CIA ALERT

આધ્યાત્મિક Archives - Page 32 of 36 - CIA Live

October 4, 2018
ambikaniketan.jpg
1min610

શારદીય નવરાત્રિમાં અનુષ્ઠાનનો પ્રારંભ કરતાં પૂર્વે ઘટ સ્થાપન, દીપસ્થાપન અને જ્વારારોપણ પણ કરવામાં આવતું હોય છે. એવું કહેવાય છે કે જે શ્રદ્ધાળુ નિયમપૂર્વક, સંયમપૂર્વક દેવી ઉપાસના કરે છે, તેને ઐશ્વર્ય, ઊર્જા અને આધ્યાત્મિક ઉન્નતિની પ્રાપ્તિ થાય છે.

(સુરતના અંબિકા નિકેતન મંદિર ખાતે તા.4 ઓક્ટોબર 2018ના રોજના માતાજીના દર્શન)

આ વર્ષે વિક્રમ સંવત-૨૦૭૪માં તા.૧૦ ઓક્ટોબરથી શારદીય નવરાત્રિનો પ્રારંભ થશે. એવું પણ કહેવાય છે કે પિતૃપક્ષની પૂર્ણાહુતિ થતાં દેવી પક્ષનો પ્રારંભ થાય છે. કેમ કે આસો મહિનાની પ્રતિપદાથી લઈને નવ દિવસ, દસમા દિવસે વિજયા દશમી અને શરદ પૂર્ણિમાએ પણ દેવીની ઉપાસના કરવામાં આવે છે. આ નવરાત્રિને આસો નવરાત્રિ કે શરદ ઋતુમાં આવતી હોવાથી શારદીય નવરાત્રિ તરીકે પણ ઓળખવામાં આવે છે. જેને શક્તિ-સંચય માટેનું પર્વ પણ કહેવામાં આવે છે.

નવરાત્રિ દરમિયાન માતાજીના નવ-નવ અલગ-અલગ સ્વરૂપોની ઉપાસના પણ કરવામાં આવતી હોય છે. પ્રથમ દિવસે શૈલપુત્રી, બીજા દિવસે બ્રહ્મચારિણી, ત્રીજા દિવસે ચંદ્રઘંટા દેવી, ચોથા દિવસે કૂષ્માંડા દેવી, પાંચમા દિવસે સ્કંદમાતા, છઠ્ઠા દિવસે કાત્યાયિની દેવી, સાતમા દિવસે કાલરાત્રિ, આઠમા દિવસે મહાગૌરી અને નવમા દિવસે સિદ્ધિદાત્રી દેવીની ઉપાસના કરવામાં આવે છે.

  • પ્રથમ દિવસે શૈલપુત્રી,
  • બીજા દિવસે બ્રહ્મચારિણી,
  • ત્રીજા દિવસે ચંદ્રઘંટા દેવી,
  • ચોથા દિવસે કૂષ્માંડા દેવી,
  • પાંચમા દિવસે સ્કંદમાતા,
  • છઠ્ઠા દિવસે કાત્યાયિની દેવી,
  • સાતમા દિવસે કાલરાત્રિ,
  • આઠમા દિવસે મહાગૌરી અને
  • નવમા દિવસે સિદ્ધિદાત્રી દેવી

શારદીય નવરાત્રિમાં અનુષ્ઠાનનો પ્રારંભ કરતાં પૂર્વે ઘટ સ્થાપન, દીપસ્થાપન અને જ્વારારોપણ પણ કરવામાં આવતું હોય છે. એવું કહેવાય છે કે જે શ્રદ્ધાળુ નિયમપૂર્વક, સંયમપૂર્વક દેવી ઉપાસના કરે છે, તેને ઐશ્વર્ય, ઊર્જા અને આધ્યાત્મિક ઉન્નતિની પ્રાપ્તિ થાય છે.

બંગાળી પરિવારો દુર્ગા પૂજા પણ કરશે

આ નવરાત્રિ દરમિયાન ભક્તો શક્તિપીઠ અંબાજી, બહુચરાજી, પાવાગઢ, ચોટીલા, સુરતમાં અંબિકાનિકેતન, અડાજણમાં શક્તિ નિકેતન સહિતનાં દેવી સ્થાનોએ જઈને માતાજીની ઉપાસના કરે છે. સાથે જ ગુજરાત-સુરતમાં વસતા બંગાળી પરિવારો પણ દુર્ગા પૂજા મહોત્સવનું આયોજન કરતાં હોય છે. સાથોસાથ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરતાં હોય છે.

 

September 21, 2018
chandi-1280x720.jpg
1min18740

ગુજરાતના એકમાત્ર એવા અને ૩૫૦ વર્ષ પહેલાં જામનગરના રાજવીએ ભેટ તરીકે આપેલા આ ચાંદીના તાજિયાનું વજન ૧૯૦ કિલો છે અને એની માનતા અત્યાર સુધીમાં એક લાખથી વધુ માવતર માની ચૂક્યા છે 

 

વિષય શ્રદ્ધાનો હોય તો તર્ક અને દલીલ પણ પાયાવિહોણાં થઈ જાય છે. આ વાત જામનગરના ચાંદી-તાજિયાને અક્ષરોઅક્ષર લાગુ પડે છે. મહોરમ નિમિત્તે જામનગરમાંથી નીકળતા તાજિયા જુલૂસમાં જોડાતા ચાંદીના તાજિયા જોવા માટે અને એ તાજિયાનાં દર્શન માટે એકલા જામનગર, સૌરાષ્ટ્ર કે ગુજરાતમાંથી જ નહીં પણ મુંબઈ, હૈદરાબાદ, દિલ્હી, લંડન, આફ્રિકા, કૅનેડા અને અમેરિકા જેવા દેશોમાંથી પણ ભાવિકો પધારતા હોય છે.

૧૯૦ કિલો વજન ધરાવતો આ તાજિયો સાડા ત્રણસો વર્ષ પહેલાં જામનગરના રાજવી પરિવારે જામનગરની સૈયદ જમાલ કમિટીને ભેટ આપ્યો હતો. જામ રા ખેંગારજીને ત્યાં બાળકો થતાં નહીં હોવાથી તેમણે માનતા માની હતી કે જો તેમને ત્યાં વંશ આવશે તો તે મહોરમ નિમિત્તે ચાંદીનો તાજિયો બનાવી આપશે. માનતા ફળી એટલે તેમણે તાજિયો કરાવી આપ્યો અને પછી તો આ તાજિયો પોતે શ્રદ્ધાનો વિષય બની ગયો. એવું માનવામાં આવે છે કે આ તાજિયાનાં દર્શન કરાવવાથી બાળકો બીમાર નથી પડતાં. આ જ કારણે આ તાજિયાને નજર સમક્ષ રાખીને દર વર્ષે હજારો મા-બાપ પોતાનાં નાદુરસ્ત બાળકો માટે માનતાં રાખે છે અને મહોરમના દિવસે તાજિયાનું જુલૂસ નીકળે ત્યારે આ ચાંદીના તાજિયાનાં દર્શન કરાવે છે.

જામનગરમાં મહોરમના તહેવાર અગાઉ એક દિવસ દરમ્યાન આ ચાંદીના તાજિયા લોકદર્શન માટે ખુલ્લા મૂકવામાં આવે છે.

ગુગલ યુ ટ્યુબ પર આ તાજીયાના વિડીયોઝ પણ ઉપલબ્ધ છે.

You can find us on Google Play store too

September 20, 2018
ambaji.jpg
1min5140

શક્તિપીઠ અંબાજીમાં બુધવાર તા.19મી સપ્ટેમ્બર 2018થી ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ થઇ ગયો હતો. આ મેળો 19મી સપ્ટેમ્બરથી 25મી સપ્ટેમ્બર સુધી સાત દિવસ ચાલશે. મેળામાં લોકો શાંતિથી અને કોઈ વિઘ્ન વગર મા અંબાના દર્શન કરી શકે તે માટે સાત દિવસ માટે દર્શન અને આરતીનાં સમયમાં ફેરફાર કરાયો હતો.અને સુરક્ષાને લઇને વહીવટી તંત્રએ ભક્તાને મેળામાં કોઇ અગવડતા ન પડે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી.

બોલ માડી અંબે…જય જય અંબેનો નાદ

અંબાજીમાં મેળો શરૂ થતાની સાથે જ અંબાજીના બજારોમાં ભીડના દ્રશ્યો જોવા મળી રહ્યા હતા. ચારેબાજુ બોલ માડી અંબે…જય જય અંબેનો નાદ સાંભળવા મળ્યો હતો. સાત દિવસ ચાલનારા મેળામાં તેમ જ મા અંબાના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો અંબાજી પહોંચી રહ્યા હતાં. આ વખતના અંબાજીના મેળામાં માઇ ભક્તોને અગવડતા ન પડે તે માટે મંદિરમાં દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો હતો.

સવારની આરતી જે સામાન્ય દિવસમાં સવારે 7 કલાકે થતી હતી તે મેળા દરમિયાન સવારે 6:15 વાગ્યાથી 6:45 વાગ્યા સુધી થશે. સવારે 6:45થી 11:30 સુધી દર્શનનો લાભ મેળવી શકાશે. બપોરે 12:30 વાગ્યાથી સાંજે 5:00 વાગ્યા સુધી લોકો દર્શનનો લાભ લઈ શકશે. સાંજની આરતી 7:00થી 7:30 સુધી યોજાશે. જ્યારે ભાવિકો સાંજે 7:30 વાગ્યાથી રાત્રે 1:30 વાગ્યા સુધી દર્શનનો લાભ લઈ શકશે. મહામેળામાં ગત વર્ષે 26.73 લાખ માઇ ભક્તોએ મા અંબાના દરબારમાં માથું ટેકવીને ધન્યતા અનુભવી હતી.

ગત વર્ષની સરખામણીએ આ વખતે 28 લાખથી વધુ યાત્રાળુઓ ભાદરવી પૂનમના મહામેળા વખતે અંબાજી આવે તેમ મનાઇ રહ્યું છે. અંબાજી ખાતે મંદિર આ વખતે પરિસરને આકર્ષક રોશનીથી શણગારવામાં આવ્યું હતું. મહામેળા દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ બને નહીં માટે અંબાજીના વિવિધ માર્ગોના 22 વિભાગ પાડીને 609 પોઇન્ટ્સ મુકાયા છે તેમ જ 150 રૂટ પર પેટ્રોલિંગની વ્યવસ્થા કરાઇ છે. અંબાજીમાં 27 વોચ ટાવર, 7 ક્ધટ્રોલરૂમ, ઘોડેસવાર, પેટ્રોલિંગ-ડોગ સ્ક્વોડ, બોમ્બ ડિસ્પોઝેબલ સ્ક્વોડ તહેનાત કરવામાં આવી છે. આ ઉપરાંત ઠેકઠેકાણે સીસીટીવી કેમેરા પણ મૂકવામાં આવ્યા છે.

મહામેળાનું જીવંત પ્રસારણ અંબાજીમાં 24 કલાકમાં કોઇ પણ સ્થાનેથી નિહાળી શકાય માટે અંબાજીના વિવિધ વિસ્તારોમાં 12 એલઇડી, 30 ટેલિવિઝન સેટ મૂકાયા છે. જેના દ્વારા યાત્રાળુઓ આરતી સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું જીવંત પ્રસારણ નીહાળી શકશે. વિવિધ પગપાળા સંઘોનું આગમન થઇ ચૂક્યું છે. સ્વાઇન ફ્લૂ ધીરે-ધીરે માથું ઊંચકી રહ્યો હોઇ. જેના પગલે પગપાળા સંઘના કેમ્પ તેમ જ અંબાજીમાં પણ સ્વચ્છતાની પૂરી તકેદારી રાખવામાં આવી રહી છે.

September 18, 2018
vadtal.jpg
1min5620
જલ ઝીલણી ઉત્સવ એ એક દિવસીય     ત્રીજો સમૈયો ગણાય છે…!!
      યાત્રાધામ વડતાલમાં છેલ્લા દસેક
વર્ષથી નાના મોટા ઉત્સવોને વિશિષ્ટરૂપે  ઉજવવાની એક પરંપરા શરૂ થઇ છે; જેને
પગલે  સત્સંગનો વ્યાપ વધવા
સાથે વિકાસની હારમાળા પણ સર્જાઇ
છે જેનો સીધો લાભ હરિભક્તોને થઇ
રહ્યો છેઃ આ બધા ઉત્સવો માટેના પ્રેરક
છે ડૉ.સંત સ્વામી તથા associate પૂજ્ય શ્યામ સ્વામી !!  આ બંને સંતોએ
જલ ઝીરણી ઉત્સવને સમૈયાનું સ્વરૂપ
આપીને હજારો ભાવિકોને વડતાલ પ્રતિ
આકર્ષ્યા છેઃ
❏ જલ ઝીલણી ઉત્સવ ❏
      વડતાલમાં ૧૯૦ વર્ષથી જલ ઝીલણી ઉત્સવ ઉજવાતો આવ્યો છેઃ આ ઉત્સવમાં ૨૫ ગામોના હજારો ભાવિકો ભજનમંડળીઓ
સાથે ઉમંગભેર ઉમટી પડે છેઃ
ગણપતિ તથા ઠાકોરજીની પ્રથમ
આરતી ઉતારી બંને દેવોને હોડીમાં બેસાડી
નૌકાવિહાર કરાવવામાં આવે છેઃ
આ અવસરમાં પ.પૂ.આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજ પણ સંતો સાથે
ઉપસ્થિત રહી બંને દેવોની આરતી ઉતારે
છેઃ આ આખોય ઉત્સવ આનંદઉલ્લાસ
ભર્યો બની રહે છેઃ  સંતો જ્યારે ગોમતી
સરોવરમાં ડૂબકી લગાવી સ્નાન કરે છે ત્યારે આ દ્રશ્યો બેઘડી આનંદ ઉપજાવે છેઃ
         નિજ મંદિરથી ગોમતી સુધી વાજતે ગાજતે નગરયાત્રા નિકળે છે જેમાં રાસ મંડળી ભજન મંડળીઓ ભૂંગળ મંડળીઓ
જોડાય ત્યારે  વડતાલ ગૂંજી ઊઠે છેઃ
     સમગ્ર ઉત્સવનું સંચાલન અને વ્યવસ્થા પૂજ્ય શ્યામ સ્વામીએ સંભાળે
છેઃ
_______❏ અહેવાલ: બાલુભાઇ વરિષ્ઠ
પત્રકાર સુરત વડતાલ સેન્ટર આણંદ

You Can Find us on Google Play Store

September 12, 2018
lalbaug2018.jpg
1min5320

લાલબાગના રાજાનો ફસ્ર્ટ લુક 11મી સપ્ટેમ્બર 2018ના રોજ જાહેર કરવામાં આવ્યો હતો. આ વર્ષે‍ પર્યાવરણની જાગૃતિ વિશેની સજાવટ કરવામાં આવી છે. રાજાની આસપાસ વન્ય પ્રાણીઓ અને વૃક્ષો દેખાશે. મૂર્તિની પાછળ LED દ્વારા દૃશ્યો બદલાતાં રહેશે.

RAJA KI SAWARI….First look of the ganesh idol, famously known as ‘Lalbaugh Ka Raja’ is revealed today at Lalbaugh in Mumbai on 11th Sept 2018. Pics by BIPIN KOKATE

ગુજરાતમાંથી ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સુરતમાંથી લાખોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ મુંબઇમાં ગણેશોત્સવ દરમિયાન લાલબાગચા રાજા, દગડુ શેઠ જેવા ગણેશજીના દર્શનાર્થે જાય છે. એવા લાખો શ્રદ્ધાળુઓ હોય છે જેમના મોબાઇલ ફોનના સ્ક્રીન પર આખું વર્ષ લાલબાગ ચા રાજા જ બિરાજમાન હોય છે. ગઇ તા.11મી સપ્ટેમ્બર 2018ના રોજ આવા લાખો લોકોની આતુરતાના અંત આવ્યો હતો કેમકે આ વર્ષના લાલબાગ ચા રાજાનો ફર્સ્ટ લૂક જાહેર થયો હતો.

 

September 9, 2018
partheshwar.jpg
1min12940

આજે રવિવારે પવિત્ર શ્રાવણ માસનો અંતિમ દિવસ છે. શ્રાવણ માસની અમાસના દિવસે શિવપાર્થેશ્વર પૂજનની પૂર્ણાહુતિ થાય છે. આ દિવસે શિવાલયોમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઊમટી પડશે અને ‘ઓમ્ નમ: શિવાય’નો નાદ ગૂંજી ઊઠશે. સુરત સમેત સમગ્ર દક્ષિણ ગુજરાતના શિવલિંગનાં દર્શનથી માંડીને વિશિષ્ટ અભિષેક, પૂજન પણ કરાશે. જ્યારે આ દિવસે પીપળા, તુલસી, બીલીપત્રનું રોપણ કરવું પણ ઉત્તમ માનવામાં આવ્યું છે. સાથોસાથ પિતૃઓની ઉપાસના માટે ઉત્તમ દિવસ છે.

આજે સાંજે પાલ એકલિંગી મહાદેવ મંદિર ખાતે શિવ પાર્થેશ્વર ચિંતામણી યજ્ઞની પૂર્ણાહુતિ

પાલ સ્થિત એકલિંગી મહાદેવ મંદિર ખાતે છેલ્લા એક મહિનાથી ચાલી રહેલા શિવ પાર્થેશ્વર ચિંતામણી અનુષ્ઠાનની પૂર્ણાહુતિ આજરોજ સાંજે થશે. સમગ્ર શ્રાવણ માસ દરમિયાન રોજ 4500 શિવ પાર્થેશઅવર ચિંતામણીનું નિર્માણ કરીને પૂજા વિધી થઇ હતી. મંદિરના ્ટ્રસ્ટી શ્રી નીતિનભાઇ મહેતાએ જણાવ્યું હતું કે રવિવારે આખો દિવસ યજ્ઞ પૂજા વિધી બાદ સાંજે  5 વાગ્યે પૂર્ણાહુતિ હાથ ધરાશે. આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર ત્રિવેદી તેમજ કથાકાર શ્રી પંકજ વ્યાસ તેમજ શહેરના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહેશે. પાલના અન્નપૂર્ણા મંદિર પરિસરમાં આકાર પામેલા એકલિંગી મહાદેવ મંદિરમાં શિવ પાર્થેશ્વર ચિંતામણી યજ્ઞ ભાવિકો માટે અત્યંત  ફળદાયી રહ્યો હતો. સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી લોકો દર્શનાર્થે આવ્યા હતા.

(અડાજણના રામેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસના અંતિમ દિવસે થયેલી પૂજાની તસ્વીર)

શ્રાવણી અમાસનું વિશેષ મહત્વ

શ્રાવણી અમાસનું શાસ્ત્રોમાં સવિશેષ મહત્ત્વ છે. આ દિવસે શિવ-પાર્થેશ્વર પૂજનની પૂર્ણાહુતિ થાય છે. અનુભવસિદ્ધ પ્રયોગ મુજબ આ દિવસે બીલીપત્ર, તુલસી, પીપળા અને રવિવાર હોવાથી આમળાનું રોપણ કરવું ઉત્તમ ફળદાયી માનવામાં આવે છે. ખાસ કરીને આ દિવસે શિવ-પિતૃ કૃપા માટેનો ઉત્તમ દિવસ છે. આ દિવસે આરોગ્યપ્રાપ્તિ માટે કાળા તલ, દેશી ગાયનું દૂધ મિશ્રિત જળ સાથે શિવલિંગ ઉપર અભિષેક કરવો જોઈએ. આ દિવસે ‘મહામૃત્યુંજય’ મંત્રની ઓછામાં ઓછી એક માળા તો કરવી જ જોઈએ. આ દિવસે રુદ્રી પાઠ અને શ્રીશિવમહિમ્ન સ્તોત્ર સહિત શિવ સ્તોત્રોનું પઠન પણ ઉત્તમ ફળદાયી બની રહે છે. ખાસ કરીને આ દિવસે પિતૃકૃપા મેળવવા માટે સૂર્યાસ્ત સમયે પીપળાની જળાભિષેક સાથે પ્રદક્ષિણા કરવી જોઈએ. સાથે જ પાણિયારે આડી વાટનો દીવો પણ કરવો ઉત્તમ ફળદાયી બની રહે.

 

 

 

September 7, 2018
paryushan-1.jpg
1min15540

અમદાવાદ શહેર સહિત રાજ્યભરમાં પર્યુષણનો આરંભ થઇ ગયો હતો. જૈન સમુદાયમાં ભારે મહાત્મ્ય ધરાવતા અને પર્વાધિરાજ કહેવાતા પર્યુષણનો અમદાવાદ સહિત રાજ્યભરનાં નાના મોટા દેરાસરોમાં ઉજવણી સાથે જ તપ, સાધના, આરાધનાનો દોર જામ્યો હતો. ભગવાન મહાવીરને ફૂલ, રૂ, રેશમી દોરાવી માંડીને સોનું, હીરા, મોતીની આપર્ષ આંગી કરાયા હતા શહેરના તમામ સંદો, ઉપાશ્રયોમાં સાધુ-સાધ્વીઓની હાજરીમાં મહાપર્વનો ઉજવણીની રોનક છવાઇ હતી.

જૈન સમુદાયમાં આજથી એટલે કે, 6 સપ્ટેમ્બરથી 13મી સપ્ટેમ્બરના ગુરુવાર સુધી પવાર્ધિરાજ પર્યુષણ ચાલશે. જૈનોમાં આ સૌથી મોટું 8 દિવસનું પર્વ હોય છે. દર વર્ષ ચાતુર્માસમાં ઊજવાતા પર્યુષણના અંતિમ દિવસને સંવત્સરી કહેવાય છે. સાત દિવસ સાધના અને આઠમનો અંતિમ દિવસ સિદ્વિનો માનવામાં આવે છે. દરમિયાન આજથી શરૂ થયેલા પર્યુષણના પર્વમાં દેરાસરો, ઉપાશ્રયો, સંઘોમાં સવારથી મોડી સાંજ સુધી તેની રોનક જોવા મળી હતી. આજના પર્વને લઇને શહેરના દેરાસરોમાં સવારે 5 વાગ્યાથી પ્રતિક્રમણ, ભક્તામર સ્ત્રોતનું પઠન ચાલુ થઇ ગયુ હતું. મોટેરાઓ આઠ દિવસના પૌષધ સાથે જ સાધુ જીવન પાળશે. આ સિવાય વિવિઘ સંધોમાં સિદ્વિતપ, શ્રેણી તપનું પણ આયોજન કરાયું છે.

આજના દિવસે સંધો, ઉપાશ્રયોમાં સવારથી વ્યાખ્યાન, બપોરે દેવવંધન બાદ સાંજે પ્રતિક્રમણ અને રાત્રિએ ભક્તિબાવના કરાઇ હતી. જોકે, પર્યુષણના આજના દિવસે પ્રભુ મહાવીરને આકર્ષક આંગીથી શણગારવાનો મહિમા હોય. હવે સંવત્સરી સુધી રોજે રોજ ફૂલ, રૂ, રેશમી દોરા, સોનું, હીરા-માણેક, મોતીની આંગી કરાઇ હતી.

September 3, 2018
badrinarayan.jpg
1min15550

જયેશ બ્રહ્મભટ્ટ

આજરોજ તા.3 સપ્ટેમ્બર 2018ને ગુજરાતી માસ પ્રમાણે પવિત્ર શ્રાવણ મહિનાનો સોમવાર અને સપ્ટેમ્બરમાં જન્માષ્ટમીનો સંયોગ ૨૭ વર્ષે થઈ રહ્યો છે. આજે તા.૩ સપ્ટેમ્બર 2018, વિક્રમ સંવત-૨૦૭૪ની જન્માષ્ટમી ‘રાજયોગ’યુક્ત બની રહી છે ત્યારે દેવાધિદેવ મહાદેવજી અને પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રીકૃષ્ણની વિશિષ્ટ ઉપાસનાનો વિશિષ્ટ દિવસ પણ બની રહ્યો છે. આજે સવારથી જ શહેરના શિવાલયોમાં ‘ઓમ્ નમ: શિવાય’ અને રાત્રે શ્રીકૃષ્ણ જન્મોત્સવ સમયે ‘નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી’નો જયઘોષ ગાજી રહ્યા છે. પવિત્ર શ્રાવણ માસનો આજે છેલ્લો સોમવાર અને ગોકુળ અષ્ઠમીનો તહેવાર એક સાથે હોઇ આજે વહેલી પરોઢ એટલે કે રાત્રે 3 વાગ્યાથી જ ભાવિકો ભગવાનમય બની ગયા હતા. આજે સવારનો સમય શિવાલયોમાં હકડેઠઠ માનવ મેદની ઉટી પડી હતી અને સાંજ પછી મધરાત સુધી ક્રૃષ્ણ મંદિરોમાં લોકોની ભીડ જોવા મળશે.

પવિત્ર શ્રાવણ માસના અંતિમ સોમવારે શહેરના શિવાલયોમાં શિવજીની આરાધના માટે ભાવિકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. જે મંદિરોમાં શ્રાવણ માસ દરમિયાન દરરોજ પૂજા થતી હતી એ મંદિરોમાં આજે છેલ્લા સોમવારે ભગવાન શિવ અને પરિવારને અલૌકિક શણગાર કરવામાં આવ્યો હતો.

બદરીનારાયણ મંદિરમાં સાઇ કોર્પોરેશનના સભ્યોની નિત્ય શિવપૂજા

શહેરના અડાજણ વિસ્તારમાં બદ્રીનારાયણ મંદિરમાં દૈનિક પૂજા કરતા નાનપુરા, સાઇ કોર્પોરેશન ગ્રુપના સભ્યોએ આજે શિવજીની શોડષોપચાર પૂજા ઉપરાંત શિવલિંગનો ફુલોનો અનોખો શણગાર કર્યો હતો. જે તસ્વીરમાં દ્રશ્યમાન છે. છેલ્લા ઘણા વર્ષોથી બદરીનારાયણ મંદિરમાં શ્રી સાઇ કોર્પોરેશનના સભ્યો શ્રી અશોકભાઇ રાંદેરીયાના વડપણ હેઠળ શ્રી બિરજુ મહારાજના સાનિધ્યમાં શિવ પૂજન કરી રહ્યા છે. શ્રાવણ માસમાં નિત્યક્રમ અનુસાર સવારે 4.30 કલાકથી અહીં શિવપૂજા શરૂ કરી દેવામાં આવે છે.

(અડાજણના બદ્રીનારાયણ મંદિરમાં રોજેરોજ પૂજા કરતા સાઇકોર્પોરેશન ગ્રુપના સભ્યોએ શ્રાવણ માસના છેલ્લા સોમવારે શિવજીને મનોરમ્ય શણગાર કર્યો હતો એ વેળાની તસ્વીર)

પાલના એકલિંગી મહાદેવ મંદિરમાં સવાલાખ પાર્થેશ્વર શિવલિંગનું નિર્માણ અને પૂજા

શહેરના પાલ વિસ્તારમાં આરટીઓની બાજુમાં આવેલા શ્રી એકલિંજી મહાદેવ મંદિર અન્નપૂર્ણા માતા મંદિર તથા સિદ્ધિવિનાયક મંદિર
સૂર્ય દેવ સ્વરૂપે પાર્થેશ્વર શિવલિંગનું નિર્માણ સમગ્ર શ્રાવણ માસ દરમિયાન રોજેરોજ કરવામાં આવે છે. શ્રાવણ માસ દરમિયાન રોજેરોજ 4500 પાર્થેશ્વર શિવલિંગનું નિર્માણ કરીને શ્રાવણ માસની પૂર્ણાહૂતિ સુધીમાં સવા લાખ શિવલિંગનું  નિર્માણ કરીને તેની પૂજા કરવામાં આવે છે. પ્રસ્તુત તસ્વીરમાં તા.2 સપ્ટેમ્બરના રોજ નિર્માણ કરાયેલા પાર્થેશ્વર શિવલિંગની પૂજા દ્રશ્યમાન છે. અહીં ભાવિકો દરરોજ સવારે 9થી રાત્રે 6 સુધી દર્શન કરી શકે છે.

મંદિર પરિસરના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી નીતિનભાઇ મહેતાએ જણાવ્યું હતું કે શ્રી એકલિંજી મહાદેવ મંદિર અન્નપૂર્ણા માતા મંદિર તથા સિદ્ધિવિનાયક મંદિરમાં પવિત્ર શ્રાવણ માસના પુનિત પર્વે સવા લાખ શિવ પાર્થેશ્વર ચિંતામણિ મહાઅનુષ્ઠાનનો કાર્યક્રમ હાલ ચાલી રહ્યો છે. શાસ્ત્રોમાં આ પૂજાનો ખૂબ મહિમા લખાયો છે અને આ એક કપરું ધાર્મિક કાર્ય છે. મંદિર પરિસરમાં સફળતાપૂર્વક પૂજા ચાલી રહી છે અને મોટી સંખ્યામાં ભાવિકો સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી દર્શનાર્થે આવી રહ્યા છે.

આ કાર્યક્રમની પૂર્ણાહૂતિ તા.9મી સપ્ટેમ્બર 2018ના રોજ રવિવારે સાંજે પાંચ વાગ્યે યોજાશે.

 

અડાજણ રામેશ્વર મહાદેવ મંદિરમાં દૈનિક શિવપૂજા

એવી જ રીતે અડાજણ રામજી ઓવારા સ્થિત રામેશ્વર મહાદેવ મંદિરમાં પણ દૈનિક શિવપૂજા થાય છે. શનિવારે પંચ વક્ત્ર પૂજા કરવામાં આવી હતી. મંદિરના પૂજારી શ્રી પ્રકાશભાઇ શુક્લએ જણાવ્યું હતું કે આજે શ્રાવણ માસના અંતિમ સોમવારની પૂજા રાત્રે આઠ વાગ્યે અને એ પછી રાત્રે 10.30 કલાકથી જન્માષ્ટમની પૂજા અને ક્રૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે.

(અડાજણના રામજી ઓવારે આવેલા રામેશ્વર મંદિરમાં રોજેરોજ શિવપૂજા થાય છે રવિવાર તા.2 સપ્ટેમ્બરના રોજ લેવાયેલી આ તસ્વીર)

સવારથી જ મટકીફોડ કાર્યક્રમો પણ શરૂ

બીજી તરફ સવારે 10 વાગ્યાથી જ શહેરના ગોવિંદા મંડળીઓ દ્વારા પોતપોતાના વિસ્તારોમાં મટકી ફોડ કાર્યક્રમો શરૂ કરી દેવામાં આવ્યા છે. શહેરમાં દર વર્ષો વધુને વધુ લોકો પોતાના ઘર, ઓફિસ વગેરે સ્થળોએ મટકીઓ બંધાવીને ગોવિંદા કાર્યકરો પાસે તેને ફોડાવે છે. આ વર્ષે પણ વિક્રમી સંખ્યામાં મટકીઓ બંધાવડાવવામાં આવી હોવાની માહિતી મળી છે.

 

September 1, 2018
shiva.jpg
1min5820

ભારત અને નેપાળે બિહારના રાક્સુલ શહેર અને નેપાળના કાઠમંડુને જોડતી રેલવે લાઇન માટેના એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદી તાજેતરમાં નેપાળના પ્રવાસે છે. તેમણે નેપાળના વડા પ્રધાન કે. પી. શર્મા ઓલી સાથે દ્વિપક્ષીય સંધિના તમામ મુદ્દા પર ચર્ચા કરી હતી. આ ઉપરાંત મોદી અને ઓલીએ યાત્રાળુઓ માટેની ૪૦૦ ખાટલાની નેપાળ-ભારત મૈત્રી પશુપતિ ધરમશાળાનું ઉદ્ઘાટન કર્યું હતું. મોદી અને ઓલી વચ્ચે આ વર્ષમાં આ ત્રીજી મીટિંગ છે. એપ્રિલ મહિનામાં ઓલીની ભારત મુલાકાત દરમિયાન તેઓ પહેલી વાર મળ્યા હતા. ત્યાર બાદ વડા પ્રધાન મોદીની મે મહિનામાં નેપાળ મુલાકાત દરમિયાન તેઓ મળ્યા હતા.

‘અમે ભારત-નેપાળ સંબંધોની વિવિધ બાબતો અંગે ચર્ચા કરી હતી. બંને દેશોના આર્થિક, વેપારી અને સાંસ્કૃતિક સંબંધો મજબૂત બનાવવા અંગે અમે ચર્ચા કરી હતી,’ એમ મોદીએ જણાવ્યું હતું. રાક્સુલ અને કાઠમંડુ વચ્ચે રેલવે લાઇનને કારણે બંને દેશના લોકોની અવરજવરમાં અને માલસામાનની હેરફેરમાં સરળતા રહેશે એમ વિદેશ વ્યવહાર મંત્રાલયના પ્રવક્તા રવિશકુમારે જણાવ્યું હતું.

August 31, 2018
tarun.jpg
1min9180

Date 01 September 2018

51 વર્ષીય ક્રાંતિકારી રાષ્ટ્રસંત મુનિ તરુણસાગરજીએ તા.1 સપ્ટેમ્બર, 2018ના રોજ દિલ્હી ચાતુર્માસ અંતર્ગત સવારે 3.11 મિનિટે અંતિમ શ્વાસ લીધો હતો. તેઓનાં દેવલોકગમનનાં સમાચાર મળતાં જ સમગ્ર દેશમાં રહેલાં તેઓનાં ભક્તોમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. ભક્તો દિલ્હી પણ પહોંચી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં તેઓએ વર્ષ 2003 અને 2012માં ચાતુર્માસ કર્યા હતા.

તરુણ સાગર મહારાજના દેવલોકગમન બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને દુખ વ્યક્ત કર્યું હતું. છેલ્લા ઘણાં સમયથી તેમની તબિયત નાદુરસ્ત હતી, પરંતુ છેલ્લા બે-ત્રણ દિવસથી દિન-પ્રતિદિન સ્વાસ્થ્ય કથળી રહ્યું હતું. આજે સવારે દિગમ્બર જૈન મુનિઓની ઉપસ્થિતિમાં તેઓએ અંતિમ શ્વાસ લીધો હતો.

 

News Published on 31 August 2018
તીખા પ્રવચન અને કડવી વાતો કહેવા માટે જાણીતા જૈન મુનિ પૂ.શ્રી તરુણ સાગર મહારાજની તબિયત વધુ ખરાબ થતાં જૈન સંપ્રદાયોમાં નિરાશાની લાગણી પ્રવર્તી ઉઠી છે. તેઓ કમળાની બિમારી અંગે તબીબી સારવાર લેવાની વાત ઠુકરાવી ચૂક્યા છે.
જૈન મુનિ તરુણ સાગર મહારાજની તબિયત લથડી , ખોરાકમાં કર્યો ઘટાડો
જાણીતા જૈન મુનિ તરુણ સાગર મહારાજની હાલત નાજુક થઇ છે. દિલ્હીની મૈક્સ હોસ્પિટલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે તેમના સ્વાસ્થ્યમાં કોઈ સુધારો નથી થઈ રહ્યો. ડોક્ટર્સે જણાવ્યું કે 20 દિવસ પહેલા કમળાની અસર દેખાતા તરુણ સાગર મહારાજને મૈક્સ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. પરંતુ સારવાર બાદ પણ તેમના સ્વાસ્થ્યમાં કોઈ સુધારો જોવા નથી મળી રહ્યો.
29મી ઓગસ્ટ 2018ના રોજ તેમણે વધુ સારવાર કરાવવાની ના પાડી દીધી હતી અને તેઓ પોતાના અનુયાયીઓ સાથે તા.30મીને ગુરુવારે સાંજે કૃષ્ણાનગર (દિલ્હી) સ્થિત રાધાપુરી જૈન મંદિર ચાતુર્માસ સ્થળે આવી પહોંચ્યા હતા. આચાર્ય ડૉ.લોકેશ મુનિએ તરૂણ સાગર મહારાજની મુલાકાત લીધી હતી. ત્યારબાદ મળેલી માહિતી મુજબ તરૂણ સાગરજીએ આજે આહાર-પાણી પણ લીધા છે.
તરુણ સાગર મહારાજ તીખા પ્રવચન અને કડવી વાતો કરવા માટે જાણીતા છે. હાલમાં જ તેમણે સરકારને બે બાળકોના નિયમને લાગુ કરવાનો આગ્રહ કર્યો હતો. પત્રકારોને તેમણે જણાવ્યું હતું કે બેથી વધુ બાળકો ધરાવતા દરેક વ્યક્તિ વિરુદ્ધ કડક કાર્યવાહી થવી જોઈએ. તેમણે જણાવ્યું કે આ નીતિ તમામ જાતિ અને ધર્મના લોકો પર લાગુ થવી જોઈએ.
તરૂણ સાગરનું અસલી નામ પવન કુમાર જૈન છે. તેમનો જન્મ 26 જૂન 1967ના રોજ મધ્યપ્રદેશના દામોહ જિલ્લામાં ગુહજી ગામમાં થયો હતો. તેમની માતાનું નામ શાંતિબાઇ અને પિતાનું નામ પ્રતાપ ચંદ્ર હતું. તેમણે 8 માર્ચ 1981ના રોજ ઘર-સંસારનો ત્યાગ કરી સંન્યાસ ધારણ કર્યો હતો.
https://youtu.be/39upQQT0PNA