રિઝર્વ બેંકે યસ બેન્ક સામે કરેલી નિયંત્રણાત્મક કામગીરી બાદ આજે તા.6 માર્ચે શેરબજારના પહેલા ટ્રેડિંગ સેશનમાં જ અપેક્ષા મુજબ યસ બેંકના શેરમાં 85 ટકા સુધીનું તોતિંગ ગાબડું પડ્યું હતું. ગતરોજ યસબેંકના શેરમાં છેતરામણી તેજી હતી એથી લોકોએ આ શેર ખરીદ્યો હતો, પરંતુ, રાત્રે રિઝર્વ બેંક નિયંત્રણો બાદ આજે સવારે યસ બેંકના શેરમાં કડાકો બોલી ગયો હતો.
આ સાથે જ યસ બેન્કના માર્કેટ કેપમાં પણ 5,432 કરોડનું ધોવાણ થઈ ગયું હતું. યસ બેન્કના બોર્ડને રદ કરી એસબીઆઈને ટેકઓવર કરવાના આરબીઆઈના નિર્દેશ તેમજ રોકડ ઉપાડની મર્યાદા 50,000 મર્યાદીત કરાતા શેરમાં પેનિક બટન દબાયું હતું. યસ બેન્કનો શેર ગઈકાલના બંધ 36.85 સામે આજે 33.20 પર ખૂલીને દિવસના તળિયે 5.55ની સપાટીને સ્પર્શી ગયો હતો. શેર ટોચથી તે 85 ટકા તૂટ્યો હતો. નીચેના સ્તરેથી શેરમાં લેવાલી જોવા મળી હતી અને શેર રૂ. 17 થયો હતો. યસ બેન્કના માથે સંકટ ઘેરું બનવાના એંધાણથી રોકાણકારોએ પોર્ટફોલિયોમાંથી શેરને કાઢતા ચારેકોરથી વેચવાલીના દબાણથી શેરમાં પ્રચંડ કડાકો બોલ્યો હતો.
કોરોનાના હાઉ વચ્ચે આજે તા.6 માર્ચ 2020ને શુક્રવારે સપ્તાહના આખરી ટ્રેડિંગ દિવસે સવારે મોર્નિંગ બેલ વાગતાની સાથે જ ઉઘડતા બજારે ભારતીય શેરબજારો જમીનદોસ્ત જોવા મળ્યા હતા. સેન્સેક્સ 1400 પ્લસ ડાઉન રેન્જમાં જોઇને કેટલાક તો બોલી ઉઠ્યા હતા કે સેન્સેક્સ હવે લોકોને નવડાવવાની રેન્જમાં ટ્રેડ કરી રહ્યો છે. એક દિવસ છેલ્લા સપ્તાહમાં લાખો કરોડ રૂપિયા સેન્સેક્સે ભારતીયોના ધોઇ નાંખ્યા છે.
દેશમાં કોરોના વાઈરસના વધતા કેસ વચ્ચે સપ્તાહના આખરી કારોબારી દિવસે શૅર બજાર ભારે ઘટાડા સાથે ખુલ્યું છે.
સવારે 9 વાગીને 15 મિનિટ પર બૉમ્બે સ્ટૉક એક્સચેન્જના સેન્સેક્સ ઈન્ડેક્સ 1441.82 અંકોના ઘટાડા બાદ 37,028.79 પર ખુલ્યું, જ્યારે નેશનલ સ્ટૉક એક્સચેન્જના નિફ્ટી ઈન્ડેક્સ 403.15 અંક કમજોર થઈને 10,865.85 પર ખુલ્યું. સમાચાર લખે ત્યા સુધી સેન્સેક્સ 1162.30 અંક (3.02%) ઘટીને 37,308.11 અને નિફ્ટી 351.10 (3.12%) અંક તૂટીને 10,917.90 અંકો પર કારોબાર કરી રહ્યા હતા. નિફ્ટીના 50 શૅરોમાંથી 1 શૅર લીલા નિશાન પર અને 49 શૅર લાલ નિશાન પર કારોબાર કરી રહ્યા હતા.
શૅર બજારના સેન્સેક્સે ગુરૂવારે પોતાનો શરૂઆતનો વધારે લાભ ગુમાવી દીધો અને આ 61 અંકના નુકસાન સાથે બંધ થયું. બૉમ્બે શૅર બજરાના 30 શૅરોવાળા સેન્સેક્સ દિવસમાં કારોબાર દરમિયાન 478 અંક સુધી ચઢ્યા બાદ અંતમાં 61.13 અંક એટલે 0.16%ના લાભ સાથે 38,470.61 અંક પર બંધ થયું. આવી જ રીતે નેશનલ સ્ટૉક એક્સચેન્જના નિફ્ટી 15 અંક એટલે 0.16%ના મામૂલી વધારા સાથે 11,269 અંક પર બંધ થયું.
બજારમાં ઘટાડાના કારણે શૅર બજારને લઈને રોકાણકારોની કમજોરી ધારણા, યસ બૅન્કથી પૈસા નીકાળવાને લઈને આરબીઆઈની અધિસૂચના પ્રમુખ રહી. એ સિવાય દેશમાં કોરોના વાઈરસના વધતા જોખમ પણ ઘટાડાનું કારણ બન્યા.
બજાર ખુલતાની સાથે મોટા ઘટાડાથી 5 લાખ રોકાણકારોના ઘણા પૈસા સ્વાહા થઈ ગયા. શુક્રવારે અમેરિકી ડૉલરના મુકાબલે ભારતીય રૂપિયો પણ ઘટીને 74ના સ્તર પર પહોંચી ગયા.
નવી દિલ્હીની એક અદાલતે નિર્ભયા પર સામૂહિક બળાત્કારના ચારેય આરોપીઓને ૨૦ માર્ચે સવારે સાડાપાંચ વાગ્યે ફાંસી આપવાનો ગુરુવારે આદેશ આપ્યો હતો. અગાઉ, ચારેય બળાત્કારીની ફાંસી ત્રણ વખત મુલતવી રખાઇ હતી. રાષ્ટ્રપતિએ તેઓની દયાની અરજીઓ નકારી કાઢી હતી.
અગાઉ, દિલ્હી સરકારના વકીલોએ બળાત્કારીઓના બચાવના બધા માર્ગ બંધ થયા હોવાની માહિતી અદાલતને આપી હતી.
નિર્ભયાની માતા આશાદેવીએ જણાવ્યું હતું કે હું આશા રાખું છું કે દોષીઓને ૨૦મી માર્ચે સવારે ફાંસી આપી દેવાશે. નિર્ભયા જેવા બળાત્કાર ભવિષ્યમાં ક્યારેય બનવા ન જોઇએ. સામૂહિક બળાત્કારના ચારેય દોષીની ફાંસી છ અઠવાડિયાંમાં ત્રણ વખત મુલતવી રહી હતી. કેન્દ્ર અને દિલ્હી સરકાર વતી અદાલતમાં રજૂઆત કરનારા સૉલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે ગુનેગારો ફાંસીથી બચવા માટેના દરેક માર્ગ અપનાવી ચૂક્યા છે.
ગુરુવારે ઉત્તર ગુજરાત અને શુક્રવારે દક્ષિણ ગુજરાતમાં વરસાદી ઝાપટા
આજરોજ શુક્રવાર તા.6 માર્ચે સૂરત સમેત દક્ષિણ ગુજરાતમાં અનેક સ્થળે વરસાદી ઝાપટા સવારના પહોરમાં જ પડતા લોકોમાં ભારે કૂતુહલ સર્જાયું છે. દિવાળીથી શરૂ કરીને લગભગ દરેક મોટા તહેવારો પૂર્વે વરસાદ આવતા લોકોમાં એ ચર્ચા પણ જાગી છે કે 2020માં તહેવારો વરસાદી માહોલમાં જ ઉજવવાના છે કે શું. આ પૂર્વે ગુરુવારે ઉત્તર ગુજરાત, કચ્છ, અમદાવાદ વગેરે વિસ્તારોમાં એવો વરસાદ પડ્યો હોય જાણે ચોમાસું બેઠું હોય.
કચ્છ અને ગુજરાતમાં ગુરુવારે કમોસમી વરસાદ પડ્યો હતો. આખો દિવસ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડતાં ચોમાસાનું વાતાવરણ સર્જાયું હતું. રાજ્યના અનેક શહેરોમાં છૂટોછવાયો વરસાદ પડવા સાથે ઠંડીનું વાતાવરણ ઊભું થયું હતું. કચ્છના અનેક શહેરોમાં પણ માવઠું થયાના અહેવાલો મળ્યા છે. વરસાદ પડતાં ખેડૂતોને ઘણું નુકસાન થયું છે જ્યારે અમદાવાદના સાયન્સ સિટી, બોપલ, સેટેલાઇટ સહિતના તમામ વિસ્તારો અને પૂર્વમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. હાટકેશ્ર્વર, ખોખરા મહેમદાવાદ, મણિનગર, શાહઆલમ, ઇશનપુર, નારોલ, વસ્ત્રાલ, અમરાઇવાડી, રખિયાલ,
ઓઢવ, બાપુનગર, નરોડા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. હાથીજણ રામોલ માર્ગ પરના ડાકોર જતા પદયાત્રીઓના સેવા કેમ્પના મંડળો પલળી જવા સાથે ભારે પવનમાં અંશત નુકસાન થયું હતું અને પદયાત્રીઓને વિસામો લેવામાં પણ ભારે હાલાકી પડી રહી હતી.
ગુજરાતમાં હજી શિયાળો ગયો નથી ત્યાં ઉનાળાના આરંભે જ ચોમાસા જેવો ઘાટ સર્જાયો હતો. આખો દિવસ વાદળછાયાં વાતાવરણ અને પવનના સૂસવાટાં સાથે અનેક ઠેકાણે હળવા ઝાપટાં વરસ્યાં હતા. દેવભુમિ દ્વારકા અને કચ્છમાં વહેલી સવારે ઝાપટાં વરસ્યા બાદ સાંજ સુધીમાં અમદાવાદ, ભાવનગર અને મહેસાણા સહિતના જિલ્લાઓમાં માવઠું વરસ્યું હતું. માવઠાને કારણે ખેતીને નુકસાન થયું છે. અમદાવાદમાં સાંજે છાંટા વરસ્યા બાદ ઠંડા પવનથી ઉનાળામાં શીત લહેરનો અહેસાસ થયો હતો. પણ રાત પડતાં જોરદાર ગાજવીજ સાથે સમગ્ર અમદાવાદમાં ધોધમાર વરસાદે લોકોને હાલાકીમાં મૂકી દીધા હતા.
કચ્છ જિલ્લામાં પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે વહેલી સવારથી ઠંડક ફેલાઈ ગઈ હતી. કચ્છના લખપત, નખત્રાણા સહિતના તાલુકામાં ઝાપટાંથી લઈ ઝરમર કમોસમી વરસાદ પડ્યો હતો, જેના પગલે માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. લખપત તાલુકાના દયાપર, દોલતપર, સિયોત, નારાયણ સરોવર, મેઘપર, વિરાણી, ઉમરસર, ગુનેરી, પુનરાજપુર સહિતના મોટાભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદ થયો હતો. જ્યારે નખત્રાણા તાલુકાના પશ્ર્ચિમ ગંગોણ, મોડકુબા, દેશલપર સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો. અબડાસા તાલુકાના ડુમરા, કોઠારા અને ભુજ શહેરના આસપાસના ગામોમાં પણ વરસાદી છાંટા પડ્યા હતા. દરમિયાન વાતાવરણમાં પલટાના કારણે દ્વારકા, કચ્છ, બનાસકાંઠા, પોરબંદરમાં સામાન્ય વરસાદી છાંટા પડવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. એકવાર ફરી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવતા ખેડૂતોમાં પણ ચિંતાના વાદળો ઘેરાઈ ગયા છે. આગામી બે દિવસ વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
વહેલી સવારથી જ રાજ્યના હવામાનમાં પલટો આવ્યો હતો અને વાદળછાયું વાતાવરણ છવાઈ ગયું હતું અને સૌરાષ્ટ્ર કચ્છ ઉપરાંત ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા અને મધ્ય ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, વડોદરા સહિતના જિલ્લાઓમાં ઠંડા પવન સાથે માવઠું વરસ્યું હતું, જ્યારે સૌરાષ્ટ્રમાં પોરબંદર, જૂનાગઢ, જામનગર, ભાવનગર, રાજકોટ અને મોરબી જિલ્લાઓમાં હળવો વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં સુરત જિલ્લામાં પણ કેટલાક ઠેકાણે છાંટા વરસ્યાં હતા.
કમોસમી વરસાદથી જીરૂ, ચણા, ઘઉંના પાકને નુકસાન પહોંચ્યું છે. આથી જગતનો તાત મોઢામાં આવેલો કોળિયો છીનવાતો જોઈ મુશ્કેલીમાં મુકાયા છે. ગ્રામ્ય વિસ્તારોમાં પણ કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત બન્યા છે. હાલ જીરાનો અને ઘઉંનો પાક તૈયાર થઈ ગયો છે અને બીજી તરફ વરસાદથી નુકસાન પહોંચ્યું છે.
ખાનગી ક્ષેત્રની બૅંક યસ બૅંક પર ગુરુવારે Dt.5 March 2020 મોડી સાંજે નિયંત્રણો લાદવામાં આવ્યાં હતાં. એક મહિના સુધી નાણાં ઉપાડવા પર આરબીઆઈ દ્વારા ૫૦,૦૦૦ રૂપિયાની મર્યાદા લાદવામાં આવી છે.
બૅંકના બોર્ડને તાત્કાલિક અસરથી બિનઅસરકારક બનાવવામાં આવ્યું હતું. ડિપોઝિટરોના હિતમાં સરકાર સાથે મળીને આરબીઆઈએ નિર્ણય લીધો હતો. છેલ્લા છ મહિનાથી જરૂરી મૂડી ઊભી કરવામાં
નિષ્ફળ રહેલા યસ બૅંકના બોર્ડને આરબીઆઈએ સુપરસીડ કર્યું હતું. એસબીઆઈના ભૂતપૂર્વ ચીફ ફાઈનાન્સિયલ ઑફિસર પ્રશાંત કુમારને યસ બૅંકના વહીવટીદાર તરીકે નિમવામાં આવ્યા હતા.
આરબીઆઈએ મોડી સાંજે બહાર પાડેલા એક નિવેદનમાં કહ્યું હતું કે, બૅંકને ફરીથી બેઠી કરવાનો વિશ્ર્વસનીય પ્લાન ન હોવાથી જાહેર હિતમાં અને બૅંકના ખાતાધારકોના હિતમાં બૅંકિંગ રેગ્યુલેશન એક્ટ ૧૯૪૯ના સેકશન ૪૫ હેઠળ નિયંત્રણો લાદવાની કેન્દ્ર સરકારને વિનંતી કરવા સિવાય કોઈ છૂટકો નથી તેવું રિઝર્વ બૅંંકનું તારણ હતું.
કેટલાક રોકાણકારો સાથે ચર્ચા ચાલી રહી છે અને તેમાં તેમને સફળતા મળશે તેવું બૅંક મેનેજમેન્ટે તેમને જણાવ્યું હતું તેવું નિવેદનમાં કહેવામાં આવ્યું હતું.
મૂડી મેળવવા બૅંક કેટલાક પ્રાઈવેટ ઈક્વિટી કંપનીઓ સાથે પણ ચર્ચા કરી રહી હતી. આરબીઆઈના નિવેદનમાં જણાવવામાં આવ્યું કે, આ રોકાણકારો સાથે આરબીઆઈના વરિષ્ઠ અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી પણ કેટલાક કારણસર મૂડીરોકાણ થયું ન હતું.
નિયમનકારી પુન:ગઠનની સરખામણીમાં બૅંકને ફરી બેઠી કરવા માર્કેટ આધારિત પ્રયત્નોનો વિકલ્પ બહેતર હોવાથી બૅંકને સુવિધા આપવા આરબીઆઈએ તમામ પ્રયત્ન કર્યા હતા અને આવા કોઈ વિશ્ર્વસનીય પ્લાન તૈયાર કરવા બૅંકના મેનેજમેન્ટને પર્યાપ્ત તક આપી હતી. જે થઈ શક્યું ન હતું. દરમિયાન નિયમિતપણે બૅંકની લિકવિડીટી ઘટી રહી હતી તેવું આરબીઆઈએ કહ્યું હતું.
એસબીઆઈ અને અન્ય નાણાકીય સંસ્થાઓ યસ બૅંકને બેઈલઆઉટ (મૂડીરોકાણ) કરે તેવા પ્લાનને સરકારે મંજૂરી આપી છે એવું વર્તુળો પાસેથી જાણવા મળ્યું હતું તેના થોડા કલાકો પછી આરબીઆઈએ આ પગલું જાહેર કર્યું હતું.
૨૦૦૪માં ગ્લોબલ ટ્રસ્ટ બૅંકને ઓબીસી સાથે ભેળવી દેવામાં આવી હતી અને ૨૦૦૬માં આઈડીબીઆઈ બૅંકે યુનાઈટેડ વેસ્ટર્ન બૅંક ટેઈકઓવર કરી હતી. સપ્ટેમ્બર ૨૦૧૯માં સહકારી બૅંક પીએમસી સામે પણ આ પ્રકારના નિયંત્રણો લાદવામાં આવ્યાં હતાં.
ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલા મહિલા ટી20 વર્લ્ડ કપમાં ગ્રુપ એમાં અજેય રહીને સેમિફાઈનમાં પ્રવેશનારી ભારતીય ટીમને જેકપોટ મળ્યો છે. વરસાદને પગલે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની સીડની ખાતેની સેમિફાઈનલ મેચ ધોવાઈ જતા ભારતને એડવાન્ટેજ મળ્યો છે અને તે ફાઈનલમાં પહોંચ્યું છે.
વરસાદને પગલે ટોસમાં વિલંબ થયો હતો અને બાદમાં મેચ ઓફિશિયલ્સે એકપણ બોલ ફેંક્યા વગર મેચ રદ કરવાનો નિર્ણય કર્યો હતો. આઈસીસી દ્વારા રિઝર્વ ડે નહીં રાખવામાં આવતા ભારતને ફાઈનલમાં પ્રવેશ અપાયો હતો. ઈંગ્લેન્ડની ટીમ રમ્યા વગર સેમિફાઈનલમાંથી બહાર થઈ જતા ખેલાડીઓની આંખોમાં આંસુ આવી ગયા હતા.
ભારતના અર્થતંત્રને ક્રિપ્ટો કરન્સીનો વેપાર મોટી અસર કરી શકે, રિઝર્વ બેંકના 2018નો સરક્યુલર રદ
આજરોજ તા.4 માર્ચ 2020ને બુધવારે સવારે સુપ્રીમ કોર્ટે ક્રિપ્ટો કરન્સી અંગે થયેલી એક રિટ પીટીશનની સુનવણી દરમિયાન ભારતમાં બેંકોને ક્રિપ્ટો કરન્સીનો વેપાર કરવા દેવા સંદર્ભની છૂટ આપી છે. ઇન્ટરનેટ એન્ડ મોબાઇલ એસોસીએશન ઓફ ઇન્ડિયા દ્વારા ક્રિપ્ટો કરન્સી સંદર્ભે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા 2018માં જારી કરવામાં આવેલા એક સરક્યુલરને સુપ્રીમ કોર્ટમાં ચેલેન્જ કરવામાં આવ્યો હતો.
આજે બુધવારે સવારે સુપ્રીમ કોર્ટમાં થયેલા હિયરિંગ દરમિયાન સુપ્રીમ કોર્ટે નોંધ્યું હતું કે ક્રિપ્ટો કરન્સીના વેપારને મંજૂરી આપવામાં આવે છે.
રિઝર્વ બેંક દ્વારા 2018માં ક્રિપ્ટો કરન્સી (વર્ચ્યુઅલ કરન્સી) સંદર્ભે એવો સરક્યુલર જારી કરવામાં આવ્યો હતે કે આ કરન્સીના કારોબારમાં ગ્રાહકોના હિતોનું રક્ષણ, માર્કેટ ઇન્ટેગ્રિટી તેમજ મની લોન્ડરીંગ જેવા દુષણો પ્રવર્તી રહ્યા હોઇ, ક્રિપ્ટો કરન્સીનો વેપાર ભારતમાં પ્રતિબંધિત કરવામાં આવે છે. આ મતલબના સરક્યુલરને સુપ્રીમ કોર્ટમાં ચેલેન્જ કરવામાં આવ્યો હતો. જેના હિયરીંગમાં સુપ્રીમ કોર્ટે ક્રિપ્ટો કરન્સીના ટ્રેડિંગને એલાવ કરતું રૂલિંગ આજરોજ તા.4 માર્ચ 2020ને બુધવારે સવારે યોજાયેલી સુનવણી દરમિયાન આપ્યું હોવાનું વિશ્વસનીય મિડીયા સ્ત્રોત દ્વારા જાણવા મળ્યું છે.
SC allows crypto currency trading
The Supreme Court on Wednesday allowed a plea challenging the Reserve Bank of India’s (RBI’s) 2018 circular which barred banks from trading in cryptocurrencies. “Trading in cryptocurrencies now will be allowed,” the top court noted.
In April 2018, the RBI had issued a circular barring banking and financial services from dealing in virtual currency or cryptocurrency such as Bitcoin, most valued crypto currency in the world.
Cryptocurrencies are digital currencies in which encryption techniques are used to regulate the generation of currency units and verify the transfer of funds, operating independently of a central bank.
The RBI had stated that virtual currencies (VCs) (cryptocurrencies and crypto assets) “raise concerns of consumer protection, market integrity and money laundering.” In view of the associated risks, banks were asked not to deal with crypto-related businesses.
This circular was challenged by an industry group Internet and Mobile Association of India (IMAI) before the SC.
પ્રાઇવેટ પ્રેક્ટિસમાં તગડી કમાણી : તબીબોને સરકારી નોકરીમાં કોઇ રસ નથી
ગુજરાત વિધાનસભા સત્રમાં તા.3જી માર્ચ 2020ના પ્રશ્નોત્તરીકાળ દરમિયાન રાજ્યની કૉલેજોમાંથી એમબીબીએસ પાસ ડૉક્ટરોની નિમણૂક અંગે સંદર્ભે કૉંગ્રેસના ધારાસભ્યો દ્વારા પૂછાયેલા વિવિધ પ્ર્શ્નોના જવાબમાં રાજ્ય સરકારે જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષમાં સરકારી કૉલેજોમાંથી મેડીકલ ગ્રેજ્યુએશન, એમબીબીએસ થયેલા ૨૨૨૮ ઉમેદવારોને રાજ્યની જુદી જુદી સરકારી હોસ્પિટલોમાં નિમણૂક આપવામાં આવી હતી. જેમાંથી ૩૨૧ ડૉક્ટરો ફરજ પર હાજર રહ્યા હતા. ૧૯૦૭ ડૉક્ટરો ગેરહાજર રહ્યા હતા.
ક્યાં કેટલા તબીબોની એપોઇન્ટમેન્ટ થઇ હતી?
રાજ્યમાં એમબીબીએસ પાસ થયેલા ડૉક્ટરોમાંથી સૌથી વધુ દાહોદ જિલ્લામાં ૨૯૩ ડૉક્ટરોની નિમણૂક કરવામાં આવી હતી. જેમાંથી ૧૬ ડૉક્ટરો હાજર અને ૨૭૭ ડોક્ટરો ગેરહાજર રહ્યા હતા.
છેલ્લાં બે વર્ષમાં રાજ્યના અન્ય જિલ્લાઓમાં બનાસકાંઠામાં ૧૮૪ ડૉક્ટરોની, કચ્છમાં ૧૮૪ ડૉક્ટરોની, છોટા ઉદેપુરમાં ૧૩૮ ડૉક્ટરોની, ભરૂચમાં ૧૦૪ ડૉક્ટરોની, વલસાડમાં ૧૦૧ ડૉક્ટરોની સરકારી હૉસ્પિટલોમાં નિમણૂક કરવામાં આવી હતી જેમાંથી ક્રમશ: બનાસકાંઠામાં ૨૮ ડૉકટરો હાજર અને ૧૫૬ ગેરહાજર રહ્યા છે.
કચ્છમાં પાંચ ડૉક્ટરો હાજર અને ૧૭૯ ગેરહાજર, છોટાઉદેપુરમાં ચાર ડૉક્ટરો હાજર અને ૧૩૪ ગેરહાજર, ભરૂચમાં પાંચ ડૉક્ટરો હાજર અને ૯૯ ગેરહાજર, વલસાડમાં ૨૭ ડૉક્ટરો હાજર અને ૭૪ ગેરહાજર, અમદાવાદમાં ચાર ડૉક્ટરો હાજર અને ૧૧ ગેરહાજર, ગાંધીનગરમાં બે ડૉક્ટરો ગેરહાજર અને એક હાજર રહ્યા હતા. જ્યારે પોરબંદરમાં નિમણૂક કરવામાં આવેલા ૧૧ ડૉક્ટરોમાંથી બધા ૧૧ ડૉક્ટરો ગેરહાજર રહ્યા હતા.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધો.૧૦ અને ધો.૧૨ની પરીક્ષાઓ આજે ગુરુવાર તા.5મી માર્ચ 2020 થી શાંતિપૂર્ણ રીતે આરંભ થયો છે.
ધો.૧૦ અને ધો.૧૨ની પરીક્ષામાં સમગ્ર રાજ્યમાંથી ૧૭.૫૩ લાખ વિદ્યાર્થી પરીક્ષા આપવા માટે ઉપસ્થિત રહેશે. પરીક્ષા માટે પસંદ કરાયેલા મોટાભાગના સેન્ટર પૈકી ૫૯૭૩૩ પરીક્ષા ખંડ CCTVથી સજ્જ છે, જ્યારે જે સેન્ટર પર CCTVની સુવિધા નહીં હોય તેવા ૨૯૪ કેન્દ્ર પર ટેબલેટ દ્વારા પરીક્ષામાં વિદ્યાર્થી પર નજર રાખવામાં આવી રહી છે.
આજે પ્રથમ દિવસે સવારના સેશનમાં ધો.૧૦માં પ્રથમ ભાષા (મોટા ભાગે ગુજરાતી) અન્ય માધ્યમોને અનુરૂપ પરીક્ષા લેવામાં આવી હતી..
બપોરના સેશનમાં ધો.૧૨ સાયન્સમાં ભૌતિક વિજ્ઞાન અને ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં નામાનાં મૂળતત્ત્વોની પરીક્ષા લેવામાં આવી રહી છે.
આમ, પ્રથમ દિવસે જ મહત્ત્વના પેપરો હોઈ વિદ્યાર્થી પૂરતી તૈયારી સાથે પરીક્ષા બેઠા હતા. પ્રથમ દિવસે પરીક્ષા આપવા જનારા વિદ્યાર્થીઓનું ગોળ-ધાણા ખવડાવી સ્વાગત કરવામાં આવ્યાના અહેવાલો રાજ્યભરમાંથી મળ્યા હતા.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતરમાધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષા આગામી તા. ૫મી માર્ચથી શરૂ થવાની છે જેમાં કુલ ૧૭.૩૦ લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. જેમાં ધોરણ ૧૦ના ૧૦.૮૩ લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે અને ધોરણ ૧૨ના સાયન્સ અને સામાન્ય પ્રવાહના ૬.૫૦ લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
અતિસંવેદનવાળી શાળાઓમાં સીસીટીવી કૅમેરા લગાડી ચોરી કરતા વિદ્યાર્થીઓ અને ચોરી કરાવતા શિક્ષકો ઉપર બાજનજર રાખવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ચાલુ વર્ષે રાજ્યની વિવિધ જેલોમાંથી ૧૭૫ જેટલા કેદીઓ ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ની પરીક્ષા આપવાના હોઈ રાજ્યની જેલો દ્વારા આ કેદીઓને પૂરતો બંદોબસ્ત ફાળવી પરીક્ષાઓ આપવા વ્યવસ્થા કરવામાં આવી છે.
દરમિયાન ઘણા વિદ્યાર્થીઓ નર્વસ તેમ જ ઉતાવળમાં ઘણી વસ્તુઓનું ધ્યાન નથી રાખતા તેમ જ તેમના વાલીઓ પણ વિદ્યાર્થીઓને પરીક્ષામાં મૂકવા જતી વખતે તેમની કહેવાની ઘણી વાતો ભૂલી જતા હોય છે. આવા વિદ્યાર્થીઓને કેન્દ્રમાં પણ મદદ મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઈસરો) પાંચમી માર્ચે દેશનો પહેલો જિયો ઈમેજિંગ ઉપગ્રહ લોન્ચ કરશે. જીએસએલવી-એફ10ની મદદથી આ ઉપગ્રહને લોન્ચ કરવામાં આવશે. આ ઉપગ્રહ ભારતીય મહાદ્વીપ પર નજર રાખવાની સાથે કૃષિ, મોસમવિજ્ઞાન, આપત્તિઓ અને અન્ય વૈજ્ઞાનિક ક્ષેત્રોમાં દેશને આગળ લઈ જશે. આ સેટેલાઈટ રિયલ ટાઈમમાં ઘણી ઝડપથી તસવીરો દેવામાં સક્ષમ છે.
લોન્ચિંગ માટે સતીશ ધવન સ્પેસ સેન્ટર, શ્રીહરિકોટાના બીજા લોન્ચિંગ પેડનો ઉપયોગ કરવામાં આવશે. લોન્ચિંગનો સંભવિત સમય સવારે 5.43નો રાખવામાં આવ્યો છે.
ઇસરો અનુસાર જે રોકેટથી લોન્ચિંગ થશે તે જીએસએલવી-એફ-10ની ઊંચાઇ સેટેલાઇટ અને લોન્ચિંગ વ્હીકલ મળીને આશરે 16 માળની ઇમારત જેટલી ઊંચી છે. સમગ્ર લોન્ચિંગ વ્હીકલનું વજન આશરે 4,20,300 કિલોગ્રામ આસપાસ છે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.