પ્રધાન મંત્રી જીવન જયોતિ વીમા યોજના હેઠળ પ.૯૧ કરોડ લોકોએ નોંધણી કરી છે. પ્રધાન મંત્રી સુરક્ષા વીમા યોજના અંતર્ગત ૧૫.૪૭ કરોડ લોકોએ નોંધણી કરાવી છે. બંને સામાજિક સુરક્ષા સ્કીમ ૨૦૧૫માં શરૂ કરાઈ હતી. બંને યોજના મળીને ૨૧.૩૮ કરોડ લોકોએ નોંધણી કરી છે, એમ નાણાં પ્રધાન નિર્મલા સીતારામને લોકસભામાં સોમવારે જણાવ્યું હતું.
તમામ ભારતીયો માટે સમાન સામાજિક સુરક્ષા સિસ્ટમ ઊભી કરવા માટે વડા પ્રધાન મોદીએ ૯ મે, ૨૦૧૫ના વીમાની બે યોજના શરૂ કરાવી હતી. બૅન્કો તરફથી મળેલી માહિતી પ્રમાણે ૩૧ માર્ચ, ૨૦૧૯ના રોજ બંને યોજનામાં અનુક્રમે ૫.૯૧ કરોડ અને ૧૫.૪૭ કરોડની નોંધણી થઈ હતી. પ્રધાન મંત્રી જીવન જયોતિ વીમા યોજના હેઠળ ૧૮થી ૫૦ વર્ષના વયજૂથની વ્યક્તિનું કોઈપણ કારણસર મૃત્યુ થાય તો બે લાખનું વીમા કવચ મળે છે જેનું બૅન્ક અથવા પોસ્ટ ઑફિસ એકાઉન્ટ હોવું જરૂરી છે. વર્ષે રૂ. ૩૩૦નું પ્રીમિયમ ઓટો-ડેબિટ થઈ જાય તે માટે ગ્રાહકની મંજૂરી જરૂરી છે.
પ્રધાન મંત્રી સુરક્ષા વીમા યોજના હેઠળ અકસ્માત મૃત્યુ અથવા કાયમી અપંગતા માટે રૂ. બે લાખનું વીમા કવચ મળે છે. આંશિક અપંગતા માટે રૂ. એક લાખની ઓફર થાય છે. ૧૮ થી ૭૦ વર્ષના વયજૂથની વ્યક્તિને આ યોજના લાગુ પડે છે. આમાં વર્ષે ફકત રૂ. ૧૨નું પ્રીમિયમ છે.
ફિનલૅન્ડની સોશ્યલ ડેમોક્રૅટિક પાર્ટીએ વડા પ્રધાનપદ માટે ૩૪ વર્ષનાં ભૂતપૂર્વ પરિવહનપ્રધાન સના મરીનને પસંદ કર્યાં છે. આ સાથે દેશના ઇતિહાસમાં તે સૌથી યુવા વડાં પ્રધાન બન્યાં છે. મરીને રવિવારે થયેલું મતદાન જીતીને નેતા ઍન્ટિ રિનેનું સ્થાન લીધું હતું. જેણે પોસ્ટ હડતાળને સમેટવા માટે સહયોગી સેન્ટર પાર્ટીનો વિશ્વાસ ગુમાવી દીધા બાદ મંગળવારે રાજીનામું આપી દીધું હતું.
મરીને પત્રકારોને કહ્યું કે ફરીથી વિશ્વાસ મેળવવા માટે અમારે બહુ કામ કરવું પડશે. પોતાની ઉંમર સંબંધિત સવાલો પર તેમણે કહ્યું કે મેં ક્યારેય પણ પોતાની ઉંમર કે મહિલા હોવા અંગે વિચાર્યું નથી. હું અમુક કારણોને કારણે રાજનીતિમાં આવી છું અને એ વસ્તુઓને કારણે અમે મતદાતાઓનો વિશ્વાસ જીત્યો છે. ૨૭ વર્ષની ઉંમરમાં જ મરીને રાજનીતિમાં પગ મૂક્યો હતો અને એ જ સમયથી તે લોકોમાં ખાસ્સી ફેમસ થઈ ગઈ હતી.
ફિનલૅન્ડના પ્રમુખ અખબાર અનુસાર મરીન દુનિયાની સૌથી ઓછી ઉંમરની વડા પ્રધાન બની ગઈ છે. ન્યુ ઝીલૅન્ડના વડા પ્રધાન જૅકિંડા આર્ડેન ૩૯ વર્ષ, યુક્રેનના પીએમ ઓલેક્સી હોન્ચારુક ૩૫ વર્ષ અને ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન ૩૫ વર્ષના છે.
ફિલ્મ પાનીપતને લઇને વિવાદ સતત વધી રહ્યો છે. રાજસ્થાનના જાટ સમુદાયે ફિલ્મના એક સીનને લઇને વાંધો ઉઠાવ્યો છે. ત્યારબાદ ફિલ્મ ઉપર પ્રતિબંધ મુકવાની માંગ થઇ રહી છે. સ્થાનિક લોકોએ નિર્દેશક આશુતોષ ગોવારિકરના પુતળા ફૂંક્યા હતા. જયપુર અને અન્ય કેટલીક જગ્યાઓ ઉપર સિનેમા હોલમાં તોડફોડ કરવામાં આવી હતી.
રાજસ્થાનના પ્રવાસમંત્રી વિશ્વેદ્રાસિંહ દ્વારા ફિલ્મ પર પ્રતિબંધ મુકવાની માંગ કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે, હરિયાણા, રાજસ્થાન અને ઉત્તર ભારતના જાટ સમુદાયના લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. તેમણે કહ્યું છે કે, આ ખુબ જ દુખદાયક બાબત છે કે, ઐતિહાસિક તથ્યો સાથે’ છેડછાડ કરીને ભરતપુરના મહારાજા સુરજમલ જાટ જેવા પુરુષના ચિત્રણને પાનીપત ફિલ્મમાં ખુબ ખરાબ રીતે ચિત્રિત કરવામાં આવ્યું છે.
વર્લ્ડ એન્ટી ડોપિંગ એજન્સી (વાડા)એ રશિયા પર ચાર વર્ષનો પ્રતિબંધ મુકી દીધો છે. આનો મતલબ એ થયો કે રશિયા આવતા ચાર વર્ષ સુધી કોઇ પણ પ્રકારના આંતરરષ્ટ્રીય રમતોત્સવમાં ભાગ લઇ શકશે નહીં. રશિયા પરના પ્રતિબંધને લીધે તે આવતા વર્ષે ટોકિયોમાં રમાનાર ઓલિમ્પિક અને કતારમાં રમાનાર ફૂટબોલ વર્લ્ડ કપ-2022માંથી પણ બહાર થઇ ગયું છે.
વાડાએ રશિયા પર આકરો પ્રતિબંધ ડોપિંગ વિરોધી પ્રયોગશાળાના ખોટા આંકડા આપવાનો આરોપ લગાવ્યો હતો. જેના લીધે તેના પર પ્રતિબંધ મુકી દીધો છે. વાડાના પ્રવકતાએ કહયું છે કે આ ફેંસલો સર્વસમંતિથી લેવામાં આવ્યો છે. રશિયા પર ભલે પ્રતિબંધ મુકાયો, પણ તેના ખેલાડીઓને ડોપિંગ મામલે વાડા તરફથી કલીન ચિટ મળશે તો તેઓ તટસ્થ ધ્વજ હેઠળ ઓલિમ્પિક સહિતના વૈશ્વિ રમતોત્સવમાં ભાગ લઇ શકશે. વાડાની સ્વિત્ઝરલેન્ડમાં યોજાયેલી બેઠકમાં રશિયા પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય લેવાયો હતો.
વાડાના આ પ્રતિબંધ પર રશિયા 21 દિવસની અંદર અપીલ કરી શકે છે. જો તે આવું કરશે તો મામલો કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટસ (સીએએસ)ને મોકલવામાં આવશે. વાડાના’ ઉપાધ્યક્ષ લિંડા હેલેલેડએ કહયું છે કે રશિયા પર આ પ્રતિબંધ પર્યાપ્ત નથી. પ્રતિબંધને લીધે રશિયા ઓલિમ્પિક-2032ના યજમાનપદ માટે દાવો પણ નોંધાવી શકશે નહીં.
ન્યૂ ઝીલૅન્ડનો ટચૂકડો ટાપુ કે જ્યાં વર્ષ દરમિયાન પર્યટકોની અવરજવર ચાલુ જ રહેતી હોય છે એમાં સોમવારે જ્વાળામુખી ફાટી નીકળ્યો હતો અને ઠેકઠેકાણેથી ધુમાડો નીકળતો તેમ જ ઊંચે આકાશમાં રાખના ગોટેગોટા ઉડતાં જોવા મળ્યા હતા. આ ગોઝારી ઘટનામાં પાંચ જણના મૃત્યુ થયા હતા અને અન્ય કેટલાક લોકોને ઈજા પહોંચી હતી અથવા દાઝી ગયા હતા તેમ જ અમુક ગુમ પણ થઈ ગયા હતા. કહેવાય છે કે લગભગ ૨૪ લોકો ગુમ થઈ ગયા છે. પોલીસે જણાવ્યું હતું કે લાવા બહાર આવી ગયાને કલાકો થઈ ગયા પછી પણ ટાપુ પર સ્થિતિ એટલી બધી જલદ છે કે ગુમ થઈ ગયેલા લોકોને શોધવા માટેનું કાર્ય થઈ નથી શક્તું.આ ઘટના વ્હાઇટ આઇલૅન્ડ પર બની હતી. આ ટાપુ ન્યૂ ઝીલૅન્ડથી અંદાજે ૫૦ કિલોમીટર દૂર છે. વૈજ્ઞાનિકોએ તાજેતરમાં આ ટાપુ પર જ્વાળામુખીને લગતી કોઈક ગતિવિધિ ચાલુ હોવાનો સંકેત આપ્યો હતો એમ છતાં શા માટે ત્યાં પર્યટકોને જવા દેવામાં આવ્યા હતા એવો સવાલ થઈ રહ્યો છે.
એક અહેવાલ મુજબ જ્વાળામુખી એટલો બધો પ્રચંડ હતો કે એના ધુમાડા અને રાખથી સર્જાયેલો એક વ્યાપક ગોટો આકાશમાં આશરે ૧૨,૦૦૦ ફૂટ ઊંચે ગયેલો દેખાયો હતો.
વડા પ્રધાન જૅસિન્ડા આર્ડને કહ્યું હતું કે બાર જેટલા પર્યટકો બપોરે જ્વાળામુખીની ઘટના વખતે વ્હાઇટ આઇલૅન્ડ પર અથવા એની નજીકમાં હતા અને આ બહુ જ મોટી ઘટના હતી. ‘જેઓને પણ આ લાવાની ઘટનાની અસર થઈ છે તેમના પ્રત્યે અમારી પૂરી સહાનુભૂતિ છે અને અમારા તરફથી તેમને પૂરો ટેકો મળશે,’ એમ તેમણે જણાવ્યું હતું.
એક અહેવાલ મુજબ આ ટાપુ પર લગભગ ૨૦ લોકો હતા અને તેઓ ઈજા પામતાં તેમને તબીબી સારવારની જરૂર પડી હતી.
માઇકલ સ્કેડ નામના શખસે ટ્વિટર લખ્યું હતું કે ‘ઓહ માય ગૉડ, આ શું થઈ ગયું! હું અને મારી ફૅમિલી જ્વાળામુખીની ઘટનાની ૨૦ મિનિટ પહેલાં આ ટાપુ પરથી રવાના થયા હતા અને અમારી બોટની રાહ જોતા ઊભા હતા ત્યારે અમે જ્વાળામુખી ફાટતો જોયો હતો.’
ધો.12 B ગ્રુપના વિદ્યાર્થીઓ સુધી આ માહિતી પહોંચાડજો : એઇમ્સ ભણવું એટલે બેડો પાર
જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
હાલમાં ધો.12 બાયોલોજી ગ્રુપમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ માટે જુદા જુદા મહત્વના અભ્યાસક્રમોમાં પ્રવેશ માટેની પરીક્ષાઓનું રજિસ્ટ્રેશન શરૂ થઇ રહ્યા છે. હાલ નીટનું રજિસ્ટ્રેશન ચાલી રહ્યું છે અને બીજી તરફ એઇમ્સ, ઓલ ઇન્ડિયા ઇન્સ્ટીટ્યુટ ઓફ મેડીકલ સાયન્સમાં બી.એસસી. નર્સિંગ અને બી.એસસી. પેરામેડીકલ કોર્સમાં પ્રવેશ માટે પરીક્ષા લેવામાં આવે છે અને તેના રજિસ્ટ્રેશન શરૂ થઇ ચૂક્યા છે. વાલીઓ અને વિદ્યાર્થીઓએ એ સમજવાની જરૂર છે કે એઇમ્સ એ મેડીકલ ફિલ્ડની ભારતની સર્વોચ્ચ સંસ્થા છે અને તેમાં બી.એસસી. નર્સિંગ કે પેરામેડીકલમાં અભ્યાસ કરવો એટલે જીવનનો બેડો પાર જેવી સ્થિતિ સર્જવી એમ ગણાય.
ધો.12 બાયોલોજી ગ્રુપમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ બી.એસસી. નર્સિંગ અને બી.એસસી. પેરામેડીકલ કે જેમાં પેથોલોજીકલ લેબ-માઇક્રોબાયોલોજી સમકક્ષનું કામકાજ આવે છે, આ બન્ને કોર્સમાં તેઓ લાયકાતપાત્ર છે. જ્યારે ધો.12 એ ગ્રુપના વિદ્યાર્થીઓ ઇચ્છે તો એઇમ્સના બી.એસસી. પેરામેડીકલ કોર્સમાં પ્રવેશ પરીક્ષા માટે રજિસ્ટ્રેશન કરાવી શકે છે.
AIMS B.Sc. Nursing and B.Sc. Paramedical Entrance Details
નીચેની લિંક પર ક્લીક કરશો તો એઇમ્સની વેબસાઇટ પરથી નોટીફિકેશનની પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરી શકાશે
All India Institute of Medical Sciences (AIIMS) has released an important notice regarding entrance examinations to admission in B.Sc. Courses-2020 on its official website.
According to the notification, the basic registration (PAAR) for B.Sc(H) Nursing/B.Sc Nursing (Post-Basic)/B.Sc(Paramedical Courses) -2020 will commence on December 12, 2019. The last date for the registration will be January 16, 2020.
Eligibility
B.Sc (H) Nursing course
Candidates who have passed the 12th Class under the 10+2 Scheme/Senior School Certificate Examination or Intermediate Science or an equivalent examination from a recognized University/Board of any Indian State with English, Physics, Chemistry and Biology and has a minimum aggregate marks required in qualifying examination i.e.10+2 or equivalent is 55% for Gen/EWS/OBC and 50% in case of SCs/STs categories can apply for B.Sc (H) Nursing course 2020 entrance examination.
B.Sc (Paramedical Courses)
The candidates who have passed 10+2 or equivalent examination with English, Physics, Chemistry and either Biology or Mathematics with 50% for Gen/ EWS/OBC and 45% in case of SCs/ STs Categories are eligible to apply for B.Sc (Paramedical Courses).
B.Sc Nursing (Post-Basic)
The candidate who have passed 12th class under 10+2 system of education or an equivalent examination from a recognized Board/University (Those who have passed 10+1 on or before 1986 are also eligible). (For BSc Nursing Post-Basic)
Diploma in General Nursing and Midwifery from any institution recognized by the Indian Nursing Council. (For BSc Nursing Post-Basic)
Registration as a nurse, RN, RM (registered nurse, registered midwife) with any State Nursing Council. (For BSc Nursing Post-Basic)
In case of male nurses, (if passed before implementation of new integrated course in 2003), beside being registered as a nurse with the State Nursing Council, should have obtained a certificate in General Nursing and instead of Training in Midwifery, training in any subject out of following, for a period of six months: i) O.T. Techniques, ii) Ophthalmic Nursing, iii) Leprosy Nursing, iv) TB Nursing, v) Psychiatric Nursing, vi) Neurological and Neuro Surgical Nursing, vii) Community Health Nursing, viii) Cancer Nursing, ix) Orthopaedic Nursing (For BSc Nursing Post-Basic)
AIIMS B.Sc Nursing 2020 entrance exam: Important Dates
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનાં ચેરમેન મુકેશ અંબાણીની સંપતિમાં છેલ્લા 9 માસ દરમિયાન પ્રતિમાસ 2620 કરોડ રૂપિયા ઉંચકાઈ હતી. ફોર્બ્સ મેગેઝિનનાં અહેવાલ અનુસાર માર્ચ 2019માં મુકેશની મિલકત પ0 બિલિયન ડોલર જેટલી હતી. એટલે કે 3.6પ6 લાખ કરોડ રૂપિયા જેટલી હતી. 6 ડિસેમ્બર સુધીમાં તે વધીને પ9.9 અબજ ડોલર થઈ ગઈ છે. એટલે કે તેની કુલ મિલકતમાં દર મહિને 1.2 અબજ ડોલરનો વધારો થયો. આ રકમને જો ભારતીય રૂપિયામાં રૂપાંતરિત કરવામાં આવે તો પ્રતિમાસ તેની સંપતિમાં 2620 કરોડ રૂપિયાનો વધારો થયો છે. અંબાણીની કુલ મિલકત છેલ્લા 9 વર્ષમાં બમણી થઈ ગઈ છે. માર્ચ 2010માં તેમની મિલકત 29 બિલિયન ડોલર હતી. ત્યારબાદ 2010થી 2014 વચ્ચે તેમાં ઘટાડો જોવા મળેલો અને તે ઘટીને 18.6 બિલિયન ડોલર સુધી ઘટી ગઈ હતી. જો કે પછી તેમાં સતત વધારો જ થયો છે અને અત્યારે તે પ0 બિલિયન ડોલર પર પહોંચી ગઈ છે.
ગુજરાત કો. ઓ. મિલ્ક માર્કેટીંગ ફેડરેશન દ્વારા અમૂલ દહીંની વિવિધ પ્રોડકટ ભાવોમાં ભાવ વધારો ઝીંકાયો હતો જેમાં મસ્તી દહીં ૪૦૦ ગ્રામ પાઉચમાં ૨ રૂપિયા, કિલોમાં ૫ રૂપિયા, જ્યારે ૫ કિલોના પેકીંગમાં ૨૫ રૂ. લાઈટ દહીંની જુદી-જુદી વેરાઈટીઓનામાં પ્રતિકિલોએ ૧ રૂપિયાથી ૮ રૂપિયા સુધીનો વધારો કરાયો છે. આમ ગુજરાતી થાળીમાં પીરસાતી કઢીનો સ્વાદ ખાટો બન્યો છે.
નવો લાગુ થયેલો ભાવ સમગ્ર રાજ્યમાં શુક્રવારથી અમલી બન્યો હતો. જીસીએમએમએફએ દહીંની પ્રોડકટમાં એક રૂપિયાથી લઈને ૮ રૂ. સુધીનો ભાવ વધારો કર્યો છે. પશુપાલન વ્યવસાય સતત ખર્ચાળ બનવા સહિત ડેરી પેદાશોનું ઉત્પાદન પણ મોંઘું બની રહ્યું હોઈ તેને સરભર કરવા માટે ભાવવધારો કરવાની ફરજ પડી છે. ઉપરાંત પશુદાણની કિંમતમાં થઈ રહેલો વધારો દહીંના ભાવ વધારા માટે જવાબદાર હોવાનું સૂત્રોએ જણાવ્યુ હતું.
વેબસાઇટ jeemain.nta.nic.in. પરથી ડાઉનલોડ થઇ શકશે એડમિટ કાર્ડ
જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
આગામી તા.6થી 11 જાન્યુઆરી 2020 દરમિયાન રાષ્ટ્રવ્યાપી ધોરણે લેવામાં આવનારી જેઇઇ મેઇન પરીક્ષાના એડમિટ કાર્ડ આજરોજ તા.6 ડિસેમ્બર 2019થી વેબસાઇટ પરથી મળવા માંડશે. ધો.12 પીસીએમ ગ્રુપના વિદ્યાર્થીઓ માટે જેઇઇ મેઇન અત્યંત મહત્વની પરીક્ષા છે.
દેશભરમાં પથરાયેલી આઇ.આઇ.ટી., એન.આઇ.ટી., ત્રિપલ આઇ.ટી. જેવી એન્જિનિયરિંગ કોલેજોમાં પ્રવેશ માટે જેઇઇ મેઇન પરીક્ષા લેવામાં આવે છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી આ પરીક્ષાનું સંચાલન કરે છે અને સંપૂર્ણ પણે આ કમ્પ્યુટરાઇઝ્ડ પરીક્ષા છે. વિદ્યાર્થીઓએ પોતાના આઇ.ડી, પાસવર્ડની મદદથી જેઇઇની ઓફિશ્યલ વેબસાઇટ પર લોગઇન કરીને એડમિટ કાર્ડ ડાઉન લોડ કરીને પોતાની તથા પરીક્ષા કેન્દ્રની વિગતો ચકાસી લેવી.
The National Testing Agency (NTA) is going to release the joint entrance exam (JEE) mains admit card today i.e., Friday, December 6, 2019.
The JEE (Main) exam will be held in the month of January 2020.
Candidates, who have applied for the JEE January 2020 exam, can download their admit card from the official website — jeemain.nta.nic.in.
The First JEE (Main)-2020 will be conducted in January 2020 between 6th January (Monday) and 11th January (Saturday) 2020 and the Second JEE (Main)-2020 will be conducted between 3rd April (Friday) and 9th April (Thursday) 2020.
The Examinations will be held in “Computer Based Test” (CBT) Mode only, except that the Drawing Test for B.Arch. will be held in “Pen & Paper” (offline) mode.
The candidates aspiring to take admission to the undergraduate programs at IITs for the year 2020 will also have to appear in B. E. /B. Tech. Paper of JEE (Main)-2020. Based on the performance in the B.E./B. Tech. of JEE (Main)-2020, number of top candidates as per the requirement for JEE (Advanced) 2020 will be eligible to appear in JEE (Advanced)-2020. Admission to IITs will be based on category -wise All India Rank (AIR) in JEE(Advanced),subject to the conditions as would be mentioned in JEE(Advanced)-2020 Website.
અરબી સમુદ્ર પર ફરી TWIN (બે અલગ) વાવાઝોડા’નું સંકટ
જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
એવું નથી કે ફક્ત રૂપિયા જ આપણું જીવન બદલી શકે છે. આ વખતે તો મહારાષ્ટ્ર અને ગુજરાતના લોકોનું જીવન વાવાઝોડાઓએ બદલી નાંખ્યું છે. વરસાદ શરૂ થયો ત્યારથી અત્યાર સુધીમાં પાંચ વાવાઝોડાએ સમગ્ર મહારાષ્ટ્ર અને ગુજરાતનું વાતાવરણ એવું બદલ્યું છે કે લોકોની દિવાળી બગડી, ખેડૂતોના પાક બગડ્યા હાલ ઠંડીની સિઝન બદલી અને સ્વાસ્થય પર તો ઘેરી અસર થઇ રહી છે. પહેલા વાયું આવ્યું, પછી હિક્કા, પછી ક્યાર પછી મહા અને હવે પવન નામનું વાવાઝોડું ગુજરાતમાં બિનમૌસમ બારીસ લાવી રહ્યું હોવાની આગાહી હવામાન વિભાગે કરી છે.
ભારતીય હવામાનના ૧૫૦ વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર મેથી નવેમ્બર મહિના દરમ્યાનની અરબી સમુદ્રમાં કેન્દ્રિત થતી વાવાઝોડાની મોસમ દરમ્યાન આ વખતે ફરી બે વાવાઝોડાની ચેતવણી હવામાન ખાતાએ આપતાં વાવાઝોડા કેન્દ્રિત થવાના અત્યાર સુધીના તમામ રેકર્ડ તૂટી ગયા છે. આ વર્ષે મે મહિનાથી શરૂ કરીને નવેમ્બર મહિના સુધી આઠ જેટલા વાવાઝોડા કેન્દ્રિત થયા હતા પણ હવે વધુ બે વાવઝોડા ત્રાટકવાની ચેતવણી હવામાન ખાતાએ જારી કરતાં આ સંખ્યા એટલે કે વાવાઝોડા બનવાની સંખ્યા ૧૦ પર પહોંચવા પામી છે.
મળતી વિગતો પ્રમાણે
દક્ષિણ-પશ્ર્ચિમ અરબી સમુદ્રમાં હાલે કર્ણાટક અને ગોવાથી દૂર એક વાવાઝોડું કેન્દ્રિત થઇ રહ્યું છે જે ઉત્તર-પશ્ર્ચિમ તરફ આગળ વધશે
તેવી જ રીતે હવાનું બીજું એક હળવું દબાણ મુંબઈથી દક્ષિણ -પશ્ર્ચિમે ૬૦૦ કિલોમીટર દૂર ઉભું થવા પામ્યું છે અને આ બને હળવા દબાણો આગામી એક સપ્તાહમાં વાવાઝોડામાં પરિવર્તિત થવાની પૂરે પૂરી શક્યતા છે.
આ વાવાઝોડાં મોટેભાગે ઉત્તર પશ્ર્ચિમ દિશા તરફ આગળ વધવાની શક્યતા હોઈ, ગુજરાતના સાગરકાંઠે પણ તકેદારી રાખવાની સૂચના આપવામાં આવી છે. જોડિયાં વાવાઝોડાની આગાહી સાથે જ કચ્છમાં પણ ગુરુવારે સાંજથી વાતાવરણ પલટાયું છે અને વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો થવા પામ્યો છે. માવઠાં જેવું વાતાવરણ સર્જાતાં ખેડૂતો ચિંતામાં મુકાયા છે.ગ્લોબલ વોર્મિંગની અસર હેઠળ આવી પરિસ્થિતિ સર્જાઈ છે અને અરબી સમુદ્રમાં વાવાઝોડા કેન્દ્રિત થવાની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે.
આ વર્ષે છેલ્લા ૧૦૦ વર્ષોમાં સૌથી વધુ હવાના હળવાં દબાણો અરબી સમુદ્રમાં કેન્દ્રિત થયા છે જેમાંથી મોટાભાગના વાવાઝોડામાં પરિવર્તિત થયા છે.
The Arabian Sea witnesses a normal of one cyclone per year. The last time five tropical cyclones were witnessed in a year was in 1902. This year, very severe cyclonic storm Vayu was witnessed from June 10-17, very severe cyclonic storm Hikka from September 22-25, super cyclonic storm Kyarr between October 24 and November 2, extremely severe cyclonic storm Maha from October 30 to November 7, and presently Cyclone Pawan.
As compared, the Bay of Bengal has witnessed only three cyclones—Pabuk, Fani and Bulbul—against the normal of four per year.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.