સુરતમાંથી રાજ્યના નાયબ મુખ્યમંત્રી પદે પહેલી જ વખત કોઇ ધારાસભ્ય સ્વરૂપમાં મજૂરા વિધાનસભાના ધારાસભ્ય હર્ષ સંઘવીની થયેલી નિયુક્તિ બાદ પહેલી વખત સુરતમાં સરદાર પટેલ ગૌરવ સમિતિ નામની ખાનગી સંસ્થા દ્વારા આવતીકાલ તા.14મી નવેમ્બરને શુક્રવારે સાંજે લસકાણા સ્થિત જે.બી. ડાયમંડ અને કાર્પ વિદ્યાસંકુલ ખાતે જાહેર અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમારોહમાં હર્ષ સંઘવી ઉપરાંત સ્થાનિક ધારાસભ્ય અને શિક્ષણ મંત્રાલયનો સ્વતંત્ર હવાલો સંભાળતા રાજ્યમંત્રી પ્રુફુલ પાનશેરિયાનું પણ જાહેર અભિવાદન કરવામાં આવશે.
આ સમારોહ અંગે વધુ વિગતો આપતા દિનેશ નાવડીયા અને એડવોકેટ પ્રફુલ ચોડવડીયાએ જણાવ્યું હતું કે સુરતના બન્ને યુવાન ધારાસભ્યોએ ભૂતકાળમાં કરેલી દર્શનીય કામગીરીને બિરદાવવા તેમજ તેમને મળેલી નવી જવાબદારી માટે તેમને શુભેચ્છા આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. આ સમારોહમાં અધ્યક્ષ પદે કેન્દ્રીય જળસંચય મંત્રી સી.આર. પાટીલ ઉપસ્થિત રહેશે તેમજ શહેર મેયર દક્ષેશ માવાણી કે જેના કાર્યકાળ દરમિયાન સુરત મહાનગરપાલિકા અનેક એવોર્ડ હાંસલ કરી શકી છે તેમને પણ અભિવાદિત કરવામાં આવશે.
આ સમારોહમાં અંદાજે 25 હજારથી વધુ લોકો ઉપસ્થિત રહેશે એમ માનવામાં આવે છે. આ સમારોહમાં સરદાર પટેલ ગૌરવ સમિતિ ઉપરાંત શહેરની નામી અનામી 200થી વધુ સામાજિક, સ્વૈચ્છીક, વ્યાપારીક, ઔદ્યોગિક સંસ્થાઓના પ્રતિનિધિઓ દ્વારા નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણરાજ્ય મંત્રીનું જાહેર અભિવાદન કરવામાં આવશે.
જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944 નરેન્દ્ર મોદી સરકારે તા.12મી નવેમ્બર 2025ના રોજ એક અભૂતપૂર્વ પગલું ભરીને યાર્ન અને યાર્નના બેઝિક રો મટિરિયલ્સ પર પાછલા વર્ષોમાં લાદેલા QCO (ક્વોલિટી કન્ટ્રોલ ઓર્ડર્સ) હટાવી દીધા છે. જેને કારણે યાર્નમાંથી ફેબ્રિક બનાવતા દેશના ટેક્ષટાઇલ્સ ક્લસ્ટર્સ જેમાં સુરત સૌથી મોટું ફેબ્રિક મેન્યુફેક્ચરિંગ હબ છે ત્યાંના વણાટ ઉદ્યોગના કારખાનેદારો માટે જાણે દિવાળી આવી ગઇ હોય તેવો માહોલ બુધવારની રાતથી સર્જાયો છે.
કેન્દ્ર સરકારે યાર્ન અને યાર્નના બેઝિક રો મટિરિયલ પરથી QCO હટાવવાનું નોટિફિકેશન જાહેર કરતાં જ પોલિએસ્ટર મધર યાર્નના ભાવેમાં 20થી 25 ટકા તૂટ્યા છે અને યાર્ન હવે સુરતના વીવીંગ કારખાનેદારોની માગણી મુજબ આંતર રાષ્ટ્રીય સ્તરના ભાવોને સમકક્ષ મળતું થઇ ગયું હતું. QCOને કારણે ઇમ્પોર્ટેડ યાર્ન એટલું મોંઘુ થઇ ગયું હતું અને તેની આયાત પણ લગભગ બંધ થઇ ગઇ હતી. પરંતુ, હવે QCO હટાવતા પોલિએસ્ટર યાર્ન કે જેની આયાત બિલકુલ બંધ થઇ જવા પામી હતી અને દેશના સ્પીનર્સ પાસેથી હલકી કક્ષાનું યાર્ન ઉંચી કિંમતે ખરીદવાની ફરજ પડતી હતી, એ સ્થિતિમાંથી સુરત સમેત દેશભરના વીવીંગ કારખાનેદારોને છુટકારો મળ્યો છે.
બુધવારે કેન્દ્ર સરકારે યાર્ન અને બેઝિક રો મટિરિયલ્સ પરથી ક્યુસીઓ હટાવવાની જાહેરાત કર્યા બાદ તુરત જ પોલિએસ્ટર મધર યાર્નના ભાવે કકડભૂસ થઇ ગયા હતા. સુરતના લોકલ યાર્ન ડિસ્ટ્રીબ્યુટર્સ અને ડિલર્સે મધરયાર્નના ઘટાડેલા ભાવોને મેસેજીસ વીવર્સ કારખાનેદારોને કર્યા હતા અને ભાવો જોઇને કારખાનેદારોની આંખમાં ચમક આવી જવા પામી હતી.
સુરતના ટેક્ષટાઇલ ઉદ્યોગના અભિન્ન અંગ વીવર્સને હવે યાર્ન સસ્તું મળશે અને સુરતનું કપડું હવે આંતર રાષ્ટ્રીય બજારમાં ટકી શકે તેવા ભાવે વેચાતું થઇ જશે. સુરતના વીવીંગ ઇન્ડસ્ટ્રીઝના આગેવાનો કેન્દ્ર સરકારના આ પગલાંને આજે દીવાળીની ગીફટની જેમ વધાવી રહ્યા છે.
બીજી તરફ નાયલોન યાર્ન પર પણ ક્યુસીઓ લાદવાની વાતો ચાલી રહી હતી તેનો પણ છેદ ઉડી જતાં સુરતના વીવીંગ ઉદ્યોગકારોને માટે સૌથી મોટી નિરાંત થવા પામી છે.
Rescission of Major QCOs – 12 November 2025
(Ministry of Chemicals & Fertilizers – Department of Chemicals & Petrochemicals) The Government of India has issued a significant series of notifications on 12 November 2025, rescinding multiple Quality Control Orders (QCOs) across key petrochemical and man-made fibre value chains. These decisions follow consultations with BIS and have been taken in public interest, with immediate effect, except for actions already undertaken under earlier notifications.
This development directly eases the compliance burden on industry and is expected to improve raw material availability, reduce input costs, and strengthen competitiveness—especially for textiles, plastics, and downstream MSME manufacturers.
Impact: Immediate relief for the polyester value chain. Lower raw material costs vs Vietnam, Bangladesh, China. Boosts domestic MMF-based exports at a critical time.
B. Plastics & Polymer QCOs Rescinded
Polyethylene (PE) – Moulding & Extrusion Grades
Polypropylene (PP) – Moulding & Extrusion Grade
Acrylonitrile Butadiene Styrene (ABS)
Polyvinyl Chloride (PVC) Homopolymers
Ethylene Vinyl Acetate (EVA) Copolymers
Polyurethanes
Polycarbonate Impact: Major compliance relaxation across plastics industry. Removes import bottlenecks and supports downstream MSMEs. Helps in price stability of key engineering polymers.
Overall Implication for Industry Broad-based cost reduction in MMF textiles and plastics. Strengthens export competitiveness during US tariff uncertainty Supports MSME manufacturing, which was most affected by QCO restrictions. Aligns input costs with regional competitors, improving India’s ability to retain global orders Helps maintain supply chains for sectors like textiles, automotive, electronics, packaging, and footwear.
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સાથેના વેપાર સંબંધોમાં નરમાઈના સંકેત આપ્યા છે. તેમણે જણાવ્યું કે અમેરિકા અને ભારત એક “વ્યાપક અને ન્યાયસંગત” વેપાર કરારની અત્યંત નજીક છે અને ટૂંક સમયમાં ભારતીય વસ્તુઓ પર લગાવવામાં આવેલી ઊંચી ટેરિફ દરોમાં ઘટાડો કરવામાં આવી શકે છે. ટ્રમ્પના આ નિવેદનથી બંને દેશો વચ્ચે છેલ્લા કેટલાક મહિનાઓથી ચાલી રહેલા વેપારી તણાવમાં ઘટાડો થવાની આશા જાગી છે.
ટ્રમ્પે કહ્યું, “અત્યારે તેઓ (ભારત) મારાથી બહુ ખુશ નથી, પરંતુ તેઓ ફરીથી અમને પસંદ કરશે. અમે એક નિષ્પક્ષ વેપાર કરારની ખૂબ નજીક છીએ, જે બંને દેશો માટે ફાયદાકારક રહેશે.”
છેલ્લા કેટલાક મહિનાઓમાં, ખાસ કરીને ટેરિફ અને રશિયાથી ઉર્જા આયાતને લઈને બંને દેશો વચ્ચે મતભેદો ઉભા થયા હતા. આ વર્ષની શરૂઆતમાં, ટ્રમ્પ વહીવટીતંત્રે ભારત પર રશિયાથી તેલની આયાત ઘટાડવા માટે દબાણ બનાવવાના હેતુથી ભારતીય નિકાસ પર વધારાની ડ્યુટી લગાવી હતી અને ઘણી વસ્તુઓ પર ટેરિફ દર 50 ટકા સુધી વધારી દીધા હતા, જેના કારણે વેપાર વાટાઘાટોમાં તણાવ વધ્યો હતો.
સોમવારે 10 નવેમ્બરે ટ્રમ્પે દાવો કર્યો કે ભારતે રશિયા પાસેથી તેલ ખરીદીમાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે. તેમણે કહ્યું, “તેમણે (ભારતે) રશિયન તેલ ખરીદવાનું લગભગ બંધ કરી દીધું છે. તે ખૂબ ઘટી ગયું છે. હા, અમે પણ ભારતીય સામાન પર ટેરિફ ઘટાડવા જઈ રહ્યા છીએ, અને તે ગમે ત્યારે થઈ શકે છે.” જોકે, ભારતે ટ્રમ્પના આ દાવાની સત્તાવાર પુષ્ટિ કરી નથી. થોડા દિવસો પહેલા ભારતના વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું હતું કે નવી દિલ્હી કોઈના દબાણમાં નહીં, પરંતુ પોતાના નાગરિકોની ઉર્જા જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ક્રૂડ ઓઇલની આયાત અંગે નિર્ણય લે છે.
ડોનાલ્ડ ટ્રમ્પે આ નિવેદન વોશિંગ્ટનમાં ભારતમાં અમેરિકાના નવા રાજદૂત તરીકે નિયુક્ત થયેલા તેમના નજીકના સહયોગી સર્જિયો ગોરના શપથ ગ્રહણ સમારોહ દરમિયાન આપ્યું હતું. તેમણે ભારતની પ્રશંસા કરતાં કહ્યું કે ભારત વિશ્વની સૌથી જૂની સંસ્કૃતિઓમાંથી એક, વિશ્વનું સૌથી મોટું લોકતંત્ર છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે તેમના શાનદાર સંબંધો છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે રાજદૂત તરીકે સર્જિયો ગોર બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવશે.
Delhi Blast: લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક દિલ્હીમાં થયેલા ધમાકાના તાર ફરીદાબાદ ટેરર મૉડ્યૂલ સાથે જોડાતા જણાય છે. રાજધાનીમાં થયેલા આ વિસ્ફોટમાં એમોનિયમ નાઇટ્રેટનો ઉપયોગ થયો હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે. નોંધનીય છે કે પોલીસે ફરીદાબાદમાંથી 2900 કિલોગ્રામ બોમ્બ બનાવવાની સામગ્રી જપ્ત કરી હતી, જેમાં એમોનિયમ નાઇટ્રેટ પણ સામેલ હતું.
બીજી તરફ, એવી પણ ચર્ચા છે કે આ મૉડ્યૂલ સાથે સંકળાયેલા ડૉક્ટર ઉમર મોહમ્મદે ધરપકડના ડરથી આ ઘટનાને અંજામ આપ્યો હતો. જોકે, આ બાબતે હજુ સત્તાવાર પુષ્ટિ થઈ નથી અને તપાસ ચાલુ છે. સોમવારે સાંજે થયેલા આ વિસ્ફોટમાં 8 લોકોએ જીવ ગુમાવ્યા હતા.
એમોનિયમ નાઇટ્રેટના ઉપયોગની આશંકા
પીટીઆઈ અનુસાર ધમાકામાં વપરાયેલી i20 કારના તાર ફરીદાબાદ મૉડ્યૂલ સાથે જોડાયેલા હતા. ખાસ વાત એ છે કે કારનો નંબર પણ હરિયાણાનો જ હતો. એજન્સીને સૂત્રોએ જણાવ્યું છે કે ધમાકા સમયે લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક કથિત રીતે પુલવામાનો રહેવાસી ઉમર મોહમ્મદ હ્યુન્ડાઈ i20 કાર ચલાવી રહ્યો હતો.
પોલીસ સૂત્રોએ એ પણ કહ્યું કે આ ધમાકામાં એમોનિયમ નાઇટ્રેટ, ફ્યુઅલ ઓઇલ અને ડેટોનેટર્સનો ઉપયોગ થયો હોઈ શકે છે. જોકે, હજી તપાસના અંતિમ રિપોર્ટ્સ આવવાના બાકી છે.
ડૉક્ટર સાથીઓની ધરપકડથી હુમલો?
દિલ્હી પોલીસ તરફથી મળેલી જાણકારી મુજબ, એક સીસીટીવી ફૂટેજમાં માસ્ક પહેરેલો એક વ્યક્તિ કાર ચલાવતો જોવા મળે છે. પોલીસે કહ્યું કે, ઉમર મોહમ્મદ કથિત રીતે જૈશ-એ-મોહમ્મદના ટેરર મૉડ્યૂલનો એક ભાગ હતો. સૂત્રોના રિપોર્ટ અનુસાર, જમ્મુ અને કાશ્મીરના પુલવામાના રહેવાસી તારિકે ઉમર મોહમ્મદને આ કાર આપી હોવાનું કહેવાય છે.
પોલીસે વધુમાં જણાવ્યું કે, આ ટેરર મૉડ્યૂલમાં સામેલ ઉમર મોહમ્મદના અન્ય ડૉક્ટર સાથીઓની ધરપકડ થતાં, તેણે પોતાની ધરપકડના ડરથી આ આતંકી હુમલાને અંજામ આપ્યો હતો.
દિલ્હી પોલીસ કમિશનર સતીશ ગોલચાએ પત્રકારોને માહિતી આપી કે, મોડી સાંજે લગભગ 6:52 વાગ્યે લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક ટ્રાફિક સિગ્નલ પર ધીમી ગતિએ જતી કારમાં વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ સમયે કારની અંદર કેટલાક લોકો સવાર હતા અને અન્ય વાહનોને પણ નુકસાન થયું હતું.
ફરીદાબાદમાંથી શું મળ્યું?
સોમવારે દેશના અનેક ભાગોમાંથી પોલીસે 3 ડૉક્ટરો સહિત 8 લોકોની ધરપકડ કરી હતી. સાથે જ 2900 કિલોગ્રામ વિસ્ફોટક સામગ્રી જપ્ત કરવામાં આવી. પોલીસનો દાવો છે કે આ ધરપકડો અને જપ્તીથી જમ્મુ-કાશ્મીર, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં ફેલાયેલા જૈશ-એ-મોહમ્મદ અને અંસાર ગઝવાતુલ હિંદના આતંકવાદી મૉડ્યૂલનો પર્દાફાશ થયો છે.
જમ્મુ કાશ્મીર પોલીસે એક નિવેદનમાં જણાવ્યું કે 2900 કિલોગ્રામ વિસ્ફોટક સામગ્રીમાં એમોનિયમ નાઇટ્રેટ, પોટેશિયમ નાઇટ્રેટ અને સલ્ફર સામેલ છે, જેમાં ફરીદાબાદમાં ગનીના ભાડાના મકાનમાંથી મળેલી 360 કિલોગ્રામ જ્વલનશીલ સામગ્રીનો પણ સમાવેશ થાય છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ વિસ્ફોટક સામગ્રી એમોનિયમ નાઇટ્રેટ હોવાની શંકા છે.
Bollowood veteren Actor ધર્મેન્દ્રને નિયમિત સ્વાસ્થ્ય તપાસ માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની ટીમે જણાવ્યું હતું કે તેઓ સ્વસ્થ છે અને યોગ્ય તબીબી તપાસ કરાવી શકે તે માટે તેમણે હોસ્પિટલમાં તેમનો રોકાણ લંબાવવાનું હતું.
What is happening is unforgivable! How can responsible channels spread false news about a person who is responding to treatment and is recovering? This is being extremely disrespectful and irresponsible. Please give due respect to the family and its need for privacy.
બોલીવુડના સર્વકાલીન પ્રિય સદાબહાર સુપરસ્ટાર ધર્મેન્દ્ર (Dharmendra) હવે નથી રહ્યા તેવા સમાચાર સામે આવી રહ્યા છે પરંતુ ધર્મેન્દ્ર પત્ની હેમા માલિની અને પુત્રી ઈશા દેઓલએ સમાચારને નકાર્યા છે, અને ટ્વીટર શેર કરી છે, તેઓ 89 વર્ષના છે. અહેવાલો અનુસાર, તેમણે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
સુપરસ્ટાર ધર્મેન્દ્ર નિધન થયું છે તેવા સમાચારની પુષ્ટિ કરવામાં આવી છે. જ્યારે તેઓ હોસ્પિટલમાં હતા, ત્યારે ઘણા બોલીવુડ સેલિબ્રિટીઝ તેમની મુલાકાત લેવા પહોંચ્યા હતા, આ સાથે તેમના ચાહકોનો સમૂહ પણ તેમના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ચિંતિત અને ચિંતિત હતો. સુપરસ્ટાર ધર્મેન્દ્રની પત્ની હેમા માલિનીએ સોસાચીયલ મીડિયા ટ્વીટર પર પોસ્ટ શેર કરી જેથી ધર્મેન્દ્રના નિધનની અફવાઓનો અંત આવ્યો છે. લગભગ આખો દેશ તેમના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહ્યો હતો. સદાબહાર સુપરસ્ટાર છેલ્લે ધમાકેદાર ફિલ્મ ‘તેરી બાતોં મેં ઐસા ઉલઝા જિયા’માં જોવા મળ્યો હતો, હવે એક્ટર ફિલ્મ ‘ઇક્કીસ’ માં જોવા મળશે, જેમાં તેમનું દમદાર પાત્ર જોવા મળ્યું હતું.
બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં 122 બેઠકનું મતદાન આજે શરૂ થઇ ગયું છે. આ મતદાનમાં 3.70 કરોડ મતદાતાઓ નીતિશકુમારની સરકારના અડધા ડઝન મંત્રીઓ સહિત કુલ 1302 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. પશ્ચિમ ચંપારણ, પૂર્વી ચંપારણ, સીતામઢી, મધુબની, સુપૌલ, અરેરિયા અને કિશનગંજ સહિત 11 જિલ્લામાં મતદાન થશે. બધા વિસ્તાર નેપાળની સાથે સરહદ ધરાવતા ક્ષેત્ર છે.
બિહાર ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કામાં વહેલી સવારે મતદાન માટે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બિહાર ચૂંટણીના બીજા તબક્કામાં સવારે 9 વાગ્યા સુધીમાં 14.55% મતદાન થયું છે.
બીજા તબક્કાના મતદાનમાં કુલ ચાર લાખથી વધુ કર્મચારીઓ ફરજ બજાવશે. કુલ 45399 મતદાન મથકો પર મતદાન થશે, તેમાથી 40073 મતદાન મથક ગ્રામીણ વિસ્તારમાં આવેલા છે. કુલ મતદાતાઓમાં અડધા ઉપરાંતના એટલે કે 2.28 કરોડ જેટલા મતદાતા 30 થી 60 વર્ષની વયના છે. જ્યારે ફક્ત 7.69 લાખ મતદાતા જ 18 થી 19 વર્ષના વયજૂથમાં છે.
122 મતવિસ્તારોમાં મહિલા મતદારોની સંખ્યા 1.75 કરોડ છે. 3.67 લાખ મતદારો સાથે નવાડા જિલ્લાની હિસુઓ બેઠક સૌથી મોટો મતવિસ્તાર છે. જ્યારે લૌરિયા, ચંપતિયા, રાક્સોલ, ત્રિવેણીગંજ, સુગૌલી અને બન્મખીમાં સૌથી વધુ 22-22 ઉમેદવાર મેદાનમાં ઉતર્યા છે. ઉલ્લેખનીય છે કે પ્રથમ તબક્કામાં 121 મતવિસ્તારોમાં 65 ટકા જેટલું ઊંચું મતદાન થયું છે.
બીજા તબક્કામાં મોટાભાગના જિલ્લા સીમાંચલના
મોટાભાગના જિલ્લા સીમાંચલમાં આવેલા છે અને અહીં મુસ્લિમોની વસ્તી મોટાપાયા પર હોવાથી ઇન્ડિયા બ્લોકના સારા પર્ફોર્મન્સની જવાબદારી તેના શિરે છે. જેડીયુના વરિષ્ઠ નેતા અને શાસક પક્ષના કેબિનેટ પ્રધાન બિજેન્દ્રપ્રસાદ યાદવ સળંગ રેકોર્ડ બ્રેક સળંગ આઠમી વખત તેમની સુપૌલની સીટ જાળવવા મેદાનમાં ઉતરશે.આ જ રીતે તેમના કેબિનેટના સહયોગી અને ભાજપના વરિષ્ઠ નેતા પ્રેમકુમાર પણ આઠમી વખત તેમની સીટ જાળવવા મેદાનમાં ઉતરશે. અન્ય જાણીતા ચહેરોઓમાં જોઈએ તો ભાજપના મંત્રી બેટ્ટિયાના રેણુદેવી અને છતપુરના નીરજકુમાર જેવા જાણીતા ચહેરાની પણ બરોબરની કસોટી થશે. આ સિવાય જેડીયુના લેશીસિંહની ધમદાહા, શીલા મંડલની ફુલપારસ અને ચૈનપુરમાં ઝમાખાનના બળાબળના પારખા થશે.
કયા કયા દિગ્ગજ મેદાને?
ભાજપના જ અન્ય જાણીતા ચહેરાઓમાં ભૂતપૂર્વ નાયબ મુખ્યપ્રધાન તારકિશોર પ્રસાદ સળંગ પાંચમી ટર્મ માટે તેમની કટિહાર સીટ જાળવવા ચૂંટણીના જંગમાં ઉતરશે. કટિહાર જિલ્લો બલરામપુર અને કડવા વિધાનસભા બેઠકો પણ ધરાવે છે. અહીં સીપીઆઈ-એમએલના મહેબૂબ આલમ અને શકીલ એહમદ ખાન તેમની સીટ જાળવવા ત્રીજી વખત ઉતરશે.
યુરોપિયન યુનિયનમાં સમાવિષ્ટ અનેક દેશોમાં જર્મનીની મેડિકલ ડિગ્રીઓને પણ માન્યતા આપવામાં આવે છે, ખાસ કરીને સ્વીડન અને આયર્લેન્ડ જેવા દેશોમાં જર્મનીની મેડીકલ ડિગ્રીધારકો સીધી પ્રેક્ટિસ કરી શકે છે, સ્વીડન, આયર્લેન્ડ અને જર્મની ત્રણેય દેશોમાં 2030 સુધીમાં ડોક્ટરોની ઘટ 10 લાખ સુધી પહોંચવાનો અંદાજ છે.
ભારતીય વિદ્યાર્થીઓ સસ્તા મેડીકલ એજ્યુકેશન માટે પરંપરાગત રીતે, પૂર્વી યુરોપ, રશિયા અને મધ્ય પૂર્વીય દેશોમાં જતા આવ્યા છે. જો કે, જર્મની વધુને વધુ મજબૂત વિકલ્પ તરીકે ઉભરી આવ્યું છે અને 2030 સુધીમાં ભારતીય વિદ્યાર્થીઓમાં મેડીકલ એજ્યુકેશન માટે જર્મની ફેવરીટ ડેસ્ટિનેશન બની ચૂક્યું હશે. જર્મની એટલા માટે ફેવરીટ બની રહ્યું છે કેમકે જર્મની ટ્યુશન ફી-મુક્ત છે અથવા ઓછા ખર્ચે શિક્ષણ મેડીકલ એજ્યુકેશન, ઉચ્ચ-ગુણવત્તાવાળી ક્લિનિકલ તાલીમ અને તેની તબીબી ડિગ્રીઓને વૈશ્વિક સ્તરે માન્યતા પ્રદાન છે.
વધુમાં, જર્મની લાંબા સમયથી ભારતીય એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓમાં એક લોકપ્રિય સ્થળ રહ્યું છે, જે વિદેશમાં ઉચ્ચ શિક્ષણ મેળવવા માંગતા લોકો માટે તેની આકર્ષણમાં વધારો કરે છે.
જર્મની વીઝા પોલિસી
ભારતીય વિદ્યાર્થીઓ માટે વિઝા નીતિ
એવી છે કે જર્મનીના સ્ટુડન્ટ વીઝા એપ્લિકેશનથી વીઝા પ્રાપ્તિ સુધી 90 દિવસથી વધુ સમય નીકળી શકે છે. જર્મનીમાં અભ્યાસ કરવાની યોજના ધરાવતા ભારતીય વિદ્યાર્થીઓને ટાઇપ D રાષ્ટ્રીય વિદ્યાર્થી વિઝાની જરૂર પડે છે. અરજી પ્રક્રિયામાં મહત્વપૂર્ણ આવશ્યકતાઓ શામેલ છે: શૈક્ષણિક દસ્તાવેજો ચકાસવા માટે APS પ્રમાણપત્ર (શૈક્ષણિક સિદ્ધીઓનું મૂલ્યાંકન પ્રમાણપત્ર) સબમિટ કરવું, €11,904 પાઉન્ડ પ્રતિ વર્ષ (આશરે રૂ. 12 લાખ) સાથે બ્લોક કરેલા ખાતા દ્વારા નાણાકીય સંસાધનોના પુરાવા અને ફરજિયાત આરોગ્ય વીમા કવરેજ.
૧ જુલાઈ, ૨૦૨૫થી, વિઝા રિજેક્શન સામે અનૌપચારિક અપીલ દાખલ કરવાનો અગાઉનો વિકલ્પ બંધ કરવામાં આવ્યો છે.
જે અરજદારોના વિઝા નકારવામાં આવ્યા છે તેમણે ૭૫ પાઉન્ડની ફી ચૂકવીને ફરીથી અરજી કરવી પડશે અથવા જર્મન કોર્ટ દ્વારા ઔપચારિક અપીલ કરવી પડશે.
વિલંબ અટકાવવા માટે, વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ કોન્સ્યુલર સર્વિસીસ પોર્ટલ દ્વારા તેમની મુસાફરીની તારીખના ૩ થી ૪ મહિના પહેલા અરજી કરે, ખાતરી કરે કે પ્રવેશપત્રો અને હેતુનું વિગતવાર નિવેદન જેવા બધા દસ્તાવેજો પૂર્ણ છે.
તબીબી અભ્યાસક્રમો અને માંગમાં વિશેષતાઓ
જર્મનીની મેડીકલ ગ્રેજ્યુએશન ડિગ્રીને સ્ટેટેક્સામેન કહેવામાં આવે છે. સ્ટેટેક્સામેન (મેડીકલ ગ્રેજ્યુએશન) એ છ વર્ષનો કાર્યક્રમ છે જે જર્મન ભાષામાં હાથ ધરવામાં આવે છે, જેમાં ભાષામાં ઓછામાં ઓછી C1-લેવલની નિપુણતા જરૂરી છે. અભ્યાસક્રમ યુનિવર્સિટી-સંલગ્ન હોસ્પિટલોમાં ક્લિનિકલ એક્સપોઝર સાથે સખત શૈક્ષણિક અભ્યાસને જોડે છે.
આંતરિક દવા, સર્જરી, મનોચિકિત્સા, એનેસ્થેસિયોલોજી અને વૃદ્ધાવસ્થા જેવા સ્પેશ્યલાઇઝેશનની ખાસ ડિમાંડ છે. આ માંગ વસ્તી વિષયક વલણો સાથે સુસંગત છે, કારણ કે એવું અનુમાન છે કે 2030 સુધીમાં પ્રત્યેક 4 માંથી 1 જર્મન નાગરીક 65 વર્ષથી વધુ ઉંમરનો હશે. જર્મનીના ફેડરલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ – સ્ટેટિસ્ટિસ બુન્ડેસેમ્ટ અનુસાર, OECD દેશોમાં 400,000 થી વધુ ડોકટરોની અછત વર્તાતી હશે.
વિદ્યાર્થીઓએ મંજૂરી મેળવવા માટે Ärztliche Prüfung પાસ કરવું આવશ્યક છે, જે તેમને દવા પ્રેક્ટિસ કરવા માટે લાઇસન્સ આપે છે. ત્યારબાદ તેઓ Facharzt સ્પેશિયલાઇઝેશનને અનુસરી શકે છે, જેના માટે વધારાના 5 થી 6 વર્ષ જરૂરી છે.
અરજી માટે શ્રેષ્ઠ સમયરેખા
મે 2026 માં ધોરણ 12 પૂર્ણ કરનારા વિદ્યાર્થીઓએ સમય બગાડવાનું ટાળીને તાત્કાલિક તૈયારી શરૂ કરવી જોઈએ. ઓક્ટોબર 2026 સુધીમાં ઓછામાં ઓછી B1 પ્રાવીણ્ય પ્રાપ્ત કરવા માટે APS પ્રમાણપત્ર મેળવવું અને સઘન જર્મન ભાષા તાલીમ લેવી શામેલ છે.
આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે પાયાના અભ્યાસક્રમ, સ્ટુડિયનકોલેગ માટે અરજીઓ જૂન અથવા જુલાઈ 2026 સુધીમાં સબમિટ કરવી જોઈએ.
વિદ્યાર્થી નોંધણીનો ટ્રેન્ડ
જર્મનીમાં આંતરરાષ્ટ્રીય સ્ટુડન્ટ રજિસ્ટ્રેશનમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે, જેમાં સૌથી વધુ સંખ્યા ભારતીય વિદ્યાર્થીઓની છે. DAAD અને જર્મન દૂતાવાસના ડેટા અનુસાર, 2023/24 વિન્ટર સત્રમાં 49,483 ભારતીય વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જે 2025 સુધીમાં 60,000 ને વટાવી જવાનો અંદાજ છે. 2020/21માં જર્મની જનારા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા 28,905 હતી જેમાં 4 જ વર્ષમાં 71%નો વધારો થઇ ચૂક્યો છે.
ઓક્ટોબર 2025ના એક અંદાજ મુજબ કમસેકમ 2,000 ભારતીય વિદ્યાર્થીઓ હાલમાં જર્મનીમાં મેડીકલ એજ્યુકેશન, સ્ટેટસેક્સામેન મેડિકલ પ્રોગ્રામનો અભ્યાસ કરી રહ્યા છે.
ભારતીય વિદ્યાર્થીઓમાં લોકપ્રિય યુનિવર્સિટીઓ
ભારતીય વિદ્યાર્થીઓ ટેકનિકલ યુનિવર્સિટી ઓફ મ્યુનિક (TUM), RWTH આચેન, લુડવિગ મેક્સિમિલિયન યુનિવર્સિટી (LMU) મ્યુનિક, હમ્બોલ્ટ યુનિવર્સિટી ઓફ બર્લિન અને યુનિવર્સિટી ઓફ બોન જેવી પ્રતિષ્ઠિત જર્મન યુનિવર્સિટીઓમાં કેન્દ્રિત છે. આ યુનિવર્સિટીઓ QS વર્લ્ડ રેન્કિંગ્સ 2025માં મોખરાંનું સ્થાન ધરાવે છે અને તેમની વર્લ્ડ રેપ્યુટેશન, મજબૂત સંશોધન વાતાવરણ અને ઓછી અથવા ઝીરો ટ્યુશન ફી સાથે વિદ્યાર્થીઓને આકર્ષે છે.
ડ્યુઇસબર્ગ-એસેન યુનિવર્સિટી તેના સસ્તા શિક્ષણ અને એન્જિનિયરિંગ અને આરોગ્ય વિજ્ઞાનમાં સંશોધન પર ધ્યાન કેન્દ્રિત કરવાને કારણે પણ લોકપ્રિયતા મેળવી રહી છે.
ભારતીય વિદ્યાર્થીઓમાં એન્જિનિયરિંગનું પ્રભુત્વ ચાલુ રહે છે, પરંતુ મેડિકલ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ઘણીવાર બર્લિનમાં ચેરિટે અને હાઇડલબર્ગ યુનિવર્સિટી હોસ્પિટલ જેવી ટોચની હોસ્પિટલો સાથે જોડાયેલી સંસ્થાઓ પસંદ કરે છે.
જર્મનીમાં મેડીકલ અભ્યાસનો ખર્ચ
ભારતીય વિદ્યાર્થીઓ અને વાલીઓ અભ્યાસ માટે જર્મની એટલા માટે પસંદ કરે છે કેમકે જર્મનીની દરેક સરકારી કોલેજો, યુનિવર્સિટીઓમાં અભ્યાસ માટે કોઇપણ પ્રકારની ટ્યુશન ફી લેવાતી નથી. મોટાભાગની જાહેર યુનિવર્સિટીઓ ટ્યુશન ફી વસૂલતી નથી, પરંતુ વહીવટી ખર્ચ અને જાહેર પરિવહનને આવરી લેતા પ્રતિ સેમેસ્ટર 100થી 350 યુરોની વચ્ચે ખર્ચ થઇ શકે છે. જોકે, બેડેન-વુર્ટેમબર્ગમાં, બિન-EU વિદ્યાર્થીઓએ પ્રતિ સેમેસ્ટર 1,500 યુરો (વાર્ષિક 3,000 યુરો) ચૂકવવા પડે છે. અપવાદોમાં TUMનો સમાવેશ થાય છે, જે બિન-EU વિદ્યાર્થીઓ માટે પ્રતિ સેમેસ્ટર 2,000થી 6,000 યુરોની વચ્ચે ચાર્જ કરે છે.
માસિક જીવન ખર્ચ 850 અને 1,200 યુરો (રૂ. 85,000 થી રૂ. 1,26,000)ની વચ્ચે હોય છે, જેમાં ભાડું (300–700 યુરો), ખોરાક (150–200 યુરો), આરોગ્ય વીમો (110–200 યુરો), પરિવહન (25–200 યુરો, ઘણીવાર સેમેસ્ટર ફીમાં શામેલ હોય છે), અને અન્ય ખર્ચાઓનો સમાવેશ થાય છે. રહેવાનો ખર્ચ અલગ અલગ હોય છે, મ્યુનિકમાં માસિક €1,000 થી €1,500 ખર્ચ થાય છે, જ્યારે લીપઝિગમાં €750 થી €1,100 વધુ સસ્તું છે.
વિદ્યાર્થીઓએ વિઝા આવશ્યકતાઓના ભાગ રૂપે વાર્ષિક 11,904 યુરો સાથે બ્લોક અમાઉન્ટ કરેલું એકાઉન્ટ જાળવવું આવશ્યક છે જેથી જીવન ખર્ચ આવરી શકાય.
પ્રવેશ પહેલાં જર્મન ભાષા તાલીમ ખર્ચમાં વધારો કરે છે, જેમાં 1,000થી 4,000 યુરોની વચ્ચેના જૂથ અભ્યાસક્રમો અને 2,000થી 7,000 યુરો સુધીના ખાનગી ટ્યુશન ખર્ચ હોય છે.
જર્મનીમાં મેડીકલ ગ્રેજ્યુએશન પછી શું
જર્મનીમાં મેડીકલ ગ્રેજ્યુએશન Staatsexamen પૂર્ણ કર્યા પછી, ભારતીય સ્નાતકો પાસે બે મુખ્ય વિકલ્પો છે. તેઓ ભારત પાછા ફરી શકે છે અને ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ પરીક્ષા (FMGE) નો પ્રયાસ કરી શકે છે, જ્યાં ડિસેમ્બર 2024 માં પાસ દર માત્ર 28.86% હતો. આ નીચો દર જર્મન તબીબી અભ્યાસક્રમ અને ભારત-વિશિષ્ટ પરીક્ષા આવશ્યકતાઓ વચ્ચેની વિસંગતતાને આભારી છે, જેના કારણે ઘણીવાર વધારાના કોચિંગની જરૂર પડે છે.
જર્મનીમાં વિદેશી ડોકટરોની સંખ્યા (make-it-in-germany.com પરથી છબી) જર્મનીમાં વિદેશી ડોકટરોની સંખ્યા (make-it-in-germany.com પરથી છબી)
વૈકલ્પિક રીતે, ઘણા સ્નાતકો જર્મનીમાં રહેવાનું પસંદ કરે છે, જ્યાં 2030 સુધીમાં ડોકટરોની માંગમાં નોંધપાત્ર વધારો થવાની ધારણા છે. નવા સ્નાતકો Facharztausbildung (સ્પેશ્યલાઇઝેશન) માં પ્રવેશ મેળવી શકે છે અથવા સહાયક ડોકટરો તરીકે કામ કરી શકે છે, માસિક પગાર 4,000થી 5,000 યુરોની વચ્ચે મેળવી શકે છે.
યુરોપિયન યુનિયનમાં જર્મન મેડિકલ ડિગ્રીઓને માન્યતા આપવામાં આવી છે, જેનાથી સ્વીડન અને આયર્લેન્ડ જેવા દેશોમાં પ્રેક્ટિસ શક્ય બને છે, જે બંને દેશોમાં નોંધપાત્ર હેલ્થકેર વર્કર્સની અછતનો સામનો કરવો પડે છે જે 2030 સુધીમાં EUમાં આશરે 4.1 મિલિયન હેલ્થકેર વર્કર્સની વ્યાપક અંદાજિત અછતમાં ફાળો આપે છે.
કમોસમી વરસાદન માર સહન કરી રહેલા ખેડૂતો માટે ગુજરાત સરકારે રૂ. 10,000 કરોડનું જંગી પેકેજ જાહેર કર્યું છે. ખેડૂતોના ઊભા પાકને થયેલા પારાવાર નુકસાનને ધ્યાનમાં રાખી મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલની સરકારે શુક્રવારે સાંજે આ નિર્ણય સોશિયલ મીડિયા હેન્ડલ એક્સ પર જાહેર કર્યો હતો.
અગાઉ મુખ્ય પ્રધાને કૃષિ, મહેસૂલ અને નાણા વિભાગના અધિકારીઓ સાથે એક બેઠક બોલાવી હતી. જોકે અગાઉ પણ તેમણે સતત બેઠકો કરી પરિસ્થિતિ સમીક્ષા કરી હતી. હવે સરકાર પેકેજના માપદંડો, જોગવાઈઓ વગેરેને અંતિમ રૂપ આપી દરેક પાત્ર ખેડૂતને સહાય મળી રહે તે પ્રમાણે આગળની કાર્યવાહી હાથ ધરશે.
માવઠા બાદ સરકારે સર્વે કર્યો હતો અને મુખ્ય પ્રધાન સહિત કેબિનેટના પ્રધાનોએ વિવિધ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત પણ લીધી હતી. એક અહેવાલ પ્રમાણે લગભગ 42 લાખ હેક્ટરથી વધારે અને 16 હજાર ગામથી વધારે ગામોમાં નુકસાન થયાનો પ્રાથમિક અંદાજ છે.
મુખ્ય પ્રધાને તેમના એક્સ હેન્ડલ પર લખ્યું હતું કે ગુજરાતમાં ગત બે દાયકામાં ન થયો હોય એ પ્રકારનો અસાધારણ કમોસમી વરસાદ આ વર્ષે થતા રાજ્યના વિવિધ જિલ્લાના ખેડૂતોના પાકને મોટું નુકસાન થયું છે.
આ સંદર્ભે, મેં તથા મારા સાથી મંત્રીઓએ જુદા-જુદા જિલ્લાઓમાં જઈને અસરગ્રસ્ત ખેડૂતોની સાથે પ્રત્યક્ષ વાતચીત કરીને તેમની સ્થિતિ જાણી હતી. કુદરતી આપત્તિની આ ઘડીમાં ધરતીપુત્રોની વ્યથાને સમજીને રાજ્ય સરકાર પૂરી સંવેદનાથી તેમની પડખે ઊભી છે.
રાજ્યભરના ખેડૂતોના પાકને થયેલા વ્યાપક નુકસાન સામે તેમની લાગણીને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા ધરતીપુત્રો માટે આશરે રૂપિયા 10 હજાર કરોડના રાહત-સહાય પેકેજની જાહેરાત કરું છું.
આ ઉપરાંત, રાજ્ય સરકાર 9 નવેમ્બરથી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે આશરે રૂ. 15,000 કરોડથી વધુના મૂલ્યની મગફળી મગ, અડદ અને સોયાબીનની ખરીદી કરવા પણ જઈ રહી છે. અન્નદાતાઓની આર્થિક સુખાકારીની ચિંતા પોતાના માથે લઈને રાજ્ય સરકાર તેમની સહાયતા માટે હંમેશા પ્રતિબદ્ધ હતી, છે અને રહેશે તેવો વિશ્વાસ આપું છું.
અગાઉ રાજ્ય સરકારે મગફળી, અડદ, મગ અને સોયાબીનની ખરીદી માટે સાર્વજનિક રીતે ટેકાના ભાવની ખરીદીની જાહેરાત કરી હતી.
શેરબજાર માટે 7/11/25 શુક્રવાર ફરી બ્લેક ફ્રાઇડ બની રહ્યો છે. એશિયન શેરબજારના નકારાત્મક સંકેત અને FIIની વેચવાલીથી શુક્રવારે સેન્સેક્સ 161 પોઇન્ટ ઘટી 83,150 ખુલ્યો હતો. શેરબજારમાં ભારે વેચવાલીથી સેન્સેક્સ 600 પોઇન્ટથી વધુ તૂટ્યો અને 82690 લેવલ નીચે ઉતરી ગયો છે. એનએસઇ નિફ્ટી પાછલા બંધ 25,509 લેવલથી નીચા ગેપમાં આજે 25433 ખુલ્યો હતો.
ડોલર સામે રૂપિયો ઘટાડે ખુલ્યો
શુક્રવારે યુએસ ડોલર સામે ભારતીયો રૂપિયો ઘટીને 88.66 ખુલ્યો હતો. ગુરુવારે રૂપિયાનો બંધ ભાવ 82.62 હતો.
ઈન્ફોસિસ શેર બાયબેક રેકોર્ડ ડેટ જાહેર
ઈન્ફોસિસ કંપનીએ તેના 18000 કરોડ રૂપિયાના શેર બાયબેક માટે રેકોર્ડ ડેટ 14 નવેમ્બર જાહેર કરી છે. આ તારીખ સુધી જે શેરધારકોના નામ શેરના લાભાર્થી માલિક તરીકે રજિસ્ટર ઓફ મેમ્બર ઓફ ધ કંપની કે ડિપોઝિટરીના રેકોર્ડમાં હશે, તે શેર બાયબેકમાં ભાગ લઇ શકશે. આ કંપનીનું અત્યાર સુધીનું સૌથી મોટું શેર બાયબેક છે. આજે બીએસઇ પર ઇન્ફોસિસનો શર પોણો ટકા ઘટી 1455 રૂપિયા બોલાતો હતો.
એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. મહિલા રેન્જ ફોરેસ્ટ ઓફિસર તેમની કારમાંથી લોહી લુહાણ હાલતમાં મળી આવ્યા હતા. કારમાં તેમની સાથે તેમનો પુત્ર પણ હતો. આરએફઓને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સીટી સ્કેન કરતાં તેમના માથામાં ગોળી હોવાનું સામે આવ્યું હતું.
કામરેજના જોખા ગામે રહેતા સોનલબેન સોલંકી સુરત વન વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર તરીકે ફરજ બજાવે છે. તેણે 2020માં સુરત ખાતે આરટીઓ ઓફિસર તરીકે ફરજ બજાવતાં નિકુંજ ગોસ્વામી સાથે લગ્ન કર્યા હતા. છેલ્લા એકાદ વર્ષથી બંને વચ્ચે કોઈ કારણોસર તકરાર ચાલતી હતી. જેના કારણે આરએફઓ માતા-પિતા અને ભાઈ સાથે રહેતા હતા.
તાજેતરમાં તેઓ તેમની પર્સનલ કારની સફાઈ કરતા હતા ત્યારે પાછળના ભાગેથી જીપીએસ ચાલુ હાલતમાં મળ્યું હતું. જે અંગે તેમણે કામરેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ગુરુવારે સવારે સોનલ સોલંકી તેમના ચાર વર્ષના પુત્ર સાથે કામરેજ જવા નીકળ્યા હતા. આ સમયે જોખાથી કામરેજ જતાં રોડ પર ફાયરિંગ થતાં માથાના ભાગે ગોળી વાગી હતી અને તેમણે કારનું સંતુલન ગુમાવતા ઝાડ સાથે અથડાઈ હતી.
પોલીસે આ મામલે હાલ પરિવારજનોની પૂછપરછ કરીને બનાવનું કારણ જાણવા માટે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી. મહિલા આરએફઓને ગોળી વાગ્યાની ઘટના ટૉક ઓફ ધ ટાઉન બની હતી.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.