Alert Archives - Page 196 of 511 - CIA Live

December 30, 2020
farmersprotest.jpg
1min447

નવા કૃષિ કાયદાના વિરોધમાં છેલ્લા 34 દિવસથી ચાલી રહેલા ખેડૂત આંદોલનનો કોઈ ઉકેલ આવતો દેખાતો નથી. 40 ખેડૂત સંગઠનો આંદોલનમાં સામેલ છે અને તા.30ને બુધવારે કેન્દ્ર સરકાર સાથે 7મા તબક્કાની પ્રસ્તાવિત વાતચીત પહેલા કિસાન મજદૂર સંઘર્ષ સમિતિએ વાતચીતનો ઈન્કાર કરી નવા વર્ષમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવા એલાન કર્યું છે.

સરકારે બેઠક માટે કોઈ નક્કર એજન્ડા રજૂ કર્યો નથી અને ખેડૂતો વિરુદ્ધ દુષ્પ્રચાર કરે છે. સરકાર માત્ર કાયદામાં સંશોધન ઈચ્છે છે જ્યારે ખેડૂતોની માગ નવા કાયદા રદ્દ કરવાની અને એમએસપી અંગે કાયદાકીય ગેરેન્ટી આપવાની છે.

Farmers' Protest Live Updates: There Is No Democracy In India, Says Rahul  Gandhi

અન્યોએ સરકાર સાથે વાતચીતનો પ્રસ્તાવ સ્વીકારી કાયદા રદ્દ કરવા અને એમએસપી અંગે પોતાની માગનો પુનરોચ્ચાર કર્યો હતો. કિસાન મજદૂર સંઘર્ષ સમિતિએ કહ્યું કે તે બુધવારની બેઠકમાં સામેલ નહીં થાય. સરકાર પાસે કોઈ નક્કર એજન્ડા નથી. સમિતિના પંજાબ પ્રદેશ અધ્યક્ષ સતનામ સિંહ, રાજ્ય સચિવ સરવનસિંહ પંઢેર અને સવિંદરસિંહ ચૌટાલાએ કહ્યું કે નીતિ આયોગનું નિવેદન, વડાપ્રધાન અને અન્ય મંત્રીઓનાં ભાષણ માત્ર નવા કૃષિ કાયદાના અમલીકરણનો બચાવ કરે છે.

ખેડૂત સંગઠનો સાથેની પ્રસ્તાવિત વાતચીત પહેલા કૃષિ મંત્રી તોમરે આપેલું નિવેદન ચર્ચાસ્પદ બન્યું છે. તેમણે કહ્યું કે વડાપ્રધાન પર કોઈ દબાણ કામ નહીં કરે. અગાઉની યુપીએ સરકારનાં શાસનમાં મનમોહન અને શરદ પવાર ઈચ્છતા હતા કે કૃષિ કાયદા બને પરંતુ દબાણ અને પ્રભાવનો સામનો કરી શક્યા નહીં. ખેડૂત નેતા રાકેશ ટિકેતે આંદોલન ઉગ્ર બનાવવાના એલાન સાથે વિપક્ષ પર નિશાનો સાધ્યો છે તેમણે કહ્યું કે ક્રાંતિ હવે ચિન્ગારી બનશે. સરકારે ખેડૂતોની વાત માની લેવી જોઈએ. દેશમાં વિપક્ષ મજબૂત નથી નહીં તો અમારે રસ્તા ઉપર ઉતરવાની જરૂર પડત નહીં.

December 29, 2020
smc.jpg
1min469

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર બ્રિગ્રેડ વિભાગે રાત્રે કાર્યવાહી હાથ ધરી સપાટો બોલાવી દીધો છે. ફાયર સેફ્ટી વિનાની કોમર્શિયીલ બિલ્ડીંગ્સ સામે પગલાં ભરતાં એક હજારથી વઘારે દુકાનોને સીલ કરીને દુકાનદારોને નોટીસ પાઠવવામાં આવી છે. ફાયર સેફ્ટીના પુરતા સાધનો અને સર્ટીફિકેટ લીધા બાદ જ દુકાનોના સીલ ખોલવા માટે આદેશ અપાયો છે. 

જે દુકાનોને સીલ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, તેમાં અંબાજી માર્કેટમાં  650 દુકાનો, ન્યૂ અંબાજી માર્કેટમાં 80 દુકાનો, મધુસુદન હાઉસમાં 100 દુકાનો, શંકર માર્કટમમાં 110 દુકાનો, મનીષ માર્કેટમાં 200 દુકાનો, ભેસ્તાનમાં આવેલા પેરિસ પ્લાઝા કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં 54 દુકાનો અને ડ્રીમ હોન્ડાના શો રુમનો સમાવેશ થાય છે

December 29, 2020
corona_ppe.jpg
1min409

કોરોના વાયરસનો નવો સ્ટ્રેન હવે ભારતમાં પ્રવેશ્યો હોવાની પુષ્ટિ થઈ છે. બ્રિટનથી પરત ફરેલા લોકો પૈકી છ મુસાફરો સંક્રમિત મળ્યા છે જેમાં કોરોનાનો નવો મ્યુટન્ટ મળી આવ્યો છે. આ તમામ લોકોને સિંગલ આઈસોલેશન રૂમમાં રાખવામાં આવ્યા છે. આ તમામના સંપર્કમાં આવેલા તમામ લોકોને ક્વોરન્ટાઈનમાં રાખવામાં આવ્યા હોવાનું કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે.

25 નવેમ્બરથી 23 ડિસેમ્બર વચ્ચે કુલ 33,000 પ્રવાસીઓ યુકેથી ભારતના અલગ-અલગ એરપોર્ટ પર ઉતર્યા હતા. જે પૈકી અત્યાર સુધી 114 લોકો કોરોના સંક્રમિત મળ્યા છે. આ તામના સેમ્પલને જ્યારે જિનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યા તો છ લોકોમાં નવો સ્ટ્રેન મળ્યો છે.

December 29, 2020
bumrah.jpg
1min456

ઓસ્ટ્રેલિયા પ્રવાસે ગયેલી ભારતીય ટીમે મેલબર્નમાં બીજી ટેસ્ટ મેચમાં 8 વિકેટે વિજય પ્રાપ્ત કરી લીધો છે. આ જીત સાથે જ ચાર ટેસ્ટ મેચની સીરિઝમાં ભારતે 1-1ની બરાબરી કરી લીધી છે. કેપ્ટન અજિંક્યા રહાણેની સદીની મદદથી ભારતીય ટીમે શરૂઆતથી જ ટેસ્ટ પર પકડ મેળવી લીધી હતી. ઓસ્ટ્રેલિયાએ આપેલા 70 રનના લક્ષ્યાંકને ભારતે બે વિકેટ ગુમાવીને પાર કરી લીધો હતો. મયંગ અગ્રવાલ અને ચેતેશ્વર પુજારા આઉટ થયા હતા. ઓસ્ટ્રેલિયાને પ્રથમ ઈનિંગમાં 195 રનમાં ઓલઆઉટ કરી દીધા બાદ ભારતીય ટીમે સારી રમત દાખવી હતી. કેપ્ટન અજિંક્યા રહાણેએની સદી (112)નીમદદથી ભારતે પ્રથમ ઈનિંગમાં 326 રન કર્યા હતા. ત્યારબાદ ઓસ્ટ્રેલિયાની બીજી ઈનિંગ 200 રનમાં સમેટાઈ ગઈ હતી. મોહમ્મદ સિરાજે 3 વિકેટ ઝડપી હતી જ્યારે આર અશ્વિન, જાડેજા અને બુમરાહે 2-2 વિકેટે ઝડપી હતી.

ઓસ્ટ્રેલિયા સામે બીજી ટેસ્ટ જીતવા ભારતને ચોથા દિવસે 70 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. ભારતે બીજી ઈનિંગમાં મયંક અગ્રવાલ (5) અને ચેતેશ્વર પુજારા (3)ની વિકેટ ગુમાવીને આ લક્ષ્યાંક પ્રાપ્ત કરી લીધો હતો. શુભમન ગીલ 35 રને તેમજ કેપ્ટન અજિંક્યા રહાણે 27 રને અણનમ રહ્યા હતા.

1978 પછી ઓસ્ટ્રેલિયાના સ્થાનિક મેદાન પર 80થી વધારે ઓવર રમીને આ અત્યારસુધીની સૌથી ધીમી ઈનિંગ રહી છે. બીજી ઈનિંગમાં ઓસ્ટ્રેલિયા માટે કેમરુન ગ્રીને 146 બોલમાં સૌથી વધુ 45 અને ઓપનર મેથ્યુ વેડે 137 બોલમાં 40 રન કર્યા.પ્રથમ અને બીજી ઈનિંગમાં મળીને જસપ્રિત બુમરાહે 6 વિકેટ ઝડપી છે. રહાણેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

કેપ્ટન રહાણેએ મેચ પછી વાતચીત કરતા જણાવ્યું હતું કે રોહિત શર્મા ત્રીજી અને ચોથી ટેસ્ટમાં ભારતીય ટીમનો હિસ્સો રહેશે. રહાણેએ જણાવ્યું હતું કે તેણે રોહિત સાથે વાતચીત કરી છે અને હવે તે આગામી બે ટેસ્ટમાં ટીમનો હિસ્સો રહેશે.

December 28, 2020
car.png
1min423

કેન્દ્રના પરિવહન મંત્રાલયે કોરોનાના રોગચાળાને ધ્યાનમાં રાખીને ડ્રાઇવિંગ લાઇસન્સ (ડીએલ), રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ (આરસી) અને પરમિટ જેવા વાહનોના દસ્તાવેજો માટેની મુદત ૩૧ માર્ચ સુધી વધારી હોવાની જાહેરાત રવિવારે કરી હતી. માર્ગ પરિવહન અને ટ્રાન્સપોર્ટ (એમઓઆરટીએચ) મંત્રાલયે અગાઉ ૩૦ માર્ચ ૨૦૨૦, ૯ જૂન ૨૦૨૦ અને ૨૪ ઑગસ્ટ ૨૦૨૦ના દિવસે વાહનોના દસ્તાવેજોની મુદત વધારવા મામલે જાહેરાત કરી હતી.

મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે કોરોનાના રોગચાળાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે ડીએલ, આરસી, પરમિટ વગેરે વાહનોના દસ્તાવેજોની મુદત ૩૧મી માર્ચ ૨૦૨૧ સુધી વધારવાનો નિર્ણય લીધો છે. આ વિશે મંત્રાલયે રવિવારે બધાં જ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સૂચના મોકલાવી છે.

અગાઉ વિવિધ માધ્યમો દ્વારા ફિટનેસ, પરમિટ સહિતના વાહનોના દસ્તાવેજોની મુદત ૩૧મી ડિસેમ્બર ૨૦૨૦ સુધી ગણવાની માર્ગદર્શિકા જાહેર કરાઇ હતી.

માર્ગદર્શિકામાં જણાવાયું હતું કે નાગરિકો સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવીને વાહન સંબંધી સેવાઓનો લાભ મેળવી શકે એ માટે સંબંધિત પ્રશાસને આ બાબતની નોંધ લેવી તથા આવા કપરા સમયમાં કામ કરી રહેલા ટ્રાંસપોર્ટરો હેરાન ન થાય.

December 26, 2020
CIA_Live_Logo_New2.jpg
1min686

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

રેરા કાયદાને કારણે જમીન, મકાન સાથે સંકળાયેલા ગ્રાહકોથી લઇને બિલ્ડર્સ સુધીના લોકોને એક યા બીજા કારણોસર ફાયદો થયો છે પણ રિયલ એસ્ટેટ ધંધા સાથે સંકળાયેલા બ્રોકર્સ (દલાલો) મુશ્કેલીમાં મૂકાયા છે. રેરામાં એવી જોગવાઇ કરવામાં આવી છે કે રિયલ એસ્ટેટ બ્રોકર જે રાજ્યમાં કામ કરે એ રાજ્યમાં રેરા અન્વયે તેનું રજિસ્ટ્રેશન કરાવેલું હોવું ફરજિયાત છે, એ સિવાય એ કામગીરી કરી શકે નહીં. રેરામાં રિયલ એસ્ટેટ બ્રોકર્સ સામેની આ અન્યાયી જોગવાઇ દૂર કરાવવા માટે સુરત ખાતેથી રાજ્ય અને કેન્દ્ર સરકારમાં રજૂઆતોનો દૌર ચલાવવામાં આવશે.

સુરતમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રના બ્રોકર્સ અગ્રણી અજિતભાઇ શાહ અને હેમલભાઇ ભટ્ટે સી.આઇ.એ. લાઇવ ન્યુઝ વેબ સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે વ્યવસાયે તબીબ હોય કે પછી ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ એક તેમનું એક જ વખત રજિસ્ટ્રેશન થાય છે અને તેઓ આખા દેશમાં કોઇપમ સ્થળે પોતાનું કામકાજ કરી શકે તેમ છે. પરંતુ, રિયલ એસ્ટેટ બ્રોકર્સે જો જુદા જુદા રાજ્યોમાં કામ કરવું હોય તો તેમને દરેક રાજ્યે રાજ્યે રેરા કાયદા અન્વયે રજિસ્ટ્રેશન કરાવવું પડે છે. મહત્વની વાત છે કે રજિસ્ટ્રેશનનો ચાર્જ દરેક રાજ્યમાં અલગ અલગ છે, બ્રોકર્સ માટે આ અન્યાયી જોગવાઇ છે જેને દૂર કરીને રેરા અન્વયે ફક્ત એક વખતનું રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ બ્રોકર્સ આખા દેશમાં ગમે ત્યાં કામ કરી શકે તેવી જોગવાઇ કરવા માટે રજૂઆતો કરવામાં આવશે.

આજે સુરતના બ્રોકર્સ અગ્રણીઓએ સર્ધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ શ્રી દિનેશભાઇ નાવડીયાને મળીને ચેમ્બર તરફથી પણ આ અંગે સરકારમાં રજૂઆત કરવામાં આવે તેવી માગણી કરી હતી.

December 26, 2020
arya-1.jpg
1min1055

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

માત્ર સિનિયર હોય તેવા અથવા તો લાગવગીયા હોય તેવા અથવા તો મોટા નેતાના મળતીયાઓને જ પોલિટીક્સમાં ખાસ કરીને સત્તામાં હોદ્દા મળતા હોય છે. પરંતુ, કેરળમાં આ ચેઇન તૂટી છે. પોલિટીક્સમાં ખાસ કરીને સત્તાની ભાગબટાઇમાં પરંપરાગત ટ્રેન્ડથી વિપરીત 21 વર્ષિય યુવતિ આર્યા રાજેન્દ્રને મેયર બનાવવાનો નિર્ણય લેવાયો છે. બિનઅનુભવી હોય તો શું થઇ ગયું પરંતુ, એ યુવતિ પોતાની અલગ વિચારધારાથી કેરળના થિરુવનંતપૂરમ શહેરનું નેતૃત્વ તો કરશે જ પરંતુ સાથોસાથ એ પોતાનો અભ્યાસ પણ શરૂ રાખશે. અત્યાર સુધી વિદેશમાંથી આવા સમાચારો મળી રહ્યા હતા. ભારતમાંથી આ સમાચાર મળવા એ ન્યુ ઇન્ડિયાના નિર્માણના સંકેત મળી રહ્યા છે.

ભારતીય પોલિટીક્સમાં યંગસ્ટર્સની સક્રિયતા ખૂબ જરૂરી

તાજેતરમાં કેરળ રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતગણતરી યોજાઇ હતી. જેમાં કેરળના મહત્વપૂર્ણ શહેર ગણાતા થિરુવનંતપૂરમ્ ખાતે ક્રાંતિકારી નિર્ણય લઇને સૌથી યંગેસ્ટ કાઉન્સિલર એક યુવતિ નામે આર્યા પર મેયર પદનો કળશ ઢોળવામાં આવ્યો છે.

આર્યા રાજેન્દ્ર CPI(M) પાર્ટીની સીટ પરથી થિરુવનંતપૂરમ્ ના ચાલા વિસ્તારના એક્ટીવ મેમ્બર હતા અને તેથી તેને થિરુવનંતપૂરમ્ ના મુદ્રાંનમંગલ વિસ્તારની બેઠક પર પાર્ટીના ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા. તેમણે કાઉન્સિલરની ચૂંટણીમાં વિજય મેળવ્યો છે. આર્યા રાજેન્દ્ર બી.એસસી. મેથેમેટિક્સનો અભ્યાસ સફળતાપૂર્વક પાસ કરી ચૂક્યા છે.

આર્યા દેશના સૌથી યુવાન મેયર બન્યા છે, અને આ સાથે પાર્ટી વઘારે ભણેલી ગણેલી મહિલાઓ આગળ આવે અને લીડર બને તેવી ઈચ્છા વ્યક્ત કરાઈ છે.

આર્યા રાજેન્દ્રને મીડિયા સાથે કરેલી વાતચીતમાં જણાવ્યું કે, “આ પાર્ટીનો નિર્ણય છે અને મારે તેનું પાલન કરવાનું છે. ચૂંટણી દરમિયાન લોકોએ મારા પર પસંદગી ઉતારી છે, હું એક વિદ્યાર્થિની છું ત્યારે લોકોએ મારા ભણતરને પણ ધ્યાનમાં રાખ્યું છે, અને તેમનો નેતા ભણેલો હોય તે વિચારીને મારી પસંદગી કરી છે. હું મારું ભણતર ચાલુ રાખીશ અને તેની સાથે મેયર તરીકે મારી ફરજ પણ નિભાવીશ”

December 26, 2020
coronavaccine-1280x720.jpeg
2min534

વિશ્વમાં કોરોના વાયરસના સતત વધી રહેલા પ્રકોપના કારણે અત્યારસુધીમાં 17.41 લાખથી વધારે લોકોના મૃત્યુ થઈ ચુક્યા છે. બીજી તરફ કોરોનાને રોકવા માટે સતત કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં હવે કોરોનાના અંતની શરૂઆત થઈ ચૂકી હોય તેવા સંકેત મળી રહ્યા છે અને દુનિયાના 11 દેશોમાં કોરોના વાયરસ સામેનું રસીકરણ શરૂ કરી દેવામાં આવ્યું છે. રસીકરણમાં અમેરિકા-જર્મનીની કંપની ફાઈઝર-બાયોએનટેકની બનાવેલી રસીનો સોથી વધારે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

FILE PHOTO: Vials with a sticker reading, “COVID-19 / Coronavirus vaccine / Injection only” and a medical syringe are seen in front of a displayed Pfizer logo in this illustration taken October 31, 2020. REUTERS/Dado Ruvic/Illustration/File Photo

ચીન :

છ કંપનીઓની પ્રયોગિક રસી ઘણા રાજ્યોમાં મોટાભાગના લોકોને મળી ચૂકી છે. પહેલા તબક્કામાં 15 જાન્યુઆરી સુધીમાં 2.5 કરોડ લોકોને વેક્સિન આપવામાં આવશે.

રશિયા :

રશિયાના રાષ્ટ્રપતિ પુતિને ડિસેમ્બરની શરૂઆતે રસીકરણ અભિયાન શરૂ કરવાનું એલાન કર્યું હતું. હવે રશિયામાં ડોક્ટરો, શિક્ષકો અને સોશિયલ વર્કરોને રસી આપવામાં આવી રહી છે.

બ્રિટન :

રસીકરણ શરૂ કરનારો પહેલો યુરોપિયન દેશ બન્યો છે. સાત ડિસેમ્બરે વેક્સિનના ઉપયોગની શરૂઆત કરવામાં આવી હતી અને અત્યારસુધીમાં 6 લાખ લોકોને ફાઈઝરની રસી અપાઈ છે.

કેનેડા :

અહિંયા પણ 14 ડિસેમ્બરે ફાઈઝરની કોરોના રસી આપવાની શરૂઆત થઈ હતી. કેનેડાએ પોતાની વસ્તીથી પાંચ ગણી વધારે રસીની અગાઉથી ખરીદી કરી લીધી છે.

અમેરિકા :

14 ડિસેમ્બરના ફાઈઝર-બાયોએનટેકની કોરોના રસીના ઉપયોગની શરૂઆત થઈ હતી. પછી મોર્ડનાની રસીના ઈમર્જન્સી ઉપયોગની મંજૂરી મળી હતી.

ઈઝરાયલ :

અહિંયા 20 ડિસેમ્બરના તત્કાલીન વડાપ્રધાન નેતન્યાહુ, સ્વાસ્થ્ય કર્મચારીઓ અને સૈનિકોને રસી આપવામાં આવી હતી.

સ્વિત્ઝરલેન્ડ :

ફાઈઝર-બાયોએનટેકની રસીના રસીકરણની 22 ડિસેમ્બરથી શરૂઆત થઈ હતી. પહેલા તબક્કામાં સ્વાસ્થ્ય અને ઈમર્જન્સી સ્ટાફ સાથે 75 વર્ષથી વધુ ઉંમરના લોકોને રસી અપાઈ રહી છે.

બહેરીન :

અરબ જગતમાં રસીકરણ શરૂ કરનારો પહેલો દેશ બન્યો છે. 23 ડિસેમ્બરથી રસીકરણ શરૂ થયું હતું. બેહરીનમાં’ ફાઈઝર-બાયોએનટેકની રસી મફત અપાઈ રહી છે.

ત્રણ લેટિન અમેરિકન દેશ :

મેક્સિકો, ચિલી અને કોસ્ટારિકામાં રસીકરણની શરૂઆત થઈ ચૂકી છે.

3 દેશ ટૂંક સમયમાં શરૂ કરશે :

આર્જેન્ટિનામાં સ્પૂતનિક-વી રસીના ત્રણ લાખ ડોઝ પહોંચી ચુક્યા છે. જ્યારે આર્યલેન્ડમાં 26 ડિસેમ્બરના ડોઝ પહોંચી જશે. આ ઉપરાંત મોરોક્કોમાં સિનાફોર્મ, ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકાના ડોઝ પહોંચી ચુક્યા છે.

December 26, 2020
hotair_mp.jpg
1min544

મધ્ય પ્રદેશના બાંધવગઢ ટાઇગર રિઝર્વમાં ભારતમાં પહેલી વખત હૉટ ઍર બલૂન વાઇલ્ડ લાઇફ સફારીની શરૂઆત કરાઇ હોવાની માહિતી મધ્ય પ્રદેશના જંગલ ખાતાના પ્રધાન વિજય શાહે આપી હતી.

India's 1st tiger reserve hot air balloon safari in MP

શાહે જણાવ્યું હતું કે આ સફારી ફક્ત બફર ઝોન સુધીની જ હશે અને લોકો વાઘ, ચિત્તા, ભારતીય રિંછ અને અન્ય જંગલી જાનવરોને ઊંચાઇથી જોઇ શકશે.

એમણે પત્રકારોને જણાવ્યું હતું કે આ સાથે બાંધવગઢ ટાઇગર અભયારણ્યમાં આવનાર પર્યટકો માટે વધુ એક ઍડવેન્ચર પ્રવૃત્તિનો ઉમેરો થયો છે. આ પ્રકારની સુવિધા દેશના અન્ય કોઇપણ અભયારણ્યમાં નથી. હવે આફ્રિકાના જંગલોની જેમ પર્યટકો ભારતમાં પણ હૉટ ઍર બલૂન સફારીનો આનંદ માણી શકશે.

રાજ્ય સરકાર આ પ્રકારની સેવા પેન્ચ, કાનહા અને પન્ના ટાઇગર રિઝર્વમાં પણ શરૂ કરવાની યોજના ઘડી રહી છે.

December 24, 2020
Mumbai_Delhi_Rajdhani_Express.jpg
1min621

મુંબઇ-દિલ્હીના રૂટ પર દોડતી રાજધાની એક્સપ્રેસ ૩૦મી ડિસેમ્બર, ગુરુવારથી ફરી ચાલુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું મધ્ય રેલવેએ બુધવારે જણાવ્યું હતું.

કોરોના વાઇરસના ચેપને કારણે માર્ચ મહિનાના અંતમાં આ ટ્રેનસેવાને મોકૂફ રાખવામાં આવી હતી. રાજધાની એક્સપ્રેસ (૦૧૨૨૧)ને સીએસએમટીથી સાંજે ૪.૧૦ વાગ્યે દિલ્હી જવા રવાના થશે અને બીજા દિવસે સવારે ૧૧ વાગ્યે હજરત નિઝામુદ્દીન સ્ટેશને પહોંચશે. આ ટ્રેન આ ટ્રેનને અઠવાડિયાના ચાર દિવસ એટલે કે સોમવાર, બુધવાર, શુક્રવાર અને શનિવારે દોડાવવામાં આવશે. તેવી જ રીતે આ ટ્રેન (૦૧૨૨૨) દિલ્હીના હજરત નિઝામુદ્દીન સ્ટેશનથી સાંજે ૪.૫૫ વાગ્યે મુંબઇ જવા રવાના થશે અને બીજા દિવસે સવારે ૧૧.૫૦ વાગ્યે સીએસએમટી પહોંચશે. ૧૯ ડબ્બાની આ ટ્રેનમાં એક એસી ફર્સ્ટ ક્લાસ, પાંચ બે ટાયર એસી, ૧૧ ત્રણ ટાયર એસી અને એક પૅન્ટ્રી કોચનો સમાવેશ કરવામાં આવ્યો છે. રાજધાની એકસપ્રેસ કલ્યાણ, નાશિક, જલગાંવ, ભોપાલ, ઝાંસી અને આગ્રા સ્ટેશન પર હૉલ્ટ લેશે. મુંબઇથી રવાના થનારી આ ટ્રેન માટેનું બુકિંગ ૨૫ ડિસેમ્બરથી શરૂ થશે. જે પ્રવાસીની ટિકિટ ક્ધફર્મ થશે તેમને જ આ ટ્રેનમાં પ્રવાસ કરવાની મંજૂરી અપાશે, એવું મધ્ય રેલવેએ જણાવ્યું હતું.