Alert Archives - Page 440 of 512 - CIA Live

November 17, 2018
ramdev.jpg
1min5850

ચાર રાજ્યોની વિધાનસભા ચૂંટણીના અંતિમ તબક્કામાં વિવાદમાં ઝંપલાવતા બાબા રામદેવે હવે અયોધ્યા ખાતે રામ મંદિરના મુદ્દે કહ્યું કે જો હમણાં નહીં બને તો રામ મંદિર અયોધ્યામાં ક્યારે નહીં બની શકે. તેમણે સંસદમાં કાયદો લાવો અને મંદિર બનાવો, અત્યારે નહીં તો ક્યારેય નહીંની રીત પર કામ કરવું પડશે.

રામ મંદિર નિર્માણ અંગેનો મામલો ગરમી પકડી રહ્યો છે. હિન્દુ સંગઠનો અને  મહંતોના કહેવા પ્રમાણે ઝડપથી રામલલાના મંદિરનું નિર્માણ કરવામાં આવે. આ ક્રમમાં યોગ ગુરૂ બાબા રામદેવે પણ રામ મંદિર નિર્માણ અંગે મહત્ત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે જો રામ મંદિરનું નિર્માણ ન થાય તો સાંપ્રદાયિક માહોલ ગરમ થશે અને પારસ્પરિક ભેદભાવ પણ વધશે.

ઉત્તરપ્રદેશના વારાણસીમાં યોગ ગુરૂ બાબા રામદેવે કહ્યું હતું, ‘જો રામ મંદિર નહીં બને તો દેશમાં સાંપ્રદાયિક માહોલ ગરમાશે, સાંપ્રદાયિક અને પારસ્પરિક ભેદભાવ વધશે. રામદેવે કહ્યું હતું, ‘મંદિર માટે સમજૂતીનો સમય વીતી ગયો છે.’

November 17, 2018
saudi_prince.jpg
1min5400

અમેરિકી તપાસ એજન્સી CIAએ પત્રકાર જમાલ ખશોગીની હત્યા પાછળ સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનનો હાથ હોવાનો સ્પષ્ટ નિર્દેશ આપતો રિપોર્ટ સાર્વજનિક કર્યો છે. અમેરિકી મીડિયાએ તા.16મી નવેમ્બર 2018ને શુક્રવારે આ રિપોર્ટ સોંપ્યો છે. અમેરિકી એજન્સી સાઉદી પ્રોસિક્યૂટરની તપાસને સાવ વિપરીત દર્શાવી છે, જેમાં તેમણે (સાઉદી પ્રોસિક્યુટરે) જધન્ય હત્યાકાંડમાં સાઉદી પ્રિંસનો હાથ હોવાનો ઈન્કાર કર્યો હતો.
વોશિંગ્ટન પોસ્ટના એક અહેવાલમાં જણાવ્યું કે CIAના અનુસાર સાઉદી સરકારના 15 એજન્ટ સરકારી એરક્રાફ્ટથી ઇસ્તાંબુલ ગયા હતા અને સાઉદી કોન્સ્યુલેટમાં ખશોગીની હત્યાને અંજામ આપ્યો હતો. જો કે, અન્ય મીડિયા તરફથી આ મુદ્દા વિશે સવાલ પૂછતા CIAએ જવાબ આપવાનો ઇનકાર કર્યો હતો.
https://www.aljazeera.com/news/2018/11/cia-concludes-saudi-crown-prince-ordered-khashoggi-murder-report-181117004639742.html
સાઉદી પ્રિન્સ દ્વારા સીઆઇએના રિપોર્ટના અનુસંધાને એક ટ્વીટ કરવામાં આવી હતી જે અત્રે પ્રસ્તુત છે.
https://twitter.com/kbsalsaud/status/1063584898567598080
સમગ્ર વિશ્વમાં હાલમાં સીઆઇએનો રિપોર્ટ ભારે ચર્ચાસ્પદ બન્યો છે. સાઉદી અરેબિયામાં પ્રિન્સ સલમાન સામે છુપો રોષ પણ પ્રવર્તી ઉઠ્યો છે. આગામી દિવસોમાં આ મુદ્દે ભારે ઘમાસાણ મચે તો નવાઇ નહીં.
November 17, 2018
diamondsurat-1280x720.jpg
1min5690

વિશ્વના સૌથી મોટા ડાયમન્ડ કટિંગ-પોલિશિંગ હબ સુરતમાં દિવાળી પહેલાથી જ હીરાના કારખાનાઓમાં મંદીની અસર જોવા મળી હતી. હાલમાં દિવાળી વેકેશન અંતિમ તબક્કામાં છે ત્યારે સુરતના હીરા ઉદ્યોગને પૂર્વવત્ થતાં હજુ તા. 1 ડિસેમ્બર 2018 સુધીનો સમય લાગી જાય તેમ જણાય આવે છે. સુરતમાં સૌથી પહેલા મોટી ફેક્ટરીઓમાં હીરાનું કામકાજ શરૂ થશે. નાના યુનિટને શરૂ થતા હજું પખવાડીયું નીકળી જાય તેવી શક્યતા છે. નાના કારખાનેદારો પાસે કામ જ ન હોય તો તેઓ કારીગરોને કારખાને બેસાડીને વગર કામનો પગાર કેમ ચૂકવે, આ રૂએ નાના હીરાના કારખાનાઓને કામ મળતા હજુ પખવાડીયું નીકળી જાય તેમ છે.

સુરતમાં દિવાળી પહેલાથી મંદી હતી, અમદાવાદમાં વિપરીત સ્થિતિ

દિવાળી અગાઉ જ હીરાબજારમાં મજબૂત ડોલર અને મોંઘા રફ હીરાની વિપરીત અસર જોવા મળી હતી અને નાના યુનિટો માટે કામગીરી મુશ્કેલ બની હતી. આ સ્થિતિમાં અનેક નાના યુનિટો બંધ થયા હતા. બેન્કિંગ ક્ષેત્ર દ્વારા ધિરાણના મામલે સખ્તાઈ રાખવામાં આવી તેની પણ સ્પષ્ટ અસર જોવા મળતી હતી. દરમિયાન, ક્રિસમસ માટે પણ બહુ પ્રોત્સાહક ઓર્ડર જોવા મળ્યા નહોતા અને દિવાળીના તહેવારો માટે સ્થાનિક બજારની માંગ પણ તળિયે હતી. જ્યારે અમદાવાદના હીરાના કારખાનાઓમાં દિવાળી પૂર્વે ફૂલ તેજી હતી. એટલું કામ હતું કે દિવાળીની રજાઓમાં પણ કારીગરો કામ કરવા માટે તૈયાર હતા. આમ, સુરતના જ હીરા ઉદ્યોગના કારખાનાઓમાં કારીગરો માટે કામ મળતું નથી એ બાબત પણ હવે તપાસનો વિષય બની છે.

સુરતના હીરા ઉદ્યોગના મોટા યુનિટોમાં તા. 20 નવેમ્બરથી કામકાજ શરૂ કરશે જ્યારે અન્ય યુનિટો 25 નવેમ્બર અને 1 ડિસેમ્બરથી કાર્યરત થશે. એટલે કે કુલ ત્રણ તબક્કામાં દિવાળી વેકેશન પૂર્ણ થશે. એવું જીજેઇપીસીના ચેરમેન શ્રી દિનેશ નાવડીયાએ જણાવ્યું હતું. ક્રિસમસ માટેના ઓર્ડરો પૂરા કરવા પર યુનિટો ધ્યાન આપશે અને એકંદરે દિવાળી અગાઉની સ્થિતિ કરતાં સારી સ્થિતિ રહેશે એવી અપેક્ષા છે.

સુરતના હીરા ઉદ્યોગમાં લગભગ 5,000થી વધારે યુનિટ ધમધમે છે અને કટ એન્ડ પોલિશ્ડ ડાયમન્ડનું ₹80,000 કરોડ જેટલું ટર્નઓવર છે. રફ ડાયમન્ડના ભાવમાં વધારો થવાની સામે પોલિશ્ડ ડાયમન્ડના ભાવમાં એટલો વધારો જોવા મળ્યો નથી અને ડોલરની મજબૂતાઈનો લાભ પણ માત્ર ગણતરીની કંપનીઓને જ મળ્યો હતો.

November 17, 2018
vib.jpg
1min4870

રાજ્યમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટમાં રોકાણ આકર્ષવા માટેના ફોરેન રોડ-શો બાદ હવે ડોમેસ્ટિક રોડ-શો શરૂ કરવામાં આવ્યા છે, જેના ભાગરૂપે તા.16મી નવેમ્બર 2018ના રોજ મુખ્યપ્રધાન વિજય રૂપાણીની આગેવાનીમાં નવી દિલ્હીમાં રોડ-શો યોજીને અભિયાનનો આરંભ કરવામાં આવ્યો હતો. દિલ્હીમાં રોડ શો યોજ્યા બાદ ઉદ્યોગકારો સાથે બેઠક પણ યોજશે.

નવી દિલ્હી ઉપરાંત મુંબઈમાં રોડ-શો યોજાશે જેમાં રાજ્યના નાયબ વડાપ્રધાન નીતિન પટેલ હાજરી આપશે. ત્યાર બાદ અન્ય શહેરો જેવા કે બેંગલુરુ, કોલકતા, હૈદરાબાદ અને પૂણે જેવાં શહેરોમાં યોજાનારા રોડ-શોમાં ઉદ્યોગપતિઓ સમક્ષ ગુજરાતમાં વિવિધ સેક્ટરમાં રોકાણની તકો અંગે વિગતે રજૂઆત કરાશે. રાજ્યના ઊર્જાપ્રધાન સૌરભ પટેલ અને ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ રોડ-શોની આગેવાની કરીને રોકાણને આકર્ષશે.

રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર મુખ્યમંત્રી વિજય રૂપાણી દિલ્હીમાં વાઇબ્રન્ટ ગ્લોબલ સમિટ-2019ની વિશેષતાઓ અંગે રોડ-શો અને વેપાર-ઉદ્યોગ અગ્રણીઓ સાથે વન-ટુ-વન બેઠકો યોજશે. તેઓ વિવિધ રાષ્ટ્રોના રાજદૂતો સાથે પણ બેઠકો પણ યોજશે. વાઇબ્રન્ટ ગુજરાત-2019નો આ કર્ટન રેઝર કાર્યક્રમ હશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નવી દિલ્હીની હોટેલ તાજ પેલેસમાં તા.16મી નવેમ્બર 2018ની સવારે 9થી 1 દરમ્યાન ઉદ્યોગ-વેપારજગતના વરિષ્ઠ સંચાલકો અને અગ્રણીઓ સાથે વાઇબ્રન્ટ સમિટ-2019 સંદર્ભે બેઠકો યોજી હતી. તેઓ વાઇબ્રન્ટ સમિટની વિશેષતાઓ સાથોસાથ વૈશ્વિક ફલક પર બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન તરીકે ગુજરાતની ઊભરી રહેલી પ્રતિભા સંદર્ભમાં આ ઉદ્યોગ-વેપાર અગ્રણીઓ સમક્ષ વિશદ વિચાર-વિમર્શ, રોડ-શો અને વન-ટુ-વન બેઠક યોજી હતી. મુખ્યમંત્રી વિવિધ રાષ્ટ્રોના નવી દિલ્હી સ્થિત રાજદૂતો-ડિપ્લોમેટ્સને વાઇબ્રન્ટ ગ્લોબલ સમિટ અંગે માહિતગાર કર્યા હતા.

આ બેઠકોમાં ભારત સરકારના વિદેશ, ઉદ્યોગ તથા અન્ય મંત્રાલયોના વરિષ્ઠ સચિવો મુખ્ય સચિવ ડો. જેએન સિંહ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, અગ્ર સચિવ એમકે દાસ, સચિવ અશ્વિનીકુમાર, ઉદ્યોગ કમિશનર મમતા વર્મા અને ગુજરાત સરકારના સંબંધિત ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા.

November 17, 2018
tejash2.jpg
1min10490

વિશ્વમાં સૌથી મોટું અન્ વ્યાપક રેલવે નેટવર્ક ધરાવતા ભારતની સૌથી ફાસ્ટેસ્ટ ટ્રેન કઇ છે ખબર છે તમને એના વિશે…નહીં ખબર હોય તો આ લેખ વાંચી જાવ…નોલેજમાં વધારો થશે એ ચોક્કસ છે.

૧૨૦ કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ પર દોડાવવાની અપાઈ પરવાનગી

tejas

મુંબઈ-ગોવા વચ્ચે દોડતી તેજસ એક્સપ્રેસ ટ્રેનને ૧૪ નવેમ્બરથી રોહાથી મડગાંવ સેક્શનમાં ૧૨૦ કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે દોડાવવાની પરવાનગી આપવામાં આવી હોવાથી હવે આ ટ્રેનના મુસાફરીના સમયમાં ૩૦ મિનિટ બચવાની સાથે આ ટ્રેન દેશની ફાસ્ટેસ્ટ ટ્રેન બની છે, જે આખા રૂટના મોટા ભાગના હિસ્સામાં ૧૨૦ કિલોમીટરની સ્પીડ પર દોડશે.

છત્રપતિ શિવાજી ટર્મિનસથી કરમાળી સ્ટેશન વચ્ચે દોડતી તેજસ એક્સપ્રેસ ૧૬૦ કિલોમીટર પ્રતિ કલાકની મૅક્સિમમ સ્પીડ લઈ શકે છે, પરંતુ અત્યારે એ શતાબ્દી એક્સપ્રેસ જેટલી એટલે કે ૧૧૦ કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ પર દોડે છે.

November 16, 2018
oldnotes.jpg
1min14210

રૂ.500 અને રૂ.1000ની જૂની કરન્સી નોટ્સ રદ થયાને બે વર્ષ વિતી ચૂક્યા છે અામ છતાં, કેટલાક લોકો હજુ પણ આવી નોટોના વટાવની લ્હાયમાં તેની હેરફેર કરી રહ્યા છે અને પકડાય રહ્યા છે. આશ્ચર્યની વાત એ છે કે પકડાયેલા મોટા ભાગના સુરતના રહેવાસીઓ હોય છે. નવસારીમાં ગુરુવારે સાંજે તા.15મી નવેમ્બર 2018ની સાંજે બે સુરતીઓ આવી જૂની નોટ્સ સાથે પકડાયા હોવાની વિગતો જાણવા મળી છે.

નવસારી ટાઉન પોલીસને બાતમી મળી હતી કે ગુરુવાર તા.15મીએ સાંજે નંબર વગરની સ્કુટી પર બે માણસો ચલણમાંથી રદ થયેલી નોટ સાથે વિરાંજલી માર્ગ અગ્રવાલ કોલેજ પાસેથી પસાર થવાના છે. પોલીસે વોચ ગોઠવી હતી.બાતમી મુજબ નંબર વગરના મોપેડ પર  આવેલા મોહમંદ ઝુબેર હનીફ ઝવેરી ( રહે. રાણીતળાવ, સુરત) અને રમેશ વિઠ્ઠલ રાવળ ( રહે. નવદુર્ગા સોસા. નાનાવરાછા, સુરત)ની ધરપકડ કરી હતી. તેમની પાસેની કાળી બેગમાં 500ના દરની 10913 જેની કિંમત રૂપિયા 54, 56, 500 અને 1000ના દરની 1451 જેની કિંમત રૂપિયા14,51,000 મળી કુલ 69,07,500ની નોટ પોલીસે કબ્જે લીધી હતી.આ નોટ કોને આપવાની હતી તેની પોલીસ તપાસ કરી રહી છે.નવસારી ઇન્કમટેકસ વિભાગને જાણકારી આપી દેવામાં આવી છે.

November 16, 2018
nuts_burn.jpg
1min7180

ગુજરાત સરકાર દ્વારા મગફળીના ટેકાના ભાવ જાહેર કરીને તા.14મી નવેમ્બર 2018થી ખરીદીનો આરંભ કરવામાં આવ્યો હતો. રાજ્ય સરકારના નીતિ-નિયમોને લીધે પહેલા જ દિવસે સૌરાષ્ટ્રના મગફળી પકવતા ખેડૂતોનો પિત્તો ગયો હતો અને તેઓ એવા રોષે ભરાયા કે રાજ્ય સરકારને મગફળી વેચવાને બદલે રસ્તા પર મગફળી બાળવાનું શરૂ કરી દીધું હતું, જોત જોતામાં મગફળી બાળવાનો ટ્રેન્ડ એવો વાઇરલ થયો કે સૌરાષ્ટ્રમાં છેલ્લા બે દિવસથી ગામેગામ મગફળી બાળવામાં આવી રહી છે એટલું જ નહીં હાઇવે પરથી પસાર થતાં વાહનોને રોકી-રોકીને એમાં બેઠેલા પૅસેન્જરોને પણ ભરપેટ મગફળી ખવડાવીને ખેડૂતોએ સરકારની નીતિનો અનોખો વિરોધ કર્યો છે.

અળવીતરો નિયમ સરકારનો

ગુજરાત સરકારએ આ વખતે મગફળી ખરીદીમાં કેટલાક અળવીતરા નિયમો બનાવ્યા છે. જેમકે 35 કિલોના પૅકિંગમાં મગફળી પૅક કરવાની છે અને એમાં પણ અડધા ફુટની જગ્યા ખાલી રાખવાની છે. ખાલી રાખવાની જગ્યાનો નિયમ પાળવામાં આવે તો બોરીમાં ત્રીસ કિલોથી વધારે મગફળી આવે એમ નથી.

મગફળી વેચવા માટે ખેડૂતો તા.14મી નવેમ્બર 2018ના રોજ માર્કેટિંગ યાર્ડો પર પહોંચ્યા ત્યારે એંસી ટકા માલ પૅકિંગને પ્રશ્ને રિજેક્ટ કરવામાં આવતાં ખેડૂતો રોષે ભરાયા હતા અને તેમણે હાઇવે પર જ પૅકિંગ ખોલી નાખ્યાં હતાં. માર્કેટમાં બરાબર ભાવ ન મળે ત્યારે ખેડૂતો સરકારને મગફળી આપે. એક તો પોષણક્ષમ ભાવ ન મળતા હોય એવામાં આ મગફળી ફરીથી પાછી લઈ જવી અને એ માટેની બોરી બનાવવી એ કોઈ ખેડૂતને પોસાય એમ નથી એટલે પાછા લઈ જવાના ખર્ચને બદલે બધાએ મગફળી બાળી નાખી તો અમુકે લોકોની વચ્ચે લહાણી કરી નાખી.

છેલ્લા બે દિવસમાં સૌરાષ્ટ્રમાં ગામેગામ મગફળી બાળી નાંખવાનો કે લોકોમાં વહેંચી દેવાનો ટ્રેન્ડ ભારે વાઇરલ થયો છે.

તા.14મી અને 15મી નવેમ્બરના રોજ સૌરાષ્ટ્ર-કચ્છમાં ઓછામાં ઓછી બે હજાર કિલો મગફળીનો જથ્થો અગર તો બાળવામાં કે મફત ખવડાવવામાં આવ્યો હતો.

November 16, 2018
saurashtra-patel.png
1min10120

સુરત આવીને સ્થાયી થયેલી સૌરાષ્ટ્રવાસીઓ સકારાત્મક અને સમાજ ઉપયોગી ક્ષેત્રની વાત કરીએ તો જુદા જુદા ક્ષેત્રમાં ક્રાંતિજનક કાર્ય કરી રહ્યા છે, પછી એ લોક આરોગ્ય હોય, સફાઇ અભિયાન હોય, ગુટખા-તમાકુ વિરોધી પ્રવૃતિ હોય કે અન્ય કોઇ સામાજિક દુષણ હોય. સૌરાષ્ટ્રવાસીઓએ સુરતમાં અનેક રચનાત્મક કાર્યો મોટા પાયે હાથ ધરીને સમાજમાં જાગૃતિ અભિયાનો પાર પાડ્યા છે. હવે સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજે આત્મહત્યાના દુષણ સામે જંગ છેડી છે અને આ જંગ માટે જે ઉત્સવમાં હજારો, લાખો લોકો જોડાય છે એ સમૂહ લગ્નોત્સવને નિમિત બનાવ્યો છે. સમૂહ લગ્નોત્સવ થકી આત્મહત્યા વિરુદ્ધ જાગૃતિ આણશે એ સુરતનો સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ.

સારાષ્ટ્ર પટેલ સમાજ દર વર્ષે સામાજિક જાગૃતિ સાથે સમૂહલગ્નનું આયોજન કરે છે. નવા વર્ષે 60 માં સમૂહલગ્નનું’ આયોજન છે. આ વર્ષે આપાઘાત રોકો થીમ પર સમૂહલગ્નનું આયોજન કરવામાં આવશે. આ સમૂહલગ્નમાં 275 જેટલા નવ યુગલ’ લગ્નગ્રંથીથી’ જોડાશે. સમૂહ લગ્ન પહેલા સમાજમાં વિવિધ કાર્યક્રમો યોજીને આપઘાત રોકવા માટેના કાર્યોક્રમો યોજવામાં આવશે.

તા. 17. ફેબ્રુઆરી,2019ના રોજ તમામ નવ યુગલો અને તેમના પરિવારોને આપઘાત નહીં કરવા પ્રતિજ્ઞા લેવડાવામાં આવશે. સારાષ્ટ્ર પટેલ સમાજ’ દ્વારા 40 હજાર જેટલી કંકોત્રી છાપવામાં આવશે. અને આ કંકોત્રીમાં’ આપઘાત કેવી રીતે ટાળી શકાય એવા સંદેશાઓ દર્શાવાશે. આ સમૂહલગ્ન સમારોહમાં 200 જેટલા એનજીઓ જોડાશે. આ તમામ એનજીઓ આપઘાત રોકવા માટે જુદા જુદા કાર્યક્રમો કરશે. “આપઘાત રોકો’’ ના થીમ કાર્યક્રમોમાં 3000 થી વધુ લોકો ભાગ લેશે.’

સુરત સૌરાષ્ટ્ર પટેલ સમાજના પ્રમુખ કાનજીભાઇ ભાલાળાએ જણાવ્યું હતું કે લગ્ન મંડપમાં જુદા જુદા સામાજિક સંદેશાઓ આપવાનું પ્લેટફોર્મ બને એવો પ્રયાસ કરીશું. લગ્નમાં ખોટા ખર્ચને બચાવી ઇન્વેસ્ટ કેવી રીતે કરવું’ એ અંગે સેમિનારોનું આયોજન કરવામાં આવશે. તમામ યુગલો માટે પણ સેમિનારનું આયોજન કરવામાં આવશે.

સૌરાષ્ટ્ર પટેલ સમાજ દ્વારા 1983 થી સમૂહલગ્નનું આયોજન કરવામાં આવે છે.’ લગ્ન કરવા એટલે પક્ષકારોને આર્થિક રીતે મદદ કરવું એ નહિં પરંતુ સમાજને નવો વિચાર આપવાનો છે. સમાજમાં નવી જાગૃતિ આવે એ માટે પટેલ સમાજ દ્વારા દર વર્ષે વિવિધ થીમો પર સમૂહલગ્નનું આયોજન કરે છે. સમાજમાં દિનપ્રતિદિન આપઘાતના કિસ્સાઓ વધી રહ્યા છે.’ લોકો આપઘાત કરતાં અટકે અને પરિવાર’ અને સમાજને નવી દિશામાં લઇ જાય તે માટે આ નવા વર્ષે જીવનને નિહાળીને નવી નજરે અંતર્ગત સમૂહ લગ્ન યોજાશે.

November 15, 2018
bhulka1.jpg
1min39130

કોઇ સ્કુલ તમને એવું કહી શકે કે તમે પહેલા એ બાબત ચકાસી લો કે અમે કેવી પદ્ધતિથી ભણાવીએ છીએ, અમે કેવું ભણાવીએ છીએ ?, અમારે ત્યાં કેવા પ્રકારની ફેસેલિટી છે?, આ બધી બાબતોની ખરાઇ કરવા માટે કોઇ શાળા 6-8 મહિનાનો સમય તમને આપી શકે આવા સવાલો અને તેના જવાબો આપવાની તસ્દી લે એવી સ્કુલ અને વળી એ પણ મોસ્ટ ડિમાન્ડેડ શાળા આવું કરી શકે… ?

 

કદાચ આવા પ્રશ્નોના મોટા ભાગે મળતા જવાબો ના માં હોય. પણ અમે અહીં સુરતના પાલ-ભાઠા રોડ પર આવેલી ભૂલકા વિહાર સ્કુલની વાત કરી રહ્યા છે. આઘુનિકતા સાથે પરંપરાગત શૈલીથી શિક્ષણ આપવા માટે જાણીતી અને સતત રચનાત્મક પ્રયોગ કરતી ભૂલકા વિહાર સ્કુલના સંચાલકોએ 2019-20માં શાળામાં ધો.11 સાયન્સમાં પ્રવેશ લેવા ઇચ્છતા વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે આજે નીચે મુજબની નોટિસ જારી કરી છે જેના પરથી આખી વાતનો મર્મ સમજાશે.

હાલમાં ધો.10માં અભ્યાસ કરી રહેલા અને આગામી વર્ષે ધો.11 સાયન્સમાં ભૂલકા વિહાર શાળામાં પ્રવેશ મેળવવા ઇચ્છતા વાલીઓ માટે આગામી તા.25મી નવેમ્બર 2018ને રવિવારના રોજ સવારે 8.30 કલાકે શાળામાં એક ખાસ મિટીંગ રાખવામાં આવી છે. આ મિટીંગનો આશય વાલીઓને માહિતગાર કરવાનો છે એવી બાબતોથી કે જે ભૂલકા વિહાર શાળાની સક્સેસ સ્ટોરીના પીલર્સ છે. આ મિટીંગમાં ધો.11 સાયન્સના વિદ્યાર્થીઓએ આપવાની થતી જે.ઇ.ઇ. મેઇન્સ, જે.ઇ.ઇ. એડવાન્સ્ડ, નીટ, ગુજકેટ વગેરે જેવી બાહ્ય પ્રવેશ પરીક્ષાઓ ઉપરાંત ગુજરાતી, અંગ્રેજી બન્ને માધ્યમમાં શાળામાં કયા ફેકલ્ટી શું શીખવશે, શાળાના શિક્ષકો, તેમના સહાયકો, શાળાની શૈક્ષણિક તેમજ સહશૈક્ષણિક પ્રવૃતિઓ વગેરે મળીને બે વર્ષમાં કેવી રીતે બાળકોને ઉચ્ચ શિક્ષણ માટે તૈયાર કરવામાં આવશે તેની આખી રેસીપી રજૂ કરશે. ધો.11-12 સાયન્સ ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના પ્રત્યેક વિદ્યાર્થી પાછળ શાળા, શિક્ષકો, સહાયકો, શાળા દ્વારા નિમવામાં આવતા એક્સપર્ટસ વગેરે કેવા પ્રકારની મહેનત, કયા સમયગાળામાં કરતા હોય છે, કેવી રીતે અભ્યાસક્રમનું સમયસર સંચાલન, વિદ્યાર્થીઓને સ્પર્શતા પ્રશ્નો, સમસ્યાઓનું સમાધાન થાય છે વગેરે બાબતોથી ઝીણવટપૂર્વક માહિતગાર આજે કોણ કરવા તૈયાર હોય, આ બધું જ ભૂલકા વિહાર શાળામાં યોજાનારી મિટીંગમાં જાણવા મળશે.

2019 જૂન માસથી ગુજરાત બોર્ડ ધો.11 સાયન્સ ગુજરાતી અને અંગ્રેજી માધ્યમમાં પ્રવેશ લેવા ઇચ્છતા વિદ્યાર્થીઓના વાલીઓ માટે આ સૌથી અગત્યની મિટીંગ બની શકે. ખાસ નોંધ એ પણ લેવાની કે આ મિટીંગ ભૂલકા વિહાર શાળાના વાલીઓ માટે નથી. ભૂલકા વિહાર શાળામાં ધો.10માં અભ્યાસ ન કરતા હોય એવા વિદ્યાર્થીઓના વાલીઓ માટે આ મિટીંગ યોજવામાં આવી છે.

ભૂલકા વિહાર શાળાએ આવું કરવાની કશી જરૂર નથી. આ શાળા ઇચ્છે તો એક નહીં ચાર-ચાર વર્ગોની સંખ્યા બેઠા બેઠા ભરી શકાય. પરંતુ, એવું નહીં જે રીતે વાલીઓની શાળા પ્રત્યે અપેક્ષા હોય છે તેવી જ રીતે શાળા પણ વાલીઓ પાસે કેટલીક ચોક્કસ અપેક્ષા રાખે છે, સૌથી મોટી અપેક્ષા એ જ હોય કે વાલી તેના બાળકને પૂરતો સમય આપે, શાળા જ્યારે બોલાવે ત્યારે સમયસર મિટીંગ એટેન્ડ કરે. સંચાલકો એવું સ્પષ્ટ રીતે સમજે છે કે બાળકનો સર્વાંગી વિકાસ એકલી સ્કુલથી સંભવ નથી. વાલીઓ પણ એટલું જ યોગદાન કરે કે જેથી વિદ્યાર્થીઓને સરળતાથી ભવિષ્યના પડકારો સામે લડવા માટે સજ્જ કરી શકાય.

 

November 15, 2018
itr.jpg
1min11510

નૉટબંધી બાદ નોટિસો મોકલવાય છતાં રિટર્ન ફાઇલ ન કરનારા 80,000 કેસોનો કર વિભાગના અધિકારીઓ પીછો કરી રહ્યા છે.

પ્રગતિ મેદાનમાં ઇન્ડિયા ઇન્ટરનેશનલ ટ્રેડ ફેરમાં આઇટી વિભાગના સ્ટોલનું ઉદ્ઘાટન કરતી વખતે સીબીડીટીના ચેરમેન સુશીલચન્દ્રએ જણાવ્યું હતું કે એવા 80,00,000 લોકો પણ શોધી કાઢયા છે, જેમણે અગાઉ ત્રણ વર્ષ દરમિયાન રિટર્ન ફાઇલ કર્યા હતા, પણ નૉટબંધી પછી રિટર્ન ફાઇલ નથી કર્યા.

એમણે વધુમાં જણાવ્યું હતું કે 2016માં કરવામાં આવેલી નૉટબંધીએ ખરેખર કરદાતાઓની સંખ્યામાં વધારો કરવામાં અને દેશની સીધા કરની આવક વધારવામાં ઘણી મદદ કરી છે.

જો તમે ગયા વર્ષનું સીધા કરનું કોન્ટ્રીબ્યુશન જુઓ તો એ 52 ટકા હતું અને આડકતરા કરનું 48 ટકા હતું. આવું ઘણાં વરસો બાદ થયું છે, જ્યારે સીધો કર આડકતરા કર કરતા વધારે આવ્યો હોય.

તમે જો એમ જાણવા માગતા હો કે નૉટબંધીનો લાભ શો થયો, તો એનો જવાબ એમ છે કે એને કારણે બધા નાણાં હવે બૅંકમાં જમા થયા છે અને એને રિટર્ન સાથે સરખાવીને સરળતાથી જાણી શકાય છે કે કોણે કર નહોતો ભર્યો.

નૉટબંધી બાદ અમારા વિભાગે ત્રણ લાખ લોકોને રિટર્ન ભરવા માટે એસએમએસ અને ઇમેઇલ દ્વારા નોટિસો મોકલાવી હતી, એમાંથી અંદાજે સવાબે લાખ લોકોએ રિટર્ન દાખલ કર્યા હતા, પણ 80 હજાર લોકોએ હજુ કર્યા નથી અને અમારો વિભાગ એમની પાછળ પડયો છે તથા ટૂંક સમયમાં અમે એનું અસેસમેન્ટ કરીને આગળ પગલાં લઇશું.