Alert Archives - Page 397 of 519 - CIA Live

March 25, 2019
CIA_Live_Logo_New2.jpg
1min8670

સુરત શહેર જિલ્લાની 16 વિધાનસભા બેઠકોના એઆરઓને ઇવીએમ સમેતની મશીનરી સુપરત કરીને સ્ટ્રોંગ રૂમોમાં મૂકાશે

સુરતઃ સુરત સમેત ગુજરાતમાં મતદાનને એક મહિના જેટલો સમય બાકી છે આમ છતાં સુરત ચૂંટણી તંત્ર કોઇપણ તક કે જોખમ લીધા વગર મતદાન શાંતિપૂર્ણ રીતે સુપેરે પાર પડે તે માટે સતત પ્રયાસો હાથ ધરી રહ્યું છે. શહેરમાં વધુને વધુ મતદાન થાય અને લોકો મતાધિકારનો ઉપયોગ વિના વિધ્ને કરી શકે તે માટે આજે જિલ્લા ચૂંટણી તંત્રએ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન્સનું રેન્ડમાઇઝેશન, પ્રાઇમરી ચેકિંગ કર્યું અને તે પણ રાજકીય પક્ષોના આગેવાનોની ઉપસ્થિતિમાં અને તેમને વિશ્વાસમાં લઇને હવે વિધાનસભા ક્ષેત્રમાં ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન્સ સમેતની વોટિંગ માટેની કીટ રવાના કરવામાં આવશે.

સુરત કલેક્ટરેટ ખાતે આજે રાજકીય પક્ષોના આગેવાનોની ઉપસ્થિતિમાં ચૂંટણી અધિકારીઓએ અંદાજે 5421 ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન્સ, વીવીપેટ યુનિટ સમેતના સાધનોનું રેન્ડમાઇઝેશન કર્યું હતું. આ એક ચૂંટણી પ્રક્રિયાનો ભાગ છે. કયું ઇવીએમ કયા વિસ્તારમાં જશે એ કશું નિયત ન હોય, દરેક બેલેટ યુનિટ, વીવીપેટ યુનિટ વગેરેનું પ્રાઇમરી ચેકિંગ કર્યા બાદ તેને રાજકીય પક્ષોના આગેવાનોની હાજરીમાં જુદા જુદા વોટિંગ એરિયા એટલે કે સુરત શહેર જિલ્લા મળીને કુલ 16 વિધાનસભા ક્ષેત્રના એ.આર.ઓ. (આસિસ્ટન્ટ રિટર્નિંગ ઓફિસર)ને સુપરત કરવાની વિધી હાથ ધરવામાં આવી હતી. આજે રેન્ડમાઇઝેશન પૂરું થતા તા.26મી માર્ટ એટલે કે આવતીકાલ મંગળવારથી એ જુદી જુદી વિધાનસભા બેઠકોના સ્ટ્રોંગ રમો તરફ રવાના કરવામાં આવશે.

હવે પછી ઇલેક્ટ્રોનિંગ વોટિંગ મશીન્સ વિધાનસભા એરીયા અનુસાર નિમાયેલા નાયબ ચૂંટણી અધિકારીઓના તાબા હેઠળ રહેશે. આજે તમામ પ્રક્રિયાને ચૂંટણી તંત્રએ પારદર્શી રીતે રાજકીય આગેવાનોને વિશ્વાસમાં લઇને પાર પાડી હતી. ક્યાંયે કોઇને અસંતોષ હોવાની કોઇ ફરીયાદ ન ઉપસ્થિત થતાં તંત્રએ હાશકારો અનુભવ્યો હતો.

 

દર્શના જરદોષે સાંસદ તરીકે મળતી ગ્રાન્ટમાંથી બાકડાં મૂકાવીને નિયમ ભંગ કર્યાની ફરીયાદ 

ચલિત વસ્તુઓ માટે એમ.પી.નું ફંડ વાપરી શકાય નહીં એવા નિયમ સાથે સંજય ઇઝાવાની ફરીયાદ કલેક્ટરે લીધી, હવે કેન્દ્ર સરકાર પાસેથી માર્ગદર્શન મેળવીને આગળ કાર્યવાહી કરાશે

વર્ષ ૨૦૧૪ થી ૨૦૧૯ દરમિયાન સુરતના સંસદ સભ્ય શ્રીમતી દર્શના જરદોશે પોતાના કાર્યકાલમાં સુરત મત વિસ્તારમાં વર્ષ ૨૦૧૬ -૨૦૧૭ માં આશરે ૪૨૦૦ જેટલા બેસવાના બાંકડા(બેન્ચ) અંદાજે ૧.૭૦ કરોડ ના ખર્ચે મુકાવ્યા હતા. મેમ્બર ઓફ પાર્લામેન્ટ લોકલ એરિયા ડેવલપમેન્ટ સ્કીમ  MPLADS ના માર્ગદર્શન મુજબ આખા વર્ષમાં કરવા લાયક વિકાસના કામોની યાદી જિલ્લા કલેક્ટર પાસે થી મંજૂર કરાવી જે તે ડીપાર્ટમેન્ટને કામ કરવા માટે સોંપી દેવામાં આવે છે. જેના માટે ડીપાર્ટમેન્ટ દ્વારા ટેન્ડર બાહર પાડી અલગ અલગ એજેન્સી પાસે કામ કરાવીને સાંસદ ફંડ (મેમ્બર ઓફ પાર્લામેન્ટ લોકલ એરિયા ડેવલપમેન્ટ સ્કીમ) માંથી પેમેન્ટ ચુકાવાતું હોય છે.

મેમ્બર ઓફ પાર્લામેન્ટ લોકલ એરિયા ડેવલપમેન્ટ સ્કીમના માર્ગદર્શન એક વાર વાંચવાની તસદી પણ સાંસદો લેતા નથી એવું લાગી રહ્યું છે. કારણ કે મેમ્બર ઓફ પાર્લામેન્ટ લોકલ એરિયા ડેવલપમેન્ટ સ્કીમ ના માર્ગદર્શન મુજબ કોઈ પણ મુવેબલ ( સ્થાન ફેર થઇ શકે તેવી ) વસ્તુઓ માટે મેમ્બર ઓફ પાર્લામેન્ટ લોકલ એરિયા ડેવલપમેન્ટ સ્કીમ ફંડનો ઉપયોગ કરી શકાય નહીં.

પણ સ્થાન ફેર થઇ શકે તેવી અમુક ચોક્કસ સાધનસામગ્રીમાં મેમ્બર ઓફ પાર્લામેન્ટ લોકલ એરિયા ડેવલપમેન્ટ સ્કીમ ફંડનો ઉપયોગ કરી શકાય છે, જેનો ઉલ્લેખ મેમ્બર ઓફ પાર્લામેન્ટ લોકલ એરિયા ડેવલપમેન્ટ સ્કીમ ના માર્ગદર્શનમાં અલગથી અનેક્ષર -૩ માં કરવામાં આવ્યો છે.જેમાં બાંકડા મેમ્બર ઓફ પાર્લામેન્ટ લોકલ એરિયા ડેવલપમેન્ટ સ્કીમ માર્ગદર્શનમાં ના હોવા છતાં ૪૨૦૦ થી વધારે બાંકડા એક જ વર્ષમાં મુકવામાં આવેલ છે. સાંસદને વિકાસ એટલે બેસવા માટે બાંકડા એવું જ માની લીધું હોય એમ લાગે છે. મેમ્બર ઓફ પાર્લામેન્ટ લોકલ એરિયા ડેવલપમેન્ટ સ્કીમના માર્ગદર્શન મુજબ ફંડનો ઉપયોગ કામ વગરના બાંકડામાં વાપરનાર આ સાંસદો સુરતનો શું વિકાસ કરશે.

આ ફક્ત સુરત મતવિસ્તારનું કિસ્સો નથી. આખા સાઉથ ગુજરાતમાં મેમ્બર ઓફ પાર્લામેન્ટ લોકલ એરિયા ડેવલપમેન્ટ સ્કીમ ફંડનો દુરુપયોગ કરી બાંકડા મુકવામાં આવ્યા છે. આ મુદ્દા પર સંજય ઇઝાવા એ કરેલ રાઇટ ટુ ઇન્ફર્મેશનની અરજીના જવાબ માં ચોંકાવનારી વિગતો બહાર આવી છે. મેમ્બર ઓફ પાર્લામેન્ટ લોકલ એરિયા ડેવલપમેન્ટ સ્કીમ ફંડના સુરત જિલ્લા મત વિસ્તારના સક્ષમ સત્તા શ્રી ધવલ પટેલ, કલેક્ટર શ્રી એ સુરત જિલ્લા ને લેખિત ફરિયાદ કરી છે.

સાથે સાથે મેમ્બર ઓફ પાર્લામેન્ટ લોકલ એરિયા ડેવલપમેન્ટ સ્કીમ ના લોક સભા કમીટી , કેગ અને લોકપાલ માં પણ આ વિષે ફરિયાદો દાખલ કરવા સંજય ઇઝાવા દ્વારા પ્રયાસો ચાલુ કરી દેવામાં આવ્યા છે.

March 25, 2019
mali-1.jpg
1min5870

માલીમાં 134 લોકોનો સામૂહિક સંહાર

બાળકોથી માંડીને ગર્ભવતી મહિલાઓને પણ વીંધી નખાઈ
આફ્રિકાનાં સૌથી મોટા દેશ પૈકી એક એવા માલીનાં એક ગામમાં 134 લોકોનાં સામૂહિક સંહારની ભયંકર ઘટનાએ દુનિયામાં ખળભળાટ મચાવી દીધો છે. માલીમાં નજીકનાં ભૂતકાળનો આ સૌથી ઘાતકી હુમલો ગણાવાય છે.

આ હત્યાકાંડ શનીવારે મધ્ય માલીનાં ઓગોસ્સાગોઉ ગામમાં થયો હતો. જે આતંકવાદ પ્રેરિત વંશીય હિંસાગ્રસ્ત વિસ્તર છે. આ ઘટના વિશે જાણવા મળેલી વિગતો અનુસાર ડોંઝો શિકારીઓએ આ ઘાતકી કૃત્યમાં બાળકો અને ગર્ભવતી મહિલાઓ અને વૃદ્ધોને પણ બક્ષ્યા નહોતાં. ઓગોસ્સાગોઉ ગામની નજીકનાં શહેર બંકાસનાં મેયરે આ હુમલાને જેહાદી હિંસા ગણાવી હતી. તેમનાં કહેવા અનુસાર ડોંઝો શિકારીઓનાં વેશમાં આવીને સવારે 4 વાગ્યાનાં સુમારે અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યા હતાં.
સંયુક્તરાષ્ટ્ર સુરક્ષા પરિષદ માલીમાં જારી હિંસાનાં દોરનો ઉકેલ શોધવા પ્રયત્નશીલ છે. થોડા સમય પૂર્વે જ તેની એક ટીમે પણ માલીની મુલાકાત લીધી હતી અને આ આંતરવિગ્રહમાં તેની દખલને પગલે પણ આ ઘાતકી હિંસા આચરવામાં આવી હોવાનું પણ કહેવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે તેઆરેગ વિદ્રોહીઓ લીબિયામાં ગદ્દાફી માટે લડતા હતાં અને પાંચ-સાત વર્ષ પહેલા તે માલીમાં ઘુસવામાં સફળ રહ્યા હતાં. ત્યારબાદથી માલીમાં અરાજકતા ફેલાઈ ગઈ છે. ફ્રાન્સે આ જેહાદીઓને ખધેડવાનાં પ્રયાસો કર્યા હતાં. જો કે તેમાં તેને સફળતા મળી નહોતી.’
March 25, 2019
water.jpeg
1min5920

ગુજરાતમાં ચોમાસું નબળું રહેતા પડેલા અપૂરતા વરસાદને લઈને નર્મદા ડેમ સહિતના ૧૦ જળાશયોમાં અપર્યાપ્ત જળસંગ્રહથી ઉનાળામાં ગુજરાતમાં ઘેરા જળસંકટનો પ્રજાએ સામનો કરવા પડશે. રાજ્યમાં હાલ મોટાં ૧૦ જળાશયોમાં ગત વર્ષ જાન્યુઆરી કરતા પણ હાલમાં ૧૭ ટકા ઓછો પાણીનો જથ્થો બાકી રહ્યો છે. રાજ્યમાં ભરૂચ અને નર્મદા જિલ્લાની પ્રજા, ખેડૂતો સહિત ઉદ્યોગો મીઠા જળ માટે છેલ્લાં ૬ વર્ષથી વલખાં મારી રહ્યા છે. દરિયાના પાણી નર્મદમાં ૫૦ કિલોમીટર સુધી અંદર આવી જતા સમસ્યા વધુ ઘેરી બનશે.

બે વર્ષ પહેલાં નર્મદા ડેમ પર ૩૦ દરવાજા મૂકી તેની ૧૩૮.૬૮ મીટર મહત્તમ ઊંચાઈનું કામ પૂર્ણ કરાયું હતું. સરદાર સરોવર નર્મદા ડેમ સંપૂર્ણ ભરાતા ગુજરાત સહિત રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં પાણીની સમસ્યા નહિ સર્જાય તેવો આશાવાદ વ્યકત કરાયો હતો. જાન્યુઆરી મહિનામાં જ નર્મદા ડેમ સહિત રાજ્યના મોટા ૧૦ ડેમોની સ્થિતિ ગત વર્ષના જાન્યુઆરી મહિના કરતા પણ ચિંતાજનક હોઈ આગામી ઉનાળામાં જળસંકટની સ્થિતિ ઉપજાવે તેવી શકયતા છે.

જાન્યુઆરીમાં જ નર્મદા ડેમ સહિત ઉકાઇ, ધરોઈ, કડાણા ભાદર, દાંતીવાડા, કરજણ, પાનમ, દમણગંગા શેત્રુજી સહિતનાં જળાશયોમાં જળસ્તર આ વખતે અત્યારથી જ ઊણાં ઊતર્યાં છે. ગત વર્ષે આ ૧૦ ડેમોમાં કુલ પાણીનો જથ્થો ૭૦૨૮ મિલિયન ક્યુબીક મીટર હતો જે આ વખતે ૬૦૦૭ એમસીએમ હોઈ જે જોતા રાજ્યમાં મોટા ૧૦ ડેમો ૧૭ ટકા ગત જાન્યુઆરીની તુલનામાં ઓછો સંગ્રહ ધરાવે છે.

રાજ્યની જીવાદોરી સમા નર્મદા ડેમના ઉપરવાસમાંથી હાલ સરેરાશ આવક ૧૭,૨૩૪ ક્યુસેક થઈ રહી છે. ઉપરવાસમાં કાર્યરત જળવિદ્યુત મથકને લઈને આ પાણીની આવક સરદાર સરરોવરમાં આવી રહી છે. આવક સામે બાષ્પીભવનમાં જ ૩૦૦થી ૪૦૦ ક્યુસેક પાણી ઊડી જાય છે. જ્યારે ગોડબોલે ગેટમાંથી નિયમ મુજબ માત્ર ૬૧૭ ક્યુસેક નિચાણવાસમાં નર્મદા નદીમાં ઠલવાઈ રહ્યું છે. આમ નર્મદા ડેમમાં પણ પાણીનો પૂરતો જથ્થો ન રહેતા આગામી ઉનાળો ગુજરાત માટે જળસંકટ ઘેરુ બનવાના એંધાણ વર્તાઈ રહ્યાં છે.

March 25, 2019
farmers.jpg
1min8160

ગુજરાતમાં ખેતીની જમીન ઓછી થઈ રહી છે. વિધાનસભામાં પ્રશ્ર્નોત્તરી કાળ દરમિયાન સવાલના જવાબની માહિતી આપવામાં આવી હતી કે ખેડૂતોની સખ્યામાં ૪,૩૪,૧૬૫નો વધારો થયો છે. જોકે, એક તરફ સીમાંત, નાના અને અર્ધ અધ્યમ ખેડૂતોની સંખ્યામાં વધારો થયો છે. બીજી તરફ મધ્યમ અને મોટા ખેડૂતોની સખ્યામાં ઘટાડો થયો છે.

એગ્રી સેન્સસ ૨૦૧૫-૧૬ના ભારત સરકારના પ્રોવિઝનલ રિપોર્ટ મુજબ ગુજરાતમાં જમીન ધરાવતા ખેડૂતોની કુલ સખ્યાં ૫૩,૧૯,૭૭૫ છે. ૨૦૧૦-૧૧ના સેન્સસ સમયે ૪૮,૮૫,૬૧૦ ખેડૂત નોંધાયા હતાં. તે જોતા ૪,૩૪.૧૬૫ ખેડૂતોનો વધારો થયો હતો. બન્ને સેન્સસ મુજબ સીમાંત ખેડૂતોની સંખ્યાં ૨,૦૨,૧૭૯નો, નાના ખેડૂતોમાં ૧,૮૬,૮૪૨નો અને અર્ધ મધ્યમ ખેડૂતોની સંખ્યામાં ૭૦.૭૮૧નો વધારો થયો હતો. તેની સામે મધ્યમ કક્ષાના ખેડૂતોમાં ૧૬,૭૫૯ અને મોટા ખેડૂતોમાં ૮૮૭૮નો ઘટાડો નોંધાયો હતો.

March 25, 2019
jj.jpg
1min9950

મુંબઇની જાણીતી જે. જે. મેડિકલ કૉલેજની વિદ્યાર્થિનીઓને કાર્યક્રમ દરમિયાન ટૂંકા વસ્ત્ર પહેરવાની તેમ જ પુરુષ મિત્રો સાથે બેસવાની મનાઇ ફરમાવવામાં આવતા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થિનીઓ સંપૂર્ણ શરીર ઢંકાઇ તેવા કપડાં અને મોઢા પર દુપટ્ટો બાંધીને કૉલેજ પ્રશાસનના વિરોધમાં પ્રદર્શન કર્યું હતું.

૨૧મી માર્ચના રોજ કૉલેજના કૅમ્પસમાં આયોજિત થયેલા હોળીના કાર્યક્રમમાં અમુક યુવાઓ દ્વારા ધમાલ કરવામાં આવ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. કૉલેજ પ્રશાસને ફેસબુક અને વૉટ્સઍપ ગ્રુપ પર પોસ્ટ મૂકી છે. જેમાં શાળાના ડીન દ્વારા અમુક સૂચનાઓ આપવામાં આવી છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે કૉલેજમાં આયોજિત થનાર ‘અસ્તિત્વ’ યુવા મહોત્સવમાં વિદ્યાર્થિનીઓએ ટૂંકા વસ્ત્રો પહેરવા નહીં, તેમ જ કાર્યક્રમમાં વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓએ અલગ અલગ બેસવાનું રહેશે.

આ અંગે વિરોધપ્રદર્શનમાં જોડાનાર એક વિદ્યાર્થિનીએ જણાવ્યું હતું કે કયાં પરિધાન પહેરવા તે નક્કી કરવાનો અમને હક છે. કૉલેજ પ્રશાસન તેમાં દખલ કરી શકે નહીં. અમુક બેશિસ્ત વિદ્યાર્થીઓએ કરેલી ભૂલ માટે બધાને દંડ શા માટે આપવો જોઇએ.

દરમિયાન કૉલેજના ડીન ડૉ. અજય ચંદનવાલેએ જણાવ્યું હતું કે વિદ્યાર્થિનીઓએ યોગ્ય કપડાં પહેરીને આવવા, એવો મેસેજ મેં આપ્યો હતો. હોળીના કાર્યક્રમમાં કૉલેજમાં ધમાલ થયા બાદ અમે કડક નિયમો કર્યા છે. આ નિયમ માત્ર કાર્યક્રમ પૂરતા સીમિત છે. તેમ છતાં આ અંગે વિદ્યાર્થિનીઓની ફરિયાદને સાંભળવામાં આવશે અને નિયમો અંગે ફરી એકવાર વિચાર કરવામાં આવશે.

March 25, 2019
Narendra_Modi_PTI_0.jpeg
1min5940

આગામી લોકસભા ઇલેકશન બાદ દિલ્હીના તખ્તોતાજ પર કોની સરકાર આવી શકે છે એ ચારે તરફ ચર્ચાનો પ્રશ્ર્ન બની ચૂક્યો છે ત્યારે વિશ્લેષકોના અહેવાલ પ્રમાણે ઉત્તરપ્રદેશ તથા બિહાર દિલ્હી સરકારના પ્રશ્ર્ન સંદર્ભે મહત્ત્વનો રોલ ભજવી શકે છે. ૨૦૧૪માં ભાજપે બિહાર-યુપીની કુલ ૧૨૦ બેઠકોમાંથી ૯૩ બેઠકો મેળવી હતી જેમાં ઉત્તરપ્રદેશમાં ૭૧ અને બિહારમાં ૨૨ બેઠકો મેળવવામાં એનડીએ સરકાર સફળ થઈ હતી. પરંતુ હાલ સિનારિયો બદલાઈ ચૂક્યો છે. ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટી તથા બહુજન સમાજ પક્ષનું ગઠબંધન અને બિહારમાં રાષ્ટ્રીય જનતાદળનું ગઠબંધન ભાજપ માટે બંને રાજ્યોમાં દિલ્હી દૂર હોવાનું સાર્થક કરી શકે તેવી સંભાવના જોવામાં આવી રહી છે. પાછલા થોડા સમયમાં મીડિયાએ યુપી, નોર્થ-સાઉથ બિહારની મહત્ત્વની ૧૫ બેઠકોના નાગરિકોને મળી તેમના વિચારો જાણવાનો પ્રયલૃ કર્યો હતો. મીડિયાએ તમામ જ્ઞાતિ-ધર્મ તથા ખાસ યુવાવર્ગને ધ્યાનમાં રાખી તેમનો જૂકાવ જાણવાનો કોશિશ કરી હતી. જણાયેલી ત્રુટિ અંતર્ગત વિશ્લેષકોએ જણાવ્યું હતું કે ચૂંટણી માટે એપ્રિલ ૧૧થી મેના બીજા સપ્તાહ સુધીનો તબક્કાવાર સમય મતદાતાઓની વિચારસરણી બદલવા પર્યાપ્ત થઈ પડે છે. ઘણી બેઠકોના ઉમેદવાર હજી જાહેર કરવામાં આવ્યા નથી.

મતદાતાઓમાં પુરુષોનું પ્રમાણ વધુ જોવા મળ્યું છે. ઉપરાંત ગ્રાઉન્ડ રુટ પર મતદાતાઓનો મૂડ પારખવો પણ મુશ્કેલ જણાઈ રહ્યો હતો. બેઠક વ્યવસ્થા સંદર્ભે મતદારોનો મુડ-વળાંકજનક પરિણામો સર્જી શકે છે. હાલ પ્રવર્તતી પરિસ્થિતિ મુજબ વડાપ્રધાન નેરન્દ્ર મોદી અતિ પ્રખ્યાત નેતા છે જે યુવાનમતને વિશેષ આકર્ષી શકે છે. યુવાનોમાં મોદીની મક્કમતા, તેમની નિર્ણયશક્તિ પ્રિય છે. જોકે લોકોમાં તેમની રાજકીય કપટનીતિ પણ ચર્ચાનો વિષય રહ્યો છે. કેટલાકના મતે મોદી ગરીબોના નેતા છે તો કેટલાકને તેમન પ્રામાણિકતા અંગે સંદેહ છે. લોકોમાં મોદી સિવાય અન્ય વિકલ્પ નહીં હોવા અંગેની ચર્ચા વધુ સાંભળવા મળી હતી. બેરોજગારીના મુદ્દે ભાજપ તરફથી સ્પષ્ટતા કરવામાં આવી હતી કે તમામ પ્રશ્ર્નો માટે મોદી પર માછલા ધોઈ શકાય નહીં. લોકોમાં મોદીને વધુ સમય આપવાની નીતિ પણ સ્પષ્ટ જોવા મળી હતી. ૨૦૧૯ લોકસભાની ચૂંટણી મુખ્યત્વે નેશનલ લિડરશીપનો મુદ્દો બની ચૂકી છે, જે રીતે હવાનો વર્તારો જોવા મળી રહ્યો છે તે મુજબ ૨૩ મેના રોજ મોદી ફરી એક વાર મજબૂત નેતા તરીકે ઉભરી આવે તેવી શક્યતા જણાઈ રહી છે.

હિન્દુવાદીઓનો મોદીને વિશેષ ટેકો છે. યુપી તથા બિહારમાં સવર્ણો સરકાર સાથે છે. શિડ્યુઅલ કાસ્ટ અને શિડ્યુઅલ ટ્રાઇવ્સ કાયદા સમયે સર્જાયેલા વિખવાદ બાદ આર્થિક રીતે પછાત સમુદાયને ૧૦ ટકા આરક્ષણ આપવાના કેન્દ્ર સરકારના નિર્ણયે ઓબીસી, ઇબીસી તથા નોન યાદવ ઓબીસીને ભાજપ તરફી બનાવી દીધા છે. બિહારમાં પાસવાન તથા રવિદાસ સંપ્રદાય અને યુપીમાં ધોળી અને પાસી સમુદાયનો ભાજપને ટેકો છે. પરંતુ યુપીમાં બસપ અને સપાનું જોડાણ ભાજપ માટે જોખમ ઊભું કરી શકે છે. બંને પક્ષના જોડાણે મુસલમાન, યાદવ અને જાદવ સમુદાયનો વિશ્ર્વાસ સંપાદન કર્યો છે. ૨૦૧૪માં સ્વતંત્ર રીતે ચૂંટણી લડેલા બંને રાજકીય પક્ષોને ૨૦૧૯નું જોડાણ ફળદાયી – વધુ સારુ પરિણામ આપી શકે તેવી સંભાવનાઓ છે. ૨૦૧૪માં સપાને પાંચ બેઠકો મળી હતી જ્યારે બસપ એક પણ બેઠક મેળવવામાં નિષ્ફળ રહ્યું હતું. સર્વે મુજબ ૮૦ બેઠકો પૈકી ૪૭ બેઠકો પર મુસલમાન, યાદવ તથા દલિત મતોનું ૫૦ ટકાથી વધી પ્રભુત્વ છે. બસપ અને સપા જો મત મેળવવામાં સફળ થાય તો મોદીવેવની પછડાટ શક્ય થઈ શકે છે. જ્યારે સ્વતંત્ર રીતે ચૂંટણી લડવા પ્રતિબધ્ધ કોંગ્રેસ યુપીનું ચિત્ર બગાડી શકે છે.

ઉત્તરપ્રદેશનું ચિત્ર જોતા ભાજપ કરતા કોંગ્રેસની સીધી લડાઈ સપા-બસપ સાથે થવાની સંભાવના વિશેષ વ્યક્ત થઈ રહી છે. કોંગ્રેસ મુસ્લીમ મત સાથે ભાજપના સવર્ણના મત પણ તોડી શકે છે. પરંતુ બિહારમાં કોંગ્રેસની પીછેહઠ વધુ જણાઈ રહી છે. બિહારમાં રફેલ ડીલ અંગેના આક્ષેપો પણ રાહુલ ગાંધીને કોઈ પણ પક્ષનો ટેકો અપાવી શક્યા નથી. જનતા પણ કોંગ્રેસને નાપસંદ કરતી હોવાનું સર્વેમાં જણાયું છે. ઉપરાંત યુપી બિહારમાં પણ પુલવામા એટેક બાદ એનડીએ સરકારે કરેલી એરસ્ટ્રાઇક મહત્ત્વનો મુદ્દો બની ચૂકી છે. પાનના ગલ્લે, ચાની દુકાનો પર, શોપિંગ સેન્ટરમાં, યુનિવર્સિટી કેમ્પસમાં બાલાકોટની એરસ્ટ્રાઇક સાથે મોદીની મક્કમતાને મુલવવામાં આવી રહી છે. જેણે ભાજપ તરફના ઝૂકાવને વધુ ઘેરો કર્યો છે. ગ્રામવિકાસની યોજનાઓ, શૌચાલય, ગેસ કનેકશન, આવાસ યોજના, વીજળીની સગવડ જેવા મુદ્દા પણ ભાજપની મક્કમતામાં વધારો કરી રહ્યા છે.

March 25, 2019
bjp-1280x960.jpg
1min5300

ભાજપએ અત્યાર સુધીમાં લોકસભા બેઠક માટે છ યાદી બહાર પાડી છે જેમા ૨૯૭ ઉમેદવારોને ટિકિટ ફાળવાય છે જેમા વડા પ્રધાન મોદી વારાણસી બેઠક, પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ અમીત શાહ ગાંધીનગર બેઠકથી ચૂંટણી લડશે.

પ્રથમ બે તબકકાની ચૂંટણીના લગભગ તમામ ઉમેદવાર ઘોષિત થઈ ગયા છે. પ્રથમ યાદીમાં ૧૮૪ ઉમેદવાર જાહેર કર્યાં હતા. શુક્રવારે ત્રણ યાદી, શનિવારે એક યાદી બહાર પાડી હતી.ગૃહપ્રધાન રાજનાથસિંહ લખનઊ, કાનૂન પ્રધાન રવિશંકર પ્રસાદ બિહારના પટના સાહેબ તથા પક્ષના સંબીત પાત્રા ઓડીસાના પુરીથી ચૂંટણી લડનાર છે. અન્ય અગ્રણી નેતાઓ જેમને ટિકિટ ફાળવાય છે તેમા નરેન્દ્રસિંહ તોમર, જયંત સિંહા, શ્રીપદ નાયક, અનુરાગ ઠાકુર, હંસરાજ આહીર, રાધા મોહનસિંહ, ગિરીરાજ સિંહનો સમાવેશ છે.

મોટી ઉંમર ધ્યાનમાં લઈને એલ. કે. અડવાણીને ટિકિટ અપાઈ નથી. શાહનવાઝ હુસેનની બેઠક જેડીયુને ફાળે જતાં તેમનું પત્તુ કપાયું હતું.

ભાજપએ બિહારમાં જેડીયુ, મહારાષ્ટ્રમાં શિવસેના, તમિળનાડુમાં અન્ના ડીએમકે, પંજાબમાં અકાલી દળ સાથે યુતિ કરેલી છે તે ઉપરાંત રામવિલાસની પાર્ટી, આઠવલેની પાર્ટી સાથે પણ યુતિ છે.

March 25, 2019
congress.jpg
1min5170

૧૧મી એપ્રિલથી શરૂ થનારી લોકસભાની ચૂંટણી માટે કૉંગ્રેસના ચૂંટણીઢંઢેરાને સોમવારે આખરી સ્વરૂપ આપવામા ંઆવશે. દિલ્હીમાંના અકબર રોડ પર કૉંગ્રેસના મુખ્યાલયમાં કૉંગ્રેસ વર્કિંગ કમિટી (સીડબલ્યૂસી)ની બેઠક મળશે, જેમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી ચૂંટણીઢંઢેરાને આખરી ઓપ આપવામાં આવશે. કૉંગ્રેસ પક્ષ દ્વારા કોઈ પણ વિષય પરનો અંતિમ નિર્ણય સીડબલ્યૂસીમાં લેવામાં આવતો હોય છે અને પક્ષ પ્રમુખ સીડબલ્યૂસીના અધ્યક્ષ હોય છે. પી. ચિદમ્બરમના વડપણ હેઠળ રચાયેલી ચૂંટણીઢંઢેરા સમિતિમાં અન્ય ૨૦ સભ્યો પણ છે. સમાજના વિવિધ વર્ગનો અભિપ્રાય લેવા અને તેમના સૂચનો આમેજ કરવા ઓનલાઇન પોર્ટલ પણ લોન્ચ કરવામાં આવ્યું છે. સોમવારે સીડબલ્યૂસીની બેઠકમાં ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહનસિંહ, સોનિયા ગાંધી, ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન સિદ્ધરામૈયા, ઓમન ચાંડી, તરુણ ગોગોઈ, હરીશ રાવત, પ્રિયંકા ગાંધી, યુવા નેતાઓ સહિત મહત્ત્વના નેતાઓ બેઠકમાં હાજરી આપશે. રાહુલ ગાંધી બેઠકના અધ્યક્ષ રહેશે.

March 24, 2019
priyanka.jpg
1min7420

કોંગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી પ્રિયંકા ગાંધી-વાડ્રાએ આજે તા.24મી માર્ચ 2019ના રોજ ઉત્તર પ્રદેશના શેરડી પકવતા ખેડૂતોના રૂ.10 હજાર કરોડના લેણાં કેટલાક મહિનાઓથી નહીં ચૂકવતી ઉત્તર પ્રદેશની સરકારનો હવાલો આપીને નરેન્દ્ર મોદીના મૈ ભી ચૌકીદાર અભિયાન પર મોટો પ્રહાર કરતા જણાવ્યું હતું કે ચોકીદારો હંમેશા અમીરો માટે કામ કરે છે, ઉત્તર પ્રદેશની સરકાર પણ આવી જ ચોકીદારી કરતા ખેડૂતોને તેમની મહેનના રૂપિયા આપવામાં અખાડા કરી રહી છે.

પ્રિયંકા ગાંધી-વાડ્રા એકલા હાથે નરેન્દ્ર મોદી અને તેમની વિશાળ સેનાના મૈ ભી ચૌકીદાર અભિયાનના ફુગ્ગાની હવા કાઢી રહી છે. પ્રિયંકા ગાંધીએ સામાન્ય લોકોની મુલાકાતો, ગ્રુપ મિટીંગો કરીને મૈ ભી ચૌકીદાર અભિયાનની સામે કેન્દ્ર અને રાજ્ય સરકારોની નબળાઇઓ મૂકીને તેમની પોલ ખોલી રહી છે. ચોકીદાર પરની પ્રિયંકા ગાંધીની આ મુજબની ટ્વીટએ સમગ્ર દેશમાં વાઇરલ થઇ છે.

March 24, 2019
sugar.jpg
1min36460
જયેશ બ્રહ્મભટ્ટ
આગામી તા.31મી માર્ચ 2019ના રોજ સુગર મિલો દ્વારા શેરડીના ભાવો જાહેર કરવાની પ્રોસેસ શરૂ કરવામાં આવશે. સામી ચૂંટણીએ શેરડીના ભાવોને લઇને ખેડૂતો ખાસ કરીને દક્ષિણ ગુજરાત કે જ્યાં સૌથી વધુ શેરડી પાકે છે અને જ્યાં રાજ્યની 95 ટકા સુગર ફેક્ટરીઓ આવેલી છે એ વિસ્તારના ખેડૂતોમાં શેરડીના ભાવ બાબતે ખેડૂતો ભારે નારાજ થાય તેમ છે. એક તરફ રાજ્ય સરકારે ખાંડનો લઘુત્તમ ટેકાનો ભાવ રૂ.31 જાહેર કર્યો છે, ત્યારે બીજી તરફ ખેડૂતોને રૂ.3100 પ્રતિટન શેરડીનો ભાવ જોઇએ છે, ખેડૂતોની માગ તો આનાથી પણ વધારે છે જ્યારે ત્રીજા પક્ષે સુગર મિલો રૂ.3000 પણ આપી શકે તેમ નથી. આમ, સરકાર, ખેડૂત અને સુગરમિલો ત્રણેયના ભાવોમાં તફાવત પડે તેમ છે. અને ફરીથી એક વખત જગતના તાતના હિસ્સે જ અન્યાય સહન કરવાનું આવે તેમ છે. ખેડૂતોને શેરડીના અપેક્ષિત ભાવ તો દૂરની વાત પરંતુ, પોષણક્ષમ (કોસ્ટિંગ) જેટલા પણ ભાવ ન મળે તેવી શક્યતાઓ જોવાય રહી છે.
  • ખેડૂતોની મુશ્કેલી એ છે કે મહેનત અને પડતરના નાણાં પણ છૂટતા નથી
  • સુગર મિલોની કઠિણાઇ એ છે કે એટલું વિપુલ ઉત્પાદન છે કે શેરડીનો સંગ્રહ ક્યાં કરવો અને પીલાણ કેવી રીતે કરવું
  • સરકારે તૈયાર ખાંડના રૂ.31 ભાવ નિર્ધારિત કર્યો છે, એ જોતા ખેડૂતોને પ્રતિ ટન શેરડીના રૂ.3100 મળવા જોઇએ
ખેડૂતોની મોટી કમનસીબી એ છે કે એક તરફ શેરડીનું ઉત્પાદન વધી રહ્યું છે અને આ વર્ષે બમ્પર ઉત્પાદન છે અને એ કારણે સપ્લાય વધે તેમ હોઇ સ્વાભાવિક છે કે તેના ભાવ નીચે જાય તેમ છે. ગુજરાતમાં સૌથી વધુ શેરડીનો પાક દક્ષિણ ગુજરાતમાં લેવાય છે. આગામી તા.31મી માર્ચે જ્યારે સુગર મિલો શેરડીનો ભાવ જાહેર કરશે ત્યારે ગુજરાતમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાતના ખેડૂતો નારાજ થાય એવી શક્યતાઓ નકારી શકાતી નથી. રાજ્યમાં હાલ વર્કિંગ મોડમાં હોય તેવી કુલ 19 સુગર મિલો પૈકીની 17 સુગરમિલો દક્ષિણ ગુજરાતમાં કાર્યરત છે. દક્ષિણ ગુજરાતમાં 80 હજાર મેટ્રીક ટન જેટલી શેરડીનું પીલાણ કરવામાં આવે છે.

સામી ચૂંટણીએ દક્ષિણ ગુજરાતના ખેડૂતો વધુ નારાજ થાય તેવા સંજોગો

બેન્કો પાસેથી ઓવરડ્રાફ્ટ લઈને જેમ-તેમ ચાલતી ખાંડ ફેક્ટરીઓની માંદી હાલત જોતાં દક્ષિણ ગુજરાતની એકપણ સુગર ફેક્ટરી રૂા. 3 હજારથી વધુ ભાવ આપી શકે તેમ નથી. ગત વર્ષનો ખાંડનો સ્ટોક અને આ વર્ષના બમ્પર ઉત્પાદને ખાંડનો નિકાલ ક્યાં કરવો તે પ્રશ્ન ઉપસ્થિત થયો છે.
હવે જ્યારે સરકારે તૈયાર ખાંડનો ભાવ જ રૂ. 31નો નિર્ધારિત કર્યો છે ત્યારે સુગર ફેક્ટરીઓના પિલાણ સહિતના ખર્ચા અને બૅન્કોના ઓવરડ્રાફ્ટની વિગતો બાદ કરતાં એવી ગણતરી બેસે છે કે ખેડૂતોને પ્રતિ ટન શેરડીના રૂ. 3100ની આસપાસ ભાવ મળવો જોઈએ. ખેડૂત આગેવાનો કહે છે કે સુગર ફેક્ટરીઓએ બમ્પર પાકનો હવાલો આપી વાતાવરણ ઊભું કર્યું છે તે જોતાં આખરમાં શું ભાવ મળશે તે અંગે અનેક સવાલો ખેડૂતોનાં મનમાં ઊભા થયા છે.