CIA ALERT

Alert Archives - Page 227 of 511 - CIA Live

August 6, 2020
shrey.jpg
1min5580

અમદાવાદના પોશ વિસ્તાર ગણાતા નવરંગપુરા વિસ્તારમાં આવેલી શ્રેય હોસ્પિટલમાં તા.5મી ઓગસ્ટની મોડીરાત્રે ભીષણ સર્જાયેલી આગહોનારતમાં 8 દર્દીઓના મૃત્યુ થયાની કરુણ ઘટનાએ સમગ્ર ગુજરાતના હચમચાવી મૂક્યું છે.

રાત્રે સાડા ત્રણ વાગ્યે આ આગની ઘટના બની હતી, જે બાદ દર્દીઓ કે સ્ટાફ કશું સમજી શકે તે પહેલા આગે વિકરાળ સ્વરુપ ધારણ કરી લીધું હતું. આગની ઘટના લગભગ 3.05 વાગ્યે હોસ્પિટલના ચોથા માળે બની હતી. માનવામાં આવે છે કે વેન્ટિલેટરની ઈલેક્ટ્રિક સિસ્ટમમાં શોર્ટ સર્કિટ બાદ આગ લાગી હતી. હોસ્પિટલમાં ફરજ બજાવતા એક સ્ટાફ જ્યારે દર્દીનું રુટિન ચેકઅપ માટે ગયા હતા ત્યારે તેમની PPE કિટ પણ આગની ચપેટમાં આવી ગઈ હતી અને તેઓ ICUમાંથી બહાર દોડીને પોતાનો જીવ બચાવવામાં સફળ થયા હતા. પોલીસે આ સ્ટાફનું સ્ટેટમેન્ટ લીધું છે. આ ઘટના બાદ ફાયર વિભાગની ટીમ 3.19 વાગ્યે ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી, ટીમને આગ પર કાબૂ મેળવવા માટે અમુક કલાકોનો સમય લાગ્યો હતો. આગના કારણે રૂમની અંદર થયેલા ધૂમાડાના કારણે દર્દીઓનું ગૂંગળાઈ જવાથી મૃત્યું થયું હોવાનું માનવામાં આવે છે. ફાયર વિભાગની ટીમમાંથી કેટલાક લોકોએ જણાવ્યું કે તેમના જીવનમાં તેમણે આટલી ભયંકર આગ પહેલા નથી જોઈ.

આ ઘટના બાદ તાત્કાલિક 35થી 40 જેટલા દર્દીઓને સુરક્ષિત રીતે બહાર કાઢીને SVP હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આગમાં મૃત્યુ પામેલા દર્દીઓમાં 5 પુરુષો અને 3 મહિલાઓનો સમાવેશ થાય છે. આ ઘટનાની વધુ તપાસ કરવામાં આવી રહી છે.

હોસ્પિટલમાં લાગેલી આગનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું માનવામાં આવી રહ્યું છે. બનાવની જાણ થતાં ડેપ્યુટી કમિશનર સહિત અન્ય અધિકારીઓ તાબડતોબ ઘટના સ્થળ પર દોડી ગયા હતા. મળતી વિગતો મુજબ આ ઘટનામાં બે દર્દીઓ એટલા ગંભીર રીતે દાઝી ગયા છે કે તેમની ઓળખ કરવી મુશ્કેલ બની રહી છે. આગની ઘટના કઈ રીતે લાગી આ માટે કોણ જવાબદાર છે તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

અમદાવાદની આ શ્રેય હોસ્પિટલને કોવિડ-19 હોસ્પિટલ જાહેર કરવામાં આવી હતી. શ્રેય હોસ્પિટલમાં ચોથામાળે આગ લાગવાનો બનાવ બન્યો હતો. આગ હોનારતમાં ઘાયલ થયેલા તથા અન્ય દર્દીઓને સારવાર માટે SVP હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

August 6, 2020
MurmuSinha.jpg
1min5180

જમ્મુ-કાશ્મીરના પહેલા લેફ્ટનન્ટ ગવર્નર જીસી મુર્મુએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમના સ્થાને પૂર્વ કેન્દ્રીય મંત્રી મનોજ સિંહાની નિયુક્તિને રાષ્ટ્રપતિએ મંજૂરી આપી હોવાનું જાણવા મળ્યું છે.

વર્તમાન સીએજી રાજીવ મહર્ષિ આ સપ્તાહે રિટાયર થવાના છે. આ પદ પર જીસી મૂર્મુને નિમણૂંક આપી શકાય તેમ છે.

કેન્દ્રશાસિત જમ્મુ અને કાશ્મીરના પહેલા લેફ્ટનન્ટ ગવર્નરનું પદ સંભાળનારા જીસી મુર્મુએ 9 મહિના પછી રાજીનામું આપી દીધું છે. તેમણે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પોતાનું રાજીનામું મોકલી આપ્યું છે. અમારા સહયોગી ટાઈમ્સ નાઉ સૂત્રોને ટાંકીને જાણકારી આપી છે કે, તેઓને આગામી Comptroller and Auditor General of India (CAG) બનાવવામાં આવી શકે છે. વર્તમાન CAG રાજીવ મહર્ષી આ સપ્તાહે રિટાયર થવાના છે.

31 ઓક્ટોબર, 2019એ જમ્મુ-કાશ્મીર અને લદાખ કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યા બાદ મુર્મુ નવા કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરના પહલા એલજી બન્યા હતા. તેમણે જમ્મુ-કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકનું સ્થાન લીધું હતું.

એવી અટકળો છે કે, વર્તમાન સીએજી અને પૂર્વ કેન્દ્રીય ગૃહ સચિવ રાજીવ મહર્ષિને જમ્મુ-કાશ્મીરના આગામી એલજી બનાવવામાં આવે તેવી શક્યતા છે. વર્ષ 2015માં કેન્દ્રીય ગૃહ સચિવ બનેલા મહર્ષિએ 25 સપ્ટેમ્બર, 2017એ સીએજીનું પદ સંભાળ્યું હતું. તેમનો કાર્યકાળ આ સપ્તાહે પૂરો થઈ રહ્યો છે.

ગુજરાત કેડરના 1985 બેંચના આઈએએસ અધિકારી જીસી મુર્મુ નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમના પ્રધાન સચિવ રહી ચૂક્યા છે. તેમનું રાજીનામું એ દિવસે આવ્યું છે, જ્યારે બરાબર એક વર્ષ પહેલા જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો આપતી બંધારણની કલમ 370 અને 35 એની જોગવાઈઓને હટાવી દેવાઈ હતી. ગત વર્ષે 5 ઓગસ્ટે જમ્મ-કાશ્મીરને બે કેન્દ્ર શાસિત રાજ્યોમાં વહેંચવાનો અને વિશેષ દરજ્જો રદ કરવાનો ઐતિહાસિક નિર્ણય થયો હતો.

August 6, 2020
corona_india.jpg
1min5590

દેશમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ, ભારતમાં 24 કલાકમાં કોરોના વાયરસના 52,509 નવા કેસ નોંધાયા છે. દેશમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની કુલ સંખ્યા હવે 19,08,255 સુધી પહોંચી ગઈ છે. 

છેલ્લા 24 કલાકમાં આ જીવલેણ બીમારીને કારણે 857 દર્દીઓના મોત થયા છે અને મૃત્યુંઆંક વધીને 39,795 પર પહોંચી ગયો છે. અત્યાર સુધી કુલ 12,82,216 દર્દીઓએ કોરોનાને માત આપી દીધી છે. ભારતમાં કોરોના વાયરસના કેસની સંખ્યા અમેરિકા અને બ્રાઝીલની જેમ સતત વધી રહી છે. 

બ્રાઝીલમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કુલ 51,603 નવા કેસ નોંધાયા છે સાથે જ કોરોનાગ્રસ્ત દર્દીઓની કુલ સંખ્યા 28 લાખને પાર પહોંચી ગઈ છે. બ્રાઝીલના સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, દેશમાં છેલ્લા 24 કલાકમાં આ મહામારીને કારણે 1154 લોકોના મોત થયા છે આ સાથે જ મૃત્યુઆંક 95 હજારને પાર પહોંચી ગયો છે. 

August 5, 2020
real_cia-1-1280x1022.jpg
5min8590

માહિતી આપવાની અમારી ફરજ પૂરી હવે તમારી ફરજ છે ગ્રેજ્યુએટ ઉમેદવારો સુધી આ પહોંચાડો

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

શિક્ષણ સર્વદા મારફતે અમે યુવાનો સુધી જુદી જુદી તકો અંગેની માહિતીઓ પહોંચાડીએ છીએ. આપ વાચક છો આપને એ જણાવવા માગીએ છીએ કે માહિતી આપવાની અમારી ફરજ અમે અદા કરી હવે તમે ગ્રેજ્યુએટ થયેલા અથવા છેલ્લા વર્ષમાં હોય એવા વિદ્યાર્થીઓ સુધી આ માહિતી પહોંચાડવાનું કરો.

આગામી તા.29મી નવેમ્બર 2020ના રોજ સમગ્ર દેશમાં આવેલી ઇન્ડીયન ઇન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટમાં પ્રવેશ માટેની કેટ પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષા માટેની નોંધણી ઓનલાઇન શરૂ થઇ ચૂકી છે.

iimcat.ac.in વેબસાઇટ પર શરૂ ગ્રેજ્યુએટ થયેલા અથવા તો છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા હોય એવા વિદ્યાર્થીઓ આ પરીક્ષા માટે લાયક ગણવામાં આવે છે. રજિસ્ટ્રેશનની પ્રક્રિયા તા. 16મી સપ્ટેમ્બર સુધી ચાલશે.

The online registration process for the Common Admission Test 2020 (CAT 2020) will begin today at 10.00 am. The candidates who wants to apply for the CAT 2020 examination are advised to visit the official website of the exam – iimcat.ac.in – to register and fill in the online application form for the CAT 2020 examination.

CAT 2020 Important Dates

  • The CAT 2020 registration will close on Wednesday, September 16, 2020, at 5.00 PM.
  • The CAT 2020 admit cards will be available online on the official website of the examination from 5.00 PM onward on October 28, 2020.
  • The CAT 2020 will be held on Sunday, November 29, 2020, across the country and test centres located outside India.

Indian Institutes of Management (IIMs) conducts the CAT examinations for admission to campuses located at

  • Ahmedabad,
  • Amritsar,
  • Bangalore,
  • Bodh Gaya,
  • Calcutta,
  • Indore,
  • Jammu,
  • Kashipur,
  • Kozhikode,
  • Lucknow,
  • Nagpur,
  • Raipur,
  • Ranchi,
  • Rohtak,
  • Sambalpur,
  • Shillong,
  • Sirmaur,
  • Tiruchirappalli,
  • Udaipur, and
  • Visakhapatnam.

CAT 2020 will be conducted on November 29, 2020 (Sunday) in two sessions in test centres spread across approximately 156 cities.

CAT 2020 exam pattern

The duration of the CAT 2020 test will be 180 minutes. There will be three sections:

  • Section I: Verbal Ability and Reading Comprehension
  • Section II: Data Interpretation and Logical Reasoning
  • Section III: Quantitative Ability

Candidates will be allotted exactly 60 minutes for answering questions in each section and they will not be allowed to switch from one section to another while answering questions in a section.

Some questions in each section may not be of multiple-choice type. Instead, direct answers will have to be typed on the screen. The tutorials will clearly explain this. Also, the candidates will be allowed to use basic on-screen calculator for computation.

Tutorials to understand the format of the test will be available on the CAT website from October 16, 2020. Candidates are advised to work on the tutorials available on the CAT website well in advance.

In a disclaimer published on the official website of the CAT 2020 exam, the IIM said, “The Common Admission Test (CAT) 2020 is to be conducted taking into account the COVID-19 crisis. The information provided on the CAT 2020 website is contingent upon the decisions and directions issued from time to time by the Central, & State governments, and CAT Group. Candidates are advised to regularly check the CAT website for further information.”

August 5, 2020
pak-1280x720.jpg
1min4420

ઇંગ્લૅન્ડ અને પાકિસ્તાન વચ્ચે આજે (ભારતીય સમય મુજબ બપોરે ૩.૩૦થી) ત્રણ મૅચવાળી સિરીઝની પ્રથમ ટેસ્ટ રમાશે. ઇંગ્લૅન્ડ તાજેતરમાં વેસ્ટ ઇન્ડિઝ સામે ૨-૧થી શ્રેણી જીત્યું એ પછી હવે અહીં આ મૅચ પણ જીતીને પાક સામે ૧-૦થી સરસાઈ મેળવવા ઉત્સુક છે. સ્ટુઅર્ટ બ્રૉડ એ સિરીઝનો સુપરસ્ટાર બોલર હતો.

યુનુસ ખાન અને મિસબાહ-ઉલ-હક પાક ટીમના કોચિંગ વિભાગમાં છે એટલે ઇંગ્લૅન્ડે મજબૂત પાક ટીમનો સામનો કરવો પડશે. ખાસ કરીને અઝહર અલી, બાબર આઝમ, અસદ શફીક અને આબિદ અલી સારા ફૉર્મમાં છે. પાક બોલિંગમાં નસીમ શાહ અને શાહિન આફ્રિદી પર બ્રિટિશ બૅટ્સમેનોની ખાસ નજર રહેશે.

August 5, 2020
Gym_final_0.jpg
1min7660

કેન્દ્ર સરકારે કોરોના વાઇરસની મહામારી વચ્ચે ‘અનલોક-૩’ના ભાગરૂપે બુધવારથી દેશભરમાં યોગ ઇન્સ્ટિટ્યૂટ્સ તથા જિમ્નેશ્યમોને ફરી ખોલવાની છૂટ આપી છે તો એની સાથે નવી માર્ગદર્શિકાઓ પણ બહાર પાડવામાં આવી છે.

આ ગાઇડલાઇન્સમાં યોગ કેન્દ્રો તથા જિમમાં સ્ટાફ અને મુલાકાતીઓ વચ્ચેનો શારીરિક સંપર્ક બને એટલો ઓછો રાખવાની સૂચના અપાઈ છે, કારણકે કોવિડ-૧૯ની જીવલેણ બીમારી માણસ-માણસ વચ્ચેના નજીકના સંપર્કથી, કફ-શરદીને લીધે હવામાં ફેલાતા સૂક્ષ્મ ટીપાં અને બિંદુથી તેમ જ કોઈ સપાટી પરના સ્પર્શથી થતી હોય છે.

જોકે, ક્ધટેઇનમેન્ટ ઝોનમાંના યોગ કેન્દ્રો અને જિમ બંધ રહેશે. માત્ર ક્ધટેઇનમેન્ટ ઝોનની બહારના જ આ કેન્દ્રો ખોલવાની છૂટ અપાઈ રહી છે. સ્પા, સૉના, સ્ટીમ બાથ અને સ્વિમિંગ પૂલને તથા અન્ય સુવિધાઓને હજી પણ ફરી ખોલવાની મંજૂરી નથી અપાઈ.

* ૬૫ વર્ષથી મોટી વયની તથા અન્ય કોઈ મોટી બીમારી ધરાવતી વ્યક્તિઓ, ગર્ભવતી મહિલાઓ તથા ૧૦ વર્ષથી ઓછી વયના બાળકોને બંધબારણે ચાલુ રખાતા જિમથી દૂર રહેવાની સલાહ અપાઈ છે.

* તમામ પ્રકારની ઇમારતોમાં હરહંમેશ ફેસ કવર અથવા માસ્ક ફરજિયાત રહેશે. જોકે, કસરત દરમિયાન માસ્કથી શ્ર્વાસ લેવામાં તકલીફ થવાથી માત્ર વાઇઝરનો ઉપયોગ કરી શકાશે.

* કોવિડ-૧૯ ટ્રૅકર ઍપ ‘આરોગ્ય સેતુ’નો ઉપયોગ કરવાની સૂચના અપાઈ છે.

* યોગ કે જિમની ફરસ વ્યક્તિદીઠ ચાર મીટરની હોવી જોઈએ. સાધનોને એકમેકથી છ ફૂટના અંતરે રાખવા અને શક્ય હોય ત્યાં એ બહાર જ રાખવા.

* ઇમારતમાં પ્રવેશવા તથા બહાર જવા માટે ખાસ માર્ગ બનાવવો અને દીવાલ પર યોગ્ય સૂચના લખવી.

* ઍર-કન્ડિશનિંગ અને વેન્ટિલેશન માટે તાપમાનનું સેટિંગ ૨૪-૩૦ ડિગ્રી સેલ્સિયસનું હોવું જોઈએ અને શક્ય એટલી તાજી હવા માટેની જોગવાઈ હોવી જોઈએ.

* બે સેશન વચ્ચે ૧૫થી ૩૦ મિનિટનો બ્રેક હોવો જોઈએ કે જેથી ઇમારતમાં આવતા તથા જતા મેમ્બરોમાં કોઈ ભીડ ન જામે.

* ફિટનેસ ક્લાસમાં જૂથ દીઠ વ્યક્તિઓની સંખ્યા રૂમના કદ તથા પ્રવૃત્તિના પ્રકારને આધારે મર્યાદિત હોવી જોઈએ.

* ઇમારતના પ્રવેશદ્વાર પર સૅનિટાઇઝર છાંટતા મશીન તથા થર્મલ સ્ક્રીનિંગના સાધનો હોવા જોઈએ. માત્ર સ્ટાફ સહિતના અસિમ્પ્ટોમૅટિક લોકોને જ પ્રવેશવા દેવા જોઈએ.

* જો કોઈ વ્યક્તિને કોરોના વાઇરસનો ચેપ લાગ્યો હોવાની શંકા જાગે તો એ વ્યક્તિને અલગ રૂમમાં રાખવી. એ રૂમ અન્યોથી અલગ હોય એવી આઇસોલેટેડ હોવી જોઈએ. સ્ટાફે તરત જ સૌથી નજીકની તબીબી સુવિધાના કેન્દ્રને કે રાજ્ય અથવા જિલ્લાની હેલ્પલાઇન ખાતે સંપર્ક કરવો.

August 5, 2020
ayodhya-7.jpg
1min4870

અયોધ્યામાં બનનારા ભવ્ય રામમંદિરનું પાંચમી ઑગસ્ટ, બુધવારે ભૂમિપૂજન થવાનું છે. આ પ્રસંગે યોજાનારા કાર્યક્રમમાં મંચ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ઉત્તર પ્રદેશનાં રાજ્યપાલ આનંદીબહેન પટેલ, રાજ્યના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક ડૉ. મોહનરાવ ભાગવત હાજર રહેશે.

અયોધ્યા નગરીને દિવાળીના જેવો મોટો તહેવાર હોય એ રીતે સજાવવામાં આવી છે. મહાનુભાવોની હાજરી અને માત્ર દેશના જ નહિ, પરંતુ વિશ્ર્વભરના હિંદુઓ માટે આ એક મહત્ત્વનો પ્રસંગ હોવાથી સુરક્ષા વ્યવસ્થા પણ બહુ વધારાઇ છે.

શ્રી રામ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા ભૂમિપૂજનનો સમય બપોરે ૧૨ વાગ્યાને ૪૪ મિનિટ અને ૮ સેકંડથી લઇને ૧૨ વાગ્યાને ૪૪ મિનિટ અને ૪૦ સેકંડ સુધીનો ૩૨ સેકંડનો રાખવામાં આવ્યો છે.

રામમંદિર નિર્માણ માટે અનુષ્ઠાન (ધાર્મિક વિધિ) સોમવારે શરૂ કરાઇ હતી. રામમંદિરના ભૂમિપૂજન માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક મહાનુભાવને આમંત્રણ અપાયું છે.

ગણેશપૂજન, રામ-અર્ચના, સરયૂ નદીના પૂજન જેવા કાર્યક્રમ તો સતત ચાલુ જ છે. મોદીની મુલાકાતને ધ્યાનમાં રાખીને હનુમાનગઢી મંદિર ખાતે સલામતીની ખાસ વ્યવસ્થા કરાઇ છે. અયોધ્યામાં ઠેરઠેર ઇમારતોને પીળો રંગ કરાયો છે અને મંદિરો, ઉપરાંત ઘરોમાં તોરણ બાંધવામાં આવ્યા છે. દેશની વિવિધ નદીનું જળ અને પવિત્ર સ્થળોની માટી અયોધ્યા લાવવામાં આવી છે. અહીં આ પ્રસંગે ૧૧ લાખ દીવડા પ્રગટાવવામાં આવનાર છે. દેશભરમાં બુધવારે અનેક સ્થળે રામધૂન, ભજન, યજ્ઞના કાર્યક્રમ પણ રખાયા છે. શ્રી રામ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના

સભ્યો અને અન્ય સંતોએ આસપાસના વિવિધ મંદિરમાં જઇને દર્શન કરવાનું અને જરૂરી તૈયારીને આખરી ઓપ આપવાનું શરૂ કરી દીધું હતું.

શ્રી રામ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહામંત્રી ચંપત રાયે જણાવ્યું હતું કે રામજન્મભૂમિ પરિસરમાં વિષ્ણુસહસ્રનામની આહુતિ બે વખત અપાઇ હતી. ભગવાન રામ અને હનુમાનજીના નામે આહુતિ આપવી જરૂરી હતી.

અયોધ્યા ખાતે ગંગા સહિતની અનેક નદીના જળ અને માટી લાવવામાં આવી રહી છે. ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે સોમવારે ભૂમિપૂજનના સ્થળની મુલાકાત લઇને થઇ રહેલી તૈયારીનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે હનુમાનગઢી મંદિરની પણ મુલાકાત લીધી અનેે વરિષ્ઠ વહીવટી અધિકારીઓને જરૂરી સલાહ-સૂચન કર્યા હતા.

અયોધ્યાના રેલવે સ્ટેશનને પણ રામમંદિર જેવો જ આકાર આપવાનો નિર્ણય લેવાયો હતો. ગુજરાતના બીએપીએસના મહંત સ્વામી અને સારસાના અવિચલદાસજી સહિત સાત સંતોને આ ભૂમિપૂજન માટે આમંત્રણ અપાયું છે. અમેરિકાના ટાઇમ સ્ક્વૅરના વિશાળ સ્ક્રીન સહિતના અનેક વિદેશમાં અયોધ્યાના રામમંદિરના ભૂમિપૂજનનું પ્રસારણ થવાનું છે.

યોગી આદિત્યનાથની સાથે સોમવારે એડિશનલ ચીફ સેક્રેટરી (ગૃહ) અવનીશકુમાર અવસ્થી, અયોધ્યા જિલ્લાના મેજિસ્ટ્રેટ અંજુકામુર ઝા અને ડીઆઇજી દીપકકુમારે પણ ભૂમિપૂજનના સ્થળની મુલાકાત લીધી હતી.

અયોધ્યામાં રામમંદિરના પાંચમી ઑગસ્ટે થનારા ભૂમિપૂજનની પહેલાં શ્રી રામ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સભ્ય વિમલેન્દ્ર મોહન મિશ્રા અને અન્ય સભ્યોએ મંદિરોમાં પૂજા કરી હતી. હરિદ્વારમાં ગંગા નદીનું પવિત્ર જળ લઇને મહંત રવીન્દ્ર પુરી અને અન્ય સંતો અયોધ્યા માટે રવાના થયા હતા. ભૂમિપૂજનને ધ્યાનમાં રાખીને પ્રસાદ તરીકે એક લાખ લાડુના પેકેટ તૈયાર કરવાનો પણ ઑર્ડર અપાઇ ગયો હતો. દેશમાં અનેક સ્થળે રામમંદિરો અને અન્ય ઘણાં સ્થળે પ્રસાદના વિતરણની વ્યવસ્થા પણ કરાઇ છે. 

August 5, 2020
weather-forecast.jpg
1min4850

ભારતીય હવામાન વિભાગના કહેવા અનુસાર ઉત્તર બંગાળની ખાડીમાં હવાનું દબાણ ઓછું થવાના કારણે હવે ચોમાસું થોડું દક્ષિણ તરફ ફંટાઈ જશે. હવામાન વિભાગના અનુમાન અનુસાર ચોથી ઓગસ્ટે ઉત્તર બંગાળની ખાડી પર ઓછું દબાણ ક્ષેત્ર થવાની શક્યતા પેદા થઈ છે.

જેનાથી મહારાષ્ટ્ર,મધ્યપ્રદેશ, બિહાર સહિતના કેટલાક રાજ્યોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, છતીસગઢમાં આગામી 2-3 દિવસ ભારે વરસાદનો સિલસિલો યથાવત્ રહી શકે છે. ગુજરાતમાં 5-6 ઓગસ્ટે તેજ હવાની સાથે સાથે ભારે વરસાદ થવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગના કહ્યું છે કે આગામી 48 કલાકમાં ઈસ્ટ રાજસ્થાન, પશ્ચિમ ઉત્તરપ્રદેશ, બિહાર અને પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદ ગડગડાટ સાથે અને વિજળી પડવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. હવામાન વિભાગે કહ્યું કે મહારાષ્ટ્રની રાજધાની મુંબઈ સહિત રાજ્યના અન્ય વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. મુંબઈ અને રાજ્યના કેટલાક જિલ્લામાં 3 થી પાંચ ઓગષ્ટ સુધી ભારે વરસાદ થવાનું અનુમાન છે. ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગે કહ્યું છે કે 3 થી પાંચ ઓગષ્ટ સુધી મુંબઈ સિવાય રાયગઢ, રત્નાગિરી, સિંધદુર્ગ, પૂણે, કોલ્હાપુર, સાંગલી, બીડ, લાતૂર અને ઉસ્માનાબાદ જિલ્લામાં ભારે વરસાદ થવાની શક્યતા છે.

August 4, 2020
sandip_desai-1.jpg
3min22390

આદીવાસીઓ – પશુપાલકોના હક હડપનારા સામે સરકારી તંત્રો આંખ મીચી જાય પણ કુદરત થોડી છોડશે

સુમુલ ડેરીના કરોડો રૂપિયાના વહીવટમાં અનેક ગેરરીતિઓ જેના શાસન કાળમાં થઇ છે, જેના શાસન કાળમાં સુમુલ ડેરીના મેનેજિંગ ડિરેક્ટર જેવી જગ્યાએ બોગસ ડિગ્રી ધારકને બેસાડી દેવાયા છે એ ફુલટાઇમ પોલિટીક્સ કરતા રાજુ ઉર્ફે રાજેશ કાંતિલાલ પાઠકના સભ્યપદ સામે જ ફરીયાદો ઉઠી છે. સ્થાનિક સ્તરે સિટી પ્રાંત, સુરત જિલ્લા કલેક્ટરેટ દ્વારા સભ્યપદ રદ કરવા સામેની અરજી પર ડિપ્લોમેટીક જવાબ અપાયા બાદ હવે રાજુ પાઠક સામેની અરજી ગુજરાત હાઇકોર્ટમાં કરવામાં આવી છે.

પેટ્રોલ પંપ, સીએનજી જેવા ધંધા તેમજ રાજનીતિમાં રચ્યા પચ્યા રહેતા રાજુ પાઠક અને રાજનીતિમાં ગળાડુબ સંદીપ દેસાઇ સુમુલ ડેરીમાં ઘૂસવા માટે કાગજકીય પુરાવાઓ ઉભા કરીને સુમુલ ડેરીના ચોપડે પશુપાલક બની ગયા હોવાની ફરીયાદ છેક હાઇકોર્ટ સુધી કરવામાં આવી છે. હકીકતમાં આદીવાસીઓ અને પશુપાલકોના હિતમાં બનેલી સંસ્થામાં વીઆઇપીઓ જ પાછલે બારણે, કાયદાની છટકબારીઓનો લાભ લઇને પશુપાલકો બની ગયા છે અને સુમુલ ડેરીનો અબજો રૂપિયાનો કારોબાર મનસ્વી રીતે કરવા માટે ચૂંટણીમાં પેંતરાબાજી રમી રહ્યા હોવાની ફરીયાદો ઉઠી છે.

રાજુ પાઠક અને સંદીપ દેસાઇ ભાજપના હાઇકમાન્ડના ઇશારે સુમુલ ડેરીમાં આદીવાસીઓ અને પશુપાલકોના હક છીનવીને સુમુલ ડેરીના વહીવટ હસ્તગત કરવા હાલ યોજાઇ રહેલી ચૂંટણીમાં પેંતરાબાજી કરી રહ્યા હોવાનું પ્રતીત થઇ રહ્યું છે.

આદીવાસીઓ અને ગૌપાલકોના હક છીનવીને સુમુલ ડેરીનો વહીવટ હસ્તગત કરવાની આ પ્રવૃતિ સામે હવે સુમુલડેરીના મતદાતાઓમાં પણ અવેરનેસ આવી છે. સુમુલ ડેરીનો વહીવટ હસ્તગત કરવામાં નૈતિકતા કેટલી હદે નેવે મૂકી દેવામાં આવી છે અને મૂળ પશુપાલકો અને આદીવાસીઓના હિત માટે જેની રચના કરવામાં આવી છે એવી સંસ્થાની સત્તા હાંસલ કરવામાં કેવા કાવાદાવાઓ થયા છે એ જ્યારે સાંભળીએ ત્યારે એવું માની લઇએ કે નથીંગ ઇઝ ઇમ્પોસીબલ.

મહુવાના મીયાપુર ચોકડી ખાતે મહુવા આદીવાસી સંગઠન દ્વારા રાજુ પાઠક વિરુદ્ધ દેખાવો

સુમુલડેરીમાં કરોડો રૂપિયાના ગેરવહીવટ માટે જેને જવાબદાર માનવામાં આવે છે એ રાજુ પાઠકે નૈતિકતા નેવે મૂકીને દૂધમંડળીનું સભ્યપદ લીધું હોવાની ફરીયાદ ગુજરાત હાઇકોર્ટમાં કરવામાં આવી છે. આ અંગે સ્થાનિક ચૂંટણી અધિકારી સિટી પ્રાંતે ભલે ડિપ્લોમેટીક જવાબ આપીને તેમને બચાવી લીધા હોય પરંતુ, હાઇકોર્ટમાં આ મુદ્દો પડકારવામાં આવ્યો છે.

રાજુ પાઠકના સભ્યપદની ધાંધલીમાં આ આરોપો છે

  • રાજુ પાઠકનું રહેઠાણ સુરત શહેરના વેસુમાં છે
  • મોસાલીમાં તેમનું રહેઠાણ નથી
  • મોસાલીમાંથી બનેલી સુમુલ ડેરીની મતદાર યાદીમાં નામ છે
  • એ મોસાલીના વતની નથી અને મોસાલીમાં તેમનો ભેંસનો તબેલો
  • માંગરોળની શાહ ગામની મંડળીમાંથી તેઓ 2006ની ચૂંટણી લડેલા અને ત્યાંથી જ પ્રતિનિધિ બન્યા હતા
  • શાહ મંડળીમાં આજની તારીખે તેમનું નામ બોલે છે

જ્યાંથી રાજુ પાઠકે સુમુલ ડેરીની ચૂંટણીમાં ઝંપલાવ્યું છે એ મોસાલીનું સર્ટિફીકેટ શું કહે છે વાંચો અહીં

રાજુ પાઠક જ્યાંથી સુમુલ ડેરીના ચેરમેન બનવા માટે ચૂંટણી લડી રહ્યા છે એ માંગરોલ તાલુકાના મોસાલી ગામના તલાટી કમ મંત્રી એ સર્ટિફાય કરી આપ્યું છે કે ગ્રામ પંચાયતના દફતરે તેમના નામે ગાય, ભેંસનો તબેલો આવ્યો નથી. આ અંગેનો દાખલો પણ લખી આપવામાં આવ્યો છે.

સંગીન મુદ્દો એ છે કે શાહ મંડળીમાં તેમનું નામ ઠામ બોલે છે, ત્યાં દુધ ક્યારેય ભર્યું નથી અને હવે મોસાલીમાંથી તેમનું નામ રજૂ થયું છે

હકીકતમાં સુમુલ ડેરીના હાલના ચેરમેન અને રાજુ પાઠક શાહ મંડળીના સભ્ય છે, શાહ મંડળીના પ્રમુખ ઉમેશ મગન વસાવાએ ઉપરોક્ત સર્ટિફિકેટ આપીને તમામ હકીકતો સ્પષ્ટ કરી દીધી છે.

રાજુ પાઠકે જ્યાંથી ઉમેદવારી નોંધાવી છે એ મોસાલીના સરપંચ શું કહે છે જુઓ

માંગરોળ તાલુકાના મોસાલી ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીએ જણાવ્યું છે કે રાજેશ કાંતિલાલ પાઠકનું નામ મોસાલી ગ્રામ પંચાયતમાં નોંધાયેલું નથી

માંગરોળ ગ્રામ પંચાયતે સર્ટિફાય કર્યું છે કે રાજેશ કાંતિલાલ પાઠકનું નામ ત્યાંની મતદાર યાદીમાં સામેલ છે

માંગરોળ વિધાનસભાની મતદાર યાદીમાં રાજુ પાઠકનું નામ સામેલ છે

સંદીપ દેસાઇની ફેસબુક વોલ પરથી લેવાયેલી આ તસ્વીર. આવી તસ્વીરોથી ભરેલી છે તેમની ફેસબુક મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખથી લઇને વડાપ્રધાન સુધીની હસ્તીઓ સાથે ફોટા પડાવીને તેઓ એની ઇમેજ એન્કેશ કરી રહ્યાના આક્ષેપો ભાજપામાં થઇ રહ્યા છે

સંદીપ દેસાઇ સુમુલડેરીના ચોપડે પશુપાલક બની ગયા છે અને ચોર્યાસીની બેઠક પરથી ઉમેદવારી પણ નોંધાવી દીધી છે

સુરત જિલ્લા ભાજપના મહામંત્રી તરીકે સંદીપ દેસાઇ ફુલટાઇમ રાજનીતિ કરી રહ્યા છે, એક સમયે સુરેશદાદા, માનસિંહ પટેલ વગેરેના ખાસમખાસ બનીને ફરતા સંદીપ દેસાઇ હવે સી.આર. પાટીલના બંગલે અને ઓફિસે જોવા મળી રહ્યા છે. સંદીપ દેસાઇ માટે કહેવાય છે કે ઉઠે ત્યારથી જ રાજનીતિમાં હોય છે, બાકીના સમયમાં ડિસ્ટ્રીક્ટ બેંક, એપીએમસી વગેરેના ખણખોદ કરતા હોય છે એ પછી પણ તેમની પાસે ટાઇમ હોય છે દૂધમંડળીમાં દૂધ ભરવાનો અને તેના આધારે તેઓ પોતાને પશુપાલક કહેવડાવે છે અને તેના આધારે ચોર્યાસીની સુમુલની સીટ પરથી હવે ઉમેદવારી પણ કરી લીધી છે. બીજાના નામે પોતાના ખાતે દૂધ ભરાવવાની પ્રવૃતિ હવે છાપરે ચઢીને પોકારી રહી છે.

દેખીતી રીતે જેણે એક લિટર દૂધ સુમુલમાં ભર્યું નથી, બીજાનું દૂધ પોતાના ખાતે ભરાવાની પેરવી કરનાર રાજુ પાઠક અને સંદીપ દેસાઇ સામે ભારે રોષ

સુમુલ ડેરીના વહીવટને હસ્તગત કરવા માટે નૈતિકતાના તમામ ધોરણો નેવે મૂકનાર સંદીપ દેસાઇ અને રાજુ પાઠક માટે કહેવાય છે કે દેખીતી રીતે પોતે સ્વયં એક લિટર દૂધ સુમુલ ડેરીમાં ભર્યું નથી, પણ બીજાનું દૂધ પોતાના ખાતે સુમુલમાં ભરાય તેની ખાસ તકેદારી રાખી કે જેથી સુમુલ દફતરે સક્રિય પશુપાલક હોવાનું દર્શાવી શકાય. હકીકત તો તેમની પાસે ગાય-ભેંસ કે દૂધાળા પશુઓના તબેલાનો ધંધો કરી રહ્યા આમ છતાં, દંભ કરીને કાગળ પર પશુપાલક બની બેઠા છે. ચૂંટણી અધિકારીએ પણ સત્તા સામે આંખો મીચી દીધી છે પણ સુમુલ ડેરીના મતદારો કહી રહ્યા છે બધેથી છટકી શકશે પણ કુદરત તેમને નહીં છોડે.

August 4, 2020
donald_trump.jpg
1min6120

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ડોનાલ્ડ ટ્રમ્પે આજરોજ તા.4 ઓગસ્ટ 2020ના રોજ એક જ ટ્વીટ કરીને દુનિયાભરના લોકોની નારાજગી વહોરી લીધી છે. વિશ્વમાં જ્યાં સૌથી વધુ કોરોના કેસો છે, વિશ્વમાં જ્યાં સૌથી વધુ મૃત્યુ કોરોનાને કારણે થયા છે એ અમેરીકામાં સ્કુલો શરૂ કરવા માટે અમેરીકી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કર્યુ છે.

જ્યાં સૌથી વધુ કોરોના કેસ, જ્યાં સૌથી વધુ કોરોના મૃત્યુ છે એ અમેરીકામાં હવે ટ્રમ્પે સ્કુલો શરૂ કરાવવી છે

ડોનાલ્ડ ટ્રમ્પના ઓફિશ્યલ ટ્વીટર હેન્ડલ પરથી કરાયેલા ટ્વીટમાં ફક્ત ત્રણ શબ્દો પોસ્ટ કરવામાં આવ્યા છે. અને એ OPEN THE SCHOOLS !!! છે. ભારતીય સમય પ્રમાણે સવારે 8.52 કલાકે ડોનાલ્ડ ટ્ર્મ્પની ટ્વીટ પોસ્ટ થઇ અને જોતજોતામાં દુનિયાભરના લોકોએ તેના પર કમેન્ટ્સ કરીને અનેક ખરી ખોટી સંભળાવી. ઘણાંએ તો લખ્યું કે સપનાઓ જોયા કરો.