Alert Archives - Page 444 of 512 - CIA Live

November 8, 2018
mp-mansukh.jpg
1min10120

ભરૂચ લોકસભા મતક્ષેત્રનું છેલ્લા પાંચ ટર્મથી પ્રતિનિધિત્વ કરતા સાંસદ મનસુખ વસાવાને આગામી ચૂંટણીમાં ભાજપમાંથી ટિકિટ મળવાની શક્યતા નહીંવત્ હોય તેવું જાણી ગયેલા વસાવાએ સામેથી ચૂંટણી લડવાનો ઈનકાર કર્યો હતો. પ્રદેશ ભાજપ મહામંત્રીને આ બાબતે પત્ર લખી તેમણે જણાવ્યું હતું. કેન્દ્ર સરકારમાં પ્રધાનપદેથી મનસુખ વસાવાને દૂર કરવામાં આવ્યા ત્યારથી તેમણે રાજ્ય અને કેન્દ્રની ભાજપ સરકાર સામે મોરચો માંડ્યો હોય તેમ જાહેરમાં નિવેદનો શરૂ કર્યા હતાં. કેન્દ્રમાં પોતાનો એક સાંસદ ઓછો થાય અને દક્ષિણ ગુજરાતમાં વિધાનસભાની બેઠકો ઓછી થાય એ ડરથી ભાજપે છાશવારે બળવાખોરી કરનારા સાંસદ વસાવાને સસ્પેન્ડ કરવાનું તો દૂર રહ્યું નોટિસ આપવાનું પણ ટાળ્યું હતું. આ બંને સ્થિતિઓ વચ્ચે હવે સાંસદને ટિકિટ મળવાની જ નથી ત્યારે તેમણે સામેથી પત્ર લખીને ભરૂચ બેઠક માટે અન્યને ઉમેદવાર બનાવવાનું સૂચન કરતા ભાજપમાં ચર્ચાનો વિષય બન્યો હતો.

November 8, 2018
gujarat_map-1280x1023.png
1min6280

રાજ્ય સરકાર દ્વારા એક તરફ વિકાસની દિશામાં હરણફાળ ભરવામાં આવી રહી છે, ત્યારે બીજી તરફ દેવામાં પણ તોતિંગ વધારો થઇ રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા છેલ્લાં પાંચ વર્ષમાં ૬.૬૮ થી ૯.૭૫ ટકાના વ્યાજના દરે રૂ. ૯૯,૩૯૩ કરોડની લોન લેવામાં આવી હતી. જ્યારે રાજ્યના જાહેર દેવામાં પાંચ વર્ષમાં રૂ.૬૭,૮૮૧ કરોડનો વધારો થયો હતો. જેની સામે પાંચ વર્ષમાં રૂ.૪૦,૬૯૮ કરોડ મુદલ અને રૂ. ૭૨,૬૯૮ કરોડ વ્યાજની ચુકવણી કરવામાં આવી હતી.

રાજ્ય સરકાર દ્વારા મેટ્રો સિટી, મહાનગરો અને નગરોમાં વિકાસ કરવામાં આવી રહ્યો છે. તેમજ ગામે ગામ રસ્તા અને પાણીની સુવિધાઓ આપવામાં આવી રહી છે. ત્યારે બીજી તરફ રાજ્યના દેવાનો પણ તેટલો જ વિકાસ થઇ રહ્યો હતો. રાજ્યના દેવામાં છેલ્લાં પાંચ વર્ષમાં અધધધ વધારો નોધાયો હતો. વર્ષ ૨૦૧૩-૨૦૧૪ માં રાજ્ય સરકારનું બાકી દેવું રૂ.૧,૪૯,૫૦૬ કરોડ હતું. જે વર્ષ ૨૦૧૭-૧૮ સુધીમાં સૂચિત રૂ. ૨,૧૭,૩૩૮ કરોડ થવાની સંભાવના રાજ્ય સરકાર દ્વારા વ્યકત કરવામાં આવી હતી. જે જોતા રાજ્ય સરકારના જાહેર દેવામાં પાંચ વર્ષમાં રૂ.૬૭,૮૩૨ કરોડનો વધારો થયો હતો. તેટલું જ નહીં રાજ્ય સરકાર દ્વારા છેલ્લાં પાંચ વર્ષમાં કુલ રૂ. ૯૯,૩૯૩ કરોડની નવી લોનો પણ લેવામાં આવી હતી. જોકે, તે લોન બે વર્ષથી દસ વર્ષ માટે લેવામાં આવી હતી.

November 8, 2018
1min5500

દિવાળી એટલે રોશની, સુખ-સમૃદ્ધિનો પર્વ. આજથી શરૂ થનારા નવા વર્ષે સૌના જીવનમાં નવી રોશની સાથે સુખ-સમૃદ્ધિ આવે એવી શુભકામના સાથે નવા વર્ષના સાલમુબારક.

November 7, 2018
gjepc.jpg
1min12760

જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના પ્રમોશન કાઉન્સિલના ચેરમેન અને દેશના જાણીતા ઉદ્યોગપતિ શ્રી દિનેશભાઇ નાવડીયાએ સમગ્ર જીજેઇપીસી ટીમ વતી તમામને દિપાવલી અને નૂતન વર્ષની  અનેકાનેક શુભકામનાઓ પાઠવી છે.

November 7, 2018
kumaraswamy-yeddyurappa-1541487076.jpg
1min6720

પેટાચૂંટણીમાં લોકસભાની ત્રણમાંથી બે અને વિધાનસભાની બન્ને બેઠક જીતી : ૧૪ વર્ષથી ભાજપ ગઢ રહેલા બલ્લારીમાં પણ વિજય

કર્ણાટકમાં ત્રીજી નવેમ્બરે યોજાયેલી લોકસભાની ત્રણ અને વિધાનસભાની બે બેઠકોની પેટાચૂંટણીમાં ચાર બેઠકો કૉંગ્રેસ-JDSગઠબંધને જીતીને ભાજપને જબરદસ્ત પછડાટ આપી છે. આ ચૂંટણીમાં બલ્લારી લોકસભા મતક્ષેત્ર પર ૧૪ વર્ષથી ભાજપના અવિરત વર્ચસ્વનો અંત આવ્યો છે. મોટી સરસાઈથી વિજયને કારણે રાજ્યમાં છ મહિનાથી હાલકડોલક સ્થિતિ અનુભવતા ગઠબંધનમાં ઉત્સાહનો સંચાર થયો છે. શરૂઆતમાં મહિનાઓમાં આ ગઠબંધન સરકાર કેટલું ટકશે એ વિશે અટકળો ચાલતી હતી.

 

JDSના નેતા અને કર્ણાટકના મુખ્ય પ્રધાન એચ. ડી. કુમારસ્વામીના નેતૃત્વ હેઠળના ગઠબંધને લોકસભાની બલ્લારી અને માંડ્યા બેઠકો અને વિધાનસભાની રામનગરા અને જામખંડી બેઠકો જીતી હતી. બૅન્ગલોર પાસેની રામનગરા બેઠક પરથી કુમારસ્વામીનાં પત્ની અનીતાનો વિજય થયો હતો. ગ્થ્ભ્ને આશ્વાસનરૂપે ફક્ત શિવમોગાની બેઠક મળી હતી. અગાઉ લોકસભાની શિવમોગા અને બલ્લારીની બેઠકો ગ્થ્ભ્હસ્તક હતી અને માંડ્યાની બેઠક પર JDSનું વર્ચસ્વ હતું. આ વખતે રામનગરની બેઠક JDSને ફાળે ગઈ છે અને જામખંડીની બેઠક કૉંગ્રેસને ફાળે ગઈ છે. આ વખતે ખનિજસંપત્તિ માટે જાણીતા બલ્લારીમાં ગ્થ્ભ્નો શરમજનક પરાજય થયો હતો.

ભાજપના વિવાદાસ્પદ રેડ્ડી બ્રધર્સે ૨૦૦૪થી બલ્લારીની બેઠક પર વર્ચસ્વ જાળવ્યું હતું. જનતાના મિજાજનો માપદંડ ગણાતી પેટાચૂંટણીમાં વિજયથી ઉત્સાહમાં આવેલા મુખ્ય પ્રધાન એચ. ડી. કુમારસ્વામી અને કૉંગ્રેસના કર્ણાટક એકમના પ્રમુખ દિનેશ ગુંડુરાવે ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં સાથે મળીને ગ્થ્ભ્ની સામે લડત ચલાવવાનો નર્ણિય જાહેર કર્યો હતો. કર્ણાટકના મુખ્ય પ્રધાન એચ. ડી. કુમારસ્વામીએ જણાવ્યું હતું કે ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં JDS-કૉંગ્રેસ ગઠબંધનનો ટાર્ગેટ ૨૮ તમામ બેઠકો જીતવાનો છે.

કુમારસ્વામીનો પત્ની સાથે વિધાનસભામાં પ્રવેશ ઐતિહાસિક

કર્ણાટકના મુખ્ય પ્રધાન એચ. ડી. કુમારસ્વામી અને તેમનાં પત્ની અનીતાનો રાજ્ય વિધાનસભામાં લોકપ્રતિનિધિરૂપે સહિયારો પ્રવેશ ઐતિહાસિક બનશે. રામનગરા વિધાનસભા મતવિસ્તારમાંથી ગ્થ્ભ્ના ઉમેદવાર એલ. ચંદ્રશેખરને ૧.૯૦ લાખ મતોની સરસાઈથી હરાવીને કુમારસ્વામીનાં પત્ની અને JDSનાં ઉમેદવાર અનીતાએ વિક્રમરૂપ વિજય મેળવ્યો હતો. મે મહિનામાં કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં એચ. ડી. કુમારસ્વામીએ રામનગરા અને ચેન્નાપટના એમ બે બેઠકો પરથી ઉમેદવારી કરી હતી, પરંતુ પરિણામો આવ્યા બાદ કુમારસ્વામીએ રામનગરા બેઠક પરથી રાજીનામું આપતાં એ બેઠક ખાલી પડી હતી.

કૉંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અનીતાના હરીફ એલ. ચંદ્રશેખર થોડા જ દિવસમાં ઉમેદવારી પાછી ખેંચીને કૉંગ્રેસમાં પાછા ગયા હતા, પરંતુ ટેક્નિકલી ભાજપના ઉમેદવાર રહ્યા હતા. JDSના વિધાનસભ્ય કે. ગોપાલૈયાએ જણાવ્યું હતું કે ‘કર્ણાટક વિધાનસભાના ગૃહમાં કોઈ મુખ્ય પ્રધાનનો પત્ની સાથે પ્રવેશ જવલ્લે જ બનતી ઘટના છે. રાજ્યના ઇતિહાસમાં મુખ્ય પ્રધાન અને તેમનાં પત્ની સાથે વિધાનસભ્ય રહ્યા હોય એવું ક્યારેય બન્યું નહોતું. આ દંપતી અગાઉ પણ સાથે રાજ્ય વિધાનસભાના સભ્યપદે હતું. એ વખતે કુમારસ્વામી રામનગરા બેઠકનું પ્રતિનિધિત્વ કરતા હતા અને તેમનાં પત્ની અનીતા મધુગિરિ બેઠકનું પ્રતિનિધિત્વ કરતાં હતાં. રાજ્ય વિધાનસભામાં ભાઈઓ, પિતા-પુત્રી અને પિતા-પુત્ર સાથે વિધાનસભ્ય બન્યાના દાખલા છે; પરંતુ મુખ્ય પ્રધાન અને તેમનાં પત્ની સાથે વિધાનસભ્ય બન્યાનું આ પહેલું ઉદાહરણ છે.’

November 7, 2018
thugs-1280x720.jpg
1min10910

અત્યાર સુધી બૉલીવૂડમાં દિવાળી પર રિલીઝ થયેલી સૌથી હીટ ફિલ્મ રિતીક રોશનની ‘ક્રીશ-3’ રહી છે, જેણે પ્રોડક્શન હાઉસના જણાવવા મુજબ રૂા. 245 કરોડનું વિક્રમી કલેકશન કર્યું હતું. જોકે બૉલીવૂડના ટ્રેડ પંડિતોએ હવે એવો અંદાજ વ્યક્ત કર્યો છે કે આ વખતે દિવાળીમાં રિલીઝ થનારી યશરાજ ફિલ્મ્સની આમિર ખાન – અમિતાભ બચ્ચન અભિનિત ફિલ્મ ‘ઠગ્સ અૉફ હિન્દોસ્તાન’ રિતીકની ‘ક્રીશ-3’ કરતાં વધારે કલેકશન કરી તેનો વિક્રમ તોડશે.

November 7, 2018
government_gujarat.jpg
1min6300

સામાન્યતઃ કાળી ચૌદશે લોકો કશું અઘટિત થાય તેવું માનતા હોય છે પણ આ જ દિવસે જ રાજ્ય સરકારે શિક્ષકોને બ્લોકબસ્ટર ન્યુઝ આપ્યા છે. રાજ્યની બિન સરકારી ગ્રાન્ટેડ અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકોને સાતમા પગારપંચ પ્રમાણે તફાવતના રકમનો પહેલો હપ્તો ચૂકવવાની રાજ્ય સરકારે જાહેરાત કરી છે. મહત્વની વાત એ છે કે આ રકમ નવેમ્બરમાં જ ચૂકવી દેવાશે.

નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે નિવેદન આપ્યું કે,’જ્ય સરકારના કર્મચારીઓને સાતમાં કેન્દ્રીય પગારપંચની ભલામણો પ્રમાણે સુધારેલો પગાર 1 જાન્યુઆરી, 2016થી આપવામાં આવશે. રાજ્ય સરકારના નિર્ણયથી 61 હજાર શિક્ષકોને લાભ થવાનો છે. પ્રથમ વાર્ષિક હપ્તાની ચૂકવણીના કારણે રાજ્યની તિજોરી ઉપર અંદાજે રૂપિયા 204 કરોડનું ભારણ પડશે.’

નાયબ મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, રાજયની બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક કર્મચારીઓને 7માં કેન્દ્રીય પગારપંચની ભલામણો મુજબના નવા પગાર ધોરણ ‘સ્કેલ ટુ સ્કેલ” ના ધોરણે લાગુ પાડવામાં આવ્યાં છે. જે અનુસાર 1 ઓગસ્ટ 2017થી દર માસના પગારમાં રોકડના ધોરણે ચૂકવવાનો નિર્ણય રાજય સરકાર દ્વારા કરવામાં આવ્યો હતો. જ્યારે 1 જાન્યુઆરી 2016થી 31 જુલાઇ 2017 સુધીના સમયગાળાના તફાવતની રકમ પાંચ સરખા વાર્ષિક હપ્તામાં ચૂકવવા અંગે રાજય સરકારે નિર્ણય કર્યો હતો.

November 7, 2018
hapydiwali-1280x1280.jpg
1min7570

આજરોજ તા.૭ નવેમ્બરના રોજ આસો વદ અમાસ છે, જે દિવાળી તરીકે ઉજવવામાં આવે છે. વિક્રમ સંવત-૨૦૭૪નો અંતિમ દિવસ છે. જેમનાથી અગાઉ બે રાત્રિએ પૂજન ન થયું હોય તેઓ આ દિવસે ત્રણેય દેવીઓનું સાથે પૂજન પણ કરી શકે છે અને મહાશક્તિઓનું પૂજન નવું વર્ષ સફળ બનાવે છે.

દિવાળીની મુખ્ય ત્રણ રાત્રિ એ દિવ્ય રાત્રિઓ ગણાય છે, કાલરાત્રિ, મહારાત્રિ, મોહરાત્રિ. (૧) પ્રથમ રાત્રિ – મહાલક્ષ્મીજીની જેને ધનતેરસ કહેવાય છે, (૨) બીજી રાત્રિ મહાકાળીની જેને કાળીચૌદશ અને (૩) ત્રીજી રાત્રિ મહાસરસ્વતીની દિવાળી, શારદા એટલે ચોપડા પૂજન. આમ ત્રણ દિવસ મહાશક્તિઓનું મહાપૂજન કરવું. જો ત્રણ દિવસ ન થાય તો દિવાળીના દિવસે ત્રણે દેવીઓનું સાથે પૂજન કરવું. જેથી નવું વર્ષ સફળ રહે. અહીં શારદાપૂજનના ફળદાયી મુહૂર્તો આપેલા છે જે દિવસે અને રાત્રિએ કરી શકાય.

November 6, 2018
banking.jpg
1min11940

દિવાળીના તહેવાર શરૂ થઈ ચૂક્યા છે. ચારે તરફ ઉજવણી અને રજાઓનો માહોલ છે. ત્યારે દિવાળીની રજાઓ બેન્કના કામકાજ પર પણ અસર પાડી શકે છે.  રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની વેબસાઇટ પર અપાયેલ જાણકારી પ્રમાણે 7 નવેમ્બરના રોજ દિવાળી, 8 નવેમ્બરના રોજ નવુ વર્ષ અને 9 નવેમ્બરના રોજ ભાઇબીજના કારણે ઉત્તરપ્રદેશના બેંક બંધ રહેશે. 10 નવેમ્બરના રોજ મહિનાનો બીજો શનિવાર આવે છે એટલે બંધ રહેશે. આ ઉપરાંત ગુજરાતમાં પણ 7 અને 8 નવેમ્બર બેંક બંધ રહેશે જ્યારે 10મી તારીખે મહિનાનો બીજો શનિવાર છે એટલે બંધ રહેશે. મોટાભાગની બેંકોમાં 9મી તારીખે પણ બેંકો બંધ રહેશે.

ક્યારેક સરકાર આટલી લાંબી રજાઓ રદ કરતી હોય છે. પરંતુ આ નિર્ણય ક્યારે લેવાય તે નક્કી નથી. એટલે તમારે પણ બેન્કના કામ આજે જ પતાવી દેવા જોઈએ. .નવેમ્બરના અંતમાં 23 નવેમ્બર 2018 (શુક્રવાર) ઇદ-એ- મિલાદ છે. જ્યારે તેના પછીના દિવસે એટલે શનિવારે 24 નવેમ્બરના રોજ ગુરૂ તેગ બહાદુરજીની શહીદી દિવસ પર ઘણાં રાજ્યોમાં રજા હોઇ શકે છે.

ગુજરાતમાં 7 નવેમ્બરે દિવાળી, 8 નવેમ્બરે નૂતનવર્ષ અને 9 નવેમ્બરે ભાઈબીજ, 10 નવેમ્બરે બીજો શનીવાર અને 11 નવેમ્બરે રવાવાર હોવાથી લગભગ પાંચ દિવસ બેન્ક બંધ રહેશે.

મહારાષ્ટ્રમાં 7 અને 8 નવેમ્બરે બેન્કો બંધ રહેશે. ત્યારબાદ 9 તારીખે બેન્કો ખુલ્લી રહેશે. જયારે 10,11 નવેમ્બરે ફરી બેન્કો બંધ રહેશે.

November 5, 2018
smc.jpg
1min34130

સુરત મહાનગરપાલિકાએ દિવાળીના બે દિવસ અગાઉ જ આજે તા.5મી નવેમ્બર 2018ના રોજ તેના કર્મચારીઓને રૂ.3 કરોડ 25 લાખની કુલ રકમનું બોનસ જાહેર કરીને જે તે ચોથા વર્ગના કર્મચારીઓના બેંક અકાઉન્ટમાં જ સીધું જમા કરાવી દીધું છે. કમસે કમ 9800 ઉપરાંત કર્મચારીઓને બોનસની રકમ સીધી બેંકમાં મળી જતા કર્મચારીઓએ દિવાળી સુધરી ગયાની લાગણી વ્યક્ત કરી હતી.

સુરત મહાનગરપાલિકાના અકાઉન્ટસ વિભાગે અખબારી યાદીમાં જણાવ્યું હતું કે 9811 જેટલા ઓનરોલ કર્મચારીઓને બોનસ મળવાપાત્ર હતું. આ કર્મચારીઓના બોનસની રકમની ગણતરી કરતા કુલ રૂ.3 કરોડ 25 લાખની જંગી રકમ થઇ હતી. આજરોજ તા.5મી નવેમ્બર 2018ના રોજ સુરત મહાનગરપાલિકાના 9811 જેટલા કર્મચારીઓને દિવાળી બોનસની રકમ સીધી તેમના ખાતામાં ટ્રાન્સફર આપી દેવામાં આવી છે. કર્મચારીઓમાં બોનસની રકમ મળતા જ ખુશાલી છવાય જવા પામી છે.

સુરત મહાનગરપાલિકાએ આ બોનસ તાત્કાલિક અસરથી આપવાનો નિર્ણય કર્યો હતો. મોટા ભાગના કર્મચારીઓને એવી જ માન્યતા હતી કે આ વખતે દિવાળી બોનસની રકમ વહીવટી ગૂંચને કારણે નહીં મળે. બોનસ અંગે હજારો કર્મચારીઓમાં અનેક શંકા કુશંકા પ્રવતર્તી હતી. પરંતુ, આજે તાત્કાલિક અસરથી ધનતેરસના પર્વે સુરત મહાનગરપાલિકાએ બોનસની રકમ કર્મચારીઓના બેંક અકાઉન્ટમાં જમા કરાવી દઇને તેમની દિવાળી સુધારી દીધી છે.