CIA ALERT

Alert Archives - Page 266 of 511 - CIA Live

April 7, 2020
coronaguj-1280x875.jpg
8min23130

રાજયમાં કોરોનાના નવા 55 કેસો, 50 એકલા અમદાવાદના : સૂરત-2, દાહોદ, આણંદ અને છોટાઉદેપુરમાં 1-1-1 નવા કેસ મળ્યા

તા.9મી એપ્રિલના રોજ સવારે ગુજરાતમાં કોરોના કેસીસ અંગેની માહિતી આપતા રાજ્યના આરોગ્ય સચિવ જયંતિ રવિએ જણાવ્યું હતું કે એક દિવસમાં ગુજરાતમાં કુલ 55 નવા કેસો નોંધાયા છે. આ સાથે જ ગુજરાતમાં કોરોના પોઝીટીવ હોય તેવા દર્દીઓની સંખ્યા 241 થઇ છે. નવા આવેલા 55 કેસોમાં 50 કેસો એકલા અમદાવાદના છે. અમદાવાદમાં કુલ કેસોની સંખ્યા 133 થવા પામી છે. બીજા નંબરે સૂરતમાં સિટી વિસ્તારમાં 23 અને ગ્રામ્ય વિસ્તારમાં 2 મળીને સૂરત જિલ્લામાં 25 કેસો છે જ્યારે વડોદરા અને ભાવનગર ખાતે 18-18 કોરોના કેસો હોવાનું જયંતિ રવિએ જણાવ્યું હતું.

24 કલાકમાં ચિંતાજનક રીતે વધ્યા કેસો, એક ઝાટકે 55 નવા કેસો મળતા ખળભળાટ

  • ગુજરાત અપડેટ
  • કુલ કેસ 241
  • કુલ મોત 17
  • રિકવરી 26

રાજ્યમાં સિટીવાઇઝ કેસો તા.9 એપ્રિલ સવારે 11 વાગ્યે

  • અમદાવાદ 133
  • સૂરત 25
  • ભાવનગર 18
  • વડોદરા 18
  • ગાંધીનગર 13
  • રાજકોટ 11
  • પાટણ 5
  • પોરબંદર 3
  • ગીરસોમનાથ 2
  • કચ્છ 2
  • આણંદ 2
  • છોટા ઉદેપુર 2
  • મહેસાણા 2
  • જામનગર 1
  • મોરબી 1
  • પંચમહાલ 1
  • દાહોદ 1
  • સાબરકાંઠા 1

ગુજરાત ડેથ-સ્પૉટ : કોરોનાના લોકલ ટ્રાન્સમિશનને રોકવા હવે બફર ઝોન

બુધવારની સવાર સુધીમાં રાજ્યમાં કોરોના વાઈરસના દર્દીઓનો આંકડો ૧૮૯એ પંહોચી ચૂક્યો છે, જેમાં ૧૧૪ જેટલા દર્દીઓ સ્થાનિક લોકો છે અને તેમને બહારથી આવેલા લોકોનો ચેપ લાગી ચૂક્યો છે પરંતુ હવે આવા સ્થાનિક પોઝિટિવ દર્દીઓનો ચેપ સ્થાનિક સ્તરે પ્રસરે નહીં તે માટે પોઝિટિવ દર્દીના વિસ્તારોને બફર ઝોન જાહેર કરીને તેમાં આરોગ્ય તપાસણી સહિતના પગલાં શરૂ કરી દેવામાં આવ્યાં છે. બુધવારે જામનગરમાં અને સુરતમાં એક- એક દર્દીના મોત થતા મૃત્યુઆંક ૧૬ ઉપર પહોંચી ચૂક્યો છે. 

બુુધવારે રાત્રે 8 વાગ્યે અમદાવાદમાં ૮૩ પોઝિટિવ કેસ અને ૫ના મોત, સુરતમાં ૨૩ પોઝિટિવ અને ૪ના મોત, ભાવનગરમાં ૧૬ પોઝિટિવ અને ૨ના મોત, વડોદરામાં ૧૩ પોઝિટિવ અને ૨ના મોત, ગાંધીનગરમાં ૧૩ પોઝિટિવ, રાજકોટમાં ૧૧ પોઝિટિવ, પાટણમાં ૫ પોઝિટિવ અને ૧નું મોત, પોરબંદરમાં ૩ પોઝિટિવ, મહેસાણામાં ૨ પોઝિટિવ અને ૧નું મોત, કચ્છમાં ૨ પોઝિટિવ અને ૧નું મોત, ગીર સોમનાથમાં ૨ પોઝિટિવ, પંચમહાલમાં ૧ પોઝિટિવ અને ૧નું મોત, જામનગરમાં ૧ પોઝિટિવ અને ૧નું મોત, મોરબી, છોટાઉદેપુર, આણંદ, સાબરકાંઠામાં ૧-૧ પોઝિટિવ કેસ નોઁધાયા છે. જ્યારે છેલ્લા ૨૪ કલાકમાં ૯૩૨ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૧૪ પોઝિટિવ, ૬૮૭ નેગેટિવ ટેસ્ટ છે જ્યારે ૨૩૧ પેન્ડિંગ છે. તેમજ અત્યારસુધીમાં ૩૯૭૨ ટેસ્ટ કરાયા છે. જેમાંથી ૧૭૯ પોઝિટિવ, ૩૫૬૨ નેગેટિવ ટેસ્ટ છે. રાજ્યમાં કુલ ૧૨૨૯૯ લોકોને ક્વોરન્ટીન કરાયા છે. જેમાંથી ૧૧૧૭૩ હોમ ક્વોરન્ટીન, ૯૫૨ સરકારી અને ૧૭૪ ખાનગી ફેસિલિટીમાં ક્વોરન્ટીન છે.

અમદાવાદ અડધું કોરોનાના બફર ઝોનમાં

રાજ્યમાં કોરોના વાઇરસના હોટ સ્પોટ અમદાવાદમાં અત્યાર સુધીમાં ૮૩ કેસો નોંધાઇ ચૂક્યાં છે, જેમાં કોટ વિસ્તારમાં સૌથી કેસો નોંધાતા હવે તેને બફર ઝોન જાહેર કરી દેવામાં આવ્યો છે. સમગ્ર કોટ વિસ્તાર એવા જૂના અમદાવાદની ૨૯ લાખ જેટલી વસ્તી એટલે કે અડધું અમદાવાદ બફર ઝોનમાં મુકવામાં આવ્યું છે. બફર ઝોનમાં ૬ જેટલા વિસ્તારમાં કલસ્ટર ઝોન બનાવી ૧૪૦૦૦થી વધુ લોકો ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. જૂના અમદાવાદ એટલે કે કોટ વિસ્તારના પ્રવેશવાના મોટાભાગના રસ્તા બંધ અથવા તો બેરીકેડ મારી ચેકપોસ્ટ બનાવી દેવાઈ છે.

કોટ વિસ્તારમાં જ્યાં કલસ્ટર ઝોન છે ત્યાં થ્રી લેયર બનાવવામાં આવ્યું છે. બફર ઝોનમાં પ્રવેશતાં પહેલા જ બેરીકેડ મૂકી આરએએફ અને એસઆરપી તહેનાત કરાઈ છે અને પોલીસ ચેકપોસ્ટ બનાવાઈ છે. કોઈપણ વ્યક્તિને અંદર જતા પહેલા રોકી પૂછપરછ કરવામાં આવે છે, તો બહારની વ્યક્તિ હોય તો કેમ અંદર જવું છે તેમ પૂછપરછ બાદ જ જવા દેવામાં આવી રહ્યાં છે. ત્યારબાદ કોરોના ચેકપોસ્ટ બનાવેલી છે તેમાં મેડિકલ ટીમ દ્વારા થર્મલ ગનથી તેનું તાપમાન ચેક કરવામાં આવે છે. જો કોઈ શંકાસ્પદ લક્ષણ જણાય તો તેના સેમ્પલ ટેસ્ટ માટે લેવાય છે. જે પણ વ્યક્તિ બહાર આવે છે. તેને કામ વગર બહાર ન નીકળવા સૂચના પોલીસ દ્વારા આપવામાં આવે છે.

કોટ વિસ્તારને બફર ઝોન જાહેર કર્યા બાદ કોર્ડન કરી ચેકપોસ્ટ બનાવ્યા બાદ દરરોજ જેટલા લોકો નીકળતા હતા તેના કરતાં ખૂબ જ ઓછા પ્રમાણમાં લોકો આજે સવારે બહાર નીકળતા જોવા મળ્યા હતા. સવારે ૭થી ૯ દરમ્યાન શાકભાજી અને દૂધ લેવા જવા થોડી છૂટછાટને પગલે લોકો બહાર નીકળે છે. બપોર બાદ બહાર નીકળતાં લોકોને પોલીસ રોકી પૂછપરછ કરે છે. જો વગર કારણે બહાર નીકળે તો તેમના વાહનો જપ્ત કરી લે છે.

બફર ઝોન જાહેર કરાયા બાદ બપોરે ૧૨.૩૦ સુધીમાં કોટ વિસ્તારમાંથી લગભગ ૧૦૦૦૦ લોકો જ બહાર નીકળ્યા હતા અને મ્યુનિસિપલ કોર્પોરેશને તેમનું ચેકિંગ કર્યું હતું.

ગુજરાતમાં કોરોના : ૯,૪૬૪ બેડની હોસ્પિટલો તૈયાર

રાજ્યમાં કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યા દિવસે ને દિવસે વધી રહી છે. વાઈરસના સ્થાનિક સંક્રમણની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે રાજ્યમાં કોરોનાના ૯૪૬૪ દર્દીઓને સારવાર મળી રહે તે માટેની તૈયાર કરી છે. બુધવારે મળેલી રાજ્ય પ્રધાન મંડળની બેઠકમાં ૨૬ જિલ્લામાં ૩૧ ખાનગી હોસ્પિટલોને ડેઝિગ્નેટેડ કોવિડ-૧૯ હોસ્પિટલ તરીકે કાર્યરત કરવાનો નિર્ણય કરતાં હવે કુલ ૪૦૬૪ બેડની ક્ષમતા વધશે. જ્યારે ચાર મહાનગરોમાં કોવિડ ૧૯ માટે ૨૨૦૦ બેડની હોસ્પિટલ શરૂ કરી છે અને અન્ય ૨૮ જિલ્લામાં ૩૨૦૦ બેડની હોસ્પિટલમાં તૈયાર રાખી છે. આમ, સમગ્ર ગુજરાતમાં કોવિડ-૧૯ કોરોના વાઈરસના સંક્રમિત અસરગ્રસ્તોની તાત્કાલિક સારવાર માટે કુલ ૯,૪૬૪ બેડની ક્ષમતાવાળી હોસ્પિટલો સાથે ગુજરાત આ મહામારીના પડકારને પહોંચી વળવા સજ્જ થયું છે. 

રાજ્યમાં હાલ અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરતમાં કુલ ૨૨૦૦ બેડની ડેડીકેટેડ કોવિડ-૧૯ હોસ્પિટલ કાર્યરત છે. અન્ય ૨૮ જિલ્લામાં કુલ ૩૨૦૦ બેડની ક્ષમતા અને વેન્ટીલેટર તથા આઇસીયુ ફેસેલિટીઝ સાથેની હોસ્પિટલો નજીકના ભવિષ્યમાં શરૂ થવામાં છે.

Reported on 8 April 2020

ગરીબોને ફૂડ પેકેટનું વિતરણ કરતા અમદાવાદ અને વડોદરાના બે સેવા કર્મીઓને કોરોના પોઝિટિવ

રાજ્યમાં છેલ્લા બે દિવસમાં અમદાવાદ અને વડોદરામાં ગરીબોને ભોજન પૂરું પાડવાનું કામ કરતા બે સેવા કર્મીઓને પણ કોરોના વાઈરસનો ચેપ લાગતા બન્નેને પોઝીટીવ કોરોના આવ્યો છે. બીજી બાજુ સરકાર દ્વારા હવે આવાં ટીફીન સેવાની કામગીરી પર પ્રતિબંધ મૂકી દીધો છે.

પહેલો કેસ અમદાવાદ મણિનગરમાં

અમદાવાદમાં ભાથું બાંધવા જતાં કોરોના ગ્રસ્તગરીબોને ટિફીન પહોંચાડતા મણિનગરમાં રહેતાં ૫૫ વર્ષીય સેવા કર્મીને કોરોના પોઝીટીવ હોવાનું નિદાન થયું છે. તેઓ સેવાના ઉદ્દેશથી ટિફિન સેવા આપનારી સંસ્થા સાથે સંકળાયેલાં હતા. ગરીબોને તેઓ વિનામુલ્યે ટિફિન પૂરા પાડતા જતા હતા. તેમને કોરોના ચેપ ક્યાંથી લાગ્યો તેની તપાસ હાલ મ્યુનિસિપાલ તંત્રએ શરુ કરી છે. આ સાથે હાલ ટીફીન સર્વિસ આપતાં બીજા છ લોકો અને સારવાર આપતાં ડોક્ટરને પણ કોરન્ટાઈન કરવામાં આવ્યા છે. આ સાથે ફેમિલીના ત્રણ લોકોને પણ કોરેન્ટાઈન કેન્દ્રમાં કોરેન્ટાઈન કરવામાં આવ્યા છે.

બીજો કેસ વડોદરામાં બન્યો

વડોદરામાં રવિવારે નાગરવાડાના એક વ્યક્તિનો કોરોના વાઈરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ વ્યક્તિ સયાજી હોસ્પિટલ સહિત વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં ફૂડ પેકેટ આપવાની સેવા કરવા માટે જતો હતો. આ વ્યક્તિની સેવાની હિસ્ટ્રી બહાર આવતા વડોદરામાં કોરોના વાઈરસની કામગીરી માટે ખાસ નિમાયેલા ડો. વિનોદ રાવે લોકડાઉનમાં સેવા કરતી સંસ્થાઓની સેવાઓ ઉપર પ્રતિબંધ મૂકી દીધો હતો.

ગુજરાત અપડેટ્સ 8 એપ્રિલ 11 વાગ્યે

ગુજરાત રાજ્યમાં ગઇકાલે સત્તાવાર રીતે રાજ્ય સરકારે જાહેર કરેલા આંકડા બાદ છેલ્લા 12 કલાકમા કોરોનાના વધુ ચાર દર્દી નોંધાતા કુલ પોઝિટિવ કેસનો આંકડો 179 પર પહોંચ્યો છે. છેલ્લા 12 કલાકમાં કોરોના પોઝીટીવ આવેલા બે દર્દીના મોત થયા છે. જેમાં જામનગરના 14 મહિનાના બાળકનો પણ સમાવેશ થાય છે તેમ આરોગ્ય ખાતાના અગ્રસચિવ જયંતિ રવિએ તા.8મી એપ્રિલે સવારે 10 વાગ્યે જણાવ્યું હતું.

આજે તા.8મી એપ્રિલે સવારે જે ચાર નવા કેસ સામે આવ્યા છે તેમાં સુરત, વડોદરાના એક-એક અને ભાવનગરના બે દર્દીનો સમાવેશ થાય છે. આ તમામ કેસ લોકલ ટ્રાન્સમિશનના છે. અમદાવાદમાં તા.7મી એપ્રિલે નોંધાયેલા 20 કેસ બાદ આજે હજુ સુધી કોઈ નવો કેસ આવ્યો નથી.

હાલ રાજ્યમાં સારવાર લઈ રહેલા કોરોનાના દર્દીમાં બેની હાલત ગંભીર છે, અને બંને હાલ વેન્ટિલેટર પર છે જ્યારે 136 દર્દીઓ સ્ટેબલ છે, અને 25 લોકોને અત્યારસુધી ડિસ્ચાર્જ અપાઈ ચૂક્યો છે. જયંતિ રવિએ જણાવ્યું હતું કે, હાઈડ્રોક્સિનક્લોરોક્વિન, એઝીથ્રોમાઈસિન નામની બે દવા કોરોનાની ટ્રીટમેન્ટમાં ખૂબ જ ઉપયોગી છે તેવું વૈજ્ઞાનિકો જણાવી રહ્યા છે. ગુજરાતમાં હાલ આ બંને દવાનો પૂરતો સ્ટોક છે.

ગુજરાતમાં હવે ગામડાઓનો વારો: બીજા રાજ્ય અને જિલ્લામાંથી આવેલાનો સર્વે થશે

ગુજરાતમાં વધતા જતા કોરોના પોઝિટિવના કેસને ગંભીરતાથી લઈ ગુજરાત સરકાર દ્વારા હેલ્થ સર્વેનો બીજો રાઉન્ડ શરૂ કરવામાં આવી રહ્યો છે. જેમાં હવે ગામડાઓમાં બીજા રાજ્ય અને બીજા જિલ્લામાંથી આવેલા લોકો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. આ બીજા તબક્કામાં હેલ્થ વિભાગની સાથે સેલ્ફ રિપોર્ટિંગ અનેઆઇવીઆર થી લોકોની ખબર પૂછવામાં આવશે.

ગુજરાતમાં આવેલા વિદેશી પ્રવાસીઓનો ક્વોરન્ટીન પિરિયડ પૂરો થાય બાદ પણ લોકલ ટ્રાન્સમિશન અને ગામડાંઓમાં પોઝિટિવ કેસોનું પ્રમાણ વધી રહ્યું છે જેથી ગુજરાત સરકાર દ્વારા સર્વેનો બીજો રાઉન્ડ થશે. જેમાં બીજા રાજ્ય અને બીજા જિલ્લામાંથી આવેલા લોકોની માહિતી ના આધારે એમનો ટેસ્ટ કરવામાં આવશે. ખાસ કરીને શહેરમાંથી ગામડામાં આવ્યા હોય અને તેમને તાવ કે શ્વાસની તકલીફ હોય તેમનો અલગથી ટેસ્ટ કરાશે.

આ ઉપરાંત બીજા તબક્કાના આ સર્વેમાં તંત્ર ઘેર જઈને તપાસ કરે એ પહેલા જે તે વ્યક્તિ કે જેને કોઈ હેલ્થ પ્રોબ્લેમ હોય તેઓ સામેથી ૧૦૪માં ફોન કરીને સારવાર માટે કહી શકે છે જેથી સેલ્ફ રિપોર્ટિંગ પણ કરવામાં આવશે. આ ઉપરાંત બીજા તબક્કામાં એક એવી પણ વ્યવસ્થા કરવામાં આવી છે કે, ફોનમાં આઇવીઆર સિસ્ટમથી લોકોની ખબર પૂછવામાં આવશે, જેમાં પણ કોઈ પણ વ્યક્તિ પોતાની તકલીફ જણાવી શકશે.

ગુજરાતમાં સ્થાનિક સંક્રમણનો ભય વધ્યો

રાજ્યમાં હવે વિદેશથી આવેલા લોકોનો કોરોના વાયરસ સંક્રમણનો સમય પુરો થઇ ચૂક્યો છે પરંતુ તેમના સંપર્કમાં આવેલા આતંર રાજ્ય પ્રવાસ કરનારાં અને સ્થાનિક લોકોને હવે કોરોનાએ સકંજામાં લીધા છે. મંગળવારે સાંજ સુધીમાં એક દિવસમાં રાજ્યમાં ૧૯થી વધારે પોઝિટિવ કેસ નોંધાયાં હતા, જેમાં તમામ લોકલ ટ્રાન્સમિશનનો શિકાર બન્યાં છે. સાંજ સુધીમાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો ૧૬૫ને પાર પહોંચ્યો છે. તેમજ પાટણમાં એક અને સુરતમાં એક દર્દીનું મોત થતાં રાજ્યમાં કોરોનાનો મૃતક આંક ૧૪ પર પહોંચ્યો છે. આ ઉપરાંત હવે આણંદ અને સાબરકાંઠા એમ બે નવા જિલ્લાઓમાં પણ કોરોનાએ પગરણ માંડ્યા છે.

ગુજરાતમાં લોકલ ટ્રાન્સમિશન ધરાવાતા કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. સોમવારની સાંજથી અત્યાર સુધીમાં ૧૯ નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં ૧૩, પાટણમાં ત્રણ, ભાવનગર, પાટણ અને સાબરકાંઠામાં એક-એક કેસ નોંધાયા હતા. અત્યાર સુધીમાં કુલ ૧૬૫ પોઝિટિવ કેસમાંથી ૧૦૦ જેટલા લોકલ ટ્રાન્સમિશન, ૩૩ વિદેશી ટ્રાવેલ હિસ્ટ્રી અને ૩૨ આંતરરાજ્ય ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે. છેલ્લા ૨૪ કલાકમાં ૨૯૮ ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા. જેમાંથી ૨૩૭ નેગેટિવ છે, ૨૧ પોઝિટિવ અને ૪૦ કેસ પેન્ડિંગ છે. આમ અત્યારસુધીમાં કુલ ૩૦૪૦ ટેસ્ટ કરાયા છે. જેમાંથી ૧૬૫ પોઝિટિવ, ૨૮૩૫ નેગેટિવ અને ૪૦ કેસ પેન્ડિંગ છે. જિલ્લાવાર આંકાડાઓ જોઇએ તો અમદાવાદમાં ૭૭ પોઝિટિવ કેસ અને ૫ના મોત, સુરતમાં ૧૯ કેસ અને ૩ના મોત, ભાવનગરમાં ૧૪ કેસ અને ૨ના મોત, ગાંધીનગરમાં ૧૩ કેસ, વડોદરામાં ૧૨ કેસ અને ૨ના મોત, રાજકોટમાં ૧૦ કેસ, પાટણમાં ૫ કેસ, પોરબંદરમાં ત્રણ કેસ, મહેસાણામાં બે કેસ, કચ્છમાં બે કેસ, ગીર સોમનાથમાં બે કેસ, પંચમહાલમાં એક કેસ અને એક મોત, સાબરકાંઠા, આણંદ, મોરબી, છોટાઉદેપુર અને જામનગરમાં એક-એક પોઝિટિવ કેસ નોંધાયા હતાં.

Reported on 7 April 2020

ગુજરાતમાં 19 નવા કેસ : અમદાવાદમાં 13, પાટણમાં 3 અને આણંદ, સાબરકાંઠા અને ભાવનગરમાં 1-1-1 : ગુજરાતના પ્રયાસો યુદ્ધ સ્તરીય

તા.7મી એપ્રિલને મંગળવારે ગુજરાતમાં કોરોના પોઝીટીવ દર્દીઓની સંખ્યા વધીને 165 થવા પામીછે. સૌથી વધુ કેસીસ અમદાવાદ ખાતેથી પણ મળી આવ્યા હતા. નવા જિલ્લાઓમાં પણ કોરોના પોઝીટીવ કેસો મળવાના શરૂ થયા છે. હવે ગુજરાતમાં કુલ 16 જિલ્લાઓમાં પહોંચી ચૂક્યો છે કોરોના વાઇરસ. ગુજરાતમાં આજે તા.7મી એપ્રિલે સવારે 19 નવા કેસો જાહેર થયા હતા જેમાંથી 13 અમદાવાદ, 3 પાટણ અને ભાવનગર, આણંદ અને સાબરકાંઠા ખાતે 1-1-1 નવા કેસો મળી આવ્યા છે.

કોરોના વાઇરસને પહોંચી વળવા માટે તેમજ પ્રીપેડનેસ પ્લાનમાં ગુજરાત સરકાર અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના પ્રયાસો યુદ્ધસ્તરીય ગણાય છે. ગુજરાતની કામગીરીની પ્રશંસા પણ થઇ રહી છે. ગુજરાતમાં જે પ્રમાણે કેસો છે તેની સામે પ્રીપેડનેસ તેમજ ઘનિષ્ઠ કામગીરીને કારણે મોટા પ્રમાણમાં સંક્રમણને ટાળી શકાઇ રહ્યું છે.

ગુજરાતમાં છેલ્લા રવિવાર અને સોમવાર તા.5 અને 6 એપ્રિલ 2020ના આ બે દિવસમાં રાજ્યભરમાંથી કોરોના પોઝીટીવ હોય એવા 39 નવા કેસ મળી આવ્યાં છે. ગુજરાતમા કુલ કોરોના પોઝિટિવ કેસનો આંકડો 146એ પહોંચ્યો છે. ગુજરાતમાં કોરોના વાયરસના કારણે 12 વ્યક્તિઓ મોતને ભેટ્યા છે. આરોગ્ય સચિવ જયંતિ રવિએ જણાવ્યું હતું કે, રાજ્યમાં કોરોના વાયરસના કુલ 15 હોટસ્પોટ જાહેર કરવામાં આવ્યાં છે. જેમના માટે પણ ચોક્કસ એક્શન પ્લાન તૈયાર થઈ રહ્યો છે.

ગુજરાતમાં અત્યાર સુધીમાં 87 કેસ લોકલ ટ્રાન્સમિશનના થયાં છે. જેમાંથી એક ચોક્કસ વિસ્તારમાંથી જ 31 કેસ સામે આવ્યાં છે. જ્યારે વિદેશથી આવેલા દર્દીઓની સંખ્યા 33 થઈ છે.

ગુજરાતમાં સિટીવાઇઝ કેસીસ

  • અમદાવાદમાં 77 કેસ
  • સુરતમાં 19
  • રાજકોટમાં 10
  • વડોદરા 12
  • ગાંધીનગર 13
  • ભાવનગરમાં 14
  • કચ્છ 2
  • મહેસાણામાં 2
  • પોરબંદરમાં 3
  • ગીર સોમનાથમાં 2
  • પંચમહાલ અને
  • છોટા ઉદેપુરમાં 1-1
  • પાટણમાં 5
  • જામનગર 1
  • આણંદ 1
  • મોરબીમાં 1 કેસ

રાજ્યના 15 વિસ્તારો કોરોના હોટસ્પોટ

અમદાવાદમાં સૌથી વધુ 8 વિસ્તાર હોટસ્પોટ જાહેર કરાયા હતાં. જેમાં

  • દાણીલીમડા,
  • રખિયાલ,
  • જમાલપુર,
  • બાપુનગર,
  • હીરાવાડી,
  • આંબાવાડી,
  • શાહઆલમ અને
  • દરિયાપુરનો સમાવેશ થાય છે.

સૂરતના ત્રણ વિસ્તારો કોરોના હોટસ્પોટમાં

  • સચિન
  • રાંદેર
  • બેગમપરા

વડોદરામાં

  • સૈયદપરા અને
  • નાગરવાડા

ભાવનગર શહેરના

  • રુવાવડી અને
  • સંધિયાવાડ વિસ્તારને હોટસ્પોટ જાહેર કરાયા છે.

સુરત બેગમપુરાના ૧૧૪૭ મકાનના ૬૦૦૦ લોકો ક્વોરન્ટાઇન

સૂરત શહેરમાં બેગમપુરાના વૃદ્ધ અને તેના એક દિવસ બાદ તેમની સાસુના સેમ્પલમાં કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું હતુ. રવિવારે બેગમપુરા અને ઝાંપાબજારમાં મનપા દ્વારા ડિસઇન્ફેક્ટિવની કામગીરી કરવામાં આવી હતી. સાથે બેગમપુરા હાથી ફળિયાના ૧૧૪૭ મકાનમાં રહેતા છ હજાર લોકોને ક્વોરટાઈન કરવામાં આવ્યા હતા.

બેગમપુરાથી ઝાંપાબજાર વિસ્તાર નજીક હોવાથી ઝાંપાબજાર વિસ્તારની તમામ માર્કેટો ૧૪ એપ્રિલ સુધી બંધ રાખવા સુરત મનપા દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યુ હતું. જાહેરનામાંના અમલનો ભંગ કરનાર સામે એપેડેમિક ડીઝીસ એક્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવશે.

અમદાવાદ એરપોર્ટ પર વિદેશથી આવેલા તમામ લોકોનું ૧૪ દિવસનું હોમ ક્વોરેન્ટાઈન પૂર્ણ

ગુજરાતમાં અમદાવાદ એરપોર્ટ પર માર્ચ મહિનામાં ૫૨૧૯ લોકો વિદેશથી આવ્યા છે. જેમનો ૫૨૧૯ લોકોનો ૧૪ દિવસનો ક્વોરન્ટાઈન સમય પણ પૂર્ણ થયો છે. વિદેશથી આવેલા લોકોએ શિસ્ત જાળવી તે આપણા માટે મોટી વાત છે, જ્યારે નિયમભંગ કરનારા નવ લોકો વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવાની વાત કબૂલી હતી. અમદાવાદના હોટસ્પોટ કરાયેલા વિસ્તારોમાં કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો હોવાનું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિજય નહેરા દ્વારા જણાવવામાં આવ્યુ હતું.

વલસાડના નારગોલમાં ૨૩ બોટમાં આવેલા ૧૧૨૩ માછીમારને ક્વોરન્ટાઈન કરાયા

નારગોલ-ઉમરગામ, મરોલીના સ્થાનિક માછી સમાજના વિરોધ વચ્ચે સૌરાષ્ટ્રથી આવેલી ૨૩ બોટના ૧૫૦૦થી વધુ માછીમાર ખલાસીને નારગોલ બંદરે ઉતારવામાં આવ્યા હતા. જે બાદ આરોગ્ય ખાતાની ટીમ દ્વારા તમામનું થર્મલ સ્કેનિંગ કરવામાં આવ્યું અને ૧૪ દિવસ સુધી હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા હતા.

વલસાડના નારગોલમાં ૧૮૦૦માંથી ૧૧૨૩ માછીમાર ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. સૌરાષ્ટ્રથી નારગોલ ૧૮૦૦ જેટલા માછીમારો આવ્યા હતા. મહારાષ્ટ્ર સહિત અન્ય રાજ્યના માછીમારોને પરત મોકલાશે.

એક માછીમારમાં કોરોનાના લક્ષણ દેખાતા દાખલ કરાયા હતા. ઉમરગામ, નારગોલ અને મરોલી કાંઠાના ગામના લોકો અને માછી સમાજના વિરોધના કારણે સૌરાષ્ટ્રથી ખલાસીઓ ભરીને આવેલી બોટ ઉમરગામના મધદરિયે છેલ્લા બે દિવસથી અટવાઈ પડી હતી. આ બોટમાં ઉમરગામ તાલુકાના સ્થાનિક માછીમારો ખલાસી ભાઈઓ હોવાથી મંત્રી રમણભાઈ પાટકરે સ્થાનિક માછીમારો અને વહીવટી તંત્ર સાથે ચર્ચા વિચારણા કરી હતી. જે બાદ આખરે ઉમરગામ નારગોલ બંદરે ૨૩ જેટલી બોટને લંગારાઈ હતી. જેમાંના અંદાજે ૧૫૦૦ જેટલા ખલાસીઓને પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ઉતારવામાં આવ્યા હતા.

આ તમામ ખલાસીઓનું આરોગ્ય વિભાગની ટીમ દ્વારા થર્મલ સ્કેનિંગ કરવામાં આવ્યું હતું અને તમામ સ્થાનિક ખલાસીઓને પોતાના ઘરે મોકલી ૧૪ દિવસ સુધી હોમ ક્વોરન્ટાઇન કરી દેવાયા હતા. આ તમામ ખલાસીઓ સ્વસ્થ હોવાનું આરોગ્ય વિભાગ પાસેથી જાણવા મળ્યું હતું. જ્યારે એક ખલાસીને તાવ, શરદી અને ખાંસીના લક્ષણો જણાતા તાત્કાલિક વલસાડની સિવિલ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો હતો.

આ બોટમાં વલસાડ-નવસારી અને બીલીમોરાના પણ ખલાસીઓ હતા. તેઓને ધોલાઈ બંદરે ઉતારવામાં આવ્યા હતા. વધુમાં આ બોટમાં ઉમરગામ તાલુકાને અડીને મહારાષ્ટ્રના ગામડાઓના પણ અંદાજે ત્રણસો જેટલા ખલાસીઓ હોવાનું કહેવાય છે.

વડોદરામાં કોરોના વાઈરસથી વધુ 2 પોઝિટિવ 1 દર્દીનું મોત

વડોદરામાં કોરોના વાઈરસથી આજે સોમવારે વધુ એક મોત થયું છે. શ્રીલંકાના પ્રવાસે પરત ફરેલી મહિલાનું કોરોના વાઈરસથી મોત થયું હતું. જેથી વડોદરા શહેરમાં અત્યાર સુધીમાં કોરોના વાઈરસથી બે દર્દીઓના મોત થઇ ચૂક્યાં છે જ્યારે નવાં બે પોઝિટિવ કેસ નોંધાયાં કુલ દર્દીઓની સંખ્યાં ૧૨ થઇ છે.

વડોદરા જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલે જણાવ્યું કે, વડોદરા શહેરના ૬૨ વર્ષની કોરોનાગ્રસ્ત મહિલાનું આજે સવારે સારવાર દરમિયાન સયાજી હોસ્પિટલમાં મોત થયું છે. આ મહિલા શ્રીલંકાના પ્રવાસેથી પાછા ફર્યા પછી ૧૮ માર્ચે હોસ્પિટલમાં દાખલ થયા પછી તેમનો કોરોના વાઈરસનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ તેમની સારવાર કરવામાં આવી રહી હતી. જોકે આજે સવારે સારવાર દરમિયાન તેમનું મોત થયું છે. વડોદરામાં કોરોના વાઈરસથી અગાઉ એક પુરુષનું મોત થયું હતુ અને આજે એક મહિલાનું મોત થયું છે. એક ૧૫ વર્ષની ઉંમરના કિશોર અને ૨૭ વર્ષની ઉંમરના યુવાનનો કોરોના વાઈરસનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. વડોદરાના કોરોના પોઝિટિવની સંખ્યા વધીને ૧૨ થઇ ગઇ છે. આ લોકોના સેમ્પલ ગઇકાલે લેવામાં આવ્યા હતા. એમને હાલમાં ગોત્રી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.

Stage wise

ભારત હાલ બીજા અને ત્રીજા સ્ટેજની વચ્ચે છે

(કેન્દ્રીય આરોગ્ય વિભાગના પ્રવક્તા લવ અગ્રવાલના કહેવા મુજબ)

જાણો શું છે કોરોના વાયરસના વિવિધ સ્ટેજ

સ્ટેજ 1માં જે લોકો કોરોના વાયરસ જ્યાં ફેલાયો હોય તે દેશમાંથી આવે છે સૌથી પહેલા ઉદગમ કેન્દ્ર એટલે કે ચીનના લોકો ચેપગ્રસ્ત બન્યા. બાદમાં ઈટાલી અને ચીનમાંથી આવ્યા તે પૈકી કેટલાંક લોકોમાં કોરોના વાયરસ જોવા મળ્યો.

સ્ટેજ 2 માં વિદેશથી આવેલા લોકો દ્વારા દેશના અન્ય લોકોમાં કોરોના વાયરસ ફેલાય છે.

સ્ટેજ 3 માં કોરોના વાયરસ ચેપગ્રસ્ત લોકોના સંપર્કમાં આવનારા અન્ય સામાન્ય લોકોમાં આ ચેપ ફેલાય છે. સ્ટેજ 3ને રોકવા માટે જ લોકડાઉન જાહેર કરવામાં આવે છે. લોકોને ઘરમાં રહેવાનું જણાવવામાં આવે છે.

જ્યારે સ્ટેજ 4માં આ મહામારી પર નિયંત્રણ નથી રહેતું અને નવા કેસ સામે આવવા લાગે છે. જેમાં દેશના મોટાભાગના વિસ્તારમાં આ ચેપ ફેલાઈ જાય છે. 

April 6, 2020
CIA_Live_Logo_New2.jpg
1min7050
આ સ્ક્રીન શૉટ ઓ.એલ.એક્સ. પર ફરતો થયો હતો જેમાં લખવામાં આવ્યું હતું કે સરદાર પટેલની વિરાટ પ્રતિમા રૂ.30 હજાર કરોડમાં વેચવાની છે. જોકે, ગણતરીના કલાકોમાં ઓ.એલ.એક્સ. દ્વારા આ પોસ્ટ ડિલીટ કરી દેવામાં આવી હતી. તેમજ કેવડીયા પોલીસ મથકમાં વણઓળખાયેલા વ્યક્તિ સામે પોલીસ ફરીયાદ દાખલ કરવામાં આવી છે.

ભારત સમેત સમગ્ર વિશ્વ જ્યારે કોરોના સામે વિશ્વયુદ્ધથી મોટી લડાઇ લડી રહ્યા છે ત્યારે એક વણઓળખાયેલા શખ્સે ભારતની શાન સમા સ્ટેચ્યુ ઓફ લિબર્ટી સરદાર પટેલની વિરાટ પ્રતિમાને રૂ.30 હજાર કરોડમાં સેલિંગ શોપિંગ સાઇટ OLX પર વેચવા મૂકી દીધી હતી. વણઓળખાયેલા શખ્શની આ કરતૂતની જાણ OLXને પણ કલાકો બાદ થઇ હતી જ્યારે સોશ્યલ મિડીયામાં તેના સ્ક્રીન શૉટ ફરવા માંડ્યા હતા. તુરંત જ OLX દ્વારા એ પોસ્ટને હટાવી દેવામાં આવી હતી.

ગઇ તા.4 એપ્રિલના રોજ OLX પર સ્ટેચ્યુ ઓફ યુનિટીનો ફોટો એક લખાણ સાથે વાયરલ થયો હતો. જેમાં લખ્યું હતું કે, ‘ઈમરજન્સી! હોસ્પિટલ અને હેલ્થકેરના સાધનો માટે રૂપિયાની તાત્કાલિક જરૂર હોવાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને વેચવાનું છે’

સ્ટેચ્યુ ઓફ યુનિટીના અધિકારીઓએ તા.4 એપ્રિલ 2020ના રોજ નર્મદા જિલ્લાના કેવડીયા પોલીસ સ્ટેશનમાં વણઓળખાયેલા ઇસમ સામે નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું છે કે અજાણ્યા વ્યક્તિએ ઈરાદાપૂર્વક ભારત માટે ગૌરવ સમા સરદાર વલ્લભભાઇ પટેલની વિશ્વની સૌથી ઉંચી વિરાટ પ્રતિમાને ઓનલાઈન પર વેચાણ માટે મૂકી દીધી હતી. ભારત સમેત વિશ્વના કરોડો લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનું આ કૃત્ય હતું.

‘સમગ્ર રીતે ગેરકાનૂની અને વિશ્વભરને ગેરમાર્ગે દોરીને સરકારી સંપત્તિને વેચવાનો પ્રયાસ કરનાર અજાણ્યા શખ્સ સામે અમે ફરિયાદ નોંધાવી છે’, તેમ SoUના ડેપ્યુટી CEO નિલેશ કુમાર દુબેએ જણાવ્યું. કેવડિયા પોલીસ સ્ટેશનના પી.ટી. ચૌધરીએ જણાવ્યું કે, ‘અમારી પાસે SoUને ઓનલાઈન વેચવાના પ્રયાસના સ્ક્રીનશોટ છે. જે પણ વ્યક્તિએ આ કરતૂત કરી છે, તેને અમે ઝડપી પાડીશું’.

April 4, 2020
CIA_Live_Logo_New2.jpg
13min17520

વાહન પ્રતિબંધ પરીણામદાયી : ગુજરાતમાં નવા 16 કેસ : અમદાવાદના 11, વડોદરામાં 2 અને સુરત, પાટણ અને મહેસાણામાં 1-1 નવા કેસ

વાહન પ્રતિબંધ પરીણામદાયી

અમદાવાદ બાદ સૂરત શહેરમાં રવિવારે રાત્રે 12 વાગ્યાથી પ્રાઇવેટ વાહનોની અવરજવર પર સંપૂર્ણ પણે પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. આ પ્રતિબંધની ખાસ્સી અસર સૂરત શહેરના માર્ગો પર જોવા મળી હતી. આ વાહન પ્રતિબંધ સૂરત માટે પરીણામદાયી રહ્યો છે. સૂરતના માર્ગો પર હવે એકલદોકલ વાહનો જોવા મળી રહ્યા છે.

સૂરતમાં એક કેસ ઉમેરાયો

સૂરતમાં સોમવારે સવારે મળેલી માહિતી મુજબ રાંદેરના અલમિન એપાર્ટમેન્ટમાં રહેતા 52 વર્ષિય પુરુષનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો હતો. મેયર ડો.જગદીશ પટેલએ પોતાના ફેસબુક પેજ પર આ માહિતી શેર કરતા જણાવ્યું હતું કે સૂરત શહેરમાં હવે કુલ 15 કોરોના પોઝીટીવ કેસ થયા છે જ્યારે સૂરત ગ્રામ્ય વિસ્તારમાં 2 કેસ થયા છે. સૂરતમાં અત્યાર સુધી કુલ 205 સેમ્પલ્સ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 188 નેગેટિવ આવ્યા છે. જ્યારે 2 કેસમાં રિપોર્ટની રાહ જોવાય રહી છે.

સોમવારે સવારે મહાનગરપાલિકાની સત્તાવાર માહિતી મુજબ નવા 5 દર્દીઓને શંકાસ્પદ કોરોના લક્ષણો જોવા મળતા તેમને હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યા છે. આ પાંચ દર્દીઓમાં નવા ગામ ડીંડોલી વિસ્તારના એક વર્ષના બાળકનો પણ સમાવેશ થતો હતો. પરંતુ, સદનસીબે એ બાળકનો ટેસ્ટ નેગેટીવ આવતા તમામને રાહત થઇ હતી.

  • સૂરત અપડેટ્સ.
  • કુલ સેમ્પલ્સ 205
  • પોઝીટીવ કેસ સિટી 15 (એક્ટીવ કેસ 09)
  • પોઝીટીવ કેસ ગ્રામ્ય 02
  • નેગેટીવ 188
  • મૃત્યુ 02
  • રિકવર 04
  • રિપોટર્ વેઇટિંગ 07

ગુજરાતમાં રવિથી સોમવારે સવાર સુધીમાં નવા 16 કેસ મળ્યા

ગુજરાતમાં નવા મળેલા 16 કેસોમાં 11 અમદાવાદના, વડોદરાના 2, મહેસાણા, સુરત અને પાટણના 1-1 કેસો હોવાનું જણાવાયું હતું.

રવિવારે રાત્રે 9 કલાકે પૂરા થયેલા છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના 20 નવા કેસ નોંધાયા છે, અને આ સાથે જ રાજ્યમાં કન્ફર્મ કેસનો આંકડો 128ને આંબી ગયો છે. આરોગ્ય ખાતાના અગ્રસચિવ જયંતિ રવિના જણાવ્યા અનુસાર, રવિવારે સવારે 10 વાગ્યા સુધીમાં 14ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ સાંજે 7.30 કલાક સુધીમાં વધુ છ દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આજે ચાર દર્દીઓને રજા પણ આપવામાં આવી છે.

રવિવાર તા.5મી એપ્રિલે જામનગરમાં 14 મહિનાના બાળકનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. આ બાળકને હાલ વેન્ટિલેટર પર રાખવામાં આવ્યું છે. આ ઉપરાંત, અમદાવાદમાં એક વૃદ્ધ પણ હાલ વેન્ટિલેટર પર છે, જ્યારે બાકીના 94 દર્દીઓ સ્ટેબલ છે અને 21 દર્દીઓને રજા આપી દેવામાં આવી છે. ગુજરાતમાં અત્યારસુધી આ વાયરસને કારણે 11 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જોકે, આજે એકપણ દર્દીનું મોત નથી થયું.

રવિવારે ગુજરાતમાં કોરોના વાયરસના 20 નવા દર્દીઓ સામે આવ્યા, જે એક દિવસમાં સામે આવેલા કોવિડ-19ના દર્દીનો સૌથી મોટી સંખ્યા છે. ગુજરાતમાં કોરોનાના હોટસ્પોટ તરીકે જાહેર થયેલા અમદાવાદમાં કોરોનાના નવા 8 સેમ્પલ્સ પોઝીટીવ આવતા રાજ્યમાં કોરોના દર્દીની સંખ્યા વધીને 128 થઈ પર પહોંચી ગઇ હતી.

મોતના મામલે દેશમાં ગુજરાત મહારાષ્ટ્ર પછી બીજા નંબરે

એથી વિશેષ ગુજરાતમાં કોરોનાથી કુલ 11 લોકોના મોત થઇ ચૂક્યા છે સમગ્ર દેશમાં મૃત્યુના મામલે મહારાષ્ટ્ર બાદ ગુજરાત બીજા નંબરે છે.

ગુજરાતમાં તબલીગી મરકઝના કનેકશનમાં કોરોનાના કેસો મળી આવ્યા

રાજ્યના સ્વાસ્થ્ય વિભાગ મુજબ, રવિવારે સામે આવેલા 20 કેસોમાંથી 9 જેટલા કેસોનું કનેક્શન તબલીગી જમાત સાથે જોડાયેલું છે. ડીજીપી શિવાનંદ ઝાએ કન્ફર્મ કર્યું હતું કે, 6 દર્દીઓની દિલ્હીની ટ્રાવેલ હિસ્ટ્રી રહી છે. ગુજરાત પોલીસે એવા 126 લોકોની ઓળખ કરી છે જેઓ મરકજમાં ગયા હતા.

India Update

  • Confirmed Cases 4,067
  • Total Deaths 109
  • Total Recovered 292
  • Active Cases 3,666
STATE/UTCaseDeath
MAHARASHTRA69045
TAMIL NADU5715
DELHI5037
TELANGANA3217
KERALA3142
RAJASTHAN2530
U.P.2272
A.P.2263
M.P.1659
KARNATAKA1514
GUJARAT12811
JAMMU1062
HARYANA841
WEST BENGAL803
PUNJAB686
BIHAR301
ASSAM260
UTTARAKHAND260
ODISHA210
CHANDIGARH180
LADAKH140
HIMACHAL131
ANDAMAN100
CHHATTISGARH90
GOA70
PUDUCHERRY50
JHARKHAND30
MANIPUR20

ભારતમાં કોરોના વાયરસના સંક્રમણથી પીડીત દર્દીઓનો આંકડો કૂદકેને ભૂસકે વધી રહ્યો છે. તા.1લી એપ્રિલે 2000 કેસો હતા જે તા.5મી એપ્રિલની રાત્રે વધીને 4200 પ્લસ થઇ ગયા છે. રવિવારના 24 કલાકમાં ભારતમાં કોરોનાથી પીડીત 27 દર્દીઓનાં મોત થયા બાદ વાયરસના કારણે મૃત્યુ પામનારા લોકોની સંખ્યા 100ને પાર થઈ ગઈ છે. રવિવારે ઓછામાં ઓછા 12 લોકોના મોત થયા હોવાની વાતને સમર્થન આપવામાં આવ્યું છે. દેશમાં કોરોના વાયરસના પીડિતોની સંખ્યામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે.

Reported on 5 April

Surat Update સૂરતમાં Saturday 3 નવા કેસો મળતા એલર્ટ

સૂરત શહેરમાં રવિવાર તા.5મી એપ્રિલે સવારે નવા બે પેશન્ટના કોવીડ-19 રિપોર્ટ પોઝીટીવ આવ્યા હતા. શનિવારે એક મહિલાનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો જેનું શનિવારે મોડીરાત્રે નિધન થયું હતું. રવિવારની સવારે વધુ 2 નવા કેસો મળી આવતા સૂરત શહેર માટે આગામી દિવસો ચિંતાજનક સ્થિતિના હોવાનું જણાય આવે છે.

સૂરતના નવા કેસોમાં પાંડેસરા સ્થિત ડીમાર્ટના સેલ્સમેનની માતાનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. જ્યારે ઝાંપાબજાર હાથી ફળિયામાં રહેતા રમેશચંત્ર રાણાનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હોવાનું જાણવા મળે છે.

  • એક્ટીવ પોઝીટીવ કેસ સિટી વિસ્તાર 09
  • એક્ટીવ પોઝીટીવ કેસ ગ્રામ્ય વિસ્તાર 02
  • 2 ના મોત
  • 3 પેશન્ટ રિકવર
  • રિપોર્ટ પેન્ડીંગ 05

Gujarat Update ગુજરાતમાં 123 કેસો થઇ ગયા

રાજ્યમાં કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા રવિવારે સવારે 10 વાગ્યે 110 પર પહોંચી ગઇ હતી. શનિવારે 13 અને રવિવારે સૂરતમાં નવા 2 કેસો મળીને કુલ 15 કેસ છેલ્લા 24 કલાકમાં મળ્યા હતા.

રાજ્યમાં કોરોનાના પોઝીટીવ હોય એવા દર્દીઓની સંખ્યા 108 પર પહોંચી ગઇ છે. શનિવારે રાત્રે 12 કલાકે વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના પોઝીટીવ હોય એવા કુલ 13 નવા કેસ સામે આવ્યા છે. શનિવારે જે નવા પોઝીટીવ કેસોમાં અમદાવાદના 7 દર્દીઓનો, ભાવનગરના 2, ગાંધીનગરના 2, પાટણ અને સુરતના 1-1 દર્દી હોવાનું જાણવા મળ્યું છે.

શનિવારના નવા 14 કન્ફર્મ કેસમાંથી એક જ કેસમાં દર્દી ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે, જ્યારે બાકીના બધા લોકલ ટ્રાન્સમિશનના છે. પાટણ જિલ્લામાં પણ આજે સૌપ્રથમ કેસ સામે આવ્યો છે.

અમદાવાદ તેમજ સુરત જેવા શહેરોના ગીચ વિસ્તારમાં પ્રસરી રહ્યો છે ત્યારે આ વિસ્તારોમાં આવેલી સોસાયટીઓ અને રહેણાંક વિસ્તારોને આઈસોલેટ કરાઈ રહ્યા છે, અને લોકોના ઘરની બહાર નીકળવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.

ગુજરાતમાં કોરોના પોઝીટીવના 108માંથી 64 કેસ લોકલ ટ્રાન્સમિશનના

ગુજરાતમાં નોંધાયેલા 108 કેસમાંથી 64 લોકલ ટ્રાન્સમિશનના છે, જ્યારે ફોરેન ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા 34 કેસ છે. 10 દર્દીઓ ઈન્ટર સ્ટેટ ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે. 10 મૃતકોમાંથી લોકલ ટ્રાન્સમિશનથી આ વાયરસનો ભોગ બનેલા લોકોની સંખ્યા 6 થાય છે, અને 2-2 મૃતકો ઈન્ટર સ્ટેટ ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે. રાજ્યમાં અત્યારસુધી 13 લોકોને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ પણ આપવામાં આવ્યો છે.

યુવાનો ભોગ બની રહ્યા છે કોરોના વાઇરસનો ભારતમાં 42 ટકા દર્દીઓ 21થી 40 વર્ષના

કોરોના વાયરસ વિશે માનવામાં આવી રહ્યું છે કે, તે વૃદ્ધોને સરળતા પકડમાં લઈ રહ્યો છે, પરંતુ ભારતમાં આંકડા ચોંકાવનારા છે. સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ દેશમાં કોરોના સંક્રમણના સૌથી વધુ 42 ટકા કેસ 21-40 વર્ષની ઉંમરના છે. 33 ટકા મામલા 41-60 વર્ષની ઉંમરના અને 17 ટકા મામલા 60 વર્ષથી વધુ ઉંમરના છે. 9 ટકા મામલા 0-10 વર્ષની ઉંમરના ગ્રુપના છે.

લૉકડાઉનમાંથી કેવી રીતે બહાર નીકળવું પીએમ મોદીએ રાજ્યોના મુખ્યમંત્રીઓ પાસે ઇનપૂટ્સ મંગાવ્યા

જેમ જેમ તા.14મી એપ્રિલ નજીક આવી રહી છે તેમ તેમ દેશના લોકોમાં લૉકડાઉન સમાપ્તિ અંગેની તાલાવેલી અને અધિરાઇ સ્પષ્ટ કરતી ઘટનાઓ આકાર પામી રહી છે. કેન્દ્રની ઉચ્ચસ્તરીય ટીમ લૉકડાઉન સમાપ્તિ અંગે હાલ રોજેરોજ મનોમંથન કરી રહી છે.

દરમિયાન ગઇ તા.3 એપ્રિલના રોજ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 14 એપ્રિલે પૂરા થનારા ‘કોરોના લોકડાઉન’માંથી તબક્કાવાર ધોરણે બહાર નીકળવાનાં સૂચન મંગાવ્યા હતા. રાજ્યોના મુખ્યમંત્રીઓને કોમન સ્ટ્રેટેજી તેમજ એક્ઝીટ પ્લાન અંગે ઇનપૂટ્સ આપવા જણાવાયું હતું. વડાપ્રધાન કાર્યાલય (PMO)ની યાદી અનુસાર શુક્રવારે સવારે રાષ્ટ્રને સંબોધન પહેલાં મોદીએ વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથેની વાતચીતમાં કોમન ‘એક્ઝિટ સ્ટ્રેટેજી’ સૂચવવા સૂચવ્યું હતું.

સમગ્ર ચર્ચાનો હેતુ એ હતો કે લોકડાઉન પૂરું થયા પછી બધા લોકો એકસાથે રસ્તા પર ઊતરી ન પડે. આપણે શૂન્યમાંથી 100 ટકા પ્રવૃત્તિ શરૂ કરી ન શકીએ. આપણે લોકડાઉન ધીમેધીમે ખોલવું પડશે.” ગૃહ સચિવ અજય કુમાર ભલ્લાની આગેવાનીમાં અધિકારીઓનું સત્તાધારી જૂથ અન્ય દેશોના અનુભવને આધારે વ્યૂહરચના ઘડવાનું કામ કરી રહ્યું છે.

સરકાર કોરોના હોટસ્પોટને બંધ રાખી કેટલાક વિસ્તારોને ખોલવાની યોજના ઘડી શકે. ઉપરાંત, સિનિયર સિટિઝન પરનો અંકુશ લાંબો સમય ચાલુ રાખવાનો નિર્ણય પણ લેવાઈ શકે.

  • વડાપ્રધાને મુખ્યમંત્રીઓ સાથે આ મુદ્દાઓ પર વિચાર આદાન પ્રદાન કર્યા હતા.
  • વડાપ્રધાને રાજ્યોને કોવિડ-19 સામેની લડતમાં
  • સક્રિય સંખ્યાબંધ હેલ્થ વર્કર્સની સંખ્યામાં વધારો કરવાના વિકલ્પો
  • સહાયની રકમ તબક્કાવાર ધોરણે ચૂકવવા
  • બેન્કોમાં ભીડને ટાળી શકાય
  • તબીબોની ઉપલબ્ધતા વધારવા
  • રાજ્યોને AYUSHના ડોક્ટર્સનો ઉપયોગ કરવા
  • ઓનલાઇન ટ્રેનિંગ ગોઠવવા
  • પેરામેડિકલ સ્ટાફ, NCC અને NSSના સ્વયંસેવકોનો કાર્યક્ષમ ઉપયોગ

મોદીના જણાવ્યા અનુસાર આગામી કેટલાંક સપ્તાહમાં ટેસ્ટિંગ, ટ્રેસિંગ, આઇસોલેશન અને ક્વોરન્ટાઇન પર ધ્યાન આપવાનો નિર્દેશ અપાયો હતો.

દેશના કુલ કોરોના કેસીસમાં 1023 કેસોનું દિલ્હી તબલીગી મરકઝ સાથે કનેકશન

કોરોના વાયરસના મામલામાં છેલ્લા કેટલાક દિવસોમાં દેખાઈ રહેલો ઉછાળો ઘણી હદ સુધી તબલીગી જમાતની બેજવાબદારી જવાબદાર છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે, દેશમાં અત્યાર સુધીમાં સામે આવેલા કુલ મામલામાં 30 ટકા તો માત્ર ‘એક ખાસ સ્થાન’ સાથે જોડાયેલા છે. આ સ્થાન બીજું કોઈ નહીં પરંતુ જમાતની હેડ ઓફિસ નિઝામુદ્દીન મરકઝ છે, જ્યાં ગત મહિને થયેલા જલસામાં સામેલ થયેલા લોકો મોટી સંખ્યામાં કોરોના વાયરસ પોઝિટિવ હોવાનું બહાર આવ્યું છે. અત્યાર સુધીમાં 1023થી વધુ તબલીગી સભ્યોમાં કોરોનાની પુષ્ટિ કરવામાં આવી ચૂકી છે.

આરોગ્ય ખાતાના પ્રવક્તા લવ અગ્રવાલે કહ્યું અન્ય દેશોની સંરખામણીમાં વાઇરસ ફેલાવાનો દર ભારતમાં ઓછા સ્તરે

કોરોના વાયરસના મામલામાં ઉછાળો તો આવ્યો છે, પરંતુ સરકારે આશ્વાસન આપ્યું છે કે, ડરવાની જરૂર નથી. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પોતાની ડેલી પ્રેસ બ્રીફિંગમાં શનિવારે જણાવ્યું કે, દેશમાં આ વાયરસના ફેલાવાનો દર ઘણા અન્ય દેશોની સરખામણીમાં ઓછો છે અને 30 ટકા મામલા માત્ર ‘એક ખાસ સ્થાન’ સાથે જોડાયેલા છે.

આયુષ્યમાન ભારત હેઠળ ખાનગી હોસ્પિટલોમાં મફત થશે કોરોના ટેસ્ટ અને સારવાર

નેશનલ હેલ્થ ઓથોરિટી (એનએચએ)એ શનિવારે એક મહત્વની અખબારી યાદીમાં જણાવ્યું હતું કે આયુષ્યમાન ભારતના લાભાર્થીઓને ટૂંક સમયમાં જ કોરોના વાયરસના ટેસ્ટ અને સારવાર મફતમાં ઉપલબ્ધ કરાવવા અંગેના આદેશો જારી કરી દેવામાં આવ્યા છે. નેશનલ હેલ્થ ઈન્સ્યોરન્સ સ્કીમને અમલી બનાવનાર એનએચએનું કહેવું છે કે આનાથી કોરોના વાયરસ સામે લડવામાં દેશની તાકાતમાં વધારો થશે. લાભાર્થીઓને આ યોજના સાથે જોડાયેલી લેબોરેટરી અને હોસ્પટિલોમાં મફત ટેસ્ટ અને સારવાર મળી શકશે.

એનએચએ દ્વારા જારી એક યાદીમાં કહેવામાં આવ્યું છે કે હાલમાં જાહેર સુવિધાઓમાં કોવિડ-19નો ટેસ્ટ અને સારવાર મફતમાં ઉપલબ્ધ છે. હવે 50 કરોડ નાગરિકો આ હેલ્થ એસ્યોરન્સ સ્કીમ અંતર્ગત ખાનગી લેબમાં કોવિડ-19નો મફતમાં ટેસ્ટ કરાવી શકશે અને તેની સાથે જોડાયેલી હોસ્પિટલોમાં મફત સારવાર કરાવી શકશે.

આયુષ્યમાન ભારત પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના (એબી-પીએમજેએવાય) સાથે જોડાયેલી હોસ્પિટલો તેમની સત્તાવાર ટેસ્ટિંગ સુવિધાઓનો ઉપયોગ કરી શકે છે, તેમ એનએચએ દ્વારા જારી કરવામાં આવેલી યાદીમાં કહેવામાં આવ્યું છે.

ઈન્ડિયન કાઉન્સિલ ફોર મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર) દ્વારા બનાવવામાં આવેલા પ્રોટોકોલ મુજબ જ ખાનગી લેબ અથવા તો તેની સાથે રેજિસ્ટર્ડ થયેલી લેબમાં કોરોનાનો ટેસ્ટ કરવામાં આવશે. ખાનગી હોસ્પિટલોમાં કરવામાં આવતી કોવિડ-19ની સારવાર એબી-પીએમજેએવાય યોજના હેઠળ આવરી લેવામાં આવશે.

Reported Earlier on 4 April 2020

ગુજરાતમાં હવે કોમ્યુનિટી ઇન્ફેકશનનો તબક્કો શરૂ, છેલ્લી ફ્લાઇટ 22મી માર્ચે આવી હતી તેના પણ 14 દિવસ પૂર્ણ થશે

Gujarat Update 4 April 2020

ગુજરાત કુલ કેસ 105, મૃત્યુ 10, રિકવરી 12

  • અમદાવાદમાં 43
  • સુરતમાં 12
  • ગાંધીનગરમાં 13
  • રાજકોટમાં 10
  • વડોદરામાં 9
  • ભાવનગરમાં 9
  • પોરબંદરમાં 3
  • ગીર સોમનાથમાં 2
  • કચ્છ 1
  • મહેસાણા 1
  • પંચમહાલમાં 1 કેસ
  • પાટણ 1

World Update in Single Frame

India Update 4 April

Confirmed Cases : 3,112, Total Deaths : 90, Total Recovered : 184, Active Cases : 2,838

સુરતમાં છેલ્લા બે દિવસથી કોરોનાની રાહત: બે દિવસમાં તમામ ૧૦ દર્દીના રિપોર્ટ નેગેટિવ

  • સૂરત અપડેટ 4 એપ્રિલ 2020
  • શહેર એક્ટીવ કેસ 06
  • જિલ્લા એક્ટીવ કેસ 02
  • નેગેટીવ સેમ્પલ્સ કુલ 152
  • રીકવર 03
  • મૃત્યુ 01
  • 19 સેમ્પલ્સના ટેસ્ટ રિપોર્ટની જોવાતી રાહ

સુરત શહેરમાં બે દિવસમાં વધુ ૧૬ શંકાસ્પદ દર્દીઓ સામે આવ્યા હતા. જેમાં છ વ્યક્તિ વિદેશ અથવા આંતરરાજ્ય પ્રવાસ કરી સુરત આવ્યા હતા. જ્યારે અન્ય ૧૦ની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી ન હતી. આ તમામ ૧૬નો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. જ્યારે શંકાસ્પદ દર્દીઓ પૈકીની એક મહિલા દર્દીનું ટુકી સારવાર બાદ મોત નિપજ્યું હતું. આ સાથે શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ શંકાસ્પદ દર્દીઓની સંખ્યા ૧૫૩ થઈ ગઈ છે. જેમાંથી ૧૨ કેસ પોઝિટિવ નોંધાયા હતા. જ્યારે ૧૩૬ના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા.

India State Wise Cases on 4 April

STATE/UTCasesDEATHS
MAHARASHTRA49026
TAMIL NADU4111
DELHI3866
KERALA2952
RAJASTHAN1790
UP1742
AP1611
TELANGANA1587
KARNATAKA1283
MP1046
GUJARAT10510
J KASHMIR752
WEST BENGAL633
PUNJAB535
HARYANA490
BIHAR291
ASSAM240
CHANDIGARH180
UTTARAKHAND160
LADAKH140
ANDAMAN100
CHHATTISGARH90
GOA60
HIMACHAL61
ODISHA50
PUDUCHERRY50
MANIPUR20
JHARKHAND20

ગુજરાતમાં કોમ્યુનિટી સંક્રમણનો તબક્કો શરૂ

રાજ્યમાં સૌપ્રથમ કોરોના વાઇરસનો પોઝિટિવ કેસ ગત ૧૮મી માર્ચના રોજ નોંધાયાં બાદ આજે ૧૬ દિવસ પુરા થઇ ચૂક્યાં છે. અત્યાર સુધીમાં કુલ ૯૫ જેટલા પોઝિટિવ કેસ નોંધાઇ ચૂક્યાં છે. વિદેશ અને આંતર રાજ્યના પ્રવાસેથી રાજ્યમાં આવેલા લોકોથી સંક્રમિત થયેલા કોરોના વાયરસનો તબક્કો પૂરો થઇ રહ્યો છે ત્યારે હવે કોમ્યુનિટી સંક્રમણનો તબક્કો શરૂ થઇ ચૂક્યો છે.

ગાઈડલાઈન્સ મુજબ ૧૪ દિવસનો ઈન્ક્યુબેશન પીરિયડ હોય છે. એરપોર્ટ પર છેલ્લી ફ્લાઈટ ૨૨મીએ આવી હતી. જેમાં આવેલા લોકોના ઈન્ક્યુબેશન પીરિયડ પણ 1 દિવસમાં પૂરો થશે. પરંતુ શહેરમાં ૩૧ લોકો પોઝિટિવ આવ્યા છે. જેમના સંપર્કમાં આવેલા ૬૫૦ લોકોને પણ ક્વોરન્ટીનમાં મૂકી દેવામાં આવ્યા છે. જેથી તેમના ૧૪ દિવસનો સમય પૂરો થતાં ૨૦ એપ્રિલ સુધીનો સમય લાગી શકે તેમ છે. જેથી હજુ પણ અમદાવાદ શહેર માટે આગામી ૨૦થી ૨૫ દિવસ ખૂબ જ મહત્ત્વના છે. આ સમય દરમિયાન સંક્રમણ વધુ ફેલાય નહીં તે માટે તકેદારી રાખવી જરૂરી હોવાનું માનવામાં આવે છે.

હવે ઇન્ટર સ્ટેટ અને ઇન્ટરસિટીથી આવેલા લોકો માટે સચેત રહેવું પડશે

આ ઉપરાંત મુંબઈ, સુરત કે રાજ્ય બહારથી આવેલા લોકોનો હવે ઇન્ક્યુબેશન પિરિયડ શરૂ થશે. એટલે હવે ચિંતા ગામડાઓની કરવાની છે. ગામડાઓમાં પણ આંતરરાજ્ય પ્રવાસની હિસ્ટ્રી ધરાવતા નાગરિકોને કડકપણે હોમ ક્વોરન્ટીન પાળવા આદેશ છે. ત્યા પણ શહેરોની જેમ ટ્રેકિંગ, ટેસ્ટિંગ અને ટ્રીટમેન્ટનો દોર શરૂ થશે. ગુજરાતમાં બહારથી આવેલા કોરોના વાઇરસને કારણે અમદાવાદ સહિતના ૬ મહાનગરો અને ૧૧ જિલ્લામાં લોકલ ટ્રાન્સમીશનને કારણે ૮૮ પૈકી ૪૭ કેસ છે. જેમાં ગાંધીનગર, ભાવનગરમાં સૌથી વધુ ગ્રામ્ય દર્દીઓ છે.

ગૃહ મંત્રાલયે બે નવી હેલ્પલાઇન શરૂ કરી

ગૃહ મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું છે કે તબલીગી જમાતના 960 વિદેશીઓના વિઝા રદ કરી દેવામાં આવ્યા છે. તેને બ્લેક લિસ્ટ કરવામાં આવ્યા છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના કંટ્રોલ રૂમમાં અત્યાર સુધી 7 હેલ્પલાઈન નંબર હતા. હવે બીજી બે હેલ્પલાઈન શરૂ કરવામાં આવી છે. આ છે 1930 (ઓલ ઈન્ડિયા ટોલ ફ્રી નંબર) અને 1944 (નોર્થ ઈસ્ટ માટે ડેડિકેટેડ છે). હેલ્પલાઈન નંબર ગૃહ મંત્રાલયની વેબસાઈટ પર પણ ઉપલબ્ધ છે.

દવાની અછત નથી: સરકાર

કોરોના સામેની લડતમાં દેશભરમાં દવાના પુરવઠાની અછત ન હોવાનું સરકારે શુક્રવારે કહ્યું હતું. કોરાના સામેની લડતમાં તમામ જરૂરી દવાઓ તેમ જ અન્ય તબીબી સાધનસામગ્રીનો પુરવઠો સરળતાપૂર્વક ચાલુ રહે તેની સરકાર દ્વારા ખાતરી કરવામાં આવી રહી છે એમ જણાવતાં કેન્દ્રના રસાયણ અને ખાતર ખાતાના પ્રધાન વી. સદાનંદ ગોવડાએ કહ્યું હતું કે છેલ્લા પાંચ દિવસમાં જીવનજરૂરિયાતની દવાઓના ૧૫.૪ ટનના જથ્થા સાથે પાંચ વિમાન દેશભરમાં રવાના કરવામાં આવ્યા છે.

હૉસ્પિટલ માટે જરૂરી ઉપકરણો નએ જીવનાવશ્યત દવાઓનાં ઉત્પાદનની પ્રવૃત્તિઓ પર સરકાર સંપૂર્ણ ધ્યાન આપી રહી છે અને તે માટે ૨૦૦ જેટલા એકમો કાર્યરત છે, એમ તેમણે કહ્યું હતું.

તબલીગી જમાત, 14 રાજ્યોમાં કોરોનાના 647 કેસ સામે આવ્યા

કોરોના વાયરસનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. સ્વાસ્થ્ય મંત્રાલયે શુક્રવારે જણાવ્યું છે કે અત્યાર સુધી દેશમાં 2301 કોરોના વાયરસના કેસ સામે આવ્યા છે અને 56 લોકો આ જીવલેણ વાયરસનો ભોગ બન્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું છે કે છેલ્લા બે દિવસમાં તબલીગી જમાતના સભ્યોના કારણે 14 રાજ્યોમાં કોરોનાના 647 દર્દીઓ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 12 લોકોના મોત નીપજ્યા છે જેમાં ઘણા તબલીગી જમાત સાથે જોડાયેલા છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું છે કે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના કુલ 336 નવા કેસ સામે આવ્યા છે. દેશમાં એક કાર્યક્રમના કારણે કોરોનાના કેસ વધી રહ્યા છે. આવી ઘટનાઓથી આપણા તમામ પ્રયાસો નિષ્ફળ થઈ જાય છે. દિલ્હીમાં કોરોનાના 141 નવા કેસ આવ્યા છે જેમાં 129 તબલીગી જમાત સાથે જોડાયેલા છે. લવ અગ્રવાલે કહ્યું છે કે આપણે સમજવું પડશે કે કોરોના વિરુદ્ધ લડાઈ ચાલી રહી છે. તેવામાં આપણી એક ભૂલના કારણે આપણે ઘણા પાછળ જતા રહીશું.

April 3, 2020
dipikasarojini.jpg
1min10230

હાલમાં લૉકડાઉનને લીધે દુરદર્શન રામાયણ સિરિયલ બતાવી રહ્યું છે, જેમાં ત્રીસેક વર્ષ પહેલાની દિપીકા ચિખલીયા સીતાના પાત્રમાં જોવા મળી રહી છે. આ દિપીકાએ ૨૫ વર્ષ બાદ ગુજરાતી ફિલ્મ નટસમ્રાટથી ફિલ્મજગતમાં પુનરાગમન કર્યું હતું અને હવે તે ભારતની બુલબુલ તરીકે ઓળખાતી સ્વાતંત્ર્ય સેનાની સરોજિની નાયડુના પાત્રને ભજવવાની છે.

એક ઈન્ટરવ્યુમા તેમણે જણાવ્યું હતું કે તેમને સરોજિની નાયડુની બાયોપિક ઑફર કરવામાં આવી છે. આ ઉપરાંત તેઓ ગાલિબ અને દિનદયાલ એક યુગપુરુષ ફિલ્મમાં પણ કામ કરી રહ્યા છે. જોકે હજુ તેમણે ફિલ્મ સત્તાવાર રીતે સાઈન કરી નથી, પરંતુ ફિલ્મના લેખક અને ડિરેક્ટર ધીરજ મિશ્રાએ આ અંગે તેમની સાથે વાત કરી છે અને તેઓ કથાનક પર કામ કરી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે આ ભૂમિકા કરવા માટે હું ખૂબ ઉત્સુક છું, કારણ કે ઐતિહાસિક પાત્રો મેં કરેલા છે.

પોતાની બે ફિલ્મો ગાલિબ અને યુગપુરુષ વિશે તેમણેજણાવ્યું હતું કે ગાલિબમાં મેં અફઝલ ગુરુની પત્નીનો રોલ કર્યો છે. કોઈ આતંકવાદીનું મૃત્યુ તેના પરિવારને કઈ રીતે અસર કરે છે, તે અંગેની ફિલ્મ છે. યુગપુરષમાં મેં અખબારના તંત્રીનો રોલ કર્યો છે. આમાં મારો રોલ નકારાત્મક છે, તેમ તેમણે ઉમેર્યું હતું. એક સમયે ટીવીના પડદા પર રામાયણની સીતાની લોકોએ પૂજા કરી હતી અને દિપીકાને જાહેરમાં લોર્કોંએ વંદન કર્યા હોય કે તેમના ચરણસ્પર્શ કર્યા હોય તેવી ઘટનાઓ પણ બનતી હતી.

April 3, 2020
earthquake-zone-map-of-gujarat-1.jpg
1min5630

હાલના દિવસોમાં રાજ્યમાં કોરોના કહેર વચ્ચે બેવડી સીઝનની અનૂભુતિ થઇ રહી છે. રાત્રે ઠંડી અને દિવસે મધ્યમ ગરમી અનુભવાતી હતી. પરંતુ, હવે બે દિવસથી તાપમાનનો પારો ૪૦ ડિગ્રીની નજીક પહોંચી ગયો છે.

હવામાન ખાતાના વર્તારા મુજબ આગામી બે દિવસમાં રાજ્યનો સરેરાશ તાપમાનનો પારો ૪૧ ડિગ્રીને પાર કરશે. ગુજરાતમાં આગામી ૪ એપ્રિલથી ૬ એપ્રિલ સુધી અમદાવાદ, વડોદરા, સુરેન્દ્રનગર, અમરેલી સહિતના વિસ્તારોમાં ગરમીનો પારો વધવાની શક્યતા છે.

હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, આ શહેરોમાં ગરમીનો પારો ૪૧ ડિગ્રીને પાર થઈ શકે છે. ત્યારે સુરત, ભૂજમાં વાતાવરણમાં આગામી તારીખ ૭ એપ્રિલ તેમજ ૮ એપ્રિલમાં પલટો આવશે. અમદાવાદ, વડોદરા સહિતમાં દિવસે સામાન્ય ગરમી તેમજ સાંજ બાદ ઠંડકભર્યુ વાતાવરણ જોવા મળ્યું હતું. આ પ્રકારની ડબલ ઋતુના કારણે રોગચાળાનો ખતરો વધવાનો ભય રહે છે.

April 2, 2020
CIA_Live_Logo_New2.jpg
37min13540

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નવા મળેલા 7 કેસ, તમામ અમદાવાદના, પંચમહાલના એક દર્દીનું મોત

Gujarat Update

  • ગુજરાતમાં કોરોના ના 95 કેસ, મોત -8, સાજા-10
  • આજે 3 April અમદાવાદમાં વધુ 7 કેસ નોંધાયા,
  • પંચમહાલમાં 1 મોત
  • અમદાવાદ:38
  • સુરત:12
  • રાજકોટ: 10
  • વડોદરા:9
  • ગાંધીનગર:11
  • ભાવનગર :7
  • કચ્છ:1
  • મહેસાણા -1
  • ગીરસોમનાથ -2
  • પોરબંદર -3
  • પંચમહાલ-1
  • અત્યાર સુધી કુલ 1944 ટેસ્ટ કર્યા.

ગુજરાતમાં આજે સવારે 10 વાગ્યે પૂરા થયેલા છેલ્લા 24 કલાક દરમિયાન કોરોના પોઝીટીવ હોય તેવા વધુ 7 દર્દીઓનો ઉમેરો થયો હતો. રાજ્યમાં નવા મળેલા સાતેય કેસો અમદાવાદના હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત પંચમહાલ જિલ્લામાંથી મળી આવેલા એક કેસમાં દર્દીનું મોત નિપજતા ગુજરાતમાં કોરોનાથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યા વધીને કુલ 8 થવા પામી છે.

India Update on 3 April at 10 am

Confirmed Cases : 2,301,  Total Deaths : 56, Total Recovered : 157, Active Cases : 2,088

Confirmed Cases : 2,301,  Total Deaths : 56, Total Recovered : 157, Active Cases : 2,088

India State wise cases

STATE/UTCasesDEATHS
MAHARASHTRA33516
TAMIL NADU3091
KERALA2862
DELHI2194
RAJASTHAN1330
ANDHRA PRADESH1321
KARNATAKA1243
UTTAR PRADESH1132
TELANGANA1073
M.PRADESH996
GUJARAT958
JAMMUKASHMIR702
WEST BENGAL533
PUNJAB464
HARYANA430
BIHAR241
CHANDIGARH180
ASSAM160
LADAKH140
ANDAMAN100
UTTARAKHAND100
CHHATTISGARH90
GOA60
HIMACHAL61
ODISHA50
PUDUCHERRY30
MANIPUR20

24 કલાકમાં દેશમાં કોરોના પોઝીટીવનો આંકડે 2000થી 2500 નજીક પહોંચી ગયો, નવા કેસોમાં 65 ટકા દિલ્હી મરકઝ સાથે કનેકશન ધરાવે છે

દિલ્હી સ્થિત મરકઝમાં તબલીગી જમાતના કાર્યક્રમના કારણે દેશભરમાં કોરોના પોઝીટીવ કેસોની સંખ્યામાં સતત ત્રીજા દિવસે પણ વધારો થયો છે. માર્ચ મહિનાના મધ્યમાં દિલ્હી મરકઝ ખાતે યોજાયેલા તબલીગી જમાતના કાર્યક્રમમાં ભાગ લેનારા લોકો પૈકી 295 લોકોને કોરોના પોઝિટિવ હોવાનું રિપોર્ટમાં આવ્યું છે. ગુરુવારે રાત્રે પૂરા થતા 24 કલાક દરમિયાન ભારતમાં કોરોના નવા પોઝીટીવ કેસોની સંખ્યા 485 હતા જેમાંથી 50 ટકાથી વધુ કેસ દિલ્હી સ્થિત મરકઝમાં ગયેલા તબલીગી જમાત લોકો સાથે કોઇકને કોઇક રીતે કનેકશન ધરાવે છે અથવા તો એવા દર્દીઓ છે જેઓ પોતે જ મરકઝમાં સામેલ હતા.

તા.1લી એપ્રિલે ભારતમાં કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા 1965 હતા, તા.2જી એપ્રિલે આ આંકડો એક જ દિવસમાં વધીને 2500 પર પહોંચી ગયો છે.

દિલ્હીમાં સૌથી વધુ કેસ તબલીગી મરકઝ સાથેના કનેકશનના

દિલ્હીની વાત જ કરીએ તો ગુરુવારે ઓછામાં ઓછા 141 કોરોનાના નવા કેસ સામે આવ્યા છે. એકલા દિલ્હીમાં જ કોરોના પોઝીટીવ કુલ 141 કેસ પૈકી 129 કેસ તબલીગી જમાતના છે. એવી જ રીતે મહારાષ્ટ્રમાં 85 અને તામિલનાડુમાં 75 નવા કેસ સામે આવ્યા છે.

દક્ષિણ ભારતમાંથી દિલ્હી મરકઝમાં ગયેલા અને લોકો અને કોરોના પોઝીટીવ કેસો

દક્ષિણના રાજ્યો તામિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને તેલંગણામાં સામે આવેલા કોરોના પીડિતોના કુલ આંકડામાંથી 143 લોકો દિલ્હી મરકઝમાં સામેલ હતા અથવા તો કોઇકને કોઇક રીતે આ કાર્યક્રમમાં સામેલ લોકો સાથે સંપર્કમાં આવીને કોરોના ઇન્ફેક્ટેડ બન્યા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

આંધ્ર પ્રદેશના નોડલ અધિકારી શ્રીકાંત કહે છે કે અમે દિલ્હીથી આવેલા 758 લોકોના ટેસ્ટ કર્યા જે પૈકી 91 લોકો કોરોના પોઝિટિવ મળ્યા છે. આ રાજ્યમાંથી સૌથી વધુ લોકો મકરજમાં ગયા હતા. મકરજની કુલ સંખ્યાના 16 ટકા જેટલા છે. અમારી પાસે તબલીગી જમાતના આ કાર્યક્રમમાં ભાગ લેનાર તમામની જાણકારી છે અને જિલ્લા અધિકારીઓને તેમને ટ્રેસ કરવા માટે કહેવામાં આવ્યું છે.

તામિલનાડુમાં 75માંથી 74, તેલંગણામાં 27માંથી 26 અને કર્ણાટકમાં 14માંથી 11 નવા કેસ તબલીગી જમાતના છે. આંધ્રપ્રદેશમાં તમામ નવા 32 કેસ તબલીગી જમાતના છે.

દેશના અન્ય રાજ્યોની સ્થિતિ

દિલ્હી મરકઝમાં સામેલ થયા બાદ જુદા જુદા રાજ્યોમાં ગયેલા લોકોને ટ્રેશ કરવાની અપાયેલી સૂચના બાદ રાજ્યોની તપાસમાં બહાર આવ્યું છે. એ મુજબ મધ્યપ્રદેશ, આસામ, મણિપુર અને અરુણાચલમાં પણ કન્ફર્મ થયેલા કોરોનાના નવા કેસ આ જ સંગઠનના સાથે જોડાયેલા છે. રાજસ્થાનમાં 13 નવા કેસ પૈકી 3, યુપીના 10 નવા કેસ પૈકી 2 અને મહારાષ્ટ્રના 88 નવા કેસ પૈકી 8 કેસ તબલીગી જમાત સાથે કોઈને કોઈ રીતે સંપર્ક ધરાવે છે.

આસામના આરોગ્ય પ્રધાને કહ્યું કે, ‘રાજ્યના 503 લોકોએ તબલીગી જમાતના આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. જે પૈકી 488 લોકો સાથે અમારો સંપર્ક થઈ ચૂક્યો છે. તે પૈકી 361 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા છે. જ્યારે કાર્યક્રમમાં ભાગ લેનાર 15 બીજા લોકોને ટ્રેસ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.’

ભાવનગરમાં સુરતથી ચાર લાખ લોકો આવ્યા: ટ્રેક કરવાનું અઘરું

ભાવનગર: શહેર અને જિલ્લામાં સુરત અને અમદાવાદ સહિતના મહાનગરોમાં આજીવિકા માટે ગયેલાં હજારો પરિવારો લોકડાઉન વચ્ચે જ રાતોરાત પોતાના વતન આવ્યાં હોવાથી તંત્ર આવાં લોકો પર વિશેષ ધ્યાન રાખી રહ્યું છે પરંતુ અંદાજે ચાર લાખ લોકોમાંથી જે લોકો છુપાઇને આવ્યાં છે એવાં અઢી લાખ જેટલા લોકોને ટ્રેક કરવાનું પણ કઠીન બની રહ્યું છે.

ભાવનગરમાં કોરોના પોઝિટિવના છ થી વધુ કેસ નોંધાઇ ચૂકયાં છે અને બે દર્દીઓના મોત પણ થયાં છે. મરનારાં આ બન્ને દર્દીઓએ અનુક્રમે દિલ્હી અને સુરતનો પ્રવાસ કર્યો હતો, જયારે એક મહિલા દર્દી સુરતમાંથી હિજરત કરીને આવી હોવાનું જાણવા મળે છે. સુરત અને અન્ય શહેરોમાંથી ભાવનગર અને જિલ્લાના ગામડાઓમાં દોઢ લાખ લોકો આવ્યા છે તે કાગળ ઉપર છે. પરંતુ છૂપાઈને કે અન્ય ટેન્કરો, વાહનમાં બેસીને આવેલા અઢી લાખથી વધારે લોકોને ટેક કરવા અઘરી વાત છે.

ભાવનગર જિલ્લાના ડીડીઓ વરૂણ બરનવાલે જણાવ્યું હતું કે ગામડામાં કોણ અન્ય શહેરોમાંથી આવ્યું છે તે માહિતી મેળવવા હેલ્થ કર્મીઓ જાય છે પણ તેમની સાથે લોકો ગેરવર્તન કરી રહ્યા છે. જિલ્લા વિકાસ અધિકારીએ આવા ખરાબ સમયે લોકોને વિવેક સાથે મદદ કરવા અપીલ પણ કરી હતી.

રાજકોટનો પ્રથમ દર્દી રિકવર થઇને ઘરે ગયો

ગુજરાતમાં ગુરુવારની સવાર સુધીમાં સાત જેટલા પોઝિટિવ દર્દીઓને હોસ્પિટલોમાં સાજા કરીને તેમને રજા પણ આપી દેવામાં આવી છે. ગુજરાતમાં કોરોનાનો સૌપ્રથમ પોઝિટિવ કેસ ૧૭મી માર્ચે રાજકોટમાં નોંધાયો હતો જેને આજે ગુરૂવારે સાજો કરીને રજા આપી દેવામાં આવી હતી. ૩૧મી માર્ચે રાજકોટમાં ૧૬ રિપોર્ટ અને ૧લી એપ્રિલે ૧૨ દર્દીના કોરોનાના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. રિપોર્ટ નેગેટિવ આવતા જ રાજકોટવાસીઓમાં એક પોઝિટિવીટી આવી રહી છે. રાજકોટમાં અત્યાર સુધીમાં ૧૦ પોઝિટિવ કેસ નોંધાયાં છે જેમાંથી ત્રણ દર્દી વિદેશ પ્રવાસથી આવેલાં છે જ્યારે સાત દર્દી લોકલ છે.

રાજ્યમાં કોરોનાનો પ્રથમ કેસ રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં દેખાયો હતો અને આ યુવાન દર્દીને ૧૭મીએ શહેરની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. ૧૫ દિવસથી સારવાર ચાલી રહી હતી. હવે યુવાન કોરોનાગ્રસ્ત નથી.

Reported on 2 April 2020

કોરોના અપડેટ ભારત-1965 (50-મોત), ગુજરાત-87 (7 મોત) સૂરત-12 (1 મોત) (02 April 11 am)

સૂરત કોરોના અપડેટ (2 એપ્રિલ સવારે 10)

  • કુલ સેમ્પલ્સ ટેસ્ટીંગ 141
  • 122 નેગેટીવ
  • 10 પોઝીટીવ (સૂરત શહેર વિસ્તાર)
  • 02 પોઝીટીવ (સૂરત ગ્રામ્ય વિસ્તાર)
  • 02 રિકવર (શહેર વિસ્તાર)
  • 01 મૃત્યુ
  • 09 રિપોર્ટ વેઇટીંગ

ગુજરાત અપટેડ (2 એપ્રિલ સવારે 10)

  • અમદાવાદ 31
  • સૂરત 12
  • ગાંધીનગર 11
  • વડોદરા 09
  • રાજકોટ 10
  • ભાવનગર 07
  • ગીર 02
  • મહેસાણા 01
  • કચ્છ 01
  • પોરબંદર 01

ગુજરાતમાં હાલ 87 એક્ટીવ કેસમાં 2 દર્દી વેન્ટિલેટર બાકીના 71 દર્દી સ્ટેબલ છે. 7 દર્દી સાજા થયા છે અને 7 દર્દીના મૃત્યુ થયા

તા.2જી એપ્રિલ 2020ના રોજ સવારે ગુજરાતના આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ કોરોનાની અપડેટ વિગતો આપતા જણાવ્યું છેકે, ગુજરાત માટે રાહતના સમાચાર છેકે ગઇકાલ 1લી એપ્રિલ પછી એકપણ નવો પોઝિટિવ કેસ નોંધાયો નથી. જોકે આગામી 4થી પાંચ દિવસ ગુજરાત માટે મહત્વના છે. ગુજરાતમાં અત્યારસુધીમાં 1789 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 1693 નેગેટિવ આવ્યા છે. જ્યારે 87 ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે અને 9 ટેસ્ટ પેન્ડિંગ છે. 87 પોઝિટિવ કેસમાં 2 દર્દી વેન્ટિલેટર પર છે, 71 દર્દી સ્ટેબલ છે. 7 દર્દી સાજા થયા છે અને 7 દર્દીના મૃત્યુ થયા છે. રાજ્યમાં અમદાવાદ હોટસ્પોટ જાહેર થયું છે. અમદાવાદમાં સૌથી વધારે 31 કેસ અને 03 મૃત્યુ નોંધાયા છે. ત્યારબાદ સુરતમાં 12 કેસ અને 1 મૃત્યુ, ગાંધીનગરમાં 11 કેસ, રાજકોટમાં 10 કેસ, વડોદરામાં 09 કેસ અને 1 મૃત્યુ, ભાવનગરમાં 6 કેસ અને 2 મૃત્યુ, પોરબંદરમાં 3 કેસ, ગીર સોમનાથમાં 2 કેસ જ્યારે કચ્છ, મહેસાણા અને પંચમહાલમાં 1-1 કેસ નોંધાયા છે.

INDIA : Confirmed Cases : 1,965, Total Deaths : 50, Total Recovered : 151, Active Cases : 1,764 (2/4/20 @ 10am)

India Statewise

STATE/UTCasesDEATHS
MAHARASHTRA3029
KERALA2412
TAMIL NADU2341
DELHI1522
UP1032
KARNATAKA1013
TELANGANA963
RAJASTHAN930
AP830
GUJARAT877
MP663
J&K622
HARYANA430
PUNJAB423
WEST BENGAL373
BIHAR231
CHANDIGARH160
LADAKH130
ANDAMAN100
CHHATTISGARH90
UTTARAKHAND70
GOA50
ODISHA40
HIMACHAL31
PUDUCHERRY30
ASSAM10
JHARKHAND10

વડોદરામાં કોરોના વાયરસથી પહેલું મોત

કોરોના વાયરસના કારણે વડોદરામાં એક વ્યક્તિનું મોત થયું છે. આ મોતના કારણે ગુજરાતમાં કુલ મૃત્યુઆંક 7 પર પહોંચ્યો છે. આ વખતે નિઝામપુરામાં રહેતા 55 વર્ષના વ્યક્તિનું મોત થયું છે. આ પહેલા અમદાવાદમાં 3, ભાવનગરમાં 2, સાબરકાંઠામાં 1નું મોત થયું હતું.

આજે 55 વર્ષના પુરુષનું કોરોના વાયરસના કારણે મોત થયું છે જેઓ શ્રીલંકા પ્રવાસથી પરત ફર્યા હતા. પરિવારના 4 સભ્યોને કોરોનાનો ચેપ લાગ્યો હોવાની પુષ્ટી થઈ છે. સ્થાનિક મીડિયા રિપોર્ટ્સના જણાવ્યા પ્રમાણે આ મોતની પુષ્ટી જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા પણ કરવામાં આવી છે. મૃતકના પરિવારના ચાર સભ્યો હાલ કોરોના વાયરસના કારણે સારવાર હેઠળ છે.

ICMRની ચેતવણી: કોરોનાવાયરસથી બચવા મેલેરિયાની આ દવા લેવાની ભૂલ ના કરશો

હાઈડ્રોક્સિક્લોરોક્વિન કોરોનાથી બચાવે છે તેવું માની ઘણા લોકો તેનો સ્ટોક કરી રહ્યા છે. જોકે, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના સિનિયર વૈજ્ઞાનિક રમન આર ગંગાખેડકરે જણાવ્યું છે કે આ દવા સામાન્ય વ્યક્તિએ ના લેવી જોઈએ. તેમણે કહ્યું હતું કે હાઈડ્રોક્સિક્લોરોક્વિન કોરોનાના દર્દીઓની સારવાર કરતા ડોક્ટર્સ અને તેમના સંપર્કમાં આવેલા લોકોને જ અપાય છે.

આ દવાને આરોગ્ય મંત્રાલય દ્વારા એસેન્શિયલ ડ્રગ જાહેર કરાઈ છે અને હાલની સ્થિતિમાં તેની વધારે જરુર હોવાથી રાજ્યોમાં તેના વિતરણ અને વેચાણ પર નિયંત્રણ મૂકી દેવાયા છે. ICMRએ વારંવાર કહ્યું હતું કે સ્વસ્થ લોકો આ દવા લેવાથી દૂર રહે.

પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવશો તો પરિવારથી દૂર કરી ક્વોરન્ટીન કરવામાં આવશે

કોરોના વાઇરસ એ ચેપી રોગ છે જે વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવે તો તેના સંપર્કમાં રહેલા વ્યક્તિને પણ ૧૪ દિવસ હોમ ક્વોરન્ટીનમાં રહેવું પડે છે. આ વાઇરસ વધુ ન ફેલાય તે માટે સમગ્ર દેશમાં લોકડાઉન કરવામાં આવ્યું છે. જો તમે પણ આ બીમારીનો ભોગ બનો તો તમારા પરિવાર અને બાળકોથી દૂર થઈ જશો.

જેનું એક તાજું જ ઉદાહરણ અમદાવાદમાં રહેતા દંપતી સાથે થયું છે. પતિ-પત્નીના પોઝિટિવ કેસના કારણે તેમની પાંચ વર્ષની પુત્રી એકલી થઈ ગઈ હતી.

માતા-પિતાને હોસ્પિટલમાં દાખલ અને અમદાવાદમાં કોઈ પરિવારજન ન હોવાથી બાળકી રઝળી પડી હતી. જ્યાં સુધી કચ્છથી તેના પરિવારજન ન આવી જાય ત્યાં સુધી તેને એક સોસાયટીના પાર્કિગમાં મૂકેલી ગાડીમાં સુવડાવવાની ફરજ પડી હતી.

પોઝિટિવ કેસના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરન્ટીન કરવામાં આવે છે. ત્યારે આ બાળકીને તેના પિતાના મિત્રના માતા-પિતા પાસે રાખવાની હતી. જો કે જ્યારે મિત્રની સોસાયટીમાં જાણ થઇ ત્યારે સોસાયટીના લોકોએ આ વાતનો વિરોધ કર્યો હતો.

બાળકીને અન્ય કોઈ વ્યક્તિના ઘરે પણ લઈ જવાય તેમ ન હતી. કારણ કે તેને લઈ જાય તો પરિવારને ક્વોરન્ટીનમાં રહેવું પડે.

જેથી જો કોઇ લોકડાઉનનો ચુસ્તપણે અમલ નહિ કરો અને કોઈ પોઝિટિવ કેસના સંપર્કમાં આવી ગયા હશો તો તમારે પણ ક્વોરન્ટીન થવું પડશે અને તમારા બાળકોથી અને પરિવારજનોથી દૂર થવું પડશે. એટલે ઘરમાં રહો અને સુરક્ષિત રહો.

માતા-પિતા કોરોના પોઝિટિવ અને પાંચ વર્ષની બાળકી નેગેટિવ: બાળકીને તેના કાકાને સોંપાઇ

કોરોનાની ભયાનકતા કેટલી હોય છે તેનો કેસ અમદાવાદમાં જોવા મળ્યો હતો. માતા પિતાને કોરોના પોઝિટિવ આવ્યો છે. જ્યારે ૫ વર્ષની દીકરીને નેગેટિવ આવતા જ દીકરીને મા-બાપથી વિખૂટી પાડી દેવામાં આવી છે. અમદાવાદમાં કોઈ સગું રહેતું ના હોવાથી દીકરીને પોલીસ અને હોસ્પિટલ સ્ટાફએ આખી રાત સાચવી રાખી હતી. એસ.પી રિંગ રોડ પર આવેલા ફ્લેટમાં રહેતા દંપતીનો કેસ પોઝિટિવ આવ્યો હતો. બંનેને એસવીપી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે બાળકીનો ટેસ્ટ નેગેટિવ આવ્યો છે.

દંપતીને પાંચ વર્ષની નાની બાળકીની સાર સાંભળનો પ્રશ્ન ઊભો થયો હતો. બાળકીને આખી રાત સોસાયટીના પાર્કિંગમાં સૂવડાવી હતી, પરંતુ હોસ્પિટલના સ્ટાફે માનવતા દાખવી અને બાળકીને પરત હોસ્પિટલ લાવવા કહ્યું હતું. ત્યાર બાદ બાળકીને એસવીપી હોસ્પિટલના સેફ ઝોનમાં રાખવામાં આવી હતી. એસવીપી હોસ્પિટલના ડોક્ટરો, મનપા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ડો.ઓમપ્રકાશ અને એલિસબ્રિજ પીઆઈએ મદદ કરી બાળકીને તેના પરિવાર સુધી પહોંચાડવા મદદ કરી હતી.

એસ.પી.રિંગ રોડ પર રહેતા અને પોતાની કંપની ધરાવતા વ્યક્તિને ત્રણ દિવસ પહેલા કોરોના વાઇરસનો કેસ પોઝિટિવ આવ્યો હતો. તેની પત્ની અને બાળકીનો પણ ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં સોમવારે રાતે તેની પત્નીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો જ્યારે બાળકીનો નેગેટિવ આવ્યો હતો. પત્નીનો પણ ટેસ્ટ પોઝિટિવ આવતા માતા-પિતાને પોતાની પાંચ વર્ષની બાળકીની ચિંતા થઈ હતી. અને મૂળ અમદાવાદના અને કેનેડામાં રહેતા તેમના મિત્રને કહ્યું હતું કે બાળકીને તારા માતા-પિતાના ઘરે લઈ જા. તેમના મિત્રના માતા-પિતા બાળકીને લેવા જતા હતા. જોકે સોસાયટીના લોકોએ બાળકીને અહીંયા લાવવા પર વિરોધ કર્યો હતો. નાની બાળકી છે તેના માતા-પિતા હોસ્પિટલમાં છે તેને પરિવારની જરૂર છે તેવું કહેવા છતાં સોસાયટીના લોકો માન્યા નહોતા.

World’s Corona Update on 2/4/20 @ 10.00 a.m.

OtherCasesDeathsRecovered1st case
World935,95747,245194,286Jan-10
USA215,2155,1108,878Jan-20
Italy110,57413,15516,847Jan-29
Spain104,1189,38722,647Jan-30
China81,5543,31276,238Jan-10
Germany77,98193118,700Jan-26
France56,9894,03210,935Jan-23
Iran47,5933,03615,473Feb-18
UK29,4742,352135Jan-30
Switzerland17,7684882,967Feb-24
Turkey15,679277333Mar-09
Belgium13,9648282,132Feb-03
Netherlands13,6141,173250Feb-26
Austria10,7111461,436Feb-24
S. Korea9,9761695,828Jan-19
Canada9,7311291,736Jan-24
Portugal8,25118743Mar-01
Brazil6,931244127Feb-24
Israel6,09226241Feb-20
Australia5,10523345Jan-24
Sweden4,947239103Jan-30
Norway4,8774413Feb-25
Czechia3,5893961Feb-29
Ireland3,447855Feb-28
Denmark3,107104894Feb-26
Chile3,03116234Mar-02
Malaysia2,90845645Jan-24
Russia2,77724190Jan-30
Ecuador2,7589858Feb-28
Poland2,5544356Mar-03
Romania2,46092252Feb-25
Japan2,38457472Jan-14
Luxembourg2,3192980Feb-28
Philippines2,3119650Jan-29
Pakistan2,1182794Feb-25
India1,99858148Jan-29
Thailand1,77112505Jan-12
Saudi Arabia1,72016264Mar-01
Indonesia1,677157103Mar-01
Finland1,4461710Jan-28
Greece1,4155152Feb-25
South Africa1,380550Mar-04
Mexico1,3783735Feb-27
Peru1,32347394Mar-05
Panama1,317329Mar-09
Dominican Republic1,284579Feb-29
Iceland1,2202236Feb-27
Argentina1,13333248Mar-02
Colombia1,0651739Mar-05
Serbia1,0602842Mar-05
Singapore1,0004245Jan-22
Croatia963673Feb-24
Algeria8475861Feb-24
Slovenia8411510Mar-03
Qatar835271Feb-28
UAE814861Jan-28
New Zealand797192Feb-27
Ukraine7942013Mar-02
Egypt77952179Feb-13
Estonia779533Feb-26
Hong Kong7664147Jan-22
Iraq72852182Feb-21
Diamond Princess71211619Feb-04
Morocco6543929Mar-01
Lithuania58187Feb-27
Armenia571431Feb-29
Bahrain5694337Feb-23
Hungary5252040Mar-03
Lebanon4791443Feb-20
Bosnia and Herzegovina4591319Mar-04
Latvia446 1Mar-01
Tunisia423125Mar-01
Moldova423523Mar-06
Bulgaria4221020Mar-06
Kazakhstan402326Mar-12
Slovakia40013Mar-05
Andorra3901410Mar-01
Costa Rica37524Mar-04
Azerbaijan359526Feb-27
North Macedonia3541117Feb-25
Uruguay350262Mar-12
Taiwan329545Jan-20
Cyprus320928Mar-08
Kuwait317 80Feb-23
Burkina Faso2821646Mar-08
Réunion281 40Mar-10
Jordan278536Mar-01
Albania2591567Mar-07
Afghanistan23745Feb-23
San Marino2362813Feb-26
Cameroon233610Mar-05
Vietnam222 63Jan-22
Honduras219143Mar-10
Cuba212612Mar-10
Oman210134Feb-23
Ghana195531Mar-11
Ivory Coast19019Mar-10
Senegal190145Mar-01
Malta188 2Mar-06
Uzbekistan181212Mar-14
Nigeria17429Feb-27
Faeroe Islands173 75Mar-03
Channel Islands1723 Mar-08
Belarus163253Feb-27
Mauritius1616 Mar-17
Sri Lanka146321Jan-26
Venezuela144343Mar-12
Martinique135327Mar-04
Palestine134118Mar-04
Brunei131152Mar-08
Guadeloupe125624Mar-12
Montenegro1232 Mar-16
Georgia117 23Feb-25
Bolivia11571Mar-09
Kyrgyzstan111 3Mar-17
Cambodia110 34Jan-26
DRC10993Mar-09
Mayotte101110Mar-13
Trinidad and Tobago9051Mar-11
Rwanda82  Mar-13
Kenya8113Mar-12
Gibraltar81 34Mar-02
Paraguay7732Mar-06
Niger745 Mar-18
Liechtenstein72  Mar-02
Isle of Man681 Mar-18
Madagascar57  Mar-19
Monaco5512Feb-27
Aruba55 1Mar-12
Bangladesh54625Mar-07
French Guiana51 15Mar-06
Guatemala46112Mar-12
Barbados45  Mar-16
Jamaica4432Mar-09
Uganda44  Mar-20
El Salvador412 Mar-18
Macao41 10Jan-21
French Polynesia37  Mar-10
Togo36210Mar-05
Zambia36  Mar-17
Djibouti33  Mar-17
Bermuda32 10Mar-17
Mali313 Mar-24
Guinea30  Mar-12
Ethiopia29 2Mar-12
Congo222 Mar-14
Cayman Islands221 Mar-12
Saint Martin2212Feb-29
Bahamas2111Mar-14
Tanzania2011Mar-15
Guyana194 Mar-11
Maldives19 13Mar-06
Gabon181 Mar-12
Myanmar161 Mar-22
Sint Maarten1616Mar-17
Haiti16 1Mar-19
New Caledonia16 1Mar-17
Equatorial Guinea15 1Mar-13
Eritrea15  Mar-20
Mongolia14 2Mar-09
Namibia14 2Mar-13
Benin13 1Mar-15
Saint Lucia13 1Mar-12
Dominica12  Mar-21
Curaçao1113Mar-12
Syria102 Mar-21
Greenland10 2Mar-15
Grenada10  Mar-21
Laos10  Mar-23
Libya10  Mar-23
Mozambique10  Mar-21
Seychelles10  Mar-13
Suriname10  Mar-12
MS Zaandam92 Mar-26
Guinea-Bissau9  Mar-24
Eswatini9  Mar-13
Angola821Mar-19
Zimbabwe81 Mar-19
Saint Kitts and Nevis8  Mar-24
Sudan722Mar-12
Antigua and Barbuda7  Mar-12
Chad7  Mar-18
Cabo Verde61 Mar-19
Mauritania612Mar-12
Vatican City6  Mar-05
Liberia6  Mar-15
St. Barth6 1Feb-29
Turks and Caicos6  Mar-22
Nicaragua51 Mar-18
Nepal5 1Jan-23
Bhutan5 1Mar-05
Fiji5  Mar-18
Montserrat5  Mar-17
Somalia5 1Mar-15
Botswana41 Mar-29
Gambia412Mar-16
Belize3  Mar-22
British Virgin Islands3  Mar-24
CAR3  Mar-14
Anguilla2  Mar-25
Burundi2  Mar-30
Caribbean Netherlands2  Mar-31
St. Vincent Grenadines2 1Mar-10
Sierra Leone2  Mar-30
Papua New Guinea1  Mar-19
Timor-Leste1  Mar-20
Total:935,95747,245194,286 
April 2, 2020
banks.jpg
1min6260

રાજ્યની માલિકીની પંજાબ નેશનલ બૅંકે બુધવારે જણાવ્યું હતું કે યુનાઇટેડ બૅંક ઑફ ઇન્ડિયા અને ઓરિએન્ટલ બૅંક ઑફ કોમર્સની રાષ્ટ્રવ્યાપી શાખાઓ હવે પંજાબ નેશનલ બૅંકની શાખા તરીકે કાર્યરત થઇ ગઇ છે.

પંજાબ નેશનલ બૅંક, યુનાઇટેડ બૅંક ઑફ ઇન્ડિયા અને ઓરિએન્ટલ બૅંક ઑફ કોમર્સનું પહેલી એપ્રિલ, ૨૦૨૦થી જોડાણ થઇ ગયું છે. આ મર્જરથી દેશની બીજી સૌથી મોટી રાષ્ટ્રીયકૃત બૅંક બનશે. આ જોડાણથી વૈશ્ર્વિક સ્તરે સ્પર્ધાત્મક નેક્સ્ટ જનરેશન બૅંક પીએનબી ૨.૦ બનાવાશે અને થાપણદારો સહિતના બધા ગ્રાહકોને પીએનબીના ગ્રાહક માનવામાં આવશે.

પીએનબી તેની તમામ શાખાઓ અને મોબાઇલ ઇન્ટરનેટ બૅંકિંગ સહિતના તમામ પ્લેટફોર્મ દ્વારા ઇન્ટરઓપરેબલ સેવા પ્રદાન કરશે. આ નવી સંયુક્ત બૅંકની ૧૧,૦૦૦થી વધુ શાખા, ૧૩,૦૦૦થી વધુ એટીએમ, એક લાખ કર્મચારી અને ૧૮ લાખ કરોડ રૂપિયાના વ્યવસાયિક મિશ્રણની વિશાલ ભૌગોલિક પહોંચ હશે.

April 2, 2020
coronaindia-1-1280x1044.jpg
4min5940

Corona India State wise as on 4 April 10 am

STATE/UTCasesDEATHS
MAHARASHTRA49026
TAMIL NADU4111
DELHI3866
KERALA2952
RAJASTHAN1790
UP1742
AP1611
TELANGANA1587
KARNATAKA1283
MP1046
GUJARAT10510
J KASHMIR752
WEST BENGAL633
PUNJAB535
HARYANA490
BIHAR291
ASSAM240
CHANDIGARH180
UTTARAKHAND160
LADAKH140
ANDAMAN100
CHHATTISGARH90
GOA60
HIMACHAL61
ODISHA50
PUDUCHERRY50
MANIPUR20
JHARKHAND20

News in Single Frame

Reporten on 1st April 2020

દેશમાં દરદીઓની સંખ્યા ૧૬૩૭ થઈ

દેશમાં કોરોના ના દરદીઓની સંખ્યા નો આંખ બુધવારે વધીને ૧૬૩૭ પર તો કોરોના વાઇરસ ને કારણે મૃત્યુ પામેલાઓનો આંક ૩૮ પર પહોંચ્યો હોવાનું કેન્દ્રના આરોગ્ય ખાતાએ જણાવ્યું હતું. દેશમાં કોરોનાના ૧૪૬૬ દરદી સક્રિય છે તો ૧૩૨ દરદી સાજા થઈ ગયા છે કે પછી તેમને રજા આપી દેવામાં આવી છે જ્યારે એક દરદી અન્ય દેશમાં સ્થળાંતર કરી ગયો છે, એમ તેમણે કહ્યું હતું. આરોગ્ય ખાતાના જણાવ્યાનુસાર બુધવારે સવારે નવ વાગ્યા સુધીમાં કોરોના ને કારણે વધુ ત્રણ જણાં ના મૃત્યુ થયા હોવાનું નોધાયું હતું. જો કે દેશના ક્યાં ભાગમાં આ મૃત્યુ નોંધાયા હતા તે જાણી શકાયું નહોતું. મહારાષ્ટ્રમાં મંગળવારે સૌથી વધારે નવ મૃત્યું નોધાયા હોવાનું તેમણે કહ્યું હતું.

તબલીઘી જમાતના મેળાવડામાં ભાગ લેનારાં દેશમાં હજારો શંકાસ્પદ કોરોના-બૉમ્બ

તાજેતરમાં દિલ્હીમાં નિઝામુદ્દીન-વેસ્ટ ખાતે આયોજિત તબલીઘી જમાતના મેળાવડામાં ભાગ લેનાર લોકો સાથે પાંચ ટ્રેનમાં પ્રવાસ કરનાર હજારો મુસાફરો વિશેની માહિતી એકઠી કરીને પૂરી પાડવા રેલવે તંત્ર આકાશ-પાતાળ એક કરી રહ્યું છે. મેળાવડામાં હાજરી આપનાર ઘણા લોકોના કોરોના વાઇરસને લગતા પૉઝિટિવ રિપોર્ટ નોંધાયા છે.

આ તમામ (પાંચ) ટ્રેન ૧૩થી ૧૯ માર્ચ દરમિયાન દિલ્હીથી શરૂ થઈ હતી. એમાં આંધ્ર પ્રદેશના ગુન્ટુર ખાતે જતી દુરોન્તો એક્સપ્રેસ, ચેન્નઈ માટેની ગ્રૅન્ડ ટ્રન્ક એક્સપ્રેસ, ચેન્નઈ માટેની તમિળનાડુ એક્સપ્રેસ, નવી દિલ્હી-રાંચી રાજધાની એક્સપ્રેસ અને એપી સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસનો સમાવેશ છે.

નિઝામુદ્દીનમાં માર્ચ મહિનાના શરૂઆતના સમયગાળા દરમિયાન આયોજિત તબલીઘી જમાતના મેળાવડામાં ૨૩૦ જેટલા વિદેશીઓ સહિત કુલ આશરે ૨,૫૦૦થી ૩,૨૦૦ લોકોએ ભાગ લીધો હતો. આ લોકોએ પછીથી વિવિધ ટ્રેનોમાં મુસાફરી કરી હતી એટલે તેઓ અંદાજે ૫,૦૦૦ લોકોના સંપર્કમાં આવ્યા એમ કહી શકાય. પાંચ ટ્રેનોના કુલ કેટલા પ્રવાસીઓ આ મેળાવડાના સેંકડો લોકોના સંસર્ગમાં આવ્યા હતા એનો ચોક્કસ આંકડો તો રેલવે તંત્ર પાસે ઉપલબ્ધ નથી, દરેક ટ્રેનમાં આશરે ૧૦૦૦થી ૧૨૦૦ મુસાફરોએ પ્રવાસ કર્યો હતો એટલે તેમનામાંથી કોઈને તેમ જ ટ્રેનના સ્ટાફ મેમ્બરોમાંથી કોઈને કોરોનાનો ચેપ લાગ્યો હોઈ શકે. રેલવે તંત્ર જિલ્લાના સત્તાધીશોને આ પાંચ ટ્રેનોના મુસાફરોની યાદી પૂરી આપી રહ્યું છે કે જેથી દિલ્હીની ઇવેન્ટવાળા લોકોના તેમ જ તેમની નજીકમાં બેસીને પ્રવાસ કરનારાઓ વિશેની જાણકારી જિલ્લા સત્તાધીશોને મળી શકે. તબલીઘી જમાતની ઇવેન્ટમાં ભાગ લેનારા જે લોકોની શોધ થઈ રહી છે એમાં ૧૦માંથી ઇન્ડોનેશિયાનો એક નાગરિક એવો હતો જેણે ૧૩મી માર્ચે દિલ્હીની ઇવેન્ટ બાદ કરીમનગર જિલ્લામાં પાછા જવા એપી સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસમાં પ્રવાસ કર્યો હતો અને પછીથી તેનો કોરોનાને લગતો પૉઝિટિવ રિપોર્ટ આવ્યો હતો.

નવી દિલ્હી-રાંચી રાજધાની એક્સપ્રેસમાં પ્રવાસ કરનાર ૬૦ મુસાફરો એવા હતા જેઓ જે બી-વન કોચમાં બેઠા હતા એમાં મલયેશિયાની એક મહિલા પણ બેઠી હતી જેનો વાઇરસને લગતો પૉઝિટિવ રિપોર્ટ આવ્યો છે. આ મહિલાએ તબલીઘી જમાતના મેળાવડામાં હાજરી આપી હોવાનું મનાય છે. જિલ્લાના સત્તાધીશો એ ૬૦ મુસાફરો ક્યાં છે એ શોધી રહ્યા છે.

એક મહિલાએ ૧૬મી માર્ચે ૨૩ જણ સાથે પ્રવાસ કર્યો હતો. આ મહિલાનો પૉઝિટિવ રિપોર્ટ આવ્યો છે અને ઝારખંડનો એ સૌપ્રથમ કોવિડ-૧૯ કેસ છે. રાજ્યોમાંથી મળેલી માહિતી મુજબ નિઝામુદ્દીનના મેળાવડામાં હાજરી આપનાર અને પછીથી જેમનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો એ બે વ્યક્તિઓએ ૧૮મી માર્ચે દુરોન્તોમાં એસ-૮ કોચમાં પ્રવાસ કર્યો હતો. આ બે વ્યક્તિઓએ ‘બે સાથીઓ’ સાથે મુસાફરી કરી હતી.

કોરોનાને કારણે મુંબઈના ૧૪૬ વિસ્તાર સીલ

મહારાષ્ટ્રમાં કોરોનાના દરદીઓની સંખ્યા ૩૦૦નો આંક વટાવી ગઈ હોવાથી હવે નાગરિકોને વધુ સતર્ક રહેવાની સૂચના પ્રશાસન દ્વારા આપવામાં આવી રહી છે. જરૂરી ન હોય તો નાગરિકોએ ઘરમાંથી બહાર ન નીકળવાનું કહેવામાં આવ્યું છે. પોલીસ, ડૉક્ટર, સરકારી અધિકારીઓથી માંડી છેક મુખ્ય પ્રધાન સુધીના દરેક જણ ઘરમાં જ રહેવાનું સૂચન કરી રહ્યા છે.

સરકારી અધિકારીઓ દ્વારા મળતી માહિતી અનુસાર માત્ર મુંબઈમાં જ ૧૦૦થી વધુ કોરોનાના દરદી મળી આવ્યા છે. કોરોનાના ફેલાવાને ધ્યાનમાં રાખી મંગળવારે વરલી કોલીવાડા બાદ ગોરેગામ પૂર્વના બિંબિસાર નગર અને અંધેરીનો બિન્દ્રા વિસ્તાર સીલ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં જે વિસ્તારોમાંથી કોરોનાના દરદી અથવા શંકાસ્પદ દરદીઓ મળી આવ્યા છે તેવા ૧૪૬ વિસ્તાર સીલ કરવામાં આવ્યા હોવાનું મુંબઈ મહાનગરપાલિકાએ બહાર પાડેલી યાદીમાં જણાવાયું હતું.

જે વિસ્તારો સીલ કરવામાં આવ્યા છે તેની વૉર્ડ આધારે યાદી મુંબઈ મહાપાલિકાએ જાહેર કરી છે. યાદી અનુસાર મુંબઈના ૨૪ વૉર્ડમાંથી ૨૧ વૉર્ડમાં ૧૪૬ વિસ્તાર સીલ કરવામાં આવ્યા છે. બી, સી, ડી, ઈ, એફ દક્ષિણ, એફ ઉત્તર, જી દક્ષિણ, એચ પૂર્વ, એચ પશ્ર્ચિમ, કે પૂર્વ, કે પશ્ર્ચિમ, પી દક્ષિણ, પી ઉત્તર, આર દક્ષિણ, આર મધ્ય, આર ઉત્તર, એલ, એમ પૂર્વ, એમ પશ્ર્ચિમ, એન, એસ અને ટી વૉર્ડનો આ યાદીમાં સમાવેશ છે. આ વિસ્તારોને સેનિટાઈઝ્ડ કરવાનું કામ હાથ ધરવામાં આવ્યું છે. તેની જવાબદારી પણ વૉર્ડ આધારે સોંપવામાં આવી છે. મુંબઈ સિવાય થાણે, નવી મુંબઈના પણ અનેક વિસ્તારો સીલ કરવામાં આવ્યા છે.

April 2, 2020
coronaworld-1280x1023.jpg
66min1919
CountryCasesDeathsRecoveredCases
World1,117,91859,203229,000829,715
USA277,4757,40212,283257,790
Italy119,82714,68119,75885,388
Spain119,19911,19830,51377,488
Germany91,1591,27524,57565,309
France82,1656,50714,00861,650
China81,6393,32676,7551,558
Iran53,1833,29417,93531,954
UK38,1683,60513534,428
Turkey20,92142548420,012
Switzerland19,6065914,84614,169
Belgium16,7701,1432,87212,755
Netherlands15,7231,48725013,986
Canada12,5492082,18610,155
Austria11,5241682,0229,334
S. Korea10,1561776,3253,654
Portugal9,886246689,572
Brazil9,2163651278,724
Israel7,428404036,985
Sweden6,1313582055,568
Australia5,454305854,839
Norway5,37059325,279
Ireland4,273120254,128
Czechia4,19053724,065
Russia4,149342813,834
Denmark3,7571391,1932,425
Chile3,737224273,288
Poland3,38371563,256
Ecuador3,368145653,158
Malaysia3,333538272,453
Romania3,1831332832,767
India3,082862292,767
Philippines3,018136522,830
Japan2,935695142,352
Pakistan2,708401302,538
Luxembourg2,612315002,081
Thailand2,067206121,435
Saudi Arabia2,039253511,663
Indonesia1,9861811341,671
Mexico1,68860633995
Panama1,67341101,622
Finland1,615203001,295
Greece1,61363781,472
Peru1,59561537997
South Africa1,5059951,401
Dominican Republic1,48868161,404
Serbia1,47639541,383
Iceland1,36443091,051
Argentina1,353422661,045
Colombia1,26725551,187
UAE1,26491081,147
Algeria1,171105621,004
Singapore1,1146282826
Croatia1,079892979
Qatar1,075393979
Ukraine1,07227221,023
Egypt98566216703
Estonia9611248901
New Zealand9501127822
Slovenia9342070844
Hong Kong8454173668
Iraq82054226540
Morocco7914857686
Lithuania77197755
Armenia736743686
Diamond Princess7121161982
Hungary6783258588
Bahrain6724382286
Moldova591826557
Bosnia and Herzegovina5791727535
Cameroon509817484
Lebanon5081750441
Kazakhstan500635459
Tunisia495185472
Latvia49311491
Bulgaria4851430441
Slovakia450110439
Azerbaijan443532406
Andorra4391616407
North Macedonia4301220398
Kuwait417182334
Costa Rica416211403
Cyprus3961128357
Uruguay386486296
Belarus351453294
Taiwan348550293
Réunion321 40281
Jordan310558247
Albania3041789198
Burkina Faso3021650236
Afghanistan299610283
Cuba269615248
Honduras264153246
Oman252157194
San Marino2513226193
Vietnam239 85154
Channel Islands232413215
Uzbekistan227225200
Ivory Coast218119198
Nigeria210425181
Senegal207166140
Ghana205531169
Malta202 2200
Palestine194121172
Mauritius1867 179
Faeroe Islands179 9188
Montenegro17421171
Sri Lanka159524130
Georgia155 28127
Venezuela15375294
DRC148163129
Kyrgyzstan14416137
Martinique143327113
Bolivia139101128
Brunei13416568
Guadeloupe13072499
Mayotte128210116
Kenya12244114
Niger1205 115
Isle of Man1141 113
Cambodia114 5064
Trinidad and Tobago1006193
Paraguay9631281
Gibraltar95 4649
Rwanda89  89
Liechtenstein75  75
Guinea73 271
Madagascar70  70
Monaco641360
Aruba62 161
Bangladesh6162629
French Guiana57 2235
Jamaica533743
Barbados51  51
Guatemala5011237
Djibouti49 841
Uganda48  48
El Salvador463 43
Macao42 1032
Togo4031720
Mali393 36
Zambia391236
French Polynesia39  39
Bermuda35 1421
Ethiopia35 332
Cayman Islands291127
Bahamas243 21
Guyana234 19
Sint Maarten234613
Congo222218
Saint Martin221219
Eritrea22  22
Gabon211119
Myanmar201 19
Tanzania201316
Maldives19 136
Haiti18 117
New Caledonia18 117
Libya171 16
Syria162 14
Benin16 214
Equatorial Guinea16 115
Antigua and Barbuda15  15
Guinea-Bissau15  15
Dominica14  14
Mongolia14 212
Namibia14 311
Saint Lucia13 112
Fiji12  12
Grenada12  12
Curaçao11137
Sudan10226
Suriname101 9
Greenland10 37
Laos10  10
Mozambique10  10
Seychelles10  10
MS Zaandam92 7
Zimbabwe91 8
Saint Kitts and Nevis9  9
Eswatini9  9
Angola8215
CAR8  8
Chad8  8
Vatican City7  7
Liberia7  7
St. Vincent Grenadines7 16
Somalia7 16
Cabo Verde61 5
Mauritania6123
Nepal6 15
Montserrat6  6
St. Barth6 15
Nicaragua51 4
Bhutan5 23
Turks and Caicos5  5
Botswana41 3
Gambia4121
Belize4  4
Anguilla3  3
British Virgin Islands3  3
Burundi3  3
Malawi3  3
Caribbean Netherlands2  2
Sierra Leone2  2
Falkland Islands1  1
Papua New Guinea1  1
Timor-Leste1  1
Total:1,117,91859,203229,000829,715

Reported on 2 April 2020

યુરોપમાં મરણાંક ૩૦ હજારથી વધ્યો

કોરોનાવાઇરસના રોગચાળાને કારણે યુરોપમાં અત્યાર સુધીમાં ૩૦ હજારથી વધુ લોકોના મૃત્યુ થયા છે, એમાંથી ત્રણ ચતુર્થાંશથી વધુ લોકો ઇટાલી અને સ્પેનના છે. યુરોપમાં કોરોનાના કુલ ૪,૫૮,૬૦૧ કેસ નોંધાયા છે જેમાં ૩૦,૦૬૩ લોકોના મૃત્યુ થયા છે. ઇટાલીમાં સૌથી વધુ ૧૨,૪૨૮ લોકોના અને સ્પેનમાં ૯,૦૦૦ તથા ફ્રાન્સમાં ૩,૫૨૩ લોકોના મૃત્યુ થયા છે. અમેરિકામાં કોરોનાના કારણે ૪,૦૭૬ લોકોના મૃત્યુ થયા છે. 

અમેરિકામાં કોરોનાથી મરણાંક ત્રણ દિવસમાં બમણો

જૉન હૉપક્ધિસ યુનિવર્સિટીએ આપેલા આંકડા મુજબ અમેરિકામાં જીવલેણ અને ભયાનક નોવેલ કોરોના વાઇરસથી મૃત્યુ પામેલા લોકોનો આંકડો છેલ્લા ત્રણ દિવસમાં બમણો થઈને બુધવારે ૪,૦૦૦ના આંકડે પહોંચી ગયો હતો.

બુધવારે આ અહેવાલ લખાઈ રહ્યો હતો ત્યાં સુધીમાં અમેરિકામાં કોરોનાથી મૃત્યુ પામેલાઓની સંખ્યા ૪,૦૭૬ થઈ હતી. હજી શનિવારે આંકડો ૨,૦૧૦ હતો, એવું જૉન હૉપક્ધિસના ડૅટામાં જણાવાયું હતું.

વધુ આંચકાજનક બાબત એ છે કે એકલા ન્યૂ યૉર્ક શહેરમાં કોવિડ-૧૯થી ૧,૦૦૦થી વધુ લોકોના મૃત્યુ થયા છે. શહેરમાં અચાનક જ કોરોનાના દરદીઓ વધી જતાં સત્તાધીશો પૂરતી સંખ્યામાં તબીબી સાધનો મેળવવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે અને તેમણે આવનારા કેટલાક અઠવાડિયા વધુ કપરી કટોકટીના રહેશે એવી ચેતવણી આપી છે.

સત્તાવાર ડૅટા મુજબ ન્યૂ યૉર્કમાં કોવિડ-૧૯ના કુલ ૪૧,૭૭૧ કેસ નોંધાયા છે જેમાંથી ૧,૦૯૬ના મૃત્યુ થયા છે. આ આંકડા ૩૧મી માર્ચ સુધીના છે. ઓછામાં ઓછા ૮,૪૦૦ લોકોને હૉસ્પિટલમાં દાખલ કરાયા છે જેમાંથી ૧,૮૮૮ જણ આઇસીયુમાં છે.

સમગ્ર ન્યૂ યૉર્ક સ્ટેટમાં કોરોનાના ૭૫,૦૦૦ દરદીઓ નોંધાયા અને એમાંથી ૧,૫૫૦ લોકોના મૃત્યુ થયા હોવાનું સત્તાવાર અહેવાલમાં જણાવાયું હતું. એમાં એવું પણ કહેવાયું હતું કે સ્ટેટમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૩૩૨ દરદીઓ વધી ગયા હતા.

દરમિયાન, ન્યૂ યૉર્ક શહેરે પોતાની હૉસ્પિટલો તથા અન્ય તબીબી સેવા સ્થળો ખાતેના સ્ટાફના સપોર્ટ માટે ૧,૦૦૦ નર્સ, ૩,૦૦૦ રેસ્પાયરેટરી થેરપિસ્ટ અને ૧૫૦ ડૉક્ટરો મોકલવા સરકારને કહ્યું છે. અત્યાર સુધીમાં ન્યૂ યૉર્ક શહેરભરની હૉસ્પિટલોમાં કુલ ૩૦.૫૬ લાખ ફેસ માસ્ક, ૩૨.૮૮ લાખ એન-૯૫ માસ્ક, ૬૫,૪૭૦ ગાઉન અને ૧૩.૦૬ લાખ સર્જિકલ ગ્લવ વહેંચવામાં આવ્યા છે.

બીજા વિશ્ર્વયુદ્ધ પછીનો આ સૌથી વધુ કપરો કાળ: યુનોના વડા

સંયુક્ત રાષ્ટ્રસંઘ (યુનો)ના વડા એન્ટોનિઓ ગટરસે દુનિયા હાલમાં બીજા વિશ્ર્વયુદ્ધ પછીના સૌથી વધુ કપરા કાળનો સામનો કરી રહી હોવાનો દાવો કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે દુનિયામાં હાલમાં આર્થિક મંદી જેવી સ્થિતિ છેલ્લાં અનેક દાયકા કરતાં વધુ ગંભીર છે. રોગચાળાના દરદીઓ અને મરણાંકમાં કૂદકે ને ભૂસકે વધારો થતો જ જાય છે.

સંયુક્ત રાષ્ટ્રસંઘ (યુનો)ના વડાએ જણાવ્યું હતું કે સંયુક્ત રાષ્ટ્રસંઘના ઇતિહાસની આ સૌથી વધુ ગંભીર કટોકટી છે. દરદીઓ અને મરણાંકનો ઝડપથી ગુણાકાર થઇ રહ્યો છે અને આપણે તેને રોકવામાં હજી સુધી નિષ્ફળ રહ્યા છીએ. દરમિયાન, જોન્સ હોપક્ધિસ યુનિવસિટીના અંદાજ મુજબ દુનિયામાં કોરોના વાઇરસના ૮.૫ લાખથી વધુ દરદી છે અને આશરે ૪૨,૦૦૦ લોકો તેનાથી મૃત્યુ પામ્યા છે તેમ જ આ આંકડામાં સતત વધારો થતો રહે છે.

ફ્લૂની દવા એવિગન કોરોના સામે અસરકારક

ચીનમાં આ દવા કોરોના સામેની લડતમાં અસરકારક નીવડી હોવાનાં અહેવાલ બાદ જાપાનની ફૂજીફિલ્મે તેની ફ્લુવિરોધી દવા એવિગનની કોરોના વાઇરસ સામેની અસરકારકતા ની ચકાસણી માટે તેની કલીનિકલ ટ્રાયલ શરૂ કરી દીધી છે. ચીનમાં આ દવાની ટ્રાયલ એ પુરવાર કરી દીધું છે કે કોરોના ના દર્દીના સજા થવાના સમયમાં ઘટાડો કરવામાં આ દવા નિર્ણાયક ભૂમિકા ભજવે છે. જૂન મહિનાના અંત સુધીમાં ૧૦૦ દરદી પર આ દવાનું પરીક્ષણ કરવામાં આવશે, એમ કંપનીના પ્રવક્તાએ સમાચાર સંસ્થાને આપેલી મુલાકાતમાં કહ્યું હતું. ત્યાર બાદ અમે તેની યાદી તૈયાર કરીશું અને તેની યોગ્ય સમીક્ષા કર્યા બાદ મંજૂરી માટે તેને આગળ મોકલીશું, એમ તેમણે કહ્યું હતું. હળવો ન્યૂ મોનિયા ધરાવતા ૨૦થી ૭૪ વર્ષની વયજૂથના કોરોના વાઇરસના દર્દીઓ ને વધુમાં વધુ ૧૪ દિવસ સુધી આ દવા આપવામાં આવશે, એમ તેમણે કહ્યું હતું. પશુઓ પર કરવામાં આવેલા પરીક્ષણ દરમિયાન આ દવાની આડઅસર જોવા મળી હોવાને કારણે ગર્ભવતી મહિલાઓ ને તેમાંથી બાકાત રાખવામાં આવી હતી, એમ તેમણે કહ્યું હતું. કોરોના વાઇરસ સામેની લડતમાં એવી ગોનનો ઉપયોગ કરવાની મંજુરી આપવામાં આવ્યા બાદ એ માટે ની જરૂરી પ્રક્રિયાનો આરંભ કરવામાં આવશે, એમ વડા પ્રધાન શિન્ઝો આબે એ જણાવ્યા બાદ ત્રીજા તબક્કા ની ટ્રાયલ શરૂ કરવામાં આવી હોવાનું તેમણે કહ્યું હતું.

જાણો ક્યારે કયા દેશમાં પહેલો કેસ રિપોર્ટ થયો?

OtherCasesDeathsRecovered1st case
World935,95747,245194,286Jan-10
USA215,2155,1108,878Jan-20
Italy110,57413,15516,847Jan-29
Spain104,1189,38722,647Jan-30
China81,5543,31276,238Jan-10
Germany77,98193118,700Jan-26
France56,9894,03210,935Jan-23
Iran47,5933,03615,473Feb-18
UK29,4742,352135Jan-30
Switzerland17,7684882,967Feb-24
Turkey15,679277333Mar-09
Belgium13,9648282,132Feb-03
Netherlands13,6141,173250Feb-26
Austria10,7111461,436Feb-24
S. Korea9,9761695,828Jan-19
Canada9,7311291,736Jan-24
Portugal8,25118743Mar-01
Brazil6,931244127Feb-24
Israel6,09226241Feb-20
Australia5,10523345Jan-24
Sweden4,947239103Jan-30
Norway4,8774413Feb-25
Czechia3,5893961Feb-29
Ireland3,447855Feb-28
Denmark3,107104894Feb-26
Chile3,03116234Mar-02
Malaysia2,90845645Jan-24
Russia2,77724190Jan-30
Ecuador2,7589858Feb-28
Poland2,5544356Mar-03
Romania2,46092252Feb-25
Japan2,38457472Jan-14
Luxembourg2,3192980Feb-28
Philippines2,3119650Jan-29
Pakistan2,1182794Feb-25
India1,99858148Jan-29
Thailand1,77112505Jan-12
Saudi Arabia1,72016264Mar-01
Indonesia1,677157103Mar-01
Finland1,4461710Jan-28
Greece1,4155152Feb-25
South Africa1,380550Mar-04
Mexico1,3783735Feb-27
Peru1,32347394Mar-05
Panama1,317329Mar-09
Dominican Republic1,284579Feb-29
Iceland1,2202236Feb-27
Argentina1,13333248Mar-02
Colombia1,0651739Mar-05
Serbia1,0602842Mar-05
Singapore1,0004245Jan-22
Croatia963673Feb-24
Algeria8475861Feb-24
Slovenia8411510Mar-03
Qatar835271Feb-28
UAE814861Jan-28
New Zealand797192Feb-27
Ukraine7942013Mar-02
Egypt77952179Feb-13
Estonia779533Feb-26
Hong Kong7664147Jan-22
Iraq72852182Feb-21
Diamond Princess71211619Feb-04
Morocco6543929Mar-01
Lithuania58187Feb-27
Armenia571431Feb-29
Bahrain5694337Feb-23
Hungary5252040Mar-03
Lebanon4791443Feb-20
Bosnia and Herzegovina4591319Mar-04
Latvia446 1Mar-01
Tunisia423125Mar-01
Moldova423523Mar-06
Bulgaria4221020Mar-06
Kazakhstan402326Mar-12
Slovakia40013Mar-05
Andorra3901410Mar-01
Costa Rica37524Mar-04
Azerbaijan359526Feb-27
North Macedonia3541117Feb-25
Uruguay350262Mar-12
Taiwan329545Jan-20
Cyprus320928Mar-08
Kuwait317 80Feb-23
Burkina Faso2821646Mar-08
Réunion281 40Mar-10
Jordan278536Mar-01
Albania2591567Mar-07
Afghanistan23745Feb-23
San Marino2362813Feb-26
Cameroon233610Mar-05
Vietnam222 63Jan-22
Honduras219143Mar-10
Cuba212612Mar-10
Oman210134Feb-23
Ghana195531Mar-11
Ivory Coast19019Mar-10
Senegal190145Mar-01
Malta188 2Mar-06
Uzbekistan181212Mar-14
Nigeria17429Feb-27
Faeroe Islands173 75Mar-03
Channel Islands1723 Mar-08
Belarus163253Feb-27
Mauritius1616 Mar-17
Sri Lanka146321Jan-26
Venezuela144343Mar-12
Martinique135327Mar-04
Palestine134118Mar-04
Brunei131152Mar-08
Guadeloupe125624Mar-12
Montenegro1232 Mar-16
Georgia117 23Feb-25
Bolivia11571Mar-09
Kyrgyzstan111 3Mar-17
Cambodia110 34Jan-26
DRC10993Mar-09
Mayotte101110Mar-13
Trinidad and Tobago9051Mar-11
Rwanda82  Mar-13
Kenya8113Mar-12
Gibraltar81 34Mar-02
Paraguay7732Mar-06
Niger745 Mar-18
Liechtenstein72  Mar-02
Isle of Man681 Mar-18
Madagascar57  Mar-19
Monaco5512Feb-27
Aruba55 1Mar-12
Bangladesh54625Mar-07
French Guiana51 15Mar-06
Guatemala46112Mar-12
Barbados45  Mar-16
Jamaica4432Mar-09
Uganda44  Mar-20
El Salvador412 Mar-18
Macao41 10Jan-21
French Polynesia37  Mar-10
Togo36210Mar-05
Zambia36  Mar-17
Djibouti33  Mar-17
Bermuda32 10Mar-17
Mali313 Mar-24
Guinea30  Mar-12
Ethiopia29 2Mar-12
Congo222 Mar-14
Cayman Islands221 Mar-12
Saint Martin2212Feb-29
Bahamas2111Mar-14
Tanzania2011Mar-15
Guyana194 Mar-11
Maldives19 13Mar-06
Gabon181 Mar-12
Myanmar161 Mar-22
Sint Maarten1616Mar-17
Haiti16 1Mar-19
New Caledonia16 1Mar-17
Equatorial Guinea15 1Mar-13
Eritrea15  Mar-20
Mongolia14 2Mar-09
Namibia14 2Mar-13
Benin13 1Mar-15
Saint Lucia13 1Mar-12
Dominica12  Mar-21
Curaçao1113Mar-12
Syria102 Mar-21
Greenland10 2Mar-15
Grenada10  Mar-21
Laos10  Mar-23
Libya10  Mar-23
Mozambique10  Mar-21
Seychelles10  Mar-13
Suriname10  Mar-12
MS Zaandam92 Mar-26
Guinea-Bissau9  Mar-24
Eswatini9  Mar-13
Angola821Mar-19
Zimbabwe81 Mar-19
Saint Kitts and Nevis8  Mar-24
Sudan722Mar-12
Antigua and Barbuda7  Mar-12
Chad7  Mar-18
Cabo Verde61 Mar-19
Mauritania612Mar-12
Vatican City6  Mar-05
Liberia6  Mar-15
St. Barth6 1Feb-29
Turks and Caicos6  Mar-22
Nicaragua51 Mar-18
Nepal5 1Jan-23
Bhutan5 1Mar-05
Fiji5  Mar-18
Montserrat5  Mar-17
Somalia5 1Mar-15
Botswana41 Mar-29
Gambia412Mar-16
Belize3  Mar-22
British Virgin Islands3  Mar-24
CAR3  Mar-14
Anguilla2  Mar-25
Burundi2  Mar-30
Caribbean Netherlands2  Mar-31
St. Vincent Grenadines2 1Mar-10
Sierra Leone2  Mar-30
Papua New Guinea1  Mar-19
Timor-Leste1  Mar-20
Total:935,95747,245194,286 
April 1, 2020
chloroquine-corona.jpg
1min5900

કોરોના વાઇરસના દર્દીઓના ઈલાજ માટે અમેરિકાએ મેલેરિયા ની દવા હાયડ્રોકિસ-ક્લોરોક્વિન પ્રાપ્ત કરવાનું શરૂ કરી દીધું છે કેમ કે ન્યૂ યોર્ક ના કોરોના ના અસરગ્રસ્ત દરદીઓની હાલ ચાલી રહેલી સારવારમાં આ દવા સારું પરિણામ આપી રહી છે.

અમેરિકાની એક પ્રતિષ્ઠત દવા કંપની સેન્ડઝે એ આ દવાના ત્રણ કરોડ ડોઝ સરકારને દાનમાં આપ્યા હોવાનું અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પત્રકારોને આપેલી મુલાકાતમાં કહ્યું હતું.

બાયેર નામની દવા કંપનીએ પણ કલોરોકવીનના દસ લાખ ડોઝ સરકારને દાનમાં આપ્યા છે અને જલ્દી જ તેનું દેશના તમામ રાજ્યો અને આરોગ્ય અધિકારીઓમાં વિતરણ કરવામાં આવશે એમ તેમણે કહ્યું હતું. ટ્રમ્પે કહ્યું હતું કે આ દવા કોરોના વાઇરસ સામેની લડતમાં ચમત્કારિક પરિણામ આપે એવી શક્યતા છે અને તેને કારણે કોરોના વાઇરસના ચેપ નો ભોગ બનેલા ૧,૬૩,૦૦૦ કરતા પણ વધુ લોકોને લાભ થાય તેવી શક્યતા છે.

આ દવા કોરોના સારવારમાં મદદરૂપ થશે એવી આશા સાથે ગયા અઠવાડિયે ન્યૂ યોર્ક ના દર્દીઓ પર તેનો પ્રયોગ કરવામાં આવ્યો હતો જેના સારા પરિણામ મળી રહ્યા હોવાનું તેમણે કહ્યું હતું.