CIA ALERT

Alert Archives - Page 396 of 512 - CIA Live

March 15, 2019
n11.jpg
1min13730

Helpline numbers for Indians in New Zealand needing assistance: 021803899 or 021850033

તા.15મી માર્ચ 2019ની સાંજ ન્યુઝીલેન્ડ માટે સૌથી કારમી સાંજ નિવડી છે. ન્યુઝીલેન્ડ દેશ પર થયેલા સૌથી પહેલા આતંકી હુમલામાં 40થી વધુ લોકોના મોત તો નિપજ્યા છે, પરંતુ, આ નાનકડા દેશમાં અંધાધૂંધ ફાયરિંગની ઘટનાએ લાખો લોકોને હચમચાવી મૂક્યા છે. ન્યૂઝીલેન્ડના ક્રાઈસ્ટચર્ચની બે મસ્જિદોમાં વણઓળખાયેલા હુમલાખોરે અંધાધૂંધ ફાયરીંગ કરીને જે વ્યક્તિ દેખાઇ તેને મોતને ઘાટ ઉતારી દીધી છે. અંધાધૂંધ ફાયરિંગના આ આતંકી હુમલામાં 50થી વધુ લોકોના મોત થવાની અને 30 જેટલા લોકોના ઘાયલ થયા હોવાના મિડીયા રિપોર્ટસ ન્યુઝીલેન્ડથી મળી રહ્યા છે.

પહેલો હુમલો અલ નૂર મસ્જિદમાં થયો. રિપોર્ટ્સ મુજબ હુમલાવરને પોલીસે કસ્ટડીમાં લઈ લીધો છે. હુમલાને પ્રત્યક્ષ જોનારા લોકોના કહેવા મુજબ હુમલાખોરે કાળા કપડાં પહેર્યા હતા અને તે માથા પર હેલ્મેટ પહેરીને આવ્યો હતો. તેની પાસે રહેલા સ્વચાલિત હથિયાર વડે તે ફાયરિંગ કરી રહ્યો હતો. ન્યૂઝીલેન્ડ પોલીસે સમગ્ર વિસ્તારને ઘેરી લીધો હતો.

ન્યૂઝીલેન્ડ પોલીસે એક નિવેદન દ્વારા જાણકારી આપી છે કે,‘ક્રાઈસ્ટચર્ચની પરિસ્થિતિ અત્યંત ગંભીર છે. અહીં શૂટર્સ ઘુસી આવ્યા છે જે હજી પણ સક્રિય છે. પોલીસ તેને ઠાર કરવાના શક્ય તેટલા તમામ પ્રયાસો કરી રહી છે પરંતુ હજી પણ પરિસ્થિતિ પોલીસના હાથની બહાર છે

ન્યૂઝીલેન્ડના પીએમ જૈસિન્ડા ઓર્ડર્ને તેને દેશનો સૌથી કાળો દિવસ જણાવતા કહ્યું કે, મસ્જિદમાં ઘણી જગ્યાઓથી ફાયરિંગ થઈ રહ્યું છે. તેમણે લોકોને સુરક્ષિત જગ્યાએ રહેવાનો આગ્રહ કરતા કહ્યું કે હુમલાવર હજુ સક્રિય છે અને તે લોકોને નુકસાન પહોંચાડી શકે છે. તેમણે કહ્યું, ન્યૂઝીલેન્ડમાં હિંસાની કોઈ જગ્યા નથી.

મસ્જિદમાં થયેલા હુમલા બાદ બંને ટીમોએ શનિવારે ક્રાઈસ્ટચર્ચમાં રમાનારી ટેસ્ટ મેચને રદ કરવાનો નિર્ણય લીધો છે. ન્યૂઝીલેન્ડ ક્રિકેટે પોતાના ઔપચારિક ટ્વીટર હેન્ડલ દ્વારા આ વાતની જાણકારી આપી. ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે પોતાના ટ્વીટમાં આ હુમલામાં પ્રભાવિત થયેલા લોકોના પરિવારો પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરી.

ન્યૂઝીલૅન્ડમાં ક્રાઇસ્ટચર્ચ સ્થિત મસ્જિદ પાસે ગોળીબાર થયો છે, જેમાં 40 લોકોનાં મૃત્યુ થયાં હોવાનું તથા 20 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત હોવાનું વડા પ્રધાને જણાવ્યું છે.

બાંગ્લાદેશની ટીમ ન્યૂઝીલૅન્ડના પ્રવાસે હતી અને તેઓ મસ્જિદમાં પ્રવેશે એ પહેલાં જ હુમલો થયો હતો. આ પ્રવાસ રદ કર્યો હોવાનું ખેલાડીઓએ ટ્વિટરના માધ્યમથી જણાવ્યું હતું. પોલીસ કમિશનર માઇક બુશે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે હુમલાની ઘટના બાદ ત્રણ પુરુષો અને એક મહિલાની અટકાયત કરાઈ છે.

ન્યુઝીલેન્ડના ઇતિહાસમાં બ્લેક ડે

ન્યૂઝીલૅન્ડના વડા પ્રધાન જૅસિંડા અર્ડર્ને મૃતકોની પુષ્ટિ કરતાં શુક્રવારને પોતાના દેશ માટે ‘કાળો દિવસ’ ગણાવ્યો છે. તેમણે જણાવ્યું કે આ મામલે એક મહિલા સહીત ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે. વડા પ્રધાને કહ્યું કે, “ક્રાઇસ્ટ ચર્ચ આ પીડિતોનું ઘર હતું. આમાંથી ઘણી લોકોનો જન્મ અહીં જ થયો હતો, ઘણા લોકો માટે ન્યૂઝીલૅન્ડ તેમનો મનપસંદ દેશ હતો.” દેશના પ્રથમ વડા પ્રધાને દેશના નામે આપેલાં સંદેશમાં કહ્યું હતું, “હું તમને કહી શકું છું કે ન્યૂઝીલૅન્ડ માટે આ કાળા દિવસોમાંનો એક છે.”

ન્યૂઝીલૅન્ડના પોલીસ કમિશનર માઇક બુશે કહ્યું કે આ મામલામાં ચાર શકમંદોની ધરપકડ કરવામાં આવી છે. તેમાં ત્રેણ પુરુષો અને એક મહિલાઓ છે. હજી એવું ન કહી શકાય કે ખતરો ટળી ગયો છે. સ્થાનિક તંત્રે તમામ મસ્જિદો આગામી જાહેરાત ન કરાય ત્યાં સુધી બંધ રાખવાની સૂચના આપી છે. પોલીસ કમિશનર માઇક બુશે કહ્યું કે ક્રાઇસ્ટચર્ચની શાળાઓ બંધ રાખવામાં આવી છે. મસ્જિદમાં હુમલો થયો છે તેની બાજુની અન્ય મસ્જિદ ખાલી કરાવી હોવાના અહેવાલ છે. મીડિયાના અહેવાલો મુજબ પોલીસ આસપાસની ઇમારતોને ખાલી કરાવી રહી છે.

પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર કૅથેડ્રલ સ્ક્વેર પણ ખાલી કરાવાયું છે, જ્યાં ક્લાઇમેટ ચૅન્જ માટેની એક રેલી માટે હજારો બાળકો એકઠાં થયાં હતાં. પોલીસ કમિશનર માઇક બુશે જણાવ્યું, “ક્રાઇસ્ટચર્ચમાં એક શૂટરના કારણે ગંભીર ઘટના બની છે, જેની હજુ વધુ માહિતી આવી રહી છે. ” “આ સ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસ પૂરતા પ્રયત્નો કરી રહી છે. પરંતુ હજુ પણ જોખમ રહેલું છે. “પોલીસે કહ્યું છે કે ક્રાઇસ્ટચર્ચની આસપાસ રહેતા લોકોએ આગામી આદેશ સુધી ઘરમાં જ રહેવું, બહાર રસ્તા પર ન આવવું.” “પોલીસે સ્થાનિકોને તેમના ઑપરેશનમાં સહકાર આપવા બદલ આભાર માન્યો છે, અને નાગરિકોને વધુ માહિતી આપતા રહેવાની વાત કરી છે.”

ન્યુઝીલેન્ડ અને બાંગ્લાદેશ વચ્ચે શનિવારથી શરૂ થતી ટેસ્ટ મેચ રદ

તાજેતરમાં જ ક્રિકેટ મૅચ માટે બાંગ્લાદેશની ટીમ ન્યૂઝીલૅન્ડ પહોંચી છે. ત્યારે બાંગ્લાદેશ ક્રિકેટ ટીમના એક રિપોર્ટરે ટ્વીટ કર્યું છે, “હૅગલે પાર્ક પાસેની મસ્જિદમાં ભાગદોડ, ત્યાં હુમલાખોરો હતા.”. જાણકારી મુજબ ગોળીબાર સમયે બાંગ્લાદેશની ક્રિકેટ ટીમ મસ્જિદમાં ઉપસ્થિત હતી, પરંતુ તે સુરક્ષિત રીતે બહાર નીકળવામાં સફળ રહી. સ્થાનિક મીડિયાના આધારે કૅંટબરી ડિસ્ટ્રિક્ટ હૅલ્થ બોર્ડે પોતાની ઇમર્જન્સી સેવાઓ શરૂ કરી દીધી છે.

March 15, 2019
mehul_modi.jpg
1min18150

ભલે નરેન્દ્ર મોદી પાસે પી.એચડી.ની ડિગ્રી નહીં હોય પરંતુ, તેમની કામગીરી પર રિસર્ચ કરનાર સુરતના યુવાન વકીલ મેહુલ ચોક્સીએ તૈયાર કરેલા મહાનિબંધને સ્વીકારીને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ શિક્ષણ જગતની સર્વોચ્ચ ડિગ્રી પી.એચડી. એનાયત કરી છે. વિશ્વમાં પહેલી વખત બનેલી ઘટનામાં શ્રી નરેન્દ્ર મોદીની કાર્યપ્રણાલિ પર પી.એચડી.ની ડિગ્રી એનાયત થઇ હોય.

નરેન્દ્ર મોદી પર પી.એચડી. કરનાર મેહુલભાઇ ચોક્સીએ સી.આઇ.એ.લાઇવ સાથે મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે તેમણે તા.19મી એપ્રિલ 2010ના રોજ તેમના પી.એચડી. પર સંશોધન કાર્ય શરૂ કર્યું હતું. યુનિ.ના એમ.પી.એ. ડિપાર્ટમેન્ટના એસોસીએટ પ્રોફેસર શ્રી ડો.નિલેશ જોશી તેમના પી.એચડી.ગાઇડ હતા. તેમણે સરકારી સિસ્ટમમાં પોલિટીકલ લિડરની ભૂમિકા, યોજનાઓનું અમલીકરણ, ખાનગી લોકો સાથે લોકભાગીદારી વગેરે જેવા મુદ્દાઓને સાંકળી લઇને થીસીસ તૈયાર કરી હતી.

(નરેન્દ્ર મોદીના ગવર્નન્સ પર વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ પી.એચડી.ની ડિગ્રી એનાયત કરી છે)

સુરતના યુવાન ધારાશાસ્ત્રી મેહુલ ચોકસીએ જ્યારે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં તેમનું પી.એચડી. શરૂ કર્યું હતું ત્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી પદે હતા. જ્યારે તેમનું પી.એચડી. પૂરું થયું એટલે કે પી.એચડી. નોટિફિકેશન વીર નર્મદ યુનિવર્સિટીએ ઇશ્યું કર્યું ત્યારે એ તારીખ 13મી માર્ચ 2019ના રોજ નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન પદે બિરાજી રહ્યા છે.

March 15, 2019
Narendra_Modi_PTI_0.jpeg
1min7850

ભારતમાં જ નહીં બલ્કે વિશ્વમાં નરેન્દ્ર મોદી સુપર હિરોની ઇમેજ ધરાવી રહ્યા છે, મોદીના નામ પર આજે ભારતમાં કંઇપણ વેચાય જાય છે, કેટલાક ધંધાદારીઓએ ફેસબુક પર મોદીના ફોટા અને નામ પર ધંધા શરૂ કરી દીધા હતા

ફેસબુકની એડ લાઇબ્રેરી પ્રમાણે બેબીચક્ર, એન્ટિ-UV સનગ્લાસની અજાણી બ્રાન્ડ હેલોફી, પાંચ નાની રિક્રુટમેન્ટ એજન્સી અને કેટલીક શંકાસ્પદ ફાઇનાન્સ કંપનીઓ અને કૌભાંડીઓ એડ્.માં મોદીના ફોટાનો ઉપયોગ કરી મોદીની ઇમેજ એન્કેશ કરવાનો ધંધો કરી રહ્યા છે

ભારતમાં નરેન્દ્ર મોદીની ઇમેજ કોઇ કાલ્પનિક સુપર હીરો કરતા પણ વધી ગઇ છે, લોકો નરેન્દ્ર મોદીને રોબિનહુડ, સુપરમેનથી લઇને ભગવાનનું માનવીય સ્વરૂપ માનવા લાગ્યા છે, સારી બાબતોની સાથે કેટલીક નરસી બાબતો પણ જોડાયેલી છે એમ નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાના વહેણમાં પોતાની બ્રાન્ડ વહાવીને રોકડી કરવા માંગતો તત્વો પણ મોદીની ઇમેજને બેરોકટોક પણે એન્કેશ કરી રહ્યા હતા. જેને ફેસબુકે બંધ કરાવ્યા છે.

સોશિયલ મીડિયામાં મોદીના ફોટાની આડમાં કમાણી કરવા માંગતી નાની બ્રાન્ડ્સ અને કેટલાક સ્માર્ટ કૌભાંડીઓ મોદીની લોકપ્રિયતાનો દુરુપયોગ કરી રહ્યા છે. ફેસબુકની એડ પ્રમાણે બેબીચક્ર, એન્ટિ-UV સનગ્લાસની અજાણી બ્રાન્ડ હેલોફી, પાંચ નાની રિક્રુટમેન્ટ એજન્સી અને કેટલીક શંકાસ્પદ ફાઇનાન્સ કંપનીઓ અને કૌભાંડીઓ એડ્.માં મોદીના ફોટાનો ઉપયોગ કરી તેમની લોકપ્રિયતામાંથી રોકડી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. પ્રોડક્ટ્સ અને સર્વિસિસની એડ્ માટે મોદીના ફોટાનો ઉપયોગ કરનારી અન્ય ફર્મ્સમાં ફ્રેશર્સ ગ્રૂપ, ટુડે વોકિન્સ, ગવર્મેન્ટ જોબ્સિફાય, ઓમ નૌકરી અને પ્રાઇવેટ જોબ્સ જેવા જોબ સર્ચ અને રિક્રુટમેન્ટ પોર્ટલ્સ સામેલ છે.

મોદીના ફોટાનો ગેરકાનૂની રીતે ઉપયોગ કરાતો હોવાની ફરીયાદો મળતા જ ફેસબુકે આખરે આ તમામ ફેક જાહેરાતોને હટાવી દીધી છે. કંપનીએ જણાવ્યું હતું કે, એડ્ મુકાયા પછી જાણ થઈ હતી કે, વડાપ્રધાન જેવા રાષ્ટ્રીય મહત્ત્વના વ્યક્તિ સાથે સંકળાયેલી છે. ફેસબુક પરની એક એડ્માં બે હાથમાં પિસ્તોલ અને પીઠ પર મોટી બંદૂક સાથેના વ્યક્તિના ચહેરા પર મોદીનો ચહેરો મોર્ફ કરવામાં આવ્યો હતો. વિસ્ફોટમાંથી બહાર નીકળતા એ વ્યક્તિએ કાઉબોય હેટ અને કાળાં ચશ્માં પહેર્યાં હતાં. આ ₹799ના ‘PubG વાળાં ચશ્માં’ની એડ્ હતી, જેમાં મોદીનો ઉપયોગ કરાયો હતો.

ઓનલાઇન પેરેન્ટિંગ પ્લેટફોર્મ્સ બેબીચક્ર અને હેલોફીએ પ્રધાનમંત્રી માતૃવંદના યોજના (PMMVY) અને ગર્ભવતી મહિલાની બાજુમાં વડાપ્રધાન મોદીનો ફોટો દર્શાવ્યો હતો. વાસ્તવમાં તો હેલોફીની સોશિયલ મીડિયા એડ્માં દાવો કરાયો હતો કે, તે ભારત સરકારની પ્રેગનન્સી એપ્લિકેશન હતી.

બેબીચક્ર અને હેલોફીને અનુક્રમે ઇક્વાનિમિટી વેન્ચર્સ અને ઓમિડ્યાર નેટવર્ક જેવા રોકાણકારોની છાયામાં રહીને બંને કંપનીએ કુલ 25 જેટલી જાહેરાતો પાછળ ₹15 લાખ જેટલો ખર્ચ કર્યો છે.

ઉલ્લેખનીય છે કે, એમ્બ્લેમ્સ એન્ડ નેમ્સ (પ્રિવેન્શન ઓફ ઇમ્પ્રોપર યુઝ) એક્ટ, 1950 મુજબ વ્યાવસાયિક હેતુ માટે વડાપ્રધાન મોદીના નામ અને તસવીરના ઉપયોગ પર પ્રતિબંધ છે. 2016માં એડ્ માટે વડાપ્રધાન મોદીની તસવીરનો ઉપયોગ કરવા PayTM અને રિલાયન્સ જિયોને કડક ઠપકાનો સામનો કરવો પડ્યો હતો. વડાપ્રધાન કાર્યાલય (PMO) અને ભાજપના અમિત માલવિયાને મોકલાયેલા ઇ-મેઇલનો કોઈ જવાબ મળ્યો ન હતો. બેબીચક્ર અને હેલોફીએ પણ કોઈ પ્રતિસાદ આપ્યો ન હતો.

મોદીના ફોટાનો ઉપયોગ કરતી કેટલીક એડ્ શંકાસ્પદ અને છેતરપિંડીવાળી હતી. જેમ કે, ડિજિટલ ઇન્ડિયા મોબાઇલ્સ નામના એક ફેસબુક પેજ પર વડાપ્રધાને લોન્ચ કરેલી યોજનાના નામે ₹499માં સ્માર્ટફોનનું વેચાણ થતું હતું. 

વાસ્તવમાં સરકારે આવી કોઈ સ્કીમ લોન્ચ કરી નથી. એવી રીતે ‘પ્રધાનમંત્રી યોજના’ અને ‘જનધન યોજના’ના અન્ય પેજમાં PayTM એકાઉન્ટમાં ₹99 ટ્રાન્સફર કરી સ્માર્ટફોન મેળવી શકાતો હોવાનો દાવો કરાયો હતો. આવા પેજ પર યુઝર્સને .TK ડોમેનવાળી વેબસાઇટ્સ પર લોગ-ઈન કરવાનું જણાવાય છે. ઘણા કિસ્સામાં આવી વેબસાઇટ્સનો ઉપયોગ કૌભાંડીઓ કરતા હોય છે.

March 14, 2019
smpp-bulletproof-jackets_650x400_51523292050.jpg
1min7490
  • ભારતની કંપની SMPPને આર્મી માટે બુલેટ પ્રુફ જેકેટ્સ સપ્લાય કરવાનો કોન્ટ્રાક્ટ મળ્યો ત્યારે રો મટિરીયલ સપ્લાયર યુરોપીયન દેશો  હતા
  • ભારતની કંપની SMPPએ કોન્ટ્રાક્ટ ઓર્ડર મળી ગયા બાદ રો મટિરીયલ સપ્લાય તરીકે ચાઇનીઝ કંપનીઓને ઓર્ડર આપી દીધો
  • ચાઇનીઝ માલમાંથી બનેલા 10000 બુલેટ પ્રુફ જેકેટ્સ આર્મી માટે સ્વીકારી પણ લેવાયા

પાકિસ્તાની આતંકવાદી મસૂદ અઝહરને બચાવવા માટે ચીને ખુલ્લંખુલ્લા પ્રયાસો કર્યા, ભારત સાથે હરહંમેશ દગાખોરી કરતા આવેલા ચીનની કંપનીઓ જ ભારતના 1.80 લાખ સૈનિકો માટેના બુલેટ પ્રુફ જેકેટ્સ બનાવવા માટેનું મટિરીયલ સપ્લાય કરી રહી છે. ચીનની કંપનીઓને કમસેકમ રૂ.500 કરોડ ઉપરાંતનો ઓર્ડર આપવાાં આવ્યો છે. ભારતની કંપની SMPPને 1.80 લાખ બુલેટ પ્રુફ જેકેટ્સ સપ્લાય કરવાનો ઓર્ડર આપવામાં આવ્યો હતો એ પછી 2018માં એપ્રિલમાં ઓર્ડર મળ્યા પછી કંપનીએ સપ્લાયર્સ બદલી નાંખ્યા છે અને હવે ચાઇનીઝ કંપનીઓ કંપનીઓ 1,80,000 બુલેટપ્રુફ જેકેટના ઓર્ડર માટે કાચા માલનો મુખ્ય સ્રોત છે.

( symbolic photo of bulletproof jackets)

મસૂદ અઝહર પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો વડો છે, જે 14 ફેબ્રુઆરીના પુલવામા સહિત ભારતમાં થયેલા સંખ્યાબંધ ત્રાસવાદી હુમલા માટે જવાબદાર છે. સરકાર બુલેટપ્રૂફ જેકેટ્સના ઓર્ડરને સૈનિકો માટેની સૌથી મોટી સિદ્ધિ ગણાવી રહ્યું છે. કારણ કે અગાઉની સરકારે લશ્કરને આવા જેકેટ આપવાનો ઇનકાર કર્યો હતો. માહિતી મુજબ જેકેટનું 40 ટકા મટિરિયલ કાપડ અને બોરોન કાર્બાઇડ પાઉડરમાંથી બનેલું છે આ મટિરીયલ સંપૂર્ણપણે ચીનથી આયાત કરવામાં આવે છે.

બુલેટ પ્રુફ જેકેટ્સની પસંદગીની પ્રક્રિયામાં ભારતની SMPP કંપનીએ યુરોપ અને અમેરિકાના કાચા માલમાંથી બનેલા જેકેટ્સ નમૂના તરીકે રજૂ કર્યા હતા. અને કેટલાક ટેકનિકલ કારણો આગળ ધરીને કોન્ટ્રાક્ટ મળ્યા પછી SMPP કંપનીએ સપ્લાયર્સ બદલી કાઢ્યા હતા.

કંપનીના જણાવ્યા અનુસાર આ ફેરફારથી પ્રોડક્ટમાં કોઈ તફાવત નહીં પડે. SMPPના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર આશિષ કંસલે જણાવ્યું હતું કે, હા, અમે સપ્લાયર્સ બદલ્યા છે અને લશ્કરને તેની જાણ પણ કરી છે. તેને લીધે ગુણવત્તામાં કોઈ ફેર નહીં પડે અને જેકેટ્સ ટેસ્ટ કરાયેલાં ધોરણો મુજબનાં જ હશે.

ભારતની SMPP કંપની એ 2018માં ઓર્ડર મળ્યા પછી બેઇજિંગના ચેંગપિંગ જિલ્લામાં આવેલી ચીનની કંપનીઓને ઓછામાં ઓછા ₹26 કરોડ ચૂકવ્યા છે. તેના બદલામાં ચીનની કંપનીઓએ ભારતીય કંપનીના મેન્યુફેક્ચરિંગ યુનિટ ખાતે બુલેટપ્રુફ જેકેટ્સ માટેના મટિરિયલની ડિલિવરી કરી છે.

1.80 લાખ બુલેટ પ્રુફ જેકેટ્સ ખરીદવાના આ મસમોટા કામ પેટે ભારતની SMPP કંપનીને ₹60 કરોડની રકમ એડવાન્સમાં ચૂકવવામાં આવી છે. એટલું જ નહીં પણ ગુણવત્તા માટે આગના શ્રેણીબદ્ધ ટેસ્ટિંગ પછી 10,000 જેકેટ્સની પહેલી રેકને મંજૂરી પણ આપવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર જેકેટ્સ સ્વીકારતાં પહેલાં તેનું સંપૂર્ણ ટેસ્ટિંગ કરાયું હતું.

March 14, 2019
pak_jet.jpg
1min7560

બાલાકોટ એરસ્ટ્રાઈક પછી પાકિસ્તાન પણ હાઈ એલર્ટ પર છે. હકીકતમાં પાકિસ્તાને તે પછી ભારતીય સૈન્યની જગ્યાઓ પર હુમલાની કોશિશ પણ કરી હતી. જેને ભારતીય એરફોર્સે નિષ્ફળ બનાવી હતી. હુમલાની કોશિશ કરનાર પાકિસ્તાનના એક F16 જેટને IAFએ તોડી પાડ્યું હતું. જોકે, આ ડોગ ફાઈટમાં ભારતીય પાઈલટ વિંગ કમાન્ડર અભિનંદનનું મિગ 21 બાઈસન પણ ક્રેશ થયું હતું. એ પછી પાકિસ્તાનીઓએ આજે તા.14મી માર્ચ 2019ની સવારે ફરીથી એલ.ઓ.સી. પાસે પોતાના હવાઇજહાજો ઉડાડવાની હરકત કરી હતી. ઇન્ડિયન એરફોર્સએ પાકિસ્તાનની આ હરકત સામે એલર્ટ પોઝિશન અખત્યાર કરી લીધી હતી.

આજે સવારે કાશ્મીરના પૂંછ સેક્ટરમાં LOC પાસે POKમાં પાકિસ્તાનના બે ફાઈટર વિમાન જોવા મળ્યા હતાં. જે પછી ભારતે પોતાની એર ડિફેન્સ સિસ્ટમને હાઈ એલર્ટ મોડમાં લાવી દીધી છે. ભારતીય એર ડિફેન્સના રડાર પર  લાઇન ઓફ કન્ટ્રોલથી દસેક કિ.મીના વિસ્તારમાં બે પાકિસ્તાની એરફોર્સના જેટની ઉપસ્થિતિ જોવા મળી હતી. આ વિસ્તારમાં ફાઈટર જેટનો અવાજ પણ સંભળાયો હતો. ઈન્ડિયન એર ડિફેન્સ અને રડાર સિસ્ટમ હાઈ એલર્ટ પર છે.

લાઇન ઓફ કન્ટ્રોલની આસપાસ છેલ્લા ઘણાં સમયથી પાકિસ્તાનીઓ મિસ્ચીફ કરી રહ્યા છે, આજે જે રીતે પાકિસ્તાનના બે ફાઈટર જેટ ઉડ્ડયન કરી રહ્યાં હતાં એના પરથી એવું માનવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાન ફરી કોઈ અવળચંડાઈ કરી શકે છે.

જો પાકિસ્તાનનું કોઈ જેટ ભારતની સરહદમાં દાખલ થાય તો તેને તરત જ તોડી પડાશે. જોકે, આ મામલે પાક જેટે ભારતની હવાઈ સરહદનું ઉલ્લંઘન નથી કર્યું પરંતુ સરહદ નજીક આશરે 10 કિ.મીના વિસ્તારમાં પાડોશી દેશના ફાઈટર જેટનું આવવું તે પાકિસ્તાન તરફથી ભારતને ઉશ્કેરવાનું પગલું છે.

March 14, 2019
holi1.jpg
1min15790

જ્યારે આજથી એટલે કે તા.૧૪મી માર્ચથી હોળાષ્ટકનો પ્રારંભ થાય છે અને તા.૧૫મી માર્ચથી મીનાર્ક કમુર્તાનો પ્રારંભ થાય છે અને તા.૧૪મી એપ્રિલ, ૨૦૧૯ સુધી આ કમુર્તા રહે છે એટલે કે આ વર્ષે રામનવમીએ આ કમુર્તા પૂર્ણ થશે. આ સમયગાળામાં લગ્નાદિ સંસ્કાર કાર્યો કરી શકાતા નથી, પરંતુ આ સમયગાળામાં ભક્તિકાર્યો કરી શકાય છે. ચૈત્ર મહિનામાં આવતી નવરાત્રિ તથા વાર્ષિક ઉત્સવ, માતાજીની નવચંડી જેવા ધર્મકાર્યમાં કમુર્તાનો દોષ આવતો નથી. એટલે કે આ સમયગાળા દરમિયાન ચૈત્ર માસમાં આવતા નવરાત્રિ, રામનવમી જેવા પ્રસંગોમાં યજ્ઞક્રિયાઓ મોટી સંખ્યામાં થતી હોય છે, તેવા ધર્મકાર્યો કરવામાં કોઇ જ પ્રકારનો દોષ આવતો નથી.

  • તા. 14 માર્ચથી 14 એપ્રિલ 2019 સુધી હોળાષ્ટક, શુભ કાર્ય વર્જિત
  • તા. 20મી માર્ચને બુધવારે હોલિકા દહન
  • તા.21મી માર્ચને ગુરુવારે ધૂળેટી
  • તા.23 મી માર્ચે ચોથો શનિવાર
  • તા.24મી માર્ચે રવિવાર

શાસ્ત્રીય માન્યતાઓ મુજબ હોળાષ્ટકમાં કોઈ પણ નવુ કાર્ય, શુભ કાર્ય અથવા કોઈ પણ માંગલિક કાર્ય કરવુ ઉચિત ગણાતું નથી. હોળાષ્ટક હોળી પ્રક્ટાવ્ય (હોળીકા દહન) પછી સમાપ્ત થાય છે. હોળાષ્ટક દરમ્યાન હિંદૂ સંસ્કૃતિના 16 સંસકારો વર્જિત માનવામા આવે છે. એવુ માનવામા આવે છે કે હોળીના આઠ દિવસ પહેલાના દિવસો મોટેભાગે અમંગલ પ્રદાન કરતા હોય છે.

દેશના અમુક ભાગના લોકો હોળાષ્ટકને નથી માનતા. એવી માન્યતાઓ છે કોય તીર્થસ્થાન જેવાકે, શતરુદ્રા, વિપાશા, ઇરાવતી અને પુષ્કર સરોવરને છોડીને બાકીનાં સ્થાનો પર હોળાષ્ટકનો અશુભ પ્રભાવ નથી પડતો. એટલે અન્ય સ્થાનો પર બધી જગ્યાએ વિવાહ જેવા માંગલિક અને શુભ કાર્ય કોઈ પણ જાતની મુશ્કેલી વગર થઈ શકે છે, પરંતુ શાસ્ત્રીય માન્યતાઓ મુજબ હોળાષ્ટક દરમ્યાન શુભ કાર્ય વર્જિત માનવામાં આવે છે.

આ વર્ષે એટલે કે વિક્રમ સંવત-૨૦૭૫માં ફાગણી પૂનમે જ્યોતિષશાસ્ત્ર અનુસાર હોળીનું પ્રાગટ્ય રાત્રે ૮.૫૮ પછી જ ઉત્તમ છે, એ પહેલાં નહીં. કેમકે આ દિવસે વિષ્ટિ-ભદ્રા ત્યારબાદ પૂર્ણ થાય છે. 
આ વખતે હોળી-ધૂળેટીના પર્વ પછી શનિ રવિની રજાઓ વચ્ચે ફક્ત એક દિવસ 22મી માર્ચ શુક્રવાર આવે છે, ઘણાં કર્મચારીઓ, વ્યવસાયિકો, બિઝનેસમેન એક દિવસની રજા મૂકીને લોંગ વીકએન્ડ પર ફરવાનો પ્રોગ્રામ બનાવી રહ્યા છે.
March 14, 2019
fraud.jpg
1min8180

અમરેલીમાં આવેલી પ્રતાપરાય કોલેજના સંજય દવે નામના પ્રોફેસર સામે સરકારી નોકરીની લાલચ આપીને બોગસ એપોઇન્ટમેન્ટ લેટર તૈયાર કરાવડાવી રૂ. પાંચ કરોડ રૂપિયા જેવી મોટી રકમ ગજવે ઘાલીને છેતરપીંડી કરી હોવાની ગંભીર ફરિયાદ પોલીસ ચોપડે દાખલ કરાવવામાં આવી છે. સંજય દવે ભાવનગરનાં ઘોઘા રોડ વિસ્તારમાં આવેલા મધુ મહેલ એપાર્ટમેન્ટમાં રહેતા અધ્યાપક સંજય દવેએ સરકારી નોકરી અપાવવાની લાલચ આપી 111 બેરોજગાર યુવકો પાસેથી 5 કરોડ રૂપિયા જેટલી જંગી રકમ ઉસેટી લઈને છેતરપિંડી કર્યાની ફરીયાદને પગલે શિક્ષણ જગતમાં હડકંપ મચી ગયો છે.

ભાવનગર જિલ્લામાં આવેલા શિહોર તાલુકાના અગિયારી ગામમાં રહેતા કૌશિક જોશી એ નોંધાવેલી એફ.આઇ.આર.માં આક્ષેપ કર્યો છે કે અમરેલી કોલેજના અધ્યાપક સંજય દવેએ સરકારી નોકરી અપાવવાનું વચન આપી તેની પાસેથી 20 લાખ રૂપિયા લીધા હતા. પણ ઘણાં મહિનાઓ સુધી કોઇ જ પ્રતિસાદ નહીં મળતા કૌશિકએ સંજય દવે પણ દબાણ વધાર્યું હતું. જેને પગલે પ્રો.સંજય દવેએ કૌશિક જોશીને એક ઉપજાવી કાઢેલો બોગસ અપૉઇન્ટમેન્ટ લેટર આપ્યો હતો.

બોગસ એપોઇન્ટમેન્ટ લેટરમાં કૌશિક જોશીને શ્રમ અને રોજગાર વિભાગમાં ક્લાસ 2 અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી હોવાનો નિર્દેશ કરાયો છે.

ભાવનગર બી ડીવીઝન પોલીસ ને કૌશિક જોશીએ જણાવ્યુ કે લેટર અંગે તપાસ કરાતાં જાણવા મળ્યું કે એ લેટર સાવ બોગસ છે. વધુ તપાસ દરમિયાન એવી પણ સ્ફોટક વિગતો બહાર આવી કે સંજય દવેએ આ પ્રકારે જ સૌરાષ્ટ્રના અન્ય યુવકો સાથે પણ આ રીતે છેતરપિંડીં કરી છે. સૌરાષ્ટ્રના કુલ 111 યુવકો સાથે અધ્યાપક સંજય દવેએ છેતરપીંડી કરીને રૂપિયા ઉસેટી લીધાનું જણાય આવ્યું છે.

 

March 14, 2019
chabil.jpg
1min6500

ભાજપના પૂર્વ ધારાસભ્ય અને ભાજપાના વિવાદાસ્પદ નેતા જયંતિ ભાનુશાળીના હાઈપ્રોફાઈલ મર્ડર કેસમાં મુખ્ય આરોપી છબીલ પટેલે સીઆઈડી ક્રાઈમ સમક્ષ સરેન્ડર કર્યું હોવાની વિગતો જાણવા મળી છે. ભાનુશાળીનું મર્ડર થયું ત્યારે છબીલ પટેલ અમેરિકામાં હતા. સીઆઈડી ક્રાઈમના દાવા અનુસાર, તેઓ તા.12મી માર્ચે દુબઈથી અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ થયા ત્યારે તેમની અટકાયત કરવામાં આવી હતી.

ગઇ તા.8મી જાન્યુઆરીએ ભાજપાના પ્રાદેશિક નેતા જંયતિ ભાનુશાળીનું ભૂજ-દાદર એક્સપ્રેસના ફર્સ્ટ ક્લાસ કોચમાં મધરાતે પોઇન્ટ બ્લેન્ક રેન્જથી ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી. ગુજરાતના પોલિટીકલ પ્લેટફોર્મને હચમચાવતી આ રાજકીય હત્યામાં ભાજપના જ અન્ય નેતા અને જયંતિ ભાનુશાળી સાથે દુશ્મનાવટ ધરાવતા છબીલ પટેલનો હાથ હોવાનો સીધો આક્ષેપ ભાનુશાળીના પરિવારજનોએ કર્યો હતો. પરીણામે પોલીસે આ કેસમાં અગાઉ છબીલ પટેલના દીકરાની ધરપકડ કરી લીધી છે

અત્યારસુધી છબીલ પટેલ સહિત કુલ પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે. જયંતિ ભાનુશાળીની હત્યાને અંજામ આપનારા શશિકાંત કાંબલે અને અશરફ શેખ નામના શાર્પશૂટર્સની પણ ધરપકડ કરી છે. આ કેસમાં ભાજપાના નેતા છબીલ પટેલ ઉપરાંત મનિષા નામની મહિલાની પણ સંડોવણી હોવાનું બહાર આવ્યું છે.

March 14, 2019
hardik-1.jpg
1min5460
હાર્દિક પટેલને હાઇકોર્ટનો ‘ઝટકો’ સજા મોકૂફીની અરજીની સુનાવણી કાલે બીજા જજ સમક્ષ થશે
ગુજરાત હાઇકોર્ટે પાસ નેતા હાર્દિક પટેલને આંચકો આપ્યો છે, હાર્દિક પટેલે રિપ્રેઝન્ટેશન ઓફ પિપલ્સ એક્ટ પ્રમાણે બે વર્ષની સજા થઇ હોય તે ચૂંટણી લડી શકે નહીં તે જોગવાઇ નડે નહીં અને વિના વિરોધે લોકસભાની ચૂંટણી લડી શકે તે  માટે તેને વિસનગર કોર્ટે કરેલી બે વર્ષની સજાનો હુકમની ગુંચમાંથી બહાર નીકળવા અને સજા  મોકૂફ રાખવા માટે હાઇકોર્ટ માં અરજી કરી  હતી જો કે જસ્ટીસ આર.પી. ઢોલારીયાએ નોટ બીફોર મી કહીને અરજીને કાઢી નાખી હતી. હવે 15મી માર્ચે બીજા જજ સમક્ષ સુનાવણી થશે. અનામત માટે આંદોલન ચલાવી રહેલા પાસ નેતા હાર્દિક પટેલ કાઁગ્રેસમાં જોડાઇ ગયો હતો અને તેણે જામનગરથી લોકસભા ચૂંટણી-2019 લડવાની જાહેરાત કરી હતી અને રાહુલ ગાંધીએ હાર્દિક ચૂટંણી જીતશે તેવો દાવો પણ કર્યો હતો પણ હવે હાર્દિક કાયદાકીય રીતે ગુંચવાયો છે.
આ કેસ એવો હતો કે,પાટીદાર અનામત આંદોલન દરમિયાન જુલાઇ-2015માં તેની સામે વિસનગરના ધારાસભ્ય ઋષિકેશ પટેલની ઓફિસમાં કરવામાં આવેલી તોડફોડ મામલે વિસનગર કોર્ટે  હાર્દિક પટેલ, લાલજી પટેલ, અને એ.કે.પટેલને કલમ 120/બી, (કાવતરૂ), કલમ 435 આગ લગાવવી, કલમ 427 જાહેર સંપત્તિને નુકશાન, કલમ 143, 147, 148 રમખાણના ગુનામાં દોષિત જાહેર કરીને દરેકને બે વર્ષની જેલની સજા તેમજ રૂપિયા 50-50 હજારનો દંડ ફટકાર્યો હતો ત્યાર બાદ કોર્ટે તમામ આરોપીને જામીન પર મુક્ત કર્યા છે.
March 14, 2019
hardik.jpg
1min15310
લોકસભાની આગામી ચૂંટણી માટે જામનગરની બેઠક માટે હાર્દિક પટેલની સંભવિત ઉમેદવારીના વિરોધમાં પાટીદાર સમાજના કેટલાંક કાર્યકરો દ્વારા ‘ હાર્દિક પટેલ હાય હાય’ના સૂત્રોચ્ચારો સાથે વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. પાટીદાર અનામત આંદોલન શરૂ કરનાર હાર્દિક પટેલે આખરે કોંગ્રેસમાં પ્રવેશ કરતા અને રાજકારણમાં પડતા જામનગરના પાટીદાર સમાજના કેટલાય કાર્યકરો નારાજ થયા છે.
તા.13 માર્ચ 2019ની બપોરે શહેરના રણજીતનગર પટેલ સમાજના ચોકમાં એકત્ર થયાં હતાં અને હાર્દિક પટેલ વિરૂધ્ધ નારા લગાવી હાર્દિક પટેલે પાટીદાર સમાજ સાથે દ્રોહ કર્યો છે તેવા આક્ષેપ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ ઉપરાંત જામનગર બેઠક માટે હાર્દિક પટેલ ઉમેદવારી કરશે તો પૂરો વિરોધ કરવામાં આવશે તેવો નિર્ધાર વ્યકત કર્યો હતો.
સમાજ સાથે કોઇ દ્રોહ નથી કર્યો : હાર્દિક પટેલ
પાસ કન્વીનર હાર્દિક પટેલ સત્તાવાર રીતે કોંગ્રેસમાં જોડાઇ ચૂક્યો છે. કોંગ્રેસમાં એન્ટ્રી લેતા જ કોંગ્રેસ પક્ષમાં હાર્દિકનું મહત્વ જણાઇ આવ્યું હતું. હાર્દિક પટેલ કોંગ્રેસની સીડબલ્યુસીની બેઠકમાં પણ પહોંચ્યો હતો, તો સાથે જ તેને જનસભામાં મંચ પર દિગ્ગજ નેતાઓની વચ્ચે સ્થાન મળ્યું હતું. હાર્દિક પટેલની એરપોર્ટ પર પ્રિયંકા ગાંધી વાડ્રા સાથે મુલાકાત થઇ હતી ત્યારે કોંગ્રેસમાં અચાનક હાર્દિકનું કદ વધુ ગયુ છે  ત્યારે પક્ષ મોવડીઓથી પહેલેથી જ નારાજ અલ્પેશ ઠાકોર અને હાર્દિક વચ્ચે ઘર્ષણ ઉભું થઇ શકે છે.
જો પક્ષમાં હાર્દિકનું કદ વધ્યું તો અલ્પેશ ફરીથી કોંગ્રેસ સામે બાંયો ચઢાવી શકે છે. અહીં નોંધવુ ઘટે કે, લોકસભા ચૂંટણીમાં પોતાના માટે પાટણની અને પત્ની માટે પોતાની વિધાનસભા બેઠકની માંગણી કરવા માટે અલ્પેશ ઠાકોરે છેક દિલ્હી સુધી ધામા નાખ્યા હતા.
દરમિયાન હાર્દિક કોંગ્રેસમાં જોડાતા જ એક સમયના હાર્દિકના સાથી અને એસપીજી ગ્રુપના પ્રમુખ લાલજી પટેલે નિવેદન આપ્યું હતું કે, હાર્દિકે સમાજ સાથે દ્રોહ કર્યો છે, હવે હાર્દિકમાં તાકાત હોય તો 5000 પાટીદારો ભેગા કરી બતાડે. લાલજી પટેલના આક્ષેપો પર પ્રતિક્રિયા આપતા કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે જણાવ્યું કે, હું કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયો છું. પાટીદાર સમાજ સાથે મેં કોઇ દ્રોહ નથી કર્યો. તેણે એમ પણ કહ્યુ ંકે, જો લાલજી પટેલને લાગતું હોય તો તે સમાજ માટે કામ કરે. અનામત આંદોલન દરમિયાન શહીદ થયેલા યુવાનોના પરિવારને અમે બનતી મદદ કરી છે. મહેસાણાના પરિવારના એક સભ્યને અમે નોકરી પણ આપી છે.
હાર્દિક પટેલને હાઇકોર્ટનો ‘ઝટકો’ સજા મોકૂફીની અરજીની સુનાવણી કાલે બીજા જજ સમક્ષ થશે
ગુજરાત હાઇકોર્ટે પાસ નેતા હાર્દિક પટેલને આંચકો આપ્યો છે, હાર્દિક પટેલે રિપ્રેઝન્ટેશન ઓફ પિપલ્સ એક્ટ પ્રમાણે બે વર્ષની સજા થઇ હોય તે ચૂંટણી લડી શકે નહીં તે જોગવાઇ નડે નહીં અને વિના વિરોધે લોકસભાની ચૂંટણી લડી શકે તે  માટે તેને વિસનગર કોર્ટે કરેલી બે વર્ષની સજાનો હુકમની ગુંચમાંથી બહાર નીકળવા અને સજા  મોકૂફ રાખવા માટે હાઇકોર્ટ માં અરજી કરી  હતી જો કે જસ્ટીસ આર.પી. ઢોલારીયાએ નોટ બીફોર મી કહીને અરજીને કાઢી નાખી હતી. હવે 15મી માર્ચે બીજા જજ સમક્ષ સુનાવણી થશે. અનામત માટે આંદોલન ચલાવી રહેલા પાસ નેતા હાર્દિક પટેલ કાઁગ્રેસમાં જોડાઇ ગયો હતો અને તેણે જામનગરથી લોકસભા ચૂંટણી-2019 લડવાની જાહેરાત કરી હતી અને રાહુલ ગાંધીએ હાર્દિક ચૂટંણી જીતશે તેવો દાવો પણ કર્યો હતો પણ હવે હાર્દિક કાયદાકીય રીતે ગુંચવાયો છે.
આ કેસ એવો હતો કે,પાટીદાર અનામત આંદોલન દરમિયાન જુલાઇ-2015માં તેની સામે વિસનગરના ધારાસભ્ય ઋષિકેશ પટેલની ઓફિસમાં કરવામાં આવેલી તોડફોડ મામલે વિસનગર કોર્ટે  હાર્દિક પટેલ, લાલજી પટેલ, અને એ.કે.પટેલને કલમ 120/બી, (કાવતરૂ), કલમ 435 આગ લગાવવી, કલમ 427 જાહેર સંપત્તિને નુકશાન, કલમ 143, 147, 148 રમખાણના ગુનામાં દોષિત જાહેર કરીને દરેકને બે વર્ષની જેલની સજા તેમજ રૂપિયા 50-50 હજારનો દંડ ફટકાર્યો હતો ત્યાર બાદ કોર્ટે તમામ આરોપીને જામીન પર મુક્ત કર્યા છે.