્ષાદળ અને રેલવે સુરક્ષા વિશેષ દળના કર્મચારીઓનો સમાવેશ કરાતો નથી. રેલવે સૂત્રોના જણાવ્યાનુસાર આ બોનસ હેઠળ એક કર્મચારીનાં ખાતામાં 18 હજાર રૂપિયા સુધીની રકમ આવી શકે છે. નોંધનીય છે કે લગાતાર સાતમાં વરસે આ વખતે રેલવે કર્મચારીઓને 78 દિવસનું બોનસ ચૂકવવામાં આવી રહ્યું છે.

October 11, 2018
pavagadh.jpg
1min15060

શહેરથી ૪૫ કિ.મી. દૂર આવેલા યાત્રાધામ શક્તિપીઠ પાવાગઢમાં પહેલા નોરતે ગુજરાત, મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાંથી બે લાખ શ્રદ્ધાળુ ઊમટી પડ્યા હતા. આજે ભક્તોના દર્શન માટે વહેલી સવારે ૪ વાગે મંદિરના નિજ દ્વાર ખુલ્લા કરી દેવામાં આવ્યા હતાં. નવરાત્રિના પહેલા નોરતે હાલોલના માર્ગો ઉપરથી પાવાગઢ તળેટી ડુંગર તરફ લાખોની સંખ્યામાં ભક્તોની વણઝાર જોવા મળી હતી.

જય મહાકાળીના જયધોષથી સમગ્ર વાતાવરણ ગૂંજી ઉઠ્યું હતું. રોપ-વે ઉડન ખટોલાની સેવા માટે પરોઢે ત્રણ વાગે બુકિંગ શરૂ કરી ચાર વાગે રોપ-વે સેવા શરૂ કરાઇ હતી. પાવાગઢ ખાતે રાત્રિના ૧૧ કલાકે નિજ મંદિરના દ્વાર બંધ કરાશે. મંદિર જવાના પગથિયાં પાસે આવેલા બાવાબજારમાં ભારે ભીડ થતી હોઇ જ્યાં અગાઉ દોરડા બાંધી સંચાલન કરાતું હતું. ત્યાં લોખંડની રેલિંગ લગાવાઇ છે. સુરક્ષાના ભાગ રૂપે દુધિયા તળાવની ફરતે પણ રેલિંગ લગાવી થાંભલા ઊભા કરી લાઇટિંગની વ્યવસ્થા કરાઈ છે.

પોલીસ તંત્ર દ્વારા માંચી તેમ જ ડુંગર પર ક્ધટ્રોલરૂમ ઊભા કરાયા છે. આકસ્મિક ઘટના માટે માચી ખાતે ૧૦૮.ફાયર બ્રિગેડ સહિત મેડિકલની ટીમ સટેન્ડ બાય રાખવામાં આવી છે. સલામતીના ભાગરૂપે જિલ્લા પોલીસની એજન્સીઓ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

October 10, 2018
school.jpg
1min12420
  • સેલ્ફફાઇનાન્સ સ્કુલ મેનેજમેન્ટ એસોસીએશન સાથે સંકળાયેલા બધી સ્કુલો રાબેતા મુજબ શરૂ રહી
  • સેન્ટ્રલ બોર્ડ તેમજ બિનગુજરાતી બોર્ડની સ્કુલોમાં (www.cialive.in) શિક્ષણ કાર્ય ધમધમતું રહ્યું
  • ગ્રાન્ટઇન એઇડ સ્કુલોએ સરકારની સૂચનાનું પાલન કર્યું
  • નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં નવરાત્રીનું વેકેશન
  • જે શાળાઓએ વેકેશન આપ્યું એ પગારકાપ, ગ્રાન્ટ કાપ કે (www.cialive.in) શિક્ષાત્મક  સજાની બીકે

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

કોઇ સજ્જડ કારણ વિના, કોઇ તાર્કિક દલીલ વગર આજથી શરૂ થયેલા ગુજરાતના અસ્મિતા પર્વ નવરાત્રીમાં તા.10થી તા.18 ઓક્ટોબર 2018 સુધી શિક્ષણ કાર્ય બંધ રાખીને વેકેશન પાડવાના ગુજરાતની ભાજપા સરકારના ફતવા વિરુદ્ધ (www.cialive.in) આજે સુરતમાં પ્રાઇવેટ, સેલ્ફફાઇનાન્સ, અધર ધેન ગુજરાત બોર્ડની શાળાઓ ધરાર ચાલુ રહી હતી. પ્રાઇવેટની એકેય શાળાઓએ નવરાત્રીના વેકેશનની કોઇ અસર થવા ન દીધી.

550થી વધુ સેકન્ડરી સ્કુલ્સ, 650થી વધુ પ્રાઇવેટ પ્રાઇમરી સ્કુલ્સ, 45 જેટલી સેન્ટ્રલ બોર્ડ, આઇ.સી.એસ.ઇ. તેમજ અધર બોર્ડની સ્કુલો મળીને 10 લાખથી વધુ વિદ્યાર્થીઓએ રાજ્ય સરકારે આપેલા નવરાત્રીના (www.cialive.in) બિનજરૂરી વેકેશનને ફગાવીને આજે ધરાર ભણ્યા

ગુજરાત બોર્ડ સંલગ્ન હોય તેવી 550થી વધુ સેકન્ડરી સ્કુલ્સ, 650થી વધુ પ્રાઇવેટ પ્રાઇમરી સ્કુલ્સ, 45 જેટલી સેન્ટ્રલ બોર્ડ, આઇ.સી.એસ.ઇ. તેમજ અધર બોર્ડની સ્કુલો મળીને 10 લાખથી વધુ વિદ્યાર્થીઓએ રાજ્ય સરકારે આપેલા નવરાત્રીના બિનજરૂરી વેકેશનને ફગાવીને (www.cialive.in) આજે ધરાર ભણ્યા હતા. શિક્ષકો, આચાર્યો અને સંચાલકો પહેલી વખત એક મુદ્દા પર સંમત દેખાયા. રાજ્ય સરકારનો આનાથી મોટો વિરોધ કયો હોઇ શકે?

અહીં શિક્ષાત્મક પગલાંની બીકે શાળાઓમાં જબરદસ્તીનું વેકેશન

રાજ્ય સરકારના નવરાત્રી વેકેશનના આદેશનું અક્ષરસઃ પાલન જો કોઇએ કર્યું હોય તો એ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત 335 શાળાઓના અંદાજે દોઢ લાખ જેટલા વિદ્યાર્થીઓ, 9 સુમન સ્કુલના વિદ્યાર્થીઓ તેમજ 276 જેટલી www.cialive.in ગ્રાન્ટ ઇન એઇડ સેકન્ડરી સ્કુલ્સના વિદ્યાર્થીઓને આજથી શાળામાં જવાથી મુક્તિ આપીને નવરાત્રી વેકેશન આપવામાં આવ્યું છે. આ તમામ સ્કુલ્સના વિદ્યાર્થીઓ, વાલીઓ, સંચાલકો અને શિક્ષકોએ કચવાતા મને વેકેશન લેવું પડ્યું છે. www.cialive.in રાજ્ય સરકાર પગાર કાપી લેશે, ગ્રાન્ટ કાપી લેશે અથવા તો અન્ય કોઇ શિક્ષાત્મક પગલાં ભરશે એવી બીકના માર્યા આ સ્કુલોમાં વેકેશન જાહેર કરવામાં આવ્યું છે.

પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત 335 શાળાઓના અંદાજે દોઢ લાખ જેટલા વિદ્યાર્થીઓ, 9 સુમન સ્કુલના વિદ્યાર્થીઓ તેમજ 276 જેટલી ગ્રાન્ટ ઇન એઇડ સેકન્ડરી સ્કુલ્સના વિદ્યાર્થીઓને આજથી શાળામાં જવાથી મુક્તિ www.cialive.in આપીને નવરાત્રી વેકેશન

હવે જોવાનું એ રહે છે કે રાજ્ય સરકારે નવરાત્રિ વેકેશન નહીં આપનાર સ્કુલોના સંચાલકો સામે શિક્ષાત્મક પગલાં ભરવામાં આવશે એવું નિવેદન આપ્યું હતું, www.cialive.in એ નિવેદનના અનુસંધાને શું કાર્યવાહી કરવામાં આવે છે.

બીજી તરફ શાળા સંચાલકો આ મુદ્દે રાજ્ય સરકાર સામે ન્યાયીક રીતે લડવા માટે તૈયારી કરી ચૂક્યા છે. રાજ્ય સરકાર અથવા તો સ્થાનિક પ્રશાસન તરફથી કોઇપણ પ્રકારના પગલાં ભરવામાં આવે, એટલે તુરત જ નવરાત્રી વેકેશનના જબરદસ્તીના સોદા સંદર્ભે ખાનગી સ્કુલોના સંચાલકો કાયદેસરની લડત આપશે.

સરકાર વિરુદ્ધ ઓલની સ્થિતિ

નવરાત્રિમાં વેકેશના મુદ્દે રાજ્ય સરકાર પાસે કોઇ સજ્જડ કે તાર્કિક દલીલ નથી રહી. સરકારે આ મુદ્દે કોઇ ફોડ પણ પાડ્યો નથી. નવરાત્રી પર્વ એટલે નૃત્યોત્સવ એટલે ગરબા જે રાત્રે 9 વાગ્યા પછી જ આયોજિત થાય છે. 12 વાગ્યે સરકાર અને પોલીસ માઇક લાઉડ સ્પીકર બંધ કરાવી દે છે www.cialive.in  એટલે ગરબામાં ઉજાગરા થાય તેવી શક્યતા નથી. દિવસ દરમિયાન નવરાત્રીમાં કોઇ ઉજવણી થતી નથી. એટલે વેકેશનનો કોઇ અર્થ સરતો નથી. પરીણામે વાલીઓ, વિદ્યાર્થીઓ, શિક્ષકો, આચાર્યો, સંચાલકો આમ રાજ્ય સરકારના ફતવાની વિરુદ્ધ બધા જ એક થઇને ઉભા છે.

સામે પક્ષે વાલીઓ, વિદ્યાર્થીઓ, સંચાલકો, શિક્ષકો, આચાર્યો www.cialive.in તમામ એક સૂરે તાર્કિક દલીલ એ કરી રહ્યા છે કે દિવાળી વેકેશનના ભોગે નવરાત્રિનું વેકેશન તો નહીં જ જોઇએ. દિવાળી પર્વે સુરત આવીને વસેલા લાખો સૌરાષ્ટ્રવાસીઓ, તેમજ પરપ્રાંતનો પરિવારો તેમના વતન જતા હોય છે, જો દિવાળી વેકેશન ટૂંકાવવામાં આવે તો તેમનું આખા વર્ષનું સમયપત્રક ખોરવાય જાય તેમ છે.