CIA ALERT

આધ્યાત્મિક Archives - Page 33 of 36 - CIA Live

August 27, 2018
shiv_pooja_abhishek3_2932898-m.jpg
1min5880

આજે શ્રાવણ માસના ત્રીજા સોમવારે રક્તચંદનનો ચાંલ્લો કરેલા ૧૦૮ બીલીપત્ર શિવલિંગને અર્પણ કરવા અતિ ઉત્તમ

તા. ૨૭મી ઓગસ્ટ 2018ને આજે પવિત્ર શ્રાવણ માસનો ત્રીજો સોમવાર છે. આજના દિવસે ભગવાન ભોળાનાથની આરાધના કરવા તેમજ કૃપા મેળવવાનો ઉત્તમ દિવસ હોવાનો ઉલ્લેખ શાસ્ત્રોમાં કરાયેલો છે. આજના દિવસે શિવાલયમાં જઈને જળાભિષેક, બીલીપત્રાભિષેક કરવામાં આવે છે.

આજે તા.27મી ઓગસ્ટ 2018થી મકર રાશિમાં કેતુ સાથે રહેલો વક્રી ભ્રમણ કરી રહેલો મંગળ માર્ગી બની રહ્યો છે. આ દિવસે એક અનુભવસિદ્ધ પ્રયોગ પણ કરી શકાય છે. રક્તચંદનનો ચાંલ્લો કરેલાં ૧૦૮ બીલીપત્ર શિવજીને અર્પણ કરવા જોઈએ. ૧૦૮ બીલીપત્ર આ રીતે અર્પણ કરવાથી અનેક સંકટોમાંથી રાહત મળે છે. સાથોસાથ ‘ઓમ્ નમ: શિવાય’ મંત્રનો જાપ કરવો જોઈએ. આ દિવસે દેશીના ગાયનું દૂધ, એક મુઠ્ઠી કાળા તલ મિશ્રિત જળ સાથે પણ શિવલિંગ પર અભિષેક કરવામાં આવે તો પણ આરોગ્યની પ્રાપ્તિ અને અકસ્માત-સંકટોમાંથી રક્ષણ મળી રહે છે.

 

August 27, 2018
amarnath-yatra.gif
1min7480

મુદ્રના સ્તરથી ૧૪,૫૦૦ ફૂટ ઊંચે આવેલી અમરનાથ ગુફામાં સ્વયંભૂ હિમલિંગની પૂજાઅર્ચના, દર્શન કરવા માટે યોજાતી વાર્ષિક અમરનાથ યાત્રા શ્રાવણી પૂનમના દિને છડી મુબારક નામક વિધિ સાથે સંપન્ન થઈ હતી. રવિવારે તા.26મી ઓગસ્ટ 2018ના રોજ પૂર્ણિમા અને રક્ષા બંધનના દિને અંદાજે ૧૫૦ શ્રદ્ધાળુઓએ ગુફાના દર્શન કર્યા હતા. બે માસની અમરનાથ યાત્રામાં અંદાજેે ૨.૮૫ લાખ ભક્તોએ હિમલિંગના દર્શન કર્યા હતા. આ ફેરે અમરનાથ યાત્રામાં ૩૪ શ્રદ્ધાળુ મૃત્યુ પામ્યા હતા. છડી મુબારકની અમરનાથની પવિત્ર ગુફામાં સ્થાપના સાથે યાત્રાની સમાપ્તી થઇ હતી. વર્ષ ૨૦૧૭માં અમરનાથ યાત્રા કરનાર ભાવિક ભક્તોની સંખ્યા ૨.૬૦ લાખ હતી તેમ જ વર્ષ ૨૦૧૨માં ૬.૨૧ લાખ હતી.

આ વખતે ખરાબ મોસમ અને કાશ્મીરના સંજોગો જોતાં અમરનાથ યાત્રામાં ઓછા યાત્રાળુ આવ્યા હતા.

ઉત્તર ભારતમાં શ્રાવણ માસ પૂરો થવા અવસરે પવિત્ર ‘છડી મુબારક’ને રવિવારે તા.26મી ઓગસ્ટ 2018ના રોજ અમરનાથ ગુફામાં સ્થાપિત કરવામાં આવી હતી. દશનામી અખાડાના મહંત દીપેન્દ્ર ગીરીના નેજાં હેઠળ સાધુઓનું એક દળ શ્રીનગરના દશનામી અખાડાથી નીકળ્યું હતું. પૂજાઅર્ચના બાદ છડી મુબારકને ફરીથી તે અખાડામાં જ સ્થાપિત કરી દેવાયું હતું. ‘બર્ફાની બાબા કી જય,’ ‘જય બાબા અમરનાથ બર્ફાની, ભૂખે કો અન્ન, પ્યાસે કો પાની’,‘બમ બમ ભોલે’ અને ‘હર હર મહાદેવ’ના ગગનભેદી પોકારોથી વાતાવરણ ગુંજી ઊઠ્યું હતું.

August 26, 2018
rudraksh-1280x854.jpg
3min22720
દેવકાળની વાત છે ભગવાન શિવ મનને સંયમમાં રાખીને હજારો વર્ષોથી ઘોર તપશ્ચર્યામાં લીન હતા. એક દિવસ અચાનક તેઓએ બંને નેત્રો ખોલ્યાં, જેમાંથી  થોડાંક જળબિન્દુ સરી પડ્યાં. આ બિન્દુમાંથી રુદ્રાક્ષ નામનું વૃક્ષ પેદા થયું. શિવજીએ આ રુદ્રાક્ષને વિષ્ણુભક્તો તેમજ લોકોમાં વહેંચી દીધા.
વિશ્વમાં ઉપલબ્ધ વિવિધ કદ-આકારના રુદ્રાક્ષમાં કયા રુદ્રાક્ષ શ્રેષ્ઠ ગણવા જોઇએ?
આમળાના ફળ જેટલા મોટા રુદ્રાક્ષને શ્રેષ્ઠ ગણાયા છે.  બોર જેવડા હોય તો મધ્યમ અને ચણા જેવડા હોય તો એમની ગણના નિમ્ન કોટિમાં થાય છે. 
રુદ્રાક્ષ આડેધડ રીતે ધારણ કરી શકાતા નથી. ધારણ કરનારાઓ માટે શાસ્ત્રોમાં અનેક નિયમો નિર્દેશિત કરાયા છે. નિયમોનુ પાલન કરી રુદ્રાક્ષ ધારણ કરવાથી સકારાત્મક પરિણામ પ્રાપ્ત થાય છે. રુદ્રાક્ષ ધારણ કરતાં પહેલાં તેનું વિધિવત પૂજન કરવું જોઈએ અને ત્યારબાદ મંત્ર જાપ કરતાં કરતાં તે ધારણ કરી શકાય છે. રુદ્રાક્ષને શિવનું પ્રતીક ગણવામાં આવે છે. એને યોગ્ય રીતે ધારણ કરાય તો ફાયદાકારક રહે છે.
રુદ્રાક્ષના વિવિધ પ્રકાર છે, નીચે મુજબ છે:
– એક મુખી રુદ્રાક્ષ સાક્ષાત શિવનું સ્વરૂપ છે તે ભોગ અને મોક્ષ આપે છે.
– બે મુખી રુદ્રાક્ષ દેવદેવેશ્વર સંપૂર્ણ કામનાઓ અને ફળ આપનાર છે.
– ત્રણ મુખી રુદ્રાક્ષ અગ્નિ સ્વરૂપ છે. એના પ્રભાવથી વિદ્યા પ્રાપ્ત થાય છે.
– ચાર મુખી રુદ્રાક્ષ સાક્ષાત બ્રહ્માનું સ્વરૂપ છે તેનાં દર્શનથી ધર્મ અર્થ, કામ અને મોક્ષ મળે છે.
– પાંચ મુખી રુદ્રાક્ષ કાલાગ્નિ રુદ્ર રૂપ છે તે કંઇ પણ કરવા સમર્થ છે અને સંપૂર્ણ મન વાંછિત ફળ દેનાર છે.
– છ મુખી રુદ્રાક્ષ કાર્તિકેય સ્વરૂપ છે. જો તેને જમણી બગલની બાજુમાં ધારણ કરવામાં આવે તો બ્રહ્મહત્યા વગેરે પાપોથી મુક્ત થાય છે.
– સાત મુખી રુદ્રાક્ષ અનંગ સ્વરૂપ છે. તેને ધારણ કરનાર દરિદ્રને પણ પણ ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે.
– આઠ મુખી રુદ્રાક્ષ અષ્ટમુર્તિ ભૈરવરૂપ છે. તે ધારણ કરનાર મનુષ્ય પૂર્ણ આયુષ ભોગવે છે.
– નવ મુખી રુદ્રાક્ષ ભૈરવ અને કપિલ મુનિનું પ્રતિક છે. જે મનુષ્ય આ રુદ્રાક્ષ ડાબા હાથમાં ધારણ કરે તે શિવ સમાન સર્વેશ્વર થઈ જાય છે.
– દસ મુખી રુદ્રાક્ષ સાક્ષાત વિષ્ણુનું સ્વરૂપ છે. આ રુદ્રાક્ષને ધારણ કરવાથી સર્વ કામનાઓ પૂર્ણ થઈ જાય છે.
– અગિયાર મુખી રુદ્રાક્ષ રુદ્રરૂપ છે. આ રુદ્રાક્ષને ધારણ કરવાથી મનુષ્ય સર્વત્ર વિજયી બને છે.
– બાર મુખી રુદ્રાક્ષ આદિત્ય સમાન છે તેને કેશમાં ધારણ કરવાથી મસ્તક ઉપર બાર આદિત્યો બિરાજમાન થાય છે.
–  તેર મુખી રુદ્રાક્ષ વિશ્વદેવાનું રૂપ છે તેને ધારણ કરવાથી મનુષ્ય સંપૂર્ણ મનોવાંછિત ફળ પ્રાપ્ત કરે છે તથા સૌભાગ્ય અને મંગલનો લાભ કરાવે છે.
– ચૌદ મુખી રુદ્રાક્ષ તે પરમ શિવરૂપ છે. એને ભક્તિપૂર્વક મસ્તક ઉપર ધારણ કરવો, જેથી બધા પાપ નષ્ટ થાય છે.
August 25, 2018
karia.jpg
1min6560

સાંજે 5.27 સુધી રક્ષાબંધન ઉજવી શકાય એવો પંડિતજીઓનો અભિપ્રાય

ભાઈ-બહેનના પવિત્ર પ્રેમનું પર્વ એવું રક્ષાબંધન તા.26મી ઓગસ્ટ, 2018ના રોજ ઉજવાશે. એટલે કે શ્રાવણી પૂર્ણિમાએ આ વર્ષે પૂર્ણિમા સાંજે 5.27એ પૂર્ણ થતી હોવાથી ત્યાં સુધી જ રક્ષાબંધન થઈ શકશે. જ્યારે વ્રતની પૂનમ તા.25મી ઓગસ્ટે આવી રહી છે. ઉલ્લેખનીય છે કે હિંદુઓની પવિત્ર એવી અમરનાથ યાત્રાની પૂર્ણાહુતિ પણ રક્ષાબંધનનાં રોજ થશે.

સામાન્ય રીતે ભદ્રા વગેરે હોતાં અનેક વખત રાત્રિ રક્ષાબંધન કે બપોર સુધીના જ યોગ આવતા હતા, પરંતુ આ વર્ષે શ્રાવણ સુદ પૂર્ણિમા તિથિ સાંજે 5.27 સુધી જ હોવાથી રક્ષાબંધન એટલે કે બહેનો પોતાના ભાઈઓની રક્ષા માટે બાંધતા રક્ષા સૂત્ર-રાખડી ત્યાં સુધી જ બાંધવા કેમ કે ત્યારબાદ એકમનો પ્રારંભ થઈ જાય છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર રક્ષાબંધનમાં ભદ્રા અને એકમ ત્યાજ્ય હોય છે. સાથોસાથ વ્રતની પૂનમ તા.25મી ઓગસ્ટના રોજ મનાવાશે. જ્યારે આ દિવસે હયગ્રીવ જયંતીની પણ ઉજવણી કરવામાં આવશે.

(સુરતના અડાજણ ખાતે આવેલી પ્રેસિડેન્સી સ્કુલમાં રક્ષાબંધનની ઉજવણી થઇ એ વેળાની તસ્વીર)

આ દિવસે બહેનો ‘યેન બદ્ધો બલિ રાજા દાનવેન્દ્ર મહાબલ:, તેન ત્વામપિ બદ્ધાનિ રક્ષે મા ચલ મા ચલ’ શ્લોકનું ઉચ્ચારણ કરીને બહેને ભાઈના હાથે તો ભૂદેવોએ પોતાના યજમાનનાં હાથે રક્ષા સૂત્ર-રાખડી બાંધવી જોઈએ. આ દિવસે બહેનો પોતાના ભાઈના હાથે રક્ષા સૂત્ર બાંધીને વર્ષભર તેઓના રક્ષણ માટેની શુભકામના વ્યક્ત કરે છે અને જરૂર પડે ભાઈઓ પણ બહેનોની રક્ષા માટે તત્પર રહે છે. ભારતીય પરંપરમાં રક્ષાસૂત્રનું મહત્ત્વ પ્રાચીન કાળથી અકબંધ રહ્યું છે. રક્ષાસૂત્ર માટે જે પ્રાચીન મત મળે છે તે અંતર્ગત ઈન્દ્રાણી એવા શચીએ ઈન્દ્રને રક્ષાસૂત્ર બાંધ્યું હતું. તો લક્ષ્મીજીએ બલિરાજાને રાખડી બાંધી હતી. સાથે જ કુંતા માતાએ અભિમન્યુને રક્ષાસૂત્ર બાંધ્યું હતું.

ભૂદેવો પોત-પોતાના વેદ અનુસાર યજ્ઞોપવીત પરિવર્તન કરશે

શ્રાવણી પૂર્ણિમાએ ભૂદેવો પોત-પોતાનાં વેદ અનુસાર યજ્ઞોપવીત પરિવર્તન કરતાં હોય છે. જે અંતર્ગત ઋગ્વેદીય શ્રાવણી તા.૨૫મી ઓગસ્ટના રોજ થશે. જ્યારે તા.26મી ઓગસ્ટે યજુર્વેદ અને અથર્વવેદ શ્રાવણી થશે. જ્યારે તા.11મી સપ્ટેમ્બરના રોજ સામવેદી શ્રાવણી પરિવર્તન થશે.

August 20, 2018
shiv-1-1280x720.jpg
1min20220

હાલમાં પવિત્ર શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને ભગવાન ભોળાનાથની આરાધનામાં ભાવિકો ગળાડૂબ બન્યા છે ત્યારે એક ચર્ચા એ વાઇરલ થઇ છે કે ભગવાન શિવને અર્પણ કરાયેલો પ્રસાદ ભાવિકો આરોગી શકે કે કેમ આ અંગે અનેક મતમતાંતર સાંભળવા મળી રહ્યા છે. કોઇક કહે છે શિવજીને, શિવલિંગને અર્પણ કરાયેલા પ્રસાદ પર ભાવિકોનો અધિકાર નથી બલ્કે  શિવલિંગ કે શિવ મંદિરની પૂજા કરનાર વ્યક્તિ હોય એ સિવાય બીજા કોઈ વ્યક્તિઓથી લઈ શકાય નહીં. એ પ્રસાદ બીજાઓએ લેવો જોઈએ પણ નહીં. જો લેવામાં આવે તો લેનારનું જરૂર કંઈક ને કંઈક અનિષ્ટ થતું હોય છે. કેમકે શિવજી કાળ-ભૂત પ્રેતના દેવ છે .

 

શાસ્રો ટાંકે છે કે ભૂત-પ્રેતો ના વડેરા એવા ચંડેશ્વરની ઉત્પત્તિ શિવજીના મુખેથી થયેલી છે. તે હંમેશા શિવજીની આરાધનામાં લીન રહેતો હોય છે અને એટલે શિવલિંગ પર ચડાવવામાં આવેલો પ્રસાદ તેના ભાગનો ગણવામાં આવતો હોય છે. આથી જો અન્ય કોઈ વ્યક્તિનો પ્રસાદ ખાય તો તે ભૂત પ્રેત માટેનો અંશ ખાઈ રહ્યો છે એવું સમજાય છે. એટલે શિવલિંગ પર અર્પણ કરવામાં આવેલો પ્રસાદ ભલે પછી તે ફળ, મીઠાઇ, ભાંગ, દૂધ કે અન્ય ગમે તે સ્વરૂપમાં પણ કેમ ન હોય! નહીં ખાવું જોઈએ એવા પ્રકારની માન્યતા પ્રવર્તે છે.

શિવપુરાણ (વિશ્વેશ્વર સંહિતા)ના 22મા અધ્યાયમાં લખાયું છે કે

“चण्डाधिकारो यत्रास्ति तद्भोक्तव्यं न मानवै:।

चण्डाधिकारो नो यत्र भोक्तव्यं तच्च भक्तित:।।”

એટલે કે જ્યાં ચંડીકેશ્વરનો અધિકાર હોય ત્યાં શિવલિંગ પર અર્પણ કરવામાં આવેલો પ્રસાદ મનુષ્યો લઈ શકતા નથી, તે ચંડીકેશ્વરના અધિકારનો હોય છે. શિવજીને અર્પણ કરવામાં આવેલો પ્રસાદ તે જ લઇ શકે છે.

અડાજણના રામેશ્વર મહાદેવના પૂજારી શ્રી પ્રકાશભાઇ શુક્લ શું કહે છે

સુરતના અડાજણ સ્થિત રામેશ્વર મહાદેવ મંદિરના પૂજારી શ્રી પ્રકાશભાઇ શુક્લ કહે છે કે શિવપુરાણમાં લખાયું છે એ યોગ્ય છે. અમારા રામેશ્વર મહાદેવ મંદિરમાં તેનું પાલન કરવામાં આવે છે. હાલ શ્રાવણ માસમાં રોજેરોજ થતી શિવ પૂજામાં ભાવિકોને ભગવાન શ્રી ગણેશજી, માતા પાર્વતી દેવીને અર્પણ કરવામાં આવતો પ્રસાદ જ વહેંચવામાં આવે છે.

કયા શિવલિંગનો પ્રસાદ લઇ શકાય અને કયા શિવલિંગનો નહીં

પ્રસાદની આ ચર્ચામાં એ બાબત પણ મહત્વની છે કે શિવલિંગ કઈ ધાતુ કે પદાર્થમાંથી બનેલું છે, તેની બનાવટ ઘણી મહત્વની છે. સાદી માટી, પથ્થર અથવા ચીનાઇ માટીથી બનાવવામાં આવેલા શિવલિંગને અર્પણ કરેલો પ્રસાદ લેવો જોઈએ નહીં.

જો શિવલિંગ ધાતુ, બાણલિંગ (નર્મદા કિનારે મળતા કંકર)નું બનેલું હોય તો અથવા પારાનું (પારદ) શિવલિંગ હોય તો તેને અર્પણ કરેલો પ્રસાદ તમામને માટે લઈ શકાય એવો માનવામાં આવે છે. તેમાં ચંડકેશ્વરનો કોઈ અંશ હોતો નથી. એટલે એ પ્રસાદ લેવાથી વ્યક્તિ દોષમુક્ત રહે છે. વળી તેના જીવનમાં આવેલા અવરોધો પણ દૂર થતા હોય છે. આ ઉપરાંત શાલિગ્રામની સાથે જે શિવલિંગની પૂજા કરવામાં આવતી હોય (ભલે પછી તે શિવલિંગ ગમે તે પદાર્થનું બનેલું હોય) તેને અર્પણ કરેલો પ્રસાદ હંમેશા દોષમુક્ત હોય છે, જે લેવાથી જીવનમાં તમામ પ્રકારના અવરોધો કે પરેશાનીઓ દૂર થાય છે. શિવલિંગ જો સ્વયંભૂ હોય એટલે કે પોતાની જાતે પ્રગટ થયેલું હોય એવા શિવલિંગ ને અર્પણ કરેલો પ્રસાદ ખાવાથી જીવનના તમામ પ્રકારનાં પાપ દૂર થતા હોય છે.

જ્યોર્તિલિંગનો પ્રસાદ સર્વોત્તમ

બાર જ્યોતિર્લિંગને પણ અર્પણ કરેલો પ્રસાદ ખૂબ જ સુખશાંતિ આપનારો અને પાપથી છુટકારો કરાવનારો હોય છે. દેશના વિવિધ ભાગોમાં આવેલા બાર જ્યોતિર્લિંગના પ્રસાદ લેવાથી વ્યક્તિનું ખૂબ જ હિત થતું હોય છે.

શાસ્ત્રો અનુસાર જે શિવલિંગની ઉપાસના કરીને કોઈ એ ભૂતકાળમાં સિદ્ધિ હાંસલ કરી હોય કે જે શિવલિંગ કોઈ સિદ્ધ મહાપુરુષો ભક્તો દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવેલું હોય તેનો પ્રસાદ લેવાથી શિવજીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે.આ ઉપરાંત જેમણે સાધુત્વ ગ્રહણ કર્યું છે એટલે કે જેમણે દીક્ષા લીધેલી છે તેવા તમામ સંતપુરુષો શિવજીના લિંગને અર્પણ કરવામાં આવેલો પ્રસાદ લેતા હોય છે અને લઈ શકે છે.

 

August 19, 2018
eco_friendly_ganesh_chaturthi_HD_wallpapers.jpg
1min8190

બ્રહ્માંડના સર્વપ્રથમ દેવ ગણાતા વિઘ્નહર્તા ગણપતિ બપ્પાના આગમનને હવે 4 દિવસ જ બાકી રહ્યા છે. તેમની મહેમાનગતિ કરવા ભક્તો પૂરજોશમાં તૈયારીઓ કરી રહ્યા છે. ભારત જેવા પ્રતિભાશાળી દેશમાં કળાની કોઇ કમી નથી. જો એક વસ્તુ ઉપલબ્ધ ન હોય તો વૈકલ્પિક વસ્તુનો જુગાડ કેવી રીતે કરવો એ જાણે છે. તેથી બપ્પાના આગમનમાં કોઇ પણ જાતની કમી ન દેખાય તે માટે કલાકારોએ ઘણા વિકલ્પો શોધ્યા છે જે પર્યાવરણને હાનિ પહોંચાડી શકે તેમ નથી. તેથી આજના લોકો પરંપરાને પર્યાવરણના હિતમાં રાખીને નિભાવે છે. આવી મોંઘવારીના સમયમાં ધનાઢ્ય પરિવાર હોય કે પછી ગરીબ, બધા જ સ્તરના લોકો માટે ડેકોરેશન સંબંધી વિકલ્પો ઉપલબ્ધ છે.

પૈસા છે તો વાપરો પ્લાયવુડના મકર

પ્લાસ્ટિક અને થર્મોકોલ જેવી વસ્તુઓ પર્યાવરણને હાનિ પહોંચાડતા હોવાથી 23મી જૂનથી મહારાષ્ટ્ર રાજ્યમાં આ વસ્તુઓને બૅન કરી નાખી હતી. તેથી હવે ગણપતિના ડેકોરેશનમાં સનબૉર્ડ, પ્લાયવૂડ અને કાર્ડબોર્ડમાંથી બનાવાતા ગણપતિના મકરનું ચલણ વધી રહ્યું છે. જોકે, આવા પ્રકારના મકરના ભાવમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. થર્મોકોલના નાના મકર પહેલા પાંચસો રૂપિયા સુધીમાં સરળતાથી ઉપલબ્ધ થઇ જતાં હતા, પણ હવે તેના વિકલ્પ તરીકે બનાવવામાં આવી રહેલા આ પ્રકારના મકરના ભાવની શરૂઆત છ હજારથી થાય છે. પ્લાયવૂડ, સનબૉર્ડ અને કાર્ડબોર્ડથી તૈયાર કરવામાં આવતા મકરનો ફાયદો એ છે કે આ મકરને સાચવીને આગલા વર્ષે પણ વપરાશમાં લઇ શકાય છે.

દાદરમાં આવેલી એક ડેકોરેશનની દુકાનના માલિકે જણાવ્યું હતું કે થર્મોકોલ પર સરકારે પ્રતિબંધ લગાવ્યો હોવાથી અમે તેના વિકલ્પ તરીકે બાયોગ્રેડ મટિરીયલનો વપરાશ કરીએ છીએ જે માર્કેટમાં થર્મોકોલ કરતાં બમણી કિંમતે વેચાણ થાય છે. પ્લાસ્ટિકબંદી થયા પહેલા થર્મોકોલથી બનાવવામાં આવેલા ગણપતિના મકરને લોકો ખરીદે એ અંગે પાલિકા સાથે વાતચીત ચાલી રહી છે. આ ઉપરાંત ગણપતિચતુર્થી બાદ થર્મોકોલના ડેકોરેશનને ડિસ્પોઝ કરી શકાય એવા મશિન પણ બેસાડવામાં આવશે, જેથી પર્યાવરણને નુકસાન ન થઇ શકે. તેમ જ મોટા મંડળ દ્વારા કરવામાં આવી રહેલા ડેકોરેશનમાં થર્મોકોલની જગ્યાએ હિટલોંગનો પણ વપરાશ થઇ રહ્યો છે.

પ્લાસ્ટિકની પ્લેટને બદલે શેરડીના ડુચાની પ્લેટ

આ તો થઇ ડેકોરેશનની વાત! જ્યારે ગણપતિ આપણા ઘરે પધારે છે, ત્યારે તેમના દર્શન માટે સગાસંબંધી તેમ જ મિત્રો પણ આવે છે. ઘરના સભ્યોનું કામ ન વધે તે માટે એ મહેમાનોને ચાયની જગ્યાએ કોલ્ડડ્રીંગ્સ અને સુકા નાશ્તા માટે પ્લાસ્ટિકની પ્લેટ્સ અને ગ્લાસની સુવિધા રાખવામાં આવતી, પણ આજે હવે તેનો પણ વિકલ્પ ઉપલબ્ધ છે. પ્લાસ્ટિક કરતાં મોંઘી કિંમત ધરાવતા કાગળ અને શેરડીના ડુચામાંથી તૈયાર કરવામાં આવતી પ્લેટ્સ, ગ્લાસ અને નાના કપની માર્કેટમાં ડિમાન્ડ વધી રહી છે.

ગણપતિ બપ્પાની મૂર્તિ વિશે વાત કરીએ તો રાજ્યમાં ઇકો-ફ્રેન્ડલી શાડુ માટીની મૂર્તિનું વેચાણ 40 ટકા જેટલું વધ્યું છે અને પ્લાસ્ટર ઑફ પેરિસની મૂર્તિઓનું પ્રમાણ ધીરે ધીરે ઘટી રહ્યું છે, જે સૌથી સકારાત્મક વાત છે. આ ઉપરાંત કાગળની લુગદીની પણ મૂર્તિઓ બનાવવામાં આવે છે, પણ તેની કિંમત સાતમા આસમાને હોવાથી તેની ખરીદી ખૂબ જ ઓછા લોકો કરે છે. હવે ધીરે ધીરે લોકો પણ પર્યાવરણનું ધ્યાન રાખીને પણ પર્વને ધૂમધામથી ઉજવી રહ્યા છે.

થર્મોકોલની સજાવટ કરનાર કલાકારોથી બાપ્પા રૂઠ્યા

રાજ્યમાં સરકાર દ્વારા પ્લાસ્ટિક અને થર્મોકોલ પર પ્રતિબંધ મૂકવામાં આવતા આ ઉદ્યોગ સાથે સંકળાયેલા નાના મોટા વેપારીઓ અને કારીગરો મુશ્કેલીમાં મુકાયા છે. ગણોશોત્સવને માંડ એક મહિનો બાકી છે, ત્યારે પ્રતિબંધને કારણે થર્મોકોલના મકર તેમ જ અન્ય નાની મોટી સજાવટની વસ્તુઓ બનાવનાર કલાકારો હતાશ થયા છે.

ગણેશોત્સવ પૂર્ણ થતા જ આવતા વર્ષની તૈયારીમાં કલાકારો લાગી જાય છે, તેથી સરકારે થર્મોકોલ પર પ્રતિબંધ મૂક્યો તે અગાઉ જ કલાકારો થર્મોકોલના અંદાજે 70 ટકા મકર અને અન્ય સજાવટની વસ્તુઓ તૈયાર કરી ચૂક્યા હતા. થર્મોકોલના વેચાણ પર બંધી અમલમાં આવતા કલાકારોની મહેનતની સાથે કરોડોના રોકાણ પર પણ પાણી ફરી વળ્યું છે. એટલું જ નહીં તેમની રોજીરોટીને પણ મોટો ફટકો પડ્યો છે.

શ્રી થર્મોકોલ સજાવટ કલાકાર સંગઠનના જણાવ્યા અનુસાર અમારા સંગઠન સાથે અંદાજે દસથી 15 હજાર કલાકારો જોડાયેલા છે. આ કલાકારોએ પ્લાસ્ટિક બંધીના અમલ અગાઉ જ કરોડોનો માલ તૈયાર કરીને રાખ્યો હતો. પ્રતિબંધ બાદ અમે થર્મોકોલની વસ્તુઓ બનાવવાનું બંધ કરી દીધું હતું. જોકે, જે તૈયાર કરેલો માલ પડ્યો છે તે વેંચવાની મંજૂરી આપવામાં આવે તેવી માગ અમે સરકારને કરી છે. અમે લોન લઇને કરોડોનું રોકાણ કર્યું છે, જો તે નહીં વેેચાય તો તેનો ફટકો ગરીબ કારીગરોને પડશે.

સંગઠનના જણાવ્યા અનુસાર અમે થર્મોકોલ બંધીના વિરોધમાં નથી, પરંતુ જે માલ પડ્યો છે તેને આ વર્ષે ગણેશોત્સવમાં વેચવાની મંજૂરી આપવામાં આવે. આગામી વર્ષે અમે થર્મોકોલના મકર કે પછી સજાવટની અન્ય વસ્તુનું વેચાણ નહીં કરીએ. આ અંગે અમે રાજ્ય સરકાર અને રાજકીય પક્ષ સમક્ષ અમારી માગણી મૂકી હતી, પરંતુ હજુ સુધી કોઇ પ્રતિસાદ મળ્યો નથી. જોકે, હજુયે તેમને આશા છે કે રાજ્ય સરકાર અને પાલિકા ફરી એક વાર વિચાર કરીને બાકી બચેલા થર્મોકોલના માલને વેચવાની મંજૂરી આપશે.

પ્લાસ્ટિક અને થર્મોકોલ જેવા અવિઘટનશીલ પદાર્થને કારણે પર્યાવરણને થતા ગંભીર નુકસાનને ધ્યાનમાં લઇને સરકારે આ વર્ષે પ્લાસ્ટિક અને થર્મોકોલ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો હતો. જોકે, તેના અમલ અગાઉ સરકારે પ્લાસ્ટિક અને થર્મોકોલના માલના જથ્થાના નિકાલ માટે સમય આપ્યો ન હોવાની વેપારી અને કારીગરોની ફરિયાદ છે.

August 17, 2018
tataagiyaribandra.jpg
1min18480

પારસીઓનું નવું વર્ષ ગણાતા પતેતી પર્વે આજે દેશભરમાં પારસી બિરાદરોએ પરિવાર સમેત પતેતીની ઉજવણી કરી હતી. તેમણે પોતાના પરિવારજનો, સગાસબંધીઓને પતેતીની શુભકામનાઓ પાઠવી હતી.

ભારતમાં પારસી કોમ્યુનિટીમાં શિર્ષસ્થ ગણાતા ઉદ્યોગપતિ તાતા પરિવારના રતન તાતાએ પણ મુંબઇના બાંદ્રા ખાતે આવેલી ટાટા અગિયારી ખાતે પતેતીની શુભકામનાઓ પાઠવતા ઉજવણી કરી હતી. જે તસ્વીરમાં દ્શ્યમાન છે.

August 15, 2018
v5.jpg
2min7690
સંત વિભૂતિ અને શાસ્ત્રોના પ્રખર જ્ઞાતા સદગુરૂ શાસ્ત્રી પૂજ્ય હરિપ્રકાશદાસજી તથા શાસ્ત્રી પૂજ્ય જ્ઞાનપ્રકાશદાસજી
દેવદર્શનાર્થે વડતાલ પધાર્યા હતા અને સાથે હીંડોળા મહોત્સવ પ્રદર્શન નિહાળી પ્રભાવિત થયા હતા.!!
       —————————–—————-
સહાયક કોઠારી ડૉ.સંતવલ્લભદાસજી
તથા Associate પૂજ્ય શ્યામવલ્લભ
સ્વામીએ બંને સંત વિભૂતિઓનું સ્વાગત
કર્યું હતું. દેવદર્શન કરાવ્યા બાદ શાસ્ત્રી
પૂજ્ય હરિપ્રકાશદાસજીને વ્હીલચેરમાં
બેસાડીને પૂજ્ય જ્ઞાનપ્રકાશ સ્વામી સાથે
હીંડોળા પ્રદર્શનમાં દોરી ગયા હતા.
            વડતાલમાં યોજાયેલ પ્રથમ
હીંડોળા મહોત્સવની વિવિધ ઐતિહાસિક
કલાકૃતિઓ નિહાળી તેઓ પ્રભાવિત
થયા હતા અને આવા આયોજન બદલ
ડૉ.સંત સ્વામી તથા પૂજ્ય શ્યામ સ્વામીને
આશિર્વાદ સાથે અભિનંદન ધન્યવાદ
આપ્યા હતા. બંને સંત વિભૂતિઓએ
આધુનિક ભોજનાલયની પણ મુલાકાત
લીધી હતી અને પૂર્ણ સંતોષ વ્યક્ત
કર્યો હતો. શાસ્ત્રી પૂજ્ય હરિપ્રકાશદાજી
ગાંધીનગર સ્વામિનારાયણ ગુરુકૂળના
પ્રણેતા છે અને હાલ તેમની વય ૯૦
વર્ષની છે અને નાદુરસ્તીને કારણે તેઓ ચાર વર્ષ બાદ આજે પ્રથમવાર બહાર
આવી  વડતાલધામમાં પધાર્યા હતા.!! શાસ્ત્રી પૂજ્ય જ્ઞાનપ્રકાશ
સ્વામી તો સ્વામિનારાયણ સંપ્રદાયના વર્તમાન સમયના શ્રેષ્ઠ અને
વિદ્વાન સંત શિરોમણી વિદ્વતજન  ભૂષણ અને સકળ શાસ્ત્રોના અર્થજ્ઞાતા છેઃ આમ
જોઇએ તો બંને સંતો સ્વામિનારાયણ
સંપ્રદાયના શાસ્ત્રોના પ્રખર વિદ્વાનો અને
વંદનીય સંતપુરુષો છેઃ
____________।। @ બાલુભાઇ વરિષ્ઠ પત્રકાર Vadtal
August 11, 2018
rameshwar-1280x720.jpg
1min5840

આવતીકાલ તા.૧૨મી ઓગસ્ટને રવિવારથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે આ વર્ષે વિક્રમ સંવત-૨૦૭૪માં શ્રાવણ મહિનામાં ચાર સોમવાર આવી રહ્યાં છે. આ વર્ષે શિવપૂજા માટે શહેરના શિવાલયો, શિવ મંદિરોમાં એડવાન્સ બુકિંગ પણ શિવભક્તો દ્વારા થઈ રહ્યું છે.

આવતીકાલ રવિવારથી તા.૧૨ ઓગસ્ટથી તા.૯ સપ્ટેમ્બર સુધી શ્રાવણ માસ રહેશે. શ્રાવણ સુદ ચોથના રોજ મંગળવારે છે. જ્યારે તા.૨૬મી ઓગસ્ટના રોજ રક્ષાબંધનની ઉજવણી થશે. જોકે, આ દિવસે સાંજે ૫.૨૭ સુધી જ રક્ષાબંધન થઈ શકશે. જ્યારે તા.૩ સપ્ટેમ્બરના રોજ જન્માષ્ટમીની ઉજવણી થશે અને આ જ દિવસે આ વર્ષે શ્રાવણ મહિનાનો અંતિમ રવિવાર પણ છે.

બિલિપત્ર અને ગાયના દૂધ પણ મોંઘા થયા છે. જોકે, શિવભક્તો દ્વારા એડવાન્સમાં બુકિંગ કરાવવામાં આવી રહ્યું છે. ખાસ કરીને ચાર સોમવાર ઉપરાંત શનિ-રવિવાર જેવા વીકેન્ડ અને ૧૫ ઓગસ્ટ, રક્ષાબંધન, જન્માષ્ટમી માટે ખાસ બુકિંગ ચાલી રહ્યું છે. જ્યારે અનેક શ્રદ્ધાળુઓ દ્વારા સમગ્ર શ્રાવણ માસ દરમિયાન સવા લાખ બિલિપત્ર પૂજા માટે પણ અનેક શિવભક્તો દ્વારા એડવાન્સ બુકિંગ પણ થઈ ચૂક્યું છે. આ શ્રાવણ માસ દરમિયાન દરરોજ ‘ઓમ્ નમ: શિવાય’ મંત્રનો જાપ અથવા મહામૃત્યુંજય મંત્રનો જાપ પણ ઉત્તમ ફળદાયી બની રહેશે.

August 11, 2018
somnath.jpg
1min7830

દ્વાદશ જ્યોતિર્લિંગમાં પ્રથમ સ્થાન ધરાવતા સુપ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિર શનિવારથી જ 2000 જેટલી એલઈડી લાઈટની રોશનીથી ઝળહળી ઊઠશે. મંદિરને રંગબેરંગી એલઈડીથી શણગારવામાં આવી રહ્યું છે. હાલમાં આ કામગીરી પૂર્ણતાના આરે છે. જેટલી પણ કામગીરી થઈ છે તેનું ટેસ્ટિંગ હાલમાં ચાલી રહ્યું છે.

સુપ્રસિદ્ધ સોમનાથ મંદિર પવિત્ર શ્રાવણ મહિના દરમિયાન રંગબેરંગી રોશનીથી ઝળહળી ઉઠશે. 2000 જેટલી એલઈડી લાઈટો લગાવવામાં આવી રહી છે. રોજ રાત્રે 45 મિનિટ સુધી લગાવાયેલી એલઈડી લાઈટની રોશનીથી મંદિરની શોભા ચાર ગણી વધી છે જ્યારે કામગીરી પૂરી થશે ત્યારે મંદિર જોઈને ભક્તો પણ દંગ રહી જશે. છેલ્લા 4 મહિનાથી આ કામગીરી ચાલી રહી છે. મુખ્ય પ્રવેશદ્વારને પણ રંગબેરંગી લાઈટથી શણગારવામાં આવી રહ્યું છે. કુલ 6 કરોડનો ખર્ચ લાઈટિંગ બ્યુટીફિકેશન માટે થશે. મંદિર ફરતે 1400 એલઈડી ફિક્ચર્સ અને 600 હાઈ એલઈડી લાગી રહી છે. નાના નાના હજારો બલ્બથી મંદિરનાં પગથિયાંથી 151 ફૂટની ઊંચાઈ ધરાવતા ઊંચા શિખર સુધી લાઈટોના વિવિધ રંગ જોવા મળશે. આ અંગે સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ જણાવ્યું હતું.