

ભારત જ નહીં વિશ્વભરમાં દરેક ઘરમાં માબાપને એક જ ફરીયાદ હોય છે કે ભણતા સંતાનો ગેડ્જેટ્સમાં કલાકો વેડફી નાંખે છે. મોબાઇલ, ટેબ્લેટ, આઇપોડ વગેરેને કારણે કુછંદે પણ ચઢી જતા હોય છે. ભાગ્યે જ કોઇ સંતાન રચનાત્મક કાર્ય કરીને નાની ઉંમરમાં મોટું કામ કરે છે. અમદાવાદની એક કિશોરીએ આવું જ રચનાત્મક કામ કરીને સમગ્ર વિશ્વનું ધ્યાન પોતાના તરફ કેન્દ્રીત કર્યું છે.
અમદાવાદમાં રહેતી ૧૨ વર્ષની ઈશા મજીઠિયાએ રામાયણના સુંદરકાંડ પર આધારિત ૩૫ ચિત્રોની એક શ્રેણી તૈયાર કરીને ઇન્ડિયા બુક ઑફ રેકૉર્ડ્સમાં સ્થાન મેળવ્યું છે.
સુંદરકાંડના પાંચમા અધ્યાયમાં ૩૫ તસવીરોની મદદથી સુંદરકાંડની ચોપાઈઓ દર્શાવવામાં આવી છે. આ ચિત્રોમાં કાગળ પર ઍક્રેલિક, ક્રેયોન અને ચારકોલ દ્વારા ચિત્રણ થયું છે. તસવીરોના માધ્યમથી કોઈ શાસ્રનું નિરુપણ થાય એવી પહેલવહેલી ચિત્રકારી આ છે. ઈશા જ્યારે માત્ર ૬ વર્ષની હતી ત્યારથી તેણે આ વિષય પર કામ શરૂ કરેલું.

આ ચિત્રોની શ્રેણીનું અમદાવાદમાં પ્રદર્શન પણ થયેલું અને એ વખથે એક પુસ્તક પણ પ્રકાશિત થયું હતું. ઈશાની મમ્મી પ્રિયાનું કહેવું છે કે બાળકો આપણા પ્રાચીન અને પવિત્ર ગંથોના પ્રચાર અને સંરક્ષણમાં જોડાય એ આ પુસ્તક અને ચિત્રો બનાવવાનો ઉદ્દેશ છે. પુસ્તકમાં સુંદરકાંડના મૂળ પાઠનો ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીમાં અનુવાદ પણ કરવામાં આવ્યો છે. આ કામ માટે તાજેતરમાં ઈશાનું નામ ઇન્ડિયા બુક ઑફ રેકૉર્ડ્સમાં નોંધવામાં આવ્યું છે.


અમદાવાદની ઈશા મજીઠિયાએ ચિત્રો થકી સુંદરકાંડ સાર્થક કર્યું
વડતાલે ફૂલવાડી હીંડોળો આંબાની ડાળ, વા’લો મારો હીંચે હીંડોળો આંબાની ડાળ.”
❏ વડતાલનો ભવ્ય હીંડોળા મહોત્સવ ❏ હીંડોળા મહોત્સવ એટલે આપણી કલ્પનાકૃતિઓને સથવારે શ્રી હરિને સાધવાનો અનોખો ભક્તિયોગ !! ૩૭ દિવસના આ અનુપમ પર્વમાં પ્રેમાનંદની અનુભૂતિનો નર્યો અહેસાસ..!
વડતાલધામ કે જ્યાં સાક્ષાત્ સ્વરૂપે શ્રી હરિ બિરાજે તે પાવન તીરથનો મહિમા કંઇ નાનો સૂનો નથી. આપણા નંદ સંતો જેમને શ્રી હરિની ઐશ્વર્યશક્તિની પ્રત્યક્ષ અનુભૂતિ થઇ હતી ને એ હકીકત તેમણે સ્વરચિત સાહિત્ય: ગદ્ય પદ્ય દ્વારા આપણને પ્રસાદીરૂપે પીરસી છે જેનું રસપાન કરી આપણે ધન્ય બનીએ છીએ!



વડતાલધામ જ્યાં શ્રી હરિકૃષ્ણ મહારાજ તથા શ્રી લક્ષ્મીનારાયણ દેવના બેસણાં છે તે પવિત્ર તીરથભૂમિ મધ્યે આવો પ્રથમવાર ભવ્યાતિભવ્ય હીંડોળા મહોત્સવ આયોજાતો હોય ત્યારે કોને હૈયે હરખ ન ઊભરે…! હીંડોળો એ શ્રી હરિને હેતુથી ઝૂલાવવાનું પર્વ છેઃ વડતાલ મંદિરમાં એક વિશાળ સમિયાણામાં શ્રી હરિને વિધવિધ રૂપે, પ્રતિકૃતિરૂપે નિહાળવા એ પણ એક ભાવભક્તિ, લ્હાવો છેઃ
કલાદ્રષ્ટા સંત પૂજ્ય શ્યામવલ્લભ સ્વામી અને ડૉ.સંતવલ્લભ સ્વામીને દેવકૃપા થકી ઘટના ઇતિહાસને ઉજાગર કરતી પ્રતિકૃતિઓ ભાવિકોના દર્શનાર્થે પ્રદર્શિત કરવાનો સુવિચાર સ્ફૂર્યો અને વડતાલ મેનેજિંગ ટ્રસ્ટી બોર્ડના ચેરમેન પૂજ્ય દેવપ્રકાશ સ્વામી સહિતના સભ્યોએ એ વિચારને મૂર્તિમંત કરવા મહોર મારી અને પ.પૂ.આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજના આશિર્વાદ સાથે મુખ્ય કોઠારી શાસ્ત્રી પૂજ્ય ઘનશ્યામપ્રકાશ સ્વામીએ Exibition ને આખરી ઓપ આપતા આ સમગ્ર મહોત્સવે આકાર ધારણ કર્યો છે..!!
આ મહોત્સવનો તા.૫ મીથી શુભારંભ થયો છેઃ અહીં સહુ દર્શકોના આકર્ષણનું કેન્દ્ર છે. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી રચિત બાર બારણાંનો પ્રભાવિ હીંડોળો!! જે ૨૦૦ વર્ષ પછી પ્રથમવાર આ રીતે મૂળ સ્વરૂપે નિર્દર્ષિત થઇ રહ્યો છે..!!! જેની ઝાંખી સત્સંગજગત કરે તેવી વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી છેઃ
❏પ્રેરક પૂજ્ય શ્યામવલ્લભ સ્વામી વડતાલ સંસ્થાન વડતાલ
❏ આલેખન બાલુભાઇ વરિષ્ઠ પત્રકાર વડતાલ સેન્ટર આણંદ ( Reco.by Govt.of Gujarat; Gandhinagar )
ચૌદ વર્ષના વનવાસ દરમિયાન ભગવાન રામે કપિલ મુનિના આશ્રમમાં બાણ મારીને જે કુંડ બનાવ્યો તે આજે પણ મંદિરના પરિસરમાં હયાત છે.
—————–
કાંટાવાળી ઝાડીઓ (કાંતાર)માં મંદિર સ્થપાયું હોવાથી નામ પડયું ‘‘કાંતારેશ્વર મહાદેવ’’
સુરત, બુધવાર: સૂર્યપુત્રી તાપીના કાંઠે વસેલું સુરત શહેર અનેક પૌરાણિક સ્થાપત્યો, મંદિરો અને ઐતિહાસિક ધરોહરનો ઉજળો ઈતિહાસ ધરાવે છે. દેવોના દેવ મહાદેવની આરાધનાના પર્વ પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે સુરતના અતિ પ્રાચીન અને પૌરાણિક મહત્વ ધરાવતા ‘‘કાંતારેશ્વર મહાદેવ’’ મંદિરમાં શિવભકતોનો મહેરામણ ઉમટે છે. મંદિરનું પ્રાચીન સ્થાપત્ય, શિવલિંગ, જલકુંડ અને નંદી અહીંયા વર્ષોથી આજ સ્થિતિમાં બિરાજીત છે.
કાંતારેશ્વર મંદિરમાં શ્રાવણ માસના પ્રથમ દિવસથી જ શિવભક્તોનો ભારે ધસારો જોવા મળ્યો છે. બિલી પત્ર, પુષ્પ, દૂધ અને શુદ્ધ જળથી દેવાધીદેવ મહાદેવના શિવલિંગ પર અભિષેક કરવા માટે ભકતો લાંબી કતાર લગાવી રહ્યા છે.
સૂરત શહેરના કતારગામ સ્થિત ‘‘કાંતારેશ્વર મહાદેવ’’ મંદિર સાથે અનેક ઐતિહાસિક અને રોચક પુરાતન ગાથા જોડાયેલી છે. જે મુજબ પ્રાચીન સુર્યપુર અને આજની સુરત નગરી જળપ્રલયમાં સંપૂર્ણપણે ડૂબી જતા ધરતી પેટાળમાં સમાઈ ગઈ હતી. તાપી નદીનું વહેણ બદલાતા તે પોતાના માર્ગથી ફંટાઈને વહેવા લાગી. નદીના માર્ગમાં કાંટાવાળી ઝાડીઓ (કાંતાર) ઊગી નીકળી હતી. ભગવાન કપિલ મુનિએ કાંતારની ઝાડીમાં આશ્રમ બનાવ્યો હતો. આ સ્થળ પર રહીને કપિલ મુનિએ ભગવાન સૂર્યની કઠીન તપ દ્વારા આરાધના કરી હતી. મુનિના કઠિન તપથી પ્રસન્ન થઇ ભગવાન સૂર્ય નારાયણે કપિલ મુનિને ઈચ્છિત વરદાન માંગવા કહ્યું હતું. કપિલ મુનિએ સૂર્યનારાયણને આશ્રમ પર જ નિવાસ કરવા માગણી કરી. પરંતુ સૂર્યએ પોતાની પ્રચંડ અગ્નિજ્વાળાથી આશ્રમ સહિત આ ધરતીલોક બળીને ભસ્મ થઇ જશે એમ કહી શંકર ભગવાનનું સ્મરણ કર્યું. અને મુનિના વરદાનની વાત વર્ણવી. ભગવાન શંકરે મુનિની માંગણીને વશ થઇ જે રીતે દેવો અને દાનવોના સમુદ્રમંથનથી પ્રાપ્ત થયેલા વિષને ગળામાં ધારણ કર્યું તે જ રીતે પ્રચંડ અગ્નિયુક્ત સૂર્યને પોતાના શરીરમાં સમાવીને આશ્રમ પર જ નિવાસ કર્યો હતો.
પુરાણોમાં ઉલ્લેખ છે કે આ મંદિરના સ્થળે કપિલ મુનિના આગ્રહથી બિરાજી સૂર્યને પોતાના શરીરમાં ધારણ કરતા ભગવાન શિવને ‘સૂર્ય રૂપમ મહેશ’ પણ કહેવાય છે. મુનિએ સૂર્યદેવને કપિલા ગાયનું દાન આપ્યું. ગૌદાનથી આનંદિત થયેલા સૂર્યદેવે પોતાના તેજરુપી શિવલિંગને અહીં પ્રગટાવીને ભાદરવા વદ-૬ના દિવસે તેજોમય શિવલિંગની સ્થાપના કરી હતી. ‘તાપી પુરાણ’માં પણ આ ઘટનાનું તાદ્રશ્ય વર્ણન છે.
અન્ય માન્યતા અનુસાર રામાયણ કાળમાં ભગવાન રામ વનવાસ દરમ્યાન કાંતારની ઝાડીમાં આવેલા કપિલ મુનિના આશ્રમે પધાર્યા હોવાનું પણ કહેવાય છે. તે સમયે ઋષિઓએ શિતલ જલમાં સ્નાન કરી ભગવાન શિવને અભિષેક કરવાની ઈચ્છા દર્શાવતા તાપી નદીમાં પાણી ન હોવાથી ભગવાન રામે ધરતીમાં બાણ મારી જલધારા ઉત્પન્ન કરી હતી. ઋષિ મુનિઓએ સ્નાન કરી રામને આશીર્વાદ આપી સંતોષ વ્યક્ત કર્યો હતો. સમય જતા જલધારાના સ્થાને કુંડનું નિર્માણ થયું, જે ‘સૂર્ય કુંડ’ ના નામથી ઓળખાય છે. આજે પણ આ સૂર્ય કુંડ અસ્તિત્વ ધરાવે છે.
તાપીપુરાણમાં ભગવાન સૂર્યનારાયણે કાંતારેશ્વર મંદિરનું માહાત્મ્ય વર્ણવ્યું છે. સુરતના આ સૌથી પ્રાચીન મહાદેવ મંદિરની સ્થાપના સતયુગ, ત્રેતા કે દ્વાપર યુગમાં થયેલી હોવાની લોકમાન્યતા પ્રચલિત છે. કંતારેશ્વર મહાદેવ મહાદેવમાં સ્થાનિકોને અતૂટ શ્રદ્ધા છે. અહીં શ્રાવણ માસ અને મહાશિવરાત્રિમાં માનવ મહેરામણ ઉમટે છે.
કાંતારેશ્વર મહાદેવ મંદિરનો વર્ષ ૧૯૬૮માં કૈવલ્ય મહંત સ્વામી નૃસિંહગીરીએ જીર્ણોધ્ધાર કરાવીને સુંદર અને ભવ્ય મંદિર બનાવ્યું હતું. લોકવાયકા મુજબ કાંતારેશ્વર મહાદેવ મંદિરના નામ પરથી જ આ વિસ્તારનું નામ કતારગામ પડ્યું હતું.
-૦૦-




શ્રીકૃષ્ણના જીવનની ઓછી જાણીતી કથાઓમાંથી મેળવીએ મહામૂલો બોધપાઠ

શ્રીકૃષ્ણનું જીવન આમ જુઓ તો ભેદી રહસ્યકથા જેવું છે અને બીજી રીતે જુઓ તો સાવ ખુલ્લી કિતાબ જેવું છે. શ્રીકૃષ્ણની લાઇફસ્ટાઇલ જ એવી છે કે એમાં જે પ્રત્યક્ષ દેખાય છે એવું ખરેખર હોતું નથી અને જે ખરેખર હોય છે એ પ્રત્યક્ષ દેખાતું નથી. શ્રીકૃષ્ણનાં પરાક્રમો, શ્રીકૃષ્ણના ચમત્કારો, શ્રીકૃષ્ણની લીલાઓ, શ્રીકૃષ્ણની કરુણાકૃપાઓ અને શ્રીકૃષ્ણનાં ઉપેદશસૂત્રો આ બધામાં તેમનાં ભિન્ન-ભિન્ન સ્વરૂપો પ્રગટ થાય છે.
આજે શ્રીકૃષ્ણના બર્થ-ડે નિમિત્તે તેમના જીવનની બહુ ઓછી જાણીતી એક-બે કથાઓનું સ્મરણ કરવું છે.
મહાભારતનો મહાસંગ્રામ સમાપ્ત થઈ ગયા પછી શ્રીકૃષ્ણ હસ્તિનાપુરથી વિદાય લે છે. ત્યાં રસ્તામાં તેમને ઉત્તંક ઋષિ સાથે મેળાપ થાય છે. ઉત્તંક ઋષિ વષોર્થી વનમાં રહીને ઘોર તપ કરી રહેલા હોવાથી સંસારમાં અને જગતમાં શું-શું બન્યું હતું એનાથી બેખબર હતા. તેમણે સાવ સ્વાભાવિક રીતે જ શ્રીકૃષ્ણને પૂછ્યું : ‘હસ્તિનાપુરમાં પાંડવો અને કૌરવો સૌ કુશળ છેને?’
શ્રીકૃષ્ણ જવાબ આપે છે, ‘પાંડુના પાંચ પુત્રો સિવાયનો સમગ્ર કુરુવંશ વિનાશ પામ્યો છે.’ આટલું કહીને શ્રીકૃષ્ણે મહાભારતના યુદ્ધની કથા સંક્ષેપમાં કહી સંભળાવી. ઉત્તંક ઋષિને ક્રોધ ઉપજ્યો અને તેઓ અભિશાપ આપવાના આવેશમાં આવી ગયા ત્યારે શ્રીકૃષ્ણે પોતાનું પરમાત્માસ્વરૂપ બતાવ્યું એટલું જ નહીં, ઉત્તંક ઋષિને વરદાન આપ્યું કે તમને જ્યારે તીવ્ર તરસ લાગી હોય ત્યારે અને જળ વગર પ્રાણ ચાલ્યા જાય એવી સ્થિતિ હોય ત્યારે મારું સ્મરણ કરજો, તમને જળ મળી જશે.
ત્યાર પછી મરુભૂમિમાં વિચરણ દરમ્યાન ઉત્તંક ઋષિના કંઠે શોષ પડ્યો. જળની તીવ્ર જરૂર જણાઈ. તેમણે શ્રીકૃષ્ણનું સ્મરણ કર્યું. એ જ ક્ષણે એક માતંગ (ચાંડાલ) ત્યાં જળ લઈને ઉપસ્થિત થયો. ઉત્તંક ક્રોધિત થયા. મારા જેવા બ્રાહ્મણ માટે ચાંડાલના હાથ જળ મોકલીને શ્રીકૃષ્ણે મારું અપમાન કર્યું છે એવું તેમને લાગ્યું. તેમણે ગુસ્સામાં આવીને ચાંડાલને પાછો જવા આદેશ કયોર્. શ્રીકૃષ્ણ આ જાણતા જ હતા. તેઓ તરત ત્યાં પ્રગટ થયા અને બોલ્યા, ‘ઋષિવર, તમે જળ માગ્યું હતું અને મેં તમારા માટે અમૃત મોકલ્યું હતું. મેં ઇન્દ્રને તમારી પાસે અમૃત લઈને પહોંચવા આદેશ કયોર્ હતો, પણ તે આવવા તૈયાર નહોતાં. મેં તેને વિશેષ આજ્ઞા કરીને તમારા માટે અમૃત લઈને આવવાની ફરજ પાડી તેથી ઇન્દ્ર સ્વયં માતંગનું રૂપ ધારણ કરીને તમારી પાસે આવ્યા હતા. તમે અમૃત પાછું ઠેલ્યું, હવે જળ પીને તૃપ્ત થાવ.’
આવી કથાઓનો આપણે માત્ર મર્મ જ પકડવાની જરૂર છે. કોઈ શ્રાપ આપે, કોઈ વરદાન આપે, કોઈ ગમે ત્યાં ગમે ત્યારે પ્રગટ પણ થાય અને અલોપ પણ થાય, કોઈ વ્યક્તિ દિવ્ય શક્તિથી પોતાના રૂપને બદલી શકે – આ બધામાં ઝાઝા ઊંડા ઊતરીએ તો કોઠી ધોઈને કાદવ કાઢવા જેવો જ ઉદ્યમ થાય. એટલે આથી કથાઓમાંથી નીર-ક્ષીર વિવેક કરીને સુજ્ઞજનોએ સાર ગ્રહણ કરવાનું જ લક્ષ્ય રાખવું જોઈએ.
ઉપરોક્ત કથાનો સાર એટલો જ કે ઉચ્ચ-નીચ જ્ઞાતિના વાહિયાત ખ્યાલો ન રાખવા જોઈએ. ક્યારેક સામાન્ય વ્યક્તિ પાસેથી પણ કોઈ અણમોલ ચીજ મળી શકે છે. આપણને જ્યારે જે ચીજની જરૂર હોય ત્યારે એ ચીજ જેની પાસેથી મળે તેની પાસેથી લઈ લેવી જોઈએ. લાઇફમાં ક્યારેક સોનાની દાબડીમાંથી માત્ર પથરા મળે છે અને ક્યારેક ફાટ્યા-તૂટ્યા ચીંથરામાં કીમતી રત્ન વીંટાળેલું મળી જતું હોય છે.
શ્રીકૃષ્ણના જીવનની એક બીજી અલ્પ પ્રચલિત કથા પણ જોઈ લઈએ.
મહાભારતના સંગ્રામની સમાપ્ત પછી શ્રીકૃષ્ણ જ્યારે પિતા વસુદેવને મળે છે ત્યારે વસુદેવ પૂછે છે :
‘હે કૃષ્ણ! આમ તો સમગ્ર યુદ્ધકથા હું જાણી જ ચૂક્યો છું, છતાં તારા મુખે એ કથા સાંભળવી એ અનેરો લહાવો બની રહેશે. તું મને ખૂબ વિગતવાર એ ભીષણ સંગ્રામની કથા કહીશ?’
શ્રીકૃષ્ણ તો મહાભારતના યુદ્ધના પળેપળના પ્રત્યક્ષ સાક્ષી અને સૂત્રધાર પણ હતા. છતાં ક્યારે કેટલું કહેવું એની તેમને પૂરેપૂરી ખબર હતી. શ્રીકૃષ્ણ જાણતા હતા કે અભિમન્યુના વધતી વાત પિતાને કહેવાથી તેમને તીવ્ર આઘાત લાગશે. અભિમન્યુ અજુર્નનો પુત્ર તો હતો જ, સાથે-સાથે તે શ્રીકૃષ્ણની બહેન સુભદ્રાનોય પુત્ર હતો! વસુદેવનો તે દોહિત્ર થાયને! પિતાના હૈયાને આઘાત ન લાગે એ રીતે શ્રીકૃષ્ણે માત્ર એટલું જ કહ્યું : ‘પિતાજી આપને મેં યુદ્ધના અઢારેય દિવસનું વૃતાંત કહ્યું અને એમાં આખરે કૌરવોના પક્ષે કૃપાચાર્ય, કૃતવર્મા અને અશ્વત્થામા ઉપરાંત પાંડવોના પક્ષમાં ચાલ્યો ગયેલો યુયુત્સુ એટલા બચી ગયા છે જ્યારે સાત અક્ષૌહિણી પાંડવસેનામાંથી પાંચ પાંડવો, સાત્યકિ અને હું (શ્રીકૃષ્ણ પોતે) એમ કુલ સાત જણાં બચ્યા છીએ.’
શ્રીકૃષ્ણના આ માર્મિક-ભેદી વિધાનમાં આડકતરી રીતે અભિમન્યુના મૃત્યુની હકીકત આવી જ જાય છે. પાંચ પાંડવો ઉપરાંત સાત્યકિ અને શ્રીકૃષ્ણ સિવાય તમામ હણાયા છે એ સત્ય એમાં સમાવિષ્ટ હતું જ. શ્રીકૃષ્ણની મુત્સદ્દી વાણીમાં એકસાથે અનેક રહસ્યો સંતાયેલાં રહેતાં હતાં.
શ્રીકૃષ્ણ પાસેથી વાણીનો આવો વિવેક આપણે શીખવા જેવો છે. સાચી વાત કહી દેવાના આવેશમાં ઘણી વખત આપણે આપણું ખુદનું જ અહિત કરી બેસીએ છીએ કાં તો સ્વજનોની નારાજગી વહોરી બેસીએ છીએ. અસત્ય ન બોલવું એનો અર્થ એવો કદીયે ન કરવો કે સત્ય સઘળું બોલી જ નાખવું. જૂઠું બોલવાની જરૂર નથી એમ દરેક વખતે સાચી વાત બોલી નાખવાની પણ જરૂર નથી જ હોતી.
ગાંધારી ગુસ્સે થઈને જ્યારે શ્રીકૃષ્ણને શાપ આપે છે કે જેવી રીતે મારા કુરુવંશનો સર્વનાશ થયો એવી રીતે તારા યદુવંશનો પણ સંપૂર્ણ નાશ થશે ત્યારે શ્રીકૃષ્ણ સ્વસ્થ રહીને કહે છે, ‘મને તો હતું કે તમે એથી પણ વિશેષ અભિશાપ આપશો, પરંતુ આપ કરુણાવાન માતા છો. આપે મને આ નજીવો શાપ આપીને આપની મહાનતા સિદ્ધ કરી છે.’ અહીં વડીલો પ્રત્યેનો આદર જાળવવાનું શ્રીકૃષ્ણનું ચરિત્ર આપણને જોવા મળે છે.
મહાભારતના સંગ્રામની ઘોર પૂર્ણાહુતિ પછી પાંચ પાંડવો સહિત શ્રીકૃષ્ણ જ્યારે ધૃતરાષ્ટ્રને મળે છે ત્યારે ધૃતરાષ્ટ્ર પોતાના ક્રોધને છુપાવી રાખીને ભીમને ભેટવાની ઝંખના વ્યક્ત કરે છે. શ્રીકૃષ્ણ પળ પારખી જાય છે. ધૃતરાષ્ટ્ર અંધ હતા પણ દસ હજાર હાથી જેટલું શરીરબળ ધરાવતા હતા (એવું કહેવાયું છે). ધૃતરાષ્ટ્રને ભીમ માટે કાંઈ વહાલ તો ન જ ઊપજ્યું હોયને. કૌરવસેનાનો સંહાર કરવામાં ભીમ જ સૌથી મોખરે હતો. વળી દુયોર્ધનની જાંઘ તોડીને તેનું રક્ત પીવાની પ્રતિજ્ઞા પણ તેણે પાળી બતાવી હતી. એવી પરિસ્થિતિમાં જ્યારે ધૃતરાષ્ટ્રે ભીમને આલિંગવાનો ઉમળકો બતાવ્યો ત્યારે શ્રીકૃષ્ણે ચાલાકી વાપરી. દુયોર્ધને અગાઉ ભીમની લોખંડની પ્રતિમા બનાવી રાખી હતી એની સાથે ધૃતરાષ્ટ્રનું આલિંગન કરાવ્યું. ધૃતરાષ્ટ્રે કચકચાવીને એ પ્રતિમાને ભીમ સમજીને કચડી નાખી. શ્રીકૃષ્ણ એ વખતે બોલ્યા, ‘આપને ભીમની હત્યાનું પાપ ન લાગે એ માટે મેં દુયોર્ધને બનાવેલી ભીમની લોખંડની પ્રતિમા આગળ કરી હતી. ભીમ આપના આર્શીવાદ ઝંખે છે.’
વિકટ અને વિષમ સંજોગોમાં યોગ્ય નર્ણિય લેવાની સૂઝબૂઝ શ્રીકૃષ્ણ પાસેથી આપણે સૌએ લેવી જેવા છે. શ્રીકૃષ્ણ સ્વયં મુત્સદ્દી હતા, તો તેમની સામે થોડાક મુત્સદ્દી આપણેય થઈ જ શકીએને!
ભગવાન મહાવીરને આજે અઢી સૈકાથી વધુ વર્ષ થયાં હોવા છતાં માત્ર જૈનોના જ નહીં, સમગ્ર ભારતના લોકોના હૃદયમાં તેઓ આજે પણ જીવંત રહ્યા છે.

ભગવાન મહાવીરનો ત્યાગ, ભગવાન મહાવીરની અહિંસા, ભગવાન મહાવીરનું તપ, ભગવાન મહાવીરની કરુણાનો જોટો આ જગતમાં મળવો મુશ્કેલ છે. આવી પરમોપકારી, વિશ્વવંદ્ય વિભૂતિના જીવનના કેટલાક પ્રેરક પ્રસંગો અહીં પ્રસ્તુત કરતાં આનંદ થાય છે.
પ્રેરક પ્રસંગ 0૧
દીક્ષા લીધા પછી ભગવાન મહાવીર કર્માર ગામની બહાર રાત્રે કાઉસગ્ગ કરીને ઊભા હતા ત્યારે એક ગોપાળ તેમને તેના બળદ સાચવવાનું કહીને તેના કામે ગયો. તે જ્યારે પાછો આવ્યો ત્યારે ભગવાન પાસે બળદ ન જોયા અને ધ્યાનસ્થ ભગવાનને પૂછવા છતાં જવાબ ન મળતાં તે પોતાના બળદને શોધવા અહીં-તહીં ખૂબ જ ભટક્યો. છતાં બળદ ન મળતાં પાછો ભગવાન પાસે આવ્યો. ત્યાં તેણે ભગવાન પાસે પોતાના બળદો ઊભા રહેલા જોયા અને તેને એવો ગુસ્સો આવ્યો કે તે બળદની રાશ લઈ ભગવાનને મારવા દોડ્યો. એ સમયે ઇન્દ્રે પ્રગટ થઈ કહ્યું કે ‘હે મૂર્ખ! જેને તું ચોર માને છે તે ચોર નથી પણ રાજા સિદ્ધાર્થના પુત્ર વર્ધમાન છે. રાજવૈભવને ત્યાગી તેઓ આત્મસાધનાને પંથે નીકળ્યાં છે ત્યારે તારા બળદની ચોરી કરીને શું કરશે?’
ગોવાળે સાચી વાત જાણતાં ભગવાનનાં ચરણ પકડી લીધાં અને પોતાની ભૂલ બદલ ક્ષમા ચાહી. એ વખતે દેવરાજ ઇન્દ્રે ભગવાનને કહ્યું કે ‘હે પ્રભુ! સાધનાના વિકટ પંથમાં આવા મૂઢ માણસો આપને વિના કારણે હેરાન-પરેશાન કરશે. એથી મને આપની સેવામાં રહી આવાં બધાં કષ્ટ નિવારવાની તક આપો. આવતાં સાડાબાર વર્ષ સુધીના સાધનાકાળમાં હું સાથે રહી આપની સંભાળ રાખીશ.’
દેવરાજ ઇન્દ્રની વાત સાંભળીને ભગવાને કહ્યું, ‘આત્મસાધકના જીવનમાં આજ સુધી એ કદી બન્યું નથી અને બનશે પણ નહીં. કોઈ બીજાની મદદ વડે આત્મસિદ્ધિ કે આત્મમુક્તિ મેળવી શકે નહીં. સાધકનો આદર્શ છે – એગો ચરે વિસાણકપ્પો. તે એકલો સ્વપુરુષાર્થથી જ આગળ વધતો રહે. જીવનની પોતાની મુક્તિ પોતાનાં ઉદ્યમ, બળ, ર્વીય અને પરાક્રમ પર જ નર્ભિર છે.
પ્રેરક પ્રસંગ 02
ભગવાન મહાવીર વિહાર કરતાં-કરતાં એક વખત મોરાકસગ્નિવેશમાં દૂઇજ્જતં તાપસોના આશ્રમમાં આવી પહોંચ્યા. આ આશ્રમના કુલપતિ ભગવાનના પિતા સિદ્ધાર્થના મિત્ર હતા. તેમના અતિશય આગ્રહથી ભગવાન ત્યાં ચાતુર્માસ અર્થે રહ્યા. આશ્રમમાં રહેવા માટે ભગવાનને એક ઘાસની ઝૂંપડી આપવામાં આવી. હજી વરસાદની શરૂઆત થઈ નહોતી. એથી ગાય, ભેંસ વગેરે પ્રાણીઓ ઝૂંપડીના સૂકા ઘાસને ખેંચી કાઢવા લાગ્યા. તાપસો તો લાકડીઓ મારી એ પશુઓને ભગાડી મૂકતા, પરંતુ મહાવીર તો સતત ધ્યાનમગ્ન દશામાં જ રહેતા. બીજા તાપસોને થયું કે દિવસભર લાકડીઓ લઈને તેઓ તેમની ઝૂંપડીઓનું રક્ષણ કરે છે અને મહાવીર તો પોતાની ઝૂંપડીને સહેજ પણ સાચવતા નથી. તાપસો મહાવીરની નિંદા કરવા લાગ્યા. આ વાત આશ્રમના કુલપતિ પાસે પહોંચતાં તેમણે મહાવીરને ઠપકો આપતાં કહ્યું કે ‘આ જગતમાં પક્ષીઓ પણ પોતાના માળાનું રક્ષણ કરે છે તો આપ તો રાજકુમાર છો તો પણ આટલીબધી ઉપેક્ષા કેમ કરો છો?’
મહાવીર ધ્યાનસ્થ હોવાથી કશું બોલ્યા નહીં, પણ મનોમન વિચારવા લાગ્યા કે ‘ઘર-પરિવારનો ત્યાગ કરનાર સાધક ઝૂંપડીની મમતામાં કેમ ફસાઈ શકે? સાધના માટે મેં સંસારનો ત્યાગ કર્યો, હવે શું ઝૂંપડીની માયામાં હું મારી સાધનાને ભૂલી જાઉં? મારી સાધના તો જંગલોમાં, પર્વતોમાં, ગુફાઓમાં, ખંડેરોમાં કે વૃક્ષ નીચે ગમે ત્યાં કરી શકાશે.’
એથી કુલપતિની રજા લઈને પરમ સદ્ભાવ સાથે ભગવાને એ સ્થળ છોડી ત્યાંથી વિહાર કર્યો, પરંતુ એ વખતે તેમણે પાંચ સંકલ્પો કર્યા : (૧) અપ્રીતિ થાય એવા સ્થળે ન રહેવું. (૨) નિત્ય ધ્યાનમગ્ન રહેવું. (૩) પ્રાય: મૌન રાખવું. (૪) હાથમાં જ કરપાત્રથી ખાવું અને (૫) ગૃહસ્થોની ખુશામત ન કરવી.
સંયમ જીવનને વધુ પુષ્ટ બનાવતા આ પાંચ સંકલ્પો ભગવાનના ત્યાગપંથની ખુમારી બતાવે છે.
પ્રેરક પ્રસંગ 03
પોતાની સંયમસાધનામાં આગળ વધતાં ભગવાન મહાવીરને એક વિચાર આવ્યો કે કર્મોની વિશેષ નર્જિરા માટે કોઈ એવા સ્થળે જવું જોઈએ જ્યાં ધર્મની ધજા ફરકતી ન હોય, જ્યાં માણસ માણસનો શત્રુ હોય, જ્યાં સાધુ-સંતો પ્રત્યે કોઈને શ્રદ્ધા-ભક્તિ ન હોય. આથી તેઓ રાઢ નામના અનાર્ય પ્રદેશમાં પહોંચ્યા. આ વિસ્તારમાં વિચરવું અતિ દુષ્કર હતું. અહીં લોકો તેમના દેહનું માંસ કાપી ગયા. કૂતરાઓ અંગેઅંગમાં બટકાં ભરી ગયા. અહીંના ક્રૂર માણસોએ ભગવાનના સુંદર શરીર પર અનેક ઉઝરડાઓ કર્યા. આ વખતે તેમના એક શિષ્યે કહ્યું, ‘પ્રભુ! મારવા માટે નહીં, ડારવા માટે પણ એકાદ લાકડી સાથે રાખીએ તો સારું.’
ભગવાને કહ્યું, ‘એ કેમ બની શકે? એનાથી તો આપણી અહિંસાનું વ્રત તૂટે.’
રાઢમાં વિચરતાં જીવ જવા સુધીના ઉપસર્ગો આવ્યા તો પણ ભગવાને જરા પણ ભયભીત બન્યા વિના એને શાંત ચિત્તે સહ્યા. એથી જ આચારાંગ સૂત્રમાં ઉલ્લેખ્યું છે :
સૂરિ સંગામ સીસેવા, સંવુડે તત્થ સે મહાવીરે |
પઉસેવમાણે કરુસાઇ અચલે ભગવં રીઇત્થા ||
અર્થાત્ જેવી રીતે બખ્તરધારી યોદ્ધાનું શરીર યુદ્ધમાં અક્ષત રહે છે એ જ રીતે અચલ ભગવાન મહાવીરે અત્યંત કષ્ટો હોવા છતાં પોતાના સંયમને અક્ષત રાખ્યો.
ભારતવર્ષની પ્રજાને સત્યનો પંથ બતાવનાર તેજોમય રશ્મિસમા કરુણાનિધિ શ્રી ભગવાન મહાવીરને અગણિત વંદન હો!
પ્રેરક પ્રસંગ 04
એક વાર પ્રભુ મહાવીર વિહાર કરતાં અસ્થિગ્રામમાં આવ્યા. આ આખું ગામ ખાલી અને ઉજ્જડ હતું. ચારે બાજુ માણસોનાં હાડકાં વેરાયેલા હોઈ લોકો આ ગામને અસ્થિગ્રામ કહેતા. આ ગામમાં આવેલા મંદિરમાં શૂલપાણિ નામનો ભયંકર યક્ષ રહેતો હતો. તે મનુષ્યજાતિનો શત્રુ હતો. કોઈ પણ માણસ એ મંદિરમાં રાતવાસો કરે તો બીજા દિવસે તે મરેલો જ મળતો. આ યક્ષના ત્રાસને લીધે મોટા ભાગના લોકો ગામ છોડીને જતા રહ્યા હતા. પ્રભુ મહાવીર આ ગામમાં પહોંચ્યા અને તેમણે ગામના એ મંદિરમાં સ્થિરતા કરવાનું વિચાર્યું, પરંતુ આ મંદિરના પૂજારી ઇન્દ્રશર્માએ તેમને એમ કરતાં અટકાવીને કહ્યું, ‘ભન્તે! અહીં રાતવાસો કરવો હિતાવહ નથી. આ મંદિરનો યક્ષ તમને જીવતા નહીં રહેવા દે. માણસના લોહીનો તે પ્યાસો છે. તમને જોતાં જ ભયંકર ગુસ્સામાં ન કરવાનું કરી બેસશે. માટે તમે અહીં રાતવાસો કરવાનો આગ્રહ છોડી દો.’
પ્રભુ મહાવીરે કહ્યું કે ‘હું અભય છું, કોઈથી ડરતો નથી અને કોઈને ડરાવતો પણ નથી. હું તો આ જ મંદિરમાં રાતવાસો કરીશ.’
પૂજારીએ તેમને મને-કમને અહીં રાતવાસો કરવાની અનુમતિ આપી. રાત્રિ શરૂ થઈ. પ્રભુ મહાવીર તો મંદિરના એક ખૂણે કાઉસગ્ગ ધ્યાનમાં ઊભા રહ્યા. થોડી વારમાં તો ભયંકર એવા શૂલપાણિ યક્ષનું આગમન થયું. ગામની ધરા ધþૂજી ઊઠી. ભયંકર ડાકલાં વાગવાં શરૂ થયાં. કાળજું કંપાવે એવાં કાતિલ અટ્ટહાસ્ય શરૂ થયાં. હાથમાં ભયંકર શૂલ લઈને રૌદ્ર સ્વરૂપી શૂલપાણિ યક્ષ પ્રગટ થયો. પ્રભુ મહાવીરને અહીં જોઈને તેનો ગુસ્સો સાતમા આકાશે પહોંચ્યો, પરંતુ પ્રભુ મહાવીર તો નર્ભિયતાની મૂર્તિ હતા. તેઓ તો પોતાના ધ્યાનમાં અવિચલ, અવિકલ અને મસ્ત હતા. શૂલપાણિ યક્ષે હાથી, પિશાચ અને સર્પ બનીને ભયંકર ઉપસર્ગ કરવા શરૂ કર્યા. પોતાની દૈવી શક્તિથી આ યક્ષે પ્રભુનાં આંખ, કાન, નાક, માથું, પીઠ વગેરેમાં ભયંકર વેદના ઉત્પન્ન કરી; પરંતુ પ્રભુ મહાવીર તો મેરુની જેમ અચલ અને અડોલ રહ્યા. આખી રાત આ ક્રૂર યક્ષે પ્રભુને ભયંકર પીડા આપી. તો પણ પ્રભુ મહાવીર જરા પણ અશાંત ન થયા. આખરે આ ક્રૂર યક્ષ પણ ઢીલો પડ્યો. તેની રાક્ષસી શક્તિ પ્રભુના આત્મબળ સામે પરાજિત થઈ. શૂલપાણિ યક્ષ પ્રભુનાં ચરણોમાં ઝૂકી પડ્યો અને બોલ્યો, ‘પ્રભુ, મને ક્ષમા કરો. મેં આપને ઓળખ્યા નહીં.’
પ્રભુએ કહ્યું, ‘ક્ષમા તો શત્રુને હોય, તું તો મારો મિત્ર છે.’
યક્ષને આશ્ચર્ય થયું. તેણે પ્રભુને પૂછ્યું, ‘હું મિત્ર? અને એ પણ તમારો? મેં તમને કેટલો બધો સંતાપ આપ્યો છે!’
પ્રભુએ કહ્યું, ‘મારો તો શું, તું સમગ્ર વિશ્વનો મિત્ર થઈ શકે એમ છે. માત્ર તારે તારો ક્રોધ અને હિંસાની ભાવના ત્યજવાની જરૂર છે. હિંસાથી તને કદાપિ શાંતિ નહીં મળે. પ્રેમ અને ક્ષમાથી જ તને સાચી શાંતિ મળી શકે. આ ગામ સાથે તને વેર છે, પરંતુ વેરનું ઓસડ વેર નહીં પણ પ્રેમ છે એ તું જાણ.’
ભયંકર ગરમીથી ત્રસ્ત થયેલી ધરા પર જેમ શીતલ મેઘની વર્ષા થાય એમ પ્રભુની એ અમૃતસમી વાણીથી ક્રૂર અને ભયંકર એવા શૂલપાણિ યક્ષમાં આમૂલ પરિવર્તન આવ્યું. જીવનની સાચી દિશા તેને સાંપડતાં
પુન:-પુન: તે યક્ષ પ્રભુનાં પાદચરણમાં પશ્ચાત્તાપનાં અશ્રુઓથી પ્રક્ષાલન કરી રહ્યો.
પ્રેરક પ્રસંગ 05
શ્રમણ ભગવાન મહાવીરને ગોશાલક નામનો શિષ્ય હતો. ઘણા વર્ષો તે પ્રભુની સાથે રહ્યો, પરંતુ ચંચલ મનના તે શિષ્યે પોતાની મહત્વાકાંક્ષા સિદ્ધ કરવા પ્રભુથી અલગ થઈને આજીવક સંપ્રદાય સ્થાપ્યો અને પ્રભુનો કટ્ટર હરીફ બન્યો. તે જ્યાં જાય ત્યાં પોતાને સર્વજ્ઞ અને તીર્થંકર તરીકે ઓળખાવતો હતો. પ્રભુ મહાવીરના શિષ્ય ગૌતમસ્વામી પાસે આ વાત આવી. તેમણે શ્રાવસ્તીમાં પ્રભુની ધર્મસભામાં પ્રભુને પ્રશ્ન પૂછuો કે ‘હે ભગવંત! શું ગોશાલક ખરેખર તીર્થંકર છે?’
પ્રભુએ ઉત્તર આપતાં કહ્યું કે ‘હે ગૌતમ! ગોશાલક નથી સર્વજ્ઞ કે નથી તીર્થંકર. તે તીર્થંકર શબ્દનું અપમાન કરે છે. યોગ્યતા વિના ઉપાધિ કેવી? આજથી ચોવીસ વર્ષ પહેલાં મારી પાસે તેણે દીક્ષા લીધી હતી. તે છ વર્ષ મારી સાથે રહ્યો. મને પ્રેમથી અનુસર્યો. પછી તે શક્તિ તરફ આકર્ષાયો. શક્તિથી મળતી કીર્તિનો દાસ બન્યો. તે મારાથી જુદો પડ્યો. સ્વચ્છંદી થયો, સ્વચ્છંદે વિહરવા લાગ્યો. તે તીર્થંકર નથી, તે સર્વજ્ઞ નથી. તે છ મહાનિમિત્તોનું જ્ઞાન ધરાવે છે, પણ સર્વર્જ્ઞપણા કે તીર્થંકરપણા સાથે તેને કશી જ લેવાદેવા નથી.’
પ્રભુ મહાવીરે ગોશાલક વિશે કરેલા ખુલાસાના સમાચાર સાંભળી ગોશાલકના અંતરમાં ક્રોધનો જ્વાળામુખી ફાટી નીકળ્યો. ગોશાલક પણ એ વખતે પોતાના શિષ્યપરિવાર સાથે શ્રાવસ્તી નગરીમાં આવ્યો હતો. તેને થયું કે મહાવીર મારી બાજી બગાડી નાખશે, લોકોના દિલમાંથી મારું અસ્તિત્વ નષ્ટ કરી નાખશે. એથી તે પ્રભુ મહાવીરે જ્યાં સ્થિરતા કરી હતી એ સ્થળે ધસી ગયો. પ્રભુની એ સમયે ધર્મસભા ચાલુ હતી. ગોશાલકે આવતાંવેંત જ પ્રભુ સામે બેફામ વાણીવિલાસ શરૂ કર્યો. પ્રભુ મહાવીર તો અચલ શાંતિથી તેને સાંભળી રહ્યા. મહાવીરને મૌન જોઈ ગોશાલકને વધુ ચાનક ચડી. તે તો ગાલિપ્રદાન સાથે જેટલું કડવું બોલી શકાય એટલું બોલવા માંડ્યો. વાતાવરણ સ્ફોટક બની ગયું. ધર્મસભામાં ઉશ્કેરાટ વ્યાપી ગયો. પ્રભુના શિષ્યો પણ ગુસ્સે થઈ ગયા. પ્રભુએ પોતાના શિષ્યોને શાંત કરતાં કહ્યું કે ‘ગોશાલકની પ્રકૃતિ જ એવી છે. પ્રકૃતિ ને પ્રાણ સાથે જ જાય. એથી આ માણસ તરફ ક્રોધને બદલે કરુણા જ વધુ શોભે.’
પ્રભુના આ શબ્દોથી શાંત પડવાને બદલે ગોશાલક વધુ ઉગ્ર બન્યો. ફરી બેફામ કટુ વચનો બોલવા લાગ્યો. ભગવાન મહાવીરના સર્વાનુભૂતિ નામના શિષ્યથી ન રહેવાયું. તેઓ આગળ આવ્યા અને ગોશાલકને ઉદ્દેશીને બોલ્યા, ‘હે ગોશાલક! એક વખતના તારા પરમોપકારી ગુરુ પ્રભુ મહાવીરને કડવાં વચનો કહેતાં તને શરમ નથી આવતી? પ્રભુની કૃપાથી તો તું સઘળી વિદ્યા શીખ્યો છે, એ ભૂલી જઈને પ્રભુ સામે મોરચો માંડતાં તું લાજતો નથી?’
ગોશાલક આ સાંભળીને વધુ ઉશ્કેરાયો અને તેણે પોતાનાં નેત્રોમાંથી દૃષ્ટિવિષ સર્પ જેવી પીળી જ્વાળા છોડી અને ક્ષણવારમાં તો શિખામણ આપવા આવેલા સર્વાનુભૂતિ ત્યાં ને ત્યાં બળીને ભસ્મ થઈ ગયા. હવે સર્વાનુભૂતિનું સ્થાન સુનક્ષત્ર મુનિએ લીધું. ગોશાલકે એ મુનિ કંઈક કહે એ પહેલાં જ પોતાની વિદ્યાથી સુનક્ષત્રના પણ એ જ હાલહવાલ કર્યા. આમ બે મુનિની હત્યા થવાથી ધર્મસભામાં હાહાકાર મચી ગયો.
મુનિ સુનક્ષત્રનું સ્થાન લેવા બીજા મુનિઓ આગળ આવ્યા, પરંતુ પ્રભુ મહાવીરે તેમને પાછળ રાખી પોતે એ સ્થાન સંભાળી લીધું. ગોશાલકે જોયું કે પોતાના હરીફ એવા મહાવીરને ખતમ કરવાની સુવર્ણ તક છે. એથી તેણે અજબ ઝનૂનથી પ્રભુએ જ શીખવેલી તેજોલેશ્યા પ્રભુ પર ફેંકી. પરંતુ એ સમયે મહાઆશ્ચર્ય થયું. પ્રભુ પર ફેંકાયેલી તેજોલેશ્યા પ્રભુના દેહમાં પ્રવેશ કરવાને બદલે પ્રભુના દેહની પ્રદક્ષિણા કરી રહી અને ગોશાલક કંઈ વિચારે એ પહેલાં તો એ તેજોલેશ્યા ઝડપથી પાછી ફરીને ગોશાલકના જ દેહમાં સમાઈ ગઈ! અને જાણે ધરતીકંપ થયો હોય એમ ગોશાલક ફસડાઈ પડ્યો. તેનો સોહામણો ચહેરો બિહામણો બની ગયો. મુખારવિંદ કોલસા જેવું કાળું બની ગયું અને તેની સર્વ શક્તિઓ હરાઈ ગઈ હોય એવી તેને અનુભૂતિ થવા લાગી.
પ્રભુ મહાવીરે ગોશાલકને કહ્યું કે ‘હે ગોશાલક! હાથનાં કયાર઼્ હૈયે વાગે છે. કર્મનો એ નિયમ છે. આ પુણ્યના બંધને કોઈ ઓછું કરી શકતું નથી. મારે હજી સોળ વર્ષ સુધી આ દેહભાર રહેવાનો છે. પણ તારા માટે તો હવે માત્ર સાત દિવસ જ બાકી છે. હવે તો તું બધું ભૂલીને એકમાત્ર તારા આત્માની ચિંતા કર. કીર્તિની કામના અને સિદ્ધિનો અહંકાર છોડી દે. આજે તું વિદ્યાના ગર્વમાં બેફામ બન્યો છે, દ્વેષમાં તું અંધ બન્યો છે. રાગદ્વેષને તું છોડ, સ્વસ્થ થા; શાંત થા અને આત્મકલ્યાણના માર્ગે વિહર. તારું તો જ શ્રેય થઈ શકશે.’
ઘાયલ સર્પની જેમ કાતિલ નજર ફેરવતો ગોશાલક પાછો ફર્યો. તેના દેહમાં ભયંકર દાવાનળ પ્રગટ્યો હતો અને સાતમા દિવસે ગોશાલક મૃત્યુ પામ્યો.
દરિયાના ઘુઘવાટા જળથી દિવસમાં બે વાર સ્વયં જળ અભિષેક પામે છે
———-
શ્રાવણ માસ, શનિવારી સોમવારી અમાસ, વૈદ્યૃતિ યોગ અને શિવરાત્રીએ ભક્તોની ભારે ભીડ જામે છે
દરિયાના ઘુઘવાટા જળથી દિવસમાં બે વાર સ્વયંમ જળ અભિષેક પામી દર્શન કરનારની દ્રષ્ટિથી લીન થતા પ્રત્યેક યુગમાં માહાત્મયકારી દેવાધિદેવ શિવજીના પુત્ર કાર્તિકેય સ્વામી ધ્વારા મહિસાગર સંગમ પર સ્થાપિત શ્રી સ્તંભેશ્વરના પુરાણ પ્રસિધ્ધ વિરલ શિવતીર્થ કે જે અત્યારે દક્ષિણ ગુજરાતના સોમનાથ તરીકે ધર્મવંદના પામ્યું છે તે કંબોઇ ગામ ગુજરાતના ભરૂચ જિલ્લાના પુરાતન ગામ અને બંદર કાવીથી માત્ર ૩ કિ.મી. અને જંબુસરથી ૩૦ કિ.મી. અંતરે આવેલું છે. કંબોઇ ગામે આવેલા મહિસાગર સંગમ સ્થળે કે જ્યાં મહી નદી અને સાગરનો સંગમ થયેલો છે અને ગુપ્તતિર્થ પણ કહેવાય છે. દરિયા વચ્ચે સ્તંભ સમા બિરાજેલા દરિયામાં સવાર-સાંજ આવતી ભરતીને કારણે આ મહાદેવના શિવલીંગને દરિયો જળાભિષેક કરે છે.


સ્કંદપુરાણની કથા પ્રમાણે તારકાસુર રાજાએ ઘોર તપ કર્યું. શિવજીના કહેવાથી બ્રહ્માજી પાસેથી વરદાન મેળવ્યું. સાત દિવસના બાળક સિવાય તેને કોઇ મારી શકે નહી ! બસ, પછી તો છકી ગયો અને પછી સર્જ્યો હાહાકાર ! તેથી દેવોએ તારકાસુરનો સામનો કરવા શંકર-પાર્વતિના મિલનથી એક દિવ્ય બાળક પ્રાપ્ત કર્યું જેને છ મસ્તક, બાર હાથ અને બાર આંખો હતી આ બાળક તે જ કુમાર કાર્તિકેય અથવા સ્કંદ ! તે પાંચ દિવસનો થયો ત્યારે તેને તેના જન્મનો હેતુ સમજાવવામાં આવ્યો, હવે (બે દિવસમાં જ તારકાસુરને મારવો પડે તેમ હતો નહી તો તે વરદાનને ગેરલાભ ઉઠાવી શકત) કુમાર કાર્તિકેયને દેવોના સેનાપતિ બનાવવામાં આવ્યો, તેણે અતિ પરાક્રમ દાખવી તારકાસુરને માર્યો, દેવો-ૠષિ-મુનીઅો અને ભક્તો ભારે આનંદમાં આવી ગયા પણ કાર્તિકેયના મન પર ભારે બોજ રહેવા લાગ્યો, ગમે તેવો તોય તારકાસુર મારા પિતાનો ભક્ત હતો ! અરે ! મારા હાથે શિવભક્તનો વધ થયો ! ! આથી દેવોએ કાર્તિકેયના મનની ગ્લાનિને દૂર કરવા તારકાસુરને હણ્યો ત્યાં કુમારેશલિંગ(સ્તંભેશ્વર) ની સ્થાપનાનું સુચન ર્ક્યુ. શિવપરિવાર, બ્રહમા, વિષ્ણુ, દેવો ૠષિઅોના આર્શિવાદ આ સ્તંભેશ્વરતીર્થ પર ઉતર્યા …….. પરંતુ સ્તંભેશ્વરતીર્થ ગુપ્ત / અજાણ્યું કેમ બની ગયું ? કહે છે કે બ્રહ્માજી ની સભામાં બધા જ તીર્થ દેવો એક સાથે પધાર્યા તેથી પ્રશ્ન થયો કોની પૂંજા પહેલી કરવી ? કોઇ તીર્થ પોતાની મહત્તા સ્વયં કહેવા તૈયાર નહોતું પણ વીસ હજાર છસો નદીઅોનું જળ જ્યાં મહી નદી રૂપે વહે છે તે મહિ સાગર સંગમ (સ્તંભેશ્વર) તીર્થે પોતાના પ્રથમ પૂજનના અધિકારી ગણાવવાથી અથવા પોતાની મહત્તા જાતે રજૂ કરવાથી તેમા બ્રહ્માજીના પૂત્ર ધર્મદેવને અવિવેક લાગ્યો તેથી ધર્મદેવે આ તિર્થને ગુપ્ત થઇ જવાનો શ્રાપ આપ્યો ! પરંતુ
કાર્તિકેય અને નારદજીએ વચ્ચે પડી ધર્મદેવજીને આ શ્રાપમાં છૂટછાટ મૂકવા કહેવાથી તેમણે વરદાન આપ્યુ –
@ શનિવારની અમાસે મહિસાગર સંગમની માત્ર એક જ વખત યાત્રા કરનારને પ્રભાસની દસ વારની, પુષ્કરની સાત વાર, અને પ્રયાગની આઠ વાર યાત્રા કર્યાનું ફળ મળશે જા કે આજે પણ આ તીર્થ દિવસમાં બે વાર દરિયાના પાણીમાં ઢંકાઇને ગુપ્ત થઇ જાય છે.
કંબોઇ આશ્રમના પૂ. વિદ્યાનંદજી મહારાજ ધ્વારા સ્કંદ પુરાણ સહિત વિવિધ પુરાણોનો અભ્યાસ કરી આ સ્થળે મહારૂદ્રયજ્ઞ ર્ક્યો. પ્રાધ્યાપક શ્રી બિપીનચંદ્ર ત્રિવેદીએ ‘‘યજ્ઞ સ્મરણિકા’’ અને ‘‘સ્તંભેશ્વર પરિચય’’ પ્રદિપ પુસ્તક, ‘‘સ્તંભેશ્વરરાય રેડિયો’’ નાટિકા, ભજન સંગ્રહ સીડી તૈયાર કરી. સ્તંભેશ્વર આશ્રમે યજ્ઞ શાળા, અન્નક્ષેત્ર, અતિથિગૃહ, ગૌ શાળાનું નિર્માણ થયું અને કંબોઇ ગાજતું થયું.
યાદ રહે કે આ તીર્થ વિજયક્ષેત્ર, સ્કંદક્ષેત્ર, ઉપરક્ષેત્ર, બ્રક્ષેત્ર, કપિલક્ષેત્ર, ગુપ્તક્ષેત્ર એમ વિવિધ નામે જાણીતું અને સુપ્રસિધ્ધ બન્યું છે. કપિલમુનિ, અોજસ મુનિ, યાજ્ઞવલ્ક્ય, દધીચિૠષિ અહીં થયા !
આજે તો શ્રાવણ માસે, કાર્તિક માસે, શનિવારી-સોમવારી અમાસ, વૈદ્યૃતિયોગ, શિવરાત્રીએ ભક્તોની ભારે ભીડ જામે છે.
સ્તંભેશ્વરતીર્થ પહેલા જ્યાં ધૂળીયો-સાંકડો એપ્રોચ રોડ હતો ત્યાં છેક સુધી પાકો ડાંમર રસ્તો થઇ ગયો છે, કેલેન્ડર, ટી.વી., આકાશવાણી, સમાચારપત્રોમાં સ્તંભેશ્વરતીર્થનો મહિમા આવે છે.
પૂ. વિદ્યાનંદજી મહારાજના જણાવ્યા મુજબ મહિસાગર સંગમતીર્થ જેવી પાવનભૂમિ પર ભગવાન શંકરના પરમ પરાક્રમી પૂત્ર કાર્તિકેય સ્વામી ધ્વારા સ્થાપિત શિવલીંગ, સ્તંભેશ્વર મહાદેવના દર્શન માત્રથી વ્યક્તિ આધિ, વ્યાધિ અને ઉપાધીમાંથી મુક્ત થાય છે તથા તેની સઘળી મનોકામના પૂર્ણ થાય છે.

સ્તંભેશ્વર દાદાના દર્શન દરિયાની ભરતી વિરમી જાય ત્યારે થઇ શકે છે
જેની જાણકારી નીચે પ્રમાણે છે
#તિથિ
દર્શનનો સમય
એકમ
૦૯ઃ૪૫ થી ૧૫ઃ૪૫
૨૧ઃ૪૫ થી મળશ્કે ૦૩ઃ૪૫
બીજ
૧૦ઃ૩૦ થી ૧૬ઃ૩૦
૨૨ઃ૩૦ થી મળશ્કે ૦૪ઃ૩૦
ત્રીજ
૧૧ઃ૩૦ થી ૧૭ઃ૧૫
૨૩ઃ૧૫ થી મળશ્કે ૦૫ઃ૧૫
ચોથ
૧૨ઃ૦૦ થી ૧૮ઃ૦૦
મધ્યરાત્રી થી ૦૬ઃ૦૦
પાચમ
સૂર્યોદય થી ૦૭ઃ૦૦
૧૩ઃ૦૦ થી ૧૯ઃ૦૦
છઠ
સૂર્યોદય થી ૦૭ઃ૪૫
૧૩ઃ૪૫ થી ૧૯ઃ૪૫
સાતમ
સૂર્યોદય થી ૦૮ઃ૩૦
૧૪ઃ૩૦ થી
આભાર – નિહારીકા રવિયા ૨૦ઃ૩૦
આઠમ
સૂર્યોદય થી ૦૯ઃ૧૫
૧૫ઃ૦૦ થી ૨૧ઃ૧૫
નોમ
સૂર્યોદય થી ૧૦ઃ૦૦
૧૬ઃ૦૦ થી ૨૨ઃ૦૦
દશમ
સૂર્યોદય થી ૧૦ઃ૪૫
૧૬ઃ૪૫ થી ૨૨ઃ૦૫
અગિયાસર
૦૫ઃ૩૦ થી ૧૧ઃ૩૦
૧૭ઃ૩૦ થી ૨૩ઃ૩૦
બારસ
૦૬ઃ૩૦ થી ૧૨ઃ૩૦
૧૮ઃ૩૦ થી મધ્યરાત્રી ૦૦ઃ૩૦
તેરસ
૦૭ઃ૧૫ થી ૧૩ઃ૧૫
૧૯ઃ૧૫ થી મધ્યરાત્રી ૦૧ઃ૧૫
ચૌદશ
૦૮ઃ૦૦ થી ૧૪ઃ૦૦
૨૦ઃ૦૦ થી મધ્યરાત્રી ૦૨ઃ૦૦
પુનમ-અમાવાસ્યા
૦૯ઃ૦૦ થી ૧૫ઃ૦૦
૨૧ઃ૦૦ થી મળશ્કે ૦૩ઃ૦૦
– ૦૦૦૦૦૦૦૦૦૦૦૦
(સ્ત્રોત… જિલ્લા માહિતી કચેરી ભરૂચ)




દેવાધિદેવ મહાદેવજી, શનિ અને પિતૃઓની કૃપા મેળવવાનો ઉત્તમ દિવસ એટલે શનૈશ્ચરી અમાસ. અષાઢી અમાસ શનિવારે આવી રહી છે. સાથોસાથ આ દિવસે ચતુર્ગ્રહી યોગનો પણ સમન્વય થઈ રહ્યો છે. કર્ક રાશિમાં સૂર્ય-ચંદ્ર ઉપરાંત બુધ અને રાહુ પણ સાથે આવી રહ્યાં છે. આ અમાસ અને ચતુર્ગ્રહી યોગમાં જ ખંડગ્રાસ સૂર્યગ્રહણ પણ થવાનું છે, જોકે તે ભારતમાં દેખાવાનું નહીં હોવાથી ધાર્મિક દૃષ્ટિએ પાળવાનું નથી.

સામાન્ય રીતે કોઈપણ મહિનાની અમાસનાં દિવસે દેવાધિદેવ મહાદેવજીનું પૂજન-અર્ચનનું સવિશેષ મહત્ત્વ હોય છે અને પિતૃકાર્ય પણ કરવામાં આવતું હોય છે, પરંતુ આ વર્ષે અષાઢી અમાસ શનિવારે આવે છે, તેથી શનૈશ્ચરી અમાસ થાય છે. જ્યારે કર્ક રાશિમાં ચાર ગ્રહો હોવાથી ચતુર્ગ્રહી યોગ સર્જાય છે અને મંગળ સાથે કેતુ મકર રાશિમાં છે. જોકે, આ દિવસે અમાસ બપોરે ૩.૨૯ સુધી જ રહેશે.
અષાઢી શનૈશ્ચરી અમાસ, ચતુર્ગ્રહી યોગની સાથે જ તા.૧૯મી ઓગસ્ટ સુધી બુધ વક્રી છે, તા.૨૭મી ઓગસ્ટ સુધી મંગળ વક્રી છે અને તા.૬ સપ્ટેમ્બર સુધી શનિ વક્રી છે એટલે કે ત્રણ ગ્રહો વક્રી પણ છે. આ બધી જ સ્થિતિઓને જોતાં પ્રજાને માથે ભાર વધે તેવી ઘટનાઓ આકાર લે અને તેને કારણે સંઘર્ષ-ઘર્ષણની સ્થિતિઓનું પણ નિર્માણ થતું જોવા મળે. આ સમય ગાળા દરમિયાન રાજકીય ક્ષેત્રે સંકળાયેલા સત્તાધીશોએ હિતશત્રુઓથી સંભાળવું હિતાવહ બની રહે.
તા.૧૧મી ઓગસ્ટના રોજ અષાઢી અમાસ છે. માટે જ આ દિવસે ‘દિવાસો’, એવ્રત-જીવ્રત વ્રતની ઉજવણી પણ કરવામાં આવશે. જ્યારે આ દિવસ શ્રાવણ માસના પ્રારંભની અમાસ હોવાથી અનેક શ્રદ્ધાળુઓ અમાસથી અમાસ સુધી એક મહિનાનું વ્રત પણ કરતાં હોય છે. તેઓ માટે પણ શિવપૂજન માટે મહત્ત્વનો દિવસ બની રહેશે.
આ વખતે 2018ની અમરનાથ યાત્રા સત્તાવાર રીતે શરૂ થયાને હજુ ફક્ત 20 જ દિવસ થયા છે અને આટલા ઓછા દિવસોમાં બાબા અમરનાથનું હિમલિંગ પીગળીને અડધું થઇ ગયું હોવાના અહેવાલોએ શ્રદ્ધાળુઓ અને ખાસ કરીને અમરનાથયાત્રાના છેલ્લા તબક્કામાં દર્શને જઇ રહેલા યાત્રાળુઓમાં ચિંતાનું મોજું પ્રસરાવ્યું છે. 20 જ દિવસમાં હિમલિંગ પીગળીને અડધું થઇ જવા પાછળનું કારણ એ છે કે અનેક કષ્ટ સહન કરીને બાબા અમરનાથના દર્શન કરવા પહોંચેલા બે લાખ યાત્રાળુઓના શ્વાસોશ્વાસથી ઉદભવેલી ગરમી છે.

પાછલા કેટલાક વર્ષોથી ભક્તોના શ્ર્વાસોશ્ર્વાસને લીધે ઝડપથી પીગળી જતા હિમલિંગને લીધે વિવાદ થાય છે. દર વર્ષે અમરનાથ યાત્રા શ્રાઇન બૉર્ડના અધિકારીઓ આ બાબતને કુદરતી કારણ જણાવે છે, પણ નિષ્ણાતોના મતે ક્ષમતાથી વધુ ભક્તોને યાત્રાની પરવાનગી આપવાને કારણે શિવલિંગ ઝડપથી પીગળી જતું હોય છે.
દર વર્ષે લાખો ભક્તોના શ્ર્વાસોશ્ર્વાસને લીધે શિવલિંગ ઝડપથી પીગળતું હોવાની વાત અધિકારીઓ ખાનગીમાં તો સ્વીકારે છે, પણ જાહેરમાં એ સ્વીકારવા તૈયાર નથી થતા. તેઓ આ પાછળ ગ્લોબલ વૉર્મિેગનું કારણ પણ આપતા હોય છે.
1996માં અમરનાથમાં થયેલી દુર્ઘટના બાદ નીતિન સેનગુપ્તા કમિટિએ એવો પ્રસ્તાવ મૂક્યો હતો કે દર વર્ષે અમરનાથ યાત્રામાં ફક્ત 75000 ભક્તોને જ સામેલ કરવા, પણ એ પ્રસ્તાવ ક્યારેય અમલમાં ન મુકાયો.
વર્ષ 2013માં તો ફક્ત બે દિવસમાં જ 75000 ભક્તોએ હિમલિંગના દર્શન કરવાનો રેકોર્ડ બનાવ્યો હતો. 2014માં 29 દિવસમાં સાડા ત્રણ લાખ ભક્તોએ હિમલિંગના દર્શન કર્યા હતા.
પર્યાવરણવાદીઓ આ મામલે હંમેશ નારાજ રહે છે. એમના મતે ભક્તોની સંખ્યા વધવાની આડઅસર ફક્ત ગૂફામાંના હિમલિંગ પર જ નહીં, પરંતુ યાત્રાના માર્ગ અને પહાડો પર પણ થાય છે. કાશ્મીરના અલગતાવાદીઓ પણ આ પર્યાવરણવાદીઓની વાતનું સમર્થન કરતા હોય છે.

શ્રાઇન બૉર્ડ ભક્તોની સંખ્યા ઓછી કરવા રાજી નથી લાગતું, પણ એ હિમલિંગની સુરક્ષા માટે પગલાં લેવા ઉત્સુક જણાય છે. શ્રાઇન બૉર્ડ તો યાત્રાને આખું વર્ષ ચાલું રાખવા માટે લોકોનો ટેકો મેળવવાનો પ્રયત્ન કરી રહ્યું છે.
યાત્રા શરૂ થયા બાદ ગુફાની આસપાસ ભક્તોની સુરક્ષા માટે મોટા પ્રમાણમાં સુરક્ષાદળના જવાનો તહેનાત રહે છે અને એમનાં શ્ર્વાસોશ્ર્વાસને લીધે પણ ગરમી વધવાને કારણે હિમલિંગને અસર થતી હોય છે. ગયા વખતે પહેલે દિવસે હિમલિંગનું કદ 20 ફૂટનું હતું, પણ ત્યાર બાદ ઝડપથી એ પીગળીને 2-4 ફૂટનું રહી ગયું હતું.
અત્રેની મિલેનિયમ સ્કુલ ખાતે ગઇ તા.14મી જુલાઇને શનિવારે ટીએમએસ ટી ટાઇમ અન્વયે સુરતના જાણીતા મહિલા ફિઝીયોથેરાપીસ્ટ અને આયંગર યોગા પ્રેક્ટિશનર ડૉ. સોનલ જૈન સાથે ઇન્ટરએક્ટિવ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. ડો. સોનલ જૈનએ જીવનમાં યોગકીય પ્રવૃત્તિઓનું મહત્વ, શિસ્ત, સેલ્ફ રેગ્યુલેશન્સ, શારીરિક અને માનસિક શાંતિ વગેરે ઉપરાંત ગુણવત્તાભર્યું જીવન કેવી રીતે જીવી શકાય તે અંગે રસપ્રદ અને અત્યંત ઉપયોગી માહિતી ધ મિલેનિયમ સ્કુલના મેનેજમેન્ટસ, સ્ટાફ તેમજ ટીચર્સ સાથે શેર કરી હતી. ડો. સોનલ જૈનએ શ્નોતાઓના કેટલાક પ્રશ્નોના જવાબો પણ આપ્યા હતા. તેમણે કેટલીક યોગકીય પ્રવૃતિઓનું પ્રત્યક્ષ નિદર્શન પણ કર્યું હતું.

At The Millennium School Surat we believe in lifelong learning. As part of our self development initiative we organise various activities at school, and one of such activity is TMS Teatime, here we invite guests from different walks of life who can motivate and guide our team through their own life experiences. This Saturday we had a special guest at TMS Teatime : Dr. Sonal Jain – a physiotherapist by profession and an Iyengar yoga practitioner and trainer by passion, who shared her experiences about self regulation, peace of mind-body and also postures which helps improve the quality of life. We appreciate Dr. Sonal Jain for inspiring our team.