CIA ALERT

Alert Archives - Page 204 of 511 - CIA Live

November 25, 2020
CIA_Live_Logo_New2.jpg
1min487

સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ નામને આધાર આપી રહેલી એકમાત્ર ઇન્ટરનેશનલ ફ્લાઇટ સુરત-શારજાહ વચ્ચેની એરઇન્ડિયાની ફ્લાઇટને તા.31મી માર્ચ 2021 સુધી રદ કરી દેવામાં આવી છે. આ અંગેની સત્તાવાર જાહેરાત સુરત એરપોર્ટના ઓફિશ્યલ ટ્વીટર હેન્ડલ પરથી આજરોજ તા.25મી નવેમ્બરથી કરવામાં આવી છે. સુરત-શારજાહ વચ્ચેની આ ઇન્ટરનેશનલ ફ્લાઇટ ખાસ્સી લોકપ્રિય બની હતી અને તેના ટિકિટના દર પણ સસ્તા હોવાને કારણે મહારાષ્ટ્ર અને સુરત સિવાયના ગુજરાતના યાત્રીઓ પણ દુબઇથી પરત આવવા માટે આ ફ્લાઇટ્સનો ભરપૂર ઉપયોગ કરી રહ્યા હતા.

એક વર્ષ બંધ રહેશે ફ્લાઇટ

ગત માર્ચ 2020માં લોકડાઉનને કારણે સુરત શારજાહ વચ્ચેની ફ્લાઇટ બંધ થઇ હતી, હવે નવી ઘોષણા મુજબ તા.31મી માર્ચ 2021 સુધી આ ફ્લાઇટ બંધ રહેવાની હોઇ, હવે કમ્પ્લીટ એક વર્ષ માટે સુરત એરપોર્ટ પર ઇન્ટરનેશનલ ફ્લાઇટ બંધ રહેશે.

Air India Express to start first direct flight service from Sharjah to Surat  | Tourism News Live
November 25, 2020
Cyclone-Nivar.jpg
1min461
Heavy rains, gale force winds: Nivar to cross Tamil Nadu coast tomorrow -  india news - Hindustan Times

તમિળનાડુ અને આંધ્રપ્રદેશમાં ચક્રવાતનો ભય છે, જે બુધવારે મોડી સાંજે તીવ્ર ચક્રવાતી વાવાઝોડાના રૂપમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં ત્રાટકવાની સંભાવના છે. ભારતના હવામાન વિભાગના ડાયરેક્ટર જનરલ, મલ્યુંજય મહાપાત્રાએ મંગળવારે કહ્યું હતું કે બંગાળની ખાડી ઉપર ઊંડા દબાણનો વિસ્તાર ચક્રવાત ‘પ્રિવેન્શન’ માં ફેરવાઈ ગયો છે અને બુધવારે ભારે વાવાઝોડાની જેમ તમિળનાડુ અને પુડુચેરીના કાંઠે ત્રાટકવાની સંભાવના છે. છે. વાવાઝોડાને પગલે તમિળનાડુ અને પડોશી કેન્દ્રશાસિત પ્રદેશો પુડુચેરીનો વહીવટ એલર્ટ પર મૂકવામાં આવ્યો છે અને સરકાર દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાંથી લોકોને બહાર કાઢવા સહિતના સાવચેતી પગલા લેવામાં આવી રહ્યા છે.

હવામાન વિભાગે મંગળવારે જણાવ્યું હતું કે ‘નિર્વાણ’ બુધવારે ચેન્નઈથી 50 કિલોમીટર દૂર, રાજ્યના મમ્મલાપુરમ અને પુડુચેરીના કરૈકલ કાંઠેથી ભારે વાવાઝોડાની સાથે વાવાઝોડું વાળી શકે છે અને 100 થી 110 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. સ્પીડ, જે પ્રતિ કલાક 120 કિલોમીટર સુધી જઈ શકે છે. વિભાગે કહ્યું કે બુધવારે વાવાઝોડાની અસરને કારણે તમિલનાડુ, પુડુચેરી અને કારૈકલના મોટાભાગના ભાગોમાં વરસાદ પડી શકે છે. કેટલાક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે.

November 25, 2020
Ahmed_Patel_PTI.jpg
1min546

કોંગ્રેસના સિનિયર નેતા અને ગુજરાતના રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલનું ગુરુગ્રામની એક પ્રાઈવેટ હોસ્પિટલમાં અવસાન થયું છે. 71 વર્ષીય અહેમદ પટેલને એક મહિના પહેલા કોરોનાનો ચેપ લાગ્યો હતો, અને ત્યારથી તેમની સ્થિતિ સતત વણસી રહી હતી. એક પછી એક ઓર્ગન ફેલ્યોર થવા માંડતા આખરે તા.25મી નવેમ્બર 2020ના રોજ બુધવારે સવારે 3.30 કલાકે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

અહેમદ પટેલ એવા લોકનેતા હતા, જેઓ સૌના મિત્ર હતા. અજાતશત્રુ હોય એવા બહુ જૂજ રાજનેતાઓ ભારતમાં થયા છે જે યાદીમાં અહેમદ પટેલ સ્થાન પામી શક્યા છે. તેમણે તેમનું સમગ્ર જીવન કોંગ્રેસને સમર્પત કરી દીધું. કોંગ્રેસને બેઠી કરવા માટે તેમણે પોતાનું જીવન ધરી દીધું હતું.

અહેમદ પટેલ કોંગ્રેસના ખજાનચી પણ હતા, તેમજ સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર પણ. 1 ઓક્ટોબરના રોજ તેમને કોરોનાનો ચેપ લાગ્યો હતો, અને 15 નવેમ્બરે તેમને મેદાંતા હોસ્પિટલના આઈસીયુમાં એડમિટ કરાયા હતા.

પીએમ મોદીએ શ્રદ્ધાંજલિ પાઠવી

November 24, 2020
jaypatel.jpg
1min436
આઇ.ટી. કન્સલ્ટન્ટ જયકુમાર પટેલ, સુરત

ઇન્ફર્મેશન ટેક્નોલોજી ક્ષેત્રમાં દેશ વિદેશમાં પ્રોફેશનલ તરીકે કાર્ય કરી રહેલા સુરતના અડાજણ ખાતે રહેતા જયકુમાર પટેલ CiA Live ન્યુઝ વેબના સત્તાવાર મેનેજિંગ કન્સલ્ટન્ટ છે.

જયકુમાર પટેલ CiA Live ન્યુઝ વેબનું તમામ ડિજિટલ વર્ક, ડિઝાઇનિંગ, સ્ટ્રક્ચરિંગ વર્ક સંભાળી રહ્યા છે. CiA Live ન્યુઝ વેબ તેમને બેસ્ટ ફ્યુચર માટે શુભેચ્છાઓ પાઠવે છે.

CiA Live ન્યુઝ વેબ સાઇટના નિર્માણથી લઇને તેના મેઇન્ટેનન્સની સઘળી જવાબદારી હાલ તેઓ સુપેરે નિભાવી રહ્યા છે.

November 24, 2020
tulsi-vivah.jpeg
1min757

દેવઉઠી અગિયારસ એટલે કે આવતીકાલ બુધવારે શેરડીનો મંડપ સજાવીને તેમાં ભગવાન વિષ્ણુની પ્રતિમા સ્થાપિત કરી પૂજન કરવામાં આવશે. એકાદશીએ લગ્ન સહિત બધા માંગલિક કાર્યોની પણ શરૂઆત થઇ જશે.

हिन्दी पंचांग के अनुसार, कार्तिक मास के शुक्ल पक्ष की एकादशी तिथि को देवउठनी एकादशी होती है। इस साल कल 25 नवंबर को देवउठनी एकादशी व्रत रखा जाएगा इस दिन से भगवान विष्णु योग निद्रा से बाहर आते हैं और सृष्टि के पालनहार का दायित्व संभालते हैं। इस दिन भगवान विष्णु का शयनकाल समाप्त होता है। इस दिन व्रत का विशेष महत्व है।

આવતીકાલ તા.25મી નવેમ્બર 2020ને બુધવારે હિન્દુ પંચાંગ પ્રમાણે દેવઉઠી અગિયારસનો દિવસ આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણું નિંદરમાંથી ઉઠે છે અને આ જ દિવસે હિન્દુ સંસ્કૃતિમાં તુલસી વિવાહનો પણ ખૂબ મહિમા છે.

દેવ પ્રબોધિની એકાદશીએ તુલસી વિવાહ સાથે અક્ષય પુણ્ય મળે છે અને દરેક પ્રકારના પાપ દૂર થાય છે. દેવઉઠી અગિયારસ પર્વમાં વૈષ્ણવ મંદિરોમાં તુલસી-શાલિગ્રામ લગ્ન કરાવવામાં આવે છે. ધર્મગ્રંથોના જાણકાર પ્રમાણે આ પરંપરાથી સુખ અને સમૃદ્ધિ વધે છે.

જે ઘરમાં કન્યા ન હોય અને તેઓ કન્યાદાનનું પુણ્ય મેળવવા માંગતાં હોય તો તેઓ તુલસી વિવાદ કરીને પ્રાપ્ત કરી શકે છે. બ્રહ્મવૈવર્ત પુરાણ પ્રમાણે સવારે તુલસીના દર્શન કરવાથી અક્ષય પુણ્ય ફળ મળે છે. સાથે જ, આ દિવસે સૂર્યાસ્ત પહેલાં તુલસીનો છોડ દાન કરવાથી પણ મહા પુણ્ય મળે છે.

November 24, 2020
bitcoin_1.jpg
2min1026

cialive@yahoo.com

Image

આજે તા.24મી નવેમ્બર 2020ના રોજ ભારતીય સમય પ્રમાણે બપોરે સાડાત્રણ વાગ્યાના અરસામાં ઇન્ટરનેશનલ ડિજિટલ કરન્સી માર્કેટમાં બીટકોઇનનો ભાવ 19 હજાર યુએસ ડોલર્સ એટલે ભારતીય ચલણ અનુસાર 14 લાખ 5 હજાર 620 રૂપિયાની સપાટીને આંબી ગયો હતો. બીટકોઇનનો ભાવ 19 હજાર ડોલર્સની સપાટીએ ત્રણ વર્ષ બાદ પહોંચ્યો છે અને આ લખાઇ રહ્યું છે ત્યારે બપોરે 4 કલાકે એ 20 હજાર ડોલર્સ એટલે કે ઓલટાઇમ હાઇની નજીક પહોંચીને ટ્રેડ કરી રહ્યો હોવાનું જણાયું હતું.

નવેમ્બર 2020 ચાલુ મહિનામાં જ બીટકોઇન ક્રિપ્ટોકરન્સીના ભાવમાં 40 ટકાનો ઉછાળો થયો નોંધાયો છે. બીટકોઇનએ ક્રિપ્ટો કરન્સીના માર્કેટમાં ફરીથી સનસનાટી મચાવી છે. 19000 યુએસ ડોલર્સની સપાટી કૂદાવતા જ સમગ્ર વિશ્વના આંતર રાષ્ટ્રીય બજારોમાં ભારે વેચાવાલી જોવાઇ હતી આમ છતાં બીટકોઇનનો દર ગગડ્યો ન હતો.

Reuters Graphic

Bitcoin hit $19,000 on Tuesday for the first time in nearly three years, homing in on its all-time high of just under $20,000.

The world’s most popular cryptocurrency was last up 3.2% at $18,958. Bitcoin has gained nearly 40% in November alone and is up around 160% this year.

Fuelling its gains have been demand for risk-on assets amid unprecedented fiscal and monetary stimulus, hunger for assets perceived as resistant to inflation, and expectations that cryptocurrencies would win mainstream acceptance.

November 24, 2020
narendra_gandhi_CiAlive.jpg
1min784

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

સુરત શહેરમાં જેણે હજારો નહીં પણ લાખો મિત્રો બનાવ્યા હશે, સુરતવાસીઓ માટે જેણે જીવનમાં 100થી વધુ વખત રક્તદાન કર્યું હશે અને મિત્રોના કામો કરવા માટે જેણે હરહંમેશ પોતાનું કંઇકને કંઇક સમર્પિત કર્યું છે એવા યારો ના યાર તરીકે જાણીતા સ્વ. નરેન્દ્ર ગાંધીને તેમની જ પ્રિય પ્રવૃત્તિ રક્તદાન કરીને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરવા તેમના મિત્ર મંડળે એક રક્તદાન કેમ્પનું આયોજન કર્યું છે.

નરેન્દ્ર ગાંધી મિત્ર મંડળ દ્વારા સ્વ. નરેન્દ્ર ગાંધીના જન્મદિન નિમિત્તે તા.26 નવેમ્બર 2020ના રોજ ગુરુવારે સવારે 11થી સાંજે 7 વાગ્યા સુધી સંસ્કાભવન, દયાળજી આશ્રમ, મજૂરાગેટ ખાતે રક્તદાન શિબિરનું આયોજનક રવામાં આવ્યું છે.

રક્તદાન પ્રિય પ્રવૃતિ રહી

નરેન્દ્ર ગાંધી માટે રક્તદાન એ પ્રિયપ્રવૃતિ રહી. જીવનભર તેઓ રક્તદાન અંગેની પ્રવૃતિ સાથે સંકળાયેલા રહ્યા. તેમણે પોતે સોથી વધુ વખત રક્તદાન કર્યું છે. સુરત રક્તદાન કેન્દ્ર સાથે તેઓ જીવનની છેલ્લી ઘડી સુધી સંકળાયેલા રહ્યા. અને એટલે જ તેમના મિત્ર વર્તુળ દ્વારા તેમના જન્મદિવસે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

જૂના મિત્રો આજે પણ નન્નો તરીકે જ પ્રયોજે

નરેન્દ્ર ગાંધી માટે કહેવાય છે કે સુરત નહીં આખા ભારતમાં તેના મિત્રો હશે. જ્યાં પણ હરેફરે મિત્રો બનાવતા એને વાર ન લાગે.

નરેન્દ્ર ગાંધી સ્વભાવે નખશીખ સુરતી. પોતાને ફુલ ડાયાબિટીશ છતાં ખાણીપીણીની વાત આવે, પોતે એકાદ કોળીયો ખાય પણ મિત્ર કહે ચાલો નાસ્તો કરવો છે, બસ આટલું બોલતા જ વાર. નાસ્તાપાણી માટે 20-25 કિ.મી. દૂર જવાનું હોય તો સહેજેય આળસ નહીં. સવારના પહોરમાં કે મોડી રાત્રે મિત્ર માટે એ સદાયે સમય પહેલા પહોંચી જાય. આમ, તો મહેફિલનો માણસ એટલે મિત્રો વગર ચાલે નહીં.

નન્ના માં સહેજે નાનમ ન જોઇ

રૂઆબદાર અવાજ, સ્વભાવ, પર્સનાલિટીને કારણે નરેન્દ્ર ગાંધીને જીવનમાં ક્યારેય ડલ નથી જોયા. સુરતની મોટામાં મોટી બેંક, પીપલ્સ કો.ઓ. બેંકના ચેરમેન જેવા હોદ્દા પર હોવા છતાં સવારે એમ.ટી.બી.ના કટિંગ પણ બિન્દાસ મિત્રો સાથે મહેફિલ જમાવે, ઘણાં તેમને ટકોર પણ કરી કે મોભ્ભાદાર હોદ્દા પર છો ત્યારે નરેન્દ્ર ગાંધીએ બેધડક કહ્યું જેને જે સમજવું હોય તે સમજે, મને જ્યાં મજા આવે ત્યાં હું બેસીસ. લારી પર ખાવામાં ઘણાને લપાતા છુપાતા ખાતા જોયા હશે પણ નરેન્દ્ર ગાંધી વટકે સાથ દોસ્તો સાથે ઉભા રહી જતા, આ જ છે સુરતી સ્વભાવ.

શિક્ષણ, પાલિકા, સ્પોર્ટસ કોઇપણ ફિલ્ડનું કામ લઇને લોકો પહોંચી જાય નન્ના પાસે

નરેન્દ્ર ગાંધીએ સમાજસેવાનો ભેખ ધારણ કર્યો હતો. કોઇપણ ફિલ્ડનું કામ લઇને તેની પાસે લોકો પહોંચી જતા, ક્યારેય તેણે કોઇને કામ નહીં કરી આપવાનો તુકારો નથી કર્યો. હા.. બોલવામાં નહીં બોલવાનું બોલી પણ નાખે, પણ કામનું ફોલોઅપ કામ લઇને આવનારો ભલે ભૂલી જાય નરેન્દ્ર ગાંધી નહીં ભૂલે. કામ થશે કે નહીં થાય તેનો ક્લીયર કટ જવાબ આપે. આ રીતે હજારો નહીં પણ લાખો કામો કરતા લેખકે જોયા છે નરેન્દ્રભાઇને.

November 24, 2020
CIA_Live_Logo_New2.jpg
2min942

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

કોવિડ-19 પેન્ડેમિક પરિસ્થિતિમાં 2020માં જેઇઇ અને નીટ જેવી રાષ્ટ્રીય પ્રવેશ પરીક્ષાઓનું શિડ્યુલ ખોરવાયું હતું, એ જ પ્રકારે હવે 2021માં પણ આ પરીક્ષાઓના ટાઇમટેબલની સાઇકલ ખોરવાઇ ગઇ છે, આમ છતાં હાલમાં ધો.12 સાયન્સ મેથ્સ ગ્રુપમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે એલાર્મિંગ પરિસ્થિતિ આવીને ઉભી છે. આગામી ટૂંક સમયમાં જેઇઇ 2021ના ફર્સ્ટ એટેમ્પ્ટનું સમયપત્રક જાહેર કરવામાં આવશે.

આધારભૂત સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ જેઇઇ મેઇન 2021 જાન્યુઆરીમાં લેવાની થતી હતી. પરંતુ, વર્તમાન સ્થિતિને પગલે એન.ટી.એ. અને કેન્દ્ર સરકારે આ પરીક્ષા ફેબ્રુઆરી 2021ના અંતમાં લેવા અંગે વિચારણા લગભગ પૂર્ણ કરી દીધી છે. ફેબ્રુઆરીના આખરી સપ્તાહમાં સંભવિત યોજાનારી જેઇઇ મેઇન્સ 2021 પરીક્ષા માટેના રજિસ્ટ્રેશન આગામી ડિસેમ્બર 2020માં ઓનલાઇન શરૂ થશે. બીજી તરફ હજુ હાલમાં એન્જિનિયરિંગ ઇન્સ્ટીટ્યુટ્સમાં 2020ની પ્રવેશ કામગીરી ચાલી રહી છે, આવી સ્થિતિમાં જાન્યુઆરી 2021માં જેઇઇ મેઇન લઇ શકાય તેવી શક્યતાઓ નથી.

વધુમાં ગત ઓક્ટોબર 2020માં નિયત કરાયા મુજબ જેઇઇ મેઇન જે હાલમાં ઇંગ્લિશ, હિન્દી, ગુજરાતી ભાષામાં લેવાઇ રહી છે એ વધુ પ્રાદેશિક ભાષામાં લેવામાં આવશે. આ અંગે પણ અંતિમ નિર્ણય ટૂંક સમયમાં લેવામાં આવશે.

JEE Main 2021: Updates, Application, Dates, Eligibility, Syllabus & Result

The first cycle of the Joint Entrance Examination (JEE-Main) 2021 will be conducted in the last week of February instead of January. The application process however will commence from December 2020.

JEE-Main, which is the national level competitive test for admission to various undergraduate engineering and architecture courses, including the eligibility test for the JEE (Advanced) for admission to IITs is conducted twice a year – January and April.

હાલમાં ધો.12 સાયન્સમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓના વાલીઓ માટે મહત્વની માહિતી આપતું પુસ્તક

Contact for Counselling

November 23, 2020
mbbs.jpg
1min591

Jayesh Brahmbhatt 98253 44944

ગુજરાતની મેડીકલ અને ડેન્ટલ કોલેજોના પહેલા વર્ષમાં પ્રવેશ માટે મોક રાઉન્ડનું રિઝલ્ટ બહાર પડ્યા પછી અનેક પ્રવેશાર્થી પરિવારોમાં ભારે હતાશા છવાઇ ગઇ છે કેમકે નીટ કટઓફ માર્કસ 2020માં ગત વર્ષ 2019 કરતા 40થી 63 માર્કસ ઉંચા ગયા છે. એનો મતલબ ગયા વર્ષ કરતા અત્યંત ઉંચા મેરીટ કટઓફને કારણે અનેક વિદ્યાર્થીઓ પ્રવેશ વંચિત તો રહેશે પરંતુ, તેજસ્વી વિદ્યાર્થીઓએ પણ સરકારી મેડીકલ કોલેજમાં સસ્તામાં મેડીકલ ભણવાની તક ગુમાવવી પડશે અને સેલ્ફ ફાઇનાન્સ કોલેજોની મોંઘીદાટ ફીમાં અભ્યાસ કરવો પડશે.

નીચેના કોષ્ટક પરથી પરિસ્થિતિ પામી શકાશે કે ગુજરાતની સરકારી મેડીકલ કોલેજોમાં પ્રવેશ કેટલા ઉંચા ગયા છે. જેમકે અમદાવાદની બીજે મેડીકલ કોલેજ કે જે ગુજરાતની નંબર વન મેડીકલ કોલેજ ગણાય છે, જ્યાં પહેલું એડમિશન ક્લોઝ થાય છે એ બીજે મેડીકલ કોલેજમાં 2019માં ઓપન કેટેગરીનું કટઓફ 610 નીટ માર્કસ હતું જે આ વખતે 2020માં મોક રાઉન્ડમાં વધીને 650 થયું છે. એવી જ રીતે સુરત મેડીકલ કોલેજમાં 2019માં નીટ માર્કસનું કટઓફ 557 હતું જે વધીને 609 થયું છે.

સરકારી મેડીકલ કોલેજોમાં ઓપન કેટગરીના કટઓફની ડિટેઇલ

ઉપરોક્ત ડેટા ઓપન કેટેગરીના વિદ્યાર્થીઓના કટઓફ માર્કનો છે. આ જ પ્રકારે ઓપન ઇડબલ્યુએસ, એસ.સી., એસ.ટી., ઓબીસી વગેરે કેટેગરીમાં પણ નીટ માર્કસના કટઓફ 2019 કરતા ઉંચા ગયા છે પરીણામે ઓછા માર્કસ ધરાવતા વિદ્યાર્થીઓમાં હતાશાનું મોજુ ફરી વળ્યું છે.

2020માં ગુજરાતમાં મેડીકલ બેઠકોની સંખ્યા વધીને 5508 થઇ

November 23, 2020
bjp_logo.png
1min485

કોરોનાની મહામારી વચ્ચે પણ ભાજપના નેતાઓ રેલી અને અન્ય કાર્યક્રમોનું આયોજન કરી રહ્યાં છે. સુરતમાં પણ આત્મારામ પરમારે કરંજ ખાતે રેલી યોજી હતી જેમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા હતાં.

ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે ભાજપના નેતાઓને તમામ જાહેર કાર્યક્રમો મોકૂફ રાખવાનો આદેશ આપ્યો છે. જાહેર કાર્યક્રમોમાં કોરોના ગાઈડલાઈનનો ભંગ થતો હોવાને કારણે ભાજપ પ્રદેશ અધ્યક્ષે આ નિર્ણય લીધો છે. હાલ આ સૂચના પછી હવે જ્યાં સુધી કોઈ નવી સૂચના નહીં મળે ત્યાં સુધી કોઈપણ કાર્યક્રમ યોજવામાં નહીં આવે.