CIA ALERT

Alert Archives - Page 457 of 512 - CIA Live

October 10, 2018
garba.jpg
1min5970

ગુજરાતની અસ્મિતાની ઓળખ વિશ્વનો સૌથી મોટો સમૂહ નૃત્યોત્સવ એવા જગતજનની જગદંબાનું મહાપર્વ નવરાત્રીનો આજે તા.10મી ઓક્ટોબર 2018ને બુધવારથી પ્રારંભ થયો છે. ગુજરાતભરમાં ગામેગામ, નગરીનગરી, શહેર-શહેરમાં ઠેકઠેકાણે પ્રાચીન ગરબી મંડળના માતાજીના સ્વરૂપ સમી બાલિકાઓ ગરબે ઘૂમશે તો અત્યાધુનિક સાઉન્ડ સિસ્ટમ – લાઇટ મ્યુઝિક અને જૂના-નવા ગરબા-લોકગીતોને સંગ ખેલૈયાઓ ઝૂમી ઊઠશે. બીજી તરફ માતાજીના શણગાર, ફૂલહાર, પૂજાપા સહિતની સામગ્રી ખરીદવા માટે શ્રદ્ધાળુઓની બજારોમાં ભીડ જોવા મળી હતી. નવલી નવરાત્રીનું પર્વ શાંતિ અને સલામતીના વાતાવરણમાં યોજાય તે માટે તંત્ર અને પોલીસ પણ સતર્ક થઈ છે.

નવરાત્રી રૂમઝૂમ કરતી આવી પહોંચી છે ત્યારે તેની ઊજવણી કરવા સુરત શહેરમાં હજારો વોલ્ટના સાઉન્ડ સિસ્ટમની જાહેરાત વચ્ચે કેટલાક સ્થળે સાઇલન્ટ ગરબાના આયોજન અન્ય શહેરો માટે પ્રેરક બની શકે છે. સૌરાષ્ટ્રના નગર-મહાનગરોમાં નવરાત્રી પર્વને રંગેચંગે ઊજવવા માટે તા.9મી ઓક્ટોબરની પૂર્વસંધ્યાએ તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી હતી. નવરાત્રીની નવેનવ રાત્રે મોઘામાં મોંઘા કલાકારોને પોતાના આયોજનોમાં બુક કરી લેવામાં આવ્યા છે.

સુરત, અમદાવાદ, વડોદરા, રાજકોટ જેવા શહેરોમાં નવરાત્રિ દરમિયાન સુરક્ષા અને શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસે આ વર્ષે કડક નિયમો બનાવ્યા છે. પાર્કિંગ હોય તેટલા જ પાસનું વિતરણ કરવાની સૂચનાઓ આપી છે. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ૧૧ પાર્ટીપ્લોટોના આયોજનામાં ઘટાડો નોંધાયો છે.

October 10, 2018
workingwomen.jpg
1min6140

ઓટોમેશન અને નવી ટેક્નોલોજીનો એરુ વૈશ્વિક સ્તરે આભડી જતાં ૧૮ કરોડ મહિલાની રોજગારી સામે જોખમ ઊભું થયું છે, તા.9મી ઓક્ટોબર 2018ના રોજ આંતરરાષ્ટ્રીય નિધિ ભંડોળ (આઈએમએફ)એ એવી ચેતવણી ઉચ્ચારી છે.

વૈશ્વિક નાણાકીય સંસ્થાએ વિશ્વના નેતૃત્વને આવશ્યક કૌશલ્યથી સંપન્ન કરવી, સ્ત્રી-પુરુષ વચ્ચેના ભેદ મીટાવવા, ડિજિટલ ભેદરેખા મીટાવવી તેમ જ કર્મચારીઓ માટે નવી ચીજો સરળતાથી શીખાય તેવી જોગવાઈ કરી આપવાનું જણાવ્યું છે.

(Symbolic Photo)

બાલીમાં વિશ્ર્વ બેન્કની અને વાર્ષિક આઇએમએફની મીટિંગ દરમિયાન બહાર પાડેલી નોંધમાં આઇએમએફે કહ્યું હતું કે ૩૦ દેશના અંદાજને આધારે મહિલાઓ નોકરી ખોઈ બેસે એવી શક્યતાઓ છે. આ ૩૦ દેશમાં ઓર્ગેનાઇઝેશન ફોર ઇકોનોમિક કોપરેશન એન્ડ ડેવલપમેન્ટ (ઓઇસીડી) દેશો, સાયપ્રસ તેમ જ સિંગાપોરનો સમાવેશ થાય છે.

નવી ટેક્નોલોજીને લીધે મહિલાઓ દ્વારા સામાન્ય પણે કરાતી કામગીરીની માગ ઘટે તેમ જ શ્રમ બજારની સહભાગીતા ઘટે તેવી શક્યતા છે. મહિલા કાર્યકારી દળનો મોટો હિસ્સો નોકરી ખોવાનું જોખમ પુરુષો કરતાં વધારે ધરાવે છે. (૧૧ ટકા વિરુદ્ધ ૯ ટકા). ઉક્ત દેશોમાં ૨.૬ કરોડ મહિલાઓની નોકરી સામે ભારે જોખમ ઊભું થયું છે.

October 10, 2018
sarsana1-1280x720.jpg
1min12030
  • અરિહંત ગ્રુપ દ્વારા એશિયાની બિગેસ્ટ
  • કરીંગટોન નવરાત્રી2018નું સરસાણા એસી ડોમ ખાતે ભવ્ય આયોજન
  • બોલીવુડ અને ઢોલીવુડના સિંગર અને મ્યુઝિક ડિરેક્ટર નવ દિવસ સુધી ખેલૈયાઓને ગરબે ઘૂમાવશે
  • દરરોજ 15 હજાર ખેલૈયા
  • મ્યુઝિક ડિરેક્ટર કેદાર ભગત એમની ટીમ

સુરત : ગુજરાતનું મહાપર્વ ગણાતો નવરાત્રિ મહોત્સવની આ વર્ષે પણ સુરતીઓ રંગેચંગે ઉજવણી કરવા જઈ રહ્યા છે ત્યારે સુરતીઓ માટે નવરાત્રિની નવલી રાતોને ગરબામય બનાવવા માટે સુરતના અરીહંત ગ્રુપ દ્વારા સરસાણા ટ્રેડ સેન્ટર ખાતે એરકન્ડીશન્ડ ડોમમાં ભારતની જ નહીં બલ્કે એશિયાની અનોખી નવરાત્રિનું સેલિબ્રેશન થશે, એશિયામાં એરકન્ડીશન્ડ અને બેસ્ટ એમ્બિયન્સ સાથે સૌથી મોટી નવરાત્રી પણ આ જ ગ્રુપની મનાય છે. અરીહંત ગ્રુપ પ્રેઝેન્ટ કરીંગટોન નવરાત્રી મહોત્સવમાં સતત નવ દિવસ સુધી બોલીવુડ અને ઢોલીવૂડના સિંગર તેમજ મ્યુઝિક ડીરેક્ટર પોતાના સુર અને તાલ રેલાવીને ગરબાના તાલે સુરતીઓને નચાવશે.

આ વ્યક્તિના આયોજનને લીધે સુરત નવરાત્રિ માટે આખા દેશ-વિદેશોમાં વખણાય રહ્યું છે

(હિરેન કાકડીયા, જી-નાઇન ગ્રુપ, નવરાત્રી આયોજક સરસાણા એ.સી. કન્વેન્સન સેન્ટર, સુરત)

હિરેન કાકડીયા. આમ તો નવું નામ નથી. પણ આ વ્યક્તિના આયોજનને લીધે છેલ્લા 2 વર્ષથી સુરતનું નામ નવરાત્રિના સમયે ભારતમાં જ નહીં બલ્કે દેશ-વિદેશમાં વખણાય છે. સુરત નવરાત્રિ માટે જ્યારે સર્ચ એન્જિન પર સર્ચ કરો કે કોઇ દક્ષિણ ગુજરાતના કોઇ એન.આર.આઇ.ને પૂછીએ તો તરત જવાબ મળે કે સરસાણા કન્વેન્શન સેન્ટર, અથવા તેનો ફોટો દેખાડે. જી હા. આ હકીકતને નજરઅંદાજ કરી શકાય નહીં. સુરતની નવરાત્રિ પણ હવે અમદાવાદ-વડોદરાની જેમ વખણાય રહી છે. એવું કહી શકાય કે સુરતમાં ઇન્ડોવેસ્ટર્ન નવરાત્રિની ધૂમ હોય છે. વડોદરા અને અમદાવાદમાં શાસ્ત્રીય (ક્લાસીકલ) બેઝ નવરાત્રિ રમાતી હોય છે જ્યારે સુરતમાં હાઇફાઇ સાઉન્ડ, ઇન્ડો વેસ્ટર્ન વેયરીંગ્સ અને એરકન્ડીશન્ડ પ્લે એરીયાને લીધે સુરતની નવરાત્રિ હાલમાં વિશ્વભરમાં ચર્ચાસ્પદ બની છે અને તેનું કારણ પણ આયોજક હિરેન કાકડીયા અને તેમની ટીમ બની છે. છેલ્લા બે વર્ષથી હિરેન કાકડીયા સુરતના કન્વેન્શન સેન્ટરમાં નવરાત્રિનું જડબેસલાક આયોજન કરી રહ્યા છે.

  • પ્લેબેક સિંગર તરીકે ભૂમી ત્રિવેદી, પ્રિયંકા વૈદ્ય, પ્રિયા સરૈયા, અક્ષત પરીખ, કમલેશ બારોટ અને હેતલ પટેલનું આકર્ષણ હશે

આ અંગે આયોજક હિરેન કાકડિયા અને વિલાસ પટેલે જણાવ્યુ હતું કે આ વર્ષે સરસાણા ટ્રેડ સેન્ટર ખાતે એસી ડોમમાં ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દરરોજ 15 હજાર ખેલૈયા ઉપસ્થિત રહેશે. વિશેષ વાતએ છે કે આ ખુલ્લી એસિ ડોમ હોવાની સાથે વરસાદ ખેલૈયાઓના ઉત્સાહમાં વિઘ્નરૂપ નહીં બને. જેમાં મ્યુઝિક ડિરેક્ટર કેદાર ભગત એમના બેન્ડ સાથે ખેલૈયાઓને ડોલાવસે તેમજ પ્લેબેક સિંગર તરીકે ભૂમી ત્રિવેદી, પ્રિયંકા વૈદ્ય, પ્રિયા સરૈયા, અક્ષત પરીખ, કમલેશ બારોટ અને હેતલ પટેલ ગરબાના સૂર અને તાલ રેલાવશે. લોકોમાં શ્રેષ્ઠ બેઠક વ્યવસ્થાની સાથે જ શ્રેષ્ઠ સાઉન્ડ સીસ્ટમ,આકર્ષક લાઈટીંગ અને પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. એટલું નહિ પણ ખેલૈયાઓ માટે ઇનામોની પણ વણઝાર રહેશે.

 

October 9, 2018
surat_police.jpg
1min22470

For Any news, events, reporting please contact on 98253 44944

તા.10મી ઓક્ટોબરથી તા.18મી ઓક્ટોબર સુધી ચાલનારા નવરાત્રિ પર્વને અનુલક્ષીને કોઇપણ નાગરિક ખાસ કરીને મહિલાઓ, યુવતિઓ સાથે કોઇ અનહોની ન સર્જાય, અનિચ્છનીય ઘટના ન બને તે માટે સુરત પોલીસ દ્વારા એડવાઇઝરી (માર્ગદર્શક સૂચનાઓ) જારી કરવામાં આવી છે. સુરત પોલીસે પોતાના સોશ્યલ મિડીયા પ્લેટફોર્મ પર પણ આ એડવાઇઝરી પોસ્ટ કરીને નવરાત્રિ દરમિયાન ખેલૈયાઓ ખાસ કરીને મહિલાઓ અને યુવતિઓએ શું શું તકેદારી રાખવી અે અંગે જાગૃતિ ફેલાવતી પોસ્ટસ રજૂ કરી છે. સુરત પોલીસની આ ગાઇડલાઇન્સનું ચુસ્ત પણે પાલન કરવામાં આવે તો અનેક નાની મોટી મુશ્કેલીથી સ્વયંને બચાવી શકાશે.

સી.આઇ.એ. લાઇવ ન્યુઝ વેબ સુરત પોલીસની આ અવેરનેસ અભિયાનને બિરદાવે છે અને જનહિતાર્થે પુનઃ આ અવેરનેસ અભિયાનને પ્રકાશિત કરવામાં આવે છે.

સુરત પોલીસના ફેસબુક, ટ્વીટર તેમજ અન્ય પેજીસ પર આ મુજબની એડવાઇઝરી અવેરનેસ માટે રજૂ કરવામાં આવી છે.

આ ઉપરાંત છેલ્લા કેટલાક દિવસોથી સુરત પોલીસે ખેલૈયાઓ માટે ટીપ્સ પણ જાહેર કરી છે જે વન બાય વન અા મુજબ છે.

Tip No.1

Tip No.2

Tip No.3

Tip No.4

 

Tip No.5

Tip No.6

 

October 9, 2018
Navratri_9swaroop.jpg
1min10320

તા.10મી ઓક્ટોબર 2018થી શરૂ થઇ રહેલા શારદીય નવરાત્રિ દરમિયાન વિવિધ રાશિના જાતકોએ કયા દેવી માં ના સ્વરૂપની પૂજા, આરાધના વિધિવિધાન પૂર્વક કરવી જોઇએ, એ અંગે મોટા ભાગના ભાવિકો અગર તો જાતકોને ખ્યાલ હોતો નથી. અહીં વાચકોને તેમની રાશિ પ્રમાણે કયા દેવી માં ની પૂજા કરવી જોઈએ, જેથી ઈચ્છિત ફળ પ્રાપ્ત કરી શકાય અે અંગેની માહિતી નિષ્ણાંત અને વિધ્વાન પંડિતો પાસેથી મેળવ્યા બાદ અત્રે નીચે મુજબના તારણો મેળવી શકાયા છે.

શાસ્ત્રોમાં નિર્દેશ છે કે શારદીય નવરાત્રિમાં નવે-નવ દિવસ કયા માં ની પૂજા-અર્ચના, આરાધના કરવી, એ મુજબ પ્રથમ દિવસે શૈલપુત્રી, બીજા દિવસે બ્રહ્મચારિણી, ત્રીજા દિવસે ચંદ્રઘંટા દેવી, ચોથા દિવસે કૂષ્માંડા દેવી, પાંચમા દિવસે સ્કંદમાતા, છઠ્ઠા દિવસે કાત્યાયિની દેવી, સાતમા દિવસે કાલરાત્રિ, આઠમા દિવસે મહાગૌરી અને નવમા દિવસે સિદ્ધિદાત્રી દેવીની ઉપાસના કરવામાં આવે છે.

  • પ્રથમ દિવસે શૈલપુત્રી,
  • બીજા દિવસે બ્રહ્મચારિણી,
  • ત્રીજા દિવસે ચંદ્રઘંટા દેવી,
  • ચોથા દિવસે કૂષ્માંડા દેવી,
  • પાંચમા દિવસે સ્કંદમાતા,
  • છઠ્ઠા દિવસે કાત્યાયિની દેવી,
  • સાતમા દિવસે કાલરાત્રિ,
  • આઠમા દિવસે મહાગૌરી અને
  • નવમા દિવસે સિદ્ધિદાત્રી દેવી

આ પૈકી રાશીવાર જાતકોએ પોતાની રાશી અનુસાર કયા માતાજીને રીઝવવા તે અંગે નિષ્ણાંત પડિતજીઓનો એક સૂર આ મુજબનો છે.

મેષઃ આ રાશિના લોકોએ ભગવતી તારા, નીર સરસ્વતી કે માતા શૈલપુત્રીની પૂજા કરવી જોઈએ.

વૃષભઃ આ રાશિના જાતકોએ ભગવતી ષોડશી-શ્રી વિદ્યા કે માતા બ્રહ્મચારિણીની સાધના કરવી જોઈએ.

મિથુનઃ આ રાશિના જાતકોએ ભુવનેશ્વરી માતા કે માતા ચંદ્રઘંટાની ઉપાસના કરવી જોઈએ.

કર્કઃ આ રાશિના લોકોએ માતા કમલા અથવા માતા સિદ્ધ દાત્રીની પૂજા કરવી જોઈએ.

સિંહઃ તમારે માતા પીતામ્બરા, માતા કાલરાત્રિની પૂજા કરવી જોઈએ.

કન્યાઃ  આ રાશિના જાતકોએ ભુવનેશ્વરી માતા કે માતા ચંદ્રઘંટાની ઉપાસના કરવી જોઈએ.

તુલાઃ આ રાશિના લોકોએ શ્રી વિદ્યામાં માતા ષોડશી અથવા માતા બ્રહ્મચારિણીની ઉપાસના કરવી જોઈએ.

વૃશ્વિકઃ તમારે ભગવતી તારા કે માતા શૈલપુત્રીની આરાધના કરવી જોઈએ.

ધનઃ આ રાશિના લોકોએ માતા કમલા કે માતા સિદ્ધદાત્રીની ઉપાસના કરવી જોઈએ.

મકરઃ તમારે માતા મહાકાળી કે માતા સિદ્ધદાત્રીની ઉપાસના કરવી

કુંભઃ આ રાશિના લોકોએ માતા મહાકાળી કે માતા સિદ્ધદાત્રીની પૂજા કરવી જોઈએ.

મીનઃ આ રાશિના લોકોએ ભગવતી તારા, નીર સરસ્વતી કે માતા શૈલપુત્રીની પૂજા કરવી જોઈએ.

 

October 9, 2018
gujarat_map-1280x1023.png
1min7850

નવરાત્રીમાં વરસાદ પડવાની સંભાવના હવામાન ખાતાએ વ્યક્ત કરી છે, હવામાન ખાતાની 99 ટકા આગાહીઓ સાચી ઠરતી નથી, હવે જોવાનું એ રહે છે કે નવરાત્રીમાં ગુજરાતમાં વરસાદ પડે છે કે કેમ

અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાતા વાવાઝોડું ઉદ્ભવી રહ્યું છે. છેલ્લા 4 દિવસથી ગુજરાતનાં દરિયાકિનારા પર વાવાઝોડાની અસર જોવા મળી રહી છે ત્યારે માંડવી, સલાયા, પોરબંદર, કંડલા, વેરાવળ, દહેજ, હજીરાના બંદર ઉપર એક નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું હતું અને માછીમારોને દરિયો ન ખેડવા તેમ જ માછીમારી કરવા ગયેલા માછીમારોને તાત્કાલીક નજીકના બંદર પર પહોંચી જવા સૂચના આપવામાં આવી હતી. ઓમાન નજીક સમુદ્રમાં લો પ્રેશર સર્જાતા આગામી 12 ઑક્ટોબર આસપાસ અમદાવાદ સહિત ગુજરાતમાં ભારે વરસાદ પડવાની શક્યતા હોવાની હવામાન વિભાગે આગાહી કરી છે. આમ નવરાત્રિ ટાણે વરસાદ પડશે તો ખેલૈયાઓના ઉત્સાહમાં ભંગ પડશે.

અરબી સમુદ્રમાં અપર એર સરક્યુલેશનની સ્થિતિ સર્જાયેલી છે તેના કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં સક્રિય થયેલા સાઈક્લોનની અસરથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. જેના કારણે અમદાવાદ સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં આગામી 12 ઑક્ટોબરે હળવાથી મધ્યમ વરસાદની થવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, અરબી સમુદ્રમાં એક ડિપ ડિપ્રેશન ઊભું થયું છે. તે ધીરે ધીરે ગુજરાતના દરિયા તરફ ગતિ કરી રહ્યું છે. જેની અસર ગુજરાત પર થઈ શકે છે. પરંતુ તે કેટલું તાકાતવર હશે તે વિશે હાલ કહી શકાય તેમ નથી.

અરબી સમુદ્રમાં મુંબઈથી નીચેના ભાગે એક સિસ્ટમ આકાર લઈ રહી છે. ફોરમેશન બાદ તેની ડેન્સિટી અને તેની ચોક્કશ દિશા, તાકાત વગેરેનો અંદાજ લગાવી શકાશે. જોતે સિસ્ટમ મજબુત રહેશે તો તેની અસર ગુજરાતના દરિયા કિનારે વધુ થાય તેવી શક્યતાઓ છે. આ સિસ્ટમ વિખરાઈ જાય તો પણ રાજ્યમાં કેટલીક જગ્યાએ વરસાદી ઝાપટા પડે તેવી શક્યતા છે.

October 8, 2018
surat_airport.jpg
1min136430

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

સુરત એરપોર્ટ દિન પ્રતિદિન નવી ઉંચાઇઓ સર કરી રહ્યું છે. એક તરફ સુરત એરપોર્ટ પર પહેલી ઇન્ટરનેશનલ ફ્લાઇટની આતૂરતાપૂર્વક રાહ જોવાય રહી છે અને આ ન્યુઝ આવે એ પહેલા આજે તા.8મી ઓક્ટોબર 2018ના રોજ એવા અહેવાલ આવ્યા કે કોઇ એક મહિનામાં એક લાખથી વધુ મુસાફરો અવર-જવર કરતા હોય તેવા દેશના ચુનંદા એરપોર્ટસની યાદીમાં સુરત સામેલ થઇ ગયું છે.

સુરત એરપોર્ટ પર ગત સપ્ટેમ્બર 2018 દરમિયાન કુલ 1 લાખ 10 હજાર 189 મુસાફરોએ અવર-જવર કરી હોવાનો સત્તાવાર રિપોર્ટ એરપોર્ટ ઓથોરિટીએ જારી કર્યો છે. 2018-19ના હિસાબી વર્ષમાં સુરતમાં 4,71,108 મુસાફરોની અવર-જવર થઇ એ પણ એક વિક્રમ છે. હિસાબી વર્ષના પહેલા 6 માસમાં પોણા પાંચ લાખ જેટલા મુસાફરોની સંખ્યા દર્શાવે છે કે સુરતમાં એરપોર્ટ ફેસેલિટીની કેટલી અનિવાર્યતા હતી અને છે.

અગાઉ ઓગસ્ટ 2018 માસમાં કુલ 88,653 મુસાફરોની અવરજવર નોંધાઇ હતી ત્યારે જ એ વાત નક્કી થઇ ગઇ હતી કે સપ્ટેમ્બર 2018 મહિનામાં સુરત એરપોર્ટ પરથી અવરજવર કરતા મુસાફરોની સંખ્યા એક લાખને અાંબી જશે.

અત્રે એ પણ વિગતા પ્રકાશિત કરવામાં આવી છે કે સુરત એરપોર્ટ પરથી સપ્ટેમ્બર 2018 માસ દરમિયાન કેટલી એર પ્લેન મુવમેન્ટ થઇ હતી.

કુલ 1380ની સંખ્યામાં ઉડ્ડયન થયા હતા જે પૈકી 1056 શિડ્યુલ્ડ અને 324 નોનશેડ્યુલ્ડ ફ્લાિઇટ્સ હોવાનું જાણવા મળે છે. ગત મહિને ફ્લાઇટ્સનો કુલ આંકડો 1169 નો હતો.

October 8, 2018
sunny_veerma.jpeg
1min7240

કર્ણાટકના હિન્દુ સંઘ, કર્ણાટક રક્ષણા વેડિકેના સભ્યોએ સોમવારે તા.8મી ઓક્ટોબર 2018ના રોજ કર્ણાટકમાં બોલીવુડની એક્ટ્રેસ સની લિયોનીના પોસ્ટર્સ સળગાવ્યા હતા. વિરોધીઓ સની લિયોનીની વિરમાદેવી ફિલ્મ માંથી કાઢી નાંખવા માટે વિરોધ કરી રહ્યા છે. કર્ણાટક રક્ષણા વેડિકેના સભ્ય હરિશે મીડિયાને જણાવ્યું હતું કે, અમારો સંઘ સની લિયોનીને વિરમાદેવી ફિલ્મમાં કાસ્ટ કરવા સામે વિરોધ કરી રહ્યો છે કેમકે આ એક ઐતિહાસિક ફિલ્મ છે.

વિરમાદેવી ફિલ્મ એક મોટા બજેટની ફિલ્મ છે જેને પ્રોડ્યુસ પોન્સે સ્ટીફન કરી છે વિરમાદેવી ફિલ્મ સ્ટીફન બેનર હેઠળ બની છે. આ ફિલ્મ માટે સનીએ તલવાર બાજી અને ઘોડે સવારીની ખાસ ટ્રેનિંગ લીધી હતી.

October 8, 2018
fisherman.jpg
1min11520

અરબી સમુદ્રમાં આગામી 12 કલાકમાં લો-પ્રેશર એરિયા સર્જાશે અને તેને કારણે દરિયો વધુ તોફાની બનવાનો હોવાથી માછીમારોને દરિયામાં ન જવા માટેની ચેતવણી હવામાન ખાતા દ્વારા આપવામાં આવી છે ત્યારે પોરબંદર અને જાફરાબાદના બંદર ઉપર 1 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. માછીમારોને સમુદ્રથી દૂર રહેવા સૂચના પણ આપી દેવામાં આવી છે.

હવામાન ખાતાના જણાવ્યા મુજબ અરબી સમુદ્ર અને તેને સંલગ્ન લક્ષદ્વીપમાં સાઇક્લોનિક સર્ક્યુલેશન પણ સર્જાયું છે. અરબી સમુદ્રમાં સર્જાનારું લો-પ્રેશર ડિપ્રેશનમાં પરિવર્તિત થઈને નોર્થ-વેસ્ટ દિશામાં આગળ વધશે અને વાવાઝોડામાં પરિવર્તિત થયા બાદ આગામી 12 કલાક પછી તે ઓમાન તરફ આગળ વધશે તેમ જણાઈ રહ્યું છે.

અરબી સમુદ્રમાં સર્જાનારું વાવાઝોડું ઓમાન તરફ ફંટાય તેવી પ્રબળ શક્યતા હોવાના કારણે ગુજરાતે રાહતનો શ્વાસ લીધો છે. જો કે હજુ એકાદ દિવસમાં આ અંગે ચિત્ર સંપૂર્ણપણે સ્પષ્ટ થશે.

વેરાવળના પ્રતિનિધિના અહેવાલ મુજબ બપોરે હવામાન ખાતાની સુચના બાદ 1 નંબરનું ભયસૂચક સિગ્નલ ચડાવવામાં આવ્યુછે. અરબી સમુદ્રની મધ્યે હવાનું દબાણ સર્જાયું હોય આમ કરાયું છે.

October 8, 2018
smc.jpg
1min19640

સુરત મહાનગરપાલિકાના એડિશનલ સિટી એન્જિનિયર કે.એચ. ખતવાણીએ આજે શહેરીજનો જોગ જણાવ્યું છે કે આગામી દિવાળીના તહેવારો દરમિયાન પરંપરા મુજબ ઘર, મકાન, ધંધાકીય સ્થળોની સાફસફાઇ થતી હોય છે. આ વખતે વરસાદની કમીને ધ્યાનમાં રાખીને સુરતવાસીઓ પોતાના ઘર, મકાન, ફ્લેટ, બંગલા વગેરે સ્થળોની સાફસફાઇ કે ધોવા માટે ચોખ્ખું પીવાનું પાણી ઉપયોગમાં ન લે તે માટે ખાસ અપીલ કરવામાં આવે છે. શ્રી ખતવાણીએ શહેરીજનોને જણાવ્યું છે કે દિવાળીના તહેવારોમાં સુરતમાં દૈનિક પાણીની માગ 40થી 50 મિલિયન લિટર થઇ જાય છે. આ પાણી મોટા ભાગે ઘરોની સાફસફાઇ અને ધોવા માટે થાય છે. આ પાણી શુદ્ધ પીવા લાયક છે એ મકાન ધોવામાં ઉપયોગમાં ન લેવાય તો અનેક તરસ્યા લોકો સુધી પીવાનું પાણી પહોંચાડી શકાય તેમ છે.

In English

PRAYER TO THE CITIZENS

AS WE  ALL KNOW THAT, MORE THAN 30 CR CITIZENS OF OUR COUNTRY DO NOT HAVE DRINKING WATER ACCESS IN THE COUNTRY.

ONE SIDE, ABOVE FACT IS EXISTING AND ANOTHER SIDE BEFORE DIWALI WE WASTE 40 TO 50 ML OF WATER PER DAY FOR CLEANING THEIR HOUSES AND BUSINESS ESTABLISHMENTS WHICH CAN BE SAVED IN THE INTEREST OF THE COUNTRY IN GENERAL AND INTEREST OF SURAT CITY IN PARTICULAR.

THEREFORE, ALL CITIZENS ARE REQUESTED HEREBY THAT, NOT TO WASTE DRINKING WATER FOR CLEANING THEIR HOUSES AND BUSINESS ESTABLISHMENTS.

CITIZENS OF SURAT CITY HAS ALWAYS COOPERATED IN ALL THE MATTERS INCLUDING CELEBRATION OF “DRY HOLI” AND ALSO BY NOT IMMERSION “GANESH IDOLS” IN THE RIVER TAPTI.

SIMILARLY, THIS TIME ALSO THEREFORE, ALL CITIZENS ARE REQUESTED HEREBY THAT, NOT TO WASTE DRINKING WATER FOR CLEANING THEIR HOUSES AND BUSINESS ESTABLISHMENTS.