CIA ALERT

Alert Archives - Page 225 of 518 - CIA Live

September 24, 2020
corona_india.jpg
1min4780

એક તરફ કેન્દ્ર્ સરકાર સતત એવા દિલાસા આપી રહી છે કે વિશ્વના અન્ય દેશોની સરખામણીમાં ભારતમાં કોરોના મૃત્યુદર સાવ ઓછો છે. પરંતુ, હકીકત એ છે કે સસલાની ગતિએ નહીં પરંતુ, કાચબાની ગતિએ પણ ભારતમાં કોરોના મૃત્યુદર વધી રહ્યો છે.

ભારતમાં કોરોના વાયરસના કારણે મૃત્યુ પામેલા દર્દીઓની સંખ્યા 90,000ને પાર થઈ ગઈ છે. જેમાં માત્ર 13 દિવસમાં 15,000 કરતા વધુ દર્દીઓએ જીવ ગુમાવ્યા છે.

તા.23મી સપ્ટેમ્બરના રોજ ભારતમાં વધુ 86,000 કરતા વધારે લોકોનું કોરોના ટેસ્ટીંગ પોઝિટિવ આવ્યું હોવાના અહેવાલોની સાથે જ, સપ્ટેમ્બર માસમાં ભારતમાં 20,00,000 કરતા વધુ કેસ નોંધાઈ ચૂક્યા છે, જે કોઈ એક મહિનામાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે અને હજુ પણ તેમાં 6 દિવસના કેસ ઉમેરાવાના બાકી છે.

ભારતમાં એક દિવસમાં વધુ 86,825 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે સપ્ટેમ્બર મહિનાના 23 દિવસ દરમિયાન 20,44,570 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે, જે કોઈ પણ મહિનામાં નોંધાયેલા કેસ કરતા વધુ છે. આ આંકડો દુનિયાના બાકી દેશોને પણ પણ પાછળ છોડી રહ્યો છે. બીજી તરફ હજુ 7 દિવસના આંકડા બાકી છે જેથી તેની સંખ્યામાં હજુ પણ વધારો થશે.

ભારતમાં 86,000 કરતા વધુ નવા કેસ નોંધાવાની સાથે દેશમાં કુલ કેસનો આંકડો બુધવારે 57 લાખને પાર થઈ ગયો છે. ભારતમાં હવે કોરોનાના કુલ કેસ 57,27,193 થયા છે, જેમાંથી 46,63,623 દર્દીઓ સાજા થઈ ગયા છે. એટલે ભારતનો રિકવરી રેટ 81.4% થયો છે.

કેરળમાં પહેલી વખત 5000 કરતા વધુ કેસ નોંધાયા છે જે ચિંતામાં વધારો કરી રહ્યા છે. અહીં પહેલીવાર એક દિવસમાં 5,376 કેસ નોંધાયા છે. આ સિવાય રાજસ્થાન અને અરુણાચલ પ્રદેશમાં પણ એક દિવસમાં નોંધાયેલા કેસનો નવો રેકોર્ડ તોડ્યો છે.

September 23, 2020
breaking_CIA-1280x831.jpg
1min13700

https://m.facebook.com/story.php?story_fbid=3284845758267822&id=604307259655032

તા.23મી સપ્ટેમ્બરે મધરાતે સવા ત્રણ વાગ્યાના અરસામાં અડધા સુરતમાં પ્રચંડ વિસ્ફોટની ધણધણાટી અનુભવાતા લાખો સુરતીઓ નિંદરમાંથી જાગી ગયા હતા. કશુંક અજુગતું થયાની પોસ્ટ સોશ્યલ મિડીયામાં વહેતી થઇ હતી. જ્યાં આ વિસ્ફોટ બન્યો એ હજીરા કાંઠા વિસ્તારના ગામોમાં તો લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. થોડા સમય તો ભારે અફરાતફરીનો માહોલ સજાર્યો હોવાનું ગામવાસીઓએ જણાવ્યું હતું.

સી.આઇ.એ. લાઇવએ સુરત ફાયર બ્રિગેડને આ અંગે પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે હજીરા સ્થિત ઓ.એન.જી.સી. પ્લાન્ટ ખાતે આગની હોનારત સર્જાયાનો કોલ મળ્યો છે અને સુરતથી ફાયર ફાઇટર રવાના થયા છે. પ્રાથમિક માહિતી મુજબ હજીરા ઓએનજીસી મધરાતે સવા ત્રણ વાગ્યાની આસપાસ એક મોટો બ્લાસ્ટ થયો હતો અને ત્યારબાદ આગ પ્રસરી હતી. લગભગ વીસેક મિનિટ સુધી તો આગની જવાળાઓ સાથે પ્રચંડ અવાજ સમગ્ર વિસ્તારમાં સંભળાય રહ્યો હતો. છેક સિટીલાઇટ સુધીના વિસ્તારોમાં અવાજો સંભળાયાનું સુરતીઓએ જણાવ્યું હતું.

ફાયર બ્રિગેડે જણાવ્યું હતું કે ઓએનજીસીની પાઈપલાઈનમાં લીકેજ થવાથી આગ લાગી હતી જેને કાબુમાં કરવા ફાયર ફાઇટર મોકલવામાં આવ્યા છે.

અડાજણ, અઠવાલાઇન્સથી ડુમસ સુધીના લાખો લોકો જાગ્યા

હજીરા ઓ.એન.જી.સી. ખાતે વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે રાંદેર, અડાજણ, પાલ, ઉમરા, અઠવાલાઇન્સ, પીપલોદથી લઇને ડુમસ સુધીના વિસ્તારો ધણધણી ઉઠ્યા હતા. બારી બારણા પણ ધ્રુજી ગયા હતા અને આગની પ્રચંડ જવાળાઓને કારણે સુરતનું આકાશ કેસરી રંગે રંગાઇ ગયેલું જોવા મળ્યું હતું. અઠવાલાઇન્સ, અડાજણ, પાલ, ભાઠા વિસ્તારના હાઇરાઇઝ બિલ્ડિંગોમાં રહેતા લોકોએ આગ તેમજ આકાશના ફોટોગ્રાફ્સ સોશ્યલ મિડીયામાં મૂકીને મોટી હોનારત સર્જાય હોવાની ભીંતી વ્યક્ત કરી હતી.

September 23, 2020
Career-in-Architecture-1-800x445-1.jpg
2min9920

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

વ્હાઇટ કોલર પ્રોફેશન તરીકે ગણનાપ્રાપ્ત બેચલર ઓફ આર્કિટેક્ચર અભ્યાસક્રમમાં પ્રવેશ માટેના લાયકાતના ધોરણોમાં ઘટાડો કરવામાં આવ્યો છે. કાઉન્સિલ ઓફ આર્કિટેક્ચર અને કેન્દ્ર સરકારે આ વર્ષે કોવીડ-19 પેન્ડેમિક પરિસ્થિતિને પગલે નિર્ણય લીધો છે. ફક્ત આ વર્ષ માટે બદલાયેલા નિયમમાં ધો.12 ફિઝિક્સ કેમેસ્ટ્રી મેથ્સ સાથે પાસ થયેલા વિદ્યાર્થીઓને નાટામાં પાસ પર્સન્ટેજ લાવવાની શરતે બી.આર્ક. કોર્સમાં પહેલા વર્ષમાં પ્રવેશ આપવામાં આવશે. એવી જ રીતે ધો.10 પછી ત્રણ વર્ષના ડિપ્લોમા હોલ્ડર ઉમેદવારોને પણ પાસ થવાની શરતે પ્રવેશ આપવામાં આવશે. આ વિદ્યાર્થીઓ પણ નાટા પરીક્ષાના નિયમો પાળવાના રહેશે.

અત્યાર સુધી આ નિયમ હતો

અત્યાર સુધી એવો નિયમ હતો કે બી.આર્ક.માં પહેલા વર્ષમાં પ્રવેશ માટે ધો.12 પીસીએમમાં ઓછામાં ઓછા 50 ટકા માર્કસ હોવા ફરજિયાત હતા. હવે આ વખતે કોવીડ-19ની પરિસ્થિતિમાં દેશના અનેક રાજ્યોના બોર્ડ દ્વારા ધો.12ની પરીક્ષાઓ લેવાઇ શકી ન હોઇ, એલિજિબિલીટી ક્રાઇટેરીયા ઘટાડી દેવામાં આવ્યા છે.

બેચલર ઓફ આર્કિટેક્ચર કોર્સમાં લાયકાતના ધોરણોમાં સુધારા અંગેનું ગેઝેટ

Click here to view Gujarat Architecture Colleges

http://jacpcldce.ac.in/Adm20/Archi/BArch_Institute.pdf

ગુજરાતમાં આર્કિટેક્ચરમાં પ્રવેશ કાર્યવાહીનું સમયપત્રક

September 23, 2020
Serum-Institute-of-India-pauses-Covid-vax-trials-in-India-2-491x267-1.jpg
1min5690
After Oxford Covid-19 Vaccine, Serum Institute Likely To Start Clinical  Trials Of Novavax's Vaccine Candidate In India

ભારતની સીરમ ઈન્સ્ટિટ્યૂટ વેક્સીન ઉત્પાદનના મામલે દુનિયાની સૌથી મોટી કંપની હોવાનો દાવો અગાઉ કરાઇ ચૂક્યો છે. બ્રિટનની ઓક્સફર્ડ યુનિવર્સિટીએ વિકસાવેલી કોરોના વેક્સીન પ્રોજેક્ટમાં સીરમ ઈન્સ્ટિટ્યૂટ અનેક ભાગીદારો પૈકીની એક સંસ્થા પણ છે

લાંબા સમયની ઇંતેજારી બાદ એવા સમાચાર આવ્યા છે કે સીરમ ઇન્સ્ટીટ્યુટ દ્વારા ભારતમાં ઓક્સફર્ડ યુનિવર્સિટીએ વિકસાવેલી વેક્સિનનું ઉત્પાદન શરૂ કરી દેવામાં આવ્યું છે. ભારતની ફાર્મા કંપની સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓક્સફર્ડ યુનિવર્સિટીના કોરોના વેક્સીન પ્રોજેક્ટમાં પાર્ટનર છે અને ભારતમાં આ વેક્સીનનું ટ્રાયલ કરાવી રહી છે.

પુનાની સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ પહેલા જ ઓક્સફર્ડના પ્રોજેક્ટમાં કોલેબરેશન કરેલું છે. જો ઓક્સફર્ડની વેક્સીન સફળ થશે તો ભારતમાં તેની ઉપલબ્ધતામાં કોઈ મુશ્કેલી નહીં આવે.

અગાઉ ગત જુલાઇમાં સીરમ ઇન્સ્ટીટ્યુટ દ્વારા કરવામાં આવેલી પ્રેસ કોન્ફરન્સમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે સંખ્યાની દ્રષ્ટિએ દુનિયાની સૌથી મોટી વેક્સીન બનાવતી કંપની સીરમ ઈન્સ્ટિટ્યૂટ કોડાગેનિક્સના CDX-005ને વિકસિત કરશે, જેને ઈન્જેક્શનને બદલે આંતરિક રીતે આપવામાં આવશે.

September 22, 2020
smc.jpg
1min5800

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન બંછાનિધી પાનીએ આજે સુરતવાસીઓ જોગ સંદેશમાં જણાવ્યું હતું કે સુરતમાં કોરોના રીકવરી રેટ 90 ટકાથી ઉપર પહોંચ્યો છે અને સાથે જ મૃત્યુદર પણ ઘટીને 2.5 ટકા સુધી આવી ગયો છે. સુરતમાં આંતરીક દ્રષ્ટીએ કોરોના કાબૂમાં છે પરંતુ, બહારગામથી સુરત આવતા લોકો ખાસ કરીને રેલ્વે સ્ટેશન તેમજ જુદા જુદા એન્ટ્રી રોડ પરથી આવતા લોકોમાં કોરોના કેસોની સંખ્યા વધુ મળી રહી છે.

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન સુપર સ્પ્રેડિંગ વેન્યુઝ શોધી રહી છે. બેંક્વેટ હોલ તેમજ અન્ય સ્થળોમાં યોજાતા સમારોહમાં ખાસ તકેદારી રાખવા માટે મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું છે. સમારોહમાં આવતા ગેસ્ટ લિસ્ટના મોબાઇલ નંબરો મહાનગરપાલિકાને આપવા જોઇએ.

સાંભળો મ્યુનિસિપ કમિશનર બંછાનિધી પાનીનો 22 સપ્ટેમ્બરનો ઓડિયો મેસેજ

Commissioner Shri B N Pani (IAS) LIVE 22-9-2020

My Surat यांनी वर पोस्ट केले मंगळवार, २२ सप्टेंबर, २०२०

September 21, 2020
bhiwandi-building.jpg
1min5630
ભિવંડીમાં ધમાનકર નાકા પાસે પટેલ કમ્પાઉન્ડ વિસ્તારમાં સવારે ત્રણ માળનું મકાન ધરાશાયી થવાની ઘટનામાં અત્યાર સુધી 8 લોકોના મોત થયા છે. બચાવ કામગીરી ચાલુ છે.
8 killed in Bhiwandi building collapse

તા.21મીને સોમવારે સવારે મુંબઇ નજીક ભીવંડી ખાતે મકાન ધરાશાયી થવાની બનેલી ગંભીર હોનારતમાં 8 લોકોના મોત નિપજ્યાના સમાચારોએ ભારતમાં સપ્તાહની શરૂઆતમાં જ નેગેટીવ ન્યુઝ ફેલાવી દીધા હતા.

મુંબઇને અડીને આવેલા ભિવંડીમાં ધામનકર નાકા પાસે પટેલ કમ્પાઉન્ડ વિસ્તારમાં ત્રણ માળનું મકાન ધરાશાયી થયું છે. ઘટના સ્થળેથી મળતી માહિતી મુજબ 35થી 40 લોકો મકાનના કાટમાળમાં ફસાયા હતા. જોકે, અકસ્માતની જાણ થતાં જ પોલીસ અને એનડીઆરએફની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી.

સ્થાનિક લોકોની મદદથી ઓછામાં ઓછા 20 લોકોને રેસ્ક્યુ કરાયા છે. પોલીસ અને NDRFની ટીમે કાટમાળ નીચે દટાયેલા 25 લોકોને બચાવવાની કામગીરી હાથ ધરી છે. આ દુર્ઘટનામાં હજી સુધી 8 લોકોનાં મોત નીપજ્યાં છે. ઘાયલોમાં બાળકો અને મહિલાઓ પણ સામેલ છે. જોકે, ગંભીર અકસ્માતમાં હજી મૃત્યુઆંક વધે તેવી શક્યતા છે. બિલ્ડિંગ કયા કારણોસર ધરાશાયી થઈ તે અંગે હજી ચોક્કસ કારણ સામે આવ્યું નથી.

September 21, 2020
gujarat-vidhansabha.jpg
1min5470

21/9/20 સોમવારથી ગુજરાત વિધાનસભાનું ચોમાસુસત્ર ૨૧ થી ૨૫ સપ્ટેમ્બર દરમિયાન મળી રહ્યું છે. હાલ કોરોના મહામારી વચ્ચે વિધાનસભામાં ધારાસભ્યના સામૂહિક ટેસ્ટ બાબતે પણ તૈયારી કરી છે. ગુજરાત વિધાનસભામાં આજે તમામ ધારાસભ્યો અને પ્રધાનોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. તમામ નેતાઓના રેપિડ ટેસ્ટ કરાયા હતા. કોરોના ટેસ્ટ માટે કુલ છ ટીમ ફાળવવામાં આવી હતી. ભાજપાના ધારાસભ્યો અને મંત્રીઓ માટે ચાર અને કોંગ્રેસના ધારાસભ્યોના ટેસ્ટ માટે બે ટીમ ફાળવાઇ હતી.

ત્રણ ધારાસભ્ય – ધાનેરાના નાથા પટેલ, દક્ષિણ ગુજરાતના વ્યારાના પુનભાઈ ગામિક અને અમરેલીના વીરજી ઠુમ્મર કોરોના પોઝિટિવ આવ્યા છે.

આજે બંને પક્ષના ધારાસભ્ય દળની બેઠક પહેલા ટેસ્ટ કરાયા હતા. ગુજરાત વિધાનસભા શાસક પક્ષના સભાખંડમાં સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવતી બેઠક વ્યવસ્થા એક ખુરશી છોડી બીજી ખુરશી પર બેસવાની વ્યવસ્થા કરાઈ છે. એક ખુરશી પર પટ્ટી લગાડવામાં આવશે. ખુરશી ખૂલે નહિ તે રીતે ફિક્સ કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, પાંચ દિવસના સત્રમાં ૨૦ બિલો પર ચર્ચાનો નિર્ણય કરાયો છે. હાલના સમયે કોરોના વિશ્વ વ્યાપી પ્રશ્ન છે, તેથી પ્રથમ દિવસે કોરોના બાબતે અઢી કલાક ચર્ચા થશે. ૨૦ બિલ અને સંકલ્પ વગેરે પર કામકાજ સલાહકાર સમિતિમાં નિર્ણય થયો છે. પવિત્ર યાત્રાધામ અંબાજીમાં વધુ સ્વચ્છ અને નોટિફાઇડ બિલ પણ સત્ર દરમિયાન લાવવામાં આવશે.

September 21, 2020
ukai.jpg
1min6140

તા.20 સપ્ટેમ્બર 2020ના રોજ બપોર બાદ સુરતના ઉપરવાસ વિસ્તારમાં આવેલા ઉકાઇ ડેમમાંથી અંદાજે પોણાબે લાખ ક્યુસેક્સ પાણીનો જથ્થો છોડવાનું શરૂ કરાયું હતું. કેમકે ઉકાઇ ડેમમાં વોટર લેવલ ભયજનક સપાટી 345 ફૂટ નજીક પહોંચે તેવી શક્યતા હતી.

ઉકાઈના ઉપરવાસમાં ભારે વરસાદને પગલે હાલ ડેમ 343.53 ફૂટ પર વહી રહ્યો છે. જે ઉકાઈની ભયજનક સપાટીથી માત્ર હાથવેંત જ દૂર છે. જેના પગલે તંત્ર દ્વારા ઉકાઈ ડેમમાંથી પાણી છોડવાની શરૂઆત કરવામાં આવી છે. સાંજ સુધીમાં 1.75 લાખ ક્યૂસેક પાણી છોડવાનું જાહેર કરવામાં આવ્યું છે.

ઉકાઈ ડેમ હાલ તેનું 340.84 હાઈએલર્ટનું લેવલ વટાવી ચૂક્યો છે અને તેની ભયજનક સપાટી 345 ફૂટ છે. છેલ્લાં 24 કલાકમાં ઉકાઈ ડેમના ઉપરવાસમાં જે ધોધમાર વરસાદ પડ્યો છે જેના કારણે પુષ્કળ માત્રામાં ઉકાઈ ડેમમાં પાણી આવક થવાની છે જેથી તંત્ર એકદમ એલર્ટ થઈ ચૂક્યું છે. રવિવારે સાંજના 6 વાગ્યે ઉકાઈડેમની સપાટી 343.53 ફૂટ નોંધાઈ છે. ઉલ્લેખનીય છે કે ડેમ 96.6 ટકા ભરાઈ ગયો છે. 
હાલ ઉકાઈ ડેમમાં 82,589 ક્યૂસેક પાણીની આવક સામે 1,00,050 લીટર પાણી ડિસ્ચાર્જ થઈ રહ્યું છે. જ્યારે હથનુર ડેમની સપાટી 213.12 મીટર છે. ડિસ્ચાર્જ પ્રતિ સેકન્ડ 5.86 લાખ લીટર, એટલે કે 20,723 ક્યુસેક છે. તે જ રીતે સુરત વિયર કમ કોઝવે હાલ 7.40 મીટર પર વહી રહ્યો છે. કોઝવે પરથી 79,910 ક્યુસેક પાણી ડિસ્ચાર્જ થઈ રહ્યું છે.

September 19, 2020
ipl2020.jpg
1min6510

વિશ્વની સૌથી મોટી ક્રિકેટ લીગ IPL આજે તા.19મી સપ્ટેમ્બર 2020થી શરૂ થઇ રહી છે. કોવીડ-19 પેન્ડેમિકની કપરી સ્થિતિને કારણે ભારતમાં આ ઇવેન્ટ શક્ય ન હોઇ, યુનાઇટેડ એમિરાતમાં રમાઇ રહેલી આ ટુર્નામેન્ટ ભલે ત્યાં રમાશે પણ સૌથી વધુ જોવાશે ભારતમાં. ટેલિવિઝન પર સતત 53 દિવસ સુધી આઇ.પી.એલ. છવાયેલી રહેશે અને એટલે જ નવી ફિલ્મોથી લઇને અનેક ઇવેન્ટ આ જ કારણે પોસ્ટપોન કરી દેવામાં આવી છે.

53 દિવસ સુધી ચાલનારી આ ટૂર્નામેન્ટમાં કુલ 60 મેચ રમાશે. પહેલી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપરકિંગ્સ વચ્ચે અબુધાબીમાં રમાશે. ત્યારે આ વખતે IPLમાં કોરોનાના કારણે કેટલાક નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે.

નવા ફેરફારમાં ટીમને અનલિમિટેડ કોરોના સબસ્ટીટ્યુટ મળશે. ઉપરાંત IPLમાં પ્રથમ વખત બોલને ચમકાવવા માટે બોલર્સ લાળનો ઉપયોગ કરી શકશે નહીં. ઈજાગ્રસ્ત ખેલાડીની જગ્યાએ અન્ય પ્લેયર સબ્સ્ટીટ્યૂટ તરીકે સામેલ કરી શકાશે. આ વખતે ફ્રન્ટફુટનો બોલ ફિલ્ડને બદલે થર્ડ અમ્પાયર જોશે. ત્યારે લાંબા સમય બાદ ભારતીય ક્રિકેટરો મેદાનમાં ઉતરી રહ્યા છે.

September 19, 2020
coronaworld.jpg
1min4890

કોરોના વાયરસ મહામારીને રોકવા માટે દુનિયાના તમામ દેશો દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ નવા કેસમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. જેના પગલે દુનિયામાં કોરોના સંક્રમણનો કુલ આંક 3 કરોડને પાર પહોંચી ગયો છે. 3 કરોડમાંથી અડધાથી ઉપર કેસ અમેરિકા, ભારત અને બ્રાઝિલના છે. જ્યારે દુનિયામાં કુલ મૃત્યુઆંક 9.50 લાખથી ઉપર થયો છે. ‘તેમજ 2.20 કરોડથી વધારે લોકો રિકવર થઈ ચુક્યા છે. ભારતની વાત કરવામાં આવે તો દેશમાં કુલ કેસ 52 લાખને પાર થયા છે. તેમજ 41.25 લાખ લોકો રિકવર થયા છે. જ્યારે 84 હજાર લોકો મૃત્યુ પામ્યા છે. મંત્રાલયના કહેવા પ્રમાણે દેશ છેલ્લા 11 દિવસથી સતત 70000થી વધારે દૈનિક રિકવરી રિપોર્ટ કરી રહ્યું છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના કહેવા પ્રમાણે દેશના પાંચ રાજ્યોમાં સૌથી વધારે સક્રિય કેસ છે. જેમાં મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, કર્ણાટક અને ઉત્તર પ્રદેશ છે. આ રાજ્યમાં સૌથી વધારે રિકવરી પણ થઈ છે. કહેવામાં આવ્યું છે કે છેલ્લા 24 કલાકના સમયગાળામાં વિક્રમી 87472 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને આ’ સાથે દેશમાં કોરોનાથી રિકવર થનારા લોકોની સંખ્યા 4125742 થઈ છે. તેનાથી રિકવરી રેટ 78.86 ટકા સુધી પહોંચ્યો છે અને મૃત્યુદર ઘટીને 1.63 ટકા થયો છે.

મંત્રાલયના કહેવા પ્રમાણે દેશ છેલ્લા 11 દિવસથી સતત 70000થી વધારે દૈનિક રિકવરી રિપોર્ટ કરી રહ્યું છે. મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તમિલનાડે, કર્ણાટક અને ઉત્તર પ્રદેશથી 59.8 ટકા સક્રિય’ મામલા સામે આવ્યા છે. આ રાજ્યોનો કુલ રિકવરી દર પણ 59.3 ટકા છે.’ મહારાષ્ટ્રમા નવો રિકવરી દર 22.31 ટકા, આંધ્રપ્રદેશમાં 12.24 ટકા, કર્ણાટકમાં 8.3 ટકા, તમિલનાડુમાં 6.31 ટકા અનજે છત્તીસગઢમાં 6 ટકા નોંધાયો છે. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે શુક્રવારે જારી કરેલા આંકડા પ્રમાણે ભારતમાં છેલ્લા 24 કલાકમાં 96,424 નવા કેસ સામે આવ્યા છે અને આ દરમિયાન 1174 મૃત્યુ થયા છે. દેશમાં સક્રિય મામલાની વાત કરવામાં આવે તો આ આંકડો 10 લાખને પાર થયો છે.