CIA ALERT

Alert Archives - Page 23 of 500 - CIA Live

June 6, 2025
vijay-meva.png
2min289

SGCCI, સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના 78માં અને વર્ષ 2024-25ના પ્રેસિડેન્ટ તરીકે વિજય મેવાવાલાની કેપ્ટન ઇનિંગને ચેમ્બરના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે. ચેમ્બર ઓફ કોમર્સમાં ગુડ ગવર્નન્સને નવી ઉંચાઇએ લઇ જવામાં વિજય મેવાવાલાએ કરેલી લિડરશીપ કાબિલે તારીફ છે અને તેને ઉદ્યોગકારો જ નહીં પણ રાજ્ય અને કેન્દ્ર સરકારના સનદી અધિકારીઓથી લઇને ધારાસભ્યો, સાંસદો અને મંત્રીઓ પણ બિરદાવી રહ્યા છે. આજે ચેમ્બરના આ 78માં પ્રમુખ પદેથી વિદાય લઇ રહેલા વિજય મેવાવાલાએ કહ્યું કે તેઓ સતત ઉદ્યોગ ધંધાના વિકાસ માટે સક્રિય હતા, છે અને રહેશે.

નાનપુરા સ્થિત સમૃદ્ધિ બિલ્ડીગથી સરસાણા, સંહતિમાં SGCCIની ઓફિસ શીફ્ટ થયા બાદ SGCCIના મોભ્ભા અનુસાર તેમાં કેટલીક માળખાગત સુવિધાઓ અને બ્યુટીફિકેશનની તાતી જરૂર હતી. વિજય મેવાવાલાએ માળખાગત સુવિધાઓ એવી વિકસાવી કે જેના મીઠા ફળ વર્ષો નહીં દાયકાઓ સુધી ઉદ્યોગકારોને મળતા રહેશે. SGCCIની સમગ્ર ઓફિસને સોલાર પાવર સિસ્ટમથી વિકસાવવા ઉપરાંત મુલાકાતીઓથી લઇને કર્મચારીઓના વાહનોના પાર્કિંગની ફેસેલિટી પણ સુપેરે ડેવલપ કરી. એથી વિશેષ વેલ ઇક્વિપ્ટ કોન્ફરન્સ હોલ અને સ્ટેપ્ડ ઓડીટોરીયમની ભેંટ તેમના કાર્યકાળમાં મળી. આવી અનેક નાની મોટી કામગીરીઓને કારણે વિજય મેવાવાલાની પ્રેસિડેન્ટશીપને ઉદ્યોગકારો હંમેશા માટે સ્મરણમાં રાખશે.

ગુડ ગવર્નન્સની વાત કરીએ તો વિજય મેવાવાલા SGCCIના વહીવટને એક એવા લેવલ પર લઇ ગયા છે કે જ્યાં કોર્પોરેટની મિકેનિઝમ કરતા ચઢીયાતી સિસ્ટમથી હાલમાં SGCCIનું વહીવટીતંત્ર કાર્યરત છે. વહીવટમાં પ્રોફેશનલિઝમનો સમાવેશ એવી રીતે કર્યો કે જાણે સોનામાં સુગંધ ભળે. ચેમ્બરના કર્મચારીઓથી લઇને ઉદ્યોગકારો સુધી સમગ્ર વર્ષ દરમિયાન પ્રત્યેકને ધ્યાનપૂર્વક સાંભળ્યા અને એક પ્રેસિડેન્ટ તરીકે તેમણે તમામને ન્યાય આપવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો છે.

આપે આજથી 26 વર્ષ પહેલા સુરતના વેપારી મહાજનોની વિશ્વ વિખ્યાત વાણિજ્યિક સંસ્થા, ધ સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝમાં આજીવન સભ્ય તરીકે જોડાયા અને તેના 25માં વર્ષે સંસ્થાના સર્વોચ્ચ બંધારણિય હોદ્દા એટલે કે પ્રમુખ તરીકે કામગીરી સંભાળી હતી. ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તરીકેના આપના કાર્યકાળમાં આપનું નેતૃત્વ વિઝનરી, ઇમ્પેક્ટફુલ અને ગ્લોબલ હોવાની અનુભૂતિ અમે સૌએ કરી છે.

આપના કાર્યકાળના આરંભે આપશ્રી એ જાહેર સંબોધનમાં કહ્યું હતું કે સૌને સાથે લઇને ચાલીશું અને સાથે જ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આપેલા સૂત્ર, સૌનો સાથ અને સૌનો વિકાસને સાર્થક કરીશું.

આપની લિડરશીપના એક વર્ષમાં આપે એને સાર્થક કરી દેખાડ્યું છે.

SGCCIના પ્રમુખ પદે આપના કાર્યકાળમાં અમે નોંધ્યું કે એક કપ્તાન તરીકે આપનામાં લિડરશીપ ક્વોલિટીઝ તરીકે SGCCIને નવીનત્તમ મુકામ પર પહોંચાડી છે.

ઉદ્યોગ, ધંધા, વેપાર માટે રીપ્રેઝન્ટેશન કરી શકાય તેવા મૂળભૂત સિદ્ધાંત સાથે SGCCI અસ્તિત્વમાં આવી હતી, SGCCIના આ મૂળભૂત સિંદ્ધાતને આપશ્રીએ ચોંટદાર કમ્યુનિકેશન સ્કીલ્સના સથવારે સંપૂર્ણપણે ચરિતાર્થ કર્યો છે. કહેવાય છે કે મૂળ સુરતી નાગરીકના ડીએનએમાં નાવિન્ય, કંઇક નવું પ્રદાન કરવાની ખેવના સતત સક્રિય હોય છે, અમે આપની વહીવટ કરવાની કાર્યશૈલીમાં ડગલેને પગલે તેનો અહેસાસ કર્યો છે. SGCCI તરફથી રીપ્રેઝન્ટેશન કરવાનું હોય, કોન્કલેવ કે પછી ઓપન હાઉસ હોય. એક્ઝિબિશન-એક્ષ્પો હોય કે મેનેજિંગ કમિટીની મિટીંગ સુધી દરેક સ્તરે આપના કાર્યકાળ દરમિયાન કંઇકને કંઇક નવીનત્તમ સ્થિતિ અનુભવી છે.

આપની લિડરશીપ હેઠળ આપણી સંસ્થા, SGCCI, સકારાત્મક અભિગમ અને સૌથી વધુ ક્રિએટિવીટી સાથે વૈશ્વિક ફલક પર ઉભરી આવી છે.

SGCCIના પ્રમુખ તરીકે આપના કાર્યકાળ દરમિયાન જુદા જુદા ઉદ્યોગ, ધંધા, રોજગાર, વ્યવસાયના હિતાર્થે 400 પ્લસ મિટીંગ્સ-સિટીંગ્સ કરી. જુદા જુદા ઉદ્યોગ-ધંધાને અનુરૂપ 14 એક્ષ્પો-એક્ઝિબિશન્સ કર્યા અને તેમાં 2 લાખથી વધુ લોકો મુલાકાતી તરીકે પહોંચ્યા હતા, SGCCIના અત્યાર સુધીના ઇતિહાસમાં કોઇ એક વર્ષના એક્ષ્પો-એક્ઝિબિશનમાં આટલી વિશાળ સંખ્યામાં મુલાકાતીઓ નોંધાયા નથી.

આપશ્રીના નેતૃત્વની અવધિમાં SGCCIમાં એક પ્રેરણાદાયી કિર્તીમાન એ પણ સ્થપાયો કે કોઇ એક વર્ષમાં સૌથી વધુ (1000થી વધુ) નવા સભ્યો SGCCIના ફેમિલીમાં જોડાયા.

દેશની રાજધાની દિલ્હી હોય કે ગુજરાતની રાજધાની ગાંધીનગર હોય, આપશ્રીએ કેન્દ્ર અને રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, અધિકારી શ્રીઓ સાથે નિયમિત રીતે સંપર્કમાં રહ્યા અને આપશ્રીના સમયમાં કરવામાં આવેલી 200થી વધુ રજૂઆતોમાં 50થી વધુ રજૂઆતોને પરીણામદાયી સ્તર પર લાવી શક્યા જે આપની કુશળ નેતૃત્વ શૈલીને આભારી છે. સુરતના સ્થાનિક સરકારી તંત્રો જેમાં સુરત કલેક્ટરેટ, સુરત મહાનગરપાલિકા, સુરત શહેર પોલિસ તંત્ર, જીએસટી ડિપાર્ટમેન્ટ, ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ, દક્ષિણ ગુજરાત વીજ કંપની, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, જિલ્લા સહકારી રજિસ્ટ્રાર, રેલવે તંત્ર, સ્ટેટ ટ્રાન્સપોર્ટ, આરટીઓ, પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ વગેરે સાથે જુદા જુદા મુદ્દાઓ પર સુમેળ સાધીને એવું નેતૃત્વ પ્રદાન કર્યું કે આજે સૌની સાથે SGCCIનો નાતો વધુ ગાઢ બન્યો છે અને SGCCIનું નેટવર્ક વિસ્તર્યું છે.

SGCCIનું આપણા દેશમાં આંતરીક નેટવર્ક તો વિસ્તર્યું છે પણ સાથોસાથ આપશ્રીના કાર્યકાળ દરમિયાન વિદેશોના બિઝનેસ ઓર્ગેનાઇઝેશન્સના પ્રતિનિધિઓથી લઇને ભારતમાં વિદેશોના કોન્સ્યુલેટ સાથે શ્રેણીબદ્ધ મિટીંગો યોજીને સુરતના વેપાર, ધંધાને તેમની નજર સમક્ષ બખૂબી મૂક્યા. આપના કાર્યકાળમાં SGCCIએ સૌથી પહેલી વખત ગ્બોબલ વિલેજ એક્ઝિબિશનનો કન્સેપ્ટ લોંચ કર્યો. આપની મુદત દરમિયાન જુદા જુદા 25થી વધુ દેશોમાંથી 150થી વધુ ફોરેન ડેલિગેટ્સ સરસાણા સ્થિત કન્વેન્શન સેન્ટર અને સંહતિ ખાતેની આપણી કચેરીની મુલાકાતે આવ્યા હતા.

આપશ્રીનું વિઝન હતું કે SGCCI સસ્ટેનેબિલિટી અપનાવે અને એ માર્ગ પર આગેકૂચ કરતા આપશ્રીએ સંહતિ બિલ્ડીંગની આપણી કચેરીમાં સોલાર પાવર પ્લાન્ટ કાર્યાન્વિત કરાવ્યો, જેના કારણે વર્ષે દહાડે રૂ.20 લાખના વીજળી ખર્ચની સીધી બચતનો લાભ SGCCIને વર્ષોવર્ષ મળતો રહેશે. આપશ્રીના સમયગાળામાં SGCCIની માળખાગત સુવિધાઓમાં અસાધારણ વધારો થયો. સહંતિ બિલ્ડીંગનાગ્રાઉન્ડ ફ્લોર પર વેલ ઇક્વિપ્ડ કોન્ફરન્સ હોલ તેમજ સાથે મલ્ટીપર્પઝ કન્વેન્શન હોલનું નિર્માણ અને લોકાર્પણ પણ આપશ્રીએ કરાવીને SGCCIના છોગાને મોરપીંચ્છથી હર્યુ ભર્યું કરી દીધું.

SGCCI કાર્યાલય સંકુલને નાવિન્ય અર્પણ કરતા અનેક પ્રોજેક્ટ અને સોનામાં સુગંધ ભળે એ રીતે SIECCના પરિસરમાં સંહતિ ખાતે આપણા પ્યારા રાષ્ટ્રધ્વજનું આરોપણ કરીને એક અલગ ઓળખ પ્રસ્થાપિત કરી છે.

ઉદ્યોગ, ધંધા, રોજગારની વાત કરીએ સિટી ઓફ ટેક્ષટાઇલ્સમાં કાપડ ઉદ્યોગથી શરૂ કરીને દક્ષિણ ગુજરાતમાં વિકાસ પામેલા કોઇપણ ઉદ્યોગ, ધંધાના સંસ્થા, સંગઠનો તરફથી આપના ધ્યાન પર જે બાબતો, પ્રશ્નો, સમસ્યાઓ લાવવામાં આવી તેને આપશ્રીએ ધ્યાનપૂર્વક સાંભળીને તેના નિરાકરણમાં અંગત રસ લીધો એવું તમામનું ઓબ્ઝર્વેશન છે.

સુરતના જ નહીં રાજ્યભરના કાપડ ઉદ્યોગ માટે જરૂરી ટેક્ષટાઇલ પોલિસી હોય કે MSMEના જટીલ પ્રશ્નો હોય, આપશ્રીનું નેતૃત્વ મહદઅંશે પરીણામલક્ષી રહ્યું છે. ગુજરાત સરકારને ટેક્ષટાઇલ પોલિસીમાં ઔદ્યોગિક યુનિટોને કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ સબસિડી મળે તે માટે આપશ્રીના નેતૃત્વમાં કરાયેલી રજૂઆતને રાજ્ય સરકારે સ્વીકારીને પોલિસીમાં સ્થાન આપ્યું જેનાથી આગામી પાંચ વર્ષમાં ઉદ્યોગકારોને રૂ.10 હજાર કરોડ સુધીના આર્થિક પ્રોત્સાહન મળશે.

વર્તમાન સમયગાળો એવો છે કે જેમાં ઉદ્યોગ, ધંધા સાથે સંકળાયેલા લોકો સાઇબર ક્રાઇમનો શિકાર બની રહ્યા છે. સાઇબર ક્રાઇમ વિશ્વ માટે પડકારજનક બાબત બની છે. આપના સમયગાળા દરમિયાન સાઇબર અવેરનેસ માટે સેમિનારથી લઇને સાઇબર ક્રાઇમનો ભોગ બનેલા ધંધાર્થીઓ, વ્યવસાયિકો માટે પોલિસ તંત્રને દરમિયાનગીરી કરવા માટે સીધી રજૂઆતો કરવામાં આવી હતી.

સૌથી મહત્વની વાત પહેલું સુખ તે જાતે નર્યા. વિજયભાઇ આપે સ્વાસ્થયની સ્વકાળજી અને સ્પોર્ટસ બન્નેનું મહત્વ ઉદ્યોગ, ધંધાર્થીઓ અને સ્ટાફને સમજાય તે માટે સાઇક્લોથોનથી લઇને યોગા શિબિર જેવા કાર્યક્રમોનું આયોજન કર્યું જે ખાસ્સા લોકપ્રિય રહ્યા અને લોકોએ આવા આયોજનોને મુક્ત મને બિરદાવ્યા પણ હતા.

સમગ્ર વિશ્વ જેને પ્રોત્સાહિત કરી રહ્યું છે એ રિન્યુએબલ એનર્જી ક્ષેત્રમાં આપશ્રીએ આપેલું યોગદાન સુવર્ણમય અક્ષરોમાં લખી શકાય તેવું છે.ચેમ્બર ઓફ કોમર્સના સાનિધ્યમાં આપશ્રીએ સોલાર પાવર પ્લાન્ટ ખાસ કરીને ગ્રાઉન્ડ માઉન્ટેડ સોલાર પ્રોજેક્ટ હેઠળ એક સોલાર પ્રોજેક્ટ સ્થાપિત કરવા માટે ઉદ્યોગકારોએ કમસે કમ 36 સ્ટેમ્પ પેપર લેવા પડતા હોય છે અને વિવિધ સત્તામંડળો પાસેથી જુદાજુદા મુદ્દા પર 22 પરવાનગીઓ લેવી પડે તેવી જટીલ પ્રક્રિયા દૂર કરીને ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહિત કરવા માટે આ સમગ્ર પ્રક્રિયાને ઓનલાઈન કરવા માટે ઉદ્યોગ સાહસિકો વતી ગુજરાત સરકારને અસરકારક રજૂઆતો કરી હતી. જેનો સ્વીકાર કરી ગુજરાત સરકાર દ્વારા ઉપરોક્ત બંને પ્રક્રિયાઓ માટે ઓનલાઈન સિસ્ટમ વિકસાવવા આવી છે. જેમાં GEDA પ્રોવિઝનલ અપ્રુવલથી લઈને ફાઈનલ કમિશનિંગ સુધીની તમામ પ્રક્રિયાઓ ઓનલાઈન કરવાનું પોર્ટલ GUVNL દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે અને આ પોર્ટલમાં જે પણ પ્રક્રિયા છે તે હાલમાં GERC ની મંજૂરી હેઠળ છે.

આપે ધ સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના 13 હજારથી વધુ સભ્યો, કર્મચારીઓ તેમજ ચેમ્બર ઓફ કોમર્સ સાથે પ્રત્યક્ષ, પરોક્ષ રીતે સંકળાયેલા લોકો પર આપના ઉમદા નેતૃત્વની અમીટ છાપ છોડી છે.

ધ સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ તરીકેની આપની એક વર્ષની મુદત દરમિયાન ઉત્કૃષ્ટ નેતૃત્વ બદલ અમો સૌ ધ સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના સભ્યો આપનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. આપના દૂરંદેશી અભિગમ અને પરિણામો પ્રત્યેની પ્રતિબદ્ધતાએ આપણા પ્રિય શહેર સુરત સમેત સમગ્ર દક્ષિણ ગુજરાતના ઉદ્યોગ, ધંધા, વેપાર પર સકારાત્મક રીતે નોંધપાત્ર અસર કરી છે.

June 6, 2025
image-2.png
1min172

અભિનેતા ડિનો મોરિયા હાલમાં પોતાની ફિલ્મો માટે નહીં પરંતુ મુંબઈના બહુચર્ચિત મીઠી નદી કૌભાંડ મામલે ચર્ચામાં છે. તે આ કૌભાંડની તપાસમાં ફસાઈ રહ્યો છે. આ કેસમાં અભિનેતાના ભાઈ સેન્ટિનો મોરિયાનું નામ પણ સામેલ છે. કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ લગભગ એક ડઝન સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. EDના સૂત્રોએ જણાવ્યું કે, ડિનો મોરિયાના ભાઈ સેન્ટિનોને પૂછપરછ માટે સમન્સ પાઠવવામાં આવ્યું છે.

મુખ્ય આરોપીના કોલ રેકોર્ડ્સ પરથી અનેક લોકના નામ સામે આવ્યા

સૂત્રો પાસથી મળેલી માહિતી પ્રમાણે આ કૌભાંડમાં મુખ્ય આરોપીના કોલ રેકોર્ડ્સ પરથી અનેક લોકના નામ સામે આવ્યા છે. મીઠી નદી કૌભાંડના મુખ્ય આરોપી કેતન કદમના કોલ રેકોર્ડસની તપાસમાં ડિનો મોરિયાનું નામ સામે આવ્યું છે. આરોપ છે કે, મીઠી નદી કૌભાંડના આરોપી કેતન સાથે ડિનો મોરિયા અને તેના ભાઈ સેન્ટિનોએ ઘણી વખત ફોન કોલ પર વાતચીત થઈ છે.

ED પહેલાં મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખાની ટીમે અભિનેતા ડિનો મોરિયા અને તેના ભાઈ બંનેની પૂછપરછ કરી છે. બંનેને ગત અઠવાડિયે જ પૂછપરછ માટે બોલાવ્યા હતા.

વાસ્તવમાં મુંબઈ મહાનગરપાલિકાએ થોડા સમય પહેલા મીઠી નદીની સફાઈ કરાવી હતી. આ કૌભાંડ મુંબઈ મહાનગરપાલિકા દ્વારા મીઠી નદીની સફાઈમાં ઉપયોગમાં લેવાતા સ્લજ પુશર્સ અને ડ્રેજિંગ મશીનોની ખરીદી અને વેચાણ સાથે સંબંધિત છે. એવો આરોપ છે કે, આ મશીનો કોચી સ્થિત કંપની મેટપ્રોપ ટેકનિકલ સર્વિસીસ પ્રાઈવેટ લિમિટેડ પાસેથી ઊંચા ભાવે ભાડે લેવામાં આવ્યા હતા અને આમાં મોટી નાણાકીય ગેરરીતિઓ આચરવામાં આવી હતી. આ કેસમાં કેતન કદમ અને જય જોશી મુખ્ય આરોપી છે.

આ બંને પર મેટપ્રોપ કંપનીના અધિકારીઓ અને બીએમસીના સ્ટોર્મ વોટર ડ્રેનેજ વિભાગના અધિકારીઓની મિલીભગતથી કરોડો રૂપિયાનું કૌભાંડ કરવાનો આરોપ છે. કથિત રીતે મીઠી નદીના કથિત ડિસિલ્ટિંગ કૌભાંડમાં મ્યુનિસિપલ કોર્પોરેશનને 65.54 કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે.

June 6, 2025
image-1.png
1min142

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે (6 જૂન) જમ્મુ-કાશ્મીરની મુલાકાતે છે, જ્યાં તેમણે ચિનાબ બ્રિજનું ઉદ્ઘાટન કર્યું છે. ચિનાબ બ્રિજ દુનિયાનો સૌથી ઊંચો રેલવે આર્ચ બ્રિજ છે, જે કાશ્મીર ઘાટીને આખા ભારત સાથે દરેક ઋતુમાં રેલ સંપર્ક પ્રદાન કરશે અને કટરા-શ્રીનગર યાત્રાનો સમય ઘટાડશે. પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ વડાપ્રધાનની આ પહેલી કાશ્મીર મુલાકાત છે. અહીં તેઓ 46 હજાર કરોડની યોજનાઓની ભેટ આપશે.

આ પહેલથી કનેક્ટિવિટીમાં સુધારો થશે. બ્રિજના ઉદ્ઘાટન સાથે એવું પણ કહેવામાં આવે છે કે, આનાથી ‘દિલની દૂરી અને દિલ્હીનું અંતર ઘટશે.’ વડાપ્રધાનના આ કાશ્મીર પ્રવાસ બાદ પર્યટન અને આર્થિક વિકાસને પણ વેગ મળશે.

વડાપ્રધાને ચિનાબ બ્રિજ અને અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું છે, જે ઉધમપુર-શ્રીનગર-બારામૂલા રેલ લિંક યોજનાનો મહત્ત્વપૂર્ણ ભાગ છે. આ યોજના હેઠળ બનાવવામાં આવેલો આ પુલ કાશ્મીર ઘાટીના ભાગને ભારત સાથે જોડશે. જેનાથી મુસાફરીનો સમય ઘટીને 3 કલાક થઈ જશે અને વેપાર તેમજ પ્રવાસ ઉદ્યોગને પણ વેગ મળશે.

June 6, 2025
rbi.jpeg
1min191

રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ રેપો રેટમાં 50 બેસિસ પોઇન્ટનો ઘટાડો કર્યો છે. આ ઘટાડા પછી રેપો રેટ 6%થી ઘટીને 5.50% થઈ ગયો છે. આવું કરીને સેન્ટ્રલ બૅન્કે સામાન્ય માણસને મોટી રાહત આપી છે. જેના કારણે મોંઘવારીમાં રાહત મળશે તેમજ હોમ લોન, ઓટો લોન, રિયલ એસ્ટેટમાં રાહત મળશે.

જો તમે પણ બૅન્કમાંથી લોન લીધી હોય, તો તમારી લોનના EMIમાં ઘટાડો થવાની શક્યતા છે. રેપો રેટમાં ઘટાડા પછી લોનના વ્યાજ દરમાં પણ ઘટાડો થશે. એવામાં જાણીએ કે 20, 30 અને 50 લાખની હોમ લોન પર તમારી EMI કેટલી હશે અને તે પહેલા કરતાં કેટલી ઓછી થશે.

50 લાખની લોન પર કેટલી રાહત મળશે?

જો તમે 30 વર્ષ માટે 50 લાખની હોમ લોન લીધી છે અને તેના બદલામાં તમે 9% વ્યાજ ચૂકવો છો તો તમારે મહિને રૂ. 40,231નો હપ્તો ભરવાનો રહે છે. એવામાં હવે આરબીઆઇએ 50 બેસિસ પોઇન્ટ ઘટાડી દેતાં રૂ. 38,446 હપ્તો ભરવાનો રહેશે. આથી મહિને હપ્તામાં રૂ. 1785 ઓછા ભરવાના થશે.

એવી જ રીતે 30 લાખની હોમ લોન પર 20 વર્ષ માટે 8.5% વ્યાજ ચૂકવવાનું રહે છે. જેનો મહિને રૂ. 26,035નો હપ્તો ભરવાનો રહે છે. હવે રેપો રેટ ઘટતાં વ્યાજ 8% થઈ જશે આથી મહિને રૂ. 25,093 ચૂકવવાના રહેશે એટલે કે રૂ. 942 ઓછા ચૂકવવા પડશે.

ધારો કે રૂ. 20 લાખની લોન 20 વર્ષ માટે 9% વ્યાજે લેવામાં આવી હોય, તો માસિક EMI રૂ. 17,995 થશે. હવે લોનના વ્યાજમાં 50 બેસિસ પોઇન્ટના ઘટાડા પછી, તમારે રૂ.17,356 હપ્તો ભરવાનો થશે એટલે કે તમારે દર મહિને EMIમાં રૂ. 639 ઓછા ચૂકવવા પડશે.

રેપો રેટમાં ઘટાડાથી મોંઘવારીમાં પણ રાહત મળશે. રેપો રેટમાં 0.50%ના બમ્પર ઘટાડા અંગે માહિતી શેર કરતાં RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું હતું કે બેઠકમાં SDF દર 5.75%થી ઘટાડીને 5.25% કરવામાં આવ્યો છે, જ્યારે MSF દર પણ 6.25%થી ઘટાડીને 5.75% કરવામાં આવ્યો છે. તેમણે નાણાકીય વર્ષ 2026 માટે મોંઘવારીનો અંદાજ વ્યક્ત કરતાં કહ્યું કે વૈશ્વિક બજારમાં અનિશ્ચિતતા છે. એટલે તેને 3.7% પર રાખવામાં આવ્યો છે. અગાઉ તે 4 ટકા કરવામાં આવ્યો હતો. આ સાથે, RBI ગવર્નરે કહ્યું કે બેઠકમાં કેશ રિઝર્વ રેશિયો(CRR)ને 100 બેસિસ પોઇન્ટ ઘટાડીને 4 ટકાથી 3 ટકા કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે.

June 6, 2025
mansingh-patel.jpeg
1min153

આજરોજ પલસાણા દૂધ અને શાકભાજી વેચાણ કરનારી સહકારી મંડળીની વાર્ષિક સાધારણ સભા યોજાય હતી. શરૂઆતમાં મંડળી પરિસરમાં વ્રુક્ષારોપણ કાર્યક્રમ કરી “ઇફકો સહકાર રત્ન” સુમુલના ચેરમેન શ્રી માનસિંહ પટેલનું સન્માન કરાયું હતું.

ત્યારબાદ મંડળીના પ્રમુખ શ્રી મુકેશભાઈ પટેલે એ મંડળીના વર્ષ 2024 25 ના વાર્ષિક હિસાબ અહેવાલ રૂપે રજૂ કર્યો હતો. મંડળી દ્વારા કરવામાં આવેલ હાર્ડવેર,ગ્રોસરી,ડીઝલ પંપ વગેરેની કામગીરી વર્ણવી હતી અને કાર્યસુચી મુજબના કામો સર્વાનુમતે પૂર્ણ થયા હતા.ગત વર્ષે પલસાણા દૂધ મંડળી દ્વારા સુમુલ ડેરીમાં અંદાજીત ૩૭ લાખ લીટર દૂધ મોકલી ૨૦ કરોડની આવક મેળવી હતી.

આ પ્રસંગે નેશનલ સુગર ફેડરેશનના ઉપપ્રમુખ શ્રી કેતનભાઈ પટેલ, ગુજરાત ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ ફેડરેશન-બારડોલીના પ્રમુખ શ્રી રાજેશભાઈ, પલસાણા તાલુકાના સુમુલના ડીરેક્ટર શ્રી ભરતસિંહ સોલંકી અને પલસાણા તાલુકાના સહકારી આગેવાનો અને દૂધ મંડળીના હોદ્દેદારો હાજર રહ્યા હતા.

આવતીકાલે માંડવી મુકામે મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ- આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસના અધ્યક્ષ સ્થાને માનસિંહ પટેલના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.

June 6, 2025
nikhil-Madrasi.jpeg
4min1135

નિખિલ મદ્રાસી, એક સમયે એટલે કે ગુજરાત-સુરતમાં ભાજપના કાશીરામ રાણાનો દબદબો હતો ત્યારે પત્રકાર હતા અને લોકલ ચેનલ, ચેનલ સુરતને લીડ કરતા હતા, એ પત્રકાર નિખિલ મદ્રાસી આજે જ્યારે ગુજરાત-સુરતમાં સી.આર. પાટીલનો દબદબો છે ત્યારે તા.6 જૂન 2025ને શુક્રવાર, ભીમ અગિયારસના દિવસે ભારતની સૌથી શક્તિશાળી ચેમ્બર ઓફ કોમર્સ SGCCIના પ્રેસિડેન્ટ તરીકે ચાર્જ લેશે.

નિખિલ મદ્રાસી માટે કહેવું પડે કે રિજેક્શન અને અણગમાની પરવાહ કર્યા વગર આગળ વધ્યા. નિખિલ મદ્રાસી પત્રકાર હતા અને એ પછી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝમાં સક્રિય થયા ત્યારથી અનેક આગેવાનો અને સંસ્થાઓ તેમના પ્રત્યે અણગમો વ્યક્ત કરી ચૂક્યા છે. અનેક સ્તરે તેમણે રિજેક્શનનો સામનો કરવો પડ્યો છે. સવા એક વર્ષ અગાઉ જ્યારે ચેમ્બર ઓફ કોમર્સના વાઇસ પ્રેસિડેન્ટની ચૂંટણી યોજાવાની હતી ત્યારે તેમણે દ્રઢ નિશ્ચય કર્યો કે આ વખતે જે થવાનું હોય એ થાય, હીટ આઉટ કે ગેટ આઉટ, પણ ચેમ્બર ઓફ કોમર્સના પ્રેસિડેન્ટની ચૂંટણીમાં હવે હું પીછેહઠ કરવાનો નથી. એ સમયે અહેસાસ થયો હતો કે દ્રઢ નિશ્ચય કરનારે ક્યારેય પીછેહઠ કરવી પડતી નથી.

રિજેક્શન અને અણગમાનો દરીયો પાર કરીને એક સમયના પૂર્ણકાલિન પત્રકાર આજે ભારતની સૌથી શક્તિશાળી અને જોરદાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતી ઔદ્યોગિક સંસ્થા, સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રેસિડેન્ટ તરીકે આરુઢ થઇ રહ્યા છે.

નિખિલ મદ્રાસી, ચેમ્બરના ૭૯મા પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળશે.

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીનો ૮પમો પદગ્રહણ સમારોહ શુક્રવાર, તા. ૬ જૂન, ર૦રપના રોજ સાંજે ૦પઃ૩૦ કલાકે સુરત ઇન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર, સરસાણા ખાતે યોજાશે, જેમાં ચેમ્બર ઓફ કોમર્સના વર્ષ ર૦રપ–ર૬ના પ્રમુખ તરીકે શ્રી નિખિલ મદ્રાસી અને ઉપ પ્રમુખ તરીકે શ્રી અશોક જીરાવાલા પદ ગ્રહણ કરશે.

આ પદગ્રહણ સમારોહ ભારતના માનનીય કેન્દ્રિય જળશકિત મંત્રી શ્રી સી.આર. પાટીલજીના વિશેષ મહેમાન પદે યોજાશે, જેમાં નેશનલ સ્ટોક એક્ષ્ચેન્જ ઓફ ઇન્ડિયા લિમિટેડના મેનેજિંગ ડિરેકટર એન્ડ સીઇઓ શ્રી આશિષકુમાર ચૌહાણ ચીફ ગેસ્ટ તરીકે ઉપસ્થિત રહેશે. ગુજરાતના રાજ્ય કક્ષાના પર્યાવરણ મંત્રી શ્રી મુકેશ પટેલ, રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયા, સુરતના મેયર શ્રી દક્ષેશ માવાણી, લોકસભાના વ્હીપ અને વલસાડના સાંસદ શ્રી ધવલ પટેલ, સુરતના સાંસદ શ્રી મુકેશ દલાલ, રાજ્ય સભાના સાંસદ શ્રી ગોવિંદ ધોળકીયા, બારડોલીના સાંસદ શ્રી પ્રભુ વસાવા અને સુરત શહેરના ભાજપ પ્રમુખ તેમજ ચેમ્બરના પૂર્વ પ્રમુખ શ્રી પરેશ પટેલ અતિથિ વિશેષ તરીકે સ્થાન શોભાવશે.

ચેમ્બરના વર્ષ ર૦રપ–ર૬ના પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસીના લક્ષ્યાંકો….

Building Global Connections, Empowering Local Strengthsની થીમ પર દક્ષિણ ગુજરાતના ઔદ્યોગિક ઇકોસિસ્ટમના દરેક પાસાને મજબૂત બનાવવાનો મુખ્ય હેતુ છે. એના માટે સ્થાનિક ઉદ્યોગોને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવવા હેતુ તેઓને યોગ્ય મંચ પૂરો પાડવામાં આવશે. ૧પ૦૦ જેટલા નવા સભ્યોનો ચેમ્બરમાં સમાવેશ કરવામાં આવશે, જેમાં સ્થાનિક ઉદ્યોગસાહસિકો, નાના અને મધ્યમ ઉદ્યોગો (MSMEs) અને સ્ટાર્ટઅપ્સને ચેમ્બરની સાથે જોડવા અભિયાન ચલાવવામાં આવશે.

ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ૧ર જેટલા ઔદ્યોગિક પ્રદર્શનો ૧ર જેટલી બિઝનેસ કોન્કલેવનું આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમો થકી ઉદ્યોગોને નવા બજારો સુધી પહોંચવાની, પાર્ટનરશીપ્સ વિકસાવવાની અને નેટવર્કિંગ વધારવાની તક આપવામાં આવશે. ૧ર જેટલા વેન્ડર ડેવલપમેન્ટ્‌સ પ્રોગ્રામ કરવામાં આવશે, જેના થકી સ્થાનિક સપ્લાય ચેઇનને મજબૂત બનાવી વૈશ્વિક માંગ માટે તેઓને યોગ્ય બનાવવામાં આવશે.

આ ઉપરાંત, ૧૦ ગ્લોબલ બીટુબી કનેકટ ઇનીશિએટીવ હાથ ધરાશે, જેમાં વિવિધ દેશોના ઉદ્યોગપતિઓ સાથે સીધો સંપર્ક સાધીને વેપારવધારાનું સ્થાનિક ઉદ્યોગકારોને પ્લેટફોર્મ પૂરુ પાડવામાં આવશે. રોકાણકારો અને સ્થાનિક ઉદ્યોગો વચ્ચેની ખાઇને દૂર કરવા માટે ૩ જેટલા સ્પેશ્યલ ફોરમ તૈયાર કરવામાં આવશે.

ચેમ્બરની પ્રવૃત્તિઓને આંતરરાષ્ટ્રીય કક્ષાએ લઇ જવામાં આવશે, જેમાં સુરત ઇકોનોમિક ફોરમને વધુ ગતિશીલ બનાવવાની સાથે, ત્રણ સેટેલાઇટ ચેપ્ટરો ઉભા કરાશે, જે વિવિધ ઔદ્યોગિક ઝોનમાં સ્થાનિક વ્યવસાયો માટે સહાયક થશે. એની સાથે જ આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિમંડળો સાથે ભાગીદારી કરાશે, જે વૈશ્વિક ઉદ્યોગ ક્ષેત્ર સાથે સીધો સંવાદ સ્થાપિત કરીને સ્થાનિક વ્યવસાયો માટે આંતરરાષ્ટ્રીય તકો ઊભી કરવાની દિશામાં કાર્ય કરશે.

દક્ષિણ ગુજરાતના ઉદ્યોગ – ધંધાઓ, ખાસ કરીને MSMEsના વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે રાજ્ય અને કેન્દ્ર સરકારમાં અસરકારક રજૂઆતો કરવામાં આવશે. સાથે જ સરકારની વિવિધ નીતિઓના ઘડતરમાં તેમજ તેમાં સુધારાઓ માટે સરકાર સમક્ષ ઉદ્યોગ જગતના મુદ્દાઓને વધુ સ્પષ્ટ રીતે રજૂ કરવામાં આવશે.

ઉદ્યોગ જગતના સમગ્ર વિકાસ માટે સ્કિલ ડેવલપમેન્ટને પ્રોત્સાહન આપી સ્થાનિક ઉદ્યોગોમાં ટ્રેઇન વર્ક ફોર્સ વધે તે દિશામાં પ્રયાસ કરાશે. ઉદ્યોગો આધુનિક ટેકનોલોજી અપનાવે તે માટે તેઓને વિવિધ કાર્યક્રમો થકી માર્ગદર્શન આપવામાં આવશે. દક્ષિણ ગુજરાતમાં સ્ટાર્ટઅપ ઇકો સિસ્ટમને વધુ ડેવલપ કરવા માટે એન્જલ ઇન્વેર્સ્ટની સાથે મિટીંગો યોજાશે. તદુપરાંત, ઉદ્યોગો માટે ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને ઇકો ફ્રેન્ડલી સિસ્ટમ ઉભી કરવા માટે પ્રયાસ કરવામાં આવશે.


વર્ષ ર૦રપ–ર૬ના પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસીનો પરિચય…

તા. રપ મે, ૧૯૬૪ના રોજ સુરતમાં જ જન્મેલા, મૂળ સુરતી એવા માત્ર મદ્રાસી અટકધારી શ્રી નિખિલભાઇ બી.કોમ.ની શૈક્ષણિક કારકિર્દી ધરાવે છે.

વર્ષ ૧૯૮૯માં ચેમ્બરની કારકિર્દીની શરૂઆત કરનાર શ્રી નિખિલ મદ્રાસી ચેમ્બરમાં એકમાત્ર એવા વ્યક્તિત્વ છે કે જેમણે અલગ–અલગ ત્રણ સમયે માનદ્દ મંત્રી પદનો હોદ્દો શોભાવ્યો છે. આ ઉપરાંત, એક વખત એડમિનિસ્ટ્રેટીવ ઓફિસર, એક વાર પબ્લિક રિલેશન ઓફિસર અને એક વાર પ્રોગ્રામ કમિટિ ચેરમેન અને બે વર્ષ ચેમ્બરના આદર્શ અને ઉત્તરદાયિત્વના પ્રતિબિંબ કરાવતા દર્પણ એવા ‘સમૃદ્ધિ’ મેગેઝીનના સંપાદક તરીકે આંખે ઉડીને વળગે તેવી કામગીરી કરી છે.

ચેમ્બર ઓફ કોમર્સ જેમના અસ્તિત્વમાં અને કણેકણમાં વસે છે, ચેમ્બરની આંટીઘૂંટીઓને જેઓ વ્યવસ્થિત રીતે સમજી શકયા છે અને ચેમ્બરના બંધારણની જેમને રજેરજની માહિતી છે એવા શ્રી નિખિલભાઈએ પોતાના જીવનના ૩પ વર્ષ ચેમ્બરને સમર્પિત કર્યા છે. નિખિલ મદ્રાસી એ સુરતીઓ માટે ખૂબ જાણીતું નામ છે.

ચેમ્બર ઓફ કોમર્સમાં તેમને કોણ નથી ઓળખતું ? પરંતુ ચેમ્બર ઉપરાંત પણ તેઓ ઘણી સંસ્થાઓની સાથે સંકળાયેલા છે અને ઘણી પ્રવૃત્તિઓમાં તેમની મહત્વની ભૂમિકા રહેલી છે.

સુરતની સૌથી જૂની શૈક્ષણિક સંસ્થા સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીની એસ.પી.બી. ઇંગ્લિશ મીડીયમ કોમર્સ કોલેજના વહીવટી સમિતિના અધ્યક્ષ ઉપરાંત સોસાયટીની અન્ય શાળાઓ અને કોલેજોમાં ૧૩થી પણ વધુ કમિટીઓમાં જવાબદારી અને સોસાયટીના મુખપત્ર ‘સાર્વજનિકન’ના તેઓ સંપાદક છે અને સાથે સાથે સાર્વજનિક યુનિવર્સિટીમાં પણ તેઓ પોતાનું સક્રિય પ્રદાન આપી રહ્યા છે.

આંતરરાષ્ટ્રીય સંસ્થા રોટરીમાં તેઓ વર્તમાનમાં આસી. ગવર્નર, રોટરી ક્લબ ઓફ સુરતના ભૂતપૂર્વ પ્રમુખ અને સમગ્ર ડીસ્ટ્રીકટ ૩૦૬૦ના મુખપત્ર ‘ગવર્નર મંથલી લેટર’ના તેઓ સંપાદક છે.

જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન – જીતો, શ્રી સુરત વિશા શ્રીમાળી જૈન જ્ઞાતિ, મહાવીર ઇન્ટરનેશનલ – આ તમામ સંસ્થાઓમાં તેમનું સક્રિય યોગદાન રહેલું છે.

વ્યવસાયિક ધોરણે તેઓ ટ્રેઈનર, લાઈફ કોચ અને બિઝનેસ કોચ છે. પબ્લિક સ્પીકિંગના માધ્યમ દ્વારા હજારો વિદ્યાર્થીઓ અને તેનાથી વધારે સુરતીઓને અસરકારક વક્તા બનાવવામાં તેમનો સિંહફાળો છે.

આપણે સૌ તેમને ‘સુરત ચેનલ’ના પર્યાય તરીકે ઓળખીએ છીએ. સમગ્ર દેશની સૌ પ્રથમ સ્થાનિક ચેનલના સંચાલક તરીકે તેમણે સતત ર૦ વર્ષ સુધી આ શહેર પર એકચક્રી સામ્રાજ્ય ભોગવ્યું હતું. એક સમય હતો જ્યારે આખું શહેર તેઓ જેમ દિશા નિર્દેશ કરતાં તેમ ચાલતું હતું અને એ વાસ્તવિક હકીકત છે.

હાલમાં પણ તેઓ મીડિયા પર્સન તરીકે સક્રિય છે અને નાના માણસની મોટી વાતો તેમજ મોટા માણસની નાની વાતો પ્રસ્તુત કરતા ‘પેજ થ્રી’ મેગેઝીન અને ‘પેજ થ્રી કોફી બુક’ના તેઓ સંપાદક છે.

તેમના ધર્મપત્ની શ્રીમતી અલ્પાબેન પણ વ્યવસાયમાં સક્રિય રહીને જોબ પોર્ટલ અને મેરેજ બ્યુરો ચલાવી રહયા છે. સુરતની અગ્રણી કંપનીઓ – એન.જે. ઇન્ડિયા રિફ્રેશ, કન્સેપ્ટ ઇન્વેસ્ટવેલ અને એપલ સારીઝની ડિસ્ટ્રીબ્યુટરશિપ તેઓ ધરાવે છે.

શ્રી નિખિલભાઇના એક માત્ર સુપુત્ર શ્રી મંથન મદ્રાસી બ્રાન્ડીંગ એક્ષ્પર્ટ છે. પુત્ર વધુ દેશના ખાનગી પ્રિ–નર્સરી શાળામાં પ્રશિક્ષક તરીકે ફરજ બજાવે છે અને તેમની ૮ વર્ષની પૌત્રી ગાથા રિલાયન્સ ફાઉન્ડેશનમાં ધોરણ ૪માં અભ્યાસ કરે છે.

ખૂબ લો–પ્રોફાઈલ વ્યક્તિત્વ ધરાવતા, દિલના અમીર, ખાનદાની ખમીર, માનવીય સંબંધો બાંધવામાં માહિર અને આપણા સૌના જાણીતા અને માનીતા શ્રી નિખિલ મદ્રાસી, હવે ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના વર્ષ ર૦રપ–ર૬ના પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળશે.


વર્ષ ર૦રપ–ર૬ના ઉપ પ્રમુખ શ્રી અશોક જીરાવાલાનો પરિચય…

શ્રી અશોકભાઇ ચોડવડીયા (જીરાવાલા), જન્મ ર૧ એપ્રિલ ૧૯૬૬, એક સફળ ટેક્ષ્ટાઇલ ઉદ્યોગ સાહસિક અને સ્પષ્ટ વક્તા એવી વ્યક્તિ છે. તેમનું દ્રઢપણે માનવું છે કે, ‘જીવનમાં વ્યક્તિનો દ્રષ્ટિકોણ, અનુભવ અને વિચારોનું વૈવિધ્ય એ મહત્વની શિક્ષા છે.’ આજે તેઓ પોતાના આપબળે પરંપરાગત અને આધુનિક ટેક્ષ્ટાઇલ વિવિંગ ઉદ્યોગમાં એક આગવું મહત્વનું સ્થાન અંકિત કરી આગવી પ્રતિભા સાબિત થયા છે.

શ્રી અશોકભાઈ ઘણા વર્ષોથી ટેક્ષ્ટાઇલ, આર્ટ એન્ડ સિલ્ક વિવિંગ, ટ્રેડિંગ તેમજ સીવીડી ડાયમંડ ક્ષેત્રે સફળ બિઝનેસ કરતા આવ્યા છે. ઉદ્યોગ ક્ષેત્રે જ નહીં, પરંતુ રાજકીય અને સામાજિક કાર્યોમાં પણ તેમનો પ્રભાવશાળી અવાજ સદાય સક્રિય રહ્યો છે.

શ્રી અશોકભાઈએ ચેમ્બર સાથે પોતાની કારકિર્દીની શરૂઆત વર્ષ ર૦૧૬માં કરી હતી. પછીથી તેઓ ર૦ર૦–ર૧થી ચેમ્બરની મેનેજિંગ કમિટીમાં સક્રિયપણે જોડાયા હતા. આ દરમ્યાન તેમણે ગૃપ ચેરમેન તરીકે ફરજ બજાવી હતી. ખાસ કરીને એન્ટી–ડમ્પિંગ, કસ્ટમ્સ ડયુટી, જીઆઇડીસી વિકાસ, એમએસએમઇ, અને મોડર્ન વિવિંગ જેવી અગત્યની કમિટીઓમાં તેઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી.

અશોકભાઈએ નાનાં અને મધ્યમ ઉદ્યોગ સાહસિકોની સમસ્યાઓનું ઊંડાણપૂર્વક નિરીક્ષણ કરીને રાજ્ય અને કેન્દ્ર સરકાર સમક્ષ અસરકારક રજૂઆતો કરી છે. તેઓના પ્રયાસોના પરિણામે અનેક બાબતોમાં નીતિગત સુધારાઓ થયા છે, જેનો લાભ ઉદ્યોગ – ધંધાઓને મળ્યો છે.

શ્રી અશોકભાઈ, ફોગવા – ફેડરેશન ઓફ ગુજરાત વિવર્સ વેલ્ફેર એસોસિએશનના પ્રમુખ તરીકે દક્ષિણ ગુજરાતના ખાસ કરીને સુરતના વિવર્સ તથા કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોનું મક્કમ નેતૃત્વ કરીને તેઓના વિવિધ પ્રશ્નોનું ઉકેલ લાવામાં સફળ રહ્યા છે.

શૈક્ષણિક ક્ષેત્રે તેઓ યુવા ઉત્કર્ષ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટના ચેરમેન તરીકે અનેક યુવાનોને આત્મનિર્ભર બનાવવા માટે અને તેમના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયાસશીલ છે. તેમની આગેવાની હેઠળ અસંખ્ય યુવાઓએ વિવિધ શૈક્ષણિક અને વ્યવસાયિક અવસરો પ્રાપ્ત કર્યા છે.

શ્રી અશોકભાઈ જીરાવાલાએ સુરત મહાનગરપાલિકામાં વોર્ડ નં. ૩ના નગરસેવક તરીકે લોકહિત માટે અનેક નોંધપાત્ર કામગીરી કરી છે. તેઓએ ઘણીવાર જનહિતના મુદ્દાઓ પર વિવિધ મોરચે સફળ લડતો આપી છે.

તેઓ ઓલ ઇન્ડિયા માનવ સેવા સમિતિના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે તેમજ ઉત્તર બૂનિયાદી આશ્રમ શાળાના કમિટી મેમ્બર તરીકે પણ સેવા આપી રહ્યા છે.

શ્રી અશોકભાઈ, લોકદૃષ્ટિ ચક્ષુબેંકના કમિટી મેમ્બર અને યોગા સ્પોટ્‌ર્સ એડવેન્ચર એસોસિએશનના ટ્રસ્ટી તરીકે પણ સક્રિય છે. તેમનો વ્યવહારિક અભિગમ અને સ્પષ્ટતા સાથે વાત કરવાનો અંદાજ તેમને સર્વત્ર લોકપ્રિય બનાવે છે.

ઉદ્યોગ, રાજકીય, શૈક્ષણિક અને સામાજિક ક્ષેત્રે સેવા આપનાર તેમજ સ્પષ્ટ વકતા તરીકે જાણીતા શ્રી અશોકભાઇ જીરાવાલા, ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના વર્ષ ર૦રપ–ર૬ના ઉપ પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળશે.


June 5, 2025
SS_Logo_Red-1280x986.png
13min391

NMC એ મેડિકલ કોલેજ કૌભાંડો અંગે ચેતવણી આપી, વિદેશી MBBS માર્ગદર્શિકા સ્પષ્ટ કરી

વિદેશમાં MBBS કરવા માંગતા વિદ્યાર્થીઓએ કઇ બાબતોની ચોક્સાઇપૂર્વક ચકાસણી કરવી જોઇએ તે અંગેની કોઇ માહિતી કોઇપણ સંસ્થા દ્વારા કે એજન્ટો દ્વારા આપવામાં આવતી નથી. શિક્ષણ સર્વદા, સુરત દ્વારા જ આવી બાબતોની જાણકારી વિદ્યાર્થીઓ અને વાલીઓના હિતમાં પ્રકાશિત કરવામાં આવે છે.

નીટ યુજી 2025 પરીક્ષાનું પરીણામ જાહેર થવાની ઘડીઓ ગણાય રહી છે ત્યારે અનેક વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ વિદેશમાં એમબીબીએસ કરવા માટે પણ જુદા જુદા એજન્ટો સાથે વાટાઘાટો કરી રહ્યા છે. આવા વિદ્યાર્થીઓએ ખાસ કઇ કઇ બાબતોનું ધ્યાન રાખવું જોઇએ તેની જાણકારી અત્રે આપવામાં આવી છે.

NMC ના ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ લાઇસન્સિયેટ (FMGL) રેગ્યુલેશન્સ, 2021 સ્પષ્ટપણે ભારતમાં દવાની પ્રેક્ટિસ કરવા માટે લાયક બનવા માટે વિદેશી તબીબી શિક્ષણ માટેના ધોરણોને વ્યાખ્યાયિત કરે છે.

વિદેશી મેડિકલ ગ્રેજ્યુએટ્સ (FMG) ને કાયમી નોંધણી આપવામાં આવશે નહીં સિવાય કે તેઓ ઓછામાં ઓછા 12 મહિના માટે ભારતમાં દેખરેખ હેઠળ ઇન્ટર્નશિપમાંથી પસાર થાય. જો FMG પાલન કરવામાં નિષ્ફળ જાય, તો તેમને ભારતમાં તબીબીની પ્રેક્ટિસ કરવા માટે નોંધણીમાંથી ગેરલાયક ઠેરવી શકાય છે.

ફોરેન મેડીકલ ગ્રેજ્યુએશન FMG માટે મુખ્ય આવશ્યકતાઓ:

a. એક જ સંસ્થામાં ઓછામાં ઓછા 54 મહિનાનું શિક્ષણ. (શિક્ષણ સર્વદા 98253 44944)

b. એક જ વિદેશી યુનિવર્સિટીમાં 12 મહિનાની ઇન્ટર્નશિપ પૂર્ણ કરવી પડશે. (શિક્ષણ સર્વદા 98253 44944)

c. ક્લિનિકલ તાલીમ ભાગોમાં અથવા વિવિધ દેશોમાં ન કરવી જોઈએ. (શિક્ષણ સર્વદા 98253 44944)

d. શિક્ષણનું માધ્યમ અંગ્રેજી હોવું જોઈએ. (શિક્ષણ સર્વદા 98253 44944)

e. અનુસૂચિ I માં ઉલ્લેખિત ફરજિયાત વિષયોનો અભ્યાસ કર્યો છે. (શિક્ષણ સર્વદા 98253 44944)

The National Medical Commission (NMC) specifies mandatory subjects for the MBBS curriculum in Schedule I, which includes a broad range of subjects spanning the pre-clinical, para-clinical, and clinical phases of the course. These subjects are categorized into foundational, basic science, and clinical disciplines, ensuring a comprehensive medical education. 

Foundational Subjects (First Year):

  • Anatomy: Structure and organization of the human body.
  • Physiology: Functioning of the human body’s systems.
  • Biochemistry: Chemical processes within the body. 

Basic Science Subjects (Second Year):

  • Pathology: Study of diseases and their causes.
  • Microbiology: Study of microorganisms.
  • Pharmacology: Study of drugs and their effects.
  • Forensic Medicine: Study of legal aspects of medicine.
  • Community Medicine: Study of public health and health promotion. 

Clinical Subjects (Third Year):

  • Medicine and Allied Subjects: Includes General Medicine, Psychiatry, Dermatology, and Respiratory Medicine.
  • Surgery and Allied Subjects: Includes General Surgery, Otorhinolaryngology (ENT), Ophthalmology, Orthopaedics, and Anesthesiology.
  • Obstetrics and Gynecology: Care during pregnancy and childbirth.
  • Pediatrics: Care of children. 

Additional Subjects (Throughout the Course):

  • Forensic Medicine and Toxicology: Study of poisoning and related legal issues. 
  • Community Medicine: Study of public health and health promotion. 
  • Professional Development (AETCOM module): Emphasizes ethics, communication, and professional skills. 

હવે સમજીએ ભારતમાં મેડીકલ એડમિશન લેતા પહેલા શેની કાળજી રાખવી.

NMC નેશનલ મેડીકલ કમિશને એક એડવાઇઝરી જાહેર કરી છે, જેમાં ભારતમાં મેડિકલ કોર્ષમાં પ્રવેશ લેતી વખતે ધ્યાનમાં રાખવાના મહત્વપૂર્ણ મુદ્દાઓ અને વિદેશમાં મેડિકલ શિક્ષણ મેળવવા માંગતા વિદ્યાર્થીઓ દ્વારા અનુસરવાના નિયમોની યાદી આપવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા સંચાલિત પ્રવેશ પ્રક્રિયાઓમાં નેશનલ મેડીકલ કમિશન માન્ય કોલેજોમાં જ પ્રવેશ ફાળવવામાં આવે છે પણ જ્યારે વિદ્યાર્થીઓ બીજા રાજ્યોની સ્વતંત્ર મેડીકલ કોલેજોમાં મેનેજમેન્ટ ક્વોટા કે એનઆરઆઇ ક્વોટામાં પ્રવેશ લેવાના હોય ત્યારે જ નીચે મુજબની બાબતોનું ધ્યાન રાખવું જોઇએ.

દેશમાં મેડિકલ શિક્ષણ માટે નિયમનકારી સત્તામંડળ, નેશનલ મેડિકલ કમિશન (NMC), એ MBBS ઉમેદવારો અને તેમના માતાપિતાને ચેતવણી આપી છે કે તેઓ મેડિકલ કોલેજો અને ઓફશોર મેડિકલ કોર્ષમાં સરળ પ્રવેશનું વચન આપતી નકલી ઓફરોમાં ન ફસાય કે જે કોલેજો કાયદેસર રીતે મંજૂરીપાત્ર નથી.

NMC એ એક એડવાઇઝરી જારી કરી છે, જેમાં ભારતમાં મેડિકલ કોર્ષમાં પ્રવેશ લેતી વખતે ધ્યાનમાં રાખવાના મહત્વપૂર્ણ મુદ્દાઓ અને વિદેશમાં મેડિકલ શિક્ષણ મેળવવા માંગતા વિદ્યાર્થીઓ દ્વારા અનુસરવાના નિયમોની યાદી આપવામાં આવી છે.

NMC એ જણાવ્યું છે કે તેને દેશમાં જરૂરી મંજૂરીઓ વિના કાર્યરત અનધિકૃત મેડિકલ કોલેજોના કિસ્સાઓ મળ્યા છે. આ સંસ્થાઓ માન્યતાનો દાવો કરીને અને કાયદેસર રીતે મંજૂર ન હોય તેવા મેડિકલ કોર્ષમાં પ્રવેશ આપીને વિદ્યાર્થીઓ અને માતાપિતાને ગેરમાર્ગે દોરી રહી છે, એમ તેણે જણાવ્યું હતું.

“NMC ની મંજૂરી ફરજિયાત છે અને NMC ની સત્તાવાર વેબસાઇટ (https://www.nmc.org.in/information-desk/college-and-course-search/) પર સૂચિબદ્ધ મેડિકલ કોલેજો જ ભારતમાં MBBS અને અન્ય મેડિકલ ડિગ્રી પ્રોગ્રામ્સ ઓફર કરવાની કાયદેસર રીતે પરવાનગી આપે છે. વેબસાઇટ પર સૂચિબદ્ધ ન હોય તેવી સંસ્થાઓ અનધિકૃત છે અને NMC ના નિયમોનું ઉલ્લંઘન કરી રહી છે,” NMC એ જણાવ્યું.

અયોગ્યતાનું જોખમ:

તબીબી સંસ્થાની કાયદેસરતા કેવી રીતે ચકાસવી

· મેડિકલ કોલેજ ચલાવવા માટે NMC ની મંજૂરી ફરજિયાત છે

· કાયદેસર રીતે માન્ય મેડિકલ કોલેજો તપાસવા માટે, (https://www.nmc.org.in/information-desk/college-and-course-search/) ની મુલાકાત લો

· સત્તાવાર યાદીમાં ન હોય તેવી સંસ્થાઓ અનધિકૃત છે અને NMC નિયમોનું ઉલ્લંઘન કરી રહી છે.

· ચકાસણી માટે સીધા NMC નો સંપર્ક કરો, ખાસ કરીને જો તમને માન્યતા પત્રો અથવા સીધા પ્રવેશ ઓફરો રજૂ કરવામાં આવે.

· ફક્ત કોલેજની વેબસાઇટ્સ કે જાહેરાતો પર આધાર રાખશો નહીં.

· નકલી ઓફરોમાં ફસાશો નહીં, કારણ કે કોઈ પણ કોલેજ NEET સિવાય પ્રવેશની ગેરંટી આપી શકતી નથી.

· કોઈપણ ચુકવણી કરતા પહેલા અથવા MBBS પ્રોગ્રામમાં પ્રવેશ મેળવતા પહેલા મંજૂરીઓ ચકાસો.

· શંકાસ્પદ પ્રવૃત્તિની જાણ NMC ને ફોન પર કરો: 91-11-25367033 વેબસાઇટ: www.nmc.org.in

NMC warns of medical college scams, clarifies foreign MBBS guidelines

The NMC has issued an advisory, listing out important points that need to be kept in mind while taking admission in a medical course in India and the rules to be followed by the students who intend to pursue medical education in foreign countries

The National Medical Commission (NMC), the regulatory authority for medical education in the country, has warned MBBS aspirants and their parents not to fall for fake offers that promise easy admissions in medical colleges and offshore medical courses that are not legally sanctioned.

The NMC has issued an advisory, listing out important points that need to be kept in mind while taking admission in a medical course in India and the rules to be followed by the students who intend to pursue medical education in foreign countries.

In the advisory, the NMC said that it has come across instances of unauthorised medical colleges operating in the country, without requisite approvals. These institutions are misleading students and parents by claiming recognition and offering admissions in medical courses that are not legally sanctioned, it said.

“NMC approval is mandatory and only the medical colleges listed on the official website of NMC (https://www.nmc.org.in/information-desk/college-and-course-search/) are legally permitted to offer MBBS and other medical degree programs in India. Institutions that are not listed on the website are unauthorised and are violating NMC regulations,” NMC said.

What should students intending to pursue MBBS in foreign countries do?

The Foreign Medical Graduate Licentiate (FMGL) Regulations, 2021 of NMC clearly define standards for foreign medical education to become eligible to practice medicine in India.

Foreign Medical Graduates (FMG) will not be granted permanent registration unless they undergo a supervised internship in India for a minimum term of 12 months. In case FMGs fail to comply, then they could be disqualified from registration to practice medicine in India.

Key Requirements for FMGs:

a. Minimum 54 months of education in a single institution.

b. 12-month internship to be completed at the same foreign university.

c. Clinical training must not be done in parts or across different countries.

d. Medium of instruction must be English.

e. Studied the mandatory subjects specified in Schedule I.

Risk of disqualification:

· Students graduating from non-compliant medical institutions will be ineligible for licensing exams, i.e., FMGE in India.

· The onus of this disqualification lies solely with the student, as per the regulations of the Commission.

How to verify legitimacy of medical institution

· NMC approval to run a medical college is mandatory

· To check legally permitted medical colleges, visit (https://www.nmc.org.in/information-desk/college-and-course-search/)

· Institutions not in the official list are unauthorised and are violating NMC regulations.

· Contact NMC directly for verification, especially if you’re presented with recognition letters or direct admission offers.

· Do not rely on college websites or advertisements alone.

· Do not fall for fake offers, as no college can guarantee admission outside of NEET

· Verify approvals before making any payments or committing to MBBS program

· Report suspicious activity to NMC at Phone: 91-11-25367033 Website: www.nmc.org.in

શિક્ષણ સર્વદા કરીયર કાઉન્સેલિંગ દ્વારા પણ વિદેશમાં ખાસ કરીને જ્યોર્જિયામાં એમબીબીએસ એડમિશનની કામગીરી કરી આપવામાં આવે છે

June 5, 2025
image.png
1min169
  • 1 ઓક્ટોબર, 2026થી પહાડી રાજ્યો, 1 માર્ચ 2037થી દેશભરમાં વસતી ગણતરી
  • ડિજિટલ વસતી ગણતરી : તમામ ડેટા સીધો મોબાઇલ એપ્લિકેશનમાં સ્ટોર થશે, વેબસાઇટ પણ જાહેર કરાશે
  • બે તબક્કામાં યોજાનારી વસતી ગણતરીની પ્રક્રિયામાં ત્રણ વર્ષનો સમય લાગશે, પ્રથમ વખત લોકોને તેમની જ્ઞાતિ પૂછવામાં આવશે
  • છેલ્લે 2011માં વસતી ગણતરી થઇ હતી, દર 10 વર્ષે ગણતરીની પરંપરા વર્ષ 2021માં કોરોના મહામારીથી તૂટી હતી

વર્ષ ૨૦૧૧ બાદ પ્રથમ વખત સમગ્ર દેશમાં વસતી ગણતરી થવા જઇ રહી છે. દેશભરમાં ૧ માર્ચ ૨૦૨૭થી વસતી ગણતરી થશે. પ્રથમ વખત જ્ઞાતિ આધારિત વસતી ગણતરી કરવામાં આવશે. કેટલાક પહાડી રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો જેમ કે લદ્દાખ, જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં વસતી ગણતરીની શરૂઆત ૧ ઓક્ટોબર ૨૦૨૬થી એટલે કે આગામી વર્ષથી જ કરી દેવામાં આવશે. જ્યારે દેશભરમાં વસતી ગણતરી માર્ચ ૨૦૨૭થી શરૂ થશે.

કેન્દ્ર સરકારના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ વખતની વસતી ગણતરી બે તબક્કામાં કરવામાં આવશે. ૧ ઓક્ટોબર ૨૦૨૬થી શરૂ થનારી આ પ્રક્રિયા ત્રણ વર્ષ સુધી ચાલશે. કેન્દ્ર સરકારે તાજેતરમાં જ જ્ઞાતિ આધારિત વસતી ગણતરી કરવાની જાહેરાત કરી હતી. જોકે કોઇ તારીખ જાહેર નહોતી કરી, વિપક્ષ દ્વારા પણ વહેલા વસતી ગણતરીની માગણી ઉઠી રહી હતી. એવામાં હવે સરકારે વસતી ગણતરીની તારીખો જાહેર કરી દીધી છે. જોકે પ્રથમ વખત સમગ્ર દેશમાં જ્ઞાતિ (જાતિ) આધારિત વસતી ગણતરી થવા જઇ રહી છે. કેટલાક રાજ્યો જેમ કે બિહાર, તેલંગાણા, આંધ્ર પ્રદેશમાં છેલ્લા ત્રણ વર્ષમાં જાતિ આધારિત સરવે હાથ ધરાઇ ચુક્યો છે. જ્યારે કર્ણાટકે આ જ પ્રકારનો સરવે વર્ષ ૨૦૧૫માં કર્યો હતો જેના આંકડા હવે જાહેર કરશે.

દર દસ વર્ષે દેશની વસતી ગણતરી થતી આવી છે. છેલ્લે વર્ષ ૨૦૧૧માં વસતી ગણતરી થઇ હતી, જે બાદ વર્ષ ૨૦૨૧માં આ ગણતરી થવાની હતી. પરંતુ કોરોના મહામારીને કારણે દેશવ્યાપી ગણતરીની પ્રક્રિયા હાથ ધરવી મુશ્કેલ હોવાથી તારીખ લંબાવાઇ હતી. તાજેતરમાં સ્માર્ટફોન અને એઆઇ જેવી ટેક્નોલોજી ભારે ચલણમાં છે. એવામાં આ વખતે વસતી ગણતરીની પ્રક્રિયા પણ સંપૂર્ણપણે ડિજિટલ હશે. અગાઉ કેન્દ્ર સરકારે જાહેરાત કરી હતી કે વસતી ગણતરીના ડેટા એકઠા કરવા માટે તેના પર ધ્યાન રાખવા માટે એક મોબાઇલ એપ્લિકેશન તૈયાર કરાઇ છે. સાથે જ એક વસતી આધારિત વેબસાઇટ પણ જાહેર કરવામાં આવશે. વસતી ગણતરી દેશના નાગરિકોની આર્થિક, સામાજિક અને ભૌગોલિક સહિતની તમામ સ્થિતિની જાણકારી મેળવવાની દેશની સૌથી મોટી પ્રક્રિયા માનવામાં આવે છે. હવે તેમાં જ્ઞાતિનો પણ સમાવેશ કરવામાં આવશે. વસતી ગણતરીથી જે પણ ડેટા મળે છે તેના આધારે સરકાર સમાજના વંચિત અને ગરીબ વર્ગ માટે મહત્વની યોજનાઓ ઘડતી હોય છે.

કેન્દ્ર સરકારે બુધવારે જાહેર કરી હતી કે આ વખતની વસતી ગણતરીની પ્રક્રિયા બે તબક્કામાં હાથ ધરવામાં આવશે. પ્રથમ તબક્કો ૧ ઓક્ટોબર ૨૦૨૬થી શરૂ થશે જેમાં પહાડી અને હિમ પ્રભાવિત રાજ્યો કે કેન્દ્ર શાસિત પ્રદેશો જેમ કે જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, લદ્દાખ વગેરેનો સમાવેશ કરાશે. જ્યારે બીજા તબક્કામાં બાકી રહેલા તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વસતી ગણતરી થશે જેની શરૂઆત ૧ માર્ચ ૨૦૨૭થી થશે. જેને પગલે આ સમગ્ર પ્રક્રિયાને પૂર્ણ થવામાં આશરે ત્રણ વર્ષ જેટલો સમય લાગી શકે છે. વસતી ગણતરી માટેનું નોટિફિકેશન સત્તાવાર ગેઝેટમાં ૧૬ જૂન, ૨૦૨૫ના રોજ જાહેર કરવામાં આવશે. દેશમાં વસતી ગણતરી વસતી કાયદો ૧૯૪૮ અને વસતી નિયમો ૧૯૯૦ હેઠળ હાથ ધરાય છે. અગાઉ વર્ષ ૨૦૧૧માં પણ બે તબક્કામાં વસતી ગણતરી કરવામાં આવી હતી.

June 4, 2025
rcb.jpg
3min198

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)એ IPL 2025માં ઇતિહાસ રચી દીધો છે. RCBની ટીમ ફાઇનલ મેચમાં પંજાબ કિંગ્સને 6 રનથી હરાવી IPL 2025ની ચેમ્પિયન બની ગઇ છે. ઈન્ડિયન પ્રીમિયર લીગની 18મી સિઝનની ફાઈનલ મેચ આજે અમદાવાદ ખાતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી. જેમાં પંજાબ કિંગ્સે ટોસ જીતીને રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂને બેટિંગ આપી હતી. મેચમાં RCBએ પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 190 રન બનાવ્યા હતા. આ મેચમાં RCBની શરૂઆત સારી નહોતી. જો કે, જ્યારે પંજાબ 190 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરી તો RCBના બોલર્સે શાનદાર પ્રદર્શન કરીને પંજાબને 20 ઓવરમાં 7 વિકેટના નુકસાન પર માત્ર 184 રન જ બનાવી શકી હતી. આ શાનદાર જીત સાથે RCB IPLના 17 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત ચેમ્પિયન બની ગઇ છે.

આઈપીએલની ફાઈનલમાં જીત થતાંની સાથે જ બેંગલુરૂ ટીમનો ખેલાડી વિરાટ કોહલી રડી પડ્યો હતો. આઈપીએલના 17 વર્ષના ઇતિહાસમાં પહેલી વખત બેંગલુરૂ ચેમ્પિયન બન્યું છે. વિરાટ કોહલીએ જીત બાદ કહ્યું કે, ડિવિલિયર્સને રિટાયર થયાને ભલે ચાર વર્ષ થયા પણ મેં કહ્યું હતું કે, આ ટીમ હજુ પણ તારી એટલી જ છે જેટલી અમારી છે. આજે અમારી સાથે ટ્રોફી ઉંચકવામાં તે પણ પૂરેપૂરો હકદાર છે. મારું દિલ બેંગલુરૂની સાથે છે. મારી આત્મા બેંગલુરૂની સાથે છે અને આ તે ટીમ છે જેના માટે હું પોતાની છેલ્લી આઈપીએલ મેચ સુધી રમીશ. એક ખેલાડી તરીકે તમે મોટી જીતનું સપનું જુઓ છો અને તે સપનું પૂર્ણ ન થઈ શકે. આજે હું એક બાળકની જેમ ઊંઘવા જઈ રહ્યો છું.

કૃણાલ પંડ્યા 2017 અને 2025 એમ બે IPLની ફાઇનલમાં પ્લેયર ઑફ ધ મેચ અવોર્ડ જીતનારો એકમાત્ર ખેલાડી બન્યો

IPL 2025માં પ્લેયર ઓફ ધ મેચ બનેલા કૃણાલ પંડ્યાએ કહ્યું કે, ‘પરિસ્થિતિ જોઇને શીખવું એ મારી સૌથી મોટી તાકાત એ છે, મેં હંમેશા મારી અંતરાત્મા અને સહજતાને ટેકો આપ્યો છે. જ્યારે હું આરસીબીમાં જોડાયો ત્યારે મેં કહ્યું કે મને ટ્રોફી જીતવાનું ખૂબ ગમે છે. મને ખુશી છે કે મેં જે કહ્યું હતું તે હકીકતમાં કરી શક્યો. ખૂબ સારું રહ્યું – 10 વર્ષ, 4 IPL ટ્રોફી. મેં હાર્દિકને પણ ફોન પર કહ્યું હતું કે, પંડ્યા પરિવારમાં 10 વર્ષમાં 9 IPL ટ્રોફી હશે.’

પ્રિયાંશ આર્યની કમાલ, ડેબ્યૂ IPL સિઝનમાં સૌથી વધુ રન બનાવનારો અનકેપ્ડ ભારતીય બેટર બન્યો

IPL 2025ની ફાઇનલ મેચમાં પંજાબ કિંગ્સના બેટર પ્રિયાંશ આર્યએ 19 બોલમાં 24 રન બનાવ્યા હતા. આ સાથે જ પ્રિયાંશ આર્યએ એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. પ્રિયાંશ આર્ય IPL 2025માં 475 રન બનાવીને ડેબ્યૂ IPL સિઝનમાં સૌથી વધુ રન બનાવનારો અનકેપ્ડ ભારતીય બેટર બની ગયો છે. અગાઉ આ રેકોર્ડ દેવદત્ત પડીકલના નામે હતો. પડીકલે IPL 2020માં 473 રન બનાવીને આ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો.

IPLની સિંગલ સીઝનમાં સૌથી વધુ છગ્ગા ફટકારનારો કેપ્ટન બન્યો શ્રેયસ અય્યર

IPL 2025ની ફાઇનલમાં પંજાબ કિંગ્સનો કેપ્ટન શ્રેયસ અય્યર 2 બોલમાં 1 રન બનાવીને આઉટ થઇ ગયો હતો. જો કે, ફાઇનલમાં ખરાબ પ્રદર્શન કર્યો હોવા છતા આ સિઝનમાં શ્રેયસ અય્યરના નામે એક મોટો રેકોર્ડ સર્જાયો છે. શ્રેયસ અય્યર આઇપીએલના એક સીઝનમાં સૌથી વધુ છગ્ગા ફટકારનારો કેપ્ટન બની ગયો છે. શ્રેયસે આઇપીએલ 2025માં કુલ 39 છગ્ગા ફટકાર્યા છે. અગાઉ આ રેકોર્ડ વિરાટ કોહલીના નામે હતો. તેણે વર્ષ 2016માં કેપ્ટન તરીકે એક સીઝનમાં RCB માટે 38 છગ્ગા ફટકાર્યા હતા.

પંજાબ કિંગ્સની ઈનિંગ (184 રન / 7 વિકેટ – 20 ઓવર)

1) પ્રિયાંશ આર્ય (24 રન – 19 બોલ)
2) પ્રભસીમરન સિંહ (26 રન – 22 બોલ)
3) શ્રેયસ અય્યર (1 રન – 2 બોલ)
4) જોશ ઈંગ્લિસ (39 રન – 23 બોલ)
5) નેહલ વઢેરા (15 રન – 18 બોલ)
6) માર્કસ સ્ટોઈનિસ (6 રન – 2 બોલ)
7) અઝમતુલ્લાહ ઓમરઝઈ (1 રન – 2 બોલ)

રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂની ઈનિંગ (190 રન / 9 વિકેટ – 20 ઓવર)

પંજાબના બોલર્સ સામે RCBના બેટર્સ લાચાર નજરે પડ્યા છે. બેંગલુરૂની ટીમે 9 વિકેટ ગુમાવીને પંજાબને 191 રનનો ટાર્ગેટ આપ્યો હતો.

1) ફિલ સોલ્ટ (16 રન – 9 બોલ)
2) મયંક અગ્રવાલ (24 રન – 18 બોલ)
3) રજત પાટીદાર (26 રન – 16 બોલ)
4) વિરાટ કોહલી (43 રન – 35 બોલ)
5) લિયામ લિવિંગસ્ટન (25 રન – 15 બોલ)
6) જિતેશ શર્મા (24 રન – 10 બોલ)
7) રૂમારિયો શેફર્ડ (17 રન – 8 બોલ)
8) કૃણાલ પંડ્યા (4 રન – 5 બોલ)
9) ભુવનેશ્વર કુમાર (1 રન -2 બોલ)

પંજાબે ટોસ જીતીને બેંગલુરુને આપી હતી બેટિંગ

બેંગલુરૂ વિરૂદ્ધ ફાઈનલમાં પંજાબના કેપ્ટન શ્રેયસ અય્યરે ટોસ જીતીને પહેલા બોલિંગનો નિર્ણય લીધો હતો. બંને ટીમોએ પ્લેઇંગ 11માં કોઈ ફેરફાર કર્યો ન હતો.

બંને ટીમોની પ્લેઇંગ 11

રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂઃ ફિલ સોલ્ટ, વિરાટ કોહલી, મયંક અગ્રવાલ, રજત પાટીદાર (કેપ્ટન), લિયામ લિવિંગસ્ટોન, જીતેશ શર્મા (વિકેટકીપર), રૂમારિયો શેફર્ડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, યશ દયાલ, જોશ હેઝલવુડ.

પંજાબ કિંગ્સ: પ્રિયાંશ આર્ય, જોશ ઈંગ્લિસ (વિકેટકીપર), શ્રેયસ ઐયર (કેપ્ટન), નેહલ વઢેરા, શશાંક સિંહ, માર્કસ સ્ટોઈનિસ, અઝમતુલ્લાહ ઓમરઝઈ, કાઈલ જેમિસન, વિજય કુમાર વિશાક, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ.

ક્લોઝિંગ સેરેમનીમાં શંકર મહાદેવન સ્ટેજ પર

IPL 2025ના ક્લોઝિંગ સેરેમનીમાં પ્રખ્યાત ગાયક શંકર મહાદેવને પરફોર્મ કર્યું. શંકર મહાદેવન સાથે તેમના પુત્રો શિવમ અને સિદ્ધાર્થ મહાદેવન પણ હાજર રહ્યા હતા. સ્ટેડિયમ ભારત માતા કી જયના નારાથી ગુંજી ઉઠ્યું હતું. સ્ટેડિયમમાં ‘જો લક્ષ્ય હૈ તેરા, લક્ષ્ય કો હર હાલ મેં પાના હૈ’, ‘સબસે આગે હોંગે હિન્દુસ્તાની’, ‘વંદે માતરમ્’, ‘કંધો સે મિલતે હે કંધે કદમો સે કદમ મિલતે હે’ જેવા રાષ્ટ્રભક્તિના ગીતો ગાઈને માહોલ બનાવી દીધો છે. આખું અમદાવાદ સ્ટેડિયમ દેશભક્તિમાં ડૂબેલું લાગે છે. ‘જય હો’ ગીત સાથે ક્રૂએ ભારતીય સેનાને સન્માન આપ્યું.

સુનકે આરસીબી પ્રત્યે દર્શાવ્યો પ્રેમ

સુનકે કહ્યું કે, મારા લગ્ન બેંગલુરૂ પરિવારમાં થયા છે.જેથી આરસીબી મારી ટીમ છે. મેં કન્નડ ભાષામાં મારી પત્ની સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. મારા સાસુ-સસરાએ મારા લગ્ન બાદ મને આરસીબીની જર્સી ગિફ્ટ કરી હતી.

આઈપીએલમાં બેંગલુરૂ અને પંજાબ વચ્ચે અત્યારસુધી 36 મેચ રમાઈ છે. જેમાં બંને ટીમ 18-18 વખત વિજયી રહી છે. પંજાબ કિંગ્સ સામે આરસીબીનો સર્વોચ્ચ સ્કોર 241 રનનો રહ્યો છે. જે તેણે ગતવર્ષે બનાવ્યો હતો. બીજી બાજુ બેંગલુરૂ સામેની મેચમાં પંજાબ ટીમનો સર્વોચ્ચ સ્કોર 232 રન રહ્યો છે. જે 2011માં બનાવ્યો હતો.

છેલ્લા પાંચ મુકાબલાની વાત કરીએ તો આરસીબી સંપૂર્ણ રીતે પંજાબ કિંગ્સ પર હાવી બની શકે છે. છેલ્લી પાંચ મેચમાંથી ચાર વખત આરસીબી જીતી છે. તેણે ત્રણ મેચમાંથી બે વખત પંજાબને હરાવી છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર અત્યાર સુધી બેંગલુરૂ અને પંજાબ કિંગ્સ એક વખત જ આમને-સામને આવી છે. 2021માં આ સ્ટેડિયમમાં બંને વચ્ચે રમાયેલી મેચમાં પંજાબ ચાર વિકેટથી વિજયી રહી છે. જો કે, 2025ની આઈપીએલમાં પંજાબની હાર થઈ છે.

June 3, 2025
sri-ram.png
1min107

3rd June 2025 at 9:11 AM

 1 minute read

આજથી અયોધ્યામાં બીજો પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ, ત્રણ દિવસ ચાલશે કાર્યક્રમ

અયોધ્યાઃ શ્રીરામ જન્મભૂમિમાં આજે સવારે 6.30 કલાકથી બીજા પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની શરૂઆત થઈ હતી. ત્રણ દિવસ સુધી ચાલનારા આ સમારોહમાં રામ દરબાર, શિવલિંગ, ગણપતિ, હનુમાન, સૂર્ય, ભગવતી અને અન્નપૂર્ણાની સાથે શેષાવતાર મંદિરમાં દેવ વિગ્રહની પ્રાણ પ્રતિષ્ઠા થશે. રામ મંદિરને રોશનીથી શણગારવામાં આવ્યું છે.

ત્રિદિવસીય સમારોહમાં મંગળવાર અને બુધવારે સવારે 6.30 કલાકથી 12 કલાક સુધી પૂજા-અનુષ્ઠાન થશે. જેમાં 1978 મંત્રોની સાથે અગ્નિ દેવતાને આહુતિ આપવામાં આવશે. તેમજ રામરક્ષા સ્તોત્ર, હનુમાન ચાલીસા તથા અન્ય ભક્તિ ભજનોનો પાઠ કરવામાં આવશે. મુખ્ય સમારોહ 5 જૂને થશે. જેમાં રામ દરબાર (શ્રીરામ, સીતા, લક્ષ્મણ અને હનુમાન)ની પ્રાણ પ્રતિષ્ઠાની સાથે સાથે સાત અન્ય મંદિરોમાં દેવ પ્રતિમાની સ્થાપના થશે.

રામ જન્મભૂમિમાં બીજા પ્રાણ પ્રતિષ્ઠાના પ્રથમ દિવસે પંચાગ પૂજન, મંડપ પ્રવેશ, યજ્ઞ મંડપ પૂજન, ગ્રહ યોગ, અગ્નિસ્થાપન, વન, કર્મ કુટી, જળાધિવાસ અનુષ્ઠાન થશે. શ્રીરામ જન્મભૂમિ પરિસરમાં રામ દરબાર સહિત તમામ મંદિરમાં સ્થાપિત મૂર્તિઓના શુદ્ધિકરણની પ્રક્રિયાનો આજે સવારથી આરંભ થયો હતો.5 જૂને થનારો મુખ્ય સમારોહ ઐતિહાસિક હશે. આ દિવસે રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠાની સાથે સાથે સાત અન્ય મંદિરોમાં પણ પ્રાણ પ્રતિષ્ઠા થશે.